Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ (4) શ્રી અભય કુમારે મળીશ્વરનું જીવન ચરિત્ર, ભૂપતિ તે ચંડપ્રદ્યોતરાજા છે એ મારે ભર્તાર થાઓ એમ ચિનવીને એણે એક ગુટિકા માં નાખી. માગીએ એટલું મળે એમ હોય ત્યારે શા માટે ઓછું માગવું એ કહેવત જ એણે તે ધ્યાનમાં રાખી. વળી એક વખત ગુટિકાના પ્રયોગથી સુંદર રૂપ થયું એટલે લાભ થયો એટલે લેભ વધ્યો અને સુંદર ભતર મેળવવાને માટે પ્રયાસ આદર્યો. મહામાં. ગુટિકા નાખી એટલે એના અધિષ્ઠાયક પેલા દેવતાએ, રૂપસુંદરી બનેલી દેવદત્તાનું ચિન્તવેલું સિદ્ધ કરવાને માટે અવન્તિપતિ–ચંડપ્રદ્યોત રાજા પાસે જઈ, દૂતીકાર્ય કર્યું પેલી દેવદત્તા દાસીના રૂપસૌન્દર્યનું ઉત્કૃષ્ટ. વર્ણન કર્યું કે-હે રાજન્ એની આગળ તારૂં સમસ્ત અન્તઃપુર કશી ગણત્રીમાં નથી. કેમકે એને પગને અંગુઠે બાંધેલી પણ અન્ય સ્ત્રી સભતી નથી. આ સાંભળીને ચંડપ્રદ્યોતનરાજા સદ્ય એનાં દર્શન કરવા અત્યંત ઉત્કંઠિત થયો, વિદ્વાન્ માણસ જેમ રમ્યા કથા કહેવાતી હોય એને વિષે ઉત્કંઠિત થાય છે એમ. એણે તે સવર એક દૂતને એની પાસે મોકલ્યો, કેમકે મોટા માણસ, સ્વાર્થ હોય છે ત્યાં, હાનાના પણ યાચક બને છે. એ તે જઇને રૂપસુંદરી બની ગયેલી પેલી દાસીને કહ્યું–અમારો સ્વરૂપવાન રાજા ચંપ્રદ્યોત તારાપર મોહિત થયે છે; અને તારી, સાથે સુખ ભેગવવા ઈચ્છે છે. એના ઉત્તરમાં એ કિન્નર કહીએ મધુર સ્વરે કહ્યું- પ્રદ્યતન એ નામે ખ્યાતિ પામેલા પ્રોત એટલે પ્રકાશને કેણું ન ઈચછે ? પરન્તુ એણે પોતે અહીં આવીને મને એનું રૂપ બતાવી જવું જોઈએ. કેમકે બજારમાં પણ જે વસ્તુ લઈએ છીએ એ એને રૂપરંગ જોયા પછી જ લઈએ છીએ. તે જઈને આ વૃત્તાન્ત એના સ્વામીને કહો એટલે એ તે એના સન્દર્યની વાત સાંભળીને અતિ હિત થયેલ હોવાથી રાત્રીને સમયે પિતાના “અનલગિરિ” નામના હસ્તી પર આરૂઢ થઈને દેવદત્તા પાસે એ આવી પહોંચે. અથવા તે સમયની પાછળ દર વહ્યો જ આવે છે એ તન સત્ય વાત છે. બેઉની દષ્ટિ મળી કે સદ્ય એમનાં મન પણ પિતાની મેળેજ વિના યને AC. Gunratnasuri M.S. 2