Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ (140) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, જેમ દુઃખીને દિલાસો આપનારી છું એ સાંભળી પેલાઓએ ઉંડા નિ:શ્વાસ મૂકી મૂકીને રપશન રસનાને કારાગ્રહમાં પડવા સુધીને વૃત્તાંત એને કહી સંભળાવ્યું. અને એજ પિતાના ખેદનું મૂળ છે એમ જણાવ્યું. વળી વિશેષમાં એ કહ્યું કે અમે અમારે પ્રમાદ નામને ચતુર દૂત ત્યાં મેકલ્યા હતા એણે ત્યાંનું સમસ્ત સ્વરૂપ સમ્યક્ પ્રકારે જાણી આવીને અમને કહ્યું છે– સ્વામી, તમારી આજ્ઞાથી હું ત્યાં ગયે તે મેં બે પુરૂષ અને એક સ્ત્રીને પહેરો ભરતા જોયા. એઓ પરસ્પર વાતચિત કરતા હતા એમાંથી મેં એમના નામ જાણું લીધા છે. સ્ત્રીનું નામ ધર્મજાગરિકો; અને પુરૂષોનાં નામ રોગનિગ્રહ તથા Àષનિગ્રહ વાયુ ઉખ હોય એમ સ્ત્રી તો લવસવાટ કર્યા જ કરે છે, અને એથી અને પુરૂષના નિમેષ માત્ર પણ નેત્ર મીંચાતાં નથી. એકની સાવધાનતાને લીધે અન્ય બેઉ પણ સાવધાન છે. આમ બાબત છે એટલે કારાગ્રહમાંથી બેઉને છુટકે થવો મુશ્કેલ છે. જે કઈ રીતે ધર્મજાગરિકાને થાપ આપી શકીએ તે બેઉ બીજામાં તો કંઈ નથી. કારણ કે ધુતતા સર્વ સ્ત્રી જાતિમાં વસેલી છે; પુરૂષ તો જડ જેવા છે. માટે જે એ ધર્મજાગરિકોને છળી શકીએ તે આપણા બેઉ દ્ધાએ સદ્ય બહાર નીકળી શકે. અન્યથા એઓ કારાગૃહમાં પડયા પડયા સડશે. આ પ્રમાણે અમારા દૂત પ્રમાદે અમને કહેલું તે હે બહેન, તને કહી સંભળાવ્યું છે. હવે તો તારી કૃપા હાય તો આ વિપત્તિ અમે ઓળંગી શકીએ એમ છે . * દયદ્ર હૃદયવાળી નિદ્રાએ કહ્યું-ભાઈઓ, ખિન્ન ન થશે. એ પાપિઝા ધર્મજાગરિકા તો બાળકની જેમ ક્ષણમાં છેતરાઈ જશે. પેલાએ કહ્યું- હે નિદ્રા હેન, શૂળી પર ચઢાવેલાને પણ સુખદાયી તારા જેવી અમારી ચિન્તા કરનારી હોય ત્યાં અમારે કષ્ટ રહેજ નહિં. એમણે આમ કહીને આકાશમાં ચઢાવી એટલે એ પણ શીધ્ર ધર્મજાગરિકા પાસે ગઈ. સ્વાભાવિક વિર છતાં બેઉ પરસ્પર મળ્યાં. દુઇ નિદ્રાએ વંચનાને પાઠ ભજવ્યું–હૈ દેવિ, આ તારી દાસીની પણ દાસી–તારા ચરણની રજ તારા દર્શને આવી .P. Ac. Gunratnasari M.S.