Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund

View full book text
Previous | Next

Page 152
________________ સંવ૨ાજાના મુભટે કામદેવના દૂતનું કરેલું અપમાન. (13) અમારી જે માણસ નિરન્તર સેવાભક્તિ કરે છે એના પર અમે ઉનો વા પણ વાવા દેતા નથી. પરંતુ કોઈ માણસ અભિમાનથી દેરાઈ અમારી અવજ્ઞા કરે છે તો એને અમે દુ:ખી કરવામાં કંઈ પણ ઉણપ રાખતા નથી; કેમકે શક્તિવંતનું એ લક્ષણ છે. જે ધણુની છાયા પણ કેઈને નમતી નથી અને જે વળી ધણીના પણ ધણી જેવા છે એવાઓ પણ અમારૂં શાસન માન્ય રાખે છે, અષ્ટમાન થઈએ તો રાજ્યના રાજ્ય દઈ દઈએ, અને રૂઠીએ તો ભિક્ષા મંગાવીએ એવી અમારી શક્તિ છે માટે અમારૂં શાસન માન્ય રાખો. એથી તમને વિપુલ લક્ષ્મીની પ્રાપ્તિ થશે. . . - મકરધ્વજ-કામરાજાને દૂત આટલું બેલી બંધ રહ્યો કે સંવરને સત્યજલ્પ સેવક સંવરને આશ્ચર્ય પમાડતો કહેવા લાગ્યો ટિટ્ટભની જેવું તારું વાચાળપણું દીઠું! તારું મિથ્યાજ૫ નામ યથાર્થ જ પાલું લાગે છે કેમકે જે હાંમાં આવ્યું તે તું બોલી નાખે છે! મકરધ્વજના પાપી વિશ્વવંચક વહાલાઓને અમે જીવતા જવા દીધા એ બહુ ભૂલ કરી છે. તારા કામરાજાનું મહાસ્ય પામર માનવોની સભામાં જઈને કહે. ગાલનાં પરાક્રમનાં વર્ણન શગાલેના ટોળામાં જ સારાં લાગે. મુખે મધુર સ્વાદ દેખાડીને મસ્યભાર મસ્યાને કષ્ટ દે છે તેમ તારે કામરાજા પણ મુગ્ધજનને લેભાવીને દુઃખી કરે છે. અમારા જેવા એ સર્વ જાણુનારાની સમક્ષ એના વાત્સલ્યનાં વર્ણન બહુ ક્ય-હવે બસ કર. માતાની આગળ સાળનું વર્ણન કરવાનું હોય નહિં. તારા રાજાના પિતા રાગકેશરી અને પિતામહ પ્રસિદ્ધ જગન્દ્રોહી મહામહ પણ અમારા સંવરેદેવના હાથનો માર ખાઈ પલાયન કરી ગયા છે તો પછી તારા રાજાનું તે ગજું જ શું? વળી સર્પને જઈને સેંથે લેવાની શકિત ધરાવનારને એક તુચ્છ ગળીને ભય છે હોય? માટે જે તારો સ્વામી પોતાની શકિત અણુવિચારીને મારા સ્વામી સાથે યુદ્ધ કરવા આવશે તો એ નિઃસંશય આવશે એ જ લાગશે, અને અમારે થડે પાણીએ જ કાસળ જશે. જે પગે આવ્યો એ જ પગે એને શીધ્ર નાસી ગયા સિવાય બીજે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163