Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund

View full book text
Previous | Next

Page 157
________________ (148) શ્રી અભય કુમાર મંત્રીધરનું જીવન ચરિત્ર. યક શક્તિવાળા બેઉ પ્રતિપક્ષીઓએ કર્ણ પર્યન્ત લાવી લાવીને સામસામા બાણની વૃષ્ટિ આદરી પ્રત્યંચા તાણું પિતપોતાના ધનુષ્યને ટંકારવ કરી એવાં શર મૂકવા માંડયાં કે સૂર્યના કિરણોને પણું આચ્છાદિત કરી નાખ્યા. બન્ને પોતપોતાનાં શર વડે પરસ્પરનાં શોને કાપતા કાપતા બહુ સમય સુધી લડ્યા; વિવાદમાં વાદીઓ સામસામાની દલીલ ત્રોડી નાખતા લડ્યા કરે છે એમ. જયશ્રી પણ સંદેહમાં પડી કે સંવરને વરું કે મકરધ્વજને વરું? એટલામાં તો અનંગે છેડેલા તીર્ણશો વડે સંવરનું કવચ ભેદાયું અને શલ્ય અંદર પેઠું. ' I શલ્યપ્રહારથી અત્યન્ત કે પાયમાન થઈ સંવરે અદ્ધિચંદ્રાકાર શરે છોડી અનંગરાજના ધ્વજ અને છત્ર, પદ્મનાળની જેમ વિના શ્રમે ખંડિત કર્યો. વળી એક સુરાકાર શર વડે ભિક્ષુ-સાધુના મસ્તકની જેમ, એના મસ્તકને મુંડી નાખ્યું, અને બીજા શરથી એના ધનુષ્ય અને દેરી બેઉ છેદી નાખ્યાં. પિતે ગર્વિષ્ટ હતો છતાં દઢ વૈરાગ્ય મુગર વડે શત્રુના વેદેદય રથને ભાંગીને ભુકો કરી નાખે. એટલે કંદર્પ હાથમાં ભય ખર્શ લઈ સંવરની સામે થયે; રાવણ વાલિન સામે થયો હતો એમ. સંવર પણ તક્ષણ વીરવૃત્તિને અનુસરી, રથ છોડી ભૂમિપર રહી વિવેક તરવારવડે એની સાથે લડવા લાગ્યા. બેઉ પોતપોતાની તલવાર વારંવાર નચાવતા નચાવતા વચ્ચે ઢાલ લાવી એકબીજાના પ્રહાર ચુકાવવા લાગ્યા એટલામાં, સુથાર ઘણ વડે શિલાને તોડે એમ કંદર્પ ખડ્ઝને ગાઢ પ્રહાર કરી સંવરની ઢાલ ભાંગી નાખી. ત્યાં તો યુદ્ધકળા નિપુણ સંવરે પોતાની વિવેક તલવાર વડે અનંગના ખડ્રગને છેદી નાખ્યું. એટલે મકરધ્વજે પોતાની જુગુપ્સા છુરિકા કાઢી; કેમકે શાર્યવૃત્તિ કઈ અલોકિક વસ્તુ છે. પુન: સંવરે પણ વીરાચારને અનુસરી ખર્ગ ત્યજી દીધું, અને દંડેત્રયવિરતિ ઝુરિકા હાથમાં લીધી. આ સર્વ યુદ્ધને વિષે છુરિડાદ્ધ બક વિષય હાથી દેવતાઓ વિસ્મય રહિત એ જોઈ રહ્યા. એમાં સંતરે અનંગની ધુરિકા પર un Gun Aaradhakro

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163