Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ (84) શ્રી અભય કુમાર મંત્રીધરનું જીવન ચરિત્ર, જેમ એક પંખિણું પોતાનાં ઇંડાંને આચ્છાદીને રહે છે એમ. ચકચક્તિ થતા કણેથી વ્યાસ લીલા ઘાસની શ્રેણી જાણે પૃથ્વી મૃગની આંખો પર રહેલી તીજડિત નીલી અંગી–વસ્ત્ર હાયની એવી શોભી રહી. શબ્દ કરતાં સારસ પક્ષીઓનાં ટેળાં આકાશને વિષે ઉડી રહ્યાં હતાં તે જાણે ઉદાયન રાજાની કીર્તિને સ્વર્ગ સુધી પહોચાડવા જતાં હોયની! કઈ કઈ સ્થળે વળી નીલવણ શુકપક્ષીઓ પંક્તિબદ્ધ બેઠેલા દેખાતા હતા તે જાણે શરલક્ષ્મીએ રાજ્યના ઉત્સવમાં તોરણે બાંધી દીધાં હેયની એવા શોભતા હતા. - ' આવી આવી શરદુકાળની શેભા થઈ રહી હતી એને જોઈને, પછી રાજા ઉદાયન સકળ સિન્યને લઈને દશપુરથી નીકળી પોતાના દેશભણું ચાલ્યો. વિજય કરીને આવતો હતો એટલે રસ્તે એને લેકેએ ભેટ આપવા માંડી એ લઈને રાજ્યધાની પ્રત્યે આવી પહોંચ્યો. એટલે સદ્ય રાજ્યના અગ્રેસરોએ નગર સણગારાવીને એને પ્રવેશ મહોત્સવ કર્યો. કારણ કે એ પ્રસંગે એવું કરવું શેભે. રાજમાર્ગમાં સ્થળે સ્થળે તોરણ બન્ધાયાં, અને હાટે હાટે કસુઓની ધ્વજાઓ ફરકી રહી. બજારે સાફસુફ કરાવીને જળનો છંટકાવ કરવામાં આવ્યો. વિજય મેળવીને નગરમાં આવેલા એવા પિતાના મહારાજાના, નાગરિકો સર્વત્ર પ્રદપૂર્વક દર્શન કરી રહ્યા, અને મંગલિક વિદ્વાનોએ અનેક મંગલિક આશીર્વાદ આપ્યા. આવો આવો સત્કાર પામીને ઉદાયન ભૂપતિએ, ઈન્દ્ર જેમ પોતાની સુધમસભામાં પ્રવેશ કરે એમ, પિતાના મહેલમાં પ્રવેશ કર્યો. ત્યાં પણ પ્રજાજનો દર્શન-વંદન અર્થે આવવા લાગ્યા એમની સર્વની સાથે એણે બહુમાનપૂર્વક વાતચિત કરી. કારણ કે ઉત્તમ પુરૂષોએ પ્રેમ મેળવવો હોય તો મદ ત્યજી નમ્રતા જ દાખવવી જોઈએ. ધર્મ, અર્થ અને કામ–આ ત્રણ પુરૂષાર્થો પરસ્પર વિધી કહેવાય છે છતાં ત્રણ્ય આ પ્રમાણે આ મહીપતિમાં વિધરહિતપણે રહ્યા એ ખરેખર એક આશ્ચર્યકારક વાત થઈ. એકદા ઉદાયન રાજાએ પિષધશાળાને વિષે પિધવ્રત લીધું. અહો ! એવા રાજા જેવાની પણ ધર્મશ્રદ્ધા અવર્ણનીય છે. ભાગ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust