Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ (૧૦૦શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, રાજમાર્ગ જેવી દેખીતી વાતમાં એ ભૂલ કેમ ખાય છે? રાજ્યની ધુરાને વહન કરવાને સમર્થ મારા જેવો ભક્તિમાન ઔરસપુત્રને મૂકીને એ બહેનના દીકરા કેશીને કેમ રાજ્ય આપે છે? લેકમાં સર્વત્ર ભાણે જ વગેરે વહાલા તે હોય પરંતુ કળારહિત વિપ્રની જેમ એઓ બહું તો ભેજનાદિના સત્કારને પાત્ર કહેવાય. ' - તિષીઓ અભીચિનક્ષત્રને ગણત્રીમાં લેતા નથી એમ મારા પિતાએ પણું મારા જેવા તેજસ્વી અને શક્તિમાનને ગણ્યા નહીં. પિતા સ્વામિ ઉઠીને જ જ્યાં અન્યાય કરે એમાં શું અપવાદ અથવા ઉત્તમ સુવર્ણાદિભાંડની અશુચિ ગણાતી નથી હવે મારાથી આ કેશીની મારા પિતાની જેવી સેવા થાય નહિં જે ઉઠાવું તે ઉદાયન રાજાના પુત્ર તરીકે મારી શેભા શી ! મારે માટે હવે વિદેશગમન કરવું શ્રેયસ્કર છે. કેમકે હંસ કાગડાના આધીનમાં રહે નહિં. વળી જે હું કદાપિ અહિં રહીશ તે ખળપુરૂષે મારે ઉપહાસ કરશે કે સુઈ રહેલા અજગરની જેવા અભીચિનું રાજ્ય કેમ જતું રહ્યું ? જેમનામાં માન લાજ કે પુરૂષાર્થ –કંઈ ન હોય એ જ પરાભૂત અવસ્થામાં શ્વાનની જેમ સ્વદેશમાં બેસી રહે. એમ વિચારીને એ હવે વિતભયનગરનો ત્યાગ કરીને એની માશીન. પુત્ર કુણિને ત્યાં જશે. કુણિક પણ એને ગૌરવ સહિત સાચવશે. કારણ કે મા અને માશીમાં અન્તર શું? કણિકને ત્યાં એ આન : ન્ટમાં પિતાને ઘેર રહેતો હોય એમ રહેશે. જોકે સ્વજનો શેાધે . છે એ એટલાજ સારૂ. શેક ત્યજી જીવાજીવના તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરી શુદ્ધ ક્રિયા કરતો અને હરકોઈનાં કાર્ય કરી દેતો એ ત્યાં, બહુવર્ષ પર્યન્ત રહી શ્રાદ્ધ ધર્મ અંગીકાર કરશે. ઉદાયન અને પ્રભાવતીને પુત્ર એમ એટલું કરશે એ બહુ યેગ્ય કહેવાશે. પણ ધર્મ કાર્ય કરતો છતાં, ચન્દ્રમામાંથી કલંક જવાનું નથી. એમ. એના મનમાંથી પિતાસંબંધી કલુષતા જશે નહિં. પ્રાન્ત આરાધના કરી પિતે કરેલી ધર્મની ખંડનાનું સૂચવન કરતો હોયની એમ પંદર દિવસ અનશન કરી રહેશે. ઉપવાસને પંદરમે દિને એપિતૃગચર અપરાધ ખમાવ્યા વિના મૃત્યુ પામીને ભુવનપતિમાં મહદ્ધિક દેવતા PAP. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust