Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund

View full book text
Previous | Next

Page 139
________________ (17) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર બધુ વર્ગને–ચારે સુભટને સંમાન્ય છે. આ રસના દંતપંક્તિરૂપી પાડવાળા મુખ પ્રાસાદને વિષે ઘટિકારૂપી પડદામાં ઉ રહેનારી જીલ્ડારૂપી ખાટ પર રહે છે. વિવિધ સ્વાદિષ્ટ રસ પ્રાપ્ત થાય તો એ બહુ રંજન પામે છે. વળી એ સ્વછંદ-ચારિણીની ચેષ્ઠિત સર્વ પિતાને મનગમતું એ પ્રાશન કરે તો જ દમ્ વગેરે ચારે સુભટ આબાદ રહી શકે છે કેમકે મૂળમાં છટકાવ હોય તો જ વૃક્ષને પત્ર, પલ્લવ, પુષ્પ અને ફળ આવે છે. રસના અન્ન ગ્રહણ કરે નહિં તો ચારે સુભટો મઢ પડી જાય છે. એમનો સર્વના આ સમવાય ખરે જ આશ્ચર્યકારક-અસાધારણ છે. વિશેષ શું કહેવું? - એક રસનામાં જીવન હોય તે જ સ્પર્શન આદિ ચારે સુભટો જીવતા રહે છે. આવી અનુપમ પ્રશસ્ત લાયકાતવાળાએ પાચેને છળ, દ્રોહ, પ્રમાદ વગેરેની સંગાથે મકરધ્વજ રાજાએ ત્રણે જગપર વિજય મેળવવાને મોકલ્યા. એમણે પ્રથમ દેવતાઓ પાસે, નારકીના જી. પાસે, તેમ તિર્થ પાસે પોતાના કામદેવરાજાનું ચકવતીત્વ. શાસન સ્વીકારાવ્યું. ત્યાંથી એ મનુષ્યલેકમાં ઉતર્યા અને એમને અત્યન્ત ભય ઉપજાવ્યું. અકર્મભૂમિના ત્રાજુ જીવોને કુટિલપણે વશ કરી એમની પાસે અનંગ-કામદેવ રાજાની આણ કબુલ કરાવી. પણ એવા મુગ્ધજીવોને છળવા એમાં દુષ્કર હતું પણ શું? વળી પછી ધમધર્મના વિવેકના જ્ઞાનવાળા કર્મભૂમિના માનવો પર પણ શીધ્ર વિજ્ય મેળવ્યું. મૂખ લેકેને વશ કરવામાં વાર પણ કેટલી લાગે ? એમની સન્મુખ પેલાઓએ પોતાના સુંદર વિષયે ખડા કરીને એમને લેભાવ્યા. જાણતાં છતાં પણ લેભાઈ પાશમાં પડનારા ધર્મો પૃથ્વીપર નથી એમ નથી. - એમ ગામેગામે અને નગરનગરે લેકેને ફસાવતા અને સર્વ જગને તૃણપ્રાય ગણતા ફરતાં ફરતાં, અહંતપ્રભુએને કીર્તિસ્તંભ હાયની એ વૃતવાળી વેતશિલાઓએ ચુકત અત્યન્ત ઉચ વિવેકગિરિ એ કંદર્પરાજના સુભટોની દષ્ટિએ પડયો. - સર્વદુર્ગને શિરોમણિ એ વિવેકગિરિ પર આરૂઢ થયેલા પ્રાણીઓને મેહરાજાને બાપ આવે તોયે ફસાવી શકતો નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163