Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ શ્રી ઉદયન મહારાજા અને ચડપ્રદ્યોતનું ઇંદ્ધ, (પ) નિસરતાં જ કાળો નાગ આડે ઉતર્યો, તે જાણે વિધાતાએ એના બનને માટે રજુ તૈયાર કરી એની દૃષ્ટિએ પાડયું હેયની! આમ એને યુદ્ધથી નિવારવા અનેક કુશકુને થયાં છતાં એને ન માની માની રાજાએ પ્રયાણજ કર્યું. આ શકુને જ ન્યાયાધીશની જેમ ન્યાય આપી રહ્યાં છે માટે યુદ્ધ ન કરવા જતાં પાછા ફરો-એમ અનેક રાજ્યાધિકારીઓના પણ અવાજે આવવા છતાં, રાજા અહંકારે ભરેલ હોઈ અટક નહિં. કેમકે કર્મ પ્રમાણે જ બુદ્ધિ થાય છે. પછી તે રામ અને રાવણનાં સૈન્ય સામસામાં આવ્યાં હાયની એમ એ બેઉ નૃપતિઓનાં સૈન્ય યુદ્ધમાં ઉતરી પડયાં, અને પોતપોતાના સ્વામિઓનું ઈષ્ટ કરવા તત્પર બની સન્તુષ્ટપણે નાચતાકુદતા ઉભયપક્ષનાં સુભટોએ સિંહનાદ કર્યો. ચંડપ્રદ્યોતે પિતાના સેનાપતિ વિગેરેને બોલાવી, પિતે જાણે દેવતાઓને ગુરૂ બૃહસ્પતિ હાયની એમ, એમને શિક્ષાવચને કહ્યાં અરે સુભટે, તમે સ્પેન પક્ષી અનેરાં ન્હાનાં પક્ષિઓનો શિકાર કરે છે એમ, તમારા જવલંત પરાક્રમ વડે અનેક બળવાન રાજાઓને પરાજય અનેકવાર કર્યો છે. પરંતુ આ ઉદાયન અત્યન્ત બળવાન છે, એને પક્ષ સમર્થ છે, એટલે એ દુર્જય છે. તમે સ્પેન છે તે એ વિનતાસુત–ગરૂડ છે. એને પુત્ર અભીચિ એકલો જ સંખ્યાબદ્ધ સુભટને નમાવવા સમર્થ છે. તમે સર્વ ભલે ગજરાજ છે પણ એ કેસરીસિંહ છે. વળી એને ભાણેજ કેશી છે એ જેમ એક મુનિ લીલામાત્રમાં પોતાના સમસ્તવાળને ઉખેડી નાખે છે એમ એ રમતાં રમતાં આપણા સૈન્યને ઉખેડી તોડી નાખે એવે છે. એના અન્યબધુઓ પણ શત્રુને પાણું પાય એવા છે, માટે એઓ કુંભકર્ણની જેમ તમને સંગ્રામમાં ત્રાહિ ત્રાહિ પોકરાવશે. એના પક્ષના મહાસેન વગેરે દશ મુકુટધારી રાજાઓ છે એઓ તે વળી એવા ભુજબળવાળા છે કે આ દશ દિપાળો દશ વિવિધ દિશાઓમાં વાસ કરી રહ્યા છે એ જાણે એમનાથી ભયભીત થઈને નાસી જઈ ત્યાં રહ્યા હોયની ! એના અન્ય સા - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust