Page #1
--------------------------------------------------------------------------
________________
••••••••°°C
શ્રીજૈનધર્માલ્યુય ગ્રંથમાલા [૩]
ગુજરાતના વીર મંત્રી
તેજપાલનો વિજય.
( ગાધ્રા, પાવાગઢ અને ચાંપાનેરના અપ્રકેટ ઇતિહાસ સાથે )
।। ।।
લેખકઃ—
૫. લાલચંદ્ર ભગવાન્દાસ ગાંધી.
પ્રકાશકઃ—
અભયચંદ્ર ભગવાન્દાસ ગાંધી હૅરીસ રીડ, ભાવનગર (કાઠિયાવાડ).
વીર સ. ઃ
--------
U....www
૧૯૯૧
www6007-0ona-nungo09:
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રથમાવૃત્તિ ૧૦૦૦
મુદ્રક ઃ શાહ ગુલામદ લલ્લુભાઇ, શ્રી મહેાદય પ્રીન્ટીંગ પ્રેસ, દાણાપીઠ–ભાવનગર.
Page #3
--------------------------------------------------------------------------
________________
ઇતિહાસ—પ્રેમીઓને
સાદર
સમર્પિત
9980005a0aaaths૦૦૦ appease-oppose
૦૦૦૦૦૦૦ 。。。。。。............................... ૦૦૦/-.-..:::..
Jogan.
20°°
°°°°°
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
મંત્રીશ્વર તેજપાલ, અનુપમ પની સાથે
આબૂ લૂણસીહ–વસહીમાં મૂતિ.
[ ‘આબૂ ના લે. પ્ર. ના સૌજન્યથી ]
Page #6
--------------------------------------------------------------------------
Page #7
--------------------------------------------------------------------------
________________
oooooooooooooઇ eeeeeeeeeeeeee
છo.
છે વિષયાનુક્રમણિકા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
મંત્રીશ્વર તેજપાળ, અનુપમા પત્ની છે. જૈન સંઘ. ચાંપાનેરના રાજા
સાથે ( ૧) જયસિંહથી સન્માનિત સામદેવસૂરિ વિષયાનુક્રમણિકા ૧-૨ જયસિંહ ચહુઆણના રાજ્યમાં નિવેદન
૧ મહિમૂદ બેગડાના સ્મરણાંજલિ
૨-૪
મદાફર પાતશાહના લેખકનાં સ્વ. પત્ની (ફટ ૨) બાધરશાહ ,
સમ્રાટુ અકબરના પ્રાસ્તાવિક ૫ થી ૪
* વિક્રમની ૧૭ મી સદીમાં અકાટ
, ૧૮ મી , ગધ્રાના રાજા -૮ ચાંપાનેરમાં નેમિજિન પાવાગઢ-ચાંપાનેર સાથે વિક્રમની ૧૯મી સદીમાં
છે. જેનોને ઈતિહાસ ૯-૪૬ અર્વાચીન ઉલ્લેખ વિક્રમની ૧૨ મી સદીમાં બ્રિટીશ સામ્રાજ્યમાં
, ૧૩ મી , વિક્રમની ૨૦ મી સદીમાં પાવકગિરિના શિખર પર વીર દિ. જેને પ્રવેશ વિક્રમની ૧૫ મી સદીમાં પાવાગઢમાં સંભવનાથ મં: તેજપાલને વિજય ૧-૩૭ વિક્રમની ૧૬ મી સદીમાં પ્રસ્તાવ
. ઉપસંહાર
૧-૪
Page #8
--------------------------------------------------------------------------
________________
[૨] મંત્રીશ્વરનાં સ્મારક [ ગિર- ગોધાને ગઢ
નારમાં, શત્રુંજયમાં, આબુમાં, ગધ્રામાંથી ગ્રહણ કરેલ ભરૂચમાં ]
૪૭ રાજ–વૈભવ ઐતિહાસિક ઘટના-નિર્દેશક ૭-૮ અન્ય રાજની સ્થાપના ૨૬ ગધ્રા, ઘૂઘુલ ૮-૧૦ જ્ય-સ્મારક જિનમંદિર ૨૭ મંત્રીઓને સંદેશ ૧૦-૧૨ વડોદરા, અટા, વનસરમાં ઘૂઘુલનાં કેપ-વચને ૧૨ સ્મારકે મંત્રિદૂતનાં સાંત્વન વચનો ૧૩ ડભોઈમાં સ્મારકે ૨૮ ઘૂઘુલનું અભિમાન, દૂત,ભેટ૧૪-૧૫ રેસ-સંગમ પર(ચાણોદમાં),૩૦ વિરધવલની વિશિષ્ટતા ૧૫ કુંભેશ્વર તીર્થમાં , , બીડું ઝડપનાર વરતેજપાલ૧૬-૧૭ પાવાગઢમાં સર્વતોભદ્ર ૩૦-૩૩ યુદ્ધની તૈયારી, મંગલાચરણ ૧૦ ધોળકામાં પ્રવેશત્સવ ૩૩ પ્રસ્થાન, સેનાબૂહ ૧૮ માનીને માનભંગ ૩૪ ઘૂઘલ રણમેદાનમાં ૧૮-૨૧ વિજ્યી વીરનું સન્માન ૩૫-૩૭ યુદ્ધ-પ્રારંભ
૨૧ ઐ. વિશેષ નામેની અનુક્રમણિકા તેજપાલનું પ્રોત્સાહન છે
૩૮–પર તેજપાલ અને વીર ઘૂઘુલ ૨૩ લેખકની ૨૪ વર્ષની તેજપાલને વિજય ૨૪-૨૫ સાહિત્ય-ડાયરી ૧-૮
N
-
IN
ક
R.
Page #9
--------------------------------------------------------------------------
________________
© નિવેદન લુ
આ ઐતિહાસિક લેખ, પ્રારંભમાં જણાવ્યા પ્રમાણે જૈનધર્મ પ્રકાશ” ના સુવર્ણ વિશેષાંક માટે લખવામાં આવ્યો હતો, પરંતુ ફ. શુ. ૧૫ સુધીમાં મેકલવા સૂચવાયેલ લેખ, અહીંથી ચિત્રી પૂર્ણિમાએ જ પૂર્ણ કરી ભાવનગર મેકલી શકાય હતે. જૈન ધર્મ પ્રસારક સભાના માનનીય પ્રમુખ શ્રીમાન શેઠ કુંવરજીભાઈએ તેની પહોંચ લખતાં તા. ૨૧–૪–૩૫ ના પત્રમાં તે તરફ સદ્ભાવ દર્શાવતાં જણાવ્યું હતું કે “ લેખ મળ્યો પણ બહુ મેડે મળે. * હવે તે અંક પૂરે છપાઈ ગયો x x લેખ વાંચી ગયો છું. અત્યુપયેગી છે. પ્રયાસ ઘણે લીધા છે. પ્રસ્તાવના અસરકારક છે. હવે તો તેને જુબીલી અંક વિભાગ બીજામાં દાખલ કરશું. * * તેમાં યોગ્ય સ્થાને સમાસ કરશું. x x”
પરંતુ કુદરતના કોઈ અજ્ઞાત સંકેત પ્રમાણે ત્યારપછીના તા. ૨૮-૫-૩૫ ના પત્રમાં તેઓએ જણાવ્યું કે “વૈશાખ-જેઠના અંકમાં જુબીલી સંબંધી હકીક્ત જ મુકવાની છે. x x એટલે એ અંકમાં તમારે લેખ નહીં આવી શકે. અસાડના અંકમાં જરૂર મૂકશું.” અને અષાડના અંકમાં આ લેખને સ્થાન આપવા ખાસ ઈચ્છા દર્શાવતાં x x “તે બધામાં આપના લેખને અગ્રપદ આપવાનું છે.” વિગેરે તા. ૪-૬-૩૫ ના પત્રમાં પણ જણાવેલું; પરંતુ આ લેખ, ઉદેશ પ્રમાણે વિશેષાંકમાં પ્રકટ ન થઈ શક્યો તે સામાન્ય અંકમાં મૂકાવ એગ્ય ન લાગતાં “ગ્રંથરૂપે પ્રસિદ્ધ કરવો એ વિચાર થયો અને પરિણામે અંકોટ, ગોધા, પાવાગઢ અને ચાંપાનેરના મહત્વના અપ્રકટ ઇતિહાસ સાથે વિભૂષિત થઈને આ રીતે પ્રકાશમાં આવે છે.
–લેખક.
Page #10
--------------------------------------------------------------------------
________________
સ્મરણાંજલિ
" अघटितघटितानि घटयति सुघटितघटितानि जर्जरीकुरुते । विधिरेव तानि घटयति यानि पुमान् नैव चिन्तयति ॥
""
વિધિની વિચિત્ર ઘટનાથી સુટિત થયેલાં સ્નેહી અટિત રીતે વિટિત થાય; ત્યારે વિદ્યમાન વિવેકી સ્નેહી, તેનું મધુર કિં વા કરુણ સ્મરણ, શબ્દો દ્વારા શું વ્યક્ત કરી શકે છે ? તેમ છતાં, ભારતવર્ષના આ સજ્જનેએ અને સન્નારીઓએ પેાતાનાં સ્નેહીનાં સંસ્મરણા અનેક રીતે કર્યાં છે. તેમના સ્મરણાર્થે તથા શ્રેય, પુણ્ય અને યાવૃદ્ધિ માટે દાનાદિ અનેક સત્કવ્યા કર્યાં છે, અનેક ચિત્રા, પ્રતિમા, મૂર્તિયા, મદિરા જેવાં સ્મારકા કરાવ્યાં છે. પવિત્ર પુસ્તકા રચાવ્યાં છે, લખાવ્યાં છે. તેમના અવિનાશી યાદેહની રક્ષા કરી તેમને અમર બનાવવા શકય પ્રયત્ના અવશ્ય કર્યાં છે.
પ્રસ્તુત વીર મંત્રીશ્વર તેજપાલે પોતાના સમસ્ત સ્નેહી સંબંધી કુટુંબ–પરિવાર અને ઉપકારી સજ્જનેાનાં અપૂર્વ અદ્ભુત સ્મારકા કરાવ્યાં હતાં, તેમાં તેની પત્ની અનુપમાનું પણ વિશિષ્ટ સંસ્મરણ છે. અનુપમ સદ્ગુણ-શીલશાલિની, સત્ક બ્યામાં પ્રેરનારી, સદ્ધર્મીનિષ્ટ, સાક્ષાત્ લક્ષ્મી જેવી અનુપમના સ્મરણાર્થે શ્રીશત્રુંજયમાં
१ तेजःपाल इति प्रधाननिवहेष्वेकरच मन्त्रीश्वर
">
स्तज्जायाऽनुपमा गुणैरनुपमा प्रत्यक्षलक्ष्मीरभूत् ॥
*
—પ્રબંધચિંતામણિ [ પ્ર. ૪ ].
Page #11
--------------------------------------------------------------------------
________________
૩
અનુપમ સરાવર કરાવ્યું હતું, અને આનૂમાં તેના તથા તેના પુત્ર લાવણ્યસિંહ( લૂણસીહ )ના પુણ્યાર્થે, તેમિનાથનુ અદ્ભુત શિલ્પકલામય મનેાહર દેવાલય( લૂણસીહ–વસહી ) રચાવ્યું હતું; ત્યાં દેવાધિદેવના પરમે પાસકરૂપમાં પેાતાની તથા અનુપમાની મૂર્તિ પણ કરાવી હતી. જેનું ચિત્ર( ફોટા ) અહિં પ્રારંભમાં મૂકવામાં આવ્યુ છે; તેના અનુકરણરૂપે, ૩૫૦ વર્ષો પછી મેાગલ શહેનશાહે પેાતાની પ્રિયતમાના સ્મરણાર્થે કરાવેલ આત્રાને! તાજમહાલ દષ્ટિગેાચર થાય છે—એ ચિરસ્થાયી સ્મારક સ્નેહીઓનાં અપૂર્વ સંસ્મરણા નથી શું ? તેમ સામાન્ય મનુષ્ય, યથાશક્તિ કરે તે તે શું અયેાગ્ય લેખાય ?
આ સ્થળે દુ:ખભર્યું. આત્મ-નિવેદન પ્રકટ કરવાની કરુણ કરજ ઉપસ્થિત થઇ છે. નામથી અને સદ્ગુણાથી ઉપર્યુક્ત અનુપમાનું સ્મરણ કરાવતી એક વ્યક્તિ, આશાભરી યુવાનીમાં પ્રવેશ કરતાં, ૨૨ વર્ષ જેટલી વયમાં—ગત વર્ષોંમાં ( વિ. સં. ૧૯૯૦ આષાઢ વ. ૧૨ ) આ પંક્તિચેાના લેખક સાથેને ૮ વર્ષને દાંપત્ય સંબંધ તજીને અકાળે પરલાંક– પ્રવાસિની થઇ છે ! ભાવનગરની સ્મશાનભૂમિમાં ભસ્મીભૂત થતા એના દેહને દુઃખી હૃદયેાએ અશ્રુભરી નજરે નીહાળ્યો છે !!
સજ્જન કુશલ ડૉક્ટરાની તથા વૈદ્યોની કિંમતી સલાહને અને દવાઓને, વિધિની પ્રતિકૂલતાએ, સફળ થવા દીધી નહિ, વડોદરાથી તલાજા, ભાવનગર તરફ કરેલાં પ્રયાણાને અશુભ યાગવાળાં બનાવ્યાં; જેની જીવન–જ્યાતિને ઉજવિત રાખવા કરેલા ઉપચારાને, પ્રભુ-પ્રા નાઓને, સંતાના શુભાશીર્વાદેને પણ દુર્દેવે નિષ્ફળ કર્યાં, જેનાં માત-પિતા, બ્લેના અને ભાઇ વિગેરેના તથા અન્ય સ્વજનેાના અનેક પ્રયત્નને સાર્થક થવા દીધા નહિ ! ! !
ક્ષય જેવી ભયંકર વ્યાધિએ જેના દેહને મહિનાઓ પન્ત ઘેરી અતિક્ષાણુ, સંતપ્ત કર્યાં, એવી દુ:ખમય વિષમ સ્થિતિમાં–
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રતિકૂલ સંગે વચ્ચે પણ જેના પવિત્ર આત્માએ ઉચ્ચ પ્રકારની શાંતિ, હિંમત, અદ્દભુત વૈર્ય, વિવેક અને ડહાપણુ દર્શાવ્યાં.
અતિક્ષીણ અશક્ત થયેલા દુર્બલ દેહે પણ, દાદરેથી પડતી પિતાની બે વર્ષની બાલિકા(ચિ. કૌમુદી)ને ઝીલી બચાવી લેવા જેણીએ ફાળ ભરી. અંતિમ દિને મૃત્યુ-શસ્યાથી પણ જેણીએ સ્વજનકુટુંબના શ્રેયમાટે ઐક્યની ભવ્ય શુભ ભાવના પ્રકટ કરી, સર્વ જીવો પ્રત્યે ક્ષમાપના કરી. પ્રભુ-પ્રાર્થના, તીર્થસ્તવન–શ્રવણ-મરણ અને સ્વાધ્યાય-ધ્યાનમાં ચિત્ત એકાગ્ર કર્યું. લાભશ્રીજી જેવાં વયોવૃદ્ધ પૂજ્ય સાધ્વીજીનાં દર્શન અને અંતિમ આરાધનાનો સુયોગ મેળવ્યા.
મૃત્યુની આગાહી થતાં, ખોળામાં માથું મૂકી સદાને માટે વિદાય માગતી પત્નીને, જીવન બચાવવા અસમર્થ નીવડતો સ્વજન, અબુજલાંજલિ સિવાય શું આપી શકે ? ઈષ્ટ જનના વિયોગનું આઘાતકારક વિષમ દુઃખ અનુભવ સારો પ્રેમી પણ અન્ય શું કરી શકે ?
જેને નિર્દોષ આનંદી સ્નેહાળ સરળ સૌમ્ય સ્વભાવ નજર સામે તરવરે છે. જેની સાચી ટેક, સાચું કહેવાની હિંમત, વ્યવહાર-દક્ષતા અને જેના વિનય, વિવેક, વિદ્યા–કલા–પ્રેમ આદિ સશુણેને સ્નેહીઓ સંભારે છે, જેનું કુટુંબ-વાત્સલ્ય ભૂલાતું નથી, તેના વિયેગની વાર્ષિક તિથિએ (સ્વર્ગવાસની સંવત્સરીમાં) તેના આત્માને પરમ શાંતિ ઈચ્છતાં, નિવાપાંજલિરૂપ આ સ્મરણાંજલિ સમ છું. આ લધુ કૃતિ જેની શુભ ભાવનાભરી પ્રેરણાથી પ્રકટ થાય છે, તે આત્માએ અધિષ્ઠિત કરેલા દેહની પ્રતિકૃતિની યોજના અહિં ઉચિત લેખાશે.
વિ. સં. ૧૯૯૧
છે.
આષાઢ વ. ૧૨
વડોદરા,
–લેખક.
Page #13
--------------------------------------------------------------------------
________________
અ. સૌ. અનુપમા ( ૫. લા. ભ. ગાંધીનાં સદ્ગત પત્ની)
સ્વ૦ વિ. સં. ૧૯૯૦ આષાઢ વિદ ૧૨ સેામ.
Page #14
--------------------------------------------------------------------------
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રાસ્તાવિક. .
(૫) વાદનું
સદીમાં
આ લેખ(પૃ. ૨૮)માં જણાવ્યા પ્રમાણે મંત્રીશ્વર
તેજપાલે વડાદરા પાસેના જે ઉત્કટઅંકેટ પુરમાં આદીશ્વર જિનનું પવિત્ર ધામ
કરાવ્યું હતું, તે, વિકમની ૯ મી સદીમાં અંકોટપુર નામથી જાણીતું ૮૪ ગામવાળા તાલુકા–પ્રગણાનું મુખ્ય ઐતિહાસિક નગર જણાય છે. સમસ્ત મહાશબ્દો (બિરૂ–ટાઈટલ)ને પ્રાપ્ત કરનાર, મહાસામંતના અધિપતિ, સુવર્ણવર્ષ (સુવર્ણ વષવનાર), રાષ્ટ્રકૂટવંશી લાટેધર કર્કરાજે શકનૃપ સં. ૭૩૪(વિ. સં ૮૬૯)માં વે. શુ. ૧૫, સિદ્ધશમી આવાસથી વડપદ્રક ગામ(વર્તમાનમાં શ્રીમંત સરકારની રાજધાની વડેદરા)ને માતા-પિતાના તથા પિતાના આ લેક અને પરલોકના પુણ્ય–ચશની અભિવૃદ્ધિ માટે બ્રહ્મદાય તરીકે આખ્યાને ઉલ્લેખ, તામ્રપત્રમાં મળે છે. વલભી(વળા)થી વિનિત ભટ્ટ સેમાદિત્યના પુત્ર ચાતુવિદ્ય બ્રાહ્મણ ભાનુભટ્ટને ધાર્મિક ક્રિયાવૃદ્ધિ માટે અપાયેલ ઉપર્યુક્ત વડપદ્રક ગામ, પહેલાં, આ અંકેટ્ટકના ચતુર્વેદી બ્રાહ્મણને અપાયેલું હતુંતે સમયે આ અકોટક(વડેદરાની પશ્ચિમમાં)ની મુખ્યતાવાળી ચોરાશીમાં ગણાતું હતું. [ વિશેષ માટે જુઓ જ. મેં. સો. . ૮, પૃ. ૨૦ તથા ઈ. એ. . ૧૨, પૃ. ૧૧૬]. હાલમાં જે નાનું ગામ અકેટા નામથી ઓળખાય છે. સમયની બલિહારી છે !!!
Page #16
--------------------------------------------------------------------------
________________
વીર મંત્રીશ્વર તેજપાલે વિકમની તેરમી સદીના
અંતમાં ગેધ્રાના જે ઘઘુલ રાજા પર ગધ્રાના રાજા વિજય મેળવ્યું હતું, તે કયા વંશને
હતે? અથવા તેના પિતા કે પૂર્વજ કેણ હતા? તે સંબંધમાં કોઈ ઉલ્લેખ મળી શક્યો નથી, તેમ છતાં વિ. સં. ૧ર૭૪ માં ગેધામાં રચાયેલા છકમ્મુવએસ અપભ્રંશ ગ્રંથના ઉલ્લેખ પરથી જણાય છે કે ત્યાં ચાલુક્યવંશને કહ(કૃષ્ણ)રાજા હતો. એથી અનુમાન થઈ શકે કે ઘૂઘુલ, તેને પુત્ર યા વંશજ ઉત્તરાધિકારી હશે.
ગા. એ. સિરીઝમાં પ્રકટ થનારા એ ગ્રંથમાં ગધ્રા
૧ સુપ્રસિદ્ધ વિદ્વાન અમિતગતિ મુનિની પરંપરામાં, માથુરસંઘમાં થયેલા ચંદ્રકીર્તિ મુનિના સોદર શિષ્ય અમરકીર્તિ ગણિ સારા કવિ થઈ ગયા, જેણે સં. પ્રા. અનેક ગ્રંથ રચ્યા હતા. તેઓ ગોધા નિવાસી નાગર કુલના, કહઉર વંશના, ગુણપાલ અને ચચ્ચિણિના સુપુત્ર હતા. તેઓએ પોતાના લઘુબંધુ અંબપસાય(અંબાઆમ્રપ્રસાદ)ની પ્રાર્થનાથી વિ. સં. ૧૨૭૪ ના ભાદ્રપદ ૧૪ ગુરુવારે ગૃહસ્થાનાં પર્ કર્મોનાં ઉપદેશવાળ, અપભ્રંશ ભાષામાં ૧૪ સંધિમય છ—વાસો ગ્રંથ એક માસમાં એ હતું – Uવરપુર-ચળવળે રેજ x ૪ યુનિ જન્ફરવંસવિનય ! x x अंव्वपसाए चच्चिणिपुत्ते गिहिच्छक्कम्मपवित्तिपवित्तें । गुणवालहो सुएण विरयाविउ अवरेहि मि( वि ) मणेण संभाविउ ।। बारह सयइ ससत्त-चयारिहि, विक्कमसंव्वच्छरहो विसालिहि । गयहिमि भदवयहो पक्खंतरि, गुरुवासरम्मि चउद्दसिवासरि ॥ एके मासें एहु समत्थिउ, सइ लिहियउ आलसु अवहत्थिउ ।
Page #17
--------------------------------------------------------------------------
________________
અને ત્યાંના ચાલુકયવંશી રાજા કણ્ડ( કૃષ્ણ )ના પિરચય મળે છે કે:
“ ગૂર્જર દેશના મહીતટ( મહીકાંઠા ) નામના મધ્ય દેશ, બહુપ્રદેશવાળા છે. તે નગરા, આકરા અને શ્રેષ્ઠ ગામેવડે ઘેરાયેલા છે. વિવિધ પ્રકારની સંપત્તિવડે સમૃદ્ધ છે.
ત્યાં ગાદ(ગાલ્રહ–ગાધ્રા) નામનું નગર છે, તે વિચિત્ર દેવેશેાના ધામરૂપ હાઇ જાણે સ્વર્ગ હેાય તેવું જણાય છે. ત્યાં રહેલા શેલતા પ્રાસાદેાની પક્તિયા શરઋતુનાં વાદળાંની તૃષાને( ? ) વહન કરે છે; અને ધ્વજાની ઘુઘરીઓના મધુર ધ્વનિવડે જાણે પોતાની અતિસિદ્ધ સમૃદ્ધિને દેવા પાસે કહે છે.
અન્ય દેશમાંથી આવેલા લેાકેા જે નગરને જોઇને, પ્રમુદિત થઈને મનમાં માને છે કે-લક્ષ્મીપ્રકાશવાળા, આ નગર આગળ, અન્ય નગરનું પ્રકૃષ્ટ વર્ણન કરવું એ ઉચિત નથી. જાણકાર,
તે નગરને, ચાલુકયવંશી, નય( નીતિ )ને શ્રેષ્ઠ નરેંદ્ર ( કૃષ્ણ ) પાલન કરતા હતા; જે ખાા અને આંતર શત્રુઓના વિધ્વંસક હતા તથા છ દર્શનાનુ ભક્તિપૂર્વક સન્માન કરતા હતા. જાણે રાજમંડલમાં દેવત્વ
re
૧ अह गुज्जरविसयहो मज्झि देसु णामेण महीयडू वहुपए । णयरायर-वरगामहि णिरुद्धु णाणापयारसंपइसमिद्धु ॥
तहि यरु अत्थि गोदह यणामु ण सग्गु विचित्तसुरेसधामु । पासा यह पंतिउ जह सहंति सरयन्भहो तिमाणं वर्हति ॥ धय- किंकिणि कलरवेहि सरिद्धि णं कहइ सुरहं पासि यइसिद्धि ||
Page #18
--------------------------------------------------------------------------
________________
ઉત્પન્ન થયુ, જાણે ક્ષાત્રધર્મે દેહ દર્શાવ્યા (મૂર્તરૂપે પ્રકટ થયેા ), એવા સઘળા વખતમાં રાજ-વિદ્યાને વિચારનાર, તેના જેવા બીજો કોઇ પૃથ્વીમાં નથી.
જેના રાજ્યમાં બુદ્ધિશાળી લેાકેા ધર્મ, પરોપકાર, શુભદાન, નિત્ય મહાત્સવ દ્વારા સુખને અનુભવ કરતા હતા. દુ:ખ, ભિક્ષને લેશ પણ જાણતા ન હતા.
ત્યાં ઋષભ જિનેશ્વરનું ઉંચુ, સભાડે શાલતુ, ચંદ્ર જેવું ચૈત્યગૃહ( જિનમ ંદિર ) હતુ, જેના દર્શીનવડે દુરિત( પાપ )ના વિલય થાય છે અને જે લેાકેાવડે પુણ્યહેતુ મનાય છે. ”
આ લે[ પૃ. ૨૭ ]માં જણાવ્યા પ્રમાણે મંત્રીશ્વર તેજપાલે ગેાધ્રામાં કરાવેલુ ખીજા તીર્થંકર અજિતનાથનું મંદિર, ઉપર્યુ ક્ત મંદિર પછીનું હાઇ ખીજુ જૈનમંદિર ગણાય.
१ घत्ता । देसागयलोयहि जायपमोयहि, जं णिएवि मणि मण्णियई । यो संकास लछिपयासउ, जयरु अण्णु ण पवणियइ ॥ तहि चालुक्कवंसि णयजाणउ, पालइ कण्ह णरिंद - पहाणउ । जो बज्झतरारिविद्धंसणु, भत्तिए सम्माणियच्छद्दंसणु । णिववंदिग्ग(य) देवत्तणु जायउ, खत्तधम्मु णं दरसियकाय उ । सयलकालभावियणिवविज्जर पुहई को वि णत्थि तहो विज्जउ ॥ ધર્મી-પરોવચાર-મુદ્દવાળ૬, પિશ્ચમનૂતન-વ્રુદ્ધિસમાળર્ । जासु रज्जि जणु एयइ माणइ, दुक्खु दुहिक्खु सेरु ण वियाणइ ॥ रिसहो जिणेसहो तहि चेईहरु, तुंगु सहासोहिंउ णं ससहरु । दंसणेणं जसु दुरिउ विलिज्जइ, पुण्णहेउ जं जणि मणिज्जइ ||
,,
Page #19
--------------------------------------------------------------------------
________________
પાવાગઢ—ચાંપાનેર સાથે શ્વે. જૈનાના ઇતિહાસ.
પાવકિગિર( પાવાગઢ ) પર, ચક્રેશ્વરી દેવીએ આપેલા વરદાનવાળા, વીરથી ૪૮મા પટ્ટ પર વિક્રમની ૧ર થયેલા, શ્વે. આ રક્ષિતસૂરિએ( ઉ. મી સદીમાં, વિજયચંદ્રે ) વિ. સં. ૧૧૫( ૬ )૯ માં] વિધિપક્ષ(અચલગચ્છ) પ્રવર્તાવ્યે હતા—એમ જહાંગીરના અમાત્ય ઉગ્રસેનપુર( આગરા )– નિવાસી એસવાળ લાઢાગેાત્રવાળા કુરપાલ અને સાનપાલે વિ. સ. ૧૬૭૦ માં અંચલગચ્છના કલ્યાણસાગરસૂરિ દ્વારા પ્રતિતિ કરાવેલા શ્રેયાંસનાથ–મંદિરની પ્રશસ્તિમાં ઉલ્લેખ છે [ જૈન સાહિત્યસ ંશોધક ખ. ૨ જો, અ. ૧ ].
અન્યત્ર અચલગચ્છ-પટ્ટાવલીમાં ઉલ્લેખ મળે છે કે— ઉપર્યું ક્ત આ રક્ષિતે પાવાગઢમાં મહાવીર–મંદિરનાં દર્શીન કર્યા હતાં. ’
શ્વે. જૈન મત્રીશ્વર તેજપાલે પાવાગઢમાં ૧સર્વાંતાભદ્ર પ્રાસાદ કરાવ્યાનું આ લેખ[પૃ. ૩૦–૩૨]માં, વિ.સ. ૧૪૯૭ માં રચાયેલા વસ્તુપાલ-ચરિત્ર( સ. કાવ્યગ્રંથ )ના આધારે જણાવ્યું છે. વિશેષમાં મંત્રીશ્વર
વિક્રમની ૧૩ મી સદીમાં,
૧ ચાંપાનેર-પાવાગઢમાં અનેક રાજ્ય-પરિવતના અને આસ્માની– સુલતાનીના યુગ વીત્યા પછી પણ, તે મત્રીશ્વરે ત્યાં કરાવેલાં સ્મારકાના અવશેષ દૃષ્ટિગેાચર થાય છે—
<<
× તે( જુમા મસદ )ની ખારીઓમાં અને ઘુમ્મટામાં જે
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૦
તેજપાલેશત્રુજય પર રચાવેલ નદીશ્વરના કર્મ સ્થાય માટે કૅટેલિયા જાતિના પાષાણુના ૧૬ થાંભલાએ આ પાવક પર્વતથી જલમાર્ગે આણ્યા હતા. એવા ઉલ્લેખ, વિ. સં. ૧૩૬૧ માં રચાયેલા પ્રખ'ધચિંતામણિ વસ્તુપાલ-તેજ:પાલપ્રમ ધ ]માં મળે છે.
પ્રસ્તુત મંત્રીશ્વર તેજપાળે પાવકિરિ( પાવાગઢ ) પર કરાવેલા સતાભદ્ર પ્રાસાદમાં પાવગિરિના મૂલનાયક તરીકે કયા તીર્થંકરની શિખર પર પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી ? તે વીર ત્યાં સ્પષ્ટ પ્રતિપાદન કર્યું નથી; તેમ છતાં અન્યત્ર અન્વેષણ કરતાં જણાય છે કે—ત્યાં ભગવાન વીરની પ્રતિમા મુખ્યતયા હતી. ઉપયુક્ત મ ંત્રીશ્વરના સમકાલીન મહેન્દ્રસૂરિ (ધે. જૈન વિધિપક્ષીય ) નામના વિદ્વાન્ આચાર્યે પ્રાકૃત ભાષામાં ૧૧૧ ગાથાપ્રમાણ તી માલા–સ્તાત્ર રચેલું છે; તેમાં અન્ય
કાતરકામ અને શિલ્પકળા દર્શાવી છે, તે અજાયખી પમાડે તેવી છે. આબુના પહાડ ઉપર આવેલા દેલવાડાનાં જૈનમ દિશમાં જે પ્રકારની આઠ પાંદડીવાળા કમળની રચના કરવામાં આવી છે. તેવા જ પ્રકારની આકૃતિએ અત્ર પણ જોવામાં આવે છે. ફેર માત્ર એટલેા છે કે તે જૈનમદિરાના કાતરકામમાં શિલ્પીએ પેાતાની બધી અક્કલ વાપરેલી દેખાય છે. ત્યારે અહિંયા તેની થેાડી રૂપરેષાનું જ જ્ઞાન થાય છે. ''—ચાંપાનેરનાં ખંડિયેરા [ભદ્રકાળી પૃ. ૨૪૭]. —આ લેખકને ખબર નહિ હાય કે આખ્(દેલવાડા )નાં મનેહર શિલ્પકલામય સ્મારકાની રચના કરાવનારે પાવાગઢમાં પણ તેવું સ્મારક રચાયું હતું, જે કાલ–બળે ક્રિવા સત્તા—બળે પલટાઇ ગયું છે!
Page #21
--------------------------------------------------------------------------
________________
તીર્થોનું સ્મરણ કર્યા પછી ૭૭ થી ૮૦ ગાથાઓમાં, ભરુઅચ્છ(ભરૂચ)માં, અશ્વાવબોધ, સમલિકાવિહાર તીર્થમાં રહેલા મુનિસુવ્રતસ્વામીને નમન કર્યા પછી ૮૧ મી ગાથામાં, સ્તંભનપુર(ખંભાત)માં રહેલા, પ્રાતિહાર્યના સંનિધાનવાળા પાર્થને વન્દના સાથે પાવકગિરિ(પાવાગઢ)ના શ્રેષ્ઠ શિખર પર રહેલા, દુઃખરૂપી દાવાનલને શાંત કરવામાં નીર જેવા વીરની સ્તુતિ કરી છે.
१ “ सन्निहियपाडिहेरे पासं वंदामि थंभणपुरम्मि ।
virtવસિ સુત્ર-નીર શુને વરં ” –તીર્થમાલા [ વિ. સં. ૧૯૨૩ માં મુંબઈમાં શા. હીરજી હંસરાજ દ્વારા પ્ર. રત્નસાર ભાગ બીજે પૃ. ૩૧, ગાથા ૮૧].
આ તીર્થમાલા તેત્રની ૯૩ મી ગાથામાં, આબુ પરના વસ્તુપાળ( તેજપાળ )કૃત જિન-ભવનને પણ નિર્દેશ કર્યો છે, જેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૨૮૭ માં થઈ હતી–એથી આ સ્તોત્ર ત્યારપછી સ્વલ્પ સમયમાં રચાયું હશે-એમ અનુમાન કરી શકાય. કવિએ ૪૦ મી, ૬૯ મી ગાથામાં તથા અંતિમ ૧૧૧ મી ગાથામાં પણ યુક્તિથી શ્રીમદ્ મહેન્દ્રસૂરિ નામનું સૂચન કર્યું છે. " एवमसासय-सासयपडिमा थुणिआ जिणिंदचंदागं ।
सिरिमंमहिंदभुवणिंद-चंद मुणिविंदथुय-महिया ॥" મેરૂતુંગસૂરિના શતપદી-સમુદ્ધારમાં તથા વિધિપક્ષ(અંચલગચ્છ) ની પટ્ટાવલીમાં જણાવ્યા પ્રમાણે મહેન્દ્રસૂરિનો જન્મ વિ. સં. ૧૨૨૮ માં, દીક્ષા વિ. સં. ૧૨૩૭ માં, સૂરિપદ વિ. સં. ૧૨૬૩ માં, ગચ્છનાયકપદ વિ. સં. ૧૨૭૧ માં અને સ્વર્ગવાસ વિ. સં. ૧૩૦૯ માં ૮૨ વર્ષની વયે તરવાડામાં થયે હતો. તેની કૃતિ તરીકે ત્યાં આ સ્તોત્રને સૂચવ્યું છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૨
પાવાગઢની તળેટીમાં વસેલા ચંપકનેર( ચાંપાનેર )ના નિવાસી પ્રાગ્વાટ(પેારવાડ) સા. ગુયકે વિક્રમની ૧૫ અને કે. વાઘાકે વિ. સં. ૧૪૯૦ માં મી સદીમાં કરાવેલા પચતીર્થીના તથા શાંતિનાથપ્રાસાદના આલેખ્યપટા' ( કપડા પર આલેખેલ તીર્થ –પ્રાસાદ-ચિત્રા ) પાટણના સ'ઘવીપાડાના તાડપત્રી પુસ્તકભંડા[ ન. ૨૪૦ ]માં સૂચવાયેલ છે[ જુએ ગા. એ. સિ. પાટણ જૈન ભ. કયાટલાગ વા. ૧, પૃ. ૧૫૪ ]. આ ચિત્રા ચાંપાનેર, પાવાગઢનાં વે. જૈનમંદિરાનાં જણાય છે. વિક્રમની ૧૫ મી સદીના છેલ્લા ભાગમાં, જૈન શ્વે. તપાગચ્છમાં સુપ્રસિદ્ધ સામસુંદરસૂરિના પાવાગઢમાં મહાન્ વિદ્વાન્ શિષ્ય ભુવનસુંદરસૂરિ સભવનાથ. થઈ ગયા. ( ગુરુર્ખ )નું સ્મરણ મુનિસુ ંદરસૂરિએ વિ.સ. ૧૪૬૬ માં ગુર્વાવલી( પદ્ય ૪૨૩ )માં કર્યું છે અને જેમણે ભટ્ટ વાદીન્દ્રના મહાવિદ્યાવિડંબન ગ્રંથ પર વિદ્વત્તાભર્યાં વિવરણટિપ્પનાદિ ( જે ગા. એ. સ. ન. ૧૨ માં પ્રસિદ્ધ ) રચ્યાં છે. તે વિદ્વાને યાત્રાદિ–પ્રસંગે જિનેશ્વરાનાં તીર્થોનાં ભક્તિભાવભર્યા અનેક સ્તાત્રા રચ્યાં હતાં; તેમાં પાવક ભૂધર ( પાવાગઢ પર્વત ) પર રહેલા ૩ જા તીર્થંકર શ’ભવનાથનુ ૯ પદ્યમય સ. સ્તોત્ર પણ છે; જેનાં ૮ પદ્યોનુ છેલ્લુ ચરણ આ પ્રમાણે છે—‘તુવે પાવજે મૂધરે રામવું તમ્ ।
>
૧ મનેાહર વે. જૈનમંદિરવાળા ઉપર્યુક્ત આલેખ્યપટના ફોટા, ધી ઈંડીઆ સેાસાયટી લંડન દ્વારા ૧૯૩૨ માં પ્રકટ થયેલ ઈંડીઅન આ એન્ડ લેટમાં રા. રા. નાનાલાલ ચી. મહેતા આઈ. સી. એસ. ના પરિચય લેખ( પૃ. ૭૧ થી ૭૮ ) સાથે પ્રકાશમાં આવેલ છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ –પાવક પર્વત પર રહેલા તે સંભવનાથ(ત્રીજા તીર્થકર )ની હું સ્તુતિ કરું છું. પાવકદુર્ગ–મંડન આ સંભવજિન–સ્તવનનું પ્રારંભ પદ્ય આ પ્રમાણે છે –
" महाप्रातिहार्यश्रिया शोभमानं सुवर्णादिवप्रत्रयीदीप्यमानम् । ___ स्फुरत्केवलज्ञानवल्लीवसन्तं स्तुवे पावके भूधरे शम्भवं तम् ॥”
તેમાં પાવાગઢને મુંડરીકાચલ-શત્રુંજય પર્વતના અવતારરૂપે વર્ણવતું ૫ મું પદ્ય આ પ્રમાણે છે– " स्थितं पुण्डरीकाधलस्मावतारेऽखिलक्ष्माधरश्रेणिशृङ्गारहारे । तृतीयं जिनं कुन्ददन्तं भदन्तं स्तुवे पावके भूधरे शम्भवं तम् ॥"
ચાંપાનેર પુરના મુકુટ જેવા પવિત્ર પાવકાદ્રિ પર રહેલા સંભવનાથ(વે. જિનમૂર્તિ) પ્રત્યે ભક્તિભાવ પ્રેરતું ભુવન નાગર્ભિત છેલ્લું પદ્ય, તેમાં આ પ્રમાણે છે– “ चांपानेरपुरावतंसविशदः( दे ) श्रीपावकाद्रौ स्थितं ___ सार्व शम्भवना यकं त्रिभुवनालङ्कारहारोपमम् ।। इत्थं यो गुरुभक्तिभावफलितः संस्तौति तं वृण्वते
તા: સવ ને મોત્સવમામાન્વિતા: ” પ્રકટ થતા જૈનસ્તોત્રદોહ [ ભા. ૨ જે, પૃ. ૧૮૬-૧૬૭ ] તપાગચ્છના સુમતિસુંદર આચાર્યની મધુર વાણું
સાંભળીને માંડવગઢ(માળવા)ને વિશિષ્ટ વિક્રમની ૧૬ મી સંઘપતિ વેલ્લાક, સુલતાનનું ફરમાન સદીમાં છે. મેળવી સંઘ લઈ યાત્રાએ ચાલ્યો હતો. જૈન સંઘે રતલામમાં પર સંઘવીઓ સાથે સંઘ
પતિ-તિલક ધરાવી ઈડરગઢ, જીરાવાલા, ૧ પ્ર. સારાભાઈ નવાબ દ્વારા પ્રાપ્ત.
Page #24
--------------------------------------------------------------------------
________________
આબુ, રાણપુર વિગેરેમાં યાત્રા કરી વેલ્લાકે આચાર્યશ્રીને સુવર્ણ વિગેરે નાણાંથી વધાવ્યા હતા અને સાથેના ૩૦૦ સંયતેને વેષ-વસ્ત્રાદિ પહેરામણીથી સત્કૃત કર્યા હતા. અને
તે જ સંઘવીએ તે વખતે એ જ આચાર્ય દ્વારા સેમસાગરગણિને વિબુધ(પ.)પદ અપાવ્યું હતું. પાવકશેલ(પાવાગઢ) પર રહેલા શંભવનાથને પ્રણામ કર્યા પછી હૃદયમાં શાંતિ પામતા તે સંઘવીઓ માળવા દેશમાં પોતાના સ્થાને પહોંચ્યા હતા.”—એવો ઉલ્લેખ, વિ. સં. ૧૫૪૧ માં પં. સેમચારિત્રગણિએ રચેલા ગુરુગુણરત્નાકર કાવ્યમાં મળે છે.
વિ. સં. ૧૫૦૮ માં વૈ. વ. ૧૩ પ્રાગ્વાટ સાલે તપાગ૭ના રત્નશેખરસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવેલી ૨૪ પ્રતિમાઓમાંથી બબ્બે પ્રતિમાઓ ભિન્ન ભિન્ન સ્થાનમાં સ્થાપી હતી, તેમાંથી બે પ્રતિમા ચંપકમેરુ( ચાંપાનેર )માં પણ સ્થાપી હતી [ જુઓ જિન વિ. પ્રાચીન જેનલેખસંગ્રહ ભા. ૨, લે. ૩૭૨ ]
વિ. સં. ૧૫૧૭ માં ભેજ-પ્રબંધ વિગેરે રચનાર રત્નમંદિરગણિએ ઉપદેશતરંગિણી [ ય. વિ. ચં. પૃ. ૬ ] માં પુરુષપ્રવર્તિત તીર્થો જીરાપલ્લી, ફલવધિ, કલિકુંડ, કુર્કટેશ્વર, પાવક, આરાસણ, સંખેશ્વર, ચારૂપ વિગેરે સૂચવતાં પ્રસ્તુત પાવાગઢને પણ પાવક શબ્દ દ્વારા સૂચવેલ છે. १ “ तेनैव सोमसागरगणेस्तदा यैरदायि विबुधपदम् ।
पावकशैले शम्भवनाथमथानम्य सङ्केशाः ।। हृदि निवृतिमन्तस्ते मालवनीवृति निजालयानापुः ॥"
–ગુરુગુણરત્નાકર કાવ્ય [ સર્ગ ૩, પદ્ય ૯૧-૯૩ ]
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૫
હતા.
વિ. સં. ૧૫૨૪ માં પ્રતિષ્ઠાસોમે રચેલા સેમસભાગ્ય કાવ્ય સર્ગ ૧૦, પદ્ય ૩ર થી ૪ર ]માં જણાવ્યું છે કે – વિ. સં. ૧૪૯ માં રાણપુર(મારવાડ)માં, સિદ્ધ
પુરના રાજવિહાર જેવું “ત્રિભુવનચાંપાનેરના રાજા દીપક” જિનમંદિર, તપાગચ્છના સેમ
જયસિંહથી સુંદરસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવનાર સન્માનિત સુપ્રસિદ્ધ પોરવાડ વણિક ધરણાશાહે એમદેવ. ત્યાં મધુરવચનભાષી એમદેવ વાચસૂરિ કને આચાર્ય પદવીમાં સ્થાપિત કરાવ્યા
હતા. ગુરુ–ગણાધીશની આજ્ઞાથી ઉજજયંત( ગિરનાર )માં સંઘપતિ લક્ષે અને ગદાસચિવે કરાવેલાં ઘણા જિનબિંબની પ્રતિષ્ઠા કરનારા તથા વાચક વિ. પદ આપનારા તે પ્રભાવશાલી આચાર્ય એમદેવસૂરિએ ચાંપાનેર-પાવાગઢના સુપ્રસિદ્ધ રાજા જયસિંહ, જૂનાગઢના રા. મંડલિક અને મેવાડના મહારાણા કુંભકર્ણને મધુરવાણી, કવિતા-શક્તિ, સમસ્યા-પૂર્તિ વિગેરેવડે હૃદયમાં ચમત્કૃત કર્યો હતા-તે સંબંધમાં તેમના સમકાલીન વિદ્વાન કવિયેના ઉલ્લેખે તરફ લક્ષ્ય આપવું જોઈએ.
ઉપર્યુક્ત પ્રતિષ્ઠાસોમે સેમસૈભાગ્ય કાવ્યમાં સૂચવ્યું ૧ તપાગચ્છનાયક સમસુંદરસૂરિએ રચેલાં, યુષ્યદક્ષ્મદ્દશબ્દપ્રયોગવાળાં ૧૮ સ્તોત્ર ય. વિ. ચં. ના જૈન સ્તોત્ર સંગ્રહ ભા. ૧ લામાં પ્ર. ને તેમના શિષ્ય પ્રસ્તુત ગુણવાન સેમદેવગણિએ ગુરુભકિતથી શુદ્ધ કર્યા હતાં તથા તે પર સંક્ષિપ્ત અવમૂર્ણિ વિ. સં. ૧૪૯૭માં રચી હતી. પાટણના જૈનસંઘના પુ. ભંડાર(ડા. ૪૦)માં રહેલી તેની પ્રતિમાં સ્પષ્ટ ઉલ્લેખ છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
છે કે–“ઉત્કટ શત્રુઓને જીતનાર, રાજ-તેજ-પ્રતાપવડે સૂર્ય જે, મેવાડને સ્વામી તે આ કુંભકર્ણ રાજા, જે (મદેવસૂરિ) ની નવાં કાવ્ય રચવાની કળાવડે હૃદયમાં હર્ષિત થયે હતો અને તેને શ્રીહર્ષ કવિથી પણ શ્રેષ્ઠ કવિ માનતે હતો.
જેણે(સેમદેવસૂરિઓ ) પૂરી કરેલી નવા મહાન અર્થવાળી, વિદ્વાન વડે વર્ણન કરાતી સમસ્યાને સાંભળીને જીર્ણદુર્ગ(જુનાગઢ)ને સ્વામી મંડલિક રાજા, પિતાના હૃદયમાં ચમત્કાર પામ્યો હતો.
શત્રુઓને કંપાવનાર, ચપકનેર(ચાંપાનેર)ને નાયક, દાતા અને વિશુદ્ધ ચરિત્રવાળે, રાજાઓમાં મુકુટ જે, જયસિહ રાજા, જે(એમદેવસૂરિ)નાં વચનેવડે, પ્રસન્ન થઈને પોતાના સનેહીઓ સાથે જલ્દી પિતાનું માથું ડેલાવતે હતો.
જગમાં ઉપમા ન આપી શકાય એવા રૂપવડે કામદેવના અહંકારને નષ્ટ કરનાર, ચંદ્ર જેવા ઉજજવલ યશવડે સમસ્ત વિશ્વને શોભાવનાર, ચાતુર્યવડે બૃહસ્પતિ જેવા, અતિતેજસ્વી, નરદેવ(રાજાઓ )થી નમન કરાયેલા તે
મદેવસૂરિ શોભતા હતા.”
१ " श्रीमेदपाटपतिरुत्कटशत्रुजैत्रः श्रीकुम्भकर्णनृपतिर्नृपतिग्मभानुः । यन्नव्यकाव्यकलया हृदये जहर्ष श्रीहर्षतोऽयमधिकं च कविं स मेने ॥ श्रीजीर्णदुर्गविभुमण्डलिको नरेन्द्रो यत्पूरितां नवमहार्थयुतां समस्याम् । आकर्ण्य कर्णपुटकेन सकर्णवां तूर्णं स्वकीयहृदये स चमच्चकार ॥ प्रत्यर्थिकम्पकरचम्पकनेरनेता दाताऽवदातचरितो जयसिंहभूपः । सम्प्रीणितः प्रणयिभिः सह यद्वचोभिस्तूर्ण स्म घूर्णयति मौलिमिलेशमौलिः ।।
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૭
વિ. સં. ૧૫૪૧ માં પં. સેમચારિત્રગણિએ પણું ગુરુ ગુણરત્નાકર કાવ્યમાં એને અનુસરતું સૂચવ્યું છે કે –
જેઓએ(સેમદેવસૂરિએ) તરુણવયમાં હોવા છતાં પણ, રાજ-સભામાં હર્ષ વર્ષાવતાં વાવડે, વિદ્યા સંબંધી વિવાદેવડે મદમત્ત થયેલા વાદીઓનું નિવારણ કરીને પોતાની કવિતા-કલાના અતિશયથી કુંભકર્ણ રાજાને રંજિત કર્યો હતે.
જેઓએ(સેમદેવસૂરિએ) પિતાની વાણુની મધુરતા, કવિતા, સમસ્યા-પૂર્તિ વિગેરેવડે પાવકવનિ ૫(પાવાગઢના રાજા) જયસિંહ, અને જીર્ણદુર્ગ(જુનાગઢ)ના રાજા રા મંડલિક વિગેરે નરેન્દ્રોના હૃદયમાં ચમત્કાર પમાડ્યો હતે.
जगदनुपमरूपध्वस्तकन्दर्पदर्पः शशिविशदयशोभिः शोभिताशेषविश्वः । पदनतनरदेवः सोमदेवः स सूरिश्चतुरिमसुरसूरिभूरिभा भासते स्म ॥"
–સેમસૌભાગ્યકાવ્ય જૈિન જ્ઞાનપ્રસારક મંડળ, મુંબઈ દ્વારા પ. સર્ગ ૧૦, પદ્ય ૩૮ થી ૪૧ ].
–સમસૌભાગ્ય-ટિપ્પન ચા. સ્મા. ગ્રં. ર૨ પટ્ટાવલી–સમુચય ભા. ૧, પૃ. ૩૯ ]માં જણાવ્યું છે કે –
"महाबादी समर्थव्याख्याता मेवाडाधिपतिकुंभकर्ण-जीर्णदुर्गाधिपतिमंडलिक-चांपानेराधिपतिजयसिंहपूजितः समर्थकविः श्रीसोमदेજિ. ”
ભાવાર્થ–મહાવાદી, સમર્થ વ્યાખ્યાતા અને સમર્થ કવિ સેમદેવસૂરિ, મેવાડના અધિપતિ કુંભકર્ણ, જીર્ણદુર્ગ( જૂનાગઢ)ના અધિપતિ મંડલિક અને ચાંપાનેરના અધિપતિ–રાજા જયસિંહવડે પૂજિત-સત્કૃત-સન્માનિત થયા હતા.
Page #28
--------------------------------------------------------------------------
________________
જેઓ, રાજાઓને રંજન કરવાની કલા અને બલવડે બપભટ્ટિ જેવા, વિશાલ બુદ્ધિવડે બૃહસ્પતિ જેવા, કુદષ્ટિએને જીતનારા હોવાથી દેવસૂરિ જેવા, તથા અનેક સ્ત અને સ્તુતિઓ કરવાવડે જે જિનપ્રભ જેવા હતા. તે વાચકનાયક સેમદેવગણિને, તે પ્રસિદ્ધ ગણધારી(ગચ્છનાયક) રત્નશેખરસૂરિએ, રાણપુર નગરમાં, સંઘપતિ ધરણે કરેલા મહોત્સવ પૂર્વક સૂરિપદ આપ્યું હતું. ”
રાજા જયસિંહ ચહુઆણના રાજ્યમાં હાલોલ ગામ પાસે નાની ઉમરવાણ ગામમાં રહેલા કૂવા
ઉપરના શિલાલેખ પરથી જણાય છે પાવાગઢના રાજા કે–વિ. સં. ૧૫રપમાં માઘ વ. ૮ શનિજયસિંહને વારે, પાવકદુર્ગ(પાવાગઢ) પર ઉપર્યુક્ત પરિચય મહારાજ જયસિંહદેવનું રાજ્ય વિજ
યવંત હતું. ચહુઆણવંશમાં પૃથ્વીરાજ પ્રમુખ ઘણા રાજા થઈ ગયા. એ જ વંશ-કુલમાં તિલક જેવા થયેલા [ રણથંભેરવાળા] હમ્મીરદેવના કુલમાં થયેલા १ “ विद्याविवादमदमेदुरवादिवृन्दं वाक्यैर्निवार्य नृपपर्षदि हर्षवर्षेः । यै रञ्जितः स्वककवित्वकलातिरेकात् क्षुल्लैरपि क्षितिपतिः किल कुम्भकर्णः ॥ श्रीपावकावनिपसजयसिंह-जीर्णदुर्गेश-मंडलिकहाम(रा प्र)मुखा नरेन्द्राः। आत्मीयगीमधुरता-कविता-समस्यापूर्त्यादिना हृदि चमत्कृतिमापिता यैः॥ भूजानिरञ्जनकलाबलबप्पभट्टिकल्पास्त्वनल्पधिषणा धिषणानुकाराः । ये देवसूरिसदृशाः कुदृशां जयित्वान्नैकस्तव-स्तुतिविधानजिनप्रभाभाः ॥ तेभ्यो ददुर्नगरराणपुरे क्षणौधे सूरेः पदं धरणसङ्घपतिप्रणीते । श्रीसोमदेवगणिवाचकनायकानां श्रीरत्नशेखरवरा गणधारिणस्ते॥"
–ગુરુગુણરત્નાકર કાવ્ય [ સર્ગ ૧, પદ્ય ૧૦૭–૧૧૦ ય. વિ. .]
Page #29
--------------------------------------------------------------------------
________________
ગંગરાજેશ્વરના પુત્ર આ જયસિહ રાજા હતા. જેઓ પૂર્વ પુરુષોનો ઉદ્ધાર કરવામાં ધીર, શ્રીશક્તિનાર ભક્ત, નિત્ય સુવર્ણ અને ગાયનું દાન કરનાર, કિજેને શાસન આપનાર અતિ દાન, પ્રતાપી રાજાધિરાજ હતા. તેમના આદેશથી ઉપર્યુક્ત આંમણું ગામમાં પોતાની માતા કામાદેવીના પુણ્ય માટે પૂર્વોક્ત કૂ કરાવ્યું હતું. અણહિલવાડ પાટણ(ગુજરાત)માં પ્રાગ્વાટ ખૂહછાખા
| (વીસા પોરવાડ)માં મુકુટ જેવા છાડા પાટણના છે. જૈન શેઠના વંશમાં ખીમસિંહ અને સહસા
સંઘવીઓએ નામના બે ઉદારચરિત સંઘવી, વિકમની પાવાગઢમાં કરા- ૧૬ મી સદીના પ્રારંભમાં થઈ ગયા. વેલ મંદિર અને જેમણે પોતાના કુટુંબની સાધ્વી સાધુ
મૂર્તિ-પ્રતિષ્ઠા લબ્ધિને તપાગચ્છના જયચંદ્રસૂરિદ્વારા
૧ વિજયનગરના રાજ દેવરાય(મલ્લિકાર્જુન બીજા)ના દરબારના કીર્તિકર કવિ ગંગાધરે “ગંગાદાસ–પ્રતાપવિલાસ” નામનું નાટક રચ્યું હતું, તેમાં સૂચવ્યા પ્રમાણે ઉક્ત નાટકકાર, દ્વારકાની યાત્રા કરી, અમદાવાદ નગરમાં ગુજરાતના સુલતાનની સભાના વિદ્વાનને ચૂપ કરી, છ મહિના સુધી ત્યાં રહ્યો હતો. પછી ત્યાંથી નીકળીને તે પાવાચલ(પાવાગઢ)ના અધીવર અને ચંપકપુર (ચાંપાનેર)ના ઇંદ્ર ઉપર્યુક્ત ગંગાદાસ રાજાને મળ્યો હતો. તે કવિની કવિતાથી સંતુષ્ટ થયેલા તે રાજાએ બહુમાન-દાનો દ્વારા પરિતુષ્ટ કરી કવિને પોતાના ચરિત્રના અભિનયવાળું નાટક કરવા કહ્યું હતું. તે પ્રમાણે રચાયેલું લેકોત્તર તે નાટક, ચાંપાનેર જઈ મહાકાલીના મહોત્સવ ઉપર પૂર્વોક્ત રાજાની સમક્ષ ભજવવામાં આવ્યું હતું, જેમાં એ રાજાએ અમદાવાદના સુલતાન સામે કરેલા યુદ્ધ-પરાક્રમનું વર્ણન છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
મહત્સવપૂર્વક પ્રવર્તિની પદવીમાં સ્થાપિત કરાવી. જેમણે ચંપકનેર સમીપના અત્યચ્ચ શિખરવાળા પાવકગિરિ (પાવાગઢ) પર અહંતનું ચિત્ય અને ત્યાં આહંત(જિનનું) અતિપ્રોઢ બિંબ કરાવ્યું હતું, જેની ઉચ્ચ પ્રકારની પ્રતિષ્ઠા પણ, તે બંનેએ હર્ષોત્સવપૂર્વક વિ. સં. ૧૫૨૭ માં પોષ વ. પના સુદિવસે કરાવી હતી.
જે બંને સંઘવીએ વિ.સં ૧૫૩૩માં સંઘ-સન્માન કરતાં, અન્ન-દાન આપતાં, સુક્ષેત્રે માં દ્રવ્ય સ્થાપતાં, તથા જિનમતની પ્રભાવના કરતાં શત્રુંજય, ગિરનાર વિગેરેમાં મહાન યાત્રેત્સવ કર્યો હતે. દાન–શાલા, દીને દ્ધાર, સાધર્મિક ભક્તિ, રૂપાનાણાવાળા સમ્યગ્દર્શન–મેદની લહાણું, ગચ્છ–પરિધાપનિકા, પ્રતિમા–પ્રતિષ્ઠા, ગુરુનાં પદ-સ્થાપન, ઐઢ પ્રવેશત્સવ, તીર્ણોદ્ધાર, પરેપકાર વિગેરે સર્ત દ્વારા જિનશાસનની પ્રભાવના કરનારા એ બંને સદગૃહસ્થોએ તપાગચ્છના લકમસાગરસૂરિ, સમજયસૂરિ વિગેરે આચાર્યોના સદુપદેશથી વિ. સં. ૧૫૩૮માં ચિકેશ(જ્ઞાન ભંડાર)માં પિતાના દ્રવ્યવડે સમગ્ર જિનસિદ્ધાંત લખાવ્યું હતું. તેમાંથી મળી આવતી પુસ્તિકા ઓના અંતમાં તેમની વિસ્તૃત પ્રશસ્તિ (પાટણ ત. સં.)થી તેમને પરિચય પ્રાપ્ત થાય છે. १ " श्रीमञ्चपकनेर-पावकगिरौ प्रोत्तुंगशृंगेऽहत
इचैत्यं तत्र च बिंबमाईतमतिप्रौढं प्रतिष्ठां तथा । तस्योचैर्मुनि-दृग-शर-क्षिति[१५२७]मिते वर्षे सहर्षोत्सवं
પોષાસતપંચમીશુદ્ધિ ચૌ વાચવતુ ૧ર ” २ “ सोत्कर्ष शिखि-शंभुनेत्र-विषय-क्ष्मा [१५३३] संख्यवर्षे सदा
ऽप्यन्नावारितदान-मानविधिभिः श्रीसंघसन्माननैः ।
Page #31
--------------------------------------------------------------------------
________________
વિ. સં. ૧૫૨૯ માં જેઠ વદ ૭ ગુરુવારે ચંપકપુરમાં
અંચલગ છેશ જયકેસરિસૂરિના ઉપચાંપાનેરના વે. દેશથી ગુર્જરવંશના મં. નગરાજ જેનેએ પ્રતિષ્ઠિત સુશ્રાવકે પિતામહના પુણ્યમાટે કરાવી, કરાવેલી મૂર્તિ શ્રીસંઘદ્વારા પ્રતિષ્ઠિત કરાવેલ શાંતિ
નાથબિબ, ડેઈમાં સામળા પાર્શ્વનાથ-જિનાલયમાં છે. [ જુઓ બુદ્ધિ. જેની પ્રતિમાલેખસંગ્રહ ભા. ૧, સે. ૨૯]
મહિમુદ વેગડા (બેગઢા)ના રાજ્યમાં. આ પાતશાહ મહિમુદ બેગડાના સમયમાં પણ ત્યાંના નગરશેઠ ચાંપશી મેતા વિગેરે છે. જેનું પ્રાધાન્ય જણાય છે. જેઓની પ્રેરણાથી હડાળાના અતિધનાઢ્ય છતાં સાદા
सुक्षेत्रार्थनिवेशनैर्जिनमतं प्रोद्भासयंतौ च यौ
શ્રીન-વતાષિ માત્રોવં વઋતુ: • ૧૪ | ” વસુ-ત્રિ-રારભૂ [૧૨૮] વિશે x x x શ્રીસંવાધિપષી(વા)મલિંદ-સાક્ષસૌ વાન્યાવિદ / ૨૦ ”
–પાટણ તપાગચ્છ ભં. ડા. ૩૦ ૧ જે વખતે અણહિલપુર પાટણમાં પાતસાહ મહિમુદ સુરત્રાણનું રાજ્ય હતું અને તેના વિજયકટક(સૈન્ય છાવણી)ની સ્થિતિ ચંપકનેર સ્થાનમાં હતી. તે વખતે વિ. સં. ૧૫૪૫માં માર્ગ. વ. ૨ શુક્રવારે, વિષ્ણુશર્માના પ્રસિદ્ધ પંચાખ્યાન(પંચતંત્ર)ના, આ ધનરત્નસૂરિએ કરેલા સમુદ્ધારની એક પ્રતિ, સિદ્ધપુરવાસી દુવે વાછાના પુત્રને ભણવા માટે પ્રાગ્વાટવંશી મં. કેશવના પુત્ર મં. ભીમાના પુત્ર મંત્રી આસધરે પુણ્યોદય માટે લખાવી હતી–
Page #32
--------------------------------------------------------------------------
________________
રર
ખેમા દેદરાણ જેવા ઉદાર સંગ્રહસ્થ વિકરાળ દુષ્કાળ વખતના ઉપાડી લીધેલા, વાર્ષિક રક્ષાભારથી “અન્નદાતા” “દુકાળ–ભંજક” “શાહ” જેવાં વણિકુ જેનસમાજનાં બિરૂદને સાચાં કરી બતાવ્યાં હતાં. દુર્જનનાં મુખને બંધ કરાવી શાહવટને સાચવી હતી. એ વૃત્તાન્ત જાણવા માટે કવિ લક્ષ્મીરને વિ. સં. ૧૭૨૧ માં રચેલે ખેમાને રાસ [એતિહાસિક રાસસંગ્રહ ભા. ૧, ય. વિ. ચં. પ્ર.] જે જોઈએ.
પં. વિવેકધીરગણિએ વિ. સં. ૧૫૮૭માં રચેલા ઇષ્ટાર્થ– સાધક નામના શત્રુંજયદ્વાર પ્રબંધ/ઉ. ૨,લો. ૧૬માં શાહિ મહિમંદ વેગડને પરિચય આપતાં જણાવ્યું છે કે
તેણે યુદ્ધવડે જીર્ણદુર્ગ અને ચંપકદુર્ગ(ચાંપાનેરગઢ) લીધા હતા. ઉપર્યુક્ત પ્રબંધના અંતમાં મૂકેલ રાજાવલી– કેકમાં, ગુજરાતના સુલતાનેમાં વિ. સં. ૧૫૧૫ થી પર વર્ષ પર્યત તેનું રાજ્ય તથા તેણે ગ્રહણ કરેલ પાવકાચલ (પાવાગઢ) અને જીર્ણ દુર્ગ(જૂનાગઢ)નું સૂચન છે.
“ स्वस्तिश्री संवत् १५४५ वर्षे मार्गसर वदि पक्षे द्वितीयायां तिथौ शुक्रे दिने श्रीपत्तन[श्री]मदणहिल्लपुरपत्तने वास्तव्यश्रीपातसाहश्रीमहिमुदसुरत्राणराज्ये विजयकटकस्थितिचंपकनेरस्थाने पिं । राज्यरोमिं । xx"
પાટણ સંધ, જૂના ભંડારની પ્રતિ ડા. ૩૦ १ “ महिमुंद-कुतुबदीनौ शाहिमहिमुंदवेगडस्तदनु ।
यो जीर्णदुर्ग-चंपकदुर्गौ जग्राह युद्धन ॥ શત્રુજ્યતીર્થોદ્ધાર-પ્રબંધ [ આત્માનંદ સભા ભાવનગરથી પ્ર. ઉ. ૨, ૦ ૧૬ ].
२ सं. १५१५ व० महिमुंदवेगडुराज्यं व० ५२ पावकाचलजीर्णदुर्गौ गृहीतौ ।'
-રાજાવલી–કાજીક.
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૩
દુષ્કાળના વિકટ વર્ષમાં શાહ બિરૂદની શોભા વધારનાર ખેમાશાહના રાસમાં વિ. સં. ૧૭૨૧ માં કવિ લક્ષ્મીરને તે સ્થળનું વર્ણન કરતાં જણાવ્યું છે કે –
ગુજર દેશ છે ગુણની, પાવા નામેં ગઢ બેસણું મેટા શ્રીજિન તણા પ્રાસાદ, સરગ સરીશું માંડે વાદ. ૨ વસે સેહર તલેટી તાસ, ચાંપાનેર નામે સુવિલાસ; ગઢ મઢ મંદર પિોલ પ્રકાસ, સહભૂમીમાં ઉત્તમ આવાસ. વરણ અઢાર ત્યાં સુષિ વસે, સભા દેષિ મનસુ લસે વેપારીની નહી રે મણું, સાતસે હાટ સરઈયાં તણું. પાતસાહ તિહાં પરગડો, રાજ્ય કરે મેંમ્મદ વેગડો; સતરસે ગુજજરને ધણિ, જિણે ભુજબલે કીધી પોહવિ ઘણિ. ૬
x x x x નગરશેઠ ને ચાંપસી, અહનિસ ધર્મણિ મતિ વસી. ૯” વિ. વિ.
વિ. સં. ૧૫૪૭માં માઘ શુ. ૧૩ ચંપકને રવાસી ગૂજરજ્ઞાતિના સા. સદયવછે તપાગચ્છી સુમતિસાધુસૂરિદ્વારા પ્રતિષ્ઠિત કરાવેલ શીતલનાથ બિંબ(પંચતીથી) અમદાવાદમાં, દેવસાના પાડામાં, પાર્શ્વનાથ જિનાલયમાં છે [જુઓ બુદ્ધિ. જૈનપ્રતિમાલેખ-સંગ્રહ ભા. ૧, લે. ૧૦૮૮].
વિ. સં. ૧૫૫લ્માં ચંપકનેવાસી છે. ધરણકે, નિગમાવિર્ભાવક ઈંદ્રનંદિસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવેલ શાંતિનાથબિંબ, બનારસ સૂતટેલાના જૈનમંદિરમાં છે [ જુઓ–પૂ, નાહરજેનલેખસંગ્રહ ભા. ૧, સે. ૪૦૪].
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૪
પાતશાહ મદાફર( મુજફ્ફર)ના રાજ્યમાં. ગુજરાતની પવિત્ર પૃથ્વીનું પાલન, જ્યારે મદાફર
પાતશાહ કરતા હતા, તે વખતે, પોરચાંપાનેરના છે. વાડવંશમાં પુરુષ અને પદમાઈના પુત્ર શ્રીમાને લખા- વર્ધમાન નામના ગુણવાન ગૃહસ્થ થઈ વેલાં જેનામે ગયા. જેની પત્નીનું નામ મણું અને
પરાક્રમી પુત્રોનાં નામ ૧ ઉદયકિરણ, ૨ સહસ્ત્રકિરણ, ૩ વિજયકિરણ અને ૪ સિંઘા (?) હતાં. પિષધ વિગેરે ધર્મકૃત્ય કરનારા, અઈચ્છાસનની ઉન્નતિમાં સાવધાન એ સહસ્થ, જયકેશરિસૂરિ વિધિપક્ષ–(અંચલગચ્છ)ના શિષ્ય કીર્તિવલભગણિના ઉપદેશથી વિશેષ પ્રકારે ધર્મરુચિ થયા હતા. પુત્રોએ વિસ્તારેલા યશવાળા તે વધમાનશેઠે ભુજાથી ઉપાર્જિત કરેલા દ્રવ્યને સફળ કરવા ૧૧ અંગસૂત્રે લખાવ્યાં હતાં. એ જેનાગમના લેખનને આરંભ, ચંપકદુર્ગ(ચાંપાનેર)માં વિ. સં. ૧૫૬૭ માં થયો હતો. १ “ श्रीमद्गूर्जरजनपदपद्मप्रतिबोधतरुणमार्तडः ।
पृथ्वीं पाति पवित्रां मदाफरः पातसाहिरयं ॥ १ ॥ इति संततिविततयशाः सफलीकर्तुं भुजार्जितं सारं । एकादशांगसूत्राण्यलेखयद् वर्धमानोऽयं ॥ ७ ।। શ્રીમચંદુ. પૂતY(? વિધિ) છે ! દર-ર-તિથિમિતવર્ષ તૈનાતમનામઃ ૮ | –પાટણમાં, લહેરુભાઈના ભંડાર ડા. ૧ માં જ્ઞાતાસૂત્રની પ્રતિના અંતમાં પ્રશસ્તિ.
પાતશાહ મહિમૂદના પટ્ટપ્રભાકર તરીકે આ પાતસાહ મદા
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૫
જેમનો જ
ન રબારી દીક્ષા વિર માં
તપાગચ્છના અધીશ હેમવિમલસૂરિ, કે જેમને જન્મ
વિ. સં. ૧૫૪૦ માં કા. શુ ૧૫, જેમની પાતશાહ મદા- દીક્ષા વિ. સં. ૧૫૨૮ માં લક્ષ્મીસાગરફરના દરબારમાં સૂરિના હાથે થઈ હતી અને જેમને છે. જૈન કવિઓ સૂરિપદ વિ. સં. ૧૫૪૮ માં પંચલાસા
ગામમાં સુમતિસાધુસૂરિ દ્વારા માતાશાહે કરેલા મહોત્સવપૂર્વક અપાયું હતું, અને જેમને ગચ્છનાયપદ આખ્યાને મહેચ્છવ ઇલપ્રાકાર( ઈડરગઢ)માં કોઠારી સાયર શ્રીપાલે કર્યો હતો. તે આચાર્ય વિ. સં. ૧૫૭૨માં ઈલપ્રાકાર(ઇડરગઢ)થી ચાલીને સ્તંભતીર્થ( ખંભાત ) આવતાં, કપટવાણિજ્ય( કપડવંજ )માં પધાર્યા હતા. તે સમયે દ. આણંદ નગરમાં સર્વત્ર તલીઆ તેરણ, ધ્વજારોપણ વિગેરે પ્રકારના ઉત્સવપૂર્વક સુલફરસાહન નામને નિર્દેશ, વિ. સં. ૧૫૮૭ ના શત્રુંજયંતીર્થના ઉદ્ધારની પ્રશસ્તિના શિલાલેખમાં છે. પં. વિવેકધીરગણિએ રચેલા શત્રુતીર્થોદ્ધાર-પ્રબંધ(ઉ. ૨, લે. ૧૭)માં મુજફર નામ દ્વારા તેનો પરિચય કરાવ્યો છે કે –“તે લક્ષણ(વ્યાકરણ), સાહિત્ય અને સંગીતશાસ્ત્રનો જાણકાર હતો. વિદ્વાનોને આધાર તથા વીરલક્ષ્મીને વર હતો. તે પોતાની પ્રજાને પિતાની પ્રજ્ઞ પ્રજા ( સંતાન)ની જેમ પાલન કરતો હતો. શાકંદર વિગેરે તેના પુત્રો હતા. મોટા પુત્ર શકંદરે નય, વિનય, ભક્તિ, શક્તિ વિગેરે ગુણવડે યુક્ત હોઈ પિતાનું અને પ્રજાનું ચિત્ત હર્યું હતું.'
જાવલી કાષ્ટકમાં મુજજફરનું રાજ્ય સં. ૧૫૬૭ થી વ. ૧૫. માસ છે અને દિ. ૪ સૂચવ્યું છે. તે પછી સકંદરનું રાજ્ય સં. ૧૫૮૨ માં ચૈત્ર શુ. ૩ થી માસ ૨ અને દિ. ૭ તથા મહિમુંદનું રાજ્ય ૪ વ. ૬ થી માસ ૨ અને દિ. ૧૧ પર્યત હતું.
Page #36
--------------------------------------------------------------------------
________________
તાનને આવવાના સમયની જેમ તેમનો પ્રવેશોત્સવ કર્યો હતો. તે જાણે કોઈ દુર્જને મુદાફર પાતશાહ આગળ કહ્યું કે આ પ્રવેશત્સવ કર્યો.” તેથી સ્પડવંજમાં બંદા મેકલ્યા. ગુરુજી ત્યાંથી પહેલેથી જ ચાલીને ચૂણેલ ગામ પહોંચી ગયા હતા. શ્રી પૂજ્ય રાતે શ્રાવકે આગળ કહ્યું કે–વિન્ન છે, એથી અમે ચાલ્યા જઈશું.” રાત્રે ચાલ્યા અને એઝીંદ્રા ગામે પહોંચી ગયા. આ તરફ બંદા ચૂણેલ ગામ પહોંચ્યા અને પૂછયું કે–ગુરુજી કયાં છે? ગામના રાજાએ કહ્યું કે “અહે જાણતા નથી, અહિંથી ક્યાંય ચાલ્યા ગયા.” બંદા ત્યાંથી પાછા વળ્યા.
ગુરુજી ખંભાતમાં પધાર્યા, સંઘે ઉત્સવ કર્યો. દુર્જ. નેએ ચાડી કરી. ગુરુજીને બેજાઓએ બંદીના સ્થાન(કેદખાના)માં રાખ્યા. સંઘની પાસેથી ૧૨૦૦૦ ટંકા જૂનાં નાણું પ્રમાણે લીધા. ગુરુજીએ મનમાં વિચાર્યું કે આવી રીતે બધે થાય, તે અત્યંત દુષ્કર થાય” એમ વિચાર કરી આયંબિલ તપ કરી, સૂરિમંત્ર આરાધતાં અધિષ્ઠાયકનું વચન થયું કે –“આક્ષેપ કરે, દ્રવ્ય પાછું વળશે.'
પછી શતાથી પં. હર્ષકુલગણિ, પં. સંઘહર્ષગણિ, પં. કુશલસંયમ ગણિ, શીઘ્રકવિ પં. શુભશીલગણિ વિગેરે ચાર ગીતાર્થોને ચંપકદુર્ગ(ચાંપાનેર)મેકલ્યા હતા. તેઓએ ત્યાં જઈને સુલતાનને પોતાની કાવ્યકલા દર્શાવી, રંજિત કરી, દ્રવ્ય વાળીને ગુરુને વંદન કર્યું હતું.”
૧ “તત્ જ્ઞાત્વા પિન તસદમુદ્દાર કોમ્ xx” ૨ “પરૂવાત શતાથી . દુર્ષવરાળ-પં. સંઘર્ષણ. ગુર
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૭
વિ. સં. ૧૫૭૧ માં તપાગચ્છ કુતબપુરા શાખાના આચાર્ય ઇંદ્રનંદિસૂરિના શિષ્ય પ્રદસુંદરસૂરિના ઉપદેશથી ચંપકનેરદુર્ગના શ્રીસંઘે જીર્ણોદ્ધાર કરાવેલી દેવકુલિકા ઉલ્લેખ નાડલાઈ(દેસૂરી જીલે, મારવાડ)માં છે [ જુઓ પૂ. નાહરને જેનલેખસંગ્રહ ભા. ૧, લે. ૮૫૦].
વિ. સં. ૧૫૭૬ માં ચૈત્ર વ. ૮ બુધવારે ચંપકનેરવાસી શ્રીશ્રીમાલજ્ઞાતિના દો. ધૂસકે વૃદ્ધતપાપક્ષના ધનરત્નસૂરિદ્વારા પ્રતિષ્ઠિત કરાવેલ સુવિધિનાથબિંબ, ખંભાતમાં, ખારવાડામાં મહાવીર જિનમંદિરમાં છે [બુદ્ધિ. જૈન પ્ર. લેખસંગ્રહ ભા. ૨, લે. ૧૦૩૩].
વિ. સં. ૧૫૭૯ માં વે. શુ. ૧૨ રવિવારે ચંપકનગરવાસી વૃદ્ધપ્રાગ્વાટ જ્ઞાતિના છે. સિવાએ સાધુપૂણિમાપક્ષના ભ. મુનિચંદ્રસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવેલી આદિનાથ-ચતુવિંશતિકા જેસલમેરમાં થીરૂશાહ શેઠના જૈનમંદિરમાં છે. [જૂઓ-પૂ. નાહર જેનલેખસંગ્રહ ભા. ૩, લે. ર૪૫૭]. संयमगणि-शीघ्रकविपं. शुभशीलगणिप्रभृतिगीतार्थाश्चत्वारः चंपकदुर्ग प्रहिताः । तैस्तत्र गत्वा सुरत्राणस्य स्वकाव्यरंजनकला दर्शयित्वा द्रव्यं વાચિવા ૨ શ્રી ગુરું વંદુ
–તપાગચ્છ લ. પૌ. પટ્ટાવલી [ વિ. સં. ૧૬૩૬ માં હેમસોમસૂરિ ગચ્છાધિપતિ થયા, તે સમયપર્યતની. પ્રાચવિદ્યામંદિર, વડોદરા હ. લિ. પ્રતિ પ. ૧-૨ ] - ઈ. સન ૧૫૧૧–૧૪ (વિ. સં. ૧૫૬૭–૭૦) દરમ્યાન ગુજરાતમાં આવેલા ફિરંગી મુસાફર બારસાએ ચાંપાનેર નગરની મહત્તા અને તેની આસપાસના પ્રદેશની ફળદ્રુપતા વિગેરે સંબંધમાં ઉલ્લેખ કર્યો છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૮
પાતશાહ બાધરશાહના રાજ્યમાં ઉપર્યુક્ત મહિમુદ વેગડ પછી થયેલા મુજફરના
પુત્રામાં શકંદરરાજાને ના ભાઈ બાધર બાધરશાહે હતો. જે પ્રતાપી અને સાહસી હતે. ચાંપાનેરમાં પૂર્વે થયેલા રાજપુત્રનાં ચરિત્રને કર્માશાહનું સાંભળનારે તે(શાહજાદો) પૃથ્વીનું
કરેલું નિરીક્ષણ કરવાના વ્યસનથી કેટલાક સમાન પરિચારક જને સાથે મહેલથી નીકળે
હતે. વિકમરૂપી ધનવાળો એ, પુર, નગર અને પત્તનોનું આક્રમણ કરતો અનુક્રમે ચિત્રકૂટદુર્ગ ( ચિત્તોડ ) ગયે હતો. ત્યાંના રાજાએ તેને બહુમાન આપ્યું હતું. ઓસવાળ વંશના તલાશાહના સત્પન્ન કરમા શાહ, ત્યાંના રાજા રત્નસિંહના રાજ્ય-વ્યાપારભાર-ઘરેય (પ્રધાન) હતા. તેની સાથે એને અત્યંત મિત્રતા થઈ હતી. કરમાશાહ પણ પ્રિયવચન, ભજન, વસ્ત્ર દ્વારા એનું બહુમાન કરતા હતા. જ્યારે એ શાહજાદે ત્યાંથી જવા માટે તત્પર થયે, ત્યારે રસ્તામાં ભાતા માટે કરમાશાહે લાખ ટકે આપ્યા હતા. એથી બાધરશાહે પિતાને જીવિત પર્યન્ત વાણી સૂચવ્યો હતો. કરમાશાહે પિતાની લઘુતા અને નમ્રતા દર્શાવી રાજ્ય પ્રાપ્ત થતાં, શત્રુંજય પર પ્રતિષ્ઠા કરવારૂપ પોતાનું એક વચન કરવા સૂચવ્યું હતું, જે તેણે જલ્દી સ્વીકાર્યું હતું. ગૂર્જર મંડલના એ અધિપે કરમાશાહની રજા લઈ પ્રસ્થાન કર્યું.
મુજફર પાતશાહે અંતમાં શકંદરને રાજ્ય-ધર કર્યો
Page #39
--------------------------------------------------------------------------
________________
હતે તેને અને મહિમુન્દને પણ થોડા દિવસમાં દુર્જનેએ મારી નાખ્યા હતા. વિશ્વાસુ માણસે મોકલેલા એ વૃત્તાંતને સાંભળીને વિદેશમાં રહેલા બાધરશાહ પાછો ફર્યો અને ચંપકદુર્ગ(ચાંપાનેર) પહોંચે; તે જ વખતે રાજ્ય પર સ્થાપિત થયે. વિ. સં. ૧૫૮૩ ભાદ્રપદ શુ. ૨ ગુરુવારે તેને રાજ્યાભિષેક થયો. પ્રતાપ વિસ્તાર્યો. શત્રુ અને મિત્ર તથા અપકારી અને ઉપકારીઓ તરફ એગ્ય પ્રવૃત્તિ કરી. એ પ્રસંગે કૃતજ્ઞ–શિરોમણિ બાધરશાહે ઉપકારનું સ્મરણ કરતાં શ્રીમાન્ કર્માશાહને આમંત્રણ કર્યું. કર્માશાહ ત્યાં જલ્દી આવ્યા અને અનેક સુવસ્તુઓને ઢગલે ભેટ કરતાં બાધરશાહને ભેટ્યા. બાધરશાહ ઉભા થઈ કમશાહને બન્ને હાથવડે ભેટ્યા અને સભા-સમક્ષ ખૂબ સ્તુતિ કરી કે આ મહારે પરમ મિત્ર છે, પહેલાં દુરવસ્થાથી કદર્થના પામતાં હારે ઉદ્ધાર આ દયાલુએ કર્યો હતો.” એમ બોલતા પાતશાહને
१ “ वृत्तान्तमाप्तप्रहितं निशम्य विदेशगो बाधरशाहिरेनम् ।
प्रत्यावृतश्चम्पकदुर्गमाप तदैव राज्ये विनिविष्ट एव ।। श्रीविक्रमार्काद् गुण-दिक्-शरेन्दुमितास्वतीतासु समासु १५८३ जज्ञे । राज्याभिषेको नृपबाधरस्य प्रोष्ठद्वितीयादिवसे गुरौ च ॥"
–શત્રુજ્યતીર્થોદ્ધાર-પ્રબંધ [ ઉ. ૨, ૨૦ ર૯, ૩૦ ] २ “ आगात् किलाकारितमात्र एवोपदीकृतानेकसुवस्तुशैलः ।
कर्मस्ततो बाधरभूमिपालोऽप्युत्थाय दोर्ध्या च तमालिलिङ्ग ॥ तुष्टाव बाढं परिषत्समक्षमहो ! ममायं परमो वयस्यः । कदर्थितं प्राग् दुरवस्थया मां समुद्दधाराशु दयालुरेषः ॥"
–શ. તી. [ઉ. ૨, શ્લો. ૩૯-૪૦]
Page #40
--------------------------------------------------------------------------
________________
કર્માશાહે અટકાવ્યા અને પિતાની લઘુતા દર્શાવી. બાધરશાહે કરમાશાહને શ્રેષ્ઠ વસ્ત્રો, આભૂષણે, પાનબીડું વિગેરે આપી, સન્માન કરી આવાસ અપાવ્યા.
કરમાશાહ દેવ-ગુરુને નમન કરી, યાચકોને ઘણું ધન આપી મહોત્સવ પૂર્વક રાજાએ આપેલા આવાસે રહ્યા હતા. તે શ્રીમાન ત્યાં રહેલા એમધીરગણિ પાસે ધર્મોપદેશ સાંભળતા હતા અને હંમેશાં આવશ્યકાદિ કૃત્ય કરતા હતા. * * બાધરશાહે એક દિવસે તુષ્ટ થઈને કહ્યું કે-“હે મિત્ર! હું તારું પ્રિય શું કરું? મ્હારા મનની પ્રીતિ માટે આ(રાજય)માંથી સમૃદ્ધ દેશ વિગેરે કંઈક ગ્રહણ કર.”
શત્રુંજયનો ઉદ્ધાર કરવા ચાહતા કશાહે પ્રત્યુત્તરમાં જણાવ્યું કે–“આપની પ્રસન્નતાથી હારે સઘળું છે, માત્ર એટલું જ ઈચ્છું છું કે શત્રુંજય પર્વત પર મહારે વિશાલ ત્રદેવી સ્થાપવી છે, એ માટે આજ્ઞા આપો. જે માટે આપે પહેલાં ચિત્રકૂટ( ચિત્તોડ)માં પણ સ્વીકારેલું છે તે વચન પાળવાને સમય અત્યારે ઉપસ્થિત થયેલ છે.” એ પછી પાતશાહે રુચિ પ્રમાણે કરવા ફરમાવી નિર્વિન કાર્ય– સિદ્ધિ માટે શાસનપત્ર(ફરમાન) આપ્યું. જે પછી વિ. સં. ૧૫૮૭ ચૈત્ર(ગુ. વ.) વ. ૬ રવિવારે મહત્સવપૂર્વક શત્રુંજય તીર્થને ઉદ્ધાર થયે. ઉ. વિનયમંડનની સાહાસ્યથી ભટ્ટારક વિદ્યામંડનસૂરિએ મૂલનાયક પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. એ જ સમયમાં રચાયેલ ઈસ્ટાર્થસાધક શત્રુંજય
૧ આ પ્રબંધ સાક્ષર શ્રીયુત જિનવિજયજીથી ઐ. સાર, ઉપઘાતાદિથી વિભૂષિત સંપાદિત થઈ, વડોદરાના સ્વ. શ્રીમાન ઝવેરી
Page #41
--------------------------------------------------------------------------
________________
તીર્થોદ્ધાર-પ્રબંધમાં એનું વિસ્તૃત વર્ણન છે, તથા શત્રુજય પરની પ્રશસ્તિના શિલાલેખના પ્રારંભમાં અને મધ્યમાં પણ એ પાતશાહ બાધ(દ)રશાહના નામનું અને ફરમાનનું મરણ છે.
વિ. સં. ૧૫૮૭ માં . વ. ૭ સોમવારે ચંપકદુર્ગમાં, અંચલગચ્છાધીશ ગુણનિધાનસૂરિના ઉપદેશથી શ્રીશ્રીવશના દો. નાકર ઠાકુર વિ. કરાવેલ અને શ્રીસંઘદ્વારા પ્રતિષ્ઠિત કરાવેલ આદિનાથબિંબ, ખંભાતમાં, દંતાળવાડાના શાંતિજિનાલયમાં છે [ જુઓ બુદ્ધિ. જેનપ્રતિમા–લેખ સંગ્રહ ભા. ૨, લે. ૬૮૩].
લીલાભાઇની આર્થિક સહાયતાથી ભાવનગરની આત્માનંદ સભા દ્વારા પ્રકાશિત થઈ ગયેલ છે.
१ “ स्वस्तिश्रीगूर्जरधरित्र्यां पातसाहश्रीमहिमूदपट्टप्रभाकरपातसाहश्रीमदाफरसाहपट्टोद्योतकारक-पातसाहश्रीश्रीश्रीश्रीश्रीबादरसाहविजयराज्ये। संवत् १५८७ वर्षे राज्यव्यापारधुरंधरषानश्रीमझादषानव्यापारे श्रीशत्रुजयगिरौ श्रीचित्रकूटवास्तव्य-दो० करमाकृतसप्तमोद्धारसत्का કાર્તાિ િ ..
आगत्य गौर्जरे देशे विवेकेन नरायणे । वसंति विबुधा लोकाः पुण्यश्लोका इवाद्भुताः ॥ तत्रास्ति श्रीधराधीशः श्रीमद् बाहदरो नृपः । तस्य प्राप्य स्फुरन्मानं पुंडरीके समाययौ ॥ શ્રીમર્યાદા]fણતીરાવનારાવાય ગુંચે xx”
–એપિગ્રાફિ ઇડિકા વેં. ૨, પૃ. ૪૨-૪૭
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૨ વિ. સં. ૧૬૦૦ વૈ. શુ. ૨ ચાંપાનેરવાસી એસવાલજ્ઞાતિના સા. લટકણુની ભાર્યા લલતાદેના શ્રેય માટે તેના પુત્રોએ (રીડા, રાજપાલ અને રતનપાલે) ખરતરગચ્છના ઉ. વિદ્યાસાગર દ્વારા પ્રતિષ્ઠા કરાવેલ શાંતિનાથબિંબ, ખંભાતમાં ખારવાડામાં સ્તંભનપાર્શ્વનાથ-જિનમંદિરમાં છે. [[ બુદ્ધિ. જેનપ્રતિમા–લેખસંગ્રહ ભા. ૨, લે. ૧૦૫૩].
સેમવિમલસૂરિ, વિક્રમની ૧૯મી સદીના છેલ્લા ચરણથી, ૧૭મી સદીના બીજા ચરણ સુધી વિદ્યમાન હતા. જેમને
જન્મ વિ. સં. ૧૫૭૦માં કંસારીપુર વિ. ૧૭ મી સદી- ( ખંભાત પાસે )માં પ્રાગ્વાટજ્ઞાતિમાં માં ચાંપાનેરના થયા હતા. જેની દીક્ષા વિ. સં. ૧૫૭૪ પારેખે એમ- માં અહમ્મદાવાદમાં તપાગચ્છના હેમવિમલસૂરિને વિમલસૂરિ દ્વારા થઈ હતી. જેને ગણિપદ પૂરે અભિગ્રહ વિ. સં. ૧૫૯૦માં ખંભાતમાં, પતિ
પદ વિ. સં. ૧૫૯૪ માં સીરાહીમાં, વાચકપદ વિ. સં. ૧૫૫ માં વીજાપુરમાં તથા સૂરિપદ વિ. સં ૧૫૯૭માં અહમ્મદાવાદમાં સાભાગ્યહર્ષસૂરિદ્વારા અપાયું હતું. વીજાપુરના દો. તેજાએ કરેલા ચાર લાખના વ્યયપૂર્વક, ૩૦૦ સાધુઓ અને સંઘ સાથે વિમલાચલની યાત્રા કરી અહમ્મદાવાદ તરફ પાછા વળતાં [ વિ. સં. ૧૬૦૨ માં ] ઉપર્યુક્ત આચાયે ૯ મે અભિગ્રહ ગ્રહણ કર્યો હતે કે-“મૌન રહેવું, શયન ન કરવું, આહાર ગ્રહણન કરે. ચંપકદુર્ગ(ચાંપાનેર)ના પારિખ કાલાના પુત્ર પારેખ જીવરાજ, ઘરે બેલાવીને ૪ ખાજે ૪ થું ન્યૂન જ્યારે આપશે,
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૩
ત્યારે પારણું કરીશ; નહિ તે 'પત્તન(પાટણ)માં જઇને પારણું કરીશ.’ તે અભિગ્રહ ચેાથે દિવસે પૂર્ણ થયા હતા. ત્યારપછી વિ. સ. ૧૬૦૨ માં તેમણે અહમ્મદાવાદમાં ચેામાસું કર્યું હતું. તેઓએ આણુ દસામને વિ. સ’. ૧૯૨૫ માં આચાર્ય પદ અને વિ. સ. ૧૬૩૦માં વન્દનદાપન (ગચ્છનાયકપદ) આપ્યું હતું, પરંતુ વિ. સ. ૧૬૩૬માં આનદસામને સ્વર્ગવાસ થતાં જેમસામને સૂરિપદ આપી તેઓ વિ. સ. ૧૯૩૭માં સ્વર્ગવાસી થયા હતા [ વિશેષ માટે જુએ તપાગચ્છ લ. પી. પટ્ટાવલી, એ. સજ્ઝાયમાલા તથા વિ. સ. ૧૬૧૯ માં નંદુરબારમાં ઉપયુ ક્ત આણુ દસામે રચેલ, એ. જૈન ગ્. કાવ્યસંચય પુ. ૧૩૪ થી ૧૪૯ માં. પ્ર સામવિમલસૂરિ–રાસ, વધાવું સજ્ઝાય વિ. વિ. ]. સમ્રાટ્ અકબ્બરના રાજ્યમાં.
શહેનશાહ અકમ્બરના પ્રતિબેાધક અને સન્માનિત, તપાગચ્છના સુપ્રસિદ્ધ હીરવિજયસૂરિના વિક્રમની ૧૭ પટ્ટધર વિજયસેનસૂરિ; જેનું સુરિપદ, મી સદીમાં
વિ. સં. ૧૬૨૮ માં અર્હમ્મદાવાદમાં અને જેમના સ્વર્ગવાસ વિ. સ. ૧૬૭૧ માં અકખ્ખરપુરમાં થયેા હતેા. તે વિ. સં. ૧૬૩૦ માં પાટણમાં પત્તારૂઢ થયા પછી ગુરુની આજ્ઞા લઇ વિ. સ. ૧૬૩૨માં વે. શુ. ૧૩ આદુ ચાંપાનેરપુરમાં પધાર્યા હતા. ત્યાં જયવંત નામના ધનાઢ્ય શેઠે જગતને પ્રમાદ આપનારા મેટા ઉત્સવ પૂર્વક આ આચાર્ય દ્વારા પ્રાઢ પ્રતિષ્ઠા કરાવી હતી. તે જૈન શ્વે. મૂર્તિયાની પ્રતિષ્ઠા કર્યાના અનેક ઉલ્લેખા ઉપલબ્ધ થાય છે. જૈન અને શૈવશાસ્ત્રના પાર१ “आदाय दामेव गुरोर्निदेशं मूर्ध्नाऽथ मूर्धन्य ऋषीश्वराणाम् । क्रमेण सोऽपापमवाप चंपानेरं पुरं दुर्गमदुर्गमूर्तिः ॥
Page #44
--------------------------------------------------------------------------
________________
-
૩૪
ગામી આ સૂરિજીએ સુરત બંદરમાં મિશ્રચિતામણિ પ્રમુખ ભટ્ટ સભ્ય સમક્ષ પંડિતેની પર્ષદમાં વિવાદ કરતા, જેમ તેમ અપસિદ્ધાંત બેલતા ભૂષણ નામના દિગંબર આચા
ને જીત્યા હતા. [ વિજય પ્રશસ્તિ મહાકાવ્ય સર્ચ ૮, ૪૦ થી પર તથા વિજયદેવમાતામ્ય-પરિશિષ્ટ વિ. વિ.] ઉપર મહમ્મદ વેગડાના પ્રસંગમાં દર્શાવેલા ઉલ્લેખ
પ્રમાણે, વિ. સં. ૧૭૪૧ માં કવિ લક્ષ્મીવિક્રમની ૧૮ મી રને ખેમા શાહના રાસમાં જણાવ્યા સદીમાં પ્રમાણે પાવાગઢ પર, સ્વર્ગ સાથે વાદ કરે
તેવા ઉંચા મોટા જિન-પ્રાસાદે હતા. વિ. સં. ૧૭૪૬ માં જૈન મુનિ શીલવિજયજીએ તીર્થ श्रेष्ठीभ्यसभ्यो जयवंतनामा तत्रोत्सर्दत्तजगत्प्रमोदैः । धनान्यपोऽम्भोद इवैष वर्षन्नकारयत् प्रौढतमा प्रतिष्ठाम् ॥ आचार्यवर्याः पुरि तत्र शुभ्रे त्रयोदशाह्वेऽह्नि च मासि राधे । अन्देऽव दृक्-पावक-भूप[१६३२]संख्ये कृत्वा प्रतिष्ठां विदधुर्विहारम् ॥"
–હેમવિજયગણિએ રચેલ વિજયપ્રશસ્તિ મહાકાવ્ય [ સર્ગ ૮, . ૩૭–૩૯ ય. વિ. ગ્રંથમાલામાં પ્ર. ].
ઉપર્યુક્ત કાવ્યને વ્યાખ્યાકાર પં. ગુણવિજયે તપાગણપતિગુણપદ્ધતિમાં જણુવ્યું છે કે –
" तैश्चंपानेरदुर्गे १६३२ वर्षे प्रतिष्ठा कृता"
ઉ. મેઘવિજયે તપાગચ્છ-પટ્ટાવલી [પાવલી–સમુચ્ચય પૃ. ૮૯] માં જણાવ્યું છે કે___" श्रीगुरुमिः सं. १६३२ वर्षे चांपानेरदुर्गे समहोत्सवमनेकाहત્રતિમાતાનાં પ્રતિષ્ઠા તા . ”
એવી રીતે ઉ. રવિવર્ધન ગણિએ પદાવલી–સારોદ્ધાર વિ. માં પણ સૂચન કર્યું છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૫ માલા પ્રાચીન તીર્થમાળાસંગ્રહ ભા. ૧, પૃ. ૧૨૨, સં.
વિજયધર્મસૂરિ, પ્ર. ૨. વિ. ગ્રંથમાળા) ચાંપાનેરમાં માં “ચંપાનેરિ નેમિજિર્ણોદ, મહાકાલી નેમિજિન દેવી સુખકંદ.કથન દ્વારા સૂચિત કર્યું છે કે
ચાંપાનેરમાં નેમિજિનેન્દ્ર (મૂલનાયકવાળું)-જિનમંદિર હતું અને મહાકાલી દેવીનું સ્થાનક હતું.
વિધિપક્ષ( અંચલગચ્છ)ના આચાર્ય વિદ્યાસાગરસૂરિના પટ્ટધર ઉદયસાગરસૂરિએ પાવાગઢની મહાકાલિકાની તથા સાચા દેવની યાત્રા વિ. સં. ૧૭૯૭ માં કરી હતી–એમ નિત્યલાભ કવિએ વિ. સં. ૧૭૯૮ માં રચેલા વિદ્યાસાગરસૂરિ– રાસ (એ. રાસસંગ્રહ ભા. ૩, ૫. વિ. ચં.) પરથી જણાય છે. પ્રસિદ્ધ કવિ પં. પદ્મવિજયજીએ વિ. સં. ૧૮૨૮માં રચેલા,
પોતાના ગુરુ ઉત્તમવિજયના નિર્વાણવિક્રમની ૧૯ રાસ(ઢાલ ૮–૯ જેન એ. રાસમાળા ભા. મી સદીમાં ૧ સં. મો. દ. દેશાઈ)માં સૂચવ્યું છે કે
ચાંપાનેરથી આવેલા કમલશાહ શેઠની વિનતિ પરથી પં. ઉત્તમવિજયજીએ વિ. સં. ૧૮૨૨નું ચોમાસું ચાંપાનેરમાં કર્યું હતું, અને ઉપધાન વિગેરે કિયા કરાવી હતી; જેને સ્વર્ગવાસ વિ. સં. ૧૮ર૭ માં થયો હતો.
મીરાતે સિકંદરી, મીરાતે અહમ્મદી તથા તબકાતિ અકબૂરી વિગેરે ગ્રંથોના આધારે લખાયેલ “હિટેરીકલ સ્કેચ ઑફ ધ હીલ ફેટ્સ ઑફ પાવાગઢ ઈન ગુજરાત' નામના મેજર જે. ડબલ્યુ. ટસનના મનનીય લેખ[ ઇડિયન્ એન્ટિકવેરી ૧૮૭૭ જાન્યુઆરીના વૈ. ૬. પ. ૧ થી ૯ માં પ્ર.)માં, પાવાગઢના ઉપરના કિલ્લામાં જૈનેનાં
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૬
ઘણું દેવાલયના અવશેષે હવાનું પણ સૂચન છે. ચાંપાનેર અને પાવાગઢને ભૌગોલિક આવશ્યક પરિચય, ઈ. એ. ૧૮૮૦ ના વ. ૯, પૃ. ૨૨૧ માં પ્રકટ થયેલ છે. જેમ્સ કેમ્પબેલ સાહેબના અંગ્રેજી ગેઝિટ્ટીઅર ગ્રંથના
સારરૂપે કવિ નર્મદાશંકરે મુંબઈ અર્વાચીન સરકારના હુકમથી તૈયાર કરેલ ગૂજરાત ઉલેખે સર્વસંગ્રહ( મુંબઈ ઇલાકાના સરકારી
કેળવણુ ખાતા તરફથી સન્ ૧૮૮૭ માં પ્રકટ થયેલ પૃ. ૪૬૫ થી ૪૬૮)માં ચાંપાનેરને પરિચય આપે છે. તેમાંથી સાર ભાગ નીચે દર્શાવવામાં આવે છે –
પાવાગઢની ઈશાન કેણ તરફ મલેક ઉપર, વડોદરાથી પૂર્વમાં પચીસેક મેલ ઉપર અને ગોધરાની દક્ષિણે ૪ર મેલ ઉપર ચાંપાનેર સૂચવેલ છે.
હાલમાં ત્યાં જ ભીલ તથા નાયકડા રહે છે. બાકી ઉજડ. આગળ નામાંકિત શહેર હતું. વનરાજના સમયમાં ચાંપા(વાણિયો કે કણબી)એ ચાંપાનેર વસાવ્યું. ૧૧માં સૈકામાં રામગોડ તુવાર પાવાપતિ હતા, પણ એ અણુહિલવાડ પાટણને મંડલેશ્વર હશે. ચાંપાનેર, અનહિલવાડ રાજ્યને પૂર્વ ભાગમાં જબરે કિલે ગણાતો હતો. અલાઉદ્દીને પાટણ પર આક્રમણ કર્યા પછી ચહાણ રજપૂ
૧ વિશ્વામિત્રી નદીનું ઉદ્દગમસ્થાન, વડોદરાથી ૨૮ માઈલ પૂર્વમાં, સમુદ્ર સપાટીથી ૨૮૦૦ ફીટ ઉંચો અગમ્ય દુર્ગ છે. ૩ કેશ ઉંચાઈમાં અને ૧૨ કોશ ઘેરાવામાં.
૨ ફાર્બસ સાહેબની રાસમાળા( ગૂ. ભા. પૃ. ૪૦)માં શુરવીર મહામાત્ય જબ વણિકને જ ચાપા તરીકે સૂચવેલ છે.
૩ વિ. સં. ૧૫૧૨ માં કવિ પદ્મનાભે રચેલા કાન્હડદે પ્રબંધ [ શ્રીયુત ડી. પી. દેરાસરી બેરીસ્ટર મહાશય દ્વારા સં. ખૂ. ૧.
Page #47
--------------------------------------------------------------------------
________________
તેના અધીનમાં હતું, તેઓએ ૧૪૮૪ માં ચાંપાનેર ખાયું; જેના વંશજે છોટાઉદેપુર અને દેવગઢ બારિયામાં રાજસત્તા ચલાવે છે.
હાલ પાસે નાની ઉમરવાનથી મળેલા લેખમાં ચાંપાનેરના ચોહાણ રાજાઓનાં નામ ૧ રામદેવથી ૧૧ ચુંબકભૂપ, ૧૨ ગંગરાજેશ્વર અને ૧૩ જયસિંગદેવ જણાવ્યાં છે. '
ઈશાનકેણ તરફના ઢળાવ પર, પાવાગઢના કિલા નીચે રજપૂત ચાંપાનેર હતું. ઈ. સન્ ૧૪૧૮ માં શહેરને ઘેરે. ખંડણી આપવી પડી હતી.
ઈ. સન્ ૧૪૫૦ માં બહુ સપડાયા હતા, તે પણ ડુંગરીને બળે ચાંપાનેરના રજપૂત પિતાની સ્વતંત્રતા અને મોટપ રાખી રહ્યા હતા. પડેશના રાજા અને ઈડરના રાવ સાથે લડાઈઓ થઈ હતી.
- ઈ. સન્ ૧૪૮૩ના દુકાળમાં મહમૂદ બેગઢાના સરદાર
કડી ૬૬ થી ૬૮ ] માં જણાવ્યું છે કે–અલાવદીન પાતશાહે ગૂજરાત પર આક્રમણ કરતાં, અન્ય મુખ્ય નગરે સાથે ચાંપાનેરને પણું ચાંપ્યું હતું “અલાવદીન પાતસાહ કેરી, તુ વરતાવી આણ. ૬૬
ભણું કટક ઉપડ્યાં અસાઉલિ, ગઢમાંહિ મેહસું થાણું; ગૂજરાત દેસ હીલેલ્યુ, અતિ કીધું તરકાણું. ૬૭. અસાઉલિ, ધૂલકું, ખંભાતિ, સૂરતિ નઈ નેર; બીજાં નગર કેતલાં કહીઈ, ચંપઈ ચાંપાનેર. ૬૮.”
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૮
મલિક આસદે ચાંપાનેરના મુલકમાં લૂંટ કરી હતી. રાવળ જેસિંગે તેને હરાવી મારી નાખ્યા હતા.૧
મહમૂદ બેગડાએ તેનું વેર લેવા વડાદરે ફીજ મેાકલી હતી. રાવળે માળવાના સુલતાન ગ્યાસુદ્દીનની મદદ માગી હતી. ૧ આ જયસિંહ પતાઇ રાવળ નામથી ઓળખાતા હતા, તેના અને મહમ્મદ બેગડાના સમયથી ચાંપાનેર અને પાવાગઢ મહુ પ્રસિદ્ધિમાં આવ્યું છે અને તે સબંધમાં અનેક દંતકથાઓ પ્રચલિત થઇ છે. ફ઼ાસ સાહેબની રાસમાળામાં તથા તેવાં ખીજા અનેક ઐ. પુસ્તકામાં એ સંબંધમાં કેટલુંક લખાયેલું મળી આવે છે.
મરાઠી ભાષામાં રચાયેલ · પાવાગઢચા પાવાડા ' સયાજી સાહિત્યમાલા [ પુ. ૯૪ ] માં ડેાદ્યાચે' મરાઠી સાહિત્ય [ પૃ. ૧૬ થી થી ૧૮ ] માં પ્રકટ થયેલ છે.
*
.
પ્રસિદ્ધ નવલકથાકાર રા. નારાયણ વ. ઠક્કરે રચેલ ‘ ભદ્રકાળી અથવા પાવાગઢને પ્રલય [ ગુજરાતી પત્રની ૧૯૬૮ ની ભેટ ] નવલકથા સાથે પરિશિષ્ટ પૃ. ૨૪૩ થી ૨૬૨ માં ચાંપાનેરના મિડચેરે। અને પાવાગઢ નામના રા. નટવરલાલ ઇ. દેશાઇ ખી.એ. એ લખેલા લેખ પ્રકટ થઇ ગયા છે.
શ્રીયુત રમણલાલ વ. દેશાઇએ રચેલ ‘ પાવાગઢ ’ બુક સયાજી ખાલજ્ઞાનમાલા[ પુ. ૭]માં પ્રકાશિત થયેલ છે.
રા. ધીરજલાલ ટા. શાહે ‘ પાવાગઢને પ્રવાસ ' પ્રકટ કરેલ છે. લે. જગજીવનદાસ દયાળજી મેાદીએ લખેલ વડાદરાના વૈભવ ( સયાજી બાલજ્ઞાનમાળા પુ. ૨૦)માં જણાવ્યું છે કે—
re
પાવાગઢના ડુંગર ઉપરનું (?) ચાંપાનેર શહેર ટૂટીને વડાદરા વસેલુ (?) હાવાથી વડેાદરાના ઘણા લેાકેા દરવર્ષે કાળકામાતાનાં દર્શન કરવા પાવાગઢ જાય છે. '' ત્યાં ‘ જતાં ખાર ને આવતાં અઢાર' કહેવત ટાંકી છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૯
મહમૂદ દોષદ આવ્યા કે માળવાના સુલતાન પાÈા સૂર્યાં હતા.
મહમૂદે ૧૪૮૪માં ચાંપાનેરમાં મસજીના પાયેા નાખ્યા હતા અને ત્યાંના કિલ્લા કબ્જે કર્યો હતા.
મુસલમાની ધર્મ ન સ્વીકારતાં, ઘાયલ થયેલા રાવળને મારી નાખ્યા હતા. મુસલમાન થનાર રાવળના પુત્રને ‘ નિઝામ ઉલ મુલ્ક ’ ખિતાબ આપી અમીર બનાવ્યા હતા. ચાંપાનેરને મહમૂદે મહમૂદાબાદ' નામ આપી રાજધાનીરૂપે બનાવ્યું હતું.
કિલ્લા, મસદ, મહેલા બંધાવ્યા. મકાના, બગીચાઓ, કુવારા ખારાસાનીના કીસખથી કરાવ્યા. અમીરા, વજીરાને મેલાષી વસાવ્યા. મકાના વિગેરેથી તે મનેાહર થયું હતું.
૧ ૧૪૯ માં સુલતાને ચાંપાનેરને મુલક ઉજડ વાળવા ાજ માકલી હતી. વાત્ર—કાંઠે ( અહમ્મદાબાદથી ૧૮ માઇલ ) મહમૂદાબાદ વસાવ્યું.
૧૪૮૪( ૩ )માં ગુજરાતમાં દુકાળ, ચાંપાનેરના મુલકમાં હુમલા. ચાંપાનેરના રાજાએ હુમલા કરનારને હરાવી, ઘણાં માણસાને કાપી એ હાથી તથા ધણા ધાડા રાજ્યમાં આણ્યા.
ચાંપાનેરના રાજાએ વકીલ મેાકલી માફી માગી. તેને અસ્વીકાર. ૨૦ માસ ઘેરા [ ૧૪૮૩ ના એપ્રિલથી ૧૪૮૪ ના ડિ. ]. યુકિતપ્રયુકિત, રાવળ અને રાજપૂતાનુ વીરતાભર્યું યુદ્ધ. દિવાન ડુંગરશી ધવાયા. રાજકુ વરને સૈઉમ્મુલ્કને હવાલે કરી મુસમાની ધમ ભણાવ્યા –
મુજફ્ફરશાહ ૧૫૨૩–૧પરછ દ્વારા ‘ નિઝામુમુલ્ક ’
—મિરાતે સિક ંદરી (ગા. હા. દેશાઇ. ગુજરાતનેા અર્વાચીન ઇતિહાસ).
Page #50
--------------------------------------------------------------------------
________________
કેરી, સુખડનાં ઝાડ, ઈમારતી કામનાં લાકડાં, ધારદાર તરવાર, ચક્યક્તિ રંગવાળું રેશમ અને વેપાર-ધંધા માટે ચાંપાનેર વખણાયું હતું. ગુજરાત અને માળવાના મૈત્રીસંબંધથી શહેરની આબાદાની વધી હતી. આફત વેળા ખજાને સંતાડવાને ડુંગરી કામની છે એવું સુલતાને વિચાર્યું.
ઈ. સન્ ૧૫૧૪ માં ચાંપાનેર પૂરી જાહોજલાલીમાં હતું. ધાન્ય–ફલ–પાક, પશુ-ધન વિગેરેથી સમૃદ્ધ હતું. શિકારી જગ્યાઓ પણ હતી.
૧૫૩૬ માં બહાદુરશાહ મૃત્યુ પામતાં સુધી ચાંપાનેર, ગુજરાતનું રાજકીય રાજધામ હતું. તે પછી પાછી અમદાવાદ રાજધાની. ગુજરાતનું માળવા પરથી ઉપરીપણું ગયું કે ચાંપાનેરને વેપાર તૂટ્યો.
ઈ. સન્ ૧૫૫૪ પછી ર૦ વર્ષના બખેડામાં ગુજરાતને તેમ ચાંપાનેરને ખૂબ ખમવું પડયું.
અકમ્બરે ૧૫૭૩ થી ૧૬૦૫ માં ગૂજરાતમાં વ્યવસ્થા કરી, પણ ચાંપાનેરની આબાદાની ન થઈ.
૧૭મા સૈકાની શરૂઆતમાં ત્યાંની હવા શરીરને નબળું બનાવે તેવી અને પાણું ઝેર જેવું થયું. શહેર ઘણું દુદર્શામાં હતું.'
૧ ઈ. સન ૧૭૨૮(વિ. સં. ૧૭૮૪)માં કંતાજીના પુત્ર કૃષ્ણજી(મરાઠા)એ એકાએક હલે કરી ચાંપાનેરને કિલ્લો લીધો હતા, અને તેમના કારભારીઓ ખંડણીને હિસ્સા ઉઘરાવવા ગુજરાતમાં રહેવા લાગ્યા હતા.
ચીમનાજીરાવે ચાંપાનેર પાસેને પ્રદેશ લુંટ્યો હતો.
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૧
૧૮૦૩માં બ્રિટીશ લીધું ત્યારે ત્યાં માત્ર ૫૦૦ માણસની વસ્તી હતી. ફાજનું આગમન જાણું ઘણું વસ્તી ભાગી ગઈ હતી. અશક્ત, રેગી વિગેરે રહી ગયા હતા.'
૧૮૧રમાં ૪૦૦ ઘર હતાં, જેમાંનાં અર્ધા બહારથી આવી વસેલાં હતાં.
૧૮૨૯માં રેશમી કાપડના વણકરમાં કેલેરાથી ઘટાડે થયો હતો.
મુસભાની રાજ્યકાળમાં થયેલી મસજદે, ૧૫૩૬ ની સિકંદરશાહ વિ. ની કબરે, મીનારા, કૂવા, તળાવે, મહેલે અને જહાંપનાહકેટ, ફારસી લેખ વિ.નાં નિશાને તથા મહમૂદશાહના બેટા મુઝફરશાહનું નામ વિ. જણાય છે.
રસ્તાની દક્ષિણ ડુંગરીની તળેટી પાસે ઘરના ભાંગા તુટા પાયા ને થોડાંક જૈન દેહરાં છે, તે રજપૂત ચાંપાનેરની જગા બતાવે છે.” [. ૪૬૮]
બ્રિટીશ સામ્રાજ્યમાં.
૧૮૫૩ ના જુલાઈની ૩૧મીએ બ્રિટીશ સરકારની વ્યવસ્થા તળે આવ્યું, ત્યારે તે ઘણું ખરૂં ઉજઠ હતું. વસતિને એક ભાગ જ રહ્યો હતો. જંગલ પાવવા અને ખેડૂતે
૧ ઈ. સન ૧૮૦૩ ના એં. સ. માં પાવાગઢ બ્રિ. અંગ્રેજના તાબામાં ગયું હતું. ડિ. માં સરજેઅંજન ગામમાં કેલકરાર થયા તેની રૂએ પાવાગઢ અને દેહદ સિંધિયાને પાછાં આપવામાં આવ્યાં હતાં. ( ગૂ. સ. સં. પૃ. ૩૭૦ )
Page #52
--------------------------------------------------------------------------
________________
૪ર
વસવા આવે તેવું કરવા રૂા. ૧૨૫૯ ખયા પણ નવી વસ્તી થઈ નહિં. ત્રણ ભાગ મરી ગયા ને એક ભાગ ભાગી ગયે. પોલીસના સીપાઈઓ સિવાય ત્યાંના રઈશમાં ગરીબ ને રેગી એવાં કેળી નાયકડાનાં જ કુટુંબ છે.”
ઉપર જણાવેલી વિષમ પરિસ્થિતિમાં ચાંપાનેર-પાવાગઢની ભૂમિને છેલ્લી સલામ કરતા વે. જેન સમાજે અસ્પૃદયવાળા અન્યાન્ય સ્થાન તરફ પ્રયાણ કરતાં પિતાના પૂજ્ય દેવેની કેટલીક મૂર્તિયોને પણ સાથે લીધી અને નિર્ભય સ્થાનમાં પધરાવી. એથી ખાલી પડેલા એ સ્થાન પર અવસર સાધી અન્ય સમાજે અધિકાર જમાવ્ય.વે. જેનસમાજની અગ્ર
ઈ. સન ૧૮૩૬માં ગોધરાના નાયકડા વિગેરેએ તોફાન કર્યું હતું. પંચમહાલ સિધિયાને તાબે હતો, પહાડી મુલક ઉપર ગવાલિયરથી રાજ્ય ચલાવવું મુશ્કેલ લાગ્યાથી ઈ. સન ૧૮૫૩ માં પંચમહાલને વહીવટ ૧૦ વર્ષ માટે સિંધિયાએ અંગ્રેજ સરકારને સે..
ઈ. સન ૧૮૫૭ના બળવા વખતે પંચમહાલના મુસલમાન તથા જમીનદારેએ દેહદને ઘેરે ઘાલ્યો હતો.
ઈ. સન ૧૮૫૯ માં તાતિયા ટોપી પંચમહાલમાં આવેલ હતો.
ઈ. સન ૧૮૬૧ માં પંચમહાલને બદલે ગ્વાલિયર પાસેને પ્રદેશ લઈ સિંધિયાએ તે અંગ્રેજ સરકારને આપી દીધે.
ઈ. સન ૧૮૬૮ માં પંચમહાલમાં બખેડા થયા હતા. જેરીઆ નાયકે ચમત્કાર બતાવ્યો હતો.
–ગુજરાતને અર્વાચીન ઈતિહાસ (ગો. હ. દેસાઈ) બાબૂ સાધુચરણપ્રસાદના હિંદી ભારતભ્રમણ [ નં. ૪, પૃ. ૩૮૮–૯ ક. ૧૯૬૯ ]માં જણાવ્યું છે કે
Page #53
--------------------------------------------------------------------------
________________
ગણ્ય સંસ્થાઓ અને તેના આગેવાને પિતાના પૂર્વજોના કીર્તિમય સ્મારકને પિતાના અધિકારમાં રાખી સંભાળવામાં બેદરકાર રહ્યા ! અથવા અસમર્થ-નિષ્ફળ નીવડ્યા! તેને ઈતિહાસ અપ્રકટ છે, છતાં વિચારવા યોગ્ય છે. - ઈ. સન ૧૮૮૫ વિ. સં. ૧૯૪૧ માં પ્રકટ થયેલ રિ. લિ. એફ. એ. રિ. પી. બેએ પ્રેસીડેસી . ૮, ૯૭]માં ડૉ. જે. બર્જેસે ઈડિયન એન્ટિવેરી હૈ. ૬, ૫. ૧ તથા વૈ. ૯, ૫. ૨૨૧ના સૂચન સાથે પંચમહાલને પરિચય કરાવતાં એ આશયની સાંકેતિક ગુઢ નોંધ કરી છે કે
પાવાગઢના શિખર પર રહેલા કાલિકા માતાના મંદિર નીચેના ભાગમાં અતિ પ્રાચીન જૈન મંદિરોને જથ્થો છે કે જેને પુનરુદાર, થોડા સુધારા-વધારા સાથે હાલમાં તે મંદિરને કાજે જે જૈને કરી રહ્યા છે, તેમના તરફથી થોડા વખત પહેલાં જ કરાવવામાં આવેલ છે. જે
૧૫૩૫માં દિલ્હીના હુમાયુએ ચાંપાનેર લૂંટયું હતું. (કબજે કર્યું હતું. અકબરનામા, ગૂ. સ. સં. )
૧૫૩૬ માં અમદાવાદ, ગુજરાતની રાજધાની થયું. ૧૮૫૩ માં અંગ્રેજી પ્રબંધ.
૧૮૬૧ માં સિંધિયાએ અંગ્રેજી રાજ્ય પાસેથી ઝાંસીની પાસેની ભૂમિ લઈ પંચમહાલ તેમને આપી દીધું. ૧૮૭૭ (વિ. સં. ૧૯૩૩)માં પંચમહાલ જૂદ જિલ્લો રેવાકાંઠા પિ. એ. ને આધીન થયો.”
q • At the top the sbrine of Kâlikâ Mâtâ
Page #54
--------------------------------------------------------------------------
________________
દિ. જેને ડાઈરેકટરીના સે. ઠા. ભ. ઝવેરી દ્વારા મુંબઈ
વેંકટેશ્વર સ્ટીમ પ્રેસમાં છપાઈ વિ. સં. વિક્રમની ર૦ મી ૧૭૦ માં પ્રકટ થયેલ ભા. દિગંબર જૈન
સદીમાં યાત્રાદર્પણ હિંદી(પૃ. ૨૭૮ થી ૨૮૦) દિ. જૈનેને પ્રવેશ માં પાવાગઢ( સિદ્ધક્ષેત્ર)ને પરિચય, પ્રાચીનતા બતાવવા ગાથા ટાંકી આપે છે.
તે પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે વિ. સં. ૧૪૪ માં માહ શુ. ૮ ચાંપાનેર ગામમાં જૈનમંદિર( દિ.)ની પ્રતિષ્ઠા થઈ. ધર્મશાલા વિગેરે બન્યું. વિ. સં. ૧૮(૨૯)૩૮ થી, માહ શુ. ૧૩ થી ૩ દિવસ સુધી મેળો ભરાવા લાગે. પાવાગઢ ચડતાં ૬ ઠા દરવાજાની બહાર ભીંતમાં દિ. (?) જેનપ્રતિમા
and a small group of Jain temples just below it, of considerable age, but recently renewed and modified by the Jain who are re-occupying them.” ( Ind. Ant. Vol. I; VI IX, 221 )
(Revised Lists of Antiquarian Remains in the Bombay Presidency VIII, 1885. p. 98 by J. Butgess).
१ “ रामसुवा वेण्णि जणा लाडणरिंदाण पंच कोडीओ ।
પાવાવરો વ્યાચા નો તેહિં ”
બમ્બઈ પ્રાન્તકે પ્રાચીન જૈન સ્મારક ૧૯૮૨ માં પ્ર. પૃ. ૧૪]માં છે. શીતલપ્રસાદજીએ આ ગાથાને નિર્વાણકાંડ નામના કેાઈ પ્રાકૃત આગમની સૂચવી છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
પદ્માસન ના ફીટ ઉંચી ઉમેરેલી સૂચવી તેના પર લખેલ સં. ૧૧૩૪ જણાવ્યા છે.
નગારખાના દરવાજાથી દિ. () જેનેનાં લાખો રૂા. ની લાગતવાળાં પાંચ મંદિર જણાવી તેમાં દિ. (?) જૈન પ્રતિમાઓ અને સુંદર નકશી કામે દીવાલમાં ઉકેરેલાં જણાવ્યાં છે. પરંતુ તે જીર્ણાવસ્થામાં અને અંદર પ્રતિમાઓ ન હોવાનું જણાવ્યું છે.
છાશિયા તળાવ પાસેના ૩ મંદિરે વિના પ્રતિબિંબનાં જીર્ણ પડ્યાં જણાવ્યાં છે. તેમાંનું ૧ મંદિર શિખરબંધ બિલકુલ તૈયાર, માત્ર એક તરફની થોડી દિવાલ પડેલી જણાવી છે.
દૂધિયા તળાવ ઉપર બે પ્રાચીન જીર્ણ મંદિર જણાવી તેમાંના એકનો ઉદ્ધાર સં. ૧૯૭ માં થયે જણાવે છે. તેમાં રહેલી રમણીય ૧૦ પ્રતિમામાંથી ૬ પ્રતિમાઓ પર એ જ સંવત્ કનકકીર્તિ નામ સાથે લખેલ જણાવ્યું છે. ૧ પર રામકીર્તિ, અન્ય પ્રતિમાઓ પર ૧૫૪૮, તથા ૧૬૪૬, ૧૯૬૫ વાદિભૂષણ, ૧૯૬૯ સુમતિકીર્તિ નામ જણાવ્યું છે.
આગળ સીડિની બંને તરફ ૮ દિ. () જેની પ્રતિમા જણાવી પછી ઉપર કાલકા દેવીનું મંદિર જણાવ્યું છે.
એ સીડિયથી એક તરફ થોડું ચાલતાં પહાડની ટોચ પર રામચંદ્રજીના સુપુત્ર લવ અને અંકુશ બં. પ્રાં. સ્મા. માં કુશ નું નિર્વાણ સ્થાન, તેને સાક્ષાત્ મોક્ષમહલ અને એ પહાડ પરથી ૫ કેટિ મુનિ [ઉપર ટકેલી ગાથામાં જણાવેલ] મુક્તિ પધાર્યા!! જણાવે છે.”
Page #56
--------------------------------------------------------------------------
________________
૪૬
સાર, ગુજરાત, મારવાડ( રાજપૂતાના ), માળવા, મેવાડ અને દિલ્લી જેવા વિસ્તૃત દેશેાનાં મહારાજ્ગ્યાની સ્થાપના, વૃદ્ધિ અને ઉન્નતિ–પ્રગતિ કરવામાં વર્ષો પર્યન્ત
ઉપસ હાર
ઉચ્ચ રાજ્યાધિકારીરૂપે તથા અન્યાન્ય પ્રકારે કિંમતી ફાળ આપનાર, ચાવડા, સાલકી અને ચૈાહાણ જેવા રજપૂત રાજવંશેાને જ નહિ; મુસલમાન, મેાગલ પાતશાહેાને અને છેવટે બ્રિટીશ સામ્રાજ્યના સૂત્રધારાને પણ ઉચ્ચ પ્રકારની સહાયતા—સેવા સમર્પનારા સગૃહસ્થેાથી; તથા ધર્મ અને નીતિના પવિત્ર માગે પ્રેરનારા પ્રભાવશાલી, સદ્ગુણી સચ્ચ રિત્ર વિદ્વાન્ ધર્મોપદેશક ગુરુઓથી ગારવશાલી થયેલ વે. જૈનસમાજ, વસ્તુપાલ, તેજપાલ જેવા પેાતાના પૂર્વજોના વિજય–સ્મારકાના ભૂલાઈ ગયેલા પ્રામાણિક ઇતિહાસને વાંચે, વિચારે, સમજે. તેણે પ્રમાદથી, ભયથી, બેદરકારીથી અથવા અન્યાન્ય કારણેાથી કેટલું ગુમાવ્યું ? કઇ રીતે ગુમાવ્યું ? ક્ષુદ્ર આંતર કલહેાથી, અને પ્રમાદાથી થયેલી તેની નિમ લતાના લાભ લઈ ખીજાઓએ ક્રમશ: કેવી યુક્તિ પ્રયુક્તિથી આક્રમણેા કર્યો? એ ગંભીર ઇતિહાસને સમજવા શક્તિમાનૢ થાય, સાવધાન થાય અને જાગૃત થઇ પાતાના પૂર્વજોના સદ્ગુણ્ણાને અને ગૈારવભર્યા સ્મારકોને સંરક્ષવા તત્પરતા દર્શાવે; તે આ પરિશ્રમ સલ થયેા માનીશું.
લા. ભ. ગાંધી.
Page #57
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના વીર મંત્રી
તેજપાલનો વિજય.
[ લે. ૫'. લાલચ', ભ. ગાંધી, પ્રાચ્યવિદ્યામંદિર, વડાદરા, ]
મંગલમય આનંદ–પ્રસંગ ઉપસ્થિત થયા છે કે દીર્ઘાયુ: શ્રીજૈનધર્મ પ્રકાશની ૫૦ વષૅની સેવાના સ્મારક તરીકે સુવર્ણ – મહાત્સવ-સમિતિ દ્વારા સુવર્ણ –વિશેષાંકની ચેાજના કરવામાં આવી છે. તેમના આમંત્રણને માન આપી અમ્હારે પણ યથાશક્તિ નૈવેદ્ય ધરવું જોઇએ-એમ વિચારી યથામતિ કંઇક લખવા પ્રવૃત્ત થતાં ગુજરાતના પ્રતિષ્ઠિત પવિત્ર ઉત્તમ પુરુષાનાપ્રાચીન જૈન મંત્રીશ્વરાના ઉજજવલ કારકિર્દી ભર્યા સુવણૅ મય ઇતિહાસ દૃષ્ટિ-સમક્ષ ઉપસ્થિત થાય છે; ત્યારે બીજી તરફથી કેટલાંક વર્ષોથી ગુજરાતના કેટલાક સાક્ષરોએ સં. પ્રા. એ. આધારભૂત મૂલ ગ્રંથના અજ્ઞાનથી અથવા ધમ ભેદ, વર્ણ ભેદ જેવા ગમે તે આંતિરક કારણે, જાણતાં કે અજાણતાં અસંબદ્ધ અને અસંભિવત કલ્પના કરી તે મહાપુરુષાને કલંકિત અધમ દર્શાવવા કરેલે બુદ્ધિના વિચિત્ર અનુચિત ઉપયોગ નજરે ચડે છે. ગુજરાતનુ ગારવ દર્શાવવાની ઘેાષણા કરતા, ગુજરાતને સાંસ્કારિક વ્યક્તિ તરીકે સમજાવવા મહાપ્રયત્ન કરતા, ગુજરાતના નામાંકિત નવલકથાકારે ગુજરાતની વિશિષ્ટ વિભૂતિયાને મનસ્વી કલ્પનાઓથી અલિટત રૂપમાં રજી કરી, પેાતાની શક્તિને અવળે માર્ગે ઉતારી ગુજરાતના
Page #58
--------------------------------------------------------------------------
________________
( ૨ ) સાક્ષર–સમાજને શરમાવ્યું છે. કલા અને રસિકતાના મન માન્યા પિષણને નામે સાચા ઈતિહાસને છુપાવી વિપરીત વિધાન કરતાં ભીંત નહિ પણ પાયે જ ભૂલેલા એ સાક્ષરે ને-નવલકથાકારેને ઈતિહાસનું કેવું જ્ઞાન છે? અથવા સાચા ઈતિહાસ પ્રત્યે કેટલો પ્રેમ છે? યા ગુજરાત પ્રત્યે કેટલું માન છે ? સાચી ગુણગ્રાહતા અને કૃતજ્ઞતા કેટલા અંશમાં છે? અથવા ગુણેમાં દોષ આવિષ્કરણ કરવારૂપ અસૂયા–અસહિષ્ણુતા કેટલી હદે પહોંચી છે ? તે જન–સમાજ આગળ પ્રકટ કર્યું છે. એથી પણ સંતોષ ન થતાં વિદ્યાર્થિસમાજમાં–ગુજરાતની ઉછરતી યુવકપ્રજામાં એ કુસંસ્કારરૂપી વિષ પ્રસરાવવા થયેલા પ્રયત્ન પણ જાણીતા છે. “જતિ કે જમત” જેવાં કલ્પિત પ્રકરણોદ્વારા અને કલ્પિત પાત્રસંબંધદ્વારા વિલક્ષણ પ્રકારે જૈન-ધર્મને અને સમાજને નિન્દ, તિરસ્કારપાત્ર, ધિક્કારવા એગ્ય ધૃણિતરૂપમાં દર્શાવતાં તેમના સ્વૈરવિહારી મુત્સદી મગજને શાંતિ નથી વળી. સુપ્રસિદ્ધ હેમચંદ્રાચાર્ય તરફ ચાપલ કરવાથી, કે ગુજરાતની રાજમાતા પવિત્ર સતી મયણલ્લાને તરંગી કલ્પનાઓથી વિચિત્ર અગ્ય પ્રેમ–સંબંધવાળી દર્શાવવાથી જ સંતોષ નથી થ. મહામાત્ય મુંજાલ, મંત્રીશ્વર ઉદયન, વાડ્મટ, આમ્રભટ અને સાંતૂ, સજજન જેવા માનનીય, ઈતિહાસપ્રસિદ્ધ ગુજરાતના યશ:શેષવિદેહી વિશિષ્ટ અધિકારીઓને, શ્રાવક વણિકૂ જૈન સમાજને નીચે દર્શાવવા, કરી શકાય તેટલે વચન–બાણ–પ્રયોગ કરી તુચ્છકારતાં કે અધમ સૂચવતાં ભાગ્યે જ સંકેચ થયે જણાય છે. ઘનશ્યામ અથવા રા. ક. મા. મુનશીની નવલકથાઓ (પાટણની પ્રભુતા, ગુજરાતને નાથ, રાજાધિરાજ વિ.) વાંચનારાઓ
Page #59
--------------------------------------------------------------------------
________________
( ૩ ) જોઈ શકે છે કે બીજાઓ પર ધર્મન્ઝનુનનો મિથ્યા આરોપ મૂકનારા લેખકે સ્વયમેવ કેટલો બધો ઉત્કટ ધર્મ–પ્રેમ ઝનૂન) કેળવ્યું છે? ઈતિહાસની અગમ્ય ફિલસૂફી ઉચ્ચારતા અપૂર્વ ઇતિહાસવેત્તાએ કેટલી બધી ન્યાયવૃત્તિ દર્શાવી છે! કેટલું બધું માધ્યચ્ચ જાળવ્યું છે? કેટલી સત્ય-પ્રિયતા સૂચિત કરી છે? એમ કરતાં સ્વદેશ–પ્રેમ કે સ્વદેશ–દ્રોહ દર્શાવ્યો છે? એ એતિહાસિક નામે ઓળખાતી ઈતિહાસ–વિનાશક નવલકથાઓ વાંચનારા અને સાચા ઈતિહાસને તુલનાત્મક બુદ્ધિથી જાણનારા જ સમજી શકે તેમ છે. જેન–સમાજ અને ધર્મ તરફ ભ્રમ વા અજ્ઞાન ફેલાવનારાઓ સામે જૈનધર્મપ્રકાશે સાચો પ્રકાશ આપવા અધી સદીમાં કેટલે અંશે પ્રયત્ન કર્યો છે? અથવા હવે તે પોતાની પ્રઢ અવસ્થામાં તેવો પ્રયત્ન કરી પોતાના નામને સાર્થક કરી કેવી રીતે દીપાવશે? અથવા જન–સમાજને સાચે પ્રકાશ આપવામાં તે કેટલે અંશે સફળ થશે–તે જોવાનું રહે છે.
ઉપર્યુક્ત મંત્રીશ્વરેના સંબંધમાં આ લેખકે “ગૂર્જશ્વરના મંત્રીશ્વરે” નામના નિબંધમાં એતિહાસિક દ્રષ્ટિએ સ્વપ પ્રયત્ન કરેલ હોવાથી અહિં માત્ર પિરવાડ વણિ સુપ્રસિદ્ધ જૈન મંત્રીશ્વર વસ્તુપાલના અનુજ સહોદર ક્ષાત્રતેજ ધરનાર તિર્ધર વીર મંત્રી તેજપાલની એક તેજસ્વી ઐતિહાસિક વિજ્ય-કથા રજુ કરવા ઈચ્છા છે. જે પરથી “વનરાજ ચાવડે” જેવી નવલકથામાં “શૂરવીર અને શ્રાવક” જેવાં પ્રકરણે દ્વારા શ્રાવક જેન–સમાજ તરફ કરાયેલે નિંદ્ય આક્ષેપ કેટલે અનુચિત અને અસ્થાને હતો એ પણ સમજી શકાશે. | વિક્રમની તેરમી સદીના છેલ્લા ચરણમાં–વિ. સં.
Page #60
--------------------------------------------------------------------------
________________
( ૪ )
૧ર૭૬થી ૧૨૯૬ સુધી મંત્રીશ્વર વસ્તુપાલની તથા વિ. સં. ૧૩૦૪ સુધી તેના લઘુબંધુ તેજપાલની અસાધારણ સેવાનુ સદ્દભાગ્ય ગુજરાતને મળ્યું હતું. એ મંત્રીશ્વરાના સુપુત્રા જયંતસિંહ અને લાવણ્યસિંહ વિગેરેની સેવા પણ તેમાં સંમિશ્રિત થયેલી હતી. ગુજરાતના એ સપૂત વફાદાર બહાદૂર અને દાનવીર ધનિષ્ઠ મંત્રીશ્વરાના સદ્ગુણભર્યા સત્ક વ્યમય ઇતિહાસને—સાચા સપૂર્ણ જીવન-ચરિત્રને આલેખવું એ એક અસાધારણ કાર્ય છે. એમનાં જીવનનુ કંઇક દિગદર્શીન એમના સમકાલીન અને નિકટવતી અનેક કવીશ્વરાએ વિશ્વસનીયરૂપમાં સ. અને પ્રા.માં તથા પ્રા. ગુ. માં, ગદ્યમાં અને પદ્યમાં ગ્રથિત કરેલુંછે; જે અનેક ગ્રંથામાં, પ્રશસ્તિયેામાં અને શિલાલેખામાં સદ્ભાગ્યે હાલ પણ ઉપલબ્ધ થાય છે. તેને સુવ્યવસ્થિત, સુસંકલિત, સુસબદ્ધ કરવામાં સુપ્રતિભા સાથે વિશિષ્ટ પરિશ્રમ અને અવકાશ જોઈએ. આ લેખકે આઠેક વર્ષ ઉપર ‘વીરમંત્રી વસ્તુપાલના ધર્મ પ્રેમ ’ ( જૈન ૧૯૨૬ મે )માં તથા ‘સિદ્ધરાજ અને જેના ’ ( જૈન ૧૯૨૭ મે) નામના લેખમાં પ્રસંગવશાત્ ઉપર્યુક્ત મંત્રીશ્વર વસ્તુપાલ સ ંબંધમાં તથા તેમની કીર્તિ વિસ્તારનારા કવિઓની કૃતિચેાની નામાવલી તરફ અંગુલિ-નિર્દેશ કર્યા હતા. અહીં માત્ર તેજપાલની એક શૈાર્ય કથા દર્શાવવા પૂરતા પ્રયત્ન છે. મંત્રીશ્વરનાં સ્મારકા.
*
ગિરનારમાં
મંત્રીશ્વર તેજપાલે કેટલાંક ચિરસ્થાયી વિશિષ્ટ સ્મારકે કરાવ્યાં હતાં તેમાંનાં કેટલાંક અદ્યાપિ વિદ્યમાન પણ છે. મુખ્ય આ પ્રમાણે જાણવામાં આવ્યાં છે તેણે ગિરનારની
Page #61
--------------------------------------------------------------------------
________________
( ૫ ) નીચે પિતાના નામે તેજલપુર કરાવ્યું હતું. જ્યાં ગઢ, મઠો, પરબ, મનહર ઘરે અને આરામે(બગીચા)ની શ્રેષ્ઠ રચના કરાવવામાં આવી હતી. તે જ નગરમાં પિતાના પિતાના સ્મારક તરીકે “આસરાજ-વિહાર” એવા નામથી, સુશોભિત પાર્શ્વજિન–મંદિર કરાવ્યું હતું, તથા પિતાની માતાના નામથી વિસ્તૃત કુમર–સરોવર કરાવ્યું હતું. તથા ગિરનાર પર નમીશ્વરનાં ત્રણ કલ્યાણકાને સૂચવતું ઘણું ઉંચું જિનભુવન રચાવ્યું હતું.-એમ એ મંત્રીશ્વરેના સમકાલીન તથા તેમના સ્મારક ધર્મસ્થાનને વિ. સં. ૧૨૮૭ થી ૧૨૦ લગભગમાં પ્રતિષ્ઠિત કરનારા ધર્મગુરુ વિજયસેનસૂરિએ રેવંતગિરિ–રાસ(ગા. એ. સિ. પ્રાચીન ગુર્જરકાવ્યસંગ્રહ ભા. ૧, કડવું ૧, કડી ૯, ૧૦ તથા કડવું ૨જું કડી ૧૭)માં તથા બાલચંદ્રસૂરિએ વસંતવિલાસ મહાકાવ્ય [ ગા. એ. સિ. સર્ગ ૧૨, સે. ૪૮ થી ૫૦] માં જણાવ્યું છે. જિનપ્રભસૂરિ વિગેરેએ તીર્થકલ્પ(રૈવતકલ્પ) વિગેરેમાં પણ ઉપર્યુક્ત ઘટનાએનું સૂચન કર્યું છે. વિજયસેનસૂરિશિષ્ય ઉદયપ્રભસૂરિ વિગેરેએ ધર્માલ્યુદય મહાકાવ્ય (સંઘપતિ–ચરિત) વિગેરેમાં સૂચવ્યા પ્રમાણે તે મંત્રીએ ત્યાં તપસ્વી જટાધરને ગામનું શાસન-દાન અપાવી વસ્ત્રાપથના માર્ગને તથા સંઘને સંતાપરહિત કર્યો હતે. શત્રુંજય પર કરાવેલ નંદીશ્વર તીર્થની રચના અને ત્યાં
પિતાની પત્ની અનુપમાના સ્મારક તરીકે શત્રુંજયમાં શિલાબદ્ધ કરાવેલા સ્વચ્છ મિષ્ટ જલ
પૂર્ણ “અનુપમ સરેવર ને ઉલ્લેખ તેના સમકાલીન ઉપર્યુક્ત ઉદયપ્રભસૂરિ વિગેરે કવિઓએ કર્યો છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
મંત્રીશ્વર તેજપાલે પિતાની પત્ની અનુપમા અને પુત્ર
લાવણ્યસિંહ(લુણસીહ )ના પુણ્યાર્થ આબુમાં વિ. સં. ૧૨૮૭ માં આબ ઉપર પ્રતિ
ષ્ઠિત કરાવેલ “લૂણસીહ–વસહી” નામનું અપૂર્વ મનોહર શિલ્પકલાવાળું સ્મારક જગ–પ્રસિદ્ધ છે. તેમના સમકાલીન કવિ જયસિંહસૂરિએ વિ. સં. ૧૨૮૬ લગભગમાં રચેલા હમ્મીર–મદમર્દન નામના સં. પ્રા. નાટક (ગા. એ. સિ. પ્રકાશિત)માં સૂચિત કર્યું છે કે-ઉપર્યુક્ત મંત્રીશ્વરના ગુજરાતની અનુપમ સેવાના અપૂર્વ અવસરમાં એ લાવણ્યસિહે પણ અમૂલ્ય સહાયતા કરી હતી. મહારાણા વીસલદેવના સમયમાં ભૃગુકચ્છ(ભરૂચ)માં વિ. સં. ૧૨૯૮ માં પંચકુલના અધિકારમાં એ લૂણસીહનું પ્રાધાન્ય હતુંએમ એ સમયમાં લખાયેલ દેશીનામમાલાના ઉપલબ્ધ તાડપત્રી પુસ્તક પરથી જણાય છે. [ જુઓ ગા. એ. સિ. પાટણ ભંગ કર્યો. વ. ૧, પૃ. ૬૯]. તે ભરૂચના શકુનિકા-વિહાર-મુનિસુવ્રત–જિનમંદિરની
૨૫ દેવકુલિકાઓને પણ ઉપર્યુક્ત જયસિભરૂચમાં હસૂરિના ઉપદેશથી મંત્રીશ્વર તેજપાલે
સુવર્ણદંડેથી વિભૂષિત કરી, મંત્રીશ્વર ઉદયનના સુપુત્ર અંબાની કીર્તિને વિશેષ ઉજવલ કરી હતી, એમ એજ જયસિંહસૂરિકવિએ પ્રશસ્તિદ્વારા પ્રકાશિત કર્યું છે.
મંત્રીશ્વર વસ્તુપાલ સાથે તેજપાલનાં પણ વાસ્તવિક કીર્તિ-કવને અનેક કવીશ્વરેએ ઉચ્ચાર્યા છે. આબુ, ગિરનાર જેવા અત્યચ્ચ પવિત્ર સ્થાનમાં કરાવેલ રમણીય મનહર ચિરસ્થાયી સ્મારકામાં શિલાલેખરૂપે અને અનેક ગ્રંથરત્નમાં
Page #63
--------------------------------------------------------------------------
________________
( ૭ ) એ પ્રશસ્તિયે ઉપલબ્ધ થાય છે. જે સર્વનું ઉદ્ધારણ અહિં અશક્ય છે. વિ. સં. ૧૨૯૯માં મંત્રીશ્વર વસ્તુપાલના સ્વર્ગવાસ થયા પછી પણ, વિ. સં. ૧૩૦૩ માં અણહિલપાટક (પાટણ)માં, મહારાજા વીસલદેવના રાજ્યસમયમાં, મહામાત્ય તેજપાલના અધિકાર વખતે લખાયેલું આચારાંગસૂત્ર–વૃત્તિવાળું તાડપત્ર પુસ્તક ખંભાતમાં ઉપલબ્ધ થાય છે [પીટર્સન રિ. ૧, પૃ. ૪૦ ]. જે પછીના વર્ષમાં વિ. સં. ૧૩૦૪ માં એ મંત્રીશ્વર તેજપાલ દિવંગત થયાને દુઃખદ ઉલ્લેખ મળે છે. ધોળકા (ગુજરાત)ને મહારાણા વીરધવલના પ્રીતિ
પાત્ર એ વીર મંત્રીશ્વર તેજપાલે ગધ્રાના ઐતિહાસિક અભિમાની રાજા ઘૂઘુલ પર આક્રમણ ઘટના-નિર્દેશક કરી વીરતાપૂર્વક વિજય મેળવ્યું હતું.
એ પ્રસંગ અહિં સૂચવવાનો છે. આ ઐતિહાસિક ઘટનાને સંક્ષેપ–વિસ્તારથી પ્રાચીન બે વિદ્વાનેએ પિતાના ગ્રંથમાં જણાવી છે. હમ્મીર જેવા સ્વેચ્છ વીરેને પણ હંફાવી તેના મદનું મર્દન કરવામાં પણ સફળ અમૂલ્ય સેવા અર્પનારા પ્રતાપી મુત્સદ્દી એ મંત્રીશ્વરને ઝળહળતી કારકિદીવાળો સુસમય વીત્યા પછી પચાસેક વર્ષોમાં દીવા પાછળ અંધારું હોય તેમ ગુજરાત, મુસભાની આક્રમણ અને આધિપત્યમાં મૂકાયે; તે સમયમાં વિદ્યમાન, વિ. સં. ૧૩૮૭ માં પ્રાકૃત દ્વયાશ્રયવૃત્તિ રચનાર તથા રત્નાકરાવતારિકાપંજિકા, ન્યાયકંદલીપંજિકા, ચતુરભીતિપ્રબંધ ( વિનેદકથા-સંગ્રહ–આંતરકથા-સંગ્રહ ), ષદ્દનસમુચય, નેમિનાથ ફાગ વિગેરે રચના કરનાર, વિ. સં. ૧૮૦૧ માં
Page #64
--------------------------------------------------------------------------
________________
( ૮ ) મેરૂતુંગસૂરિના સ્તંભનંદ્ર-પ્રબંધને શુદ્ધ કરનાર રાજશેખરસૂરિએ વિ. સં. ૧૪૦૫માં દિલ્લીમાં રચેલ પ્રબંધકેષચતુર્વિશતિપ્રબંધન વસ્તુપાલપ્રબંધ )માં ઉપર્યુક્ત ઘટના– પ્રસંગ સં. ગદ્યમાં સંક્ષેપમાં સૂચવ્યું છે; પરંતુ પં. જિનહર્ષગણિએ વિ. સં. ૧૪૭ માં ચિત્રકૂટપુર(ચિત્તોડ)માં રચેલા સં. પદ્યમય હર્ષોક કાવ્ય વસ્તુપાલ-ચરિત્રમાં વિસ્તારથી આ ઐતિહાસિક પ્રસંગ દર્શાવ્યા છે. સાથે ગધ્રા, પાવાગઢ, વડોદરા, ડઈ વિગેરે આસપાસના પ્રદેશમાં તે મંત્રીશ્વરે પિતાના વિજયને સ્મરણ કરાવતાં કરાવેલાં ધાર્મિક સ્મારકોજિનમંદિરે વિગેરેનું પણ ત્યાં સૂચન કર્યું છે. એ બંનેગ્રંથના મુખ્ય આધાર પર આ નિબંધની સંકલના છે.
ઉપર્યુક્ત પુસ્તકોના ભાષાંતરકારોએ અને અન્ય લેખકોએ તેમાં કેટલાક ફેરફાર કર્યો છે. ફાર્બસ સાહેબની રાસમાળા ભા. ૨ જા માં વાઘેલા વિષે ભાષાંતરકર્તાના વધારામાં, શાસ્ત્રી ત્ર. કા. ના વીરધવલપ્રબંધ (બુદ્ધિપ્રકાશ પુ. ૧૩)માં, રા. રા. ગે. હા. દેશાઈના ગુજરાતના પ્રાચીન ઈતિહાસમાં, વીરશિરોમણિ વસ્તુપાલ અથવા પાટણની ચડતી પડતી (ભાગ ૧ લે.) જેવી નવલકથામાં અને રા. તા. પો. અડાલજાની વીરની વાત(સચિત્ર ભા. ૩ જા)માં મદમર્દન નામની વાર્તામાં, વીસમી સદી જેવાં માસિકમાં અને એકાદ ચિત્રપટમાં (સનેમાની ફિલમમાં) આ ઐતિહાસિક ઘટનાને ઉતારવા કેટલાક પ્રયત્ન થયે છે; પરંતુ વાસ્તવિક ઈતિહાસ, મૂલ ગ્રંથમાં કેવા સ્વરૂપમાં મળે છે, તે પ્રકાશિત કરવાની આવશ્યક્તા હોઈ આ પ્રયત્ન ઉપગી થશે એવી આશા છે.
ઉપર્યુક્ત પં. જિનહર્ષગણિએ વસ્તુપાલચરિત્રના ત્રીજા પ્રસ્તાવમાં પ્રતિપાદન કર્યું છે કે
Page #65
--------------------------------------------------------------------------
________________
( ૯ )
“ પૃથ્વીરૂપી સ્ત્રીના લલાટને શેાભાવતુ તિલક જેવું, રમણીય સંપત્તિયાના ધામરૂપ ગામ્રા નામનું નગર છે.૧ કાંતાની જેમ મહેદ્રી
ગધ્રા
ની, મૃદુ અને શીતલ તર ંગરૂપી મહુવડે, તમરૂપી પલંગ પર રહેલા જે( નગરરૂપ પિત )ને આલિંગન કરે છે.” - રણાંગણમાં પડેલા તે તે પ્રસિદ્ધ સુભટાનાર અગાના સ્થાનમાં અહિં અનેક સ્વયંભૂ શ ંભુનાં લિંગા થયાં છે. ' એ વિગેરે પ્રકારના આશ્ચર્ય ઉપજાવનારા પ્રવાદાવડે જ્યાંની બિરૂદાવલી, આવનારા લેાકેાના ચિત્તને સ્પષ્ટ રીતે વિનાદ પમાડે છે. જે સ્થાન, ગુજરાતની ભૂમિ તરફથી માળવા તરફ જનારા લેાકેાને શ્રમ દૂર કરનાર હાઈ વિશ્રામ માટે થાય છે.
ત્યાં ગવના પ ત જેવા, મહાતેજસ્વી મંડલીક રાજા ઘૂઘુલ હતા. જે, ધર્મોની મર્યાદાનુ ઉલ્લંઘન કરી ઘાર કર્મ કરતા હતા. વિકટ આકૃતિવાળા એ રાજા વિશ્વાસઘાત, લાંચ વિગેરે ઘણાં પાા કરવામાં તત્પર બન્યા હતા અને વિષ્ણુનેાના સમૂહને પણ લુંટતા હતા. સત્પદ
ઘૂઘુલ
૧. પ્ર. કે. માં મહીતટ(મહીકાંઠા) દેશમાં જણાવ્યું છે. ૨. પ્ર. કે. માં ૧૦૧ રાજપૂતા સૂચવ્યા છે.
૩. હી. ૨. કાપડિયાદ્વારા સંશોધિત ચતુર્વિ શતિ-પ્રબંધમાં પ્રકાશિત સ્વયં તુ પા યુક્ત જણાતા નથી.
૪. પ્રાચ્યવિદ્યામ ંદિર, વડેાદરાની વસ્તુપાલ-ચરિત્રની હ. લિ. પ્રતિમાં ઘણીવાર વૃદ્ધિલ નામ દર્શાવ્યું છે.
પ. પ્ર. કેા. માં જણાવ્યુ છે કે તે ગુજરાતની ભૂમિમાં આવવા ઇચ્છતા સાર્થોને ગ્રહણ કરતા(પકડતા) હતેા.
Page #66
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) સ્થાપન કરવામાં નિષ એવા કવિના અંત:કરણની વૃત્તિ જેમ શ્રેષ્ઠ અર્થ–સમૂહને ગ્રહણ કરવામાં તત્પર હોય છે, તેમ તે (ઘૂઘુલ)ના અંત:કરણની વૃત્તિ પણ બીજાના દ્રવ્યસમૂહને ગ્રહણ કરવામાં સદા તત્પર રહેતી. જેના સર્વ પૂર્વજો ઐલુક્ય (સોલંકી) રાજાની આજ્ઞાને સર્વ પ્રકારનાં સુખ આપનારી સમજી, વશંવદ બની આનંદપૂર્વક શેષા ચડાવે તેમ મસ્તક પર ધારણ કરતા હતા, પરંતુ દુઃશાસન જે, અન્યાયી સુભટને અગ્રેસર આ (ઘૂઘુલ), તે આજ્ઞાને પિતાના મસ્તક પર ધારણ કરતો ન હતો. રાજા(વરધવલ)ની આજ્ઞાથી એક વખતે મંત્રીશ્વર
વસ્તુપાલ અને તેજપાલે પ્રકટ વચન મંત્રીઓનો બેલનારા રેવંતદેવ નામના ભટ્ટને સંદેશા સંદેશ સાથે તેની તરફ મેક. બોલનારાઓમાં
શ્રેષ્ઠ એવા એ ભદ્દે જલ્દી તેની રાજધાની (ગધ્રા)એ પહોંચી ઘૂઘુલ રાજાને આશીર્વાદ આપે કે
જયલક્ષ્મીને ભેટનાર ઉચ્ચ ભુજાવડે જેને પ્રચંડ મહિમા છે એ, મૂર્તિમાન વિરરસ, રાજાઓને ગુરુ વડિલ), ગોધાને રાજા ઘૂઘુલ જયવંત છે; જે, ગુજરાતના રાજા અને માલવાના રાજા એ બંનેની વચ્ચે (સરહદમાં) ગુફામાં, અહંકારી શત્રુરૂપી હાથીઓને વિદારવામાં સમર્થ સિંહની જેમ ગાજે છે ? १ “मूर्तो वीररसः क्षितीश्वरगुरुर्जीयाज्जयश्रीपरि- ध्वङ्गोत्तुङ्गभुजाप्रचण्डमहिमा गोध्राधिपो घूघुलः । यः श्रीगौर्जरराज-मालवनृपद्वन्द्वान्तरे कन्दरे
दृप्तारिद्विपकोटिपाटनपटुः पञ्चाननो गर्जति ॥"
Page #67
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
રાજાએ અનુજ્ઞાત કરેલા, યથાયેાગ્ય આસનને અલ'કૃત કરી આ ભટ્ટે મંત્રદ્રના સ ંદેશા નિવેદિત કર્યો કે–‘ રાજન્! સમસ્ત રાજાએવડે સેવાતા, ગુજરાતના રાજેંદ્ર વીરધવલ રાજા, મસ્તકપર અભિષેક કરવાની ચાગ્યતાને ધારણ કરે છે. સત્યભામા( સત્ય તેજ લક્ષ્મી )થી યુક્ત, લીલામાત્રમાં અલિ–મલવાનાને બંધન કરનાર, યશ અને દયાવડે આનંદ ઉત્પન્ન કરનાર જે શ્રીમાન્ ( વીરધવલ ) પુરુષાત્તમ છે ( શ્રીકૃષ્ણના પક્ષમાં સત્યભામા, અલિ–અંધન, યશેાદા અને લક્ષ્મી સંબંધી અર્થ પ્રસિદ્ધ છે).
જે ( વીરધવલ ), યુદ્ધમાં ખાણેાવડે દુશ્મનાને જલ્દી દીર્ઘ નિદ્રા ( મરણ ) આપીને, જયલક્ષ્મી સાથે, વૃદ્ધિ(વ્યાજ ) સાથે જીવિત ગ્રહણ કરે છે. તેના સચિવાધીશ, ચક્રપાણિ ( કૃષ્ણ )ને ઉદ્ધવ જેવા, સ્ફુરતા પ્રજ્ઞા–વૈભવથી ભુવનમાં અદ્ભુત એવા વસ્તુપાલ છે; તથા જગને જીતનાર, બુદ્ધિઅલવાન્ મંત્રી તેજપાલ, તે( વસ્તુપાલ )ને લઘુખ છે. જેની પ્રેક્ષા–પ્રતિભાને પ્રાપ્ત કરવાને દેવાના ગુરુ બૃહસ્પતિ પણ ઇચ્છે છે. હે રાજન્! આંતરિક પ્રીતિ ધારણ કરતા તે અને મત્રીશ્વરાએ આપના હિતમાટે મ્હારા મુખદ્વારા એવી રીતે નિવેદન કર્યું" છે કે “ આપ, સર્વ રાજાઓની પક્તિમાં ગુણાવડે મણિ જેવા વિખ્યાત હાવા છતાં ધર્મ અને નીતિને નાશ કરનારૂં ધાર કર્મ શા માટે કરા છે ? તે અન્યાયને જલ્દી મૂકા, ન્યાયમાના મુસાફર થાઓ; કારણ કે અત્યુત્ર પુણ્યાનુ અને અત્યુગ્ર એવાં પાપાનુ ફળ આ લાકમાં જ મળે છે—એવું સ્મૃતિવચન છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ) વિશ્વને પાવન કરનાર, વીરધવલ રાજાના શાસનને શ્રેયની અભિવૃદ્ધિ માટે શેષાની જેમ સદા મસ્તક પર ધારણ કરે; અન્યથા કૃતકૃત્યતા કરી ભીમ, ચામુંડ, સાંગણ વિગેરે રાજાએની પંક્તિ(મરણાવસ્થા)માં પિતાને સ્થાપે.”
ભટ્ટનાં એવાં વચન સાંભળી, કેપથી તપતા અંગવાળા,
ઘોર વિકમ ધારણ કરનારા રાજા ઘૂઘુલે ઘૂઘુલનાં પ્રત્યુત્તરરૂપે ઉચ્ચાર્યું કે –“અહો ! કેપ–વચનો, આ બંને દુરાત્મા વાણિયાઓનું પણ
કેવા પ્રકારનું સાહસ છે? કે, અમને (રાજાઓને) પણ દૂત દ્વારા આદેશનું નિવેદન કરે છે ! ખરેખર, એ બંનેને પોતાની પહેલાની અવસ્થા ભૂલાઈ ગઈ લાગે છે, જેથી રાજાની પણ આવી રીતે તિરસ્કાર-વિડંબના કરવામાં આવે છે. કહ્યું છે કે–અવંશ( હીનવંશ )માં પડેલે રાજા, મૂર્ખને પુત્ર છતાં થયેલ પંડિત, અને ધન પ્રાપ્ત કરનાર અધન; તે જગતને તૃણ જેવું માને છે.” તે તું હારા આ કથનને તે બંને અધમ સચિને કહેજે કે-“સિંહ હરણના શાસન( હુકમ)ને માથે ચડાવે?” પણ રાજ-મદના ઉન્માદથી વિવશ થયેલા ચિત્તવાળા એ બંને દુરાચારી ની જેમ તેમ બેલે. કહ્યું છે કે –“સૂર્યમંડલથી ઉષ્ણતા પ્રાપ્ત કરનાર વાલુકા(રેતી)ને સમૂહ, જેમ તપે છે, તેમ બીજા પાસેથી લક્ષ્મી પ્રાપ્ત કરનાર નીચ અત્યંત તપે છે.” તે અનુચિત કર્મ કરનારા એ બંનેની, નદીના તટપર રહેલા ઝાડની જેમ નિશ્ચ નજીકમાં જ પડતી થવાની. કહ્યું છે કે “ઔચિત્યથી અલન થવું,
Page #69
--------------------------------------------------------------------------
________________
(૧૩) બુદ્ધિને વિપર્યાસ અને મોટાઓ સાથે વિરોધ સર્વસ્વ-વિનાશનાં એ ૩ કારણે છે.એમ કહીને તે બોલતે બંધ રહ્યો. પછી ભટ્ટ, ઘૂઘુલ પ્રત્યે બેલ્યો કે–વણિકના પુત્ર
હોવાના કારણથી તે બંને મંત્રીઓની મંત્રિદૂતનાં અવજ્ઞા ન કરે. ખરેખર, સૂર્ય, ચંદ્ર સાંત્વન-વચને. જેવા પ્રતાપી અને પ્રભાવાળા તે બને,
સર્વ રાજાઓને સન્માર્ગ દર્શાવવા માટે જ પૃથ્વી પર ઉતર્યા છે. ગુણોના આધારરૂપ, પ્રભામય, મંત્રીઓ-રૂપી દીવાઓ જો ન હોય તે, અહંકારવડે અંધ બનેલા રાજાઓ નીતિના માગે કેવી રીતે જઈ શકે? હે રાજન્ ! કુમારપાળને મંત્રી, ઉદયનને પુત્ર શ્રીમાન આગ્રદેવ, વણિક માત્ર હોવા છતાં પણ શું વિક્રમી ન હતે? જે સાહસિક પુરુષે “રાજ-પિતામહ” બિરુદથી પ્રખ્યાત એવા રાજેદ્ર મલ્લિકાર્જુનને યુદ્ધમાં જીતીને તેના મહેલનું સર્વસ્વ ગ્રહણ કર્યું હતું.'
એ સાંભળી કેપથી લાલચોળ મુખવાળે થયેલ ઘૂઘુલ
૧ “મૌચિત્યસ્વરાનં વુર્વિધર્ચાનો વિરોધતા !
મઃિ સદ્ સર્વસ્વનાશે શરબત્રમ્ . ” २ “दन्धिा धरणीनाथाः कथं यान्तु नयाध्वनि ? ।
यदि न स्युर्गुणाधारा मन्त्रिदीपाः प्रभामयाः ॥ आम्रदेवो न किं राजन् ! श्रीमानुदयनाङ्गजः । मन्त्री कुमारपालस्य वणिग्मात्रोऽपि विक्रमी ? ॥ मल्लिकार्जुनराजेन्द्र राजराजिपितामहम् । निर्जित्य साहसी युद्धे वेश्मसर्वस्वमग्रहीत् ॥"
Page #70
--------------------------------------------------------------------------
________________
(૧૪)
બે કે –“મહારે જ્યવાળો આ ઘૂઘુલનું ભુજ, વાણિયાઓ સાથે યુદ્ધ કરતાં અભિમાન, લાજે છે. રણસંગ્રામમાં મહારા બાહુ
દંડની ખુજલીના રસને કેણ પૂરશે? એ તું મને કહે, અથવા ખાંડેખાંડાની યુદ્ધકળામાં રહેલી હારી કુશલતાને કેણ મેળવી શકશે ? ધ્રઢ નરેદ્રો સાથે રુદ્ર રણસંગ્રામ ખેલવામાં અસાધારણ રસવાળા આ મ્હારા બાહુઓ વાણિયાના પુત્ર પર વિજય મેળવવાના ઉત્સાહમાં લાજે છે; તે પણ તું જલ્દી જઈને તે બંને દુરાશને મેકલ, સર્વના ભુજ-માદાઓને યુદ્ધ જ કહેશે.” એ પ્રમાણે કહીને તે ભટ્ટ)ને સોનાના દાનથી સંતોષ પમાડીને ઘૂઘુલે મેક. તેણે જઈને સઘળું પોતાના સ્વામી મંત્રીઓને કહ્યું. ત્યાર પછી ગેધ્રાના હઠીલા રાજાએ (ઘઘુલે) તેની
પાછળ જ શૂદેવ નામના ભટ્ટને વીરઘૂઘુલને
ધવલ પાસે મેક. તેણે પણ આવીને, દૂત. જેનું શાસન રાજાવડે લલાટ પર
ચડાવાતું હતું, જેમાં બંને પડખાં બે મંત્રિરા( વસ્તુપાલ અને તેજપાલ )વડે શોભતાં હતાં, જેનું મોટું એજસ્ (તેજ) જણાતું હતું, એવા ચંદ્રવંશના મુક્તામણિ જેવા રાજા(વીરધવલ)ને જોઈ, વિસ્મય અને આનંદયુક્ત થઈને આ પ્રમાણે આશીર્વાદ આપે કે –
સકળ કળાઓના કેશ(ખજાના)ને ઉલ્લસિત કરતી જેતલદેવીવડે યુક્ત, રાજ્યને નિષ્કટક પૃથ્વીવાળું બનાવતા વસ્તુપાલ સાથે શ્રીકરણમાં પ્રઢ અનુભવી પ્રતિભાવાળા
Page #71
--------------------------------------------------------------------------
________________
( ૧૫ )
તેજપાળવ અનુસરાતા હૈ ચાલુકયદેવ! ( વીરધવલ !) જ્યાં સુધી આ સૂર્ય તપે છે, ત્યાં સુધી આપ ભૂમંડલને ધારણ કરો. હું વીરધવલ રાજન ! આપે કલિયુગમાં, કૃતિ સમૂહ( સજ્જને )માં દાન-લીલાએવડે સૂર્ય –પુત્ર( કણ )ના સાક્ષાત્કાર કરાવ્યેા છે. ”
ત્યાર પછી તે દ્રુત ખેલ્યા કે— પેાતાને પુરુષાથી આ( પરાક્રમી પુરુષા )માં અગ્રેસર માનતા, અને ઘૂઘુલે મેલેલી અન્ય સમસ્ત રાજ–મંડલને અંત:પુરના તિરસ્કારવાળી સ્થાનમાં કરતા, (સ્ત્રી જેવા ગણતા) ગાધ્રાની ભૂમિના ચક્રવર્તીએ–ઘૂઘુલે આપને
ભેટ.
કાજળની ડબ્બી અને રેકાંચળી સાથે
સાડી ભેટ કરી છે.
"
સભ્ય-મંડલીએ તે ભેટાંને ષ્ટિગેાચર કરીને ક્રોધ ધારણ કરતાં તે(થૂથુલ )ના વિકલવીરધવલની ભાવ( ગાંડપણ ) માન્યા. તે સમયે વિશિષ્ટતા ચૌલુકયો( સાલ કી )માં ચંદ્ર જેવા
વીરધવલે સહજ હાસ્ય સાથે સકળ
સભાને અમૃત સિંચતી એવી વાણી ઉચ્ચારી કે–“ આપના રાજાએ પેાતાના વશને ઉચિત એવા આચાર સાક્ષાત્
(6
१ युक्तो जैतल्लदेव्या सकलमपि कलाकोशमुल्लासयन्त्या राज्यं निष्कण्टको भरमुपनयता वस्तुपालेन साकम् । तेजः पालेन च श्रीकरणपरिणतप्रातिभेनानुयातो
""
धत्तां चौलुक्यदेव ! क्षितिवलयमयं यावदम्भोजिनीशः ॥ ૨ પ્રબંધકાષમાં કાંચળીનું સૂચન નથી.
Page #72
--------------------------------------------------------------------------
________________
( ૧૬ ) રીતે સૂચવતાં આ ભેટર્ણ યુક્ત જ કર્યું છે.” તે ભેટાને રાજાની આજ્ઞાથી મંત્રીએ ખજાનામાં મૂકાવીને તે શ્રેષ્ઠ ભટ્ટને દાન અને માનવડે આનંદ પમાડી વિસર્જિત કર્યો. રાજાનું મિતભાષિપણું, અને સભાની નીતિભરી સ્થિતિ, એ જાણુને અંત:કરણમાં ચમત્કાર પામેલા તે ભદ્દે પણ જઈને પિતાના રાજા( ઘૂઘુલ)ને તે કહ્યું. ત્યાર પછી ચાલુક્ય ભૂપાલ(વાઘેલા વિરધવલ), ભૂમિના
પાપસમૂહ જેવા ઘૂઘુલને ઉચ્છેદ ગધ્રાના રાજા કરવા માટે સહજ ચિંતાતુર મનવાળા થયા સાથે યુદ્ધ કરવા છતા, ચંદ્ર જેમ ઉદયાચલને શોભાવે બીડું ઝડપનાર તેમ સિંહાસનને અલંકૃત કરી રહ્યા કોણ? હતા. બે બાજૂ બિરાજેલા બૃહસ્પતિ
અને શુક જેવા બંને મંત્રીઓ (વસ્તુપાલ અને તેજપાલ)વડે તે શોભતા હતા. સદાચારી, વિખ્યાત-વિક્રમી તારા જેવા દપતા સેંકડે રાજપુત્ર( રાજપૂતે )વડે ચતરફથી આશ્રિત થયેલા હતા. સ્પૃહાવાળા ચકોર જેવા, વિવિધ દેશોમાંથી આવેલા ઉચ્ચ પ્રકારના કવિ-કુંજરવડે જે( વીરધવલ)ને ગુણ-સમૂહ ગવાઈ રહ્યો હતે. પૂર્વે થઈ ગયેલા ભુજબલશાલી વિકમ, મુંજ, ભેજ વિગેરે રાજાઓના દાન અને તેમના અદભુત પ્રબધે જેને શ્રેષ્ઠ પંડિત વડે સંભળાવાઈ રહ્યા હતા. તેઓ સર્વ જોઈ રહ્યા હતા, તેવામાં આ(મહારાણું વીરધવલ) સ્વયં બોલ્યા કે- ધ્રાના અધિપતિ સાથે યુદ્ધ કરવા માટે બીડું કેણ ગ્રહણ કરશે?” ઘણે વખત થવા છતાં પણ જ્યારે કેઈપણ ભૂપાલે (સામંતે કે રાજપૂતે) તે બીડું
Page #73
--------------------------------------------------------------------------
________________
(૧૭) ગ્રહણ કર્યું નહિ, એથી ઉત્પન્ન થયેલી અધિક લજજાવડે મહારાણા વીરધવલે મુખ-કમલ નીચું કર્યું (નીચે જોયું). તે વખતે, દુશ્મનને કંપાવનારા, બાહુબલવાન તેજપાલે
પિતાના જયેષ્ઠ સહોદર(વસ્તુપાલ)ની વીર તેજપાલ અનુમતિથી તે બીડું ગ્રહણ કર્યું. એથી
અધિક પ્રસન્ન થયેલા વિરધવલે તેને પંચાંગ પ્રસાદ (પાંચે અંગનાં આભૂષણે) આપીને પોતાની સભામાં તેની પ્રશંસા કરી ઉચ્ચાર્યું કે-“ વિપત્તિમાંથી પૃથ્વીને ઉદ્ધાર કરનાર આવા વીરપુત્રોની માતા તે જ ખરી રીતે પુત્રવતી છે.” ત્યાર પછી રાજ્યનાં કાર્યોને વિચાર કરી, સૂર્ય–સમાન
પ્રભાવાળો (પ્રતાપી) મંત્રી (વસ્તુયુદ્ધની તૈયારી પાલ), પિતાના લઘુબંધુ (તેજપાલ) મંગલાચરણ સાથે પિતાના આવાસે આવ્યા. પ્રયાણ
ની સામગ્રી માટે પોતાના ક્ષત્રિને નિયુક્ત કરીને, શરીરશુદ્ધિ માટે કલ્યાણવિધિપૂર્વક સ્નાન કરીને, પોતાના યશ જેવાં, જોયેલાં( ઉજજ્વલ) વસ્ત્રો પહેરીને, રત્નમય આભૂષણોથી વિભૂષિત થયેલા તે બને ઉત્તમ મંત્રી
એ સંવર–સંયુક્ત થઈ ઉલ્લસતી ભક્તિથી ઘર–મંદિરમાં જિનેશ્વરની અષ્ટપ્રકારી નિર્દોષ પૂજા કરી.
ત્યાર પછી હર્ષિત અંત:કરણવાળા, પ્રકટ પ્રભાવડે દેદી પ્યમાન લાગતા ઇંદ્ર અને ઉપેદ્ર જેવા, સદાચારીઓમાં ધુરંધર એવા તે બંને મંત્રીશ્વરેએ સેંકડે રાજપૂતે સાથે પગે ચાલતાં, નગરના અલંકારરૂપ જિનમંદિરે આવીને શક્રપૂજ્ય એવાં જિનબિંબની વિધિપૂર્વક વિવિધ પ્રકારે પૂજા
Page #74
--------------------------------------------------------------------------
________________
( ૧૮ )
કરી. જગન્નાથની સ્તુતિ કરી, યશ્રેષ્ઠ દાનાવડે યાચકોને આનંદ પમાડ્યો. ત્યાર પછી ધર્મશાલાએ આવી ગુરુજીને નમસ્કાર કરી, જિન–પૂજા વિગેરેમાં પ્રેરણા કરનારી, શુભ શકુનાદિ ફળ સૂચવતી તેમની ધ દેશના સાંભળી. દેવપૂજાના નિશ્ચલ નિશ્ચયવાળા ઉચિત નિયમા ગ્રહણ કરી, તે અને પેાતાને ઘરે આવ્યા. શ્રીમાન્ મત્રીએ સુપાત્રાને દાન આપી, યાચકાને પ્રસન્ન કરી, વિવિધ દેશેામાંથી આવેલા સાધર્મિક અને પેાતાના પિરવાર સાથે ષસ-સંસ્કારવાળુ સુખ કરનારૂ ભાજન કર્યું.
પ્રસ્થાન
ત્યારપછી ચૌલુકય ભૂપાલ( મહારાણા વીરધવલ )ના આદેશથી દેશના અધિપતિઓ( સામત રાજા ) સાથે તથા ઘેાડા, હાથી અને સુભટાની સેનાએથી પરવરેલા, અસાધારણ પ્રચંડ સૈન્યના ચાલવાથી ઉડતી ધૂળવડે નિરાલંબ મા( આકાશ )માં બીજી પૃથ્વી રચતા હોય તેમ, અતિ પ્રૌઢ હાથી પર આરૂઢ થયેલ, ચાલતા ચામરાવડે અને પેાતાના કીર્તિ–મડલ જેવા શ્વેત છત્રવડે શાભતા, યમરાજના જેવા દુસ્સહ, શત્રુઓને કપાવનાર મહામાત્ય તેજપાલ, ગાધ્રાના રાજાને જીતવાની ઇચ્છાએ ચાહ્યા.
• નિવેદ ન પામવે—કટાળવું નહિ–એ લક્ષ્મીનું મૂલ છે. ’ એ સુભાષિતને સંભારતા સુબુદ્ધિસેના–વ્યૂહ માન્ મંત્રીએ મેટાં પ્રયાણેાદ્વારા જલ્દીથી અનુક્રમે માહેદ્રી નદી ઉતર્યાં પછી, રામચંદ્રજીએ સાગર તર્યાં પછી અપૂર્વ વાનરાધીશાને યથા
Page #75
--------------------------------------------------------------------------
________________
(૧૯) ગ્ય પરિતુષ્ટ ક્યા હતા તેમ, પિતાના સૈન્યને દીનતારહિત સજજ કરીને તેમાંથી કેટલુંક સૈન્ય, પિતાના સ્વામી(રાજા)ના શત્રુરાજાના નગર(ગધ્રા)ની સીમમાં ગાયે હરવા વિગેરે માટે ત્વરાપૂર્વક કહ્યું અને પોતે પાછળના ભાગની રક્ષા કરવામાં વિચક્ષણ બની પાછળ સ્થિર રહ્યો. આગળ ગયેલા ઉત્સાહી તે સૈન્ય સમસ્ત ભૂતલને કંપા
વતાં ગધ્રાના સીમને વેગપૂર્વક દબાવ્યું. યુક્તિ-પ્રયુક્તિથી આકંદ આપનારાં, પ્રાણ હરનારાં બાણેઘઘુલને રણુ- વડે, રાજાઓ(ક્ષત્રિય)ની જેમ યુદ્ધ કરતા મેદાનમાં લાવ. વાળને સર્વ અંગેમાં જર્જરિત કરીને
ગોકુળને વાળ્યું. ગોવાળેએ તત્કાળ નગરમાં આવીને ઈદ્ર સરખા તેજસ્વી ભૂમિપાલ (ઘૂઘુલ) આગળ આક્રોશ કરતાં પિકાર કર્યો કે–“ આપના જોતજોતામાં પણ કેઈ પાપીઓ વડે ક્ષત્રિયના આચારને તજીને, હોડીઓ સમુદ્રમાં લઈ જવાય તેમ ગાયે હરાય છે-લઈ જવાય છે. તેથી ક્ષત્રિયના ધર્મને આગળ કરી દડે દોડે, કેમકે–ગાયનું રક્ષણ કરવું–એ જ ક્ષત્રિયેનું પરમ પુણ્ય છે.” એ સાંભળીને ક્રોધવડે વિકરાળ મુખવાળ, પરાક્રમીએમાં પ્રખ્યાત થયેલે, મેઘની જેમ ઘણું ગાજતે ઘડ્યુલ ક્ષણવાર વિચારવા લાગ્યો કે “અહો ! હારા જેવો રાજા જીવત હોવા છતાં, પાદરમાં આવીને વૈરીઓ દ્વારા ગાયનું હરણ એ અશ્રુતપૂર્વ(પૂર્વે કદિ ન સાંભળેલું) શું સંભળાય છે? તે વસુમતી–નેતા (પૃથ્વી-નાયક), ક્ષત્રિમાં અધમ ગણાય કે જેના જીવતાં ગંગા જેવી ગાયે હરાય. કહ્યું છે કે–વૃત્તિ(આજીવિકા) કપાવાના પ્રસંગે, કિજા
Page #76
--------------------------------------------------------------------------
________________
( ૨૦ ). તિના મરણમાં, સ્વામી પકડાવાના પ્રસંગે, ગાયે ગ્રહણ કરાતાં, શરણે આવેલાની રક્ષા કરવામાં, સ્ત્રીના હરણમાં, મિત્રેની આપત્તિ નિવારવાના પ્રસંગે પીડિતાની રક્ષા કરવામાં પરાયણ–મનવાળા એવા જે(ક્ષત્રિય) શસ્ત્ર ગ્રહણ કરતા નથી–હથિયાર ઉઠાવતા નથી, તેઓને જોઈ સૂર્ય પણ બીજા સૂર્યને જેવા શોધ કરે છે.” એવો વિચાર કરીને તરત જ ઘર વિક્રમવાળે, પોતાને વીર માનનાર, મહામાની ઘૂઘુલ, રણના આવેશને વશ થયેલ છત, જાતે જ બખ્તર ગ્રહણ કરીને, આકાશ અને પૃથ્વીના મધ્યભાગને ભરી દેનારા, રૌદ્ર વાઘોના મહાધ્વનિવડે દેવોને પણ ત્રાસ પમાડત, શોભતી પાખરરૂપી બે પાંખવડે પક્ષિરાજ (ગડ) જેવા વેગવાળા અશ્વરત્ન પર આરૂઢ થઈને, પ્રઢ મત્સરવાળે થઈને, સેંકડે સત્ત્વશાલી અસ્વાર રાજાઓ (ઘેડે ચડેલા ક્ષત્રિય) સાથે, ગાયે હરનારા તે દુશ્મનની પાછળ આવ્યું. ગાયે હરનારા, તેને દર્શન દેતા હતા, પરંતુ કઈ એક સ્થાનમાં સ્થિર રહીને યુદ્ધ કરતા ન હતા અને શત્રુઓને ત્રાસ પમાડતા હતા. તેમને જોઈને બમણું ઉત્સાહી થયેલા સાહસિક મહાબાહુ ઘૂઘુલ રાજાએ વાદ્યોના શબ્દો વડે તેમને યુદ્ધ માટે બોલાવ્યા. તેઓ પણ કપટથી કેઈ એક સ્થળે સ્થિર રહીને યુદ્ધ માટે સંરંભ કરતા હતા, પાછા કોલાહલ કરતા ઉતાવળે પગલે નાસતા હતા. એવી રીતે કપટ-યુદ્ધના
१ “वृत्तिच्छेदविधौ द्विजातिमरणे स्वामिग्रहे गोग्रहे
सम्प्राप्ते शरणे कलत्रहरणे मित्रापदां वारणे । आतंत्राणपरायणैकमनसां येषां न शस्त्रग्रह
स्तानालोक्य विलोकितुं मृगयते सूर्योऽपि सूर्यान्तरम् ॥"
Page #77
--------------------------------------------------------------------------
________________
( ૨૧ ) પ્રયોગથી ખેદ પમાડતાં તેઓએ રાજા(ઘૂઘુલ)ને, ક્રોધવડે આકાન્ત થયેલા મંત્રીએ સંકેત કરેલી ભૂમિમાં આર્યો. રણ–રંગથી તરંગિત થયેલા તે મહાન વિરે (ઘુલે) પણ પોતાની સીમના ઉલ્લંઘનને જાણ્યું નહિ. ત્યાર પછી સૂર્ય જે દુસહ તેજપાલ, બંને બાજૂએ
રહેલા રાજાઓ(સાત)ના પરિવાર યુદ-પ્રારંભ સાથે અકસ્માતુ પ્રકટ થયો. ગોઘાના
રાજાએ તે સૈન્યને તરફ સ્કુરાયમાન જોઈને “નિચે મંત્રીનું આ કપટ છે” એમ હૃદયમાં નિશ્ચય કર્યો. તે પણ ધીરતા ધારણ કરી તે વીરે(ઘઘુલે) મંત્રિના સૈિન્ય સાથે યુદ્ધ કરવા માટે પિતાના મોટા ઉદ્ધત ભટોને પ્રેર્યા અને તેજવડે અગ્નિ જે દુસહ એ પિતે જાતે ચડાઈને વિશેષ પુષ્ટ કરતે છતે અધિક પ્રહાર કરવા લાગે. જગના પ્રલયને સૂચવતી, મંત્રિરાજની ઉત્કટ સેના પણ યુદ્ધ કરવા માટે આગળ વધી. ત્યાર પછી રણને આરંભ થયો. ઘઘુલે મેઘના માર્ગ( આકાશ )માં બાવડે ઘેર
દુર્દિન કરવા છતાં પણ આશ્ચર્ય છે કેતેજપાલનું દુશમનના સમૂહમાં મેટો તાપ ઉત્પન્ન પ્રોત્સાહન કર્યો હતો. તેણે મંત્રીના સૈન્યને ભગ્ન
કર્યું, એ ભયભીત થઈને ક્ષણમાં અહિં તહિં પલાયન કરી ગયું. તે વખતે નિડર, શ્રેષ્ઠ વિરેને અગ્રણી તેજપાલ મંત્રી, ભયંકર સંગ્રામરૂપી સાગરમાં મેરુની જેમ ધીર (અડગ નિશ્ચલ) રહીને પિતાની સમીપમાં રહેલા,
Page #78
--------------------------------------------------------------------------
________________
( ૨૨ )
લજ્જા અને દાક્ષિણ્ય ધારણ કરનારા, શુદ્ધવંશમાં ઉત્પન્ન થયેલા, ભુજપરાક્રમવડે શેાલતા ૧રાજાએ( સામા)ને ઉદ્દેશી ખેલ્યા કે વૃત્રાસુર જેવા ક્રૂર અને સાહસસ'પદાના પૂર જેવા આ ઘૂઘુલે દેવસેના જેવી આપણી સેનાને નસાડી મૂકી, તેા આ સ્થાનમાંથી નાસતાં આપણી શી ગતિ થાય ? સજ્જને દુશ્મનાને પીઠ દેતા નથી અને પરનારીઆને વક્ષ:સ્થલ દેતા નથી. આ રણ–સીમમાં અત્યારે કોઇ પણ શરણુ નથી. તેથી અહિં મરવું અથવા જયલક્ષ્મીને વરવુ એ જ યુક્ત છે. પૃથ્વીમાં અને શુદ્ધ પક્ષવાળા તે જ ક્ષત્રિયા પ્રશંસા કરવા ચેાગ્ય ગણાય છે, જે ધારા(તરવારની ધારરૂપ ) તીર્થમાં અભિષિક્ત થયા છતા યશરૂપી ચંદનવડે ચર્ચિત થાય છે. પેાતાના રાજાના ઋણથી રહિત થઈને વિશ્વમાં અતિશય સૌભાગ્યવાળા તે દેવપણુ પ્રાપ્ત કરીને દેવાંગનાઓથી પરવર્યા છતા હર્ષ પામે છે; અથવા રણુરંગમાં દુર્દામ દ્વેષીઓના દેહના લેાહીરૂપી કુંકુમેાવડે ભૂષિત અંગવાળા થઈ વિજયલક્ષ્મીને સેવે છે. કહ્યુ` છે કે—
‘યુદ્ધમાંથી પાછા ન ફરનારા, સ્વામિના કાર્યમાં મરનારા સેવાને સ્વર્ગમાં અક્ષય વાસ અને ધરણીતલ પર કીર્તિ થાય છે.’ સ્વામી માટે પ્રાણાના પરિત્યાગ કરનારા ઉત્તમ સેવકે તે ગતિને પ્રાપ્ત કરે છે; કે જે ગતિને યવા ( યજ્ઞ કરનાર ) કે ચેાગીએ પ્રાપ્ત કરી શકતા નથી. તેથી આપણે અત્યારે આદરવાળા થઇને તેવા પ્રકારનું ઉચિત કરીએ, કે જે બ્યદ્વારા જગત્માં જય મેળવનાર, અતિશય જ્યેષ્ઠ ગુજરેદ્ર લાજે નહિ.”
૧ પ્રબંધકાષમાં છ રાજપૂતા સૂચવ્યા છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
( ૨૩ )
• પુરુષાને ધર્મથી જ જય પ્રાપ્ત થાય છે, અને ધર્મ, દેવ-ગુરુના સ્મરણથી થાય છે' એમ સ્વયં ચિત્તમાં વિચાર કરીને સચિવેશ્વરે( તેજપાલે ) તે વખતે, દુશ્મનાના સમૂહ પર જયલક્ષ્મીને વશીકરણ કરવામાં કામણ જેવાં, ગુરુએ કથન કરેલાં, ભક્તામર મહાસ્તાત્રનાં એ વૃત્તોનુ, ઘેાડા પર રહ્યા છતાં જ મનમાં ક્ષણવાર સ્મરણ કર્યું; કેમકે, પૂજ્ગ્યાની સ્તુતિ અને પૂજ્યેનું સંસ્મરણ, એ મનુષ્યને આપત્તિના સમયમાં આલેખનરૂપ થાય છે. ત્યાર પછી ધ્યાનના માહામ્યથી આકર્ષાયેલા, તેજના પુજવડે સૂર્ય મંડલના તેજને ઝાંખું પડિનારા, સંતુષ્ટ મનવાળા, મહાયક્ષ કૅપટ્ટી અને દેવાની સ્વામિની અંખિકા, તે ખ ંનેને તે વખતે પેાતાના અને ખભા પર રહેલાં પ્રત્યક્ષરૂપે જોવાથી એ મત્રી પાતાના વિજયને નિશ્ચય કરીને, પ્રમેાદ પામ્યા.
યુદ્ધમાં જેમના ઉત્સાહ વધાર્યો હતેા, તે રાજપૂતે સાથે, સુભાના અગ્રણી તેજપાલે રાષતેજપાળ અને વાળા થઈને જાતે જ ઘૂઘુલ રાજા સાથે વીર ઘઘલ. ભયંકર સંગ્રામ કર્યાં. શત્રુના સૈન્યરૂપી મહાસાગરમાં પસરતાં મંત્રીશ્વરે વડવાનલની જેમ ફ્રેષિ–મંડલને સારી રીતે સૂકવી નાખ્યું. મહાદ્યમી આ મંત્રી, પ્રચંડ તેજવડે દીપતા, વીર–શિામણિ એવા ગાધ્રાના રાજાને પ્રાપ્ત કરી હર્ષિત થયા. પૃથ્વીને આધાર આપવામાં સમ અને વજ્રથી પણ ભેદી ન શકાય એવી રાજાની આકૃતિને જોતાં વિસ્મિત થયેલા આ (તેજપાલ ) વિચારવા લાગ્યા કે— અહા! ગેાધ્રાના રાજાની કાંતિ, રૂપ, ભુજ-સૌષ્ઠવ અને સત્ત્વશાલિતા અત્યારે કેટલી ખથી આશ્ચર્યકારક જોવામાં આવે છે!! તેજવર્ડ અંધકાર
Page #80
--------------------------------------------------------------------------
________________
( ૨૪ )
દૂર કરનારા, સૂર્ય જેવા તેજપાલને જોઈ સૂર્યકાંત જેવા શ્રીમાન્ થુલ અધિક દીપવા લાગ્યું. ત્યાર પછી ઉત્સાહી મુખ–દીસિવાળા તેજપાલ, મેઘની જેમ પ્રચંડ ગર્જના કરતાં મંડલેશ્વર( ઘૂઘુલ ) પ્રત્યે ખેાલ્યા કે—‘ દુરાચારવાળા નાના આધાર!, ધરાને ભાર કરનારી સ્થિતિવાળા અનાત્મજ્ઞ! પેાતાને ન સમજનાર હે રાજન! ચાલુક્યકુલમાં સૂર્ય જેવા, ગુજરાતના રાજા( વીરધવલ )ને તે જે હાથે અજનગૃહ (મેશની ડબ્બી) વિગેરે ભેટણું કર્યું, તે પેાતાના હાથ તું મને જલ્દી દર્શાવ.'
કાનને આમળનારા તે વચનને સાંભળીને સળગતા અગ્નિની જેમ રુષ્ટ થયેલા ઘુલ પણ એણ્યેા કે— શિષ્ટજના પ્રત્યે દ્વેષ કરનાર ! કૂટ-બુદ્ધિ-ખલવડે ઉત્કટ ! સદા લાંચરૂપી માંસ ગ્રહણ કરવાવડે કલંકિત થયેલા રે રે ! પાપી ! પેાતાની પૂર્વ અવસ્થાને શું ભૂલી જાય છે ? એવી રીતે રાજાઓની અવજ્ઞા કરતાં નિશ્ચે તું જીવતા રહી શકીશ નહિ. સ્કુરાયમાન વૈરીએ પાસેથી મેળવેલી જયલક્ષ્મીને ક્રીડા કરવાના મંદિર જેવા આ તે જ હાથ છે, પરંતુ તારા જેવા વાણિયારૂપી કીડાનેા વધ કરવામાં ખરેખર લાજે છે. સિંહને હરણ સાથે અથવા ગરુડને કાગડા સાથે; તેમ તારી સાથે મારી રણક્રીડા કીર્તિ માટે કે જયલક્ષ્મી માટે ન થઇ શકે.’
ત્યાર પછી કાપવડે વિકરાળ બનેલા તે અનેનું યુદ્ધ, કિરાત અને અર્જુનની જેમ દેવા અને દાનવાદ્વારા પણ દુ:ખે જોઈ શકાય તેવું થયું. તે વખતે પ્રકટ પરાક્રમવાળા ખીજા વીરાએ પણ સ્વામીના કાર્યમાં ઉત્સુક થઈ એક બીજાને ખેલાવી ચેાગ પ્રમાણે યુદ્ધ કર્યું. ત્યાર પછી મત્રિરાજે દિવ્યમલના ઉલ્લાસથી લીલાપૂર્વક ક્ષણવારમાં
તેજપાલના વિજય.
Page #81
--------------------------------------------------------------------------
________________
(૨૫) જ વિશ્વમાં કંટક જેવા તે(ઘેલ)ને ઘોડા પરથી નીચે પાડી નાખ્યા અને તેવા પ્રકારના વીરરસના આવેગવાળા રસવડે ભરપૂર મનવાળે મહાભુજ(પરાક્રમી) મંત્રી તે જ ક્ષણે તેના ઉપર પડ્યો. ત્યાર પછી સચિવાગ્રણીએ(તેજપાલે) પાપોથી ભરપૂર એવા તે (ઘૂઘુલ)ને ભુજા દબાવવાપૂર્વક જલદીથી ઇંબંધ–પૂર્વક બાંધ્યું. સઘળા સુભટ ભયબ્રાંત થઈને જતા રહ્યા, તેવામાં તે તે(ઘઘુલીને જીવતે જ સિંહની જેમ લાકડાના પાંજરામાં પૂર્યો. ત્યાર પછી બ્રહ્માંડના મધ્યભાગને પૂરનારા, નિશાન(વાદ્યો)ને ભયંકર વડે દિગ્ગજોને પણ ત્રાસ પમાડતા અને દુરાચારી રાજાઓને ભય પમાડતા સચિવેશ્વર(તેજપાલ) જયલમીને હાથ કરી(વરી) જલદી છાવણના સ્થાને પહોંચ્યા અને તેણે જિનેંદ્રને શુભ આઠ પ્રકારવડે પૂજીને યુદ્ધથી ઉત્પન્ન થયેલા પિતાનાં કર્મરૂપી રજ:પુંજનું પ્રમાર્જન કર્યું. ત્યાર પછી બલવડે ઉત્કટ એવા અગ્રેસર ભટેવડે ચેત
રફથી રક્ષા કરાતા, કર્મની ગાંઠની જેમ ગોધાને ગઢ, ભેદી ન શકાય એવા અને અત્યંત
| દુર્ગમ એવા ગોધાના દુર્ગ(ગઢકિલા)ને પ્રચંડ બાહુ-દંડવાળા મંડલેશ્વરોથી પરવરેલા મંત્રીએ અપૂર્વકરણમાં રક્ત થઈ ખંડ ખંડ ખંડિત કરી નાખે. સમસ્ત પ્રાણિ-સમૂહને પ્રસન્ન કરનાર સુબુદ્ધિમાન મંત્રી
શ્વરે, કેવડે હર્ષના ઉત્કર્ષથી જય જય ગધ્રામાંથી ગ્રહણ શબ્દ ઉચ્ચરાતાં, સંપત્તિના નિવાસ કરેલ રાજ-વૈભવ જેવા રાજાના આવાસમાં પ્રવેશ કરીને
આશ્વાસન આપવાથી ત્યાંની સર્વ પ્રકૃ
Page #82
--------------------------------------------------------------------------
________________
(૨૬). તિ(રાજતંત્ર-સંચાલક મુખ્ય અધિકારીઓ અને પ્રજા જન)ને તથા મહાજનને વિશેષતાથી પ્રસન્ન કરતાં ગધ્રાના રાજ-મહાલયમાંથી વિગ્રહરૂપી વૃક્ષના ફળરૂપે આ પ્રમાણે ગ્રહણ કર્યું.
સોનાના પર્વત જેવું ઉંચું ૧૮૦૦૦૦૦૦૦અઢાર કોડ | સોનાનું સિંહાસન
સુવર્ણ (સોમૈયા) પૂતળીઓની લીલાવડે અદ્ભુત, ૧ મૂડે મોતી
રત્નમય આરીસા અને ચળ
કતા ચંદ્રકાંતરત્નવડે ૪૦૦૦ ઘોડાઓ
સુંદર જગત્મિય ઘણાં દિવ્ય શસ્ત્રો મેટી હિંડલાખાટ* ઘણી દિવ્ય વસ્તુ
સૂર્યકાંતરત્નમય થાળી
માણેકવડે બનાવેલી સ્થગી ૧૦૦૦ બખ્તરે
(પાનબીડાં વિ. માટે રખાતી
થેલી )* મંત્રીશ્વર તેજપાલે તે ઘૂઘુલ રાજાના સ્થાનમાં નીતિના
સાગર તથા સિંહ જેવા પરાક્રમી સિંહસેન અન્ય રાજાની નામના ભાણેજને સ્થાપન કર્યો. ત્યાર સ્થાપના. પછી આસપાસના પાપી આશ(અંતઃ
કરણ )વાળા પલ્લીપતિ( રાજાઓ )ને વીરબલ રાજાના મહેલના આંગણાના કુટુંબીઓ બનાવ્યા હતા.
* આ નિશાનીવાળી વસ્તુઓને નિદેશ પ્રબંધકોષમાં નથી. વસ્તુને બદલે વસ્ત્ર પાઠ આપે છે.
૧ પ્રબંધકોષમાં, નામ વિના પિતાના સેવકને સ્થાપે જણાવેલ છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
( ૭ ) ત્યાં(ગધ્રામાં) તેણે પોતાના જ્યતંભ જે, પર્વત
જે ઉં, ૨૪ તીર્થકરોના મંદિરે જય-મારક વડે ચેતરફથી શોભત, અજિતનાથ જિનમંદિર, પ્રભુના પ્રૌઢ બિંબવડે પ્રકટ પ્રભાવાળે,
ગજરચના તથા અશ્વરચનાથી અંકિત પ્રાસાદ કરાવ્યો હતો. ન્યાયની અભિવૃદ્ધિ માટે કેટલાક દિવસો સુધી ત્યાં રહીને ત્યાં નિવાસ કરતા પ્રજાજનેને યાચિત સંતુષ્ટ કર્યા હતા. નીતિના સાગર તે મંત્રી, સેનાની( કાર્તિકેય)ની જેમ
સેના સાથે ચાલતા, માર્ગમાં દાનવડેદરામાં લીલાઓ વડે ચાર વર્ણોને આનંદિત કરતા સ્મારક. અનુક્રમે વટપદ્રપુર (વડેદરા) આવ્યા,
ત્યારે ત્યાંના રાજા જેવા નાગરિકોએ માટે મહોત્સવ કર્યો હતે. ત્યાંના રાજાએ નમન કરવા પૂર્વક વિવિધ પ્રકારનાં રત્ન, મણિ, સ્વર્ણ, જાતિવંત ઘોડાઓ વિગેરે વસ્તુઓ વડે તેને ભેટશું કર્યું હતું. રાજાની ભક્તિથી રંજિત થયેલા મંત્રિરાજે પણ તેને નેહપૂર્વક દર્શનથી–પ્રસાદવડે આનંદિત કર્યો હતે. ત્યાં( વડેદરામાં) રાજાના આગ્રહથી કેટલાક દિવસો સુધી રહેતાં યુધિષ્ઠિર જેવા ધર્મનિષ્ઠ સત્પરુષે (તેજપાલે), સંપ્રતિ રાજાએ પહેલાં કરાવેલા, મંદરાચલ જેવા, જીર્ણ થતા, શ્રી પાર્શ્વજિતેંદ્રના મંદિરનો ધરાના આધારરૂપ ધર્મ માટે ઉદ્ધાર કરાવ્યો હતે.
૧ ગધ્રાના તળાવની પાળ પરની એક દેહરીમાં શ્રી પાર્શ્વનાથની કાઉસગ્ગ ધ્યાનમાં રહેલી ઊભી મૂર્તિ, હાલમાં દેવીના વેષમાં રખાઈ માતાના નામે પૂજાતી જણાય છે, તે કદાચ આ જૈનમંદિરમાંની હશે.
Page #84
--------------------------------------------------------------------------
________________
(૨૮) તે( વડેદરા)ની પાસેના ઉત્કોટ(અમેટા) નામના પુરમાં તે મંત્રીએ ધર્મની અભિવૃદ્ધિ માટે આદીશ્વર જિનનું પવિત્ર ધામ કરાવ્યું હતું.
એ જ મંત્રીએ વનસર નામના ગામમાં જિનનું મનેહર ચિત્ય કરાવીને ત્યાંના નિવાસીઓનું અતુલ્ય વાત્સલ્ય કર્યું હતું.
જિતેંદ્રશાસનના આધારભૂત સદાચારી મુનીશ્વરેનું પૂજન કરીને સચિવે પિતાના જન્મને સફળ કર્યો. જૈન પ્રજાને સન્માન પૂર્વક ધન-દાનવડે સંતેષ પમાડીને તેણે ગુણશાલી લોકેનું ભક્તિપૂર્વક વાત્સલ્ય કર્યું હતું. ધર્મકૃત્યમાં શિથિલ થતા લોકોને દઢ કરીને મંત્રીશ્વરે પોતાને સમીપમાં શિવોદય જણાવ્યું હતું. કહ્યું છે કે—કષાયની શિથિલતા, ઉદારચિત્તતા, કૃતજ્ઞતા, સર્વ જને પર અનુગ્રહ, અંગીકાર કરેલા કાર્યમાં દઢતા, પૂજાનું પૂજન અને ગુણે પ્રત્યે આદર એ ભાવિ-જિનવનું લક્ષણ છે.” ત્યારપછી મંડલાધીશથી મંડિત થયેલ મંત્રી તેજપાલ
ઋદ્ધિવડે વિદર્ભો જેવી દર્ભાવતી ડભેઈમાં ( ઈ) નગરીએ પહોંચ્યા. ત્યાંના સ્મારક, નિવાસી કેને બીજાં પ્રજને ભૂલી
પહેલીપતિ રાજાના ભયની શંકારૂપી શંકુની વ્યથાથી આકુલ જોઈને બુદ્ધિમાન મંત્રી તેજપાલે નગરીની આસપાસ, મૂલરાજ વિગેરે રાજાઓની મૂર્તિયે
૧, ૨. હી. હં. દ્વારા વિ. સં. ૧૯૬૮માં પ્ર. વસ્તુપાલચરિત્રમાં અનુક્રમે વટ અને સરોવર પાઠ છપાયેલ છે, તે અશુદ્ધ જણાય છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
(૨૯) વડે સ્કુરતા ઉદયવાળો, આકાશને સ્પર્શ કરતે (ઉચ્ચ), વિવિધ રચનાવાળે, સજ્જનને શરણરૂપ (રક્ષક થાય તેવો), નિરાધાર માગે (આકાશમાં) જનારા દેવને વિશ્રામ માટે હોય તે કિલ્લો કરાવીને સૂર્ય જેમ અંધકાર–સમૂહને દૂર કરે તેમ તેમની સઘળી ભીતિને દૂર કરી, કેમકે તેવા ઉત્તમ પુરુષોને જન્મ પ્રાણીઓના સુખ માટે હોય છે.
તે મંત્રીએ ત્યાં ત્રણે જગતનાં નેત્રને અમૃતાંજન જેવું, ચોતરફ રહેલાં ૧૭૦ જિનેન્દ્રોનાં મંદિરેવડે યુક્ત, ફરતી ધ્વજાઓથી શોભતું, સેનાના કલવડે અંકિત થયેલ, તેરણ–સહિત, પૂર્વજોની મૂર્તિયેથી યુક્ત, કૈલાસ પર્વત જેવું પાર્શ્વ જિનેશ્વરનું ચૈત્ય રચાવ્યું હતું. જે મંદિરના બલાનકમાં, હાથી પર આરૂઢ થયેલી, રૂપાનાં ફૂલની માળા હાથમાં લઈને રહેલી, સચિવેશની માતા કુમારદેવી, યુગાદીશ પ્રભુની માતા જેવી વિરાજે છે.
મંત્રી તેજપાલે ત્યાં ચાલુક્ય રાજા(વરધવલ)ના હૃદયને આનંદિત કરવાની ઈચ્છાથી બીજાં પણ પ્રશસ્ત કીર્તિ-સ્થાન કરાવ્યાં હતાં. કહ્યું છે કે –
તે સુકૃતીએ દર્ભાવતીપુરી(ડ)માં વૈદ્યનાથના આવ સમંડપ પર સેનાના ૨૧ કલશે સ્થાપ્યા હતા. વૈદ્યનાથ મહાદેવના ગર્ભગૃહની આગળ, પોતાના રાજા (વરધવલ)ની મૂર્તિ, તેની પ્રિયતમા(જયતલદેવી)ની મૂર્તિ, પોતાના લઘુબંધુની અને જ્યેષ્ઠબંધુની મૂર્તિ તથા પિતાની મૂર્તિ સાથે જેનચૈત્ય કરાવ્યું હતું. ત્યાં નવ ખંડવાળી ધરાને ઉદ્યોત કરવામાં સૂર્ય જેવા સેનાના પવિત્ર નવ કલશ કરાવ્યા હતા.
Page #86
--------------------------------------------------------------------------
________________
( ૩૦ ) ત્યાં કિલ્લાના પશ્ચિમ અને ઉત્તર દ્વાર પર પિતાનાં કીર્તિમંગલને પાઠ કરનારી બે પ્રશસ્તિ સ્થાપના કરી હતી.
તેણે સ્વાદુ પાણીથી શોભતી સ્વયંવર મહાવાપી કરાવીને પૃથ્વીને નવીન અમૃતના આસ્વાદવાળી કરી હતી.
વૈદ્યનાથ મંદિરના ઉત્તરદ્વાર આગળ (સફેદ) પાષાણેવડે ઉંચું તારણ રચાવ્યું હતું.
અહિં રાજગૃહની સામે આ મંત્રીના બંધુએ (વસ્તુપાલે) બે માળવાળી સેનાના કળશથી શોભતી ધર્મમાંડવી કરાવી હતી.
તથા આ મંત્રીએ પોતાના રાજાના કાલક્ષેત્રમાં રેવાના મેટા સંગમ પર( ચાણોદમાં), તેના નામવડે વીરેશ્વરનું દેવળ કરાવ્યું હતું.
નામના તીર્થમાં તપસ્વીઓના પાંચ મઠે સર્વ પ્રકારની ધર્મસામગ્રીથી યુક્ત કરાવ્યા હતા.” એમ દર્શાવતીની પ્રશસ્તિમાં જણાવ્યું છે. ત્યારપછી શ્રેષ્ઠ નશ્વર દ્વારા, ફૂલમાળથી પૂજાતે મંત્રીશ્વર
તેજપાલ, અનેક સિદ્ધો, ગંધર્વો અને પાવાગઢમાં નિવડે લેવાયેલા, તળાવો, નદીઓ, સ્મારક કુંડે અને વૃક્ષો વડે શોભતા, સદા
ફલ–વિલાસવાળાં સારાં સારાં વૃક્ષવડે પ્રાર્થના વિના પણ સર્વ અતિથિનું ગૈરવ કરનારા, પાવક નામના ગિરીવર ( પાવાગઢ ) પર ચડ્યો. એરાવણની જેમ સત્પાદ–સ્થિતિથી શોભતા તે પર્વતના શિખ૨પર ચડે તે પ્રઢ મંત્રી ઈંદ્ર જે ભતે હતે. પ્રશસ્ત મનવાળા કવિઓ વડે જેના ગુણે ગવાતા હતા અને
Page #87
--------------------------------------------------------------------------
________________
(૩૧) અપરિમિત દાનેવડે જે વિદ્વાનોની દુર્દશા ટાળતે હતે. ધર્મ ધુરંધરોમાં અગ્રણી એવા તે મંત્રીએ તે ગિરીંદ્રના અભુત શેભા-સમૂહને જોતાં અંત:કરણમાં વિચાર કર્યો કે –
“રાજાના સન્માનને પ્રાપ્ત કરીને જે મનુષ્ય, પિતાના રાજસ ભાવને તજી હિતકારક ધર્મમાં મગ્ન થતો નથી, તે કૃતદનને સુખ-સંપદાઓ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? કહ્યું છે કે-“ધર્મથી એશ્વર્ય પ્રાપ્ત કરનાર જે મનુષ્ય, ધર્મને જ હણે સ્વામિ-દ્રોહરૂપ પાતક કરનાર તે, ભવિષ્યમાં શુભ કેવી રીતે મેળવી શકે?”
વિમલ ઉદયવાળા, ઇંદ્રને જીતે તેવા તેજવાળા વિમલમંત્રીએ પૅઢ પ્રભુતાને પ્રાપ્ત કરીને જગતને આનંદ આપનારૂં, શ્રી આદિજિનેશ્વરનું ઉંચું ચિત્ય કરાવીને અબ્દ (આબૂ) પર્વતને વિમલાચલ જેવો કર્યો.
અમરેને પણ આશ્ચર્ય કરનારા, પુણ્યાત્મા પાસલિ મંત્રીએ અંબિકાના પ્રસાદથી જગને આહ્લાદ ઉપજાવે તેવા, નેમિનાથના પ્રાસાદને ઉદ્ધાર કરીને આરાસણ નામના પર્વતને રેવત દૈવત( ગિરનાર) જે ઉચ્ચ કર્યો.
જગતને જીવિતદાન આપનારા મારપાલદેવે તારંગપર્વતને, ચિત્રકૂટ(ચિત્તોડ) પર્વતને, ઈલદુર્ગ(ઇડરગઢ) ગિરીશ્વરને, સુવર્ણશિખર (સેનગિર-જાલેરગઢ)ને તથા પારકર પર્વતને વસુધાના આધારભૂત તીર્થરૂપ બનાવ્યા.
તેવી રીતે મારે પણ આ પર્વત (પાવાગઢ)ને અનું ચિત્ય કરાવીને ભવરૂપી સાગરથી તરવાની ઈચછાવડે તીર્થરૂપ કરે જોઈએ.
Page #88
--------------------------------------------------------------------------
________________
નાં કારણ કરી અને એક
(૩૨) જે તે પણ પર્વત, પૃથ્વીને આધાર હોવાથી લેમાં તીર્થ તરીકે કહેવાય છે, તે તે જૈનમંદિરથી પવિત્ર થઈને તેમ કહેવાય, તેમાં શું કહેવું? કહ્યું છે કે –“રેવતાચલ(ગિરનાર)નાં દર્શન કરતાં, શત્રુંજય ગિરિને નમન કરતાં, અષ્ટાપદ તીર્થનું સ્મરણ કરતાં, સંમેતગિરિનું ધ્યાન કરતાં, પાવકાદ્રિ(પાવાગઢ) પર ચડતાં અને અબુદાચલ (આબૂ)ને પૂજતાં પવિત્ર ચિત્તવાળા મનુષ્યનું કરડે ભમાં કરેલું પાપ ક્ષય પામે છે. ”
પુણ્યલક્ષ્મીના પાત્રરૂપ તે જ મનુષ્ય, પૃથ્વીમાં કેવડે ગવાય છે, કે જે સદ્ભાવવાળે પુરુષ, પહેલાં તીર્થને અવતાર કરે. જેઓ આદરપૂર્વક જિનમંદિર કરાવે છે, તેમાં વિવિધ બિંબ કરાવે છે અને ત્રણે જગતમાં જયવંત એવાં તે બિંબને જેઓ પૂજે છે, તે જ પ્રમોદ આપનારા પુણ્યપાત્ર છે” એમ વિચાર કરીને સુબુદ્ધિમાન તે મંત્રીએ (તેજપાલે) ત્યાં (પાવાગઢમાં) જગને આશ્ચર્ય ઉપજાવે તે સર્વતોભદ્ર નામને આહંત પ્રાસાદ કરાવ્યું.
સંપદાવડે ઈંદ્ર જેવા, પ્રતિષ્ઠિતેના પણ પૂજ્ય એવા તે મંત્રીએ તેજપાલે) કેટલાક મહિના સુધી ત્યાં રહીને દુને
૧ કેટલાક લેખકે એ સર્વભદ્ર જણવ્યું છે, તે બરાબર નથી. શિલ્પશાસ્ત્ર-વાસ્તુશાસ્ત્રના ગ્રંથોમાં સર્વતે ભદ્ર પ્રસાદને પરિચય મળે છે. આ વેતાંબર જૈનમંદિરની મૂર્તિયોને કેટલાક વેતાંબર જેનોએ કારણસર કેટલાંક વર્ષોથી ત્યાંથી ઉપાડી લઈ વડોદરાના દાદા પાર્શ્વનાથના મંદિરમાં સ્થાપ્યા પછી પાવાગઢના ઉપર્યુક્ત છે. જૈનમંદિરને દિગંબર જૈનએ દિ. મંદિર કરી પિતાને આધીન અધિકારનું કરી લીધું હોય એમ જણાય છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
( ૩૩ )
શાસન કરી ચાલુક્ય ભૂપાલ(વરધવલ)ના શાસનને પ્રચંડ બલ–પરાકમવાળા પલ્લીપતિ રાજાઓના મસ્તક પર આભૂષણરૂપ કરાવ્યું હતું. ત્યાર પછી હાથીપર ચડાવેલા પાંજરામાં રહેલ ઘૂઘુલને
લેકેમાં દર્શાવતા, પ્રૌઢ પરિવારથી યુક્ત ધોળકામાં મંત્રી તેજપાલ ળકા પહેચા, પ્રવેશોત્સવ, ત્યારે ત્યાં પ્રત્યેક મંદિરમાં ઘણે મેટે
ઉત્સવ પ્રવર્યો હતો. ઉંચે બાંધેલી પતાકાઓ વડે ચતુષ્પથ(ચોટ)ને શણગારવામાં આવ્યું હતું. વગાડાતાં મહાવાઘોવડે દિશાઓનાં મુખો વાચાળ બન્યાં હતાં. સામે આવેલા સમસ્ત રાજવવડે આગળ કરાચેલા, પૂજ્ય જયેષ્ઠબંધુવસ્તુપાલ)વડે પણ ભારે નેહથી પ્રીતિપૂર્વક આદર અપાયેલા, ગેખ( ઝરૂખા )માં આરૂઢ થયેલી નગરની નારીઓનાં નેત્રને ઉત્સવ આપતા તેજપાલે જયેષ્ઠબંધુ( વસ્તુપાલ)ના ચરણ-કમલને નમન કર્યું. વસ્તુપાલ પણ, તે વખતે ભાઈને અધિક સ્નેહપૂર્વક ભેટ્યા. સત્કૃત્યેની સ્થિતિ(ઉચિત કર્તવ્ય)માં કુશલ એવો તેજપાલ, વસ્તુપાલને આગળ કરીને આનંદિત થયેલા સ્વજને સાથે રાજમંદિરે પહોંચે.
નક્ષેત્રે જેવા સદાચારી ભૂપાલા(સામંત રાજાઓ)વડે સેવાયેલા, ઉદય પામેલા ચંદ્ર જેવા શોભતા વીરધવલ રાજા સામે મુક્તાફળે, ઘોડા, કરડે સોનૈયા વિગેરે વસ્તુ તથા દુર્યોધન જેવા ઉદ્ધત આકારવાળા, તેવા પ્રકારના ઘૂઘુલ રાજાને મૂકીને સર્વ સામતે સાથે તેજપાલે પચે અંગે વડે
Page #90
--------------------------------------------------------------------------
________________
( ૩૪ ) ભૂમિ-સ્પર્શી કરતાં મહારાણા વીરધવલને પ્રણામ કર્યાં. તેજસ્વી મુખ–ચંદ્ર ધારણ કરતા, હર્ષ વડે અમૃતરસ વર્ષાવતા મહારાણા ઉભા થઈ તેને ભેટ્યા. તેના પરાક્રમને સાંભળી ચમત્કાર પામેલા રાજાએ તેને જે સન્માન આપ્યું, તે કરાડા વચનદ્વારા પણ કહી શકાય નહિ.
સમસ્ત વિશ્વના દ્રોહ કરનારાઓમાં ધુરંધર, અતિપ્રચંડ ખાડુંદંડના શૈાર્ય વડે વિકટ આકૃતિવાળા, તેવા પ્રકારની અવસ્થામાં (પાંજરામાં—બંધનમાં) હાવા છતાં પણ દીનતાથી રહિત મુખદ્યુતિવાળા, ગેાધ્રાના રાજાને જોઇ, ઉજ્જવલ યશવાળા રાજાએ( વીરધવલે ) અંત:કરણમાં વિચાર કર્યાં કે—અહા ! ગાધ્રાના રાજાનું શરીર કેવુ તેજોમય છે ? ત્રણ જગપુર જય મેળવવામાં લાલસાવાળુ તેનું બાહુ–પરાક્રમ કેટલું બધું ઉચ્ચ પ્રકારનું છે ?
માનીના માનભગ.
ત્યાર પછી, તે ઘૂઘુલે જ ભેટ કરેલ કાજળની ડબ્બી અને કાંચળી સાથે શેાલતી સાડી રાજાના આદેશથી, ખજાનામાંથી મંગાવીને મહાન્ સચિવે( વસ્તુપાલે ) કુતૂહલથી સકળ રાજાઓના જોતજોતામાં ઘૂઘુલને પહેરાવી. જયલક્ષ્મીની ક્રીડાથી શાલે તેવા તેના કઠપીઠ પર હઠથી બંધાયેલ અ ંજનગૃહ( મેશનુ ઘરૂ –ડબ્બી )તે વખતે શાલતું હતું. મડલાધીશ્વર ( ઘઘુલ )પાતાના તેવા માન–ભંગ જોઇ, અત્યંત લજ્જિત થઈ પાતાના દાંતાવડે જીભ ખંડિત કરીને તે જ વખતે પ્રાણત્યાગ કરીને પૃથ્વીમાં યશઃશેષ થયેા( મરણ પામ્યા ).
૧ પ્રબંધકાશમાં જણાવ્યું છે કે–વીરધવલે કાજળનુ ધરૂ તેને ગળે બાંધ્યું અને વડાએ તેને સાડી પહેરાવી.
Page #91
--------------------------------------------------------------------------
________________
(૩૫) ચાલુક્ય રાજા(વરધવલ)ની રાજધાની ળકા)માં વધોપન–મહોત્સવ થયું. ત્યાર પછી, આણેલું તે સર્વ ધન, યથાયોગ્ય સ્થાનમાં સ્થાપન કરીને તેજપાલ, બંધુ (વસ્તુપાલ) સાથે ઉત્સવપૂર્વક પોતાને ઘરે આવ્યા. કૃતજ્ઞ રાજાએ(વરધવલે) અન્ય દિવસે મંડલેશ્વર
રાજાઓથી શોભતી સભામાં વસ્તુપાલ વિજયી વીરનું બંધુ સાથે સચિવાધીશ તેજપાલને બહુસમાન માનપૂર્વક બેલાવી પાંચે અંગે પર
* પ્રસાદ કરી કરેડ સેનૈયા સમર્પણ કર્યા. ત્યાર પછી રાજાએ તેજપાલના ગુણોની સ્તુતિ કરવા ઉત્તમ બ્રિજ કવીશ્વર સેમેશ્વર (ગુર્જરેશ્વર-પુરહિત કીર્તિક મુદીકાર ) તરફ દષ્ટિ–સંચાર કર્યો. તેથી તેણે પણ મનના ઉત્સાહપૂર્વક, ઉચો હાથ કરીને તેના સાચા સદગુણેની સ્તુતિ ઉચ્ચારી
કિચ્ચડથી દુઃખે પાર ઉતરાય એવા, પાણીથી ભરેલા, સેંકડે ખાડાઓથી વ્યાપ્ત એવા માર્ગમાં, ગાડું હાંકનાર ખિન્ન થાય એવી સ્થિતિમાં, ભાર અતિ વિષમ હોય અને કાંઠો દૂર હોય–આવા ગહન પ્રસંગ( કષ્ટભર્યા સંકટ સમય)માં ભાર વહન કરવા માટે ધવલ (ઉત્તમ વૃષભ, વીરધવલ) સિવાય બીજો કેણ સમર્થ થઈ શકે ? એ હું તર્જની(આંગળી) ઉંચી કરીને મોટા શબ્દવડે કહું છું–પૂછું છું.
પિતાના રાજા પ્રત્યે એકાંત ભક્ત (પૂર્ણ વફાદાર) એવા તેજપાલ સુમંત્રીએ ઉત્કટ કંટકથી વિકટ એવા ભૂમડલને સર્વ તરફથી સંશુદ્ધ કરીને પૃથ્વીને ન્યાયવાળી કરી,
Page #92
--------------------------------------------------------------------------
________________
(૩૬) કૃતિ જનને–સજજનેને પરમ વૃદ્ધિએ પહોંચાડ્યા-ઉન્નત કર્યા. વરધવલ રાજાના મંદિરને ઇંદ્ર જેવી સમૃદ્ધિવાળું કર્યું.
રજ-સમૂહ જેવા દુઃસ્થત્વ(દારિદ્ર)વડે કાલિમાને પ્રાપ્ત થયેલી, આશ્રિતોની મુખશ્રેણિને મંત્રી તેજપાલ, આંખના પ્રસન્ન પ્રાંતભાગવડે પ્રક્ષાલિત કરે છે–ઉજવલ બનાવે છે. - વીરધવલ, સમુદ્રપર્યત ભૂવલયના સ્વામી થાઓ, જે સુકૃતીએ અધરાજના પુત્ર(તેજપાલ)ને શ્રી મુદ્રાને અધિકારી કર્યો, કેમ કે લલાટ પર લખતાં વિધાતાને જે શ્રીકારનું વિસ્મરણ થઈ ગયું હતું, તે શ્રીકારને, વિશ્વ પર ઉપકાર કરવાના વ્રતવાળો આ(તેજપાલ) સજ્જનેમાં વિસ્તારે છે.
પૃથ્વીતલ પર પ્રાણીઓને સ્વસ્તિ-કલ્યાણના મંદિર જે, બલવાન જનેએ કરેલી સ્થિતિ(તેજ )નું પાલન કરતે, વસ્તુપાલ અનુજ( લઘુબંધુ) તેજપાલ છે; વિશિષ્ટ બુદ્ધિના સ્થાનરૂપ જેને જોઈને કામદકિ(રાજનીતિશાસ્ત્ર રચનાર) પિતાના ગુણ-સમૂહ પ્રત્યે બહુમાન ધરાવતા નથી અને સુપ્રસિદ્ધ ચાણક્ય પણ હૃદયમાં ચમત્કાર પામે છે.” १ " पृथ्वी न्यायवती कृता कृतिजनो वृद्धिं परां प्रापितः
चक्रे शकसमृद्धि वीरधवलक्षोणीभुजो मन्दिरम् । संशोध्योत्कटकण्टकालिविकटं भूमण्डलं सर्वतः
तेजःपालसुमन्त्रिणा निजविभोरेकान्तभक्तात्मना ॥" २ “ अस्ति स्वस्तिनिकेतनं तनुभृतां श्रीवस्तुपालानुजः
तेजःपाल इति स्थिति बलिकृतामुर्वीतले पालयन् । आत्मीयं बहु मन्यते न हि गुणग्रामं च कामन्दकिः
चाणक्योऽपि चमत्करोति च हृदि प्रेक्षाऽऽस्पदं वीक्ष्य यम् ॥" –આ લેક, આખૂની લૂણસહ-વસહી નામથી પ્રસિદ્ધ નેમિજિનમંદિરની પ્રશસ્તિ( ૦ ૪૯ )માં શિલાલેખમાં છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
(૩૭) મંત્રીની સ્તુતિથી પ્રસન્ન હૃદયવાળા થયેલા, દાનવીરેમાં અગ્રણી એવા રાજાએ(વિરધવલે) તે કવીશ્વરને તેના ઔચિત્ય સ્થાનમાં ૩ લાખ સેનયા આપ્યા.
ત્યાર પછી, રાજાને નમસ્કાર કરીને, તેના આદેશથી રાજાઓ( સામત )થી પરિવૃત થયેલ, પ્રોઢ હાથી પર આરૂઢ થયેલે, સારા વેત છત્રથી અને વીંઝાતા ચામરવડે શોભતા, આસપાસના શત્રુઓને ક્ષોભ પમાડતે, કીતિ–કલ્લોલ કરનારાઓને પગલે પગલે દાન આપતે, વડિલબંધુ(વસ્તુપાલ) સાથે શોભતે તેજપાલ, નિશાન(વાદ્યો)ના ધ્વનિપૂર્વક, જય જય શબ્દ થતાં, પિતાને ઘરે આવ્યું. આનંદિત થયેલી
બહેનેએ તેને નીરાજના(આરાત્રિક-મંગલ) ઉત્સવ કર્યો. મંત્રીએ પણ મહાદાનવડે તેમના મનોરથ પૂર્ણ કર્યા. ”
* મંત્રીશ્વર તેજપાલે અબુદાચલ મહાતીર્થ પર કરાવેલ લૂણસીહવસહિકા નામના નેમિનાથદેવ–ચૈત્યની જગતીમાં પિતાની ૭ બહેનના શ્રેય માટે પણ વિહરમાણુ અને શાશ્વત જિનેની પ્રતિમાઓથી અલંકૃત દેવકુલિકાએ વિ. સં. ૧૨૯૭ ચૈત્ર વ. ૮ શુક્ર પ્રતિષ્ઠિત કરાવી હતી. ત્યાંના શિલાલેખો પરથી ૧ ઝાલહણદેવી, ૨ માઉ, ૩ સાઉદેવી, ૪ ધણદેવી, ૫ સોહગા, ૬ વયજુકા અને ૭ પદ્મલા એવાં બહેનોનાં નામો જણાય છે. વિ. સં. ૧૨૮૭માં કવીશ્વર સેમેશ્વરે ઉપર્યુક્ત ધર્મસ્થાનની પ્રશસ્તિ [ લે. ૧૭ ]માં “ વાહૂ-
માતાક ઘવી-તો-વયgશા પ્રમજીવી વૈષો તેમના સહ સોઃ છે ” આ પ્રમાણે નામે સૂચિત કર્યા છે.
Page #94
--------------------------------------------------------------------------
Page #95
--------------------------------------------------------------------------
________________
પ્રાસ્તાવિક સાથે આ લેખમાં આવેલાં એ. વિશેષનામની અનુક્રમણિકા.
વિશેષનામ પૃષ્ઠ. [ વિશેષનામ પૃષ્ઠ, અકમ્બર [ પ્રા. ૩૩, ૪૧ ] | અંબિકા દેવી
૨૩, ૩૨ * , નામા [ પ્રા. ૪૩ ] અબુદાચલ=આબૂ
, પુર [ પ્રા. ૫, ૩૩ ] | અહંઐત્ય [ પ્રા. ૨૦] અકોટા [ પ્રા. ૫ ], ૨૮ અલ્લાઉદ(વ)દીન [પ્રા. ૩૬,૩૭]. અંક(ટ)ક [ પ્રા. ૫]
અશ્વરાજ=આસરાજ , પુરચતુરશીતિ ,
અશ્વાવબોધ [ પ્રા. ૧૧ ] અંગ્રેજ સરકાર (પ્રા.૪૩)
અષ્ટાપદતીર્થ અજિતનાથ-પ્રાસાદપ્રા. ૮], ૨૭
અસાઉલિ [ પ્રા. ૩૭] અંચલગચ્છ=વિધિપક્ષ
અહમ્મદાવાદ [ પ્રા. ૧૯, [પ્રા. ૯, ૧૧, ૨૧, ૨૪,૩૧, ૩૫] * ,, પટ્ટાવલી [ પ્રા. ૯, ૧૧ ]
૨૩, ૩૨, ૩૩] અણહિલપાટકપત્તન=પાટણ
*આચારાંગ સૂત્ર , પુર=
આદીશ્વર જિન-મંદિર ૨૮, ૩૧ , વાડ=
[ પ્રા. ૫, ૩૧ ] અનુપમાં
, ચતુર્વિશતિકા (પ્રા. ર૭]
આણંદ (દા.) [ પ્રા. ૨૫] અમરકીર્તિગણિ (કવિ)[પ્રા. ૬] | આનં(મું)દસમ [પ્રા. ૩૩] અમિતગતિ [ પ્રા. ૬ ] | આબૂ [પ્રા. ૧૦, ૧૧, ૧૪] અબડ ૨, ૬, ૧૩
૬, ૩૧, ૩૨, ૩૬ અંબપસાય (અંબાપ્રસાદ–આમ્ર | આમણૂ ગામ [ પ્રા. ૧૯ ]
પ્રસાદ) [ પ્રા. ૬] | આમ્રદેવ અંબા * આવી નિશાનીવાળા ગ્રંથ છે.
,
સરોવર
Page #96
--------------------------------------------------------------------------
________________
વિશેષનામ
આત્રભટ=અંઅડ
આરાસણ
*
,,
આય આ રક્ષિત સૂરિ આ તબિંબ
આલેખ્યપષ્ટ
આસદ ( મલિક ) આસધર ( મ ંત્રી)
આસરાજ
ور
૩૧
જિનમંદિર [પ્રા. ૧૪],૩૨
( ૪૦ )
در
પૃષ્ઠ.
વિહાર
,,
ઇંડિયન એન્ટિકવેરી
[પ્રા. ૫, ૩૫, ૩૬, ૪૩] * આ એન્ડ લેટર્સ [પ્રા.૧૨] ઇંડીઆ સેા. લંડન [ પ્રા. ૧૨ ] ઈંદ્રનંદિ સૂરિ [ પ્રા. ૨૩, ૨૭ ] ઈલદુ =ઈડરગઢ લિપ્રાકાર=,,
,,
ઉદયકિરણ ઉદયન મંત્રીશ્વર
[ પ્રા. ૧૨ ]
[ પ્રા. ૩૮ ]
[ પ્રા. ૨૧]
૩૬
ઈડરગઢ [ પ્રા. ૧૩, ૨૫], ૩૧
ના રાવ
[311. 32] *ઇષ્ટા સાધક [ પ્રા.૨૨, ૩૦] ઉગ્રસેનપુર=આગરા [ પ્રા. ૯ ] ઉજ્જયંત=ગિરનાર [ પ્રા. ૧૫ ] ઉત્ક્રાટ પુર=અકાટા ઉત્તમવિજય (પ'. ) [ પ્રા. ૩૫]
રાસ [ પ્રા. ૩૫]
૧૧
[ પ્રા. ૯ ] | *ઉપદેશતરંગિણી [ પ્રા. ૧૪ ]
]
[ પ્રા. ૨૦]
ઉમરવાણુ ગામ [પ્રા. ૧૮, ૩૭ ઋષભજિનેશ—ચૈત્યગૃહ [પ્રા. ૮] એ.ઇ.=એપિગ્રાફિ ઇંડિકા. [ વેા. ૨ ] [ પ્રા. ૩૧] ઐતિહાસિક રાસસંગ્રહ[પ્રા. ૨૨]
૫
[ પ્રા. ૨૪ ]
૨, ૬, ૧૩
વિશેષનામ
૫
ઉદયપ્રભસૂરિ ઉદયસાગર સૂરિ [ પ્રા. ૩૫ ]
ઉદ્ભવ
*
પૃષ્ઠ.
,,
* સજ્ઝાયમાલા [ પ્રા. ૩૩ ] ઓસવાળ જ્ઞાતિ [ પ્રા. ૯, ૩૨]
વંશ [ પ્રા. ૨૮ ]
""
કટેલિયા પાષાણ [પ્રા. ૯, ૧૦] કર્ણી (કૃષ્ણ) રાજા [પ્રા. ૬, ૭] ઉર વંશ
[ પ્રા. ૬ ]
,,
કનકતિ
[ પ્રા. ૪૫ ]
[ પ્રા. ૪૦ ]
[ પ્રા. ૨૩]
[ પ્રા. ૩૫]
[ પ્રા. ૫ ]
ક તાજી
કંપ યક્ષ
કમલ શાહ શેઠ
૩ રાજ કર્પટવાણિજ્ય=કપડવંજ
[ પ્રા. ૨૫ ]
કરમાકર્માં
કર્માશાહ (પ્રધાન) [પ્રા.૨૮-૩૧]
કલિકુંડ કલ્યાણસાગરસૂરિ
[ પ્રા. ૧૪ ] [ પ્રા. ૯ ]
Page #97
--------------------------------------------------------------------------
________________
૨૯ |
( ૪૧ ) વિશેષનામ પૃષ્ઠ. વિશેષનામ પૃષ્ઠ. *કાન્હડદે પ્રબંધ [ પ્રા. ૩૭] | ખેમા દેદરાણું [ પ્રા. ૨૨] કામંદકિ
૩૬*,, રાસ [ પ્રા. ૨૨, ૩૪ ] કામાદેવી [ પ્રા. ૧૯] ખેરાસાની [ પ્રા. ૩૯ ] કાલા [ પ્રા. ૩૨ ] | ગંગરાજેશ્વર [ પ્રા. ૧૯, ૩૬ ] કાલિકા દેવી (કાલકા માતા) | ગંગાદાસ–પ્રતાપવિલાસ ,
[ પ્રા. ૪૪-૪૫] ગંગાધર કીર્તિકૌમુદી
૩૫ ગદા સચિવ [ પ્રા. ૧૫ ] કીર્તિવલ્લભગણિ [ પ્રા. ૨૪] ક ગા. ઓ. સિ= કુમારદેવી
ગાયકવાડ ઓરિએન્ટલ મૂર્તિ ૩૦ | સિરીઝ [પ્રા. ૬, ૧૨, ૫, ૬ ,, સરોવર
૫ |
ગિરનાર [ પ્રા. ૨૦ ], ૪-૬ કુમારપાલ ૧૩, ૩૧
ગુજરાત [ પ્રા. ૧૯, ૩૭, ૩૯, કુર્કટેશ્વર [ પ્રા. ૧૪]
૪૦, ૪૬] ૧, ૨, ૪, કુતુબદીન [ પ્રા. ૨૨ ]
૬, ૭, ૯, ૧૦ કુંભકર્ણ મહારાણું [પ્રા. ૧૫-૧૭]
, ના રાજા ૧૦, ૧૧, ૨૪ કુંભેશ્વર તીર્થ ૩૦
ના સુલતાન [ પ્રા. ૧૯] કંરપાલ અમાત્ય [પ્રા. ૯]
ની રાજમાતા ૨ કુશલસંયમ ગણિ(પં.) [ પ્રા.૨૬] | * નો નાથ
[ પ્રા. ૪૫ ] | * , અર્વાચીન ઇતિહાસ[પ્રા. ૪૦] ૧૧
* પ્રાચીન ઈતિહાસ ૮ કૃણાજી [ પ્રા. ૪૦ ] કેશવ (મં.) [ પ્રા. ૨૧ ]
| * ,, સર્વ સંગ્રહ [પ્રા. ૩૬] કોઠારી [ પ્રા. ૧૨, ૨૫]
ગુણનિધાનસૂરિ [ પ્રા. ૩૧] કંસારીપુર [ પ્રા. ૩૨ ]
ગુણા (વા) લ [ પ્રા. ૬] ખંભાત [ પ્રા. ૨૬, ૨૭, |
ગુણવિજય [ પ્રા. ૩૪] ૩૧, ૩૨, ૩૭] , ગુણેયક [ પ્રા. ૧૨] ખરતરગચ્છ [ પ્રા. ૩૨ ] | * ગુરુગુણરત્નાકર કાવ્ય ખીમસિંહ (સંઘવી) [ પ્રા. ૧૯ ] ! [ પ્ર. ૧૪, ૧૭, ૧૮ ]
Page #98
--------------------------------------------------------------------------
________________
( ૪ ). વિશેષનામ પૃષ્ઠ. વિશેષનામ પૃષ્ઠ * ગુર્નાવલી [ પ્રા. ૧૨] | ચચ્ચિણિ [ પ્રા. ૬] ગૂર્જર જ્ઞાતિ, દેશ [પ્રા.૭, ૨૩] | * ચતુરશીતિ–પ્રબંધ છે ,, ધરિત્રી(ભૂમિ) [પ્રા. ૩૧] [ ક ચતુર્વિશતિ–પ્રબંધ=પ્રબંધકેશ ,, વંશ [ પ્રા. ૨૧] |
ચંદ્રકીર્તિ મુનિ [ પ્રા. ૬ ] ગૂર્જરેંદ્ર
ચંદ્રવંશ
૧૪ * ગૂર્જરેશ્વરના મંત્રીશ્વરે ૩
ચંપક દુર્ગ = ચાંપાનેર ગોદય=ગધ્રા
,, નગ(ય) ,, ગોદ્રહક=
, નેર દુર્ગ, ગોધરા= ,,
પુર ,, ગધ્રા [પ્રા. ૬-૮, ૩૭] ૭-૧૦, ,, મેરૂ= ,
૧૪-૧૬, ૧૯, ૨૧, ૨૭ ચહુઆણ વંશ [ પ્રા. ૧૮ ] ,, ને દુર્ગ ૨૫ | ચાણક્ય
૩૬ , રાજમહાલય ૨૬ ચાણોદ
ચારૂપ
[ પ્રા. ૧૪] છે, રાજા ૧૦, ૧૪, ૧૮, ૨૧,
ચાવડા
[ પ્રા. ૪૬) ૨૩, ૩૪
ચિંતામણિ મિશ્ર [પ્રા.૩૪-૩૫] * ગેઝિટ્ટીઅર [ પ્રા. ૩૬ ] |
ચામુંડ.
૧૨ ગૌર્જર દેશ [ પ્રા. ૩૧ ] | ચાંપસી મેતા (નગરશેઠ) ગૌર્જરરાજ=ગુજરાતના રાજા
[ પ્રા. ૨૩, ૧૨] ગ્યાસુદ્દીન સુલતાન [પ્રા. ૩૮].
[ પ્રા. ૩૭] ગ્વાલિયર [ પ્રા. ૪૨]
ચાંપાનેર પ્રા. ૯, ૧૨–૧૭, ૨૦ વૃધિલ=ઘૂઘુલ
૨૪, ૨૬-૨૯, ૩૧-૪૪] ઘૂઘુલ મંડલેશ્વર [ પ્રા. ૬ ] ૭,
* ,,નાં ખંડિયેરે [પ્રા. ૧૦, ૩૮]
ચાલુક્ય વંશ [ પ્રા. ૬, ૭] ૯,૧૦,૧૨-૧૬,૧૯-૨૬,૩૩,૩૪|
ચિત્કાશ [ પ્રા. ૨૦ ] ચક્રપાણિ
૧૧ | ચિત્રકૂટ દુર્ગન્નચિત્તોડ ચકેશ્વરી દેવી [ પ્રા. ૯ ] ] [ પ્રા. ૨૮-૩૧], ૮, ૩૧
ચોપ
Page #99
--------------------------------------------------------------------------
________________
(૪૩) વિશેષનામ પૃષ્ઠ | વિશેષનામ પૃષ્ઠ. ચીમનાજી [ પ્રા. ૪૧ ] | * , સ્તોત્રો [ પ્રા. ૧૨ ] ચૂણેલ ગામ [પ્રા. ૨૬ ] | જિનપ્રભસૂરિ [ પ્રા. ૧૮] ૫, ચૌલુક્ય =સેલંકી [ પ્રા. ૪૬ ] | જિનહર્ષ ગણિ ૮ ચૌહાણ રાજપૂત
જિનેશ્વર ૧૭, ૨૫ [ પ્રા.૩૬,૩૭,૪૬ ] જીરાપલ્લી(જીરાવલા)પ્રા.૧૩,૧૪] * છકમ્યુએસ [ પ્રા. ૬ ] |
જીર્ણ દુર્ગ (જૂનાગઢ) છાડા શેઠ [ પ્રા. ૧૯]
[ પ્રા. ૧૫-૧૭, ૨૨] છોટા ઉદેપુર [ પ્રા. ૩૬ ]
જીવરાજ [ પ્રા. ૩૨ ]
જુમ્મા મસજીદ [ પ્રા. ૮] જયકેસરી સૂરિ [ કા. ૨૪]
જેસલમેર [ પ્રા. ૨૭] જયચંદ્રસૂરિ [ પ્રા. ૧૯ ]
*જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યજય(જે)તલદેવી ૧૪, ૧૫
સંચય [ પ્રા. ૩૩ ] મૂર્તિ ર૯ | . જયંતસિંહ
! - , , રાસમાલા[પ્રા. ૩૫] ૪]
|| જૈન ધર્મ જ્યવંત શેઠ [ પ્રા. ૩૪] .
* ,, ,, પ્રકાશ ૧, ૩ જયસિંહ રાજા (જેસિંગ રાવળ)
, મંત્રીશ્વર [ પ્રા. ૧૫-૧૯, ૩૮ ]
.. સમાજ સિંહસૂરિ
|દિ. [ પ્રા. ૪૩ ] જર્નલ બે. સો. [ પ્રા. ૧૫] [ , . [ પ્રા. ૪૩-૪૫ ] જહાંગીર [ પ્રા. ૯] | *જૈનસાહિત્યસંશોધક [પ્રા. ૯] જહાંપનાહ કોટ [ પ્રા. ૪૧ ] | જૈન સ્તોત્ર સંગ્રહ [ પ્રા. ૧૫] જિન-પૂજા
૧૮ | * સ્તોત્રસદેહ [ પ્રા. ૧૩ ]. , પ્રાસાદ [ પ્રા. ૨૩ ] | * , જ્ઞાન-પ્રસારક મંડળ, પ્રા.૧૭
* જેની પ્રતિમા–લેખસંગ્રહ બુદ્ધિ. [ પ્રા. ૪૫ ] |
[ પ્રા. ૨૧, ૨૩ ] * સિદ્ધાંત [ પ્રા. ૨૪] / * , લેખસંગ્રહ નાહર [પ્રા. ૨૩]
૨, ૩
૧, ૩
6
બિંબ
મંદિર
Page #100
--------------------------------------------------------------------------
________________
(૪૪)
વિશેષનામ પૃષ્ઠ. | વિશેષનામ પૃષ્ઠ. * જ્ઞાતાસૂત્ર [ પ્રા. ૨૪ ] | તેજપાલ મહામાત્ય પ્રિા. ૫, ૬, ઝાંસી [ પ્રા. ૪૪ ] [ ૯-૧૧] ૧, ૩, ૪, ૬, ૭, ડભોઈ ૮, ૨૮, ૨૯ |
૧૦, ૧૧, ૧૪–૧૮, ૨૧-૩૦ ,, નું પાર્શ્વજિન–ચૈત્ય
૩૨, ૩૩, ૩૫, ૩૬ [ પ્રા. ૨૧, ૩૦ ] | તેજલપુર - નો કિલ્લે ૨૮, ૩૦ | તેજા
[ પ્રા. ૩૨] ડુંગરશી (દિવાન) [ પ્રા. ૩૯ ] | તોલાશાહ [ પ્રા. ૨૮] તપસ્વી જટાધર
ત્રિભુવનદીપક જિન–મંદિર તપાગચ્છ [ પ્રા. ૧૨–૧૫, ૧૯, |
[ પ્રા. ૧૫]
યંબકભૂપ [ પ્રા. ૩૭ ] ૨૧, ૨૩, ૨૫, ૩૨, ૩૩ ].
થંભણપુર–ખંભાત છે. (કુતબપુરાશાખા) [પ્રા.૨૭]
થીરૂશાહ
[ પ્રા. ૨૭] તપાગચ્છ પટ્ટાવલી [ પ્રા. ૩૪ ]
દર્ભાવતી ડભોઈ ૨૮-૩૦ » ભંડાર
, પ્રશસ્તિ * , લઘુ પૌ. પટ્ટાવલી
દાદા પાર્શ્વનાથ–મંદિર ૩૨ [ પ્રા. ૨૭, ૩૩ ] [
*દિગંબર જૈન ડાઈરેકટરી[પ્રા.૪૪]
0 5 Sછાપ 1 [, (વૃદ્ધ) [ પ્રા. ૨૭] |
| દિગંબર જૈન યાત્રાદર્પણપ્રિા.૪૪ *તપાગણપતિ-ગુણપદ્ધતિ[પ્રા.૩૪] તબકાતિ અકબરી [ પ્રા. ૩૫ ]
દિલ્લી [ કા. ૪૪, ૪૬ ], ૮ તરવાડા [ પ્રા. ૧૧ ]
દુર્યોધન તરકાણું [ પ્રા. ૩૭].
દુઃશાસન
૧૦ તાતિયા ટોપી [ પ્રા. ૪૩ ]. દેલવાડાનાં જૈન મંદિરો [પ્રા.૧૦] તારંગ પર્વત
દેવગઢ બારિયા [ પ્રા. ૩૬ ] તીર્થ–ક૯૫
૫ દેવરાય (મલ્લિકાર્જુન ૨ ) મુંબઈ [ પ્રા. ]
[ પ્રા. ૧૯]. * તીર્થ માલાસ્તોત્ર[પ્રા. ૧૦, ૧૧] | દેવસૂરિ [ પ્રા. ૧૮ ]
Page #101
--------------------------------------------------------------------------
________________
દેહદ
( ૫ ) વિશેષનામ પૃષ્ઠ. | વિશેષનામ પૃ. *દેશી નામમાલા
૬ | એ પ્રાસાદ ૩૧, ૩૬
[ પ્રા. ૪૩ ] | * , ફાગ દ્વારકા [ પ્રા. ૧૯ ] | *ન્યાયકંદલી–પંજિકા ૭ ધનદેવી
૩૭ પંચતીર્થી [ પ્રા. ૧૨ ] ધનરત્ન સૂરિ [ પ્રા. ૨૧, ૨૭ પંચમહાલ પ્રિા.૪૨-૪૩] ધરણાક [ પ્રા. ૨૩ ] પંચલાસા ગામ [ પ્રા. ૨૫ ]
, શાહ(સંઘપતિ) પ્રિા.૧૫,૧૮] [ *પંચાખ્યાન-સમુદ્ધાર [ પ્રા. ૨૧] ધર્મમાંડવી
૩૦ | પટ્ટાવલી-સમુચ્ચય [પ્રા.૧૭, ૩૪] ધર્માલ્યુદય મહાકાવ્ય ૫ ! * ,, સારોદ્ધાર [ પ્રા. ૩૪ ] ધૂસાક [ પ્રા. ર૭ ] ! પદમાઈ ૨૪, ૩૭ ધૂલકું [ પ્રા. ૩૭] પદ્મનાભ કવિ (પ્રા. ૩૭]
૭, ૩૩, ૩૫ પદ્મવિજય (પં) [ પ્રા. ૩૫] નગરાજ [ પ્રા. ૨૧ ] | પલીપતિ રાજાઓ ૩૩ નંદીશ્વર તીર્થ [શત્રુંજય પર] | પાટણ [પ્રા.૧૨,૧૯,૨૧,૩૩,૩૬]૭
[ પ્રા. ૧૦ ], ૫ | 2 ના ચિન્હેશ જે. સં. ભંડાર નંદુરબાર [ પ્રા. ૩૩ ]
[ ૧૨, ૧૫, ૨૧] નવલક્થાકાર ૧, ૨ |
* ,, જેન ભંડારોનું ડી. કર્યો. ૬ નાકર ઠાકુર [ પ્રા. ૩૧ || * ની ચડતી પડતી ૮ નાગર(ણાયર)કુલ [ પ્રા. ૬ ]
* ની પ્રભુતા
૨ નાડલાઈ [ પ્રા. ૨૭ ] નાયકડા [ પ્રા. ૪૨-૪૩]
પાતા શાહ [ પ્રા. ૨૫ ] નિગમાવિર્ભાવક [ પ્રા. ૨૩ ] પારકર પર્વત નિઝામુભુલ્ક [ પ્રા. ૪૦ ].
પારેખ [ પ્રા. ૩૨ ] નિત્યલાભ કવિ [ પ્રા. ૩૫ ] | પાર્શ્વજિન [ પ્રા. ૧૧ ] નિર્વાણુકાંડ [ પ્રા. ૪૫ ] |
મંદિર ૫, ૨૭ નેમિજિનેંદ્ર (જિદ) પ્રા. ૩૫] [ ,, (માતાના રૂપમાં રખાઈ નેમિનાથ જિન
હિંદુઓ વડે પૂજાતા) ૨૭
ધોળકા
*
*
*
Page #102
--------------------------------------------------------------------------
________________
( ૪ )
પાવકાચલ=
”
વિશેષનામ પૃ. વિશેષનામ | પૃષ્ઠ પાર્શ્વનાથ [ પ્રા. ૨૩ ] | પ્રતિકાસમ (પં) [ પ્રા. ૧૫ ] ", (સામળા)
પ્રબંધકાશ ૮, ૧૫, ૨૨, ૨૬, ૩૪ પાવક દુર્ગ=પાવાગઢ * , ચિંતામણિ [ પ્રા. ૧૦ ]
, પર્વત= ,, પ્રમોદસુંદરસૂરિ [ પ્રા. ૨૭ ] ,, ભૂધર= ,,
પ્રશસ્તિ
છે - શૈલ= ,
*પ્રાકૃતિદ્વયાશ્રય-વૃત્તિ છે પાવકગિરિ પાવાગઢ
પ્રાગ્વાટ જ્ઞાતિ પોરવાડ વંશ પાવક ગિરીશ્વર=પાવાગઢ , બૃહચ્છાખા ( વૃદ્ધ વીસા)
પ્રાચીન ગૂર્જર કાવ્ય-સંગ્રહ ૫ પાવકાદ્રિ= ,,
૯ ,, જૈન લેખ સંગ્રહ [ પ્રા.૧૪] પાવયગિરિ .
* , તીર્થમાલા સંગ્રહ [પ્રા. ૩૫] [૯,૨૦,૨૨,૩૪,૩૬] | પ્રાચ્યવિદ્યા–મંદિર ૧, ૯ *પાવાગઢ ૧૮, ૧૯[ પ્રા. ૩૯ ) |
ફલવધિ [ પ્રા. ૧૪ ] * , ચા પિવાડા [ પ્રા. ૩૯ ] | ફાર્બસ
[ પ્રા. ૮ ]. * , નો પ્રલય [ પ્રા. ૩૯ ] બડાદ્યાર્ચ મરાઠી સાહિત્ય [પ્રા.] , તીર્થ(સિદ્ધક્ષેત્ર)૮, ૩૦-૩૨.
બનારસ [ પ્રા. ૨૩ ]
બપભટિ [ પ્રા. ૧૮ ] ,, પતિ [પ્રા. ૩૬ ] *પાવાગઢને પ્રવાસ પ્રા. 31 ! બમ્બઇ પ્રાંતકે પ્રાચીન જૈન પાવાગિરિ [ પ્રા. ૪૪ ]]
સ્મારક [ પ્રા. ૪૫ ]
બલિ પાલિ મંત્રી
૩૧
બહાદુરશાહ–બાદ(ધ)શાહ *પીટર્સન રિપોર્ટ ૭
બારસા (ફિરંગી મુસાફર) પુંડરીકાચલ=શત્રુંજયપ્રા.૧૩,૩૧]
[ પ્રા. ર૭ ] પુરુષ
[ પ્રા. ૨૪] | બાલચંદ્રસૂરિ પૃથ્વીરાજ [ પ્રા. ૧૮ ] | બાદ(ધ)શાહ [પ્રા.૨૮,૩૧,૪૦] પોરવાડ વણિફ [૧૨, ૧૪, ૧૫, બુદ્ધિપ્રકાશ
૧૯, ૨૧, ૨૭, ૩૨], ૩ | બ્રહ્મદાય [ પ્રા. ૫] પિરવાડ વંશ [ પ્રા. ૨૪ ]] બ્રિટીશ સામ્રાજ્ય [પ્રા.૪૨,૪૬ ]
Page #103
--------------------------------------------------------------------------
________________
વિશેષનામ
ભક્તામર મહાસ્તે ત્ર *ભદ્રકાળી અથવા પાવાગઢના
ભાનુભટ્ટ
*ભારત ભ્રમણ
પ્રલય [ પ્રા. ૧૦, ૩૮ ] ભરુઅચ્છ=ભ
[ પ્રા. ૧૧ ] [311. 4 ]
[ ભા. ૪ ]
[ પ્રા. ૪૩ ]
[ પ્રા. ૩૧]
ભાવનગર
ભૃગુકચ્છ=ભરૂચ
ભીમ (મ.)
ભીમ
ભૂષણ ( વાદી ) ભાજ
( ૪૭ )
* પ્રભુધ
પૃષ્ઠ.
૨૩
૧૨
જીવનસુ'દરસૂરિ [ પ્રા. ૩૪, ૪૫]
[ ૧૨, ૧૩ ]
در
[311.29]
૧૬
[ પ્રા. ૧૪ ] [ પ્રા. ૨૪ ]
[ પ્રા. ૨૪ ]
મઝાદખાન
મણી
મ`ડલિક રા. [ પ્રા. ૧૫–૧૭ ]
મદાફર પાતસાહ [પ્રા.૨૪–૨૬] મયણલ્લા મલ્લિકાર્જુઈન (રાજ-પિતામહ)૧૩ મહાકાલી(લિકા) દેવી
૨
[ પ્રા. ૧૯, ૩૫ ]
મહાવિદ્યા—વિડંબન [ પ્રા. ૧૨] મહાવીર–મ ંદિર [ પ્રા. ૯, ૨૭ ]
.
વિશેષનામ મહિમુ(મૂ ) ( મેંમદ ) વેગડા
[પ્રા. ૨૧-૨૪, ૨૮, ૩૪,૩૮-૪૧] માદ [311.80]
,,
મહિમુદ [પ્રા. ૨૨,૨૫,૨૮,૨૯] મહીતટ (મહીકાંઠા) [ પ્રા. ૭ ] મહીયડ–મહીતટ
૯
૯, ૧૮
મ( મા )હેદ્રી નદી મહેન્દ્રસુરિ–મહિદ [પ્રા. ૧૦,૧૧]
માઊ
માંડવગઢ
માથુર સધ મારવાડ
૩૦
[311. 93]
[ 311. [ પ્રા. ૪૬ ]
માલવ=માળવા [પ્રા. ૧૩,૧૪,૪૬]
ના રાજા
૧૦
""
* મિરાતે અહમ્મદી [ પ્રા. ૩૫]
* મિરાતે સિકંદરી [પ્રા. ૩૫, ૪૦]
મુજ
પાતશાહ
[પ્રા. ૨૪,૨૫,૨૮,૪૦,૪૧]
મુજ
મુંજાલ મહામાત્ય મુનિચંદ્રસૂરિ મુનિસુ ંદરસૂરિ મુનિસુવ્રત જિન મ ંદિર
[ પ્રા. ૧૧ ], ૬ મુંબઇ ઇલાકાનું સરકારી કેળવણીખાતું [ પ્રા. ૩૬ ]
૧૬
ર
[ પ્રા. ૨૭ ]
[ પ્રા. ૧૨ ]
Page #104
--------------------------------------------------------------------------
________________
વિશેષનામ
પૃષ્ઠ.
મુંબઇ સરકાર [ પ્રા. ૩૬ ]
[ પ્રા. ૪૬ ]
૭
મુસલમાન
મુસલ્માની આક્રમણ આધિપત્ય
,,
મૂલરાજ રાજા મેદપાટ–મેવાડ [પ્રા. ૧૫-૧૭,૪૬]
મેધવિજય ઉ. [ પ્રા. ૩૪ ]
( ૪૮ )
યુગાદીશ-માતા યુધિષ્ઠિર *યુષ્મદસ્મપ્રયાગમય સ્તોત્ર
અવર્ણ
મેરુતુ ગરિ માગલ
યશોદા યશોવિજય જૈન ગ્રંથમાળા
[ પ્રા. ૧૪, ૧૫, ૨૨, ૩૫]
૨૯
૨૭
"2
રણથં ભાર
રતનપાલ
૭
૨૮
[ પ્રા. ૧૧ ]
[ પ્રા. ૪૬ ]
૧૧
રવિવધ ન
રાજપાલ
,,
[ પ્રા. ૧૮ ]
[ પ્રા. ૩૨ ]
રતલામ
[ પ્રા. ૧૩ ]
રત્નમંદિરગણિ [ પ્રા. ૧૪] રત્નશેખરસૂરિ [ પ્રા. ૧૪,૧૮ ]
[ પ્રા. ૧૫]
*રત્નસાર [ભા. ૨] [પ્રા. ૧૧] રત્નસિંહ
[પ્રા. ૨૮ ] રત્નાકરાવતારિકા-પંજિકા ૭
[ પ્રા. ૩૪ ] [ પ્રા. ૩૨ ]
વિશેષનામ
રાજપૂતાના રાજવિહાર રાજશેખરસૂરિ
*રાજાધિરાજ રાજાવલી–કાષ્ટક [પ્રા. ૨૨,૨૫]
[ પ્રા. ૧૪, ૧૮ ]
[ પ્રા. ૩૭]
પ્રા. ૪૫ ], ૮
[ પ્રા. ૩૬ ]
રાણપુર
રાતર રામકીર્તિ
રામગૌડ તુવાર
રામચંદ્રજી
22
રામદેવ
યુ.
[ પ્રા. ૪૬]
[ પ્રા. ૧૫
[
૧૮
[ પ્રા. ૪૪ ]
[ પ્રા. ૩૭ ]
[ પ્રા. ૫]
રાષ્ટ્રકૂટ વશ રાસમાળા [ પ્રા. ૩૬ ], ૮ રિ. લિ. આફ એ. રિ. ધી મેખે પ્રેસીડેન્સી [ પ્રા. ૪૩ ] રિસહજિણેસ–ચેઇહરઋષભજિનચૈત્યગૃહ [ પ્રા. ૮] રૈવંતદેવ ભટ્ટ
૧૦
રીડા
[ પ્રા. ૩૨ ]
સુત
ક્રૂરવતગિરિ–રાસ
રેવતાચલ રવત
• ૫, ૩૧, ૩૨
*,, કલ્પ [ પ્રા. ૨૧] રેવાકાંઠા પ।. એ. [ પ્રા. ૪૪ ] રેવારુ–સંગમ
૩૦
લક્ષ ( સંધવી ) [ પ્રા. ૧૫]
લક્ષ્મી
૧૧
Page #105
--------------------------------------------------------------------------
________________
લવ
લૂણસીહ
થી
૪, ૬
વિશેષનામ પૃષ્ઠ. | વિશેષનામ લક્ષ્મીરત્ન કવિ પ્રિા.૨૨,૨૩,૩૪]/ *, ને ધર્મપ્રેમ લક્ષ્મસાગરસૂરિ [પ્રા. ૨૦, ૨૫]
વત્રાપથ લટકણ [ પ્રા. ૩૨ ] | વાટ લલતાદે [ પ્રા. ૩૨ ] વાધાક
[ પ્રા. ૧૨ ] [ પ્રા. ૪૫ ] વાઘેલા
૮, ૧૬ લાટ(ડ)નરેંદ્ર [ પ્રા. ૪૫ ]] વાછો દુવે [ પ્રા. ૨૧] લાટેશ્વર [ પ્રા. ૫ ]
વાત્રક નદી [ પ્રા. ૩૮ ] લાવણ્યસિંહ
વાદીંદ્ર ભટ્ટ : [ પ્રા. ૧૨ ]
વિક્રમ (પ્રા. ૫) ૧૬ , વસહી ૬, ૩૬ ] વિક્રમ સં. (૫,૬,૧૧-૧૨,૧૪લોઢા ગોત્ર [ પ્રા. ૯]
૧૫, ૧૭–૨૫) વટ(૩)પદ્રક-વડોદરા વિકિરણ [ પ્રા. ૨૪ ] વડોદરા [પ્રા. ૫,૨૭,૩૦,૩૭,૩૯], | વિજયચંદ્ર ઉ. [ પ્રા. ૯ ]
૮, ૯, ૨૭, ૩૨ વિજયદેવ માહાસ્ય [ પ્રા. ૩૪] * ,, નો વૈભવ [ પ્રા. ૪૦ ] |
વિજયનગર [ પ્રા. ૧૯] * વનરાજ ચાવડે પ્રિ. ૩૭], ૩ વિજયપ્રશસ્તિ મહાકાવ્યપ્રા.૩૪] વનસર ગામ
વિજયસેનસૂરિ
૫ વયજુકા
(પ્રા. ૩૩ ) વર્ધમાન શેઠ [ પ્રા. ૨૪] વિધિપક્ષ-અંચલગચ્છ વલભી (વળા) [ પ્રા. ૫] વિદ્યામંડનસૂરિ
વસંતવિલાસ મહાકાવ્ય ૫ વિદ્યાસાગર ઉ. [ પ્રા. ૩૨ ] વસ્તુપાલ મંત્રીશ્વર [ પ્રા. ૧૧] વિનયમંડન ઉ. (પ્રા. ૩૫ ) ૩, ૪, ૬,૭, ૧૦, ૧૧, ૧૪
સૂરિ (પ્રા. ૩૦ ) ૧૭, ૩૩-૩૬
વિમલમંત્રી
૩૧ જ , ચરિત્ર [પ્રા. ૯], ૮, ૯, ૨૮ | વિમલાચલ (પ્રા. ૩૨ ) * ,, પ્રબંધ (પ્રા. ૧૦], ૮, ૨૮ | વિવેકાધીરગણિ પં.(પ્રા.૨૨,૨૫)
૩૭
Page #106
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) વિશેષનામ પૃષ્ઠ | વિશેષનામ | પૃષ્ઠ. વિશ્વામિત્રી નદી (પ્રા. ૩૬ ) | શત્રુંજય ગિરિ (પ્રા. ૨૦, ૨૧, વિષ્ણુશર્મા [ પ્રા. ૨૧ ]] ૨૮, ૩૦-૩૧ ) ૫, ૩૨ વિર–પ્રતિમા (પ્રા. ૧૦, ૧૧) | * *
3 | * ,, તીર્થોદ્ધાર પ્રબંધ
" [ પ્રા.૨૨, ૨૫, ૩૦, ૩૧] વિજાપુર (પ્રા. ૩૨) | * પ્રશસ્તિ શિલાલેખ વિરધવલ મહારાણા( જા) ૭,
[ પ્રા. ૨૫, ૩૧] ૧૦-૧૨, ૧૪-૧૪ ૨૪, ૨૬, શાંતિનાથ-પ્રાસાદ (પ્રા. ૧૨, ૩૧) ૩૩-૩૭
, બિબ (પ્રા. ૨૧). * ,, પ્રબંધ
શીતલનાથ , (પ્રા. ૨૩)
શીલવિય (પ્રા. ૩૫) વીરેશ્વર દેવાલય ૩૦ શુભશીલગણિ શીઘ્રકવિ વિસલદેવ મહારાણા(જા) ૬, ૭
(પ્રા. ૨૬, ૨૭)
શરદેવ વૃત્રાસુર
૧૪ ૨૨
શ્રીપાલ વેલ્લાક સંઘપતિ [પ્રા. ૧૩, ૧૪]
[ પ્રા. ૨૫]
શ્રીમંત સરકાર (પ્રા. ૫ ) વૈદ્યનાથ મહાદેવ
શ્રીશ્રીમાલજ્ઞાતિ [પ્રા. ૨૭] , આવસથ મંડપ
શ્રીશ્રીવંશ (પ્રા. ૩૧ ) છે, ગર્ભગૃહ
શ્રીહર્ષ કવિ (પ્રા. ૧૬ )
શ્રેયાંસનાથ મંદિર પ્ર. [પ્રા. ૯] સિકંદર પાતસાહ
સંખેશ્વર [ પ્રા. ૧૪ ] [પ્રા. ૨૧, ૨૫,૨૮]
* સંઘપતિ–ચરિત ૫ શકતૃપ સં. (પ્રા. ૫ )
સંઘર્ષ ગણિ (૫) (પ્રા. ૨૬) શકુનિકા–વિહાર ૬
સજજન શક્તિ [ પ્રા. ૧૯ ]
સત્યભામાં શતપદી–સમુદ્ધાર (પ્રા. ૧૧ ) | સદયવચ્છ [ પ્રા. ૨૩ ] શંભવજિન–સ્તવન [પ્રા. ૧૨-૧૩] સંપ્રતિ રાજા શંભવનાથ [ પ્રા. ૧૨-૧૪ ] | સંમેતગિરિ
,, મંદિર
Page #107
--------------------------------------------------------------------------
________________
વિશેષનામ પૃષ્ઠ.
સમલિકા—વિહાર [ પ્રા. ૧૧ ] *સયાજી સાહિત્યમાલા [પ્રા. ૩૮] * બાલ જ્ઞાનમાલા [ પ્રા. ૩૯ ] સતાભદ્ર આર્હત પ્રાસાદ
""
[ પ્રા. ૯, ૧૦ ], ૩૨
સહસા સંધવી ( પ્રા. ૧૯ ) સહસ્રકિરણ
(311.28)
સાણ
સાંગણ
સાચા દેવ
( ૫૧ )
,,
સાર્દૂલ
( પ્રા. ૨૫) સાધુ પૂર્ણિમાપક્ષ [ પ્રા. ૨૭ ] સાધુલબ્ધિ પ્રવર્તિની (પ્રા. ૧૯)
સાંત્
સાયર
સિક દરશાહ
સિા
સિદ્ધપુર
C
(311.28) ( પ્રા. ૧૪ ) ( પ્રા. ૪૧ )
[ પ્રા. ૨૪] (311.4)
સિદ્ધરાજ અને જૈને ’ ૪
[ પ્રા. ૫ ]
[ પ્રા. ૪૧–૪૩ ]
[311. 219]
સિદ્ધ્શમી
સિંધિયા
સિવા
૩૭
૧૨
સિંહસેન
સારાહી
૨૬
(પ્રા. ૩૨)
સુમતિકીર્તિ ( પ્રા. ૩૭) સુમતિસાધુસૂરિ ( ૨૩, ૨૫ )
|
વિશેષનામ પૃષ્ઠ. સુમતિસુંદરસૂરિ ( પ્રા. ૨૪ ) સુરત્રાણ (311. 20) સુવિધિનાથભંબ [ પ્રા. ૨૭ ]
સુલતાન
( પ્રા. ૧૩ ) [311. 4]
સુવર્ણ વર્ષ સુવર્ણ શિખરી=સેાનગિર ૩૧
સૂરત અંદર
(311. 38)
સાઝીંત્રા ગામ
[પ્રા. ૨૬ ] સેાનપાલ અમાત્ય (પ્રા. ૯ ) સામચારિત્રગણિ (૫) [પ્રા. ૧૪] સેામયસૂરિ (પ્રા. ૨૦ ) સેામદેવ ણિ ( વાચક )
,,
""
સૂરિ [પ્રા. ૧૨, ૧૫–૧૮] સામધાર ણિ (411.30) *સામાવમલસૂરિ રાસ ( પ્રા. ૩૩) સઝાય (311.33) સેામસુંદરસૂરિ [પ્રા.૧૨, ૧૫,૧૭] સૌભાગ્ય કાવ્ય (પ્રા. ૧૫ ) સેમસાગરગણિ પં. ( પ્રા.૧૪ ) સામાદિત્ય ભટ્ટ સામેશ્વર કવિ
(પ્રા. ૫)
૩૫
સાર
[ પ્રા. ૪૬ ]
સેાલકી રાજા ૧૦, ૧૫, ૧૬,
*
*
,,
૧૮, ૨૪, ૨૯, ૩૩
( પ્રા. ૨૫ ), ૩૭
સાહગા સૌભાગ્યહસૂરિ [ પ્રા. ૨૩ ]
Page #108
--------------------------------------------------------------------------
________________
( પર ) વિશેષનામ પૃ. | વિશેષનામ પૃષ્ઠ. સ્તંભતીર્થપુરખંભાત |
[ પ્રા. ૨૬ ] (પ્રા. ૧૧) | હાલ [ પ્રા. ૧૮ ] સ્તભંન પાર્શ્વનાથ જિનમંદિર | *હિસ્ટોરીકલ સ્કેચ ઑફ ધ હીલ (પ્રા. ૩ર) |
ફોટ્રેસ ઑફ પાવાગઢઇન ગુજરાત * સ્તભનંદ્ર-પ્રબંધ
[ પ્રા. ૩૫ ] સ્વયંભૂ શંભુ
હીરવિજયસૂરિ [ પ્રા. ૩૩ ]. સ્વયંવર મહાવાપી
૩૦ હિડાલા [ પ્રા. ૨૧ ]
હુમાયુ [ પ્રા. ૪૩ ] હમ્મીર
હેમચંદ્રાચાર્ય * ,, મદમર્દન
હેમવિજયગણિ (૫) [પ્રા. ૩૪) હમ્મીરદેવ [ પ્રા. ૧૮ ] [. હેમવિમલસૂરિ [ પ્રા. ૨૫, ૩૨ ] હર્ષ કુલગણિ (પં. શતાથ) | હેમસોમસૂરિ [ પ્રા. ૨૭, ૩૩ ]
- હંડાલા
Page #109
--------------------------------------------------------------------------
________________
પં. લાલચંદ્રજીનાં સાહિત્ય-સંશોધન, સંપાદન, અનુવાદ, લેખે વિ.
(૨૪ વર્ષની સાહિત્ય ડાયરી).
Page #110
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ–નામાદિ. અભિધાનચિંતામણિ (હૈમ પણ વિવરણ) પ્રેસીપી પાર્શ્વનાથ ચરિત (સં.) ભાવદેવસૂરિરચિત , સ્વાદિશબ્દસમુચ્ચય (સ્વાદિશબ્દદીપિકા સહિત) સંપાદન જેન–પ્રતિમા–લેખ-સંગ્રહ ભા. ૧ લેખન–સંશોધન
(જામનગર, ખંભાત વિ. ના) શુકસતિ પ્રા. ગુ. કવિરત્નસુંદરકૃત. વિ. પ્રેસકૅપી નલાયન, શતાથ વિ. પ્રેસકૅપીનું સંશોધન અભિધાનચિંતામણિ–શેષશબ્દ, ઐ.નામસૂચી, શુદ્ધિપત્રકવિ. ઉક્તિરત્નાકર (ઑક્તિક) પ્રેસકૅપીનું સંશોધન પ્રબુદ્ધરૌહિણેય, શાકુનસારે દ્ધાર, શકુનચોપાઈ વિ. પ્રેસકપી. ઉત્તરાધ્યયન (કમલસંયમે પાધ્યાયની વૃત્તિ સાથે)ની પ્રેસકૅપી
પંચમી-માહામ્ય (પ્રા. ને ગુ. અનુવાદ) ભા. ૧ ત્રિભુવનદીપક પ્રબંધ (પ્રા. ગુ. આધ્યાત્મિક) સંશોધન
ભરત–બાહુબલિ રાસ કર્તા શાલિભદ્રસૂરિ. પ્રેસકૅપી. સંબંધસતિ વૃત્તિસહિત ભાષાંતર વીર–ચરિત્રનાં સાધને (એ. લેખ) જેસલમેર ભાં. ગ્રંથસૂચી (સં. ઐ. પ્રસ્તાવના, અપ્રસિદ્ધ ગ્રંથ-ગ્રંથકૃત્પરિચય, પરિશિષ્ટાદિ સાથે) સંપાદન ક્ષમામુનિ-સ્તુત્યષ્ટક (સં.) ક્ષમામુનિ–ચરિત્રમાં
Page #111
--------------------------------------------------------------------------
________________
પ્રેરક પ્રકાશક સંસ્થા. યશોવિજય જૈન ગ્રંથમાલા
""
""
?
સ્વયં સંશાષિત પ્રકાશિત
પ્રેરક સ્વ. બુદ્ધિસાગરસૂરિજી
અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, મુંબઈ. ૧-૦-૦ ૧૯૭૨-૭૩
સ્વ. વિજયધમ સૂરિજી
૧૯૭૩
પ્રેરક વિજયે દ્રસૂરિજી ય. વિ. જૈન ગ્રંથમાળા, ભાવનગર.
""
""
ચલ
મૂલ્ય વિ. સત્ .
વારાણસી. ૪-૦૦ ૧૯૬૮-૩૦
૩૦-૦
૦-૧૦-૦
""
""
""
""
""
ખિકાનેર.
વડાદરા.
""
૧૯૭૧
૦-૫-૦
પ્રેરક ઇટાલિયન ડૅ. એલ. પી. ટેસીટેારી, અન્યત્ર પ્રકાશિત.
ભાવનગર.
ય. વિ. જૈન ગ્રંથમાળા, પ્રેરક વિજયેન્દ્રસૂરિજી તથા સં. મુનિરાજ જયવિજયજી જૈન ધર્માભ્યુદય ગ્રંથમાળા [૧], વડેાદરા.
૧૯૭૦
[૨] [દી. ખ. પ્રો. કે. હ. ધ્રુવદ્રારા પંદરમા શતકના ૦–૮–૦ ‘પ્રાચીન ગૂર્જરકાવ્ય’માં દ્વિતીય આવૃત્તિરૂપે સંમાનિત.] ( વિ. સં. ૧૨૪૧ નું પ્રા. ગૂ. વીરરસમય અપ્રસિદ્ધ કાવ્ય ) જૈન આત્માનંદ સભા,
ભાવનગર.
,,
""
""
૧૯૭૪
૧૪-૦-૦ ૧૯૭૫-૨૦
93
23
,,
જૈન’
,,
ગાયકવાડ એરિએન્ટલ સિરીઝ ન. ૨૧ વડેાદરા ૩-૪-૦ ૧૯૭૯
[ વિદ્વજન–સન્માનિત ]
જૈન ધર્માભ્યુદય ગ્રંથમાળા,
૧૯૭૮
""
૧૯૮૦
Page #112
--------------------------------------------------------------------------
________________
ગ્રંથનામાદિ. જેનપ્રતિમા–લેખ સંગ્રહ (ભા. ૨ જે) સંશોધન પ્રેરક સ્વ. બુદ્ધિસાગરજી પ્રાચીન ગુજરાતી ભાષાને ઈતિહાસ (અપ્રકટ લેખ) ચૌલુક્ય રાજાઓના સંવત [ પરિશિષ્ટ ૨ ] બાલશિક્ષા (ઔકિતક લેખ) સાધનમાલા [ભા. ૧] સંપાદક 3. ભટ્ટાચાર્યને સંશોધન-સહાયતા
'માનસોલ્લાસ [ ભા. ૧] સંપાદક શ્રીયુત શ્રીગેડેકરને તત્ત્વાખ્યાન ઉત્તરાર્ધ કર્તા ન્યાયતીર્થ ઉ. મંગલવિજ્યજી, સંશોધન સં. વ્યાકરણ
, જૈન ઐ. ગૂર્જરકાવ્યસંચય (અવશિષ્ટ સાર) પાટણચૈત્યપરિપાટી (પ્રસ્તાવના પર ટિપ્પણ તથા સંશોધન) શત્રુંજયતીર્થને ઉદ્ધારક સમરસિંહ (એ. લેખ )
જગશાહ (ઐ. લેખ) નલવિલાસ નાટક કર્તા મહાકવિ રામચંદ્ર
| (સં. વિસ્તૃત ઐ. પ્રસ્તાવના સાથે ) સિદ્ધરાજ અને જેને (ઍ. વિસ્તૃત લેખ) શ્રીકેસરિયા અપભ્રંશ કાવ્યત્રયી (પ્રાકૃત, અર્ધમાગધી, અપભ્રંશ, દેશી ભાષાઓ, જિનવલ્લભસૂરિ, જિનદત્તસૂરિ વિ.
વિસ્તૃત ઐ. ભૂમિકા સાથે) સંપાદન વીર-રાસ. કે. અભયતિલકગણિ. [ પ્રા. ગૂ. છાયા ભીમપલ્લીનું વીર-મંદિર ઐ. નામના પરિચય સાથે ]. મહાવીર-જયંતી (બોરસદમાં પ્રમુખસ્થાનેથી વ્યાખ્યાન) ભારવિનું (૭) ભદિકાવ્ય
Page #113
--------------------------------------------------------------------------
________________
પ્રેરક પ્રકાશક સંસ્થા અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ,
સ્થલ પાદરા.
મૂલ્ય વિ. સંવત. ૧-૦-૦ ૧૯૮૦
પુરાતત્ત્વ
અમદાવાદ.
૧૯૮૦-૮૧
૧૯૮૧
ગા. એ. સિ. નં. ૨૬
વડેદરા.
પ-૦-૦
,
ભાવનગર.
, નં. ૨૮
૨-૧૨-૦ ય. વિ. ગ્રંથમાળા,
૩-૦–૦
૪–૯–૦ જેન આત્માનંદ સભા, ભાવનગર. ૩-૧૨-૦ હંસવિજયજી જૈન ફી લાયબ્રેરી, અમદાવાદ. ૦–૬–૦ જેનયુગ, મુંબઈ. [મુનિરાજ જ્ઞાનસુંદરજી દ્વારા હિંદીભાષામાં અનુવાદિત ] જેન, ભાવનગર. ગા. એ. સિ. નં. ૨૯ વડોદરા.
૨-૪–૦ [જેન વે.એ. બે મુંબઈની સે. પરીક્ષા (ધો. ૫, વિ. ૬)માં સ્વીકૃત ] જેન, ભાવનગર અનેક સાક્ષરથી સન્માનિત.] ૧૯૮૩-૮૫ » , ગા. ઓ. સિ. નં. ૩૭ વડોદરા. ૪-૦-૦ ૧૯૮૩ [પ્રતિષ્ઠિત વિદ્વાનેથી પ્રશસિત,
બી. એ. ની અર્ધમાગધી પરીક્ષામાં સ્વીકૃત.] જેનયુગ, મુંબઈ.
૪-૦૦
૧૯૮૩
Page #114
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ-નામાદિ. સાધનમાલા [ ભા. ૨ ] સંપાદક ડૉ. ભટ્ટાચાર્ય મહાશયને
સંશોધનમાં સહાયતા આરામશોભા-ચરિત્ર (ઐ. પ્રસ્તાવના ) નાટ્યદર્પણ (કર્તા પં. રામચંદ્ર, ગુણચંદ્ર) સંશોધન ભાવનાસંધિ અપભ્રંશ ક. જયદેવમુનિ
મિ. મધુસૂદન મોદી એમ. એ. ને સંશોધનાદિમાં સહાયતા વરસ્તોત્ર અપ. ગુ. છાયા રાજ-સેવકને ધર્મ (સં. નો ગુ. અનુવાદ ) જિનપ્રભસૂરિ અને સુલતાન મહમ્મદ (ઐ. લેખ)
, , દ્વિતીય આવૃત્તિ ઉપકેશગચ્છ–પ્રબંધ (સં. ને હિંદી અનુવાદ) ત્રિષષ્ટિ શ. પુ. ચ. ઇ. [ પર્વ ૧ ] માં
અમેરીકન વિદુષી મિસ હેલન એમ જોહન્સનને સહાયતા પ્રાકૃતભાષાની ઉપયોગિતા (મનનીય નિબંધ)
નર-નારી સંધ (પ્રા. ગૂ. અનુવાદ સાથે) જેનોને દાન-ધર્મ (અપ્રસિદ્ધ લેખ) શ્રી સયાજીરાવ-હીરક મહોત્સવ–અભિનંદન–પ્રશસ્તિ (સં.) ગુજરાતના વીર મંત્રી તેજપાલને વિજય
( ગધ્રા, પાવાગઢ અને ચાંપાનેરના અપ્રકટ ઈતિહાસ સાથે.) ગૂજરેશ્વરના મંત્રીશ્વર જૈન તીર્થોને સચિત્ર ઈતિહાસ (પ્રથમ ભાગ શત્રુંજય) પાટણના જેન ભંડારાનું વિસ્તૃત સૂચિપત્ર
(ગ્રંથોના આદ્યન્ત ભાગ અને ઐ. પરિશિષ્ટો સાથે) અલંકારમોદધિ (કર્તા નરેંદ્રપ્રભસૂરિ)
Page #115
--------------------------------------------------------------------------
________________
પ્રેરક પ્રકાશક સંસ્થા ગા. એ. સિ. નં. ૪૧
સ્થલ વડોદરા
મૂલ્ય વિ.સંવત૯-૦-૦ ૧૯૮૪
જેન હઠીસિંહ સરસ્વતી સભા, ગા. એ. સિ. નં. ૪૮ એ. ભાં. એ. રિસર્ચ ઈ.
અમદાવાદ. વડોદરા. પૂના.
૪–૮–૦
૧૯૮૫
મુંબઈ વડોદરા. ભાવનગર.
૦–૬–૦
૧૯૮૬
જૈનયુગ છે. વિનયતષ ભટ્ટાચાર્યજી જૈન પૌપ્ય મહત્સવ અંક પ્રેરક મુનિરાજ હરિસાગરજી , , જ્ઞાનસુંદરજી જેન એ. ગા. ઓ. સિ. નં. ૫૧
૧૯૮૭
જ્ઞાનભંડાર, જોધપુર. વડોદરા.
જૈનધર્મ–પ્રસારક સભા, ભાવનગર.
૧૯૮૮ [અનેક વિદ્વાને, મુનિરાજે, પત્રકારે, પ્રો. વિ.થી પ્રશસિત ] કાઠીપળ, જૈન સંધ વડોદરા.
૧૯૯૦ ધર્માધિકારી કચેરી,
૧૯૯૧ સયાજી વિજ્ય તા. ૧૩-૬-૩૫ જૈન ધર્મભ્યદય ગ્રંથમાળા [૩] ભાવનગર. ૦–૮–૦ ,
ચેડા વખતમાં પ્રસિદ્ધ થશે.
ગા. એ. સિ.
વડોદરા.
Page #116
--------------------------------------------------------------------------
________________ નિવેદકઅભયચંદ ભગવાનદાસ ગાંધી. હેરીસરેડ, ભાવનગર (કાઠિયાવાડ).