________________
( ૨૨ )
લજ્જા અને દાક્ષિણ્ય ધારણ કરનારા, શુદ્ધવંશમાં ઉત્પન્ન થયેલા, ભુજપરાક્રમવડે શેાલતા ૧રાજાએ( સામા)ને ઉદ્દેશી ખેલ્યા કે વૃત્રાસુર જેવા ક્રૂર અને સાહસસ'પદાના પૂર જેવા આ ઘૂઘુલે દેવસેના જેવી આપણી સેનાને નસાડી મૂકી, તેા આ સ્થાનમાંથી નાસતાં આપણી શી ગતિ થાય ? સજ્જને દુશ્મનાને પીઠ દેતા નથી અને પરનારીઆને વક્ષ:સ્થલ દેતા નથી. આ રણ–સીમમાં અત્યારે કોઇ પણ શરણુ નથી. તેથી અહિં મરવું અથવા જયલક્ષ્મીને વરવુ એ જ યુક્ત છે. પૃથ્વીમાં અને શુદ્ધ પક્ષવાળા તે જ ક્ષત્રિયા પ્રશંસા કરવા ચેાગ્ય ગણાય છે, જે ધારા(તરવારની ધારરૂપ ) તીર્થમાં અભિષિક્ત થયા છતા યશરૂપી ચંદનવડે ચર્ચિત થાય છે. પેાતાના રાજાના ઋણથી રહિત થઈને વિશ્વમાં અતિશય સૌભાગ્યવાળા તે દેવપણુ પ્રાપ્ત કરીને દેવાંગનાઓથી પરવર્યા છતા હર્ષ પામે છે; અથવા રણુરંગમાં દુર્દામ દ્વેષીઓના દેહના લેાહીરૂપી કુંકુમેાવડે ભૂષિત અંગવાળા થઈ વિજયલક્ષ્મીને સેવે છે. કહ્યુ` છે કે—
‘યુદ્ધમાંથી પાછા ન ફરનારા, સ્વામિના કાર્યમાં મરનારા સેવાને સ્વર્ગમાં અક્ષય વાસ અને ધરણીતલ પર કીર્તિ થાય છે.’ સ્વામી માટે પ્રાણાના પરિત્યાગ કરનારા ઉત્તમ સેવકે તે ગતિને પ્રાપ્ત કરે છે; કે જે ગતિને યવા ( યજ્ઞ કરનાર ) કે ચેાગીએ પ્રાપ્ત કરી શકતા નથી. તેથી આપણે અત્યારે આદરવાળા થઇને તેવા પ્રકારનું ઉચિત કરીએ, કે જે બ્યદ્વારા જગત્માં જય મેળવનાર, અતિશય જ્યેષ્ઠ ગુજરેદ્ર લાજે નહિ.”
૧ પ્રબંધકાષમાં છ રાજપૂતા સૂચવ્યા છે.