________________
( ૪ )
૧ર૭૬થી ૧૨૯૬ સુધી મંત્રીશ્વર વસ્તુપાલની તથા વિ. સં. ૧૩૦૪ સુધી તેના લઘુબંધુ તેજપાલની અસાધારણ સેવાનુ સદ્દભાગ્ય ગુજરાતને મળ્યું હતું. એ મંત્રીશ્વરાના સુપુત્રા જયંતસિંહ અને લાવણ્યસિંહ વિગેરેની સેવા પણ તેમાં સંમિશ્રિત થયેલી હતી. ગુજરાતના એ સપૂત વફાદાર બહાદૂર અને દાનવીર ધનિષ્ઠ મંત્રીશ્વરાના સદ્ગુણભર્યા સત્ક વ્યમય ઇતિહાસને—સાચા સપૂર્ણ જીવન-ચરિત્રને આલેખવું એ એક અસાધારણ કાર્ય છે. એમનાં જીવનનુ કંઇક દિગદર્શીન એમના સમકાલીન અને નિકટવતી અનેક કવીશ્વરાએ વિશ્વસનીયરૂપમાં સ. અને પ્રા.માં તથા પ્રા. ગુ. માં, ગદ્યમાં અને પદ્યમાં ગ્રથિત કરેલુંછે; જે અનેક ગ્રંથામાં, પ્રશસ્તિયેામાં અને શિલાલેખામાં સદ્ભાગ્યે હાલ પણ ઉપલબ્ધ થાય છે. તેને સુવ્યવસ્થિત, સુસંકલિત, સુસબદ્ધ કરવામાં સુપ્રતિભા સાથે વિશિષ્ટ પરિશ્રમ અને અવકાશ જોઈએ. આ લેખકે આઠેક વર્ષ ઉપર ‘વીરમંત્રી વસ્તુપાલના ધર્મ પ્રેમ ’ ( જૈન ૧૯૨૬ મે )માં તથા ‘સિદ્ધરાજ અને જેના ’ ( જૈન ૧૯૨૭ મે) નામના લેખમાં પ્રસંગવશાત્ ઉપર્યુક્ત મંત્રીશ્વર વસ્તુપાલ સ ંબંધમાં તથા તેમની કીર્તિ વિસ્તારનારા કવિઓની કૃતિચેાની નામાવલી તરફ અંગુલિ-નિર્દેશ કર્યા હતા. અહીં માત્ર તેજપાલની એક શૈાર્ય કથા દર્શાવવા પૂરતા પ્રયત્ન છે. મંત્રીશ્વરનાં સ્મારકા.
*
ગિરનારમાં
મંત્રીશ્વર તેજપાલે કેટલાંક ચિરસ્થાયી વિશિષ્ટ સ્મારકે કરાવ્યાં હતાં તેમાંનાં કેટલાંક અદ્યાપિ વિદ્યમાન પણ છે. મુખ્ય આ પ્રમાણે જાણવામાં આવ્યાં છે તેણે ગિરનારની