Page #1
--------------------------------------------------------------------------
________________
પરમતત્ત્વની ઉપાસના
-: સંયોજક :પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.
-: પ્રકાશક :
શ્રી વર્ધમાન તત્ત્વજ્ઞાન વિદ્યાલય
પો. વાંકી, તા. મુન્દ્રા (કચ્છ), પીન : ૩૭૦ ૪૨૫. ફોન : (૦૨૮૩૮) ૨૭૮૨૪૦, ૨૭૮૨૮૪
Page #2
--------------------------------------------------------------------------
________________
જે પુસ્તક : પરમતત્વની ઉપાસના
પ્રકાશકીય |
* સંયોજક :
પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.
+ પ્રકાશક તથા પ્રાપ્તિસ્થાન :
શ્રી વર્ધમાન તત્ત્વજ્ઞાન વિદ્યાલય પો. વાંકી, તા. મુન્દ્રા (કચ્છ), પીન : ૩૭૦ ૪૨૫. ફોન : (૦૨૮૩૮) ૨૭૮૨૪૦, ૨૭૮૨૮૪
કે દ્રવ્ય સહાયક :
શ્રી વર્ધમાન તત્ત્વજ્ઞાન વિદ્યાલય વાંકી તીર્થ (કચ્છ).
પ્રથમ સંસ્કરણ : વિ.સં. ૨૦૩૭ દ્વિતીય સંસ્કરણ : વિ.સં. ૨૦૬૫, કારતક સુદ-૫,
તા. ૦૩-૧૧-૨૦૦૮, સોમવાર
આપણો આત્મા અનાદિકાલથી આ દુઃખમય સંસારમાં ભમી રહ્યો છે, તેનું મુખ્ય કારણ આત્માનું અજ્ઞાન છે.
એ અજ્ઞાનનું નિવારણ અને જ્ઞાનાનંદમય આત્માના શુદ્ધ સ્વરૂપનું પ્રકાશન કેમ કરવું ? તેનું યથાર્થ માર્ગદર્શન સર્વજ્ઞકથિત શાસ્ત્રો કે એ શાસ્ત્રોના અભ્યાસી સંગુરુઓ દ્વારા જ મળી શકે છે.
શ્રીમદ્ દેવચન્દ્રજી મહારાજકૃત આ ચોવીસીમાં આપણને આત્મવિકાસલક્ષી સાધનામાં નિતાંત ઉપયોગી તત્ત્વજ્ઞાન અને જિનભક્તિ વિશે અપૂર્વ પ્રકાશ જોવા મળે છે.
આત્મલક્ષી સાધનાના ક્ષેત્રમાં ઉપાદાન અને નિમિત્ત અથવા નિશ્ચય અને વ્યવહાર આ બંને સમાન ઉપયોગી છે. ક્યારે, કઇ રીતે સાપેક્ષપણે એકને પ્રધાન અને બીજાને ગૌણ સ્થાન આપવું, તેની સૂઝ અને સમજણ જેટલી વધુ સ્પષ્ટ અને વિશદ હોય છે, તેટલા પ્રમાણમાં સાધનામાં ઊંડાણ અને વેગ આવે છે.
આ ચોવીસી પરમાત્મભક્તિ વિશે આપણને નવી દૃષ્ટિ આપે છે. પરમાત્માની સંપૂર્ણ શરણાગતિ સ્વીકાર્યા સિવાય કોઈ પણ આત્મા પોતાનું હિતકલ્યાણ સાધી શકતો નથી.
શ્રી જિનેશ્વર પરમાત્મા વીતરાગ અને પૂર્ણ કૃતકૃત્ય છે, તેથી જ તેઓ જગતના જીવોના કલ્યાણમાં પરમ હેતુરૂપ છે, તેમની શરણાગતિ
સ્વીકારી ભવ્ય આત્મા પ્રભુના અચિંત્ય સામર્થ્યના પ્રભાવે શીધ્ર જિક, શક, કઈક કa e Bક પરમતત્ત્વની ઉપાસના * 3 કિ.ક. જો કે,
* નકલ : ૫૦૦
* મૂલ્ય : રૂા. ૯૫/
Tejas Printers F/5, Parijat Complex, Swaminarayan Mandir Road, Kalupur, AHMEDABAD-380 001. PH. (079) (0) 2172271 (R) 29297929 (NJ) 98253 47630
Page #3
--------------------------------------------------------------------------
________________
| જિનભક્તિનો મહિમા
-
૧
ભવસાગરનો પાર પામી જાય છે. એટલે કે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થઇ જાય છે.
પ્રભુના નામની કે તેમની મૂર્તિની ઉપાસના-પૂજા કોઇ માને યા ન માને, કોઇ કરે યા ન કરે, પરંતુ તેનો જે અચિંત્ય પ્રભાવ છે, અદ્ભુત મહિમા છે, તેનો અમલાપ – ઇન્કાર કોઇનાથી પણ કરી શકાય તેમ નથી.
શુભ અને શુદ્ધ આશયથી કરવામાં આવતી પ્રભુની સ્તુતિ, પૂજા , ભક્તિ આત્માને પવિત્ર બનાવે છે, શુદ્ધ બનાવે છે. ભગવદ્ ભક્તિની પરાકાષ્ઠાએ પહોંચેલો ભક્ત એક દી સ્વયં ભગવાન બને છે. આ છે પ્રભુની ભક્તિનો મહિમા !
આ ચોવીસીની રચના ગુજરાતી ભાષામાં હોવા છતાં તેમાં જે તત્ત્વજ્ઞાન પીરસવામાં આવ્યું છે, તે ઘણું જ ગંભીર અને રહસ્ય ભરપૂર છે. જિનાગમના સૂક્ષ્મ બોધ સાથે જેણે પ્રભુભક્તિમાં તન્મયતા સાધી હોય, તેવા મહાત્મા પુરુષો જ તેના અર્થગાંભીર્યને અને રહસ્યોને સમજી જીવનમાં તેને અનુભવી શકે છે અને બીજાઓને પણ સમજાવી શકે છે.
પૂ. આચાર્યદેવ શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ પણ પ્રભુભક્તિના રસમાં સદા ઓતપ્રોત રહેનારા એક મહાત્મા પુરુષ છે. તેઓશ્રીએ પોતાના સ્વાધ્યાય અર્થે કરેલું આ ચોવીસીનું લખાણ આજે પ્રકાશિત થઇ રહ્યું છે, તે તત્ત્વજિજ્ઞાસુઓ માટે ખૂબ જ પ્રેરક અને ઉપકારક બની રહેશે.
તત્ત્વજ્ઞાન ગર્ભિત ભક્તિનાં પ્રેરક અને પોષક આ સ્તવનોનાં ગાન, ચિંતન, મનને અને પરિશીલનમાં આપણે જેમ જેમ ઊંડા ઊતરતો જઇશું, તેમ તેમ પ્રભુના અચિંત્ય અને અદ્ભુત સામર્થ્યનો પ્રભાવ શું છે તે જીવનમાં સાક્ષાત અનુભવી શકીશું.
આ પુસ્તકમાં પ્રેસદોષ યા અમારી ગેરસમજથી કોઇ ક્ષતિ રહી જવા પામી હોય તો તે બદલ ક્ષમા યાચીએ છીએ, અને આવા અણમોલ ગ્રંથોને પ્રકાશિત કરવાની સોનેરી તક એમને વારંવાર મળતી રહે તેવી આશા વ્યક્ત કરીએ છીએ.
જૈન જયતિ શાસનમ્ !
- પૂ.આ.શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. જિનભક્તિ મુક્તિનું પ્રધાન અંગ છે.
મોક્ષપ્રાપ્તિનું સરળ, સચોટ અને સુરક્ષિત સાધન કોઇ હોય, તો તે પરમાત્મભક્તિ છે, જિનેશ્વર પરમાત્માની સેવા-પૂજા-ભક્તિ કરનાર ભક્ત પણ અનુક્રમે જિન - ભગવાન બને છે.
ભક્તિની આ કબૂલાત છે : “તમે જેની ભાવથી ભક્તિ કરો, તેના જેવા તમે બનો." ભગવાનની ભક્તિ કરનાર ભક્ત સ્વયં ભગવાન બને છે. ભક્તિ નિષ્કામ - મોક્ષલક્ષી હોવી જોઇએ.
| સર્વ આગમ-શાસ્ત્રોનો સાર ભક્તિયોગ છે. પરમાત્માની સ્તવનાપૂજા-સેવા કરવાથી ચિત્તની નિર્મળતા થાય છે, પરમાત્મા પ્રત્યે પ્રીતિ અને ભક્તિ વધે છે. તે વધવાથી સાધક ક્રમશઃ ધ્યાનયોગની સાધનામાં સરળતાથી પ્રવેશ કરી તેમાં પ્રગતિ હાંસલ કરી શકે છે.
DEઈ }¢S,kat ShikA }at...D: J ...DURA }¢Sc SeaUA }#H2: JJ
પૂજા કરતાં સ્તોત્રનું, સ્તોત્ર કરતાં જપનું, જપ કરતાં ધ્યાનનું અને ધ્યાન કરતાં લયનું અનુક્રમે કરોડગણું અધિક ફળ કહ્યું છે.
સ્તોત્ર - સ્તુતિપૂર્વક જપ કે ધ્યાન કરવાથી વિશેષ એકાગ્રતા પેદા થાય છે. અનુષ્ઠાનની અપેક્ષાએ પૂજામાં પ્રીતિ-અનુષ્ઠાન, સ્તોત્રમાં ભક્તિ-અનુષ્ઠાન, જપ કે ધ્યાનમાં વચન-અનુષ્ઠાન અને લયમાં અસંગઅનુષ્ઠાનનું પ્રાધાન્ય હોય છે. શાક, , , , પરમતત્ત્વની ઉપાસના * 5 . . . . . .
ક.દક, શ
ક
પરમતત્વની ઉપાસના * 4
|
ક ક
, છ
,
Page #4
--------------------------------------------------------------------------
________________
આ ચારે અનુષ્ઠાનના નિરંતર અભ્યાસ દ્વારા જે આત્મા પરમાત્મા બને છે, અને મુક્તિપદને વરે છે.
પ્રાથમિક કર્તવ્યરૂપ ગણાતાં દેવદર્શન, પ્રભુપૂજા, મંત્રજાપ અને અભક્ષ્યત્યાગ આદિ નિયમોના ગ્રહણ-પાલન પાછળ પણ આ જ શુભ ઉદ્દેશ રહેલો છે કે તે દેવદર્શન ઇત્યાદિ દ્વારા જીવોની યોગ્યતા વિકસે, તેમનામાં પરમાત્મા અને સદ્દગુરુ આદિ પૂજ્ય તત્ત્વો તરફ અંતરંગ પ્રીતિ અને અંતરંગ ભક્તિ ઉત્પન્ન થાય.
પ્રીતિ એ પાયાની વસ્તુ છે. પ્રીતિ વિના ભક્તિ પ્રગટતી નથી, અને તે બંને વિના શાસ્ત્રનાં વચનો પ્રત્યે આદર-બહુમાન પ્રગટતા નથી; કે શાસ્ત્રવચનોના પાલનનું સામર્થ્ય પણ પ્રગટતું નથી અને શાસ્ત્રોક્ત અનુષ્ઠાનના આસેવન વિના અસંગ દશા પ્રાપ્ત થતી નથી; અસંગ દશા વિના કર્મક્ષય થતો નથી, કર્મક્ષય વિના કેવળજ્ઞાન અને મોક્ષ મળતાં નથી. માટે જ પ્રત્યેક મુમુક્ષુએ સૌથી પહેલાં આરાધ્ય તત્ત્વો પ્રત્યે પ્રીતિ અને ભક્તિ પેદા કરે તેવાં અનુષ્ઠાનોનું આદરપૂર્વક સતત સેવન કરવું જોઇએ.
પરમ ગીતાર્થ જ્ઞાની મહર્ષિઓએ આ હકીકતને સમજાવતાં સંખ્યાબંધ સ્તોત્રોની રચના કરી છે. પોતાના જાતઅનુભવને શબ્દદેહ આપી અને ભક્તિયોગનું અતિશય મહત્ત્વ બતાવ્યું છે.
જૈન દર્શનમાં આવશ્યક સૂત્રો તરીકે પ્રસિદ્ધ ‘લોગસ્સ’ અને ‘નમુત્થણં' વગેરે સૂત્રોમાં, તેમજ સ્તોત્રોમાં શ્રી ગણધર ભગવંતોએ જિનભક્તિનો જે અપાર મહિમા ગાયો છે અને પરમાત્મા પ્રત્યે જે ભક્તિસભર હૃદયે પ્રાર્થના પોકારી છે, તે નિમ્નોક્ત દાખલાઓથી પણ સમજી શકાય છે, તથા તેઓશ્રીએ “લોગસ્સસૂત્ર-નાસ્તવમાં ચોવીસે જિનેશ્વર ભગવંતોનાં કીર્તન, વંદન, પૂજન કરીને તેમની પાસે પરમ આરોગ્ય, બોધિલાભ અને ઉત્તમ સમાધિની યાચના કરી છે, તેમ જ એજ ગણધર ભગવંતોએ ‘નમુસ્કુર્ણ-શર્કસ્તવમાં ભાવજિન અને દ્રવ્યજિનના અદ્ભુત ગુણોનું વિશિષ્ટ રીતે વર્ણન કરવાપૂર્વક શ્રી જિનેશ્વર ભગવંતોની ભાવભરી સ્તુતિ કરી છે, અને ‘ચૈત્યસ્તવમાં સ્થાપનાદિન(જિનપ્રતિમા)નાં વંદન, પૂજન સત્કાર અને સન્માન માટે કાયોત્સર્ગ કરવાનું વિધાન કર્યું છે. એક છોક કોક કોક છોક પરમતત્ત્વની ઉપાસના * 6 el tiple times
તદુપરાંત “શ્રુતસ્તવમાં જિનાગમ-જિનવચનની સ્તુતિ કરવામાં આવી છે, અને ‘સિદ્ધસ્તવમાં સિદ્ધ ભગવંતો વગેરેની સ્તુતિ કરેલી છે.
આ બધાં સૂત્રોનો પ્રતિક્રમણ, દેવવંદન, ચૈત્યવંદન આદિ ક્રિયાઓમાં અહર્નિશ ઉપયોગ થાય છે.
- ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી પણ પાર્શ્વનાથ પ્રભુને સ્તુતિ કરતાં કહે છે કે “હે મહાન યશસ્વી શ્રી પાર્શ્વનાથ પ્રભુ ! આ રીતે મેં ભક્તિ ભરપુર હૃદયે આપની સ્તુતિ કરી છે, તો હે દેવાધિદેવ ! તેના ફળરૂપે મને ભવોભવ બોધિરત્ન આપો !''
‘કલ્યાણમંદિર’ સ્તોત્રમાં શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજ પ્રભુના નામનો મહિમા બતાવતાં કહે છે : “અચિંત્ય મહિમાવંત છે ભગવાન ! આપની સ્તુતિ તો શું, આપના નામના સ્મરણમાત્રાથી પણ ભીષણે ભવભ્રમણથી જગતના જીવોનું સંરક્ષણ થાય છે.”
આ રીતે અનેક સાધક મહર્ષિઓએ પરમાત્મ-પ્રીતિ અને પરમાત્મભક્તિનો અપૂર્વ મહિમા ગાયો છે અને આત્મલક્ષી સર્વ સાધનાઓની સફળતામાં પરમાત્મ-ભક્તિને અને તેમની કૃપાને જ આગળ કરી છે.
- સામાન્ય લોકોને પણ પ્રેરક બની રહે તે માટે ગુજરાતી, હિન્દી વગેરે ચાલુ લોકભાષામાં પણ જિનભક્તિના અચિંત્ય મહિમાને વર્ણવતી થોકબંધ કૃતિઓ જ્ઞાની મહર્ષિઓએ રચી છે. તેમાં યોગીરાજ શ્રી આનંદઘનજી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, શ્રીમદ્ દેવચન્દ્રજી, પંડિત શ્રી જ્ઞાનવિમલસૂરિજી આદિ મહાત્માઓની કૃતિઓ વિપુલ સંખ્યામાં ઉપલબ્ધ છે, જેનું ગાન-પાન કરીને ભાવુક આત્માઓ આ પરમાત્મપ્રીતિ અને પરમાત્મભક્તિના રસમાં તરબોળ બની વર્તમાનમાં પણ અલૌકિક આનંદ અનુભવે છે. * યોગદષ્ટિએ પ્રભુસ્તુતિનું મહત્ત્વ :
પ્રભુની સ્તુતિ, ગુણસ્તવના, પ્રાર્થના પણ અધ્યાત્મયોગ છે. પ્રભુસ્મરણ, તત્ત્વચિંતન, આત્મનિરીક્ષણ આદિ શારાવિહિત જે ધર્મ-અનુષ્ઠાનો આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવાના હેતુથી કરવામાં આવે છે, તે ધર્મઅનુષ્ઠાનો અધ્યાત્મયોગ છે અને તે સર્વ પ્રકારના યોગોમાં વ્યાપક છે. મુક કથા . જો , પરમતત્વની ઉપાસના * 7 ક જો જો. જો કે જો
Page #5
--------------------------------------------------------------------------
________________
‘દેવવંદન’ અને [ષ આવશ્યકરૂ૫] ‘પ્રતિક્રમણ’માં અંતર્ગત ‘ચતુર્વિશતિ સ્તવ’ એ જિનસ્તુતિરૂપ છે, અને ‘વંદનક’ એ ગુરુસ્તુતિરૂપ છે. મંત્રજાપને પણ દેવતાસ્તવનો જ એક પ્રકાર કહ્યો છે, તેથી તે પણ ‘અધ્યાત્મયોગ’ છે. તેનો નિત્ય નિયમિત વારંવાર અભ્યાસ કરવો એ ‘ભાવનાયોગ’ છે. તેના ફળરૂપે અશુભ ભાવોની નિવૃત્તિ અને શુભ ભાવોની અભિવૃદ્ધિ થતાં ધ્યાનયોગનું સામર્થ્ય પ્રગટે છે. ધ્યાનયોગના સતત અભ્યાસથી સર્વ પ્રસંગોમાં સમતા, સમભાવ પ્રાપ્ત થાય છે અને તેના પ્રભાવે અનુક્રમે ક્લિષ્ટ અને અશ્લિષ્ટ સર્વ વૃત્તિઓનો ઉચ્છેદ થાય છે.
‘યોગવિંશિકા'માં બતાવેલા સ્થાનાદિ પાંચ યોગો પણ ચૈત્યવંદન વગેરે ક્રિયાઓમાં અંતભૂત થઇ જાય છે, તે આ પ્રમાણે : (૧) સ્થાનયોગ : ચૈત્યવંદનાદિ ક્રિયાઓ યોગમુદ્રા, જિનમુદ્રા કે મુક્તા
શુક્તિમુદ્રાઆસનવિશેષ]પૂર્વક કરવાની હોય છે, એ સ્થાનયોગ છે. (૨) વર્ણયોગ : ચૈત્યવંદનાદિ ક્રિયામાં બોલાતાં સૂત્રો-સ્તોત્રો કે સ્તુતિ
ઓના પવિત્ર શબ્દો (સંપદાઓ વગેરે) સ્પષ્ટ અને શુદ્ધોચ્ચારપૂર્વક
બોલવાના હોય છે, એ વર્ણયોગ છે. (૩) અર્થયોગ : બોલાતાં સૂત્ર કે સ્તોત્રનો મનોમન અનિશ્ચય કરવો,
અથવા પદ, વાક્ય, મહાવાક્ય, ઐદંપર્યાર્થ અને તાત્પર્યાર્થ વડે ચૈત્યવંદનાદિનું પરિશુદ્ધ જ્ઞાન થવું, એ અર્થયોગ છે. આલંબનયોગ : ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનોમાં પ્રભુપ્રતિમાં આદિ બાહ્ય શુભ આલંબનને સન્મુખ રાખી તેમાં એકાગ્ર બનવું, એ આલંબનયોગ છે. આ યોગ દ્વારા કાયાની ચપળતાના ત્યાગ સાથે
મન, વાણી અને દૃષ્ટિની સ્થિરતા અને નિર્મળતા સધાય છે. (૫) અનાલંબનયોગ : ઉપરોક્ત ચારે યોગોના સતત અભ્યાસથી તેના
ફળરૂપે જે નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ અવસ્થા પ્રગટે છે, તે અનાલંબનયોગ છે.
આ પાંચ પ્રકારના યોગો (૧) ઇચ્છા, (૨) પ્રવૃત્તિ, (૩) સ્થિરતા અને (૪) સિદ્ધિ કોટિના હોઇ શકે છે, એટલે આ પાંચે યોગોને ઇચ્છાદિ ચાર વડે ગુણવાથી તેના વીસ ભેદ થાય છે. એક છોક કોક , શક પરમતત્વની ઉપાસના 8 8 = 9 ક જj
ઇચ્છાદિ ચાર પ્રકારના યોગોનું સ્વરૂપ : (૧) ઇચ્છાયોગ : સ્થાનાદિ યોગવાળા સાધકોની કથા અથવા વાત
સાંભળીને તેમના પ્રતિ હર્ષ-પ્રમોદ થવા સાથે સ્વજીવનમાં આવી
ઉત્તમ ધર્મક્રિયા-યોગપ્રક્રિયા સાધવાની ઇચ્છા ઉત્પન્ન થવી તે. (૨) પ્રવૃત્તિયોગ : સર્વત્ર સર્વ અનુષ્ઠાનોમાં ઉપશમભાવપૂર્વક સ્થાનાદિ
યોગોનું શાસ્ત્રવિધિ પ્રમાણે પાલન કરવું તે. (૩) સ્થિરતાયોગ : અનુષ્ઠાનોમાં કોઈ પણ અતિચાર-દોષ સેવ્યા વિના
અખ્ખલિતપણે, અખંડિતપણે પ્રવૃત્તિ થવી તે. (૪) સિદ્ધિયોગ: સમીપવર્તી અન્ય સાધકોમાં પણ સ્થાનાદિયોગને સિદ્ધ
કરવાનું સામર્થ્ય પ્રગટ થવું તે.
આ રીતે ઇચ્છાદિના ભેદથી સ્થૂલદૃષ્ટિએ સ્થાનાદિયોગના વીસ ભેદ થાય છે અને સૂક્ષ્મદૃષ્ટિથી વિચારતાં તો ઇચ્છાદિના તારતમ્યને કારણે સ્થાનાદિયોગના સ્વાસ્થાનમાં અસંખ્ય પ્રકાર પણ ઘટી શકે છે. તેનું કારણ એ છે કે મુમુક્ષુસાધકોને તથા પ્રકારના ક્ષયોપશમ વિશેષથી સ્થાનાદિ યોગના જેવા જેવા પ્રકારનાં શ્રદ્ધા, પ્રીતિ, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષાદિ યોગો થાય છે, તેવા તેવા પ્રકારના તેને ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ યોગો પ્રાપ્ત થાય છે.
ટૂંકમાં ઇચ્છાદિ યોગોની તરતમતાએ તથાવિધ ક્ષયોપશમજન્ય શ્રદ્ધા વગેરેની વિશેષતાને કારણે થાય છે, જેને જેને જેવા જેવા પ્રકારનો ક્ષયોપશમ થયો હોય છે તેને તેવા તેવા પ્રકારની ઇચ્છા વગેરે થાય છે.
સ્થાનાદિ યોગોમાં પ્રણિધાન (એકાગ્રતા) થવાથી ચૈત્યવંદન, પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ ભાવાત્મક બને છે; તેને ભાવચૈત્યવંદન આદિ કહેવાય છે. અને તે અમૃત અનુષ્ઠાનરૂપ હોવાથી, મુમુક્ષુ સાધકને અવશ્ય અનાવલંબનયોગ પ્રાપ્ત કરાવીને અનુક્રમે મોક્ષસુખ આપનાર બને છે.
આ રીતે સ્થાનાદિ યોગોમાં ભક્તિયોગની પ્રધાનતા છે, તેના વિના શેષ યોગો પણ વાસ્તવિક રૂપે ફળદાયી બનતા નથી.
શરણાગતિ અને સર્વસમર્પિતભાવ પણ ભક્તિયોગનાં જ અંગ છે. શરણગમનપૂર્વક સ્વદુષ્કૃતની ગહ અને સુકૃતની અનુમોદના કરવાથી કરેલ છ, જ, ઝ, છો કે પરમતત્ત્વની ઉપાસના * 9 ક ક ક ક sleele
Page #6
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વાદિ પાપોનો પ્રતિઘાત-નાશ અને સમ્યગ્ દર્શનાદિ ગુણોનું બીજાધાન થાય છે.
એકાંતે શરણ કરવાયોગ્ય પરમાત્માની શરણાગતિ એ ભક્તિનું બીજ છે અને ભક્તિ એ સર્વ યોગોનું બીજ છે.
ગ્રંથ પરિચય :
પ્રસ્તુત ગ્રંથમાં વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થંકર પરમાત્માઓના અસાધારણ ગુણોની સ્તુતિ-સ્તવના કરવા સાથે તેમણે પ્રતિપાદન કરેલા વિશિષ્ટ તત્ત્વજ્ઞાનમય ભક્તિમાર્ગ ઉપર સુંદર પ્રકાશ પાથરતાં ચોવીસ સ્તવનો-કાવ્યો છે અને તેની સાથે આ ચોવીસે સ્તવનોનો સરળ ગુજરાતીમાં અર્થ તથા ભાવાર્થ પણ આપવામાં આવ્યો છે, જેનું એકાગ્ર ચિત્તે ગાન, વાચન અને મનન કરવાથી અરિહંત પરમાત્મા પ્રત્યે હૃદયમાં અત્યંત આદર-બહુમાન પ્રગટવા સાથે અપૂર્વ પ્રીતિ, ભક્તિ અને ભાવોલ્લાસ પેદા થાય છે અને ધ્યાનયોગની અનેક ગુપ્ત ચાવીઓ - સૂક્ષ્મ રહસ્યો પણ જાણવા મળે છે. આ ચોવીસ સ્તવનોમાં પ્રતિપાદન કરેલા જુદા જુદા વિષયોની અને આત્મસાધનામાં અત્યંત ઉપયોગી રહસ્યથી ભરપૂર બાબતોની સંક્ષિપ્ત નોંધ આ પ્રમાણે છે.
(૧) પ્રીતિ સર્વ સાધનાનો પાયો છે. પણ એ પ્રીતિ કેવી હોવી જોઇએ, તેની રીત પ્રથમ સ્તવનમાં બતાવી છે.
ભૌતિક સુખ-સાધનાની કામનાથી કરેલી પ્રીત એ ઝેરીલી પ્રીત છે. આવી પ્રીત તો પ્રત્યેક જીવાત્મા અનાદિ કાળથી કરતો જ રહ્યો છે. ભૌતિક ઇષ્ટ પદાર્થો અને તેના ઇષ્ટ સંયોગોની પ્રીતિથી આત્મા વધુને વધુ દૂષિત બને છે - મિલન બને છે. ઝેર ચડવાથી જેમ માણસ સાનભાન ભૂલી જાય છે અને પ્રાણો પણ ગુમાવે છે, તેમ સકામ પ્રીતિથી જીવાત્મા આત્મજ્ઞાન ભૂલી જાય છે અને તેના જ્ઞાનાદિ ભાવ પ્રાણો નષ્ટ પણ થાય છે.
પરમ ગુણી પરમાત્મા સાથે તેમનામાં રહેલા કેવળજ્ઞાનાદિ મહાન ગુણો પ્રત્યે અથાગ આદર-બહુમાન કેળવવાપૂર્વક તેવા ગુણો મારા આત્મામાં પણ પ્રગટે એવી ઉદાત્ત ભાવનાથી પ્રીતિ કરવી જોઇએ.
પરમતત્ત્વની ઉપાસના * 10
ભૌતિક પદાર્થોની સ્પૃહાવાળી પ્રીતિ વિષભરી છે. આત્મિક ગુણોની સ્પૃહાવાળી પ્રીતિ અમૃતભરી છે. પૌદ્ગલિક પ્રીતિ જેટલા અંશે તૂટે છે તેટલા અંશે પરમાત્મા સાથે પ્રીતિ જોડાય છે.
પરમાત્મા સાથેની પ્રીતિ એ લોકોત્તર પ્રીતિ છે, અને એ પ્રીતિ પ્રશસ્તરાગ છે. તેવી પ્રીતિથી આત્મગુણોની વૃદ્ધિ થાય છે, અને તેવી પ્રીતિથી ક્રમશઃ પરમાત્માની એકતારૂપ, તન્મયતારૂપ પરાત્પર તાત્ત્વિક ભક્તિ ઉત્પન્ન થાય છે.
પરમાત્માની પ્રીતિ, ભક્તિ અને આજ્ઞાપાલનરૂપ સેવા એ આત્મગુણોની પૂર્ણતા અને પ્રભુતાને પ્રાપ્ત કરાવે છે, અવિનાશી સુખ આપે છે, વગેરે હકીકતો આ પહેલા સ્તવનમાં કહેલી છે.
(૨) બીજા સ્તવનમાં કાર્ય-કારણ-ભાવની વ્યવસ્થાનું સુંદર સ્વરૂપ બતાવી મોક્ષપ્રાપ્તિમાં પરમાત્મા પુષ્ટ-નિમિત્ત કારણ છે, એ વાત સિદ્ધ કરી છે. આત્માની ઉપાદાન જ્ઞાનાદિ શક્તિઓનું પ્રગટીકરણ પરમાત્મદર્શનાદિ શુભ નિમિત્તોના યોગે જ થાય છે.
જેમ બકરાના ટોળામાં રહેલો બાલસિંહ સ્વજાતિ સિંહના દર્શન વડે અને તેની ગર્જના વડે પોતાના સિંહપણાને ઓળખે છે, તેમ ભૌતિક દુનિયામાં અટવાયેલા ભવ્ય આત્માને પણ પ્રભુનું સ્વરૂપ જોવાથી અને સાંભળવાથી પોતાની અનંત શક્તિઓની ઓળખ થાય છે.
પરમાત્મ-દર્શન અને પરમાત્મ-પૂજન એ હકીકતમાં તો સ્વઆત્માનું જ દર્શન અને સ્વ-આત્માનું જ પૂજન છે, આત્મદર્શન અર્થાત્ સમ્યગ્દર્શન થવાથી જીવને આરોપિત સુખનો ભ્રમ ભાંગી જાય છે, અનંત-અવ્યાબાધ સુખનું ભાન થાય છે અને તેને પ્રગટ કરવાની તીવ્ર તાલાવેલી જાગે છે. આત્મ-સ્વભાવના કર્તાપણાની તેમ જ તેના સાધન અને સાધ્યની પ્રતીતિ થાય છે.
અનાદિકાળથી પુદ્ગલ અનુયાયી બનેલી આત્માની કર્તૃત્વ, ભોકતૃત્વ, ગ્રાહકત્વ આદિ અનેક શક્તિઓ પરમાત્માના આલંબને સ્વરૂપ અનુયાયી બને છે, તથા શ્રદ્ધા, ભાસન-જ્ઞાન, રમણતા તેમજ પરમતત્ત્વની ઉપાસના * 11
Page #7
--------------------------------------------------------------------------
________________
દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યાદિ સર્વ ગુણો પણ આત્મસત્તાના રસિક બને છે.
આ રીતે અરિહંત પરમાત્મા સર્વ ભવ્ય જીવોના મોક્ષનાં પુષ્ટ નિમિત્ત કારણ હોવાથી કારણપદને કર્તાપણે સ્વીકારી તેમની સ્તુતિ, ભક્તિ, સેવા, આદરપૂર્વક, બહુમાનપૂર્વક કરવી એ જ સર્વ મુમુક્ષુ સાધકોનું પરમ કર્તવ્ય છે, એમ ભારપૂર્વક આ બીજા સ્તવનમાં કહેવામાં આવ્યું છે.
(૩) ત્રીજા સ્તવનમાં ઉપાદાન-કારણથી પણ નિમિત્ત કારણની અધિક પ્રધાનતા અને જિનવંદનનું - જિનપૂજનનું પ્રકૃષ્ટ ફળ મોક્ષપ્રાપ્તિ છે, તે બતાવ્યું છે.
મોક્ષનું ઉપાદાન-કારણ આત્મા પોતે જ છે, પરંતુ મોક્ષનું પુષ્ટ આલંબન પરમાત્મા છે, એ પરમાત્માની સેવા વિના ઉપાદાન-આત્મામાં મોક્ષરૂપ કાર્ય કરવાની શક્તિ પેદા થતી જ નથી, તેમાં દૃષ્ટાંતરૂપે નિગોદના કે અભવ્ય જીવો છે. આ આત્મામાં મોક્ષરૂપ કાર્ય કરવાની શક્તિ પ્રગટાવવામાં, પરમાત્મા જ પુષ્ટ આલંબન છે. એ જ મુખ્ય હેતુ છે, શેષ સર્વસામગ્રી ગૌણપણે જ ઉપકારક બને છે.
પ્રભુના પરમ શુદ્ધ સ્વરૂપને ઓળખી, સ્વ-આત્માનું પણ તેવું શુદ્ધ સ્વરૂપ પ્રગટે, એ હેતુથી પ્રભુને વંદન કરનાર ભક્તાત્મા ધ્યાનના અભ્યાસ દ્વારા અનુક્રમે અભેદ પ્રણિધાનરૂપે પરમાત્માની સાથે તન્મયતદ્રુપ બની શકે છે. જિન સ્વરૂપ થઇને જિનનું ધ્યાન કરવું એ જ ઉત્કૃષ્ટ વંદન છે, એ સામર્થ્યયોગનો નમસ્કાર છે, તેને ‘પરાભક્તિ’ કે ‘રસીલિપ્રીતિ' પણ કહી શકાય છે.
(૪) ચોથા સ્તવનમાં પૂર્વોક્ત રસીલી-પ્રીતિ અને પરાભક્તિની ભૂમિકા પ્રાપ્ત કરવાના ઉપાયો બતાવ્યા છે.
તેમાં સૌ પ્રથમ પૌદ્ગલિક - વર્ણ, ગંધ, રસ, રૂપ અને સ્પર્શના ભોગના અને ઉપભોગના ત્યાગની વાત કહી છે. અનુકૂળ વિષયો પણ જડ,
ચલ અને જગતના સર્વ જીવોના ભોગમાં અને ઉપભોગમાં આવેલા હોવાથી એંઠ તુલ્ય છે, તેથી તેનો ત્યાગ કરવો એ મુમુક્ષુજનો માટે જરૂરી છે. પરમતત્ત્વની ઉપાસના * 12
શુદ્ધ નિમિત્તરૂપ અરિહંત પરમાત્માના અને સિદ્ધ પરમાત્માના આલંબન ધ્યાનમાં પ્રવેશ કરતાં પહેલાં અશુભ અને અશુદ્ધ નિમિત્તોનો પરિહાર કરવો જરૂરી છે.
ધ્યાનમાં એકાગ્રતા - તન્મયતા સિદ્ધ કરવા માટે આલંબનના સતત અભ્યાસ દ્વારા પરમાત્માની સાથે અભેદ ધ્યાન કરવાનું હોય છે. તેમાં સત્તાએ પરમાત્માથી અભિન્ન એવા સ્વ-આત્માના સ્વરૂપનું નિઃશંકપણે ચિંતન કરવું જોઇએ.
આ રીતે પરમાત્માનાં વચન અનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાનરૂપ આલંબન અને નિરાલંબન ધ્યાનના સતત અભ્યાસથી સ્વ-સ્વરૂપમાં તન્મયતા સિદ્ધ થાય છે, જેને પરાભક્તિ, પ્રશાંતવાહિતા, સમાપત્તિ કે અનુભવદશા પણ કહે છે.
પરમાત્મમિલનની સુખદ પળો માટે તલસતો ભક્ત સાધક પ્રશાંત
વાહિતાના અસ્ખલિત પ્રવાહમાં તરબોળ બનીને પરમાત્મ-મિલનનો પરમ અલૌકિક આનંદ અનુભવે છે.
(૫) પાંચમા સ્તવનમાં શ્રી દેવચંદ્રજી મહારાજે પરમાત્માની સ્યાદ્વાદમયી સ્વભાવદશાનું વર્ણન કર્યું છે અને અસંગ-અનુષ્ઠાનવાળો યોગી જે રીતે પરમાત્માના શુદ્ઘ દ્રવ્ય-ગુણ પર્યાયના ચિંતન દ્વારા પોતાના શુદ્ધ દ્રવ્ય-ગુણ પર્યાયમાં લીન બને છે, તે પણ ટૂંકમાં સમજાવ્યું છે.
નિત્યત્વ, અનિત્યત્વ આદિ પરસ્પર વિરોધી અનેક ધર્મો એક જ આત્મામાં એકી સાથે રહેલા છે, તેનું યથાર્થ સ્વરૂપ જાણવાથી સાધકને પોતાના આત્માના શુદ્ધ સ્વભાવની અદ્ભુતતા સમજાય છે, તેને પ્રગટાવવાની રુચિ જાગે છે અને રુચિના પ્રમાણમાં તત્ત્વ-રમણતા પ્રાપ્ત થાય છે, અનુક્રમે શુદ્ધ સ્વભાવ પ્રગટે છે.
(૬) છઠ્ઠા સ્તવનમાં નિમિત્તકારણની યથાર્થતા બતાવી છે અને સાતે નયની અપેક્ષાએ પ્રભુદર્શનનું સ્વરૂપ સમજાવ્યું છે.
જ્યારે સાધક શબ્દનયની અપેક્ષાએ પ્રભુનું દર્શન કરેછે, ત્યારે સંગ્રહનયે તેનો શુદ્ધ સ્વભાવ જે સત્તામાં રહેલો છે એ એવંભૂતનયે પ્રગટ થાય છે.
પરમતત્ત્વની ઉપાસના * 13
Page #8
--------------------------------------------------------------------------
________________
સંગ્રહનયે સર્વ જીવો સિદ્ધ સમાન છે. જ્યારે આત્મા પોતાના સમસ્ત કર્મમલને દૂર કરીને સિદ્ધપણું પ્રાપ્ત કરે છે, ત્યારે તે એવંભૂતનયે સિદ્ધ કહેવાય છે. આવું સિદ્ધ સ્વરૂપ જ્યારે આત્મા શબ્દનયે એટલે કે સિદ્ધ સમાન પોતાના આત્મસ્વરૂપને ઓળખી તેને પ્રગટાવવાની તીવ્ર ઝંખના સાથે પરમાત્માનું દર્શન અને જિનશાસનની આરાધના કરે છે, ત્યારે પ્રગટે છે.
પરપુદગલાદિ અશુભ નિમિત્તોની અસર અરિહંત પરમાત્માના અને તેમનાં નામાદિના આલંબન વિના દૂર થતી નથી. આ બાબતને માટી, જલ, સૂર્ય, ઉત્તરસાધક અને પારસમણિનાં દૃષ્ટાંતો દ્વારા સ્પષ્ટ કરીને અને જિનેશ્વરનાં નામાદિ એ મોક્ષના નિર્ધામક-પુષ્ટ હેતુ છે, એમ સિદ્ધ કર્યું છે.
(૭) સાતમાં સ્તવનમાં સિદ્ધ પરમાત્માઓ જે અનંત ગુણના આનંદને અનુભવે છે, તેનું વર્ણન કરવામાં આવ્યું છે.
આત્માના ગુણ અનંતા છે, તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, અવ્યાબાધ સુખ વગેરે ગુણો મુખ્ય છે. સિદ્ધ અવસ્થામાં આત્મા પ્રત્યેક સમયે અનંત ગુણના ભિન્ન ભિન્ન આનંદનો અનુભવ કરતો હોય છે, તેનાં સ્વરૂપનું શ્રવણ, ચિંતન, મનન અને ધ્યાન કરવાથી સાધકને પણ તેવા આનંદ અને સુખને પ્રાપ્ત કરવાની રુચિ જાગે છે અને તેના ઉપાયરૂપ રત્નત્રયીની આરાધનામાં તત્પર બનવાની પ્રેરણા મળે છે.
(૮) આઠમા સ્તવનમાં પરમાત્માની સેવાનાં વિવિધ સ્વરૂપો અને તેના પ્રકારો બતાવી જિનભક્તિની વિશાળતા દર્શાવી છે. સેવાના મુખ્ય બે પ્રકાર છે. પરમાત્માનાં દર્શન, વંદન, પૂજન અને કીર્તનની ક્રિયા એ ‘દ્રવ્યસેવા’ છે, તેના દ્વારા ઉત્પન્ન થતા શુભ ભાવ એ ભાવસેવા છે; પરમાત્મગુણોના આલંબને થતું ધ્યાન એ “અપવાદ-ભાવસેવા’ છે અને તેના દ્વારા પ્રગટતી આત્મવિશુદ્ધિ એ ‘ઉત્સર્ગ-ભાવસેવા’ છે : અપવાદ કારણ છે, ઉત્સર્ગ તેનું કાર્ય છે.
| ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી વિશુદ્ધિને અહીં ચૌદ ગુણસ્થાનકોની જેમ સાત પ્રકારની અપવાદ-ભાવસેવા અને સાત પ્રકારની ઉત્સર્ગ. et la , પરમતત્ત્વની ઉપાસના * 14 કે દરેક છ , best,
ભાવસેવાઓના ક્રમથી વર્ણવી છે, જે સાધકની સાધનાનો માપદંડ છે. અપુનબંધકની ભૂમિકાથી પ્રારંભી યાવતુ અયોગી અવસ્થા સુધીની ભૂમિકાનું પૃથક્કરણ આમાં થયેલું છે. સાચો સાધક જયાં સુધી સિદ્ધ ન બને ત્યાં સુધી તે સિદ્ધ પરમાત્માની સેવામાં સેવકભાવે સદા તત્પર રહે છે.
(૯) શ્રી સુવિધિનાથ ભગવાનના નવમા સ્તવનમાં સાધકને પરમાત્મદર્શનના ફળરૂપે આત્મદર્શન શી રીતે થાય છે, તેનું અત્યંત રહસ્યમય રીતે ભાવભરપૂર શબ્દોમાં વર્ણન થયેલું છે.
સમાધિરસથી પરિપૂર્ણ પ્રભુમુદ્રા એ નિર્મળ અરીસા જેવી છે. ભક્તદ્રાને પ્રભુ મુદ્રામાં પ્રતિબિંબિત થતું પોતાનું આત્મ-સ્વરૂપ જ્યારે પ્રત્યક્ષ દેખાય છે, ત્યારે તે રાગ-દ્વેષાદિ વિભાવોથી નિવૃત્ત બનીને આત્મસ્વભાવરૂપ સામાયિકની સાધનામાં પ્રવૃત્ત થાય છે. વિભાવરૂપે કામ કરતી તે ભક્તદ્રષ્ટાની દાનાદિક સર્વ આત્મશક્તિઓ સ્વભાવની સન્મુખ બને છે, અને તેથી અનુક્રમે અવિદ્યાનો-મોહનો અંધકાર ભેદાઇ જતાં અને આત્માના નિર્મળ, અખંડ, અલિપ્ત સ્વભાવની ઓળખાણ થતાં તેની આત્મસ્વરૂપમાં સહજ રમણતા થાય છે.
ભક્ત સાધક પ્રભુ પાસે તેમનો એક અદનો સેવક બનીને સદા માટે આ જ પ્રાર્થના કરતો રહે છે કે હે પ્રભુ ! આપની અચિંત્ય શક્તિના પ્રભાવે મને આત્મસ્વરૂપની શ્રધ્ધા, ઓળખાણ અને રમણતા પ્રાપ્ત થાઓ !
આ રીતે પ્રભુ-પ્રાર્થના અને પ્રભુ-મુદ્રાના યોગે, જયારે સાધકઆત્માના ક્ષાયોપથમિક ભાવના ગુણો, પરમાત્માના ક્ષાયિકભાવના કેવળજ્ઞાનાદિ ગુણોની સાથે, ધ્યાન દ્વારા એકરૂપ-તન્મય બને છે, ત્યારે તે સાધકમાં પોતાના આત્મસ્વભાવને પ્રગટાવવાની પ્રબળ ઇચ્છાશક્તિ પેદા થાય છે.
સ્તવનકાર મહર્ષિને પ્રભુના ગુણોત્કીર્તન સાથે તેમના ધ્યાન વડે પોતાને જે જે દિવ્ય અનુભવ થયા છે, તેને મધુર અને ભાવવાહી શૈલીમાં રજૂ કરે છે, તેથી આ સ્તવનોનું વારંવાર ગાન, અર્થચિંતન અને તેના દ્વારા પ્રભુનું ધ્યાન કરવાથી સાધકને પણ તેવા અનુભવોની પ્રતીતિ થાય છે. મુક કક જ . જો , પરમતત્ત્વની ઉપાસના * 15 કિશોર કે. જો કે જો
Page #9
--------------------------------------------------------------------------
________________
તાત્ત્વિક ભક્તિરસથી ભરપૂર આ સ્તવનોનું જેમ જેમ વધુને વધુ ભાવન થતું જાય છે, તેમ તેમ તેમાં છુપાયેલાં અનેક રહસ્યાર્થોનું સંવેદન સાધકને થતું જાય છે.
(૧૦) દશમા સ્તવનમાં પ્રભુના ગુણોની અનંતતા, નિર્મળતા અને પૂર્ણતાનું સ્વરૂપ વર્ણવ્યું છે, તેમ જ પ્રભુની આજ્ઞાનું સર્વત્ર સર્વદા જે એકછત્રી સામ્રાજય છે અને પ્રભુના અદ્ભુત ઐશ્વર્યની કેવી મહત્તા છે તે બતાવી પ્રભુના જાપ અને ધ્યાનનું અંતિમ ફળ અનંત-અવ્યાબાધ સુખ છે, એમ જણાવ્યું છે.
(૧૧) અગિયારમાં સ્તવનમાં શુક્લ ધ્યાનમાં હેતુરૂપ ગુણ-પર્યાયોનાં ચિંતન અને ધ્યાન કરવાની રીત બતાવતાં કહ્યું છે કે પરમાત્મગુણોનાં ગાન, સ્મરણ, ધ્યાન કરવાથી આત્મસ્વરૂપમાં તન્મયતા પ્રગટ થાય છે.
(૧૨) બારમા સ્તવનમાં પૂજાના ત્રણ પ્રકાર દર્શાવ્યા છે : તેમાં પહેલો પ્રકાર દ્રવ્યપૂજાનો છે, તેમાં અષ્ટપ્રકારી પૂજા વગેરેનો સમાવેશ થાય છે; બીજો પ્રકાર પ્રશસ્ત ભાવપૂજાનો છે, તે પ્રભુના અનંત ગુણોની સ્તુતિ-સ્તવના કરવાથી થાય છે અને ત્રીજો પ્રકાર શુદ્ધ ભાવપૂજાનો છે, તે પોતાના જ્ઞાનાદિ ગુણોને પ્રભુના ગુણોમાં લીન કરવાથી, તન્મય કરવાથી થાય છે.
પરમાર્થથી જિનપૂજા એ નિજ આત્મત્વની જ પૂજા છે. જિનપૂજા વડે પોતાના આત્માના ગુણોની પ્રાપ્તિ અને પુષ્ટિ થાય છે. બારમા ગુણસ્થાનક સુધીના જીવોને સ્વ-આત્માનું ધ્યાન પરમાત્માના ગુણોના આલંબને જ થાય છે.
(૧૩) તેરમા સ્તવનમાં અસ્તિભાવોની અને નાસ્તિ ભાવની અનંતતા બતાવીને સ્તવનકાર શ્રી દેવચંદ્રજી મહારાજે પ્રભુના નિર્મળ સ્વભાવનું ધ્યાન કરનાર પોતાના તેવા શુદ્ધ સ્વભાવને અવશ્ય પ્રાપ્ત કરે છે એમ જણાવ્યું છે.
(૧૪) ચૌદમા સ્તવનમાં શ્રી દેવચંદ્રજી મહારાજે ‘જિન પડિમા જિન સારીખી’ આ શાસ-વચનની સિદ્ધિ, તેની પરમ ઉપકારકતા બતાવવા દ્વારા કરી છે. જિનમૂર્તિને અમૃતનો મેઘ, જાંગુલીમંત્ર, રત્નત્રયીની માળા અને એક છોક કોક , કોઈક પરમતત્વની ઉપાસના * 16 ક ક ક ક ક જj
આત્મ-ધ્યાનના શ્રેષ્ઠ સાધન તરીકે ઓળખાવી છે. ખરેખર ! જિનમૂર્તિના દર્શનથી આપણું હૈયું હર્ષથી પુલકિત બને છે, અશુભ આગ્નવોનો નિરોધ થાય છે, સંવરની અભિવૃદ્ધિ થાય છે અને પૂર્વોપાર્જિત આપણાં અશુભ કર્મોની નિર્જરા થાય છે, એમ જણાવ્યું છે.
(૧૫) પંદરમાં સ્તવનમાં સમાપત્તિ અથવા આત્મા અને પરમાત્માનું એકત્વ ભાવન કઇ રીતે થાય તેનું અદ્ભુત અને રહસ્ય ભરપૂર શૈલીમાં વર્ણન કર્યું છે, અને તેની સાથે સામાન્ય અને વિશેષ સ્વભાવનાં લક્ષણો પણ બતાવ્યાં છે.
ધ્યાન અને સમાધિ દશાની ભૂમિકામાં સામાન્ય સ્વભાવને પ્રાધાન્ય આપવાથી શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન નિશ્ચલપણે થાય છે અને વ્યવહારની ભૂમિકામાં વિશેષ સ્વભાવને આગળ કરવાથી વિનય, સેવા-ભક્તિ, સંયમ આદિ સદ્ગુણોની નિરંતર અભિવૃદ્ધિ થાય છે.
ઉચિત વ્યવહારના પાલનથી ચિત્તની નિર્મળતા અને સ્થિરતા થાય ત્યાર પછી જ શુદ્ધ નિશ્ચયનયે પરમાત્મ તુલ્ય નિજ શુદ્ધાત્મ-સ્વરૂપનું ધ્યાન થઇ શકે છે.
મોક્ષાર્થી સાધકોએ સૌથી પહેલાં પોતાની સાધનાના માર્ગે વાસ્તવિક સિદ્ધિ મેળવવા માટે શુદ્ધ વ્યવહારરૂપ પ્રભુપૂજા, ભક્તિ, વ્રત, નિયમ, તપ, જપ, સંયમ આદિ સદનુષ્ઠાનોનું અહર્નિશ સેવન કરવું જોઇએ.
શુદ્ધ વ્યવહારના વાસ્તવિક પરિપાલન દ્વારા ચિત્તની શુદ્ધિ થતાં ધ્યાનની વાસ્તવિક યોગ્યતા ભૂમિકા પ્રાપ્ત થાય છે, પછી જ્ઞાની ગુરુના માર્ગદર્શન મુજબ ક્રમે ક્રમે તેમાં આગળ વધી શકાય છે. નિશ્ચલ, નિર્મળ, નિર્વિકલ્પ આત્મ-સ્વરૂપનું ધ્યાન શુદ્ધ વ્યવહારના પાલનપૂર્વક ધ્યાનના સતત અભ્યાસથી સાધ્ય છે, વગેરે બાબતોનો નિર્દેશ આ સ્તવનમાં થયેલો છે.
(૧૬) સોળમાં સ્તવનમાં સમવસરણ અને જિનપ્રતિમાની મહાન ઉપકારકતાનું વર્ણન છે.
જિનપ્રતિમામાં કાર્યરૂપે અરિહંતપણું અને સિદ્ધપણું કયા કયા નયની અપેક્ષાએ રહેલું છે, તેમ જ જિનપ્રતિમા એ સાક્ષાતુ જિનેશ્વરની જેમ ભક્તને કયા કયા કેટલા નયે ફળદાયી બને છે, તે સમજવ્યું છે. શક, ઝોક જ દરેક જી. પરમતત્ત્વની ઉપાસના * 17 ક. .જો થક
Page #10
--------------------------------------------------------------------------
________________
તદુપરાંત સ્તવનકાર શ્રી દેવચંદ્રજી મહારાજે નામાદિ ચાર નિક્ષેપોની પરસ્પર કાર્યકારકતા છે, તે પણ બતાવ્યું છે.
(૧૭) સત્તરમાં સ્તવનમાં જિનેશ્વર પરમાત્માની દેશનાની મહત્તા બતાવી છે. પરમોપકારી પરમાત્મા પોતાની દેશનામાં સર્વ દ્રવ્યોના ગુણ પર્યાયની અનંતતા અને આત્મસ્વભાવની અગાધતાને નય, ગમ, ભંગ, નિક્ષેપ તથા હેય, ઉપાદેય આદિના પૃથક્કરણપૂર્વક સૂક્ષ્મતાથી વર્ણવે છે. એ પ્રભુની દેશના કેવી ગંભીર છે અને કેવી પ્રભાવિક છે તેનો આછો ખ્યાલ અહીં આપવામાં આવ્યો છે.
(૧૮) અઢારમા જીવનમાં ઉપાદાન વગેરે કારણોનું સ્વરૂપ સમજાવીને તે બધાં કારણોમાં નિમિત્ત કારણની પ્રધાનતા કેવી રીતે છે તે બતાવ્યું છે.
(૧૯) ઓગણીસમા સ્તવનમાં ષટ્કારક – જે આત્માની છ વિશિષ્ટ શક્તિઓ છે તેનું સ્વરૂપ સમજાવ્યું છે. અનાદિ કાળથી સંસારી આત્માનું પકારકચક્ર એ બાધકરૂપે પરિણમી રહ્યું છે, તેને પરમાત્મ-ભક્તિ તથા ધ્યાનાદિ દ્વારા કેવી રીતે સાધકરૂપે પલટાવી શકાય છે, તેના ઉપાયો અહીં બતાવવામાં આવ્યા છે.
(૨૦) વીસમા સ્તવનમાં પૂર્વોક્ત છયે કારકોનાં લક્ષણ બતાવ્યાં છે અને પુષ્ટનિમિત્તકારણરૂપ શ્રી જિનેશ્વર પરમાત્માના આલંબન વડે જ આત્માની ઉપાદાન શક્તિ પ્રગટે છે એ વાતને દાખલા તથા દલીલો સાથે સિદ્ધ કરી છે.
(૨૧) એકવીસમાં સ્તવનમાં શ્રી જિનેશ્વર પરમાત્માની સેવાને વર્ષાત્રતુની વિવિધ ઘટનાઓ સાથે સરખાવીને પ્રભુસેવા, પ્રભુદર્શનના માહાભ્યને અદભુત અને રોમાંચક શૈલીમાં રજૂ કર્યું છે.
(૨૨) બાવીસમા સ્તવનમાં પ્રશસ્તરામસ્વરૂપ ભક્તિનો પ્રભાવ, રાજિમતીની અનુપ્રેક્ષા અને ઉત્તમ પુરુષોના સંગનું ફળ કેવું હોય છે તે ઇત્યાદિ બાબતો સમજાવી છે.
(૨૩) ત્રેવીસમા સ્તવનમાં અરિહંત પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ભગવાન શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતા દ્વારા કઇ રીતે મોહશત્રુને જીતીને શક , શક કરેલ છે. દરેક પરમતત્ત્વની ઉપાસના * 18 શe , share with
વિજય પ્રાપ્ત કરે છે, તે બતાવ્યું છે, અને શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતા કોને કહેવાય ? એ વિવિધ વ્યાખ્યાઓ દ્વારા સમજાવ્યું છે.
(૨૪) ચોવીસમા સ્તવનમાં આત્માની ગહ અને દીનતાપૂર્વક પ્રભુ પાસે ભાવવાહી પ્રાર્થના કરવામાં આવી છે, જેનું એકાગ્ર ચિત્તે ગાન કરવાથી, રટણ કરવાથી ભાવુક આત્મા ભાવવિભોર બની ભક્તિરસમાં તરબોળ થઇ જાય છે અને પોતાના હૃદયની જે ભવ્ય ભાવના છે તે પ્રભુ પાસે પ્રગટ કરે છે.
આ રીતે ચોવીસે જિનેશ્વર ભગવંતોના અદ્ભુત ગુણોની અને અચિંત્ય મહિમાની સ્તુતિ કરીને ભક્તિનો તાત્ત્વિક માર્ગ બતાવ્યો છે.
ત્યાર પછી તેઓશ્રીએ ઉપસંહારરૂપે પચીસમા સ્તવનમાં ચોવીસે જિનેશ્વર ભગવંતોના ૧૪૫૨ ગણધરો તથા ચતુર્વિધ સંઘનું સ્મરણ કર્યું છે. ત્યાર પછી સંવર, નિર્જરારૂપ મોક્ષમાર્ગનો અને તેના અનુસરણથી પ્રાપ્ત થતા અનંત-અવ્યાબાધ સુખ-સમાધિરૂપ મહાન ફળનો નિર્દેશ કર્યો છે. અંતે પોતાના પૂર્વગામી પરમોપકારી પૂજ્ય ગુરુવર્ગનો પરિચય આપીને તેમના પ્રતિ પરમ કૃતજ્ઞતા પ્રદર્શિત કરી છે.
આ ચોવીસે સ્તવનો મુમુક્ષુ પાઠકોના હૃદયમાં અપૂર્વ ભક્તિરસ ઉત્પન્ન કરે છે. તેમ જ શાસ્ત્રોમાં નિર્દેશાયેલાં અનેક ગંભીર તત્ત્વોના રહસ્યોને સરળ ભાષામાં રજૂ કરી જિનભક્તિનો તાત્ત્વિક માર્ગ બતાવે છે. મુમુક્ષુ આત્માઓએ આ સ્તવનોનો અર્થ સાથે અભ્યાસ કરીને, તેનું વારંવાર ચિંતન અને મનન કરવું જોઇએ; જેથી પરમાત્મા પ્રત્યે તેમજ તેમનાં કહેલાં આગમ વચનો પ્રત્યે અત્યંત આદર, બહુમાન અને ભક્તિ પેદા થાય, અને એ ભક્તિ આત્માને મુક્તિ આપનારી બને. જ ગ્રંથકારનો પરિચય :
આ ચતુર્વિશતિ જિનસ્તવનોના કર્તા છે, પૂ. શ્રીમદ્ દેવચન્દ્રજી મહારાજ. તેમનો જન્મ ૧૭૪૬માં બિકાનેર (રાજસ્થાન)ના ઉપનગરમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ તુલસીદાસજી લૂણિયા હતું અને તેમનાં માતુશ્રીનું નામ ધનબાઇ હતું. શાક, , , , પરમતત્ત્વની ઉપાસના * 19 , , , , ,
Page #11
--------------------------------------------------------------------------
________________
બાળક ગર્ભમાં હતો, ત્યારથી જ તેમનાં માતા-પિતાએ વાચક શ્રીરાજસાગરજી મહારાજ પાસે એવી પ્રતિજ્ઞા સ્વીકારી હતી કે “જો અમારે ત્યાં પુત્રનો જન્મ થશે, તો અમો તેને શાસનને સમર્પિત કરી દઇશું.”
એક શુભ દિવસે બાળકનો જન્મ થયો. માતાએ એક વખત સ્વમમાં પોતાના મુખમાં ચંદ્રમાને પ્રવેશ કરતો જોયો હતો, તેથી તે બાળકનું નામ “દેવચન્દ્ર” રાખ્યું.
- ચન્દ્રની નિર્મળ કળાની જેમ પ્રતિદિન વૃદ્ધિ પામતો બાળક આઠ વર્ષનો થયો, એક વખત વાચક શ્રી રાજસાગરજી મહારાજ તેમના ઘરે પધાર્યા હતા, ત્યારે ગ્રહણ કરેલી પ્રતિજ્ઞા મુજબ ધનબાઈએ પોતાના પુત્રરત્નને ગુરુચરણોમાં સમર્પિત કરી દીધો.
સંવત ૧૭૫૬માં દશ વર્ષની વયે તેમણે દીક્ષા લીધી અને તેમનું ‘રાજવિમલ” નામ રાખવામાં આવ્યું, પણ દેવચંદ્રજી નામથી તેમની વધારે પ્રખ્યાતિ અને વધારે પ્રસિદ્ધિ થઇ. તેમના ગુરુદેવનું નામ ઉપાધ્યાય શ્રી દીપચન્દ્રજી મ. હતું.
તેમનું વિહારક્ષેત્ર પણ ઘણું વિશાળ હતું. સિન્ધ, મુલતાન, ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મેવાડ, માળવા વગેરે દેશોમાં વિચરીને ધર્મોપદેશ આપીને અનેક ભવ્યજીવોને મોક્ષમાર્ગના અનુરાગી અને અનુયાયી બનાવ્યા હતા. ગુરુસેવા અને ગુરુકૃપાના પ્રભાવે તેમણે અદ્ભુત જ્ઞાન-ખજાનો પ્રાપ્ત કર્યો હતો, તેઓશ્રીએ વિશેષ પ્રાવીણ્ય તત્ત્વજ્ઞાનમાં મેળવ્યું હતું અને તેમાં પણ દ્રવ્યાનુયોગનાં ઊંડાં રહસ્યો પ્રાપ્ત કરી તેને આત્મસાધનાના માર્ગે તેઓશ્રીએ જીવંત કર્યા હતાં.
તેઓશ્રીનાં રચેલા આગમવિષયક, યોગવિષયક અને અધ્યાત્મવિષયક અનેક ગ્રંથોના અવલોકનથી પણ તેઓશ્રીની વિશિષ્ટ જ્ઞાનગરિમા અને પ્રતિભાની ઝાંખી થઇ શકે છે.
તેઓશ્રીનાં લખેલા ગ્રંથોમાંથી જે ગ્રંથો જિજ્ઞાસુવર્ગ માટે અને વિદ્ધવર્ગ માટે ખૂબ જ માનનીય અને આદરણીય બન્યા છે તેનાં નામ નીચે પ્રમાણે છે : શક. કોક કોક કa.pક પરમતત્ત્વની ઉપાસના + 20 ke je ple ક #l,
સ્તોત્રપૂજા, ધ્યાનદીપિકા, ચતુષ્પદ, દ્રવ્યપ્રકાશ, આગમસાર, વિચારરત્નસાર, જ્ઞાનસાર ઉપર જ્ઞાનમંજરી ટીકા, નયચક્રસાર, ગુરુગુણ છત્રીશી, કર્મગ્રંથ-ટબો, કર્મ-સંવેધ પ્રકરણ, અધ્યાત્મગીતા, વર્તમાન જિનચોવીસી, અતીત જિનચોવીસી, વિહરમાનવીસી, નવપદપૂજાઉલ્લાસ, અષ્ટ પ્રવચનમાતા સજઝાય.
આ અને બીજી અનેક સંસ્કૃત-ગુજરાતી ગદ્ય-પદ્ય કૃતિઓ પણ તેઓશ્રીએ રચેલી છે, જે વૈરાગ્ય, ભક્તિ, સંયમ અને ધ્યાનાદિ યોગોમાં મુમુક્ષુ આત્માઓને ખૂબ જ પ્રેરક અને ઉપકારક છે. જ ગુણદેષ્ટિ :
તેઓશ્રી ખરતરગચ્છની સમાચારીનું પાલન કરતા હતા, છતાં અન્ય ગચ્છો પ્રત્યે પણ અત્યંત પ્રમોદભાવ રાખતા હતા.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. આદિ જ્ઞાની મહાત્માઓ પ્રત્યે તેઓશ્રી અત્યંત આદર અને બહુમાન ધરાવતા હતા. તેઓશ્રીની ગુણદેષ્ટિ અને હૃદયની વિશાળતાથી આકર્ષિત બનેલા તપગચ્છમાં ગીતાર્થ તરીકે પંકાયેલા ૫. જિનવિજયજી મ., પૂ. ઉત્તમવિજયજી મ. તથા પૂ. વિવેકવિજયજી મ. આદિ મહાત્માઓએ તેઓશ્રી પાસે જિનાગમોનું અધ્યયન કર્યું હતું. જ શાસ્રરાગ :
જિનાગમાં પ્રતિ તેઓશ્રીનાં હૃદયમાં અપૂર્વ અને અપાર ભક્તિ હતી. પોતાની કૃતિઓમાં ઠેરઠેર તેમણે સિદ્ધાંતોના ઉલ્લેખ બહુમાનપૂર્વક કર્યા છે. ‘આગમસાર' નામના ગ્રંથની રચના કરી. તેઓશ્રીએ જિનાગમોના સારભૂત પદાર્થોનો તેમાં સંગ્રહ કર્યો છે, અને અંતમાં હિતોપદેશ તરીકે ભલામણ કરતાં કહ્યું છે કે “હે ભવ્યાત્માઓ ! જો તમને જિનમતની ચાહના છે, અને જો તમે જિનમતને ઇચ્છો છો, મોક્ષમાર્ગને ચાહો છો, તો નિશ્ચય અને વ્યવહારનય છોડશો નહિ. એટલે કે બેઉ નય માનજો . વ્યવહારનયે ચાલજો અને નિશ્ચયનય સદરહજો .
આ માર્મિક શિખામણ આપવા પાછળનો મહાન હેતુ સમજાવતાં તેઓશ્રી કહે છે કે, “જો તમે વ્યવહારનય ઉત્થાપશો, તો જિનશાસનનાં જિક, શક, કઈક કa e Bક પરમતત્ત્વની ઉપાસના * 21 કિ.ક. જો કે,
Page #12
--------------------------------------------------------------------------
________________
તીર્થનો ઉચ્છેદ થશે, જેણે વ્યવહારનય ન માન્યો, તેણે ગુરુવંદના, જિનભક્તિ, તપ પચ્ચક્ખાણ સર્વ ન માન્યાં. એમ જેણે આચાર ઉથાપ્યો, તેણે નિમિત્તકારણ ઉથાપ્યો, અને નિમિત્તકારણ વિના એકલો ઉપાદાનકારણ સિદ્ધ ન થાય, માટે નિમિત્તકારણરૂપ વ્યવહારનય જરૂર માનવો.”
આ હિતશિક્ષા ઉપરથી તેઓશ્રીની આધ્યાત્મિક સાધનાનો પાયો કેટલો બધો મજબૂત હતો, તે સરળતાથી સમજી શકાય છે. + અધ્યાત્મપ્રેમ અને પ્રભુભક્તિ :
અધ્યાત્મગીતા' નામના ગ્રંથમાં તેઓશ્રીએ અધ્યાત્મ અને ધ્યાનયોગની ક્રમે ક્રમે વિકાસ પામતી ભૂમિકાઓનું સુંદર રીતે વર્ણન કર્યું છે. આગમિક પરિભાષામાં કહીએ તો તેમણે ચોથા ગુણસ્થાનકથી લઇને સિદ્ધ અવસ્થા સુધીની સાધક અને સિદ્ધ અવસ્થાનો ટૂંકમાં સંપૂર્ણ પરિચય આપ્યો છે. ધ્યાન-ચતુષ્પદી'માં ‘જ્ઞાનાર્ણવ' ગ્રંથના આધારે ધ્યાનનું સ્વરૂપ બતાવ્યું છે. તેમ જ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષેપયોગનું પણ ગર્ભિત રીતે સંકલન કર્યું છે. આ ગ્રંથો તેઓશ્રીની અધ્યાત્મ અને ધ્યાનયોગની રુચિ અને પ્રીતિ કેટલી તીવ્ર હતી, તે જણાવે છે. અતીત અને વર્તમાન વિહરમાન જિનેશ્વર ભગવંતોનાં ગુણ-કીર્તનરૂપ સ્તવનો એ તેઓશ્રીના હૃદયમાં અખ્ખલિત પ્રવાહબદ્ધ વહેતી પ્રભુભક્તિની પરાકાષ્ઠાને સૂચવે છે. તેઓશ્રીના સહજ ભાવે ઉદ્ભવેલા ઉદ્ગારો સાંભળતાં તનમન પુલકિત થઇ જાય છે. વિશાળ શાસ્ત્ર સાથે સ્વાનુભવના પાયા ઉપર રચાયેલાં આ સ્તવનો ભાવુક આત્માઓનાં હૃદય ઉપર તરત સીધી અસર કરે છે. અર્થજ્ઞાન સાથે સંગીતના સૂરીલા સ્વરોમાં તેનું ગાન કરવાથી અલૌકિક આનંદ અનુભવાય છે.
અંતઃસ્કુરણાઓની સહજ અભિવ્યક્તિ એ ઉત્તમ કવિતા છે. ભાષાના અલંકારોને કવિતામાં ઉતારવા સરળ છે, પણ હૃદયના ઉચ્ચ ભાવોને સહજ રીતે કવિતામાં ઉતારવા એ ઘણું કઠિન કાર્ય છે. આ દૃષ્ટિથી તેઓશ્રીની તાત્ત્વિક કવિતા સાહિત્યની એક ઉત્કૃષ્ટ રચના છે, એમ નિર્વિવાદ કહી શકાય છે. શક. કોક કોક કa.pક પરમતત્ત્વની ઉપાસના * 22 શle #le #ક #,
અનુભવજ્ઞાન :
તેઓશ્રીમાં વ્યવહાર ચારિત્રરૂપ પંચમહાવ્રત તથા સમિતિગુપ્તિ આદિની વિશુદ્ધ આરાધનના બળે નિશ્ચય-ચારિત્ર અર્થાત્ આત્માનુભવ પણ સુંદર રીતે ઝળહળી રહ્યો હતો, તે તેઓશ્રીના ઉદ્ગારોથી પણ સ્પષ્ટ રીતે સમજી શકાય છે.
તીન ભુવન નાયક શુદ્ધાતમ, તસ્વામૃતરસ વૂક્યો રે ! સકલ ભવિક લીલાણી, મારું મન પણ તૂક્યો રે // ૧ //. મનમોહન જીનવરજી મુજને, અનુભવ-પ્યાલો દીધો રે . પૂર્ણાનંદ અક્ષય-અવિચલ રસ, ભક્તિ પવિત્ર થઇ પીધો રે || ૨ | જ્ઞાનસુધા લીલાની લહેરે, અનાદિ વિભાવ વિસાર્યો રે .. સમ્યગુજ્ઞાન સહજ અનુભવરસ, શુચિ બોધ સંભાર્યો રે // ૩ //. દેહગેહ ભાડા તણો, એ આપણો નાંહિ ! તુજ ગૃહ આતમ જ્ઞાનએ, તિહમાંહિ સમાહિ || ૪ || પંચ પૂજ્યથી પૂજ્ય એ, સર્વ ધ્યેયથી ધ્યેયT ધ્યાતા ધ્યાન અરુ ધ્યેય એ, નિશ્ચય એક અભેય || ૫ |. અનુભવ કરતાં એહનો, થાયે પરમ પ્રમોદ ! એકરૂપ અભ્યાસનું, શિવસુખ છે તસુ ગોદ || ૬ ||
તત્ત્વજ્ઞાન ગર્ભિત અનેક ઉત્તમ ગ્રંથરત્નોનું સર્જન કરી તેઓશ્રીએ શ્રી જૈન સંઘને તેની જે અપૂર્વ ભેટ ધરી છે, તેને જૈન સંઘ કદાપિ ભૂલી શકે તેમ નથી. તેઓશ્રીની પુનિત નિશ્રામાં શ્રી તીર્થયાત્રાસંઘ, જિનબિંબોની પ્રતિષ્ઠા વગેરે શાસન-પ્રભાવનાનાં અપૂર્વ કાર્યો પણ સંખ્યાબંધ થયાં હતાં. રાજનગરના આંગણે તેઓશ્રીને ‘વાચકપદ’ અર્પણ કરવામાં આવ્યું હતું અને તેઓશ્રીનું સ્વર્ગગમન પણ સં. ૧૮૧૨ ભાદરવા વદ અમાસના દિવસે રાજનગરમાં જ થયું હતું. જ સંયોજકની શુભાભિલાષા :
આ ગ્રંથની અને ગ્રંથકાર મહાત્માની મહાનતા જ એવી અપૂર્વ કોટિની છે કે જેના સ્વલ્પ પરિચયથી પણ આપણાં તનમન તેઓશ્રી શાક, , , , પરમતત્ત્વની ઉપાસના * 23 . . . . . .
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેના અનહદ આદર અને બહુમાનભાવથી છલોછલ ભરાઇ જઇને આનંદથી પુલકિત બની રહે છે.
ગ્રંથકાર મહાત્મા શ્રીમદ્ દેવચન્દ્રજી મહારાજના જીવનમાં વિપુલ શાસ્ત્રજ્ઞાન, ઊંડી તત્ત્વદેષ્ટિ, અથાગ શાસ્ત્રપ્રેમ, નિર્મળ સંયમ-સાધના, અવિહડ પ્રભુભક્તિ, ગુરુપરતંત્ર્ય, ગુણાનુરાગ, પરાર્થકરણ અને ઊંચી આધ્યાત્મિક ભૂમિકા વગેરે જે ગુણરત્નો ઝળહળી રહ્યાં હતાં, તેનું દર્શન તેઓશ્રીના ગ્રંથોથી આજે પણ આપણને થાય છે એ આપણું પરમ સૌભાગ્ય છે.
પરમ આદર્શરૂપ તેઓશ્રીને અને તેમના આપેલા તત્ત્વજ્ઞાનને અનુસરવા આપણે કટિબદ્ધ બનીએ તો તેવા પ્રકારના ઉત્તમ જીવનને પામવાના આપણા મનોરથો પૂર્ણ થયા વિના ન રહે.
ગ્રંથકારશ્રીએ આ ચોવીસ જિનસ્તવનોની રચના દ્વારા પણ આપણને પરમતત્ત્વની ઉપાસનાનું સરળ સચોટ અને શાસ્ત્ર સાપેક્ષ માર્ગદર્શન કરાવ્યું છે.
પ્રાથમિક કક્ષાથી પ્રારંભી ટોચ સુધીની ભક્તિની ભૂમિકાઓનું વર્ણન કરતાં ગ્રંથકારશ્રીએ ભક્તિયોગની સાથે જ્ઞાનયોગ અને ધ્યાનયોગનું પણ ઉપયોગી નિરૂપણ કર્યું છે. - ભક્તિ પ્રત્યેક શુભયોગોમાં પૂરક, પ્રેરક અને વ્યાપક છે. જીવનમાં ભક્તિની સાથે તત્ત્વજ્ઞાન ભળે છે, વધે છે, તેમ તેમ ભક્તિમાં ઊંડાણ આવે છે. તાત્ત્વિક ભક્તિની ભૂમિકામાં આગળ વધવા માટે શાસ્ત્ર જ્ઞાન પણ અનિવાર્ય છે.
પરમાત્માની સેવા-ભક્તિપૂજા કરવાથી ચિત્ત નિર્મળ બને છે, સ્થિર બને છે. નિર્મળ-નિશ્ચળ ચિત્ત ધ્યાનયોગમાં સહેલાઇથી પ્રવેશ પામી પ્રગતિ સાધી શકે છે.
અરિહંત પરમાત્માના સતત ધ્યાનાભાસથી પરમતત્ત્વનું ધ્યાન થાય છે અથવા જિનેશ્વરનું ધ્યાન એ વસ્તુતઃ પરમતત્ત્વનું જ ધ્યાન છે. પરમાત્માની ઉપાસના એ હકીકતમાં પરમતત્ત્વની જ ઉપાસના છે. પરમાત્મા અને પરમતત્ત્વ એ બંને તત્ત્વતઃ એક જ છે. એક છોક કોક , કોઈક પરમતત્વની ઉપાસના * 24 #ક # # #j
પરમાત્માની સ્તવના અને સેવા દ્વારા સાધક ભક્તિયોગ, જ્ઞાનયોગ અને ધ્યાનયોગની સાધના કરીને ક્રમે ક્રમે પરમતત્ત્વની અનુભૂતિ સુધી પહોંચી શકે છે.
આ સ્તવનસંગ્રહ મુમુક્ષુ આત્માઓને પરમતત્ત્વની ઉપાસનામાં અત્યંત પ્રેરક અને ઉપકારક બનશે, એવી ભાવનાથી પ્રેરાઇને જ મૂળ ગ્રંથને અને તેની ઉપરના ગ્રંથકાર મહાત્માએ જાતે કરેલા ગુજરાતી વિવેચનને સામે રાખી, તેના સારભૂત પદાર્થોને સરળ ભાષામાં રજૂ કરવા આ સ્વલ્પ પ્રયાસ કર્યો છે.
પૂ. પરમોપકારી પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મ. તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભદ્રંકરસૂરીશ્વરજી મ. અને અન્ય પૂજય મુનિવરોએ પણ આ લખાણને સાદ્યન્ત વાંચી તેમાં ઉપયોગી સૂચનો કર્યા છે. તે બધાયનો કૃતજ્ઞભાવે હું ઉપકાર માનું છું.
મતિમંદતા યા અજ્ઞાનતાદિ કારણે પ્રસ્તુત લખાણમાં કોઇ પણ ક્ષતિઓ રહી જવા પામી હોય કે શાસ્ત્રવિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તે બદલ મિચ્છામિ દુક્કડમ્ આપું છું અને ગીતાર્થ પુરુષો તેની શુદ્ધિ કરશે એવી આશા રાખું છું.
આ ગ્રંથના અધ્યયન, મનન, ચિંતન અને પરિશીલન કરવા દ્વારા ભક્તિપ્રેમી તત્ત્વજિજ્ઞાસુ આત્માઓ પરમાત્મભક્તિમાં વધુને વધુ ઉદ્યત બની પરમાનંદમય પરમતત્ત્વની અનુભૂતિને પામો એ જ એક શુભાભિલાષા !
શાક થક, શાક,
, . પરમતત્વની ઉપાસના * 25 શો જો જોક કક.ક.
Page #14
--------------------------------------------------------------------------
________________
[ અનુક્રમણિકા
આ
*. ૬૪
o
*
....
.......... ૭૪
..............૭૮
* ૮૨
પ્રકાશકીય નિવેદન ............. જિનભક્તિનો મહિમા, ગ્રંથ અને ગ્રંથકારનો ટૂંક પરિચય ... 5 જિન સ્તુતિનો મહિમા .............. શ્રી ઋષભદેવ જિન સ્તવન , ............ .................... પ્રભુ પ્રીતની રીત બતાવી છે. શ્રી અજિતનાથ જિન સ્તવન. કાર્ય, કારણભાવની સાધના બતાવવા દ્વારા પ્રભુભક્તિની
પ્રધાનતા બતાવી છે. ૩. શ્રી સંભવનાથ જિન સ્તવન............
...................... ૧૬ પ્રભુસેવાની પુષ્ટનિમિત્તતા સિદ્ધ કરી છે. ૪. શ્રી અભિનંદનસ્વામી જિન સ્તવન...
પ્રભુની રસીલી-પ્રીતિ અને પરાભક્તિની પૂર્વભૂમિકા
બતાવી છે. ૫. શ્રી સુમતિનાથ જિન સ્તવન ...... ................૨૯
પરમાત્માની શુદ્ધ દશાનું ચિંતન કરવાપૂર્વક તેમની સેવા કરવી એ જ સ્વ-શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો શ્રેષ્ઠ ઉપાય છે. શ્રી પદ્મપ્રભ જિન સ્તવન .......... ...................૩૬ પ્રભુગુણનો મહિમા વર્ણવીને તેમની નિમિત્તકારણતા સિદ્ધ કરી છે અને નય સાપેક્ષ પ્રભુદર્શનનું સ્વરૂપ. શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન.
.........૪૦ પ્રભુના અનંત ગુણોનું અનંત આનંદ વર્ણવ્યું છે. શ્રી ચન્દ્રપ્રભ જિન સ્તવન.
.........૪૪ પ્રભુસેવાની વિશાળતા, ઉત્સર્ગસેવા અને અપવાદસેવાનું
સ્વરૂપ સાત નયોની અપેક્ષાએ. ૯. શ્રી સુવિધિનાથ જિન સ્તવન.....
........૫૨ પરમાત્મ દર્શનથી આત્મદર્શનની પ્રાપ્તિ થાય છે. એક છોક કોક , શક પરમતત્વની ઉપાસના * 26 je te ja # કે જો
૧૦. શ્રી શીતલનાથ જિન સ્તવન ..
પ્રભુગુણની અનંતતા, જગત ઉપર પ્રભુ આજ્ઞાનું સામ્રાજ્ય,
પ્રભુધ્યાનના ફળરૂપે અક્ષય સુખની પ્રાપ્તિ. ૧૧. શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન ..
પ્રભુના ગુણોના જ્ઞાન, સ્મરણ, ધ્યાન દ્વારા આત્મસ્વરૂપમાં તન્મયતા. ૧૨. શ્રી વાસુપૂજ્ય સ્વામી જિન સ્તવન .
..... ૬૯ પ્રભુપૂજાનાં ત્રણ પ્રકારોનું વર્ણન છે. ૧૩. શ્રી વિમલનાથ જિન સ્તવન ...
પ્રભુની વિમલતાનું ધ્યાન કરનાર સાધક પોતાના
વિમળ સ્વભાવને પ્રગટ કરે છે. ૧૪. શ્રી અનંતનાથ જિન સ્તવન..
પ્રભુનું નામ અને પ્રભુની મૂર્તિની અનન્ય ઉપકારકતા. ૧૫. શ્રી ધર્મનાથ જિન સ્તવન.
આત્મા અને પરમાત્માના એકત્વની ભાવના તથા સામાન્ય
અને વિશેષ સ્વભાવનું સ્વરૂપ, ૧૬. શ્રી શાંતિનાથ જિન સ્તવન.....
‘જિનપડિમાં જિનસારીખી'ની નય સાપેક્ષ સિદ્ધિ કરી છે. ૧૭. શ્રી કુંથુનાથ જિન સ્તવન....
પ્રભુદેશનાની મહત્તા-ગંભીરતા. ૧૮. શ્રી અરનાથ જિન સ્તવન
ચારે પ્રકારનાં કારણોનું વર્ણન કરીને પુનિમિત્ત
શ્રી જિનેશ્વર પરમાત્માના અવલંબનનો ઉપદેશ. ૧૯. શ્રી મલ્લિનાથ જિન સ્તવન ............... ............ ૧૧૪
‘પકારક’ની બાધકતાએ અને સાધકતાનું સ્વરૂપ વર્ણવી
પ્રભુસેવાનું મહત્ત્વ ગાયું છે. ૨૦. શ્રી મુનિસુવ્રત જિન સ્તવન ............ ................. ૧૨૨
પકારકનાં લક્ષણ બતાવી, પુષ્ટનિમિત્તરૂપ પરમાત્માના
આલંબને જ ઉપાદાનશક્તિનું જાગરણ થાય છે તે સાબિત કર્યું છે. મુક કક જ . જો , પરમતત્ત્વની ઉપાસના * 21 કિ જોર થી. કે કોઇ
••.... ૧૦
.. ૧૦૮
Page #15
--------------------------------------------------------------------------
________________
૨૧. શ્રી નમિનાથ જિન સ્તવન.......
--. ૧૨૭ વર્ષાઋતુની વિવિધ ઘટના સાથે પ્રભુસેવાના માહાભ્યનું
અદ્ભુત વર્ણન. ૨૨. શ્રી નેમિનાથ જિન સ્તવન.
......... ૧૩૨ રાજિમતીની અનુપ્રેક્ષા, પ્રશસ્તરાગથી, ગુણીજનના સંસર્ગથી
ઉત્તમ ફળની પ્રાપ્તિ. ૨૩. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન ...
રકમ ૧૩૬ શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતાનું સ્વરૂપ વર્ણવ્યું છે. ૨૪. મહાવીર જિન સ્તવન..
મમમમમમમ. ૧૪૩ સ્વદુષ્કૃતની ગહપૂર્વક ભક્તિપૂર્ણ હૃદયે પ્રભુને સંસારથી પાર ઉતારવાની પ્રાર્થના.
પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજાના અધ્યાત્મ અને ભક્તિપ્રેરક પ્રકાશનો (૧) તત્ત્વજ્ઞાન પ્રવેશિકા (૨) અધ્યાત્મ ગીતા (૩) યોગસાર (૪) સહજસમાધિ (૫) સર્વજ્ઞકથિત પરમ સામાયિક ધર્મ (૬) મીલે મન ભીતર ભગવાન (૭) કહે કલાપૂર્ણસૂરિ, ભાગ ૧ થી ૪ (હિન્દી+ગુજરાતી) (૮) ધ્યાનવિચાર
-: પ્રાપ્તિસ્થાન :શ્રી મહાવીર તત્ત્વજ્ઞાન પ્રચારક કેન્દ્ર શ્રી વાસુપૂજય સ્વામી વર્ધમાનનગર જિનાલય
અંજાર (કચ્છ).
પર કોક કોક
કોક કર પરમતત્વની ઉપાસના + 28 ક
ક ક
ક ક
Page #16
--------------------------------------------------------------------------
________________
પરમતત્ત્વની ઉપાસના
યાને
શ્રીમદ્ દેવચંદ્રજી કૃત ચોવીસ જિનનાં સ્તવનો
હોય ને પરમતત્ત્વની ઉપાસના * ૧
Page #17
--------------------------------------------------------------------------
________________
પ્રીતિ વિના ભક્તિ કે જિનવચન અનુસાર પ્રવૃત્તિ થતી નથી અને તે વિના અસંગ અનુષ્ઠાનની પ્રાપ્તિ પણ થતી નથી.
અહીં પણ પૂ. ઉપા. શ્રી દેવચંદ્રજી મહારાજ ચોવીશીનાં મંગલ પ્રારંભમાં શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ કરતાં સૌ પ્રથમ પરમાત્મા સાથે તાત્ત્વિક પ્રીતિ કઇ રીતે કરી શકાય તેનો સચોટ ઉપાય બતાવે છે.
જિન સ્તુતિનો મહિમા
સર્વ દોષથી રહિત અને સર્વગુણસંપન્ન શ્રી અરિહન્ત પરમાત્માની ભાવભર્યા હૃદયે સ્તુતિ કરવાથી ચિત્તનાં અધ્યવસાયો-પરિણામો નિર્મળ બને છે. નિર્મળ બનેલું ચિત્ત શુભ ધ્યાનમાં સરળતાથી સ્થિર-એકાગ્ર બને છે, અને ચિત્તની નિર્મળતા-એકાગ્રતા વધતાં તેના દ્વારા સમાધિ પ્રાપ્ત થાય છે, અને સમાધિદશામાં તન્મય બનેલો સાધક પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે.
વીતરાગ-પરમાત્માના ગુણોની સ્તુતિ કરનારને પણ તેવા ઉત્તમ ગુણોની અનુક્રમે પ્રાપ્તિ થાય છે. પરમાત્મ-સ્તવન એ પરમાત્મ-પદને પ્રાપ્ત કરાવનાર છે. પ્રાર્થના, સ્તુતિ, સ્તોત્ર, સ્તવન, ભજન, ગુણગાન ઇત્યાદિ શબ્દો એકાર્યવાચી છે.
પ્રણામ (નમસ્કાર) અને સ્મરણ પણ સ્તુતિ સ્વરૂપ જ છે. પ્રીતિ અને ભક્તિપૂર્વક કરેલી સ્તુતિ શીઘ્ર ફળદાયી બને છે, કારણ કે તાત્ત્વિક પ્રીતિ નિષ્કામભક્તિને પ્રગટાવે છે અને ભક્તિ મુક્તિનું પ્રધાન કારણ છે. શાસ્ત્રોમાં પણ પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ આ ચાર પ્રકારનાં અનુષ્ઠાનો બતાવેલાં છે. તેમાં પ્રીતિ અનુષ્ઠાનનું સ્થાન પ્રથમ છે. તેની મુખ્યતયા બતાવવા પાછળ એ જ કારણ છે કે પ્રીતિ એ બાકીનાં અનુષ્ઠાનોને પણ ખેંચી લાવે છે અને સાધનામાં ઉત્તરોત્તર આગળ વધવાની-કટિબદ્ધ બનવાની પ્રેરણા આપે છે - હોંશ વધારે છે. એક છોક કોક , કોઈક પરમતત્વની ઉપાસના * ૨ ક. ૪, +
તીર્થકર ભગવંતનો મહિમા • તીર્થકર ભગવંત મુખ્યપણે કર્મક્ષયનું નિમિત્ત છે. • બોધિ બીજની પ્રાપ્તિનું કારણ છે. • ભવાંતરે પણ બોધિબીજની પ્રાપ્તિ કરાવે છે. • તેઓ સર્વવિરતિ ધર્મના ઉપદેશક હોવાથી પૂજનીય છે. • અનન્ય ગુણોના સમૂહને ધારણ કરનારા છે. • ભવ્યાત્માઓના પરમ હિતોપદેશક છે. • રાગ, દ્વેષ, અજ્ઞાન, મોહ અને મિથ્યાત્વ જેવા અંધકારમાંથી
ઉંગારનાર છે. • તેઓ સર્વજ્ઞ, સર્વદર્શી અને સૈલોક્ય પ્રકાશક છે.
શકે છે , કઈ ક ક , પરમતત્વની ઉપાસના * ૩
શોક જોક ઝાંક, જો
છોક,
Page #18
--------------------------------------------------------------------------
________________
(૧) શ્રી ઋષભદેવ જિન સ્તવન
(નીંદરડી વેરણ હુઇ રહી... એ દેશી) ઋષભ નિણંદશું પ્રીતડી, કિમ કીજે હો, કહો ચતુર વિચાર! પ્રભુજી જઇ અળગાવસ્યા, તિહાંકિણું નવિહો કોઇ વચન ઉચ્ચાર II
| ઋષભ | ૧ || હે ચતુર પુષ્પ ! વીતરાગ પરમાત્મા શ્રી ઋષભદેવ ભગવાનની સાથે પ્રીતિ કઈ રીતે થાય ? તે વિચાર કરીને કહો. જે નજીક હોય, તેની સાથે તો પ્રીતિ થઇ શકે, પણ પ્રભુ તો બહુ દૂર એવી સિદ્ધશિલા ઉપર બિરાજમાન થયેલા છે, ત્યાં વાણીનો પણ અભાવ છે, તેથી તેમની સાથે કોઇ પ્રકારની વાતચીત પણ થઇ શકતી નથી. તો તેમની સાથે પ્રીતિ કેવી રીતે કરાય ? તે કહો.
કાગળ પણ પહોંચે નહીં, નવિ પહોંચે હો, તિહાં કો પરધાના જે પહોચે તે તુમ સમો, નવિ ભાખે હો... કોઇનું વ્યવધાન ||
ઋષભ || ૨ || પ્રીતિ કરવાનો બીજો ઉપાય પત્રવ્યવહાર છે, પણ સિદ્ધિગતિમાં પત્ર પણ પહોંચતો નથી, તેમ જ કોઇ પ્રધાન પુરુષ - પ્રતિનિધિને મોકલીને પણ પ્રીતિ કરી શકાય છે, પરંતુ તે પણ ત્યાં પહોંચી શકતો નથી, તેમ જ જે કોઇ અહીંથી સિદ્ધિગતિમાં જાય છે, તે પણ આપના જેવા જ વીતરાગ, અયોગી અને અસંગ હોવાથી તેઓ અમારો સંદેશો કોઇને કહેતા નથી. તો અમારે પ્રભુ સાથે પ્રેમ કેમ કરવી ? એક છોક કોક , કોઈક પરમતત્વની ઉપાસના * ૪ ક. ૪, + 9
પ્રીતિ કરે તે રાગિયા, જિનવરજી હો... તમે તો વીતરાગ | પ્રીતડી જેહ અરાગીથી, ભેળવવી હો... તે લોકોત્તર માર્ગ ||
ઋષભ | ૩ || વળી પ્રીતિ કરનાર અમે સંસારી જીવો તો રાગી છીએ. અને આપ રાગ વિનાના - વીતરાગ છો. તો પરસ્પર પ્રીતિ કેમ થઈ શકે ?
–આ પ્રમાણે પ્રભુ સાથે પ્રીતિ કરવા ઇચ્છતા સાધકને ચતુર શાસ્ત્રકારો સાંત્વના આપતા કહે છે કે, વીતરાગ પ્રભુ સાથે પ્રીતિ કરવી એ જ પ્રીતિનો લોકોત્તર (અલૌકિક) માર્ગ છે. લોકોત્તર પુરુષ સાથે કરેલી પ્રીતિ પણ લોકોત્તર બની જાય છે. અને સર્વ ઉત્તમ પુરુષનો આ જ માર્ગ છે.
પ્રીતિ અનાદિની વિષભરી, તે રીતે હો... કરવા મુજ ભાવમાં કરવી નિર્વિષ પ્રીતડી, કિણ ભાંતે હો... કહો બને બનાવ .
ઋષભ || ૪ || સંસારી જીવોનો પ્રીતિનો અભ્યાસ અનાદિ કાળથી છે. પણ તે પ્રીતિ અપ્રશસ્ત છે. પુદ્ગલની આશંસાથી યુક્ત હોવાથી વિષ ભરેલી છે. તે રીતે પ્રભુ ! તમારી સાથે પણ એવી જ વિષમય પ્રીતિ કરવાનો મને ભાવ થાય છે. પણ પ્રભુ સાથે તો નિર્વિષ પ્રીતિ કરવાની હોય છે. તો તે કઇ રીતે કરવી ? જ્ઞાની પુરુષો ! મને બતાવો.
પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો... તે જોડે એહા. પરમપુરુષથી રાગતા, એકત્વતા હો... દાખી ગુણગેહ //
ઋષભ | ૫ || નિર્વિષ પ્રીતિનો ઉપાય બતાવે છે કે
પરપુગલ પદાર્થોની સાથે જે અનંતી પ્રીતિ છે, તેને જે જીવ તોડી નાખે છે, તે જીવ આ પરમ પુરુષ પરમાત્માની સાથે પ્રીતિ જોડી શકે છે.
પરમાત્મા સાથેની પ્રીતિ એ રાગરૂપ હોવા છતાં પરમાત્મા સાથે તન્મય થવામાં કારણભૂત હોવાથી એ પ્રીતિ ગુણનું ઘર છે, અર્થાત્ આત્મિક ગુણસંપત્તિને આપનારી છે. કાકા છોક પક ક.tle : પરમતત્ત્વની ઉપાસના ૪ ૫ શl the . જો કે જો
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રભુજીને અવલંબતા, નિજ પ્રભુતા હો... પ્રગટે ગુણરાશ | ‘દેવચંદ્ર'ની સેવના, આપે મુજ હો... અવિચલ સુખવાસ |
ઋષભ || ૬ ||
આ રીતે શ્રી અરિહંત પરમાત્માનું આલંબન લેવાથી પોતાની અનંતગુણ પર્યાયમય પ્રભુતા પ્રગટે છે. ખરેખર ! દેવોમાં ચંદ્ર સમાન શ્રી અરિહંત પરમાત્માની સેવા-ભક્તિ મને અવિચલ સુખવાસ એટલે મોક્ષપદ આપનાર છે.
‘દેવચંદ્ર’ પદથી સ્તુતિકર્તાએ પોતાનું નામ પણ સૂચવ્યું છે. આગળ પણ એ જ રીતે સમજવું.
પ્રથમ સ્તવનનો સાર :
અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં આ જીવને પરમ પુણ્યોદયે મહાદુર્લભ મનુષ્યભવ મળે છે ત્યારે જ ધર્મની વાસ્તવિક પ્રાપ્તિ થઇ શકે છે.
જન્મ, જરા, મરણ અને આધિવ્યાધિની અસહ્ય યાતનાઓ ભોગવતાં ભોગવતાં આ જીવનો અનંત પુદ્ગલ-પરાવર્તન કાળ પસાર થઇ ગયો. છતાં ધર્મની પ્રાપ્તિ વિના ભવભ્રમણનું દુઃખ ટળ્યું નથી, અને આત્માનું અવિનાશી સુખ મળ્યું નથી.
શુદ્ધ ધર્મની પ્રાપ્તિ જિનેશ્વરની ભક્તિથી થાય છે અને જિનભક્તિ જિનેશ્વર પ્રત્યેની પ્રીતિથી પ્રગટે છે. માટે સૌ પ્રથમ પરમાત્મા પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન કરવી જોઇએ .
નિર્વિષ પ્રીતિ-નિઃસ્વાર્થ પ્રેમ એ પરસ્પરના નિખાલસ વ્યવહારથી થાય છે અને તે વ્યવહાર પ્રીતિપાત્ર વ્યક્તિઓનાં મિલન અને લાંબા સમયના સહવાસથી થઇ શકે છે.
પરમાત્મા આપણા આ મર્ત્યલોકથી સાતરાજ દૂર સિદ્ધિગતિમાં બિરાજે છે, અને આ ભક્ત ભરતક્ષેત્રમાં રહે છે... તો પરમાત્મા સાથે મેળાપ થયા વિના પ્રીતિ કેવી રીતે કરી શકાય ? પ્રભુ જે સ્થાનમાં રહ્યા છે, ત્યાં પત્ર કે સંદેશવાહક પહોંચી શકતા નથી, અને જે કોઇ પરમતત્ત્વની ઉપાસના * ૬
મુક્તિપુરીમાં જાય છે, તેઓ પણ ભક્તના સંદેશને કહેતા નથી, કારણ કે ત્યાં જનાર પોતે પ્રભુતામય, અયોગી, વીતરાગ જ હોય છે.
પ્રભુ સાથે પ્રેમ કરવા તલસતો ભક્તાત્મા પોતાની અને પ્રભુની વચ્ચે જે મોટું અંતર પડેલું છે, તેનો વિચાર કરે છે :
દ્રવ્યની અપેક્ષાએ પ્રભુ નિર્મળ જ્ઞાનાદિ સ્વ-ગુણ પર્યાયનાં ભોગીશુદ્ધ દ્રવ્ય છે અને હું પુદ્ગલ ભાવનો ભોગી અશુદ્ધે દ્રવ્ય છું.
ક્ષેત્રની અપેક્ષાએ પ્રભુ લોકના અંતે સિદ્ધશિલા ઉપર સ્વપ્રદેશાવગાહી છે અને હું સંસારક્ષેત્રી, શરીર-અવગાહી છું.
કાળની અપેક્ષાએ પ્રભુ સાદિ અનંત સ્થિતિવાળા છે અને હું અનાદિ કાળથી સંસારમાં જ ભમી રહ્યો છું.
ભાવની અપેક્ષાએ પ્રભુ રાગદ્વેષરહિત છે અને હું રાગી અને દ્વેષી છું. પ્રેમ તો બંને પાત્રો પરસ્પર સમાન, અને બંને પ્રેમ કરવા ઇચ્છતા હોય, તો જ થઇ શકે. પ્રભુ ! આપ તો નીરાગી છો. કોઇ પ્રત્યે પ્રેમ કે દ્વેષ ધરાવતા નથી. તો આપ જેવા વીતરાગ પ્રભુ સાથે મારે પ્રીત કઇ રીતે કરવી ?
પ્રભુપ્રેમ માટે વિલ બનેલા સાધકને આશ્વાસન આપતાં શાસ્ત્રવેત્તા સદ્ગુરુઓ પ્રભુપ્રેમના મહાન રહસ્યને સમજાવતાં કહે છે કે, વીતરાગ સાથેની પ્રીતિ એ મોક્ષમાર્ગનું પ્રધાન અંગ છે અને તે સર્વ યોગોનું ઉત્તમ બીજ છે.
રાગી સાથે પ્રીતિ કરવાથી રાગની વૃદ્ધિ થાય છે. અને રાગની વૃદ્ધિ થવાથી ભવની વૃદ્ધિ થાય છે. જ્યારે વીતરાગની પ્રીતિ પ્રશસ્ત છે. પ્રભુની પ્રીતિથી જ વૈરાગ્ય જવલંત બને છે.
આત્માનું સત્ત્વ વિકાસ પામે છે, અને ક્રમશઃ સંસારનો ઉચ્છેદ થાય છે.
આ જીવ અનાદિકાળથી શરીર, સ્વજન, ધન વગેરેના ઇષ્ટ સંયોગો ઉપર ગાઢ પ્રીતિ ધારણ કરતો આવ્યો છે, પણ તે પ્રીતિ વિષ ભરેલી છે. ઇષ્ટ વિષયોની આશા અને આસક્તિ આત્મગુણોની ઘાતક છે. વીતરાગ પરમાત્મા સાથે પણ બાહ્ય સુખની અભિલાષાથી જો પ્રીતિ
પરમતત્ત્વની ઉપાસના * ૭
Page #20
--------------------------------------------------------------------------
________________
ત્રાણ, શરણ અને આધાર છે. તેમના આલંબનથી જ આ આત્માની પ્રભુતા પ્રગટ થઇ શકે છે.
શ્રી અરિહંત પ્રભુની સેવા જ શિવસુખ આપવા માટે સમર્થ છે. અસંયમ (આમ્રવ)નો ત્યાગ, અને સંયમ (સંવર પરિણામોનું સેવન એ જ શ્રી અરિહંતની સેવા છે.
જિનાજ્ઞાનો આરાધક આરાધનાથી મુક્તિ મેળવે છે. જિનાજ્ઞાની વિરાધક વિરાધનાથી સંસારમાં ભટકે છે.
કરવામાં આવે, તો તે પ્રીતિ પણ વિષભરી બની રહે છે. માટે સર્વ ઇષ્ટ પૌગલિક આશાથી પર બની, માત્ર આત્મગુણોની પ્રાપ્તિ અને વૃદ્ધિ માટે વીતરાગ પરમાત્મા સાથે પ્રીતિ બાંધવી એને જ નિર્વિષ પ્રીતિ કહેવાય છે. જેટલા પ્રમાણમાં પર-પદાર્થો ઉપરની પ્રીતિ ઘટે છે, તેટલા પ્રમાણમાં જ વીતરાગ પરમાત્માની સાથે પ્રીતિ બંધાય છે. વીતરાગની પ્રીતિ એ પ્રશસ્ત રાગ છે, અને પર-પદાર્થોની પ્રીતિ અપ્રશસ્ત રાગ છે. અપ્રશસ્ત રાગ એ પાપસ્થાનક છે, અને પ્રશસ્ત રાગ એ પુણ્યનું ગુણનું સ્થાન છે.
પ્રાથમિક ભૂમિકામાં રાગનો સર્વથા ક્ષય થવો સંભવિત નથી. તેથી પર-પુદ્ગલ પદાર્થો પ્રત્યેના રાગને ઘટાડી અને પરમાત્મા પ્રત્યેનો રાગ વધારવો જોઇએ. અપ્રશસ્ત રાગને પ્રશસ્ત રાગમાં પલટાવવાનું આ જ સુંદર સાધન છે. દોષયુક્ત વ્યક્તિ પર રાગ કરવાથી આપણામાં દોષની વૃદ્ધિ થાય છે, અને ગુણયુક્ત વ્યક્તિ પર રાગ કરવાથી આપણામાં ગુણની વૃદ્ધિ થાય છે.
ભક્તને જ્યારે વીતરાગ પરમાત્મા પ્રત્યે સાચી પ્રીતિ પ્રગટે છે, ત્યારે તે અન્ય સઘળાં સાંસારિક કાર્યોને ગૌણ કરી - છોડી દઇ અને પરમાત્માનાં જ સ્મરણ, અર્ચન, ધ્યાન અને તેમની ભક્તિ તથા આજ્ઞાપાલન આદિ કરવામાં તત્પર બની જાય છે - પછી ક્ષણવાર પણ તેને પ્રભુના સાનિધ્ય વિના ચેન ન પડે, રાત-દિવસ સૂતાં-જાગતાં કે ઊઠતાં-બેસતાં પ્રતિપળ તેનું મન પ્રભુના અનંત ગુણો અને તેમના મહાન ઉપકારોના સ્મરણમાં જ રમતું રહે છે.
અનાદિ નિગોદની ભયાનક જેલમાંથી મુક્ત કરાવનાર અને મનુષ્યભવ આદિ ઉત્તમોત્તમ સામગ્રીનો સુયોગ કરાવનાર અરિહંત પરમાત્માને અને તેમના અગણિત ઉપકારોને ભક્તાત્મા ક્ષણવાર પણ કેમ વીસરી શકે ?
જે કપાસિંધુ પરમાત્માની અસીમ કૃપાથી જ આ આત્મા આટલી ઊંચી ભૂમિકા સુધી પહોંચી શક્યો છે, અને હજુ પણ આગળની ઉચ્ચ ભૂમિકાઓને પ્રાપ્ત કરશે, ખરેખર ! તે પરમાત્મા જ આ આત્માનાં પ્રાણ, શક , શક કરેલ છે. દરેક પરમતત્ત્વની ઉપાસના * ૮ શe , share with
સમ્યકત્વના લક્ષણો શમ : ઉદયમાં આવેલા કે આવવાના ક્રોધાદિ કષાયોને
શમાવવાની ભાવના રાખી, સમતા રાખવી. સંવેગ : ઈચ્છા છે પણ માત્ર મોક્ષ પ્રાપ્તિની. નિર્વેદ : સંસારી જીવને પ્રવૃત્તિ છે, પરંતુ સંસારના પદાર્થોમાં
આસક્તિ નથી. અનુકંપા : જગતના સર્વ જીવોને પોતાના સમાન માની સૌ
પ્રત્યે વાત્સલ્યભાવ, કરૂણા ભાવ. આસ્થા : શ્રદ્ધા, જિનેશ્વર અને તેમણે બોધેલા ધર્મમાં અપૂર્વ
શ્રદ્ધા.
શકે છે , કઈ ક ક , પરમતત્વની ઉપાસના * ૯
થી જો
કે, જો
કે છોક,
Page #21
--------------------------------------------------------------------------
________________
| (૨) શ્રી અજિત જિન સ્તવન
(દેખો ગતિ દેવની રે.. એ દેશી) જ્ઞાનાદિક ગુણસંપદા રે, તુજ અનંત અપાર ! તે સાંભળતાં ઊપની રે, રુચિ તેણે પાર ઉતાર રે / ૧ // - અજિતજિન ! તારજો રે, તારજો દીનદયાળ || ૧ //.
હે પ્રભુ ! આપની અનંત અને અપાર એવી પૂર્ણ જ્ઞાનાદિક ગુણોની સંપત્તિનું વર્ણન મને પણ આગમ દ્વારા સાંભળવા-જાણવા મળ્યું છે; તેથી મને પણ આત્માની તેવી જ્ઞાનાદિક ગુણસંપત્તિને પ્રગટાવવાની રુચિઇચ્છા ઉત્પન્ન થઇ છે, માટે હે દીનદયાળ અજિતનાથ પ્રભુ ! મને પણ આ સંસારસાગરથી તારો - પાર ઉતારો !
જે જે કારણે જેહનું રે, સામગ્રી સંયોગ | મલતાં કારજ નીપજે રે, કર્તા તણે પ્રયોગ | અજિતo // ૨ //
જે જે કાર્યનું જે જે કારણ હોય અને તે તે કાર્ય કરવામાં બીજી પણ જે જે ઉપયોગી સામગ્રી હોય, તેનો યોગ મળવાથી કર્તાના પ્રયત્ન દ્વારા કાર્ય ઉત્પન્ન થાય છે.
કાર્યસિદ્ધિ કર્તા વસુ રે, લહી કારણ સંજોગી નિજપદ કારક પ્રભુ મળ્યા રે, હોયે નિમિત્તેહ ભોગ |
અજિતo | ૩ || કારણ અને અન્ય સામગ્રીનો યોગ મળતાં, કર્તા જ્યારે કાર્ય કરવા માટે પ્રવૃત્તિ કરે છે, ત્યારે કાર્ય સિદ્ધ થઇ શકે છે, અર્થાત્ કાર્યસિદ્ધિ છક જ શકશો કે તે પરમતત્ત્વની ઉપાસના * ૧૦ | | . . . #j
કારણસાકલ્ય એટલે કે સર્વ કારણો અને કર્તાને આધીન હોય છે. એથી નિજપદની પૂર્ણતા કરાવી આપનાર એટલે કે આત્માના મોક્ષરૂપ કાર્યમાં પુષ્ટનિમિત્તકારણ એવા પરમાત્મા મળવાથી મોક્ષાર્થી આત્મા અત્યંત આનંદપૂર્વક તે નિમિત્તનો ભોગ કરે છે, અર્થાત્ સેવન કરે છે.
અજ કુલ ગત કેશરી લહે રે, નિજ પદ સિંહ નિહાલ ! તિમ પ્રભુભક્ત ભવિ લહે રે, આતમશક્તિ સંભાલ /
અજિતo | ૪ || બાળપણથી જ બકરીના ટોળામાં રહેલા સિંહના બચ્ચાને સજાતીય સિંહના દર્શનથી જેમ પોતાના ભૂલાયેલા મૂળ સ્વરૂપનું – સિંહપણાનું ભાન થાય છે, તેવી રીતે શ્રી અજિતનાથ પ્રભુની ભક્તિ કરતો ભવ્યાત્મા પણ પોતાની સત્તામાં રહેલી પરમાત્મશક્તિને ઓળખીને તેને પ્રગટ કરવા પુરુષાર્થ કરે છે.
કારણ પદ કર્તાપણે રે, કરી આરોપ અમેદા નિજ પદ અર્થી પ્રભુ થકી રે, કરે અનેક ઉમેદ | અજિતo || પી.
મુક્તિના અનન્ય કારણરૂપ અરિહંત પરમાત્માને અભેદ ઉપચારથી કર્તારૂપે માની અને નિજસ્વરૂપની પૂર્ણતાનો અર્થી આત્મા, પ્રભુ પાસેથી સમ્યગુ-દર્શનાદિ અનેક ગુણોની આશા રાખે છે.
એહવા પરમાતમ પ્રભુ રે, પરમાનંદ સ્વરૂપમાં સ્યાદ્વાદ સત્તા રસી રે, અમલ અખંડ અનૂપ || અજિતo || ૬ ||
આવા પરમાત્મા પ્રભુ પરમાનંદ સ્વરૂપ છે અને એ પરમાત્મા સ્યાદ્વાદમથી શુદ્ધ સત્તાના રસિક છે, કર્મમળથી રહિત, અખંડ અને અનુપમ-અદ્વિતીય છે. જેના દર્શનથી પણ મને અનહદ લાભ થયો છે.
આરોપિત સુખ ભ્રમ ટલ્યો રે, ભાસ્યો અવ્યાબાધ | સમવું અભિલાષીપણું રે, કર્તા સાધન સાધ્ય | અજિતo | ૭ | ગ્રાહકતા સ્વામિત્વતા રે, વ્યાપક ભોક્તાભાવી કારણતા કારજ દશા રે, સકલ ગ્રહ્યું નિજ ભાવ // અજિતo || ૮ // શ્રદ્ધાભાસન રમણતા રે, દાનાદિક પરિણામ T.
સકલ થયા સત્તા રસી રે, જિનવર દરિસણ પામ || અજિતા ૯ / પ્રક. શક જાક . શક પરમતત્વની ઉપાસના * ૧૧ થી કિ. જઈ શકે છે,
Page #22
--------------------------------------------------------------------------
________________
હે પ્રભુ ! આપના દર્શનથી આરોપિત સુખનો ભ્રમ દૂર થઇ ગયો, અવ્યાબાધ સુખનું ભાસન-જ્ઞાન થયું, એ જ સુખની અભિલાષા પ્રગટી, અને તેનું સતત સ્મરણ કરી તે જ સુખનો કર્તા બન્યો, તેને જ સાધ્ય માની તેનાં સાધનોમાં તત્પર બન્યો. એથી આગળ વધીને હે પ્રભુ ! આપના દર્શનથી સ્વભાવની ગ્રાહકતા, સ્વામીપણું, વ્યાપકતા, ભોક્તતા, કારણતા અને કાર્યતાનું ભાન થયું છે તથા આત્મસત્તાનાં શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા થયાં છે, તેમ જ દાનાદિક ગુણ આત્મસત્તાના રસિક બન્યા છે.
તિર્ણ નિર્ધામક માહણો રે, વૈદ્ય ગોપ આધાર |
‘‘દેવચંદ્ર” સુખ સાગરું રે, ભાવધર્મ દાતાર ॥ અજિત૦ | ૧૦ ॥ તેથી હે પરમાત્મા ! આપ નિર્યામક (સુકાની) છો, માહણ (અહિંસક) છો, વૈદ્ય છો, ગોપ (રક્ષક) છો, આધાર છો અને સુખના સાગર છો. દેવોમાં ચંદ્ર સમાન છો તથા આપ જ ભાવધર્મ (સમ્યગ્દર્શનાદિ)ના દાતાર છો, એવો મને પ્રત્યક્ષ અનુભવ થયો છે.
બીજા સ્તવનનો સાર :
આ સ્તવનમાં કારણ-કાર્યભાવની વ્યવસ્થાનું સુંદર શૈલીથી વર્ણન કરી, ઉપાદાનકારણ કરતાં પણ નિમિત્તકારણની પ્રધાનતા ઉપર અધિક ભાર મૂક્યો છે.
કોઇ પણ કાર્યની ઉત્પત્તિ તેનાં કારણ અને કારણ-સામગ્રી મળવાથી કર્તાના પ્રયોગ દ્વારા થાય છે : જેમ કે ઘટરૂપ કાર્યમાં માટી ઉપાદાનકારણ છે, દંડ - ચક્રાદિ નિમિત્તકારણ છે અને કુંભાર કર્તા છે.
કાર્યની નિષ્પત્તિ (સિદ્ધિ) કર્તાને આધીન હોય છે. જો કુંભાર દંડનો ઘટરૂપ કાર્ય કરવામાં પ્રયોગ કરે, તો ટરૂપ કાર્યની સિદ્ધિ થઇ શકે છે; પરંતુ તે જ દંડથી જો ઘટનો ધ્વંસ કરવા ઇચ્છે, તો તે જ દંડથી ઘટનો ધ્વંસ પણ થઇ શકે છે; માટે કાર્યની સિદ્ધિ કર્તાને આધીન હોયછે. (૧) ઉપાદાનકારણ=જે કારણ કાર્યરૂપે અભિન્નપણે પરિણમે છે તે. (૨) નિમિત્તકારણ=જે કારણ કર્તાના પ્રયોગ દ્વારા કાર્યોત્પત્તિમાં સહકારી બને છે તે.
પરમતત્ત્વની ઉપાસના * ૧૨
અહીં ઘટરૂપ કાર્ય તે ઘટના કર્તા (કુંભાર)થી ભિન્ન છે; તેથી ઘટનો કર્તા પણ તે ઘટથી ભિન્ન છે; પરંતુ જો ઉપાદાન - કારણ અને કર્તા એક જ હોય તો એ કાર્ય પણ કર્તાથી અભિન્ન હોય છે. એથી જ સિદ્ધતારૂપ - મોક્ષરૂપ કાર્યનો કર્તા અને તેનું ઉપાદાનકારણ આત્મા એક જ હોવાથી તે સિદ્ધતા - તે મોક્ષરૂપ કાર્ય આત્માથી અભિન્ન છે; અને તેનો કર્તા આત્મા પણ સિદ્ધતાથી અભિન્ન છે. અર્થાત્ મોક્ષરૂપ કાર્યનો કર્તા આપણો આત્મા છે; અને ઉપાદાનકારણ પણ આપણા આત્માના જ્ઞાનાદિ ગુણો છે; નિમિત્તકારણ દેવાધિદેવ પરમાત્મા છે, અને આર્યદેશ, ઉત્તમકુલ આદિ તેની સામગ્રી છે.
મોક્ષરૂપી કાર્યનાં પુષ્ટનિમિત્ત - કારણરૂપ શ્રી અરિહંત પરમાત્માના યોગથી જીવને મોક્ષરુચિ ઉત્પન્ન થાય છે; એટલે કે પ્રભુની પૂર્ણ પ્રભુતાનું સ્વરૂપ જાણવાથી ભવ્યજીવને પણ તેવી પ્રભુતા પ્રગટાવવાની અભિલાષા ઉત્પન્ન થાય છે. પ્રભુને જોતાં જ તેનું હૈયું આનંદથી પુલકિત બની જાય છે, અને ભવભીરુ સાધક ભક્તિપૂર્ણ હૃદયથી કરુણાસિંધુ પરમાત્માની આગળ સદા પ્રાર્થના પોકારતો રહે છે કે હે દીનદયાળુ કૃપાસિન્ધુ પ્રભુ ! આ સંસારસાગરથી મારો નિસ્તાર કરો, મુજ દીનને ભીષણ ભવભ્રમણથી ઉગારો ! આપ જ મારા તારક છો, આપ વિના મુજ અનાથને પાર ઉતારવા માટે અન્ય કોઇ સમર્થ નથી, આપ જ મારા સમર્થ સ્વામી છો, મારી જ્ઞાનાદિ ગુણસંપદાને પ્રાપ્ત કરાવનાર એક આપ જ પુષ્ટનિમિત્તે છો.
હે પ્રભુ ! આપની પાસેથી જ મને મહાન આધ્યાત્મિક સંપત્તિ મળવાની છે, આપના દ્વારા જ મને અલૌકિક-દિવ્ય આનંદની અનુભૂતિ થવાની છે. આવી આવી કેટલીયે આશાઓ અને આકાંક્ષાઓ ભક્ત સાધક પ્રભુ પાસે રાખે છે.
પરમાનંદ સ્વરૂપ અને શુદ્ધ ગુણ-પર્યાયરૂપ સ્યાદ્વાદમયી સત્તાના રસિયા પરમાત્માનાં દર્શનમાત્રથી પણ મુમુક્ષુ સાધકોને અપૂર્વ લાભની પ્રાપ્તિ થાય છે. આત્માની મહાન શક્તિઓનું ભક્તાત્માને ભાન થાય છે. ખરેખર ! આત્માનંદના ભોગી, આત્મસ્વરૂપમાં જ રમણકરનારા, શુદ્ધ તત્ત્વના વિલાસી, એવા પ્રભુ ! આપનાં દર્શનમાત્રથી જ ભવ્યપરમતત્ત્વની ઉપાસના * ૧૩
Page #23
--------------------------------------------------------------------------
________________
જીવોની વિષયસુખની ભ્રાન્તિ નષ્ટ થઇ જાય છે, અવ્યાબાધ, સ્વાભાવિક સુખનું ભાસન-શાન થાય છે, અને તેને પ્રાપ્ત કરવાની ઇચ્છા જાગે છે.
જ્યાં સુધી આ જીવ વિષયસુખનો અભિલાષી હોય છે, ત્યાં સુધી એ વિષયસુખને જ સાધ્ય માની તેનાં સાધનરૂપ સ્ત્રી, ધન, ધાન્યાદિ પ્રાપ્ત કરવા માટે સતત પુરુષાર્થ કરતો રહે છે. પણ જ્યારે પ્રભુનાં દર્શનથી અવ્યાબાધ સુખની અભિલાષા તેને જાગ્રત થાય છે, ત્યારે તે જીવ અવ્યાબાધ સુખને જ પોતાનું સાધ્ય માની તેનાં સાધનોમાં દેવગુરુ-ભક્તિ, તત્ત્વશ્રદ્ધા આદિની ઉપાસનામાં સતત પુરુષાર્થશીલ રહે છે, અને તે અવ્યાબાધ સુખનો કર્તા બને છે.
એ જ રીતે ગ્રાહકપણું, સ્વામીપણું, વ્યાપકપણું, ભોક્તાપણું, કારણપણું અને કાર્યપણું પણ પોતાના શુદ્ધ સ્વરૂપનું થાય છે.
આજ સુધી જીવ વિષયસુખનો જ ગ્રાહક હતો, તેની વૃત્તિ તેમાં જ વ્યાપક-ઓતપ્રોત હતી અને તે પણ તેનો જ ભોક્તા હતો, પણ અવ્યાબાધ સુખના સ્વામી એવા પ્રભુને છે અને હવે તે સ્વાભાવિક સુખનો અને તેના સાધનોનો ગ્રાહક, વ્યાપક – તેમાં જ ઓતપ્રોત અને ભોક્તા બન્યો છે.
આટલા સમય સુધી આત્મા આઠ કર્મરૂપ ઉપાધિનું ઉપાદાનકારણ અને કર્મબંધનરૂપ કાર્યનો કર્તા હતો, પણ શુદ્ધ સ્વરૂપી નિષ્કમાં એવા વીતરાગ પરમાત્માની ઓળખાણ થયા પછી તે પોતાના શુદ્ધ સ્વરૂપનું ઉપાદાનકારણ અને સંવર-નિર્જરારૂપ કાર્યનો કર્તા બન્યો છે.
પ્રભુના ધ્યાનમાં લીન બનેલા આત્માને બીજી પણ શ્રદ્ધાભાસન રમણતાદિ અનંત શક્તિઓનું સ્મરણ થાય છે અને તે આત્મશક્તિઓ પરભાવને તજીને આત્મભાવમાં સ્થિર થતી જાય છે.
અત્યાર સુધી જીવ શાતાવેદનીયાદિ પુણ્યપ્રકૃતિનો ઉદય જે આત્મિક ગુણોનો રોધક છે, અને તત્ત્વવિમુખ બનાવનાર છે, તેને સુખદ માનતો હતો; પરંતુ હવે તેને અવ્યાબાધ સ્વાભાવિક સુખની શ્રદ્ધા ઉત્પન્ન થઇ છે. અત્યાર સુધી તે માત્ર શાસ્ત્રોની વિગતોને જ્ઞાન માનતો હતો, હવે સિદ્ધપદ એ જ મારું સાધ્ય છે, એવું યથાર્થ જ્ઞાન તેને થયું છે. છક #લ . કૉલ કરે પરમતત્ત્વની ઉપાસના * ૧૪ શle eો 54s of * *
અત્યાર સુધી તેની પુદ્ગલ પદાર્થનાં રૂપ, રસ, ગંધ, સ્પર્શમાં રમણતા થતી હતી, પણ હવે શુદ્ધ સ્વભાવમાં તેની રમણતા થવા લાગી છે તથા તેની દાન-લાભ-ભોગ-ઉપભોગ અને વીર્યલબ્ધિઓ પણ અત્યાર સુધી પુદ્ગલ અનુયાયિની બનીને પ્રવર્તતી હતી; પણ હવે તે સર્વ લબ્ધિઓ આત્મામાં સત્તાપણે રહેલા જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાયોની રસિક બની છે.
પરસ્પર એકબીજા ગુણોને સહકારરૂપ દાન, ગુણ-પ્રાગૃ-ભાવરૂપ સ્વગુણ પર્યાયનો ભોગ અને ઉપભોગ અને પંડિતવીર્ય સંવર-નિર્જરામાં હેતુભૂત બનીને પ્રવૃત્ત થવા લાગ્યો છે.
જેમ બકરાના ટોળામાં રહેલો બાલસિંહ સ્વજાતીય સિંહને જોઇને પોતાના અસલ સ્વરૂપને - સિંહપણાને ઓળખી લે છે, તેમ અનાદિકાળથી પરભાવમાં ભૂલા પડેલા આત્માને પ્રભુનાં દર્શનથી પોતાના શુદ્ધ સ્વરૂપની યથાર્થ ઓળખાણ થાય છે. આ રીતે, પ્રભુની મહાન કરુણાના પ્રભાવે આત્માની જ્ઞાનાદિ શક્તિઓનો આવિર્ભાવ થાય છે.
હે પ્રભુ ! ચારિત્રરૂપી નૌકાના ચાલક (સુકાની) હોવાથી ભવસમુદ્રથી પાર ઉતારનાર હોવાથી આપ “મહાનિર્ધામક” છો.
દ્રવ્ય અને ભાવહિંસાથી રહિત અને પરમ અહિંસા ધર્મના ઉપદેશક હોવાથી આપ “માહણ” છો.
આત્માના કર્મરોગની સમ્યગુ-જ્ઞાન-દર્શન અને ચારિત્રરૂપ ભાવચિકિત્સા બતાવનાર હોવાથી આપ “મહાવૈદ્ય” છો.
છે કાય જીવોની રક્ષા કરનાર હોવાથી તેમ જ જ્ઞાનાદિ ગુણોના ભંડારના રક્ષક હોવાથી આપ “મહાગોપ” છો.
ભયારણ્યમાં ભટકતા ભવ્યજીવોના આધાર હોવાથી આપે “પરમ આધાર” છો.
દેવોમાં ચંદ્ર સમાન નિર્મળ અને સુખના સાગર પ્રભુ ! આપ જ સમ્યગુ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ભાવધર્મના દાતાર છો કેમ કે આપના ઉપદેશથી, આપનાં દર્શનથી, ભવ્યજીવોને ભાવ-ધર્મની પ્રાપ્તિ થાય છે. તેથી “ભાવધર્મના દાતાર” પણ આપ જ છો.
કાકા છોક પક ક.tle : પરમતત્ત્વની ઉપાસના * ૧૫
ક.
૪. જો
કે જો
Page #24
--------------------------------------------------------------------------
________________
[(૩) શ્રી સંભવ જિન સ્તવન
(ધણરા ઢોલા... એ દેશી) શ્રી સંભવ જિનરાજજી રે, તાહરું અકલ સ્વરુપ | સ્વપર પ્રકાશક દિનમણિ રે, સમતા રસનો ભૂપ /
જિનવર પૂજો રે, પૂજો પૂજો રે ભવિકજન ! પૂજો રે,
પ્રભુ પૂજય પરમાનંદ... જિનવર / ૧ / હે સંભવનાથ જિનરાજ ! આપનું સ્વરૂપ અકલ છે, કોઇ છદ્મસ્થથી તે જાણી શકાય તેવું નથી. અને આપ સ્વ-પર (આત્મા અને ધર્માસ્તિકાયાદિ) પદાર્થોના ધર્મને પ્રકાશિત કરવામાં સૂર્ય સમાન છો, તેમ જ સમતારસના રાજા-ભંડાર છો.
હે ભવ્યજનો ! આવા ભગવંતની સદા ભાવપૂર્વક પૂજા કરો, કારણ કે પ્રભુનું ભાવપૂર્વક પૂજન કરવાથી અવશ્ય પરમાનંદની પ્રાપ્તિ થાય છે એટલે કે સહેજ અવિનાશી એવું આત્મિક સુખ પ્રાપ્ત થાય છે.
અવિસંવાદ નિમિત્ત છો રે, જગત જંતુ સુખકાજ જિન. હેતુ સત્ય બહુમાનથી રે, જિન સેવ્યા શિવરાજ... જિન) || ૨ |
હે પ્રભુ ! જગતના જીવોના આત્મિક સુખરૂપ કાર્યને ઉત્પન્ન કરવા માટે આપ એકપ્રધાન-અવિસંવાદ (અવશ્ય કાર્ય સિદ્ધ કરનાર) નિમિત્ત છો, આપ જ મોક્ષના સાચા હેતુ છો, કારણ કે આપના સર્વ ગુણોના શક. કોક કોક કોક છે. છોક પરમતત્ત્વની ઉપાસના ૪ ૧૬ ક. ek ja #l #ક #l,
બહુમાનપૂર્વક જે આપની નિરાશસભાવે સેવા-ભક્તિ કરે છે, તે નિયમો શિવરાજ-મોક્ષપદને મેળવે છે.
ઉપાદાન આતમ સહી રે, પુષ્ટાલંબન દેવ જિનOT. ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ... જિન) || ૩ |
સર્વ આત્માઓ પોતપોતાની સિદ્ધતા (ગુણ પ્રાગુભાવ) રૂપ કાર્યનાં ઉપાદાન જરૂર છે. પરંતુ એ ઉપાદાનને પ્રગટ કરવામાં શ્રી અરિહંતપરમાત્મા પુષ્ટ આલંબન છે. જો કે આત્મામાં ઉપાદાનપણું અનાદિ કાળથી રહેલું છે, પણ ઉપાદાનકારણતાનું પ્રગટીકરણ પ્રભુની સેવાના નિમિત્તથી જ થાય છે.
કાર્ય ગુણ કારણપણે રે, કારણ કાર્ય અનૂપ જિનવા સકલ સિદ્ધતા તાહરી રે, મારે સાધન રૂપ... જિન|| ૪ ||
હે પ્રભુ ! આપનું શુદ્ધ સ્વરૂપ એ આપનો કાર્ય-ગુણ છે, અને તે જ સાધકને અનુપમ કારણરૂપે પરિણમે છે, તેમ જ સાધકના સમ્યગુદર્શનાદિરૂપ ઉપાદાનકારણ એ જ પ્રભુના આલંબને મોક્ષકાર્યરૂપે પરિણમે છે. હે પ્રભુ ! આપની સંપૂર્ણસિદ્ધતા એ મારી સિદ્ધતા પ્રગટાવવાનું પ્રધાન સાધન છે.
એક વાર પ્રભુ વંદના રે, આગમ રીતે થાય જિના કારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતીત કરાય... જિન) | ૫ /
શાસ્ત્રોક્ત વિધિ અનુસાર એક વાર પણ જો શ્રી અરિહંત પરમાત્માને વંદન (નમસ્કાર) થઇ જાય, તો કારણની સત્યતા એટલે કે પરમ પુષ્ટ હેતુની હાજરીથી મોક્ષરૂપ કાર્યની સિદ્ધિ અવશ્ય થઇ જાય છે. ઉપાદાન અને નિમિત્ત બંને સત્ય હોય ત્યારે કાર્યસિદ્ધિ અવશ્ય થાય છે, એવી શ્રદ્ધા કરી શકાય છે.
પ્રભુપણે પ્રભુ ઓળખી રે, અમલ વિમલ ગુણગેહ જિના સાધ્યદૃષ્ટિ સાધકપણે રે, વંદે ધન્ય નર તેહ...જિન) | ૬ ||
શ્રી અરિહંત દેવ, અમલ – સર્વ કર્મમલથી રહિત છે અને વિમલ – ઉજ્વળ ગુણોના ભંડાર છે. આ પ્રમાણે તેમની પ્રભુતાનું સ્વરૂપ જાણી, મુક કક જ . જો , પરમતત્વની ઉપાસના * ૧૭ : શોર, કક. જો કે જો
Page #25
--------------------------------------------------------------------------
________________
પોતાની પ્રભુતા પ્રગટાવવારૂપ સાધ્યને સિદ્ધ કરવા માટે જે સાધક પ્રભુને વંદન (નમસ્કાર) કરે છે, તે ધન્ય છે.
જન્મ કતારથ તેહનો રે, દિવસ સફળ પણ તાસ જિનOT જગત શરણ જિન ચરણને રે, વંદે ધરીય ઉલ્લાસ... જિના ૭ II.
સર્વ જગતના શરણભૂત એવા શ્રી જિનેશ્વર પરમાત્માના ચરણોને જે ઉલ્લાસપૂર્વક વંદન કરે છે, તેનું જીવન કૃતાર્થ બને છે અને તેનો તે દિવસ પણ સફળ બને છે.
નિજ સત્તા નિજ ભાવથી રે, ગુણ અનંતનું ઠાણ જિન | “દેવચંદ્ર” જિનરાજજી રે, શુદ્ધ સિદ્ધ સુખખાણ... જિન| ૮ ||
શ્રી જિનેશ્વર પરમાત્માની અનંતગુણપર્યાયરૂપ સ્વસત્તા નિજભાવથી જ સ્વભાવસ્થ બની છે; એટલે કે શુદ્ધ સ્વભાવને પામી છે; તેમ જ દેવોમાં ચંદ્ર સમાન જિનેશ્વર પ્રભુ અનંતગુણના અને શુદ્ધ અવ્યાબાધ સુખના ભંડાર છે. જ ત્રીજા સ્તવનનો સાર :
શ્રી અરિહંત પરમાત્માનાં દર્શનમાત્રથી તત્ત્વશ્રદ્ધા, તત્ત્વજ્ઞાન ઇત્યાદિ ગુણોની પ્રાપ્તિ થતાં મુમુક્ષુ આત્મા તે તે ગુણોની પૂર્ણતા પ્રાપ્ત કરવા પરમાત્માની પૂજા, સેવા અને આજ્ઞાપાલન કરવા તત્પર બને છે.
પુગલના સંયોગથી ઉત્પન્ન થયેલું સુખ એ સાચું સુખ નથી, પણ એ તો માત્ર કાલ્પનિક સુખ છે; માટે તે વાસ્તવિક આનંદ કે વાસ્તવિક શાંતિ આપવામાં સમર્થ બની શકતું નથી. જયારે આત્માનું સહજ અવિનાશી, અવ્યાબાધ સુખ એ જ વાસ્તવિક સુખ છે. એ જ વાસ્તવિક શાંતિ છે, એ જ વાસ્તવિક પરમાનંદ છે. એવા પરમાનંદની પ્રાપ્તિ, પરમાનંદમય શ્રી અરિહંત પરમાત્માની પૂજા-ભક્તિ દ્વારા જ થઇ શકે છે, માટે શ્રી અરિહંત પરમાત્મા એ જ પ્રત્યેક જીવના મોક્ષ (પૂર્ણ આત્મિક સુખ) રૂપ કાર્યના “પ્રધાન નિમિત્ત” છે. જે કોઇ ભવ્યાત્મા પોતાના શુદ્ધ સિદ્ધતારૂપ સાધ્યને સિદ્ધ કરવા માટે શ્રી અરિહંત પરમાત્માનાં પૂજન, સ્મરણ, ધ્યાનાદિ વિધિ અને બહુમાનપૂર્વક કરે છે, તે અવશ્ય સ્વસાધ્યને સિદ્ધ કરે છે. ક.we le le ja.pક પરમતત્ત્વની ઉપાસના * ૧૮ ક. ek ja #l #ક #l,
પોતાની લઘુતા, ગુણહીનતા અને નિરાધારતાનો વિચાર કરવાથી શ્રી અરિહંત પરમાત્માની પ્રભુતા પ્રત્યે વાસ્તવિક સત્ય બહુમાન પ્રગટે છે.
હે નાથ ! હું તો મહામોહાધીન થઇને, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયોની કારમી જાળમાં સપડાઇ ગયો છું. મારી પૌગલિક સુખોની તૃષ્ણા કેમે છીપતી નથી ? હે વિશ્વોપકારી વિભુ ! આપનાં વિના મારો કોણ ઉદ્ધાર કરશે ? આપ વિના મારી જીવનનૈયાને સંસાર સમુદ્રને પેલે પાર કોણ પહોંચાડશે ?
અશરણ, નિરાધાર અને અનાથ બનેલા મારા જેવા દીન દુ:ખીને આજે પરમોપકારી કરુણાસિંધુ, ત્રિલોકનાથ, વિશ્વવત્સલ શ્રી અરિહંત પરમાત્માનો સુંદર યોગ મળ્યો છે. એથી ખરેખર ! મારો જન્મ કૃતાર્થ થયો છે. મારો આજનો આ દિવસ સફળ થયો છે. અહો ! ધન્ય છે ! આપના આવા અદ્ભુત રૂપને...! જે અષ્ટ પ્રતિહાર્યો અને ચોત્રીસ અતિશયોથી દેદીપ્યમાન છે, મનમોહક છે.
આપની ગંભીર અને મધુર વાણી પણ પાંત્રીસ અતિશયોથી યુક્ત છે, સાંભળતાં મહાન વિદ્ધવરોનાં મન પણ મંત્રમુગ્ધ બની જાય છે. આપનાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય આદિ ક્ષાયિક ભાવે પ્રગટેલાં ગુણોનું સ્વરૂપ જાણી ભવ્યાત્માઓનાં મસ્તક આદર અને બહુમાનપૂર્વક ભાવથી નમી પડે છે, હૃદય હર્ષોલ્લાસથી પુલકિત થઇ જાય છે.
આ રીતે અંતરના ઉમળકાથી કરેલી આદર-બહુમાનપૂર્વકની પ્રભુસેવા શિવસુખને પ્રાપ્ત કરાવે છે. તેથી જ શાસ્ત્રોમાં ઉપાદાન કારણ કરતાં પણ | નિમિત્ત કારણની (અપેક્ષાએ) પ્રધાનતા બતાવેલી છે. કારણ કે ઉપાદાનમાં વિશેષનું આધાન નિમિત્તના યોગે જ થાય છે, એવો નિયમ છે.
સર્વ આત્માઓની સત્તા, સિદ્ધ સમાન હોવા છતાં શ્રી અરિહંતની સેવાનું નિમિત્ત મળ્યા વિના ભવ્યજીવની પણ સિદ્ધતા પ્રગટતી નથી. ઉપાદાનને તૈયાર કરનાર નિમિત્ત છે, એમ જો માનવામાં ન આવે, તો નિગોદના જીવોમાં પણ મોક્ષની ઉપાદાનતા હોવા છતાં તેમનો મોક્ષ કેમ થતો નથી ? તેનું સમાધાન એ છે કે તેઓ પોતાના મોક્ષના ઉપાદાન જિક, શક, કઈક કa e Bક પરમતત્વની ઉપાસના * ૧૯ ક.ક. જો ,
Page #26
--------------------------------------------------------------------------
________________
જ નિમિત્ત કાર્ય-કારણની અપેક્ષાએ વિચારણા :
શ્રી અરિહંત પરમાત્માનું જે શુદ્ધ-સિદ્ધતારૂપ કાર્ય પ્રગટેલું છે, તે જ મુમુક્ષુ ભવ્યાત્માને નિમિત્ત કારણ છે. અરિહંત પરમાત્માના કેવળજ્ઞાનાદિ ગુણોનાં ચિંતન-ધ્યાન વડે મુમુક્ષુ આત્માને તેવું જ પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવાની રુચિ ઉત્પન્ન થાય છે. અને મોક્ષરુચિ રૂપ ઉપાદાન કારણ એ અંતે મોક્ષરૂપ કાર્યમાં પરિણમે છે. આ રીતે, પરમાત્માની સકલ સિદ્ધતા એ જ ભવ્યાત્માને પરમ સાધન રૂપ છે.
શ્રી અરિહંત પરમાત્માને આદર અને બહુમાનપૂર્વક કરેલો એક જ નમસ્કાર એ ભવ્યજીવોને સંસારસાગરથી પાર ઉતારવામાં સમર્થ છે. આ છે પ્રભુવંદનાનું મહાન ફળ ! પ્રભુની પ્રભુતાને યથાર્થ રીતે ઓળખી અને સ્વસાધ્યને સિદ્ધ કરવા માટે જે કોઇ શ્રી અરિહંત પરમાત્માને વંદન કરે છે, તેનું જીવન ધન્ય બને છે, કૃતાર્થ થાય છે. આવા મુમુક્ષુ આત્માઓ અલ્પકાળમાં જ મોક્ષસુખના ભોક્તા બને છે, એ નિશ્ચિત વાત છે.
હોવા છતાં દેવ-ગુરુરૂપ નિમિત્ત ન મળવાથી તેઓમાં ઉપાદાનકારણતા પ્રગટતી નથી.
ઉપાદાનમાં કારણતા (નિયમા કાર્ય ઉત્પન્ન કરવાની શક્તિ) નિમિત્તના યોગે જ પ્રગટે છે. ઉપાદાન, અનાદિ હોવા છતાં તેની કારણતા સાદિ-સાન્ત છે. શ્રી અરિહંત પરમાત્માના આલંબનથી જયારે આત્મા સ્વરૂપમાં લયલીન બને છે, ત્યારે ઉપાદાનકારણતા પ્રગટે છે અને સિદ્ધતારૂપ” કાર્ય સિદ્ધ થતાં તે (કારણતા) પણ નિવૃત્ત થઇ જાય છે.
બીજમાં ફળ ઉત્પન્ન કરવાની શક્તિ તે ઉપાદાન છે, પણ વૃષ્ટિ વગેરે સામગ્રીના યોગથી તેમાં અંકુર ફૂટે છે, ત્યારે જ ફળરૂપ કાર્યની સિદ્ધિ થઇ શકે તેવી રીતે મોક્ષરૂપ કાર્યનું બીજ આત્મા હોવા છતાં શ્રી અરિહંતની સેવાદિના યોગે સમ્યગદર્શન પ્રગટતાં મોક્ષરૂપ કાર્ય સિદ્ધ થાય છે.
બીજના ઢગલા પડ્યા હોય, છતાં વૃષ્ટિ આદિના અભાવે જેમ ભયંકર દુષ્કાળ પડે છે. તેમ આ લોકમાં અનેક ભવ્યજીવો વિદ્યમાન છે. છતાં શ્રી અરિહંત પરમાત્મા અને તેમના શાસનની આરાધના વિના કોઇનો પણ મોક્ષ થતો નથી. માટે, એમ નક્કી થાય છે કે શ્રી અરિહંતની સેવા એ મોક્ષનું પુર નિમિત્ત છે, તે વિના એકલું ઉપાદાન કાર્ય કરવાને સમર્થ બની શકતું નથી. હવે અપેક્ષાએ “કાર્ય” એ કારણરૂપે પરિણમે છે અને “કારણ” કાર્યરૂપે પરિણમે છે, એ આશ્ચર્યજનક પંક્તિનું રહસ્ય શું છે તે સમજીએ. જ ઉપાદાન કાર્ય-કારણની અપેક્ષાએ વિચારણા :
જયારે શ્રી અરિહંત પરમાત્માદિના આલંબનથી સમ્યગુદર્શનની પ્રાપ્તિ થાય છે, ત્યારે “તત્ત્વશ્રદ્ધા, તત્ત્વજ્ઞાન અને તત્ત્વરમણતારૂપ” (ક્ષયોપશમ રત્નત્રયીરૂપ) કાર્યની નિષ્પત્તિ થાય છે, અને તે ક્ષાયોપથમિક રત્નત્રયીરૂપ કાર્ય એ જ ક્ષાયિક રત્નત્રયીને પ્રગટ કરવામાં કારણરૂપ બને છે. આ રીતે કાર્યનું કારણરૂપે પરિણમન થાય છે. હવે જે ક્ષયોપશમ રત્નત્રયીરૂપ કારણ છે કે જ્યારે ક્ષાયિક ભાવે પરિણમે છે ત્યારે “કારણ” એ જ કાર્યરૂપે બની જાય છે. એક છોક કોક , કોઈક પરમતત્વની ઉપાસના * ૨૦ ક. ૪, + 9
કાળનો બોમ્બ પડશે ત્યારે શું ?
ભૂતકાળમાં બહારના હુમલાથી બચવા રાજાઓ કિલ્લાઓ ચણતા હતા. હવે બોમ્બ પડવા માંડ્યા એટલે લોકોએ ભોયરા (બંકર) બનાવ્યા. પણ આ કાળનો બોમ્બ પડે ત્યારે કોનું શરણ લેશો ? ભૌતિક વિજ્ઞાન પાસે એનો જવાબ નથી. બોમ્બ પડેલો હોય તે ધરતી ઘણા શ્રમથી કોઈ પલ્લવિત કરે. ઈજા પામેલા માનવોને સારવાર આપે, પણ મૃત્યુ પાસે તે શું કરી શકે ?
ધર્મ જ માનવને સ્વાધીનતા અને સુખ આપશે.
પ્રક. શક જાક . શક પરમતત્વની ઉપાસના * ૨૧ થી *ક જ છja.
Page #27
--------------------------------------------------------------------------
________________
(૪) શ્રી અભિનંદન જિન સ્તવન
(બ્રહ્મચર્ય પદ પૂજીએ... એ દેશી) કયું જાણું કયું બની આવશે, અભિનંદન ! રસરીતિ હો મિત્તા પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત હો મિત્ત //
કયું || ૧ // હે મિત્ર ! કોણ જાણે શ્રી અભિનંદન પ્રભુ સાથે રસભરી પ્રીતિ, ભક્તિ, એકતા-મિલનરૂપ તન્મયતા કઇ રીતે થઇ શકે ? સાધક જયારે અંતરાત્મા સાથે આમ વાત કરે છે ત્યારે એને સ્વયંસ્કુરણા થાય છે કે પુદ્ગલના વર્ણ-ગંધ-રસ-સ્પશદિના ભોગોનો ત્યાગ કરવાથી પ્રભુ સાથે રસીલી પ્રીતિનો અનુભવ થઇ શકે છે.
પરમાતમ પરમેસરૂ, વસ્તુગતે તે અલિપ્ત હો મિત્ત | દ્રવ્ય દ્રવ્ય મલે નહિ, ભાવે તે અન્ય અવ્યાપ્ત હો મિત્ત .
કર્યુo | ૨ / શ્રી અભિનંદન પ્રભુ તો કર્મથી રહિત હોવાથી પરમાત્મા છે, સંપૂર્ણ રીતે સ્વાધીન હોવાથી પરમેશ્વર છે, વસ્તુતઃ સ્વભાવથી અલિપ્ત છે. નિશ્ચયનયથી કોઇ પણ દ્રવ્ય અન્ય દ્રવ્ય સાથે મળતું નથી, તેમ જ અન્યનો ભાવ પણ અન્યમાં વ્યાપી શકતો નથી. એથી પ્રભુ, દ્રવ્યથી બીજા દ્રવ્ય સાથે અલિપ્ત છે અને ભાવથી પણ તે પ્રભુ અવ્યાપ્ત છે.
શુદ્ધ સ્વરૂપ સનાતનો, નિર્મલજે નિસંગ હો મિત્તા આત્મવિભૂતિ પરિણમ્યો, ન કરે તે પરસંગ હો મિત્ત / કયું | ૩ ll
હે મિત્ર ! પ્રભુ તો શુદ્ધ સ્વરૂપી છે, સનાતન છે, નિર્મલ (કર્મમલથી રહિત) છે અને નિઃસંગ (સંગરહિત) છે. તેમજ પ્રભુ આત્મવિભૂતિને વરેલ હોવાથી તેઓ કદાપિ પરનો સંગ કરતા નથી, તો આવા પ્રભુથી કઇ રીતે મળી શકાય ? કઇ રીતે તન્મય થઇ શકાય ?
પણ જાણું આગમ બલે, મિલવું તુમ પ્રભુ સાથ હો મિત્તા પ્રભુ તો સ્વસંપત્તિમય, શુદ્ધ સ્વરૂપનો નાથ હો મિત્ત |
કયું૦ || ૪ || પ્રભુ જ્ઞાનાદિ સ્વસંપત્તિ અને પોતાના શુદ્ધ સ્વરૂપના નાથ છે, તેથી તે કોઇની સાથે મળતા નથી પણ તેની સાથે મળવાનો (તન્મય થવાનો) ઉપાય આગમથી – શાસ્ત્રાભ્યાસથી આ પ્રમાણે જાણવામાં આવ્યો છે.
પર પરિણામિકતા અછે, જે તુજ પુદ્ગલયોગ હો મિત્તા જડચલ જગની એંઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત ||
કયું૦ |૫ || હે જીવ ! પુગલના યોગથી તું જે પરપદાર્થોમાં પરિણમન કરે છે તે દોષ છે. હે મિત્ર ! આ પુદ્ગલોનો ભોગ તને ઘટતો નથી, એ જડ પદાર્થો તો ચંચલ અને નાશવંત છે, અને સર્વ જીવોએ તેનો અનેક વાર ભોગ કર્યો હોવાથી એ જગતની એંઠ છે. આ રીતે સૌ પ્રથમ આત્માને વૈરાગ્યથી ભાવિત બનાવવો.
શુદ્ધ નિમિત્તી પ્રભુ ગ્રહો, કરી અશુદ્ધ પર હેય હો મિત્તી આત્માલંબી ગુણલયી, સહુ સાધકનો ધ્યેય હો મિત્ત .
કયું | ૬ || પરભૌતિક પદાર્થો અશુદ્ધ હોવાથી તેનો ત્યાગ કરીને આત્મામાં જ રમણતા કરનાર - સ્વગુણાવલંબી અને સર્વ સાધકોના ધ્યેય રૂપ - આરાધ્યરૂપ શુદ્ધ નિમિત્તી એવા શ્રી અરિહંત પરમાત્માનું આલંબન લેવું જોઇએ...
જિમ જિનવર આલંબને, વધે સધે એકતાન હો મિત્તા તિમ તિમ આત્માલંબની, ગ્રહે સ્વરૂપ નિદાન હો મિત્ત ||
| ૭ | ક, છજ, ઝ, છીંક, પરમતત્ત્વની ઉપાસના * ૨૩ .૪ .૧ ૧. ble,
ક.દક, જો આ
પરમતત્વની ઉપાસના * ૨૨ જ શાક, છક થઈ છjapl
Page #28
--------------------------------------------------------------------------
________________
ઉપર્યુક્ત રીતે અભ્યાસ કરતાં જિનેશ્વર પરમાત્માના આલંબનમાં જેમ જેમ સાધકની એકાગ્રતા વધતી જાય છે, તેમ તેમ પ્રભુ સાથે (સાધકની) તન્મયતા સિદ્ધ થતી જાય છે અને તેના દ્વારા સાધક સ્વરૂપાલંબી બની સ્વરૂપ પ્રાપ્તિના મૂળ કારણ સમ્યગુદર્શનાદિ ગુણોને પ્રાપ્ત કરે છે એટલે કે તે સાધક આત્મસ્મરણ, આત્મચિંતન અને આત્મધ્યાનમાં લીન બને છે.
સ્વસ્વરૂપ એકત્વતા, સાધે પૂર્ણાનંદ હો મિત્તા રમે ભોગવે આતમાં, રત્નત્રયી ગુણવૃન્દ હો મિત્ત /
કયું || ૮ || આ રીતે આત્મા ક્ષયોપશમભાવે પ્રગટેલા સ્વસ્વરૂપમાં સમ્યગુદર્શનાદિ ગુણોમાં તન્મય બનીને રમણતા કરે છે ત્યારે તેને આત્માનું પૂર્ણાનંદ સ્વરૂપ પ્રગટે છે અને પછી તે આત્મા સદાકાલ રત્નત્રયીરૂપ સમ્યગુદર્શનાદિ ગુણોમાં રમણતા કરે છે અને તે જ ગુણોને ભોગવે છે, એટલે કે આત્મા તે ગુણોનો જ ભોક્તા થાય છે.
અભિનંદન અવલંબને, પરમાનંદ વિલાસ હો મિત્તા દેવચંદ્ર' પ્રભુ સેવના, કરી અનુભવ અભ્યાસ હો મિત્ત /
કયું / ૯ //. આ પ્રમાણે અભિનંદન પ્રભુના અવલંબનથી આત્માને પરમાનંદમય સમાધિ પ્રાપ્ત થાય છે. માટે દેવોમાં ચંદ્ર સમાન એવા અભિનંદન પરમાત્માની અનુભવના અભ્યાસપૂર્વક સેવા કરવી જોઇએ ! જ ચોથા સ્તવનનો સાર :
શ્રી અરિહંત પરમાત્મા સાથેની રસીલી (એકત્વ મિલનરૂપ) ભક્તિને ‘પરાભક્તિ' પણ કહે છે.
પ્રાથમિક અવસ્થામાં સ્વામી-સેવક ભાવથી જે ભક્તિ થાય છે તે અપરાભક્તિ કહેવાય છે અને તે અપરાભક્તિના આલંબનથી ‘પરમાત્મા એ જ હું છું’ એવી એકતા પ્રગટે છે, તે ‘પરાભક્તિ’ કે ‘રસીલી ભક્તિ' કહેવાય છે. એક છોક કોક , કોઈક પરમતત્વની ઉપાસના * ૨૪ ક. ૪, + 9
પરપુગલ પદાર્થોની આસક્તિ છોડવાથી જ પ્રભુ સાથે એકતા - તન્મયતા પ્રગટે છે. પુદ્ગલ-પદાર્થોનો ભોગી કદી પણ શુદ્ધ તત્ત્વ સાથે - પરમાત્મા સાથે એકતા સાધી શકતો નથી.
જોકે શ્રી અરિહંત પરમાત્માનું એકત્વ મિલન થવું ઘણું જ દુષ્કર છે, કેમ કે પ્રભુ અને આપણી વચ્ચેનું અંતર ઘણું મોટું છે.
પ્રભુ નિષ્કર્મા પરમાત્મા છે, આપણે પુદ્ગલ ભોગી બહિરાત્મા છીએ. પ્રભુ પરમોત્કૃષ્ટ અને સંપૂર્ણ સ્વાધીન ઐશ્વર્ય (અનંત ગુણપર્યાય)થી યુક્ત છે, આપણે વિશિષ્ટ શ્રુતજ્ઞાનાદિથી રહિત ભાવદરિદ્રી છીએ. પ્રભુ કર્મના લેપથી રહિત હોવાથી અલિપ્ત છે, આપણે કર્મમલથી લેવાયેલા હોવાથી લિપ્ત છીએ. પ્રભુનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ સંપૂર્ણ શુદ્ધ થયેલા છે; આપણાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ અશુદ્ધ છે, આ રીતે પ્રભુ અને આપણી વચ્ચે મહાન અંતર પડેલું છે .એટલે પરસ્પર મિલન થવું મુશ્કેલીભર્યું છે એટલે કે એ અંતરનો છેદ ભગીરથ પુરુષાર્થથી શક્ય છે.
અરિહંત પરમાત્મા શુદ્ધ આત્મસ્વરૂપ છે, નિત્ય છે, નિર્મળ (કર્મમલથી રહિત) છે અને નિઃસંગ (સર્વસંગરહિત) છે, પ્રભુ કેવલ જ્ઞાનાદિ સ્વશુદ્ધ સ્વરૂપના સ્વામી તથા પરમાનંદના ભોગી હોવાથી અન્ય કોઇની સાથે મળતા નથી, એ હકીકત છે, છતાં જેને સ્વઆત્મસંપત્તિ પ્રગટ કરી પ્રભુ સાથે મળવાની – એકતા સાધવાની તીવ્ર રુચિ હોય તેણે જિનાગમોમાં કહેલા ઉપાયોનું રહસ્ય જાણી તેનું આદરપૂર્વક આસેવન કરવું જોઇએ. આ રહ્યા તે ઉપાયો
જીવમાં પુદ્ગલના યોગથી પરમાં પરિણમન કરવાની જે કુટેવ અનાદિકાળથી પડેલી છે, તે કુટેવને મુમુક્ષુ જીવોએ સૌ પ્રથમ દૂર કરવી જોઇએ. અને તે માટે વૈરાગ્યજનક હિતવચનોથી શિક્ષા આપી આત્માને કેળવવો જોઇએ.
હે ચેતન ! તારું સહજ આત્મિક સુખ કર્મથી આવૃત હોવાથી તું પુદગલના ભાગમાં આસક્ત બની તેમાં આનંદ માણી રહ્યો છે, પરંતુ ૧. દ્રવ્ય - ગુણપર્યાયનો સમુદાય; કાલ - ઉત્પાદ વ્યયની વર્તના, ક્ષેત્ર . પ્રદેશ
અવગાહના; ભાવ - સ્વગુણ પર્યાયની પ્રવૃત્તિ. મુક કક જ . જો પરમતત્ત્વની ઉપાસના * ૨૫ કિ જોર થી. જો કે
Page #29
--------------------------------------------------------------------------
________________
જે ભોગોને જગતના સર્વ જીવોએ અનંત વાર ભોગવ્યા છે. આ સર્વ પુદ્ગલરાશિ એ જગતના જીવોની એંઠ સમાન છે, અને એ પુદ્ગલરાશિ વિનાશી સ્વભાવની છે, માટે આ જડ પદાર્થો ભોગવવા યોગ્ય નથી.
હંસ જેવું પ્રાણી પણ વિષ્ટાદિ મલિન પદાર્થોમાં કદી પોતાની ચાંચ નાંખતું નથી. તો હે ચેતન ! તને આ અશુભ – મલિન પુદ્ગલોનો ભોગ કરવો કેમ ઘટે ? માટે આ સર્વ પરભાવનો ત્યાગ કરી અને આત્માનંદી ગુણલયી અને સર્વ સાધકોના પરમ ધ્યેયરૂપ શ્રી અરિહંત પરમાત્માનું આલંબન લઇ, તેમના ધ્યાનમાં તન્મય બની જા ! એકતાન બની જા !
દાન, લાભ, ભોગ વગેરે આત્માની જ શક્તિઓ છે. આત્મા પ્રત્યેક ક્ષણ કંઇક ને કંઇક ભોગવે જ છે. પણ સ્વરૂપનો લાભ થયો ન હોવાથી એ વિનાશી પુદ્ગલોના ધર્મોનો (શબ્દાદિ વિષયોનો) ભોગી બન્યો છે. અને આ પરભોગ જયાં સુધી ચાલુ રહે છે, ત્યાં સુધી તેને પોતાની પ્રભુતા પ્રાપ્ત થતી નથી; સ્વપ્રભુતાને પ્રગટ કરવા સંપૂર્ણ પ્રભુતામય અરિહંત પરમાત્માનું આલંબન લેવું જ પડે છે.
જડના સંગને છોડી આત્મા જેમ જેમ જિનેશ્વર પ્રભુના ધ્યાનમાં વધુ એકાગ્ર બને છે, અર્થાતુ પોતાની ક્ષયોપશમભાવની ચેતના અને વીર્યશક્તિ દ્વારા જેમ જેમ અરિહંતની શુદ્ધતામાં તન્મયતા-રમણતા સધાય છે, તેમ તેમ સાધકને પોતાના શુદ્ધ સ્વરૂપનાં સ્મરણ, ચિંતન અને ધ્યાન સિદ્ધ થતાં જાય છે.
શુદ્ધ નિમિત્તના આલંબનથી ઉપાદાન શક્તિ જાગ્રત થયા પછી આત્મા, પોતાના શુદ્ધ સ્વરૂપમાં શ્રદ્ધા અને જ્ઞાનસહિત રમણતા કરી, તેમાં તન્મય બને છે, ત્યારે સંપૂર્ણ સ્વાધીન, અનંત, અક્ષય, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને અવ્યાબાધ સુખ (આનંદ) પ્રગટે છે. પછી આત્મા સાદિ અનંતકાલ સુધી પૂર્ણપણે પ્રગટેલા એ ગુણરાશિમાં જ રમણતા કરતો તેનો જ ભોગ કરે છે.
આ પ્રમાણે, પ્રભુ સાથે આત્માનુભવના અભ્યાસપૂર્વક તન્મયતા થવાથી પ્રભુનું એ કાન્તિક - આત્યંતિક મિલન થઇ શકે છે. જ્ઞાનાદિ સ્વપ્રભુતાની પ્રાપ્તિ જ પ્રભુ સાથેનું મિલન છે. શક. કોક કોક કa.pક પરમતત્ત્વની ઉપાસના * ૨૬ ક. શle a #le #ક #,
આ સ્તવનમાં બતાવેલી રસીલી ભક્તિ એ પ્રભુમિલનનો પ્રધાન ઉપાય છે. કારણ કે તે આત્માર્પણ, સમાપત્તિ - (ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા), અનુભવદશા, પરાભક્તિ કે અભેદ પ્રણિધાન સ્વરૂપ છે.
આત્માર્પણ આદિના સ્વરૂપને જાણનાર, સાધક આ રહસ્યને સરળતાથી સમજી શકે છે.
પ્રભુની એકતમિલન રૂપ રસીલી ભક્તિ એ જ સર્વ આગમોનું, અધ્યાત્મશાસ્ત્રોનું કે યોગશાસ્ત્રોનું રહસ્ય છે. તેના દ્વારા આત્મઅનુભવની પ્રાપ્તિ ખૂબ જ સરળ અને શીધ્ર બને છે.
અસંખ્ય યોગોમાં ‘નવપદ' મુખ્ય યોગ છે. એના આલંબનથી આત્મધ્યાન સહજ રીતે પ્રગટે છે. નવપદોમાં પણ અરિહંતપદ મુખ્ય છે, અરિહંતના ધ્યાનથી નવ પદોનું ધ્યાન સિદ્ધ થાય છે, માટે અરિહંત પ્રભુની પરાભક્તિ એ જ સર્વ યોગોનો સાર છે.
- શ્રી અરિહંત પરમાત્મા પરમ ઐશ્વર્યયુક્ત હોવાથી પરમેશ્વર છે, પોતાના જ પૂર્ણશુદ્ધ સ્વરૂપના કર્તા-ભોક્તા છે, રાગાદિ દોષોથી રહિત હોવાથી અલિપ્ત છે, કોઇની સાથે તેઓ ભળતા નથી, તેમના ધ્યાનમાં તન્મય - તદ્રુપ બનનારનું તેમના જેવું જ પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટે છે.
આ ચાર મુદ્દાઓ દ્વારા જૈન દર્શનમાન્ય, પરમાત્મતત્ત્વનું મહાન રહસ્યમય સ્વરૂપ સ્વાવાદ શૈલીથી અહીં બતાવેલ છે તેને સંક્ષેપથી વિચારીએ :
નિશ્ચયનયની અપેક્ષાએ અરિહંત પરમાત્મા અન્ય જીવોના મોક્ષના કર્તા નથી, પરંતુ પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપના કર્તા છે. પોતાની જેમ અન્ય જીવોનો મોક્ષ પણ સાધી શકાતો હોત તો પરમ ભાવ કરુણાના ભંડાર અને ‘સવી જીવ કરુ શાસન રસી'ની ઉત્કૃષ્ટ ભાવનાવાળા તેઓ એક પણ જીવને મોક્ષસુખથી વંચિત રહેવા દેત નહિ ! પરંતુ વસ્તુસ્થિતિ જ એવી છે કે દરેક ભવ્યજીવને મોક્ષ મેળવવા માટે જાતે પુરુષાર્થ કરવો પડે છે. તેમાં પરમાત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ સર્વ ભવ્યજીવોને પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિના પ્રબળ પુરુષાર્થમાં મહાન પ્રેરક બને છે. શકે છે , શક, , છ, પરમતત્વની ઉપાસના * ૨૭ શોક કોક કોક #le whops
Page #30
--------------------------------------------------------------------------
________________
[ (૫) શ્રી સુમતિ જિન સ્તવન |
વ્યવહારનયની અપેક્ષાએ અરિહંત પરમાત્મા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિમાં પુષ્ટ નિમિત્ત છે. તેમનાં આલંબન, સ્મરણ, ચિંતન, ધ્યાન વિના કોઇ પણ આત્મા પોતાના સુદ્ધ સ્વરૂપને ઓળખી કે અનુભવી શકતો નથી. તો મોક્ષપ્રાપ્તિની વાત જ ક્યાં રહી ? એટલું જ નહિ, પણ સમ્યગુ દર્શનાદિ સર્વ ઉચ્ચ ભૂમિકાઓની પ્રાપ્તિ પણ શ્રી અરિહંત પરમાત્માની કૃપાથી જ થાય છે, માટે સર્વ સદ્ગુણો, સંપત્તિઓ અને યાવતું મોક્ષસુખના દાતા શ્રી અરિહંત પરમાત્મા છે.
આ રીતે, પ્રભુનું પુષ્ટ નિમિત્ત કતૃત્વ મુમુક્ષુ સાધકોની આત્મસાધનામાં અતિશય ઉપકારક છે. પ્રભુના નિમિત્ત કર્તુત્વ વિના સાધકના જીવનમાં સંભવિત અહંભાવ – “હું મારા પુરુષાર્થથી જ હું આગળ વધી રહ્યો છું”, એવું અભિમાન દૂર થવું શક્ય નથી.
આવાં અનેક ભયસ્થાનોથી બચવા અને મોક્ષલક્ષી સર્વ સાધનાઓનાં વાસ્તવિક ફળને પામવા જીવનમાં કૃતજ્ઞતા અને નમ્રતાનુણ કેળવવો અનિવાર્ય છે, અને તેમાં ઉત્તરોત્તર વિકાસ પરમાત્માની આદરબહુમાનપૂર્વક સેવા-ભક્તિ કરવાથી જ થાય છે. આમ, પ્રભુનું નિમિત્ત કતૃત્વ માનવું – સ્વીકારવું અતિ આવશ્યક બની રહે છે.
નિશ્ચયર્દષ્ટિને લક્ષ્યમાં રાખી જે પુણ્યાત્મા, વ્યવહારના પાલનમાં તત્પર બને છે તે ભવસમુદ્રનો શીધ્ર પાર પામી શકે છે.”
અરિહંત પરમાત્મા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામેલા હોવાથી, કોઇના ઉપર રાગવશ અનુગ્રહ કે દ્વેષવશ નિગ્રહ કરતા નથી, છતાં ભવ્ય જીવોને પ્રભુએજ્ઞાની આરાધના કરવાથી મોક્ષપ્રાપ્તિરૂપ અનુગ્રહ અને પ્રભુ આજ્ઞાની વિરાધના કરવાથી ભવભ્રમણ રૂપ નિગ્રહ અવશ્ય થાય છે.
પરસ્પર વિરોધી અનેક ધર્મોનો પણ અપેક્ષાએ એક વસ્તુમાં સમન્વય કરવાની અદ્દભુત શક્તિ એકમાત્ર સ્વાવાદ શૈલીમાં જ રહેલી છે.
સુજ્ઞ જિજ્ઞાસુ સાધકોએ સદ્ગુરુના સમાગમ દ્વારા આ ચાવાદના સૂક્ષ્મ સ્વરૂપને સ્પષ્ટ રીતે સમજી તેનો સદુપયોગ શાસ્ત્રોનાં સૂક્ષ્મ-ગહન તત્ત્વોના રહસ્યને જાણવા અને જીવનમાં અનુભવવા માટે કરવો જોઇએ.
(કડખાની દેશી) અહો શ્રી સુમતિ જિન ! શુદ્ધતા તાહરી,
- સ્વગુણ-પર્યાય-પરિણામ રામી | નિત્યતા, એકતા, અસ્તિતા ઇતરયુત,
ભોગ્ય ભોગી થકો પ્રભુ અકામી અહો ! ૧ / હે સુમતિનાથ પ્રભુ ! સ્વગુણ પર્યાયમાં જ રમણતા કરનારા આપની શુદ્ધતા અતિશય આશ્ચર્યકારક છે, કારણ કે આપની શુદ્ધતા નિત્યતા, અનિત્યતા, એકતા, અનેકતા, અસ્તિતા અને નાસ્તિતા રૂપ પરસ્પર વિરુદ્ધ ધર્મોથી યુક્ત છે; તેમ જ આપ ભોગ્ય=જ્ઞાનાદિ ગુણ પર્યાયના ભોગી હોવા છતાં પણ અકામી - કામના રહિત છો; એ પણ મહાન આશ્ચર્ય છે ! ઊપજે વ્યય લહે તહવિ તેહવો રહે,
ગુણ પ્રમુખ બહુલતા તહવિ પિંડી ! આત્મભાવે રહે અપરતા નવિગ્રહે.
લોક-પ્રદેશ-મિત પણ અખંડી... અહo | ૨ ||. હે પ્રભુ ! આપની ગુણ પર્યાયમયી શુદ્ધતા કેવી અદ્ભુત છે ! એ જે સમયે ઉત્પન્ન થાય છે, તે જ સમયે નાશ પામે છે અને ધ્રુવ પણ રહે છે; અર્થાત્ તે શુદ્ધતામાં નવીન પર્યાયનો ઉત્પાદ અને પૂર્વ પર્યાયનો ક, શક પક, શક, છ, જ, પરમતત્ત્વની ઉપાસના * ૨૯ શe we what we ee,
. જોંક , , છોક પરમતત્વની ઉપાસના * ૨૮
ક. જો
શક . જj
Page #31
--------------------------------------------------------------------------
________________
નાશ થાય છે, એ અનિત્યતા છે; અને જ્ઞાનપણે એ ધ્રુવ રહે છે, એ નિત્યતા છે.
- જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યાદિ અનેક ગુણો આપમાં રહેલા છે, એ અનેકતા છે અને સર્વ ગુણોના સમૂહરૂપ આત્મા એક છે એ એકતા છે.
આપ સદા આત્મભાવમાં રહો છો એ અસ્તિધર્મ છે, પરભવને કદી ગ્રહણ કરતા નથી એ નાસ્તિધર્મ છે; અર્થાતુ આપમાં સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અસ્તિતા છે, અને પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી નાસ્તિતા પણ રહેલી છે.
લોકાકાશના પ્રદેશો જેટલા આપના (અસંખ્ય) આત્મપ્રદેશો છે, તેની અપેક્ષાએ અવયવતા હોવા છતાં તે પ્રદેશો કદી પણ આપનાથી જુદા થતા નથી, તેથી આપ અખંડ છો. આ અદ્ભુત આશ્ચર્ય છે !
કાર્ય કારણપણે પરિણમે તહવિ ધ્રુવ, કાર્યભેદે કરે પણ અભેદી કતા પરિણમે નવ્યતા નવિ રમે, સકલ વેત્તા થકો પણ અવેદી II
અહો // ૩ // પ્રભુ ! આપના ઉપાદાનકારણરૂપ જ્ઞાનાદિ સર્વ ગુણો પોતપોતાના કાર્ય (જ્ઞપ્તિ આદિ) રૂપે પરિણમે છે, તેથી ઉત્પાદ તેમજ વ્યય ધર્મ છે, અને તેઓનો અભાવ કદી થતો નથી, એ ધ્રુવ ધર્મ છે.
જ્ઞાન ગુણ જાણવાનું, ચારિત્રગુણ સ્થિરતાનું એમ આપના સર્વ ગુણો પોતપોતાનાં ભિન્ન ભિન્ન કાર્યને કરે છે એ ભેદ સ્વભાવ છે એમ કાર્યભેદે અનેકતા છે, એ બધા ગુણોમાં કાર્યભેદ હોવા છતાં તે ગુણો આત્માથી જુદા થતા નથી એથી અભેદ રૂપ છે. તે એકતા છે. હે પ્રભુ ! આપ કર્યા હોવાથી પ્રતિસમયે પોતાના કાર્યમાં પરિણમો છો, છતાં કોઇ નવીનતા પામતા નથી, પ્રતિસમયે ગુણ પર્યાયરૂપ કાર્યને કરો છો છતાં અસ્તિ ધર્મ તો કાયમ રહે છે.
તેમજ પ્રભુ સર્વ દ્રવ્યના ગુણ-પર્યાયોના તથા ભૂત-ભવિષ્યવર્તમાન આદિ કાળના વેત્તા (જ્ઞાતા) છે, છતાં તેઓ ત્રણે વેદથી રહિત હોવાથી અવેદી છે એ વિસ્મયકારક બીના છે. એક છોક કોક , કોઈક પરમતત્વની ઉપાસના * ૩૦ ક. ૪, + 9
શુદ્ધતા, બુદ્ધતા, દેવ પરમાત્મતા,
સહજ નિજ ભાવ ભોગી અયોગી ! સ્વપર ઉપયોગી તાદાભ્ય સત્તા રસી,
શક્તિ પ્રયુંજતો ન પ્રયોગી / અહો || ૪ | હે પ્રભુ ! સર્વ પુદ્ગલોના સંગથી રહિત આપની શુદ્ધતા છે, કેવલજ્ઞાનદર્શનરૂપ બુદ્ધતા છે, પોતાના સ્વરૂપમાં રમણ કરતા હોવાથી આપ દેવ છો, જ્ઞાનાવરણીયાદિ કમોંથી રહિત આપનું પરમાત્મપણું છે, તેમ જ આપ સહજ નિજ સ્વભાવના ભોગી છો, છતાં અયોગી – મન, વચન અને કાયાના યોગથી રહિત છો. સ્વ-આત્મા અને પર-પુદ્ગલાદિ સર્વ દ્રવ્યોના ઉપયોગી - જ્ઞાતા અને દૃષ્ટા હોવા છતાં, તાદાભ્ય ભાવે રહેલી શુદ્ધ શ્રદ્ધાના જ આપ રસિયા છો.
હે પ્રભો ! આપમાં પૂર્ણપણે પ્રગટેલી કતૃત્વ-ભોસ્તૃત્વ આદિ સર્વ શક્તિઓ સ્વ-સ્વ કાર્યમાં પ્રવૃત્ત હોવા છતાં આપ અપ્રયોગી છો, અર્થાત્ એ શક્તિઓને પ્રવર્તાવવા માટે આપને કોઇ પ્રયોગ - પ્રયાસ કરવો પડતો નથી, સ્વતઃ એ શક્તિઓનું પ્રવર્તન થયા કરે છે. આ પણ એક આશ્ચર્ય જ છે ! વસ્તુ નિજ પરિણતે સર્વ પરિણામિકી,
એટલે કોઇ પ્રભુતા ન પામે છે કરે, જાણે, રમે, અનુભવે તે પ્રભુ,
તત્ત્વ સામિત્વ શુચિ તત્ત્વ ધામે અહો | ૫ || આ રીતે, નિત્યાનિત્ય ધર્મવાળા સર્વ દ્રવ્ય પોતાની પરિણતિમાં (સ્વધર્મમાં) પરિણમતાં હોવાથી પરિણામી છે, પરંતુ એટલા માત્રથી તે સર્વ દ્રવ્યો પ્રભુતા - મહાનતા પામી શકતાં નથી.
પરંતુ જે પોતાના સ્વભાવનો કર્તા હોય, વસ્તુમાત્રાનો જ્ઞાતા હોય, સ્વગુણોમાં રમણ કરનારો હોય, આત્મસ્વભાવનો અનુભવ કરનારો હોય તેમ જ વસ્તુસ્વભાવનો સ્વામી હોય તથા શુદ્ધ સિદ્ધતાનું ધામ હોય તે પ્રભુ - પરમેશ્વર કહેવાય છે. શાક, , , , પરમતત્ત્વની ઉપાસના * ૩૧ શ ક " , " ,
Page #32
--------------------------------------------------------------------------
________________
જીવ નવિ પુદ્ગલી, નૈવ પુદ્ગલ કદા,
પુગ્ગલાધાર નાહી તાસ રંગી ! પર તણો ઇશ નહીં, અપર ઐશ્વર્યતા,
વસ્તુ ધર્મે કદા ન પસંગી // અહો || ૬ ||. જીવ એ પુદ્ગલ નથી, અનંતકાળથી તે પુદ્ગલ સાથે રહેવા છતાં, પુદ્ગલરૂપ કદાપિ બન્યો નથી, પુદ્ગલોનો એ આધાર પણ નથી, તેમ જ (વસુસ્વરૂપે) એ પુદ્ગલનો રંગી – અનુરાગી પણ નથી, તથા પરભાવ રૂપ આ શરીર, ધન, ગૃહાદિનો સ્વામી પણ નથી, તથા જીવની ઐશ્વર્યતા પરપદાર્થોને લઇને નથી, તેમજ વસ્તુસ્વરૂપે જીવે પરભાવનો સંગી પણ નથી, જીવ દ્રવ્યનો સત્તાધર્મ આવા જ પ્રકારનો છે. સંગ્રહે નહીં આપે નહીં પરભણી,
નવિ કરે આદરે ન પર રાખે ! શુદ્ધ સ્યાદ્વાદ નિજ ભાવ ભોગી જિક,
તેહ પરભાવને કેમ ચાખે / અહો / ૭ II જે પર પુગલ વસ્તુનો સંગ્રહ ન કરે, અન્યને આપે પણ નહિ, પરવસ્તુને કરે નહિ, આદરે નહિ અને રાખે પણ નહિ, તથા જેઓ શુદ્ધ Dાવાદમય આત્મ-સ્વભાવના ભોગી છે તેઓ પરભાવનું આસ્વાદન કેમ કરે ? અર્થાતુ ન જ કરે...!
તાહરી શુદ્ધતા ભાસ આશ્ચર્યથી, ઊપજે રુચિ તેણે તત્ત્વ ઇહે . તત્ત્વરંગી થયો દોષથી ઊભગ્યો, દોષ ત્યાગે ટલે તત્ત્વ લીધે /
અહo || ૮ ||. હે પ્રભો ! આપની પૂર્ણ - શુદ્ધ સ્વભાવ દશાનું જ્ઞાન થતાં, ભવ્યાત્માને અત્યંત આશ્ચર્ય ઉત્પન્ન થાય છે, અને પોતાની પણ તેવી શુદ્ધ દશાને પ્રગટાવવાની રુચિ જાગે છે, ત્યારે મોક્ષરુચિ જીવને તત્ત્વ પ્રાપ્ત કરવાની ઇચ્છા ઉત્પન્ન થાય છે, પછી જેમ જેમ તત્ત્વની ઇચ્છા પ્રબળ બનતી જાય છે અને જેમ જેમ તત્ત્વરંગ જામતો જાય છે, તેમ તેમ હિંસા અને રાગાદિ દોષોની નિવૃત્તિ થતી જાય છે અને દોષોની નિવૃત્તિ થતાં તે જીવનું આત્મસ્વભાવમાં પરિણમન - રમણ થાય છે. શક , શક કરેલ છે. દરેક પરમતત્ત્વની ઉપાસના * ૩૨ શe , share with
શુદ્ધ મા વધ્યો, સાધ્ય સાધન સધ્ધો,
સ્વામી પ્રતિ છંદે સત્તા આરાધે ! આત્મ નિષ્પત્તિ તેમ સાધના નવિ ટકે,
વસ્તુ ઉત્સર્ગ આતમ સમાધે || અહો || ૯ || પૂર્વોક્ત રીતે શુદ્ધ સાધ્યના પ્રધાન સાધનભૂત ‘સ્વભાવરમણતા'ના શુદ્ધ માર્ગે આગળ વધતો સાધક શ્રી સુમતિનાથ ભગવાનના જેવી જ પોતાની આત્મસત્તાને પ્રગટ કરે છે. જ્યારે આત્મા સંપૂર્ણ શુદ્ધ સમાધિ અવસ્થાને પામી, સિદ્ધપદને વરે છે, ત્યારે સાધનનું કાર્ય પૂર્ણ થઇ જવાથી સાધના વિરામ પામે છે.
માહરી શુદ્ધ સત્તા તણી પૂર્ણતા, તેહનો હેતુ પ્રભુ તુંહી સાચો ! દેવચંદ્ર સ્તવ્યો, મુનિ ગણે અનુભવ્યો,
તત્ત્વ ભક્ત ભવિક સકલ રાચો ! અહોવ | ૧૦ || હે પ્રભો ! મારી શુદ્ધ આત્મસત્તાની પૂર્ણતા માટે આપ જ પ્રધાન હેતુ છો, દેવેન્દ્રો એ પણ આપની સ્તુતિ કરી છે, નિગ્રંથ મુનિઓએ આપનો સાક્ષાત્કાર - સાક્ષાત્ અનુભવ કર્યો છે અને ભવ્યાત્માઓને ઉદ્દેશીને કહ્યું છે કે, હે ભવ્યજનો ! તમે પણ તે પ્રભુની ભક્તિમાં તત્પર બનો, એ જ પરમતત્ત્વ છે...! જે પાંચમાં સ્તવનનો સાર :
આ સ્તવનમાં પરમાત્માની સ્યાદ્વાદમથી શુદ્ધ સ્વભાવદશાનું વર્ણન કરવામાં આવ્યું છે તે જાણવાથી ચતુર પુરુષોના ચિત્તમાં મહાન આશ્ચર્ય ઉત્પન્ન થાય છે.
પરમાત્મા સ્વગુણ-પર્યાયમાં જ રમણતા કરનાર છે, શુદ્ધ આત્મદ્રવ્યની શુદ્ધતાનું આ જ લક્ષણ છે.
ગુણ-પર્યાયના આશ્રયને દ્રવ્ય કહેવાય છે, જે એક દ્રવ્યને આશ્રિત હોય તે ગુણ કહેવાય છે; ગુણ સહભાવી હોય છે; જેમ કે જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે; અને જે દ્રવ્ય-ગુણે ઉભયને આશ્રિત હોય, તે પર્યાય કહેવાય છે. પર્યાય ક્રમભાવી હોય છે. જેમ દ્રવ્યપર્યાય, ગુણપર્યાય ઇત્યાદિ. તેમ જ જીવદ્રવ્યના નારકત્વાદિ, દેવત્વાદિ પર્યાયો અને જ્ઞાનગુણના અતીત, વર્તમાન આદિ પર્યાયો. કાકા છોક પક ક.tle : પરમતત્ત્વની ઉપાસના * ૩૩ શl the . જો કે જો
Page #33
--------------------------------------------------------------------------
________________
પરમાત્મા સ્વગુણ-પર્યાયરૂપ ભોગ્ય પદાર્થોના જ ભોક્તા છે. પુદ્ગલનાં વર્ણ, ગંધ, રસ, સ્પશદિને ભોગવવા માટે કામના-ઇચ્છા કરવી પડે છે, પરંતુ સ્વપ્રદેશોમાં પ્રગટેલા અનંત ગુણપર્યાયને ભોગવવા માટે કોઇ અભિલાષા કરવી પડતી નથી. એથી જ પ્રભુ ભોગી છતાં પણ અકામી છે. પરમાત્માની શુદ્ધતા, નિત્યાનિત્યતા, ભેદભેદતા, એકાએકતા, અસ્તિતા-નાસ્તિતા આદિ પરસ્પર વિરુદ્ધ ધર્મથી યુક્ત હોય છે. તે આ પ્રમાણે :
નિત્યાનિત્યપણું : સર્વ દ્રવ્યો ઉત્પાદ, વ્યય અને ધ્રુવયુક્ત હોય છે, તેથી નિત્યાનિત્ય છે. જે દ્રવ્યનું ષડ્રગુણ-હાનિ-વૃદ્ધિરૂપ અગુરુલઘુ પર્યાયનું ચક્ર એકત્ર જલાવર્તની જેમ વર્તે છે – ફરે છે, તે એકદ્રવ્ય અને જેનું ચક્ર જુદું જુદું ભિન્ન-ભિન્ન હોય, તે સર્વે જુદા જુદા દ્રવ્ય કહેવાય છે, જેમ ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય એ એક એક દ્રવ્ય છે, જયારે જીવ અને પુદ્ગલ અનંતા છે.
શુદ્ધ આત્મદ્રવ્યનું નિત્યાનિત્યપણું આ પ્રમાણે છે- અભિનવ પર્યાયની ઉત્પત્તિ અને પૂર્વ પર્યાયનો નાશ એ અનિત્યતા છે અને તે અગુરુલઘુ આદિ પર્યાયની અપેક્ષાએ સમજવી, જેમ કે આત્માના એક પ્રદેશમાં અગુરુલઘુ પર્યાય અનંત ગુણ છે, બીજા પ્રદેશમાં તેથી અનંતભાગહીન છે, ત્રીજી પ્રદેશમાં તેથી પણ અસંખ્યાતગુણા વધારે છે, ઇત્યાદિ; તથા એ પર્યાયની હાનિ-વૃદ્ધિમાં પ્રતિ સમય પરાવર્તન થયા કરે છે, જે પ્રદેશોમાં અનંત ગુણ હોય છે, તે જ પ્રદેશોમાં અસંખ્યાત ગુણ પણ હોય છે; તે રીતે પ્રદેશમાં અનંત ગુણનો વ્યય અને અસંખ્યાત ગુણનો ઉત્પાદ થયો, એ અનિત્યતા છે. પર્યાયની હાનિ-વૃદ્ધિ થવા છતાં અગુરુલઘુ રૂપે એ સદા વિદ્યમાન - ધ્રુવ હોય છે, એ નિત્યતા છે.
- જ્ઞાનગુણમાં પણ આ રીતે નિત્યનિયતા ઘટે છે. જેમ કે કોઈ એક વિવક્ષિત સમયે જેને વર્તમાનરૂપે જાણે છે તેને જ બીજા સમયે અતીતરૂપે જાણે છે, તેમાં અતીત (ભૂત) રૂપે ઉત્પાદ અને વર્તમાનરૂપે નાશ થાય છે, દર્શન-ચારિત્રાદિ સર્વ ગુણોની પ્રવૃત્તિ પણ આ રીતે જ થાય છે. એક છોક શો , છોક પરમતત્ત્વની ઉપાસના * ૩૪ ] , .else.es
કાર્યકારણની અપેક્ષાએ નિત્યાનિત્યપણું : જ્ઞાનગુણ જયારે જાણવા રૂપે પ્રવર્તે છે, ત્યારે એ ઉપાદાન કારણ છે, અને સર્વનું જ્ઞાન કરવું - જાણવું એ તેનું કાર્ય છે. એક જ સમયમાં જ્ઞાનરૂપ કારણ એ જ્ઞપ્તિરૂપ કાર્યપણે પરિણમે છે, તેથી કાર્યરૂપે ઉત્પાદ અને કારણરૂપે વ્યય થયો, આ તેની અનિત્યતા છે અને જ્ઞાનગુણરૂપે તે ધ્રુવ રહે છે, એ નિત્યતા છે.
એકતા-અનેકતા : જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, દાન, લાભ, અરૂપી, અવ્યાબાધસુખ વગેરે અનંતાગુણો જુદા જુદા છે, તેથી અનેકતા અને તે અનંત ગુણપર્યાયનો સમુદાયરૂપ આત્મા એક છે, તેથી એકતા.
કાર્યની અપેક્ષાએ પણ ભેદભેદપણું : જ્ઞાનગુણ જાણવાનું, દર્શનગુણ જોવાનું, ચારિત્રગુણ સ્થિરતાનું - રમણતાનું કાર્ય કરે છે. આ રીતે સર્વ ગુણો સ્વ-સ્વકાર્યના કરનારા હોવાથી આત્મામાં ભેદ-સ્વભાવ છે. પરંતુ આત્મદ્રવ્યમાંથી કોઇ પણ ગુણ જુદો પડતો નથી, માટે અભેદ સ્વભાવે પણ છે.
અસ્તિત્વ-નાસ્તિત્વ : આત્મામાં સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપે અસ્તિપણું છે, અને પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપે નાસ્તિપણું છે; અથતું આત્માના જ્ઞાનાદિ ગુણોનો અખિસ્વભાવ કદી પણ ચાલ્યો જતો નથી. તથા એ આત્મા પરભાવરૂપે પણ કદી પરિણમતો નથી.
સાવયવતા અને નિરવયવતા : લોકાકાશના જેટલા પ્રદેશો છે તેટલા આત્માના પ્રદેશો છે; અર્થાત્ આત્માની અસંખ્ય પ્રદેશોરૂપ “સાવયવતા’ છે; પરંતુ તે પ્રદેશો પરસ્પર શૃંખલાની જેમ જોડાયેલા છે, કદી પણ તે જુદા પડતા નથી તેથી તેની અખંડ-નિરવયવતા છે.
કતા : પરમાત્મા જ્ઞાનાદિ કાર્યના કર્તા હોવાથી કતારૂપે પરિણમે છે, છતાં કંઇ પણ નવીનતા પામતા નથી, અર્થાતુ અસ્તિસ્વભાવ તેનો તે જ કાયમ રહે છે.
આ પ્રમાણે સર્વપરભાવથી રહિત અને સ્યાદ્વાદમથી શુદ્ધતાના ભોગી પ્રભુના ગુણોનું જ્ઞાન થવાથી સાધક તત્ત્વરુચિવાળો બને છે અને અનુક્રમે તત્ત્વરમણતા પ્રાપ્ત કરીને તે પ્રભુના જેવી પોતાની પ્રભુતાને પ્રગટાવે છે...!
મુક કક જ . જો
, પરમતત્વની ઉપાસના * ૩૫ કિ. જો
, જો
કે જો
Page #34
--------------------------------------------------------------------------
________________
(૬) શ્રી પદ્મપ્રભ જિન સ્તવના
(હું તુજ આગળ શું કહ્યું કેસરિયા લાલ... એ દેશી) શ્રી પદ્મપ્રભજિન ગુણનિધિ રે લાલ, જગતારક જગદીશ રે વાલેસરો જિન ઉપકાર થકી લહે રે લાલ, ભવિજન સિદ્ધિ જગીશ રે,
વાલેસર / તુજ || ૧ // તુજ દરિસણ મુજ વાલ હો રે લાલ, દરિસણ શુદ્ધ પવિત્ત રે વાલેસર ! દરિસણ શબ્દ નયે કરે રે લાલ, સંગ્રહ એવંભૂત રે
વાલેસર / તુજ0 | ૨ ||. શ્રી પદ્મપ્રભ ભગવાન ગુણના ભંડાર છે, ભવ્ય જીવોને ભવસમુદ્રથી તારનારા છે, જગતના ઇશ-સ્વામી છે, પ્રભુની કૃપાથી ભવ્ય જીવો સિદ્ધિસુખની સંપત્તિને મેળવે છે. હે પ્રભુ ! આપનું નિર્મલ દર્શન મને અત્યંત વલ્લભ - પ્રિય લાગે છે.
ખરેખર ! આપનું દર્શન (મૂર્તિદર્શન કે જિનેશ્વરનું શાસન અથવા સમ્યગુદર્શન - સમ્યકત્વ, દર્શન શબ્દના આ ત્રણ અર્થ છે.) પરમ શુદ્ધ છે. પવિત્ર છે, કારણ કે તેના દ્વારા આત્મા કર્મમલથી રહિત બને છે, નયની અપેક્ષાએ આ જ વાતનું સ્પષ્ટીકરણ કરે છે કે જે ભવ્યાત્મા પરમાત્માનું દર્શન ‘શબ્દનયથી કરે છે, તેની સંગ્રહાયે શુદ્ધ એવી સત્તા એવંભૂતનયે પૂર્ણ શુદ્ધતાને પ્રાપ્ત કરે છે અર્થાત્ “સંગ્રહ’ એવંભૂતરૂપે પરિણમે છે.
બીજે વૃક્ષ અનંતતા રે લાલ, પસરે ભુજલ યોગ રે વાલેસર ! તિમ મુજ આતમ સંપદા રે લાલ, પ્રગટે પ્રભુ સંયોગ રે
વાલેસર // તુજ0 / ૩ // બીજમાં અનંત વૃક્ષો ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે, છતાં પણ તેને માટી અને પાણીનો સંયોગ મળે તો જ વૃક્ષ ઊગે છે, તેમ મારા આત્મામાં સત્તાએ અનંત જ્ઞાનાદિ સંપત્તિ રહેલી છે; પરંતુ તેનું પ્રગટીકરણ શ્રી અરિહંત પરમાત્માનાં દર્શનના સંયોગથી જ થાય છે.
જગત જંતુ કારજ રુચિ રે લાલ, સાધે ઉદયે ભાણ રે વાલેસર ! ચિદાનંદ સુવિલાસતા રે લાલ, વાધે જિનવર ઝાણ રે,
વાલેસર // તુજ0 | ૪ || જેમ જગતના સર્વ જીવો સ્વકાર્ય કરવાની રુચિવાળા હોય છે, પરંતુ સૂર્યોદયનું નિમિત્ત મળવાથી તે કાર્ય સિદ્ધ થાય છે, તેવી રીતે શ્રી જિનેશ્વર ભગવાનના ધ્યાનથી જ ચિદાનંદ – જ્ઞાનાનંદનો વિલાસ વૃદ્ધિ પામે છે.
લબ્ધિ-સિદ્ધિ મંત્રાક્ષરે રે લાલ, ઊપજે સાધક સંગ રે વાલેસર ! સહજ-અધ્યાતમ તત્ત્વતા રે લાલ, પ્રગટે તત્ત્વી રંગ રે,
વાલેસર /તુજO || ૫ / જેમ અમુક મંત્રાક્ષરમાં અમુક વિદ્યાસિદ્ધિની શક્તિ રહેલી હોય છે, પરંતુ ઉત્તમ ઉત્તરસાધકના યોગથી જ તે વિદ્યા સિદ્ધ થાય છે, તેવી રીતે સહજ અધ્યાતમ-અનંતજ્ઞાનાદિ શક્તિઓ આત્મામાં રહેલી છે, પણ તે ઉત્તમોત્તમ ઉત્તર સાધક જેવા તત્ત્વરંગી પરમાત્માના નિર્મલ ધ્યાનાદિના યોગથી જ પ્રગટે છે.
લોહ ધાતુ કાંચન હુવે રે લાલ, પારસ ફરસન પામી રે વાલેસર ! પ્રગટે અધ્યાતમ દશા રે લાલ, વ્યક્ત ગુણી ગુણગ્રામ રે,
વાલેસર / તુજO | ૬ | જેમ પારસના સ્પર્શમાત્રથી લોટું સ્વર્ણમય બની જાય છે, તેમ પૂર્ણગુણી શ્રી અરિહંત પરમાત્માના ગુણગ્રામથી – ગુણસ્મરણ, ધ્યાન વગેરે કરવાથી શુદ્ધ આત્મિક દશા પૂર્ણપણે પ્રગટે છે. કn sle, se be be પરમતત્ત્વની ઉપાસના * ૩૭ શl eleble eleblo.pl
એક છોક કોક , કોઈક પરમતત્વની ઉપાસના * ૩૬
ક. ૪, +
Page #35
--------------------------------------------------------------------------
________________
આત્મસિદ્ધિ કારજ ભણી રે લાલ, સહજ નિયામક હેતુ રે વાલેસર । નામાદિક જિનરાજના રે લાલ, ભવસાગર મહાસેતુ રે
વાલેસર | તુજ૦ || ૭ || શ્રી અરિહંત પરમાત્મા આત્માના મુક્તિરૂપ કાર્ય માટે સહજ નિયામક-નિશ્ચિત કાર્ય સિદ્ધ કરનાર હેતુ છે. શ્રી અરિહંત પરમાત્માના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપ ચારે નિક્ષેપા સંસારસાગરમાં સેતુપુલ સમાન છે અર્થાત્ ભવસાગરથી પાર ઊતરવા માટે પ્રભુના નામાદિ એ મહાન આલંબન છે આધાર છે. સ્તંભન ઇન્દ્રિયયોગનો રે લાલ, રક્ત વર્ણ ગુણ રાય રે વાલેસર । ‘દેવચંદ્ર’ વૃંદે સ્તવ્યો રે લાલ, આપ અવર્ણ અકાય રે, વાલેસર || તુજ૦ || ૮ |
અનંત ગુણના સ્વામી શ્રી પદ્મપ્રભ ભગવાનના શરીરની - રક્તવર્ણની લાલ કાન્તિ પણ સાધકની ઇન્દ્રિયોનો અને મન, વચન, કાયાના યોગોનો સ્તંભનયંત્ર છે. અર્થાત્ પ્રભુના શરીરના રક્તવર્ણના દર્શનથી ભવ્યાત્માની ઇન્દ્રિયો અને મન-વચન-કાયા સ્થિર બને છે. દેવેન્દ્રોના સમૂહથી સ્તુતિ કરાયેલા પ્રભુ ખરી રીતે વર્ણરહિત અને શરીરથી પણ રહિત છે. સિદ્ધઅવસ્થામાં વર્ણાદિ કે શરીર પણ હોતાં નથી. છઠ્ઠા સ્તવનનો સાર :
આ સ્તવનમાં નિમિત્ત કારણની યથાર્થતાનું અને પ્રભુ દર્શનનું મહત્ત્વ બતાવ્યું છે. શ્રી અરિહંત પરમાત્માનાં દર્શનના નિમિત્તથી જ આત્માની સત્તાગત શક્તિઓનું પ્રગટીકરણ થયું છે, તે સિવાય થઇ શકતું નથી.
પ્રભુનું દર્શન એટલે સાક્ષાત્ અરિહંતના દર્શનમાં કારણભૂત પ્રભુમૂર્તિનું દર્શન અથવા પ્રભુનું દર્શન એટલે સાક્ષાત્ શ્રી અરિહંત પરમાત્માના દર્શનમાં ઉત્કૃષ્ટ કારણભૂત જિનશાસ્ત્ર અથવા સાક્ષાત્ આત્મદર્શનમાં ઉપાદાન કારણભૂત સમ્યગ્ દર્શન.
નયની અપેક્ષાએ દર્શન :
(૧) નૈગમ નયની અપેક્ષાએ પ્રભુદર્શન એટલે મન-વચન અને કાયાની ચપળતા સાથે માત્ર ચક્ષુથી થતું પ્રભુમૂર્તિનું દર્શન.
પરમતત્ત્વની ઉપાસના * ૩૮
-
(૨) વ્યવહારનયની અપેક્ષાએ પ્રભુદર્શન એટલે આશાતના ટાળવાપૂર્વક વંદન-નમસ્કાર સહિત પ્રભુમુદ્રા જોવી તે. (પ્રભુના શરીરને જોવું તે.) (૩) ઋજુસૂત્રનયની અપેક્ષાએ પ્રભુદર્શન એટલે યોગોની સ્થિરતા સાથે ઉપયોગપૂર્વક પ્રભુમુદ્રા જોવી તે.
(૪) શબ્દનયની અપેક્ષાએ પ્રભુદર્શન એટલે આત્મસત્તા પ્રગટાવવાની રુચિ સહિત પ્રભુની તત્ત્વસંપત્તિરૂપ પ્રભુતાનું અવલોકન કરવું તે. આ રીતે શબ્દનયે પ્રભુનું દર્શન કરવાથી સંગ્રહનયની અપેક્ષાએ સત્તામાં પડેલી અનંત આત્મશક્તિઓ એવંભૂતનયની દૃષ્ટિએ સંપૂર્ણપણે પ્રગટે છે. એટલે કે સંગ્રહનયની અપેક્ષાએ આત્મા સત્તાએ શુદ્ધ છે. પણ જ્યારે તેનું શુદ્ધસ્વરૂપ સંપૂર્ણપણે પ્રગટે છે ત્યારે તે એવંભૂતનયે પૂર્ણ શુદ્ધસ્વરૂપને પામીને સિદ્ધ થાય છે.
બીજ, સૂર્ય, ઉત્તરસાધક અને પારસના ઉદાહરણથી મોક્ષના પુષ્ટ હેતુ-નિમિત્તકારણની મહત્તા બતાવી છે.
મોક્ષપ્રાપ્તિ પણ શ્રી અરિહંત પરમાત્માનું નિમિત્ત મળ્યા વિના થઇ શકતી નથી, કારણ કે ભવ્યાત્માની અનાદિકાલીન કર્મોપાર્જનની પરંપરા પણ પુદ્ગલ પદાર્થોના નિમિત્તથી જ થાય છે, એ પૌદ્ગલિક અશુભ નિમિત્તતા શ્રી અરિહંત પરમાત્માના શુભ નિમિત્તના આલંબન વિના દૂર થઇ શકતી નથી. તેથી જ શ્રી અરિહંત પરમાત્માના નામાદિ એ જ મોક્ષના નિયામક - નિશ્ચિત હેતુ છે.
◊
±¢}al{}}#
સંસારના તાપ, ઉત્તાપ અને સંતાપ એ ત્રિવિધ દુ:ખથી મુક્ત કરાવનાર એક માત્ર આત્મજ્ઞાન છે. આત્મા તે જ્ઞાન-રહિત છે નહિ, પણ જીવને હું આવો સુખ સંપન્ન, દુઃખ રહિત, કોઈ અચિંત્ય પદાર્થ છું, તેવું ભાન નથી. ગુરુગમવડે જિજ્ઞાસુ એ નિધાનને જાણે છે. અને શુદ્ધભાવ વડે તેનો અનુભવ કરે છે. ગુરુગમ-પ્રાપ્તિનો ઉપાય વિનય છે.
પરમતત્ત્વની ઉપાસના * ૩૯
Page #36
--------------------------------------------------------------------------
________________
| (૭) શ્રી સુપાર્શ્વ જિન સ્તવન
(હો સુંદર તપ સરખું. એ દેશી) શ્રી સુપાસ આનંદમેં..., ગુણ અનંતનો કંદ હો, જિનજી ! જ્ઞાનાનંદે પૂરણો, પવિત્ર ચારિત્રાનંદ હો, જિનજી || શ્રી || ૧ ||
શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ શુદ્ધ આનંદમય છે, જ્ઞાનાદિક અનંત ગુણના કંદ-મૂળ છે. તેમના કેટલાક ગુણોનો આનંદ કેવા પ્રકારનો છે, તે સ્તવનકાર મહાત્મા વર્ણવે છે. કેવલજ્ઞાન એ સમગ્ર વિશ્વના ત્રણે કાળના સર્વ પદાર્થોને જ્ઞાપક હોવાથી પ્રભુ તેના આનંદથી પૂર્ણ છે અને સ્વરૂપરમણતા રૂપ ચારિત્રના પવિત્ર આનંદથી પણ પરિપૂર્ણ છે.
સંરક્ષણ વિણ નાથ છો, દ્રવ્ય વિના ધનવંત હો, જિનજીને કર્તાપદ કિરિયા વિણા, સંત અજેય અનંત હો, જિનજી !
શ્રી || ૨ | પ્રભુના અદ્ભુત ગુણો કેવા આશ્ચર્યજનક છે, તે બતાવે છે :
હે પ્રભુ ! આપ બાહ્ય દૃષ્ટિએ કોઇનું સંરક્ષણ કરતા નથી છતાં સર્વ જીવોના ત્રાણ - શરણરૂપ હોવાથી નાથ છો. દ્રવ્ય-ધન-ધાન્ય કંચનાદિ રહિત છો, છતાં જ્ઞાનાદિ સંપત્તિમય હોવાથી આપ ધનવંત છો. ગમનક્રિયા રહિત હોવા છતાં આપ આત્મસ્વભાવના કર્તા છો. આ રીતે ક્રિયા વિના પણ કર્તાપણું એ આશ્ચર્ય છે !
તેમજ, હે પ્રભુ ! આપ જ સંત છો - શાંત છો, અથવા ઉત્તમ સંતપુરુષ છો, આપ વિષય-કષાયથી અજેય છો અને કોઇ કાળે પણ નાશ પામતા નથી. એક છોક કોક , કોઈક પરમતત્વની ઉપાસના ૪૦ + જ = ક જj
અગમ અગોચર અમર તું, અન્વયે રિદ્ધિ સમૂહ હો, જિનજી . વણે ગંધ રસ ફેરસ વિણું, નિજ ભોક્તા ગુણ વ્યુહ હો, જિનજી ||
શ્રી | ૩ || હે પ્રભુ ! આપનું સ્વરૂપ અગમ-અગોચર છે, અલ્પજ્ઞાની કે ઇન્દ્રિયોથી જાણી શકાય તેવું નથી. તથા આપ અમર છો - મરણરહિત છો, અન્વય-સહજ વ્યાપકપણે રહેલા અનંત જ્ઞાનાદિ રિદ્ધિના આપ સમૂહ છો. તથા આપ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહિત છો, તેમ જ આપ શુદ્ધ સ્વરૂપના ભોક્તા અને ગુણના પુંજ છો.
અક્ષયદાન, અચિંતના, લાભ અયત્ન ભોગ હો, જિનજી | વીર્યશક્તિ અપ્રયાસતા, શુદ્ધ સ્વગુણ ઉપભોગ હો, જિનજી ||
શ્રી. | ૪ || હે પ્રભુ ! આપના અનંત ગુણો પરસ્પર સહકારરૂપ અક્ષયદાન કરે છે, આપને ચિંતન કર્યા વિના પણ અનંત ગુણોની સહાયની પ્રાપ્તિરૂપ અનંત લાભ થાય છે. આપ પ્રતિ સમયે પ્રયત્ન વિના પણ અનંત પર્યાયને ભોગવો છો, તથા સર્વ ગુણોની પ્રવૃત્તિ કરવામાં સહાય કરનાર આપની વીર્યશક્તિ બાહ્ય પ્રયાસ વિના પણ ફુરિત થાય છે. ઉલ્લસિત બને છે, અને આપ શુદ્ધ ગુણોનો જ સંદા ઉપભોગ કરો છો.
એકાંતિક આત્યંતિકો, સહજ અકૃત સ્વાધીન હો, જિનજી | નિરુપચરિત નિર્લેન્દ્ર સુખ, અન્ય અહેતુક પીન હો, જિનજી ||
શ્રી | ૫ | પરમાત્મા ! આપને જે આત્મિક સુખ-આનંદ પ્રાપ્ત થયો છે તે એકાંતિક - લેશ પણ દુ:ખ વિનાનો એકાંતે – સુખમય છે, આત્યંતિક – જેનાથી ચડિયાતું બીજું સુખ કોઇ નથી એવું છે, સહજ - સ્વાભાવિક છે, અકૃત છે – કોઇનાથી કરેલું નથી, સ્વાધીન – બીજાની અપેક્ષા વિનાનું છે, નિરુપચરિત - જેમાં કોઇ ઉપચાર નથી તેવું – અકાલ્પનિક છે, નિર્લેન્દ્ર પરદ્રવ્યના મિશ્રણ - ભેળસેળ વગરનું છે, જે અન્ય કોઇ પદાર્થના સંયોગથી જન્ય નથી, અને પીન - પ્રબળ - પુષ્ટ એવું અસાધારણ કોટિનું સુખ પ્રભુને હોય છે. મુક કક જ . જો પરમતત્ત્વની ઉપાસના * ૪૧ કિ જોર થી. કે
Page #37
--------------------------------------------------------------------------
________________
એક પ્રદેશ તાહરે, અવ્યાબાધ સમાય હો, જિનજી | તસુ પર્યાય અવિભાગતા, સર્વાકાશ નમાય હો. જિનજી II
- શ્રી || ૬ || હે પ્રભુ ! આપનું અવ્યાબાધ સુખ જે સર્વ આત્મપ્રદેશોમાં પૂર્ણતયા પ્રગટેલું છે, તેમાંથી એક પણ આત્મપ્રદેશમાં રહેલા અવ્યાબાધ સુખના પર્યાયના અવિભાગ - કેિવલીની બુદ્ધિથી પણ જેનો વિભાગ ન થઈ શકે, એવો સૂક્ષ્મ અંશ]ને એક એક આકાશપ્રદેશ ઉપર ગોઠવવામાં આવે, તો પણ તે લોકાલોકમાં સમાઇ ન શકે, અર્થાત્ સર્વ આકાશ પ્રદેશો કરતાં આપના એક આત્મપ્રદેશમાં રહેલ અવ્યાબાધ સુખના પર્યાયો અનંતગુણા અધિક છે.
એમ અનંત ગુણનો ધણી, ગુણ ગુણનો આનંદ હો, જિનજી | ભોગ રમણ આસ્વાદયુત, પ્રભુ ! તું પરમાનંદ હો, જિનજી |
- શ્રી || ૭ // આ રીતે હે પ્રભુ ! આપ જ્ઞાનાદિ અનંતગુણના અધિપતિ છો, અને તે સર્વ ગુણોનો આનંદ પણ જુદો જુદો છે, તેમજ આપ તે સર્વ ગુણોને ભોગવો છો, તેમાં જ રમણતા કરો છો, અને તે ગુણોના આસ્વાદને પણ ચાખો છો, તેથી ભોગ, રમણ, આસ્વાદરૂપ અનંત આનંદમાં આપ સદા વિલાસ કરી રહ્યા છો, માટે હે પ્રભુ ! આપ જ પરમાનંદમય પરમાત્મા છો.
અવ્યાબાધ રુચિ થઇ, સાધે અવ્યાબાધ હો, કિનજી દેવચંદ્ર પદ તે લહે, પરમાનંદ સમાધ હો, જિનજી /.
શ્રી || ૮ | અવ્યાબાધ સુખના સ્વામી પરમાત્માને જોઇને સાધક પણ સ્વસત્તામાં રહેલા તેવા અવ્યાબાધ સુખને પ્રગટ કરવા ઉત્સુક બને છે. ત્યારે તે સદ્ગુરુના શરણે જઇ, સંયમનો સ્વીકાર કરી અવ્યાબાધ સુખને પ્રગટ કરવાની સાધના કરે છે અને અનુક્રમે પરમાનંદની સમાધિને પામે છે, એથતુ સાધક પોતે પણ દેવોમાં ચન્દ્ર સમાન એવા અરિહંત અને સિદ્ધપદને પ્રાપ્ત કરે છે.
. જોંક , , છોક પરમતત્વની ઉપાસના * ૪૨ ક. ક. ક. છj
સાતમાં સ્તવનનો સાર :
જગતના સર્વ જીવોને સુખ અને આનંદ બહુ જ પ્રિય છે. “ભવાભિનંદી જીવો” નવા નવા ભૌતિક પદાર્થોના સંયોગમાં જ સુખઆનંદ માની, ભૌતિક પદાર્થો મેળવવા, ભોગવવા માટે અનેકવિધ પ્રયત્નો કરતા હોય છે. પુદ્ગલજન્ય ભૌતિક સુખ એ દુ:ખરૂપ જ છે, છતાં અજ્ઞાનવશ જીવ તેમાં સુખની કલ્પના કરે છે. ભૌતિક સુખ શાતાવેદનીયના ઉદયથી પ્રાપ્ત થાય છે અને તે કર્મનો વિપાક આત્મિક ગુણનો બાધક બને છે, તેથી તેને સાચું સુખ કેમ કહી શકાય ? માટે શાતા કે અશાતા બંને દુ:ખરૂપ જ છે. તે બંનેના અભાવથી શરીર અને ઇન્દ્રિયોના સંયોગ વિના જે સહજ આત્મિક સુખ છે એ જ સાચું સુખ છે - પરમ સુખ છે.
આત્માના સહજ અવ્યાબાધ સુખને ક્ષાયિક ભાવે - પૂર્ણપણે પ્રાપ્ત કરનારા પરમાત્માના આ સુખની અનંતતાનું તથા બીજા અનંત ગુણોના અનંત આનંદનું સ્વરૂપ આ સ્તવનમાં બતાવવામાં આવ્યું છે.
પરમાત્માના આવા અનુપમ આનંદ, અને સુખનું સ્વરૂપ સાંભળીને સાધક પણ તેવા સુખ અને આનંદને પ્રાપ્ત કરવા માટે તેના ઉપાયરૂપ પ્રભુએ બતાવેલી સમ્યગુ રત્નત્રયી (તત્ત્વરુચિ, તત્ત્વબોધ, તત્ત્વરમણતા)ની સાધનામાં તત્પર બને છે.
એ સાધના છે, સર્વ પુદ્ગલ પરભાવથી નિવૃત્ત થવું, અર્થાત્ હિંસાદિ પાંચ આસવોને તજવા, શુદ્ધ સંયમ સ્વભાવ રમણતાને પ્રાપ્ત કરવી. શુદ્ધ સંયમની આ સાધના દ્વારા આત્મા અનુક્રમે અવ્યાબાધ સુખ આદિ અનંત ગુણોના પરમાનંદને પ્રાપ્ત કરે છે.
માન સરોવરનો હંસ ગંદા પાણીમાં મુખ ન નાખે, તે મોતીનો ચારો ચરે, તેમ સાધક-જ્ઞાની સંસારના વ્યાવહારિક પ્રયોજનો કરવા પડે તો કરે, પણ તેને પ્રાધાન્ય ન આપે, પરંતુ જ્ઞાનીને માર્ગે ચાલે, જિનાજ્ઞાને અનુસરે.
શકે છે , કઈ ક ક , પરમતત્વની ઉપાસના * ૪૩ શોક શોક ઝાંક, જો
છોક,
Page #38
--------------------------------------------------------------------------
________________
(૮) શ્રી ચન્દ્રપ્રભ જિન સ્તવન
(શ્રી શ્રેયાંસજિન અંતરજામી... એ દેશી) શ્રી ચન્દ્રપ્રભ જિનપદ સેવા, હેવાયે જે હલિયાજી | આતમગુણ અનુભવથી મલિયા, તે ભવ ભયથી ટલિયાજી || શ્રી૦ | ૧ || જે ભાગ્યવાન સાધકોને શ્રી ચન્દ્રપ્રભસ્વામી ભગવાનના ચરણની વિધિપૂર્વક સેવા કરવાની હેવા-ટેવ પડી ગઇ છે, એટલે કે પ્રભુસેવા જ જેમનું જીવન છે, તેમને આત્માના જ્ઞાનાદિ ગુણોનો અવશ્ય અનુભવ થાય છે અને તેમનો ભવભ્રમણનો ભય ટળી જાય છે.
દ્રવ્ય સેવ વંદન નમનાદિક, અર્ચન વલી ગુણ ગ્રામોજી । ભાવ અભેદ થાવાની ઇહા, પરભાવે નિષ્કામોજી | શ્રી૦ | ૨ | પ્રભુને વંદન, નમન, પૂજન કરવું, તેમના ગુણોનું કીર્તન-સ્તવન કરવું, એ દ્રવ્યસેવા-પૂજા છે, અને બાહ્ય સુખની આશંસા વિના શ્રી અરિહંત પરમાત્મા સાથે અભેદભાવે એકત્વપણે તન્મય થવાની ઇચ્છાપૂર્વક કરાતી દ્રવ્યસેવા એ ભાવસેવા છે. દ્રવ્યસેવા ભાવસેવાનું કારણ હોવાથી આદરણીય છે, સાધ્યરુચિ વિનાની દ્રવ્યપૂજા આત્મહિત સાધક ન હોવાથી નિષ્ફળ છે.
સેવાના ચાર પ્રકાર છે : નામસેવા, સ્થાપનાસેવા, દ્રવ્યસેવા અને ભાવસેવા. તેમાં પ્રથમની બે સેવાનો અર્થ સુગમ હોવાથી તેનો ઉલ્લેખ અહીં નથી કર્યો. દ્રવ્યસેવાની વ્યાખ્યા બીજી ગાથામાં બતાવી છે. હવે ભાવસેવાના બે મુખ્ય પ્રકાર અને તેના પેટા ભેદોનું વર્ણન કરે છે. પરમતત્ત્વની ઉપાસના * ૪૪
ભાવસેવા અપવાદે નૈગમ, પ્રભુ ગુણને સંકલ્પેજી ।
સંગ્રહ સત્તા તુલ્યારોપે, ભેદાભેદ વિકલ્પેજી ॥ શ્રી૦ || ૩ || ભાવસેવાના બે પ્રકાર છે : (૧) અપવાદ ભાવસેવા અને (૨) ઉત્સર્ગ ભાવસેવા. તેમાં પ્રથમ અપવાદ ભાવસેવા સાત નયની અપેક્ષાએ સાત પ્રકારની છે, તે અહીં બતાવે છે.
(૧) શ્રી અરિહંત પરમાત્માના ગુણોનો ચિંતનાત્મક સંકલ્પ કરવો, તે નૈગમનયની અપેક્ષાએ અપવાદ ભાવસેવા છે.
સંસારરસિક જીવનો પરિણામ અનાદિ કાળથી બાહ્ય વિષયાદિનો જ હોય છે, જ્યાં સુધી પ્રભુના અપૂર્વ ગુણોનું સ્વરૂપ તેના જાણવામાં નથી આવતું ત્યાં સુધી અશુભ સંકલ્પોનું નિવારણ થતું નથી. પરંતુ પુણ્યોદય જાગ્રત થતાં જ્યારે જીવને પ્રભુના ગુણોનું સ્વરૂપ જાણવાસમજવા મળે છે, ત્યારે તે વિષયાદિકના સંકલ્પ-વિકલ્પનું નિવારણ કરી પ્રભુના ગુણોનું ચિંતન કરે છે.
પ્રભુગુણનો સંકલ્પ એ સાધકનો અંતરંગ આત્મ પરિણામરૂપ હોવાથી તે ભાવસેવા છે.
(૨) શ્રી અરિહંત પરમાત્માની પૂર્ણપણે પ્રગટેલી આત્મસંપત્તિનું ચિંતન કરી, પોતાની આત્મસત્તા પણ શુદ્ધ સંગ્રહનયની દૃષ્ટિએ તેવી જ છે એમ વિચારી, બંનેની તુલ્યતાનું વારંવાર ભાવન કરવું તથા પોતાની શુદ્ધ સત્તા જે અત્યાર સુધી અપ્રગટ છે, તે બદલ હૃદયમાં ખેદ – પશ્ચાત્તાપ કરવા સાથે પ્રભુની પ્રગટ શુદ્ધ સત્તા પ્રત્યે અપાર આદરબહુમાન ભાવ કેળવવો. તેમ જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ પણ પરમાત્મા અને સ્વઆત્માનો ભેદ અને સત્તાના સાધર્મ્સથી અભેદ વિચારી પોતાની અપ્રગટ સત્તાને પ્રગટાવવાની રુચિ સાથે એકાગ્ર બની ચિંતન કરવું એ સંગ્રહનયની અપેક્ષાએ અપવાદ ભાવસેવા છે.
વ્યવહારે બહુમાન જ્ઞાનનિજ, ચરણે જિનગુણ ૨મણાજી | પ્રભુગુણ આલંબી પરિણામે, ઋજુપદ ધ્યાન સ્મરણાજી ॥ શ્રી૦ || ૪ ||
પરમતત્ત્વની ઉપાસના * ૪૫
Page #39
--------------------------------------------------------------------------
________________
(૩) સાધક જ્યારે શ્રી અરિહંત પરમાત્માની કેળળજ્ઞાનાદિ ગુણસંપત્તિના અને આઠ પ્રાતિહાર્ય, ચોત્રીસ અતિશય તથા પાંત્રીસ ગુણયુક્ત વાણી વગેરે ઉપકારસંપદાના સતત સ્મરણ સાથે પ્રભુની પ્રભુતા, સર્વોત્તમતા વગેરેનો વિચાર કરી પ્રભુભક્તિમાં પોતાનો ભાવોલ્લાસ વધારે છે, અને તેના દ્વારા પ્રભુના ગુણોમાં રમણતાતન્મયતા પ્રાપ્ત થાય છે, ત્યારે સાધકના જે ક્ષાયોપશમિક જ્ઞાનાદિ ગુણોની પ્રવૃત્તિ પ્રભુના ગુણોને અનુસરનારી બને છે, તે વ્યવહારનયની અપેક્ષાએ અપવાદ ભાવસેવા છે.
(૪) શ્રી અરિહંત પરમાત્માના ગુણોનું આલંબન લઇને સ્વઆત્માના અંતરંગ પરિણામરૂપ ક્ષાયોપમિક રત્નત્રયીમાં તન્મય બનવું, એટલે કે આત્મસ્વરૂપના ધ્યાનમાં તન્મય બનવું તે ઋજુસૂત્રનયની અપેક્ષાએ અપવાદ ભાવસેવા છે.
શબ્દે શુક્લ ધ્યાનારોહણ, સમભિરૂઢ ગુણ દશમેજી | બીય શુક્લ અવિકલ્પ એકત્વે, એવંભૂત તે અમમેજી ॥
શ્રી૦ | ૫ ||
(૫) શ્રી અરિહંત પરમાત્માના શુદ્ધ દ્રવ્યના આલંબન વડે પૃથવિતર્કસપ્રવિચારરૂપ શુક્લ ધ્યાન (પ્રથમ પ્રકાર) ધ્યાવવું તે શબ્દનયની અપેક્ષાએ અપવાદ ભાવસેવા છે.
(૬) દશમા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકને પ્રાપ્ત કરવો તે સમભિરૂઢનયની અપેક્ષાએ અપવાદ ભાવસેવા છે.
(૭) બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકને (શુક્લ ધ્યાનનો બીજો પ્રકાર) એટલે કે નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરવી તે એવંભૂતનયની અપેક્ષાએ અપવાદ ભાવસેવા છે.
ઉત્સર્ગે સમકિત ગુણ પ્રગટ્યો, નૈગમ પ્રભુતા અંશેજી । સંગ્રહ આતમ-સત્તાલંબી, મુનિષદ ભાવ પ્રશંસેજી ॥
શ્રી || ૬ ||
(૧) જ્યારે તત્ત્વનિર્ધારરૂપ ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે પૂર્ણ પ્રભુતાનો એક અંશ પ્રગટ થાય છે, તેથી આત્માનું એક અંશે કાર્ય સફળ થયું ગણાય છે, તે નૈગમનયે ઉત્સર્ગ ભાવસેવા છે.
[8] પરમતત્ત્વની ઉપાસના × ૪૬
(૨) સમ્યક્ત્વપ્રાપ્તિ બાદ જયારે ભાવમુનિપદને પામી, આત્મસત્તાનું ભાસન, રમણ અને તેમાં તન્મયતા થાય છે ત્યારે ઉપાદાનનું સ્મરણ જાગ્રત થવાથી આત્મા સ્વસત્તાવલંબી બને છે, તે સંગ્રહનયે ઉત્સર્ગ ભાવસેવા છે.
(૩) અપ્રમત્તદશા પ્રાપ્ત થતાં જ્યારે આત્માની ગ્રાહકતા, વ્યાપકતા, ભોક્તતા, કર્તૃતા આદિ સર્વશક્તિઓ, આત્મસ્વરૂપમાં પ્રવૃત્ત થાય છે ત્યારે અંતરંગ વ્યવહાર વસ્તુસ્વરૂપની અપેક્ષાએ થાય છે. આ અવસ્થા વ્યવહારનયે ઉત્સર્ગ ભાવસેવા છે. આ મુનિપદનો ભાવ અતિશય પ્રશંસનીય છે.
ઋજુસૂત્ર જે શ્રેણિ પદસ્થે, આત્મશક્તિ પ્રકાશેજી | યથાખ્યાત પદ શબ્દ સ્વરૂપે, શુદ્ધ ધર્મ ઉલ્લાસેજી ||
શ્રી || ૭ || (૪) ક્ષપક શ્રેણીમાં જે આત્મશક્તિઓ પ્રગટ થાય છે તે
ઋજુસૂત્રનયે ઉત્સર્ગ ભાવસેવા છે.
(૫) યથાખ્યાત ક્ષાયિક ચારિત્રનું પ્રગટીકરણ થતાં જે શુદ્ધ અકષાયી આત્મધર્મ ઉલ્લસિત થાય છે, તે શબ્દનયે ઉત્સર્ગ ભાવસેવા છે. ભાવ સયોગી અયોગી શૈલેશે, અંતિમ દુગનય જાણોજી | સાધનતાએ નિજગુણ વ્યક્તિ, તેહ સેવના વખાણોજી ॥ શ્રી૦ | ૮ |
(૬) સર્વ ઘાતી કર્મોને ખપાવી, અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્યને પ્રગટ કરવું અર્થાત્ તેરમા સયોગી ગુણસ્થાનકને પ્રાપ્ત થવું તે સમભિરૂઢનયે ઉત્સર્ગ ભાવસેવા છે.
(૭) શૈલેશીકરણ કરી, આત્મા, અયોગી ગુણસ્થાનક પામે તે એવંભૂતનયે ઉત્સર્ગ ભાવસેવા છે.
આ પ્રમાણે શ્રી અરિહંત પરમાત્માની સેવારૂપ સાધના એ અપવાદ ભાવસેવા અને તે સાધના દ્વારા જે આત્મગુણોનું પ્રગટીકરણ થાય છે તે ઉત્સર્ગ ભાવસેવા છે. કેમકે અપ્રગટ આત્મગુણોને પ્રગટ કરવામાં તે કારણભૂત છે.
પરમતત્ત્વની ઉપાસના * ૪૭
Page #40
--------------------------------------------------------------------------
________________
કારણ ભાવ તેહ અપવાદે, કાર્યરૂપ ઉત્સર્ગેજી | આત્મભાવ તે ભાવ દ્રવ્ય પદ, બાહ્ય પ્રવૃત્તિ નિઃસર્ગેજી |
શ્રી || ૯ | પ્રસ્તુત વિષયમાં કારણભાવ એટલે અરિહંતસેવા એ આત્મસાધનાનું મુખ્ય કારણ હોવાથી તેને અપવાદ ભાવસેવા કહેવાય છે અને શ્રી અરિહંતની સેવાથી જે સ્વગુણ નિષ્પત્તિ-ઉત્પત્તિરૂપ કાર્ય થાય છે તે ઉત્સર્ગ ભાવસેવા છે. આ રીતે કારણ-કાર્ય-ભાવનો સંબંધ જાણવો. ઉત્સર્ગ એટલે પૂર્ણ નિર્મળ, નિર્દોષ ભાવ. તેનો અર્થ અહીં આત્મભાવ લેવાનો છે અને વંદન-પૂજનાદિની બાહ્યપ્રવૃત્તિ એ દ્રવ્યસેવા છે.
કારણ ભાવ પરંપરા સેવન, પ્રગટે કારજ ભાવોજી | કારજ સિદ્ધ કારણતા વ્યય, શુચિ પરિણામિક ભાવોજી |.
શ્રી || ૧૦ |. શ્રી અરિહંત પરમાત્માની ભાવસેવારૂપ જે કારણભાવ છે, તેની સેવા કરવાથી ઉત્સર્ગ-આત્મસ્વભાવરૂપ કાર્ય પ્રગટે છે. અને જ્યારે શુદ્ધ - સિદ્ધતારૂપ કાર્ય પૂર્ણ સિદ્ધ થાય છે ત્યારે કારણતાનો વ્યય-નાશ થઇ જાય છે. તે સમયે માત્ર શુદ્ધ પારિણામિક ભાવ જ શેષ રહે છે જે આત્માનો મૂળભૂત સ્વભાવ છે.
પરમગુણી સેવન તન્મયતા, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી | શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવેજી |
શ્રી || ૧૧ // પરમગુણી શ્રી અરિહંત પરમાત્માની સેવામાં તન્મય બનીને જે સાધક આત્મા આત્મસ્વરૂપનું સ્થિરતાપૂર્વક ધ્યાન કરે છે તે પૂર્ણ શુદ્ધ આત્માના અનુભવનું આસ્વાદન કરીને, દેવોમાં ચંદ્ર સમાન નિર્મળએવા અરિહંતપદને પ્રાપ્ત કરે છે. જે આઠમાં સ્તવનનો સાર :
શ્રી અરિહંત પરમાત્માની સેવા એ મોક્ષપ્રાપ્તિનો પ્રધાન હેતુ છે, આ વાતને શાસ્ત્રીય પદ્ધતિએ, નયવાદની અપેક્ષાએ સ્વ-પર રીતે સ્તવનકાર શ્રીમદ્ દેવચન્દ્રજી મહારાજ સમજાવે છે. એક છોક કોક , કોઈક પરમતત્વની ઉપાસના * ૪૮ ક. ૪, +
નૈગમાદિ સાતે નયો વસ્તુના ઉત્તરોત્તર વિશુદ્ધ સ્વરૂપને જણાવનારા છે. શ્રી અરિહંતસેવા અને તેનાથી પ્રગટ થતી આત્મવિશુદ્ધિ દ્વારા અનુક્રમે મોક્ષની પ્રાપ્તિ થાય છે. સાધક અરિહંતના ધ્યાનમાં જેટલો વધુ મગ્ન બને છે, તેટલી તેની આત્મવિશુદ્ધિ વૃદ્ધિ પામતી જાય છે.
શ્રી અરિહંતનું દર્શન, વંદન, પૂજન, સ્તવને એ ભાવસેવાનું કારણ છે માટે તેને દ્રવ્યસેવા કહેવાય છે.
શ્રી અરિહંત સાથે તન્મય બનવાની ઇચ્છાપૂર્વક કરાતી દ્રવ્યપૂજા એ આત્માના વીર્યને - આત્મશક્તિને ઉલ્લસિત કરે છે અને તેથી શ્રી અરિહંતના ધ્યાનમાં તલ્લીનતા પ્રાપ્ત થતાં અપૂર્વ આત્મશુદ્ધિ થાય છે.
શ્રી અરિહંત પ્રભુના ધ્યાનાદિથી પ્રગટતી આત્મશુદ્ધિનું વર્ણન જૈન શાસ્ત્રોમાં ૧૪ ગુણસ્થાનક, ૮ યોગદૃષ્ટિ, પ અધ્યાત્મ વગેરે યોગ આદિની અપેક્ષાએ વિવિધ રીતે કરવામાં આવેલ છે.
પ્રસ્તુતમાં અપવાદ ભાવસેવા અને ઉત્સર્ગ ભાવસેવાનું વર્ણન સાતનયની અપેક્ષાએ ‘બૃહત્કલ્પભાષ્ય'ના આધારે કરવામાં આવ્યું છે અને તે આત્માની ઉત્તરોત્તર પ્રકર્ષ પામતી વિશુદ્ધિને બતાવે છે.
નૈગમનયે અપવાદ ભાવસેવાનો પ્રારંભ અપુનબંધક અવસ્થા (માર્થાનુસારી અવસ્થા)થી થઇ જાય છે, ત્યાર બાદ સાધકની આત્મવિશુદ્ધિ મિત્રા, તારા, બલા અને દીપ્રાદેષ્ટિના ક્રમે ક્રમશઃ વિકસિત બનતી જાય છે..
મંદ મિથ્યાત્વ દશામાં પણ ઉપચારથી ઇચ્છાયોગ અને અધ્યાત્મયોગ હોઇ શકે છે, કારણ કે ત્યાં પણ પરમાત્મ-ગુણોનું સ્મરણચિંતન આદિ હોય છે.
સંગ્રહનયે અપવાદ ભાવસેવાનો પ્રારંભ દીપ્રાદેષ્ટિથી થવા સંભવ છે. પછી અનુક્રમે વિશુદ્ધિ વધતાં સમ્યગ્દર્શન અને દેશવિરતિની પ્રાપ્તિ થાય છે. આ ભૂમિકામાં ક્ષાયિક સમ્યક્ત્વ હોય તો સ્થિરાદેષ્ટિ પણ હોઇ શકે છે. અહીં પરમાત્માની શુદ્ધ સ્વભાવ દશાના સ્મરણ-ચિંતન અને ધ્યાન સાથે સાધક પોતાની આત્મસત્તાને પ્રભુની શુદ્ધસત્તા સાથે સરખાવે ક, શક પક, શક, છ, જ, પરમતત્ત્વની ઉપાસના * ૪૯ શe we what we ee,
Page #41
--------------------------------------------------------------------------
________________
છે. “મારો આત્મા પણ સત્તાએ સિદ્ધ સમાન છે” એવા ચિંતન દ્વારા પોતાના અંતરાત્માને પરમાત્મભાવનાથી ભાવિત બનાવે છે.
વ્યવહારનયે અપવાદ ભાવસેવા સર્વ સાવઘયોગના ત્યાગી એવા શુદ્ધ સંયમના ધારક મુનિને હોય છે, તેઓ પોતાના શ્રદ્ધા-જ્ઞાનાદિ ગુણોને આદર અને બહુમાનપૂર્વક પરમાત્માના ગુણોના ચિંતન, મનન અને ધ્યાનમાં તન્મય બનાવે છે.
આ રીતે ઋજુસૂત્ર આદિ નયોની અપેક્ષાએ અપવાદ ભાવસેવાનું સ્વરૂપ પણ ગાથાર્થથી સમજી શકાય તેવું છે. એથતુ સાધક ઉત્તરોત્તર ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં પ્રગતિ કરતો નિર્વિકલ્પ દશાને પામે છે.
નૈગમનયે ઉત્સર્ગ ભાવસેવા શ્રી અરિહંત પરમાત્માના ગુણોના ચિંતન-મનનથી જયારે ક્ષાયિક સમ્યકત્વ પ્રગટે છે ત્યારે હોય છે કારણ કે આત્માની અનંતગુણ પર્યાયમયી પ્રભુતાનો જે એક અંશ પ્રગટ્યો છે, તે પણ અનંતગુણોને પ્રગટાવવાનું સાધન છે માટે તેને પણ સેવા કહેવાય છે. તન્મયતા થવી એ જ સેવા શબ્દનો અર્થ છે.
સંગ્રહનયે ઉત્સર્ગ ભાવસેવા ભાવ મુનિને હોય છે, તેઓ જ્યારે અપ્રમત્ત દશાને પામી આત્મસત્તામાં રમણતા કરે છે એટલે કે સ્વસત્તામાં તન્મયતા સાધે છે ત્યારે તેમને હોય છે.
વ્યવહારનયે ઉત્સર્ગ ભાવસેવા અપ્રમત્ત મુનિ અપૂર્વ કરણાદિ ભાવોને પામે છે તે વખતે હોય છે, પછીના ગુણસ્થાનકોમાં થતી આત્મવિશુદ્ધિના ક્રમને આ રીતે ઘટાવી શકાય છે. જ દષ્ટિ અને ગુણસ્થાનકની અપેક્ષાએ બન્ને પ્રકારની સેવા : (૧) અપવાદ ભાવસેવા
ગુણસ્થાન ૧. નૈગમ-પ્રભુ ગુણનો સંકલ્પ ૧ થી ૪ સંખ્યત્વે
અભિમુખતા ૨. સંગ્રહO-પ્રભુસત્તા સાથે તુલ્યતા ૫
૪-૫ ૩. વ્યવ-પ્રભુ ગુણમાં રમણતા ૬
પ-૬ ૪. ઋજુ0-ધર્મ ધ્યાનરૂપ
આત્મસ્વભાવમાં નિશ્ચલતા ૭ ક.દક, શ ક પરમતત્વની ઉપાસના * ૫૦ કો જઈ છે,
૫. શબ્દ0-શુક્લધ્યાનના ૧લા પાયાનું ચિંતન
૮ ૮-૯ સમ૦-શુક્લધ્યાનના ૧લા પાયાના અંતે
૧૦ એવં૦-શુક્લધ્યાનનો બીજો પાયોનિર્વિકલ્પ દશા પામે ત્યારે
૧૨ (૨) ઉત્સર્ગ ભાવસેવા
ગુણસ્થાનક નૈગમી-ક્ષાયિક સમ્યકત્વ
૪-૫ ૨. સંગ્રહ૦-આત્મસત્તારમણ ૩. વ્યવ-અપ્રમત્ત દશામાં
અપૂર્વગુણપ્રાપ્તિ ૪. ઋજુવ-ક્ષપક શ્રેણિગત આત્મશક્તિ ૮ ૯-૧૦ ૫. શબ્દ0-ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર ૮
૧ ૨ ૬. સમ0-સયોગી
કેવલજ્ઞાની ૧૩ ૭. એવં૦-અયોગી
કેવલજ્ઞાની ૧૪ સેવા એ સાધકની સાધનાનો માપદંડ (થરમોમીટર) છે. મહાપુરુષોએ બતાવેલા આ માપદંડ દ્વારા આપણે આપણી આધ્યાત્મિક ભૂમિકાનું માપ કંઇક અંશે કાઢી શકીએ છીએ, અને આગળની ઉચ્ચ ભૂમિકાઓને પ્રાપ્ત કરવાનો ઉપાય જાણી તેની પ્રાપ્તિ માટે પ્રબળ પુરુષાર્થ કરવાની પ્રેરણા મેળવી શકીએ છીએ.
અપાર્થિવ આસ્વાદ ભવ્યાત્મન્ ! ભોજનના રસ પૌલિક પદાર્થો જીલ્લાના સ્પર્શવડે સુખાભાસ ઉત્પન્ન કરે છે. કંઠ નીચે ઉતરી ગયા પછી તેનો સ્વાદ ચાલ્યો જાય છે, જયારે આત્મામાં રહેલો સ્વયં શાંતરસ સર્વદા સુખ આપનારો છે. તેમાં પૌગલિક પદાર્થોની જરૂર રહેતી નથી. તે આત્મામાં છુપાયેલો છે. આત્મા વડે જ પ્રગટ થાય છે.
શકે છે , કઈ ક ક , પરમતત્વની ઉપાસના * ૫૧ શકિ જોક ઝાંક, જો
છોક,
Page #42
--------------------------------------------------------------------------
________________
[ (૯) શ્રી સુવિધિ જિન સ્તવન
(થારા મહેલા ઉપર... એ દેશી) દીઠો સુવિધિ નિણંદ, સમાધિરસે ભર્યો, હો લાલ // સ0 || ભાસ્યો આત્મસ્વરૂપ, અનાદિનો વીસર્યો, હો લાલ | અO || સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો, હો લાલ // થ0 || સત્તા સાધન માર્ગ ભણી એ સંચર્યો,હો લાલ // ભણી || ૧ ||
સાધક આત્મા મહાન પુણ્યોદયે પ્રાપ્ત થયેલાં વીતરાગ પ્રભુનાં દર્શનથી અત્યંત હર્ષિત બની તેમની પ્રભુતાની સ્તુતિ કરતાં કહે છે : સમાધિ-સમતારસના ભંડાર શ્રી સુવિધિનાથ પ્રભુની પ્રશાંત મુદ્રા જોવાથી અનાદિકાલથી ભુલાયેલા મારા આત્મસ્વરૂપની મને ઓળખાણ થઇ, સર્વ પ્રકારના રાગદ્વેષાદિ વિભાવ તથા બાહ્ય (ધનધાન્યાદિ) ઉપાધિથી મને નિવૃત્ત થયું અને આત્મસત્તાની સાધનાના માર્ગરૂપ સમ્યગદર્શન, સમ્યગૃજ્ઞાન, સમ્યક્ઝારિત્રમાં પ્રવૃત્ત થયું. ખરે ખર ! પરમાત્માની પ્રશાંત મુખમુદ્રાનાં દર્શનથી પરમાત્માના યથાર્થ સ્વરૂપની ઓળખાણ થાય છે અને તે દ્વારા આત્મસ્વરૂપની પણ ઓળખાણ થાય છે.
તુમ પ્રભુ જાણગ રીતિ, સર્વ જગ દેખતા હો લાલ | સ0 || નિજ સત્તાએ શુદ્ધ, સહુને લેખતા હો લાલ || સ0 | પરપરિણતિ અષ-પણે ઉવેખતા, હો લાલ // ૫૦ || ભોગ્યપણે નિજ શક્તિ, અનંત ગવેખતા, હો લાલ // અOા //
હે પ્રભુ ! આપ જ્ઞાતૃત્વશક્તિથી સર્વ જગતના યથાર્થ સ્વરૂપને જાણો છો. પણ વીતરાગ હોવાથી રાગદ્વેષ કરતા નથી. તથા સર્વ જીવાદિ દ્રવ્યો – પદાર્થો જે પોતાની સત્તાએ શુદ્ધ-નિસંગ છે. (કેમકે કોઇ પણ જીવ કે પુદ્ગલનું મૂલ સ્વરૂપ પરસ્પર મળી જઇને અશુદ્ધ થતું નથી. એમ, આપ સત્તા ધર્મે સહુને શુદ્ધ રૂપે જુઓ છો, એથી સંસારી જીવમાં રહેલી પરંપરિણતિ (રાગદ્વેષાદિ ભાવ અશુદ્ધિ)ની અદ્વેષપણે ઉપેક્ષા કરો છો, તેમ જ આપ આત્માની અનંત ગુણ પર્યાયરૂપ શક્તિને ભોગ્યરૂપે ગણી તેને જ ભોગવો છો.
દાનાદિક નિજ ભાવ, હતા જે પરવશા, હો લાલ // હo || તે નિજ સન્મુખ ભાવ, ગ્રહી લહી તુજ દશા, હો લાલ // ગ્રી II પ્રભુનો અદ્ભુત યોગ, સરૂપતણી રસા હો લાલ | સ0 || ભાસે વાસ તાસ, જાસ ગુણ તુજ જિસા, હો લાલ // જાવ || ૩ ||
દાનાદિક (ક્ષાયોપથમિક ધર્મો) ગુણો પરાધીનપણે અનાદિથી પુદ્ગલ અનુયાયી બની પ્રવૃત્તિ કરતા હતા, તે આપની પ્રભુતા-વીતરાગદેશોનું આલંબન પામી આત્મસન્મુખ થાય છે એટલે કે નિમિત્તાલંબી થયેલા દાનાદિગુણો સ્વરૂપાલંબી બને છે. ખરેખર ! અરિહંત પરમાત્માના યોગની એટલે સંપૂર્ણ રત્નત્રયીના સ્વરૂપની રસા - ભૂમિકા અદ્ભુત છે, તેની યથાર્થ ઓળખાણ અને પ્રતીતિ તેને જ થઇ શકે છે કે જેનામાં પ્રભુના જેવા ગુણો પ્રગટ્યા છે; અર્થાત્ સર્વજ્ઞ આત્મા જ પ્રભુના સર્વ ગુણોને જાણી શકે છે અને સર્વજ્ઞતાની પ્રાપ્તિનો ક્રમ બતાવી શકે છે.
મોહાદિકની ઘૂમી, અનાદિની ઊતરે, હો લાલ | અo | અમલ અખંડ અલિપ્ત, સ્વભાવ જ સાંભરે, હો લાલ | સ્વO ||. તત્ત્વરમણ શુચિ ધ્યાન, ભણી જે આદરે, હો લાલ // ભO || તે સમતારસધામ, સ્વામી મુદ્રા વરે, હો લાલ // સ્વાવ | ૪
હે પ્રભુ ! અનાદિ કાળથી વળગેલી મોહાદિની મૂછ ઊતરે છે એટલે કે અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિરૂપ મિથ્યાત્વ દૂર થાય છે ત્યારે નિર્મલ, અખંડ અને કર્મથી અલિપ્ત એવા આત્મસ્વભાવની ઓળખ થાય છે. શ્રી અરિહંત પ્રભુના પવિત્ર - પ્રશસ્ત ધ્યાન વડે જે સાધક આત્મતત્ત્વમાં મુક કક જ . જો પરમતત્ત્વની ઉપાસના * ૫૩ કિ જોર થી. જો કે
ક.દક, જો આ
પરમતત્વની ઉપાસના * ૫૨ શાક, છક થઈ છjapl
Page #43
--------------------------------------------------------------------------
________________
રમણતા કરી પ્રભુ સાથે એકત્વ અનુભવે છે અને શુક્લ ધ્યાનાગ્નિથી સકલ ઘાતી કર્મોનો ક્ષય કરે છે, તે જ સમતારસના ભંડાર એવા ત્રણ લોકના સ્વામી અરિહંત પરમાત્માના જેવી શાંત મુદ્રાને પામી શકે છે.
પ્રભુ છો ત્રિભુવન નાથ, દાસ હું તાહરો, હો લાલ | દાળ || કરુણાનિધિ અભિલાષ, અછે મુજ એ ખરો, હો લાલ | અO || આતમ વસ્તુ સ્વભાવ, સદા મુજ સાંભરો, હો લાલ // સ0 ||L ભાસન વાસન એહ, ચરણ ધ્યાને ધરો, હો લાલ // ચ0 | ૫ |
હે પ્રભુ ! આપ તો ત્રણ ભુવનના સ્વામી છો (અપ્રાપ્ત ગુણને પ્રાપ્ત કરાવનારા અને પ્રાપ્તગુણનું રક્ષણ કરનારા છો) અને હું તો આપનો અંદનો દાસ છું. હે કરુણાસાગર પ્રભુ ! મારો આ સાચો મનોરથ છે કે મારો આત્મસ્વભાવ જે વસ્તુ સ્વરૂપે શુદ્ધ જ્ઞાનાદિ ગુણમય છે, તેનું મને સદા સ્મરણ રહો ! હે પ્રભો ! પ્રતીતિ, શ્રદ્ધા, ભાસન, જ્ઞાન અને તન્મયતાપૂર્વકની રમણતા પણ મને મારા સ્વભાવની જ થાઓ ! સાધકભાવમાં સાધકરૂપે અને સિદ્ધાવસ્થામાં સિદ્ધરૂપે સ્વભાવ-રમણતા થાય એ જ એક મારી અભિલાષા છે.
પ્રભુમુદ્રાને યોગ પ્રભુ પ્રભુતા લખે હો લાલ // પ્ર0 | દ્રવ્યતણે સાધર્મ, સ્વસંપત્તિ ઓળખે હો લાલ / સ્વ . ઓલખતા બહુમાન, સહિત રુચિ પણ વધે હો લાલ | સ0 ||. રુચિ અનુયાયી વીર્ય, ચરણધારા સધે હો લાલ // ચ0 | ૬ ||
શ્રી અરિહંત પરમાત્માની પ્રશાંત મુદ્રાનાં દર્શનથી આત્મા પ્રભુની પૂર્ણ શુદ્ધ ગુણપર્યાયમયી પ્રભુતાને ઓળખી લે છે. તેમ જ જીવદ્રવ્યના સાધમ્મથી તેને સ્વસંપત્તિ (આત્મગુણો)ની પ્રતીતિ થાય છે (અર્થાત્ પરમાત્મા અને મારા આત્માનું જીવત્વ સમાન હોવાથી જેટલા જ્ઞાનાદિ ગુણો તેમનામાં પ્રગટેલા છે, તેટલા જ ગુણો મારી આત્મસત્તામાં રહેલા છે એવી શ્રદ્ધા થાય છે) આવી પ્રભુતાની ઓળખાણ થતાં બહુમાનપૂર્વક તેવી પ્રભુતાને પ્રગટાવવાની રુચિ ઉત્પન્ન થાય છે, રુચિ અનુસાર વીર્યશક્તિની ફુરણા થાય છે અને વીર્યશક્તિની પ્રબળતા મુજબ ચારિત્રઆત્મરમણતાની ધારા (પ્રવાહ) ચાલે છે. આત્મસ્વભાવની રુચિ ઉત્પન્ન થતાં સર્વ ચારિત્ર વીર્યાદિ ગુણો સ્વભાવમાં જ લીન બને છે. એક છોક કોક , કોઈક પરમતત્વની ઉપાસના * ૫૪ ક. ૪, + 9
ક્ષાયોપથમિક ગુણ સર્વ, થયા તુજ ગુણરસી હો લાલ // થ૦ || સત્તા સાધન શક્તિ, વ્યક્તતા ઉલસી હો લાલ / વ્યo ||. હવે સંપૂરણ સિદ્ધિ, તણી શી વાર છે હો લાલ // તo // “દેવચંદ્ર” જિનરાજ, જગત આધાર છે હો લાલ // જ0 | ૭/
હે પ્રભુ ! રુચિ, જ્ઞાન, રમણતા, વીર્યાદિ સર્વ ક્ષયોપમિક ગુણો જ્યારે આપના ક્ષાયિક ભાવે પ્રગટેલા કેવલજ્ઞાનાદિ ગુણોનાં સ્મરણ, ચિંતન, મનન અને ધ્યાન દ્વારા તેના રસિક બને છે, ત્યારે આત્મસત્તાને પ્રગટ કરનારી જે આત્મશક્તિ અત્યાર સુધી આચ્છાદિત થયેલી હતી, તે વ્યક્તરૂપે પ્રગટપણે ઉલ્લસિત થાય છે. (અર્થાત્ હે પ્રભુ ! તમારા આલંબને ઉપાદાન પ્રગટે છે.) હવે સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં શી વાર લાગવાની છે ! અર્થાતુ પુષ્ટ નિમિત્તના આલંબનથી સ્વરૂપાલંબી બનેલો સાધક અલ્પકાળમાં જ અવશ્ય સિદ્ધિસુખને પામે છે. દેવોમાં ચંદ્ર સમાન ઉજ્જવલ જિનેશ્વર પ્રભુ જ સર્વ જીવોના આધાર છે – પ્રાણ છે અને શરણ છે. જ નવમા સ્તવનનો સાર :
આ સ્તવનમાં આત્મા અને પરમાત્માની વચ્ચે રહેલા અંતરને તોડવાનો સચોટ ઉપાય બતાવવામાં આવ્યો છે.
અરિહંત પરમાત્માનો સાક્ષાત દર્શનથી કે તેમની પ્રશાંતમૂર્તિના દર્શનથી આત્માના શુદ્ધ સ્વરૂપનું ભાન થાય છે, સૂક્ષ્મનિગોદથી માંડી સર્વ જીવયોનિમાં ભ્રમણ કરતાં કરતાં આજે પરમપુણ્યોદયે પ્રાપ્ત થયેલા આ માનવભવમાં મહાન સદ્ભાગ્યે પરમાત્મદર્શન થતાં આત્મસ્વભાવની ઓળખાણ થઇ, જેથી સાધકનું હૈયું હર્ષથી પુલકિત બની જાય છે. તેમ જ વિષય-કષાયની પ્રવૃત્તિ એ જ મારા આત્મવિકાસને અવરોધનારી છે, એવો નિશ્ચય થતાં સાધક અશુભ પ્રવૃત્તિનો ત્યાગ કરી આત્મસાધનામાં સહાયક સમ્યગૂ રત્નત્રયીની આરાધનામાં ઉજમાળ બને છે.
અરિહંત પરમાત્માની સહજ સુખમય પૂર્ણશુદ્ધ સ્વભાવ દશાનું સાધકને જેમ જેમ વિશેષ વિશેષ જ્ઞાન થાય છે, તેમ તેમ તે સાધકની આત્મશક્તિઓ પરાનુયાયીપણું છોડીને આત્મસ્વભાવની સન્મુખે થાય છે. કt, we je we, jક પરમતત્તની ઉપાસના * ૫૫ ક, કte, B/h. she,
Page #44
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વની અર્થાત્ અવિદ્યાની ગાઢ મૂર્છા દૂર થતાં જ્યારે આત્મા પોતાના નિર્મળ, અખંડ અને અલિપ્ત સ્વભાવને ઓળખી અને નિર્મળ નિશ્ચલ ધ્યાન દ્વારા તે આત્મસ્વભાવમાં જ રમણતા કરે છે, ત્યારે તે ક્રમે ક્રમે સમતા રસમયી પરમ શાંત રસમય (પ્રભુમુદ્રા જેવી) મુદ્રાને પ્રાપ્ત કરે છે, અર્થાત્ આત્મા પરમાત્મપદને પામે છે. આ જ પ્રક્રિયાને અનુભવયોગી શ્રી આનંદઘનજી મહારાજા શ્રી સુમતિનાથ ભગવાનના સ્તવનમાં આત્માર્પણની પ્રક્રિયા તરીકે ઓળખાવે છે.
“બહિરાતમ તજી અંતર આતમા, રૂપ થઇ થિરભાવ સુજ્ઞાની ! પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અરપણ દાવ સુજ્ઞાની ! આતમ અરપણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિદોષ સુજ્ઞાની ! પરમ પદારથ સંપદ સંપજે, ‘આનંદધન’ રસ પોષ સુશાની !! આ રીતે, અરિહંત પરમાત્માના આલંબનથી જ આત્મામાં તત્ત્વરુચિ, તત્ત્વજ્ઞાન અને તત્ત્વરમણતા પ્રગટે છે. તે સિવાય નહિ, એમ જાણીને સર્વ મુમુક્ષુ આત્માઓએ અરિહંત પરમાત્માનાં સ્મરણ, વંદન, પૂજન, સ્તવન, આજ્ઞાપાલન અને ધ્યાનાદિમાં પ્રયત્નશીલ બનવું આવશ્યક છે.
તત્ત્વજ્ઞાન ગર્ભિત ભક્તિરસસભર આવાં સ્તવનોનું એકાગ્રચિત્તે જેમ જેમ વધુ રટણ અને ગાન થાય છે, તેમ તેમ સાધકને અપૂર્વ ભાવોલ્લાસ જાગતો રહે છે અને અદ્ભુત આનંદની અનુભૂતિ થતી રહે છે, તેથી ધ્યાનમાં નિશ્ચલતા સહજ બને છે.
મૈત્રી આદિ ભાવના તે માતા સ્વરૂપ છે
માને સંતાન પ્રત્યે વાત્સલ્ય ભાવ હોય છે, તે મૈત્રીભાવના. માને સંતાનના વિવેક આદિ ગુણો પ્રત્યે પ્રમોદભાવ થાય છે. માને સંતાનના દુઃખ પ્રત્યે કરૂણા ઉપજે છે તે કરૂણાભાવના. સંતાન જો સ્વચ્છંદી બને તો મા જતું કરે છે તે માધ્યસ્થ્ય ભાવના. જગતના સર્વ જીવો પ્રત્યે આવો ભાવ કેળવવાનો છે.
પરમતત્ત્વની ઉપાસના * ૫૬
(૧૦) શ્રી શીતલ જિન સ્તવન
(આદર જીવ ક્ષમાગુણ આદર... એ દેશી)
શીતલ જિનપતિ પ્રભુતા પ્રભુની, મુજથી કહીય ન જાયજી । અનંતતા નિર્મલતા પૂર્ણતા, જ્ઞાન વિના ન જણાયજી ॥ શીતલ૦ || ૧ || શ્રી શીતલનાથ પ્રભુની પરમ પ્રભુતાનું વર્ણન મારાથી થઇ શકે તેમ નથી. કારણ કે પ્રભુની પ્રભુતાની અનંતતા, નિર્મળતા અને પૂર્ણતાનું પૂર્ણ સ્વરૂપ કેવલજ્ઞાન સિવાય જાણી કે જોઇ શકાય તેમ નથી.
કેવલજ્ઞાની ભગવંતો પણ પ્રભુતાને પ્રત્યક્ષ જાણે છે, છતાં તેનું વર્ણન કરી શકતા નથી. કેમ કે પ્રભુની પ્રભુતા અનંત છે અને વચન ક્રમિક છે, અને આયુષ્ય પરિમિત છે. પ્રભુતા નિરાવરણ-નિઃસંગ હોવાથી નિર્મળ છે અને સંપૂર્ણપણે પ્રગટ હોવાથી તે પૂર્ણ છે.
ચરમ જલધિ જમિણે અંજલિ, ગતિ જીપે અતિવાયજી । સર્વ આકાશ ઓલંઘે ચરણે, પણ પ્રભુતા ન ગણાયજી || શીતલ૦ | ૨ |
કદાચ કોઇ સમર્થ વ્યક્તિ સ્વયંભૂરમણ સમુદ્રનાં (સાધિક ત્રણરજ્જુ વિસ્તાર પરિધિવાળા) પાણીને અંજલિથી માપી શકે, શીઘ્ર ગતિથી પ્રચંડ વાયુના વેગને પણ જીતી શકે, કે પગે ચાલીને લોકાલોકરૂપ આકાશને પણ ઓળંગી જાય, છતાં તે પ્રભુની પ્રભુતાને કદાપિ ગણી શકે નહિ. પરમતત્ત્વની ઉપાસના * ૫૭
.
Page #45
--------------------------------------------------------------------------
________________
આ અસંભવિત દેષ્ટાંત પ્રભુની અનંતતા કેટલી અનંત અને અગમ્ય છે, તે સમજાવવા પૂરતું જ છે.
સર્વદ્રવ્ય પ્રદેશ અનંતા, તેહથી ગુણ પર્યાયજી | તાસ વર્ગથી અનંત ગુણું પ્રભુ, કેવલજ્ઞાન કહાયજી ||
શીતલ || ૩ || જગતમાં જીવાદિ દ્રવ્યો (પદાર્થો) અનંતા છે, તેનાથી પ્રદેશો અનંતા છે, પ્રદેશોથી ગુણો અનંતા છે અને ગુણોથી પણ પર્યાયો અનંતા છે, તેનો વર્ગ કરવાથી જે અનંતરાશિ પ્રાપ્ત થાય તે અનંતરાશિથી પણ પ્રભુનું કેવલજ્ઞાન અનંતગણું અધિક-વિશાળ છે.
કેવલદર્શન એમ અનંતુ, ગ્રહે સામાન્ય સ્વભાવજી | સ્વપર અનંતથી ચરણ અનંતુ, સમરણ સંવર ભાવજી ||
શીતલ | ૪ || કેવલજ્ઞાનગુણની જેમ સર્વ દ્રવ્યોના સામાન્ય સ્વભાવને ગ્રહણ કરનારો કેવલદર્શનગુણ પણ અનંત છે, તેમ જ પ્રભુનો ચારિત્રગુણ પણ અનંતપર્યાયથી યુક્ત હોવાથી અનંત છે.
ચારિત્રા એટલે સ્વધર્મ (સ્વભાવ)માં રમણ અને પરધર્મમાં અરમણ અથવા સ્વરૂપમણ અને પરભાવ નિવૃત્તિ એ ચારિત્ર પરિણતિનું સ્વરૂપ છે અને પોતાની જ્ઞાન, દર્શન અને વીયદિ ગુણોની પરિણમન શક્તિને સર્વ પરભાવોથી રોકી, સ્વભાવમાં જ સ્થિર રાખવી એ સંવરભાવરૂપ ચારિત્રની અનંતતા છે. આ રીતે, વીયદિ ગુણની પણ સ્વધર્મ સાપેક્ષ અનંતતા સમજી લેવી.
દ્રવ્ય ક્ષેત્ર ને કાલ ભાવ ગુણ, રાજનીતિ એ ચારજી | ત્રાસ વિના જડ ચેતન પ્રભુની, કોઇ ન લોપે કારજી ||
શીતલ0 || ૫ || વસ્તુમાં રહેલા અવિભાજ્ય અંશને પ્રદેશ કહેવાય છે. દ્રવ્ય, પ્રદેશ, ગુણ અને પર્યાયની સંખ્યાનો સરવાળો કરતાં જે અનંત-રાશિની સંખ્યા
આવે છે તેને તેટલી જ સંખ્યા વડે ગુણાકાર કરવાથી તેનો વર્ગ થયો કહેવાય. ૩. ¥¢¢¢¥¢t thdIS" (ભગવતી સૂત્ર)
કેવલીનું જ્ઞાન અમિત હોય છે. છક જ શકશો કે તે પરમતત્ત્વની ઉપાસના * ૫૮ . . . . #j
દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ શ્રી વીતરાગ અરિહંત મહારાજાની રાજનીતિ ચાર પ્રકારની છે તેનું ઉલ્લંઘન કોઇ પણ જડ કે ચેતન પદાર્થ કરી શકતો નથી માટે સમસ્ત વિશ્વમાં પ્રભુની અખંડપણે આજ્ઞા પ્રવર્તી રહી છે.
જગતમાં રાજાની આજ્ઞાને કોઈ માન્ય કરે, કોઇ માન્ય ન પણ કરે, એમ બની શકે છે, પરંતુ અરિહંત પરમાત્માની આજ્ઞાને સૃષ્ટિના સમગ્ર પદાર્થો માન્ય રાખે છે, જે રીતે પરમાત્માનું જ્ઞાન પરિણમે છે, તે જ રીતે સર્વ પદાર્થો પરિણમે છે. પરમાત્માએ જે રીતે સર્વ પદાર્થોની પ્રરૂપણા કરી છે તે જ રીતે સર્વ દ્રવ્યોની પરિણતિ છે. પ્રભુ ન તો કોઇને ત્રાસ આપે છે કે ન તો કોઇને ભય દેખાડે છે; છતાં સર્વ પદાર્થો પ્રભુની આજ્ઞાનો લોપ કર્યા વિના, પ્રભુની જ્ઞાન પરિણતિ મુજબ જ વર્તે છે.
શુદ્ધાશય થિર પ્રભુ ઉપયોગે, જે સમરે તુજ નામજી | અવ્યાબાધ અનંતુ પામે, પરમ અમૃત સુખ ધામજી //
- શીતલ0 || ૬ || જે સાધક દગ્ધાદિ દોષોને તજી શુદ્ધ આશયથી (મોક્ષ-પ્રાપ્તિના હેતુથી) અરિહંત પરમાત્માના ગુણોમાં જ સ્થિર ઉપયોગ રાખી, પ્રભુનું સ્મરણ, ધ્યાન વગેરે કરે છે, તે અવશ્ય પરમ અમૃત સુખના ભંડારરૂપ અનંત અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરે છે.
આણા ઇશ્વરતા નિર્ભયતા, નિર્વાછકતા રૂપજી ! ભાવ સ્વાધીન તે અવ્યય રીતે, એમ અનંતગુણ ભૂપજી //
શીતલ૦ || ૭ || આજ્ઞા, પરમ ઐશ્વર્ય, નિર્ભયતા, નિષ્કામતા, સ્વાધીનતા, અવિનાશિતા આદિ અનંતગુણના સ્વામી શ્રી અરિહંત પરમાત્મા છે. તે આ રીત :
આજ્ઞા - રાજા, વાસુદેવ કે ચક્રવર્તીની આજ્ઞા પોતપોતાના રાજયની મર્યાદામાં સ્વાર્થ કે ભયથી લોકો માને છે. પરંતુ અરિહંત પરમાત્માની આજ્ઞાનું પાલન તો સમગ્ર વિશ્વમાં સહજપણે થાય છે. પક છીંક શક , પરમતત્વની ઉપાસના * ૫૯ ક. ૪ ક. આ જ
Page #46
--------------------------------------------------------------------------
________________
ઐશ્વર્ય – પરમાત્મા પાસે સ્વાભાવિક અનંત ગુણ-પર્યાયમય સંપત્તિ રહેલી છે
નિર્ભયતા - પરમાત્મા સદા સર્વથા સર્વ ભયોથી રહિત છે.
નિષ્કામતા - પરમાત્મા કામના-ઇચ્છા વિના જ સર્વ જ્ઞાનાદિક સંપત્તિના ભોક્તા છે.
સ્વાધીનતા - પરમાત્માનો સ્વભાવ સ્વાધીન છે, તે કર્મની પરાધીનતાથી મુક્ત છે.
અવિનાશિતા - પરમાત્માની સર્વ સંપદા નિત્ય-અવિનશ્વર છે.
[અન્ય ચક્રવર્તી આદિ પરિમિત, ઐશ્વર્યવાળા, ભયયુક્ત, સકામી, પરાધીન અને વિનાશી હોય છે.].
અવ્યાબાધ સુખ નિર્મલ તે તો, કરણ જ્ઞાને ન જણાયજી | તેહ જ એહનો જાણગ ભોક્તા, જે તુમ સમગુણ રાયજી II
- શીતલ0 || ૮ || પ્રભુનું નિર્મળ અવ્યાબાધ સુખ ઇન્દ્રિયાદિથી થતા પરોક્ષજ્ઞાન દ્વારા કદી જાણી શકાય તેવું નથી, પરંતુ જેણે પ્રભુના જેવા જ ગુણો પ્રગટાવ્યા છે તેઓ જ આત્માના અવ્યાબાધ સુખને જાણે છે કે ભોગવે છે.
એમ અનંત દાનાદિક નિજ ગુણ, વચનાતીત પંડુરજી | વાસન ભાસન ભાવે દુર્લભ, પ્રાપ્તિ તો અતિ દૂરજી ||
શીતલ0 // ૯ / આ પ્રમાણે, પરમાત્માનાં દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યાદિ અનંત મહાન ગુણો પ્રગટ થયેલા છે, તેનું વર્ણન વાણી વડે થઇ શકે તેમ નથી. મારા જેવા મૂઢને પ્રભુના તે અનંત ગુણોની પ્રાપ્તિ થવી તો દૂર રહી, પણ તેની નિર્મળ શ્રદ્ધા અને જ્ઞાન થવું પણ કઠિન છે - દુર્લભ છે.
સકલ પ્રત્યક્ષપણે ત્રિભુવનગુરુ, જાણું તુજ ગુણગ્રામજી | બીજું કાંઇ ન માગું સ્વામી, એહી કરો મુજ કામજી ||
શીતલ || ૧૦ || છક જ શકશો કે તે પરમતત્ત્વની ઉપાસના * ૬૦ + શ . શ . we
આપના જેવા ત્રિભુવનગુરુને પામીને હું એટલી જ નમ્ર પ્રાર્થના કરું છું કે, “આપના તે સર્વ ગુણોને હું પ્રત્યક્ષપણે જાણી શકું.” આ સિવાય મારે બીજું કશું જ જોઇતું નથી. મને આશા છે કે આપની કૃપાથી મારી આ પ્રાર્થના અવશ્ય પૂર્ણ થશે.
એમ અનંત પ્રભુતા સહતાં, અર્થે જે પ્રભુ રૂપજી | ‘દેવચંદ્ર' પ્રભુતા તે પામે, પરમાનંદ સ્વરૂપજી ||
શીતલ0 || ૧૧ || એ પ્રમાણે પરમાત્માની અનંત પ્રભુતાની શ્રદ્ધા કરીને આદર બહુમાનપૂર્વક જે આ પરમાત્માની દ્રવ્ય અને ભાવથી પૂજા કરે છે તે અવશ્ય દેવોમાં ચંદ્ર સમાન ઉજ્જવલ અને પરમાનંદમય એવી પ્રભુતાને વરે છે. જ દશમા સ્તવનનો સાર :
આ સ્તવનમાં જૈનદર્શન માન્ય ઇશ્વર તત્ત્વનું વિશદ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે.
શ્રી જિનેશ્વર પરમાત્મા જ સમગ્ર વિશ્વમાં રાજા-મહારાજા છે. તેમનામાં રહેલી પ્રભુતા અનંત, નિર્મળ, વિશુદ્ધ સંપૂર્ણ છે. પ્રભુના કેવલજ્ઞાનાદિ અનંતગુણોની અનંતતા કોઇથી પણ જાણી શકાય કે માપી શકાય તેવી નથી. પ્રભુના અસંખ્ય પ્રદેશરૂપ ખજાનામાં અનંતગુણ - પર્યાયરૂપ અનંત, અક્ષય સંપત્તિ રહેલી છે. જ કેવલજ્ઞાન અને કેવલદર્શનની અનંતતા :
જગતના સર્વ (જીવ-અજીવ) દ્રવ્યોના સર્વ પ્રદેશોમાં રહેલા સર્વ ગુણ પર્યાયોના ત્રિકાલવર્તી પરિણામોને એકી સાથે જાણવા અને જોવાનો સ્વભાવ કેવલજ્ઞાન અને કેવલદર્શનનો છે. જ ચારિત્રગુણની અનંતતા :
સંયમશ્રેણી દ્વારા ચારિત્રની અનંતતા આ પ્રમાણે વિચારી શકાય છે. નિરાવરણ થયેલા ચારિત્રગુણના પર્યાય-અવિભાગ એ સર્વ જીવ કરતાં અનંતગુણ છે. તેની એક ‘વર્ગણા’ થાય છે, એવી અસંખ્યાતી વર્ગણાઓનો એક ‘સ્પર્ધક થાય છે અને એવા અસંખ્યાત સ્પર્ધકોનું એક જિક, શક, કઈક કa e Bક પરમતત્વની ઉપાસના * ૬૧ .ક. જો કે,
Page #47
--------------------------------------------------------------------------
________________
‘સંયમસ્થાનક’ થાય છે અને તે સહુથી જઘન્ય પ્રથમ સંયમસ્થાનક કહેવાય છે. ત્યાર પછી ષગુણ-હાનિ-વૃદ્ધિની અપેક્ષાએ અસંખ્યગુણા સંયમસ્થાનકો થાય છે ત્યારે સર્વોત્કૃષ્ટ સંયમસ્થાનક બને છે. તેનું વિસ્તૃત સ્વરૂપ ‘વ્યવહારભાષ્ય’ આદિ ગ્રંથોથી સમજી લેવું.
દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યગુણની અનંતતા પણ આ પ્રમાણે જ સમજવી. જેમ કે, વીર્યગુણ જ્ઞાનાદિ સર્વ ગુણોને જાણવાની પ્રવૃત્તિમાં પ્રેરણા આપે છે, ચારિત્રગુણ સ્થિરતાને સહાય કરે છે.
આ રીતે, અનંત ગુણો પરસ્પર અનંત દાન કરે છે, તે દાન ગુણની અનંતતા સમજવી અને પરસ્પર એકબીજાથી જે સહાય પ્રાપ્ત થાય છે તે લાભગુણની અનંતતા છે. એક વાર ભોગવાય તેને ભોગ કહેવાય છે. પરમાત્મા અનંતા પર્યાયોનો ભોગ કરતા હોવાથી તે ભોગગુણની અનંતતા છે અને જ્ઞાનાદિ ગુણનો વારંવાર ઉપભોગ કરતા હોવાથી તે ઉપભોગ ગુણની અનંતતા છે. અવ્યાબાધ સુખ (આનંદ)ની અનંતતા, નિર્મળતા અને પૂર્ણતાનું સ્વરૂપ ઇંદ્રિયગોચર નથી. પ્રભુના જેવો શુદ્ધ આત્મા જ તેનો જ્ઞાતા અને ભોક્તા બની શકે છે.
અરિહંત પરમાત્માની આજ્ઞા-ઇશ્વરતા પણ અનંત છે. જગતના સર્વ પદાર્થોની પ્રવૃત્તિ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ ચાર પ્રકારે થાય છે. પ્રભુનું કેવલજ્ઞાન પણ એ જ રીતે ચાર પ્રકારે પ્રવર્તે છે, એ જ પ્રભુની મહાન રાજનીતિ છે. વિશ્વનો કોઇ પણ પદાર્થ તેનું ઉલ્લંઘન કરી શકતો નથી.
આવી અનુપમ અનંત અપાર સંપત્તિની પ્રાપ્તિ પરમ કરુણાનિધાન પરમેશ્વરનાં નામસ્મરણ અને (દ્રવ્ય-ભાવ) પૂજન દ્વારા થઇ શકે છે; તેથી શુદ્ધ આશયપૂર્વક નિરાશંસભાવે પ્રભુનું સ્મરણ અને પૂજન કરવું જોઇએ. દ્રવ્યપૂજા પણ ભાવપૂજાને ઉત્પન્ન કરનાર હોવાથી આદરણીય છે. પ્રભુના વિરહમાં પ્રભુપ્રતિમાનું પૂજન કરવાનું શાસ્ત્રીય વિધાન છે, કારણ કે જિનપ્રતિમાને શાસ્ત્રોમાં જિન સમાન માની છે. જિનાગમોમાં પ્રભુવંદનનું, પ્રતિમાપૂજનનું કે મહાવ્રત સંયમપાલનનું જે હિત, સુખ અને મોક્ષરૂપ ફળ બતાવ્યું છે, તે એકસરખું છે, માટે દ્રવ્યપૂજા પણ પરમતત્ત્વની ઉપાસના * ૬૨
શુદ્ધતાપૂર્વક અવશ્ય કરવી જોઇએ, જેથી આત્મામાં સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ તથા વૃદ્ધિ થાય.
દ્રવ્યપૂજામાં થતી સ્થાવરની હિંસા એ ભાવહિંસા નથી કારણ કે આત્મગુણની વૃદ્ધિરૂપ ભાવદયાનું તે કારણ છે અને ભાવદયા એ મોક્ષનું કારણ છે. જિનાગમોમાં દ્રવ્યહિંસાને ભાવહિંસાનું કારણ માન્યું છે તે વિષય-કષાયના અર્થે થતી હિંસા છે. પરંતુ પ્રભુગુણનું બહુમાન કરનાર વ્યક્તિને પુષ્પપૂજા વખતે થતી સ્વરૂપહિંસા એ ભાવહિંસાનું કારણ ન હોવાથી અનુબંધહિંસા નથી. માટે આત્માર્થીઓએ પ્રભુપૂજા ભાવોલ્લાસપૂર્વક કરવી જોઇએ.
આત્મસાધનાનું પ્રથમ સોપાન પ્રભુપૂજા છે. તેનાથી ત્રણે યોગની સ્થિરતા થાય છે. ત્યાર પછી અનુક્રમે સ્તોત્રપૂજા, જાપ, ધ્યાન અને લય અવસ્થા પ્રાપ્ત થાય છે અને તેના સતત અભ્યાસથી અનુક્રમે આત્મતત્ત્વનો અનુભવ અર્થાત્ સાક્ષાત્કાર થાય છે.
બચવું કેમ ?
મરણથી બચવા જોષ જોવડાવે તો બચાય ?
રોગ મુક્તિ માટે જોષ જોવડાવે તો બચાય ?
ધન પ્રાપ્તિ માટે જોષ જોવડાવે તો ધન પ્રાપ્તિ થાય ?
સંતાન તૃપ્તિ માટે જોષ જોવડાવે તો સંતાન પ્રાપ્તિ થાય ? એ સર્વ પૂર્વ પ્રારબ્ધ પર આધારિત છે. છતાં શા માટે જીવ જોષ જોવડાવે છે ? એ સર્વ પ્રકારોમાં નિરાધારતા છે. એક ધર્મનો આધાર જ જીવને રક્ષિત કરે છે.
પરમતત્ત્વની ઉપાસના * ૬૩
Page #48
--------------------------------------------------------------------------
________________
(૧૧) શ્રી શ્રેયાંસ જિન સ્તવન (પ્રાણી વાણી જિન તણી, તુમે ધારો ચિત્ત મઝાર રે... એ દેશી) શ્રી શ્રેયાંસ પ્રભુ તણો, અતિ અદ્ભુત સહજાનંદ રે ! ગુણ એક વિધ ત્રિક પરિણમ્યો, એમ ગુણ અનંતનો છંદ રે || મુનિચંદ જિણંદ અમંદ દિગંદ પરે, નિત્ય દીપતો સુખકંદરે / ૧ //
શ્રી શ્રેયાંસનાથ પ્રભુનું સહજાનંદ સ્વરૂપ અત્યંત આશ્ચર્યજનક છે, પ્રભુનો એક એક ગુણ ત્રણ પ્રકારે પરિણમે છે. પ્રભુ એવા અનંત ગુણના ભંડાર છે, મુનિઓમાં ચંદ્ર સમાન ઉવલ, દેદીપ્યમાન, સૂર્ય પરે નિત્ય દીપતા અને સુખના કંદ એવા પ્રભુ સદા પોતાનું સ્વગુણ-પર્યાય પરિણમનરૂપ કાર્ય વ્યક્તરૂપે પ્રગટ રીતે કરી રહ્યા છે.
નિજ જ્ઞાને કરી શેયનો, જ્ઞાયક જ્ઞાતાપદ ઇશ રે ! દેખે નિદર્શન કરી, નિજ દેશ્ય સામાન્ય જગીશ રે ||
| મુનિ || ૨ //. પરમાત્મા પોતાના કેવલજ્ઞાન ગુણથી સર્વ જ્ઞેય પદાર્થોના જ્ઞાયક છે, તેથી તે જ્ઞાતાપદના સ્વામી છે. કેવલજ્ઞાન એ કારણ છે, સર્વ શેયને જાણવું એ કાર્ય છે. કેવલજ્ઞાનની પ્રવૃત્તિ એ ક્રિયા છે અને તેના કર્તા પરમાત્મા છે. દર્શન ગુણની ત્રિવિધ પરિણતિ પણ આ પ્રમાણે જ સમજવી.
નિજદર્શન-કેવલદર્શન ગુણ દ્વારા જેવા યોગ્ય પોતાની સર્વસામાન્ય સંપદા - અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયતાદિને જુએ છે. ઉપલક્ષણથી સર્વ દ્રવ્યોમાં રહેલા સામાન્ય સ્વભાવને પણ દેખે છે. કર્તા), lal(કરણ), la|ated&(કાર્યસાધ્ય), laë Úuit, (ક્રિયા). એક છોક શો , છોક પરમતત્ત્વની ઉપાસના * ૬૪ . દરેક toples.es
જીવદ્રવ્યની ગુણપરિણતિ સિદ્ધ અવસ્થામાં ત્રણ પ્રકારે પરિણમે છે, અર્થાતુ કરણ, કાર્ય અને ક્રિયારૂપે જ્ઞાનાદિ ગુણોનું પરિણમન થાય છે. અહીં ઉપાદાન રૂપે પ્રકૃષ્ટ કારણ તે ‘કરણ’ છે, તે કરણનું સાધ્ય ફળ એ કાર્ય છે, તથા કરવાની પ્રવૃત્તિ તે ક્રિયા છે, જેમકે, કેવલજ્ઞાન ગુણ તે ‘કરણ’ છે અને તેનાથી સર્વ જ્ઞેય પદાર્થોનો બોધ થાય તે સાધ્ય ફળરૂપ કાર્ય છે, અને જાણવા માટે જે વીર્યના સહકારથી જ્ઞાનની ફુરણા થાય તે પ્રવૃત્તિરૂપ ‘ક્રિયા’ છે.
નિજ રમ્ય રમણ કરો, પ્રભુ ચારિત્રે રમતા રામ રે ભોગ્ય અનંતને ભોગવો, ભોગે તેણે ભોક્તા સ્વામ રે II
| મુનિ || ૩ || ચારિત્રગુણ વડે નિજ (રમ્ય) શુદ્ધાત્મ પરિણતિમાં નિરંતર રમણતા કરનારા હોવાથી પરમાત્મા રમતા રામ છે. અહીં ચારિત્રગુણ ‘કરણ” છે, સ્વાત્મામાં રમણ તે કાર્ય છે અને રમણતા તે ‘ક્રિયા’ છે; તેમ જ પ્રભુ ભોગગુણ વડે ભોગ્યરૂપ જે આત્મસ્વરૂપ - અનંત જ્ઞાનાદિ ગુણો તેને ભોગવે છે, માટે ભોક્તા છે. [ભોગ્યગુણ એ ‘કરણ’, ભોગવવું કાર્ય છે અને ભોગવવાની પ્રવૃત્તિ તે ‘ક્રિયા’ છે.]
દય દાન નિત દીજતે, અતિદાતા પ્રભુ સ્વયમેવ રે ! પાત્ર તુમે નિજ શક્તિના, ગ્રાહક વ્યાપકમય દેવ રે !
મુનિ || ૪ | દાનગુણ વડે સર્વ ગુણોને સ્વપ્રવૃત્તિમાં વીર્યનું સહકારરૂપ દાન સદા આપો છો, માટે હે પ્રભુ ! આપ જ સ્વયં દેય, દાન અને દાતા છો, તથા જે ગુણને સહકાર મળ્યો છે, તેને લાભની પ્રાપ્તિ થઇ છે. તેમજ હે દેવ ! આપ નિજ આત્મશક્તિના પાત્ર-આધાર છો, તથા તે આત્મશક્તિના જ ગ્રાહક અને તેમાં વ્યાપક છો.
પરિણામી કારજ તણો, કર્તા ગુણ કરણે નાથ રે.. અક્રિય અક્ષય સ્થિતિમયી, નિકલંક અનંતી આથ રે //
મુનિ || ૫ || ક, છજ, ઝ, છીંક, પરમતત્ત્વની ઉપાસના * ૬૫ ક... ble,
Page #49
--------------------------------------------------------------------------
________________
હે નાથ ! આપ અવ્યાબાધ સુખાદિ ગુણો વડે (કરણ), સુખાનુભવાદિ (કાર્ય) કરો છો, માટે આપ જ ગુણ-કરણ વડે પરિણામી કાર્યના કર્તા છો. પણ બીજા કોઇ દ્રવ્યમાં કર્તૃત્વ ધર્મ નથી. તેમજ આપ અક્રિય - ગમનક્રિયારહિત, અક્ષય સ્થિતિવાળા, નિષ્કલંક - સર્વ કર્મકલંકરહિત અને અનંત જ્ઞાનાદિ સંપત્તિના સ્વામી છો.
પારિણામિક સત્તા તણો, આવિર્ભાવ વિલાસ નિવાસ રે । સહજ અકૃત્રિમ અપરાશ્રયી, નિર્વિકલ્પ ને નિઃપ્રયાસ રે । મુનિ ॥ ૬ ॥ પરમાત્મા પોતાની પૂર્ણપણે પ્રગટેલી પારિણામિક સત્તાના - અનુભવના ભંડાર (ઘર) છે. તેમજ પોતાની સહજ, અકૃત્રિમ (સ્વાભાવિક), સ્વતંત્ર, નિર્વિકલ્પ આત્મસત્તાને નિઃપ્રયાસ - પ્રયત્ન વિના જ અનુભવે છે.
પ્રભુ પ્રભુતા સંભારતાં, ગાતાં કરતાં ગુણગ્રામ રે । સેવક સાધનતા વરે, નિજ સંવર પરિણતિ પામ રે ।।
મુનિ ॥ ૩ ॥
પરમાત્માની અનંત પ્રભુતાનું સ્મરણ કરવાથી તથા ઉચ્ચ સ્વરે તેમના ગુણસમૂહની સ્તુતિ (ગાન) કરવાથી ભક્તસેવક નિજ સંવર પરિણતિ- સ્વભાવ રમણતારૂપ આત્મસાધનાને પ્રાપ્ત કરે છે. અર્થાત્ અનાદિની વિભાવ પરિણમતા તજી સ્વભાવમાં મગ્ન બને છે.
પ્રગટ તત્ત્વતા ધ્યાવતાં, નિજ તત્ત્વનો ધ્યાતા થાય રે । તત્ત્વરમણ એકાગ્રતા, પૂરણ તત્ત્વે એહ સમાય રે ।।
મુનિ૦ | ૮ | પ્રભુની પ્રગટ પ્રભુતાનું શ્રુત ઉપયોગે ધ્યાન કરવાથી આત્મતત્ત્વનું પણ ધ્યાન થઇ શકે છે અને જ્યારે ધ્યાતા આત્મતત્ત્વના ધ્યાનમાં તન્મય બને
છે, ત્યારે અનુક્રમે નિર્વિકલ્પ સમાધિને પામી પૂર્ણ શુદ્ધ સ્વરૂપને વરે છે. પ્રભુ દીઠે મુજ સાંભરે, પરમાતમ પૂર્ણાનંદ રે । ‘દેવચંદ્ર’ જિનરાજના, નિત્ય વંદો પય અરવિંદ રે ।
મુનિo || ૯ |
[8] પરમતત્ત્વની ઉપાસના * ૬૬
પરમાત્માની પ્રતિમાનાં દર્શનથી તેમનામાં રહેલી પૂર્ણાનંદમયી પ્રભુતાનો ખ્યાલ આવે છે, એટલે કે ચેતન પરમગુણીનો અનુયાયી બને છે. એ જ આત્મસાધનાનું પ્રધાન અંગ છે. માટે હે ભવ્યજનો ! તમે દેવોમાં ચંદ્ર સમાન દેદીપ્યમાન એવા જિનેશ્વર ભગવંતનાં ચરણકમળમાં સદા નમસ્કાર કરો અને તેમને જ ત્રાણ, શરણ, આધાર અને સર્વસ્વ માની તેમની સેવામાં જ તન્મય - તલ્લીન રહો !
અરિહંતની સેવાથી અવશ્ય પરમસુખની પ્રાપ્તિ થાય છે. અગિયારમા સ્તવનનો સાર :
જિનાગમોમાં વિસ્તૃત રીતે વર્ણવેલાં સિદ્ધ ભગવંતોનાં સ્વરૂપને સંક્ષેપથી સરળ ભાષામાં સમજાવી તેવી સિદ્ધતા પ્રગટાવવાનાં સરળ સચોટ સાધનો અહીં દર્શાવવામાં આવ્યાં છે, તે આ પ્રમાણે છે : (૧) નિત્ય નિયમિત પ્રભુપ્રતિમાનું દર્શન, વંદન અને પૂજન કરવું. સ્તુતિ, ચૈત્યવંદન, સ્તવનાદિ વડે પ્રભુ ગુણોનું ઉચ્ચ, ગંભીર અને મધુર ધ્વનિએ ગાન કરવું. (ભાષ્ય જાપ).
(૨)
(૩) અરિહંત, અર્હ, નમો અરિહંતાણં આદિ મંત્રોનો ઉપાંશુ અને માનસિક જાપ કરવો.
(૪)
(૫)
અક્ષર, વર્ણ, અર્થ અને પ્રતિમાદિ આલંબન વડે પરમાત્માનું ધ્યાન કરવું. ઉપર બતાવેલાં પ્રત્યેક અનુષ્ઠાન કરતી વેળાએ અરિહંત પરમાત્માના કેવલજ્ઞાનાદિ ગુણોનું બહુમાનપૂર્વક સ્મરણ અને ચિંતન કરવું.
(૬) તેમ જ તેવા જ્ઞાનાદિ ગુણો મારી આત્મસત્તામાં પણ પ્રચ્છન્નપણે રહેલા છે, તે સર્વ ગુણો પૂર્ણ પ્રગટરૂપે અનુભવમાં આવે એવી અભિલાષા રુચિ ઉત્પન્ન કરવી.
આ પ્રમાણે સતત ધ્યાનાદિ સાધના કરવામાં તત્પર - તન્મય બનેલા સાધકને અનુક્રમે આત્મતત્ત્વનો (આંશિક) અનુભવ અવશ્ય થાય છે. વિકાસક્રમ :
♦
સાધનના માર્ગે આગળ વધતો સાધક-આત્મા સૌ પ્રથમ સુદેવ, સુગુરુ અને સુધર્મની દૃઢ શ્રદ્ધારૂપ વ્યવહાર સમ્યક્ત્વ અને આત્મતત્ત્વની [4] પરમતત્ત્વની ઉપાસના * ૬૭
Page #50
--------------------------------------------------------------------------
________________
સ્પષ્ટ પ્રતીતિરૂપ નિશ્ચય સમ્યકૃત્વ પામે છે. પછી ક્રમશઃ દેશિવરિત, સર્વવિરતિ આદિ ભૂમિકાઓને પ્રાપ્ત કરી, અપ્રમત્ત દશામાં આત્મતત્ત્વનું નિશ્ચલ ધ્યાન ધરી, ક્ષપકશ્રેણી ઉપર આરોહણ કરી અનંત ચતુષ્ટય પ્રગટાવી, સિદ્ધ-બુદ્ધ મહોદય બને છે.
ચિન્તન ઉપયોગી ક્યારે બને ?
સત્શાસ્ત્રોમાં તત્ત્વનું નિરૂપણ હોય છે. ગુરુગમવડે તે રહસ્યો ખુલે છે. તેનું ચિંતન જીવને ઉપયોગી છે. ક્યારે ? જો તે સાધક એકાંતમાં છે તો આત્મભાવમાં સ્થિર થાય છે. અને વ્યવહારમાં છે તો મનના વિચારને, વાણીના વ્યાપારને શારીરિક ક્રિયાને તત્ત્વમય રાખે છે. અર્થાત્ અશુભ હો કે શુભ તેને નથી શોક કે નથી હર્ષ. તે તો આત્મામાં સંતુષ્ટ છે. જો આ યોગોમાં તે જાગૃત નથી તો તેની તત્ત્વદૅષ્ટિ શુષ્ક છે, જે ભવસાગર તરવામાં પ્રયોજનભૂત બનતી નથી.
પરમતત્ત્વની ઉપાસના * ૬૮
(૧૨) શ્રી વાસુપૂજ્ય સ્વામી જિન સ્તવન (પંથડો નિહાળું ૨૦... એ દેશી) પૂજના તો કીજે રે બારમા જિન તણી રે,
જસુ પ્રગટ્યો પૂજ્ય સ્વભાવ । પરકૃત પૂજા રે જે ઇચ્છે નહિ રે, સાધક કારજ દાવ | પૂજના૦ || ૧ ||
જેમનો પૂજ્ય પૂર્ણ શુદ્ધ સ્વભાવ પ્રગટ્યો છે અને જે પરકૃત - બીજા પાસેથી પૂજા કરાવવાના અર્થી નથી, છતાં સાધકની સિદ્ધતાનાં પરમસાધન છે, એવા શ્રી વાસુપૂજ્યસ્વામી ભગવાનની પૂજા મુમુક્ષુ આત્માઓએ અવશ્ય કરવી જોઇએ.
રે
દ્રવ્યથી પૂજા રે કારણ ભાવનું રે, ભાવ પ્રશસ્તને શુદ્ધ | પરમ ઇષ્ટ વલ્લભ ત્રિભુવન ધણી રે, વાસુ પૂજ્ય સ્વયંબુદ્ધ ॥ પૂજના૦ | ૨ || પ્રભુ પૂજાના મુખ્ય બે પ્રકાર છે : (૧) દ્રવ્યપૂજા અને (૨)
ભાવપૂજા.
દ્રવ્યપૂજા જળ, ન્હવણ, વિલેપન આદિ દ્વારા થતી પૂજા તે ભાવપૂજાનું કારણ છે અને તે મન, વચન અને કાયાને સ્થિર બનાવે છે. ભાવપૂજાના પણ બે પ્રકાર : (૧) પ્રશસ્ત ભાવપૂજા અને (૨) શુદ્ધ ભાવપૂજા. ગુણી ઉપરના રાગને પ્રશસ્ત ભાવપૂજા કહે છે. ત્રણ પરમતત્ત્વની ઉપાસના * ૬૯
-
Page #51
--------------------------------------------------------------------------
________________
ભુવનના સ્વામી ભગવાન જ મને પરમ ઇષ્ટ છે, વલ્લભ છે, તે જ પ્રિય લાગે છે. આ પ્રશસ્ત રાગરૂપ ભાવપૂજા છે.
અતિશય મહિમા રે અતિ ઉપગારતા રે, નિર્મલ પ્રભુ ગુણ રાગ | સુરમણિ સુરઘટ સુરતરુ તુચ્છ તે રે, જિનરાગી મહાભાગ || પૂજના૦ || ૩ || પ્રભુનાં અષ્ટ પ્રાતિહાર્ય અને ચોત્રીસ અતિશયોનો મહિમા સાંભળી અતિ આશ્ચર્ય પેદા થાય છે, તથા શુદ્ધ ધર્મની દેશના દ્વારા સર્વ જીવોના મોહાંધકારને દૂર કરી, સર્વ સંદેહોને ટાળી આત્મધર્મની ઓળખાણ કરાવનાર અરિહંત-પ્રભુની અનંત ઉપકારિતા ઉપર અને નિર્મલ કેવલજ્ઞાનાદિ ગુણો ઉપર જે અનુરાગ - અહોભાવ ઉત્પન્ન થાય છે તે પણ પ્રશસ્ત ભાવપૂજા છે. મહાપુણ્યશાળી જિનેશ્વરના ભક્તોનેરાગીઓને પ્રભુભક્તિ આગળ સુરમણિ, ચિંતામણિ, સુરઘટ-કામકુંભ અને સુરતરુ-કલ્પવૃક્ષ પણ તુચ્છ-નિસ્સાર લાગે છે.
હવે પછીની બે ગાથામાં શુદ્ધ ભાવપૂજાનું સ્વરૂપ બતાવે છે. દર્શન જ્ઞાનાદિક ગુણ આત્મના રે, પ્રભુ પ્રભુતા લયલીન । શુદ્ધ સ્વરુપી રૂપે તન્મયી રે, તસુ આસ્વાદન પીન ॥
પૂજના૦ || ૪ ||
પોતાનાં ક્ષયોપશમભાવે પ્રગટેલાં સમ્યગ્દર્શન અને જ્ઞાનાદિ ગુણોને પરમાત્મપ્રભુની પરમ પ્રભુતામાં લયલીન બનાવવા, શુદ્ધ સ્વરૂપી પરમાત્માનાં સ્વરૂપમાં તન્મય થઇ અનુભવ અમૃતના આસ્વાદથી આત્માને પુષ્ટ બનાવવો તે શુદ્ધ ભાવપૂજા છે.
શુદ્ધ તત્ત્વરંગી ચેતના રે, પામે આત્મ સ્વભાવ । આત્માલંબી નિજગુણ સાધતો રે, પ્રગટ્યો પૂજ્ય સ્વભાવ ॥ પૂજના૦ || ૫ || શુદ્ધતત્ત્વ શ્રી અરિહંત પરમાત્મા અને સિદ્ધ ભગવંતના ધ્યાનસુધા૨સના રંગથી જ્યારે ચેતના રંગાય છે ત્યારે તે આત્મસ્વભાવને પામે છે. આ રીતે પ્રભુના આલંબને સ્વરૂપાલંબી બનેલો આત્મા આત્મગુણોને સાધતો અનુક્રમે પોતાના પૂજ્ય સ્વભાવને પ્રગટ કરે છે. તો પરમતત્ત્વની ઉપાસના * ૭૦ િ
આપ અકર્તા સેવાથી હુવે રે, સેવક પૂરણ સિદ્ધ નિજ ધન ન દીએ પણ આશ્રિત લહે રે, અક્ષય અક્ષર ઋદ્ધિ ।
પૂજના૦ || ૬ ||
હે પરમાત્મા ! આપ અન્ય જીવોના મોક્ષના કર્તા નથી, છતાં આપની સેવાથી સેવક પૂર્ણ સિદ્ધતા પામે છે. આપ પોતાનું જ્ઞાનાદિ ધન બીજા કોઇને આપતા નથી તો પણ આપનો આશ્રિત-ભક્ત કદી નાશ ન પામે તેવી અક્ષય અક્ષર એવી આત્મસમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. જિનવર પૂજા રે તે નિજ પૂજના રે, પ્રગટે અન્વય શક્તિ । પરમાનંદ વિલાસી અનુભવે રે, ‘દેવચંદ્ર’ પદ વ્યક્તિ ॥ પૂજના૦ || ૭ || ખરેખર ! પરમાર્થ દષ્ટિએ વિચારતાં જિનેશ્વર પરમાત્માની પૂજા તે સ્વઆત્માની જ પૂજા છે; કારણ કે જેમ જેમ સાધક પ્રભુપૂજામાં તન્મય બને છે, તેમ તેમ તેની અન્વયશક્તિ સહજ-સ્વાભાવિક અનંત આત્મશક્તિ પ્રગટે છે. આત્મા પરમાનંદનો વિલાસી બની દેવોમાં ચંદ્ર સમાન નિર્મલ સિદ્ધપદને પ્રગટાવી તેનો સાક્ષાત્ અનુભવ કરે છે. બારમા સ્તવનનો સાર :
અરિહંત પરમાત્માઓ કે સિદ્ધ ભગવંતો વીતરાગ હોવાથી ભક્તિથી પ્રસન્ન થતા નથી, તેમ જ અભક્તિથી નારાજ થતા નથી; તો તેમની પૂજા કરવાથી ભક્તને લાભ શું ? આવી શંકાનું સમાધાન સ્પષ્ટ રીતે અહીં કરવામાં આવ્યું છે.
પરમાત્મા પોતે કૃતકૃત્ય હોવાથી પરકૃત પૂજાની તેઓને કોઇ અપેક્ષા કે આવશ્યકતા નથી, પરંતુ સાધકને સિદ્ધતારૂપ સાધ્યસિદ્ધ કરવા માટે પ્રભુપૂજા અતિ આવશ્યક છે-અનિવાર્ય છે.
પૂજ્યની પૂજા વિના પૂજ્યપદ પ્રાપ્ત થતું નથી. માટે જે ભવ્યાત્માને પોતાનો પરમશુદ્ધ સ્વભાવ પ્રગટાવવો હોય તેમણે પરમપૂજ્ય પરમાત્માની પૂજા કરવી જ જોઇએ !
જિનપૂજા એ સંવર છે અને એ હિંસાદિ આશ્રવદ્વારોને રોકવાનું પરમ સાધન છે. જિનપૂજા એ અશુભ કર્મના કચરાને સાફ કરી નાખે છે અને પુણ્યાનુબંધી પુણ્યથી આત્માને પરિપુષ્ટ કરે છે. પરમતત્ત્વની ઉપાસના * ૭૧ મા
તો
Page #52
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યપૂજા - જળ, ચંદન, ફૂલ, ધૂપ વગેરેથી કરવામાં આવતી જિનપૂજાથી તેમ જ તેમને વંદન-નમસ્કારાદિ કરવાથી આપણા મન, વચન, કાયાના યોગોની ચપળતા દૂર થાય છે અને સ્થિરતા પ્રાપ્ત થાય છે. આને “યોગભક્તિ” પણ કહે છે.
ભાવપૂજા એ બે પ્રકારની છે, પ્રશસ્ત અને શુદ્ધ.
પહેલા પ્રકારની પ્રશસ્ત ભાવપૂજામાં સર્વ દુ:ખના મૂળરૂપ અપ્રશસ્ત રાગાદિના પરિવર્તન માટે ગુણીપુરુષો ઉપર અનુરાગ કરવો આવશ્યક છે. એથી પ્રશસ્તભાવો ઉત્પન્ન થાય છે તથા રત્નત્રયીનો ક્ષાયોપશમ ભાવ પ્રગટે છે અને ક્ષાયિક-સંપૂર્ણ રત્નત્રયી પ્રગટાવવાની તીવ્ર રુચિ જાગ્રત થાય છે.
અરિહંતાદિ પરમેષ્ઠીઓનો પ્રશસ્તરાગ એ નૂતન ગુણોને પ્રાપ્ત કરવાનો અને પ્રાપ્ત થયેલા ગુણોને સ્થિર કરવાનો ઉત્તમ ઉપાય છે. તેને આસંગભક્તિ” કહે છે.
બીજા પ્રકારની શુદ્ધ ભાવપૂજામાં અરિહંત પરમાત્માના અનંતગુણોનું બહુમાનપૂર્વક ચિંતન, મનન અને ધ્યાન ધરી શ્રદ્ધા, ભાસન અને રમણતાદિ દ્વારા પ્રભુના શુદ્ધ સ્વરૂપમાં લયલીન થવાય છે અને અનુભવરસનો આસ્વાદ કરાય છે.
આવી પૂજાને તાત્ત્વિક ભક્તિ અથવા પરાભક્તિ કહે છે. સમ્યગુદૃષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિવાળા ઉત્તમ આત્માઓ એનાં અધિકારી હોય છે. કારણ કે તે ઉત્તમ પુરુષો પોતાની ભૂલ આત્મપરિણતિને પ્રભુની પ્રભુતામાં લીન-તન્મય બનાવી શકે છે.
ધન્ય છે એ મહાનુભાવોને કે જેઓ સદાય પરમાત્માની એ પ્રભુતાને પોતાના આત્મપરિણતિરૂપી ખોળામાં રમાડી રહ્યા છે. જે શુદ્ધ ભાવપૂજાનું ફળ :
શુદ્ધ આત્મસ્વભાવમાં તન્મયતા પ્રાપ્ત થતાં પૂર્ણ શુદ્ધ આત્મદશા પ્રગટે છે. સૌ પ્રથમ “પરમાત્મા સમાન મારી આત્મસત્તા છે” તેથી હું પણ અનંતગુણી છું, ““flac - તે પરમાત્મા એ જ હું છું” એવો નિશ્ચયાત્મક ભાવ અર્થાતુ સમ્યગદર્શન પ્રગટે છે અને સ્વાદુવાદમથી શુદ્ધ એક છોક શો , છોક પરમતત્ત્વની ઉપાસના * ૭૨ ક. દરેક toples.es
સત્તાનું સમ્યગૃજ્ઞાન પ્રાપ્ત થાય છે, પછી જેટલા અંશે આત્મસત્તા પ્રગટી હોય છે, તેટલા અંશે તેમાં રમણતા રૂપ (તેના અનુભવ-સ્વરૂપ) ચારિત્ર ગુણ પ્રગટે છે. પછી એ ચારિત્ર ગુણનો વિકાસ થતાં અનુક્રમે કેવલજ્ઞાન અને સિદ્ધપદની પણ પ્રાપ્તિ થાય છે.
પરમાત્મા પોતાના શુદ્ધ સ્વભાવના જ કર્તા છે. પરકર્તુત્વ એ જીવદ્રવ્યનો ધર્મ નથી; તેથી પરમાત્મા પરજીવના મોક્ષના કત થઇ શકતા નથી, અને એ પરમાત્મા પોતાનું જ્ઞાનાદિ ધન બીજા કોઇને આપી શકતા નથી, છતાં એ જ પરમાત્માની ઉપાસનાથી - સેવાથી સેવક સંપૂર્ણ સિદ્ધિસુખને મેળવી શકે છે. અરિહંત પરમાત્માને “નિજસમ ફળદ”ની ઉપમા દ્વારા નવાજવામાં આવે છે, એટલે કે તેઓ પોતાની સમાન ફળ આપનારા છે. ‘નમોત્થણં' સૂત્રમાં “e..taો ...at :, ÜHë
Pak ltk lmft }6 }xaછે આ ચાર પદોની સંપદાનું નામ “નિજસમ ફળદ” છે. તેનો ભાવાર્થ એ જ થાય છે કે જિનેશ્વર પરમાત્મા પોતે રાગદ્વેષને જીતનારા છે અને અન્ય જીવોના રાગદ્વેષને જિતાડનારા છે, પોતે સંસારથી તરનારા છે, અન્ય જીવોને સંસારથી તારનારા છે, પોતે સંપૂર્ણ જ્ઞાન બોધને પામેલા છે અને બીજાને સંપૂર્ણ જ્ઞાન-બોધને પમાડનારા છે તથા પોતે કર્મથી મુક્ત થયેલા છે અને તેઓ બીજાને કર્મથી મુક્ત કરાવનારા છે. પ્રભુના બતાવેલા સિદ્ધાંતોનો સાપેક્ષદૃષ્ટિથી સમન્વય સાધી સર્વ ભવ્યાત્માઓએ પોતાના પૂર્ણશુદ્ધ સ્વભાવને પ્રગટ કરવા માટે અને પરમાત્માની શુદ્ધ ભાવપૂજામાં તન્મય બનવા માટે પ્રયત્નશીલ બનવું જોઇએ.
બિચારી બુદ્ધિ ! હું ચૈતન્ય સ્વરૂપ છું તેનું અનુભવ-પ્રમાણ બુદ્ધિ પગલિક હોવાથી કેવી રીતે કરી શકે ? હું ચૈતન્ય સ્વરૂપ છું. મને જન્મ, મરણ, રોગ, શોક નથી તેવું બુદ્ધિમાં ઉતરતું નથી અને આત્મજ્ઞાનમાં વિશ્વાસ નથી. તેથી મનુષ્યના દુ:ખો પણ ટળતા નથી.
શકે છે , કઈ ક ક , પરમતત્વની ઉપાસના * ૭૩ શોક જોક ઝાંક, જો
છોક,
Page #53
--------------------------------------------------------------------------
________________
(૧૩) શ્રી વિમલનાથ જિન સ્તવન
(દાસ અરદાસ શી પરે કરે જી... એ દેશી) વિમલજિન વિમલતા તાહરીજી, અવર બીજે ન કહાય । લઘુ નદી જિન તિમ લંઘીયેજી, સ્વયંભૂરમણ ન તરાય ॥
વિ૦ | ૧ ||
હે વિમલનાથ ભગવાન ! આપની વિમલતા અન્ય છદ્મસ્થ જીવથી કહી શકાય તેવી નથી. નાની નદીને ગમે તેમ કરીને તરી જવાય, પણ સ્વયંભૂરમણ (અસંખ્ય કોડાકોડી યોજન વિસ્તારવાળા) સમુદ્રને કઇ રીતે ઓળંગી શકાય ? એમ પ્રભુ ! તમારા અનંતગુણોનો પણ પાર કેમ પામી શકાય ?
સયલ પુઢવી ગિરિ જલ તરુજી, કોઇ તોલે એક હથ્થ | તેહ પણ તુજ ગુણગણ ભણીજી, ભાખવા નહિ સમરથ ॥ વિ ॥ ૨ ॥ જગતના સર્વ પૃથ્વી, પર્વત, પાણી અને વન-વનસ્પતિ વગેરેને કદાચ કોઇ સમર્થ વ્યક્તિ એક હાથે ઉઠાવી શકવા સમર્થ બને તો પણ પ્રભુના અનંત ગુણોને ગણવામાં કે કહેવામાં કોઇ સમર્થ બની શકતો નથી. પ્રભુના પૂર્ણશુદ્ધ સ્વરૂપને ક્ષાયિક વીર્યવાળા કેવળજ્ઞાની જાણી શકે છે, છતાં તેઓ પણ વચન દ્વારા સર્વ ગુણોને કહી શકતા નથી, કારણ કે વચનનું પ્રવર્તન ક્રમવર્તી છે અને સમય - આયુષ્ય પરિમિત હોય છે.
સર્વ પુદ્ગલ નભ ધર્મનાજી, તેમ અધર્મ પ્રદેશ ।
તાસ ગુણ ધર્મ પજ્જવ સહુજી, તુજ ગુણ એક તણો લેશ ।।
વિત ॥ ૩ ॥ ભારતીય પરમતત્ત્વની ઉપાસના * ૭૪ કામોની વિગ
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય; અને સર્વ પુદ્ગલાસ્તિકાયના પ્રદેશો અને તેમાં રહેલા અનંત ગુણો, ધર્મો અને પર્યાયો પણ પ્રભુના એક કેવલજ્ઞાન ગુણનો અંશમાત્ર છે. કારણ કે ઉપરોક્ત સર્વભાવોનું ત્રિકાલિક જ્ઞાન એક સમયમાત્રમાં કરનાર કેવલજ્ઞાનની શક્તિ અનંતગુણી અધિક છે.
એમ નિજભાવ અનંતનીજી, અસ્તિતા કેટલી થાય । નાસ્તિતા સ્વ પર પદ અસ્તિતાજી, તુજ સમ કાલ સમાય ॥ વિ ॥ ૪ ॥
એ રીતે પ્રભુના નિજભાવની એટલે કે કેવલદર્શન, ક્ષાયિક સમ્યક્ત્વ, ચારિત્ર અને વીર્યાદિ અનંત ગુણોની સ્વપર-પર્યાયની અપેક્ષાએ અસ્તિતા-નાસ્તિતા વગેરેની જે અનંતતા સમકાલે વર્તી રહી છે તે કેટલી છે, તેનું વર્ણન કોઇથી પણ કરી શકાય તેવું નથી. તાહરા શુદ્ધ સ્વભાવનેજી, આદરે ધરી બહુમાન |
તેહને તેહી જ નીપજેજી, એ કોઇ અદ્ભુત તાન | વિo || ૫ || હે પ્રભુ ! તમારા અનંત આનંદમય નિર્મલ શુદ્ધસ્વભાવનું સ્વરૂપ સમજીને જે સાધક તેનું સ્મરણ, વંદન, પૂજન અને ધ્યાન, આદર બહુમાનપૂર્વક કરે છે તે તેવા પ્રકારનો પૂર્ણશુદ્ધ સ્વભાવ પ્રગટાવી શકે છે. આ કોઇ અલૌકિક આશ્ચર્યકારી તત્ત્વ છે !
તુમ પ્રભુ તુમ તારક વિભુજી, તુમ સમો અવર ન કોય । તુમ દરસણ થકી હું તર્યોજી, શુદ્ધ આલંબન હોય ॥
વિ ॥ ૬ ॥
હે પ્રભુ ! આપ જ મારા સ્વામી છો, આ સંસારથી પાર ઉતારનાર પણ આપ જ છો, આપની સમાન કોઇ કૃપાલુ નથી, આપના દર્શનથી (સમ્યગ્દર્શન, મૂર્તિદર્શન કે જિનશાસનથી) હું સંસારસાગર તરી ગયો છું. કારણ કે આપના શુદ્ધ સ્વરૂપનું મને આલંબન મળ્યું છે અને તેથી મારા આત્મસ્વરૂપની ઓળખાણ થઇ છે અને તેના ધ્યાનથી અનુભવ પ્રકાશ થયો છે.
ચાહો તો પરમતત્ત્વની ઉપાસના * ૭૫ વાય
Page #54
--------------------------------------------------------------------------
________________
પ્રભુ તણી વિમલતા ઓળખીજી, જે કરે સ્થિરમન સેવ । દેવચંદ્ર પદ તે લહેજી, વિમલ આનંદ સ્વયમેવ । વિ∞ || ૭ ||
આ પ્રમાણે જે કોઇ મુમુક્ષુ પરમાત્માની વિમલતાને ઓળખીને સ્થિર મનથી પ્રભુની સેવા-ભક્તિ કરે છે તે (સમ્યગ્દર્શન, દેશવિરતિ, સર્વવિરતિ પામી) અનુક્રમે સર્વ કર્મ-ઉપાધિનો ક્ષય કરી ચંદ્ર સમાન ઉજ્જવલપદને એટલે કે નિર્મલ આનંદને સ્વયં પ્રાપ્ત કરે છે.
તેરમા સ્તવનનો સાર :
પરમાત્માની વિમલતા અનંત છે. એક એક પ્રદેશમાં અનંતાગુણો અને અનંતા પર્યાયો છે. સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી તે સર્વે ગુણપર્યાયોની અસ્તિતા છે પણ પરદ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી નાસ્તિતા છે. નાસ્તિ પર્યાય પણ દ્રવ્ય પ્રતિષ્ઠિત છે. એટલે પર-પદાર્થની કે પરગુણપર્યાયની નાસ્તિતા એ પણ આત્મામાં અસ્તિત્વરૂપે રહેલી છે. જો પરપદાર્થનું નાસ્તિપણું આત્મામાં ન હોય તો આત્મા પરરૂપે બની જાય ! પરંતુ એમ સંભવતું નથી, માટે સિદ્ધ થાય છે કે પરની નાસ્તિતા પણ અસ્તિત્વરૂપે પ્રત્યેક પદાર્થમાં રહેલી હોય છે.
સિદ્ધ પરમાત્મામાં કે અરિહંત પરમાત્મામાં કેવલજ્ઞાનાદિ અનંત ગુણોની અસ્તિતાનું વર્ણન પૂર્વે થયેલું છે, એટલે અહીં નાસ્તિતારૂપ અનંતતાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે.
અસ્તિપર્યાય કરતાં નાસ્તિપર્યાયની અનંતતા અનંતગુણી અધિક છે. જેમ સિદ્ધજીવોમાં સિદ્ધત્વ, કેવલજ્ઞાન અસ્તિપણે છે અને પુદ્ગલાદિ દ્રવ્યોનો અભાવ તથા તેના ગુણ-પર્યાયોનો (વર્ણ, ગંધ, રસાદિનો) અભાવ નાસ્તિપણે રહેલો છે, તેમજ કેવલજ્ઞાનગુણમાં અમૂર્તત્વ, ચેતનત્વ, સર્વનેતૃત્વ, અપ્રતિપાતિત્વ અને નિરાવરણત્વાદિ સ્વપર્યાયોનું અસ્તિત્વ રહેલું છે. તેમ કેવલદર્શનાદિ અનંતાગુણોના સર્વદર્શિત્વાદિ પર્યાયોનો અભાવ હોવાથી તેમનું નાસ્તિત્વ પણ રહેલું છે.
આ પ્રમાણે સર્વ ગુણોના સ્વપર પર્યાયની અપેક્ષાએ અસ્તિતા અને નાસ્તિતા પરમાત્મામાં રહેલી છે.
[10] પરમતત્ત્વની ઉપાસના * ૭૬
પરમાત્માની અદ્ભુત અનંત નિર્મળતાનાં જે આદર અને બહુમાનપૂર્વક ચિંતન, મનન અને ધ્યાન કરે છે અને તેમાં જ એકાકાર બની જાય છે તે તેવા જ પ્રકારની વિમલતાને પ્રાપ્ત કરે છે. કેટલી અદ્ભુત અને આશ્ચર્યકારી આ ઘટના છે !
“જિન સ્વરૂપ થઇ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે.” જિનેશ્વર પરમાત્માના સ્વરૂપમાં તન્મય બનીને, પોતાના આત્માને જિનેશ્વરથી અભિન્ન માનીને જે જિનેશ્વરનું ધ્યાન કરે છે તે અવશ્ય જિનેશ્વર બને છે.
◊ ◊
આત્મ-શક્તિ
એક સમર્થ મહાપુરૂષમાં જેટલી શક્તિ પ્રગટ થઈ છે, તેટલી શક્તિ સામાન્ય મનુષ્યમાં પણ હોય છે. પરંતુ એ સમર્થ પુરૂષોએ ભૌતિક જગતના પ્રલોભનોમાં વેડફાઈ જતી શક્તિઓને અટકાવી આત્મ-સ્ફુરણા વડે પરમતત્ત્વમાં જોડી અને તેને પ્રગટ કરી. જ્યારે સામાન્ય મનુષ્યની શક્તિઓ જમીનમાં બીજ રોપ્યા પછી જળ સિંચન કે ખાતર નહિ આપેલા અનંકુરિત બીજ જેવી થઈ જાય છે.
હોય કે પરમતત્ત્વની ઉપાસના * ૭૭
Page #55
--------------------------------------------------------------------------
________________
(૧૪) શ્રી અનંત જિન સ્તવન | (દીઠી હો પ્રભુ દીઠી જગગુરુ તુજ... એ દેશી) મૂરતિ હો પ્રભુ મુરતિ અનંત નિણંદ, તાહરી હો પ્રભુ
તાહરી મુજ નયણે વસીજી | સમતા હો પ્રભુ સમતા રસનો કંદ, સહેજે હો પ્રભુ સહેજે
અનુભવ રસ લસીજી / ૧ / હે અનંતનાથ પ્રભુ ! તારી મોહિની મૂર્તિ મારાં નયનોમાં વસી ગઇ છે. આપની મૂર્તિ સમતારસનો કંદ અને સહજ અનુભવરસથી પરિપૂર્ણ છે, એટલે સમતારસમણી અને સહજ અનુભવરસમયી આપની ભવ્યમૂર્તિ સદા મારા નેત્રોમાં રમી રહી છે. ભવદવ તો પ્રભુ ભવદવ તાપિત જીવ, તેહને હો પ્રભુ
તેહને અમૃતઘન સમીજી ! મિથ્થા વિષ હો પ્રભુ મિથ્યા વિષની ખીર, હરવા હો પ્રભુ
હરવા જાંગુલી મન રમીજી / ૨ // સંસારરૂપી દાવાનળના તાપથી દાઝેલા જીવોને પરમશીતળતા આપવામાં આપની મૂર્તિ અમૃતના મેઘ જેવી છે અને મિથ્યાત્વ રૂપી ઝેરની મૂરચ્છને હરણ કરવામાં ‘ગારુડી જાંગુલીમંત્ર’ સમાન છે. ભાવ હો પ્રભુ ભાવચિંતામણિ એહ, આતમ હો પ્રભુ
આતમસંપત્તિ આપવાજી એહિજ હો પ્રભુ એહિજ શિવ સુખ ગેહ, તત્વ હો
પ્રભુ તત્વાલંબન થાપવાજી | ૩ || ક.દક, જો આ પરમતત્વની ઉપાસના * ૭૮ શકે . જાક છja.pl
હે પ્રભુ ! આપની મૂર્તિ આત્મસંપત્તિ આપવામાં ભાવચિંતામણિ છે અને મોક્ષસુખનું મંદિર-ઘર છે તથા આત્મતત્ત્વનાં આલંબનમાં સ્થિર થવાનું શ્રેષ્ઠ સાધન છે. જાએ હો પ્રભુ જાએ આશ્રવ ચાલ, દીઠે હો પ્રભુ દીઠ
સંવરતા વધેજી | રન હો પ્રભુ રત્નત્રયી ગુણમાલ, અધ્યાત્મ હો પ્રભુ
અધ્યાત્મ સાધન સહેજી | ૪ || હે પ્રભુ ! આપની શાંતમુદ્રાનાં દર્શનમાત્રથી આગ્નવ-પરિણતિકર્મબંધની પ્રવૃત્તિ નાશ પામે છે, અને આત્મરણારૂપ સંવરપરિણતિની વૃદ્ધિ થાય છે, તેમ જ રત્નત્રયી સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્રરૂપ ગુણોની માળા જેમાં છે, એવા આત્મસ્વરૂપને પ્રગટ કરવાનો ઉપાય પ્રાપ્ત થાય છે. મીઠી હો પ્રભુ મીઠી સૂરત તુજ, દીઠી હો પ્રભુ દીઠી
રુચિ બહુમાનથી જી ! તુજ ગુણ હો પ્રભુ તુજ ગુણ ભાસન યુક્ત, સેવે હો પ્રભુ સેવે
તસ ભવ ભય નથી જી || ૫ || હે પરમાત્મન્ ! મોક્ષની અભિલાષાથી બહુમાનપૂર્વક આપની મૂર્તિનાં દર્શન કરતાં તે જેને અત્યંત મીઠી મધુરી લાગે છે અને તમારા અનંત ગુણોનાં સ્મરણ, ચિંતન અને ધ્યાનમાં તન્મય બની જે તમારી સેવા કરે છે, તેનો ભવભ્રમણનો ભય નષ્ટ થઇ જાય છે. નામે હો પ્રભુ નામે અદ્ભુત રંગ, ઠવણા હો પ્રભુ
ઠવણા દીઠે ઉલસેજી | ગુણ આસ્વાદ હો પ્રભુ ગુણ આસ્વાદ અભંગ,
તન્મય હો પ્રભુ તન્મયતાયે જે ધસેજી || ૬ || હે પ્રભુ ! આપનાં નામશ્રવણ-સ્મરણમાત્રથી પણ અદૂભુત આનંદ ઉત્પન્ન થાય છે, આપની પ્રતિમાનાં દર્શનથી હૈયું ઉલ્લસિત - રોમાંચિત બની જાય છે અને આપની મૂર્તિના ભવ્ય આલંબનથી આત્મસ્વરૂપને કt, we je we, jક પરમતત્તની ઉપાસના * ૩૯ : , .test ne,
Page #56
--------------------------------------------------------------------------
________________
પરમાત્માની શાંત સુધારસથી પૂર્ણ મનોહર મૂર્તિનાં દર્શનથી સાધકનું હૈયું ઉલ્લસિત બને છે અને અમૃત રસનાં પાન તુલ્ય મધુર રસનો આસ્વાદ અનુભવાય છે.
આ રીતે જે સાધકને પરમાત્માની મૂર્તિ અત્યંત મીઠી-મધુર લાગે છે અને જે અત્યંત બહુમાનપૂર્વક પ્રભુના ગુણોનું સ્મરણ અને ગાન કરે છે તેને ભવભ્રમણનો ભય પણ રહેતો નથી. સર્વ મુમુક્ષુ સાધકો અનંત ગુણના ભંડાર એવા અનંતનાથ પ્રભુનું સ્મરણ, દર્શન, વંદન, પૂજન, સ્તવન અને ધ્યાન વગેરે નિરંતર કરવા દ્વારા અનુક્રમે પરમ આનંદને પ્રાપ્ત કરે છે.
ઓળખી તેમાં એકાકાર - તન્મય બનનાર સાધક તે જ્ઞાનાદિ અનંત ગુણોના અભંગ-અખંડ આસ્વાદને મેળવે છે. ગુણ અનંત હો પ્રભુ ગુણ અનંતનો વૃંદ, નાથ હો પ્રભુ
નાથ અનંતને આદરેજી ! દેવચંદ્ર હો પ્રભુ દેવચંદ્રને આનંદ, પરમ હો પ્રભુ
- પરમ મહોદય તે વરેજી || ૭ / આ પ્રમાણે અનંત ગુણોના સમૂહ શ્રી અનંતનાથ ભગવાનની જે આદર અને બહુમાનપૂર્વક સેવા કરે છે, તે દેવોમાં ચંદ્ર સમાન ઉવલ એવા પરમાનંદમય મહોદયપદને પામે છે. જ ચૌદમા સ્તવનનો સાર :
અરિહંત પરમાત્માના નામાદિ ચાર નિક્ષેપા, ભવ્ય જીવોને મહાન ઉપકારક બને છે. તેમાં પણ સ્થાપના નિક્ષેપાની વિશેષતાનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. (૧) આ ભીષણ ભયારણ્યમાં જન્મ-જરા-મરણ રૂપ કે આધિ-વ્યાધિ
અને ઉપાધિ રૂપ ત્રિવિધ તાપથી આકુળ-વ્યાકુલ બનેલા જીવોને પરમાત્માની શાંતરસ પરિપૂર્ણ મુદ્રાનું દર્શન મેઘવૃષ્ટિ તુલ્ય શીતળતા આપે છે. ગારુડી મંત્રથી જેમ સાદિનાં ઝેર દૂર થઇ જાય છે, તેમ પ્રભુમૂર્તિના દર્શનથી મિથ્યાત્વ, અવિરતિ અને વિષય-કષાયાદિનાં ભયંકર ઝેર નાબૂદ થઇ જાય છે. આત્મસંપત્તિ પ્રદાન કરાવનાર હોવાથી, પ્રભુમૂર્તિ ચિંતામણિ રત્નતુલ્ય છે અને પરમાનંદ રસથી પરિપૂર્ણ હોવાથી જાણે તે શિવસુખનું ધામ જ છે. શ્રદ્ધાયોગ, જ્ઞાનયોગ કે ચારિત્રયોગને સિદ્ધ કરવા માટે પ્રભુમૂર્તિ સર્વોત્તમ શ્રેષ્ઠ સાધન છે. અર્થાતુ પ્રભુમૂર્તિના આલંબનથી સર્વ અધ્યાત્માદિ યોગોની સિદ્ધિ થાય છે અને તેથી અનાદિકાળથી બંધાતો અશુભ કર્મોનો પ્રવાહ અટકી જાય છે તથા આત્મસ્વભાવમાં
રમણતા થાય છે. શક. કોક કોક કોક છે. છોક પરમતત્ત્વની ઉપાસના * ૮૦ ક. ek ja #l #ક #l,
આત્મ-સાધક અલ્પ હોય લોકોત્તર માર્ગની સાધના કરનાર પણ મોક્ષની જ અભિલાષાવાળા અલ્પસંખ્યામાં હોય છે. તો પછી લૌકિકમાર્ગ કે જ્યાં ભૌતિક સુખની અભિલાષાની મુખ્યતા છે, ત્યાં મોક્ષાર્થી અલ્પ જ હોયને ? જેમ મોટા બજારોમાં રત્નના વ્યાપારી અલ્પ સંખ્યામાં હોય તેમ આત્મસાધકની સંખ્યા પણ અલ્પ હોય છે.
શકે છે , કઈ ક ક , પરમતત્વની ઉપાસના * ૮૧ શાંક જોક ઝાંક, જો
છોક,
Page #57
--------------------------------------------------------------------------
________________
(૧૫) શ્રી ધર્મનાથ જિન સ્તવન
(સફલ સંસાર... એ દેશી) ધર્મ જગનાથનો ધર્મશુચિ ગાઇએ, આપણો આતમાં
તેહવો ભાવીયે | જાતિ જસુ એકતા તેહ પલટે નહિ, શુદ્ધ ગુણ પજ્જવા
વસ્તુ સત્તામયી || ૧ || જગતના નાથ શ્રી ધર્મનાથ ભગવાનના શુદ્ધ સ્વભાવનું નિરંતર ગાન, સ્મરણ અને ધ્યાન કરવું જોઇએ તેમજ તેમના શુદ્ધ સ્વભાવમાં તન્મય બની પોતાના આત્માને પણ તેવો જ એટલે કે પરમાત્મરૂપે ભાવવો-વિચારવો જોઇએ. કારણ કે જીવન જીવત્વ જાતિ એક જ છે. તે ક્યારે પણ પલટાતી નથી. તેમ જ શુદ્ધ સંગ્રહનયની અપેક્ષાએ તો વસ્તુઆત્માની સત્તા શુદ્ધ ગુણ પર્યાયમયી છે. સંગ્રહનય શુદ્ધ સામાન્ય સત્તાગ્રાહી છે, તેથી તે સર્વ જીવોને સિદ્ધ સમાન માને છે. નિત્ય નિરવય વલી એક અક્રિયપણે, સર્વગત તેહ
સામાન્ય ભાવે ભણે ! તેહથી ઇતર સાવયવ વિશેષતા, વ્યક્તિ ભેદ પડે
જેહની ભેદતા || ૨ //. જે નિત્ય (અવિનાશી) નિરવયવ (વિભાગ-અંશરહિત), એક, અક્રિય હલનચલનાદિ ક્રિયારહિત) અને સર્વગત (સર્વપ્રદેશ ગુણપર્યાયમાં વ્યાપક) હોય તેને સામાન્ય સ્વભાવે કહે છે, અને સામાન્ય સ્વભાવથી એક છોક કોક , કોઈક પરમતત્વની ઉપાસના * ૮૨ ક. , + 9
ઇતર – પ્રતિપક્ષી - વિપરીત હોય તેને વિશેષ સ્વભાવે કહે છે, જેમ કે અનિત્ય, સાવયવ, અનેક, સક્રિય અને દેશગત હોય, તેમજ વ્યક્તિભેદે જેનો ભેદ પડે છે, તે વિશેષ છે. અર્થાત્ સર્વ વ્યક્તિમાં વિશેષપણું ભિન્ન ભિન્ન હોય છે. જ્ઞાનાદિ ગુણોનો ભેદ વિશેષ સ્વભાવને લઇને જ થાય છે. એકતાપિંડને નિત્ય અવિનાશતા, અસ્તિ નિજ ઋદ્ધિથી
કાર્યગત ભેદતા . ભાવશ્રુત ગમ્ય અભિલાપ્ય અનંતતા, ભવ્યપર્યાયની
જે પરાવર્તિતા || ૩ || એકતા, નિત્યતા, અસ્તિતા, ભેદતા, અભિલાપ્યતા અને ભવ્યતા. આ છ સામાન્ય સ્વભાવો છે અને તે પ્રત્યેક દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં હોય છે. (૧) એકતા સ્વભાવ - પિંડ એટલે એક સ્વભાવ, જેમ દ્રવ્યનાં સર્વ
પ્રદેશ, ગુણ અને પર્યાયનો સમુદાય તે એક પિંડરૂપ છે. પણ ભિન્ન નથી તે એક સ્વભાવ છે. નિત્યતા - સર્વ દ્રવ્યોમાં ધ્રુવતા રહેલી છે, તે “નિત્ય સ્વભાવ” છે. અસ્તિતા - સ્વભાવથી સર્વ દ્રવ્યો સત્ છે, તેઓ કદીપણ પોતાના ગુણપર્યાયની ઋદ્ધિને છોડતા નથી તે “અતિ સ્વભાવ છે. ભેદતા - તે કાર્યગત છે, એટલે કાર્યની અપેક્ષાએ ભેદ સ્વભાવ હોય છે. જેમ આત્મદ્રવ્યમાં જ્ઞાનગુણ જાણવાનું, દર્શનગુણ જોવાનું અને ચારિત્રગુણ રમણતાનું કાર્ય કરે છે. આ પ્રમાણે કાર્યના
ભેદથી દ્રવ્યમાં ભેદ સ્વભાવ હોય છે. (૫) અભિલાણતા - શ્રુત-વચન વડે ગમ્ય હોય તેવા ભાવો એટલે કે
વચનથી કહી શકાય કે શ્રુતજ્ઞાનથી જાણી શકાય એવા ભાવોમાં અભિલાપ્ય સ્વભાવ છે, જેમ આત્મદ્રવ્યમાં અનંતા એવા ભાવો
છે કે જે વચનથી કહી શકાય છે. ૧. ,li |arc (Yy}* J તત્ત્વાર્થ. પ-૪૦ ક, છજ, ઝ, છીંક, પરમતત્ત્વની ઉપાસના * ૮૩ .૪ .૧. ble,
Page #58
--------------------------------------------------------------------------
________________
(૬) ભવ્યતા - પર્યાયની પરાવર્તના - પર્યાયોનું પરાવર્તન થવું એ ભવ્ય
સ્વભાવે છે. ક્ષેત્ર ગુણભાવ અવિભાગ અનેકતા, નાશ ઉત્પાદ
અનિત્ય પરનાસ્તિતા | ક્ષેત્ર વ્યાપ્યત્વ અભેદ અવકતવ્યતા, વસ્તુ તે રૂપથી
નિયત અભવ્યતા || ૪ || ઉપર બતાવેલા સામાન્ય સ્વભાવના પ્રતિપક્ષી અનેકતાદિ છે સામાન્ય સ્વભાવનું સ્વરૂપ આ પ્રમાણે છે - (૧) અનેકતાભાવ - ક્ષેત્ર, ગુણ, ભાવ (પર્યાય)ના અવિભાગ વડે
અનેકતા છે. (Y) ક્ષેત્રના અવિભાગ - પ્રદેશરૂપ અવિભાગ પદાર્થમાં અનેક
ન હોવાથી અને કતા. (la ગુણના અવિભાગ - એક એક ગુણના અનંતા અવિભાગ
હોય છે. (UU ભાવ અવિભાગ - પર્યાયધર્મ એક એક જ્ઞાનાદિગણના
અનંતા પર્યાયોની અપેક્ષાએ પણ અનેકતા જાણવી. અર્થાત્
ક્ષેત્ર, ગુણ અને પર્યાયની અપેક્ષાએ દ્રવ્યમાં અનેકતા છે. (૨) અનિત્યતા - ઉત્પત્તિ અને વિનાશની અપેક્ષાએ દ્રવ્યમાં અનિયતા છે. (૩) નાસ્તિતા - એક દ્રવ્યના ધર્મ બીજા પદાર્થમાં હોતા નથી તેથી પરની
અપેક્ષાએ દ્રવ્યમાં “નાસ્તિતા” સ્વભાવ છે. અભેદતા - સર્વગુણ પર્યાયનો આધાર દ્રવ્ય હોય છે. મૂલદ્રવ્યને છોડીને કોઇ ગુણ બીજે વર્તતો નથી, માટે એક ક્ષેત્રને અવગાહી સર્વ ગુણ પર્યાયી રહેલા હોવાથી દ્રવ્યમાં અભેદ સ્વભાવ છે. અનભિલાણતા - દ્રવ્યમાં અનંતા ભાવો એવા હોય છે કે જે વચનથી અગોચર છે, તેની અપેક્ષાએ દ્રવ્યમાં અનભિલાપ્યતા છે. અભવ્યતા - દ્રવ્યમાં અનેક પર્યાયોનું પરાવર્તન થાય છે, છતાં તે વસ્તુનું મૂળ સ્વરૂપ બદલાતું નથી. પરંતુ તે રૂપે જ રહે છે.
આ નિયતપણાને લઇને અભવ્યસ્વભાવ છે. એક છોક શો , છોક પરમતત્ત્વની ઉપાસના * ૮૪ . દરેક toples.es
આ બારે પ્રકારના સામાન્ય સ્વભાવોનું વિસ્તૃત વર્ણન “સંમતિતર્ક, ધર્મસંગ્રહણી' અથવા ‘દ્રવ્યગુણ પર્યાયનો રાસ' વગેરે ગ્રંથોમાં છે. વિશેષ જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણી લેવું.
આ બધા ધર્મો એક જ સમયે દ્રવ્યમાં વર્તે છે. જે સમયે એકતા છે તે જ સમયે અનેકતા, જે સમયે નિત્યતા છે, તે જ સમયે અનિત્યતા પણ છે. આ પ્રમાણે એક એક સ્વભાવની સપ્તભંગિ થાય છે. એમ દ્રવ્યમાં અનંતા સ્વભાવોની અનંતી સપ્તભંગિઓ થાય છે. તે ‘સાદુવાદ રત્નાકર' તેમ જ “રત્નાકર અવતારિકા વગેરે ગ્રંથોમાં વિસ્તૃત રીતે સમજાવી છે.
આ સામાન્ય સ્વભાવે એ સર્વ પદાર્થોનો (દ્રવ્યાસ્તિક) મૂળધર્મ છે. સર્વ પદાર્થોમાં એનું પરિણમન થતું હોવાથી સર્વ પદાર્થ સ્યાદ્વાદમય છે. ધર્મ પ્રાગૃ-ભાવતા સકલગુણ શુદ્ધતા, ભોગ્યતા કત્તા
રમણ પરિણામતા | શુદ્ધ સ્વપ્રદેશતા તત્ત્વચૈતન્યતા, વ્યાપ્યવ્યાપક તથા
ગ્રાહ્ય ગ્રાહકતા || ૫ || વિશેષ સ્વભાવ દરેક દ્રવ્યમાં ભિન્ન ભિન્ન હોય છે. જીવ દ્રવ્યનાં કેટલાક વિશેષ સ્વભાવોનું સ્વરૂપ આ પ્રમાણે છે. (૧) આવિર્ભાવતા – જ્ઞાનાદિ ગુણોનું પ્રગટ થવું તે આવિર્ભાવ છે. (૨) ભોગ્યતા કે ભોકતૃતા - સમગ્ર શુદ્ધ ગુણોની ભોગ્યતા છે, અને
આત્મા તે શુદ્ધ ગુણોનો ભોક્તા છે માટે તેનો ભોઝૂતા સ્વભાવ છે. (૩) કર્તુતા - આત્મા કર્તુતા સ્વભાવવાળો છે, તેના સર્વપ્રદેશો એકસાથે
મળીને કાર્ય-પ્રવૃત્તિ કરે છે, જ્યારે બાકીના દ્રવ્યોમાં પ્રદેશ પ્રદેશ
ભિન્ન ભિન્ન કાર્ય થાય છે માટે કતા નથી. (૪) રમણતા - સ્વગુણ-પર્યાયમાં રમણ કરવું તે આત્માનો રમણતા
સ્વભાવ છે. (૫) પારિણામિકતા - શુદ્ધ સ્વપ્રદેશતા, એટલે કે પ્રદેશોની પૂર્ણ શુદ્ધતા
થવી એ પણ વિશેષ સ્વભાવ છે. (૬) તત્ત્વચૈતન્યતા - તત્ત્વ આત્મા, તેમાં ચેતના એ તેનો વિશેષ
સ્વભાવ છે. શાક, , , , પરમતત્ત્વની ઉપાસના * ૮૫ . . . . . .
Page #59
--------------------------------------------------------------------------
________________
(૭) વ્યાપ્ય-વ્યાપકતા - આત્મા વ્યાપક છે, તેના જ્ઞાનાદિ ગુણો વ્યાપ્ય
છે. માટે આત્મામાં વ્યાપ્ય-વ્યાપક ભાવ છે. ગ્રાહ્ય-ગ્રાહકતા - સ્વગુણો ગ્રાહ્ય છે, આત્મા ગ્રાહક છે. તેથી આત્મામાં ગ્રાહ્ય-ગ્રાહક ભાવ છે. આ પ્રમાણે સ્વસ્વામિત્વાદિ આત્માના વિશેષ સ્વભાવો પણ જાણી લેવા. સંગ પરિહારથી સ્વામી નિજપદ લહ્યું,
શુદ્ધ આત્મિક આનંદપદ સંગ્રહ્યું ! જહવિ પર ભાવથી હું ભવોદધિ વસ્યો,
પરતણો સંગ સંસારતાયે ગ્રસ્યો | ૬ | હે સ્વામીનાથ ! પુદ્ગલમાત્રનો સંગ તજીને આપે તો શુદ્ધ આત્મિક આનંદમય નિજપદ પ્રાપ્ત કરી લીધું છે અને હું પરપુદ્ગલ પદાથોંમાં મોહિત બની ચાર ગતિમય સંસારસમુદ્રમાં પરિભ્રમણ કરી રહ્યો છું . પુદ્ગલનો સંગ કરવાથી જ આ સંસારે (કર્મ) મને પ્રસી-જકડી લીધો છે, આ રીતે આપના અને મારા આત્મા વચ્ચે મહાન અંતર પડી ગયો છે. તહવિ સત્તાગુણે જીવ એ નિર્મલો,
અન્ય સંશ્લેષ જિમ સ્ફટિક નવિ શામલો ! જે પરોપાધિથી દુષ્ટ પરિણતિ ગ્રહી,
ભાવ તાદાભ્યમાં મારું તે નહિ || ૭ |. તો પણ સત્તાગણે - દ્રવ્યાસ્તિક સંગ્રહનાની અપેક્ષાએ વિચારતાં જણાય છે કે મારો આત્મા પણ નિર્મલ છે, કર્મકલંકથી રહિત છે, અસંગ અને અરૂપી છે, જેમ અન્ય કૃષ્ણાદિ પદાર્થોના સંયોગથી સ્ફટિક કાળો દેખાય છે. પણ વાસ્તવમાં તે કાળો નથી, તેમ પરઉપાધિથી – પુદ્ગલ દ્રવ્ય(કર્મ)ના યોગથી દુષ્ટ રાગ-દ્વેષની પરિણતિ થાય છે. આત્મા પરપદાર્થ અને કર્મના કર્તાપણાનું અભિમાન કરે છે પણ તે સર્વ દુષ્ટ ભાવે એ મારા તાદાભ્ય ભાવમાં નથી. આ સર્વ ઉપાધિજન્ય વિભાવે એ મારો નથી, પણ કર્મના સંયોગને આભારી છે. ૧. “Y}¢ SEIQAUSE "a...MD}}ર્ષે:” (જ્ઞાનસાર)
“જેમ નિર્મલતા રે રત્ન સ્ફટિક તણી, તેમ એ જીવ સ્વભાવ.” એક છોક કોક , છીંક, પરમતત્વની ઉપાસના * ૮૬ .
તિણે પરમાત્મપ્રભુ ભક્તિરંગી થઇ,
શુદ્ધ કારણ રસે તત્ત્વ પરિણતિમયી | આત્મગ્રાહક થયે તજે પરગ્રહણતા,
તત્ત્વભોગી થયે ટલે પરભોગ્યતા || ૮ || આ પ્રમાણે વિભાવ પરિણતિ એ મારા આત્મામાં ઉત્પન્ન થયેલો મૂળ સ્વભાવ નથી માટે તેનું નિવારણ થઇ શકે છે. એમ વિચારી સાધક પરમાત્માની ભક્તિમાં તન્મય થઇ, શુદ્ધ નિમિત્ત કારણરૂપ પરમાત્માના ધ્યાનમાં મગ્ન બની તત્ત્વપરિણતિવાળો બને છે એટલે કે આત્મસ્વભાવ દશામાં મગ્ન બને છે, એ રીતે આત્મસ્વરૂપનો ગ્રાહક અને ભોક્તા બનવાથી પરપુદ્ગલની ગ્રાહકતા અને ભોક્નતાનો ત્યાગ કરે છે. એટલે કે પરપદાર્થને તે ગ્રહણ કરતો નથી કે ભોગવતો નથી. શુદ્ધ નિઃપ્રયાસ નિજભાવ ભોગી યદા,
આત્મક્ષેત્રે નહિ અન્ય રક્ષણ તદા | એક અસહાય નિસંગ નિર્બદ્ધતા,
શક્તિ ઉત્સર્ગની હોય સહુ વ્યક્તતા || ૯ || જ્યારે આત્મા શુદ્ધ નિર્મળ અને પ્રયાસરહિત એવા આત્મસ્વભાવનો ભોક્તા થાય છે ત્યારે આત્મપ્રદેશરૂપ ક્ષેત્રમાં અન્ય કર્મપુદ્ગલો કે રાગદ્વેષાદિ રહી શકતા નથી, અર્થાતુ આત્મસ્વરૂપમાં લીનતા થાય છે, ત્યારે સર્વ આત્મપ્રદેશોમાં સંયોગ સંબંધ રહેલા સર્વ કર્મપુદ્ગલો નાશ પામે છે અને તે વખતે એક અસહાય, નિઃસંગ (કર્મસંગરહિત), નિર્દ (રાગદ્વેષરહિત), ઉત્સર્ગશક્તિ – પરમ આત્મશક્તિ પ્રગટે છે. તેણે મુજ આતમા તુજ થકી નીપજે,
માહરી સંપદા સકલ મુજ સંપજે ! તેણે મનમંદિરે ધર્મપ્રભુ થાઇએ,
પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઇએ || ૧૦ |. આ રીતે અરિહંત પરમાત્માના આલંબનથી મારું આતમતત્ત્વ પ્રગટ થાય છે, મારી સત્તાગત આત્મલક્ષ્મી પ્રાપ્ત થાય છે, એમ જાણીને શાક, , , , પરમતત્ત્વની ઉપાસના * ૮૭ ક. ક. | ,
Page #60
--------------------------------------------------------------------------
________________
જે મુમુક્ષુ આત્મા પોતાના મનમંદિરમાં સદા ધર્મનાથ પ્રભુનું ધ્યાન કરે છે તે દેવોમાં ચંદ્ર સમાન નિર્મલ નિજ સિદ્ધિસુખને પામે છે. પંદરમા સ્તવનનો સાર :
આ સ્તવનમાં સામાન્ય સ્વભાવનાં અને વિશેષ સ્વભાવનાં લક્ષણો
બતાવી અધ્યાત્મ સાધનામાં તેનો ઉપયોગ કરવાની ચાવી - રીત બતાવવામાં આવી છે.
(૧) સામાન્ય સ્વભાવ - સામાન્ય સ્વભાવ એ પદાર્થ-દ્રવ્યનો મૂલ ધર્મ છે. તે સદા નિરાવરણ હોય છે. તેને કદી કર્મ સ્પર્શતાં નથી. સામાન્ય સ્વભાવ સર્વ દ્રવ્યોમાં હોય છે, તેનું લક્ષણ છે : “નિત્ય, નિરવયવ, એક, અક્રિય અને સર્વગત.” દા.ત. નિત્યતા એ ‘સામાન્ય સ્વભાવ’ છે, કારણ કે તે નિત્યપણું સદા હોય છે, તે એક જ છે, તેને પ્રદેશરૂપ અવયવ નથી, તે જાણવા વગેરેની ક્રિયા કરતું નથી અને તે નિત્યપણું સર્વ દ્રવ્યમાં, પ્રદેશમાં, ગુણમાં, પર્યાયમાં વ્યાપક હોય છે. માટે તેને ‘સામાન્ય સ્વભાવ’ કહે છે. એ જ રીતે અસ્તિતા સદા હોય છે, તે એક જ છે, તેને અવયવો નથી, તેમ જ સર્વમાં વ્યાપક છે. તેથી ‘અસ્તિતા’ એ ‘સામાન્ય સ્વભાવ' છે.
(૨) વિશેષ સ્વભાવ - જે અનિત્ય, સાવયવ, અનેક, સક્રિય અને સર્વગત ન હોય તે ‘વિશેષ સ્વભાવ’ છે. દા.ત. જ્ઞાનાદિ ગુણો.
સામાન્ય વિશેષ સ્વભાવમય સર્વ પદાર્થ હોય છે. દ્રવ્યમાં સામાન્ય સ્વભાવ વિના વસ્તુની સત્તા ન ઘટે, અને તેમાં વિશેષ સ્વભાવ વિના કાર્ય ન થાય – પર્યાયની પ્રવૃત્તિ ન થાય. માટે સામાન્ય સ્વભાવ વિના વિશેષ સ્વભાવ રહી શકતો નથી અને વિશેષ સ્વભાવ વિના સામાન્ય સ્વભાવ રહી શકતો નથી, તેથી આત્મસાધનામાં પણ તે બંનેની સમાન ઉપયોગિતા છે. નયભેદે તેનો વિવેક અને ભૂમિકા અનુસાર તેનો પ્રયોગ કરવામાં આવે તો તે મહાન લાભદાયક બને છે.
ધ્યાનદશામાં સામાન્ય સ્વભાવનો પ્રયોગ :
૧.
સાધક પોતાના કેવલજ્ઞાનાદિ વિશેષ ગુણો, જે કર્મથી આવૃત છે,
»xa# çYÜ çYl+2}¢ exae TM *
'ō (વિશેષાવશ્યક)
પરમતત્ત્વની ઉપાસના * ૮૮
તેને નિરાવરણ - પ્રગટ કરવા પૂર્ણશુદ્ધગુણી પરમાત્માની સ્તુતિ, ભક્તિ અને રૂપસ્થ ધ્યાનાદિ વડે તેમનાં સ્વરૂપમાં એકાગ્ર – તન્મય બનીને પોતાની આત્મસત્તા પણ ‘પૂર્ણશુદ્ધ ગુણપર્યાયમયી છે’ એવી ભાવના ભાવે છે.
જેવો 'પરમાત્માનો શુદ્ધ સ્વભાવ છે તેવો જ મારા આત્માનો સ્વભાવ છે, કારણ કે દરેક જીવની જીવત્વજાતિ એક જ છે, તેની અપેક્ષાએ જીવ એક જ છે. સિદ્ધતા એ જ જીવનું પોતાનું સ્વરૂપ છે, જીવત્વજાતિ કદી પણ પલટાતી નથી, જ્ઞાનાદિ વિશેષ સ્વભાવ કર્મથી આવૃત્ત હોવા છતાં સામાન્ય સ્વભાવ શુદ્ધ આત્મસત્તા સ્ફટિકરત્નની જેમ નિરાવરણ છે. આવી શુદ્ધ ભાવનાથી ભાવિત થયેલો આત્મા જ્યારે પોતાના આત્મસ્વરૂપનું વારંવાર સ્મરણ કરે છે, ધ્યાન કરે છે, ત્યારે તેને સ્વરૂપ-રમણતા પ્રાપ્ત થાય છે, અને આત્માનુભવના અમૃતનો આસ્વાદ કરતો આત્મા સ્વરૂપમાં મગ્ન બને છે.
વ્યવહાર ભૂમિકામાં વિશેષ સ્વભાવનો પ્રયોગ :
સાધકે વ્યવહારદશામાં પરપુદ્ગલના યોગે રાગદ્વેષ કે વિષયકષાયથી પોતાના આત્માને લિપ્ત થયેલો જાણી અશુદ્ધ માનવો જોઇએ. હું પુદ્ગલનો ભોગી બની તેમાં જ આસક્ત બનું છું, જડ પદાર્થોમાં ઇષ્ટાનિષ્ટ કલ્પના કરી રાગદ્વેષ કરું છું, સર્વ પરપદાર્થોને મારા માનું છું, તે સર્વમાં કર્તૃત્વનું અભિમાન સેવું છું. આ રીતે હું પરપદાર્થોમાં મોહિત બની, નવાં નવાં અશુભ કર્મો બાંધી ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છું.
-
પરપુદ્ગલ પદાર્થોની આસક્તિથી મારા આત્મામાં રાગ-દ્વેષની પરિણતિ ઘડાઇ રહી છે.
જેમ સ્ફટિકરત્નની પાછળ મૂકેલા નીલા કે લાલ વસ્ત્રના યોગે સ્ફટિક પણ નીલો કે લાલ દેખાય છે. પરંતુ તે વસ્ત્રને ખસેડી લેવાથી પુનઃ સ્ફટિકનું મૂળ શ્વેત - ઉજ્જવળ સ્વરૂપ જોઇ શકાય છે, તેવી રીતે ......ch "ami, ma a "...étJ (સિદ્ધપ્રાભૂત)
૧.
૨.
»xr YÉæ J (સુયગડાંગ)
૩.
... .#Sfæ Çäh: J
પરમતત્ત્વની ઉપાસના * ૮૯
Page #61
--------------------------------------------------------------------------
________________
સ્ફટિક જેવા સ્વચ્છ નિર્મળ એવા મારા આત્માને તેમાં રહેલી રાગદ્વેષની મલિન, પરિણતિને દૂર હટાવવાનો પુરુષાર્થ કરવાથી આત્માના શુદ્ધ સ્વરૂપને જોઇ, જાણી અને અનુભવી શકાય છે.
પરપુદ્ગલ અનુયાયી બનેલી આત્મશક્તિઓને બીજા શુભ આલંબન વિના માત્ર આપબળે આત્મસ્વરૂપમાં જોડી શકાતી નથી. તેથી મારે સૌ પ્રથમ જેમના સર્વ વિશેષ સ્વભાવો (જ્ઞાનાદિ ગુણો) પૂર્ણ શુદ્ધરૂપે પ્રગટેલા છે, તે મારા સ્વજાતીય અરિહંત પરમાત્મા સાથે પ્રીતિ, ભક્તિ, આજ્ઞાપાલન અને ધ્યાનાદિ વડે આત્મશક્તિઓને જોડવી જોઇએ, જેથી પરમાત્મ સ્વરૂપમાં તન્મય બનેલી મારી જ્ઞાનાદિ શક્તિઓ, આત્મસ્વરૂપને યથાર્થ રીતે ઓળખી તેમાં તન્મય બની શકે.
આ પ્રમાણે વિચારણા કરી સાધક પરમાત્માની દ્રવ્યપૂજા, ભાવપૂજા , ભક્તિ અને આજ્ઞાપાલન આદિ કરતો કરતો જયારે ધ્યાનાવસ્થામાં આવી નિશ્ચલ ધ્યાનને સિદ્ધ કરવા પ્રયાસ કરે છે, ત્યારે તે આત્મા નિશ્ચલ, નિર્મલ અને નિર્વિકલ્પ આત્મસ્વરૂપનો અનુભવ કરી શકે છે.
આ રીતે નયસાપેક્ષ ભૂમિકાભેદથી સામાન્ય અને વિશેષ સ્વભાવની મુખ્યતા અને ગૌણતા હોય છે, તેનો વિવેક, અનુભવી સદ્ગુરુવર્યો પાસેથી પ્રાપ્ત કરી સાધક આત્માએ આધ્યાત્મિક સાધનામાં તેનો પ્રયોગ કરવો જોઇએ.
જ્ઞાનસાર અષ્ટકમાં પણ પૂર્વોક્ત વિચારણા માટે કહ્યું છે કે નિશ્ચયનયની દૃષ્ટિએ સર્વ જીવાત્મા કર્મથી અલિપ્ત છે; પણ વ્યવહારનયની દૃષ્ટિએ સર્વ જીવાત્મા કર્મથી લિપ્ત છે. સમ્યગુજ્ઞાની અલિપ્તદષ્ટિથી શુદ્ધ થાય છે, અને ક્રિયાવાન લિસદૃષ્ટિથી શુદ્ધ બને છે.”
સાધકને બંને દૃષ્ટિઓની સાધનામાં સમાન આવશ્યકતા છે. છતાં ભૂમિકાભેદથી જ્યારે એકની મુખ્યતા હોય છે ત્યારે બીજીની ગૌણતા હોય છે, પરંતુ તેથી એ બંનેની શક્તિમાં કોઇ જૂનાધિકતા હોતી નથી. 1. ¥d# dpřxæ dl#p tal,: J
વૈhydI#Re He delfat di#Peace JJ (જ્ઞાનસાર) છક #લ . કૉલ કરે પરમતત્ત્વની ઉપાસના * ૯૦ ] છો 54 se have
પોતપોતાની ભૂમિકામાં બંનેની પ્રધાનતા હોઇ બંનેની શક્તિ એકસરખી હોય છે.
અધ્યાત્મ-સાધનામાં મહાન ઉપયોગી પરાભક્તિનું (અરિહંત પરમાત્માની શુદ્ધ ભાવપૂજાનું) રહસ્ય તથા તેની પ્રાપ્તિના ઉપાયોનો નિર્દેશ આ પ્રમાણે કરવામાં આવ્યો છે
પ્રથમ ગાથામાં “ધર્મ જગનાથનો ધર્મશુચિ ગાઇએ, આપણો આતમાં તેવો ભાવીએ' આ પંક્તિ દ્વારા પરાભક્તિના પ્રથમ સોપાનરૂપે શુદ્ધ ધર્મની સુતિ અને પરમાત્મપ્રભુ સાથે તુલ્યતા ભાવન કરવાનું સૂચવ્યું છે.
જાતિ જસુ એકતા તેહ પલટે નહિ, શુદ્ધ ગુણ પજવા વસ્તુ સત્તામયી” આ પંક્તિ દ્વારા પ્રભુ સાથે એકતા-તન્મયતા સાધવાનું સૂચવ્યું છે.
પ્રભુ સાથે એકમેક – તન્મય બનવાની રુચિ એ સમ્યગદર્શન છે, તેના ઉપાયોનું જ્ઞાન એ સમ્યગૃજ્ઞાન છે અને તન્મયતાનો અનુભવ એ સમ્યકુચારિત્ર છે. પરાભક્તિ, સમાધિ, મગ્નતા વગેરે પર્યાયવાચી શબ્દો છે.
પદસ્થ ધ્યાનમાં જપાદિ વડે નામ અરિહંત સાથે એકતા સધાય છે.
રૂપસ્થ ધ્યાનમાં જિનમૂર્તિના ધ્યાનથી સ્થાપના અરિહંત સાથે એકતા સધાય છે.
પિંડસ્થ ધ્યાન વડે દ્રવ્ય અરિહંતની સાથે એકતા સધાય છે. રૂપાતીત ધ્યાન વડે ભાવ અરિહંત સાથે એકતા સધાય છે.
અરિહંતના ધ્યાનમાં તન્મય બનેલો આત્મા આગમથી ‘ભાવઅરિહંત' કહેવાય છે.
એકતાભાવનાથી જ અભેદ પ્રણિધાન સિદ્ધ થાય છે અને અભેદ પ્રણિધાન એ જ તાત્ત્વિક ભાવ નમસ્કાર કે પરાભક્તિ છે. તેના સતત અભ્યાસથી આત્મા અને પરમાત્મા વચ્ચેનું અંતર – ભેદ દૂર થઇ જાય છે.
સર્વ કોઇ મુમુક્ષુ આત્માઓએ પાસે રહેલા અન્તર્યામી પ્રભુ સાથે મળવાનો, અર્થાત્ આત્મસ્વરૂપમાં તન્મયતા સાધવાનો અભ્યાસ અવશ્ય કરવો જોઇએ.
એ જ સર્વ યોગોનો સાર છે...! એ જ સર્વ આગમોનું પરમ રહસ્ય છે...!
પ્રક. શક જાક . શક પરમતત્વની ઉપાસના * ૯૧
થી ૪ *ક જ
છja.
Page #62
--------------------------------------------------------------------------
________________
(૧૬) શ્રી શાંતિનાથ જિન સ્તવન
(આંખડીએ રે મેં આજ શત્રુંજ્ય દીઠો રે... એ દેશી) જગત દિવાકર જગતકૃપાનિધિ, વાલા મારા સમવસરણમાં બેઠા રે । ચઉં મુખ ચઉ વિહ ધર્મ પ્રકાશે, તે મેં નયણે દીઠા રે ।। ભવિકજન હરખો રે, નીરખી શાંતિ જિણંદ, ભવિ
કરુણા
ઉપશમ રસનો કંદ નહીં ઇણ સરીખો રે ॥ ૧ ॥ જગતમાં સૂર્યની જેમ જ્ઞાનપ્રકાશને કરનારા, સર્વ જીવો ઉપર પરમ દયાના ભંડાર, એવા પરમાત્મા મને અત્યંત વલ્લભ છે. જે પરમાત્મા સમવસરણમાં બેસીને ચાર પ્રકારના ધર્મની દેશના આપે છે, તે પરમાત્માને મેં શાસ્ત્રચક્ષુથી જોયા છે અને હે ભવ્યજીવો ! તમો પણ એવા શાંતિનાથ ભગવાનને જોઇ હર્ષ પામો. ખરેખર ! આ પરમાત્મા ઉપશમ-સમતા રસના કંદ છે, એમની સરખામણીમાં આવે એવો બીજો કોઇ આ જગતમાં નથી.
પ્રાતિહાર્ય અતિશય શોભા, વાળ તે તો કહિય ન જાવે રે । ઘૂક બાલકથી રિવ કરભરનું, વર્ણન કેણી પરે થાવે રે ।
-
ભ૦ | ૨ | અરિહંત પરમાત્માના અષ્ટ પ્રાતિહાર્યોની અને ચોત્રીશ અતિશયોની શોભાનું વર્ણન, મારા જેવા મંદમતિવાળાથી થઇ શકે તેમ જ નથી. ઘુવડના બચ્ચાથી સૂર્યનાં તેજસ્વી કિરણોના સમૂહનું વર્ણન કેવી રીતે થઇ શકે ?
પરમતત્ત્વની ઉપાસના * ૯૨
વાણી ગુણ પાંત્રીશ અનોપમ, વા૦ અવિસંવાદ સરૂપે રે । ભવ દુઃખ વારણ, શિવ સુખકારણ, શુદ્ધ ધર્મ પ્રરૂપે રે ।
ભ૦ || ૩ |
પરમાત્માની મધુરી વાણી - દેશના, અનુપમ એવા પાંત્રીશ ગુણોથી યુક્ત અને અવિસંવાદ (પરસ્પર વિરોધરહિત) સ્વરૂપવાળી છે. એવી અપૂર્વ - અદ્ભુત વાણી દ્વારા પ્રભુ ભવ્યજીવોના ભવદુઃખને વારનાર, અને મોક્ષ સુખને આપનાર એવા શુદ્ધ ધર્મની પ્રરૂપણા કરે છે.
દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર દિશિમુખ, વા૦ ઠવણા જિન ઉપકારી રે । તસુ આલંબન હિય અનેકે, તિહાં થયા સમકિત ધારી રે ।। ભ ॥ ૪ ॥ સમવસરણમાં અરિહંત પરમાત્મા પૂર્વ સન્મુખ બેસીને દેશના આપે છે. વ્રત લેનારા શ્રોતાઓ તેમની સન્મુખ બેસે છે. શેષ દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશાઓમાં પ્રભુની પ્રતિમાઓ બિરાજમાન હોય છે, તે પણ સ્થાપનાર્જિન હોવાથી મહાન ઉપકારક છે. જિનબિંબના આલંબન વડે અનેક ભવ્યાત્માઓ ત્યાં જ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે.
ષટ્ નયકારજ રૂપે ઠવણા, વા૦ સગનય કારણ ઠાણી રે । નિમિત્ત સમાન થાપના જિનજી, એ આગમની વાણી રે ।। ભ૦ | ૫ ||
સ્થાપના
જિનપ્રતિમામાં અરિહંતતારૂપ, સિદ્ધતારૂપ કાર્ય નૈગમાદિ ષનયની અપેક્ષાએ રહેલું છે, તેમ જ સાતે નયની અપેક્ષાએ તેમાં મોક્ષની નિમિત્તકારણતા પણ રહેલી છે, ભવ્યજીવોને મોક્ષપ્રાપ્તિમાં સાક્ષાત્ અરિહંત અને સ્થાપના અરિહંત (જિનપ્રતિમા) બંને નિમિત્ત કારણરૂપે સમાન છે. આ આગમ વચન છે.
સાધક તીન નિક્ષેપા મુખ્ય, વા૦ જે વિષ્ણુ ભાવ ન લહિયે રે । ઉપકારી દુગ ભાગ્યે ભાંખ્યા, ભાવ વંદક નો ગ્રહિયે રે ।
-
ભ૦ || ૬ ||
નામ, સ્થાપના અને દ્રવ્ય આ ત્રણ નિક્ષેપ ભાવ સાધક હોવાતી મુખ્ય છે. તે ત્રણ વિના ભાવની પ્રાપ્તિ થઇ શકતી નથી. ‘વિશેષાવશ્યક પરમતત્ત્વની ઉપાસના * ૯૩
Page #63
--------------------------------------------------------------------------
________________
ભાષ્યમાં પણ નામ, સ્થાપનાને જ ઉપકારી કહ્યાં છે. કેમ કે પરમાત્માનો દ્રવ્યનિક્ષેપ પિંડરૂપ છે અને ભાવ અરૂપી છે, તેથી તેનું ગ્રહણ થઇ શકતું નથી. સમવસરણમાં બિરાજમાન સાક્ષાતુ અરિહંત પરમાત્માનાં નામ અને સ્થાપના જ છદ્મસ્થ જીવોને ગ્રાહ્ય બને છે. માટે તે જ મહાન ઉપકારી છે. ભાવ તો વંદન કરનારનો લેવો જોઇએ.
ઠવણા સમવસરણે જિનસેતિ, વાળ જો અભેદતા વાધી રે ! એ આત્માના સ્વસ્વભાવ ગુણ, વ્યક્ત યોગ્યતા સાધી રે //
ભO || ૭ || સમવસરણમાં બિરાજમાન સ્થાપના જિનના આલંબને જે મારી ચેતનાની અભેદતા (અભેદ-પ્રણિધાન)ની વૃદ્ધિ-સિદ્ધિ થઇ છે, તેથી અનુમાન થાય છે કે મારા આત્મામાં સંપૂર્ણ શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવાની યોગ્યતા રહેલી છે. એટલે કે અલ્પકાલે જ આત્મસ્વભાવમાં પૂર્ણ રમણતા – તન્મયતા પ્રાપ્ત થશે.
ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા, વાળ રસનાનો ફલ લીધો રે .. ‘દેવચંદ્ર' કહે મારા મનનો, સકલ મનોરથ સીધો રે ||
ભO || ૮ || બહુ સારું થયું કે મેં પ્રભુનાં ગુણગાને કર્યા અને રસનાનું વાસ્તવિક ફળ પ્રાપ્ત કર્યું અર્થાતુ વાણીને સાર્થક કરી. દેવચંદ્રમુનિ કહે છે કે આજે મારા મનના સકલ મનોરથો પૂર્ણ થયા છે. ૨સોળમાં સ્તવનનો સાર :
આ સ્તવનમાં શાસ્ત્રોક્ત યુક્તિઓ દ્વારા જિનપ્રતિમાની ઉપકારકતા બતાવવામાં આવી છે.
જિન પ્રતિમામાં અપેક્ષાએ અરિહંતપણું અને સિદ્ધપણું રહેલું છે. એમ ત્રણ કે છ નયનું માનવું છે તે આ પ્રમાણે(૧) નૈગમ નય : જિનપ્રતિમાના દર્શનથી શ્રી અરિહંત દેવ તથા સિદ્ધ
પરમાત્માનો સંકલ્પ પ્રતિમામાં થાય છે. જેમ કે “આ અરિહંત
કે સિદ્ધ ભગવાન છે” અથવા અસંગાદિ ગુણોથી પૂર્ણ અને છક જ શકશો કે તે પરમતત્ત્વની ઉપાસના * ૯૪ | . . . #j
શાંતસુધારસમય તદાકારતારૂપ અંશ પ્રતિમામાં રહેલો છે. માટે નૈગમ નયના મતે જિનપ્રતિમા એ અરિહંત તથા સિદ્ધસ્વરૂપ છે. સંગ્રહ નય : બુદ્ધિ દ્વારા શ્રી અરિહંત કે સિદ્ધ પરમાત્માના સર્વગુણોનો સંગ્રહ કરીને પ્રતિમા ઘડવામાં આવી છે તેથી સંગ્રહ
નયની અપેક્ષાએ પ્રતિમા અરિહંત કે સિદ્ધરૂપ છે. (૩) વ્યવહાર નય : પ્રતિમાનાં દર્શન, વંદન, નમસ્કાર અને પૂજન વખતે
સર્વ વ્યવહાર અરિહંત કે સિદ્ધ પરમાત્માને ઉદ્દેશીને થાય છે જેમ કે “હું અરિહંતનાં દર્શન, વંદન, પૂજનાદિ કરું છું.” આમ વ્યવહાર નય પણ જિન પ્રતિમાને અરિહંત કે સિદ્ધ માને છે. ઋજુસૂત્ર નય : જિનપ્રતિમા જોઇને સર્વ ભવ્યાત્માઓને “આ અરિહંત કે સિદ્ધ પરમાત્મા છે' એવો વિકલ્પ ઉત્પન્ન થાય છે અને એ વિકલ્પ વડે જ પ્રતિમાની સ્થાપના થયેલી છે. આ રીતે ઋજુસૂત્ર
નયની દૃષ્ટિથી પ્રતિમા અરિહંત કે સિદ્ધરૂપ છે. (૫) શબ્દ નય : અરિહંત અને સિદ્ધશબ્દની પ્રવૃત્તિ જિનપ્રતિમામાં થાય
છે. માટે શબ્દ નયે પ્રતિમા અરિહંત કે સિદ્ધ છે. સમભિરૂઢ નય : અરિહંતના પર્યાયવાચી શબ્દો - સર્વજ્ઞ, તીર્થકર, જિનેશ્વર, જિન વગેરેની પ્રવૃત્તિ પણ પ્રતિમામાં થાય છે, પરંતુ કેવલજ્ઞાનાદિ ગુણો કે સિદ્ધત્વ પ્રતિમામાં નહિ હોવાથી એવંભૂત નયની પ્રવૃત્તિ પ્રતિમામાં થતી નથી. પણ એવંભૂત નયની પ્રવૃત્તિ ભાવ અરિહંત અને સિદ્ધમાં જ થાય છે.
પ્રથમના ત્રણ નયની વિચારણા ‘વિશેષાવશ્યક ભાષ્ય'માં પણ ઉપર્યુક્ત રીતે કરવામાં આવી છે. બાકીના ત્રણ નાની વિચારણા ઉપચારથી જાણી લેવી.
જિનપ્રતિમા એ મોક્ષનું પ્રધાન નિમિત્ત (કારણ) છે, તેથી નિમિત્ત કારણરૂપે સાતે નયોની અપેક્ષાએ પ્રતિમા અને સાક્ષાત્ અરિહંત બંને સમાન ઉપકારી છે.
નૈગમાદિ સાતે નયો દ્વારા જિન સ્થાપનાની નિમિત્ત કારણતા આ પ્રમાણે છે : શકે છે , શક, , છ, પરમતત્વની ઉપાસના * ૯૫ થી ક. #le + 9,
Page #64
--------------------------------------------------------------------------
________________
(૧) સંસારી જીવને જિનપ્રતિમા જોવાથી અરિહંતનું સ્મરણ થાય છે
અથવા જિનપ્રતિમાના વંદનથી જીવે પોતાના સ્વભાવને સન્મુખ
થાય છે. આ નૈગમ નયે પ્રતિમાની નિમિત્તકારણતા છે. (૨) જિનપ્રતિમા જોતાં પ્રભુના સર્વ ગુણોનો સંગ્રહાત્મકરૂપે બોધ થાય
છે અને તે આત્મતત્ત્વની સન્મુખતામાં અદ્ભુત સહાય કરે છે તે
સંગ્રહ નયે નિમિત્તકારણતા છે. (૩) જિનપ્રતિમાને થતાં વંદન, નમસ્કારાદિનો વ્યવહાર એ મોક્ષસાધક
છે, માટે આત્મસાધનામાં તત્પર બનેલા સાધકને સાધનામાં નિમિત્ત કારણ જિનપ્રતિમા છે. આ વ્યવહાર નયે નિમિત્તકારણતા
જિનપ્રતિમાના દર્શનથી આત્મતત્ત્વની ઇહા - ઇચ્છારૂપ ઉપયોગ ઉત્પન્ન થાય છે, જેમ કે “હું પણ ક્યારે આવા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને
પામીશ ? આ ઋજુસૂત્ર નયે પ્રતિમાની નિમિત્તકારણતા છે. (૫) જિનપ્રતિમાના આલંબન દ્વારા આત્માની ઉપાદાન શક્તિ પ્રગટ
થઇ, અર્થાતુ સમ્યગદર્શનાદિ ગુણોની પ્રાપ્તિ થઇ તે શબ્દ નયે પ્રતિમાની નિમિત્તકારણતા છે. પ્રતિમાના આલંબને અનેક પ્રકારે જ્ઞાનાદિ ગુણોની પ્રવૃત્તિ એટલે કે આત્મસ્વભાવ સન્મુખ થવાથી તત્ત્વરમણતા પ્રાપ્ત થાય છે તે
સમભિરૂઢ નયની અપેક્ષાએ પ્રતિમાની નિમિત્તકારણતા છે. (૭) પ્રતિમાના નિમિત્તથી આત્મસ્વભાવમાં રમણતા થતાં જ્યારે શુદ્ધ -
શુક્લ – ધ્યાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે સંપૂર્ણ નિમિત્તકારણતાના યોગે ઉપાદાનની પૂર્ણ કારણતા પ્રગટે છે, તે પ્રતિમાની એવંભૂત નયે નિમિત્તકારણતા છે. નિમિત્તકારણનો એવો સ્વભાવ છે કે તે અવશ્ય ઉપાદાનકારણતા ઉત્પન્ન કરે છે અને ત્યાર પછી ઉપાદાનકારણ કાર્યરૂપે પરિણમે છે.
આ પ્રમાણે જિનપ્રતિમા મોક્ષનું નિમિત્ત કારણ છે. માટે સર્વ યોગોની સિદ્ધિ પ્રતિમાના આલંબનથી થાય છે. “યોગદૃષ્ટિ સમુચ્ચય'માં મિત્રાદિ યોગની જે આઠ દૃષ્ટિઓ બતાવવામાં આવી છે, તેમાંથી મિત્રો, શક , શક કરેલ જs ] પરમતત્ત્વની ઉપાસના * ૯૬ શe ,
તારા, બલા અને દીપ્રા દૃષ્ટિની પ્રાપ્તિ સુધી યથાયોગ્ય રીતે ૪ જુસૂત્ર નયે જિન પ્રતિમાની નિમિત્તકારણતા ઘટાવી શકાય છે. અર્થાત્ જિન પ્રતિમાના આલંબનથી મિત્રાદેષ્ટિની ભૂમિકા પ્રાપ્ત થાય તો નૈગમ નયની અપેક્ષાએ તેની કારણતા ઘટાવી શકાય. આ રીતે બાકીની દૃષ્ટિઓમાં પણ સમજવું.
- જિન પ્રતિમાનાં દર્શનથી સ્થિરા દૃષ્ટિ અર્થાતુ સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય તો શબ્દ નયે નિમિત્ત કારણતા જાણવી.
આ રીતે દેશવિરતિ, સર્વવિરતિ, અપ્રમત્ત દશા રૂપ કાંતા દૃષ્ટિ અને પ્રભા દૃષ્ટિની પ્રાપ્તિ જિન પ્રતિમાના આલંબને થાય તો, સમભિરૂઢ નયની અપેક્ષાએ તેની નિમિત્તકારણતા છે, અને શુદ્ધ-શુક્લ ધ્યાનની પ્રાપ્તિ એટલે કે પરાષ્ટિની પ્રાપ્તિ થાય તો એવંભૂત નયે પ્રતિમાની નિમિત્તકારણતા જાણવી. અહીં પરાભક્તિની પરાકાષ્ઠા હોય છે.
અધ્યાત્મ, ભાવના, ધ્યાન અને સમતાયોગની પ્રાપ્તિ પણ જિન પ્રતિમાના આલંબનથી અવશ્ય થાય છે તેમ જ ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગનો સમાવેશ પણ ઉપર્યુક્ત યોગોમાં થયેલો હોવાથી તેમની પ્રાપ્તિમાં પણ જિન પ્રતિમાની નિમિત્તકારણતા નયભેદે ઘટાવી લેવી.
જિને પ્રતિમાનાં દર્શન વંદનથી યોગની ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. “યોગવિશિકા”માં બતાવેલા પાંચે સ્થાનાદિ યોગોમાં “જિન પ્રતિમા’ના આલંબને ચોથા “આલંબન યોગ” તરીકે દર્શાવેલ છે.
પ્રતિમાના આલંબનથી “આલંબન” યોગની પણ પ્રાપ્તિ થાય છે, તે સિવાય યોગની સિદ્ધિ થતી નથી. માટે “જિન પ્રતિમા” એ સર્વ યોગોને ઉત્પન્ન કરનાર હોવાથી “યોગ જનની છે. - જિન પ્રતિમાથી ચાર અનુષ્ઠાનોની સિદ્ધિ :
જિન પ્રતિમાનાં દર્શનથી જિનેશ્વર પરમાત્મા પ્રત્યે પ્રીતિ અને ભક્તિ પ્રગટ થાય છે. તેમ જ તેમના કહેલા ધર્મતત્ત્વને જાણવાની તેમજ તેનું વિધિપૂર્વક પાલન કરવાની અભિલાષા ઉત્પન્ન થાય છે, અને પક છીંક શક , પરમતત્વની ઉપાસના * ૯૭ ક. ૪ ક. આ જ
Page #65
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રોક્ત અનુષ્ઠાનના પાલન દ્વારા ક્રમશ: અસંગ અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે.
જિનમૂર્તિ એ મૂર્તિમંત આલંબન છે. તેના (રૂપ) ધ્યાનથી અરૂપી - રૂપાતીત ધ્યાન ઉત્પન્ન થાય છે. રૂપાતીત ધ્યાન “અનાલંબન યોગ”ને પ્રગટ કરે છે અને અનાલંબન યોગથી અનુક્રમે કેવલજ્ઞાન અને અયોગી-અવસ્થા અને સિદ્ધતા પ્રાપ્ત થાય છે.
આ રીતે સર્વ યોગશાસ્ત્રોએ અને સર્વ અધ્યાત્મશાસ્ત્રોએ જિનમૂર્તિને મુક્તિના સર્વશ્રેષ્ઠ સાધન તરીકે વર્ણવી છે.
- જિનાગમોમાં તો જિનમૂર્તિને જિનેશ્વર તુલ્ય જ માનવામાં આવી છે. એટલું જ નહિ પણ જિનમૂર્તિ એ (સ્થાપનારૂપે) અરિહંત છે. એમ અભેદભાવ બતાવવામાં આવ્યો છે. તે પણ યુક્તિસંગત જ છે.
જૈન દર્શનમાં પરમાત્માનાં સાકાર અને નિરાકાર એમ બે સ્વરૂપ માનવામાં આવે છે.
અરિહંત એ સાકાર પરમાત્મા છે અને અપેક્ષાએ તો અરિહંત પરમાત્મા સિદ્ધ પરમાત્મા કરતાં પણ ભવ્યજીવો ઉપર વધુ ઉપકાર કરનારા છે. “નમસ્કાર મહામંત્ર”માં સર્વ પ્રથમ અરિહંત પરમાત્માને નમસ્કાર કરવામાં આવે છે, તે આ જ રહસ્યને પ્રગટ કરે છે.
સમવસરણમાં બિરાજમાન અરિહંત પરમાત્માની (ભાવ અરિહંતની) સૌમ્ય આકૃતિ (મૂર્તિ) જોઇને જ તથા તેમની (સાકાર) વાણી સાંભળીને જ અનેક ભવ્ય જીવો સમ્યગદર્શન, દેશવિરતિ અને સર્વવિરતિ આદિ ગુણો પ્રાપ્ત કરે છે.
તેમના ભાવનિક્ષેપાને કે અરૂપી કેવલજ્ઞાનને કોઇ પણ છવાસ્થ જીવ ગ્રહણ કરી શકતો નથી, એટલે તેમની વિદ્યમાનતામાં પણ તેમનાં “નામ” અને આકારરૂપ “સ્થાપના” (મૂર્તિ) જ છદ્મસ્થ જીવોને ગ્રાહ્ય હોવાથી મહાન ઉપકાર કરે છે, પરંતુ ભાવ નિક્ષેપો તો અરિહંતમાં જ હોવાથી તે અન્ય જીવોને તેટલો ઉપકારક થતો નથી. ૧. “જિન પડિમા જિન સારીખી, કહી સૂત્ર મઝાર.” એક છોક કોક , કોઈક પરમતત્વની ઉપાસના * ૯૮ ક. ૪, +
જિનનામ અને જિનમૂર્તિ (જિનમુદ્રા) એ જ સર્વકાલે સર્વ ભવ્યાત્માઓને મહાન ઉપકારક છે. તેથી જ વિશેષાવશ્યક ભાષ્યમાં નામ નિક્ષેપાને અને સ્થાપના નિક્ષેપાને મહાન ઉપકારી કહ્યાં છે.
વિચરતાં તીર્થકર અને તીર્થંકરની મૂર્તિ બંને મોક્ષના નિમિત્ત કારણ તરીકે તુલ્ય છે.
સાક્ષાત્ તીર્થંકરના તેમ જ તેમની મૂર્તિનાં દર્શન, વંદન, પૂજન કરવાથી, ભવ્ય જીવોને એકસરખો ભાવોલ્લાસ ઉત્પન્ન થાય છે અને તેથી જ જિનવંદન અને મૂર્તિવંદનનું ફળ પણ તુલ્ય જ કહ્યું છે, અર્થાત્ તેમાં કોઇ ન્યૂનાધિકતા નથી. - આ પ્રમાણે આગમ, અનુભવ અને યુક્તિ વગેરેથી વિચારતાં જિનમૂર્તિની અજોડ અને અદ્ભુત ઉપકારિતા સમજી શકાય છે.
મૂર્તિના આલંબનથી મુમુક્ષુ આત્મા મુક્તિના સુખનો ભોક્તા બને છે. પ્રતિમાના આલંબન વિના મોક્ષની સાચી અભિલાષા પણ જાગ્રત થતી નથી, તો પછી મોક્ષપ્રાપ્તિની તો વાત જ ક્યાં રહી ?
આ રીતે જિનમૂર્તિના મહામહિમાને જાણીને સર્વ કોઇ ભવ્યાત્માઓએ જિનમૂર્તિનું આલંબન સ્વીકારી અનુક્રમે અનંત સુખમય મોક્ષપદને પ્રાપ્ત કરવા માટે ઉદ્યમશીલ બનવું જોઇએ.
તો કામ થઈ જાય સોનામાંથી બનેલા અલંકાર સોનું મનાય છે, તેમ શક્તિરૂપે અપ્રગટે એવું પરમાત્મ-સ્વરૂપ પરમાત્મા જ છે. અર્થાત પરમાત્મામાં જે છે તે જ આત્મામાં છે. તેની શક્તિ અનંત છે. ચૈતન્યનું લક્ષણ જ જ્ઞાન સ્વરૂપ છે. આપણે આપણને જ્ઞાન સ્વરૂપ માનતા નથી. દેહાદિ સ્વરૂપ માનીને અનાદિકાળથી ભૂલ ખાતા આવ્યા છીએ. પણ આ જન્મમાં એ માન્યતાને મૂકી સાચા પુરૂષાર્થમાં લાગી જઈએ તો કામ થઈ જાય.
શકે છે , કઈ ક ક , પરમતત્વની ઉપાસના * ૯૯ થી જો
કે, જો
કે છોક,
Page #66
--------------------------------------------------------------------------
________________
[(૧૦) શ્રી કુંથુનાથ જિન સ્તવન
| (ચરમ જિનેસરું... એ દેશી) સમવસરણ બેસી કરી રે, બારહ પર્ષદા માહે ! વસ્તુસ્વરૂપ પ્રકાશતા રે, કરુણાકર જગનાહો રે | ૧ || કુંથ જિનેસ ! નિર્મલ તુજ મુખ વાણી રે ! જે શ્રવણે સુણે, તેથી જ ગુણમણિ ખાણી રે // કુંથુo / ૨ //
કરુણાના ભંડાર, જગતના નાથ શ્રીકુંથુનાથ ભગવાન સમવસરણમાં બિરાજમાન થઇ, બાર પર્ષદા સમ્મુખ વસ્તુ સ્વરૂપ - જીવાજીવાદિ તત્ત્વોના મૂળ સ્વરૂપને પ્રકાશિત કરે છે. હે પ્રભુ ! તમારા મુખની નિર્મળ વાણી જેઓ શ્રવણે - કાનથી સાંભળે છે, તેઓ ધન્ય છે, કારણ કે તે લોકો સકલ ગુણરત્નની ખાણ બને છે – સર્વગુણસંપન્ન બને છે.
ગુણપર્યાય અનંતતા રે, વલિય સ્વભાવ અગાહ | નય, ગમ, ભંગ નિક્ષેપના રે, હેયાહય પ્રવાહો રે // કુંથુo || ૩ ||
જિનવાણીથી મોક્ષમાર્ગનો સંપૂર્ણ પ્રકાશ જગતમાં પથરાય છે. કારણ કે જિનેશ્વરદેવ, સર્વ પદાર્થોના સર્વ પર્યાયોને કેવલજ્ઞાન દ્વારા જાણીને જીવોના હિત માટે જ ઉપદેશ આપે છે. તેમની દેશનામાં પ્રકાશિત મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે – (૧) વસ્તુમાં રહેલા ગુણ પર્યાય અને સ્વભાવની અનંતતાના સ્વરૂપનું વર્ણન તથા (૨) નય, (૩) ગમ, (૪) ભંગ, (૫) નિક્ષેપના સ્વરૂપનું વર્ણન તેમ જ નયાદિના અગાધ સ્વરૂપનું હેય (ત્યાગ કરવા યોગ્ય) - ઉપાય (ગ્રહણ કરવા યોગ્ય)ના વિભાગરૂપે પ્રતિપાદન.
કુંથુનાથ પ્રભુ દેશના રે, સાધન સાધક સિદ્ધા ગૌણ મુખ્યતા વચનમાં રે, જ્ઞાન તે સકલ સમૃદ્ધો રે ||
કુંથુo || ૪ | શ્રી કુંથુનાથ પ્રભુની દેશનામાં મોક્ષનાં સર્વ સાધનોનું સર્વસાધકોનું અને મોક્ષને પ્રાપ્ત થયેલા સિદ્ધ ભગવંતોના સ્વરૂપનું વર્ણન હોય છે. વળી જિનવચનમાં ગૌણતા અને મુખ્યતા હોય છે. પ્રભુનું કેવલજ્ઞાન તો સમગ્ર શેયને જાણવા માટે સમર્થ છે તેથી તેમાં ગૌણતા કે મુખ્યતાનો વિચાર નથી. પરંતુ વચન ક્રમબદ્ધ હોવાથી પ્રસ્તુતમાં ઉપયોગી એવા વિવક્ષિત ધર્મને મુખ્યપણે અને બાકીના અવિવક્ષિત ધર્મને ગૌણપણે કહે છે.
એ જ વાતને વધારે સ્પષ્ટ કરે છે : વસ્તુ અનંત સ્વભાવ છે રે, અનંત કથક તસુ નામના ગ્રાહક અવસર બોધથી રે, કહેવે તે અર્પિત કામો રે II
કુંથુo || ૫ | જીવાદિ સર્વ પદાર્થો અનંત ધર્મ (સ્વભાવ) યુક્ત હોય છે. તેથી તે પદાર્થોનાં જીવ વગેરે નામો પણ તેમાં રહેલા અનંત ધર્મોને જણાવે છે.
| (“જીવ” – આ શબ્દોચ્ચાર માત્રથી પણ તેના અનંતા ધર્મોનું કથન થઇ જાય છે) છતાં કેવલજ્ઞાની ભગવંતો અવસર જોઇ શ્રોતાના બોધ (જાણવાની યોગ્યતા) પ્રમાણે અર્પિત વચનને કહે છે. અર્થાતું પ્રયોજન (કાર્ય) વશથી વિવક્ષિત વચનને કહે છે.
શેષ અનર્પિત ધર્મને રે, સાપેક્ષ શ્રદ્ધા બોધી. ઉભય રહિત ભાસન હોવે રે, પ્રગટે કેવલ બોધ રે //
કુંથુo || ૬ || મોક્ષનાં મુખ્ય સાધન : જિન દર્શન, પૂજન, મુનિચંદન અને અનુકંપાથી લઇ શુક્લ ધ્યાન પર્યંતની ભૂમિકા. મોક્ષના સાધક અને તેનો ક્રમઃ માર્ગાનુસારીથી આરંભીને ક્ષીણ મોહ કે અયોગી કેવલી સુધીના મોક્ષના જે સાધકો છે તેઓનો ક્રમ આ છે : માર્ગાનુસારી - સમ્યકત્વને ધ્યેયમાં રાખી સાધના કરે છે, સમ્યગુર્દષ્ટિ દેશવિરતિને, દેશવિરતિ સર્વવિરતિને, સર્વવિરતિ શુક્લ ધ્યાનને, શુક્લધ્યાની ક્ષાયિક જ્ઞાનાદિને અને
ક્ષાયિકગણી સિદ્ધ અવસ્થાને ધ્યેયમાં રાખી સાધના કરે છે. પ્રક. શક જાક . છીંક, પરમતત્વની ઉપાસના * ૧૦૧ થી #ક ાંક જ છja.
એક છોક કોક , કોઈક પરમતત્ત્વની ઉપાસના * ૧૦૦
૪
+
Page #67
--------------------------------------------------------------------------
________________
=
છદ્મસ્થ જીવોએ શેષ અનર્પિત ધર્મના - વિવક્ષિત ધર્મથી બાકી રહેલા ધર્મોની સાપેક્ષપણે શ્રદ્ધા રાખવી અને સાપેક્ષપણે જ્ઞાન કરવું. જ્યારે કેવલજ્ઞાન પ્રગટે છે ત્યારે ઉભયરહિત - અર્પિત અને અનર્પિત ઉભય ધર્મરહિત બોધ થાય છે, કેમ કે કેવલજ્ઞાન સર્વ ધર્મોનું સમકાલે જ્ઞાયક છે. છતી પરિણતિ ગુણવર્તના રે, ભાસન ભોગ આનંદ । સમકાલે પ્રભુ તાહરે રે, રમ્ય રમણ ગુણવૃંદો રે ॥
કુંથુ૦ || ૭ || પરમાત્મ પ્રભુની પ્રભુતાનું તાત્ત્વિક સ્વરૂપ જેમ જેમ જિનવાણી દ્વારા સાંભળવા-સમજવા મળે છે, તેમ તેમ ભવ્ય જીવોનાં હૈયા અપૂર્વ આનંદ, આશ્ચર્ય અને હર્ષથી નાચી ઊઠે છે. હે પ્રભુ ! આપમાં સમકાલે અનંત ગુણપર્યાયની છતિષ (સત્તા) પરિણતિ અને વર્તના તથા તેનાં જ્ઞાન, ભોગ અને આનંદ રહેલા છે, તેમ જ રમ્ય એવા શુદ્ધ સ્વરૂપમાં રમણ કરનારા આપ અનંત ગુણના વૃંદ-સમૂહ છો.
નિજ ભાવે સીય અસ્તિતા રે, પર નાસ્તિત્વ સ્વભાવ । અસ્તિપણે તે નાસ્તિતા રે, સીય તે ઉભય સ્વભાવો રે ।।
કુંથુ૦ | ૮ | સ્વભાવ (સ્વપર્યાય પરિણતિ)ની અપેક્ષાએ આત્માદિ દ્રવ્યમાં ‘સ્યાત્ અસ્તિતા’ રહેલી છે અને પરસ્વભાવની અપેક્ષાએ ‘સ્યાત્ નાસ્તિતા’ રહેલી છે. તે પરનાસ્તિતા પણ સત્ રૂપે છે. તેમ જ (સીય) સ્યાત્, ઉભય (અવક્તવ્ય) સ્વભાવ પણ રહેલો છે. ઉપલક્ષણથી બાકીના ભંગ પણ જાણી લેવા.
૩-૪. અર્પિત, અનર્પિત : વસ્તુમાં રહેલા અનેક ધર્મોમાંથી જે અવસરે જે ધર્મ કહેવાનું પ્રયોજન હોય તે અવસરે તે ધર્મને વિવક્ષિત કરી ગ્રહણ કરવું કે કહેવું તે ‘અર્પિત’ કહેવાય અને પ્રયોજનના અભાવે જેની વિવક્ષા નથી તે અપ્રસ્તુત - ‘અનર્પિત' કહેવાય છે.
૫.
૬.
૩.
છત (સત્તા) : અનંત ગુણપર્યાયની વિદ્યમાનતા છે. પરિણતિ : પારિણાર્મિકતા, દ્રવ્યમાં ઉત્પાદ, વ્યય ધ્રુવરૂપે તથા પદ્ગુણહાનિવૃદ્ધિરૂપે પરિણમન કરવું તે.
વર્તના : જ્ઞાનાદિ ગુણપર્યાયોનું સ્વસ્વ કાર્યનું કરવું તે.
પરમતત્ત્વની ઉપાસના × ૧૦૨
અસ્તિસ્વભાવ જે આપણો રે, રુચિ વૈરાગ્ય સમેત । પ્રભુ સન્મુખ વંદન કરી રે, માંગીશ આતમ હેતો રે | કુંથુo | ૯ | સચ્ચિદાનંદમય મારો જે અસ્તિસ્વભાવ છે, તે હાલ સત્તાગત છે, તેને પ્રગટ કરવા હું વૈરાગ્યસહિત તીવ્ર રુચિ-ઇચ્છા રાખું છું અને પ્રભુની આગળ વંદન-નમન કરીને યાચના કરું છું કે હે પ્રભુ ! આત્માને હિતકારી એવો મારો અસ્તિસ્વભાવ પ્રગટ કરો.
અસ્તિસ્વભાવ રુચિ થઇ રે, ધ્યાતો અસ્તિસ્વભાવ
દેવચંદ્ર પદ તે લહે રે, પરમાનંદ જમાવો રે ॥ કુંથુ૦ | ૧૦ ||
આત્મસત્તાગત અનંત જ્ઞાનાદિ સ્વભાવની રુચિ-અભિલાષા જાગ્રત થવાથી તે જ અસ્તિસ્વભાવની અનંતતાનું ધ્યાન કરતો સાધક પરમાનંદ સ્વરૂપ દેવોમાં ચંદ્ર સમાન ઉઘ્રુવલ એવા પરમાત્મપદને વરે છે. સત્તરમા સ્તવનનો સાર :
આ સ્તવનમાં જિનવાણી (પ્રભુદેશના)નું સ્વરૂપ અને તેનો અજોડ મહિમા બતાવવામાં આવ્યો છે.
જિનવાણીનું રહસ્ય સમજવું એ આપણા જેવા માટે મહાન દુષ્કર કાર્ય છે. ચૌદ પૂર્વધરો જેવા મહાન ગીતાર્થ આચાર્યો પણ આ
જિનવાણીની અગાધતા - ગહનતાને માપવામાં પોતાને વામન તરીકે ઓળખાવે છે, કારણ કે જિનવાણી અનુપમ તલસ્પર્શી એવા તત્ત્વજ્ઞાનથી સમૃદ્ધ છે, ગુણપર્યાયની અનંતતાથી યુક્ત છે અને નય, ગમ, ભંગ તથા નિક્ષેપાદિની ગંભીર અપેક્ષાઓથી ભરપૂર છે. ‘નંદીસૂત્ર’વગેરે આગમોમાં જિનવાણીની અનેક રીતે સ્તુતિ કરવામાં આવી છે, તે જિનવાણીનો સાર, મહિમા અહીં પણ ટૂંકમાં આ રીતે વર્ણવ્યો છે. જિનાગમમાં સ્યાદ્વાદનું નિરૂપણ :
જિનાગમમાં સ્યાદ્વાદ - અનેકાંતવાદની દૃષ્ટિથી જ સર્વ પદાર્થોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેથી જ જિનાગમ દ્વારા કોઇ પણ પદાર્થનો યથાર્થ બોધ થઇ શકે.
પરમતત્ત્વની ઉપાસના * ૧૦૩
Page #68
--------------------------------------------------------------------------
________________
જ સ્યાદ્વાદના મુખ્ય પ્રકારો :
પ્રમાણ' : સ્વ અને પરનો નિશ્ચય કરાવનાર જ્ઞાન છે. તે પ્રમાણનો વિષય અનંત ધર્માત્મક વસ્તુ છે એટલે કે દરેક વસ્તુ અનંત ગુણપર્યાય અને સ્વભાવયુક્ત હોય છે. દા.ત. આત્મા.
ગુણ : સહભાવી - સદા સાથે રહેનાર હોય છે. જેમ કે આત્માના જ્ઞાન, દર્શન આદિ ગુણો.
પર્યાય : ક્રમભાવી - ક્રમથી ઉત્પન્ન થનારા પરિણામને પર્યાય કહે છે, જેમ સંસારી જીવની સુખદુઃખ તથા બાળ, યૌવન વગેરે અવસ્થા.
સ્વભાવ : સ્વભાવના બે મુખ્ય પ્રકાર છે, સામાન્ય અને વિશેષ. આ અંગેનું વિવરણ ૧૫મા સ્તવનમાં કરેલું છે.
નય : વસ્તુમાં રહેલા એક અંશને બતાવનારા અભિપ્રાયને નય કહેવાય છે. નયના મુખ્ય બે ભેદ અથવા સાત ભેદ થાય છે અને વિસ્તારથી સાતસો કે એનાથી પણ અધિક ભેદ થઇ શકે છે. જેમ કે આત્મા નિત્ય છે. વગેરે.
ગમ : જેનાથી જાણી શકાય તેને ગમ કહેવાય છે અથવા અપેક્ષાએ વસ્તુના એક અંશનું ભેદ-પ્રકાર વડે નિરૂપણ કરનારા વાક્યને ‘ગમ’ કહેવાય છે. જેમ કે નૈગમના અનેક ગમ વડે – પ્રકાર વડે વસ્તુનું નિરૂપણ કરે છે.
ભંગ : Seled "Dye late - સ્વાવાદની અપેક્ષાથી ભેદ પાડવા, જેમ - Sa¥S, ...:” કથંચિતુ જીવ છે. ઇત્યાદિ સપ્તભંગ દ્વારા સ્વાવાદને સમજાવવામાં ઘણી સરળતા રહે છે. એ રીતે તે ઘણા ઉપયોગી હોવાથી તેનું ટૂંકું સ્વરૂપ આઠમી ગાથામાં આપ્યું છે, તે સાત ભંગ - ભાંગા આ પ્રમાણે થાય છે. (૧) “SeોYS,, »+ Yay: : કથંચિત્ આત્મા છે. આત્મા વર્તમાન
સમયે સ્વગુણ પર્યાય (જ્ઞાન-દર્શનાદિ)ની પરિણતિની અપેક્ષાએ
અસ્તિ’ છે. અતીત પર્યાય વિનષ્ટ હોવાથી અને અનાગત
ભવિષ્ય પર્યાય અનુત્પન્ન હોવાથી અહીં વર્તમાન પર્યાય જ ગ્રહણ ૧. “PDP+g c DeJ" (પ્રમાણનય) એક છોક કોક , કોઈક પરમતત્ત્વની ઉપાસના * ૧૦૪ ક જ છja # ક. ૪
કરવામાં આવ્યો છે. “Pel પદ એ નાસ્તિ અને અવક્તવ્ય ધર્મની અનર્પિતતાનો ઘાતક છે. “Se Yeઈ, »+ Ya} : “કથંચિત્ આત્મા નથી.” પરદ્રવ્યના વર્ણાદિ ધર્મો આત્મામાં નથી, તેમ જ પોતાના ભૂત-ભવિષ્યના પર્યાયો પણ વર્તમાનપણે નથી, માટે તે પરદ્રાદિની અપેક્ષાએ આત્મા નથી. અહીં “Se પદ અસ્તિ અને અવક્તવ્યતાનો
સુચક છે. (૩) “Sal+QtPhat } : “કથંચિત્ આત્મા અવક્તવ્ય છે.”
કારણ કે અસ્તિ-નાસ્તિ ધર્મ યુગપતુ-એકસાથે વચનથી કહી શકાય તેમ નથી, તેમ જ અસ્તિ, નાસ્તિ આદિ ધર્મોનાં અભિલાપ્ય (વચનગોચર) પર્યાયો કરતાં અનભિલાપ્ય પર્યાયો અનંતગુણા છે,
તેથી દરેક દ્રવ્યમાં કથંચિત્ અવક્તવ્યતા રહેલી છે. (૪) “SPAી ¥s, Yઈ, »+ Hayat : “કથંચિત્ આત્મા છે અને
નથી.” સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ આત્મા છે અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ આત્મા નથી, તેમ જ વર્તમાન પર્યાયની અપેક્ષાએ
આત્મા છે અને ભૂત-ભવિષ્ય પર્યાયની અપેક્ષાએ આત્મા નથી. (૫) “S2d6Y+QFt YaRe : “કથંચિતુ આત્મા છે અને
અવક્તવ્ય છે.” સ્વપર્યાયાદિની અપેક્ષાએ આત્મા છે અને યુગપતુ-સામાન્ય વિશેષ ઉભયની અપેક્ષાએ સમકાલે વચનથી અગોચર છે. તેથી અવક્તવ્ય છે. “S>d Yagઈ. Y+QP}at Hawat : “કથંચિત્ આત્મા નથી અને અવક્તવ્ય છે.” પરપર્યાયની અપેક્ષાએ આત્મા નથી અને યુગપતું ઉભય વિવક્ષા વડે સમકાલે અવક્તવ્ય છે. “ SS, Yઈ, Y+QPિ}Yag} : “કથંચિત્ આત્મા છે, નથી અને અવક્તવ્ય છે.” સ્વપરપર્યાયાદિની અપેક્ષાએ અનુક્રમે (અસ્તિ-નાસ્તિ) છે, અને નથી, પણ યુગપતું ઉભયની વિવક્ષાએ
સમકાલે અવક્તવ્ય છે. પ્રક. શક જાક . છીંક, પરમતત્વની ઉપાસના * ૧૦૫ થી કિ. જઈ શકે છે,
Page #69
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે નિત્ય-અનિત્યાદિ અનંત ધમની અનંત સપ્તભંગીઓ એક દ્રવ્યમાં અપેક્ષાએ થઇ શકે છે. પણ એક ધર્મની અપેક્ષાએ તો સાત જ ભાંગા અર્થાતું એક જ સપ્તભંગી ઘટી શકે છે.
આ અંગેની વિશદ વિચારણા ‘સમ્મતિ તર્ક', ‘તત્ત્વાર્થ સૂત્રવૃત્તિ અને ‘સાવાદ રત્નાકર' આદિ ગ્રંથોમાં કરવામાં આવી છે. જિજ્ઞાસુઓએ તેનું વિશેષ સ્વરૂપ જાણવા ગીતાર્થ ગુરુ ભગવંતોનો સમાગમ સાધવો જોઇએ.
નિક્ષેપ : (ન્યાસ, સ્થાપના) નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવાદિ વડે વસ્તુની વિચારણા કરવી, તેને નિક્ષેપ કહે છે.
જેમ જિનેશ્વરનું નામ એ “નામ જિન' છે. જિનેશ્વરની મૂર્તિ એ “સ્થાપના જિન’ છે.
જિનેશ્વરની પૂર્વ અને ઉત્તર અવસ્થા એ ‘દ્રવ્ય જિન’ છે અને સમવસરણમાં દેશના આપતાં તીર્થકર ભગવાન એ ‘ભાવ જિન’ છે.
આ પ્રમાણે ચાર, છે કે દશ પ્રકારના નિક્ષેપ વડે વિવિધ અપેક્ષાઓથી વસ્તુની વિચારણા કરવાથી વસ્તુનો સ્પષ્ટ બોધ થાય છે. જિનાગમોમાં આધ્યાત્મિક સાધનાના સુંદર, સચોટ અને સરળ ઉપાયો બતાવેલા છે.
સમ્યગુરત્નત્રયી (સમ્યગું દર્શન, સમ્યગૂ જ્ઞાન અને સમ્યગુ ચારિત્ર)ની પૂર્ણતા પ્રગટાવવાનાં સાધનો અને માર્ગાનુસારી આદિ ભૂમિકાવાળા સાધકોનું સૂક્ષ્મ અને વિસ્તૃત સ્વરૂપ જિનવાણી દ્વારા જાણી શકાય છે.
જિનવાણી સાપેક્ષ હોય છે. અર્થાતુ જિનવચન એ મુખ્યતાથી અને ગૌણતાથી યુક્ત હોય છે. સ્યાદ્વાદનું રહસ્ય અપેક્ષાવાદથી સમજાય છે.
દરેક વસ્તુ અનંત ધર્મયુક્ત હોય છે, પરંતુ અધિકારી વિશેષને આશ્રયીને તેને હિતકારી અને અવસરોચિત ધર્મની મુખ્યતાએ વસ્તુનું નિરૂપણ કરવું જોઇએ, અને શેષ અનિરૂપિત ધર્મની પણ સચોટ શ્રદ્ધા હોવી જોઇએ. આ રીતે મુખ્ય અને ગૌણ ધર્મની સાપેક્ષ પ્રરૂપણા કરવાથી શ્રોતાને યથાર્થ બોધ થાય છે. શ્રી જિનવાણીનું એ જ ગંભીર રહસ્ય છે. એક છોક શો , છોક પરમતત્ત્વની ઉપાસના * ૧૦૬ ] , .else.es
શુદ્ધ આત્મદ્રવ્યમાં પ્રત્યેક સમયે અનંતગુણ પર્યાયના જે ભિન્ન ભિન્ન અદ્દભુત અનુપમ કાર્યો એકી સાથે થયા કરે છે તેનું સ્વરૂપ પણ જિનવાણી દ્વારા જાણી શકાય છે. ઉદાહરણ રૂપે - (૧) શુદ્ધ આત્મદ્રવ્યમાં જ્ઞાનાદિ અનંતગુણ પર્યાયની સદા સત્તા છે. (૨) શુદ્ધ આત્મદ્રવ્યમાં જ્ઞાનાદિ અનંતગુણ પર્યાયની સદા પરિણતિ છે. (૩) શુદ્ધ આત્મદ્રવ્યમાં જ્ઞાનાદિ અનંતગુણ પર્યાયની સદા વર્તના છે. (૪) શુદ્ધ આત્મદ્રવ્યમાં જ્ઞાનાદિ અનંતગુણ પર્યાયની ઉપરોક્ત
પ્રવૃત્તિઓનું પૂર્ણ જ્ઞાન છે. (૫) શુદ્ધ આત્મદ્રવ્યમાં જ્ઞાનાદિ અનંતગુણ પર્યાયના ભોગનો આનંદ
પણ છે. શુદ્ધ આત્મદ્રવ્યમાં જ્ઞાનાદિ અનંતગુણ પર્યાયના વિષે રમણતા
કરવાનો આનંદ છે. (૭) શુદ્ધ આત્મદ્રવ્યમાં અવ્યાબાધ સુખાદિ અનંતગુણોનો ભિન્ન ભિન્ન
આનંદ છે ઇત્યાદિ.
આત્માનો આવો અતિ નાસ્તિ સ્વભાવ પ્રત્યેક સંસારી આત્મામાં અપ્રગટપણે રહેલો છે, તેનું યથાર્થ સ્વરૂપ જાણવાથી તેવા શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવાની રુચિ મુમુક્ષુ આત્માને થાય એ સહજ છે, પણ ઇચ્છામાત્રથી કાર્યસિદ્ધિ થતી નથી, જેનો એવો શુદ્ધ સ્વભાવ પ્રગટ છે, તેના પ્રતિ નમસ્કારભાવ કેળવવો જોઇએ અને તેમની કૃપાથી જ મારો મનોરથ પૂર્ણ થશે એવી અનન્ય શ્રદ્ધા સાથે તેમની પાસે એવી માંગણી મૂકવી જોઇએ.
આ સ્તવનની નવમી અને દશમી ગાથામાંથી આપણને આ હકીકત જાણવા મળે છે.
સાધના અને પ્રાર્થના કોઈપણ વસ્તુને ચાહું તેના કરતાં આત્માને ચૈતન્યમાત્રને | વધુ ચાહું, એવું મારું મન બનો, એ શ્રેષ્ઠ સાધના અને પ્રાર્થના છે.
પક છક થઈક કક.tle : પરમતત્ત્વની ઉપાસના * ૧૦૭ શl the le le we w
Page #70
--------------------------------------------------------------------------
________________
(૧૮) શ્રી અરનાથ જિન સ્તવન
(રામચંદ્રકે બાગ ચાંપો... એ દેશી)
પ્રણમો શ્રી અરનાથ, શિવપુર સાથ ખરોરી । ત્રિભુવન જન આધાર, ભવ નિસ્તાર કરોરી ॥ ૧ ॥
શ્રી અરનાથ ભગવાનને ભાવપૂર્વક નમસ્કાર કરો, કારણ કે એ જ શિવપુરના સાચા સાથી છે, એ જ મોક્ષમાર્ગના સાર્થવાહ છે, એ જ મિથ્યાત્વ અને અસંયમથી પીડિત ત્રણે જગતના સર્વ જીવોના આધાર છે, અને એ જ સંસારસાગરથી પાર ઉતારનારા છે. તેથી મુમુક્ષુ આત્માઓએ તેમનો જ આશ્રય લેવો જોઇએ.
કર્તા કારણ યોગ, કારજ સિદ્ધિ લહેરી |
કારણ ચાર અનૂપ, કાર્યાર્થી તેહ ગ્રહેરી ॥ ૨॥
કાર્યનો અર્થ કર્તા કાર્યને સિદ્ધ કરવા માટે જ્યારે ચાર કારણોને પ્રાપ્ત કરે છે; ત્યારે તે ચારે કારણોના યોગથી કાર્ય સિદ્ધ થાય છે, પરંતુ કારણ-સામગ્રી વિના એકલો કર્તા કાર્યને સાધી શકતો નથી.
ચાર કારણો : (૧) ઉપાદાન-કારણ, (૨) નિમિત્ત-કારણ, (૩) અસાધારણ-કારણ અને (૪) અપેક્ષા-કારણ.
જે કારણ તે કાર્ય, થાયે પૂર્ણ પદેરી ।
ઉપાદાન તે હેતુ, માટી ઘટ તે વધેરી II ૩ II જે કારણ પૂર્ણ પદે એટલે કે સમાપ્તિ સમયે પોતે જ કાર્યરૂપે પરિણમે પરમતત્ત્વની ઉપાસના * ૧૦૮
છે, તે ‘ઉપાદાન-કારણ' કહેવાય છે. જેમ ઘટ-કાર્યમાં કારણભૂત માટી પોતે
જ ઘટરૂપે પરિણમે છે - બને છે, તેથી માટી ઘટનું ઉપાદાન-કારણ છે. ઉપાદાનથી ભિન્ન, જે વિણ કાર્ય ન થાયે ।
ન હુવે કારજરૂપ, કર્તાને વ્યવસાયે ॥ ૪ ॥
કારણ તેહ નિમિત્ત, ચક્રાદિક ઘટ ભાવે II
કાર્ય તથા સમવાય, કારણ નિયતને દાવે ॥ ૫ ॥
જે કારણ ઉપાદાન-કારણથી ભિન્ન હોય, જેના વિના (ઉપાદાનકારણ વગેરેથી પણ) કાર્ય થઇ શકે નહિ, કર્તાનો વ્યાપાર છતાં પણ જેના વિના ઉપાદાન-કારણ કાર્યરૂપે ઉત્પન્ન થતું નથી, તે નિમિત્ત-કારણ કહેવાય છે. જેમ ઘટરૂપ કાર્યમાં ચક્ર, દંડ વગેરે નિમિત્ત-કારણ છે. ‘કાર્ય તથા સમવાય' જ્યારે કર્તા ઉપાદાન-કારણ (માટી વગેરે)ને કાર્ય (ઘટાદિ) રૂપે કરવા માટે નિમિત્ત (ચક્રદંડાદિ) કારણોનો પ્રયોગ કરે છે ત્યારે પ્રયોગકાલે તે કારણ કહેવાય, પણ તે સિવાયની અવસ્થામાં તેને નિમિત્ત-કારણ કહી શકાય નહિ.
વસ્તુ અભેદ સ્વરૂપ, કાર્યપણું ન ગ્રહેરી ।
તે અસાધારણ હેતુ, કુંભે થાસ લહેરી ॥ ૬ ॥
જે વસ્તુ ઉપાદાન-કારણથી અભિન્નપણે રહે છે, છતાં કાર્યરૂપે પરિણમતી નથી. અર્થાત્ કાર્ય ઉત્પન્ન થાય તે સમયે રહેતી નથી, તેને ‘અસાધારણ કારણ’ કહેવામાં આવે છે. જેમ ઘટ-કાર્યમાં સ્થાસ (થાળી), કોશ આદિ અવસ્થા.
જેહનો નવિ વ્યાપાર, ભિન્ન નિયત બહુ ભાવિ । ભૂમિ કાલ આકાશ, ઘટ કારણ સદ્ભાવી | ૭ || એહ અપેક્ષા હેતુ, આગમ માંહે કહ્યોરી ।
કારણ પદ ઉત્પન્ન, કાર્ય થયે ન લઘોરી ॥ ૮ ॥
જે કારણની કાર્ય કરવામાં પ્રવૃત્તિ થતી નથી, જેને મેળવવા માટે કર્તાને પ્રયાસ કરવો પડતો નથી અને જે કાર્યથી ભિન્ન હોય છતાં તેની આવશ્યકતા રહે છે, તથા પ્રસ્તુત કાર્ય સિવાયનાં અન્ય કાર્યોમાં પણ જેનો ઉપયોગ હોય છે, તેને શાસ્ત્રકારો ‘અપેક્ષા-કારણ’ કહે છે. જેમ પરમતત્ત્વની ઉપાસના × ૧૦૯
Page #71
--------------------------------------------------------------------------
________________
ઘટ-કાર્ય પ્રતિ ભૂમિ, કાલ અને આકાશ એ અપેક્ષા-કારણ છે. (અહીં ભૂમિ, કાલ અને આકાશનો કોઇ વ્યાપાર નથી. કર્તાને તે મેળવવા માટે કોઇ પ્રયાસ કરવો પડતો નથી, તે ભૂમિ આદિ કારણો ઘટથી ભિન્ન છે; તેમ જ તે ભૂમિ આદિ વિના કાર્ય થતું નથી. તેમ જ ઘટ સિવાયનાં અન્ય કાર્યોમાં પણ તે ભૂમિ આદિ કારણ બને છે.) કારણ પદ એટલે કે કારણતા એ ઉત્પન્ન છે, એટલે કે ઉત્પત્તિ ધર્મવાળી છે; કાર્યની પૂર્ણતા થતાં કારણતાનો નાશ થઇ જાય છે.
હવે સિદ્ધતારૂપ કાર્યમાં ચારે કારણોની યોજના કરે છે. કર્તા આતમ દ્રવ્ય, કાર્ય સિદ્ધિ પણોરી ! નિજ સત્તાગત ધર્મ, તે ઉપાદાન ગણોરી || ૯ ||
સિદ્ધતારૂપ કાર્ય આત્માથી અભિન્ન છે, માટે તેનો કર્તા આત્મા પોતે જ છે. સિદ્ધપણું પ્રગટાવવાની રુચિ ઉત્પન્ન થતાં આ આત્મા પોતે જ અંશતઃ કર્તા બને છે. પછી અનુક્રમે ગુણવૃદ્ધિ થતાં સંપૂર્ણ સિદ્ધતા પ્રગટતાં આ આત્મા પોતે જ તેનો સંપૂર્ણ કર્તા બને છે. નિજ સત્તાગત - પોતાની સત્તામાં રહેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય આદિ ઉપાદાન-કારણો છે. તે જ્ઞાનાદિની પૂર્ણતા એ જ સિદ્ધતા છે.
યોગ સમાધિ વિધાન, અસાધારણ તેહ વચેરી વિધિ આચરણ ભક્તિ, જિણે નિજ કાર્ય સધેરી || ૧૦ |
મન, વચન અને કાયા સમતાપૂર્વક આત્મ-સ્વભાવમાં રમણતા કરે તે યોગ સમાધિ છે, તેનું વિધાન એટલે કે ચોથા ગુણ સ્થાનકથી અનુક્રમે ગુણવૃદ્ધિ કરવી અને તે માટે તેનાં સાધનોનું વિધિપૂર્વક આચરણ-પાલન કરવું તથા દેવ-ગુરુ આદિની બહુમાનપૂર્વક ભક્તિ કરવી, જેથી સિદ્ધતારૂપ સ્વકાર્ય સિદ્ધ થાય.
આ બધાં મોક્ષનાં અસાધારણ કારણ છે. નરગતિ પઢમ સંઘયણ, તેહ અપેક્ષા જાણો | નિમિત્તાશ્રિત ઉપાદાન, તેહને લેખે આણો // ૧૧ ||
મનુષ્યગતિ, વજ ઋષભનારાચસંઘયણ, પંચેન્દ્રિય જાતિ વગેરે કારણો સિદ્ધતારૂપ કાર્યનાં અપેક્ષા-કારણ છે, પરંતુ જે સાધક એક છોક શો , છોક પરમતત્ત્વની ઉપાસના * ૧૧૦ ક. દરેક . છ.
આત્મસ્વભાવને પ્રગટ કરવાના આશયથી સુદેવ, સુગુરુ અને સુધર્મનું આલંબન લે છે, તેને મનુષ્યગતિ આદિ કારણો અપેક્ષા-કારણરૂપે ગણવાં, પરંતુ જેને નિમિત્તનું આલંબન ગ્રહણ નથી કર્યું તેનાં મનુષ્યગતિ આદિ અપેક્ષા-કારણ કહી શકાય નહિ.
નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી | પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમા એહ વખાણી || ૧૨ //.
સમતારૂપી અમૃતની ખાણ-અમૃતના ભંડાર એવા શ્રી જિનેશ્વર પરમાત્મા જ સિદ્ધતારૂપ કાર્યના પુષ્ટ નિમિત્ત-કારણ છે, તે પ્રભુનું આલંબન લેવાથી આત્માને સિદ્ધતાની અવશ્ય પ્રાપ્તિ થાય છે.
પુષ્ટ હેતુ અરનાથ, તેહને ગુણથી હલીયે ! રીઝ ભક્તિ બહુમાન, ભોગ ધ્યાનથી મલીયે / ૧૩ .
મોક્ષના પુષ્ટ હેતુભૂત શ્રી અરનાથ ભગવાનનાં કેવલજ્ઞાનાદિ ગુણોમાં પ્રીતિ, ભક્તિ અને બહુમાનપૂર્વક ધ્યાન દ્વારા તન્મય બની અનુભવ-અમૃતનો આસ્વાદ કરવો જોઈએ. પ્રભુ સાથે મળવાનો આ જ શ્રેષ્ઠ ઉપાય છે.
મોટાને ઉસંગ, બેઠાને શી ચિંતા | તિમ પ્રભુચરણ પસાય, સેવક થયા નિચિંતા . ૧૪ /
મોટા રાજઓના ખોળામાં બેસનારને જેમ કોઇ ચિંતા હોતી નથી, તેમ જિનેશ્વર પ્રભુના ચરણપ્રસાદથી (ભાવસેવા કે ચારિત્રના યોગે) સેવક પણ નિશ્ચિત બને છે. (પ્રભુની ભાવસેવા કરનારને ભવભ્રમણનો ભય ભાંગી જાય છે.)
અરે પ્રભુ પ્રભુતા રંગ, અંતર શક્તિ વિકાસી | દેવચંદ્રને આનંદ, અક્ષય ભોગ વિલાસી / ૧૫ //.
આ પ્રમાણે અરનાથ પ્રભુની પૂર્ણ પ્રભુતામાં તન્મય બનવાથી, સાધકની આંતરિક આત્મિક શક્તિઓનો વિકાસ થાય છે અને પૂર્ણ પ્રભુતાની પ્રાપ્તિ થાય છે, ત્યારે દેવોમાં ચંદ્ર સમાન ઉકવલ બની આત્મા પરમાનંદના અક્ષય ભોગનો વિલાસી બને છે. ક, શક પક, શક, છ, જ, પરમતત્ત્વની ઉપાસના * ૧૧૧ જો ,
Page #72
--------------------------------------------------------------------------
________________
તો શ્રી અરિહંત પરમાત્માનું ભાવપૂર્વક શરણ સ્વીકારી તેમની સેવાભક્તિ અને આજ્ઞાપાલનમાં તત્પર બનો અને ભાવોલ્લાસપૂર્વક તેમની પરમપ્રભુતામાં ધ્યાન દ્વારા તન્મય બની આંતરિક (આત્મિક) સહજ શક્તિઓનો વિકાસ સાધો !!
જેથી અલ્પકાળમાં જ સહજ આત્માનંદના અનુભવમાં મગ્ન થઇ અનુક્રમે સિદ્ધિના શાશ્વત સુખના ભોક્તા બનશો !
આ પ્રમાણે શ્રી જિનેશ્વર ભગવંતની ભક્તિ એ જ મુમુક્ષુને પરમ આધાર છે - ત્રાણ છે, શરણ છે !!
અઢારમા સ્તવનનો સાર :
આ સ્તવનમાં ચાર કારણોની વ્યાખ્યા બતાવીને મોક્ષરૂપ કાર્યમાં એ ચારે કારણોમાંથી નિમિત્ત-કારણની અધિક મહત્તા બતાવી છે. મોક્ષના પુષ્ટ નિમિત્ત અરિહંત પરમાત્મા છે. તેમનાં દર્શનાદિના આલંબનથી ભવ્ય આત્મા પોતાના શુદ્ધ સ્વભાવ (સ્વરૂપ)ને ઓળખી તેને પ્રાપ્ત કરવા તીવ્ર ઝંખના સેવે છે. અર્થાતુ મોક્ષરૂપ કાર્યને સિદ્ધ કરવાની રુચિ ઉત્પન્ન થાય છે અને જ્યારે જીવ પ્રભુભક્તિ, શાસ્ત્રાધ્યયન અને સંયમ વગેરેની સાધનામાં ઉજમાળ બને છે ત્યારે એ જીવ અંશતઃ મોક્ષરૂપ કાર્યનો કર્તા બને છે.
- આ પ્રમાણે નિમિત્તના યોગે ઉપાદાન-આત્માની મૂળ જ્ઞાનાદિ શક્તિઓ સિદ્ધતારૂપ કાર્ય સાધવામાં તત્પર બને છે. પછી તે આત્મા અનુક્રમે મન, વચન, કાયાની શુદ્ધિપૂર્વક યથાવિધિ અનુષ્ઠાનોના પાલનથી, દેવ-ગુરુની ભક્તિથી, સમ્યગુજ્ઞાનના અભ્યાસથી, ચારિત્રપાલનથી, ધર્મધ્યાનથી અને શુક્લ ધ્યાન વગેરેના આલંબનથી અનુક્રમે પોતાનાં પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે.
ચતુર્થગુણસ્થાનકથી એટલે કે સમ્યગુદર્શન ગુણની પ્રાપ્તિ થાય ત્યારથી યાવતુ ચતુર્દશ ગુણસ્થાનક (અયોગી અવસ્થા) સુધી ઉત્તરોત્તર આત્મશુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. પૂર્વ અવસ્થાની વિશુદ્ધિ ઉત્તર અવસ્થાની પ્રાપ્તિમાં કારણભૂત છે. અને તે આત્માથી અભિન્ન છે, માટે તેને “અસાધારણ કારણ” કહે છે.
આ રીતે વિચારતાં સ્પષ્ટ સમજી શકાય છે કે નિમિત્ત કારણના યોગથી જ ઉપાદાન અને અસાધારણ કારણની પ્રવૃત્તિ થાય છે અને અપેક્ષાકારણરૂપ મનુષ્યગતિ આદિની સફળતા થાય છે. માટે નિમિત્ત કારણની સર્વ કારણોમાં પ્રધાનતા છે.
અરિહંત પરમાત્મા જેવા સમર્થ સ્વામીનું ભાવપૂર્વક શરણ સ્વીકારવાથી મોહનો કે સંસારનો ભય નિર્મુલ થઇ જાય છે. જિન શાસનને પામી જીવ નિશ્ચિત નિર્ભય બની જાય છે.
હે ભવ્યાત્માઓ ! તમારે પણ જો ભવભ્રમણના ભયથી મુક્ત બની સહજ, અનંત, અક્ષય, અવ્યાબાધ, શાશ્વત સુખનો અનુભવ કરવો હોય, એક છોક કોક , છીંક, પરમતત્ત્વની ઉપાસના * ૧૧૨ ક. ૪ . કે. જો
તર્દષ્ટિ - વ્યવહારદૃષ્ટિ તત્ત્વદેષ્ટિ જ્ઞાનસ્વરૂપ છે, જેમાં વસ્તુનું સ્વરૂપ પ્રકાશે છે. વ્યવહારષ્ટિ ક્રિયા સ્વરૂપ છે. તે ક્રિયાઓ એટલે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું આચરણ. માટે તત્ત્વનું લશ્ય કરવું અને શક્યનો પ્રારંભ કરવો.
શકે છે , કઈ ક ક , પરમતત્વની ઉપાસના * ૧૧૩ શોક જોક ઝાંક, જો
છોક,
Page #73
--------------------------------------------------------------------------
________________
(૧૯) શ્રી મલ્લિનાથ જિન સ્તવના
| (દેખી કામિની દોયકે.. એ દેશી) મલ્લિનાથ જગનાથ ચરણયુગ ધ્યાઇએ રે | ૨૦ || શુદ્ધાતમ પ્રાગભાવ, પરમપદ પાઇએ રે || પ0 |. સાધક કારક ષક, કરે ગુણ સાધના રે || કo | તેથી જ શુદ્ધ સ્વરૂપ, થાય નિરાબાધના રે / થાળ || ૧ ||
જગતના નાથ શ્રી મલ્લિનાથ પરમાત્માના પાદપધનું ધ્યાન કરવાથી શુદ્ધ પરમાત્મપદનો પ્રાદુર્ભાવ થાય છે, કારણ કે શ્રી અરિહંત પ્રભુની સેવાથી સાધકના છયે કારક જ્ઞાનાદિ ગુણોની સાધના કરે છે અને આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટતાં તે જ ષટ્કારક નિરાબાદપણે પરિણમે છે.
ષટકારકનું સ્વરૂપ” કર્તા આતમ દ્રવ્ય, કાર્ય નિજ સિદ્ધતા રે II કા૦ || ઉપાદાન પરિણામ, પ્રયુક્ત તે કરણતા રે I DO || આતમ સંપદ દાન, તેહ સંપ્રદાનતા રે || તેo || દાતા પાત્ર ને દેય, ત્રિભાવ અભેદતા રે II ત્રિo || ૨ || કર્તા : આત્મદ્રવ્ય એ આત્મશુદ્ધિરૂપ કાર્યમાં પ્રવૃત્ત થયો. એ પહેલો કર્તાકારક છે. કાર્ય : સ્વસિદ્ધતા-જ્ઞાનાદિ સર્વ ગુણોની પૂર્ણતારૂપ કાર્ય એ બીજો કાર્યકારક છે.
(૩) કરણ : ઉપાદાન પરિણામ, તત્ત્વરુચિ, તત્ત્વજ્ઞાન, તત્ત્વપરિણતિ
- રમણતા એ ઉપાદાને કારણે છે અને અરિહંતાદિ નિમિત્ત કારણ
છે. તેનો પ્રયોગ કરવો એ ત્રીજો કરણકારક છે. (૪) સંપ્રદાન : આત્મસંપત્તિનું દાન અર્થાત જ્ઞાન, દર્શન, ચારિત્રનું
દાન આત્મા પોતે પોતાના ઉત્તરોત્તર ગુણને પ્રગટાવવા કરે તે ચોથો સંપ્રદાન કારક છે. અહીં દાતા આત્મા છે, પાત્ર પણ આત્મા છે અને દેય આત્મગુણો છે. એમ ત્રણેની અભેદતા છે. સ્વ-પર વિવેચન કરણ, તેહ અપાદાનથી રે / તેo || સકલ પયય આધાર, સંબંધ આસ્થાનથી રે || સં9 || બાધક કારક ભાવ, અનાદિ નિવારવો રે I અO ||.
સાધકતા અવલંબી, તેહ સમારવો રે || તેo || ૩ | (૫) અપાદાન : સ્વ-પરનો વિવેક કરવો, જેમ જ્ઞાનાદિ આત્મગુણો તે
‘સ્વ' છે, અને રાગદ્વેષાદિ ‘પરી’ છે, એમ વિચારીને તેનો વિવેક
કરવો તે પાંચમો અપાદાન કારક છે. (૬) આધાર : સમગ્ર સ્વપર્યાયનો આધાર આત્મા છે, આત્માનો
સ્વપર્યાય સાથે સ્વ-સ્વામિત્વાદિ સંબંધ છે તેનો આસ્થાન-આધારક્ષેત્ર આત્મા છે. તે છઠ્ઠો આધાર કારક છે.
અનાદિથી બાધકભાવે (મિથ્યાત્વ, અવિરતિ, કષાયાદિમાં) પરિણમેલા ‘ષકારક'ના ચક્રને ત્યાંથી અટકાવી દઇને સાધકતાના આલંબન વડે ‘સ્વરૂપ-અનુયાયી’ બનાવવું જોઇએ, જેથી સિદ્ધતામોક્ષરૂપ સ્વકાર્યની સિદ્ધિ થાય.
શુદ્ધપણે પર્યાય, પ્રવર્તન કાર્યમેં રે | Jo || કર્ણાદિક પરિણામ, તે આતમ ધર્મમેં રે / તેo || ચેતન ચેતન ભાવ, કરે સમવેતમેં રે / ક0 || સાદિ અનંતોકાલ, રહે નિજ ખેતમેં રે // ૨૦ | ૪ | હવે સિદ્ધ અવસ્થામાં પકારક પ્રવૃત્તિ કઈ રીતે છે, તે બતાવે છે.
શુદ્ધજ્ઞાન, દર્શનાદિ પર્યાયોનું જાણવા-દેખવારૂપ કાર્યનો અથવા ઉત્પાદ, વ્યયરૂપે પરિણમનનો કત શુદ્ધ આત્મા છે. શક, ઝોક જ દરેક જી. પરમતત્ત્વની ઉપાસના * ૧૧૫ ક. .જો આમ થક
(૨)
એક છોક કોક , કોઈક પરમતત્ત્વની ઉપાસના * ૧૧૪ ક. ૪, + 9
Page #74
--------------------------------------------------------------------------
________________
શુદ્ધજ્ઞાનાદિ પર્યાયોનું જાણવાદિ કાર્યમાં પ્રવર્તન થવું તે કાર્ય છે. કેવલજ્ઞાનાદિ ગુણો એ કરણ છે.
આત્મગુણોનું પરસ્પર સહાયરૂપ દાન અથવા લાભ તે સંપ્રદાન છે. પરભાવનો ત્યાગ એ અપાદાન છે.
અનંત ગુણોનો આશ્રય આત્મા છે તે આધાર છે.
આ રીતે પૂર્ણ શુદ્ધ આત્મદશામાં કર્યાદિ ષકારકનું પરિણમન સ્વસ્વરૂપમાં જ થાય છે. આત્મા સમવાય સંબંધથી આત્મામાં રહેલા જ્ઞાનાદિ સ્વકાર્યનો કર્યા છે અને એથી જ સિદ્ધ પરમાત્મા સાદિ અનંતકાળ સુધી અસંખ્યાત પ્રદેશરૂપ ક્ષેત્રમાં જ રહે છે.
પરકતૃત્વ સ્વભાવ, કરે ત્યાં લગે કરે રે / ક0 || શુદ્ધકાર્ય રુચિ ભાસ, થયે નવિ આદરે રે // થo || શુદ્ધાત્મ નિજ કાર્ય, રુચે કારક ફિરે રે // ૨૦ | તેહિ જ મૂળ સ્વભાવ, ગ્રહે નિજ પદ વરે રે I ગ્ર0 | ૫ //
આ જીવ જયાં સુધી પર (પુદ્ગલ) વસ્તુઓને પોતાની માની તેનો ભોગ કરે છે, ત્યાં સુધી જ તેને પરનું કર્તુત્વ - પરકર્તાપણું હોય છે; પરંતુ આ જીવને જયારે શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટાવવાની રુચિ જાગે છે, ત્યારે તે જીવ પરકર્તુત્વને આદરતો નથી, એટલે કે મોક્ષરૂપી કાર્ય કરવાની અભિલાષા થતાં પરનું કર્તાપણું જીવ કરતો નથી. શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ કાર્ય કરવાની રુચિ થવાથી કારકચક્ર ફરી જાય છે અને સ્વકાર્યને અનુરૂપ તે પોતાના મૂળ સ્વભાવને એટલે કે આ જીવ પોતાના અચળ, અખંડ, અવિનાશી આત્મસ્વભાવને ગ્રહણ કરે છે, અને તેથી આત્મા નિજ - પોતાના પરમાત્મ-પદને વરે છે - પામે છે.
કારણ કારજરૂપ, અછે કારક દશા રે // અO ||. વસ્તુ પ્રગટ પર્યાય, એહ મનમેં વસ્યા રે || એO || પણ શુદ્ધ સ્વરૂપ ધ્યાન, ચેતનતા ગ્રહે રે I ચેo |. તવ નિજ સાધકભાવ, સકલ કારક લહે રે I સ0 || ૬ || પકારક શું છે ? -
કર્નાદિ છયે કારકની દશા - અવસ્થાનો વિચાર કરતાં જણાય છે છક જ શકશો કે તે પરમતત્ત્વની ઉપાસના * ૧૧૬ . . . . #j
કે કારક એ કારણ અને કાર્યરૂપ છે કેમ કે તે કાર્યને સિદ્ધ કરવાનાં સાધનો છે અને તે વસ્તુના - આત્માના પ્રગટ – નિરાવરણ પર્યાયો છે. આ શાસ્ત્રવચન મનમાં વસેલું છે, પરંતુ જયારે નિરાકાર કે સાકાર ચેતના, શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાનમાં લયલીન બને છે ત્યારે કદિ છે કારકો પરભાવને છોડી દઇને નિજ સાધકભાવને પામે છે.
કર્મનું વિદારણ કરવું અને સ્વરૂપને પ્રગટ કરવું એ જ કારકનો સાધક સ્વભાવ છે.
માહરું પૂર્ણાનંદ, પ્રગટ કરવા ભણી રે // પ્ર0 || પુષ્ટાલંબનરૂપ, સેવ પ્રભુજી તણી રે I સેo દેવચંદ્ર જિનચંદ્ર, ભક્તિ મનમેં ધરો ! ભવ // અવ્યાબાધ અનંત, અક્ષયપદ આદરો / અO | ૭ |.
આ રીતે શ્રી અરિહંત પરમાત્માનાં દર્શન-પૂજા અને સેવનથી છથે કારકનું બાધકપણું ટળી જઇને સાધકપણું પ્રાપ્ત થતાં, અનુક્રમે પૂર્ણાનંદ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. તેથી મારા પૂર્ણાનંદ-અવ્યાબાધ સુખને પ્રગટ કરવામાં પુષ્ટ (નિયામક) નિમિત્ત - આલંબનરૂપ શ્રી અરિહંત પ્રભુની સેવા (આજ્ઞાપાલન) જ છે; માટે દેવોમાં ચંદ્ર સમાન નિર્મળ એવા જિનેશ્વર પરમાત્માની પરમભક્તિને હૃદયમાં ધારણ કરો અને અવ્યાબાધ (પરભાવની પીડારહિત) અનંત, અક્ષય પદને વરો...! જિનભક્તિ એ જ સર્વસાધનાનો સાર છે. ૨ ઓગણીસમાં સ્તવનનો સાર :
વિશ્વનાં સર્વ કોઇ કાર્યોમાં કારકચક્રની પ્રવૃત્તિ અવશ્ય હોય છે. પકારકની પ્રવૃત્તિ વિના કોઇ પણ કાર્યની નિષ્પત્તિ-સિદ્ધિ થતી નથી. દા.ત. ઘટરૂપ કાર્ય કરવામાં પણ પકારકની પ્રવૃત્તિ હોય છે, તે આ પ્રમાણે હોય છે. (૧) કર્તા : કુંભકાર ઘટકાર્યની પ્રવૃત્તિ કરનાર છે. (૨) કાર્ય : ઘટ બનાવવાનો સંકલ્પ છે. (૩) કારણ : માટીનો પિંડ એ ઉપાદાન કારણ છે અને દંડ-ચક્રાદિ
નિમિત્ત કારણ છે. તે બંને ઘટ બનાવવાનાં પ્રધાન સાધનો છે. ભક ક ક ક શ ક પરમતત્વની ઉપાસના * ૧૧૭ જhat ek j jક
Page #75
--------------------------------------------------------------------------
________________
(૪) સંપ્રદાન : માટીના પિંડને સ્થાસ, કોશ કુશલાદિ નવા નવા પર્યાયો
અર્થાતું આકારો આપવા તે. (૫) અપાદાન: પિંડાદિ – પૂર્વ પૂર્વ પર્યાયો (આકારો)નો નાશ થવો તે. (૬) આધાર : ઇટાદિ સર્વ પર્યાયોનો આધાર - ભૂમિ-ક્ષેત્ર છે.
ઘટકાર્યની જેમ દરેક કાર્યમાં પકારકની પ્રવૃત્તિ અવશ્ય હોય છે.
સંસારી આત્મા પણ કર્મબંધરૂપ કાર્યને અનાદિ કાલથી કરી રહ્યો છે. તેથી તેના પકારક અનાદિથી બાધકભાવે પરિણમી રહ્યા છે.
કર્તા : આત્મા છે, ભાવકર્મ (રાગ-દ્વેષાદિ વિભાવ) અને દ્રવ્યકર્મ (જ્ઞાનાવરણીયાદિ રૂપ કાર્યનો એ કર્તા બન્યો છે.
કાર્ય : ભાવકર્મ અને દ્રવ્યકર્મ રૂપ કાર્ય આત્મા દ્વારા થાય છે.
કારણ : ભાવાસ્રવ - રાગદ્વેષાદિ પરિણામ અને દ્રવ્યાસ્રવ - હિંસાદિ એ કર્મબંધ રૂપ કાર્યના પ્રધાન સાધનો છે.
સંપ્રદાન : અશુદ્ધતા - સંમ્પિષ્ટતાની પ્રાપ્તિ તથા વ્યકર્મ પુજનો સંયોગ એ સંપ્રદાન છે.
અપાદાન : આત્મસ્વરૂપનો અવરોધ, ક્ષયોપશમાદિ ભાવોની હાનિ વગેરે અપાદાન છે.
આ પ્રમાણે સર્વસંસારી જીવોનું કારકચક્ર જ્યાં સુધી શ્રી અરિહંત પરમાત્માના આલંબન વડે સ્વસાધ્યને સિદ્ધ કરવાની રુચિ ન પ્રગટે, ત્યાં સુધી બાધક ભાવે જ પરિણમે છે. પરંતુ જયારે શુદ્ધ આત્મતત્ત્વની રુચિરૂપ સમ્યગુ દર્શનની પ્રાપ્તિ થાય છે, ત્યારે ચોથા ગુણસ્થાનકથી આરંભીને ચૌદમા-અયોગી ગુણસ્થાનક સુધી પકારક સાધક ભાવે પ્રવૃત્તિ કરે છે, અને સિદ્ધ અવસ્થામાં સ્વકર્માદિક કારકચક્ર તે શુદ્ધ પારિણામિક ભાવે પરિણમે છે.
- સાધભાવને પ્રાપ્ત થયેલ ષકારકનું ચક્ર એ ચક્રવર્તીના ચક્રરત્નની જેમ કર્મશત્રુને વિદારણ કરવામાં સંપૂર્ણ સમર્થ બને છે.
આ કારકચક્રની અનાદિકાલીન બાધક પ્રવૃત્તિને અટકાવી દઇને મોક્ષસાધક પ્રવૃત્તિમાં તેને ગતિમાન કરવાનો ઉપાય શાસ્ત્રોમાં આ પ્રમાણે દર્શાવવામાં આવ્યો છે. એક છોક કોક , છીંક, પરમતત્ત્વની ઉપાસના * ૧૧૮ ક. ૪ક ક ક જj
(૧) પરમાત્મભક્તિ :
અનંત ગુણના ભંડાર, સ્વરૂપ-રમણી, સ્વરૂપવિશ્રામી, સ્વરૂપાનંદી, શાંત સુધાસિંધુ, એવા શ્રી અરિહંત પરમાત્માનાં દર્શન, પૂજન, વંદન, સ્મરણ, ધ્યાન અને આજ્ઞાપાલન કરવાથી જયારે પ્રભુની પૂર્ણ પ્રભુતા જેવી, પોતાની પૂર્ણ પ્રભુતાનું ભાન થાય છે અને તેને પ્રગટાવવાની રુચિ-અભિલાષા, જાગ્રત થાય છે, ત્યારે કદિ કારકો સ્વભાવના સાધક બને છે. માટે સૌ પ્રથમ પરમાત્માનાં દર્શન, પૂજન, વંદન આદિ ભક્તિ - બહુ – માનપૂર્વક કરવા તત્પર બનવું જોઇએ. (૨) આત્મસંપ્રેક્ષણ દ્વારા આત્મશિક્ષા :
આત્માને અહર્નિશ આ પ્રમાણે હિતશિક્ષા આપવી જોઇએ : હે ચેતન ! તું આ સંસારમાં વિષય-કષાયાદિની દુષ્ટ પ્રવૃત્તિ કરીને તેનાં સાધનો તન, ધન, સ્ત્રી, પુત્રાદિ પરિવાર આદિમાં અત્યંત આસક્તિ રાખે છે, પરંતુ આ તારી વિભાવ-પરિણતિ છે, તારું મૂળ સ્વરૂપ તો તેનાથી જુદું છે. માટે ‘આ બધી વસ્તુઓ મારી છે. અને હું તેનો કર્તાભોક્તા છું', એવું મિથ્યા અભિમાન તું શા માટે ધારણ કરે છે ? પુગલમાત્ર વિનશ્વર છે - નાશવંત છે. આ બધા મળેલા સંયોગો પણ ક્ષણિક છે, અલ્પ સમય પૂરતા જ છે. તેના સંયોગથી જ તું તારા શુદ્ધ સ્વરૂપને વીસરી ગયો છે અને તે શુદ્ધ સ્વરૂપના વિસ્મરણને લઇને જન્મ, જરા અને મરણાદિકનાં અનંત દુ:ખોની પરંપરા તારે ભોગવવી પડે છે. માટે હે જીવ ! હવે તું જિનવાણી રૂપ અમૃતનું પાન કરી રાગદ્વેષાદિ વિભાવવિષને દૂર કર ! અને તારા પૂર્ણ શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવા માટે દેઢ નિશ્ચયી બન ! આ જ તારું મહાન કર્તવ્ય છે.
આ કાર્ય કરવાની સમ્યગુદર્શનાદિ શક્તિઓ તારામાં જ રહેલી છે. શુદ્ધ દેવ-ગુરુ-ધર્મનાં પુષ્ટ નિમિત્તને પામીને તું સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યકુચારિત્રાદિ ગુણોને પ્રાપ્ત કર, અને તારા અસંખ્ય પ્રદેશમાં રહેલા અનંતાનુણ-પર્યાયરૂપ પરિવારને તે ગુણો સમર્પિત કરી જેથી તે સર્વ ગુણો ઉત્તરોત્તર વિકસિત બનતા જાય, હે જીવ ! તારી ક, શક પક, શક, છ, જ, પરમતત્ત્વની ઉપાસના * ૧૧૯ ક. ૦, શોક કે ,
Page #76
--------------------------------------------------------------------------
________________
સર્વ સંપત્તિનો આધાર પણ તું પોતે જ છે, માટે તું તારા તત્ત્વને પ્રગટ કરવા સદા પુરુષાર્થશીલ અને જાગ્રત બન !
(૩) આત્મભાવના :
ઉપર્યુક્ત રીતે શુભ ભાવનાથી ભાવિત થયેલો આત્મા પરમાત્માના ધ્યાનમાં તન્મય બની શકે છે. પરમાત્મસ્વરૂપમાં સ્થિરતા મેળવવા આ
પ્રમાણે ભાવના ભાવવી જોઇએ.
(૧) એકતા : હું જ્ઞાનાદિ અનંત ગુણ-પર્યાયના સમુદાય સ્વરૂપ એક, અખંડ, અવિનાશી આત્મદ્રવ્ય છું.
(૨) શુદ્ધતા : નિશ્ચયનયની અપેક્ષાએ હું પૂર્ણ, શુદ્ધ, નિષ્કલંક, નિર્દોષ, નિરામય, નિઃસંગ આત્મા છું. જોકે વ્યવહારનયની અપેક્ષાએ અનાદિકાળથી પરભાવમાં લુબ્ધ બની, સ્વભાવભ્રષ્ટ થઇ અશુદ્ધ બનેલો છું. છતાં જાતિથી મૂળધર્મે તો હું શુદ્ધ-ગુણ પર્યાયમય આત્મા જ છું. (૩) નિર્મમ : હું મમતા (મારાપણ)થી રહિત છું. (૪) હું કેવલ જ્ઞાનમય અને કેવલ દર્શનમય છું. (૫) શુદ્ધ સ્વરૂપનાં ભાસન (અનુભવજ્ઞાન) અને રમણતામાં સ્થિર થયેલો હું સર્વ બાહ્ય અને અત્યંતર ઉપાધિઓનો નાશ કરી રહ્યો છું. આ પ્રમાણે પ્રભુભક્તિ અને આત્મભાવના આદિ ઉપાયો દ્વારા પકારકચક્ર શુદ્ધ આત્મસ્વરૂપનું સાધક બને છે અને સાધકતાને પામેલા કારકોની પ્રવૃત્તિ પરિવર્તન પામે છે ત્યારે સાધકને ‘હું આત્મધર્મનો કર્તા છું, આત્મધર્મમાં પરિણમવું એ મારું કાર્ય છે; જ્ઞાનાદિ ગુણો એ મારા આત્મધર્મને અનુરૂપ પ્રવૃત્તિ કરે છે, આત્માની અપૂર્વ અપૂર્વ શક્તિઓ ક્રમશઃ પ્રગટતી જાય છે. અને સમગ્ર ગુણપર્યાયનો આધાર મારો આત્મા જ છે', એવી પ્રતીતિ થાય છે.
આ રીતે ‘ષટ્કારક' સાધક ભાવને પામે છે ત્યારે અવશ્ય સિદ્ધતારૂપ કાર્ય સિદ્ધ થાય છે.
આ છ કા૨ક એ કાર્યને ઉત્પન્ન કરવાનાં સાધનો છે, માટે એ કારણના જ પ્રકારો છે. સર્વ કાર્ય કર્તાને આધીન હોય છે; પરંતુ કારણાદિ સામગ્રી વિના કર્તા કોઇ પણ કાર્ય કરવા સમર્થ બની શકતો નથી.
પરમતત્ત્વની ઉપાસના * ૧૨૦
આત્માના છ કારક એ આત્માના પ્રગટ-નિરાવરણ પર્યાય છે. કર્તાપણું વગેરે આત્માનો વિશેષ સ્વભાવ છે. ગુણ અને પર્યાયને આવરણ હોય છે પણ સ્વભાવને કોઇ આવરણ હોતું નથી; પરંતુ તેનાં કારણભૂત ચેતના અને વીર્ય કર્મથી આવૃત્ત છે, તેથી કર્તૃત્વશક્તિ મંદ પડે છે. વિપરીત રૂપે પરિણમે છે. પણ તે કર્તૃત્વશક્તિ કદાપિ મૂળથી આવૃત
થતી નથી.
મૂળ આત્મસ્વરૂપ કર્મથી આવૃત હોવાને લીધે કર્મબંધ રૂપ અશુદ્ધ કાર્યનો કર્તા જીવ બને છે, પરંતુ જ્યારે પરમાત્માના આલંબને શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવાની રુચિ જાગે છે, ત્યારે કર્તૃત્વઆદિ ષટ્કારક સ્વકાર્ય કરવાને શક્તિમાન થાય છે. માટે શ્રી અરિહંત પરમાત્માની સેવા
એ જ મોક્ષપ્રાપ્તિનો સરળ અને સર્વશ્રેષ્ઠ ઉપાય છે, આ જ સર્વશાસ્ત્રોનું પરમ રહસ્ય છે. તે રહસ્યને પામીને સર્વ મુમુક્ષુ આત્માઓએ જિનભક્તિમાં તત્પર અને તન્મય થવા સદા ઉદ્યમશીલ બનવું જોઇએ.
આત્મજ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થાય ?
પૂજ્યશ્રી : જેમ ઝવેરાત ઝવેરીની દુકાનેથી મળે તેમ આત્મજ્ઞાન ગુરુગમવર્ડ મળે. તે માટે ગુરુજનો પ્રત્યે અત્યંત બહુમાન જોઈએ. ગુરુજનોના બહુમાન વગરનું જ્ઞાન જીવનું પતન કરાવે, ગર્વ કરાવે. ગુરુજનો આ જન્મે કે અન્ય જન્મે તીર્થંકરનો યોગ કરી આપે તેવી ચાવી આપે છે. જે મોક્ષનું કારણ બને છે.
પરમતત્ત્વની ઉપાસના * ૧૨૧
Page #77
--------------------------------------------------------------------------
________________
(૨૦) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન
(ઓલગડી ઓલગડી સુંહલી હો... એ દેશી) ઓલગડી ઓલગડી તો કીજે,
શ્રી મુનિસુવ્રત સ્વામીની રે, જેહથી નિજ પદ સિદ્ધિ કેવલજ્ઞાનાદિક ગુણ ઉલ્લસે રે, લહીએ સહજ સમૃદ્ધિ ।। ૧ ।। શ્રી મુનિસુવ્રત ભગવાનની ઓલગડી-સેવા અર્થાત્ ગુણગાન જરૂર કરવાં જોઇએ, જેથી આત્માનું પરમાનંદપદ સિદ્ધ થાય. કેવલજ્ઞાનાદિ ગુણો પ્રગટે અને સહજ આત્મસંપત્તિ પ્રાપ્ત થાય.
ઉપાદાન, ઉપાદાન નિજ પરિણતિ વસ્તુની રે,
પણ કારણ નિમિત્ત આધીન !
પુષ્ટ-અપુષ્ટ દુવિધ તે ઉપદિશ્યો રે,
ગ્રાહક વિધિ આધીન || ઓ૦ | ૨ || ઉપાદાન એ વસ્તુની નિજ પરિણતિ એટલે વસ્તુનો મૂળ ધર્મ છે; પરંતુ તે નિમિત્ત કારણને આધીન છે. એટલે કે નિમિત્તના યોગથી ઉપાદાનશક્તિ જાગ્રત થાય છે.
તે નિમિત્ત કારણના પુષ્ટ નિમિત્ત અને અપુષ્ટ નિમિત્ત એમ બે ભેદ આગમમાં બતાવવામાં આવ્યા છે, તે નિમિત્ત, કર્તાની વિધિપૂર્વકની ક્રિયાને આધીન છે એટલે કે કર્તા જો નિમિત્તનો વિધિપૂર્વક કાર્ય કરવામાં ઉપયોગ કરે તો નિમિત્ત કાર્યકર બને છે. તે સિવાય નિમિત્ત કાર્ય કરી શકતો નથી.
ભારતીય પરમતત્ત્વની ઉપાસના * ૧૨૨ માતાની વિશિષ
સાધ્ય સાધ્ય ધર્મ જે માંહે હોવે રે, તે નિમિત્ત અતિપુષ્ટ ! પુષ્પમાંહે તિલવાસક વાસના રે,
તે નવિ પ્રધ્વંસક દુષ્ટ | ઓ॰ ॥ ૩ ॥ જે કારણમાં સાધ્ય ધર્મ (કાર્ય ધર્મ) વિદ્યમાન હોય, તેને પુષ્ટનિમિત્ત કારણ કહેવાય છે, જેમ કે, પુષ્પમાં તેલને વાસિત બનાવવારૂપ કાર્ય-ધર્મ વાસના-સુગંધ વિદ્યમાન છે પરંતુ તેલની વાસનાને ધ્વંસ કરવાની દુષ્ટતા નથી, એટલે પુષ્પ તેલને વધુ સુગંધિત બનાવવાનું પુષ્ટ કારણ છે.
તેવી રીતે શ્રી અરિહંત પરમાત્મા મોક્ષરૂપ કાર્યનાં પુષ્ટ નિમિત્ત કારણ છે. મોક્ષની અભિલાષાથી વિધિપૂર્વક જે તેમની સેવા કરે, તે અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે.
દંડ દંડ નિમિત્ત અપુષ્ટ ઘડા તણો રે, નવિ ઘટતા તસુમાંહિ ! સાધક સાધક પ્રધ્વંસકતા અછે રે,
તિણે નહિ નિયત પ્રવાહ || ઓ૦ || ૪ || જે કારણમાં સાધ્ય ધર્મ વિદ્યમાન ન હોય તે અપુષ્ટ નિમિત્ત કારણ કહેવાય છે. જેમ દંડ ઘટરૂપ કાર્યમાં અપુષ્ટ નિમિત્ત કારણ છે, કેમ કે દંડમાં ઘટત્વ વિદ્યમાન નથી. કર્તાની ઇચ્છા મુજબ દંડ એ ઘટની ઉત્પત્તિમાં જેમ કારણભૂત છે તેમ તે જ દંડ ઘટધ્વંસ કરવામાં પણ કારણભૂત બને છે. તેનો નિશ્ચિત કોઇ એક પ્રવાહ નથી.
ષટ્ કારક ષટ્ કારક તે કારણ કાર્યનું રે, જે કારણ સ્વાધીન ! તે કર્તા તે કર્તા સહુ કારક તે વસુ રે,
કર્મ તે કારણ પીન | ઓ૦ | ૫ || કર્તાદિ છયે કારક એ દરેક કાર્યની ઉત્પત્તિમાં કારણ છે. જ્યાં કર્તા ક્રિયા કરે છે, ત્યાં સહજપણે ષટ્ કારકની હાજરી અવશ્ય હોય છે. (૧) કાર્ય કરવામાં જે સ્વાધીન - સ્વતંત્ર કારણ હોય અને શેષ સર્વ કારકો પણ જેને આધીન હોય તે કર્તા કારક કહેવાય છે. (૨) જે કારણ વડે પુષ્ટ બને અને જે કરવાથી થાય તે કાર્ય કારક કહેવાય છે. ભારતીય પરમતત્ત્વની ઉપાસના * ૧૨૩
મી
Page #78
--------------------------------------------------------------------------
________________
કાર્ય કાર્ય સંકલ્પ કારક દશા રે, છતી સત્તા સદ્ભાવ | અથવા તુલ્ય ધર્મને જોય રે, સાધ્યારોપણ દાવ | ઓo || ૬ ||
પ્રશ્ન : બીજા કર્મ કારકને કારણ કેમ કહી શકાય ? એ પોતે જ કાર્ય રૂપ છે.
ઉત્તર : કર્તા સૌ પ્રથમ કાર્ય કરવાનો સંકલ્પ કરે છે, દા.ત. મારે ઘટ બનાવવો છે, કત બુદ્ધિ દ્વારા આવો સંકલ્પ કરીને કાર્ય કરવાનો પ્રારંભ કરે છે, માટે સંકલ્પ એ કાર્યનું કારણ છે. અથવા મૂળ ઉપાદાન કારણ (માટી)માં (ઘટ) રૂપ કાર્યની યોગ્યતા સત્તામાં રહેલી છે. એટલે સત્તાગત કાર્યત્વ એ પ્રાગુભાવી કાર્યનું કારણ છે, અથવા તુલ્ય - સમાન ધર્મ જોવાથી કાર્ય કરવાનો સંકલ્પ થાય છે; જેમ કે શ્રી જિનેશ્વર પ્રભુને જોઈ ભવ્યાત્માઓને વિચાર થાય છે કે “મારે પણ આવું પૂર્ણાનંદ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે. આ રીતે કાર્યને પણ કારણ કહી શકાય છે. આ યુક્તિઓથી વિચારતાં જાણી શકાય છે કે સાધ્યનું આરોપણ કરવું એ કર્મમાં કારકપણું છે.
અતિશય અતિશય કારણ કારક કરણ તે રે, નિમિત્ત અને ઉપાદાન ! સંપ્રદાન સંપ્રદાન કારણ પદ ભવનથી રે;
કારણ વ્યય અપાદાન || ઓo || 9 || (૩) ઉત્કૃષ્ટ - પ્રધાન કારણ તે કરણ કારક છે અને તે નિમિત્ત અને
ઉપાદાન એમ બે પ્રકારે છે. જેમ મોક્ષ કાર્યમાં ઉપાદાને આત્મસત્તા
છે અને નિમિત્ત પ્રભુસેવા છે. (૪) કારણ પદ - પર્યાયનું ભવન - ઉત્પન્ન થવું એટલે ઉપાદાન
કારણમાં અપૂર્વ – અપૂર્વકારણ પર્યાયની ઉત્પત્તિ – પ્રાપ્તિ થવી અથવા કાર્યમાં અપૂર્વ અપૂર્વકારણ પર્યાયની ઉત્પત્તિ - પ્રાપ્તિ થવી
તે સંપ્રદાન કારક છે. (૫) પૂર્વ (પુરાતન) કારણ પર્યાયનો વ્યય – વિનાશ થવો એ અપાદાન
કારક છે. સંપ્રદાન અને અપાદાનમાં કારણતા કઈ રીતે છે, તે
આગળની ગાથામાં બતાવે છે : ક.દક, જો આ શક પરમતત્વની ઉપાસના * ૧૨૪ જક છોક છક થઈ છjapl
ભવન ભવન વ્યય વિણુ કારજ નવિ હોવે રે,
- જિમ દેષદે ન ઘટવ ! શુદ્ધાધાર શુદ્ધાધાર સ્વગુણનો દ્રવ્ય છે રે,
સત્તાધાર સુતત્વ | ઓo || ૮ || ભવન એટલે નવીન પર્યાયની ઉત્પત્તિ અને વ્યય એટલે પૂર્વ પર્યાયનો નાશ. એ થયા વિના કાર્યની નિષ્પત્તિ થતી નથી. જેમ કે દૈષદ્ - પથ્થરમાં ઘટ પર્યાયની ઉત્પત્તિની યોગ્યતા નથી, તેથી કુંભાર ઘટ બનાવવા પ્રયત્ન કરે તો પણ પથ્થરથી ઘડો બની શકતો નથી, માટીમાં ભવન વ્યયની ક્રિયા થાય છે, જેમ કે પિંડ પર્યાયનો નાશ અને સ્થાશ (થાળી) પર્યાયની ઉત્પત્તિ સ્થાસ પર્યાયનો નાશ અને કોશ પર્યાયની ઉત્પત્તિ, ઇત્યાદિ કુશલ, કપાલ પર્યાયની ઉત્પત્તિ અને નાશ થતાં ઘટકાર્ય ઉત્પન્ન થાય છે.
એ રીતે મોક્ષ - સિદ્ધતારૂપ કાર્યમાં પણ પ્રથમ મિથ્યાત્વ પર્યાયનો નાશ, અને સમ્યકત્વ પર્યાયની ઉત્પત્તિ વગેરે ભવનયની પ્રક્રિયા થતાં ક્રમશઃ અયોગી અવસ્થાનો વ્યય થાય, પછી સિદ્ધતારૂપ કાર્ય ઉત્પન્ન થાય છે. (૬) સ્વગુણનો-પોતાના જ્ઞાનાદિ ગુણોનો આધાર શુદ્ધ આત્મદ્રવ્ય જ
છે. અને શુદ્ધ આત્મતત્ત્વને સત્તાનો આધાર છે, અથવા સત્તાનો આધાર શુદ્ધ આત્મતત્ત્વ છે. આતમ આતમ કત કાર્ય સિદ્ધતા રે, તસુ સાધન જિનરાજ ! પ્રભુ દીઠે પ્રભુ દીઠે કારજ રુચિ ઊપજે રે,
પ્રગટે આત્મ સમ્રાજ | ઓo // ૯ / મોક્ષ-સિદ્ધતારૂપ કાર્યનો કર્તા મોક્ષાભિલાષી આત્મા છે અને તેનું પ્રધાન સાધન શ્રી જિનેશ્વર પરમાત્મા છે. કેમ કે પરમાત્માના દર્શનથી મોક્ષની-પૂર્ણશુદ્ધ સ્વરૂપની રુચિ પેદા થાય છે અને તે મોક્ષની રુચિ વધવાથી આત્માનું સંપૂર્ણ સામ્રાજ્ય પ્રગટે છે.
વંદન વંદન નમન સેવન વલી પૂજનારે, સ્મરણ સ્તવન વલી ધ્યાના દેવચંદ્ર દેવચંદ્ર કીજે જગદીશનું રે, પ્રગટે પૂર્ણ નિધાન છે.
ઓo || ૧૦ || ક, છજ, ઝ, છીંક, પરમતત્તની ઉપાસના * ૧૨૫ ક. ૪, ૧.le,
Page #79
--------------------------------------------------------------------------
________________
મોક્ષની રુચિ ઉત્પન્ન કરવા માટે, જગતના ઇશ – જગતના નાથ અને દેવોમાં ચંદ્ર સમાન નિર્મળ, એવા શ્રી જિનેશ્વર પરમાત્માનાં વંદન, નમન, સેવન, પૂજન, સ્મરણ, સ્તવન અને ધ્યાન કરવા જોઇએ, જેથી આત્મામાં રહેલા સંપૂર્ણ સુખનો તથા અનંત ગુણનો નિધાન પ્રગટ થાય છે. જ વીસમા સ્તવનનો સાર :
પૂર્વના સ્તવનમાં વર્ણવેલા પકારકનાં સ્વરૂપનું અહીં લક્ષણ બતાવવા દ્વારા વિશેષ સ્પષ્ટીકરણ કર્યું છે. તેમ જ પુષ્ટ અને અપુષ્ટ નિમિત્ત કારણનાં લક્ષણ બતાવવામાં આવ્યાં છે.
શ્રી અરિહંત પરમાત્મા એ મોક્ષના પુષ્ટ નિમિત્ત છે, તેમનાં દર્શનપૂજન, વંદન અને સેવા વિના મોક્ષની રુચિ પ્રગટતી નથી, અને મોક્ષની અભિલાષા જાગ્રત થયા વિના મોક્ષરૂપ કાર્ય થઇ શકતું નથી.
તે માટે ભવ્યાત્માઓએ પરમાત્માને વંદન - બે હાથ જોડવા, નમન - મસ્તક નમાવવું, સેવના – આજ્ઞા માનવી, પૂજના - પુષ્પાદિથી પૂજા કરવી, સ્મરણ - તેમના ગુણોને સંભારવા, સ્તવન – વાણી દ્વારા તેમના ગુણો ગાવા, ધ્યાન - પ્રભુનાં ગુણોમાં ચિત્તને એકાગ્ર કરવું જોઇએ. જેથી પૂર્ણાનંદમય શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય.
શ્રી જિનેશ્વર પરમાત્માની સેવા-ભક્તિનું આ જ મહાન ફળ છે.
(૨૧) શ્રી નમિનાથ જિન સ્તવન (પીઠીલારી પાલ, ઊભા હોય રાજવી રે... એ દેશી). શ્રીનમિ જિનવર સેવ, ઘનાઘન ઊનમ્યો ૨. | ઘ0 || દીઠાં મિથ્યા રોરવ, ભવિક ચિત્તથી ગમ્યો . // ભo | શુચિ આચરણા રીતિ તે, અભ્ર વધે વડાં રે / અO | આત્મપરિણતિ શુદ્ધ, તે વીજ ઝબૂકડા રે II તેo || 1 ||
શ્રી નમિ જિનેશ્વરની સેવા રૂપ મેઘ ઘટા ચડી આવે છે ત્યારે તેને જોઇને ભવિ જીવોનાં હૃદયમાંથી મિથ્યાત્વ-અવિદ્યા રૂપ દુભિક્ષદુષ્કાળનો ભય ભાગી જાય છે. તથા અવિધિ-આશાતનાદિ દોષ રહિત અને વિધિપૂર્વકની પવિત્ર આચરણા રૂપ મહાન મેઘ (વાદળાં) વૃદ્ધિ પામે છે. તેમ જ આત્મપરિણતિની શુદ્ધિ રૂપ વીજળીના ઝબકારા થાય છે.
વાજે વાયુ સુવાયુ, તે પાવન ભાવના રે // તેo || ઈન્દ્રધનુષ ત્રિમયોગ, તે ભક્તિ એક મના રે II તેo . નિર્મળ પ્રભુ સ્તવઘોષ, ધ્વનિ ઘન ગર્જના રે // ધ્વO || તૃષ્ણા ગ્રીષ્મકાળ, તાપની તર્જના રે || તાળ | ૨ |
વરસાદ સમયે અનુકૂળ પવન હોય છે, તેમ અહીં – જિનભક્તિમાં પવિત્ર ભાવનારૂપ વાયુ ચાલે છે. વર્ષાઋતુમાં ત્રણ રેખાયુક્ત ઇંદ્રધનુષ હોય છે, તેમ અહીં મન, વચન કાયાના ત્રણ યોગોની એકાગ્રતા હોય છે. વરસાદ સમયે ગર્જનાનો ધ્વનિ હોય છે; તેમ અહીં પ્રભુગુણસવનાનો ધ્વનિ હોય છે, વરસાદથી ગ્રીષ્મઋતુનો તાપ શમી જાય છે, તેમ અહીં જિનભક્તિથી તૃષ્ણાનો આંતરિક તાપ શમી જાય છે. જિક, શક, કઈક કa e Bક પરમતત્વની ઉપાસના * ૧૨૭ ક.ક. જો કે,
ક્યાંથી મળે ? સ્વાતિનક્ષત્રમાં છીપમાં પડેલું વષાનું પાણી મોતી બને, તેમ માનવના જીવનમાં પ્રભુના વચન પડે અને તે પરિણામ પામે તો અમૃત બને. અર્થાત્ આત્મા પરમાત્મ-સ્વરૂપે પ્રગટ થાય. પરંતુ સંસારી જીવ અનેક પૌગલિક પદાર્થોમાં આસક્ત છે, તેને આ વચન ક્યાંથી શીતળતા આપે ? અગ્નિની ઉષ્ણતામાં શીતળતાનો અનુભવ ક્યાંથી થાય ? જીવ મનને આધીન હોય ત્યાં શીતળતા ક્યાંથી મળે ?
ક.we le le ja.pક પરમતત્ત્વની ઉપાસના * ૧૨૬
ક. ek ja #l #ક #l,
Page #80
--------------------------------------------------------------------------
________________
શુભ લેશ્યાની આલિ, તે બગપંક્તિ બની રે II તે∞ II શ્રેણી સરોવર હંસ, વસે શુચિ ગુણ મુનિ રે | વ૦ ॥ ચઉગતિ મારગ બંધ, ભવિક નિજ ઘર રહ્યા રે | ભ૦ ॥ ચેતન સમતા સંગ, રંગમેં ઉમહ્યાં રે | ૨૦ | ૩ || જિનભક્તિરૂપ વરસાદ વરસે છે, ત્યારે શુભ-પ્રશસ્ત લેશ્યા રૂપ બગલાની પંક્તિ રચાય છે, મુનિરૂપ હંસ ધ્યાનારૂઢ થઇને ઉપશમ અથવા ક્ષપક શ્રેણીરૂપ સરોવરમાં જઇને વાસ કરે છે, ચાર ગતિ રૂપ માર્ગો (ચાલતાં) બંધ થઇ જાય છે, તેથી ભવ્ય આત્માઓ પોતાના આત્મ
મંદિરમાં રહે છે અને ચેતન પોતાની સમતા સખી સાથે રંગમાં આવીને આનંદપૂર્વક રમણ કરે છે.
સમ્યગ્દષ્ટિ મોર, તિહાં હરખે ઘણું રે ॥ તિ II દેખી અદ્ભુત રૂપ, પરમ જિનવર તણું રે ॥ ૫૦ ॥ પ્રભુગુણનો ઉપદેશ, તે જલધારા વહી રે || તે॰ ધર્મરુચિ ચિત્ત ભૂમિ, માંહે નિશ્ચલ રહી રે || માં૦ || ૪ || જિનભક્તિરૂપ વર્ષો વેળાએ, જિનેશ્વર પ્રભુનું અદ્ભુત - અનુપમ રૂપ જોઇને સમ્યગ્દૃષ્ટિરૂપ મોર અત્યંત હર્ષિત બની જાય છે. તેમ જ જિનગુણ સ્તુતિરૂપ મેઘની જલધારા વહેવા માંડે છે અને તે તત્ત્વરુચિ જીવોની ચિત્ત-ભૂમિમાં સ્થિર થઇ જાય છે.
ચાતક શ્રમણ સમૂહ, કરે તવ પારણો રે || ક૦ || અનુભવરસ આસ્વાદ, સકલ દુઃખ વારણો રે II સ૦ I. અશુભાચાર નિવારણ, તૃણ અંકુરતા રે । તૃo II
વિરતિ તણા પરિણામ, તે બીજની પૂરતા રે II તે૦ | ૫ ||
જિનભક્તિરૂપ જલધારા પ્રવાહિત બને છે, ત્યારે તત્ત્વરમણ કરનારા શ્રમણ સમૂહરૂપ ચાતક પારણું કરે છે. એટલે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વખતે જે તત્ત્વ સ્વરૂપે પોતાના અનુભવની પિપાસા થઇ હતી, તે પિપાસા જિનભક્તિના યોગે આત્મસ્વરૂપના યથાર્થ જ્ઞાનરૂપે અનુભવરસનું આસ્વાદન કરીને કંઇક શાંત થાય છે.
ખરેખર ! તત્ત્વપિપાસાના શમનરૂપ આ પારણું એ સર્વ સાંસારિક વિભાવરૂપ દુઃખનું વારણ - નિવારણ કરે છે. પ્રેમ તો પરમતત્ત્વની ઉપાસના * ૧૨૮ વો
જેમ વર્ષાકાળમાં તૃણ-લીલું ઘાસ ઊગે છે, તેમ અહીં અશુભ આચારનું નિવારણ થયું એ તૃણ - અંકુર ફૂટવા બરાબર છે અને વર્ષાકાળે ખેડૂત જમીનમાં બીજ વાવે છે, તેમ અહીં સમ્યગ્દષ્ટિ જીવમાં વિરતિના પરિણામરૂપ બીજની પૂર્તિ-વાવણી થાય છે.
પંચમહાવ્રત ધાન્ય તણાં કર્ષણ વધ્યાં રે || ત∞ || સાધ્યભાવ નિજ થાપી, સાધનતાયે સધ્યાં રે || સા૦ ॥ ક્ષાયિક રિસન જ્ઞાન, ચરણ ગુણ ઊપના રે ॥ ૨૦ ॥ આદિક બહુ ગુણ સસ્ય, આતમઘર નીપનારે ॥ આ૦ || ૬ | વર્ષાકાળે વાવેલાં બીજ જેમ ઊગીને વધે છે, તેમ અહીં જિનભક્તિરૂપ જળધારાના પ્રભાવે પાંચ મહાવ્રતરૂપી ધાન્યનાં કરશણ (કણસલાં) વધવા લાગે છે અને તે શુદ્ધાત્મ-સ્વરૂપની પૂર્ણતારૂપ સાધ્યને સિદ્ધ કરવાનાં સાધન બની જાય છે, તેથી ક્ષાયિક સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રાદિ અનંત-ગુણરૂપી ધાન્ય આત્મમંદિરમાં પ્રગટ થાય છે.
પ્રભુ દરિસણ મહામેહ, તણે પ્રવેશમેં રે II તo || પરમાનંદ સુભિક્ષ‚ થયો મુઝ દેશમેં રે II થ૦ II દેવચંદ્ર જિનચંદ્ર, તણો અનુભવ કરો રે II તo || આદિ અનંતો કાલ, આતમ સુખ અનુસરો રે | આ૦ || ૭ || જિનદર્શનરૂપ મહામેઘના આગમનથી અસંખ્યાત પ્રદેશરૂપ મારા આત્માના દેશમાં પરમાનંદરૂપ સુભિક્ષ - સુકાળથયો છે, માટે હે
ભવ્યાત્માઓ ! તમે સર્વ દેવોમાં ચંદ્ર સમાન ઉદ્ભવલ એવા શ્રી જિનેશ્વર પ્રભુના જ્ઞાનાદિ ગુણોનો આદર-બહુમાનપૂર્વક અનુભવ કરો, તો તે અનુભવ જ્ઞાનના પ્રભાવે તમો સાદિઅનંતકાળ સુધી આત્માના અક્ષય, અનંત, અવ્યાબાધ સુખનો અનુભવ કરી શકશો.
એકવીસમા સ્તવનનો સાર :
પ્રસ્તુત સ્તવનમાં સ્તવનકાર મહાત્માએ કેવી કમાલ કરી છે ! પ્રભુસેવા-જિનભક્તિને વર્ષાઋતુ સાથે સરખાવી તેની મહાનતા અને મંગલમયતાનું વાસ્તવિક વર્ણન કર્યું છે.
વર્ષાઋતુમાં મેઘરાજાની પધરામણી થાય છે ત્યારે લોકો હર્ષમાં આવી જઇને નાચવા લાગે છે, કોઇને દુષ્કાળનો ભય રહેતો નથી. મોટાં પરમતત્ત્વની ઉપાસના * ૧૨૯ !!!
Page #81
--------------------------------------------------------------------------
________________
મોટાં વાદળાંઓ ચડી આવે છે અને વારંવાર વીજળીના ઝબકારા થાય છે. તેવી રીતે મહાનું પુણ્યોદયે શ્રી જિનેશ્વર પરમાત્માની ઓળખાણ થાય છે ત્યારે આદર-બહુમાનપૂર્વક તેમની ભક્તિમાં તત્પર થયેલા ભક્તને અદ્ભુત આનંદ થાય છે, તેમના ચિત્તમાંથી અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિરૂપ મિથ્યાજ્ઞાન - મિથ્યાત્વનો ભય પલાયન થઇ જાય છે અને અવિધિ, આશંસા, આશાતનાદોષથી રહિત, સમ્યકૃક્રિયા-સમ્યગુચરણનું પાલન થતાં વિશુદ્ધ આત્મપરિણતિના વિદ્યુત-પ્રકાશ કંઇક અંશે અનુભવમાં આવે છે.
જયારે જિનભક્તિરૂપ વર્ષા થાય છે, ત્યારે પવિત્ર ભાવનારૂપ પવન વાય છે. મન, વચન અને કાયાની એકાગ્રતારૂપ ઇંદ્રધનુષ રચાય છે, પ્રભુના નિર્મળ ગુણ સ્તવનરૂપ ગરવ થાય છે અને તૃષ્ણારૂપ ગ્રીષ્મકાળનો પરિતાપ શાંત થઇ જાય છે.
વર્ષાઋતુમાં જેમ બગલાઓની પંક્તિ ઊભેલી દેખાય છે, તેમ જિનભક્તિમાં પ્રશસ્ત વેશ્યાઓ ઉત્પન્ન થાય છે.
વર્ષાઋતુમાં હંસપક્ષી સરોવરમાં જઇને વસે છે, તેમ જિનભક્તિના યોગે મુનિ ધ્યાનારૂઢ થઇ, ઉપશમ-શ્રેણી કે ક્ષપક-શ્રેણીમાં રહે છે. વરસાદ સમયે, ચારે દિશાઓના માર્ગો બંધ થઇ જાય છે, તેમ જિનભક્તિથી ચારે ગતિનું ભ્રમણ અટકી જાય છે. વર્ષાઋતુમાં લોકો સહુ પોતાના ઘરમાં જ રહે છે અને મોજ માણે છે, તેમ અનાદિથી વિષય-કષાયરૂપ પરભાવમાં ભટકતો ચેતન, જિનભક્તિ વડે પોતાનું સ્વરૂપ ઓળખી, નિજ સ્વભાવમાં જ રહે છે અને સમતાસખી સાથે મોજ કરે છે.
વર્ષાને જોઇને જેમ મોર હર્ષઘેલા બનીને નાચતા હોય છે તેમ જિનભક્તિમાં તન્મય બનેલો સમ્યગુદૃષ્ટિ આત્મા શ્રી જિનેશ્વર પ્રભુનાં પ્રશાંતરસ-પરિપૂર્ણ અલૌકિક રૂપને જોઇને પરમાનંદ અનુભવે છે. વરસાદના સમયે જેમ જળધારાઓ વહેવા લાગે છે, તેમ જિનભક્તિના સમયે પ્રભુનાં ગુણગાનનો પ્રવાહ વહેતો થાય છે. વર્ષા સમયે જેમ તે જળધારાઓ પૃથ્વી ઉપર વહી જઇને સરોવરાદિમાં સ્થિર થઇ જાય છે, તેમ પ્રભુગુણગાનનો પ્રવાહ ધર્મરુચિવાળા આત્માઓના હૈયામાં પ્રવેશી જઇને સ્થિર થઇ જાય છે. શક. કોક કોક કa.pક પરમતત્ત્વની ઉપાસના * ૧૩૦ ક. શle a #l #ક #l,
ચાતકપક્ષી વરસતા વરસાદની જળધારાઓનું પાન કરીને પોતાની તૃષાને શાંત કરે છે, તેમ જિનભક્તિમાં તન્મય બનેલો તત્ત્વપિપાસુ મહામુનિ સર્વ દુઃખોને દૂર કરનારા એવા અનુભવરસનું આસ્વાદન કરીને સમ્યગુદર્શનની પ્રાપ્તિ સમયે પ્રગટેલી તત્ત્વ-અનુભવ-રમણતાની પિપાસાને શાંત કરે છે.
વરસાદ સમયે જેમ જૂનાપુરાણા તૃણના અંકુરો નાશ પામે છે અને નવા લીલાતૃણ-અંકુરાઓ પ્રગટે છે, ખેડૂતો તેનું નિવારણ કરીને યોગ્ય રીતે ભૂમિને ખેડીને બીજ વાવે છે, તેમ જિનભક્તિ દ્વારા ભવ્યજીવો અશુભ આચારોનું નિવારણ કરીને શુભ આચારના પાલનરૂપ દેશવિરતિ આદિનાં પરિણામ ઉત્પન્ન કરે છે.
વર્ષાઋતુમાં વૃષ્ટિના પ્રભાવે જેમ વાવેલા ધાન્યનાં કણસલાં વૃદ્ધિ પામતાં જાય છે અને તે પૂર્ણ વૃદ્ધિ પામી જાય છે ત્યારે ખેડૂતો પોતાના ઘરમાં તે ધાન્યને લઇ જઇ ભંડારમાં (કોઠારમાં) ભરી દે છે, તેમ જિનભક્તિરૂપ વૃષ્ટિના પ્રભાવે પાંચ મહાવ્રતોનું નિરતિચારપણે પાલન કરવાથી તેની વિશુદ્ધિ જેમ જેમ વધતી જાય, તેમ તેમ સ્વસાધ્યને - સિદ્ધ સ્વરૂપને સાધવાની શક્તિ વિકસિત બનતી જાય છે અને તેથી અનંતક્ષાયિક દર્શનજ્ઞાન-ચારિત્રાદિ ગુણોની આત્મમંદિરમાં નિષ્પત્તિ થાય છે એટલે કે સર્વ આત્મપ્રદેશો જ્ઞાનાદિ ગુણોથી પૂર્ણ બની જાય છે.
જે પ્રદેશમાં પુષ્કળ મેઘ-વૃષ્ટિ થાય છે તે પ્રદેશ ધાન્ય વગેરેથી સમૃદ્ધ બને છે અને સર્વત્ર સુકાળ પ્રવર્તે છે, તેથી તે દેશની પ્રજા ખુબ જ આનંદ અને સુખસમૃદ્ધિને પામે છે, તેવી રીતે જિનદર્શનના (સમ્યગદર્શનના, જિનશાસનના કે જિનમૂર્તિદર્શનના) અને જિનભક્તિના પ્રભાવે પરમાનંદની પ્રાપ્તિ થતાં આત્માના અસંખ્ય પ્રદેશોમાં અનંતગુણપર્યાયની પૂર્ણતા પ્રાપ્ત થાય છે.
- જિનભક્તિનું મહાન ફળ મોક્ષપ્રાપ્તિ છે, એ જાણીને અહર્નિશ જિનભક્તિ અને જિનાજ્ઞાપાલનમાં તત્પર બનવું જોઇએ.
પ્રક. શક જાક . છીંક, પરમતત્વની ઉપાસના * ૧૩૧ શકે છે. આ જ છja.ple,
Page #82
--------------------------------------------------------------------------
________________
[(૨૨) શ્રી નેમિનાથ જિન સ્તવન
પ્રશસ્ત ભક્તિરાગનો પ્રભાવ | (પદ્મપ્રભ જિન જઇ અલગ વસ્યા.. એ દેશી) નેમિજિનેશ્વર નિજ કારજ કર્યું, છાંડ્યો સર્વ વિભાવો જી ! આતમશક્તિ સકલ પ્રગટ કરી, આસ્વાદ્યો નિજ ભાવો જી !
નેમિ0 / ૧ // શ્રી નેમિનાથ ભગવાને નિજ સ્વસિદ્ધતારૂપ કાર્યને પૂર્ણ કર્યું છે, એટલે કે શ્રી નેમિનાથ ભગવાને સર્વવિભાવ દશાનો – વિષય-કષાય અને રાગદ્વેષાદિનો સર્વથા ત્યાગ કર્યો છે, તથા આત્માની જ્ઞાનાદિ સર્વશક્તિઓને પૂર્ણપણે પ્રગટાવી અને નિજ શુદ્ધ સ્વભાવનું આસ્વાદન કર્યું છે. આમ તેઓ પોતાના આત્માના શુદ્ધ સ્વભાવના ભોક્તા બન્યા છે.
રાજુલ નારી રે સારી મતિ ધરી, અવલંખ્યા અરિહંતો જી ! ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સધે આનંદ અનંતો જી
નેમિ0 | ૨ ||. શીલાદિ ગુણથી વિભૂષિત રાજિમતીએ પણ ઉત્તમ બુદ્ધિને ધારણ કરી, પતિ તરીકેના અશુદ્ધ રાગને છોડી દીધો અને શ્રી અરિહંત પ્રભુને પોતાના દેવાધિદેવ તરીકે સ્વીકાર્યા.
ખરેખર ! ઉત્તમ પુરુષોના સહવાસથી ઉત્તમતા વૃદ્ધિ પામે છે અને અનુક્રમે અનંત આનંદ પ્રાપ્ત થાય છે. રાજિમતીએ જેમ આ
સૂક્તિની યથાર્થતા કરી બતાવી તેમ આપણે પણ આ સૂતિની યથાર્થતા કરવી જોઇએ.
ધર્મ અધર્મ આકાશ અચેતના, તે વિજાતિ અગ્રાહ્યો જી ! પુદ્ગલ ગ્રહવે રે કર્મ કલંકતા, વાધે બાધક બાહ્યો જી
નેમિ0 | ૩ || શ્રી રાજિમતીએ જે તત્ત્વની અનુપ્રેક્ષા - વિચારણા કરી હતી તે બતાવે છે :
સમગ્ર લોકમાં રહેલા પંચાસ્તિકાય (ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ)માંથી ધર્મ, અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યો અચેતન અને વિજાતીય છે, તેથી તે ત્રણેનું ગ્રહણ થઇ શકતું નથી. પુદ્ગલ દ્રવ્ય વિજાતીય હોવા છતાં ગ્રાહ્ય છે, પણ ગ્રહણ કરવાથી જીવ કર્મથી કલંકિત બને છે, બાહ્ય ભાવ વૃદ્ધિ પામે છે અને તેનાથી સ્વગુણોનો અવરોધ (બાધ) થાય છે.
રાગી સંગે રે રાગ દશા વધે, થાયે તિણે સંસારો જી ! નિરાગીથી રે રાગનું જોડવું, લહીએ ભવનો પારો જી
નેમિ0 || ૪ || સંસારી જીવો રાગદ્વેષયુક્ત છે. તેમની સાથે સંગ-પ્રેમ કરવાથી રાગદશા વધે છે અને તેથી સંસારની વૃદ્ધિ થાય છે. પરંતુ નીરાગી એવા શ્રી અરિહંત પરમાત્માની સાથે રાગ-પ્રીતિ કરવાથી ભવનો પાર પામી શકાય છે.
અપ્રશસ્તતા રે ટાળી પ્રશસ્તતા, કરતાં આસવ નાચે જી ! સંવર વાધે રે સાધે નિર્જરા, આતમભાવ પ્રકાશે જી
નેમિ0 | ૫ | બાહ્ય પદાર્થ ઉપરનો અપ્રશસ્ત રાગ દૂર કરવાથી અને શ્રી અરિહંત પરમાત્મા ઉપર પ્રશસ્ત રાગ ધારણ કરવાથી આમ્રવનો નાશ થાય છે, એટલે કે નવીન કર્મબંધ અટકી જાય છે તેમ જ પૂર્વકૃત કર્મોની નિર્જરા - ક્ષય થાય છે અને તે સંવર અને નિર્જરાના યોગે આત્મશક્તિઓ પ્રગટે છે. કરેલ છ, જ, ઝ, થ પરમતત્તની ઉપાસના * ૧૩૩ , , , , be ple
એક છોક કોક , કોઈક પરમતત્ત્વની ઉપાસના * ૧૩૨
. , + 9
Page #83
--------------------------------------------------------------------------
________________
આમ્રવનો (કર્મબંધના કારણભૂત અશુભ પરિણામનો) નાશ થાય છે, સંવર પરિણતિ (આત્મસ્વભાવમાં એકાગ્રતા) વૃદ્ધિ પામે છે, પૂર્વકૃત કર્મનો ક્ષય થાય છે અને જેમ જેમ સંવર ભાવની વૃદ્ધિ થાય છે, તેમ તેમ આત્મવિશુદ્ધિનો વિકાસ થતો જાય છે.
શ્રી જિનેશ્વર પરમાત્માની પ્રીતિ અને ભક્તિ એ બંને તેમના ધ્યાનમાં એકાગ્ર બનવાનાં પ્રધાન સાધનો છે. પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાનનું સેવન આપણને શાસ્ત્રનાં ગહન તાત્ત્વિક રહસ્યો સમજવાની શક્તિ આપે છે અને શાસ્ત્રીય તત્ત્વોની વિચારણા – અનુપ્રેક્ષા કરવાથી ધર્મધ્યાન અને શુક્લ ધ્યાન પ્રગટે છે અને સાલંબનરૂપ ધર્મધ્યાન વડે અને નિરાલંબનરૂપ શુક્લ ધ્યાન વડે આત્મસ્વભાવમાં તન્મય બનેલો આત્મા અનુક્રમે પરમાત્મપદને પામે છે. પ્રીતિ અને ભક્તિપૂર્વક શ્રી અરિહંત પરમાત્માની સેવા (આજ્ઞાપાલન) કરવી, એ જ સર્વ શાસ્ત્રોનો સાર છે.
નેમિ પ્રભુ ધ્યાને રે એકત્વતા, નિજ તત્ત્વ એકતાનો જી ! શુક્લ ધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહીએ મુક્તિ નિદાનો જી
નેમિo || ૬ | આ પ્રમાણે શુભ-વિચારણા કરવા દ્વારા રાજિમતીજી શ્રી નેમિનાથ પ્રભુના ધ્યાનમાં તન્મય-એકતાન બની તેના દ્વારા નિજતત્ત્વઆત્મસ્વરૂપમાં એકાગ્રતા પ્રાપ્ત કરી અને સ્વરૂપ તન્મયતા વડે શુક્લ ધ્યાન સિદ્ધ કરીને સ્વસિદ્ધતા પ્રાપ્ત કરી. આ રીતે આપણે પણ પ્રભુના ધ્યાનમાં એકાગ્ર બની મુક્તિના નિદાન-મૂળ કારણને પ્રાપ્ત કરીએ !
અગમ અરૂપી રે અલખ અગોચરુ, પરમાતમ પરમીશો જી ! દેવચંદ્ર જિનવરની સેવના, કરતાં વાધે જગીશો જી
નેમિ0 || ૭ || અગમ (સામાન્ય લોકોથી જાણી ન શકાય), અરૂપી (વર્ણાદિથી રહિત), અલક્ષ (એકાંતવાદીઓથી ઓળખી ન શકાય), અગોચર (ઇંદ્રિયોથી અગોચર), પરમાત્મા (રાગાદિ દોષ રહિત), પરમેશ્વર (અનંતગણ-પર્યાયના ઇશ્વર) અને દેવોમાં ચંદ્ર જેવા નિર્મળ એવા શ્રી જિનેશ્વર પ્રભુની સેવા (આજ્ઞાપાલન) કરવાથી સાધકતા (અધ્યાત્મશક્તિ)ની વૃદ્ધિ થતાં શુદ્ધ સ્વભાવની સંપૂર્ણ સંપત્તિ પ્રાપ્ત થાય છે. જ બાવીસમાં સ્તવનનો સાર :
સંગ તેવો રંગ” એ ઉક્તિ મુજબ ઉત્તમ પુરુષોના સમાગમથી ઉત્તમતા વધે છે. પારસના સંગથી લો પણ સોનું બની જાય છે.
અનાદિકાળથી પુદ્ગલ (જડ પદાર્થો)ના સંગથી આ આત્મા જડવત્ - જડ જેવો બની ગયો છે, છતાં પણ પરમગુણી શ્રી જિનેશ્વર પરમાત્મા જેવા ઉત્તમોત્તમ પુરુષોનો જ્યારે યોગ મળે છે અને તેમના પ્રત્યે જયારે પ્રીતિ અને ભક્તિ જાગે છે ત્યારે તેનો અપ્રશસ્ત રાગ વિલીન થઇ જાય છે, શરીર, સંપત્તિ અને સ્વજનાદિ ઉપર તેને કોઇ પણ પ્રકારના મોહને મમતા રહેતાં નથી.
અરિહંત પરમાત્માદિ ગુણી પુરુષો પ્રત્યે ગુણ-બહુમાન રૂપ રાગ, એ પ્રશસ્ત છે અને તે પ્રશસ્ત રાગ વડે અર્થાતુ ભક્તિ વડે અશુભએક છોક શો , છોક પરમતત્ત્વની ઉપાસના * ૧૩૪ ] title se.
નિશ્ચય અને વ્યવહાર ભગવાને નિશ્ચય અને વ્યવહાર બે ધર્મો ઉપદેશ્યા છે. તત્ત્વદૈષ્ટિ/સ્વરૂપદષ્ટિ તે નિશ્ચય ધર્મ છે અને તે દ્રષ્ટિ પ્રમાણે ભૂમિકાને યોગ્ય પ્રવૃત્તિ, આચારાદિ વ્યવહાર ધર્મ છે. બંને ધર્મ રથના બે પૈડા જેવા છે. રથ ચાલે ત્યારે બે પૈડા સાથે ચાલે છે.
શકે છે , કઈ ક ક , પરમતત્વની ઉપાસના * ૧૩૫ નો જોક ઝાંક, જો
છોક,
Page #84
--------------------------------------------------------------------------
________________
(૨૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
(રાગ : કડખાની દેશી)
સહજગુણ આગરોસ્વામી સુખસાગરો, જ્ઞાનવયરાગરોપ્રભુ સવાયો ! શુદ્ધતા એકતા તીક્ષ્ણતા ભાવથી, મોહરિપુ જીતી જયપડહ વાયો || સહજ૦ || ૧ || પ્રભુ કેવા છે ? તે કહે છે : સહજ-સ્વાભાવિક ગુણોના ધામ છે, અવ્યાબાધ, અવિનાશી, સુખના સિંધુ છે, જ્ઞાનરૂપ (વજ) હીરાની ખાણ છે, સવાયા-સદા સર્વશ્રેષ્ઠ એવા શ્રી પાર્શ્વનાથ ભગવાને શુદ્ધતા (સમ્યજ્ઞાનની નિર્મળતા), એકતા (સ્વરૂપ તન્મયતા) અને તીક્ષ્ણતા (વીર્યગુણની તીવ્રતા)ના ભાવ વડે, મોહશત્રુને જીતી જયપડહ – વિજયડંકો બજાવ્યો છે.
હવે શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતાની વ્યાખ્યા બતાવે છે : વસ્તુ નિજ ભાવ અવિભાસ નિઃકલંકતા, પરિણતિ વૃત્તિતા
કરી અભેદે ! ભાવ-તાદાત્મ્યતા શક્તિ-ઉલ્લાસથી, સંતતિયોગને તું ઉચ્છેદે
|| સહજ૦ || ૨ |
વસ્તુના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એ નિષ્કલકતા - શુદ્ધતા છે, આત્મપરિણતિમાં વૃત્તિનો અભેદ એ એકતા છે અને તાદાત્મ્યભાવે રહેલી વીર્યશક્તિનો ઉલ્લાસ એ તીક્ષ્ણતા છે. એ ત્રણ વડે આપે કર્મસંતતિના સંબંધને મૂળથી ઉખેડી-છેદી નાખ્યો છે.
એ
પરમતત્ત્વની ઉપાસના * ૧૩૬ િ
દોષગુણ વસ્તુની લખીય યથાર્થતા, લહી ઉદાસીનતા અપરભાવે ! ધ્વંસી તજજન્યતા ભાવકર્તાપણું, પરમપ્રભુ તું રમ્યો નિજ સ્વભાવે || સહજ૦ || ૩ || વસ્તુના ગુણદોષની યથાર્થતા જાણી પરભાવથી ઉદાસીન થઇ અને તદ્ઉત્પત્તિ સંબંધે થયેલું એટલે કે પુદ્ગલના સંબંધથી થયેલ વિભાવકર્તૃત્વનો નાશ કરીને હે પ્રભુ ! આપ પોતાના પરમશુદ્ધ સ્વભાવમાં જ રમણ કરી રહ્યા છો.
શુભ અશુભભાવ અવિભાસ તહકીકતા, શુભઅશુભભાવ તિહાં પ્રભુ ન કીધો ! શુદ્ધ પરિણામતા વીર્ય કર્તા થઇ, પરમ અક્રિયતા અમૃત પીધું
ન
|| સહજ૦ || ૪ || શુભ કે અશુભ ભાવની યથાર્થ (નિશ્ચિત) ઓળખાણ કરી શુભ કે અશુભ પદાર્થોમાં હે પ્રભુ ! શુભાશુભભાવ એટલે કે રાગ-દ્વેષ ન કર્યો, પણ શુદ્ધ પારિણામિક ભાવમાં વીર્યગુણને પ્રવર્તાવી પરમ અક્રિયતારૂપ અમૃતરસનું પાન કર્યું છે !
શુદ્ધતા પ્રભુતણી આત્મભાવે રમે, પરમ પરમાત્મતા તાસ થાઓ ! મિશ્રભાવે અછે ત્રિગુણની ભિન્નતા, ત્રિગુણ એકત્વ તુજ ચરણ આએ || સહજ૦ || ૫ ||
પ્રભુની પૂર્ણ શુદ્ધતાનું જે જીવ આત્મસ્વભાવમાં અભેદ ભાવે ચિંતન કરી, ધ્યાન વડે તેમાં જ રમણ કરે છે (મારો આત્મા પણ સત્તાએ પૂર્ણ શુદ્ધ સ્વરૂપી છે, એમ નિશ્ચય કરી પૂભુની પૂર્ણશુદ્ધતામાં તન્મય બને છે.) તેને તેવી જ ‘પરમ પરમાત્મદશા' પ્રાપ્ત થાય છે. ક્ષાયોપશમ ભાવમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર્યની ભિન્નતા જણાય છે. પણ ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થતાં તે ત્રણે ગુણની એકતા થઇ જાય છે.
ઉપશમ રસભરી સર્વજન શંકરી, મૂર્તિ જિનરાજની આજ ભેટી ! કારણે કાર્ય નિષ્પત્તિ શ્રદ્ધાન છે, તેણે ભવભ્રમણની ભીડ મેટી || સહજ૦ || ૬ || હોય પરમતત્ત્વની ઉપાસના * ૧૩૭ ગામોગામ
Page #85
--------------------------------------------------------------------------
________________
ઉપશમ-સુધારસથી પરિપૂર્ણ અને સર્વ જીવોને સુખાકારી એવી જિનેશ્વર પ્રભુની મૂર્તિને ભેટી એટલે કે આજે તેમનું દર્શન, વંદન, સેવન અપૂર્વ હર્ષોલ્લાસથી કરતાં એવી દઢ પ્રતીતિ થઇ છે કે “મોક્ષના પુષ્ટ નિમિત્ત કારણરૂપ જિનદર્શન અને જિનસેવાનો યોગ મળ્યો છે, તેથી મોક્ષરૂપ કાર્યની સિદ્ધિ અવશ્ય થશે.’ આવી દેઢ પ્રતીતિ થવા સાથે મારો ભવભ્રમણનો ભય પણ પલાયન થઇ ગયો. (કારણમાં કાર્યનો ઉપચાર કરી, હર્ષાવેશથી નીકળેલું કવિનું આ અનુભવવચન છે.)
નયર ખંભાયતે પાર્શ્વ પ્રભુદર્શને, વિકસતે હર્ષ ઉત્સાહ વાધ્યો ! હેતુ એકત્તા રમણ પરિણામથી, સિદ્ધિ સાધક પણ આજ સાધ્યો
સહજ૦ || ૭ || ખંભાત નગરમાં બિરાજતા શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુનાં દર્શનવંદન કરતી વેળોએ રોમરાજી વિકસ્વર થતાં અપૂર્વ હર્ષ અને ઉત્સાહની ઊર્મિઓ ઉત્પન્ન થવા લાગી, અને શ્રી અરિહંત પરમાત્મા સાથે ધ્યાન વડે તન્મયતા-એકતા સિદ્ધ થતાં આત્મરમણતા પ્રાપ્ત થઇ. તેથી અનુમાન થાય છે કે ‘સિદ્ધિની સાધકતા મારા આત્મામાં પ્રગટી છે.'
આજ કતપુણ્ય ધન્ય દીહ મારો થયો, આજ નરજન્મ મેં સફલ ભાવ્યો ! દેવચંદ્ર સ્વામી ત્રેવીસમો વંદિયો, ભક્તિભર ચિત્ત તુજ ગુણ રમાવ્યો
| | સહજO || ૮ || દેવોમાં ચંદ્ર સમાન સમુકવળ એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુને ભાવપૂર્વક વંદન કર્યું અને ભક્તિભરપૂર ચિત્ત પ્રભુના ગુણમાં રમણ કરવા લાગ્યું, તેથી આજે મારો મહાન પુણ્યોદય જાગ્રત થયો છે ! આજનો આ દિવસ ધન્ય બન્યો છે અને ખરેખર ! આજ મારો આ જન્મ પણ સફળ બની ગયો છે ! જ ત્રેવીસમા સ્તવનનો સાર :
આ સ્તવનમાં જ્ઞાનની શુદ્ધતા, ચારિત્રની એકતા અને વીર્યની તીક્ષ્ણતાનું વિવિધ રીતે વર્ણન કરવામાં આવ્યું છે.
સમ્યગુદર્શનનો સમાવેશ જ્ઞાનમાં અને તપનો સમાવેશ વીર્યમાં કરેલો હોવાથી તેનું પૃથગુ ગ્રહણ નથી કર્યું. જ્ઞાનનો પ્રકાશ મળે છે, છક #લ . કૉલ કરે પરમતત્ત્વની ઉપાસના * ૧૩૮ જો હો 54s of * *
ચારિત્ર પ્રેરક બને છે અને વીર્યની તીક્ષ્ણતા વડે ધ્યાનની ધારાનો અસ્મલિત પ્રવાહ ચાલે છે, ત્યારે જ સ્વ-સિદ્ધતારૂપ કાર્ય સિદ્ધ થાય છે.
શુદ્ધતાદિનું સ્વરૂપ વિવક્ષાભેદથી ત્રણ પ્રકારે બતાવ્યું છે. તેમાં પ્રથમ પ્રકાર આ પ્રમાણે છે. (૧) સર્વ દ્રવ્યના નિજભાવ - સ્વગુણ પર્યાયનું અને ઉત્પાદ-વ્યયરૂપ
પરિણતિનું યથાર્થજ્ઞાન તે શુદ્ધતા છે. (૨) આત્મપરિણતિ (આત્માનો મૂળ સ્વભાવ) તથા વૃત્તિ-પ્રવૃત્તિ બંનેનું
એકત્વરૂપે પરિણમન થવું. અર્થાત્ વૃત્તિ-પ્રવૃત્તિની એકરૂપતા તે
એકતા છે. (૩) તાદાભ્ય સંબંધથી રહેલી ક્ષાયિક આત્મ વીર્ય-શક્તિના ઉલ્લાસથી
કર્મપરંપરાના સંયોગનો મૂળથી ઉચ્છેદ કરવો તે તીક્ષ્ણતા છે. જ્ઞાનગુણની નિર્મળતા :
એકાંતતા, અયથાર્થતા, ન્યૂનાધિકતા આદિ સર્વ દોષો રહિત જે સમ્યગુજ્ઞાન એટલે કે યથાર્થ બોધ, એ જ મોક્ષમાર્ગને સૂર્યની જેમ પ્રકાશિત કરે છે, આત્મા અને કર્મના ભેદજ્ઞાનને - વિવેકને પ્રગટાવે છે, માટે જ્ઞાનની નિર્મળતા-શુદ્ધતાની પ્રથમ આવશ્યકતા છે. • ચારિત્રગુણની એકતા :
સંસારી જીવની આત્મપરિણતિ ચારિત્ર્યમોહનીય કર્મથી આવૃત હોવાને લીધે જીવની વૃત્તિ-પ્રવૃત્તિ રાગ-દ્વેષ અને કામ-ભોગાદિમાં પ્રવર્તે છે. તેનો ત્યાગ કરીને શુદ્ધ આત્મસ્વરૂપમાં વૃત્તિને એકાગ્ર બનાવવી તે એકતા છે અને તે જ સમ્મચારિત્ર છે. જ વીર્યગુણની તીક્ષ્ણતા :
શરીરમાં રહેલી સર્વ ધાતુઓમાં જેમ વીર્ય પ્રધાન ધાતુ છે તેમ આત્મગુણોમાં પણ વીર્યગુણ એ મહાન શક્તિશાળી ગુણ છે. તેની પ્રબળતા-તીક્ષ્ણતા વડે અનાદિની કર્મપરંપરા પણ પળ વારમાં છેદાઈ જાય છે. જ બીજો પ્રકાર : (૧) શુભાશુભ પદાર્થોના ગુણદોષને યથાર્થ રીતે જાણવા તે શુદ્ધતા છે. શક, ઝોક જ દરેક જી. પરમતત્ત્વની ઉપાસના * ૧૩૯ ક. .જો આમ થક
Page #86
--------------------------------------------------------------------------
________________
(૨) આત્મા અને આત્મકલ્યાણમાં સહાયભૂત સુદેવ, સુગુરુ અને સુધર્મ સિવાયના પદાર્થો તરફ ઉદાસીનભાવ રાખવો, જેમ કે આત્માના અસંખ્ય પ્રદેશોમાં વ્યાપ્ય - વ્યાપક ભાવે રહેલા ગુણ પર્યાયો એ જ મારું સાચું ધન છે, તે સિવાયના અન્ય પર પદાર્થો મારા નથી એવા દૃઢ નિશ્ચયપૂર્વક, પૌલિક પદાર્થો તરફ ઉદાસીનતા રાખવી એ એકતા છે.
(૩) રાગદ્વેષાદિ વિભાવ પરિણતિના કર્તાપણાનો ઉચ્છેદ કરવાની પ્રબળ આત્મશક્તિ તે તીક્ષ્ણતા છે. શ્રી જિનેશ્વર પરમાત્માએ જ્ઞાનની યથાર્થતા, ચારિત્રની ઉદાસીનતા અને વીર્યની તીક્ષ્ણતા દ્વારા સર્વ વિભાવ-પરભાવ કર્તૃત્વનો નાશ કરીને આત્મ-સ્વભાવમાં રમણતા કરી છે. તેમની સ્તુતિ કરવાથી આપણામાં પણ એવી યોગ્યતાનું બીજ પડે છે.
♦
ત્રીજો પ્રકાર :
(૧) શુભ અને અશુભ ભાવને જાણી યોગ્ય પૃથક્કરણપૂર્વક તેનો નિર્ણય કરવો તે શુદ્ધતા છે.
(૨) શુભાશુભ વસ્તુને જાણવા છતાં શુભ કે અશુભ ભાવ ન કરવો તે એકતા છે.
(૩) શુદ્ધ પારિણામિક ભાવથી વીર્યગુણને પ્રવર્તાવી, સ્વભાવના કર્તા બની પરમ અક્રિયતારૂપ અમૃતનું પાન કરવું તે તીક્ષ્ણતા છે. શ્રી જિનેશ્વર પ્રભુ સર્વ વિભાવ કર્તૃત્વ અને સાધક કર્તૃત્વ તજીને અકંપ-અચલ વીર્યગુણ વડે અક્રિય-સર્વ ક્રિયાઓથી રહિત બનેલા છે.
આ રીતે પરમાત્માની શુદ્ધતાનું એકત્વચિંતન - એકત્વભાવન - એકત્વમિલન-રમણ, એ આપણા આત્મામાં રહેલ પરમાત્મતાને પ્રગટાવવાનાં પ્રધાન સાધનો છે. પરમાત્માની શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતાનું શ્રુતજ્ઞાન દ્વારા ચિંતન-મનન કરી સ્વઆત્મામાં રહેલી તેવા જ પ્રકારની શુદ્ધતાને પ્રગટાવવા પરમાત્માના ધ્યાનમાં તીક્ષ્ણતા-અપૂર્વ સ્થિરતાપૂર્વક તન્મય બની પોતાના આત્માનું પણ પરમાત્મસ્વરૂપે ધ્યાન કરવામાં આવે તો પરમાત્મ ઐક્યરૂપ આ અભેદ ધ્યાન વડે ક્ષાયિક પરમતત્ત્વની ઉપાસના * ૧૪૦ િ
એ
ચારિત્ર પ્રગટે છે અને ત્યારે જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ ભેદ રત્નત્રયી એ અભેદરૂપે પરિણમે છે.
આ અભેદ રત્નત્રયીનું સ્વરૂપ યોગીગમ્ય છે, છતાં સામાન્ય રીતે અહીં તેનું દિગ્દર્શન કરવામાં આવે છે.
મિથ્યાત્વદશામાં વિપરીતપણે પ્રવર્તન કરતું જીવનું જ્ઞાન, સમ્યગ્દર્શન પ્રગટતાં જ્યારે યથાર્થતાની કોટિમાં આવે છે ત્યારે એ જીવ સ્વરૂપમાં રમણ કરનારો બની શકે છે. સ્વરૂપમાં રમણતા થતાં જ્ઞાન સ્થિર બને છે ત્યારે ધ્યાનારૂઢ દશા પ્રાપ્ત થાય છે અને પછી કોઇ પણ પ્રકારના વિકલ્પ વિના આત્મતત્ત્વમાં તન્મય બનતું જ્ઞાન સમ્યગ્દર્શન અને ચારિત્ર સાથે એકત્વ પામે છે એટલે કે જ્ઞાનનું જ શ્રદ્ધાન, જ્ઞાનનું જ રમણ, એમ પર્યાયભેદે ભેદ હોવા છતાં મૂળ ગુણની અપેક્ષાએ એકત્વ સધાય છે.
મૂળ નયની અપેક્ષાએ વિચારતાં આત્મા જ્ઞાન-દર્શન આ બે ગુણથી યુક્ત છે, શેષ નિર્ધાર (શ્રદ્ધા), સ્થિરતા (ચારિત્ર), એ ચેતનાગુણની પ્રવૃત્તિ છે. માટે જ્ઞાનમાં જ સ્થિરતાદિ ગુણોની અભેદતા છે એવો આમ્નાય છે. અથવા બીજી રીતે આમ પણ વિચારી શકાય કે છદ્મસ્થ અવસ્થામાં (જ્ઞાનાદિ) ચેતનાની પ્રવૃત્તિ અસંખ્ય સમયવાળી હોય છે. પરંતુ કેવલજ્ઞાન પ્રગટતાં તે એક સમયવાળી થાય છે ત્યારે અભેદ રત્નત્રયી હોય છે.
શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતાનું સ્વરૂપ અને તેની પ્રાપ્તિનો ઉપાય છે આત્મામાં પરમાત્મભાવની ભાવના. તે બતાવીને, ગ્રંથકાર મહર્ષિએ પ્રભુભક્તિના પ્રભાવે પોતાના જીવનમાં અનુભવેલા અપૂર્વ ભાવોલ્લાસના એક મધુર પ્રસંગને અહીં રજૂ કર્યો છે, જે ભક્ત સાધકો માટે અત્યંત પ્રેરણાદાયક છે.
પ્રભુનાં દર્શન, વંદન, પૂજન અને આજ્ઞાપાલનથી આત્મામાં અપૂર્વ ભાવોલ્લાસ જાગે છે, હૃદય પુલકિત બને છે, ભાવોલ્લાસ દ્વારા જ્ઞાનની શુદ્ધતા, ચારિત્રની એકતા અને તપ તથા વીર્યની તીક્ષ્ણતા સિદ્ધ થતાં આત્મસમાધિ પ્રગટે છે. એ સમાધિ દશામાં અદ્ભુત આત્મિક આનંદનો અનુભવ થવાથી ભવભ્રમણનો ભય નાબૂદ થઇ જાય છે અને ભાભીને પરમતત્ત્વની ઉપાસના * ૧૪૧ મા
Page #87
--------------------------------------------------------------------------
________________
અલ્પકાળમાં જ સંપૂર્ણ શાશ્વત સુખ-રૂપ સિદ્ધતા પ્રગટ થવાની દેઢ પ્રતીતિ થાય છે.
આ પ્રમાણે પ્રભુભક્તિનો મહાન અપૂર્વ મહિમા જાણી સર્વ મુમુક્ષુ આત્માઓએ શ્રી જિનેશ્વર પ્રભુની પરમભક્તિમાં સદા તન્મય બનવા પ્રયત્નશીલ રહેવું જોઇએ.
ચાર ભાવનાઓ મૈત્રી એટલે નિર્વેર બુદ્ધિ, સમભાવ. પ્રમોદ એટલે ગુણવાનોના ગુણ પ્રત્યે પ્રશંસાભાવ, કરુણા એટલે દુ:ખીજનો પ્રત્યે નિદોષ અનુકંપા, માધ્યસ્થ એટલે અપરાધી પ્રત્યે પણ સહિષ્ણુતા.
[ (૨૪) શ્રી મહાવીર જિન સ્તવન |
આત્મગહ ગર્ભિત પ્રાર્થના
(ઢાળ : કડખાની દેશી) તાર હો તાર પ્રભુ મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજસ લીજે ! દાસ અવગુણ ભર્યો જાણી પોતાતણો, દયાનિધિ દીન પર દયા કીજે
|| તાર) || ૧ || સંસારના દુ:ખથી ઉદ્વિગ્ન બનેલો મુમુક્ષુ આત્મા શ્રી મહાવીર પરમાત્મા પાસે પોતાની દીન-દુ:ખી અવસ્થાનું વર્ણન કરવાપૂર્વક પ્રાર્થના કર છે.
હે દીનદયાલ ! કરુણાસાગર ! પ્રભુ ! આપ આ દીન-દુ:ખી દાસ ઉપર દયા વરસાવી, એને સંસારસાગરથી તારો - પાર ઉતારો. જોકે આ સેવક અનેક અવગુણોથી – દોષોથી ભરેલો છે, રાગ-દ્વેષાદિથી રંગાયેલો છે, છતાં એને પોતાનો સેવક માની, શરણાગત માની એની ઉપર કૃપાદૃષ્ટિ કરો અને એને સંસારસાગરથી પાર ઉતારીને જગતમાં મહાન સુયશ - કીર્તિને પ્રાપ્ત કરો, એ જ મારી નમ્ર ભાવભરી પ્રાર્થના છે.
રાગદ્વેષે ભર્યો મોહ વૈરી નડ્યો, લોકની રીતમાં ઘણુંય રાતો ! ક્રોધવશ ધમધમ્યો શુદ્ધ ગુણે નવિ રમ્યો, ભમ્યો ભવમાંથી
હું વિષયમાતો ! તારી | ૨ // હે પ્રભુ ! આપનો આ સેવક રાગદ્વેષથી ભરેલો છે, મોહ શત્રુ વડે દબાયેલો છે, લોકહેરી - લોકપ્રવાહમાં રંગાયેલો રહે છે. અર્થાતુ
. જોંક , , છોક પરમતત્ત્વની ઉપાસના * ૧૪૨
ક. ૪
ક.
ક. છj
પક છીંક શક છે જ, છ, પરમતત્તની ઉપાસના * ૧૪૩
ક. ૪
ક.
આ
Page #88
--------------------------------------------------------------------------
________________
સદા લોકરંજન કરવામાં કુશળ છે, ક્રોધવશ બની ધમધમી રહ્યો છે, શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર કે ક્ષમાદિ ગુણોમાં તન્મય બનતો નથી, પરંતુ વિષયોમાં જ આસક્ત બનીને ભવભ્રમણ કરી રહ્યો છે.
આદર્યું આચરણ લોક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઇ કીધો ! શુદ્ધ શ્રદ્ધાન વલી આત્મ અવલંબ વિનુ, તેહવો કાર્ય તેણે
કો ન સીધો || તારી || ૩ // ભવભ્રમણ કરતાં કરતાં ક્યારેક માનવભવમાં આવશ્યકાદિ દ્રવ્યક્રિયાઓ લોકોપચારથી કરી હશે, એટલે કે વિષ, ગરલ અને અન્યોન્યાનુષ્ઠાનવાળી ક્રિયાઓ કરી હશે, તેમ જ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમથી શાસ્ત્રોનો કંઇક અભ્યાસ પણ કર્યો હશે, પરંતુ શુદ્ધ સત્તાગત આત્મધર્મની શુદ્ધ રુચિ (શ્રદ્ધાન) વિના તેમ જ આત્મગુણના આલંબન વિના માત્ર બાહ્ય ક્રિયા વડે કે સ્પર્શ અનુભવજ્ઞાન વિનાના શાસ્ત્રાભ્યાસ વડે સમ્યગુદર્શનની પ્રાપ્તિરૂપ કોઇ કાર્ય સિદ્ધ થયું નથી. સ્વામી દરિસણ સમો નિમિત્ત લઇ નિર્મલું, જો ઉપાદાન એ
શુચિ ન થાશે ! દોષ કો વસ્તુનો અહવા ઉદ્યમ તણો, સ્વામી સેવા સહી નિકટ
| લાસે | તાર0 | ૪ | વીતરાગ પરમાત્માના દર્શન (શાસન) જેવું નિર્મળ, પુષ્ટ નિમિત્ત પ્રાપ્ત કરીને પણ જો મારી આત્મસત્તા પવિત્ર - શુદ્ધ ન થાય તો વસ્તુનો - આત્માનો જ કોઇ દોષ છે, અથવા જીવદળ તો યોગ્ય છે, પણ મારા પોતાના પુરુષાર્થની જ ઊણપ છે ? પરંતુ હવે તો સ્વામીનાથની સેવા જ ખરેખર મને પ્રભુની નજીક લઇ જશે અને મારી અને તેમની વચ્ચેના અંતરને ભાંગી નાંખશે.
સ્વામીગુણ ઓળખી સ્વામીને જે ભજે, દરિસન શુદ્ધતા તેહ પામે! જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કર્મ જીપી વસે મુક્તિ ધામે
|| તાર0 || ૫ | જે આત્મા અરિહંત પરમાત્માના ગુણોને ઓળખી તેમની સેવા કરે છે, તે આત્મા શુદ્ધ સમ્યગદર્શન પામે છે અને જ્ઞાન (યથાર્થ અવબોધ), એક છોક કોક કોક છોક પરમતત્ત્વની ઉપાસના * ૧૪૪ ૪દરેક tople who
ચારિત્ર (સ્વરૂપમણ), તપ (તત્ત્વએકાગ્રતા), વીર્ય (આત્મશક્તિ) ગુણના ઉલ્લાસ વડે અનુક્રમે સર્વ કમોને જીતી મોક્ષ - મુક્તિમંદિરમાં જઇ વસે છે.
જગતવત્સલ મહાવીર જિનવર સુણી, ચિત્તપ્રભુ ચરણને શરણ વાસ્યો ! તારજો બાપજી બિરુદ નિજ રાખવા, દાસની સેવના રખે ન જોશો
| | તાર૦ | || મહાવીર પરમાત્મા ત્રણે જગતનું હિત કરનારા છે.' એમ સાંભળીને મારા ચિત્તે આપનાં ચરણોનું શરણ સ્વીકાર્યું છે, તેથી તે જગતાત ! હે રક્ષક ! પ્રભુ ! આપ આપના તારકતાના બિરુદને સાર્થક કરવા માટે પણ મને આ સંસારસાગરથી તારજો ! પરંતુ દાસની સેવાભક્તિ તરફ ધ્યાન ન દેતા, અર્થાત્ આ સેવક તો મારી સેવા-ભક્તિ બરાબર કરતો નથી એમ જાણી મારી ઉપેક્ષા ન કરશો, પણ મારી સેવા તરફ જોયા વિના ફક્ત આપના એ તારક બિરુદને રાખવા માટે મને તારજો-પાર ઉતારજો !
વિનતી માનજો શક્તિએ આપજો, ભાવ સ્યાદ્વાદતા શુદ્ધ ભાસે ! સાધી સાધક દશા સિદ્ધતા અનુભવી, દેવચંદ્ર વિમળ પ્રભુતા પ્રકાશે
|| તાર) | ૭ || હે કૃપાળુદેવ ! મારી એક નાની શી વિનંતીને આપ જરૂર સ્વીકારજો અને મને એવી શક્તિ આપજો કે જેથી હું વસ્તુના સર્વ ધર્મોને જરા પણ શંકાદિ દૂષણ સેવ્યા વિના યથાર્થરૂપે જાણી શકું, તેમ જ સાધક દશાને સાધી સિદ્ધ અવસ્થાને અનુભવી શકું અને દેવોમાં ચંદ્ર સમાન ઉજવળ એવી પ્રભુતાને પ્રગટાવી શકું.
Dાવાદના જ્ઞાનથી સાધકતા પ્રગટે છે, અને સાધકતાથી સિદ્ધતા પ્રાપ્ત થાય છે. જ ચોવીસમાં સ્તવનનો સાર :
‘મોક્ષનો પ્રધાન હેતુ જિનભક્તિ છે.' આ સર્વ સિદ્ધાંતોનું સારભૂત વચન છે, જ્ઞાની પુરુષો મુક્તિ કરતાં પણ પ્રભુભક્તિને હૃદયમાં અધિક શક, ઝોક જ દરેક જી. પરમતત્ત્વની ઉપાસના * ૧૪૫ . .જો આમ થક
Page #89
--------------------------------------------------------------------------
________________
સ્થાન આપે છે. ભક્તિનું મહત્ત્વ અધિક આંકે છે, તેની પાછળ પણ આ જ હેતુ રહેલો છે.
ભક્તિ મુક્તિને ખેંચી લાવે છે, લોહચુંબક જેમ લોઢાને આકર્ષે છે તેમ.
આ સ્તવનમાં શુદ્ધ ભક્તિ ઉત્પન્ન કરવાના મુખ્ય મુદ્દાઓ બતાવ્યા છે, તેમાં સૌ પ્રથમ ભક્તિ પ્રગટ કરવા માટે સ્વદુષ્કૃત ગગિર્ભિત પ્રાર્થનાની અત્યંત આવશ્યકતા છે. સ્વામી-સેવકભાવની ભક્તિ વિના પરાભક્તિ' પ્રગટ થઇ શકતી નથી. માટે ભક્તિમાં પ્રથમ સેવકે પોતાના દોષો (દુર્ગુણો)નું સ્વામી સન્મુખ નિખાલસ નિષ્કપટ ભાવે નિવેદન કરવું જોઇએ.
અજ્ઞાન અવસ્થામાં થઇ ગયેલી ભૂતકાલીન ભૂલોને યાદ કરી તેનો પશ્ચાત્તાપ કરવો જોઇએ. ગદ્ગદિત હૃદયે અને અશ્રુ ઝરતી આંખે થતી પ્રભુપ્રાર્થના એ અઢળક પાપપુંજોને પણ આત્મપ્રદેશોમાંથી ખસેડી બહાર ઠાલવે છે અને સંતપ્ત હૃદયને શાંત બનાવે છે. વર્તમાનમાં અવિરતિ, મિથ્યાત્વ, પ્રમાદ અને કષાયાદિને વશ થઇ, જે કંઇ પણ મન, વચન અને કાયાથી અશુભ આચરણ થઇ ગયું હોય તે બદલ પણ સખેદ પશ્ચાત્તાપ કરવાપૂર્વક પ્રભુ પાસે ક્ષમાયાચના કરવી જોઇએ.
આ લોક કે પરલોકમાં પૌદ્ગલિક સુખ મેળવવા માટે કે યશકીર્તિની કામનાથી આત્મસ્વરૂપના લક્ષ્ય વિના કરાતા ધર્મના આચરણથી કે ધર્મશાસ્ત્રોના અભ્યાસથી પણ આત્મવિકાસ સાધી શકાતો નથી. માટે
એક મોક્ષપ્રાપ્તિના ધ્યેયથી જ સમ્યક્રિયા કે શાસ્ત્રાભ્યાસ કરવા જોઇએ.
શ્રી અરિહંત પરમાત્માનું શાસન જ જીવને શિવ (સિદ્ધ) બનાવવામાં સમર્થ છે. એવી દૃઢ શ્રદ્ધા કેળવવી જોઇએ.
અનુપમ મુક્તિ સુખને આપનાર આ જિન શાસનને પામીને પણ જો મારી આત્મવિશુદ્ધિ ન થતી હોય, તો એમાં મારા પુરુષાર્થની જ ખામી છે અને એ ખામીને દૂર કરવા માટે પ્રભુ-પ્રાર્થના પ્રેરક બની આપણને મહાન બળ પૂરું પાડે છે.
આત્માના શુદ્ધસ્વરૂપને પ્રગટ કરવાનાં મુખ્ય સાધનો નીચે પ્રમાણે છે : કોકોની રો પરમતત્ત્વની ઉપાસના * ૧૪૬૦૦
પ્રભુની ઓળખાણ, પ્રભુની સેવા, સમ્યગ્દર્શન, યથાર્થજ્ઞાન, સ્વરૂપરમણતારૂપ ચારિત્ર, તત્ત્વ એકાગ્રતારૂપ તપ અને વીર્યોલ્લાસ વગેરે. અર્થાત્ અરિહંત પરમાત્માની યથાર્થ ઓળખાણ કરવાપૂર્વક તેમની સેવા કરવાથી સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્યાદિ ગુણો પ્રાપ્ત થાય છે અને ગુણોની પૂર્ણતા એ જ મોક્ષ છે.
આ રીતે વિચારતાં સમજી શકાય છે કે મુક્તિનું મૂળ જિનભક્તિ (સેવા) છે, અને ભક્તિનું મૂળ પ્રભુપ્રાર્થના છે. તેથી જ ભક્ત-ભાવુક આત્માઓ સદા ભાવભીના હૈયે અને ગદ્ગદ સ્વરે પ્રભુ સન્મુખ પ્રાર્થના કરતાં કહેતા હોય છે કે -
હે પ્રભુ ! કરુણાસિંધુ વિભુ ! મારામાં ભવસાગર તરવાની જરાય તાકાત નથી, મારાં દુષ્ટ આચરણો જોતાં હું ભવનો પાર પામી શકીશ કે કેમ ? એ શંકા છે, છતાં આપનું “તારક” બિરુદ સાંભળી હું આપના ચરણોમાં દોડી આવ્યો છું, એટલે કે, આપના તારકતાના બિરુદને સાર્થક કરવા માટે પણ આ દીનદુઃખી અસહાય સેવકને ભીષણ ભવસાગરથી ઉગારી લેજો અથવા તેને તરવાની શક્તિ પ્રદાન કરજો, જેથી સર્વ સાધનાઓને સિદ્ધ કરી અને સિદ્ધતાને પ્રાપ્ત કરી, આ સેવક સદા માટે આપના સમાગમને મેળવી શકે. ખરેખર ! સાચા ભક્તાત્માની આ જ અંતિમ અભિલાષા હોય છે.
આ ‘ચોવીસી’ના કર્તા શ્રીમદ્ દેવચંદ્રજી પાઠક મહોદયે પણ ચોવીસી સમાપ્ત કરતાં પ્રભુ પાસે પોતાની અભિલાષા આ રીતે વ્યક્ત કરી છે.
ગ્રંથકર્તા જિનાગમોનાં ઊંડાં - અગાધ રહસ્યોના મહાન જ્ઞાતા હોવા છતાં, નમ્રભાવે પોતાની લઘુતા દર્શાવવાપૂર્વક કહે છે કે “મેં મારા અલ્પજ્ઞાન મુજબ પરમેશ્વરની સ્તવના (ગુણગ્રામ) કરીછે. તેમાં જે કંઇ યથાર્થ હોય તે પ્રમાણભૂત છે અને જે કંઇ અયથાર્થ હોય તે મારી મતિમંદતાને કારણે છે. તે ક્ષતિઓ બદલ મિચ્છામિ દુક્કડં !”
ગીતાર્થ પુરુષો-ગુણી પુરુષો પરગુણગ્રાહી હોય છે અને બીજાના દોષો પ્રત્યે ઉદાસીન ભાવવાળા હોય છે. ભદ્રક ભાવે કરેલી આ રચનામાં ભારતીય પરમતત્ત્વની ઉપાસના * ૧૪૭ માંથી
Page #90
--------------------------------------------------------------------------
________________ જે કંઇ અલના-ક્ષતિ થઇ હોય તેને એ મહાપુરુષો ક્ષમ્ય કરે એવી પ્રાર્થના કરું છું. મંગલ કલશરૂપે રચેલા પચીસમા સ્તવનમાં સ્તુતિકારશ્રીએ ચતુર્વિશતી જિનની સ્તુતિ અને 1452 ગણધર ભગવંતોનું સ્મરણ કરવાપૂર્વક ચતુર્વિધ સંઘનો મહિમા વર્ણવ્યો છે, અને અંતે જિનની સેવાથી હિતાહિતનો બોધ પ્રાપ્ત થાય છે ઇત્યાદિ શાસ્ત્રોનાં ટંકશાળી વચનોનો ઉપસંહારરૂપે ઉલ્લેખ કરી પોતાની ગુરુપરંપરાનો નિર્દેશ કર્યો છે. ધનમાં જ સંતોષ ન માનો પૂજ્યશ્રીએ પૂછયું: (અમેરિકન જિજ્ઞાસુ મિત્રોને) રોજ સવાર પડે ક્યાં દોડો છો, કેમ દોડો છો ? ધન કમાવાને ? પછી સુખ મળે છે ? ઠીક છે. ધન જીવન નિભાવવાનું સાધન છે. પણ એમાં સુખ છે તેમ માનીને સંતોષ ન પામશો ! આ તીર્થમાં કેમ આવ્યા છો ? શું કમાણી થશે ? કમાણીમાં ફરક સમજાય છે ? પ્રભુભક્તિ વડે સારી કમાણી થશે. કોક કોક માં . પરમતત્ત્વની ઉપાસના + 148 ક ક ક ક ક કાંક :