SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ છે. “મારો આત્મા પણ સત્તાએ સિદ્ધ સમાન છે” એવા ચિંતન દ્વારા પોતાના અંતરાત્માને પરમાત્મભાવનાથી ભાવિત બનાવે છે. વ્યવહારનયે અપવાદ ભાવસેવા સર્વ સાવઘયોગના ત્યાગી એવા શુદ્ધ સંયમના ધારક મુનિને હોય છે, તેઓ પોતાના શ્રદ્ધા-જ્ઞાનાદિ ગુણોને આદર અને બહુમાનપૂર્વક પરમાત્માના ગુણોના ચિંતન, મનન અને ધ્યાનમાં તન્મય બનાવે છે. આ રીતે ઋજુસૂત્ર આદિ નયોની અપેક્ષાએ અપવાદ ભાવસેવાનું સ્વરૂપ પણ ગાથાર્થથી સમજી શકાય તેવું છે. એથતુ સાધક ઉત્તરોત્તર ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં પ્રગતિ કરતો નિર્વિકલ્પ દશાને પામે છે. નૈગમનયે ઉત્સર્ગ ભાવસેવા શ્રી અરિહંત પરમાત્માના ગુણોના ચિંતન-મનનથી જયારે ક્ષાયિક સમ્યકત્વ પ્રગટે છે ત્યારે હોય છે કારણ કે આત્માની અનંતગુણ પર્યાયમયી પ્રભુતાનો જે એક અંશ પ્રગટ્યો છે, તે પણ અનંતગુણોને પ્રગટાવવાનું સાધન છે માટે તેને પણ સેવા કહેવાય છે. તન્મયતા થવી એ જ સેવા શબ્દનો અર્થ છે. સંગ્રહનયે ઉત્સર્ગ ભાવસેવા ભાવ મુનિને હોય છે, તેઓ જ્યારે અપ્રમત્ત દશાને પામી આત્મસત્તામાં રમણતા કરે છે એટલે કે સ્વસત્તામાં તન્મયતા સાધે છે ત્યારે તેમને હોય છે. વ્યવહારનયે ઉત્સર્ગ ભાવસેવા અપ્રમત્ત મુનિ અપૂર્વ કરણાદિ ભાવોને પામે છે તે વખતે હોય છે, પછીના ગુણસ્થાનકોમાં થતી આત્મવિશુદ્ધિના ક્રમને આ રીતે ઘટાવી શકાય છે. જ દષ્ટિ અને ગુણસ્થાનકની અપેક્ષાએ બન્ને પ્રકારની સેવા : (૧) અપવાદ ભાવસેવા ગુણસ્થાન ૧. નૈગમ-પ્રભુ ગુણનો સંકલ્પ ૧ થી ૪ સંખ્યત્વે અભિમુખતા ૨. સંગ્રહO-પ્રભુસત્તા સાથે તુલ્યતા ૫ ૪-૫ ૩. વ્યવ-પ્રભુ ગુણમાં રમણતા ૬ પ-૬ ૪. ઋજુ0-ધર્મ ધ્યાનરૂપ આત્મસ્વભાવમાં નિશ્ચલતા ૭ ક.દક, શ ક પરમતત્વની ઉપાસના * ૫૦ કો જઈ છે, ૫. શબ્દ0-શુક્લધ્યાનના ૧લા પાયાનું ચિંતન ૮ ૮-૯ સમ૦-શુક્લધ્યાનના ૧લા પાયાના અંતે ૧૦ એવં૦-શુક્લધ્યાનનો બીજો પાયોનિર્વિકલ્પ દશા પામે ત્યારે ૧૨ (૨) ઉત્સર્ગ ભાવસેવા ગુણસ્થાનક નૈગમી-ક્ષાયિક સમ્યકત્વ ૪-૫ ૨. સંગ્રહ૦-આત્મસત્તારમણ ૩. વ્યવ-અપ્રમત્ત દશામાં અપૂર્વગુણપ્રાપ્તિ ૪. ઋજુવ-ક્ષપક શ્રેણિગત આત્મશક્તિ ૮ ૯-૧૦ ૫. શબ્દ0-ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર ૮ ૧ ૨ ૬. સમ0-સયોગી કેવલજ્ઞાની ૧૩ ૭. એવં૦-અયોગી કેવલજ્ઞાની ૧૪ સેવા એ સાધકની સાધનાનો માપદંડ (થરમોમીટર) છે. મહાપુરુષોએ બતાવેલા આ માપદંડ દ્વારા આપણે આપણી આધ્યાત્મિક ભૂમિકાનું માપ કંઇક અંશે કાઢી શકીએ છીએ, અને આગળની ઉચ્ચ ભૂમિકાઓને પ્રાપ્ત કરવાનો ઉપાય જાણી તેની પ્રાપ્તિ માટે પ્રબળ પુરુષાર્થ કરવાની પ્રેરણા મેળવી શકીએ છીએ. અપાર્થિવ આસ્વાદ ભવ્યાત્મન્ ! ભોજનના રસ પૌલિક પદાર્થો જીલ્લાના સ્પર્શવડે સુખાભાસ ઉત્પન્ન કરે છે. કંઠ નીચે ઉતરી ગયા પછી તેનો સ્વાદ ચાલ્યો જાય છે, જયારે આત્મામાં રહેલો સ્વયં શાંતરસ સર્વદા સુખ આપનારો છે. તેમાં પૌગલિક પદાર્થોની જરૂર રહેતી નથી. તે આત્મામાં છુપાયેલો છે. આત્મા વડે જ પ્રગટ થાય છે. શકે છે , કઈ ક ક , પરમતત્વની ઉપાસના * ૫૧ શકિ જોક ઝાંક, જો છોક,
SR No.008967
Book TitleParam Tattvani Upasana
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherVardhaman Tattvagyan Vidyalaya Mundra
Publication Year2008
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy