SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) શ્રી અનંત જિન સ્તવન | (દીઠી હો પ્રભુ દીઠી જગગુરુ તુજ... એ દેશી) મૂરતિ હો પ્રભુ મુરતિ અનંત નિણંદ, તાહરી હો પ્રભુ તાહરી મુજ નયણે વસીજી | સમતા હો પ્રભુ સમતા રસનો કંદ, સહેજે હો પ્રભુ સહેજે અનુભવ રસ લસીજી / ૧ / હે અનંતનાથ પ્રભુ ! તારી મોહિની મૂર્તિ મારાં નયનોમાં વસી ગઇ છે. આપની મૂર્તિ સમતારસનો કંદ અને સહજ અનુભવરસથી પરિપૂર્ણ છે, એટલે સમતારસમણી અને સહજ અનુભવરસમયી આપની ભવ્યમૂર્તિ સદા મારા નેત્રોમાં રમી રહી છે. ભવદવ તો પ્રભુ ભવદવ તાપિત જીવ, તેહને હો પ્રભુ તેહને અમૃતઘન સમીજી ! મિથ્થા વિષ હો પ્રભુ મિથ્યા વિષની ખીર, હરવા હો પ્રભુ હરવા જાંગુલી મન રમીજી / ૨ // સંસારરૂપી દાવાનળના તાપથી દાઝેલા જીવોને પરમશીતળતા આપવામાં આપની મૂર્તિ અમૃતના મેઘ જેવી છે અને મિથ્યાત્વ રૂપી ઝેરની મૂરચ્છને હરણ કરવામાં ‘ગારુડી જાંગુલીમંત્ર’ સમાન છે. ભાવ હો પ્રભુ ભાવચિંતામણિ એહ, આતમ હો પ્રભુ આતમસંપત્તિ આપવાજી એહિજ હો પ્રભુ એહિજ શિવ સુખ ગેહ, તત્વ હો પ્રભુ તત્વાલંબન થાપવાજી | ૩ || ક.દક, જો આ પરમતત્વની ઉપાસના * ૭૮ શકે . જાક છja.pl હે પ્રભુ ! આપની મૂર્તિ આત્મસંપત્તિ આપવામાં ભાવચિંતામણિ છે અને મોક્ષસુખનું મંદિર-ઘર છે તથા આત્મતત્ત્વનાં આલંબનમાં સ્થિર થવાનું શ્રેષ્ઠ સાધન છે. જાએ હો પ્રભુ જાએ આશ્રવ ચાલ, દીઠે હો પ્રભુ દીઠ સંવરતા વધેજી | રન હો પ્રભુ રત્નત્રયી ગુણમાલ, અધ્યાત્મ હો પ્રભુ અધ્યાત્મ સાધન સહેજી | ૪ || હે પ્રભુ ! આપની શાંતમુદ્રાનાં દર્શનમાત્રથી આગ્નવ-પરિણતિકર્મબંધની પ્રવૃત્તિ નાશ પામે છે, અને આત્મરણારૂપ સંવરપરિણતિની વૃદ્ધિ થાય છે, તેમ જ રત્નત્રયી સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્રરૂપ ગુણોની માળા જેમાં છે, એવા આત્મસ્વરૂપને પ્રગટ કરવાનો ઉપાય પ્રાપ્ત થાય છે. મીઠી હો પ્રભુ મીઠી સૂરત તુજ, દીઠી હો પ્રભુ દીઠી રુચિ બહુમાનથી જી ! તુજ ગુણ હો પ્રભુ તુજ ગુણ ભાસન યુક્ત, સેવે હો પ્રભુ સેવે તસ ભવ ભય નથી જી || ૫ || હે પરમાત્મન્ ! મોક્ષની અભિલાષાથી બહુમાનપૂર્વક આપની મૂર્તિનાં દર્શન કરતાં તે જેને અત્યંત મીઠી મધુરી લાગે છે અને તમારા અનંત ગુણોનાં સ્મરણ, ચિંતન અને ધ્યાનમાં તન્મય બની જે તમારી સેવા કરે છે, તેનો ભવભ્રમણનો ભય નષ્ટ થઇ જાય છે. નામે હો પ્રભુ નામે અદ્ભુત રંગ, ઠવણા હો પ્રભુ ઠવણા દીઠે ઉલસેજી | ગુણ આસ્વાદ હો પ્રભુ ગુણ આસ્વાદ અભંગ, તન્મય હો પ્રભુ તન્મયતાયે જે ધસેજી || ૬ || હે પ્રભુ ! આપનાં નામશ્રવણ-સ્મરણમાત્રથી પણ અદૂભુત આનંદ ઉત્પન્ન થાય છે, આપની પ્રતિમાનાં દર્શનથી હૈયું ઉલ્લસિત - રોમાંચિત બની જાય છે અને આપની મૂર્તિના ભવ્ય આલંબનથી આત્મસ્વરૂપને કt, we je we, jક પરમતત્તની ઉપાસના * ૩૯ : , .test ne,
SR No.008967
Book TitleParam Tattvani Upasana
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherVardhaman Tattvagyan Vidyalaya Mundra
Publication Year2008
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy