Book Title: Agam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009078/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | I નમો નમો નમૂનર્વસાસ .. આગમસ સટક અનુવાદ અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહાચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ આગમસટીકઅનુવાદ - પિંડનિર્યુક્તિઓઘનિર્યુક્તિ - અનુવાદ-શ્રેણીના સર્જક - s/શ્રી આશાપૂર્ણ પાર્શ્વનાથ જૈન મુનિ દીપરત્નસાગર. trN: સાબર તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કાસુપ આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪ર સંપૂર્ણ મૂલ્ય-ર-૧૦,૦૦૦ ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. શિ3/1] Page #3 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદના આ ભાગ - ૩૫ માં છે. -૦- પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર-૨-નો સંપૂર્ણ સટીક અનુવાદ આગમસૂત્ર સટીક અનુવાદ B -- -૦- ઓઘનિર્યુક્તિ-મૂલસૂત્ર-૨-નો વૈકલ્પિક બીજું મૂળસૂત્ર] સાર રૂપ સંક્ષેપાનુવાદ — X — X — X — X — X — * - X -: ટાઈપ સેટીંગ - શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ ચાંદલોડિયા, અમદાવાદ. (M) 9824419736 -ઃ મુદ્રક ઃ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ. Tel. 079-25508631 Page #4 -------------------------------------------------------------------------- ________________ ભણસ્વીકાર • વંદના એ મહાન આત્માને છે વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિષ્ણરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી સગર્ચસૂરીશ્વરજી મ. ના ચરણ કમળમાં સાદર કોટીશ વંઝા છે કેમ ભૂલાય એ ગુરુદેવને પણ? ) ચારિત્ર પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવાયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેક્સાગરસૂરીશ્વરજી મ. જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપૂલ ધનરાશિ મોકલાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ Ipapers AAAAAAAAAAAA Eff Seઝનમાનજી આગમ સટીક અનુવાદના આ ભાગ [૩૫] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પરમપૂજ્ય ક્રિયારૂચિવંત આચાર્યદેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.ના સમુદાયના આ સાલ્લીશી મોકારિતાથીજી મ. તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી વાલાભનગર જૈન શ્રેમ, સંઘ ઈન્દીર, મu. AAAAAAAAAAAAAAAAA Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજ્રસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન શ્વે૰ મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. પૂપૂ ક્રિયારૂચિવંત, પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્વિજય ાચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવંતી શ્રમણીવર્સાઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાધ્વીથી સૌમ્યજ્ઞાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે - (૧) શ્રી કારેલીબાગ, શ્વેમ્પૂ જૈનસંઘ, વડોદરા. (૨) શ્રી કારેલીબાગ, જૈન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. · (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જૈનસંઘ, અમદાવાદ. - - ૨- સુવિશાળ પરિવારયુક્તા સાધ્વીશ્રી ભાવપૂર્ણાશ્રીજી મની પ્રેરણાથી શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ" - નવસારી તરફથી. ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવર્તી પ.પૂ. સાધ્વીશ્રી ધ્યાનસાશ્રીજી તથા સાધ્વીશ્રી પ્રફુલ્લિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન શ્વે ત૫૦ સંઘ, માંગરોળ - તરફથી. Page #8 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી ! - “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. - - - - - - Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ (આગમ-સીક અનુવાદ સહાયસ્કો) (૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ, (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. | (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો - - - - - - - મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકારનોનો અંક ૩૦૧ -માલુiળ-મૂe. ૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬ પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. - આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसहक्रोसो ૪-પ્રકાશનો ૧૧ આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી' જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે ૩ થી ૪ પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. wwxxx વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તાળિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના ६. आगमनामक्रोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ'. આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું આગમસુત્તાળિ-સટી તો છે જ. Page #13 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. - આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ મહાપૂજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત્ ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલુ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. 43 ૧૦. આગમસૂત્ર સટીક અનુવાદ ૪૮-પ્રકાશનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિયુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ'' એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા] સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. સટીક આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં અનુવાદ નથી. સંસ્કૃત અને । પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પયન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પયજ્ઞાઓનો મૂળનો અનુવાદ છે. — — — આ હતી. આગમ સંબંધી અમારા ૨૫૦ પ્રકાશનોની યાદી — — — Page #15 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૧૫ પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ - અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. - સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ (9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર Page #17 -------------------------------------------------------------------------- ________________ ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. -x -x Page #18 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स ૫.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરુભ્યો નમઃ ભાગ-૩૫ ૧૭ ૪૧/૧ પિંડનિયુક્તિ - મામા-૨ અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન આગમ સટીક અનુવાદ શ્રેણીમાં આ ૪૧-મું આગમ છે તે ચાર મૂળસૂત્રોમાં બીજુ સૂત્ર છે. તે “પિંડનિયુક્તિ' નામથી પ્રસિદ્ધ છે તેને પ્રાકૃતમાં 'પિકનિવ્રુત્તિ' કહેવામાં આવે છે. તેમાં કોઈ શ્રુતસ્કંધ કે અધ્યયન આદિ વિભાગો નથી, સળંગ૬૭૧ ગાથાઓ જ છે. માત્ર તેની મધ્યે બીજી ભાષ્ય ગાથાઓ પણ આવે છે. દશવૈકાલિક સૂત્રના પાંચમાં અધ્યયનની વિગતો ને વિસ્તારથી જણાવનારી આ ‘પિંડનિયુક્તિ' છે. જેમાં પિંડનું સ્વરૂપ, ઉદ્ગમ-ઉત્પાદન અને એષણાના દોષો તેમજ ગ્રાૌષણાના દોષ અને આહાર વિધિનું કથન છે. આ આગમના વિકલ્પમાં “ઓઘનિર્યુક્તિ” નામે બીજું આગમ છે. જેમાં સાત દ્વારોનું વર્ણન છે - પ્રતિલેખના, પિંડ, ઉપધિ, અનાયતન વર્ઝન, પ્રતિસેવા, આલોચના અને વિશુદ્ધિ, એવી ૮૧૨-શ્લોકોમાં રચના છે. બંને નિયુક્તિ મુખ્યત્વે ચરણકરણાનુયોગ પ્રધાન છે. અમારા પૂર્વેના બધાં સંપાદનોમાં ૪૧/૧-ઓઘનિયુક્તિ અને ૪૧/૨ પિંડનિર્યુક્તિ એમ ભાગ કરેલ છે. અહીં અમે ૪૧/૧ પિંડનિયુક્તિ એમ ક્રમ એટલે બદલ્યો છે કે – અહીં તેમાં પૂ.મલયગિરિજી ટીકાની મુખ્યતાથી સંપૂર્ણ વિવેચન કરેલ છે. જ્યારે ૪૧/૨-ઓઘનિયુક્તિ એવો ક્રમ ફેરવી, તેને થોડું ઓછું મહત્વ આપી ઓઘનિયુક્તિ-સારરૂપે રજૂ કરેલ છે. જો કે તેમાં કિંચિત્ આધાર દ્રોણાચાર્યકૃત્ ટીકાનો તો લીધો જ છે. પિંડનિયુક્તિમાં ક્રમાનુસાર ગાથાર્થ અને ટીકા આદિના અર્થોનો સંક્ષેપ કરેલ છે. જ્યારે ઓઘનિયુક્તિમાં તો ‘ગ્રંથ-સાર' કહી શકાય તે રીતે જ નોંધ છે, આટલી સ્પષ્ટ કબૂલાતપૂર્વક જ અમે આ સટીક અનુવાદ રજૂ કરી રહ્યા છીએ છતાં સંપૂર્ણ સટીક ગ્રંથ માટે અમારું મમુત્તાળિ-મટી જોવું. 35/2 ૧૮ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર/૨ આગમ-૪૧/૧ નો સટીક અનુવાદ ૦ ભૂમિકા :- પરોપકાર કરવામાં તત્પર, કર્મરૂપી રજનો નાશ કરનાર, મોક્ષમાર્ગરૂપ ચાસ્ત્રિને પોષણ કરનાર નિર્દોષ આહારવિધિના દેશક એવા શ્રી વર્ધમાન જિનેશ્વર જય પામે છે. ગુરુપદ કમલ નમીને હું ગુરુ ઉપદેશથી શિષ્યોના બોધને માટે આ પિંડનિર્યુક્તિની સંક્ષેપમાં વિવૃત્તિ કરું છું. [શંકા] નિર્યુક્તિ સ્વતંત્ર શાસ્ત્રરૂપ નથી પણ સૂત્રને પરાધીન છે, કેમકે નિર્યુક્તિ એટલે સૂત્રોક્ત પદાર્થો સ્વ સ્વરૂપ સાથે સંબંધવાળા છે, તો પણ શિષ્યોની પાસે, જેનાથી નિશ્વયપણે સંબંધનો ઉપદેશ કરી વ્યાખ્યાન કરાય છે, તે નિયુક્તિ કહેવાય છે. આપ પણ પિંડનિયુક્તિની ટીકા કરવાનું કહો છો, તો આ પિંડનિયુક્તિ કયા સૂત્રના સંબંધવાળી છે? [સમાધાન] અહીં દશ અધ્યયનના પરિમાણવાળું, બે ચૂલિકા વડે શોભતું દશવૈકાલિક નામે શ્રુતસ્કંધનું પાંચમું અધ્યય પિડૈષણા છે. તથા દશવૈકાલિક નિર્યુક્તિ ચૌદપૂર્વી શ્રી ભદ્રબાહુ સ્વામીએ કરી છે. તેમાં પિણ્ડષણા નામક અધ્યયનની નિર્યુક્તિ અતિ મોટી હોવાથી શાસ્ત્રાંતરની માફક જુદી રાખી છે. તેનું પિંડનિયુક્તિ નામ રાખેલ છે. આ કારણથી જ ગ્રંથમાં પહેલા મંગલને માટે નમસ્કાર કર્યો નથી. કેમકે દશવૈકાલિકની નિયુક્તિમાં આનો સમાવેશ છે. તેથી તે નિર્યુક્તિના આરંભે જ નમસ્કાર કરેલો હોવાથી અહીં પણ વિઘ્નના ઉપશમનો સંભવ છે. - ૪ - આરંભે અધિકાર સંગ્રાહક ગાથા આ છે – - મૂલ-૧ ઃ પિંડને વિશે ઉદ્ગમ, ઉત્પાદના, એષણા, સંયોજના, પ્રમાણ, અંગાર, ધૂમ અને કારણ એ આઠ પ્રકારે પિંડનિયુક્તિ છે. • વિવેચન-૧ : પિંડ એટલે સમૂહ, પિંડ કરવો તે પિંડ - ઘણી વસ્તુનો એકત્ર સમુદાય કરવો તે જે સમુદાય હોય તે સમુદાયવાળાથી કથંચિત્ અભિન્ન છે તેથી તે જ ઘણાં પદાર્થો એકમ સમૂહરૂપે કરેલા તે પિંડ શબ્દથી કહેવાય છે તે પિંડ જો કે નામાદિ ભેદી અનેક પ્રકારનો કહેવાશે તો પણ અહીં સંયમ આદિ ભાવપિંડનો ઉપકાર કરનાર દ્રવ્યપિંડ ગ્રહણ કરાશે. તે દ્રવ્યપિંડ પણ આહાર, શય્યા અને ઉપધિ ભેદથી ત્રણ પ્રકારે છે. અહીં Page #19 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૧ ૨૦ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ આહારશદ્ધિનો પ્રક્રમ હોવાથી આહારરૂપ જ દ્રવ્યપિંડ કહેવાશે. તેથી તે આહારરૂપ પિંડનો વિષય હોવાથી પહેલાં ઉદ્ગમ કહેવો જોઈએ. ઉદ્ગમ એટલે ઉત્પત્તિ. અહીં ઉગમ શબ્દથી ઉદ્ગમમાં રહેલા દોષો કહેવાય છે. કેમકે અહીં તેવી વિવક્ષા છે. ઉદ્ગમનો ભાવાર્થ આ રીતે – - ૧) ઉદ્ગમમાં રહેલા આધાકમદિક દોષ કહેવા લાયક છે. (૨) પછી ઉપાયણ તે ઉત્પાદના. ઘાબિવાદિ ભેદો વડે પિંડની પ્રાપ્તિ કરવી છે, તે કહેવા લાયક છે. ઉદગમ પછી ઉત્પાદના દોષો કહેવા લાયક છે. (૩) ત્યારપછી એષણા - શોધવું તે એષણા. તે એષણા ત્રણ પ્રકારે છે – ગવેષણા એષણા, ગ્રહણ એષણા, ગ્રાસ એષણા. (૧) ગવેષણા - ગવેષણને વિશે જ એષણા - અભિલાષા છે. આ પ્રમાણે જ (૨) ગ્રહણેષણા, (3) ગ્રામૈષણા પણ જાણી લેવા. તેમાં ગવેષણાનો વિષય ઉદ્ગમ અને ઉત્પાદના છે, તેથી તે બેના ગ્રહણ કરવાથી જ ગવેષણ એષણા ગ્રહણ કરેલી જાણવી. ગ્રામૈષણા આહાર કરવાના વિષયવાળી છે. તેથી સંયોજનાદિના ગ્રહણ વડે તે ગ્રહણ કરશે, તેથી અહીં શેષ રહેવા થકી એષણા શબ્દ કરીને ગ્રહઔષણા ગ્રહણ કરી છે ગ્રહઔષણાના ગ્રહણ કરવા વડે ગ્રહષણાના દોષો જાણવા. ભાવાર્થ એ કે – ઉત્પાદન દોષ પછી, ગ્રહમૈષણામાં રહેલ શંકિત, મછિતાદિ દોષો કહેવા. (૪) ત્યારપછી સંયોજના, સંયોગ કરવો તે સંયોજના. જિલૅન્દ્રિયની લોલુપતાને લીધે રસ ઉત્પન્ન કરવા માટે લાપશી આદિને ખાંડ આદિની સાથે મેળવવા તે. આ સંયોજના દ્રવ્ય અને ભાવથી બે ભેદે છે. (૫) ત્યારપછી પ્રમાણ - કોળીયાની સંખ્યારૂપ કહેવું. અહીં = શબ્દ સમુચ્ચય અર્થમાં છે તે ભિન્ન ક્રમવાળો હોવાથી #RUT શબ્દ પછી જાણવો. (૬,૭) અંગાર દોષ અને ધૂમ દોષ. જે પ્રમાણે થાય છે તે પ્રમાણે કહેવા. (૮) કારણ - જે કારણો વડે મતિઓના આહાર ગ્રહણ કરાય છે તે. આ પ્રમાણે આ પિંડનિયતિ - પિp3ષણા નિર્યુક્તિ આઠ ભેદે છે. એટલે કે આઠ અધિકારોએ કરીને ચેલી છે. [શંકા આ આઠે અધિકારો કોઈ સંબંધ વિશેષથી છે કે યથાકથંચિત્ ? [સમાધાન] વિશેષ પ્રકારના સંબંધે કરીને જ આ આઠે પ્રકારો આવેલા છે તે આ રીતે- પિકૅષણા અધ્યયનની નિયુક્તિ આરંભી છે, તેમાં પિંડોષણા અધ્યયનના ચાર અનુયોગદ્વાર - ઉપકમ, નિક્ષેપ, અનુગમ, નય. તેમાં નામ નિપજ્ઞ નિફોપામાં ‘પિંડ-એષણા' અધ્યયન એ નામ. તેથી પિંડ અને અધ્યયન, બે શબ્દની વ્યાખ્યા કરવી જોઈએ. ‘અધ્યયન’ શબ્દની વ્યાખ્યા પહેલાં દ્રુમપુપિકા અધ્યયનમાં કહેલ છે. અહીં માત્ર “પિંડ’ શબ્દની વ્યાખ્યા. પછી એષણા શબ્દની વ્યાખ્યા કરવી. એષણા તો ગવેષણા, ગ્રહઔષણા અને ગ્રાસૌપણા એ ત્રણ પ્રકારે છે. તે ગવેષણ-એષણાદિ ઉદ્ગમ આદિ વિષયવાળી છે, તેથી કહેવા યોગ્ય છે. માટે પિંડાદિ આઠ ભેદ છે. પહેલાં ‘પિંડ’ શબ્દની વ્યાખ્યા. તે તત્વ, ભેદ અને પર્યાય એમ ત્રણ પ્રકારે છે. પહેલાં “પિંડ’ શબ્દના પર્યાયોને કહે છે – • મૂળ-૨ : પિંડ, નિકાય, સમૂહ, સંપિંડન, પિંડના, સમવાય, સમવસરણ, નિયમ, ઉપચય, જય, યુગ્મ અને રાશિ. એ પિંjશબદના પર્યાયિો છે. • વિવેચન-૨ : સામાન્યથી આ પિંડ શબ્દના પર્યાયો છે, વિશેષથી કોઈ અર્થને વિશે રૂઢ છે. તેમાં (૧) પિંડ - ગોળનો પિંડો, આદિ રૂપ સંઘાતમાં રૂઢ છે. (૨) નિકાય-ભિક્ષુકાદિ સમૂહ, (૩) સમૂહ - મનુષ્યાદિનો સમુદાય, (૪) સંપિંડન - સેવ આદિ, તથા ખંડપાક આદિનો પરસ્પર સમ્યક્ સંયોગ, (૫) પિંડના - મળવા માગના સંયોગમાં રૂઢ, (૬) સમવાય - વણિકાદિનો સંઘાત, (૩) સમવસરણ - તીર્થકરની દેવ, મનુષ્યાદિની પર્મદા, (૮) નિચય - સુવાદિનો સંઘાત, (૯) ઉપચય - પ્રથમની અવસ્થા થકી મોટા થયેલા, (૧૦) ચય - ઇંટોની રચના વિશેષ, (૧૧) યુગ્મ - બે પદાર્થનો સંઘાત, (૧૨) સશિ - સોપારીનો સમૂહ. * * * * * સામાન્યથી સર્વ પિંડાદિ શબ્દો એકાર્યક છે. પિંડના પર્યાયો કહ્યા. હવે તેના ભેદોની વ્યાખ્યા - • મૂળ-3 : પિંડનો નિક્ષેપ ચાર પ્રકારે અથવા છ પ્રકારે કરવા લાયક છે. એ પ્રમાણે નિપ કરીને પછી પિંડની પ્રરૂપણા કરવા લાયક છે. • વિવેચન-3 : પિંડનો નામ આદિ નિક્ષેપ ચાર પ્રકારે છે. અથવા છ પ્રકારે કરવા લાયક છે. • x • x• અહીં જે વસ્તુને વિશે સમ્યક પ્રકારે વિસ્તારથી નિક્ષેપ જાણવામાં ન હોય અથવા જાણ્યાં છતાં વિસ્મરણને પામ્યો હોય ત્યાં પણ નામાદિ ચાર ભેદે તિક્ષેપ અવશ્ય કQો -x-x - જો છ પ્રકારનો નિક્ષેપ સમ્યક પ્રકારે જાણેલો હોય, જાણીને વિસ્મરણ ન પામ્યો હોય તો છ પ્રકારનો નિક્ષેપ કરવો. અન્યથા ચાર પ્રકારનો નિક્ષેપ અવશ્ય કરવો. એ પ્રમાણે નિફ્લોપ કરીને તે પિંડની પ્રરૂપણા કરવી. નામાદિ ભેદના સ્થાપન વડે વ્યાખ્યાનું ફળ એ કે – વિવક્ષિત શબ્દ વડે કથનીય પદાર્થોને તેના સ્વરૂપ પ્રમાણે છૂટા છૂટા દેખાડીને પછી નામાદિમાંથી જે કોઈ વડે પ્રયોજન હોય તેનો યુતિપૂર્વક અધિકાર કરવો, બાકીનાનો ત્યાગ કરવો. • x • અહીં જે ચાર કે છ પ્રકારે નિક્ષેપનું કહ્યું. તેમાં તેનું સ્વરૂપ દેખાડ્યા વિના તેને જાણવાને શિષ્યો સ્વયં સમર્થ ન થાય, તેથી તેનું સ્વરૂપ અવશ્ય દેખાડવું જોઈએ. છ Page #20 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૩ પ્રકાર કહેવાથી ચાર પ્રકાર તો તેમાં સમાવિષ્ટ જ છે. માટે છ ભેદૈનિક્ષેપ કહે છે - - મૂલ-૪ : જેમ કુલકમાં ચોથો ભાગ અવશ્ય સંભવે, તેમ છ ભેદે નિક્ષેપ થકી ચાર ભેદે નિક્ષેપ અવશ્ય સંભવે છે, તેથી છ ભેદે નિક્ષેષ કહું છું. • વિવેચન-૪ : ૨૧ ચાર સેતિકાના એક કુલકમાં તેના ચોથા ભાગરૂપ સેતિકા અવશ્ય વિધમાન હોય, તેમ છ ભેદના નિક્ષેપમાં ચાર ભેદે નિક્ષેપ અવશ્ય સંભવે, તેથી તે છ નિક્ષેપની પ્રરૂપણા કરું છું. પ્રતિજ્ઞાને નિર્વહતા કહે છે – • મૂલ-૫ ઃ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ છ ભેટે પિંડે છે. • વિવેચન-૫ : નામપિંડ, સ્થાપનાપિંડ, દ્રવ્ય વિષયક પિંડ તે દ્રવ્યપિંડ, ક્ષેત્રનો પિંડ અને ભાવ પિંડ. એમ છ ભેદે પિંડનો નિક્ષેપ થાય છે. તેમાં નામપિંડની વ્યાખ્યા કરવા અને સ્થાપના પિંડનો સંબંધ કરવાને કહે છે – • મૂલ-૬ ઃ પિંડ એવું નામ તે ગૌણ કે સિદ્ધાંતોક્ત કે બંને વડે કરેલું હોય કે ન હોય તેને નામ પિંડ કહે છે. હવે હું સ્થાપના પિંડને કહીશ. • વિવેચન-૬ : ‘પિંડ’ એવા અક્ષરની શ્રેણિરૂપ તે ‘નામપિંડ’. નામ એવો તે પિંડ. ‘નામ’ ચાર પ્રકારે – ગૌણ, સમરાજ, ઉભયજ, અનુભયજ. (૧) ગૌણ-ગુણથી આવેલ. તેમાં ગુણ-શબ્દની વ્યુત્પત્તિ રૂપ પદાર્થ-જેમકે સ્વત ધાતુ દીપ્તિ અર્થે છે, તેથી ખ્વનન એટલે દીપન. - ૪ - પદાર્થને વિશે પ્રવર્તતા જે જે શબ્દો, તેની વ્યુત્પત્તિના કારણરૂપ જે દ્રવ્ય, ગુણ કે ક્રિયા તે ગુણ કહેવાય છે. તેમાં શ્રૃંગી, દંતી આદિ શબ્દોમાં વ્યુત્પત્તિના કારણરૂપ દ્રવ્ય છે. જાતરૂપ, સુવર્ણ આદિમાં વ્યુત્પત્તિ નિમિત્ત ગુણ છે. તપન, શ્રમણ, દીપ આદિમાં વ્યુત્પતિ નિમિત ક્રિયા છે. જાતિ નામની વ્યુત્પત્તિનું નિમિત્ત ન થાય પણ પ્રવૃત્તિનું નિમિત્ત થાય છે. જેમકે શબ્દનું પ્રવૃત્તિ નિમિત્ત ‘ગોજાતિ' છે. - ૪ - ૪ - પરંતુ જે જાતિવાચી શબ્દો વ્યુત્પત્તિ રહિત છે અને યથાકથંચિત્ જાતિવાળાને વિશે રૂઢિ પામેલા હોય તે શબ્દોમાં વ્યુત્પત્તિનું નિમિત્ત જ નથી. તો પછી તેવા શબ્દોમાં જાતિ સંબંધિ વ્યુત્પત્તિ નિમિત્તનો પ્રસંગ જ ક્યાંથી હોય ? ન હોય. તેતી તે જાતિ ગુણના ગ્રહણ વડે ગ્રહણ કરી શકાતી નથી. ઈત્યાદિ - ૪ - ૪ - સમયજ - અર્થ રહિત હોય અને સિદ્ધાંતમાં જ પ્રસિદ્ધ હોય તે સમયજ કહેવાય. જેમ ઓદનનું પ્રાકૃતિકા નામ સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે. ઉભાજ - ગુણ વડે પણ પ્રસિદ્ધ અને સમયમાં પણ પ્રસિદ્ધ હોય તે ઉભયજ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ કહેવાય. જેમ ધર્મધ્વજનું ‘રજોહરણ’ નામ છે. આ નામ સિદ્ધાંત પ્રસિદ્ધ પણ છે અને અર્થયુક્ત પણ છે. તે આ રીતે – જેના વડે બાહ્ય અને અત્યંતર રજ હરાય, તે રજોહરણ. બાહ્યરજને દૂર કરે તે પ્રસિદ્ધ છે, આત્યંતર રજને દૂર કરનાર સંચમયોગો છે તેઓનું મરણ ધર્મલિંગ રજોહરણ છે. કારણને વિશે કાર્યના ઉપચારથી તે રજોહરણ કહેવાય. ૨૨ અનુભયજ - જેમકે શૂરતા, ક્રૂરતા આદિ ગુણરૂપ કાર્ય અસંભવ છે. તેથી સિંહરૂપ કારણમાં તે કાર્યના ઉપચારનો અભાવ છે. એવા કોઈ પુરુષનું સિંહ એવું નામ પાડ્યું. એ રીતે દેવદત્ત. એ જ રીતે ‘પિંડ' એ અક્ષરોના સમૂહરૂપ નામ પણ ગૌણાદિ ભેદે ચાર પ્રકારે છે. સજાતીય કે વિજાતીય ઘણાં કઠિન દ્રવ્યોનો સમૂહ કરવાથી ‘પિંડ' એવું નામ પ્રવર્તે, તે ગૌણ કહેવાય. વળી સિદ્ધાંતની ભાષાથી પાણીને વિશે પિંડ નામનો પ્રયોગ કરવાથી તે સમયન કહેવાય. - X - જેમકે - આચારાંગ સૂત્રમાં કહેલ છે કે – તે સાધુ કે સાધ્વી પિંડ લેવા ગૃહસ્થને ઘેર પ્રવેશી પાણીને જુએ તે આ પ્રમાણે તલનું પાણી, તુષનું પાણી આદિ, અહીં પાણી પણ પિંડ કહ્યું. ૩પયન - જેમકે સાધુ-સાધ્વી ગૃહસ્થને ત્યાંથી ગોળનો પિંડ કે સાથવાનો પિંડ પ્રાપ્ત કરે, તે ‘પિંડ’ શબ્દ ઉભયજ કહેવાય. કેમકે તે સમયમાં પ્રસિદ્ધ છે અને અન્વર્યયુક્ત પણ છે. અનુભવન - કોઈ માણસનું પિંડ એવું નામ કરે, પણ શરીરના અવયવ સમૂહને ન વિવક્ષે તે. ગાથાનો અક્ષરાર્થ કહે છે – જે પિંડ એવું નામ તે “ગૌણ” છે. સમય કૃત્ - તે સમયમાં પ્રસિદ્ધ, તદુખવસ્તૃત - ગુણ અને સમય બંનેથી યુક્ત. અનુભવન - અન્વ રહિત અને સમયમાં અપ્રસિદ્ધ. આ ચારે ભેદોને તીર્થંકરાદિ નામપિંડ કહે છે, હવે હું સ્થાપના પિંડ કહીશ. • મૂલ-૭ :- [ભા] ગુણ વડે બનેલ હોય તે જ ગૌણ નામ છે, એમ અર્થવિદો યથાર્થ કહે છે, તે ગૌણનામ-ક્ષપણ, જ્વલન, તપન, પ્રદીપ આદિ છે. • વિવેચન-૭ : ગુણ વડે એટલે પરાધીન વ્યુત્પત્તિના નિમિત્તરૂપ દ્રવ્યાદિ વડે જે બનેલું હોય તે ગૌણ નામ કહેવાય. જેના ગુણ વડે બનેલું હોય, તેના ગુણથી કે વસ્તુને વિશે આવેલું નામ તે ગૌણ કહેવાય છે, ગૌણ નામને અર્થવિદો યથાર્થ કહે છે. તે ગૌણ નામ ત્રણ પ્રકારે છે – દ્રવ્ય નિમિત્ત, ગુણ નિમિત્ત અને ક્રિયા નિમિત્ત. ત્રણેની વ્યાખ્યા પૂર્વે કરેલી છે. તેમાં પિંડ એવું જે નામ તે ક્રિયાનિમિત્ત છે, જેમકે - ૪ - કર્મને ખપાવે તે ક્ષપણ, આ ગૌણ નામ ક્રિયાનિમિત્ત છે. એ જ પ્રમાણે બાકીના દૃષ્ટાંતો જાણવા. જેમકે બળે તે જ્વલન - અગ્નિ, તપે તે તપન - સૂર્ય, Page #21 -------------------------------------------------------------------------- ________________ મૂલ વાય તે વાયુ-પવન. ૨૩ હવે પિંડ એવા ગૌણ નામ અને સમયકૃત્ બેની વ્યાખ્યા કરે છે – • મૂલ-૮ ઃ- [ભાષ્ય] બહુ દ્રવ્યોનો મેળાપ તે પિંડ. પ્રતિપક્ષે પિંડ એવું જે નામ તે સમયકૃત્ પિંડ જાણવું. જેમ પિંડ પતિપાત સૂત્ર છે. • વિવેચન : સમાન કે જુદી જાતિના ઘણાં કઠિન દ્રવ્યોનું જે પિંડન-એક સ્થાને મેળાપ, તેને માટે કહેવાતું પિંડ એવું જે નામ તે ગૌણ કહેવાય છે. કેમકે વ્યુત્પત્તિના નિમિતનું તેમાં હોવાપણું છે. તથા પ્રતિપક્ષ - કઠિન દ્રવ્યોના મેળાપનો અભાવ, આવા ઘણાં દ્રવ્યોના મળવા વિના પિંડ એવું નામ પ્રવર્તે છે, તેમાં પણ કંઈ વિરોધ નથી. એમ અત્તિ શબ્દનો અર્થ જાણવો. સિદ્ધાંતથી ‘પિંડ' એવા નામ વાળો તે ‘નામપિંડ' સમયકૃત્ કહેવાય. તેમાં નામ અને નામવાળો એ બંનેના અભેદ ઉપચારથી આવો નિર્દેશ છે. પણ ઉપચાર ન કરીએ તો આ પ્રમાણે અર્થ કરવો કે – તે વસ્તુને વિશે તે પિંડ એવું જે નામ તે સમયકૃત્ છે. • x - x - અહીં પિંક શબ્દથી ‘પિંડપાત’ શબ્દ જાણવો. - x - x - સંક્ષેપમાં કહીએ તો • આ સૂત્રમાં ઘણાં કઠિન દ્રવ્યોનો પરસ્પર મેળાપ ન હોય તો પણ પાણીને વિશે ‘પિંડ’ એવું અન્વર્થ રહિત નામ સમયની પ્રસિદ્ધિથી થાય છે. તેથી આ નામને સમયન કહેવાય. હવે ‘૩મયન' પિંડ કહે છે – • મૂલ-૯ :- [ભાષ્ય] પિંડના લાભ માટે ગૃહસ્થના ઘેર પ્રવેશેલા જે કોઈ સાધુને જે ગોળ અને ઓદનના પિંડની પ્રાપ્તિ થાય, તેને તદુભપિંડ કહ્યો છે. • વિવેચન-૯ : વળી જે કોઈ સાધુને પિંડપાત - આહારનો લાભ, તદર્થીપણાએ – તે માટે ગૃહસ્થના ઘેર પ્રવેશ કરીને ગોળના પિંડ અને ઓદનના પિંડની પ્રાપ્તિ થાય, ઉપલક્ષણથી સાથવાના પિંડાદિની પ્રાપ્તિ થાય, તે ગુડપિંડાદિને તીર્થંકર અને ગણધરોએ ગુણથી થયેલ અને સમયપ્રસિદ્ધ પિંડ શબ્દથી વાચ્ય એવો તદુભયપિંડ કહ્યો છે. અહીં પણ નામ અને નામવાળાના અભેદ ઉપચારથી એ પ્રમાણે ગાથામાં નિર્દેશ કર્યો છે. જો ઉપચાર ન કરીએ તો - તે વિષયવાળું પિંડ એવું જે નામ તે ઉભયજ કહેવાય છે. કેમકે અન્વર્ણયુક્ત અને સમય પ્રસિદ્ધ છે. હવે ઉભયાતિક્તિ નામને કહે છે– - મૂલ-૧૦ :- [ભાષ્ય] અથવા ઉભયાતિક્તિ બીજું પણ સ્વ અભિપાયથી કરેલ લૌકિક નામ જેમકે – સિંહક, દેવદત્ત આદિ. • વિવેચન-૧૦ : ‘અથવા’ શબ્દથી નામનો બીજો પ્રકાર જણાવે છે. ઉભયાતિરિક્ત - ગૌણ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ અને સમયજથી જુદું. લોકમાં પ્રસિદ્ધ, સ્વેચ્છાથી કરેલું - અનુભરાજ નામ છે. જેમકે – સિંહક, દેવદત્તાદિ. શૂરતા, ક્રૂરતાદિ ગુણના કારણનો ઉપચાર કર્યા વિના-સિંહક, ‘દેવોએ આને આપ્યો' એવી વ્યુત્પત્તિ વિના ‘દેવદત્ત'. એ રીતે વ્યુત્પત્તિ અર્થના સંભવ વિના પિતા આદિએ સ્વેચ્છાથી પાડેલું નામ, તે અન્વર્થરહિત પણ છે અને સમાજ પણ નથી. એ પ્રમાણે 'પિંડ' નામ પણ કહેવું. [શંકા] ‘પિંડ’ એવું ઉભયાતિક્તિ નામ નિર્યુક્તિમાં કહેલ નથી, તો ભાષ્યકારે તેની વ્યાખ્યા કેમ કરી ? [ઉત્તર] આ શંકા અયુક્ત છે. કેમકે “પિ' શબ્દ વડે ગાથામાં તેનું સૂચન છે તે માટે કહે છે કે – ૨૪ • મૂલ-૧૧ :- [ભાષ્ય] આ પિંડ કે બીજું ગૌણ કે સમયાતિતિ નામ 'પિ' શબ્દ વડે સૂચવેલ છે. જેમ કોઈ મનુષ્યનું ‘પિંડ એવું નામ કરાય તેમ. • વિવેચન-૧૧ : - x - જેમ કોઈ મનુષ્યનું ‘પિંડ’ એવું નામ કરાય, તે ગૌણ નથી, કેમકે ઘણાં દ્રવ્યોના મેળાપનો અસંભવ છે, તથા શરીરના અવયવોના સમૂહની અવિવક્ષા છે, તેથી તે સમયકૃત્ પણ નથી, માટે તે ઉભયાતિક્તિ છે. [શંકા] સમયકૃત્ અને ઉભયાતિરિક્ત બંનેમાં કોઈ તફાવત જણાતો નથી. કેમકે - બંનેમાં અન્વર્ય રહિતતા છે અને પોતાના અભિપ્રાય વડે કરવું તે અવિશેષ છે, તો પછી બંનેનું ગ્રહણ શા માટે કર્યુ? માત્ર સંકેતવાળું કહો તો પણ બંનેનું ગ્રહણ થઈ જશે. [સમાધાન] શંકા અયોગ્ય છે. કેમકે અભિપ્રાયને જાણતા નથી. લૌકિક નામ જે સંકેતથી થાય તેનો વ્યવહાર સામાન્ય જન અને સમયજ્ઞ બંને કરે છે. પણ સમયને વિશે સંકેત કરાયેલા નામનો વ્યવહાર સામાન્યજનો કરતા નથી. તે કહે છે – • મૂલ-૧૨ :- [ભાષ્ય-૬] અભિપાયથી તુલ્ય તો પણ સમયપસિદ્ધ નામને સામાન્ય લોક ગ્રહણ કરતો નથી. પણ લોકપ્રસિદ્ધ નામને બંને ગ્રહણ કરે છે. • વિવેચન-૧૨ : અહીં અભિપ્રાય શબ્દથી પદનો એક દેશ કહેવાથી પદ સમુદાય ગ્રાહ્ય છે. અભિપ્રાયથી - ઈચ્છા માત્રથી કરેલ. પણ વસ્તુના બળથી પ્રવર્તોલ નહીં તે. આ અભિપ્રાયકૃતત્વ - સાંકેતિકપણું તે તુલ્ય છે છતાં સમય પ્રસિદ્ધ નામને ‘લોક સામાન્યજન ગ્રહણ ન કરે. જેમકે ભોજનાદિ એ સમય પ્રસિદ્ધ નામ મુજબ ‘સમુદ્દેશ’ કહેવાય, તો પણ સામાન્ય જન તેમ કહેતો નથી. લોકપ્રસિદ્ધ નામ હોય તો બંને તેનો વ્યવહાર કરે છે. માટે બંને નામો જુદા કહ્યા, તેમ સાર્થક છે. કેમકે તે બંનેમાં સ્વભાવથી ભેદ છે. હવે - ૪ - ૪ - નિયુક્તિકાર સ્થાપના પિંડને કહે છે – Page #22 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૧૩ ૨૬ • મૂલ-૧૩ : પાસા, કોડા, કાષ્ઠ, ઢીંગલી કે ચિત્રકમમાં સ્થાપના કરાય તે સદ્ભાવ કે અસદ્દભાવ સ્થાપના પિંડને તું જાણ. • વિવેચન-૧૩ : સત્ - વિધમાનની જેમ હોવાપણું તે સદ્ભાવ કહેવાય છે. સ્થાપના કરાતા ઈન્દ્રાદિના યોગ્ય એવા અંગ, ઉપાંગ, ચિહ્નાદિ જે આકાર વિશેષ કે જેને જોવાથી જણે સાક્ષાત્ વિધમાન હોય એવા ઈન્દ્રાદિક દેખાતા હોય તે સદ્ભાવ કહેવાય. તેનો અભાવ તે અસદ્ભાવ કહેવાય. તે બંનેને આશ્રીને મા - ચંદનકમાં, વાટક - કોડામાં, લાકડામાં, ઢીંગલામાં, લેપ્સ કે પત્થરમાં અથવા ચિમકર્મમાં જે પિંડાદિની સ્થાપના કરાય તે સ્થાપના પિંડ કહેવાય. ભાવાર્ય આ છે - કાષ્ઠ, લેય આદિમાં ઘણાં દ્રવ્યોનો સંપ્લેયરૂપ પિડનો આકાર જાણે સાક્ષાત્ વિધમાન હોય તેવો આલેખાય છે અથવા ઘણાં અક્ષાદિને એકત્ર કરીને પિંડપણે સ્થાપન કરાય છે. ત્યારે તેમાં પિંડના આકારના જાણવાપણાથી સદ્ભાવ પિંડ સ્થાપના કહેવાય છે. પણ એક અક્ષાદિમાં પિંડપણે સ્થાપે ત્યારે પિંડનો આકાર પ્રાપ્ત થતો ન હોવાથી તે અસદ્ભાવ પિંડસ્થાપના કહેવાય. • X - X • જેમ એક બિંદુને ચિત્રકર્મમાં સ્થાપી તેને ગોળનો પિંડ આદિ કલ્પના કરાય ત્યારે તે અસદ્ભાવ પિંડ સ્થાપના કહેવાય છે. હવે ભાણકાર આ સદ્ભાવઅસદ્ભાવ સ્થાપનાને કહે છે • મૂલ-૧૪ - [ભણ અસદ્ભાવમાં એક જ ની જ્યારે સદ્ભાવમાં ત્રણ અક્ષાદિની સ્થાપના થાય છે. ચિત્રમાં અસદ્ભાવમાં, કાષ્ઠાદિમાં સદ્ભાવ સ્થાપના છે. • વિવેચન-૧૪ : જ્યારે એક જ અક્ષ, વાટક કે વીંટી આદિમાં પિંડરૂપે સ્થાપના થાય ત્યારે તે પિંડ સ્થાપના અસદ્ભાવ વિષયક કહેવાય. કેમકે ત્યાં પિંડની આકૃતિ દેખાતી નથી. પરંતુ જ્યારે ત્રણ અક્ષ, ત્રણ વરાહક આદિનો પરસ્પર એક સંશ્લેષણ કરવા વડે પિંડપણે સ્થાપન કરાય ત્યારે તે પિંડ સ્થાપના સદ્ભાવ વિષયક કહેવાય. કેમકે ત્યાં આકૃતિ પ્રાપ્ત થાય છે. અહીં ત્રણની સંખ્યા ઉપલક્ષણથી જાણવી. તેનાથી વધુ સંખ્યા પણ હોઈ શકે. એ જ રીતે ચિત્રકર્મમાં એક બિંદુથી કરાતી પિંડ સ્થાપના અસદભાવ વિષયક છે, પણ અનેક બિંદુના સંશ્લેષથી થતી તે સદ્ભાવ સ્થાપના જાણવી. તથા કાષ્ઠ લેટ કે પત્થર વિશે પિંડની આકૃતિ કરવા વડે જે પિંડની સ્થાપના થાય તે સદ્ભાવ પિંડ સ્થાપના કહેવાય છે. સ્થાપના પિંડ કહ્યો. હવે દ્રવ્યપિંડનો અવસર છે. દ્રવ્યપિંડ બે પ્રકારે - આગમથી, નોઆગમથી. ‘પિંડ' શબ્દના અર્થને જાણે પણ તેમાં ઉપયોગ ન હોય તે આગમથી દ્રવ્યપિંડ કહેવાય. નોઆગમચી દ્રવ્યપિંડ પિંડનિયુક્તિમૂલસૂત્ર સટીક અનુવાદ ત્રણ પ્રકારે છે - જ્ઞશરીર દ્રવ્યપિંડ, ભવ્ય શરીર દ્રવ્યપિંડ, તવ્યનિરિકત દ્રવ્યપિંડ, - X - X - X • તેમાં તદ્ વ્યતિરિક્તને કહે છે – • મૂલ-૧૫ :દ્રવ્યપિંડ ત્રણ ભેદે – સચિત્ત, અચિત, મિશ્ર. તે પ્રત્યેક નવ ભેદે છે. • વિવેચન-૧૫ - જ્ઞશરીર અને ભવ્યશરીરથી રહિત દ્રવ્યપિંડ ત્રણ પ્રકારે છે - સચિવ, અચિત, મિશ્ર. અહીં પૃથ્વીકાયાદિક પિંડ શબ્દ વડે કહેવાશે અને તે પહેલાં સચિત હોય, પછી સ્વકાય શસ્ત્રાદિથી અચિત કરે ત્યારે કેટલોક મિશ્ર હોય છે, પછી અચિત્ત થાય છે. તેથી ક્રમ છે – સચિવ, મિશ્ર, અચિત. આ સચિતાદિ પ્રત્યેકના નવ-નવ ભેદો કહે છે – • મૂલ-૧૬ :પૃથવી, અ, તેઉં, વાયુ, વનસ્પતિ, બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયો. • વિવેચન-૧૬ : અહીં પૂર્વની ગાથાથી ‘પિંડ' શબ્દની અનુવૃત્તિ બધાં સાથે કરવી. તે આ પ્રમાણે - પૃથ્વીકાયપિંડ, અકાયપિંડ ચાવતુ પંચેન્દ્રિયપિંડ. એ નવ. હવે આ નવ ભેદોના સચિવાદિને ભાવવા પહેલા પૃથ્વીકાય – • મૂલ-૧૩,૧૮ - પૃથ્વીકાય ત્રણ ભેદ - સચિત, મિશ્ર, અચિત્ત. સચિત પૃથવીકાય બે ભેદ - નિશ્ચયથી અને વ્યવહારથી... નિશ્ચયથી સચિત્ત પૃથવીકાય તે ધમદિ પૃથ્વી અને મેરના બહુ મધ્ય ભાગે જાણવો. અચિત્ત અને મિત્રથી વર્જિત બાકીનો બધો વ્યવહારથી સચિત્ત જાણવો. • વિવેચન-૧૩,૧૮ : ગાથાર્થ બંનેમાં કહ્યા. વિશેષ આ – નિશ્ચયથી સચિવ પૃથ્વીકાય ધમદિ પૃથ્વી, મેરુ આદિ મોટા પર્વતો, ટંકાદિના બહુ મધ્યભાગમાં જાણવો. કેમકે ત્યાં અચિત અને મિશ્રપણાના સ્થાનમાં સંભવતા મિશ્ર અને અચિત સિવાયના પૃથ્વીકાયા નિરાબાધ વનની પૃથ્વી આદિમાં રહેલા હોય તે વ્યવહારથી સચિવ જાણવા. હવે મિશ્ર પૃથ્વીકાયને કહે છે. • મૂલ-૧૯ : ક્ષીરવૃક્ષની નીચે, મામિાં, ખેડવામાં, જલાદ્ધમાં, ધંધનમાં રહેલ પૃવીકાય મિશ્ર હોય, તેમાં પણ એક-બે-ત્રણ પ્રહર સુધી અનુક્રમે મહુ, મધ્યમ કે થોડા ધંધનમાં રહેલાને મિશ્ર જાણતો. • વિવેચન-૧૯ :- ક્ષીસ્ટમ- વડલો, પીપળો આદિ. તેમાં તળીયાનો પૃથ્વીકાય તે મિશ્ર કહેવાય છે. કેમકે ત્યાં ક્ષીવૃક્ષની મધુરતાને લીધે શાપણાનો અભાવ હોવાથી કેટલોક Page #23 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૧૯ ભાગ સચિત હોય છે અને શીતાદિ શમના સંબંધના સંભવથી કેટલોક ભાગ અચિત હોય છે. તેથી મિશ્ર કહ્યો. માર્ગમાં - ગામ કે નગરની બહારનો સ્વીકાય મિશ્ર હોય કેમકે ત્યાં ગાડાંના પૈડાથી ખોદાયેલો તે સચિત્ત અને કેટલોક ભાગ શીત અને વાયુ વડે અયિત થયેલો હોવાથી તેને મિશ્ર જાણવો. કૃષ્ટ - હળ વડે ખેડેલ, પહેલાં સચિત પછી ઉપર મુજબ મિશ્ર. આદ્ર - જળ વડે મિશ્રિત થયેલ. મેઘનું પાણી સચિત પૃથ્વી ઉપર પડે ત્યારે કેટલાંક પૃથ્વીકાયને વિરાધે છે, તેથી જલાદ્ધ પૃથ્વીકાય મિશ્ર થાય છે. તે પણ તમુહૂર્ત પછી અચિત્ત થાય. કેમકે પરસ્પર શસ્ત્રપણું છે, પણ ઘણું જળ પડે અને તે સ્થિર ન થાય ત્યાં સુધી મિશ્ર છે. સ્થિરતાને પામે ત્યારે તે સચિત્ત પણ સંભવે છે. ઇંધણ - છાણ વગેરેને વિશે પૃથ્વીકાય મિશ્ર હોય. તેનું કાળ પ્રમાણ આ રીતે - ઘણાં ઇંધણ મધ્ય એક પોરિસિ સુધી મિશ્ર, મધ્યમ ઇંધન મળે બે પરિસિ સુધી, અ૫ ઇંધણ મળે ત્રણ પોરિસિ સુધી મિશ્ર હોય, પછી તે અયિત થાય - હવે અચિત પૃથ્વીકાયને કહે છે – મૂલ-૨૦ થી ૨૨ : શીત, ઉષ્ણ, ક્ષાર, ક્ષણ વડે તથા અનિ, લવણ, ઉષ, આલ્પ અને સ્નેહ વડે પૃedીકાય અચિત્ત થાય છે. યોનિરહિત થયેલા તે પૃવીકાય વડે સાધુઓને આ પ્રયોજન હોય છે... અપરાદ્ધિક અને વિશ્વના શમન માટે બંધ • લેપ કરવામાં પૃથ્વીકાયનું ગ્રહણ, અચિત્ત લવણ, સુરભિલવણ વડે પ્રયોજન છે... અથવા.. સ્થાન, બેસવું, સૂવે, ઉચ્ચારાદિનો ત્યાગ, ગુઢક, ડગલક અને તેપ એ ઘણાં પ્રકારનું પ્રયોજન છે. • વિવેચન-૨૦ થી ૨૨ - શીત-ઠંડી, ઉણ-તાપ, ક્ષાર-જવખાર આદિ, ક્ષત્ર-ખાતર. આટલા વડે તથા અગ્નિ-વૈશ્વાનર, લવણ-મીઠું, ઉપ-ઉખાદિ ક્ષેત્રમાં ઉત્પન્ન લવણ વડે યુક્ત જ, આમ્લ-કાંજી અને સ્નેહ. આ બધાં વડે પૃથ્વીકાય અયિત થાય. આ બધામાં શીત, અનિ, અપ્સ, ક્ષાર, ફણ અને સ્નેહ એટલા પકાયશા છે. ઉષ સ્વકાય શસ્ત્ર છે. અહીં સૂર્યના પરિતાપરૂપ ઉષ્ણ શબ્દથી સ્વભાવથી જ ઉષ્ણ કે તળાવિધ પૃથ્વીકાય પરિતાપરૂપ ઉણ લેવું, અગ્નિના પરિતાપ રૂપ ન લેવું, કેમકે અગ્નિ લગ ગ્રહણ કરેલ છે. અહીં સ્વકાય અને પરકાય શસ્ત્રના ગ્રહણથી બીજા પણ વકાય અને પકાય જાણી લેવા. જેમકે - કર્ક રસ મધુર રસનું સ્વકાય શા છે. આટલું કહીને પૃથવીકાયનું અચિતપણે જે થવું તે ચાર પ્રકારે કહ્યું. તે આ પ્રમાણે - દ્રવ્યથી, ફોનથી, કાળથી, ભાવથી. તેમાં સ્વ કે પરકાય વડે જે અચિત્ત કરવું તે દ્રવ્યથી, ક્ષારાદિ કે મધુરાદિ ફોગથી ઉત્પન્ન સમાન વર્ણવાળા ભૂમિ આદિ પૃથ્વીકાયનો પરસ્પર સંબંધ ૨૮ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ થવાથી અચિતપણે થાય તે હોટ અચિત કહેવાય. બીજા ફોત્રમાં ઉત્પન્ન પૃથ્વીકાયને ૧૦૦ યોજનથી વધારે દૂર બીજા ક્ષેત્રમાં લઈ જવાય ત્યારે તે સર્વે પૃથ્વીકાય ભિન્નાહાર અને શીતાદિ સંબંધથી અવશ્ય અચિત થાય છે. આ પ્રમાણે ફોગાદિ ક્રમથી અકાય ચાવત્ વનસ્પતિકાયનું અચિતપણું જાણવું. હરડે આદિ ૧૦૦ યોજન દૂરથી લાવેલ હોવાથી અચિત થયેલ હોવાથી ઔષઘાદિને માટે સાધુ ગ્રહણ કરી શકે છે. કાળથી અચિતપણું સ્વભાવથી જ પોતાના આયુના ક્ષય વડે થાય છે. પણ તે અતિશય જ્ઞાન વિના જાણી ન શકાવાથી વ્યવહાર માર્ગમાં ન આવે. આ જ કારણે તૃષાથી અતિ પીડિત સાધુને ભગવંતે અયિuપાણી જાણવા છતાં તળાવના પાણીને પીવાની અનુજ્ઞા ન આપી. કેમકે છાસ્યો તે જાણી ન શકે અને છૂટ આપે તો તેવું પાણી પીવાની પ્રવૃત્તિ થાય. પૂર્વ વણદિ તજીને અન્ય વર્ણાદિ થવા તે ભાવથી અચિતપણું છે. યોનિ-ઉત્પત્તિ સ્થાન નાશ પામેલ છે તે વિધ્વસ્ત યોનિ અથ પ્રાસુક પૃથ્વી વડે આ કહેવાનાર સ્વરૂપનું પ્રયોજન સાધુને હોય. જેને પીડા ઉત્પન્ન કરવાપણું છે તે અપરાદ્ધિક-કોળિયાનો વ્યાધિ કે સર્પદંશ, વિષ વગેરે દાદર આદિ રોગમાં ચોપડવા સંભવે. તે માટે લેપ કરવો છે. આવા કાર્યમાં ઘોળી માટી આદિ અચિત પૃથ્વીકાયનું પ્રયોજન છે. અલૂણા ભોજનાદિમાં લવણ વડે પ્રયોજન છે, ગંધપાષાણથી ખરજરૂપ વાયુનો નાશ થાય માટે પ્રયોજન છે તદુપરાંત : અયિત ભૂતલ પ્રદેશમાં જે ‘સ્થાન” એટલે કાયોત્સર્ગ કરાય, બેસવું, સુવું, ઉચારાદિની પારિષ્ઠાપના કરવી, લેપકૃત પાત્રની કોમળતા માટે કોઈ પત્થર રાખવો, ડગલક-ગુદા લુંછવા માટેના પત્થસદિ ઢેખાળા, લેપ-પાષાણ વિશેષથી બને, જે તુંબડાના પાકની અંદર દેવાય ઈત્યાદિ બહુ પ્રકારે અચિત પૃથ્વીથી પ્રયોજન હોય છે. હવે અકાય પિંડને કહે છે – • મૂલ-૨૩,ર૪ ; અકાય ત્રણ પ્રકારે છે – સચિત, મિશ્ર, અસિત. તેમાં સચિત્ત બે પ્રકારે છે. નિશ્ચયથી અને વ્યવહારથી... ઘનોદધિ, ધનવલય, કરા તથા સમુદ્ર અને દ્રહના મધ્ય ભાગે રહેલ આકાય એ બધાં નિશ્ચયથી સચિત્ત છે. કૂવા વગેરેમાં રહેલ અકાય વ્યવહાર નયથી સચિત્ત છે. • વિવેચન-૨૩,૨૪ - ગાથાર્થ કહ્યો. વિશેષ આ પ્રમાણે : “ઘનોદધિ’ નકપૃથ્વીના આધારભૂત કઠિન જળવાળા સમુદ્રો. ‘ધનવલય’ તકમૃથ્વીની પડખે વલયાકારે રહેલા કઠિન જળવાળા સમઢો. ‘કક'-મેધના કરો, સમ-લવણ આદિ, બ્રહ-પદ્મદ્રહ આદિ. આ બંનેના બહુ મધ્ય ભાગે રહેલ અકાય. તે નિશ્ચય સચિત. બાકીના ‘અવટાદિ’ કૂવા, વાવ, તળાવ આદિમાં રહેલ • x - જે અષ્કાય તે Page #24 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૨૩,૨૪ - વ્યવહાર નયથી સાચિત છે - હવે મિશ્ર અકાય કહે છે • મૂલ-૨૫ થી ૨૮ઃ ત્રણ ઉકાળે નાં ઉકળેલ ઉષ્ણ જળ, વરસાદ પડ્યો ત્યારનું જળ, ત્રણ મતને તજીને અતિ નિર્મળ થયેલ તંદુલનું જળ તે મિશ્ર કહેવાય છે... ત્રણ મતો – (૧) પાત્રની પડખે લાગેલા બિંદુઓ સુકાઈ ગયા ન હોય, (૨) પરપોટા શાંત થયા ન હોય, (૩) બીજા આચાર્યના મતે જ્યાં સુધી તે ચોખા રૂંધાઈ ગયા ન હોય. ત્યાં સુધી તે મિશ્ર કહેવાય... આ ત્રણે આદેશો લૂખા અને સ્નિગ્ધ વાસણ અને પવનના સંભવ અને અસંભવાદિ વડે કરીને કાળના નિયમનો ૨૯ અસંભવ હોવાથી અનાદેશો જ છે... માત્ર જ્યાં સુધી ચોખાના ધોવાણનું પાણી અતિ સ્વચ્છ થયું ન હોય ત્યાં સુધી મિશ્ર જાણવું. આ આદેશ અહીં પ્રમાણરૂપ છે, પણ જે પાણી અતિ સ્વચ્છ થયું હોય તે અચિત્ત જાણવું. • વિવેચન-૨૫ થી ૨૮ : । [૨૫] ત્રણ ઉકાળા ન ઉકાળેલ હોય તેવું જે ઉજળ તે મિશ્ર છે. તે આ રીતે – પહેલો ઉભરો આવતા થોડા અકાય અચિત થાય, થોડા ન પરિણમે, તેથી મિશ્ર હોય છે. બીજે ઉપર ઉભરે ઘણો અકાય અચિત્ત થાય અને થોડો સચિત રહે છે, ત્રીજા ઉભરે સર્વ અકાય અચિત્ત થાય છે. તેથી ત્રણ ઉભરા ન આવેલ હોય તો તેવું ઉષ્ણ જળ મિશ્ર સંભવે છે. વરસાદ પડતો હોય ત્યારે જ્યાં ઘણાં તિર્યંચ અને મનુષ્યોનો પ્રચાર હોય તેવા સંભવવાળા ગામ-નગરાદિ હોય છે. તે જ્યાં સુધી અચિત્ત ન થાય ત્યાં સુધી મિશ્ર જાણવું. ગામ બહાર પણ પ્રથમ જળ તો મિશ્ર જ જાણવું, પણ પછી પડતું હોય તે તો અચિત્ત જ હોય છે. તથા મુત્ત્વા - તજીને. કોને? ત્રણ મતને. જે ગાથા-૨૬ માં કહીશું. અને ચોખાનું જળ જો અતિ સ્વચ્છ ન થયું હોય તો મિશ્ર કહેવાય છે. [૨૬] ત્રણ મતો કહે છે – (૧) ચોખા ધોયેલ પાણી એક વાસણમાંથી બીજા વાસણમાં નાંખતા વાસણની બાજુમાં જે બિંદુઓ લાગે, તે જ્યાં સુધી શાંત ન થાય - નાશ ન પામે, ત્યાં સુધી ચોખાનું પાણી મિશ્ર છે. (૨) ચોખાનું પાણી ચોખા ધોયેલા વાસણમાંથી બીજા વાસણમાં નાંખતા ઉત્પન્ન થયેલા પરપોટા શાંત ન પડે ત્યાં સુધી તે મિશ્ર કહેવાય. (૩) કેટલાંક આચાર્ય કહે છે – ચોખા ગંધાઈ ન જાય ત્યાં સુધી તે પાણી મિશ્ર છે. હવેની ગાથામાં આ ત્રણે આદેશના દોષો બાતવે છે – [૨૭] આ ત્રણે આદેશો અનાદેશો જ છે. શા માટે ત્રણે અનાદેશો છે? કાળના નિયમનો અસંભવ છે. કેમકે બિંદુઓ સુકાઈ જવામાં, પરપોટા શાંત થવામાં કે ચોખાનો પાક સિદ્ધ થવામાં સર્વદા સર્વત્ર નિયમિત કાળ હોતો નથી. જેથી નિયમિત કાળે સંભવતા મિશ્રપણાની પછી કહેવામાં આવતા અચિતપણાનો વ્યભિચાર પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ સંભવે નહીં. નિયમિત કાળે કેમ ન ઘટે ? રૂક્ષ અને સ્નિગ્ધ વાસણના સંભવ અને અસંભવાદિકે કરીને તથા વાયુના સંભવ - અસંભવાદિકે કરીને દ્દેિ શબ્દથી પાણી વડે ભેદાયેલપણું અને ન ભેદાયેલપણું આદિ ગ્રહણ કરવા. ભાવાર્થ એ છે – માટીનું પાત્ર તાજું લાવેલા છે કે લાંબાકાળથી, તેલ કે જળ આદિથી ખરાયેલું છે કે નથી અર્થાત્ સ્નિગ્ધ છે કે રૂક્ષ છે ? તેના ઉપર જળબિંદુ કે પરપોટાના સૂકાવાનો સંભવ છે. તેનાથી મિશ્રને અચિત્ત રૂપે ગ્રહણ સંભવે છે અથવા અચિત્ત પણ ગ્રહણ નહીં થાય. 30 એ પ્રમાણે પરપોટા પણ ઉગ્ર પવનના સંબંધના જલ્દી નાશ પામે છે અને તેના અભાવે લાંબો કાળ રહે છે. આ આદેશમાં પણ મિશ્ર એવા ચોખાના જળનું અચિતપણું માની ગ્રહણ કરાશે અથવા અચિત્ત હોવા છતાં તેનું ગ્રહણ નહીં થાય કેમકે પરપોટા દેખાતા હોવાથી મિશ્રપણાની શંકા રહેશે. ત્રીજા આદેશને માનનારા પણ પરમાર્થ વિચારતા નથી લાંબો કાળ પાણી વડે ભેદાયેલા કે ન ભેદાયેલા હોવાથી ચોખાના પાકનો કાળ અનિયત હોય છે. ચોખા પલાળેલા છે, જૂના છે કે નવા, ઇંધણ સામગ્રી ઓછી છે કે વધારે તેના આધારે તેનો મિશ્ર કે અચિતપણાનો આધાર છે. આ પ્રમાણે આ ત્રણે આદેશો અયોગ્ય જ છે. હવે પ્રથમ જે આદેશ પ્રવચનને અવિરુદ્ધ કહેલો છે, તેથી ભાવના [૨૮] ચોખાનું પાણી અતિસ્વચ્છ થયું ન હોય ત્યાં સુધી મિશ્ર જાણવું. આ આદેશ મિશ્ર વિચારના સંબંધમાં પ્રમાણરૂપ છે. બાકીના આદેશો પ્રમાણરૂપ નથી. પણ અતિ સ્વચ્છ પાણીને અચિત્ત જાણવું. માટે તે ખપે. મિશ્ર અકાય કહ્યો, હવે તે જ અચિત્ત અકાયને કહે છે – • મૂલ-૨૯,૩૦ : શીત, ઉષ્ણ, ક્ષાર અને ક્ષત્ર વડે તથા અગ્નિ, લવણ, ઉષ, આલ અને સ્નેહ વડે કરીને અકાય અચિત થાય, યોનિ રહિત થયેલા આ કાય વડે સાધુને પ્રયોજન હોય છે... આ પ્રયોજન આ છે – સિંગત કરવું, પીવું હાથ વગેરે ધોવા, વસ્ત્ર ધોવા, આચમન કરવું. પાત્ર ધોવા ઈત્યાદિ. • વિવેચન-૨૯,૩૦ : વ્યાખ્યા, પૂર્વ ગાથા-૨૦ મુજબ જાણવી. વિશેષ એ કે – પૃથ્વીકાયને બદલે અકાય શબ્દ કહેવો. સ્વકાય-પકાય શસ્ત્ર કે દ્રવ્યાદિ અપેક્ષાથી અચિતપણાની ભાવના પૂર્વની જેમ જ યથાયોગે અટ્કાય વિશે ભાવવી. અચિતપણાનો પોરિસિકાળ પણ એક-બે-ત્રણ પૂર્વવત્ જ કહેવો. પ્રયોજન - અચિત પાણી સાધુને શા કામનું ? દુષ્ટ વ્રણાદિ ઉપર પાણીથી સિંચન કરવું, તૃષા દૂર કરવા પાણી પીવું. કારણે હાથ-પગ ધોવા, વસ્ત્ર ધોવા. જો Page #25 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૨૯,૩૦ કે અહીં સૂત્રમાં વિભક્તિ જુદી કરીને સૂચવેલ છે કે – સાધુએ હંમેશાં ઉપધિનું પ્રક્ષાલન ન કરવું. મળ-મૂત્ર ત્યાર બાદ આચમન માટે પાણી જોઈએ. પાનાદિને ધોવા માટે ગ્લાન કાયદિ માટે અચિત અકાયનું પ્રયોજન રહે છે. વરુણ ધોવાનું વર્ષાકાળે કલે, શેષકાળે નહીં, કેમકે - - • મૂલ-૩૧ થી ૩૫ : [3] શેષ કાળમાં વસ્ત્ર ધોવાથી બકુશ ચાસ્ત્રિ થાય છે. બહાચર્ય વિનાશ પામે છે, સાધુને આસ્થાને સ્થાપવામાં આવે છે, સંપતિમ જીવોનો અને વાયુકાયોનો વધ થાય છે, પૃથવી ઉપર પાણી રેડાતા પાણીનો ઉપઘાત થાય. [3] અતિભાર, સડી જવું, પક, શીતળ વસ્ત્ર પહેરવાથી અજીર્ણ થતાં માંદગી થાય, શાસન નિંદા, અકાય વધ વષગિકતુ પહેલા ન ધોવામાં આ દોષો થાય. [33] વષિનું પૂર્વે જ સર્વ ઉપધિ યતના વડે ધોવી, જો પાણી ન હોય તો જઘન્યથી પાનિયોંગ ધોવો જોઈએ. [૩૪] આચાર્ય અને શ્વાન સાધુના મેલા થયેલા વઓને વારંવાર ધોવા, જેથી ગરનો લોકમાં અવવાદ ન થાય. શ્વાનને અજીર્ણ ન થાય. [3] પત્રનો ભેદે પ્રત્યવતાર, બે નિવધા, ત્રણ પટ્ટ, મુખાસ્ટિકા, હરણ આટલી ઉપધિને વિશ્રાંતિ ન આપવી, યતના વડે સંક્રમણ કરીને ધોવી. • વિવેચન-૩૧ થી ૩૫ : ઉ૧] વર્ષાકાળ સમીપના કાળને છોડીને બાકીના ઋતુબદ્ધ - શેષ કાળમાં વસ્ત્ર ધોવાથી ચાસ્ત્રિ બકુશ થાય. કેમકે તે ઉપકરણ બકુશ કહેવાય. મૈથુન પ્રત્યાખ્યાન ભંગ થાય. કેમકે ધોયેલા વસ્ત્રથી ભૂષિત શરીરવાળો સાધુ કુરૂપ હોય તો પણ રમણીય લાગે છે. • x • તેથી પ્રાર્થના કરતી સર્વ પ્રીના લીલારૂપ દેખાડેલા કટાક્ષ નેગોને જોવા, શરીર મરડવાના બહાને દેખાડેલ કક્ષા, ગોળ-મનોહર-પુષ્ટ-કઠિના તનનો વિસ્તાર, ગંભીર નાભિ પ્રદેશ એ સર્વ જોતાં અવશ્ય બ્રહ્મચર્ય ભ્રષ્ટ થાય. કદાચ ભ્રષ્ટ ન થાય તો પણ લોકો અસ્થાને સ્થાપે છે. આ સાધુ ‘કામી' છે. અન્યથા શરીર કેમ શણગારે ? તથા સંપાતિમ - ઉડીને આવતા મક્ષિકાદિ અને વાયુકાયનો વિનાશ થાય તથા ધોયેલા જળને પકવતા પૃથ્વીને આશ્રીન રહેલા કીડી વગેરે. પ્રાણીનું ઉપમર્દન થાય, માટે ઋતુબદ્ધ કાળે વો ન ધોવા. પરંતુ જો વર્ષાકાળ પૂર્વે વસ્ત્ર ન ધોવે તો આવા દોષો સંભવે છે – [૩૨] વર્ષાકાળ પૂર્વે પણ વા ન ધોવે તો વસ્ત્રોનો ભાર વધી જાય છે - મલિન વઓ જળ કણથી યુકત થઈ, વાયુ વડે પર્શિત થતાં પણ મળ ચોંટે છે, તો જળમય એવી વષમતુમાં તો અતિ મેલયુક્ત થવાના જ છે. તેનાથી વો ભારે થાય. વળી તેવા વસ્ત્રો વર્ષાઋતુમાં જીર્ણ થઈ સડી જાય, વર્ષાકાળમાં નવા વસ્ત્રો લઈ ન શકાય, અધિક પરિગ્રહ રાખી ન શકાય, વસ્ત્રના અભાવે થતાં દોષો આગમ પ્રસિદ્ધ છે. ભીંજાયેલા મળવાળા વસ્ત્રોમાં શીતળ જળકણથી આદ્ધપણું થવાથી નીલગા થાય છે, તેથી જીવહિંસા થાય. ચોતરફ પ્રસરવા વડે વરસાદ પડતો હોવાથી, શીતળ ૩૨ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ વાયુ વાતો હોવાથી, તેવા શીતળ વસ્ત્રો પહેરતા ખાધેલ આહારનું અજીર્ણ થાય. માંદગી આવે, તેથી શાસન નિંદાય. જેમકે - આ સાધુ મૂર્ખશિરોમણિ છે. પરમાર્થથી તવ જાણતા નથી. સામાન્ય લોકચી જ્ઞાતને ન જાણનારા સ્વર્ગ કે મોઢાને જાણે છે. તેવી શ્રદ્ધા કરવી યોગ્ય નથી. વષઋિતુમાં ન ધોયેલા વો પહેરી ભિક્ષાદિ માટે નીકળેલા સાધુને મેઘવૃષ્ટિથી અકાયની વિરાધના થાય છે. •x• વર્ષાઋતુની પાસે કાળે વદિ ન ધોવામાં આ દોષો છે. તેથી વષકાળ પૂર્વે અવશ્ય વસ્ત્ર ધોવા. વળી જીવહિંસાદિ દોષો પૂર્વે વસ્ત્ર ધોવામાં કહ્યા, તે બોક્ત રીતિથી યતના વડે પ્રવર્તતા સાધુને ન સંભવે. • X - “વકાળ પૂર્વે સર્વે ઉપધિ યતના વડે ધોવી જોઈએ.” એમ આગળ સૂત્ર કહેશે, તેવી કોઈ દોષ નથી. તેથી ત્યારે વરુણ ધોવાથી બકુશ યાત્રિ પણ થતું નથી. કેમકે સૂરની આજ્ઞાથી પ્રર્વતવાપણું છે. અસ્થાના સ્થાપન દોષ પણ નથી લાગતો કેમકે લોકો પણ વર્ષાકાળે વર ન ધોવાના દોષો જાણે છે. ઈત્યાદિ – વર્ષાકાળ પૂર્વે પણ જેટલો ઉપધિ ધોવા લાયક છે, તે કહે છે – [33] વર્ષાકાળથી કંઈક પહેલાંના કાળે જલાદિ સામગ્રી હોય તો સર્વ ઉપકરણને સાધુઓ યતના વડે ધોવે છે. પણ જળના અભાવે જઘન્યથી પાક નિર્યોગ અવશ્ય ધોવો. ઉપકાર કરાય જેના વડે તે ‘નિર્યોગ’ એટલે ઉપકરણ. પાત્રનો જે તિર્યોગ તે પણ નિર્યો. તે આ – પાત્ર, પગબંધ, પાત્ર સ્થાપન, પબ કેસરિકા, પડલા, જર્માણ અને ગુચ્છ. વસ્ત્ર ધોવાના આ નિયમમાં જે અપવાદ છે, તે કહે છે – [૩૪] જેમણે અરહંત પ્રરૂપિત આચારાંગાદિના ઉપધાન વન કર્યો હોય, તે સિદ્ધાંતનો અભ્યાસ કર્યો હોય, સમગ્ર સ્વ-પર સિદ્ધાંતના શાસ્ત્રોના અર્થના જ્ઞાતા હોય, પંચાચારમાં સ્વયં કુશળ અને બીજાને કુશળ બનાવનાર હોય, પ્રવચનની અર્થી વ્યાખ્યાના અધિકારી, સદ્ધર્મ દેશનામાં તત્પર હોય તે આચાર્ય. આચાર્યના ઉપલક્ષણથી ઉપાધ્યાયાદિને પણ ગ્રહણ કરવા. તેમના તથા ગ્લાન-માંદા સાધુના વારંવાર મલિન થયેલા વસ્ત્રો પણ ધોવાય છે. જેથી ગરના વિષયમાં લોકમાં નિંદા ન થાય કે આવા મળની દુર્ગંધવાળા ગુરુની નીકટ કોણ જાય ? ગ્લાનને અજીર્ણ ન થાય માટે તેઓના વો વારંવાર ધોવાય છે. [૩૫] જેના વિશે પગ મૂકાય તે પ્રત્યવતાર એટલે ઉપકરણ કહેવાય. પછી પામનો પ્રત્યવતાર એટલે પાત્ર સિવાય છ પ્રકારનો પાક નિયોંગ તથા જોહરણ સંબંધી બે નિષધા - બાહ્ય અને અત્યંતર. સુત્રોક્ત રીતે દશી હોતી નથી પણ દાંડી જ હોય, તેની ત્રણ નિષધા - દાંડીની ઉપર એક હાથ લાંબી, તિર્થી ત્રણ વેષ્ટક પહોળી, જે કામળીના કકડારૂપ હોય છે, તે પહેલી નિષધા, તેના અગ્રભાગે દશી બંધાય. દશી સહિતની નિપધાને પછી જોહરણ શબ્દથી ગ્રહણ કરશે, માટે અહીં ગ્રહણ ન કરવું. તેના ઉપર એક હાથથી વધુ લાંબી, ઘણા વેષ્ટકથી વીંટતી તીંછ Page #26 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૩૧ થી ૩૫ જે વસ્ત્રમય નિષધા તે અત્યંતર અને અત્યંતરને વીંટતી એક હાથ-ચાર આંગળ પ્રમાણ ચતુરસ જે કામળમય નિષધા, તે બેસવામાં ઉપકાસ્ક હોવાથી, પાદ પોંછનક નામે પ્રસિદ્ધ છે, તે ત્રીજી બાહ્ય નિષધા કહેવાય. દાંડી સહિત આ ત્રણે નિષધા મળીને રજોહરણ કહેવાય છે. તેથી રજોહરણ સંબંધી બે નિષધા છે, એમ જે કહ્યું તે અવિરુદ્ધ છે. - તથા પટ્ટ ત્રણ છે – સંસ્તારપટ્ટ, ઉત્તરપટ્ટ, ચોલપટ્ટ, પોત્તિ એટલે મુખપોતિકા, તે એક વેંત અને ચાર આંગળ પ્રમાણ માત્ર હોય છે. તથા ‘રજોહરણ’ – દાંડી અને ત્રણ વેષ્ટક પ્રમાણ પહોળી એક હાથ લાંબી અને એક હાથના ત્રીજા ભાગ પ્રમાણ લાંબી દીઓ સહિત જે પહેલી નિષધા ઉપર કહી તે રજોહરણ કહેવાય છે. - x - આ વિશેષ પ્રકારની ઉપધિને પરિભોગ કર્યા વિના સ્થાપી ન રાખો. કેમકે આ ઉપધિઓ હંમેશાં ઉપયોગી છે. તેથી વસ્ત્રના આંતરાવાળા હાથ વડે ગ્રહણ કરવારૂપ યતના વડે કરીને ન ધોવાલાયક વસ્ત્રમાં તે ષટ્યદિકા આદિને મૂકી, પછી વસ્ત્રો ધ્રુવે. આ છેલ્લી ગાયાની વ્યાખ્યા ભાષ્યકારશ્રી કહે છે – • મૂલ-૩૬ થી ૩૮ : પત્રનો પ્રત્યાવતાર, પાત્રને વર્જીને પત્રનો નિયોગ છ પ્રકારે છે, અત્યંતર અને બાહ્ય બે નિષધા, સંથારો - ઉત્તરપટ્ટો - ચોલપટ્ટો એ ત્રણ પટ્ટ જાણવા. મુખપોતિકા, એક નિષધાવાળું રજોહરણ આ સર્વે હંમેશાં ઉપયોગી હોવાથી વિશ્રાંતિ આપવા લાયક નથી, તેથી સતના વડે પદ્ઘદિકાને સંક્રમાવીને વિધિપૂર્વક તેને ધોવાના છે. 33 • વિવેચન-૩૬ થી ૩૮ ઃ અનંતર પૂર્વના સૂત્રમાં કહેવાઈ ગયેલ છે. આ પ્રમાણે વિસામો ન આપવા લાયક ઉપધિ કહી, તેથી બાકીની ઉપધિ વિસામો આપવા યોગ્ય છે એમ જાણવું. તેથી તેના વિસામાની વિધિને કહે છે – • મૂલ-૩૯,૪૦ : [૩૯] જે ઉપધિ ધોવાનો કાળ પ્રાપ્ત થવા છતાં વિસામો અપાય છે, તે ઉપધિને સર્વજ્ઞની આજ્ઞાએ કરીને સાધુ આ પ્રમાણે વિસામો આપે. [૪૦] અત્યંતર ઉપયોગી વસ્ત્રને ત્રણ દિવસ ધારણ કરે. ત્રણ દિવસ સુધી રાત્રે સુતી વેળા નીકટ સ્થાપે. એક રાત્રિ માથે લટકાવીને પરીક્ષા કરે. • વિવેચન-૩૯,૪૦ ૩ ઉપધિ ધોવાનો કાળ થતાં, આમ કહીને અકાળે ધોવાથી આજ્ઞાભંગરૂપ દોષ દેખાડે છે. સમગ્ર પ૫દિકાની શુદ્ધિ કરવા માટે પરિભોગ કર્યા વિના ધારણ કરાય છે, તે ઉપધિને સર્વજ્ઞોક્ત વચનથી આ રીતે સાધુ વિસામો આપે. સાધુને બે સુતરાઉ કપડાં અને એક કામળી એમ ત્રણ હોય તેમાં એક કપડો અંદર ઓઢાય છે, તેની 35/3 પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ ઉપર બીજો સુતરાઉ કપડો, તેની ઉપર કામળરૂપ પડો ઓઢે. પ્રક્ષાલન કાળે વિશ્રામણ વિધિના આરંભે રાત્રે સૂતી વખતે, શરીરને લાગીને રહેતા કપડાંને બહાર સૌથી ઉપર ત્રણ દિવસ ધારી રાખે. તેથી પદિકા આહારાર્થે કે શીતાદિ વડે પીડા પામવાથી અંદરના કપડામાં કે શરીરે આવીને લાગે. આ પહેલો વિધિ. ૩૪ આ રીતે ત્રણ દિવસ કરી, પછી રાત્રે સુવાના કાળે સમીપમાં સ્થાપન કરી રાખે. જેથી પહેલી વિશ્રામણામાં જે પદ્ઘદિકા ન નીકળી હોય તે પણ ક્ષુધાદિ પીડાથી કપડામાંથી નીકળી સંથારામાં લાગી જાય. આ બીજો વિશ્રામણા વિધિ. પછી એક રાત્રિ સુધી સુવાના સ્થાને ઉપર લટકતું રાખીને શરીરને છોડો અડે તેમ તે વસ્ત્ર રાખે. પછી દૃષ્ટિ વડે અને પ્રાવરણ વડે તે ષદિકાને જુએ – દૃષ્ટિ વડે જુએ, પછી ‘જૂ’ ન દેખાય તો ફરીથી શરીરે ધારણ કરે, જેથી સૂક્ષ્મ જૂ' આહારાર્થે શરીરમાં લાગે આવા પરીક્ષણ પછી જો ‘જૂ' ન હોય તો કપડાં વે. જો ‘જૂ’ હોય તો વારંવાર ફરીથી જોઈને તે નથી એમ નિશ્ચય થાય પછી ધોવે. આ રીતે સાત દિવસ વડે કપડાંની શુદ્ધિ કરવી. આ રીતે બાકીની ઉપધિની શુદ્ધિ જાણવી. - મૂલ-૪૧ :- [ભાષ્ય-૧૧] + વિવેચન : - ધોવાને માટે કપડાને ત્રણ દિવસ સુધી કામળીની ઉપર ધારણ કરે, ત્રણ દિવસ સુધી સમીપે ધારે અને એક દિવસ લટકતું રાખે. આ જ વિશ્રામણા વિધિને વિશે મતાંતને કહે છે - • મૂલ-૪૨ - - પૂર્વોક્ત ત્રણ પ્રકારે એક એક રાત્રિ કપડાંને ધારણ કરી, પરીક્ષા કરે, પછી શરીરે ધારણ કરે, ત્યારે જૂ' લાગેલી ન હોય તો કપડાં વે. • વિવેચન-૪૨ : કોઈ આચાર્ય કહે છે - ૪ - એક રાત્રિ શોધવાલાયક કપડાંને બહાર ધારણ કરે, બીજી રાત્રિ સંથારા પાસે રાખે. ત્રીજી રાત્રિ સુવાના સ્થાને તેને ઉપર લટકતો રાખે જેમાં પ્રાયઃ શરીરને છેડો સ્પર્શતો હોય, તેમ પ્રસારીને રાખે. આ પ્રકારે ત્રણ વખત ધારણ કરીને પરીક્ષા કરે, છતાં ‘જૂ' જોવામાં ન આવે તો સૂક્ષ્મ ‘જૂ' શોધવા શરીરે કપડો ધારણ કરે ઈત્યાદિ પૂર્વવત્ વિધિ કહેવી. - X - વસ્ત્ર પ્રક્ષાલન જળ વડે થાય, માટે જળ ગ્રહણ વિધિ કહે છે. • મૂલ-૪૩ : કોઈ કહે છે પત્રમાં નેવાનું પાણી ગ્રહણ કરવું, પણ તે જળ શુચિ હોવાથી પાત્રમાં લેવાનો પ્રતિષેધ છે. ગૃહસ્થના પાત્રમાં વર્ષ રહ્યા પછી ગ્રહણ કરવું, વરસાદ વરસતો હોય ત્યારે તે તે મિશ્ર કહેવાય તથા તે જળમાં ક્ષાર નાંખવો. • વિવેચન-૪૩ : વર્ષામાં નેવાથી પડતું જળ તે નીદ્રોદક. વર્ષાકાળ પૂર્વે સર્વ ઉપધિ કોઈ Page #27 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૪૩ ૩૬ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ પ્રકારે સામગ્રી અભાવે ન ધોયેલ હોય તો વર્ષાઋતુ પ્રાપ્ત થતાં સાધુઓએ નીવોદક વસ્ત્ર ધોવા માટે ગ્રહણ કરવું. કેમકે તે જળ રજથી ખરડાયેલ, ધૂમાડાથી ઘમિત, સૂર્યતાપથી ઉણ થયેલા નેવાના સ્પર્શથી પરિણત થયેલ હોવાથી અચિત હોય છે, માટે કોઈ વિરાધના નથી. કોઈ આચાર્ય પગમાં ગ્રહણ કરવા કહે છે, બીજા આચાર્ય તેનો નિષેધ કરે છે. અશુચિ અને મલિનતાને લીધે ભોજનના પાત્રમાં તે જળ ગ્રહણ ન કરે. જેથી લોકમાં નિંદા ન થાય. ગૃહસ્થની ભાંગેલ કુંડી આદિમાં ગ્રહણ કરી લે. વરસાદ રહ્યા પછી અંતર્મુહૂર્ત બાદ તેના સર્વથા અચિત થવાનો સંભવ છે. માટે તે રીતે લેવું પણ વરસાદ રહ્યા વિના ગ્રહણ ન કરવું કેમકે ત્યારે મિશ્ર હોય છે. વળી ગ્રહણ કરીને તેમાં ક્ષાર નાંખવો, જેથી ફરી સચિત ન થાય. કેમકે અયિત થયેલ જળ ત્રણ પ્રહર પછી સચિત થઈ જાય છે. ક્ષાર નાખતાં તે સચિત્ત નહીં થાય, તથા નિર્મળતા પામશે. વો વધુ ઉજળા થશે. હવે ધોવાનો ક્રમ – • મૂલ-૪૪ : ગક તપસ્વી, પ્લાન, ક્ષાદિના વસ્ત્રો પહેલાં ધોવા. પછી પોતાના ધોવા, તેમાં યથાકૃત વસ્ત્ર પહેલા ધોવા, બીજ બે અનુક્રમે ધોવા. • વિવેચન-૪૪ : ઉક્ત ક્રમે વસ્ત્રો ધોઈને પછી પોતાના ધોવા. આ વિનય છે. વિનયથી જ સમ્યગુદર્શનાદિની વૃદ્ધિ સંભવે છે. અન્યથા અવિનિત સાધુને ગચ્છમાં રહેવાનો જ અસંભવ હોવાથી સમગ્ર મૂળની હાનિ થાય. પહેલાં આચાર્યના વસ્ત્રો ધોવા ઈત્યાદિ ગાચાર્ય મુજબ ક્રમ જાણવો. અહીં ઉક્ત વસ્ત્રો ત્રણ પ્રકારે સંભવે છે - યથાકૃત, અલ્પપરિકર્મ, બહાપરિકર્મવાળા. જે પરિકમ રહિત તથાવિધ વસ્ત્રો તે યથાતુ કહેવાય છે. એક વાર ખંડીને સાંધ્યા હોય તે અલ પરિકર્મ, ઘણાં પ્રકારે ખેડીને સાંધેલ હોય તે બહુ પરિકર્મ કહેવાય તેમાં ધોવાનો અનુક્રમ આ છે – પહેલાં બધાંના યથાકૃત વસ્ત્ર ધોવા, પછી અનુક્રમે બીજા બે ધોવા. આ ક્રમ વિશુદ્ધ અધ્યવસાય વૃદ્ધિ માટે છે. અા પસ્કિમ વસ્ત્રો બહુ પસ્કિમની અપેક્ષાએ સંયમનો થોડો વ્યાઘાત કરે માટે અપેક્ષાથી શુદ્ધ છે. તેનાથી યથાકૃત્ અતિ શુદ્ધ છે. તે પલિમંચ (સ્વાધ્યાય વ્યાઘાત કરનાર નથી. તેથી જેમ-જેમ પહેલાં શુદ્ધ વરા ધોય તેમ તેમ સંયમ બહુમાનની વૃદ્ધિ હોવાથી વિશુદ્ધ અધ્યવસાય વૃદ્ધિ થાય છે. હવે પ્રક્ષાલન વિધિ - • મૂલ-૪પ : આચ્છોટન અને પિટ્ટન વડે વઓ ધોવા નહીં ધોઈને સૂકવવા માટે અનિનો તાપ ન આપે. પરિભોગ વાને છાયામાં, પરિભોગને તડકામાં સૂકવે, તેની સામે જોયા કરે, ધોવામાં ‘કલ્યાણ’ પ્રાયશ્ચિત્ત આવે. • વિવેચન-૪૫ : આચ્છોટન - ધોબીની જેમ શિલા ઉપર પછાડવું. પિન-નિર્ધત એવી વિધવા સ્ત્રી માફક વારંવાર પાણી નાંખવા પૂર્વક વસ્ત્રને ઉથલાવીને ધોકા વડે પીટવું. * * - હાથ-પગ વડે મસળી મસળીને યતના વડે ધોવા. ધોયા પછી પોતાને લાગેલ ઠંડી દૂર કરવા કે વા સૂકવવા અગ્નિનો તાપ ન આપે. કેમકે - આદ્ધ હસ્તાદિ કે વસ્ત્ર થકી કોઈ પ્રકારે જળબિંદુ પડવાથી અગ્નિકાયની વિરાધના થાઓ. તો તે ભીના વઓ કેમ સૂકવવા? પરિભોગ્ય વસ્તુને છાયામાં અને અપલ્મિોગ્યને તડકામાં સૂકવવા, કેમકે પરિભોગ્યમાં તથા પ્રકારે શોધ્યા પછી પણ “જુનો સંભવ રહે છે, ધોતી વખતે અમર્દન કરાયા છતાં કદાચ જીવિત રહી હોય, તો તે સૂર્યના તાપના સંબંધથી મૃત્યુ પામે તેથી તેના રક્ષણ માટે ઉક્ત વિધિ કહી. વળી છાયા કે તડકામાં સૂકવેલા વોને નિરંતર જુએ. જેની ચોર લોકો તેને હરી ન જાય. અહીં વાદિ ધોતાં વાયુકાય વિરાધના રૂપ કે “જૂના મર્થન આદિ રૂપ અસંયમ પણ સંભવી શકે, તેવી શુદ્ધિને માટે ગુરુ ‘કલ્યાણ' પ્રાયશ્ચિત આપે. અકાય પિંડ કહ્યો. હવે તેઉકાય પિંડ કહે છે – • મૂલ-૪૬ થી ૪૮ : ૪િ] તેઉકાય ત્રણ પ્રકારે છે - સચિત, મિત્ર, અતિ. સચિત્ત બે પ્રકારે - નિશ્ચયથી અને વ્યવહારથી. [૪] ઈંટના નિભાડાનો ઠીક મધ્યભાગ તથા જળી આદિ નિશ્ચયથી સચિત્ત છેબાકીના અંગારા વગેરે વ્યવહારી સચિત છે... મુમુર આદિ મિશ્ર છે. [૪૮] અચિત્ત તેઉકાય-ભાત, શાક, કાંજી, ઓસામણ, ઉણજળ, રાંધેલા અડદ, ડગલક, રાખ, સોય ઈત્યાદિ. તેથી તે સાધુના ઉપયોગમાં આવે છે.. • વિવેચન-૪૬ થી ૪૮ : ગાથાર્થ હયો. વિશેષ આ છે - ઇંટનો નીભાડો, કુંભારનો નીભાડો, શેરડીનો રસ ઉકાળવાની ચૂલ આદિનો મધ્યભાગ, વિજળી ઉલ્કા આદિ તેઉકાય નિશ્ચયથી સચિત છે. અંગારાદિ - જ્વાળારહિત અગ્નિ, જવાળા આદિ વ્યવહાર સચિત છે. છાણાનો અગ્નિ, અર્ધ બુઝાઈ ગયેલો અગ્નિ આદિ મિશ્ર તેઉકાય છે. હવે અચિત્ત તેઉકાય કહે છે - મોન • ભાત વગેરે ભોજન. ચંનન - શાક, ભાજી, કઢી આદિ. પના - કાંજી. 3થાન - ઓસામણ. ઉણોદક - ત્રણ ઉકાળાવાળું પાણી. વક્ર - રોટલા, વતનનાર - રાંધેલા અડદ. આ બધું અગ્નિનું કાર્ય હોવાથી અનિરૂપ કહેવાય છે અને ઓદનાદિ અચિત હોવાથી અચિત અગ્નિકાય કહેવામાં દોષ નથી. ડગલક - પાકી ઇંટોના ટુકડા. સરજસ્ક-રાખ. સૂચિ-સોય. પિપ્પલક-સજીયો. નખવિદારણિકા આદિને કહેવા. આ બધાં પૂર્વે અનિરૂપણાએ પરિણમેલા હતા, ભૂતપૂર્વ ગતિથી હાલ પણ અગ્નિકાયપણે અને અચિત્ત કહેવાય છે. આ અચિત અગ્નિકાયનું પ્રયોજન - Page #28 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૪૬ થી ૪૮ ભોજનાદિમાં છે. તેઉકાયપિંડ કહ્યો. હવે વાયુકાયપિંડ કહે છે – • મૂલ-૪૯ થી ૧ર : [૪૯] વાયુકાય ત્રણ પ્રકારે છે - સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિવ બે પ્રકારે છે - નિશ્ચયથી અને વ્યવહારથી. [૫૦] વલયસહિત ધનવાત અને તનુવાત, અતિહિમ અને અતિર્દિન એ નિશ્ચયથી સચિત્ત છે. પૂવદિ દિશાનો વાયુ વ્યવહારથી સચિત્ત છે, આકાંતાદિ વાયુ અચિત્ત છે. [૫૧] આકાંતાદિ - આકાંત, આબાત, દેહાનુગત, પાલિત, સંમૂર્ણિમાદિને વિશે જે વાસુ હોય છે, તેને આઠ કમમથનકે અમિત વાયુકાય કહ્યો છે. [પરી મશકમાં રહેલો વાયુકાય જળમાં ૧૦૦ હાથ જાય ત્યાં સુધી અચિત્ત પછી ૧oo હાથ સુધી મિશ્ર, બીજ ૧oo હાથથી સચિત હોય. બdી, પોરસિમાં, દિવસમાં અચિતાદિ હોય છે. • વિવેચન-૪૯ થી પર - ગાથાર્થ કહ્યો. વિશેષ આ પ્રમાણે - વલયાકાર એવો ઘનવાત અને તનુવાત. નરક પૃથ્વીના પાઠ્યભાગમાં વલયાકારે તે રહેલ છે. તથા અતિ હિમ પડતો હોય ત્યારે, મેઘાંઘકાર વતતો હોય કે વાદળાં વડે આકાશમંડલ આચ્છાદિત હોય ત્યારે જે વાયુ હોય, તે બધાં વાયુ નિશ્ચયથી સચિત હોય છે. પણ અતિ હિમ કે અતિ દુર્દિન સિવાય પૂવદિ દિશાનો વાયુ વ્યવહારથી સચિત છે. આકાંતિક - પગના દબાવવા વડે પંકાદિથી ઉત્પ પાંચ પ્રકારનો વાયુ અચિત છે. તે આકાંતાદિ કહે છે માત - પગ વડે કાદવ આદિ દબાતા ચિકાર શબ્દ કરતાં જે વાયુ ઉછળે છે. આધ્યાત - મુખના વાયુથી ભરેલ દૈતિ આદિમાં રહેલો વાયુ. ધન - તલ પીલાવાથી શબ્દ સહિત નીકળતો વાયુ. મેદાનીત - શરીરાશ્રિત શ્વાસોચ્છવાસ રૂપ વાયુ. નિત • ભીનું વસ્ત્ર નીચોવતા નીકળતો વાયુ. સંમૂર્ણિમ, તાલવૃતાદિનો વાયુ. આ પાંચે પ્રકારનો વાયુ આઠ કર્મના મથત કા અરહંતોએ અચિત કહેલો છે. ધે મિશ્ર વાયુકાયને જણાવતા કહે છે - મશક એટલે બકરી કે કોઈ પશુના શરીરને ઉપરથી ચીર્યા વિના મસ્તકને દૂર કરીને, પછી શરીરની ચામડી નીચેના હાડકાદિ કાઢીને, ગુદાછિદ્રને બીજા કોઈ ચામડાના શીંગડા વડે ઢાંકીને, ગ્રીવાની અંદરના મુખને સાંકડુ કરીને બનાવેલ ચામડાનો કોથળો છે દતિ કે મશક. તેને અચિત એવા મુખના વાયુથી ભરી, દોરડા વડે મુખને મજબૂત બાંધી કોઈ મનુષ્ય નદી આદિ જળમાં તરતી મૂકે તો દતિનો વાયુકાય, ક્ષેત્રથી ૧oo હાથ દૂર જાય ત્યાં સુધી અયિત હોય છે. ઈત્યાદિ ગાયાર્ચ મુજબ કહેવું. 30o હાય બાદ તો સચિત જ રહે છે. તેથી ૧oo હાયવાળા ક્ષેત્રમાં જવા-આવવા-ફરીથી જવા વડે અચિતપણું જાણવું અથવા ૧૦૦ હાથ જેટલાં ક્ષેત્રમાં જતાં જે કાળ થાય તેટલો કાળ એક જ સ્થાને જળ મધ્યે રહેવાથી ઉપરોક્ત ક્રમે અચિત્તવાદિ ભાવવા. દતિમાં કહ્યું તેમજ બસ્તિના સંબંધમાં જાણવું માત્ર બસ્તિનું સ્વરૂપ થોડું ભિન્ન ૩૮ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ છે. દૈતિમાં રહેલ વાયુકાય પણ સ્નિગ્ધ અને રૂક્ષ કાળને આશ્રીને અનુક્રમે પોરિસિ અને દિવસોને વિશે અયિતાદિપ જાણવો. • મૂલ-૫૩ થી ૫૬ - [ભાગ-૧૨ થી ૧૫ કાળ બે પ્રકારે - નિશ્વ અને રૂટ્સ. નિષ ગણ ભેદે - એકાંત નિધ, મધ્યમ, જાન્ય. રૂક્ષ ત્રણ પ્રકારે – જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ. એકાંત નિષ્ઠ કાળે બસ્તિનો વાયુ એક પોરિસિ અચેતન હોય, બીજી એ મિત્ર અને ત્રીજીએ સચેતન, મધ્યમ સ્નિગ્ધકાળે બે ઓરિસિ અચિત, ત્રીજીએ મિશ્ર, ચોથીએ સચિત્ત થાય. જઘન્ય નિષ્ઠ કાળે ત્રણ પરિસિ સુધી અચિત્ત, ચોથીએ મિત્ર, પાંચમીએ સચિવ થાય. એ પ્રમાણે રૂક્ષકાળમાં પણ દિવસની વૃદ્ધિ જાણવી. • વિવેચન-પ૩ થી ૫૬ : સ્નિગ્ધ - જળવાળો અને શીતવાળો કાળ. રુક્ષ - ઉણકાળ. એકાંત સ્નિગ્ધ • અતિ સ્નિગ્ધકાળ. ઉત્કૃષ્ટ રૂક્ષ - અત્યંત રૂ. એકાંત સ્નિગ્ધકાળમાં બસ્તિકે દતિમાં રહેલો વાયુકાય એક પોરિસિ સુધી અચિત રહે, બીજી પોરિસિના આરંભથી અંત સુધી મિશ્ર, બીજી પોરિસિના આરંભથી જ સચિત રહે છે. બાકી ગાથાર્થ મુજબ કાળ વર્ણન જાણવું. રૂાકાળમાં - જઘન્ય રૂક્ષકાળે બસ્તિ આદિનો વાયુ એક દિવસ અચિત, બીજે દિવસે મિશ્ર, ત્રીજે દિવસે સચિત થાય છે. એ પ્રમાણે એક-એક દિનની વૃદ્ધિ જાણવી. • મૂલ-૫૩ - અચિતકાયનું પ્રયોજન મુનિને દતિ કે બસ્તિમાં રહેલ વાયુથી અથવા માંદગીમાં હોય છે. સચિત્ત અને મિશ્ર વાયુ પરિહરતો. • વિવેચન-પ૭ : નદી આદિ ઉતરતા મુનિને આવા વાયુનું પ્રયોજન હોય છે. આ કહેવા વડે જળમાં રહેલ વાયુ ગ્રહણ કરાય છે અથવા માંદગીમાં કોઈક વ્યાધિમાં દૈતિ આદિથી વાયુ ગ્રહણ કરી ગુદા આદિમાં નંખાય છે. આમ કહીને સ્થળમાં રહેલ વાયુ ગ્રહણ કર્યો. જળમણે અશક્ય પરિહાર હોવાથી વાયુકાયની વિરાધનાનું પછી પ્રાયશ્ચિત્ત કરે. –– હવે વનસ્પતિકાયપિંડ કહે છે – • મૂલ-૫૮ થી ૬૧ : [૫૮] વનસ્પતિકાય ત્રણ પ્રકારે - સચિત્ત, અચિત્ત, મિશ્ર. સચિત્ત બે પ્રકારે - નિશ્ચયથી અને વ્યવહારથી. [૫૯] નિશ્ચયથી સર્વે પણ અનંતકાય સચિત્ત હોય છે. પ્રત્યેક વનસ્પતિકાય વ્યવહારથી સચિત્ત છે. પ્લાન થયેલ વનસ્પતિ અને લોટ • આટો વગેરે મિશ્ર હોય છે. [૬૦] પુષ, મ, કોમળ ફળ, હરિત એ સર્વેના ડીટ હાનિ પામ્યા પછી બધાં જીવરહિત જાણવા. [૬૧] ચિત્ત વનસ્પતિકાયનું પ્રયોજન-સંથારો, પાત્ર, દંડ, બે સુતરાઉ વ, પીઠ, ફલક આદિ તથા ઔષધ, ભેષજ આદિમાં છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૫૮ થી ૬૧ • વિવેચન-૫૮ થી ૬૧ - ગાથાર્થ કહ્યો. વિશેષ આ પ્રમાણે – સર્વે અનંતકાય એટલે સાધારણ વનસ્પતિકાય. પ્રત્યેક વનસ્પતિકાય- લીંમડો, આંબો આદિ. પ્રસ્તાન - અર્ધ સુકાયેલા સર્વ વનસ્પતિ. તેને મિશ્ર કહી, કેમકે - જેટલે અંશે સુકાયેલ હોય તે અચિત અને શેષ અચિત હોય છે. લોટ-ઘંટી આદિથી થયેલ ચૂર્ણ, તેમાં કેટલીક નખિકા સંભવે છે તે સચિત હોય, બાકી અયિત હોય. અયિત વનસ્પતિકાય - ગાથાર્થ મુજબ જાણવું. તેનું પ્રયોજન આ પ્રમાણે - જે આ સંતારક - શય્યા, પાટ વગેરે સાધુ ગ્રહણ કરે છે, જે પામો, દંડ, વિદંડ ઈત્યાદિ ગાથાર્થ મુજબ જાણવા. - હરડે આદિ એકલી વસ્તુ, બેપન - બે કે વધુ ઔષધનું ચૂર્ણાદિ અથવા અંદર ઉપયોગ કરવો. તે ઔષધ અને બહાર ઉપયોગ કરવો તે લેપ વગેરે ભેષજ કહેવાય. હવે બેઈન્દ્રિયાદિ ચાર પિંડ અને તેનું પ્રયોજન કહે છે – • મૂલ-૬૨ થી ૬૭ : ૬િ બે-ત્રણચાર-પાંચ ઈન્દ્રિયવાળા જીવો સ્વ સ્વ જાતિવાળા ત્રણ ત્રણ વગેરે સ્વ-સ્વ સ્થાનમાં ભેળા થાય તેને પિંડ કહેવાય છે. [૬૩] , છીપ, શંખાદિ બેઈન્દ્રિયનો પરિભોગ છે, તેઈન્દ્રિયમાં ઉધેઈ આદિનો અથવા વૈધ કહેd, માખીની વિષ્ટા કે આશ્ચમક્ષિકાનો ચઉરિન્દ્રિયમાં ઉપયોગ છે. [૬૪] . ચેન્દ્રિય પિંડને વિશે બધું ઉપયોગી છે, પણ નાકીઓ અનુપયોગી છે. [૬૫]. ચર્મ, અસ્થિ, દાંત, નખ, રોમ, શૃંગ, બકરી આદિનું છાણ, ગોમૂત્ર, દુધ, દહીં વગેરે વડે પંચેન્દ્રિય તિર્યંચનો પરિભોગ છે. [૬] સચિત્ત મનુષ્યનું પ્રયોજના માર્ગ પૂછવામાં, ભિક્ષા દર્શનાર્થે છે. અચિત્ત મનુષ્યના મિશ્ર કહેવાય છે, તેને માર્ગ પૂછવો તે ઉપયોગ છે. [૬] દેવતાનો ઉપયોગ • ક્ષાકાદિ મુનિ મરણના કાર્ય વિશે કોઈક દેવતાને પૂછે કે માર્ગ વિશે શુભાશુભ પૂછે છે. • વિવેચન-૬૨ થી ૬૭ : જે મેળાપમાં પોતાની જાતવાળાનું જ્યાં સ્થાન હોય ત્યાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો ત્રણ વગેરે એકત્ર થયા હોય, જેમકે ત્રણ-ત્રણ, ચાર-ચાર આદિ, તેને પિંડ કહેવાય છે. પોતપોતાના સ્થાને પિંડ કહેવાય. આવો પિંડ પણ ત્રણ ત્રણ પ્રકારે છે. તે આ - સચિત, મિશ્ર, અચિત. જીવતા ત્રણ વગેરે અક્ષાદિનું એક સ્થાને જે મળવું તે સચિત્ત છે, કેટલાંક જીવંત અને કેટલાંક મૃત અાદિનો મેળાપ તે મિશ્ર છે. જીવરહિત તે જ અક્ષાદિનો મેળાપ તે અયિત છે. તે બેઈન્દ્રિયાદિ વડે આ કાર્ય - પ્રયોજન છે :- સાધુને બે પ્રકારે પ્રયોજન સંભવે છે - શબ્દ વડે, શરીર વડે. શકુનાદિ જોવામાં શબ્દ વડે પ્રયોજન છે, તે આ રીતે – શખના શબ્દને પ્રશસ્ત અને મહાશકુન માને છે. શરીર વેડ ત્રણ પ્રકારે પ્રયોજન છે - સંપૂર્ણ શરીર વડે, શરીના કોઈ ભાગ વડે અને શરીરના સંબંધથી પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ ઉત્પન્ન કોઈ બીજી વસ્તુ વડે. બેઈન્દ્રિયના સંપૂર્ણ શરીર વડે પ્રયોજન - છીપ, શંખ વગેરે સહિત અક્ષાનો પરિભોગ હોય છે. આ શબ્દથી કોડા પણ ગ્રહણ કરવા. અક્ષ અને કદ વગેરેનો ઉપયોગ સમવસરણની સ્થાપના વગેરેમાં, શંખ અને છીપનો ઉપયોગ આંખના કુલા વગેરે કાઢવામાં થાય છે. તેઈન્દ્રિયનો ઉપયોગ • અહીં ઉધઈ શબ્દથી ઉધઈએ કરેલા રાફડાની માટી સમજવી, એવા પ્રકારના બીજા તેઈન્દ્રિયની માટીનું પણ ગ્રહણ કરવું. પરિભોગ એટલે ઉપભોગ કરવાપણું. ઉધઈની માટી વગેરેનો પરિભોગ સર્પદંશાદિમાં દાહની શાંતિ માટે જાણવો અથવા વૈધ અમુક તેઈન્દ્રિયના શરીરાદિને બાહ્ય વિલેપનાદિને માટે બતાવે ત્યારે તેનો ઉપભોગ થાય છે. ચઉરિન્દ્રિય મધ્ય માખીનો વિઠા એ પરિભોગ છે. કેમકે તે વિઠા વમનના નિષેધાદિમાં સમર્થ છે. અથવા નેત્રમાંથી જળ વગેરે કાઢવા અશમક્ષિકાનો ઉપયોગ કરાય છે. તથા આવી જાતિના ચઉરિન્દ્રિય પણ લેવા. પંચેન્દ્રિયના પિંડના વિષયમાં ઉપયોગ - તિર્યંચાદિનો પિંડ યથાયોગપણે ઉપયોગમાં આવે છે. તે આ રીતે - ચામડું, અસ્થિ, દાંત ઈત્યાદિ ગાથાર્થ પ્રમાણે કહેવા. ૩fથ - ગીધ પક્ષીની નખિકાદિનો પરિભોગ છે, તે શરીરના ફોલ્લાને દૂર કરવા માટે બાહ આદિ ઉપર બંધાય છે. સંત - સુવરના દાંતને ઘસીને નાંખતા નેત્રને વિશ ફૂલા દૂર કરાય છે. નર - અમુક જીવોના નખ ધૂપમાં નાંખી તેની ગંધ હોય તે કોઈપણ રોગનો નાશ કરે છે. તેમ - તેનો કામળો બને છે. શૃંગ - ભેંસ આદિનું શીંગડું, માર્ગમાં ગચ્છથી ભૂલા પડેલા સાધુને ભેગા કરવાને વગાડાય છે. છાણ અને ગોમૂત્રનો ઉપયોગ ખસ વગેરેના મર્દનમાં થાય છે. દુધનો ઉપયોગ ભોજનમાં થાય છે. સચિત મનુષ્યનું પ્રયોજન સાધુને માર્ગ જણાવવા કે ભિક્ષાદિ દાન માટે છે. અસિત મનુષ્યના મસ્તકના અસ્થિ ઉપયોગી છે, તે અસ્થિ ઘસીને પુરુષ ચિહનો અમુક વ્યાધિ દૂર થાય છે. કોઈ રાજા સાધુના વિનાશાદિ માટે ઉધમવંત થાય ત્યારે સાધુ મસ્તકના અસ્થિ લઈને કાપાલિકનો વેશ લઈ દેશાંતર જઈ શકે છે. મિશ્રનો ઉપયોગ અસ્થિ લઈને કાપાલિકનો વેશ લઈ દેશાંતર જઈ શકે છે. મિશ્રનો ઉપયોગ અસ્થિ વડે ભૂષિત અને સરસ શરીર કાપાલિક પાસે માગને જાણવા ઉપયોગી છે. દેવતાના વિષયનો ઉપયોગ - તપસ્વી કે આચાયદિને દેવીઓ પ્રાયઃ સમીપે જે રહેવાવાળા હોય છે. મરણ વગેરે પ્રયોજન ઉપસ્થિત થાય ત્યારે કોઈ દેવતાને પૂછે કે માર્ગના વિષયમાં શુભાશુભ પૂછે. આ પ્રમાણે સરિતાદિ ભેદથી ત્રણ પ્રકારનો દ્રવ્યપિંડ પ્રત્યેક પૃથ્વીકાયાદિ નવની મધ્યે બે આદિના મિશ્રપણાથી મિશ્રદ્રવ્યપિંડ : • મૂલ-૬૮,૬૯ :હવે મિશ્ર પિંડ, આ નવેના દ્વિક સંયોગાદિથી આરંભીને ચાવતુ છેલ્લા Page #30 -------------------------------------------------------------------------- ________________ ૪૧ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ મૂલ-૬૮,૬૯ નવ સંયોગવાળા ભંગ સુધી જાણવો. આ મિશ્રપિંડના તૈટાંતો આ રીતે છે – કાંજી, ગોરસ, મદિરા, વેસન, ભેજસ્નેહ, શાક, ફળ, માંસ, લવણ, ગોળ, ઓદનાદિ અનેક પ્રકારે સંયોગપિંડ જાણવા. - વિવેચન-૬૮,૬૯ : કેવળ પૃથ્વીકાયાદિકના પિંડને કહ્યા પછી મિશ્રપિંડ કહે છે fમશ્રા - સજાતીય અને વિજાતીય દ્રવ્યના મિશ્ર કરવારૂપ પિંડ. આ જ નવે પિંડોના બે આદિના સંયોગવાળો જાણવો. તે આ પ્રમાણે – પૃથ્વીકાય + અકાય એ દ્વિક સંયોગનો પહેલો ભંગ. પૃથ્વીકાય + તેઉકાય એ બીજો ભંગ. એ પ્રમાણે દ્વિસંયોગમાં ૩૬-ભંગો જાણવા. મિકસંયોગમાં પૃથ્વીકાય + અકાય + તેઉકાય એ પહેલો ભંગ, પૃથ્વીકાય + અકાય + વાયુકાય એ બીજો ભંગ એ પ્રમાણે ૮૪ ભંગો જાણવા. ચતુક સંયોગમાં - પૃથ્વી, અપ, તેઉ, વાયુ એ પહેલો ભંગ. પૃથ્વી, અપ, તેઉ, વનસ્પતિ એ બીજો ભંગ. એ રીતે ૧૨૬-ભંગો જાણવા. પંચક સંયોગમાં-૧૨૬, ૫ર્ક સંયોગમાં-૮૪, સપ્તક સંયોગમાં ૩૬, અષ્ટક સંયોગમાં-૯, નવક સંયોગમાં એક ભંગ. કુલ-૫૦૨ ભંગો થાય. * * * * * * * x-x-x-x• તવક સંયોગથી પ્રાપ્ત એક સંખ્યાવાળો જે મિશ્રપિંડ આવે તે લેપને આશ્રીને દેખાડે છે. અહીં ગાડાંની ધરી ઉપર તેલ લગાડે ત્યારે તેના ઉપર ‘જ'રૂપ પૃથ્વીકાય લાગે. નદી ઉતરતા અપુકાય લાગે, લોઢાની વસ્તુ ઘસાતા તેઉકાય, તેજસ હોય ત્યાં વાયુ હોય છે, માટે વાયુકાય લાગે, ધોંસરી વનસ્પતિકાય છે. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળા જીવો સંપાતિમ સંભવે છે. ભેંસાદિના ચામડાની વાધરી આદિ ઘસાતા હોવાથી તેના અવયવરૂપ પંચેન્દ્રિય પિંડ પણ સંભવે છે. આવા પ્રકારની ગાડાની ધરીથી લેપ કરાય, તે મિશ્રપિંડ કહેવાય. આટલો જ દ્રવ્યપિંડ મિશ્રપિંડ સંભવે છે. હવે તેના દષ્ટાંતો - કાંજી, તે અકાય, તેઉકાય, વનસ્પતિકાયના પિંડરૂપ છે તે આ રીતે – ચોખાને ધોવા તે અકાય, પકવવા તે તેઉકાય, ચોખાના અવયવો તે વનસ્પતિકાય. જો તેમાં લવણ નાંખે તો પૃથ્વીકાય પણ સંભવે છે, એ પ્રમાણે સર્વત્ર સ્વબુદ્ધિથી ભાવના કરવી. રસ છાસ. તે અકાય અને ત્રસકાયથી મિશ્ર હોય છે. માનવ • મદિરા, તે અપ, તેઉ અને વનસ્પતિકાયના પિંડરૂપ છે. વિન - રાબડી આદિ, તે અપ, તેઉ, વનસ્પતિકાયના પિંડરૂપ છે. ઔદ - ઘી, ચરબી, તે તેઉ અને ત્રસકાયના પિંડરૂપ છે. સાવજ - ભાજી વગેરે, તે વનસ્પતિ, પૃથ્વી, ત્રસકાયના પિંડરૂપ છે. આ પ્રમાણે - X • x • બધાં સંયોગો વિચારવા. જેનો જે દ્વિસંયોગાદિમાં સમાવેશ થતો હોય ત્યાં જ કરવો. હવે ક્ષેત્રપિંડ અને કાલપિંડ કહે છે – • મૂલ-૩૦ થી ૩૩ : [9] ત્રણ પ્રદેશ અને ત્રણ સમય એ અનુક્રમે ચોથા ક્ષેત્ર અને પાંચમાં કાળ-પિંડનું સ્વરૂપ છે. દ્રવ્ય એટલે યુગલ સ્કંધને વિશે જે સ્થાન એટલે અવગાહ અને સ્થિતિ એટલે રહેવું. તે પણ તેના આદેશથી ચોથા અને પાંચમાં પિંડનું સ્વરૂપ છે. તથા જ્યાં અને જ્યારે તેની પ્રરૂપણા થાય. [૧] જે મૂર્તિમાન દ્રવ્યમાં પરસ્પર મળી જવા થકી અને સંખ્યાના બહુપણા થકી પિંડ શબદ યોગ્ય છે, તો અમૂર્તિમાન દ્રવ્યને વિશે પણ તે પિs શબ્દ જ યોગ્ય છે. [ મ ત્રણે પ્રદેશને અવગાહીને રહેલો જે ઝિપદેશી સ્કંધ અવિભાગે કરીને સંબંધવાળો છે, તે પ્રમાણે સ્કંધનો આધાર પણ પિંડપણે કેમ ન કહેવાય ? કહેવાય. [૩] અથવા તો નામાદિ ચાર પિંડનો યોગ અને વિભાગ વડે અવશ્ય પિંડ કહેવો. પરંતુ હમ અને કાળ એ બેને આશ્રીને જે સ્થાને કે જે કાળે પિઉં વર્ણન કરાય અથવા ઉત્પન્ન કરાય છે તે પણ પિંડ કહેવાય છે. • વિવેચન-૭૦ થી ૩૩ - [eo] નામાદિ પિંડ ગાથાના અનુકમથી ચોથો ક્ષોત્રપિંડ અને પાંચમો કાળપિંડ કહેવાય છે. ક્ષેત્ર • આકાશ, - સમયનું પરાવર્તન. તેમાં ત્રણ આકાશ પ્રદેશો તથા ત્રણ સમયો - કાળનો વિભાગ ન થઈ શકે. તેવા ભાગો. * * * * * અહીં ભાવાર્થ આ છે - પરસ્પર મળેલા ત્રણ આકાશ પ્રદેશો અને પરસ્પર મળેલાં ત્રણ સમયો અનુક્રમે ક્ષેત્રપિંડ, કાળપિંડ જાણવા. અહીં f= શબ્દથી બે, ચાર વગેરે પણ જાણવી. ફોગપિંડ અને કાળપિંડ ઉપચાર હિત કહીને હવે ઉપચાર સહિત કહે છે :પુદ્ગલ સ્કંધ દ્રવ્યમાં, અવગાહ અને કાળથી રહેવું છે. સ્થાન અને સ્થિતિને આશ્રીને જે ફોગ અને કાળની પ્રધાનપણે વિવક્ષા કરીને ક્ષેત્ર અને કાળ વડે જે કથન. તેથી ચોથા અને પાંચમાં પિંડની પ્રરૂપણા કરવી, એમ કહેવાથી શું કહ્યું ? સ્કંધરૂપ પુદ્ગલદ્રવ્યને વિશે અવગાહના વિચારને આશ્રીને ક્ષેત્રના પ્રધાનપણાની વિવક્ષાએ કરીને જ્યારે ક્ષેત્ર વડે આ એક, બે, ત્રણ પ્રદેશવાળો ઈત્યાદિ કથન કરાય ત્યારે તે અપિંડ કહેવાય. કાળથી સ્થિતને આશ્રીને કાળના પ્રધાનપણાની વિવક્ષા કરીને આ એક, બે સમયવાળો ઈત્યાદિ કાળ વડે કથન કરાય ત્યારે તે કાળપિંડ કહેવાય છે. • X - X - હવે બીજા પ્રકારે ઉપચાર સહિત ક્ષેત્રપિંડ અને કાલપિંડ કહે છે – જે વસતિ આદિને વિશે, જે પહેલી પરિસિ આદિ કાળમાં પિંડની પ્રરૂપણા કરાય છે, તે પિંડ. પરૂપાતો નામાદિ પિંડ વસતિ આદિ ક્ષેત્રની ગપિંડ કહેવાય છે. એ રીતે પરિસિ આદિને આશ્રીને તે કાળપિંડ છે. અહીં અન્ય કોઈ આક્ષેપ કરે છે કે – મૂર્તિમાન દ્રવ્યમાં પરસ્પર મળી જવાથી અને સંખ્યામાં ઘણાંપણું થવાથી પિંડ એવું કથન ઘટી શકે છે. પણ ક્ષોત્ર અને કાળનું Page #31 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૭૦ થી ૭૩ પરસ્પર મળવું થતું નથી, તેમજ કાળમાં તો સંખ્યાનું ઘણાંપણું ઘટતું નથી. - ૪ - x - x - આ આક્ષેપનું નિવારણ કરતાં કહે છે - [૭૧] જો મૂર્તિમાન દ્રવ્યમાં પરસ્પર ભળી જવા થકી તથા બે વગેરે સંખ્યાના સંભવ થકી પિંડ એવા શબ્દનું કહેવું ઘટે છે. તો તે પિંડ એવા શબ્દનું કથન અમૂર્ત એવા પણ ક્ષેત્રના પ્રદેશો અને કાળના સમયોને વિશે ઘટે છે. કેમકે તેમાં પણ પિંડ શબ્દની પ્રવૃત્તિનું કારણ જે પરસ્પરાનું બંધ અને સંખ્યા બાહુલ્ય સંભવે છે. તે આ રીતે – ૪૩ સર્વે ક્ષેત્રના પ્રદેશો પરસ્પર નિરંતરપણારૂપ સંબંધે કરીને સહિત રહેલા છે, તેથી જેમ પરમાણુથી બનાવેલા ચતુરસાદિ ધનમાં પરસ્પર નિરંતરપણારૂપ અનુવેધથી અને સંખ્યાના બહોળાપણાથી પિંડ એવું કથન પ્રવર્તે છે તેમ ક્ષેત્રના પ્રદેશોમાં પણ પ્રવર્તતો પિંડ શબ્દ અવિરુદ્ધ છે. કેમકે તેમાં પણ નૈરંતર્યરૂપ અનુવેધાદિનો સંભવ છે તથા કાળ પણ પરમાર્થથી વિધમાન છે અને દ્રવ્ય છે. તેથી તે કાળ પણ પરિણામી છે. કેમકે સર્વે વિધમાન પદાર્થનું પરિણામીપણું અંગીકાર કરેલ છે. વળી તે રૂપે પરિણામ પામતો પરિણામી પદાર્થ અન્વયવાળો કહેવાય છે. તેથી વર્તમાનકાળના સમયનો પણ પૂર્વના અને પછીના સમય સાથે સંબંધ હોય છે. - x - તેથી પિંડ શબ્દની પ્રવૃત્તિનો વિરોધ નથી. [૨] ક્ષેત્રમાં પિંડ શબ્દની પ્રવૃત્તિના અવિરોધને બતાવે છે – જેમ કોઈ ત્રિપરમાણુ સ્કંધ ત્રણે આકાશ પ્રદેશમાં અવગાહીને રહેલો છે. પણ એક કે બે પ્રદેશમાં રહેલો નથી. વિજ્ઞાન - નિરંતરપણું, તેનાથી સંબંધવાળો જે સ્કંધ - પિંડ' કહેવાય. કેમકે નિરંતરપણે રહેવું અને સંખ્યાનું બાહુલ્ય છે. એ પ્રમાણે ત્રિપ્રદેશાવગાહી ત્રિપરમાણું સ્કંધ માફક ત્રિપરમાણું સ્કંધના આધારરૂપ જે ત્રિપ્રદેશ સમુદાય તે પિંડ જ કહી શકાય, કેમકે સામાન્યપણે તે બંને સરખાં જ છે. [૭૩] હવે જે સ્થાને જે પિંડની પ્રરૂપણાની વ્યાખ્યા - પૂર્વ ક્ષેત્ર અને કાળ વિશે સૂચિત સંખ્યા મુજબ પ્રદેશો અને સમયોનો પરસ્પર સંબંધ અને સંખ્યાનું બાહુલ્ય હોવાથી પારમાર્થિક પિંડપણું કહ્યું. અથવા યોગ અને વિભાગના અસંભવથી પારમાર્થિકપણું ઘટતું જ નથી. તે આ રીતે – લોકને વિશે જ્યાં યોગ હોતા વિભાગ કરી શકાય કે વિભાગ હોતા યોગ કરી શકાય ત્યાં ‘પિંડ' શબ્દ કહેવાય છે પણ ક્ષેત્ર અને પ્રદેશને વિશે યોગ છે, તો પણ વિભાગ કરી શકાતો નથી. કેમકે નિત્યપણાએ કરીને તથા પ્રકારે રહેલા તે પ્રદેશોને અન્યથા પ્રકારે કરી શકાય તેમ નથી. તેથી તે ક્ષેત્રપ્રદેશોમાં પારમાર્થિક પિંડપણું નથી. વળી સમય પણ વર્તમાન જ છે. અતિત-અનાગત નહીં. તેથી અહીં કાળના સમયની વાતમાં એકલો વિભાગ જ છે, યોગ નથી. તેથી પારમાર્થિક પિંડપણાનો અભાવ છે. તેથી ક્ષેત્રપિંડ અને કાળપિંડ પ્રરૂપણા અન્યથા પ્રકારે કરવી જોઈએ. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવપિંડમાં યોગ અને વિભાગનો સંભવ હોવાથી પિંડ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ એવું કથન નિશ્ચે કરાય છે. તે આ રીતે – નામ અને નામવાળો અભેદ ઉપચાર હોવાથી નામનો જે પિંડ તે નામપિંડ, પુરુષાદિક જ કહેવાય છે કેમકે હસ્ત પાદાદિ અવયવોનો ખડ્ગાદિથી વિભાગ થઈ શકે છે. તેથી યોગ હોતા વિભાગ થયો. એ ૪૪ રીતે પહેલાં ગર્ભ માંસપેશીરૂપ હતો, પણ પછી તેને હાય આદિનો સંયોગ થયો. તેથી વિભાગ હોતા યોગ થયો. તેથી તેનું પિંડરૂપપણું છે. - ૪ - ૪ - ૪ - ભાવપિંડમાં ભાવ અને ભાવવાળો કોઈક પ્રકારે અભેદ હોવાથી સાધુ વગેરે જ મૂર્તિમાત્ - શરીરવાળો ગ્રહણ કરાય છે. તેમાં નામપિંડની જેમ સંયોગ અને વિભાગ તાત્ત્વિક છે, તેથી તેનું પારમાર્થિક પિંડપણું છે. - X - Xx - X + X - ક્ષેત્રપિંડ, કાળપિંડ કહીને હવે ભાવપિંડ કહે છે - • મૂલ-૪ થી ૭૮ : પ્રશસ્ત અને અપશસ્ત એ બંને પ્રકારના ભાવપિંડને હું કહીશ. પ્રશસ્ત અને અપશસ્ત ભાવપિંડ એક પ્રકારે યાવત્ દશ પ્રકારે છે. તેમાં ૧- સંયમ, ૨જ્ઞાન સાત્રિ, ૩- જ્ઞાન દર્શન ચાસ્ત્રિ, ૪- જ્ઞાન દર્શન તપ સંયમ, ૫- પાંચ મહાવત, ૬- પાંચ વ્રત સાથે રાત્રિભોજન વિરમણ, ૭- સાત પિન્ડેક્ષણા, સાત પાર્લેષણા, સાત અવગ્રહપ્રતિમા ૮- આઠ પ્રવચન માતા, ૯- નવ બહાચર્યગુપ્તિ, ૧૦- દર્શવિધ શ્રમણધર્મ આ પ્રશસ્ત ભાવપિંડ આઠ કર્મનું પ્રથન કરનાર તીર્થંકર કહેલ છે. પશસ્ત ભાવપિંડ આ પ્રમાણે ૧- અસંયમ, ૨- અજ્ઞાન અને અવિરતિ, ૩- અજ્ઞાન, અવિરતિ, મિથ્યાત્વ. ૪- ક્રોધાદિ કાય, ૫- શ્રવ, ૬છ કાય, ૭- સાત કર્મ, ૮- આઠ કર્મ, -- નવ બ્રહ્મચર્ય ગુપ્તિ, ૧૦- દર્શવિધ અધ. -- • વિવેચન-૭૪ થી ૭૮ - ગાથાર્થ કહ્યો. પ્રતિજ્ઞાત કથનના નિર્વાહ માટે કહે છે – પ્રશસ્ત ભાવપિંડ દશેય પ્રકારે છે. (૧) એક પ્રકારે પ્રશસ્ત ભાવપિંડ સંયમ છે. તેમાં જ્ઞાન અને દર્શન સંયમમાં જ અંતર્ભૂત કહેવાને ઈછ્યા છે, તેથી એક સમયને ભાવપિંડ કહેવામાં કોઈ બાધા નથી. (૨) બે ભેદે પિંડ - જ્ઞાન અને ચારિત્ર. અહીં સમ્યગ્દર્શનને જ્ઞાનમાં જ અંતર્ભૂત ગણેલ છે. (૩) ત્રણ ભેદે પિંડ – જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ. (૪) ચાર ભેદે પિંડ – જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, તપ. (૫) પાંચ ભેદે પિંડ - પ્રાણાતિપાત વિરમણ આદિ સ્વરૂપવાળા પાંચ, અહીં પણ જ્ઞાન, દર્શનની તદ્ભૂત વિવક્ષા કરી છે, રાત્રિભોજન વિરમણ વ્રત પણ અંતર્ભૂત ગણેલ છે. (૬) છ ભેદે ભાવપિંડ - પાંચ મહાવ્રત અને છઠ્ઠું રાત્રિભોજન વિરમણ વ્રત. (૭) સાત પ્રકારના પિંડમાં સાત પિન્ટુષણા, સાત પાનૈષણા, સાત અવગ્રહ પ્રતિમા છે. તેમાં પિન્ટુષણા અને પાનૈષણા સંસૃષ્ટાદિક સાત છે – અસંસૃષ્ટા, સંસૃષ્ટા, ઉધૃતા, અલ્પલેષા, અવગૃહીતા, પ્રગૃહિતા, ઉજ્જીિતધર્મા. [જેનું વર્ણન અન્ય સ્થાનેથી Page #32 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૭૪ થી ૮ BE જાણવી અવગ્રહ પ્રતિમા એટલે વસતિ સંબંધી વિશેષ પ્રકારના નિયમો જિ યાર ગમ, પ્રાયલ-૩ થી જાણવું (૮) આઠ ભેદે પિંડ, તે આઠ પ્રવચન માતા - પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. (૯) નવ ભેદે પિંડ, તે નવ બ્રહ્મચર્ય ગુપ્તિ જેનું વર્ણન સ્થાનાંગ સૂપના સ્થાન-૯, સૂમ૮૦માં, તથા સમવાય-૯ના સુમ-૧૧માં છે.) (૧૦) દશ ભેદે પિંડ તે દશવિધ શ્રમણધર્મ • શાંતિ, માદેવ, આર્જવ, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચનતા અને બ્રહ્મચર્ય. આ દશે પ્રકારનો ભાવપિંડ આઠ કર્મનું મથનકત તીર્થકરે કહેલ છે. આમ કહીને ગ્રંથકારે – “કંઈ કહેતો નથી’ એમ જણાવેલ છે. ધે અનુક્રમે દશ ભેદે અપશસ્ત ભાવપિંડને કહે છે, તે આ છે - (૧) અસંયમ - વિરતિનો અભાવ, અહીં અજ્ઞાન મિથ્યાત્વ આદિ સર્વે પણ તભૂત છે. (૨) અજ્ઞાન અને અવિરતિ. અહીં મિથ્યાત્વ, કષાય વગેરે સર્વે પણ આ બેમાં જ અંતર્ભત છે. (૩) મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ એ ત્રણ ભેદે અપશસ્ત ભાવપિંડ છે. (૪) કષાય - ક્રોધ, માન, માયા, લોભ. (૫) આશ્રવ - પ્રાણાતિપાત આદિ પાંચ. (૬) છ ભેદે તે- પૃથ્વીકાયિક આદિ છ કાયનો વિનાશ, (૭) સાત ભેદે ભાવ પિંડ - કર્મબંધના કારણભૂત અધ્યવસાયો જાણવા. આયુ સિવાયના સાતે કર્મના કારણભૂત પરિણામ વિશેષ, જ્ઞાનાવરણાદિ જાતિ ભેદથી સાત પ્રકારે છે. (૮) આઠ ભેદે ભાવપિંડ • આઠે કર્મબંધના કારણભૂત પરિણામ. (૯) નવ બ્રહ્મચર્ય ગુપ્તિ. (૧૦) દશ ભેદે અધર્મ - ક્ષમા આદિથી વિપરીત કહેવો. આ અપશરત ભાવપિંડ. હવે પ્રશસ્ત અપ્રશસ્ત ભાવપિંડનું લક્ષણ કહે છે – • મૂલ-૬ થી ૮૧ : [26] જે ભાવપિંડ વડે કર્મ બંધાય તે સર્વે અપશસ્ત અને જેના વડે કમથી મૂકાય તે પ્રશસ્ત ભાવપિંડ જાણવો. [co] દર્શન, જ્ઞાન, ચાઢિાના છે અને જેટલા પચયિો હોય છે, તે તે-તે વખતે તેને નામનો પર્યાયનું પ્રમાણ કરવાથી પિંડ કહેવાય. [૧] જીવ જે પરિણામથી આત્માને વિશે કર્મના પિંડને ચીકણાં બાંધે છે, તે ભાવપિંડ કહેવાય, કેમકે જ્ઞાનાવરણાદિ કર્મને પિંડરૂપે કરે છે. • વિવેચન-૭૯ થી ૮૧ - અહીં એકવિધાદિ ભેદે પ્રવર્તતા જે ભાવપિંડ વડે જ્ઞાનાવરણ આદિ કર્મ બંધાય છે. ૪ શબ્દથી દીધ સ્થિતિક, દીર્ધ અનુબંધવાળું અને વિપાકમાં કટ કર્મો જેના વડે બંધાય તે પ્રશસ્ત ભાવપિંડ જાણવો અને એકવિઘાદિથી પ્રવર્તતા સંયમાદિ વડે જે કર્મ થકી ધીમે-ધીમે કે સર્વથા મુક્ત થવાય તે પ્રશસ્ત ભાવપિંડ જાણવો. [શંકા] ઘણાનું એક સ્થાને મળવું તે પિંડ કહેવાય. પરંતુ સંયમ વગેરે ભાવો જ્યારે પ્રવર્તે ત્યારે તે એક સંખ્યાવાળા જ હોય છે, કેમકે એક સમયે એક જ અધ્યવસાયનું હોવાપણું છે, તો તે ભાવોનું પિંડપણું કેમ કહેવાય ? પિંડનિયુક્તિમૂલસૂત્ર સટીક અનુવાદ ગાથા-૮૦માં તેનો ઉત્તર આપતા કહે છે - ચારિત્રના ગ્રહણથી તપ વગેરે પણ ગ્રહણ કરાય છે. કેમકે – તપ પણ વિરતિના પરિણામરૂપ હોવાથી ચાગ્નિનો જ ભેદ છે, તેથી દર્શનાદિ ગણેના જે જે અવિભાગ પરિચ્છેદરૂપ પર્યાયિો. જ્યારે જ્યારે જેટલા હોય ત્યારે ત્યારે તે-તે દર્શનાદિ નામવાળો પયયનું પ્રમાણ કરવા વડે કરીને પથાયના સમૂહની વિવક્ષાથી પિંડ કહેવાય છે. ભાવાર્થ એ કે – સંયમની વિવક્ષામાં દર્શન, જ્ઞાન અંતર્ભાવ છે. ત્યારે તે સંયમના અવિભાગ પરિચ્છેદ નામના જે પયયો છે તે સમુદાયપણે એક સ્થાને પિંડરૂપ થઈને રહે છે. - x • તેથી એકવિધ ભાવ પિંડપણે કહેવાતો સંયમ વિરોધ પામતો નથી. પણ તે જ સંયમરૂપ અધ્યવસાયમાં જ્ઞાન કે ક્રિયાની વિવક્ષા જુદી કરવામાં આવે ત્યારે જ્ઞાન કે ક્રિયાના અવિભાગ પરિચ્છેદરૂપ જે પર્યાયો તે જ્ઞાન કે ક્રિયાપિંડ કહેવાય. તેથી જ્ઞાન અને ક્રિયા નામે ભાવપિંડ બે ભેદે કહેવામાં વિરોધ ન પામે. જ્યારે તે જ સંયમરૂપ અધ્યવસાયને વિશે જ્ઞાનની, દર્શનની અને ચામિની વિવક્ષા જદી કરાય છે ત્યારે જ્ઞાનનો કે દર્શનનો કે ચાસ્ત્રિનો અવિભાગ પરિચ્છેદરૂપ પર્યાય તે-તે સમુદાયને પામીને જ્ઞાનપિંડ કે દર્શનપિંડ કે ચા»િ પિંડ કહેવાય છે. એમ ત્રણ પ્રકારનો જ્ઞાન, દર્શન અને સાત્રિ નામે ભાવપિંડ ઘટે છે. • x - X - X - એ પ્રમાણે બાકીના પિંડોને વિશે પિંડપણાની ભાવના ભાવવી. એ જ પ્રમાણે અપશસ્ત ભાવપિંડની ભાવના ભાવવી. આ રીતે “જે એકઠું કરવું તે પિંડ” એવી ભાવવિષયવાળી વ્યુત્પત્તિને આશ્રીને સંયમાદિનું પિંડપણું કહેવું. - x - પછી ભાવ એવા પિંડ તે ભાવપિંડ કહેવાય એવું ગાયા-૮૧માં જણાવે છે. જે ખાવું - આત્માના પરિણામ વિશેષ વડે કર્મના પિંડને પરસ્પર સંબંધ વડે ગાઢ સંશ્લેષથી આભાને વિશે એકઠાં કરે તે ભાવપિંડ. તેમાં હેતુ - જે કારણ માટે જેના વડે આત્મા પોતાની સાથે પિંડરૂપ કરાય તે પિંડન - જ્ઞાનાવરણાદિક કર્મને આત્માની સાથે સંબદ્ધ કરે તે ભાવ, તેથી કરીને ભાવપિંડ કહેવાય. તેમાં જે ભાવ વડે આત્મામાં શુભ કર્મો બંધાય તે પ્રશસ્ત ભાવપિંડ, અશુભ બંધાય તે અપશસ્ત ભાવપિંડ. એ રીતે નામાદિ છ પિંડ કહ્યા. હવે આ છે માં જે પિંડ વડે અહીં અધિકાર છે, તે પિંડને કહેવાની ઈચ્છાથી જણાવે છે – • મૂલ-૮૨ : અહીં દ્રવ્યમાં અચિત્ત પિંડ અને ભાવમાં પ્રશસ્ત ભાવપિંડ વડે પ્રયોજન છે, બાકીના નામાદિ પિંડો શિની મતિના વિરતારાર્થે કહેલા છે. • વિવેચન-૮૨ :આ પિંડનિયુકિતમાં દ્રવ્યમાં અયિત દ્રવ્યપિંડ વડે અને ભાવમાં પ્રશસ્ત ભાવપિંડ Page #33 -------------------------------------------------------------------------- ________________ મુલ-૨ ૪૮ વડે પ્રયોજન છે. બાકીના નામાદિ પિંડો સાર્થક એવા પિંડ શબ્દ વડે કહેલ જે અર્થ તેને તુલ્ય છે, કેમકે તેમનું પણ પિંડ એ રીતે કથન કરવાપણું છે માટે. તેથી કરીને શિયોની મતિનું જે પ્રકોપન - તે તે અર્ચના વ્યાપકપણાએ કરીને જે પ્રસરવું, તેને માટે કહેલ છે. ભાવાર્થ એ કે – અયિત દ્રવ્યપિંડ અને પ્રશસ્ત ભાવપિંડનો અહીં અધિકાર છે, બાકીના પિંડનો અધિકાર નથી. અને છૂટા-છૂટા પણા કરીને કહેવા બાકીના પિંડ કહ્યા છે. શિકા] મુમુક્ષુ જીવોને પ્રશસ્ત ભાવપિંડનું પ્રયોજન નભલે હોય, પણ અયિd. દ્રવ્યપિંડનું અહીં શું પ્રયોજન છે ? (સમાધાન ભાવ પિંડની વૃદ્ધિમાં દ્રવ્યપિંડ એ ટેકો છે, આ જ વાત કહે છે – • મૂલ-૮૩ - આહાર, ઉપધિ, શા પ્રશસ્ત ભાવપિંડનો ઉપગ્રહ કરે છે. તેમાં આહારપિંડનો અધિકાર છે, તે આઠ સ્થાનો વડે શુદ્ધ હોય છે. • વિવેચન-૮૩ : અચિત્ત દ્રવ્ય પિંડ ત્રણ ભેદે – આહારરૂ૫, ઉપધિરૂપ, શય્યારૂપ. આ ત્રણે પિંડ જ્ઞાન, સંયમાદિ પ્રશસ્ત ભાવપિંડને ટેકો કરે છે. તેથી આ ત્રણેનું સાધુને પ્રયોજન છે, તો પણ અહીં કેવળ આહારપિંડનો અધિકાર છે. તે પિંડ ઉદ્ગમાદિક આઠ સ્થાને શુદ્ધ એવો જેમ સાધુને ગવેણ છે, તે કહેશે – • મૂલ-૮૪,૮૫ - મુમુક્ષુને નિવસિ જ કાર્ય છે, કારણ જ્ઞાનાદિ કણ છે. તે નિવણિના કારણનું પણ કારણ શુદ્ધ આહાર છે. જેમ વાનું કારણ તંતુ છે, તંતુનું કારણ પક્ષમ છે, તેમ મોક્ષના કારણ જ્ઞાનાદિ ત્રિકનું કારણ આહાર છે. • વિવેચન-૮૪,૮૫ - મુમુક્ષને નિવણિ જ માત્ર કર્તવ્ય છે. બાકી સર્વે તુચ્છ છે. નિવણનું કારણ જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. • x • નિવણિના કારણરૂપ જ્ઞાનાદિનું કારણ આઠ સ્થાને શદ્ધ જોવો આહાર છે. આહાર વિના ધર્મ માટે શરીરની સ્થિતિ અસંભવ છે. ઉગમાદિ દોષ વડે દૂષિત આહાર ચામ્બિનાશક છે. હવે દષ્ટાંતથી આ જ વાત કરે છે - જેમાં વસ્ત્ર, તંતુ, રૂના દટાંત વડે સિદ્ધ કરે છે કે નિર્વાણનું કારણ જ્ઞાનાદિ અને તેનું કારણ આહાર છે. હવે જ્ઞાનાદિકનું મોક્ષકારણત્વ સદષ્ટાંત જણાવે છે – • મૂલ-૮૬ : જેમ ન હણાયેલ અને પરિપૂર્ણ સામગ્રીવાળું કારણ અવશ્ય કાર્યને સાથે, તેમ પરિપૂર્ણ જ્ઞાનાદિ મોક્ષ સાધવામાં સમર્થ છે. વિવેચન-૮૬ :જેમ બીજ આદિપ કારણ અગ્નિ આદિથી વિનાશ પામ્યું ન હોય અને પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ અવિકલ હોય તો અવશ્ય અંકુરાદિપ કાર્યને ઉત્પન્ન કરે, એમ જ જ્ઞાનાદિ પણ અવિકલ અને વિનાશ પામેલા ન હોય તો તે અવશ્ય મોક્ષરૂપ કાર્યને સાધનાર થાય છે. તે આ રીતે – સંસારનો નાશ તે મોક્ષ. સંસારનું કારણ મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, જ્ઞાનાદિ દેના પ્રતિપક્ષારૂપ છે. જ્ઞાનાદિના સેવનથી મિથ્યાત્વાદિથી ઉત્પન્ન કર્મ અવશ્ય નાશ પામે છે. માત્ર આ જ્ઞાનાદિ પરિપૂર્ણ અને અનુપહત હોવા જોઈએ. ચાસ્ત્રિનું અનુપહતપણું ઉદ્ગમાદિ દોષ રહિત શુદ્ધ આહારથી થાય છે. આઠ સ્થાનોથી શુદ્ધ આહાર સાધુ ગ્રહણ કરે. તેથી અહીં આહાર પિંડનો અધિકાર છે. આ પ્રમાણે પિંડ કહ્યો. હવે “એષણા' કહેવી જોઈએ - • મૂલ-૮૭,૮૮ - એ રીતે સંક્ષેપથી એકઠા મળેલા અર્થવાળો પિંકે કહ્યો. હવે પછી ફૂટ વિકટ અને પ્રગટ અથાળી એષણાને હું કહીશ.. આ એષણાના એકાર્ષિક પયયિો આ પ્રમાણે છે – એષણા, ગવેષણા, માગણા, ઉદ્ગોપના. • વિવેચન-૮૭,૮૮ : આ રીતે સંક્ષેપથી - સામાન્યપણાથી એક સ્થાને સ્થાપન કર્યો છે અર્થ - અભિધેય જેનો તે તથારૂપનો પિંડ મેં કહ્યો. હવે એષણાને કહેનારા ગાથા શ્રેણિને ફૂટ - નિર્મળ, પણ તાત્પર્ય ન સમજવાથી મલિન નહીં એવો સૂક્ષ્મ મતિવાળા જાણી શકે તેથી દુર્ભેદ તથા વિશેષ રચનાના વિશેષ થકી જે સુખે કરીને જાણી શકાય તેવો •X - X • પ્રગટ કહેવાય છે, એવા પ્રકારનો અર્થ જેવો છે તેવી એષણાને હું કહીશ. તેમાં સુખબોધાર્થે એકાર્જિક પર્યાયો કહે છે - જેમાં પUT - ઈચ્છા, ઘT - અન્વેષણા ઈત્યાદિ એકાર્શિક નામો કહીને હવે ભેદોને કહે છે – • મૂલ-૮૯ - ઔષા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવને વિશે જાણવી. તેમાં દ્રવ્ય અને ભાવના વિષયવાળી પ્રત્યેક એષા ગણ-~ણ પ્રકારે જાણવી. • વિવેચન-૮૯ : એષણા ચાર ભેદે - નામૈષણા, સ્થાપનૈષણા, દ્રૌષણા, ભાવૈષણા. નામૈષણા - એષણા એવું નામ કોઈ જીવ કે અજીવનું કરાય તે નામ અને નામવાળાના અભેદોપચારથી “નામૈષણા” કહેવાય. સ્થાપનૈષણા - એષણાવાળા સાધુ આદિની સ્થાપના, અહીં એષણા સાધુ આદિથી ભિન્ન નથી, તેથી ઉપચારથી સાધુ વગેરે જ ‘એષણા' કહેવાય છે. દ્રૌપણા બે ભેદે - આગમથી, નોઆગમથી. એષણા શબ્દના અર્થને જાણે પણ તેમાં ઉપયોગવંત ન હોય તે આગમથી દ્રૌષણા. નોઆગમથી દ્રૌપણા ત્રણ ભેદે - જ્ઞશરીર ભથશરીર તવ્યતિરિક્ત. ‘એષણા’ શબ્દના અર્થને જાણનારનું જે શરીર જીવરહિત થઈને રહેલ હોય તે ભૂતકાલીન ભાવપણાથી જ્ઞશરીરદ્રૌષણા. જે બાળક હાલ તેના અર્થને જાણતો Page #34 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૮૯ પ0 નથી પણ ભાવિમાં જાણશે તે ભવ્ય શરીર દ્રવ્યેષણા. તધ્યતિરિક્ત તે સચિવાદિ દ્રવ્યના વિષયવાળી છે. ભાવૈષણા પણ બે ભેદે - આગમચી અને નોઆગમથી. એષણાના અને જાણે અને તેમાં ઉપયોગવંત તે આગમચી ભાવૈષણા. નોઆગમથી ગવેષણા આદિ ભેદથી ત્રણ પ્રકારે છે. આમાં નામાદિ એપણા સુજ્ઞાત છે, તેથી નોઆગમથી દ્રૌષણા અને નોઆગમથી ભાવૈષણાની વ્યાખ્યા કરવાને કહે છે - દ્રવ્યના વિષયવાળી અને ભાવના વિષવયાળી તે પ્રત્યેકને ત્રણ પ્રકારે જાણવી. દ્રવ્યમાં સરિતાદિ ત્રણ ભેદ, ભાવમાં ગવેષણાદિ ત્રણ ભેદ છે સચિત દ્રÂષણાના ત્રણ ભેદ – દ્વિપદ, ચતુષ્પદ અને અપદવિષયક. તે આ - • મૂલ-0,૯૧ - કોઈ પુના જન્મને ઈચ્છે છે, કોઈક નાસી ગયેલ અને શોધે છે, કોઈ પગલાથી બને શોધે છે, કોઈ તે શણના મૃત્યુને કહેવા ઈચ્છે છે. એ પ્રમાણે બાકીના ચતુuદ, અપદ, અચિત્ત અને મિશ્રને વિશે જે ઓષા જે સ્થાને યોગ્ય હોય, ત્યાં તેને જોડવી. વિવેચન-૦,૧ : જો કે પૂર્વે એષણાદિ ચારે નામો કાર્થક કહ્યા છે, તો પણ કોઈક પ્રકારે તેનો અર્થ ભેદ છે. પn • માત્ર ઈચ્છા. નવેT - પરસ્પર પણ અર્થનો ભેદ નિયત છે, તે આ રીતે - અપ્રાપ્ત પદાર્થની ચોતરફ પરિભાવના. મrform - નિપુણ બુદ્ધિ વડે શોધવું. કોપન - કહેવા ઈચ્છેલા પદાર્થને લોકમાં પ્રકાશ કરવાની ઈચ્છા. તેના અનુક્રમે ઉદાહરણો આ છે - એક પુત્રના જન્મને ઈચ્છે છે, આ એષણાનું ઉદાહરણ કહ્યું. બીજો કોઈ નાસી ગયેલા પુત્રની ગવેષણા - શોધ કરે છે, આ ગવેષણાનું ઉદાહરણ કહ્યું. ત્રીજો કોઈ ઘણી ધૂળવાળી પૃથ્વી ઉપર પડેલાં પગલાં મુજબ શત્રુને શોધે છે, આ માગણાનું ઉદાહરણ છે. ચોથો કોઈ શગુના મૃત્યુ-મરણને સર્વજન સમક્ષ કહેવાને ઈચ્છે છે, આ ઉદ્ગોપનનું ઉદાહરણ કહ્યું. - આ દ્વિપદની જેમ જ બાકીના ચતુષ્પદ - ગાય વગેરે, પદ-બીજોરુ આદિ, અચિત - રૂપિયા આદિ, મિશ્ર - કડા, બાજુ બંધાદિ અલંકાર વડે વિભૂષિત પુગાદિને વિશે જ્યાં જ એષણા, ગવેષણા, માર્ગણાદિ ઘટી શકે તેને પૂર્વોક્ત ગાથાનુસાર જોડવા. જેમકે – કોઈ દુધ માટે ગાયને ઈચ્છે છે, કોઈ નાસી ગયેલી ગાયને શોધે છે ઈત્યાદિ - * * * * દ્રવ્ય એષણા કહી, હવે ત્રણ પ્રકારની ભાવ એષણા કહે છે – • મૂલ-૨,૯૩ : વીતરાગે ત્રણ પ્રકારે ભાવૈષણા કહી છે – ગળેષણu, ગ્રહઔષણા અને ગ્રાઔષણા. જ અનુક્રમ કેમ કહ્યો ? - ગવેષણા ન રેલ પિંડાદિનું ગ્રહણ [35/4] પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ ન હોઈ શકે, ગ્રહણ ન કરેલાનો પરિભોગ ન હોઈ શકે, તેથી ત્રણ એષણાની આ આનુપૂર્વી જાણવી. • વિવેચન-સ્જ,૯૩ : HTય - જ્ઞાનાદિરૂપ પરિણામ વિશેષ, તવિષયક એષણા તે ભાવૈષણા. જે રીતે જ્ઞાનાદિ ત્રણેનો એક દેશ થકી કે સમૂલઘાત ન થાય તેમ પિંડાદિની એષણા કરવી. તે પણ અનુક્રમે ત્રણ પ્રકારે કહી – ગવેષશૈષણા, ગ્રહષણા, પ્રારૈષણા. શેષ વૃત્તિ કથન ગાથાર્થ મુજબ જાણવું. • મૂલ-૯૪ થી ૯ : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવને વિશે ગવેષણા જાણવી. તેમાં દ્રવ્યને વિશે મૃગ અને હી જણવા. ભાવમાં ઉગમ અને ઉત્પાાદના જાણdu. દ્રવ્યમાં કુરંગ મિગીનું ટાંત મણ ગાથા વડે કહે છે, જે વૃત્તિમાં કથાનક થકી આપેલ છે અને હાથીનું દષ્ટાંત બીજી બે ગાથા વડે કહે છે, જે વૃત્તિથી જણાવું. • વિવેચન-૯૪ થી ૯ : નામ ગવેષણા અને સ્થાપના ગવેષણા એ બે એષણાની જેમ સવિસ્તર પોતાની મેળે જ જાણી લેવી. દ્રવ્ય વિષયક ગવેષણા આગમથી અને નોઆગમથી એમ બે ભેદે છે. ગવેષણા શબ્દના અર્થને જાણે પણ તેમાં ઉપયોગવાળો ન હોય તે આગમથી દ્રવ્ય ગવેષણા. નોઆગમથી દ્રવ્ય ગવેષણા ત્રણ પ્રકારે - જ્ઞશરીર, ભથશરીર અને તવ્યતિરિક્ત. આ તબંતિતિ ગવેષણા સચિવાદિ દ્રવ્યના વિષયવાળી છે. તેમાં કુરંગ [મૃગ અને ગજ-હાથીનું ઉદાહરણ છે. તે દૃષ્ટાંતને કહે છે – ક્ષિતિપ્રતિષ્ઠિત નગર હતું. જિતશત્રુ રાજા અને સુદર્શના રાણી હતા. તેણી ગર્ભિણી હતી. તેણીને મૃગનું માંસ ખાવાનો દોહદ થયો. તે જાણીને રાજાએ કનકપૃષ્ઠ મૃગોને લાવવા પોતાના પુરુષોને મોકલ્યા. તે પુરુષોએ વિચાર્યું કે- કનકપૃષ્ઠ મૃગોને શ્રીપર્ણીના ફળો અતિ પ્રિય છે, તે ફળો આ સમયે હોતા નથી. તેથી તે ફળ જેવા લાડવા બનાવી શ્રીપર્ણીવૃક્ષ નીચે ઢગલા કરીએ, નીકટમાં પાશ-ફાંસા સ્થાપી. એ પ્રમાણે કર્યું. કનકપૃહ મૃગો પોતાના ચૂથપતિ સાથે સ્વેચ્છાએ ત્યાં આવ્યા. તે જોઈને ચૂંથાધિપતિએ મૃગોને કહ્યું - તમને બાંધવા માટે કોઈ ધૂતારાએ આ કપટ કરેલ છે. કેમકે - હાલમાં શ્રીપર્ણી ફળો સંભવતા નથી, કદાચ સંભવે તો આવા ઢગલાના આકારે તો ન જ હોય. કદાચ તેવા વાયુના સંબંધથી આ ઢગલાં થયા હોય તો તે પણ ખોટું છે કેમકે વાય તો પહેલાં પણ વાતા જ હતા. પણ કદાપિ આ પ્રમાણે ઢગલા થયા નથી. તેથી આપણને બાંધવા કોઈએ આ કપટ કરેલ છે, તો તેની પાસે તમે જશો નહીં. યુથાધિપતિના વચનને જેમણે સ્વીકાર્યુ તેઓ દીર્ધાયુક થઈ વનમાં સ્વૈરવિહારી થઈ સુખને પામ્યા. જેઓએ આહારના લંપટવથી તેમનું વચન ન સ્વીકાર્યુ તેઓ પાશ બંધનાદિથી દુઃખ ભોગવનાર થયા. Page #35 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૯૪ થી ૯૯ અહીં શ્રીપર્ણી જેવા લાડવા વિશે સ્થાધિપતિએ સદોષ કે નિર્દોષપણાને વિચાર્યું તે દ્રવ્ય ગવેષણા જાણવી. અહીં સ્થાધિપતિને સ્થાને આચાર્ય અને મૃગસમૂહને સ્થાને સાધુઓ જાણવા. જે ગુરુની આજ્ઞાથી આધાકદિ દોષ વડે દૂષિત આહારનો ત્યાગ કરે છે, તે પ્રશસ્ત મૃગ જેવા જાણવા. જેઓ આહાર લંપટપણાથી ગુરુ આજ્ઞા ન માનીને આધાકમદિ પરિભોગ કરનારા થયા તે અપશસ્તમૃગ સમાન જાણવા. હરંત નામે ગામ હતું. આગમાનુસારી વિચરણ કરતાં સમિત નામે આચાર્ય ત્યાં આવ્યા. ત્યાં જિનદત્ત શ્રાવક હતો. જિનાગમ અને સાધુ ભક્તિને માટે તમય ચિત અને દાન દેવામાં નિપુણ હતો. કોઈ દિવસે તેણે સાધુ નિમિતે આધાકર્મ દોષવાળું ભોજન કરાવ્યું. તે વાત આચાર્યએ જાણી. તેથી તેમણે તેના ઘર પ્રવેશતા સાધુને નિવાય. જે સાધુએ ગુરુવચનને અંગીકાર કર્યું. તેઓ આઘકમના પરિભોગથી થતાં પાપકર્મથી ન બંધાયા અને ગુરુ આજ્ઞા પાલક થયા, તેથી સંયમપાલનના શુદ્ધ અને શુદ્ધતા ભાવ પરિણામથી મુક્તિના સુખને ભજનારા થયા. જેમણે આહાર લંપટવથી દોષોની અવગણના કરી, આધાકર્મમાં પ્રવૃત થયા. તે આધામકર્મ પરિભોગના દોષ અને ગુજ્ઞા ભંગથી દીર્ધ સંસાર ભજનારા થયા. o હાથીનું દષ્ટાંત :- સજાને વિચાર આવ્યો કે મારે હાથી ગ્રહણ કરવા છે ગ્રીનબતુમાં પુરુષો મોકલ્યા. તેઓએ રેંટ વડે મોટા સરોવરોને ભય. અત્યંત જળને લીધે ઘણાં નળના વનો ઉગ્યા. આનંદનગરના આ રાજા રિપુમર્દન કે જેની ધારિણી સણી હતી, તેને હાથીના સમૂહથી વ્યાપ્ત વિંધાયળ નામને નીકટ રહેલા વનમાંથી હાથી પકડવા આ કપટ કરેલું હતું. ચૂયાધિપતિ હાથી તેના સમૂહ સાથે ત્યાં આવ્યો. તેણે નળ વનને જોઈને હાથીઓને કહ્યું કે - આ નળના વનો સ્વાભાવિક ઉગેલા નથી, પણ આપણને બાંધવા કોઈ ધૂર્વે કપટ કરેલ છે. કેમકે આવા નળના વનો અને આ ભરેલા સરોવરો વષષ્ઠિતુમાં જ સંભવે છે, હાલ ગ્રીષ્મઋતુ ચાલે છે માટે સંભવતા નથી. વળી વિંધાવળના ઝરણાના પ્રવાહથી પણ આ સરોવરો ન ભરાય કેમકે ઝરણા તો પહેલાં પણ વહેતાં જ હતા. માટે ત્યાં જશો નહીં. જેઓએ તે વયન માન્યું તે દીર્ધકાળ વનમાં સ્વેચ્છાથી કરનાર અને સુખને ભજનારા થયા. જેઓ આ વચન ન માન્યા તે બંધનાદિ દુ:ખોને ભોગવનારા થયા. અહીં પણ ચૂથાધિપતિ હાથીને ‘નળવન’ સદોષ છે કે નિર્દોષ એ વિચાર થયો તે દ્રવ્ય ગવેષણા જાણી. નિષ્કર્ષ પૂર્વવત્ કહેવો. o હવે ભાવ ગવેષણા કહે છે. તે ઉદ્ગમ અશુદ્ધ આહાર વિષયક છે તેમાં પહેલાં ઉદ્ગમના એક અર્થવાળા નામો અને ભેદોને કહે છે – • મૂલ-૧૦૦ થી ૧૦૫ : [૧oo] ઉગમ, ઉોપના અને માગણા એ કાર્થિક શબ્દો છે. વળી તે ઉગમ પણ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે છે. [૧૧] નોઆગમથી ભાવોગમમાં - લાડુ આદિ દ્રવ્યવિષયક ઉગમ પર પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ જાણવો. તથા ભાવમાં દર્શન-જ્ઞાનાસ્ત્રિ વિષયક ઉદ્ગમ જાણવો. અહીં ચાસ્ત્રિ ઉગમ વડે પ્રયોજન છે. [૧૨] જ્યોતિષ ઉદગમાદિ દ્રવ્યોદ્ગમ - જ્યોતિષ, વૃણ, ઔષધિ, મેઘ, કર્જ [ઋણ), રાજકર એ સર્વેનો ઉગમ દ્રવ્ય વિષયવાળો છે. તે દ્રવ્યોગમ જેનાથી જે કાળે, જે પ્રકારે યોગ્ય છે તે કહેવા લાયક છે. [૧૦૩ થી ૧૦૫] લઘુકપ્રિય કુમારની કથા છે, વિવેચનમાં લેવી. • વિવેચન-૧૦૦ થી ૧૦૫ - [૧૦૦] ઉદ્ગમ ચાર પ્રકારે – (૧) નામોદ્ગમ - જીવ કે અજીવનું ઉમ એવું જે નામ, તે નામ અને નામવાળાના અભેદ ઉપચારથી નામોદ્ગમ કહે છે. સ્થાપના કરાતો જે ઉદગમ તે સ્થાપનોદગમ કહેવાય. તથા દ્રવ્ય વિષયક તે દ્રવ્યોગમ, ભાવ વિષયક તે ભવોર્ડ્ઝમ કહેવાય. તેમાં દ્રવ્યોદ્ગમ બે ભેદે છે - આગમથી, નોઆગમચી. નોઆગમથી પણ ગણ ભેદે - જ્ઞશરીર, ભથશરીર અને તદુવ્યતિરિકd, હવે તવ્યતિરિક્ત દ્રવ્યોદ્ગમ અને નોઆગમથી ભાવોદ્ગમને કહે છે - [૧૧] દ્રવ્ય વિષયક ઉદ્ગમ લાડુ સંબંધી જાણવો. fજ શબદથી જ્યોતિ વગેરેનું ગ્રહણ કર્યું. ભાવ વિષયક ઉદ્ગમ ત્રણ પ્રકારે જાણવો - દર્શન વિષયક, જ્ઞાન વિષયક, ચાસ્ત્રિ વિષયક. તેમાં અહીં ચારિત્ર ઉદ્ગમનું પ્રયોજન છે. કેમકે મોક્ષનું પ્રઘાન અંગ યા િછે. કેમકે ચાસ્ત્રિ વિના કર્મમળ દૂર ન થાય. તથા સ્વરૂપે ચાત્રિમાં નવા કર્મના ઉપાદાનનો નિષેધ અને પૂર્વબદ્ધ કર્મનો નાશ કરવાના સ્વરૂપવાળું છે. માટે તેનું પ્રયોજન છે. [૧૦૨] જ્યોતિ - ચંદ્ર, સૂર્યાદિ. તુમ ડાભ, ઘાસ. પfધ - શાલિ આદિ ધાન્ય, ગUT - કરજ, #• સજાને દેવાનો ભાગ. ઉપલક્ષણથી આવા બીજા દ્રવ્યોનો ઉદગમ પણ દ્રવ્ય વિષયક જાણવો. તેમાં જ્યોતિષ અને મેઘનો ઉદ્ગમ આકાશ થકી છે. તૃણ અને ઔષધિનો ભૂમિ ચકી છે. ઋણનો વેપાર ચકી, કરતો ઉદ્ગમ રાજા થકી છે. વળી જ્યોતિષમાં સૂર્યનો ઉગમ પ્રાત:કાળે છે, તૃણાદિનો ઉગમ પ્રાયઃ શ્રાવણાદિ માસમાં હોય. જ્યોતિષ અને મેઘનો ઉદ્ગમ પ્રસરવા પડે છે. તૃણ અને ઔષધિનો ઉદ્ગમ ભૂમિ ફોડીને બહાર નીકળવા વડે, ઋણનો ઉદ્ગમ વ્યાજ વધવાથી છે ઈત્યાદિ - x - [૧૦૩ થી ૧૦૫ લાડુપ્રિય કુમારનું દૃષ્ટાંત - સ્થલક નામે નગર હતું ત્યાં ભાનુ નામે રાજા હતો. રુકિમણી તેની પત્ની હતી. તેમને સુરૂપ નામે પુત્ર હતો. તે પાંચ ધાત્રી વડે પાલન કરાતો પહેલા દેવલોકના કુમાર તેમ ઉછેરાતો, અનેક સ્વજનના હૃદયને આનંદ પમાડતો કુમારપણાને પામ્યો. યુવાન થયો. તેને સ્વભાવથી જ લાડુ પ્રિય હોવાને લીધે તેનું ‘લાડુપિય' નામ પ્રસિદ્ધ થયું. કોઈ દિવસે તે પ્રાત:કાળે સભામાં આવ્યો. મનોહર સ્ત્રીઓના ગીત, નૃત્યાદિ જોવામાં પ્રવર્યો. ભોજન નિમિતે માતાએ તેને લાડુ મોકલ્યા, પરિવાર સહિત સ્વ Page #36 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૧૦૦ થી ૧૦૫ ઈચ્છાનુસાર તેણે લાડુ ખાધા. તે લાડુ તેને અનિદ્રાદિ કારણે પચ્યા નહીં. અજીર્ણના દોષથી તેનો ધો વાયુ અતિ અશુચિગંધવાળો નીકળ્યો. તે ગંધપુદ્ગલો તેની નાસિકામાં પ્રવેશ્યા. તેવી શુચિ ગંધથી તે વિચારે છે કે – આ લાડુ ગોળ ઘી અને લોટ આદિના બનેલા છે. શુચિ દ્રવ્ય ઉત્પન્ન છે. પણ આ દેહ માતાનું લોહી અને પિતાના વીર્યરૂપ બે મળી ઉત્પન્ન થયેલ હોવાથી અશયિ છે, તેના સંબંધથી આ મોદક અશુચિ થયા છે. કપૂરાદિ સ્વાભાવિક સુગંધી પદાર્થો પણ દેહના સંબંધથી દુર્ગંધવાળા થઈ જાય છે. આ રીતે અશુચિરૂપ અનેક સેંકડો અપાયોથી વ્યાપ્ત એવા આ શરીરને માટે જે ગૃહવાસને પામીને નકાદિ કુગતિમાં પડનારા પાપકર્મો સેવે છે, તેઓ ચેતના સહિત છે તો પણ મોહમય નિદ્રા વડે તેમનું વિવેકરૂપી ચેતન હણાયેલ છે. તેમનું શાસ્ત્રાદિ જ્ઞાન પણ પરમાર્થથી શરીરનો પરિશ્રમ જ છે. અથવા પાપાનુબંધિતાથી અશુભને જ કરનારું છે. તે જ જ્ઞાન વિદ્વાનોને યથાવસ્થિત પદાર્થનું વિવેચન કરી હેચ અને ઉપાદેયમાં ઉપયોગી હોવાથી પ્રશસ્ત કહ્યું છે. જે વિદ્વતા સમગ્ર જન્મના અભ્યાસની પ્રવૃત્તિથી મહામુશ્કેલીથી પરિપાક પામી હોય, તે પણ તથા પ્રકારના પાપકર્મોદયથી એકાંત અશુચિ એવા સ્ત્રીઓના મુખ, જઘન, સ્તનાદિના વર્ણન કરનારી હોય તો તે વિદ્વતા આ ભવમાં શરીરસ્પરિશ્રમરૂપ ફળ અને પરભવમાં કુગતિનું કારણ બને છે. હું તેમને નમસ્કાર કરું છું જે તત્વજ્ઞ છે, સમ્યક્ શાખાભ્યાસી છે, સમગ્ર કર્મના નાશ માટે યત્નશીલ છે. તેઓએ આચરેલા માર્ગને હવે હું આચરું છું. આવું વિચારતા તેને વૈરાગ્યથી સમ્યગ્દર્શનાદિનો ઉદ્ગમ થયો પછી કેવળજ્ઞાનનો ઉદ્ગમ થયો. આ રીતે અહીં શુદ્ધ એવા ચાસ્ત્રિના ઉદ્ગમ વડે પ્રયોજન છે. * * * * * ચાસ્ત્રિ શુદ્ધિનું કારણ બે ભેદે છે – બાહ્ય અને અત્યંતર. બંને પ્રકારના કારણોને કહે છે – • મૂલ-૧૦૬ - ચાસ્ત્રિ, દર્શન અને જ્ઞાનથી ઉદ્ભવે છે. દર્શન અને જ્ઞાનની શુદ્ધિથી ચાસ્ત્રિની શુદ્ધિ થાય છે. ચાસ્ત્રિથી કર્મની, ઉદ્ગમથી ચાાિની શુદ્ધિ થાય. • વિવેચન-૧૦૬ : ગાથાર્થ કહ્યો. વિશેષ આ પ્રમાણે- સાધુએ સમ્યક્ જ્ઞાન અને સમ્યગ્દર્શનને વિશે યત્ન કરવો. ચત્ન એટલે નિરંતર સગુરુના ચરણકમળ સેવી સર્વજ્ઞા મતને અનુસરતા આગમ શાસ્ત્રાદિનો અભ્યાસ કો. આમ કહીને ચારિત્રની શુદ્ધિનું અત્યંતર કારણ કહ્યું. - X - X - તેથી મોક્ષના અર્થી વડે ચા»િશુદ્ધિની અપેક્ષા કરાય છે. • x • ઉદ્ગમની શુદ્ધિથી પણ ચાસ્ત્રિની શુદ્ધિ થાય છે. આ કહેવા વડે બાહ્ય કારણ કહ્યું. તેથી ચાસ્ત્રિ-શુદ્ધિ માટે સમ્યગુ દન-જ્ઞાનવાળાએ અવશ્ય ઉદ્ગમના દોષથી શુદ્ધ એવો આહાર ગ્રહણ કરવો. તે ઉદ્ગમના દોષ સોળ ૫૪ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ છે, તે આ – • મૂલ-૧૦૭,૧૦૮ - આદકર્મ, ઔશિક, પૂતિકર્મ, મિશ્રજાત, સ્થાપના, પ્રાભૃતિકા, પાદુકરણ, કીત, પમિત્ય, પરિવર્તિત અભ્યાહત, ઉભિન્ન, માલાપહત, આચ્છધ, અનિકૃષ્ટ, રાધ્યવયુક. ૧૬-દોષો ઉગમના છે. • વિવેચન-૧૦૭,૧૦૮ : -૦- (૧) આધાકર્મ - સાધુના નિમિતે અમુક ભોજનાદિ ક્રિયાર્થે ચિત્તનું પ્રણિધાન. તે ક્રિયાના યોગથી ભોજનાદિ પણ આધાકર્મ કહેવાય. અથવા થાય - સાધુને મનમાં ઘારીને જે ભોજનાદિ કરાય તે આઘાકમ છે. –૦- (૨) ઔશિક - જેટલાં યાચકો હોય, તે સર્વે તે ચિત્તમાં રાખીને કરાયેલ. - - (3) પૂતિકર્મ - શુદ્ધ ભોજનાદિને અવિશુદ્ધ કોટિવાળા ભોજનાદિ અવયવની સાથે સંપર્ક થતાં પૂતિરૂ૫ - દોષ મિશ્ર ભોજનાદિનું કર્મ તે પૂતિકર્મ. –૦- (૪) મિશ્રજાd - કુટુંબ અને સાધુ બંનેના મળવારૂપ મિશ્રભાવથી થયેલ. -૦- (૫) સ્થાપના • સાધુ નિમિતે કે સાધુને આપવાની બુદ્ધિથી ભોજનાદિ રાખવા. -o- (૬) પ્રાભૃતિકા - ઈષ્ટજન કે પૂજ્યને બહુમાનપૂર્વક ઈચ્છિત વસ્તુ અપાય તે પ્રાકૃત. પ્રામૃત જેવું - સાધુઓને ભિક્ષાદિ દેવાની વસ્તુ તે પ્રાભૃતિકા. અથવા પ્રકર્ષે કરીને સાધુને દાન આપવારૂપ મર્યાદા વડે નીપજાવેલ ભિક્ષા. – – () પ્રાદુરકરણ - સાધુ નિમિતે મણિ આદિ સ્થાપીને કે ભીંત વગેરે દૂર કરવા વડે દેય વસ્તુને પ્રગટ કરવી, તેના યોગે ભોજનાદિ પણ તે જ કહેવાય. – – (૮) દીત - સાધુને માટે મૂલ્ય આપીને ખરીદી કરેલ હોય તે. – – (૯) પ્રામિત્ય - સાધુને માટે ઉછીનું ગ્રહણ કરાય છે. -o- (૧૦) પરિવર્તિત - સાધુને નિમિતે જે પરાવર્તન - બદલો કરાય છે. -૦- (૧૧) અભિહત - સાધુને માટે અન્ય સ્થાનેથી લાવેલ હોય તે. –૦- (૧૨) ઉર્ભિન્ન - છાણ આદિથી ઢાંકેલ કુડલાદિના મુખ ઉઘાડીને દેવું તે. -o- (૧૩) માલોપહત - માંચા કે મેડી ઉપરથી સાધુને માટે ઉતારેલ. -o- (૧૪) અનિકૃષ્ટ - સર્વ સ્વામીએ સાધુને આપવાની સંમતિ ન આપી હોય તેવું. –૦- (૧૫) આડેઘ • ન ઈચ્છતા નોકરાદિ પાસેથી સાધુને દેવા માટે લઈ લેવાય. –૦- (૧૬) અધ્યવપૂરક - અધિકપણાથી, પોતાના માટે સંધવા મૂકેલ Page #37 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૧૦૩,૧૦૮ ઓદનાદિમાં સાધુનું આગમન જાણીને તેમને માટે વધારે ઉમેરવું. હવે પહેલાં આધાકર્મ દોષને કહેવા માટેની દ્વાર ગાથા - • મૂલ-૧૦૯ થી ૧૧૨ - [૧૯] આધાકર્મના કાર્યક નામો કહેશ, પછી કોના માટે ? પછી શું ? પછી પરાક્ષ, પછી સ્વપક્ષ, ગ્રહણ કરવાના ચાર ભેદ, આજ્ઞાભંગાદિ કહેવા. [૧૧] આધાકમ, આધકર્મ, આત્મદન, આત્મક, પ્રતિસેવન, પ્રતિશ્રવણ, સંવાસ અને અનુમોદના એ એકાર્થિક નામો છે. [૧૧૧] તવ્યતિરિક્ત દ્રવ્ય આધા - ધનુષ, સૂપ, કાવડ, ભારની આધા (આધાર) ર્કાદિક છે, કુટુંબ અને રાજ્યની ચિંતા વગેરેની આઘા હદય છે. અંતકમાં ધનાણની આધા છે. [૧૧] ઔદાપ્તિ શરીરનું અપઢાવણ અને પાવન જેને માટે મનની પ્રવૃત્તિપૂર્વક કરાય છે, તે. આધાકર્મ કહેવાય છે. • વિવેચન-૧૦૯ થી ૧૧૨ : [૧૯] પહેલાં આઘાકર્મિકનાં એક અર્થવાળા નામો કહેવા. પછી કોના માટે કરેલું ભોજનાદિ આધાકર્મ થાય છે ? પછી આધાકર્મનું સ્વરૂપ શું છે ? ગૃહસ્થ લોકો અને સાધુ આદિનો સમૂહ, તેમાં ગૃહસ્થ નિમિતે કરેલ ભોજનાદિ આધાકર્મ થતાં નથી. આધાકર્મ ગ્રહણ કરવામાં અતિક્રમાદિ ચાર પ્રકાર છે, તે કહેવા. તથા તે ગ્રહણ કરવામાં આજ્ઞાભંગાદિ દોષ થાય. [૧૧] આધાકર્મના પર્યાય નામોમાં :- અધ: - અધોગતિના કારણ રૂપ જે કર્મ તે અધકર્મ, કેમકે આધાકર્મ ભોગવનારા સાધુઓની અધોગતિ થાય છે, કેમકે અધોગતિના કારણરૂપ પ્રાણાતિપાતાદિ આશ્રવો માત્પન - દુર્ગતિમાં પડવાના કારણપણે જે આત્માને હણે છે. માત્મવર્ષ - પાચક આદિ સંબંધવાળું જે કર્મ અથવા જ્ઞાનાવરણીયાદિ કર્મ, જેના વડે સંબદ્ધ કરાય છે. અભેદ વિવાથી આ પણ કહે છે . પડવા • વારંવાર કરાય છે પ્રતિસેવન. પ્રતિશ્રવUT • આધાકર્મનો સ્વીકાર કરાય છે. સંઘH - આધાકર્મ ભોગવનારની સાથે જે વસવું તે, સંવાસથી શુદ્ધ આહાર ભોગવનાર પણ આધાકર્મ ભોગવનારની સાથે જે વસવું તે, સંવાસથી શુદ્ધ આહાર ભોગવનાર પણ આધાકર્મભોજી જાણવો કેમકે ત્યાં અનુમતિ દોષ છે. વળી આધાકર્મીની સુંદર ગંધાદિથી ક્યારેક તેમાં પ્રવર્તન પણ થાય. અનુન - આધાકર્મી ભોજનની પ્રશંસા, તે પણ આધાકર્મની પ્રવૃત્તિનું કારણ છે. આ પ્રતિસેવનાદિ આધાકર્મવ આત્મકર્મરૂપ નામને આશ્રીને જાણવું. બધા નામાદિ ભેદ વડે ચાર પ્રકારે છે - નામ આધા, ઈત્યાદિ. નામ આધાદિ એષણા પ્રમાણે જાણવા. તધ્યતિરિક્ત દ્રવ્યાધા. આ રીતે - [૧૧૧] દ્રવ્યાધામાં માથાં શકદ અધિકરણ પ્રધાન છે. જેના વિશે સ્થાપના કરાય તે આધા. આધા, આશ્રય, આધાર સર્વે એકાર્યક છે. ધનુષ તે પ્રત્યંચાની આધા છે. ચૂપ-સ્તંભ, ધુંસરું પ્રસિદ્ધ છે. કાવડ • પુરુષો પોતાના ખંભે ધારણ કરીને પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ જેના વડે જળ વહન કરે છે. ભર-ઘાસ આદિનો સમૂહ. કુટુંબ - સ્ત્રી, ગાદિનો સમુદાય ઈત્યાદિ. આ બધામાં દ્રવ્યાધા - દ્રવ્યરૂપ આધાર અનુક્રમે અંધાદિ અને હદય છે. જેમકે ચૂપની આઘા બળદ આદિનો અંધ છે, કાવડની આધા મનુષ્યનો સ્કંધ છે. ભારતી આઘા ગાડું વગેરે છે. કટંબ ચિંતાની આઘા હૃદય છે. આ દ્રવ્યાપા કહી. હવે ભાવ આધા - તે આગમથી અને નોઆગમથી બે ભેદે છે. આધા શબ્દના અર્થને જાણવામાં કુશળ અને તેમાં ઉપયોગવાળો તે આગમથી ભાવાધા કહેવાય. જ્યાં ત્યાં મનનું પ્રણિધાન હોય તે નોઆગમથી ભાવાધા કહેવાય. - x • અહીં પ્રસ્તાવથી ભાવાંધા સાધુને દાન આપવાને ઓદન રાંધવા, રંધાવવાના વિષયવાળી જાણવી. તે આધા વડે થતું ઓદનપાકાદિ કર્મ તે આધાકર્મ કહેવાય છે. તે માટે હવેની નિયુક્તિમાં કહે છે – [૧૧૨] ઔદારિક શરીરવાળા તે તિર્યંચ અને મનુષ્ય બે ભેદે છે. તિર્યચોમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી લેવા. એકેન્દ્રિયો પણ સૂક્ષ્મ અને બાદર બંને લેવા. કેમકે જે પ્રાણી જે કારણથી અવિરતિ છે, તે પ્રાણી કાર્યને ન કરતો હોય તો પણ પરમાર્થથી કરતો જ જાણવો તેમ ગૃહસ્થ સૂક્ષ્મ એકેન્દ્રિયના અપદ્રાવણથી નિવૃત થયો નથી તેથી સાધુ માટે સમારંભ કરતો તે ગૃહસ્થ સૂમનું પણ અપદ્રાવણ કરનાર જાણવો. માટે સૂમનું પણ ગ્રહણ કરેલ છે, અથવા અહીં બાદર એકેન્દ્રિયો જ ગ્રહણ કરવા. સાધુને માટે ઓદનાદિ સંસ્કાર કરાતા જ્યાં સુધી શાલિવગેરે વનસ્પતિકાયાદિના પ્રાણનો અતિપાત ન થાય, ત્યાં સુધી તેને થતી બધી પીડા અપદ્વાવણ કહેવાય. જેમકે શાલિ ડાંગરને બે વખત ખાંડે ત્યાં સુધી અપદ્રાવણ અને બીજી વાર ખાંડે ત્યારે અતિપાત છે. અતિપાત પૂર્વેની પીડા તે અપદ્રાવણ કહેવાય. નિપાથUT - કાય, વાણી, મન થવા દેહ, આય, ઈન્દ્રિય તેનું પાલન-વિનાશ. • x • આ ત્રિપાતન ગર્ભ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યનું જાણવું. એકેન્દ્રિય માત્ર કાયનો વિનાશ હોય, શેષ જીવોને કાયા-વચનનો હોય. દેહ, આય, ઈન્દ્રિય અર્થ લો તો એ ત્રણનો વિનાશ સર્વે તિર્યંચ અને મનુષ્યને હોય. માત્ર જેમને જે ઘટે તેમ કહેવું. * * * * * * * * * જે ધાન્યના જીવનું સાધુને માટે અપદ્રાવણ કરીને ગૃહસ્થ પોતાને માટે અતિપાતન કરે તે ધાન્ય સાધુને કહ્યું છે. પણ ગૃહસ્થ જેનું ત્રિપાતન પણ સાધુને માટે કરે તે સાધુને ન લો. આ રીતે ઔદારિક શરીરવાળાનું અપદ્રાવણ અને બિપાતન જે કોઈ એક કે અનેક સાધુને માટે - સાધુ નિમિત્તે કરાય તે આઘાકમ કહેવાય એમ તીર્થકરો અને ગણધરો કહે છે. આ જ ગાથાને ભાષ્યકારશ્રી ત્રણ ગાથા વડે કહે છે – • મૂલ-૧૧૩ થી ૧૧૫ [ભાગ-૨૫ થી ૨૭] ઔદારિક શરીરના ગ્રહણ વડે બધાં તિર્યંચ અને મનુષ્ય જાણવા. અથવા Page #38 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૧૧૩ થી ૧૧૫ પ૮ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ સમને વજીને જીણવા. અતિપાતને વજીને જે પીડા તે અદ્વાવણ જાણવું. કાય, વચન, મન એ ત્રણ અથવા દેહ, આયુ, ઈન્દ્રિય એ ત્રણ પણ જાણવા. સ્વામીત્વ, અપાદાન અને કરણમાં અતિપાત હોય છે. જે ગૃહસ્થદાતા એક કે અનેક સાધુને હૃદયમાં સ્થાપી કાયા વડે પાણીવધ કરે તે આધાકર્મ છે. • વિવેચન-૧૧૩ થી ૧૧૫ :ગાથાર્થ કહ્યો. મહારાજ - પંચમી, વજન - તૃતીયા વિભક્તિ. આધાકર્મ કહ્યું, હવે અધ:કર્મ કહે છે. તે નામાદિ ચાર ભેદે છે. નોઆગમના પહેલા બે ભેદ સુધી આધાકર્મવતુ જાણવું. તદ્ગતિરિક્ત દ્રવ્ય આધાકર્મને નિર્યુક્તિકાર સ્વયં જણાવે છે. • મૂલ-૧૧૬,૧૧૩ : જળ આદિમાં નાંખેલ દ્રવ્ય ભાર વડે નીચે જાય છે કે નીસરણી આદિથી નીચે ઉતરવું તે દ્રવ્ય અધઃકર્મ છે. ભાવ અધાકર્મ તે • સંયમ સ્થાનો, કંડકો, લેમ્યા અને શુભકર્મની સ્થિતિ વિશેષના ભાવને નીચે કરે છે. • વિવેચન-૧૧૬,૧૧૩ : પત્યરાદિ દ્રવ્ય, જળ આદિમાં નાંખતા ભારેપણાને લીધે નીચે જાય છે, નીસરણી કે દોરડાદિથી કૂવાદિમાં ઉતરવું કે માળ આદિથી નીચે જવું તે દ્રવ્ય અધ:કર્મ છે. હવે ભાવ અધઃકર્મનો અવસર છે તે બે ભેદે - આગમથી અને નોઆગમથી. આગમણી પૂર્વવતુ નોઆગમથી ભાવ અધ:કર્મ આ રીતે - જે કારણે આધાકર્મ ભોજી સાધુ આગળ કહેવાશે તે સંયમનાં સ્થાનો, કંડક - અસંખ્યાતા સંયમનાં સ્થાન સમુદાયરૂપ. તથા લેશ્યા, સાતા વેદનીય આદિ શુભ પ્રકૃતિ સંબંધી સ્થિતિ વિશેષ. આ બધાં સંબંધે વિશુદ્ધ અને અતિ વિશુદ્ધ સ્થાનોમાં વર્તતા પોતાના આત્માના અધ્યવસાયને નીચે કરે છે. એટલે હીન અને અતિહીંના સ્થાનોને વિશે કરે છે. તે કારણે આધાકર્મ ભાવ અધ:કર્મ કહેવાય છે. ભાષ્યકાર આ વાત ત્રણ ગાયા વડે કરે છે - • મૂલ-૧૧૮ થી ૧૨૦ :- [ભાય-૨૮ થી ૩૦] તેમાં ચાચિના જે અનંત પાયો છે તે સંચમસ્થાન હોય છે અને તે અસંખ્યાત સ્થાનોનો એક કંડક થાય છે. વળી અસંખ્યાતા જે કંડકો તે વસ્થાનક કહેલ છે, આવા અસંખ્યાતા જે સ્થાનકો તે સંયમશ્રેણી રણવી. તથા જે કૃષ્ણાદિ વેશ્યાઓ અને સર્વોત્કૃષ્ટ વિરુદ્ધ પ્રકૃતિના વિશુદ્ધ સ્થિતિ વિશેષો એ સર્વેને સાધુ આધાકર્મ-ગ્રહણથી પોતાના આત્માને આ વિશુદ્ધ સંયમ સ્થાનાદિકથી નીચે-નીચે કરે છે. • વિવેચન-૧૧૮ થી ૧૨૦ : દેશવિરતિના સર્વોત્કૃષ્ટ વિશુદ્ધ સ્થાનથી સર્વ વિરતિનું જઘન્ય એવું વિશુદ્ધિસ્થાન પણ અનંતગણું છે. અનંતગુણપણું ‘છઠાણ વડિયા' ભાવ વિચારતી વખતે સર્વ સ્થળે સર્વજીવના અનંત પ્રમાણ ગુણાકારે જાણવું. - x - ૪ - હવે આ સૂત્રનો અર્થ લખાય છે. તે સંયમના સ્થાનાદિ કહેવા લાયકમાં પહેલું સંયમ સ્થાન કહેવામાં આવે છે - અનંત સંખ્યાવાળા ચાસ્ત્રિના પર્યાયો એટલે કે ચારિત્ર સંબંધી સર્વ જઘન્ય વિસદ્ધિ સ્થાનમાં રહેલા નિર્વિભાણ ભાગો છે, તે બધાં મળીને એક સંયમ સ્થાન થાય. તેના પછીનું બીજું સંયમ સ્થાન, તે પહેલાં સ્થાનથી અનંતતમ ભાગ વડે અધિક છે. એ રીતે પૂર્વ-પૂર્વના સ્થાનથી ઉત્તર-ઉત્તરના સ્થાનો અનંતતમ ભાગથી અધિક એવા નિરંતર કહેવા. આ સર્વે સંયમ સ્થાનોનો એક કંડક થાય. કંડક એટલે અંગુલ માત્ર ક્ષેત્રના અસંખ્યાત ભાગમાં રહેલા પ્રદેશોની રાશિ પ્રમાણ સંખ્યા. કંડક પછીનું બીજું તુરંતનું સંયમ સ્થાન તે પૂર્વના સંયમસ્થાન થકી અસંખ્યાત ભાગ અધિક છે. પછીના બીજા પણ કંડક પ્રમાણ સંયમ સ્થાનો ઉત્તરોત્તર અનંતભાગ વૃદ્ધિવાળા છે. ત્યારપછીનું એક સંયમસ્થાન અસંખ્યાત ભાગ અધિક હોય છે. પછી ફરીથી તેની પછીના કંડક પ્રમાણ સંયમ સ્થાનો ઉત્તરોત્તર અનંત ભાગ વૃદ્ધિવાળા છે. યાવતુ પછી-પછી વૃદ્ધિ કરતાં ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી તે સ્થાનો પણ કંડક પ્રમાણવાળા થાય. ચાવત છેલ્લે એક સંયમસ્થાન સંખ્યય ભાગ અધિક હોય છે. પછી પહેલેથી આરંભી જેટલાં સંયમ સ્થાનો પૂર્વે વ્યતીત થયા છે. તે ફરીથી તે જ અનુક્રમ વડે કહીને ફરીથી પણ એક સંયમ સ્થાન સંખ્યય ભાગ અધિક કહેવું ઈત્યાદિ - x - x - વૃત્તિમાં ઘણું લાંબુ કથન છે. • x x - પણ છેલ્લે અસંખ્યાતા કંડકો મળીને એક સ્થાનક થાય છે. આ પસ્થાનકોમાં છ પ્રકારે વૃદ્ધિ કહેલી છે, તે આ પ્રમાણે - ૧- અનંત ભાગ વૃદ્ધિ, ૨- અસંખ્યય ભાગ વૃદ્ધિ, 3- સંખ્યય ભાગ વૃદ્ધિ, ૪- સંખ્યયગુણ વૃદ્ધિ, ૫- અસંખ્યયગુણ વૃદ્ધિ, ૬- અનંતગુણ વૃદ્ધિ. અહીં વૃત્તિકારશ્રી જેવા પ્રકારનો અનંતમો ભાગ, અસંખ્યાતમો ભાગ કે સંખ્યાતમો ભાગ ગ્રહણ કરાય છે તથા જેવા પ્રકારનો સંગાતો, અસંગાતો કે અનંતો ગુણાકાર ગ્રહણ કરાય છે, તે કહે છે. [અમે આ રાશિ ગણિતનો અનુવાદ કરેલ નથી, પણ ‘કમ્મપયડમાં આ સ્થાનકમાં રહેલ્લા ભાગાકાર, ગુણાકાર વિસ્તારથી સમજાવેલા છે, તેમાં પ્રણમાં ગુણાકાર અને પક્ષમાં ભાગાકાર છે.] પહેલાં ષસ્થાનક પછી ઉક્ત ક્રમે બીજું સ્થાનક પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે બીજું પણ્ સ્થાનક પ્રાપ્ત થાય છે, એ રીતે ત્યાં સુધી ષસ્થાનકો કહેવા કે જ્યાં સુધી તે અસંખ્યય લોકાકાશ પ્રદેશ જેટલાં પ્રમાણવાળા થાય. આવા અસંખ્ય લોકાકાશના પ્રદેશ જેટલા પ્રમાણવાળા જે ષટુ સ્થાનકો થાય તે સર્વે મળીને એક સંયમ શ્રેણિ કહેવાય છે. કૃષ્ણાદિક લેશ્યાએ તથા સર્વોત્કૃષ્ટ સાતવેદનીયાદિ વિશુદ્ધ પ્રકૃતિ સંબંધી વિશેષ સ્થિતિ વિશેષો જાણવા. તેથી કરીને આ સંયમ સ્થાનાદિ શુભ સ્થાનોમાં વીતો Page #39 -------------------------------------------------------------------------- ________________ ૬o પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ મૂલ-૧૧૮ થી ૧૨૦ આધાકર્મ ગ્રહણ કરનાર સાધુ પોતાના આત્માને આ વિશુદ્ધ એવા સંયમ સ્થાનાદિથી નીચે-નીચે પડે છે. જો આધાકમદિ ગ્રહણ કરે તો તે સાધુને શું દૂષણ પ્રાપ્ત થાય ? • મૂલ-૧૧ થી ૧૨૩ : [૧૧] કંઈક ન્યૂન એવા ચાગ્નિ વડે શ્રેષ્ઠ એવો સાધુ પોતાના ભાવના ઉતારવાથી આધાકમને ગ્રહણ કરતો પોતાના આત્માને નીચે નીચે લઈ જાય છે. [૧ર આધાકર્મગ્રાહી સાધુ નીચા ભવનું આયુ બાંધે, શેષ કમને અધોગતિ સન્મુખ કરે, તથા તીવ ભાવ વડે કર્મને ગાઢ કરે અને ચય તથા ઉપચય રે છે [૧૩] તે ગુણકર્મના ઉદયથી દુર્ગતિમાં પડતા આત્માને રોકવા તેવો સાધુ સમર્થ થતો નથી, તેથી જ તેને અધોગતિમાં લઈ જાય છે. • વિવેચન-૧૨૧ થી ૧૨૩ : સંયમ સ્થાનાદિ વિશદ્ધ ભાવોનું હીનાતિહીન અધ્યવસાયોમાં. ઉતારવા વડે, અહીં ચરણ વડે જે પ્રઘાન, નિશ્ચયનયના મતે ક્ષીણકપાયાદિ અકષાય ચાાિવાળો ગ્રહણ કરાય છે, તેને આ પ્રમાદનો સંભવ હોતો નથી, તેને લોલુપતા પણ હોતી નથી કેમકે તે મોહનીય કર્મનો એકાંતે નાશ થયો છે, તેથી તેને આધાકર્મ ગ્રહણ સંભવતું નથી, માટે કિંચિત્ ન્યૂન કહ્યું. કિંચિત્ જૂન ચરણાગ્ર પરમાર્થથી ઉપશાંતમોહ કહેવાય છે. અર્થાત્ પ્રમત્ત સંયતાદિ તો દૂર રહો, આઘાકર્મણાહી આવો ઉકટ સાધ પણ પોતાના આત્માને રતનપમાદિ નકાદિ લઈ જાય છે. આ દૂષણ આધાકર્મ ગ્રહણ કરનારને લાગે છે. • x • x - તે રત્નપ્રભાદિ નરકરૂપ ભવાયુને બાંધવા સાથે બાકીનાં ગતિ આદિ નામાદિ કર્મોને પણ અધોગતિ સન્મુખ કરે છે એટલે કે પ્રકપણે દુઃસહ, કટક અને તીવ્ર અનુભવ સહિતપણે બાંધે છે. તેનાથી આધાકર્મ સંબંધી પરિભોગનું લંપટપણું વૃદ્ધિ પામતાં નિરંતર ઉત્પન્ન અતિ તીવ્ર પરિણામ વડે યથાયોગ્યપણે નિધતિરૂપપણામો કરીને નિકાચનારૂપપણે કર્મોને સ્થાપે છે. ક્ષણે ક્ષણે અચાન્ય પુદ્ગલના ગ્રહણ વડે ચય-થોડી વૃદ્ધિ અને ઉપચય-ઘણીવૃદ્ધિ કરે છે. તેથી કરીને – અધોગતિમાં લઈ જવાના સ્વભાવથી તે અધોભવાયુ વગેરે કર્મના વિપાક વેદનાના અનુભવરૂપ ઉદય વડે દુર્ગતિમાં પડતા આત્માને નિવારવા માટે આઘાકર્મગ્રાહી સાધુ સમર્થ થતો નથી. તેથી અઘોભવાય વગેરે ઉદયને પામેલા કર્મો બલાકારે તેને નરકાદિ અધોગતિમાં લઈ જાય છે. કર્મોથી કોઈ બળવાનું નથી. આ રીતે આધાકર્મ અધોગતિનું કારણ હોવાથી અધ:કર્મ કહેવાય છે. – – હવે માત્માન પર્યાયનો અર્થ ચાર ભેદે છે - નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી. તેમાં વધ્યતિષ્ઠિત આત્મણે કહે છે. બાકીના ભેદો પૂર્વવત્ જાણવા. • મૂલ-૧૨૪ થી ૧૨૭ :[૧૨] જે ગૃહસ્થ પ્રયોજન સહિત કે રહિત તથા અનિદાથી કે નિદાણી છ કાચની હિંસ કરે તે આત્મન છે. [૧૫] જાણતા કે અજાણતા તથા ઉદ્દેશીને કે ઓધથી અથવા વધ કરવા તૈયાર કરેલા જાણક કે અજાણકને જે મારવા તે આ અનિદા અને નિદા કહેવાય. [૧૬] કાયા નિશ્ચયે દ્રવ્યાત્મા છે, જ્ઞાનાદિ ત્રણ તે ભાવાત્મા છે, તેથી બીજાના પ્રાણનો નાશ કરવામાં તે સાધુ પોતાના ચા»િરૂપી આત્માને હણે છે. [૧૨] નિશ્ચયનયથી રાત્રિરૂપી આત્માનો નાશ થતા જ્ઞાન અને દર્શનનો પણ નાશ થયો જાણતો. પણ વ્યવહારથી તો ચાસ્ત્રિ હણાયા છતાં પૂર્વના બેની ભજના જાણતી. • વિવેચન-૧૨૪ થી ૧૨૭ : [૧૨૪] જે ગૃહસ્થ સ્વ કે પર નિમિતે અથવા પ્રયોજન વિના પાપી સ્વભાવને લીધે જ, તથા જે નિદાન તે નિદા - જીવહિંસા નકાદિ દુઃખનું કારણ છે એમ જાણવા છતાં અથવા સાધુને આધાકર્મ ન કહ્યું એમ જાણવા છતાં પણ જીવોના પ્રાણનો જે નાશ કરવો તે નિદા કહેવાય. તેના નિષેધથી અનિદા કહેવાય છે કે જેમાં પોતાને માટે કે પગાદિ અન્યને માટે એમ વિભાણ કર્યા વિના સામાન્યપણે જે કરાય. [૧૫-ભાણ-૩૧ ‘આ મનુષ્ય મને હમણાં જ મારશે' એમ જાણતા એવા મારવાને તૈયાર કરેલા જીવના પ્રાણનો જે નાશ કરવો તે નિદા કહેવાય, તેનાથી જે વિપરીત તે અનિદા કહેવાય - અજાણકાર એવા મારવા તૈયાર કરેલા જીવને જે મારવો તે અનિદા. આ રીતે નિદા કે અનિદાથી ગૃહસ્થ છકાયનું મર્દન કરે છે. તે પૃથ્વીકાયાદિ છ કાયનું મર્દન નોઆગમથી દ્રવ્ય આત્મપ્ત છે. પૃથ્વી આદિ છ કાચ નિશે દ્રવ્યરૂપ આત્મા છે. કેમકે જીવો ગુણ પર્યાયવાળા છે, તેથી દ્રવ્ય કહેવાય. તેથી તેમનું મર્દન દ્રવ્ય આત્મM કહેવાય. | [૧૨૬] હવે ભાવ આત્મત કહે છે - તેમાં આગમચી આત્મન છે અને જાણે અને તેમાં ઉપયોગવંત હોય. નોઆગમથી ભાવ આત્મન છે - જ્ઞાનાદિ ત્રણ ભાવાત્માનું હનન. આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર પરમાર્થથી આત્મા છે, બાકીનું દ્રવ્ય આત્મા નથી કેમકે તેમાં પોતાના તે સ્વરૂપનો અભાવ છે. તેથી ચાસ્ટિવંત જો પૃથ્વી આદિના ઈન્દ્રિયાદિ પ્રાણોના વિનાશ વિશે આસક્ત હોય તે ચારિત્રરૂપ ભાવાત્માને હણે છે. ચામિરૂપ ભાવ આત્મા હણાતા જ્ઞાન દર્શનરૂ૫ આત્મા નિશ્ચયથી જ હણાયેલા જાણવા. [૧૨] નિશ્ચય નયના મતે ચાસ્ત્રિરૂપી આત્માનો વિઘાત થતાં જ્ઞાન, દર્શનનો પણ વિઘાત જાણવો. કેમકે ચાસ્ત્રિની પ્રાપ્તિરૂપ સન્માર્ગમાં જે પ્રવૃત્તિ તે જ્ઞાન-દર્શનનું જ કુળ છે, જો તે પ્રવૃત્તિ ન હોય તો તે જ્ઞાન, દર્શન પરમાર્થથી અવિધમાન જ છે. વળી જે સાધુ ચાસ્ત્રિગ્રહણ કરીને આહારના લંપટાદિપણાથી આધાકર્મ ભોજનથી નિવૃત્તિ પામતો નથી, તે ભગવંતની આજ્ઞાના લોપાદિમાં વર્તતો સમ્યગજ્ઞાની હોતો નથી અને સમ્યગદર્શની પણ હોતો નથી. કેમકે આજ્ઞાથી જ ચાસ્ત્રિ છે, આજ્ઞા ભંગ Page #40 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૧૨૪ થી ૧૨૭ ૬૧ થતાં જાણ કે શું ભગ્ન ન થયું? શાસ્ત્રમાં કહ્યા મુજબ ન કરનારાથી વધુ બીજો કોણ મિથ્યાર્દષ્ટિ હોય ? માટે ચાસ્ત્રિ વિઘાતે જ્ઞાનાદિવિઘાત છે. ન વ્યવહાર નયના મતે ચાસ્ત્રિ હણાવા છતાં જ્ઞાન, દર્શનની ભજના જાણવી. કોઈમાં તે બંને હોય, કોઈમાં ન હોય. વ્યવહાર નયના મતે સમ્યક્ દૃષ્ટિપણું હોવાથી જ્ઞાન-દર્શન છે. નિશ્ચય નયના મતે તો ન જ હોય. તેથી બીજાના પ્રાણના વિનાશમાં આસક્ત સાધુ મૂળથી જ આત્મઘ્ન છે. આધાકર્મ ભોજી સાધુને અનુમોદના દ્વારથી તે અવશ્ય સંભવે છે. માટે તેને આત્મઘ્ન કહ્યા. હવે આત્મકર્મ કહે છે. તે નામાદિ ચાર ભેદે છે. તેમાં તદ્ વ્યતિક્તિ દ્રવ્ય આત્મકર્મ કહે છે. બાકી પૂર્વેના ભેદો આધાકર્મવત્ જાણવા. • મૂલ-૧૨૮ થી ૧૩૩ : [૧૨૮] જે પુરુષ જે ધનને પોતાનું માન છે, તેને તે ધન દ્રવ્યાત્મકર્મ કહેવાય છે. નોઆગમથી ભાવઆત્મકર્મ - અશુભ પરિણામવાળો બીજાના કર્મને પોતાનું કરે તે ભાવ આત્મકર્મ કહેવાય. [૧૨] આધાકર્મ અને સંક્લિષ્ટ પરિણામવાળો સાધુ પાકને પણ ગ્રહણ કરવા છતાં કર્મ વડે બંધાય છે તેથી તેને તું [ભાવ] આત્મકર્મ જાણ. એટલે તેને ગ્રહણ કરી જે સાધુ ભોજન કરે છે તે પરકર્મને આત્મકર્મ કરે છે. [૧૩૦] [શંકા પરક્રિયા અન્યને વિશે કેમ પ્રાપ્ત થાય ? [૧૩૧] કેટલાંક ફૂટપાશના દૃષ્ટાંત વડે પરપ્રયોગમાં પણ બંધ કહે છે, પ્રમાદી અને અચતુર એવો મૃગ ફૂટમાં બંધાય છે. [૧૩૨] એ પ્રમાણે અશુભ ભાવનાવાળો સાધુ ભાકૂટમાં બંધાય છે. તેથી પ્રયત્નપૂર્વક અશુભ ભાવ વવો. [૧૩૩] આધાકર્મ ભલે પોતે ન કરતો હોય તો પણ જાણવા છતાં તેને ગ્રહણ કરનાર તેના પ્રસંગને વધારે છે અને ગ્રહણ ન કરનાર તેના પરસંગને નિવારે છે. • વિવેચન-૧૨૮ થી ૧૩૩ : [૧૨૮] જે પુરુષ ધનને આ મારું છે એમ અંગીકાર કરે છે, તે પુરુષને તે ધન તદ્બતિરિક્ત દ્રવ્ય વિષયક આત્મકર્મ થાય. પોતાના સંબંધપણાથી જે કરવું તે આત્મકર્મ. —– હવે ભાવ આત્મકર્મ કહે છે તે આગમથી અને નોઆગમથી. નોઆગમથી ભાવકર્મ કહે છે – આધાકર્મ ગ્રહણ કરવારૂપ અશુભ ભાવથી પરિણામ પામેલો પુરુષ, બીજાનું - રાંધનાર આદિ સંબંધી, જે પચન-પાચનથી થયેલ જ્ઞાનાવરણીયાદિ કર્મ, તેને પોતાનું કરે છે, તેને ભાવથી આત્મકર્મ કહેવાય. તેને જ વિશેષથી કહે છે - [૧૨૯] આધાકર્મ તો દૂર રહો, પણ સ્વરૂપે કરીને એષણીય એવા ભોજનાદિ હોય છતાં ક્લિષ્ટ પરિણામથી આધાકર્મગ્રહણના પરિણામવાળો થઈને ગ્રહણ કરતો, જેમકે – “હું અતિ વ્યાખ્યાન લબ્ધિવાળો છું'' ઈત્યાદિ વિચારી કહે કે – મારા ગુણોથી વશ આ સર્વ લોક રાંધી-રંધાવીને મને આ ઈષ્ટ ઓદનાદિ આપે છે. આવા ભાવવાળો સાધુ સાક્ષાત્ આરંભ કરનારની જેમ જ્ઞાનાવરણીયાદિ કર્મથી બંધાય. તેને ૬૨ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ તું આત્મકર્મ જાણ. - X - - આને જ સ્પષ્ટપણે [૧૩૦] ગાથામાં કહે છે · જ્યારે સાધુ આધાકર્મ ગ્રહણ કરીને આરોગે છે, ત્યારે તે સાધુ પાચકાદિનું કર્મ, તેને આત્મ કર્મરૂપ કરે છે અર્થાત્ તે કર્મ પોતાનું પણ કરે છે. ભાવાર્થને ન જાણતો કોઈ અન્ય પુરુષ અહીં શંકા કરે છે – પર સંબંધી જ્ઞાનાવરણીય કર્મ આધાકર્મ ભોજી સાધુમાં કેવી રીતે સંક્રમે ? ન જ સંક્રમે. જો કદાચ બીજાનું કર્મ કોઈ બીજાને સંક્રમતું હોય તો ક્ષપકશ્રેણી ચડેલા, કૃપાળુ, સમગ્ર જગતના પ્રાણીના કર્મને ઉન્મૂલન કરવામાં સમર્થ એવા મહાત્મા બધાં પ્રાણીના જ્ઞાનાવરણીયાદિ કર્મને પોતાનામાં સંક્રમાવીને ખપાવી દે. તે રીતે બધાંને એક જ કાળે મુક્તિ થાય. પણ તેમ થતું નથી. તેથી પરકર્મનો સંક્રમ અન્યને વિશે ન જ થાય. - X - X - પ્રાણીનું જેનું જે કર્મ હોય તેણે જ તે વેદવા લાયક છે. તો તમે એમ કેમ કહી શકો કે “પકર્મને આત્મકર્મરૂપ કરે છે ?” પૂર્વે કહેલા વાક્યનો પરમાર્થ ન જાણનાર કેટલાંક અન્યથા પણ વ્યાખ્યાન કરે છે. તેથી તેના મતને દૂર કરવા, ઉપન્યાસ કરે છે – [૧૩૧] પ્રવચનના રહસ્યને ન જાણનારા કેટલાએક સ્વ સમુદાયના જ કૂટપાશના દૃષ્ટાંતને કહે છે – પર' - પાચક આદિ પુરુષે નિષ્પાદન કરેલા પણ ઓદનાદિને વિશે તેને ગ્રહણ કરનાર સાધુને બંધ થાય છે. જેમ શિકારીએ સ્થાપન કરેલા કૂટ-પાશમાં મૃગને જ બંધ થાય છે. પણ શિકારીને નહીં. તેમ અહીં સાધુને જ બંધ થાય છે, ગૃહસ્થને નહીં - તેથી પકર્મ - આધાકર્મ ભોજી સાધુ પોતાનું જ કરે છે, માટે પરકર્મને આત્મકર્મરૂપ કરે છે, એમ કહેવાય છે. તેમનો આ ઉત્તર અસત્ય છે. કેમકે સાક્ષાત્ આરંભ કરનાર હોવાથી પરને પણ નિશ્ચે કર્મબંધ સંભવે છે. જેમ મૃગને માત્ર પર પ્રયોગ થકી બંધ નથી, પોતાના પ્રમાદાદિ દોષથી ૫ણ બંધ છે, તેમ સાધુને પણ છે. [૧૩૨] કેટલાંક સમ્યક્ પ્રકારે ગુરુચરણની સેવારહિતતાથી યથાર્થ તત્વને ન જાણનારા ઉપર મુજબ કહે છે, તેનો ઉત્તર ગુરુ ભગવંત આપે છે – “તેની તેની ઉત્પ્રેક્ષા કરનારા અને વૃદ્ધોની સેવા ન કરનારા પુરુષોની બુદ્ધિ પ્રાચીન આગમો વિના અતિ પ્રસન્ન થતી નથી.' તેથી કહે છે – પ્રમાદી અને અદક્ષ મૃગ બંધાય છે, અપ્રમાદી તો કૂટ-પાસ નીકટ જતો જ નથી. કદાચ જાય તો પણ દક્ષપણાથી ત્યાંથી ખસી જાય છે. તેથી તે માત્ર પરપ્રયોગથી નહીં પણ સ્વપ્રમાદ વશ પણ બંધાય છે. એ પ્રમાણે સંયમરૂપ ભાવના બંધન મરાટે કૂટ સમાન આધાકર્મ, તેને વિશે તે સાધુ જ્ઞાનાવરણ આદિ કર્મ વડે બંધાય છે કે જે આહાર લંપટતાથી આધાકર્મના ગ્રહણરૂપ અશુભ ભાવના પરિણામવાળો હોય, તે વિના બીજો બંધાતો નથી. રાંધનારે આધાકર્મ કર્યા છતાં જે સાધુ તેને ગ્રહણ કરતો નથી તે જ્ઞાનાવરણીય આદિ પાપકર્મ વડે બંધાતો નથી. જેમ મૃગમાં કહ્યું કે - ૪ - તેને માત્ર પરના પ્રયોગથી જ બંધ નથી, Page #41 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૧૨૮ થી ૧૩૩ તેમ સાધુને પણ અશુભ અધ્યવસાય કારણરૂપ છે. તેથી સાધુએ આધાકર્મના ગ્રહણરૂપ અશુભ ભાવને વર્જવો. • x• x • આધાકર્મનું ગ્રહણ કે ભોજનથી પક્કમ આત્મકર્મકરણ થાય છે. અન્યથા થતું નથી, તેથી ઉપચારથી આધાકર્મ તે આત્મકર્મ કહેવાય છે. [૧૩]] હવે આધાકર્મને ન કરવા - કરવા છતાં દોષ કેમ લાગે ? તે શંકાનો ઉત્તર આપે છે. જે ‘આ મારે માટે બનાવેલ છે' તેમ જાણવા. છતાં જો આધાકમને ગ્રહણ કરે તો અન્ય સાધુ અને દાતાને એવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે કે- “આઘાકર્મના ભોજનમાં કંઈ દોષ નથી.” અન્યથા આ સાધુ જાણવા છતાં કેમ ગ્રહણ કરે ? પરિણામે પરંપરાએ સાધુઓને આધાકર્મના ભોજનથી ચિરકાળ સુધી છકાયનો જે વિઘાત થાય તે સર્વ પરમાર્થથી તેના વડે પ્રત્યો કહેવાય. પણ જે સાધ તેમ વર્તતો નથી તે તેવા પ્રકારના પ્રસંગની વૃદ્ધિને નિવારે છે. કેમકે પ્રવૃત્તિનો જ અભાવ છે. તેથી અતિપ્રસંગ નામક દોષના ભયથી સાધુએ આવું આધાકર્મ ન ભોગવવું. બીજું સાધુ તે લેવાથી અવશ્ય અનુમોદના કરે છે. “જેનો પ્રતિષેધ નથી કર્યો તે અનુમત છે.” એવો વૃદ્ધવાદ છે. વળી બીજું આધાકર્મ ભોજનમાં મનોજ્ઞ આહારથી દાઢાના રસને કારણે પોતે પણ આવું રાંધે કે રંધાવે. તેથી સર્વથા આધાકર્મ ભોજન ન કરવું. હવે “પ્રતિસેવના' આદિ કહેવા જોઈએ. તે નામો આત્મકર્મના અંગપણે પ્રવર્તેલા છે, તેથી તે અંગપણ અને પરસ્પર ગુરુ-લઘુને વિચારે છે • મૂલ-૧૩૪ થી ૧૩૭ : [૧૩૪] વળી તે કમી પ્રતિસેવનાદિ વડે આત્માને આધીન કરે છે. તેમાં પહેલું પદ ગુર છે, બીજા ત્રણ પદો અનુક્રમે લઘુ, લઘુ, લઘુ છે. [૧૩] પ્રતિસેવનાદિના સ્વરૂપના સ્વરૂપને પ્રતિપાદન કરવાની પ્રતિજ્ઞાથી કહે છે - હું પ્રતિસેવનાથી અનુમોદના પર્યાના દ્વારોના યથાસંભવ સ્વરૂપને દષ્ટાંત સહિત કહીશ. [૧૩૬] બીજ દ્વારા આણેલા આધાકર્મ વાપરવામાં પ્રતિસેવના દોષ • તેવું કોઈ વાપરે, તેને કોઈ પ્રેરણા કરે ત્યારે કહે કે – બીજાને હાથે અંગારા કઢાવતાં પોતે બળતો નથી” હું શુદ્ધ જ છું, દોષ દેનારાને લાગે છે. આવી ખોટી ઉપમા વડે સિદ્ધાંતના અર્થનો અજાણ મૂઢ પ્રતિરોધના કરે છે. • વિવેચન-૧૩૪ થી ૧૩૭ : [૧૩૪] જ્ઞાનાવરણાદિ પર કર્મને પોતાના કરે છે. તે પ્રતિસેવનાદિ દ્વારા પરકમને પોતાનું કરે છે, તેથી પ્રતિસેવનાદિ વિષયક આધાકર્મ પણ પ્રતિસેવનાદિક કહેવાય. ‘પ્રતિસેવના' પદ ગુર-મહાદોષવાળું છે, બાકીના ત્રણે પ્રતિશ્રવણાદિ અનુક્રમે થોડાં-થોડાં ઓછા દોષવાળા જાણવા. [૧૩૫] પહેલાં પ્રતિસેવનાનું સ્વરૂપ કહે છે. જે સાધુ આધાકર્મને પોતે જ લાવીને વાપરે, તે આધાકર્મનો પ્રતિસવી પ્રસિદ્ધ જ છે. અહીં તો “બીજાએ લાવેલા આધાકર્મને વાપરવામાં કોઈ દોષ નથી.” એમ માનનારને પ્રતિસેવનાના દોષો કહે છે : પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ [૧૩૬,૧૩૩] બીજા સાઘ આધાકર્મ ભોજનાદિ લાવીને આપે, તેને જે સાધુ વાપરે તે પ્રતિસેવના છે. જો કોઈ તેમને પ્રેરણા કરે કે- “ધિક્કાર છે કે તમે આવું આધાકર્મી વાપરો છો” ત્યારે તે સાધુ કહેશે કે – મેં સ્વયં લીધું નથી માટે મને કોઈ દોષ નથી. પછી તે દૃષ્ટાંત આપે છે - બીજાના હાથ વડે અંગારા કઢાવે તે મનુષ્ય પોતે બળતો નથી. તેમ હું આધાકર્મભોજી શુદ્ધ જ છું, કેમકે દોષ તો તે લાવનારને લાગે છે. આ પ્રમાણે ખોટા દેટાંતથી ભગવંતના પ્રવચનને ન જાણતો તે મૂઢ પ્રતિસેવી જ છે. હવે પ્રતિશ્રવણાનું સ્વરૂપ કહે છે – • મૂલ-૧૩૮ : જે ગર ઉપયોગકાળે આધાકમગ્રાહીના ચિત્તની રક્ષાર્થે “લાભ” શબ્દ કહે, આલોચના કાળે “સુલબ્ધ” કહે, તો તે ગુરુને પ્રતિશ્રવણા દોષ લાગે. • વિવેચન-૧૩૮ : ગાથાર્થ કહ્યો. વિશેષ આ - ચિત્ત રક્ષાયેં એટલે મનના અન્યથા ભાવ નિવારી દાક્ષિણ્યતાદિથી. આલોચના-ગૃહસ્થના ઘેરથી લાવીને ગૌચરી આલોવે ત્યારે. પ્રતિશ્રવણ-સ્વીકાર. હવે બીજો, ચોથો દોષ કહે છે – • મૂલ-૧૩૯ : સંવાસનો અર્થ પ્રસિદ્ધ છે. અનુમોદન એટલે આધકર્મ વાપરનારને પ્રશંસા છે. તેમના ઉદાહરણો અનુક્રમે આ પ્રમાણે જાણવા. • વિવેચન-૧૩૯ : રંવાર - આધાકર્મભોજી સાથે એકસ્થાને વસવું. અનુમોદના - આ સાધુ પુન્યશાળી છે, સારી લબ્ધિવાળા છે ઈત્યાદિ પ્રશંસા કરવી તે. પ્રતિસેવનાદિનું સ્વરૂપ કહ્યું, હવે દટાંતો કહે છે – • મૂલ-૧૪૦ થી ૧૪ર : [૧૪] પ્રતિસેવનમાં ચોરનું ટાંત છે, પ્રતિશ્રવણમાં રાજપુત્રનું છે, સંવાસમાં પલ્લીનું અને અનુમોદનામાં રાજદુષ્ટનું ઉદાહરણ છે. [૧૪૧] પ્રતિસેવના સંબંધે ચોરનું દૃષ્ટાંત વિવેચનથી જણવું. [૧] જે સાધુ આધાકને પીરસે કે પગમાં ધારણ કરે તેઓ પણ તીવ કર્મ વડે બંધાય છે, તો ખાનારા બધાય તેમાં શી નવાઈ ? • વિવેચન-૧૪૦ થી ૧૪૨ - ગાથાર્થ કહ્યો. તે સુગમ છે. પ્રતિસેવનામાં ચોરનું આ દૃષ્ટાંત-કોઈ ગામમાં ઘણાં ચોરો હતા. તેઓ કોઈ દિને ગાયોનું હરણ કરી નગરથી પોતાના ગામ પ્રતિ ચાલ્યા. માર્ગમાં તેમને કેટલાંક વટેમાર્ગુ ચોરો મળ્યા. તેથી તેઓ તેમની સાથે ચાલ્યા. સ્વદેશે આવી નિર્ભય થઈ, કેટલાંક પયિકો પણ આવ્યા. તેમને પણ તે ચોરોએ નિમંત્રણ આપ્યું, માંસ પકવ થતાં કેટલાંક ચોર અને પયિકો ભોજન કરવા લાગ્યા. કેટલાંક ગોમાંસને પાપ સમજીને તેના ભોજનમાં ન પ્રવર્યા, માત્ર બીજાને પીરસવા Page #42 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૧૪૦ થી ૧૪૨ ૬ લાગ્યા. ત્યારે તીક્ષ્ણ ખગધારી ભયંકર કોટવાળો આવ્યા. ખાનાર અને પીરસનાર બધાંને પકડ્યા. પથિકો બોલ્યા કે અમે તો પથિક છીએ, ચોર નથી, તો પણ તેમને પકડીને મારી નાંખ્યા. તેનો નિકર્ષ કહે છે – જે સાધુ બીજાને આધાકર્મ પીરસે છે કે માત્ર પાત્ર ધારણ કરે છે તેઓ પણ દુ:સહ વિપાકવાળા નકાદિ ગતિના હેતુરૂપ કર્મો વડે બંધાય છે. તો પછી ખાનારને તો બંધાય જ ને? તેથી સાધુએ પીરસવા આદિ માત્ર પણ આધાકર્મનું પ્રતિસેવન ન કરવું. દટાંતમાં ગોમાંસને સ્થાને આધાકમ લેવું. કોટવાળના સ્થાને કર્યો જાણવા ઈત્યાદિ. • મૂલ-૧૪૩ થી ૧૪૬ : [૧૪] પ્રતિશ્રવણા સંબંધે રાજપુત્રનું ટાંત છે, વિવેચનમાં લેવું. [૧૪] રાજપુત્રના ષ્ટાંતથી સાધુને પ્રતિશ્રવા દોષ કેમ લાગે તેનો નિષ્કર્ષ છે, તે વિવેચનમાં જોવો. [૧૪] લાવનાર અને વાપરનારને કાયિક દોષ લાગે, બીજાને વાચિક દોષ લાગે, ત્રીજને માનસિક લાગે, ચોથાને કોઈ દોષ ન લાગે. [૧૪] રાજપુત્રને જેમ ચારે દોષો લાગ્યા, તેમ સાધુને પણ ચારે ધષો કહેવા. • વિવેચન-૧૪૩ થી ૧૪૬ : ગુણસમૃદ્ધ નગર હતું. ત્યાં મહાબળ નામે રાજા, શિલા નામે સણી, વિજિતસમર નામે કુમાર હતો. રાજ્ય ગ્રહણ કરવાની ઈચ્છાથી કુમારે વિચાર્યું કે - મારા પિતા રાજા મરતો નથી, તો સુભટોની સહાયથી તેને મારી નાંખુ. મંત્રણા દરમ્યાન કેટલાંક સુભટો બોલ્યા- “અમે તમને સહાય કરીશું.” બીજા કેટલાંકે કહ્યું - એ પ્રમાણે કરો. ત્રીજા કોઈક મૌન રહ્યા. ચોથા કેટલાંકે તે ન સ્વીકારતા સમસ્ત વૃતાંત રાજાને જણાવ્યો. રાજાએ કુમારની સાથે પહેલાં ત્રણે પાકારોને મારી નાંખ્યા. માત્ર ચોથા પક્ષકારોનું બહુમાન કર્યું. ઉક્ત દૃષ્ટાંતમાં પહેલાં ત્રણે પક્ષો પ્રતિશ્રવણાના દોષી છે, માત્ર ચોયા પક્ષને પ્રતિશ્રવણા દોષ નથી, આ દૃષ્ટાંતનો નિકર્ષ કહે છે – કોઈ સાધુએ ચાર સાધુને આધાકર્મ માટે નિમંત્રણા કરી. તેમાં પહેલાં સાધુ તે વાપરે છે, બીજો કહે છે - હું નહીં વાપરું, તું વાપર, ત્રીજો મૌન રહે છે, ચોરો કહે છે - સાધુને આધાકર્મી ન કો માટે હું નહીં વાપરું તો પહેલાં ત્રણેને પ્રતિશ્રવણા દોષ લાગે. ચોથાને ન લાગે.. શંકા આધાકર્મ ખાનાર પહેલાને પ્રતિસેવન દોષ લાગ્યો, તો પણ પ્રતિશ્રવણા કેમ કહ્યો ? [સમાધાન નિમંત્રણ સ્વીકારે છે, ત્યારે હજુ પ્રતિસેવન કરેલ નથી, ત્યાં સુધી પ્રતિશ્રવણ જ છે, પછી પ્રતિસેવન દોષ લાગે. ભોજન લાવનાર અને ખાનાર બંનેને કાયદોષની મુખ્યતા છે, પણ બીજા સાધને વાચિક અને ઉપલક્ષણથી માનસિક દોષ લાગે. મૌન રહેલાને માત્ર માનસિક દોષ લાગે. ચોયો ત્રણે દોષોથી વિશુદ્ધ છે. માટે તેવા થવું. પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ કુમારના ટાંતથી આધાકર્મભોજીને લગતા દોષો યોજે છે - રાજ પુત્રને પ્રતિસેવનાદિ ચારે દોષો લાગે છે. રાજાને મારવા પ્રવૃત થવાથી પ્રતિસેવન, સુભટોના વયનો સ્વીકારતા પ્રતિશ્રવણ, સુભટો સાથે વસવાથી સંવાસ અને સુભટોના બહુમાનથી અનમોદના દોષ લાગ્યો. એ જ પ્રમાણે આધાકર્મભોઇ સાધુ માટે ચારે દોષો કહેવા. ગૃહસ્થના ઘેરથી આધાકર્મ લાવીને વાપરે તે સાધુને પ્રતિસેવન દોષ ગૃહસ્થ આઘાકમ માટે નિમંત્રે ત્યારે તેને સ્વીકારતા પ્રતિશ્રવણ દોષ, તે આધાકમ લાવીને જેને સંવિભાગ કરી આપે તેની સાથે વસવાથી સંવાસ દોષ, તેના જ બહુમાનથી આનુમોદનાદોષ બીજાએ લાવેલા આધાકર્મીના નિમંત્રણને સ્વીકારતા પ્રતિશ્રવણા, પછી વાપરે ત્યારે પ્રતિસેવનાદિ દોષો લાગે, ત્યાં નિશ્ચયથી ચારે દોષો લાગે. પ્રતિશ્રવણામાં ત્રણ દોષ, સંવાસને વિશે લે, અનુમોદનામાં એક દોષ લાગે, માટે ગુરુ, લઘુ, લઘુ કહ્યું. હવે સંવાસ દોષ - • મૂલ-૧૪૭, ૧૪૮ : સંવાસમાં પલ્લીનું ટાંત છે, જે વિવેચનમાં જેવું. આધાકર્મભોજી સાથે વસવું તે દોષને માટે છે કેમકે તે આધાકર્મત્યાગીને અને અતિ લુખી વૃત્તિવાળાને પણ દર્શન, ગંધ, પરિકથાથી વાસિત કરે છે. • વિવેચન-૧૪૭, ૧૪૮ : વસંતપુર નગર, અરિમર્દનરાજા, પ્રિયદર્શના રાણી હતી. તે નગર નજીક ભીમા નામે પલ્લી હતી. ત્યાં ઘણાં ભિલ્લ-ચોરો તથા વણિકો રહેતા હતા. ચોરો હંમેશાં તે નગરને ઉપદ્રવિત કરતા હતા. કોઈ વખતે રાજા પોતે મોટી સેનાદિ સજ્જ કરી. ભિલો તરફ ગયો. ભિલ્લો પણ તેની સાથે યુદ્ધે ચડ્યા. રાજાએ ઘણાંને હણી નાંખ્યા, કેટલાંક નાસી ગયા. પછી રાજાએ પલ્લી કજે કરી, ત્યાંના વણિકો ‘પોતે ચોર નથી' તેમ માની નાસ્યા નહીં. રાજાએ તેમને પકડ્યા. તેમને નિગ્રહ કર્યો. અહીં જેમ વણિકોને ચોર સાથે રહેવું દોષને માટે થયું, તેમ સાધુને પણ આધાકર્મી સાથે સંવાસ દોષને માટે જાણવો. કેમકે - X - X - આધાકર્મ સંબંધી જે દર્શન, ગંધ, પરિકથા છે તે આધાકર્મના પરિભોગની ઈચ્છા પ્રાપ્ત કરાવવા વડે વાસિત કરે છે. સર્જન - અવલોકન, મનોજ્ઞ આહાર વિશે અવશ્ય વાસિત કરે - મનમાં મોક્ષ ઉપજાવે છે. ઉષ્ણ ઘી આદિની ગંધ નાસિકા ઈન્દ્રિયને તૃપ્ત કરે છે, તેથી ભોજનની રચિ ઉપજાવે છે પરવાથT - લાડુ આદિના વિષયની વાતો તેના સ્વાદની પ્રાપ્તિની આશા-ઉત્સાહ જન્માવે છે. તેથી આધાકર્મભોજી સાથે સંવાસ ન કરવો. • મૂલ-૧૪૯,૧૫૦ : અનુમોદનાના વિષયમાં રાજદુષ્ટનું દૃષ્ટાંત છે, વિવેચનમાં જેવું. અનુમોદનાના પ્રકારો કહે છે - સ્વાદિષ્ટ, પરિપૂર્ણ, આદરપૂર્વક, યોગ્યકાળે, Bતને લાયક, નિધ એવા આહારને આ સાધુ પામે છે, એવી પણfસાથી આહાર ન વાપરવા છતાં અનુમતિ દોષ લાગે છે. 1િ5/5] Page #43 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૧૪૯,૧૫૦ ૬૭ • વિવેચન-૧૪૯,૧૫૦ : શ્રીનિલય નામે નગર, ગુણચંર રાજા, ગુણવતી આદિ અંતઃપુર હતું. તે જ નગરમાં સુરૂપ નામે વણિક હતો. તે અત્યંત સુંદર, કામદેવ જેવો હતો. સ્વભાવથી જ પરસ્ત્રી રાગી હતો. ક્યારેક રાજાના અંતઃપુરની સમીપે જતાં તેને રાણીઓએ સ્નેહપૂર્વક જોયો. તેણે પણ તેઓને સાભિલાષ જોઈ પરસ્પર પ્રીતિ થઇ. હંમેશાં ત્યાં જઈ રાણીઓને ભોગવવા લાગ્યો. રાજા તે જાણી ગયો. રાજાએ પોતાના સેવકો દ્વારા પકડાવ્યો. તેને ચૌટામાં લઈ જઈને મારી નાંખ્યો, તો પણ રાજા અંતઃપુરની ખરાબીથી મનમાં ઘણો ખેદ પામેલો હતો. તેણે બાતમીદારોને મોકલ્યા. તે સુરૂષની પ્રશંસા કે નિંદા કરનારાની માહિતી લાવવા કહ્યું. જેઓ સુરૂપના ભોગની પ્રશંસા કરતા હતા તે બધાંને મારી નાંખ્યા. નિંદા કરનારનું બહુમાન કર્યુ. એ પ્રમાણે આધાકર્મભોજી સાધુને કેટલાંક ધન્યવાદ આપે છે કેટલાંક ધિક્કારે છે. તેમાં પ્રશંસનારા કર્મથી બંધાય છે. નિંદા કરનારા બંધાતા નથી. અહીં અંતઃપુરના સ્થાને આધાકર્મ જાણવું. રાજાને સ્થાને જ્ઞાનાવરણાદિ કર્મો જાણવા. મરણના સ્થાને સંસાર જાણવો. - X - આધાકર્મભોજીને ઉદ્દેશીને કેટલાંક સાધુ કહે છે કે – અમે તો કદાપિ મનોજ્ઞ આહારને પામતા નથી. પણ આ સાધુઓ તો સર્વદા સ્વાદુ, પરિપૂર્ણ આહાર બહુમાનપૂર્વક પામે છે. ઈત્યાદિ - ૪ - ૪ - પ્રશંસા કરતાં તેમને અનુમતિ દોષ લાગે. ભોજન ન કરવા છતાં આધાકર્મ ભોજીની જેમ દોષી બને છે - ૪ - ૪ - આ રીતે આધાકર્મના પર્યાયો કહ્યા. હવે ‘એકાર્થક’ શબ્દની વ્યાખ્યા કરવા કહે છે - • મૂલ-૧૫૧ થી ૧૫૮ : [૧૫] આધાકર્મ, અધઃકર્મ, આત્મઘ્ન, આત્મકર્મ આ નામોમાં વ્યંજનના વૈવિધ્ય માફક અર્થનું વૈવિધ્ય છે કે નહીં? [૧૫૨] આ પ્રશ્ર્વ સંદર્ભે ચતુભગી કહે છે – (૧) એક અર્થવાળા - એક વ્યંજનવાળા, (૨) એક અર્થવાળા-વિવિધ વ્યંજનવાળા, (૩) વિવિધ અર્થ-એક વ્યંજનવાળા, (૪) વિવિધ અર્થ - વિવિધ વ્યંજનવાળા. આ જ ચતુર્ભગીનાં અનુક્રમે લૌકિક દૃષ્ટાંતો - [૧૫૩,૧૫૪] લોકમાં (૧) ક્ષીર અને ક્ષીર [દુધ] (૨) દુધ-પયમ્, પીલુ-ક્ષીર (૩) ગોક્ષીર-મહિષક્ષીરઅજાક્ષીર, (૪) ઘટ-પટ-કટ-શકટ-રથ એ ચાર ટાંત અનુક્રમે જાણવા. આ જ ચતુર્ભૂગીને આધાકર્મને વિશે જેમ સંભવે તેમ બે ગાથા વડે યોજે છે – [૧૫૫,૧૫૬] આધાકદિનું જે દ્વિરુક્તાદિ કરવું તે પહેલો ભંગ, શક્ર અને ઈન્દ્રની જેમ આધાકર્મ - અધઃકર્મ જે બોલવું તે બીજો ભંગ, અશનાદિ ચાર નામો આધાકમાં સહિત બોલવમાં આવે તે ત્રીજો ભંગ, ધાકમને આશ્રીને છેલ્લો ભંગ નિશ્ચે શૂન્ય જ છે. [૧૫] જેમ પુરંદરાદિ શબ્દો ઈન્દ્રના અર્થનું ઉલ્લંઘન કરતા નથી તેમ અધકદિ શબ્દો આધાકર્મના અર્થનું ઉલ્લંઘન ૬ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ કરતા નથી. [૧૫૮] આધાકર્મ વડે આત્માને નીચે કરે છે કેમકે તે પણ અને ભૂતોને હણે છે. જેથી આધાકર્મગ્રાહી પસ્કમને આત્મકર્મ કરે છે. • વિવેચન-૧૫૧ થી ૧૫૮ : [૧૫૧] અહીં કોઈ પ્રશ્ન કરે કે આધાકદિ ચારે નામોમાં વ્યંજનમાં જેમ વિવિધતા છે, તેમ અર્થમાં છે કે નહીં ? કેમકે આધાકર્માદિ સર્વે નામોની વ્યુત્પતિ જુદી જુદી કહી છે. - ૪ - ૪ - તો ઘટ, પટ, શકટની જેમ પ્રવૃત્તિનું નિમિત્ત પણ પૃથક્ - પૃથક્ છે ? કે ઘટ, કળશ, કુંભની જેમ ભિન્ન નથી ? તેના ઉત્તરમાં સામાન્ય નામ વિષયક ચૌભંગી છે [૧૫૨] આ જગતમાં પ્રવર્તતા કેટલાંક નામો એક અર્થવાળા અને એક વ્યંજનવાળા જોવામાં આવે છે ઈત્યાદિ ગાથાર્થ મુજબ કહેવું. તેથી આ ચૌભંગીના લૌકિક દૃષ્ટાંતો બે ગાથામાં કહે છે – [૧૫૩ થી ૧૫૬] (૧) જેમ કોઈ એક ઘેર ગાય આદિના દુધના વિષયમાં ‘ક્ષીર' નામ પ્રવર્તે છે, અન્ય અન્ય ઘેર પણ તેમજ હોય ત્યારે બધાં એક અર્થવાળા અને એક વ્યંજનવાળા પ્રાપ્ત થાય. (૨) તેને બદલે દુધ, પયમ્, ક્ષીર એ નામોમાં અર્થ એક છે, પણ વ્યંજન જુદા છે. (૩) ગાય, ભેંસ, બકરીના દુધમાં દુધ શબ્દ વ્યંજનથી સમાન છે, પણ અર્થમાં બધાં દુધ જુદા છે. (૪) ઘટ, પટ, કટ, શકટ, સ્થ નામો અર્થ અને વ્યંજન બંનેથી જુદા જુદા છે. આ જ ચતુર્થંગીને આધાકર્મને વિશે જેમ સંભવે તેમ બે ગાથા વડે યોજે છે – (૧) એક વસતિમાં અશનના વિષયમાં કોઈ આધાકર્મ એવું નામ કહે, બીજે સ્થાને પણ આધાકર્મ કહે ઈત્યાદિ, તો તે બધે એક અર્થવાળા અને એક વ્યંજનવાળા છે. (૨) જો આધાકર્મ, અધઃકર્મ આદિ શબ્દો પ્રયોજે તો તે બીજો ભંગ થાય. (૩) અશનાદિને આધાકર્મ શબ્દથી વ્યવધાનવાળા બોલાય જેમકે અશન આધાકર્મ, પાન આધાકર્મ તો તે ત્રીજા ભંગમાં આવે. (૪) આધાકર્મમાં અર્થ અને વ્યંજન બંને જુદા જુદા હોય તેવો ભંગ નિશ્ચે કરીને શૂન્ય થાય. છતાં કોઈ અશન આધાકર્મ, પાન અધઃકર્મ, ખાદિમ આત્મઘ્ન, સ્વાદિમ આત્મકર્મ એવું બોલે તો ચોથો ભંગ સંભવે છે. અહીં બીજા ભંગની ભાવનાને કહે છે – [૧૫૭,૧૫૮] ઈન્દ્રાર્થ, ઈન્દ્રાર્થ-દેવના રાજા રૂપી ઈન્દ્ર શબ્દના અર્થને, પુરંદરાદિ શબ્દો ઉલ્લંઘતા નથી. તેમ અધઃકર્માદિ શબ્દો આધાકર્મને ઉલ્લંઘતા નથી. આધાકર્મ શબ્દવાચ્ય જે ઓદનાદિ જે દોષ વડે દૂષિત થયું હોય તે જ દોષ વડે દૂષિત તે ઓદન આદિને જ અધઃકદિ શબ્દો પણ કહે છે – ભોજન કરાતા આધાકર્મ વડે જે કારણે વિશુદ્ધ અને અતિ શુદ્ધ એવા સંયમાદિ સ્થાનોથી ઉતરીને આત્માને નીચે કરે છે, તે જ કારણોથી તે આધાકર્મ અધઃકર્મ કહેવાય છે. જે કારણે આધકર્મભોજી પરમાર્થથી બે ઈન્દ્રિયાદિ જીવો તથા વનસ્પતિકાયને હણે છે, તે નિશ્ચયથી ચાસ્ત્રિાદિ રૂપ આત્માને હણે છે, માટે આત્મઘ્ન કહેવાય. જે કારણે આધાકર્મને ગ્રહણ કરતો રાંધનાર આદિ પર સંબંધી જે કર્મોનો Page #44 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૧૫૧ થી ૧૫૮ પોતાનું પણ કરે છે, તેથી તે આધાકર્મ આત્મકર્મ કહેવાય છે. આ રીતે અધઃકર્માદિ શબ્દો આધાકર્મને ઉલ્લંઘતા નથી, માટે બીજા ભંગમાં આવે છે. હવે જન્મ વાવ અવયવની વ્યાખ્યા કરે છે – ૬૯ - મૂલ-૧૫૯ : કોને માટે કરેલું આધાકર્મ કહેવાય ? નિયમા સાધર્મિકને માટે કર્યું હોય તે આધાકર્મ કહેવાય. તેથી સાધર્મિકની પ્રરૂપણા કરવી જોઈએ. • વિવેચન-૧૫૯ : ગાચાર્ય કહ્યો છે. હવે સાધર્મિકની પ્રરૂપણા કરે છે – • મૂલ-૧૬૦ થી ૧૬૩ : [૧૬૦] નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, પ્રવચન, લિંગ, દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ, અભિગ્રહ અને ભાવ એ બાર પ્રકારે સાધર્મિક હોય છે. [૧૬૧ થી ૧૬૩ બારે શબ્દોની વ્યાખ્યા છે, જે વિવેચનમાં નોંધી જ છે. • વિવેચન-૧૬૦ થી ૧૬૩ : નામ સાધર્મિક, સ્થાપના સાધર્મિક, દ્રવ્ય સાધર્મિક ઈત્યાદિ બાર પ્રકારે સાધર્મિક ગાથાર્થ મુજબ કહેવા. તેની જ વ્યાખ્યા કરે છે – (૧) નામ સાધર્મિક - વિવક્ષિત સાધુનું જે નામ હોય તે જ નામ જ્યારે બીજા પણ સાધુનું હોય ત્યારે તે બંને નામ સાધર્મિક કહેવાય. (૨) સ્થાપના સાધર્મિક - કાષ્ઠ આદિની બનેલ પ્રતિમા હોય, તે બીજા જીવતા સાધુને માટે સ્થાપના સાધર્મિક થાય. જો કે આ સદ્ભાવ સ્થાપના છે, અક્ષ આદિને વિશે જે સાધુની સ્થાપના, તે અસદ્ભાવ સ્થાપના છે. (૩) દ્રવ્યપણાના વિષયવાળો સાધર્મિક - જે ભવ્ય સાધર્મિકપણાને યોગ્ય હોય. તથા જે સાધર્મિક સાધુનું શરીર સિદ્ધશિલાની નીચે વગેરે સ્થળે જીવરહિત હોય તે ભવ્ય શરીરરૂપ અને અતીત સાધર્મિકના શરીરરૂપ હોવાથી દ્રવ્યસાધર્મિક કહેવાય. (૪) ક્ષેત્ર વિષયક સાધર્મિક - સમાન દેશમાં ઉત્પન્ન થયેલા. (૫) કાળ સાધર્મિક - સમાન કાળે સાધુ થયેલા હોય તે. (૬) પ્રવચન સાધર્મિક - ચતુર્વિધ સંધમાંના કોઈપણ. (૭) લિંગ સાધર્મિક - રજોહરણ, મુખવસ્ત્રિકાદિ ઉપકરણથી સમાન. (૮) દર્શન સાધર્મિક - સમાન દર્શનવાળો. દર્શન ત્રણ ભેદે – જ્ઞાયિક, ક્ષાયોપશમિક અને ઔપશમિક. તેથી ક્ષાયિક દર્શન સાધર્મિક આદિ કહેવા. (૯) જ્ઞાન સાધર્મિક - સમાન જ્ઞાનવાળો સાધુ હોય તે. જ્ઞાન પાંચ પ્રકારે – મતિ, શ્રુત આદિ. તેથી મતિજ્ઞાન સાધર્મિક આદિ પાંચ ભેદ. (૧૦) ચારિત્ર સાધર્મિક - સમાન ચાસ્ત્રિવાળો સાધુ હોય તે. ચાસ્ત્રિ પાંચ ભેદે – સામાયિક, છંદોષસ્થાપનીય, પરિહારવિશુદ્ધિક, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત. તેથી પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ ચાસ્ત્રિ વડે સાધર્મિક આ પાંચ ભેદે ગણવા. મતાંતરથી ત્રણ ભેદે – જ્ઞાયિક ચાસ્ત્રિ, ક્ષાયોપશમિક ચાસ્ત્રિ, ઔપશમિક ચારિત્ર. આ ત્રણ વડે સાધર્મિક હોય, જેમકે ક્ષાયિક ચાસ્ત્રિ સાધર્મિક આદિ, (૧૧) દ્રવ્યાદિ વિષયક અભિગ્રહ – દ્રવ્યાભિગ્રહ, ક્ષેત્રાભિગ્રહ, કાલાભિગ્રહ, ભાવાભિગ્રહ. તે દ્વારા સાધર્મિકો, જેમકે દ્રવ્યાભિગ્રહ સાધર્મિક. (૧૨) ભાવના વડે સાધર્મિક - ભાવના બાર ભેદે – અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, સંસાર, કમશ્રિવ, સંવર, નિર્જરા, લોકવિસ્તાર અને જિનપ્રણીતધર્મ. તેથી અનિત્યભાવના સાધર્મિકાદિ બાર ભેદ. 90 હવે તે-તે સાધર્મિકોને આશ્રીને કલ્પ્ય અને અકલ્પ્ય વિધિ – - મૂલ-૧૬૪ થી ૧૮૧ : [૧૯૪] ગૃહી કે અગૃહસ્થ જેટલા દેવદત્ત હોય તેમને હું દાન આપ્યું, એમ કોઈ સંકલ્પ કરે તો દેવદત્ત સાધુને ન કહ્યું. ગૃહી દેવદત્તનો સંકલ્પ હોય તો દેવદત્ત સાધુને કલ્પે. [૧૬૫] એ જ પ્રમાણે મિશ્ર અને અમિશ્ર એવા પાખંડીમાં વિકલ્પ જાણવો. તે જ પ્રમાણે શ્રમણોને વિશે વિકલ્પ કરવો પરંતુ અસશ નામવાળા પણ સંયતોને તો ન જ કરે. [૧૬૬] નિશ્રા કે અનિશ્રા વડે જે કર્યું તે સ્થાપના સાધર્મિકના વિષયમાં વિભાષા. દ્રવ્ય સાધર્મિકમાં મૃત શરીરને માટે કરેલ ભોજન જો નિશ્રા વડે કર્યું હોય તો ન કો, અનિશ્રામાં પણ લોકનિંદાથી વવું. [૧૬૭] જેમ નામ સાધર્મિકમાં પાખંડી, શ્રમણ, ગૃહી, અગૃહી, નિગ્રન્થની વિભાષા કહી, તેમ જ ક્ષેત્ર અને કાળમાં જાણવું. [પ્રવચન આદિ બાકીના સાત પદોમાં ચતુર્ભગી કહી છે, તે આ પ્રમાણે –] - [૧૬૮] - દશમી પ્રતિમાધારી શિખાવાળા શ્રાવકો પ્રવાનથી સાધર્મિક પણ લિંગ વડે નહીં, સર્વે નિવો લિંગ વડે સાધર્મિક પણ પ્રવચનથી નહીં. [૬૯] - વિસĒશ સમક્તિયુક્ત પ્રવચનથી સાધર્મિક પણ દર્શથી નહીં. તીર્થંકર, પ્રત્યેકબુદ્ધ દર્શન સાધર્મિક, પ્રવચનથી નહીં. - [૧૭૦] - એ જ પ્રમાણે પ્રવચનની સાથે જ્ઞાન અને યાત્રિ પણ જાણવા. પ્રવચનથી સાધર્મિક હોય, અભિગ્રહથી ન હોય તે શ્રાવક અને સાધુ છે. - [૭૧] - અભિગ્રહથી સાધર્મિક પણ પ્રવચનથી નહીં તે નિહવ, તીર્થંકર, પ્રત્યેકબુદ્ધ. એમ જ પ્રવચન અને ભાવનાની ચૌભંગી જાણવી. હવે બાકીની કહું છું. - [૧૭] - એમ જ લિંગ આદિ પદને વિશે પણ એક એક પદ વડે કરીને પછીના પદો લઈ જવા. સશ ભંગો છોડીને બાકીના ભંગો આ પ્રમાણે જાણવા. - [૧૭૩] - લિંગથી સાધર્મિક, દર્શનથી નહીં. તે જુદા જુદા દર્શનવાળા સાધુ અને નિહવ જાણવા. બીજા ભંગમાં પ્રત્યેકબુદ્ધો અને તીર્થંકરો જાણવા. - [૧૭૪] - લિંગ વડે સાધર્મિક, અભિગ્રહ વડે નહીં, તે અભિગ્રહ રહિત કે સહિત Page #45 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૧૬૪ થી ૧૮૧ કરે સાધુ, શ્રાવક જાણવા. બીજ ભંગમાં પ્રત્યેકબુદ્ધ અને તીર્થકરો જાણવા. - [૧૫] - એ પ્રમાણે લિંગની સાથે ભાવના કહેવા. - [૧૫] - દર્શન અને જ્ઞાનમાં પહેલા ભંગમાં ભિન્ન જ્ઞાનવાળા સાધુ અને શ્રાવક જાણવા, એ જ પ્રમાણે બીજો ભંગ જાણવો. • [૧૬] • દર્શન અને ચાસ્ત્રિમાં પહેલો ભંગ-શ્રાવક અને સાધુ, બીજો ભંગ અસમાન દર્શનવાળા યતિઓ. હવે દર્શન અને અભિગ્રહ વિશે ઉદાહરણને હું કહીશ. • [૧૭] - વિવિધ અભિગ્રહવાળા શ્રાવક અને યતિ એ પહેલો ભંગ, બીજ પણ તે જ છે.. -o- એ જ પ્રમાણે ભાવના ભાવવી –૦- એ જ પ્રમાણે જ્ઞાનની સાથે પણ ચૌભંગી જાણવી. હવે હું ચાસ્ત્રિને કહીશ. - [૧૭૮] વિભિન્ન અભિગ્રહવાળા યતિઓ તે પહેલો ભંગ, નિલવ શ્રાવક તથા યતિએ બીજે ભંગ. ૦- એ જ રીતે ભાવના વિશે પણ જાણવું. હવે છેલ્લા બે ભંગની ચૌભંગી કહીશ. • [૧૭] પહેલાં અને બીજ ભંગને વિશે યતિ, શ્રાવક અને નિલવ હોય. સામાન્ય કેવલી માટે અને તીથકને માટે કરેલું અનુક્રમે ન કહ્યું અને કહ્યું. - [૧૮] - પ્રત્યેકબુદ્ધ, નિલવ, શ્રાવક, કેવલી, સામાન્ય સાધુને આશ્રીને અને ક્ષાયિક ભાવને આશીને ભંગોને જોડવા. - [૧૮૧] • પ્રવચન અને લિંગના વિષયમાં જેને વિશે ત્રીજો ભંગ છે, તેને ન કશે. બાકીના ત્રણ ભંગોમાં ભજના જાણવી. તીર્થકર કેવલીને માટે કરેલ કલ્ય, શૈષ સાધુ માટે ન કહ્યું. - વિવેચન-૧૬૪ થી ૧૮૧ - [૧૬૪] કોઈ માણસ પોતાના પિતાના નિમિત્તે તેના નામની પ્રીતિને લીધે તેવા નામવાળાને દાન દેવા માટે સંકલ્પ કરે કે – દેવદત નામે ગૃહી કે અસ્પૃહીને મારે ભોજનાદિ રાંધીને આપવા. તો તે દેવદત્ત સાધુને ન કો પણ જો દેવદત્ત નામક ગૃહસ્યને દાન દેવાનો સંકલ્પ કરે તો તેમને યોગ્ય ભોજનાદિ સાધુને કલો. કેમકે ત્યાં સાધુનો સંકલ્પ નથી. [૧૬૫] પાખંડીને આશ્રીને મિશ્ર અને અમિશ્રમાં પૂર્વોક્ત પ્રકારે વિકલ્પ કરવો. અહીં સામાન્ય સંકલ્પવાળા મિશ્ર કહેવાય. પણ નક્કી કરેલ સંકલ વિષયવાળા અમિશ્ર કહેવાય. જેમકે સરજક પાખંડી, દેવદત્ત નામે બૌદ્ધ. પણ દેવદત્ત અને પાખંડી એવા મિશ્ર સંકલામાં દેવદત્ત સાધુને ન કશે પણ જો સંકલ્પ અમિશ્ર હોય, જેમકે - દેવદત્ત નામે સરજક પાખંડી, તો દેવદત્ત સાધુને કલો. મિશ્ર અને અમિશ્ર પાખંડી માફક શ્રમણમાં પણ વિકલ્પ કરવો. કેમકે શાક્યાદિ પણ શ્રમણ કહેવાય. દેવદત્ત નામે શ્રમણને આપવાના સંકલામાં દેવદત્ત સાધુને ન કહ્યું કેમકે મિશ્ર સંકલ છે. સાધુ સિવાયના સર્વે દેવદત્ત શ્રમણો કહ્યા હોય તો આપીશ, એમ અમિશ્ર સંકલ્પ હોય તો દેવદત્ત સાધુને કલો. પરંતુ સંયત નિર્ગુન્થોમાં તો બીજા નામવાળાને આશ્રીને સંકલ કરતા દેવદત્તાદિ નામવાળા સાધુને ન કહો. કેમકે ભગવંતની તેવી આજ્ઞા છે. પરંતુ તીર્થકર અને પ્રત્યેકબુદ્ધના સંકલ્પ વડે કર્યું હોય તો તે દેવદત્તાદિ સાધુને પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ કલો. કેમકે તીર્થકાદિનું સંઘાતીતપણું છે. સંઘમાં વર્તતા સાધુ સાથે તેમનું સાધર્મિકપણું નથી. [૧૬૬) કોઈ ગૃહસ્થ પ્રવજયા લીધેલા પિતાદિના સ્નેહથી તેની મૂર્તિ કરાવીને તેની પાસે ઘરસ્વા નિશ્રાથી કે અનિશ્રાચી બલિ નીપજાવે. નિશ્રાકૃવું - જોહરણાદિ વેશધારી મારા પિતા જેવા સાધુ છે, તેમને હું દાન આપીશ, એમ સંકલ્પથી બલિ નીપજાવે. અનિશ્રાકૃત - કોઈનો સંકલ કર્યા વિના જ ધરવા માટે બલિ નીપજાવે. તેમાં નિશ્રાકૃત હોય તો સાધુને ન કહ્યું, અનિશ્રાકૃત હોય તો કલો. જો કે તેમાં પ્રવૃત્તિ દોષ આવે. દ્રવ્ય સાધર્મિકના વિષયમાં તત્કાળ મૃત સાધુનું શરીર, તેની પાસે ઘરવા જે અશનાદિ તેના પુત્રાદિ કર્યા તે મૃતતનુભક્ત કહેવાય. તેમાં પણ પૂર્વવત્ નિશ્રાકૃતુ અને અનિશ્રાકૃ બે ભેદ છે. તેમાં નિશ્રાકૃત્ તો ન જ કશે. અનિશ્રાકૃત્ કશે ખરું, પણ તે ગ્રહણ કરવાથી લોકમાં નિંદા પ્રવર્તે છે – “અહો ! આ ભિક્ષુક તો મૃતદનુભકત પણ તજતા નથી. તેથી સાધુ તેનો પણ ત્યાગ કરે. હવે અને કાલ સાધર્મિક, [૧૬] નામ સાધર્મિકની માફક જ પાખંડી આદિની વિભાષા કરવી. તેમાં ક્ષેત્ર એટલે સૌરાષ્ટ્ર આદિ દેશ, કાલ એટલે દિવસ, પોરસ આદિ. ક્ષેત્ર • સૌરાષ્ટ્રમાં ઉત્પન્ન પાખંડીને મારે આપવું, તો સૌરાષ્ટ્રના સાધુને ન કશે. બીજે ઉત્પન્ન હોય તો કો ઈત્યાદિ બધું નામ સાધર્મિક માફક જ કહેવું. વૃિત્તિમાં વિસ્તાર છે, અમે પુનરુક્તિ છોડી દીધેલ છે.] કાલ સાધર્મિકને આશ્રીને પણ ભાવના કરવી – “વિવક્ષિત દિને ઉત્પન્ન થયેલ પાખંડીને મારે દાન આપવું છે” એમ સંકલ્પ કરે ત્યારે તે જ દિવસે ઉત્પન્ન સાધુને પણ ન કરે. ઈત્યાદિ બધું પૂર્વવતુ. પ્રવચન, લિંગ, દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ, અભિગ્રહ, ભાવના આ સાત પદમાં દ્વિકસંયોગી ર૧-ભંગો થાય છે. તે આ રીતે – (૧) પ્રવચન અને લિંગ, (૨) દર્શન સાથે, (3) જ્ઞાન સાથે એ પ્રમાણે (૪) ભાવના સાથે. એ રીતે લિંગના દર્શનાદિ સાથે પાંચ મંગો. દર્શનના જ્ઞાનાદિ સાથે ચાર મંગો. જ્ઞાનના ચામિાદિ સાથે ત્રણ મંગો. ચારિત્રના અભિગ્રહાદિ સાથે બે ભંગો અને અભિગ્રહનો ભાવના સાથે એક ભંગ એમ કુલ-૨૧. આ પ્રત્યેકમાં એકૈક ચતુર્ભગી. જેમકે - પ્રવચનથી સાઘર્મિક, લિંગથી નહીં. લિંગથી સાધર્મિક પણ પ્રવચનથી નહીં. બંનેથી સાઘર્મિક. બંનેથી સાઘર્મિક નહીં. |[૧૬૮] ૧- પ્રવચનથી સાઘર્મિક, લિંગથી નહીં. અવિરત સમકિતીથી શ્રાવકની દશમી પ્રતિમાને પ્રાપ્ત શ્રાવકો પહેલાં ભંગમાં આવે. શિશુ - કેશ સહિત. તેઓ પ્રવચનથી સાધર્મિક છે પણ લિંગથી નથી. ૧૧-મી પ્રતિમા વાળા કેશ રહિત હોય. તેથી લિંગથી સાધર્મિક હોવાથી તેને વર્જેલ છે. -- લિંગથી સાધર્મિક, પ્રવચનથી નહીં - તે નિહવો. તેઓ પ્રવચન બાહ્ય હોવાથી પ્રવચનથી સાધર્મિકપણું નથી, પણ Page #46 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૧૬૪ થી ૧૮૧ વેશ હોવાથી લિંગ સાધર્મિક છે. વળી નિહ બે ભેદે લોકમાં પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ. તેમાં અહીં પ્રસિદ્ધ લેવા. અહીં બધે જ પહેલાં બે ભંગ કહેવાથી બાકીના બે ભંગ શ્રોતા સ્વયં સમજશે, એમ માની નિયુક્તિકારે બતાવેલા નથી. -૩- બંનેથી સાધર્મિક, તે સાધુ અને ૧૧-મી પ્રતિમાધારી શ્રાવક. -૪- બંનેથી નહીં તે તીર્થંકર, પ્રત્યેક બુદ્ધ. બીજી ચૌભંગી - પ્રવચન અને દર્શનથી. જેમકે -૧- પ્રવચનથી સાધર્મિક પણ દર્શનથી નહીં. ઈત્યાદિ ચાર. તેમાં પહેલાં બે કહે છે. 1 93 [૧૬૯] કેટલાંક સાધુ કે શ્રાવકોને ક્ષાયોપશમિક દર્શન હોય. બીજા કેટલાંકને ઔપશમિક કે ક્ષાયિક દર્શન હોય. તેઓ પરસ્પર પ્રવચનથી સાધર્મિક છે, દર્શનથી નથી. -૨- દર્શનથી સાધર્મિક, પ્રવચનથી નહીં, તે તીર્થંકર કે પ્રત્યેકબુદ્ધ. +3બંનેથી સાધર્મિક, સાધુ કે શ્રાવકો -૪- બંનેથી સાધર્મિક નહીં, જેમકે - તીર્થંકર, પ્રત્યેકબુદ્ધ અને નિવ. તેમાં તીર્થંકર અને પ્રત્યેકબુદ્ધ ભિન્ન દર્શનવાળા છે. નિર્ણવો તો મિથ્યાર્દષ્ટિ જ છે. હવે ત્રીજી સૌભંગી - પ્રવચન અને જ્ઞાનની છે. ચોથી - પ્રવચન અને ચારિત્રની છે. તેનો અતિદેશ કરતાં કહે છે - [૧૭૦] પ્રવચનની સાથે દર્શનની ચૌભંગી કહી. તેમ જ્ઞાન અને ચાસ્ત્રિ પણ સાથે જાણવું. જેમકે - પ્રવચનથી સાધર્મિક પણ જ્ઞાનથી નહીં, ઈત્યાદિ. ભંગ – (૧)માં સાધુ અને શ્રાવકો, જે ભિન્ન જ્ઞાનવાળા હોય તે લેવા. શેષ બધું કથન દર્શનની ચૌભંગી મુજબ જાણવું. તથા (૧) પ્રવચનથી સાધર્મિક પણ ચાસ્ત્રિથી સાધર્મિક ન હોય. તેમાં અસમાન ચાસ્ત્રિવાળા સાધુ લેવા અને શ્રાવકો તો અવિરતિ કે દેશ વિરતિ હોવાથી ચાત્રિથી સાધર્મિકપણાનો અભાવ સ્પષ્ટ છે. શેષ સર્વ કથન ન દર્શનની સૌભંગી મુજબ જ જાણવું. હવે પાંચમી ચૌભંગી – પ્રવચનથી સાધર્મિક, અભિગ્રહથી નહીં. ઈત્યાદિ ચાર. છઠ્ઠી ચૌભંગી ભાવનાની સાથે જાણવી. તે આ રીતે – [૧૭૦,૧૭૧] પ્રવચનથી સાધર્મિક હોય, અભિગ્રહથી ન હોય. તેમાં પોતાનાથી ભિન્ન અભિગ્રહવાળા શ્રાવકો અને સાધુઓ જાણવા. શેષ સર્વ કથન પ્રવચન અને દર્શનની ચૌભંગી અનુસાર જ વૃત્તિકારે નોંધેલ છે, તે જાણવું. પ્રવચન અને ભાવના. (૧) પ્રવચનથી સાધર્મિક પણ ભાવનાથી ન હોય, તે સાધુ અને શ્રાવક જુદી જુદી ભાવનાવાળા જાણવા. શેષ કયન પ્રવચન અને દર્શન મુજબ જ ગોઠવી લેવું. છ ચૌભંગી કહી. હવે બાકીની ચૌભંગી હું કહીશ. [૧૭૨] લિંગ અને દર્શનાદિ પદોને વિશે દર્શન, જ્ઞાનાદિ પદોની સાથે જે ચૌભંગી છે, તેને પૂર્વે કહ્યા. પ્રમાણે કહેવી. ભાવાર્થ આ છે – લિંગ અને દર્શનના ચાર ભાંગા ઉદાહરણ સહિત કહેવાશે તેવા જ પ્રાયઃ ઉદાહરણ અપેક્ષાએ લિંગ અને પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ જ્ઞાનના, લિંગ અને ચરણના પણ ભાંગાઓ પણ હોય છે તેથી તેને છોડીને લિંગ અને દર્શન, લિંગ અને અભિગ્રહના ભેદોને કહીશ. (૧) લિંગથી સાધર્મિક, દર્શનથી નહીં ઈત્યાદિ ચતુર્ભગી. તે આ – [૧૭૩] લિંગથી સાધર્મિક પણ દર્શનથી નહીં. તે ભિન્ન દર્શનવાળા અને નિહવો જાણવા. નિહવો મિચ્છાદૃષ્ટિ હોવાથી સાધર્મિક નથી. (૨) દર્શનથી સાધર્મિક પણ લિંગથી નહીં. તેમાં પ્રત્યેકબુદ્ધો અને તીર્થંકર તથા ૧૧-મી પ્રતિમાના ધારક સિવાયના સમાન દર્શનવાળા શ્રાવકો જાણવા. ૭૪ લિંગ અને જ્ઞાનની ચૌભંગી-પ્રાયઃ લિંગ અને દર્શનની ચૌભંગી સમાન છે. વૃત્તિકારે નોંધી છે, પણ અમે પુનરુક્તિ કરેલ નથી. લિંગ અને ચાસ્ત્રિની સૌભંગી - આ પણ પૂર્વવત્ હોવાથી નિયુક્તિકારે નોંધેલ નથી. વૃત્તિકારશ્રીએ નોંધેલ છે, પણ અમે પુનરુક્તિ છોડી દીધી છે. હવે લિંગ અને અભિગ્રહની ચૌભંગી. (૧) લિંગથી સાધર્મિક પણ અભિગ્રહથી નહીં ઈત્યાદિ ચાર ભંગો. [૧૭૪] -૧- લિંગ વડે સાધર્મિક, અભિગ્રહ વડે નહીં. તે અભિગ્રહ રહિત કે ભિન્ન ભિન્ન અભિગ્રહવાળા યતિઓ, ૧૧-મી પ્રતિમાધારી શ્રાવકો જાણવા. ઉપલક્ષણથી નિહવો પણ જાણવા. અહીં નિહવ અને શ્રાવક માટે કરેલું યતિને કલ્પે. પણ યતિ માટે કરેલ ન કલ્પે. શેષ પૂર્વવત્ હવે લિંગ અને ભાવનાની ચૌભંગી -૧- લિંગથી સાધર્મિક પણ ભાવનાથી નહીં. ઈત્યાદિ. તેના ઉદાહરણો અતિદેશથી કહે છે – [૧૭૫] લિંગને વિશે અભિગ્રહ વડે કરેલા ભંગોના ઉદાહરણ માફક જ ભાવનાની સાથે ઉદાહરણો કહેવા. તે આ પ્રમાણે - લિંગથી સાધર્મિક હોય ભાવનાથી ન હોય. તે ભાવના રહિત કે જુદી જુદી ભાવનાવાળા સાધુ, ૧૧-મી પ્રતિમાવાળા શ્રાવકો અને નિર્હાવો જાણવા. અહીં શ્રાવક અને નિવ માટે કરેલું કહ્યું, પણ સાધુને માટે કરેલું ન કો. બાકીના ત્રણે ભંગો પૂર્વવત્ સમજી લેવા. આ રીતે લિંગવિષયક પાંચ ચૌભંગી કહી. હવે દર્શનની જ્ઞાન સાથે સૌભંગી. દર્શનથી સાધર્મિક પણ જ્ઞાનથી નહીં ઈત્યાદિ ચાર. તેમાં પહેલા બે ભંગને કહે છે. દર્શનથી સાધર્મિક પણ જ્ઞાનથી નહીં, તેમાં ભિન્ન જ્ઞાનવાળા પણ સમાન દર્શનવાળા સાધુ અને શ્રાવકો જાણવા. (૨) જ્ઞાનથી સાધર્મિક પણ દર્શનથી નહીં, અહીં ભિન્ન દર્શન પણ સમાન જ્ઞાનવાળા લેવા. (૩) તે બંનેથી સાધર્મિક, (૪) તે બંનેથી સાધર્મિક નહીં. દર્શન અને ચાસ્ત્રિની ચઉભંગીમાં પહેલાં બે ભંગ કહે છે. [૧૭૬] દર્શનથી સાધર્મિક હોય પણ ચાસ્ત્રિથી ન હોય. તે સમાન દર્શનવાળા શ્રાવકો અને અસમાન ચાસ્ત્રિવાળા સાધુઓ જાણવા. અહીં શ્રાવક માટે કલ્પે, સાધુ Page #47 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૧૬૪ થી ૧૮૧ માટે કરેલ ન કો. બાકી દર્શન અને જ્ઞાનની ચૌભંગી મુજબ જાણવું. —— દર્શન અને અભિગ્રહની ચૌભંગી – (૧) દર્શનથી સાધર્મિક પણ અભિગ્રહથી નહીં. (૨) દર્શનથી સાધર્મિક નહીં પણ અભિગ્રહથી સાધર્મિક હોય ઈત્યાદિ ચાર. તેમાં પ્રથમ બે ભંગ કહે છે – 94 [૧૭૭ પહેલાં ભંગમાં સમાન દર્શન પણ જુદા જુદા અભિગ્રહવાળા શ્રાવક અને સાધુઓ લીધા. તેમાં શ્રાવક માટે કરેલ કલ્પે. સાધુ માટે કરેલું ન કલ્પે. (૨) બીજા ભંગમાં ફક્ત સાધુ અને શ્રાવક જે અસમાન દર્શનવાળા પણ સમાન અભિગ્રહવાળા લેવા. ઉપલક્ષણથી સમાન અભિગ્રહવાળા નિહવો પણ લેવા. અહીં શ્રાવક અને નિર્હાવ માટે કરેલ કલ્પે, સાધુ માટે કરેલ ન કો. હવે દર્શન અને ભાવનાની ચૌભંગી – (૧) દર્શનથી સાધર્મિક પણ ભાવનાથી નહીં ઈત્યાદિ. તેમાં પહેલાં બે ભંગના ઉદાહરણને અતિદેશથી કહે છે – દર્શન અને અભિગ્રહની માફક જ અહીં બધું કહેવું. જેમકે – અસમાન ભાવનાવાળા અને સમાન દર્શનવાળા શ્રાવક અને સાધુ જાણવા. હવે જ્ઞાનની ચાસ્ત્રિાદિ સાથેની ત્રણ ચઉભંગી કહે છે. જેમ દર્શનની ચઉભંગી કહી, તેમ જ્ઞાનની સાથે ચાસ્ત્રિાદિ પદોને આશ્રીને ત્રણ ચઉભંગી જાણવી. જેમકે જ્ઞાન અને ચારિત્રની પહેલી ચઉભંગી - જ્ઞાનથી સાધર્મિક હોય પણ ચાત્રિથી ન હોય ઈત્યાદિ ચાર. તેમાં સમાન જ્ઞાનવાળા શ્રાવકો તથા અસમાન ચાસ્ત્રિવાળા અને સમાન જ્ઞાનવાળા સાધુઓ જાણવા. અહીં શ્રાવકને માટે કરેલ કલ્પ, સાધુ માટે કરેલ ન કો. (૨) ચાસ્ત્રિથી સાધર્મિક અને જ્ઞાનથી ન હોય, તેમાં ભિન્ન જ્ઞાનવાળા અને અભિન્ન ચાસ્ત્રિવાળા સાધુઓ જાણવા. તેઓ માટે કરેલું ન કો. હવે જ્ઞાન અને અભિગ્રહવાળી ચઉભંગી - જ્ઞાનથી સાધર્મિક પણ અભિગ્રહથી નહીં ઈત્યાદિ ચાર. તેમાં ભંગ-૧-માં સમાન જ્ઞાનવાળા ૫ણ અસમાન ભાવવાળા સાધુ અને શ્રાવક કહેવા. (૨) અસમાન જ્ઞાનવાળા અને સમાન ભાવનાવાળા સાધુ અને શ્રાવક તથા સમાન ભાવવાળા નિહવો જાણવા. કણ્યાકલ્પની ભાવના પૂર્વવત્ છે. હવે ચાસ્ત્રિની સાથે બે ચૌભંગી – બે ચઉભંગી થાય, તે આ – (૧) ચાત્રિ અને અભિગ્રહની - જેમાં ચાસ્ત્રિથી સાધર્મિક હોય, અભિગ્રહથી ન હોય. ઈત્યાદિ ચાર. તેમાં પહેલા બે ભંગ કહે છે – [૧૭૮] ચાસ્ત્રિથી સાધર્મિક પણ અભિગ્રહથી નહીં એ પહેલો ભંગ છે. તેમાં સમાન ચાસ્ત્રિવાળા અને અસમાન અભિગ્રહવાળા સાધુ જાણવા. તેઓ માટે કરેલ ન કો. (૨) અભિગ્રહથી સાધર્મિક પણ ચાસ્ત્રિથી નહીં તેમાં અસમાન ચારિત્રિ સાધુ અને સમાન અભિગ્રહવાળા નિહવો અને શ્રાવકો જાણવા. શ્રાવક અને નિર્હાવ માટે કરેલું કો, સાધુ માટેનું ન કહ્યું. હવે ચાત્રિ અને ભાવનાની ચઉભંગી. જેમાં કહે છે કે જે પ્રમાણે ચાત્રિની ૩૬ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ સાથે અભિગ્રહમાં કહ્યું, તેમજ ભાવના વિશે પણ કહેવું. [અમે તેનો વિસ્તાર કરતાં નથી. વૃત્તિકારે કરેલ છે. હવે અભિગ્રહ અને ભાવનાની એક ચઉભંગી કહે છે – (૧) અભિગ્રહથી સાધર્મિક પણ ભાવનાથી નહીં. (૨) ભાવનાથી સાધર્મિક પણ અભિગ્રહથી નહીં. (૩) બંનેથી સાધર્મિક. (૪) બંનેથી સાધર્મિક નહીં. તેમાં પહેલાં બે ભંગનું ઉદાહરણ આપતા કહે છે – [૧૭૯] -૧- અભિગ્રહથી સાધર્મિક પણ ભાવનાથી ન હોય. આમાં સમાન અભિગ્રહવાળા પણ અસમાન ભાવનાવાળા જાણવા. -૨- સમાન ભાવનાવાળા પણ અસમાન અભિગ્રહવાળા જાણવા. -૩- અભિગ્રહ અને ભાવના બંનેથી સાધર્મિક હોય, તે સમાન ભાવના અને અભિગ્રહવાળા સાધુ, શ્રાવક, નિહવ જાણવા. -૪અભિગ્રહથી સાધર્મિક નહીં, ભાવનાથી, પણ સાધર્મિક નહીં. - ૪ - ચારેમાં શ્રાવક અને નિહવ માટે કરેલું કથે સાધુ માટે કરેલ ન કો. –– હવે કેવલી અને તીર્થંકરનું કલ્યાણ્ય – કેવલજ્ઞાની સામાન્ય સાધુ માટે કરેલ કહેતાં શેષ સાધુ પણ લેવા. તીર્થંકર માટે કહેવાથી પ્રત્યેકબુદ્ધ પણ લેવા. તેથી શેષ સાધુ માટે કરેલું ન પે, પણ તીર્થંકર અને પ્રત્યેકબુદ્ધ માટે કરેલું કરે. જેમને આશ્રીને પૂર્વોક્ત ૨૧-ભંગો સંભવે છે, તે કહે છે – [૧૮૦] પ્રત્યેકબુદ્ધોને, નિહવોને, શ્રાવકોને, તીર્થંકરોને, શેષ સાધુઓને આશ્રીને તથા ક્ષાયિક-ક્ષાયોપશમિક - ઔપશમિક સમ્યકત્વને તથા વિવિધ જ્ઞાનો, ચાસ્ત્રિો, અભિગ્રહો અને ભાવનાઓને આશ્રીને ભંગોને જોડવા જોઈએ. તેમાં પ્રવચન અને લિંગની પહેલી ચઉભંગીને આશ્રીને વિશેષથી કલ્યાકલ્પ વિધિને કહે છે – [૧૮૧] ‘પ્રવચનથી અને લિંગથી બંનેમાં સાધર્મિક હોય' તેને વિશે ન કલ્પ. કેમકે પ્રત્યેકબુદ્ધ અને તીર્થંકર સિવાયના પ્રવચનથી અને લિંગથી બંને સાધર્મિક સાધુઓ છે. તેથી તેમને માટે કરેલું ન કહ્યું. ૧૧-મી પ્રતિમા વાહક શ્રાવક ત્રીજા ભંગમાં આવે છે, તો પણ તેને માટે કરેલું કલ્પે છે. બાકીના ત્રણ ભંગને વિશે ભજના જાણવી. હવે ચારે ભંગ માટે સામાન્યકથન – તીર્થંકર કેવલી માટે કરેલ કલ્પે. જેને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હોય એવા જ તીર્થંકર પ્રાયઃ સર્વત્ર જગમાં પ્રસિદ્ધ છે. પણ પ્રસિદ્ધ તીર્થંકર માટે કરેલું ન કો એમ જણાવવા કેવલી શબ્દ લીધો. છાસ્થાવસ્થામાં પણ તીર્થંકરપણે પ્રસિદ્ધ થયા હોય તો તેમના નિમિત્તે કરેલું કલ્પે છે. તીર્થંકરના ઉપલક્ષણથી અહીં પ્રત્યેકબુદ્ધ પણ લેવા. તેથી તેમને માટે કરેલું કરે પણ બાકીના સાધુ માટે કરેલું ન કલ્પે. બાકીના ત્રણમાં ભજના કહી છે. એ પ્રમાણે કલ્યાકલ્પનો વિધિ કહ્યો. [અમે અનુવાદમાં તે અતિ સંક્ષેપમાં રજૂ કર્યો છે.] ‘જણ વાવિ’ પદનું વ્યાખ્યાન કર્યુ. હવે ‘f, વાવ' પદનું વ્યાખ્યાન Page #48 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૧૬૪ થી ૧૮૧ કરવાને કહે છે – 99 • મૂલ-૧૮૨ : તે આધાકર્મ શું છે ? એમ પૂછતા ગુરુ મહારાજ તેનું સ્વરૂપ કહેવા માટે તથા તેનો સંભવ દેખાડવાને અશનાદિકને કહે છે. • વિવેચન-૧૮૨ : તે આધાકર્મના સ્વરૂપને કહેવા તથા તે આધાકર્મના સંભવને દેખાડવા માટે અશન, પાન, ખાદિમ, સ્વાદિમને કહે છે. x - આધાકર્મને જણાવવા – જે આ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ સાધુને મરાટે કરેલા છે, એમ જાણવા કે સાંભળવામાં આવેલ હોય તો તે ભક્ત, પાન, સાધુને અકલ્પ્ય છે, તેથી દેનારને પોતે પ્રતિષેધ કરે કે – મારે તેવું કો નહીં. હવે અશનાદિકનું જ વ્યાખ્યાન કરે છે – • મૂલ-૧૮૩/૧નું વિવેચન : શાલી વગેરે ‘અશન' છે. 'વટ' ખાડો, ઉપલક્ષણથી વાવ, કુવો, તળાવ આદિ છે. કેમકે તેમાં રહેલ જળ તે ‘પાન' છે. ફળ-નાળિયેર આદિ, ચિંચિણિકા, પુષ્પ તે ‘ખાદિમ' છે. સુંઠ વગેરે ‘સ્વાદિમ' છે. અશનાદિ કહ્યા. હવે આધાકર્મરૂપ આ બધાંના ચાર ભંગો કહે છે. • મૂલ-૧૮૩/૨ : સાધુને માટે કરવાનો પ્રારંભ કર્યો અને નિષ્ઠિત કર્યું આદિ ચાર ભંગો થવા. તેમાં બે શુદ્ધ છે અને બે અશુદ્ધ છે. • વિવેચન-૧૮૩/૨ - સાધુને માટે કરવાનો આરંભ કર્યો તથા સાધુને માટે સર્વથા અચિત કર્યુ. એ વિષયમાં ચાર ભંગો છે. (૧) સાધુ માટે આરંભ્યુ, તેમને માટે જ નિષ્ઠિત કર્યુ. (૨) સાધુ માટે આરંભી બીજાને માટે નિષ્ઠા પહોંચાડી. (૩) બીજા માટે કરવાનું આરંભ્યુ અને સાધુ માટે નિષ્ઠા પમાડ્યું. (૪) અન્યને માટે આરંભ્યુ અને અન્યને માટે નિષ્ઠા પમાડ્યું. પહેલો ભંગ કહ્યો. હવે બીજો કહે છે – સાધુને માટે આરંભ્યુ, પછી દાતારને સાધુવિષયક દાનના પરિણામનો અભાવ થવાની બીજા માટે નિષ્ઠા પમાડે૰ ઈત્યાદિ. આ પ્રમાણે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ દરેકને વિષે ચાર ચાર ભંગ થાય છે. તેમાં બીજો અને ચોથો ભંગ સાધુને આસેવના યોગ્ય છે કેમકે સાધુ માટે નિષ્ઠિત કરેલ નથી. પહેલો અને ત્રીજો ભંગ અકલ્પ્ય છે. કેમકે નિષ્ઠા પ્રધાન છે, તે ન કો. હવે અશનાદિરૂપ આધાકર્મ સંભવ : • મૂલ-૧૮૪ થી ૧૮૯ : છ ગાથામાં એક કથાનક જ છે. જે વિવેચનમાં કહેલ છે. • વિવેચન-૧૮૪ થી ૧૮૯ : સંકુલ નામે ગામ, જિનદત્ત શ્રાવક, જિનમતિ નામે તેની પત્ની છે. તે ગામમાં કોદરા અને રાલક ઘણાં ઉત્પન્ન થાય છે. તેથી સાધુને પણ તે જ બધે મળે છે. વસતિ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ પણ કલ્પ્ય છે. તે વસતિમાં સ્વાધ્યાય પણ વિઘ્નરહિત વૃદ્ધિ પામે છે. કેવળ શાલિનો ઓદન પ્રાપ્ત થતો નથી. તેથી કોઈપણ આચાર્ય ભગવંત સમુદાય સહિત ત્યાં રહેતા નથી. st કોઈ વખતે સંકુલ ગામની પાસે ભદ્રિલ ગામમાં કોઈ આચાર્ય પધાર્યા. તેમણે સંકુલ ગામની પ્રત્યુપેક્ષણા કરવા સાધુને મોકલ્યા. સાધુ પણ ત્યાં જઈ આગમાનુસાર જિનદત્ત શ્રાવક પાસે વસતિ માંગી. ત્યાં રહ્યા. ભિક્ષાટન અને બહિર્ભૂમિ ઈત્યાદિ વડે ગામની પ્રત્યુપેક્ષણા કરી. જિનદત્તે પણ યથાવિધિ બધાને વાંદીને મહત્તને પૂછ્યું – ક્ષેત્ર પસંદ પડ્યું ? સાધુ બોલ્યા – “વર્તમાન યોગ''. જિનદત્તને થયું, બીજા પણ આવે છે, પરંતુ કોઈ સાધુ અહીં રહેતા નથી, કારણ શું ? કોઈ સરળ સાધુને પૂછતાં જાણું કે બધાં ગુણ છે, પણ આચાર્યને યોગ્ય શાલિ ઓદન નથી મળતો. તે જાણી જિનદત્તે શાલી વાવ્યા. ઘણાં શાલી નીપજ્યા. કોઈ આચાર્ય પધાર્યા. આચાર્ય ભગવંત પધારે એવી આશાએ સાધુને શાલિ ઓદન વહોરાવવા વિચાર્યુ, સર્વે સ્વજનને ત્યાં શાલિ મોકલ્યા. જેથી સાધુને આધાકર્મની શંકા ન આવે. એષણા સમિતિ સહિત ભિક્ષાટન કરતા સાધુઓએ બાળકોના વચનો સાંભળ્યા, કે આ તે સાધુઓ છે જેના કારણે અમારા ઘેર શાલિઓદન રંધાયા - છે. ઈત્યાદિ વચનો સ્થાને-સ્થાને અલગ પ્રકારે સાંભળ્યા. કોઈ દરિદ્ર બોલ્યો કે અમારે તો “થક્કે ચક્કાવડિય'' પ્રાપ્ત થયું. અર્થાત્ અવસરમાં અવસરને અનુસરતી વસ્તુ પ્રાપ્ત થઈ. - ૪ - ૪ - ત્યારે સાધુઓએ શંકા જતાં પૂછ્યું કે X“બધે આ પ્રમાણે શાલિ-ઓદનની વાત કેમ સંભળાય છે? સરળ લોકોએ કહી દીધું. આ પ્રમાણે નિશ્ચે આ શાલિ આધાકર્મ છે, એમ જાણીને તે સર્વે ઘરોનો ત્યાગ કરી, બીજા ઘરોમાં ભિક્ષા અટન કરવા લાગ્યા. આ રીતે નિશ્ચે નિષ્કલંક સંયમ ઈચ્છનારે આધાકર્મ તજવું. આધાકર્મી અશનનો સંભવ કહ્યો, હવે પાનનો કહે છે – • મૂલ-૧૯૦ : એ પ્રમાણે જ ખારા પાણીને વિશે જાણવું. તેમાં ભૂમિ ખોદી મીઠું પાણી કાઢી તે કૂવાને ત્યાં સુધી ઢાંકી રાખે, જ્યાં સુધી સાધુ આવે. • વિવેચન-૧૯૦ : કોઈ ગામમાં બધાં કૂવા ખારા પાણીના હતા અર્થાત્ આમળા જેવા પાણીવાળા હતા. ત્યાં પ્રત્યુપેક્ષણા માટે સાધુ આવ્યા. પૂર્વવત્ શ્રાવકે આદરસહિત ત્યાં રહેવાનું કહ્યું. તો ૫ણ સાધુ ત્યાં ન રહ્યા. કોઈ સરળ સાધુએ કહી દીધું કે – આ ગામમાં સર્વે ગુણો છે પણ પાણી ખારુ છે માટે અમે રહેતા નથી. પછી શ્રાવકે મીઠા પાણીનો કૂવો ખોદાવ્યો. પછી તેને પાટિયા આદિથી ઢાંકી દીધો. જ્યારે સાધુ આવ્યા ત્યારે તેણે બધાંને ઘેર મીઠું પાણી મોકલી દીધું, જેથી આધાકર્મની શંકા ન રહે. પૂર્વવત્ બાળકોના વચનથી તે વાત જાણી, આધાકર્મી પાણીને કારણે તે ગામનો ત્યાગ કર્યો. Page #49 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૧૯૦ આ રીતે નિશ્ચે આધાકર્મ પાનકનો સંભવ દેખાય, ત્યાં ત્યાગ કરવો. —– હવે ખાદિમ અને સ્વાદિમ આધાકર્મ – E • મૂલ-૧૯૧ - કાકડી, કેરી, દાડમ, દ્રાક્ષ, બીજોરુ આદિ ખાદિમને વિશે તથા ત્રિકટુ આદિ સ્વાદિમને વિશે અધિકરણ-પપનું કરવું થાય છે. • વિવેચન-૧૯૧ : જો કોઈ ખાદિમ માટે કાકડી આદિ વાવે, સ્વાદિમ માટે સુંઠ, પીપર આદિ વાવે, તો અશન, પાનની જેમ અધિકરણ-પાપક્રિયા થાય છે. - મૂલ-૧૯૨ : અશનાદિ ચારેમાં જે આમ કર્યુ હોય તેને સાધુને ગ્રહણ કરવા લાયક કરવું તે નિષ્ઠિત જાણવું, જે પકાવવા આરંભેલ હોય તે કૃત જાણવું. • વિવેચન-૧૯૨ : મ - અપરિણત, અચિત્ત ન થયેલ. તેને પ્રાસુક-સચિત્ત કરવું તે. નિષ્ઠિત જાણવું. અચિત કરવાને આરંભેલ તે કૃત્ જાણવું. • મૂલ-૧૯૩ - ત્રણ વખત અત્યંત ખાંડવું જેવું થાય તે કંડિત ચોખા નિષ્ઠિત કહેવાય. એક-બે વાર ખાંડ્યા હોય તે કૃત કહેવાય. નિષ્ઠિત અને કૃત એવો જે દૂર તે બમણું આધાકર્મ કહેવાય છે. • વિવેચન-૧૯૩ : તંદુલ, પહેલાં સાધુને માટે વાવ્યા, પછી સાળ રૂપ થયા. પછી તેને ખાંડ્યા. કેવા પ્રકારે ? ત્રિગુણ - ત્રણવાર. આવા તંદુલ નિષ્ઠિત કહેવાય. પણ વાવવાથી આરંભીને એક કે બે વાર ખાંડેલા તે કૃત કહેવાય. અથવા સાધુ માટે વાવ્યા ન હોય પણ ત્રણ વાર ખાંડ્યા હોય તો પણ નિષ્ઠિત કહેવાય. વૃદ્ધ સંપ્રદાય એવો છે કે – બે વાર સુધી સાધુ માટે ખાંડે, પણ ત્રીજીવાર પોતા માટે ખાંડી, પોતા માટે રાંધે તો તે સાધુને કલ્પે છે. બીજા મતે તેવા ઓદન પોતા માટે રાંધી એક જણ બીજાને આપે, તે અન્યને આપે, એમ હજાર સ્થાન સુધી જાય તો તે સાધુને કલ્પે. તે પહેલાં ન કલ્પે. બીજા મતે તો તે પણ ન કલ્પે. વળી જો બે વાર કે ત્રણ વાર પોતાના માટે ખાંડીને રાંધે સાધુને માટે તો તે ન કો. જો એક કે બે વાર સાધુ કે પોતા માટે ખાંડે, ત્રીજીવાર સાધુ માટે જ ખાંડે અને તેના જ વડે સાધુ નિમિત્તે ક્રૂર તૈયાર કર્યો હોય તો તે “નિષ્ઠિતકૃત” કહેવાય અર્થાત્ નિષ્ઠિત થયેલા આધાકર્મી તંદુલ વડે નિષ્પન્ન કર્યો - રાંધ્યો. તે સાધુને સર્વથા ન કો. કેમકે નિષ્ઠિતકૃતને તીર્થંકરાદિ બમણું આધાકર્મ કહે છે. હવે અશનાદિ ચારે માટે કૃતનિષ્ઠિતપણાને કહે છે – વાવણીથી આરંભીને બે વખત ખાંડ્યા સુધી કૃત, ત્રીજી વાર ખાંડ્યુ તે નિષ્ઠિતપણું કહેવાય. પાણી-કૂવા પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ ખોદવાથી સર્વથા પ્રાસુક ન થાય ત્યાં સુધી કૃત અને પ્રાસુક થાય પછી નિષ્ઠિત. ખાદિમ-કાકડી આદિ વાવે, ઉગે, કાષે તેમાં જ્યાં સુધી પ્રારુક ન થાય ત્યાં સુધી કૃત, પ્રાસુક થાય ત્યારે નિષ્ઠિત, એ પ્રમાણે સ્વાદિમમાં પણ જાણવું, સર્વ સ્થાને બીજોચોથો ભંગ શુદ્ધ ગણવા. .. હવે ખાદિમ, સ્વાદિમને આશ્રીને બીજા મતને દૂર કરવા કહે છે – • મૂલ-૧૯૪ થી ૧૯૮ 3 [૧૯૪] ફલાદિને માટે વાવેલા વૃક્ષની છાયાને પણ કેટલાંક વર્ષે છે, તે યોગ્ય નથી, કેમકે બીજા ભંગમાં તેનું ફળ પણ કરે છે. [૧૯૫] બીજાના હેતુવાળી છાયા છે, તે છાયા વૃક્ષની જેમ કર્તાએ વૃદ્ધિ પમાડી નથી. છતાં આમ કહેનારને જ્યારે વૃક્ષની છાયા નષ્ટ થશે ત્યારે કલ્પશે. [૧૯૬] છાયા વૃદ્ધિ અને હાનિ પામે છે, તેથી તેના વડે સ્પશયિલ એક પણ ગામની વસતિ પૂર્તિકની જેમ નહીં કો, તથા સૂર્ય કંઈ સાધુને આશ્રીને છાયા બનાવતો નથી. [૧૯૭] વિરલ વાદળા ચાલતા હોય એવું આકાશ થતાં છાયા નાશ પામી હોય તો પણ ફરી થાય છે. તેથી તડકો હોય ત્યારે છાયા કલ્પ, તડકો હોય તો તેનો ત્યાગ કરવો તેમ ન થાય. [૧૯૮] આધાકર્મના લક્ષણ રહિત હોવાથી આ દોષ સંભવતો જ નથી. તો પણ સાધુઓ તે છાયાને વર્ષે તો પમ તેઓ દોષરહિત જ છે. • વિવેચન-૧૯૪ થી ૧૯૮ ઃ - [૧૯૪] ફળ, પુષ્પ કે બીજા કોઈ હેતુથી સાધુ નિમિત્તે વાવેલા વૃક્ષની છાચાને પણ કેટલાંક અગીતાર્થો આધાકર્મી ધારીને તજે છે. પણ તે યોગ્ય નથી. કેમકે પણ જો નિષ્ઠિત દોષ ન હોય તો બીજા ભંગમાં વર્તતુ હોય ત્યારે તેનું ફળ પણ કો છે. તો પછી છાયા તો કલ્પે જ ને ? વળી વૃક્ષ સાધુને છાયા લેવા માટે વવાયુ નથી, તો પછી છાયા કેમ ન કો ? [૧૯૫] તે છાયા સૂર્યના હેતુવાળી છે, માત્ર વૃક્ષના નિમિત્તવાળી નથી કેમકે સૂર્યના અભાવે છાયાનો અભાવ હોય છે. - ૪ - વૃક્ષ તો છાયાનું નિમિત્ત માત્ર છે. આટલાથી તે છાયા દૂષણવાળી ન થાય. કેમકે છાયાના પુદ્ગલો વૃક્ષના પુદ્ગલથી જુદા છે. વૃક્ષ વાવનારે તે છાયાને વધારી નથી. તેથી છાયા આધાકર્મી નથી. વળી જો છાયાને આધાકર્મી માની ત્યાં બેસવું ન કહ્યું તો જ્યારે મેઘના સમૂહથી વ્યાપ્ત આકાશમંડળ હોય ત્યારે વૃક્ષ છાયા રહિત થતાં શીતના ભયાદિથી તેની નીચે બેસવું કલ્પે, તે પણ યોગ્ય નથી. તેથી તે વૃક્ષ જ આધાકર્મી છે તેવું કલ્પી, તેણે સ્પર્શેલ પ્રદેશો પણ પૂતિ છે તેમ માનવું પડે. પણ છાયા આધાકર્મી ન મનાય. બીજું પણ દૂષણ કહે છે. [૧૯૬] છાયા, સૂર્યની ગતિથી વૃદ્ધિ કે હાનિ પામે છે. સૂર્યના ઉદય અને અસ્ત કાળે અતિ લાંબી વૃદ્ધિ પામતી છાયા આખા ગામને વ્યાપીને રહે છે, તેથી તો સમગ્ર વસતિ ત્રીજા ઉદ્ગમ દોષથી દૂષિત થયેલા અશનાદિ માફક નહીં કો. પણ Page #50 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૧૯૪ થી ૧૯૮ તેવું આગમમાં કહ્યું નથી, માટે વૃક્ષની છાયા આધાકર્મી નથી. છતાં પણ આઘાકર્મી લાગતી હોય તો - [૧૯] મેઘ-વાદળા આકાશમાં થાય ત્યારે સૂર્ય ઢંકાઈ જતાં, તડકાના અભાવે તે વૃક્ષ નીચેનો પ્રદેશ સેવવો કો, આતા હોય ત્યારે વર્જવો કશે. આવો વિષયવિભાગ સૂરમાં કહ્યો નથી. પૂર્વ પુરુષે આચરેલ નથી. અન્યને સંમત પણ નથી. * * * * * ધે છાયાના નિર્દોષપણાની સમાપ્તિને તથા બીજા અગીતાર્થ ધાર્મિકને કંઈક આશ્વાસન કહે છે – [૧૯૮] અહીં આધાકર્મી દોષ સંભવતો જ નથી. - X - અથવા આધાકર્મી છાયાને પણ નિકો અતિ દયાળુ સાધુ વર્જતા હોય તો તે તેઓ દોષ રહિત જ છે. આ રીતે ન વાવ પદની વ્યાખ્યા કરી. હવે પરપર્વની ય સપર્વની બે હારની વ્યાખ્યા કરતા, નિષ્ઠિત અને કૃતાનું સ્વરૂપ અને તે બંનેથી ઉત્પન્ન ચાર ભંગને કહે છે. • મૂલ-૧,૨૦૦ : પરપક્ષ ગૃહસ્થ છે, સ્વપક્ષ સાધુ-સાધ્વી છે. પ્રાણુક કર્યું કે રાંધ્યું તે નિષ્ઠિત કહેવાય છે, બાકીનું સર્વ કૃત કહેવાય. (૧) તે સાધુને કૃત અને નિષ્ઠિત. (૨) ગૃહસ્થને કૃત અને સાધુને નિષ્ઠિત ન કયે. અહીં ચાર ભંગ થાય છે તેમાં આ કહેલા ૧ અને ૩ ન કહ્યું. • વિવેચન-૧૯૯,૨૦૦ : ગૃહસ્થ પોતા માટે કર્યું તે સાધુને આધાકર્મી થતું નથી. તથા શ્રમણ, શ્રમણી માટે કરેલ તે સાધુઓને આધાકર્મ જાણવું તથા સાળ વગેરે સચિત વસ્તુને સાધુ માટે અયિત કરી હોય અને તંદુલાદિ જે સ્વયં અચિત હોય તેને ભાતપણે રાંધ્યા હોય તે નિષ્ઠિત કહેવાય અને બાકીના ચોકગુણ દ્વિગુણ ખાંડેલા તંદુલાદિક સર્વે કૃત કહેવાય. અહીં કૃત અને નિષ્ઠિતને આશ્રીને (૧) સાધુને માટે કૃત અને નિષ્ઠિત હોય, ૨- અન્યને માટે કૃત અને સાધુ માટે નિષ્ઠિત હોય. એ પહેલો અને ત્રીજો ભંગ સાક્ષાત દેખાડેલા છે. બીજો, ચોથો તેથી જાણી લેવો. • x • x • તે બીજોચોથો ભંગ કલય છે. જે પૂર્વે કહેલ છે. હવે વકર પદની વ્યાખ્યા કરે છે – • મૂલ-૨૦૧ થી ૨૦૪ : (ર૦૧] આધાકમને માટે નિમંત્રણથી અતિકમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર એ ચાર દોષ લાગે છે. તે ચારેનું દૃષ્ટાંત કહીશું. [૨૦] દાનાર્થે કોઈ નવો શ્રાવક સાધુને મનમાં ધારીને અચિત બનાવેલા શાલિ, ઘી, ગોળ, દહીં, નવા વલ્લી ફળો માટે સાધુને નિમંગે. [૨૩] આધાકર્મ ગ્રહણ કરી તે સાધુ અતિક્રમાદિ ચારે દોષમાં વર્તે છે. નૂપૂર-પંડિતાના હાથીના ષ્ટાંતે પાછો માંડ ફર્યો, તેમ અહીં જમવું. રિ૦૪) અહીં નિમંત્રણ સ્વીકારતા અતિક્રમ દોષ, ચાલવા માંડતા વ્યતિક્રમ, ગ્રહણ કરતાં અતિચાર અને વાપરતાં ચોથો અનાચાર [35/6] પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ દોષ લાગે. • વિવેચન-૨૦૧ થી ૨૦૪ : ગાચાર્ય કહેલ જ છે. વિશેષ વૃત્તિ આ છે – આધાકર્મના નિયંત્રણમાં અતિક્રમાદિ ચાર દોષ સંભવે છે, તે આઘાકર્મના નિયંત્રણની ભાવના મૂલ-૨૦૨ ના ગાથાર્થમાં કહી. કોઈ નવો - આચારથી અજાણ શ્રાવક નિમંત્રણ કરે. હે પૂજ્ય ! આપ અમારે ઘેર શાલિ આદિ ગ્રહણ કરે. પછી તે આધાકર્મના ગ્રહણથી સાધુ અતિક્રમાદિ ચારે દોષમાં વર્તે છે. સાધુ જેમ જેમ ઉત્તરદોષમાં વર્તે, તેમ તેમ તે દોષથી ઉત્પન્ન થયેલા પાપ થકી પોતાના આત્માને પાછો ફેરવવામાં મહા માટે સમર્થ થાય છે. ‘નૂપૂરપંડિતા’ પ્રસિદ્ધ કથાની ઉપમા આપી છે. -x-x- રાજાએ રાણી અને મહાવત સહિત હાથીને સીધા પર્વત ચડાવ્યો. મહાવતે છે હાથીના એક પગને આકાશમાં અદ્ધર રખાવ્યો. હાથી થોડા કલેશે તે પણને કરી પતિ સ્થાપવા સમર્થ થયો. તેમ કોઈ સાધુ અતિક્રમ દોષ સેવીને શુભ અધ્યયવસાયથી દોષને શુદ્ધ કરી, પોતાના આત્માને સંયમમાં સ્થાપવા સમર્થ થાય છે. એ રીતે બે પગની ઉપમાથી વ્યતિક્રમ દોષની શુદ્ધિ માટે વિશેષ શુભ અધ્યવસાયથી શક્તિમાન થાય. ત્રણ પગ આકાશમાં કરી એક પણ વડે ઉખ્યા પછી મહા કટે સમર્થ થાય. તેમ સાધુ અતિચાર નામે ત્રીજા દોષને અતિ વિશુદ્ધ શુભ અધ્યવસાય વડે શુદ્ધ કરવા શક્તિમાન થઈ શકે. જો તે હાથી ચારે પગ આકાશ તરફ કરે તો અવશ્ય ભૂમિ ઉપર પડી વિનાશ પામે, તેમ સાધુ અનાચારમાં વર્તતો અવશ્ય સંયમરૂપ આત્માનો વિનાશ કરે છે. – – હવે અતિક્રમાદિનું સ્વરૂપ – આધાકર્મનું નિમંત્રણ અંગીકાર કરતાં અતિક્રમ નામે દોષ લાગે તે દોષ પાકને ગ્રહણ કરવાથી આરંભીને આધાકર્મ ગ્રહણ માટે ચાલે નહીં ત્યાં સુધી લાગે. ચાલવાથી આરંભીને ગૃહસ્થ આપે ત્યારે પણ પ્રસારવા સુધી વ્યતિક્રમ દોષ લાગે. આધાકમને ગ્રહણ કરે એટલે અતિયાર દોષ લાગે, તે ગુરુ સન્મુખ આલોચી સ્વાધ્યાય કરીને મખમાં તે આહાર નાંખે ત્યાં સુધી રહે. આધાકર્મ ખાય એટલે અનાચાર નામે દોષ લાગે. આ પ્રમાણે વેડરો પદનું વ્યાખ્યાન કર્યું. • મૂલ-૨૦૫ થી ૨૧૦ : [૨૦] આHકર્મના ગ્રહણમાં જે આજ્ઞાભંગાદિ દોષો કહ્યા છે, તે આ છે - આજ્ઞાભંગ, અનાવસ્થા, મિથ્યાત્વ વિરાધના. - રિ૦૬] - આધાકમનિ ગ્રહણ કરતો લુoધ સાધુ સર્વે જિનોની આજ્ઞા ઉલ્લંઘે છે. આજ્ઞા ઉલ્લંઘતો તે શેષ કિયા કોના આદેશથી કરે ? : [૨૦] - એક સાધુએ અકાર્ય કર્યું. તેને જોવાથી બીજે પણ કરે, એ પ્રમાણે સુખેચ્છ પ્રાણીઓની પરંપરાથી સંચમ અને તપનો વિચ્છેદ થાય છે. - [૨૮] - જે આગમમાં કહ્યા મુજબ કરતો ન હોય તેનાથી બીજે મિશ્રાદષ્ટિ કો હોય ? કેમકે . બીજાને શકિત કરતો તે મિથ્યાત્વ વધારે છે : [૨૯] - તે સાધુ બીજાને અને પોતાના પ્રસંગને વધારે છે, તેથી ગૃદ્ધિ Page #51 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૨૦૫ થી ૨૧૦ ૮૪ ઉત્પન્ન થાય, પછી ભિન્ન દાઢાવાળો તે દયારહિત થઈને સચેતનને પણ મુકતો નથી. • [૧૦] - આધાકર્મ ઘણું અને સ્નિગ્ધ ખાવાથી રોગ થાય, સૂર્યમાં હાનિ થાય, ચિકિત્સાથી કાયવધ થાય. પ્રતિચારકને પણ હાનિ થાય. કલેશ પામતો તે બીજાને પણ લેશ પમાડે છે. • વિવેચન-૨૦૫ થી ૨૧૦ : ગાથાર્થ કહ્યા. વિશેષ વૃત્તિ આ પ્રમાણે - આજ્ઞાભંગાદિ ચારે દોષને અનુક્રમે કહે છે - (૧) આઘાકમદિને લેતો સાધુ બધાં જિનેશ્વરોની આજ્ઞા ઉલ્લંઘે છે. કેમકે બધાં તીર્થકરો તેનો નિષેધ કરે છે. આજ્ઞાનું ઉલ્લંધ્યા પછી તેને કોના આદેશથી લોય, ભૂમિશયન, મલિન વસ્ત્ર ધારણ, પડિલેહણ આદિ અનુષ્ઠાન કરે? કોઈના નહીં કેમકે સર્વજ્ઞની આજ્ઞાના ભંજકને સર્વે અનુષ્ઠાનો નિષ્ફળ છે. ધે અનવસ્થા દોષ કહે છે – પ્રાયઃ બધાં પ્રાણી કર્મની ગુરુતાથી પ્રત્યક્ષ સુખાભિલાષી છે, પણ દીધસુખ દટા નથી. કોઈ એક સાધુપણ આધાકર્મ પરિભોગાદિ અકાર્યને સેવે છે, તેના પરના વિશ્વાસને લીધે બીજા પણ તેનું આલંબન લઈને સેવે છે. તેની પરંપરા ચાલે છે, કેમકે શાતાની ઈચ્છાવાળા બહુ પ્રાણીઓ વડે આ રીતે સંયમ અને તપનો વિચ્છેદ થાય છે. તેથી તીર્ય વિચ્છેદ થાય. તેમ કરનાર મોટી આશાતનાનો ભાગી થાય છે. માટે અનવસ્થા દોષના ભયથી આધાકર્મ ન સેવવું. -૦- હવે મિથ્યાત્વ નામે ત્રીજો દોષ - દેશ, કાળ, સંહનન અનુસારી યથાશક્તિ બરાબર અનુષ્ઠાનક્રિયા કરવી છે. સમ્યકત્વ. તેથી દેશ-કાલાદિ અનુસાર શક્તિ ગોપવ્યા વિના આગમમાં કહ્યા મુજબ ન કરતો હોય તેનાથી બીજો મિથ્યાદૃષ્ટિ કયો હોય ? પણ તે મિથ્યાર્દષ્ટિમાં અગ્રેસર છે. કેમકે તેનું મહામિથ્યાષ્ટિપણું છે. કેમકે તે બીજાને શંકિત કરે છે – જો સિદ્ધાંતમાં કહ્યું તે જ તત્વ હોય તો આ સાધુ તત્વને જાણવા છતાં તે પ્રમાણે કેમ કરતો નથી ? તેથી પ્રવચનમાં કહેલું અસત્ય છે. એ રીતે પરંપરાએ મિથ્યાત્વ વધારે છે. તેનાથી પ્રવચનનો વિચ્છેદ થાય છે. બીજા મિથ્યાર્દષ્ટિ તો તેમ કરી શકતા નથી. માટે તેની અપેક્ષાએ સાધુ મહામિથ્યાદેષ્ટિ છે. - વળી - આઘાકર્મગ્રાહી, તે ગ્રહણ કરવાના પ્રસંગની વૃદ્ધિ પમાડે છે. તેમાં રહેલાં મનોજ્ઞ રસાસ્વાદના લંપટવથી ફરીથી પણ તેને ગ્રહણ કરવા પ્રવર્તે છે. એ રીતે એક વાર પણ આધાકર્મગ્રાહી સાધુ પોતાના તે પ્રસંગને વૃદ્ધિ પમાડે છે. કેટલેક કાળે તેને આસક્તિ ઉભી થતાં વિશેષ અને વિશેષતા એવા મનોજ્ઞ સારવાર માટે તે લેપાયેલો જ રહે છે. પછી દયા રહિત થઈને બીજા સયેતન-કેરી આદિ ફળો પણ મૂકતો નથી. એ રીતે આગળ વધતો તે સર્વથા જિનવચન પરિણામ રહિત થઈ મિથ્યાત્વને પણ પામે છે. હવે વિરાધના નામે ચોથો દોષ - પ્રાયઃ આધાકર્મ અતિથિના ગૌરવથી જ કરાય છે, જેથી તે સ્વાદિષ્ટ અને સ્નિગ્ધ હોય છે તે આધાકર્મ ઘણું સ્નિગ્ધ ખાવાથી જવર, વિશુચિકાદિ રોગ થતાં પિંડનિયુક્તિમૂલસૂત્ર સટીક અનુવાદ આત્મવિરાધના થાય. રોગથી પીડિત એવા તેને સુત્ર અને અર્થની હાનિ થાય, જો ચિકિત્સા ન કરાવે તો લાંબો કાળ સંયમના યથાયોગ્ય પાલનનો નાશ થાય, ચિકિત્સા કરાવે તો તેજસ્કાયાદિનો વિનાશ થાય. તેમ થતાં સંયમની વિરાધના થાય. યથાયોગ્ય પાલન કરનારા સાધુને પણ તેની વૈયાવચ્ચમાં જોડાયેલા હોવાથી સૂત્રાર્થના હાનિ થાય. છકાયના ઉપમર્દનાદિથી સંયમની પણ હાનિ થાય, વળી પીડા સહેવાને અસમર્થ હોવાથી તેનું કહ્યું ન કરનાર ઉપર કોપે છે કોપથી તેના મનમાં કલેશ થાય. લાંબો કાળ કલેશ અનુભવતો તે પ્રતિચાસ્કોને પણ જાગરણ કરાવવા વડે રોગ ઉપાર્જે છે. તેથી તેમને પણ ચિકિત્સાથી છ કાય વિરાધના થાય. -o– હવે અકલયની વિધિ - • મૂલ-૨૧૧,૧૨ : (૧) જે પ્રકારે આધાકર્મ અકલય છે, (૨) અથવા તેનાથી પતિ , (3) અથવા તેવા પાત્રમાં રહેલ, (૪) તેનો ત્યાગ, (૫) જે પ્રકારે ગ્રહણ કરેલું દોષરહિત થાય તે કહે છે. તેમાં ભોજ્ય, ગમનાદિ દોષદ્રવ્ય-કુળ-દેશભાવને વિશે પ્રથન કરવો એમ યતના કરતાં પણ છલના થાય તો આ બે ષ્ટાંત કહે છે – • વિવેચન-૨૧૧,૨૧૨ : ગાથાર્થ કહ્યો. વિશેષ વૃત્તિ આ છે – આધાકર્મ જે ભાજનમાં હોય, તેમાંથી આધાકર્મનો ત્યાગ કર્યા પછી ત્રણ વાર ધોયા વિના જે શુદ્ધ અશનાદિ નાંખેલ હોય તે પણ જે પ્રકારે અકલય થાય. જે પ્રકારે તે આધાકર્મનો ત્યાગ વિધિ અને અવિધિરૂપ થાય ઈત્યાદિ વડે આગમમાં કહ્યા મુજબ હું પિંડ વિશુદ્ધિ કહું છું – જે પ્રકારે આધાકર્મ, આધાકર્મ સ્પેશિત, ત્રણવાર ધોયા વિનાના પાત્રમાં રહેલ ભોજ્ય થાય તેમ કહેવું. અવિધિના ત્યાગમાં કાયકલેશાદિ દોષો કહેવા. વિધિનો ત્યાગ છે કર્તવ્ય બની જતું હોય ત્યારે જે પ્રકારે દ્રવ્ય, કુળ, દેશ, ભાવને વિશે પૃચ્છા કરવી કે જે પ્રકારે પૃચ્છા ન કQી. આટલી યતના છતાં કદાચ અશુદ્ધ ગ્રહણરૂપ છલના થઈ જાય તો તેને દષ્ટાંતો કહેવા લાયક છે - x - • મૂલ-૧૩ થી ૨૧૬ - [૧૩] છે કે રાશન સુસંસ્કારિત હતું તો પણ વમન કરેલું જેમ ભોય છે, તેમ અસંયમનું વમન કર્યા છતાં અનેકણીય ભોજન અભોજ્ય છે. આધાકના ભોજ્યપણાને બીજા બે દષ્ટાંતથી દઢ કરતા [૧૪, ૧૫] બે ગાથા કહી છે જે દેટાંત વિવેચનમાં કહેલ છે. [૧૬] વળી ઘેટી અને ઉંટડીનું દુધ, લસણ, પલાંડ, મદિરા, ગોમાંસને વેદ તથા બીજ શાસ્ત્રોમાં અભોજ્ય અને અપેય કહ્યા છે, તેમ અહીં પણ તે પ્રમાણે માનેલા છે. • વિવેચન-૨૧૩ થી ૨૧૬ :[૧૩] વમન કર્યા પૂર્વે ઓદનાદિ સુસંસ્કૃત હતા, તો પણ વમન થઈ ગયા Page #52 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૨૧૩ થી ૨૧૬ પછી અભોજ્ય છે, એ પ્રમાણે અસંયમનું વમન કર્યા પછી સાધુને પણ અનેષણીય ભોજન અભોજ્ય જ છે અર્થાત્ અસંયમરૂપ આધાકર્મ-છકાયના ઉપમર્દનથી બને છે, વિવેકી જનોને વસેલું ખાવું ઉચિત નથી અને સંયમ લેતા અસંયમ વમેલો છે માટે અનેaણીય અભોજ્ય જ છે. | (ર૧૪,૨૧૫] વકપુર નગરે ઉગ્રતેજા નામે સીપાઈ હતો, રુકિમણી તેની પત્ની હતી. સોદાસ નામે મોટો ભાઈ નગરથી તેનો મહેમાન થયો. ત્યારે ઉગ્રતેજાયો ભોજનાર્થે માંસ ખરીદીને રુકિમણીને આપ્યું. તેમાં બીલાડો ખાઈ ગયો. ભોજનાવર થયો. રુકિમણી અને કૂતરાએ વમેલા માંસને જોઈને સારી રીતે ધોઈને મસાલાદિ નાખી રાંધ્ય, ઉગ્રતેજાએ ભોજનમાં તે માંસની ગંધથી જાણ્યું કે આ તો વમન કરેલું છે. રકિમણીને ધમકાવતા તેણી સાચું બોલી ગઈ. પછી તેણીને ઠપકો આપી બીજુ માંસ મંગાવીને ખાધુ. કેમકે મેલું માંસ કંઈ ખાવા લાયક હોઈ શકે ખરું ? એ પ્રમાણે આધાકર્મ પણ સાધુઓને અભોજ્ય જ છે. કોઈ આચાર્ય કહે છે - તે રુકિમણીને ઘેર અતિસારના વ્યાધિથી માંસના કકડા ઠલ્લામાં કાઢે છે. તે માંસ જ રાંધેલું હતું તેણી માંસના કકડા લેતી હતી ત્યારે તેણીની શોક્યના પુગ ગુણ મિત્રએ તે જોયેલ હતું પણ ભયથી તે કંઈ બોલ્યો ન હતો. ભોજનકાળે તેણે તેના પિતા અને કાકાને હાથ પકડીને અટકાવેલા. ત્યારે ઉગ્રતેજાએ રુકિમણીને તાડન કરીને તે માંસનો ત્યાગ કરેલો. - X - X - X - [૧૬] ગાથાર્થ કહ્યો. વિશેષ વૃત્તિ આ છે - ચાત્રિ અંગીકાર કર્યું ત્યારે અસંયમના વમનથી સાધુએ આધાકર્મ પણ વમેલ છે કે વિઠાની જેમ તજેલ છે. વિવેકીએ તે ખાવું ઉચિત નથી. આ રીતે આધાકીને ભોજ્ય કહેલ છે. જિનવયના પ્રમાણથી પણ તે અભોજ્ય જ છે. મિથ્યાદૈષ્ટિઓ પણ વેદાદિમાં કહેલ અભોજ્યના પ્રમાણને માને છે. તો પછી સાધુઓએ તે ભગવંત કથિત અભોજ્ય અને પેયને સ્વીકારવા જ જોઈએ. -૦- હવે તે આધાકર્મથી પશિત કરાયેલ આદિનું અકીયપણું કહે છે – • મૂલ-૨૧૩,૧૮ - તલ અને શ્રીફળ સહિત ઉત્તમ વણદિકથી યુક્ત બલિ પણ છે શુચિ સ્થાને સ્થાપન કરેલને આશુચિનું એક બિંદુ પણ સ્પર્શે તો તે આભો થાય... એ જ પ્રમાણે આધાકર્મનો ત્યાગ કર્યો હોય તો પણ જ્યાં સુધી કલ્પ ન કર્યો હોય ત્યાં સુધી તે અભોજ્ય હોય છે. અથવા પત્રના શુદ્ધ આહારમાં જરા પણ આધાકર્મ પડે તો તે આભોજ્ય થાય. • વિવેચન-૨૧૭,૧૮ : ગાથાર્થ કહ્યો. વિશેષ વૃત્તિ આ પ્રમાણે - ઉત્તમોત્તમ દ્રવ્યાદિથી બનાવેલ બલિ વિટાના સ્થાનમાં સ્થાપ્યા પછી શુચિનું એક બિંદુ માત્ર પણ પડે તો તે બલિ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ અભોજ્ય થાય, એ પ્રમાણે આધાકર્મી સ્પેશિત આહાર પણ સાધુને અભોજ્ય જાણવો. એ પ્રમાણે જે પાત્રમાં આધાકર્મ ગ્રહણ કરેલ હોય, તે આધાકર્મનો ત્યાગ કર્યા પછી પણ, તે પાત્ર ત્રણ કલા વડે પ્રક્ષાલન ન કરેલ હોય અથવા શુદ્ધ ભોજનમાં જરા માત્ર જ આધાકર્મ પડેલ હોય, તે શદ્ધાશદ્ધ બંને આહારનો ત્યાગ કરવો. કેમકે વિઠાદિથી પશિત પબને પુર સ્વચ્છ કર્યા વિના લોકમાં પણ જેમ વપરાતું નથી કે ભોજન આદિથી પૂર્ણ પગમાં સહેજ માત્ર વિષ્ઠા પડે તો પણ તે અશનાદિ કોઈ ન ખાય, તેમ આધાકર્મી એ સંચમીએ વિષ્ઠાવતુ જાણવું. માટે ભોજ્ય છે. હવે પરિહરણને પ્રતિપાદન કરવા માટે કહે છે – • મૂલ-૨૧૯ થી ૨૨૨ : વમન અને વિષ્ઠાની જેનું આધાકર્મ સાંભળીને પણ ભય પામીને પંડિત સાધુ તેનો ત્યાગ કરે, તે પરિહરણા પણ વિધિ, અવિધિથી છે તેમાં વિધિ પરિહરણાનું ટાંત ત્રણ ગાથા વડે કહેલ છે. • વિવેચન-૨૧૯ થી ૨૨૨ : સંસારથી વિમુખ બુદ્ધિવાળો પંડિત ઉકત ઉપમાઓ સાંભળીને, અને આધાકર્મના પરિભોગથી સંસાર થાય છે તેમ જાણીને, આધાકર્મથી ત્રાસિત થઈ, આધાકમને પરિહરે છે. આ પરિહરણ - વિધિથી અને અવિધિથી થાય. શાલિગ્રામ નામે ગામમાં ગ્રામણી નામે વણિક હતો. તેની પત્ની પણ ગ્રામણી નામે હતી. તે વણિક પોતાની દુકાને ગયેલો. તે વખતે ભિક્ષાર્થે નીકળેલા કોઈ ભદ્રિક સાધુએ તેના ઘેર પ્રવેશ કર્યો. ગ્રામણી શાલિ ઓદન લાવી. સાધુએ આધાકર્મની શંકા નિવારવા તેણીને પૂછયું, તેણી બોલી કે શાલિ વિશે વણિકને પૂછો, હું કંઈ જાણતી નથી. વણિકને પૂછવા બજારમાં ગયો. તેણે કહ્યું ગોબર ગામનો શાલિ છે. સાધુ તે તરફ ચાલ્યા. માર્ગ પણ કદાય આધાકર્મી હોય તો ? તેથી સાધુ ઉન્માર્ગે ચાલતા કાંટા, કાકરાદિથી ઉપદ્રવ પામ્યો. દિશા ન જાણતો તાપમાં મૂછ પાણી ઘણો કલેશ પામ્યો. • મૂલ-૨૨૩ થી ૨૫ : એ પ્રમાણે અવિધિથી પરિહરણા કરતાં જ્ઞાનાદિનો ભાગી થતો નથી. તેથી દ્રવ્ય, કુળ, દેશ, ભાવને આશ્રીને વિધિપૂર્વક પરિહરણા કરવી. ઓદન, માંડા, સાથવા, અડદ આદિ દ્રવ્ય, ઘણાં કે થોડાં માણસોવાળું કળ, સુરાષ્ટ્ર આદિ દેશ, આદરથી આપે કે અનાદરથી અપાવે એ ભાવ. આ પદોના ચાર પદવાળા કે ત્રણ પદવાળા વિકલ્પો થાય છે. • વિવેચન-૨૨૩ થી ૨૫ : ગાથાર્થ કહ્યો. વિશેષ વૃત્તિ આ પ્રમાણે - ચાર પદવાળી એટલે જેમાં દ્રવ્યાદિ ચારે પદો પ્રાપ્ત થાય છે અને આદર કે અનાદર હિતનો મધ્યસ્થ ભાવ હોય ત્યારે ત્રણ પદવાળી હોય છે. હવે દ્રવ્યાદિ કહે છે – Page #53 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૨૨૬ • મૂલ-૨૨૬ : છે દેશને અનુચિત ઘણું દ્રવ્ય હોય, કુટુંબ નાનું હોય, આદર ઘણો હોય તે પ્રથન કરવો. પોતાના દેશનું દ્રવ્ય ઘણું હોય તો પ્રશ્ન ન કરવો. અનાદરમાં પણ પ્રશ્ન ન કરવો. • વિવેચન-૨૨૬ : અમુક દેશમાં ન સંભવતુ દ્રવ્ય પ્રાપ્ત થાય, તે પણ પુષ્કળ હોય, થોડાં મનુષ્યોવાળું કુળ હોય, આદર ઘણો હોય, આ ચારે ભેગા હોય ત્યારે પૂછવાની જરૂર હોય છે, કેમકે તેમાં આધાકર્મ સંભવે છે. પણ જો આ ચારે વિપરીત હોય, જેમકે - તે દેશમાં ઘણું દ્રવ્ય સંભવતુ પણ હોય અને પ્રાપ્ત પણ હોય ઈત્યાદિ • x • તો ‘આધાકર્મ' વિશે પૂછવું જરૂરી નથી. હવે પૃચ્છા કર્યા પછી દ્રવ્ય ગ્રહણ કરવા લાયક છે કે નહીં? તે – • મૂલ-૨૨૩ નું વિવેચન : જે દાતા શ્રાવિકા સરળ સ્વભાવી હોય તેને પૂછતા તે સત્ય જ કહેશે કે - “આ અશનાદિ આપના માટે છે.” માયાવી હશે તે કહેશે- આ રાશિનાદિ અમારા ઘરને માટે છે. પણ ઘની સર્વે સ્ત્રીઓ પરસ્પર જોતી, હસતી - આ તમારા માટે કર્યું છે બોલે કે પછી લાગી એકમેકને જુએ. ત્યારે સાધુએ તેને આધાકર્મ જાણી છોડી દેવું. પણ જે રોષથી બોલે કે - “તમારે શી પંચાત ?તો તે આધાકર્મ નથી એમ જાણી ગ્રહણ કરવો. • મૂલ-૨૨૮ - ગૂઢાચારી, આદર ન કરતા હોય, પૂછવા છતાં સત્ય ન કહે, અથવા ભોજન થોડું છે. અણીને સાધુ ન પૂછે, છતાં દેવ વસ્તુ અશુદ્ધ હોય તો ? • વિવેચન-૨૨૮ - જે શ્રાવક-શ્રાવિકા અતિ ભક્તિવશ અને ગૂઢાચારી હોય, તેઓ સાધુને વહોરાવવાની બુદ્ધિથી ઉક્ત રીતે વર્તે, સાધુ પણ થોડુંક જ જાણી ન પૂછે તો તે અશુદ્ધ-આધાકર્મી પ્રાપ્ત આહારમાં શુદ્ધિ કેમ થાય ? • મૂલ-૨૨૯ થી ૨૩૩ : આધકર્મ પરિણામી સાધુ પાસુક ભોજન કરવા છતાં અશુભકમનો બંધક છે, શુદ્ધ ગdષક સાધુ આકર્મ ભોગવવા છતાં શુદ્ધ જ છે. આ બંને સંજોગોને અનુક્રમે બે કથા દ્વારા કહે છે – ગાથાર્થ વિવેચનથી જાણવો. • વિવેચન-૨૨૯ થી ૨૩૩ : [૨૯] “પ્રાસુક' શબ્દના સામર્થ્યથી એષણીય કહેવાય છે તે આ રીતે – સાધુનો કા છે કે – ગ્લાનાદિ પ્રયોજનમાં પહેલાં એષણીય શોધે, તેના અભાવે શ્રાવકાદિ પાસે કરાવીને અનેષણીય પણ લેવું અને શ્રાવકના અભવે પોતે પણ કરી ગ્લાનને ખવડાવવું. પણ પ્રાસુકના અભાવે અપાતુક ન લેવું. એવી વ્યાખ્યા કરવાથી પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ કોઈ વખતે પામુક ભોજનનો અસંભવ હોય ત્યારે “પ્રાસુકભોજી પણ' વાકય ન ઘટે. તેથી પ્રાસુકનો એષણીય અર્થ પ્રવતવેિ છે એષણીયને ખાનાર પણ આધાકમ પરિણામી હોય તો અશુભ કર્મ બાંધે છે કેમકે અશુભ પરિણામ જ અશુભ બંધનું કારણ છે. શુદ્ધ ગવેષક આધાકર્મી વાપરે તો પણ શુદ્ધ જાણવો, કેમકે શુદ્ધ પરિણામ વાળો છે. બંનેનું દૃષ્ટાંત - ૦ અશુભ કર્મબંધનું દૃષ્ટાંત - શતમુખ નગર, ગુણચંદ્ર શ્રેષ્ઠી, ચંદ્રિકા તેમની પત્ની. તે શ્રેષ્ઠી જિનશાસનનું રાગી હોવાથી વિશાળ જિન ચૈત્ય કરાવી, ઋષભદેવની પ્રતિમા પધરાવી. સંઘ ભોજન આરંભ્ય. નજીકમાં કોઈ વેષ વિડંબક સાધુ હતો. તેણે સંઘભોજનની વાત સાંભળી, ભોજન લેવા આવ્યો. શ્રેષ્ઠી પાસે યાચના કરી. પણ બધું ખલાસ થઈ ગયેલું શ્રેષ્ઠીની રસોઈમાંથી પરિપૂર્ણ ભોજન આપ્યું. સાધુએ સંઘ ભોજનની બુદ્ધિથી ગ્રહણ કરી વાપર્યુ. ભોજન તો શુદ્ધ જ હતું પણ સાધુએ આધાકર્મના અધ્યવસાયથી ગ્રહણ કરેલ હોવાથી તે અશુભ કર્મ વડે બંધાયો. ૦ શુદ્ધ ગવેષણાનું દષ્ટાંત – પોતનપુર નગરે પ૦૦ સાધુથી પરિવરિત, આગમોક્ત વિહારી રત્નાકરસૂરિ પધાર્યા. ૫૦૦ સાધુમાં એક ક્ષપક-તપસ્વી હતા. માસક્ષમણને પારણે માસક્ષમણ કરતા હતા. પારણું જાણીને કોઈ આધાકર્મી ન કરે, માટે બીજ ગામમાં વહોરવા ગયા. તે ગામમાં યશોમતી શ્રાવિકા પરંપરાએ પારણાની વાત જાણેલી. કદાચ તપસ્વી આવે તો ? એમ વિચારી ખીર વગેરે રાંધ્યા. સાધુને આધાકર્મની શંકા ન જાય તે માટે બાળકોને થોડી-થોડી પીરસેલી, બાળકોને પણ જૂઠું બોલવા શીખવાડી દીધેલું. ભાગ્ય યોગે તે તપસ્વી સાધુ ભિક્ષાર્થે ફરતા, તેણીને ત્યાં આવ્યા. સાધુને શંકા ન જાય માટે યશોમતી આદર હિત ઉભી રહી. બાળકો પણ શીખવ્યા મુજબ બોલે છે - મા! રોજ રોજ ખીર શું રાંધશ ? સાધુને કહ્યું - આપને આ ખીર ખપશે, આ છોકરા તો ગાંડા થઈ ગયા છે. સાધુએ શંકા સહિત થઈ વહોર્યું. વિશુદ્ધ અધ્યવસાયવાળા થઈ ભોજનાર્થે બેઠા. ઈયપિથિકા પ્રતિકમીને, સ્વાધ્યાય, ધ્યાન કરતા વિચારે છે - અહો ! આ ખીર આદિ ઉત્તમ સામગ્રી મને પ્રાપ્ત થઈ છે. જો કોઈ સાધુ પધારે તો હું દ્રવ્ય સંવિભાગ કરું તો સંસાસાગી પાર ઉતરેલો થાઉં. પછી સાધુઓના ગુણોનું સ્મરણ કરતાં તે-તે સાધુની અનુમોદના કરવા લાગ્યા. પછી શરીરની અસારતા વિચારે છે. મૂછ રહિતપણે ખીર ખાતા પણ વૃદ્ધિગત વિશુદ્ધિ અધ્યવસાયવાળા થઈને, ભોજન કરીને, કેવળજ્ઞાન પામ્યા. આ પ્રમાણે ભાવથી શુદ્ધ ગવેષણા કરતાં આધાકર્મી વાપરવા છતાં કોઈ દોષ નથી. વળી ભગવંતની આજ્ઞાની આરાધનાથી કરેલું જ અદોષ છે અને ભગવાનની આજ્ઞાનું ખંડન કરવાથી સદોષ છે, તેનું કથાનક – • મૂલ-૨૩૪ થી ૨૩૭ :ચારે ગાથાનો અર્થ વિવેચનમાં કથાનક વડે જાણવો. Page #54 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૨૩૪ થી ૨૩૭ ૮૯ • વિવેચન-૨૩૪ થી ૨૩૭: ચંદ્રાનના નગરી, ચંદ્રાવતંસક રાજા, ત્રિલોકરેખાદિ રાણીઓ હતી. રાજાને પૂર્વમાં સૂર્યોદય અને પશ્ચિમમાં ચંદ્રોદય ઉધાન હતું. વસંતઋતુ આવી. અંતઃપુર સાથે સ્વૈર વિહાર કરવાની ઈચ્છાથી ઘોષણા કરાવી કે કોઈએ સૂર્યોદય ઉધાનમાં ન જવું. સિપાઈઓને પણ સૂર્યોદય ઉધાનના રક્ષણાર્થે આજ્ઞા કરી કે – કોઈને પ્રવેશવા ન દેવા. રાત્રે રાજાને વિચાર આવ્યો કે ઘાસ-ચારાદિ માટે જતાં લોકોને પૂર્વમાં જતાં સવારે સૂર્ય સામે આવશે, પાછા ફરતા પશ્ચિમમાં પણ સૂર્ય સામે આવશે તે તેમને દુઃખદાયી થશે, માટે હું ચંદ્રોદય ઉધાનમાં જઉં. રાજાએ તેમ જ કર્યું. ઘોષણા સાંભળી કેટલાંક દુર્જનોને થયું કે – આપણે રાજાની રાણીને ક્યારેય જોઈ નથી, રાણી સ્વૈર વિહાર કરવાની છે, તો ગુપ્ત રીતે તેમને જોવા જઈએ. તેઓ ઘેઘુર વૃક્ષની શાખામાં છાઈ ગયા. પણ ઉધાન પાલકોએ તેમને પકડી લીધા. મારીબાંધીને લઈ ગયા. જે તૃણ-કાષ્ઠાદિ લાવનારા હતા તેઓ અજાણતા જ ચંદ્રોદય ઉધાનમાં પ્રવેશી ગયા. સ્વેચ્છા પૂર્વક ક્રીડા કરતી રાણીઓને જ જોઈ. તેમને પણ રાજપુરુષોએ બાંધી દીધા. રાજાએ બંને પ્રકારના પુરુષો જોયા. સર્વ વૃત્તાંત જાણી, જેમણે આજ્ઞા ભંગ કરેલો, તેમને મારી નાંખ્યા. ભસવૃત્તિથી ચંદ્રોદય ઉધાનમાં પ્રવેશી ગયેલાને છોડી મૂક્યા. હવે દાાંન્તિક યોજના કરે છે – • મૂલ-૨૩૮ નું વિવેચન : જેમ તે દુર્જનો રાણીને જોવાની ઈચ્છાવાળા છતાં ઈચ્છા પૂર્ણ થયા વિના જ આજ્ઞા ભંગથી રાજાએ મારી નાંખ્યા અને તૃણકાષ્ઠાદિ માટે જનારે અંતઃપુરને જોવા છતાં તે મુક્ત થયા. તેમ આધાકર્મમાં પણ અધ્યવસાયવાળા શુદ્ધ ભોજન કરવા છતાં, આજ્ઞાભંગ કરનાર હોવાથી સાધુ વેષ વિડંબક માફ્ક કર્મ બંધાય છે. શુદ્ધાકાર સાધુ પ્રિયંકર ક્ષપકની માફક આજ્ઞા આરાધક હોવાથી કર્મ બાંધતા નથી. • મૂલ-૨૩૯ : જે સાધુ આધાકર્મ ખાય છે અને તે સ્થાનને પ્રતિક્રમતો નથી. તે મુંડીયો, બોડો, વિલુંચિત કપોતપક્ષીની જેમ વૃથા અટન કરે છે. • વિવેચન-૨૩૯ : આધાકર્મ ભોગવી, તે સ્થાનથી પ્રાયશ્ચિત લઈને પાછો ફરતો નથી, તે સાધુ મુંડીયો છે, જિનાજ્ઞા ભંગથી તેનું લોચાદિ કર્મ નિષ્ફળ છે. તેથી બોડો જ છે તે જગમાં નિષ્ફળ પરિભ્રમણ કરે છે. જેમ પોતના પીંછાનું લંચન અને અટન ધર્મને માટે થતાં નથી. તેમ આધાકર્મ ભોજીનું અટનાદિ ધર્મ માટે નથી. લુંચન - છુટા છવાયા પીંછા ખેંચવા તે, વિલુંચન-મૂળમાંથી ખેંચી ગયેલા. હવે આધાકર્મની સમાપ્તિ, ઔદ્દેશિકની વ્યાખ્યા – પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ • મૂલ-૨૪૦,૨૪૧ : આધાકર્મ દ્વાર કહ્યું. હવે પહેલાં જે ઔદ્દેશિક દ્વારનો સમુદ્દેશ કર્યો છે, તેને હું સંક્ષેપથી કહીશ. તે ઔશિક બે પ્રકારે છે – ઓઘ અને વિભાગ તેમાં ઓઘ પછી કહીશ, વિભાગ બાર ભેદે છે, તે આ - ઉદ્દિષ્ટ, ધૃત અને કર્મ. આ પ્રત્યેકના ચાર-ચાર ભેદ છે. ૯૦ • વિવેચન-૨૪૦,૨૪૧ - ગાથાર્થ કહ્યો, વિશેષ આ પ્રમાણે :- ોધ - સામાન્ય, વિભાળ - જુદું કરવું તે. ોષ - “જગતમાં ન આપેલું કંઈ પમાતું નથી, તેથી અમે થોડી પણ ભિક્ષા આપીએ' - એવી બુદ્ધિથી થોડાં અધિક તંદુલાદિ બનાવે તે ઓઘ ઔદ્દેશિક. તેમાં પોતાનો કે પરનો વિભાગ નથી. વિમળ - વિવાહાદિ કાર્યને વિશે વધેલ હોય તે જુદું કરીને દાન માટે કોલ હોય તેને વિભાગ-ઔદ્દેશિક કહે છે. કેમકે તે જુદું કરાયેલ છે. પ ની વ્યાખ્યા પછી કરશું. વિભાગ - બાર ભેદે છે. તેમાં પહેલા ત્રણ ભેદ – ઉદ્દિષ્ટ, કૃત અને કર્મ. પોતા માટે તૈયાર કરી ભિક્ષુને દેવા જુદુ પાડે તે - ઉદ્દિષ્ટ. ઉદ્ધરેલ ઓદનાદિને કરંબાદિરૂપે કરાય તે - કૃત. ઉદ્ધરેલ, લાડુના ચૂર્ણાદિ કરેલને ભિક્ષુકોને દેવા માટે ફરી પાક આપીને મોદકાદિ રૂપે કરેલ હોય તે - કર્મ. આ ત્રણેના પ્રત્યેકના ચાર-ચાર ભેદ, તેથી ૩ ૪ ૪ = ૧૨ ભેદ થાય. હવે ઓઘ ઔદ્દેશિકનો સંભવ છે, તે પહેલાં કહે છે – • મૂલ-૨૪૨ થી ૨૪૫ : [૨૪] અમે દુકાળમાં કષ્ટ વડે જીવ્યા, હવે હંમેશાં કેટલીક ભિક્ષા આપીએ. કેમકે એવું કંઈ નથી કે – ગત ભવે ન દીધેલ આ ભવે ભોગવાય અને આ ભલે ન કરેલ આવતા ભવે ભોગવાય. [૨૪૩] તે સ્ત્રી રંધાતા ભોજનમાં પાખંડી કે ગૃહસ્થને ભિક્ષા માટે સામાન્ય રીતે વધારે તંદુલ નાંખે છે. [૨૪૪] છડાસ્થ સાધુ ઓઘ શિકને કેમ જાણે ? એમ પ્રેરણા કરતા ગુરુ કહે છે ગૃહસ્થની શબ્દાદિ ચેષ્ટામાં ઉપયુક્ત સાધુ જાણી શકે. [૪૫] તે પાંચે ભિક્ષા આપી દીધી છે અથવા રેખાને કરે કે ગણતા-ગણતા આપે અથવા આમાંથી આપ - કે આમાંથી ન આપ કે આટલી ભિક્ષા જુદી કર એવું બોલે. • વિવેચન-૨૪૨ થી ૨૪૫ : [૨૪૨] દુકાળ ગયા પછી કેટલાંક ગૃહસ્થો વિચારે છે કે – અમે દુકાળમાં મહા કટે જીવ્યા. ઈત્યાદિ - x - x - પરલોકના સુખને માટે કેટલીક ભિક્ષા આપીને શુભ કર્મ ઉપાર્જન કરીએ. આ પ્રમાણે ઓઘથી ઔદ્દેશિક સંભવે છે. [૨૪૩] ઓઘ ઔદ્દેશિકનું સ્વરૂપ - ગૃહનાયિકા સ્ત્રી રાંધતા પૂર્વે પાખંડી કે ગૃહસ્થ જે કોઈ આવશે તેને ભિક્ષાર્થે આટલું કે આટલું પોતા માટે એમ વિભાગ કર્યા વિના અધિકતર તંદુલાદિ રાંધવા મૂકે તે. Page #55 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૨૪૨ થી ૨૪૫ દર [૨૪૪] શંકા-સમાધાન કહે છે :- છાસ્ય કઈ રીતે જાણે કે આ ઓઘ દેશિક છે ? આગળ કહેવાશે તેવી ગૃહસ્થની શબ્દાદિ ચેષ્ટામાં ઉપયોગવાળો સાધુ તે જાણી શકે. જેમકે [૨૪૫] પ્રાયઃ ગૃહસ્થોની ચેષ્ટા આવી હોય - તે ગૃહસ્વામીની સાધુ સાંભળે તેમ પતિને કહે કે – પાંચે ભિક્ષા બીજાને અપાઈ ગઈ છે. ભિક્ષાની ગણતરી માટે ભીંત ઉપર રેખા કરે કે તે ગણતી-ગણતી આપે. અથવા કોઈક બીજાને સૂચના કરે કે સંકલિત કરેલ ભિક્ષાપેટીમાંથી આપ કે આમાંથી ન આપ થવા સાધુ પ્રવેશે ત્યારે બોલે કે અમુક સ્થાનેથી આટલી ભિક્ષા ભિક્ષકોને આપવા જુદી કર, ઈત્યાદિ રીતે જાણી છવાસ્થ તેવી ભિક્ષાનો ત્યાગ કરે વૃદ્ધ સંપ્રદાય એવો છે કે સંકલિત ભિક્ષા અપાઈ ગઈ પછી જુદી કરેલમાંથી બાકી રહેલ ભિક્ષા કહ્યું છે. • મૂલ-૨૪૬ થી ૨૪૯ - [૨૪૬) ગૌરી માટે નીકળેલા સાધુએ શબ્દાદિ વિષયમાં મૂછ ન કરવી, પણ ગૌભકતને વિશે ગોવત્સની જેમ એષણાવાળા થવું. (ર૪૭,૨૪૮] અહીં ગોવત્સનું ષ્ટાંત છે, તે વિવેચનથી જાણવું [૪૯] ગમનાગમનમાં, ઉોપમાં, બોલવામાં, શ્રોમાદિ ઈન્દ્રિયો વડે ઉપયોગી તથા તેમાં જ મનવાળો સાધુ શોષણા કે અનેયણાને જાણી શકે છે. • વિવેચન-૨૪૬ થી ૨૪૯ - ભિક્ષાને માટે પ્રવેશે ત્યારે શબ્દ, રૂપ, રસાદિમાં મૂછ ન કરવી. પણ ઉદ્ગમાદિ દોષની ગવેષણામાં તત્પર રહેવું. જેમ ગોવસ-વાછરડો, ગોભકત-ગાયના ખોરાકમાં ઉપયોગી હોય, તેમ ઉપયોગી રહેવું. તેનું દૃષ્ટાંત - ગુણાલયનગર, સાગરદત્ત શ્રેષ્ઠી, શ્રીમતી ભાર્યા, તેમને ગુણચંદ્ર આદિ ચાર "ગો, પ્રિયંગુલતિકા આદિ ચાર પુત્રવધૂઓ હતી. શ્રેષ્ઠી પની મરણ પામતા, પ્રિયંગુલતિકાને ઘરની સંભાળ માટે સ્થાપી. શ્રેષ્ઠીને ઘેર વાછરડાવાળી ગાય હતી. તેના ચારો પાણી ચારે વહુઓ યથાયોગ આપતી. કોઈ વખતે પ્રિયંગુલતિકાના પુત્ર ગુણ સાગરના લગ્ન પ્રસંગે બધી વહુઓ શણગારમાં વ્યસ્ત હતી, વાછરડો ભૂલાઈ ગયો. તેને કોઈ વહુએ પાણી પણ ન આપ્યું. મધ્યાહૈ શ્રેષ્ઠીને જોઈને વાછરડો આરડવા લાગ્યો. શ્રેષ્ઠીએ તેને ભુખ્યો જાણી પુત્રવધૂઓને તાડના-નર્જના કરી. તેથી, ચારે વહુઓ દોડતી આવીને યથાયોગ ચારો-પાણી લઈને ચાલી. વાછરડો દેવી જેવી શોભતી વહુ કે શોભતા ઘરને પણ જોતો નથી, માત્ર ચાર-પાણીને જુએ છે. આ પ્રમાણે સાધુઓએ ભિક્ષાર્થે અટન કરવું જોઈએ. પણ સ્ત્રી, ગીત આદિમાં આસક્ત ન થવું મમ ભિક્ષામાં ઉપયોગવાળા થઈને વર્તવાથી શુદ્ધ કે અશુદ્ધ જાણી શકાશે. તે આ રીતે - સાધુને માટે ભિક્ષા આપવા ભિક્ષા દેનારી સ્ત્રી લાવવા માટે જાય કે લઈને પાછી આવે, વાસણ આદિ ઉંચુ ઉપાડે કે આહાર નાંખે એ બધા પદોમાં તથા તેને બોલતી સાંભળીને ઉપયોગવાળો થાય. તે બધામાં વાછરડા માફક પોતાને કલ્પનીય આહાર-પાણી છે કે નહીં ? એ જ ભાવનામાં એકાગ્રચિત્ત રહે, તે સાધુ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ એષણીય કે અનેષણીયને જાણે. હવે વિભાગ ઔશિકનો સંભવ કહેવા માટે સૂત્રકાર જણાવે છે - • મૂલ-૨૫૦,૨૫૧ :- [ભાષ્ય-૩૨]. મોટી સંખડીમાં વધેલ ભાત, દહીં આદિ જોઈને ગૃહસ્થ બોલે કે - આ વસ્તુ પુન્યને માટે આપ... તેમાં પ્રમાણે પૂર્વે કહેલ વિભાગ ઔશિક પહેલાં ઉદ્દિષ્ટ સંભવે છે, તેને જ શિષ્યગણના હિત માટે વિભાગથી કહે છે – • વિવેચન-૨૫૦૨૫૧ - ગાથાર્થ કહ્યો. વિશેષ આ - સંરવી એટલે વિવાહ આદિ પ્રસંગ કેમકે જેને વિશે પ્રાણીઓ હણાય તે સંખડી. તેમાં જે વધેલું, તે વધેલ ભોજન જેવું છે તેવું ભિક્ષાચરોને પુન્યાર્ચે આપે તો તે ઉદ્દિષ્ટ, જો તેનો કરંબો કરે તો કૃત, મોદકાદિ બનાવે તો ક્રમ કહેવાય. એ પ્રમાણે વિભાગ ઓશિક સંભવે છે. • મૂલ-૨૫૨,૨૫૩ : ૌશિક, સમુદેશિક, આદેશ અને સમાદેશ એ ચાર ભેદ, આ જ પ્રમાણે કૃત અને કર્મના પણ ચાર-ચાર ભેદો જાણવા. તેમાં સર્વને આશ્રીને કર્યું તે ૌશિક, પાખંડી આશ્રીને કર્યું તે સમુદેશ, શ્રમણને આશ્રીને કર્યું તે આદેશ અને નિગ્રન્થને આશ્રીને કર્યું તે સમાદેશ કહેવાય છે. • વિશેષ-૨૫૨,૨૫૩ : ઉદ્દિષ્ટ વિભાગ ચાર ભેદ – ઔશિક આદિ. તે પ્રમાણે કૃત અને કર્મના ચતુકને જાણવા. એમ સર્વ સંખ્યા બાર થશે. આ વિભાગ ઉદ્દેશિક કહ્યું. હવે આ બાર ભેદોના અવાંતર ભેદો કહે છે - • મૂલ-૨૫૪ થી ૨૫૬ : [૫૪] તે ઉદ્દિષ્ટ ઔશિકાદિ બે પ્રકાર છે – છિન્ન, અછિન્ન. તે દરેક દ્રવ્ય, બ, કાળ અને ભાવ એમ ચાર ભેદે છે. એ પ્રમાણે નિદિત નિષix પણ જ્યાં ઘટે તેમ જાણવું... તેમાં સંખડીમાંથી વધેલ ભોજનને છે કે બીજા દિવસે “અંદર અને બહાર રહેલું બધું આખો દિવસ આપ” એમ જે કહેવું તે અચ્છિન્ન કહેવાય.. દ્રવ્યાદિક છિન્ન - આ આપ બાકીનું આપીશ નહીં, તે પણ ઘરની અંદરનું કે બહારનું એ બેમાંથી એક, તે પણ અમુક સમયથી આરંભીને અમુક સમય સુધી આપ. • વિવેચન-૫૪ થી ૫૬ : છિન્ન-નિયમિત, અછિન્ન-અનિયમિત. એ જ પ્રમાણે જેમ ઉદ્દિષ્ટ ઔશિકાદિ દરેકના આઠ પ્રકાર છે, તેમ નિષ્પાદિત - ગૃહસ્થ પોતાના માટે કરેલું, તે વડે નિષ્પન્ન - બનેલું. જે કરંબાદિ કે મોદકાદિ તે નિષ્પાદિત નિપજ્ઞ કહેવાય. આ નિષ્પાદિત નિપજ્ઞ કૃત કે કર્મને વિશે ઘટે છે. હવે પહેલાં દ્રવ્યાદિ અચ્છિન્નની વ્યાખ્યા કરે છે - જે દિવસે સંખડી હોય છે કે બીજે દિવસે ઘરઘણી પોતાની ભાયદિ પાસે અપાવે Page #56 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૨૫૪ થી ૨૫૬ ૯૪ ઈત્યાદિ અચ્છિન્ન કહ્યું. ભાવ અચ્છિન્ન જાતે જાણી લેવું. જ્યારે દ્રવ્યાદિ છિન્ન તેનાથી વિપરીત છે તેમાં દ્રવ્યછિન્ન- જેમકે શાલિ આપ, કોદરા ન આપ. કાલછિન્ન - અમુક પ્રહર સુધી આપ. હોમછિન્ન-અમુક સ્થાનેથી આપ. ભાવચ્છિન્ન- રુચે ત્યાં સુધી આપ ઈત્યાદિ - ૪ - હવે ઉદ્દિષ્ટાદિને આશ્રીને કલય - અકલય વિધિ કહે છે – • મૂલ-૫ થી ૨૬૦ ? રિપ૭] દ્રવ્યાદિક વડે છિન્ન એવું પણ જે પહેલાથી કહે કે - હવે ન આપ, તે છિન્ન પણ કહ્યું છે. પણ અચ્છિન્નકૃત ન કરો. [૫૮] અમુકને આપ અને અમુકને ન આપવું ત્યાં વિકલ્પ છે. તેમાં પણ જેમાં યતિઓનો સામાન્ય નિર્દેશ હોય તેનો ત્યાગ કરવો. [૨૫] સંકલ્પ કરાતા ભોજનને જે સાધુ સાંભળે તે જ વખતે તે કો, બીજાને સ્થાપના દોષ લાગે, ન સાંભળતા આ મર્યાદિત છે કે સંકલન કરીને પરસાર કહેવું કે કોઈ એકને ત્યાં સ્થાપવો. [૨૬] આ ન આપ, આ આપ એવું કહેલ સાંભલીને સાધુને પૂછવાથી સત્ય કહેતા તેનો ત્યાગ કરે, પણ જે આયુ તે ભલે, હે ન આપીશ સાંભળીને તે ભોજન ગ્રહણ કરે. • વિવેચન-૨૫૩ થી ૨૬૦ - [૨૫] અહીં દ્રવ્યાદિ વડે નક્કી કર્યા સિવાયનું બધું ભોજન કહે છે, કેમકે તેને માટે દાનનો સંકલ્પ નથી. જો ગૃહસ્વામી નિયમિત અવધિ પહેલાં જ કોઈને આપવાની મનાઈ કરે તો તેમાં “છિન્ન' કલે છે. પણ અછિન્ન-અનિયમિત કાળવાળું તો કલય જ છે. તો પણ જો અચ્છિન્ન પણ પછીથી દાનના પરિણામના અભાવે પહેલાં જ ગૃહસ્થ સ્વાધીન કરેલ હોય તે કહ્યું છે. [૫૮] સંપદાન વિભાગને આશ્રીને કલયાકલય-આપવાની વસ્તુમાં જે કોઈ ગૃહસ્થ કે અગૃહસ્થનો, પાખંડી કે શ્રમણોનો અવિશેષ નિર્દેશ હોય તો તે ન કશે, પણ વિશેષ નિર્દેશ હોય અને તે સાધુના નામે હોય તો ન જ કહ્યું, અન્યને માટે હોય તો સાધુને કહ્યું છે. વળી બીજું રિ૫૯] હજુ ઔશિક થયું નથી, પણ તે જ વખતે ઉદ્દેશ કરાતું હોય તો તે વખતે સાધુને કહ્યું છે તે ભોજન ઉદ્દિષ્ટ ઔશિક જાણવું પણ કૃત કે કર્મ ન જાણવું. તે જે સાધુ સાંભળે તેને તે જ વખતે કો પણ જે સાધુ આવો સંદેશ કરાતા ભોજનને સાંભળતો ન હોય તેને તે ભોજન ન કશે. કેમકે તેમાં સ્થાપના દોષ લાગે છે. પરંતુ પૂર્વાચાર્ય આચરિત એવી મર્યાદા છે કે – એક સાધુ સંઘાટક બીજા સાધુ સંઘાટકને કહે, તે વળી બીજાને કહે એવી સંકલનાથી કથન કરે, ઘણાં સાધુ હોય તો એક સાધુ સંઘાટક તે જ ઘર પાસે ઉભો રહે, તો તે બધાં સાધુને નિવેદન કરે કે આ ઘેર જશો નહીં, અહીં અનેષણા છે. હવે આ વાત ન જાણતા. સાધુને જાણવાનો ઉપાય બતાવે છે - [૨૬] જેમકે સાધુને આપતી વખતે કોઈ સ્ત્રી બીજી સ્ત્રીને કહે કે – આ તું ન આપતી પણ આ આપજે. તે સાંભળી સાધુ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ કારણ પૂછે તેણી કહે કે આ દાન માટે કલ્પેલું છે. આ કોલું નથી, તો સાદુ તેને છોડી દે. પણ તે જ ઔશિક પોતાનું કરેલ હોય તો તેવું આપે ત્યારે કલય માની ગ્રહણ કરે. હવે કૃત અને કર્મ ઔશિકના સંભવ હેતુ આદિ કહે છે - • મૂલ-૨૬૧ થી ૨૬૩ નું વિવેચન : રસના ભાજન માટે કે કોહી ન જાય માટે અથવા સુખે દાન આપી શકાય માટે ઓદનને દહીં વડે મિશ્ર કરે તે આ કૃત કહેવાય... મારો અવર્ણવાદ ન બોલે કે મિશ્ર કરેલું હોય તો સુખેથી આપી શકું, એમ ધારીને મધ કે ઉકાળીને ઘટ્ટ બનેલા ઈક્ષરસ કે ધૃતાદિ સાથે મિશ્ર કરે તે કૃત... એ જ પ્રમાણે કર્મને વિશે જાણવું. વિશેષ એ કે તેમાં ઉનું કરવામાં આવે છે, જેમકે - તપાવવા અને ગોળ આદિ ઓગાળવા વડે કરી મોદક રૂપે બનાવાય. દહીં આદિ વડે વદેલા ઓદનાદિને કરંબારૂપ કરીને આ ભાજનને હું ખાલી કરે કે જેી આ ભાજન બીજા કાર્યમાં લઈ શકાય. એમ રસના ભાજપને માટે અથવા આ ઓદનાદિ દહીં વડે મિશ્ર ન કરવાથી કોહી જશે. તે કોહેલું આપી નહીં શકાય અથવા દહીં વડે મિશ્ર કરેલું હોય તો તે એક જ પ્રયાસે સુખેથી આપી શકાશે ઈત્યાદિ કારણે ઓદનને દહીં વગેરે વડે મિશ્ર કરે તે કૃત. જો હું લાડુ વગેરે બધું અલગ આપીશ તો ચાચકો મારી નિંદા કરશે અથવા પિંડરૂપ એકઠું કરેલ સુખેથી આપી શકાય તેવી મદિરા ઈલ્લુસ આદિ સાથે એકરૂપ કરી મોદકાદિ પિંડ બાંધુ. તો તે કૃત કહેવાય. એ પ્રમાણએ કર્મ ઔશિક - ગોળ વગેરેને ઓગાળીને કરી મોદકગૂણને મોદકપણે કરે કે તુવેરાદિ સત્રિ, વાસી ભોજન ફરી સંસ્કારવા અગ્નિ વડે નીપજાવે. • મૂલ-૨૬૪ થી ૨૬૬ :- પ્રિક્ષેપ-૧. [૨૬] અમુક વસ્તુ ફરીથી હું રાધીને આપીશ” એમ દશા કહેતો સાધુને તે ન કહ્યું પણ તેની પહેલા કહ્યું. ઘરમાં કે બહાર, કાલે કે પછી ને દિને રાંધીને આપીશ, એમ કહે તો ન કહ્યું, તેની પૂર્વે કહ્યું... યથા પ્રકારે ફરીથી કરેલું હું આપીશ એમ કહીને તે જ પ્રકારે કરીને આપે તો તે ન કહ્યું, પણ તેની પૂર્વે કહ્યું. પોતા માટે કરેલ પાક પણ યાવદર્શિકવાળું મૂકીને બાકીનું ન કહ્યું. [uપગાથામાં કહે છે - છકાયની દયા વગરના, જિનપ્રવચન બહારના મુંડીયા, કપોતની જેમ ઘણું કહે છે જે નિરર્થક છે.]. • વિવેચન-૨૬૪ થી ૨૬૬ : ભિક્ષાર્થે પ્રવેશેલા સાધુ પ્રત્યે જો કોઈ ગૃહસ્થ બોલે કે – બીજે જઈને ફરી પધારો, જેથી હું અમુક આહાર તૈયારી કરીને આપું, જો તેમ કરીને આપે તો ન કલો કેમકે તે કર્મ દેશિક થયું. આ જ વાત ક્ષેત્ર અને કાળના વિષયમાં ગાથાવતું સમજી લેવી. પૂર્વે વ્યાખ્યા કરી હોવાથી પુનરુક્તિ કરતાં નથી. અને જો દેવા નિધરિલા Page #57 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૨૬૪ થી ૨૬૬ સામાન્યથી સંકલ્પવાળું દ્રવ્ય હોય તો તે સર્વથા ન કશે. જે કર્મ ઓશિક કૃતપાક સાવદર્શિક હોય અને તેને પોતાને માટે કલોલું હોય તો તે કહે છે. [શંકા આધાકર્મિક અને કર્મ ઓશિકમાં શો ભેદ છે ? જે પહેલાંથી જ સાધુ માટે બનાવેલ હોય તે આધાકર્મિક, જે પહેલાં રાંધેલું છતાં ફરીથી પાક કરવા વડે સંસ્કાર કરાય તે કર્મ દેશિક છે. o હવે પતિદ્વાર કહે છે. પ્રતિ ચાર પ્રકારે - નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવપૂતિ. નામ, સ્થાપના સુગમ છે. હવે દ્રવ્ય અને ભાવપૂતિ કહે છે - • મૂલ-૨૬૭ થી ૨૭૦ - [૨૬] પૂતિકર્મ દ્રવ્ય અને ભાવ બે પ્રકારે છે. દ્રવ્યમાં છાણ વડે કહેવાતું. ધાર્મિક ષ્ટાંત છે. ભાવમાં ભાદર અને સૂક્ષ્મ બે ભેદ છે. [૨૬૮] દ્રવ્યપૂતિ - જે દ્રવ્ય ગંધાદિગુણે યુકત પણ પછી શુચિ ગંધદ્રવ્યથી સહિત થવાથી પૂતિ છે, તેથી તેનો ત્યાગ કરાય છે. [૨૬૯,૨૭] હવે બે ગાથા વડે દૃષ્ટાંત કહે છે, જે વિવેચનમાં છે. • વિવેચન-૬૭ થી 90 - પૂતિ - અશુચિ કરવું તે બે ભેદે છે – દ્રવ્યથી - જેનું દૃષ્ટાંત અહીં અપાશે. ભાવથી - બાદર અને સૂક્ષ્મ. અહીં દ્રવ્યનું જે પૂતિકરણ તે દ્રવ્યપૂતિ કહેવાય. જે દ્રવ્યથી ભાવનું પ્રતિકરણ થાય છે તે દ્રવ્ય છતાં ઉપચારથી ભાવપૂતિ કહેવાય છે. દ્રવ્યપૂતિનું લક્ષણ - જે દ્રવ્ય પ્રયમથી સુગંધીરૂપે છે, પણ અશુચિ ગંધ દ્રવ્યથી યુક્ત થતાં અશુચિ થાય છે. માટે તે ત્યજાય છે. સમિલ્લ નામે નગર હતું. નગર બહાર ઉધાન સભામાં દેવકુલિકામાં માણિભદ્ર યક્ષ હતો. તે નગરમાં શીતળાનો રોગ થયો. કેટલાંકે યક્ષની માનતા માની કે - જો અમે ઉપદ્રવથી મુક્ત થઈશું તો એક વર્ષ સુધી આઠમ વગેરે તિથિને વિશે તમારી ઉધપનિકા કરીશું તેઓ કોઈપણ રીતે ઉપદ્રવ મુક્ત થયા. દેવશર્મા પૂજારીને આઠમ આદિ તિથિએ ચક્ષના સભામંડપને છાણથી લીંપજે. અમે પવિત્ર સભામાં ઉજવણી કરીશું. પૂજારી કણબીને ત્યાં સવારમાં છાણ લેવા ગયો. નોકરે અજીર્ણ થવાથી દુર્ગધી વિઠા કરેલી, ઉપર ભેંસે આવીને છાણના પોદળા કર્યા. દેવશમરિએ તે ન જાણ્યું. તે છાણને તેમજ લઈને ચાલ્યો. સભાને લીંપી. ઉજવણી કરનારા આવ્યા. સભામાં દુર્ગધ આવતી જાણીને પૂજારીને પૂછ્યું. લીંપણમાં વિઠા છે તેમ જાણયું. સર્વે ભોજન અશુચિ થયું એમ જાણીને તેનો ત્યાગ કર્યો. લીંપણ ઉખેડી, બીજા છાણથી, લીંપણ કર્યું. બીજા ભોજનાદિ પકાવ્યા. સાર એ કે – વિષ્ઠા ઉપરનું ભોજન તે દ્રવ્યપૂતિ છે. • મૂલ-૨૭૧ થી ૨૬ : ]િ ઉદ્દગમ કોટિના અવયવ માથી પણ મિત્ર આશનાદિક શુદ્ધ છતાં પણ શુદ્ધ ચાઅિને મલિન કરે છે, આ ભાવપૂતિ કહેવાય. [૨૭] આધાકર્મ, પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ ૌશિક, મિશ્ર, બાદર પ્રાકૃતિકા, ભાવપૂતિ અને આધ્યવયુક એ ઉગમકોટિ કહેવાય. [૨૭] ભાવપૂતિ બે ભેદે – બાદર, સૂક્ષ્મ. તેમાં ભાદરપૂતિ બે ભેદ – ઉપકરણમાં અને ભોજન પાનમાં. રિ૩૪] ચૂલો, તપેલી, કડછો, કડછી વડે મિશ્ર તે પૂતિ તથા શાક, મીઠું, હિંગ વડે જે મિશ્ર પણ પૂતિ, સંકામણ, ફોટન, ધૂમ પણ ભોજનપાન પૂતિ છે. [૨૭૫ ચૂલો અને તપેલી રાંધવાની વસ્તુને ઉપકાક છે, કડછી-કડછો આપવામાં આવતી વસ્તુને ઉપકાર કરે છે માટે તે દ્રવ્ય ઉપકરણ કહેવાય. [૩૬] ચૂલો અને તપેલી બંને આધાકર્મી હોય તો પહેલા ત્રણે ભાંગામાં અકય છે ત્યાં રહેવાનો નિષેધ છે બીજા સ્થાને રહેલની અનુજ્ઞા છે. • વિવેચન-૨૭૧ થી ૨૭૬ : છ એ ગાયાનો ગાથાર્થ કહ્યો. હવે વૃત્તિમાંના ફક્ત વિશેષ કથન કહીએ છીએ – [૨૩૧] - આધાકર્મીના ભેદો બે પ્રકારે - વિશોધિકોટિ અને અવિશોધિ કોટિ. અહીં વિશોધિ કોટિ લેવી. તેના એક જ અવયવ વડે પણ મિશ્રિત શનાદિ, ઉદ્ગમાદિ દોષ રહિત હોવા છતાં અતિચાર રહિતને મલિન કરે છે. આવું અશનાદિ તે ભાવપૂતિ - [૨૨] fશ્ર - સાધુ અને પાખંડીનું મિશ્ર હોય છે. હવે ભાવપૂતિના ભેદે - [૨૩] - બાદર ભાવપૂતિમાં બે ભેદ - ઉપકરણ વિષયક અને ભોજન-પાન વિષયક. તેમાં ભોજન-પાન પૂતિ કહે છે -- [૩૪] - ચૂલો, તપેલી, કડછો, કડછી સર્વે આધાકર્મરૂપ જાણવા. તેના વડે મિશ્ર થયેલ શુદ્ધ અશનાદિ પણ પૂતિ કહેવાય. ચૂલો અને તપેલીના યોગ પૂર્વક રાંધીને કે તેની ઉપર સ્થાપીને પૂતિ થાય છે. આધાકર્મવાળા શાક વગેરે દ્રવ્યો વડે મિશ્ર પણ પતિ કહેવાય. આધાકર્મી ભોજનાદિથી ખરડાયેલ તપેલી આદિમાં શુદ્ધ અશનાદિ રાંધવા કે તેમાં મૂકવા આદિ પણ પૂતિ છે. - [૨૫] - જેના વડે ઉપકાર કરાય છે ઉપકરણ. ચૂલો અને તપેલીમાં રહેલા અશનાદિને આશ્રીને કલયાકલય. વિધિ કહે છે - અહીં ચલો અને તપેલી બંને આધાકર્મી છે અથવા આધાકર્મના પંકથી મિશ્રિત છે અથવા બેમાંથી કોઈ એક તેવું હોય તેના ચાર ભંગો છે - (૧) ચૂલો આધાકર્મી તપેલી નહીં. (૨) ચૂલો આધાકર્મી ન હોય, તપેલી હોય. (3) બંને આધાકર્મી હોય, (૪) બંને આધાકર્મી ન હોય. આમાં પહેલાં ત્રણ અંગો વિશે સંધવા વડે કે તેની ઉપર રાખવા માત્રથી તે શન પૂતિદોષ હોવાથી અકય છે. તેનું વિષયના વિભાગ વડે કલયાકીયપણું - ત્યાં રંધાય કે અન્યત્રથી લાવીને ત્યાં સ્થાપન કરાય તો તેવાનો નિષેધ છે. જો તે જ ભોજન અબ રહેલ હોય તો તેની તીર્થકરાદિએ અનુમતિ આપેલ છે. પણ જો સાધુ માટે અન્યત્ર લઈ જવાયું હોય તો ન કશે. હવે ચૂલા વગેરે ઉપકરણનો પૂતિભાવ દેખાડવા માટે કહે છે – • મૂલ-૨૭૩ થી ૨૮૦ :[૨૭] આધાકમરૂપ પંક વડે મિશ્ર ચૂલો અને તપેલી ઉપકરણપૂતિ Page #58 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૨ થી ૨૮૦ કહેવાય છે. કડછાનો અાભાગ કે દંડ એ બેમાંથી એક આધાકમમાં હોય તો તે લાકડાનો હાથો પૂતિ છે. [૨૮] દdછૂટ એટલે આધાકર્મની કડી વડે જે આપે તે આહારપૂતિ કહેવયા, આધાકર્મનો સ્પર્શ કરાવી પછી શુદ્ધનો સ્પર્શ કરાવી આપે તે પણ આહારપૂતિ કહેવાય. [૩૯] શેતાના માટે આરંભ કર્યો પછી જે આધાકર્મ એજ શાક, લવણ, હિંગ કે બીજું કંઈ ફોટન જે તકાદિ મિત્ર થયા હોય તે ભોજનપાન પૂતિ. [૨૮૦] આધાકર્મ સંક્રમાવીને જે રાંણ કે તેમાં કંઇ મિશ્ર થયું હોય તે ભોજનપાનપૂતિ કહેવાય. અંગારામાં વેસણ નાંખવાથી જે ધૂમાડો નીકળે તે ધૂમ કહેવાય, આ ધૂમાડા વડે વ્યાપ્ત જે તપેલી કે તક આદિ હોય તે પણ પૂતિ કહેવાય. • વિવેચન-૨૩૭ થી ૨૮૦ :ગાથાર્થ કહ્યો. હવે માત્ર વિશેષાર્થરૂપ વૃત્તિ જ નોંધેલ છે : [૨૭] આધાર્મિક કર્દમ વડે મિશ્ર - કેટલાંક શુદ્ધ અને કેટલાંક આધાકર્મી પદાર્થો વડે બનેલ. જે કારણે કર્દમ સૂચક આધાકર્મી વડે યુક્ત છે, તેથી કરીને આધાકર્મીકઈમ મિશ્ર કહેવાય. ચૂલા અને તપેલી વડે બીજા પણ ઉપકરણનું પ્રતિપણું જાણવું. પોતાના માટે તપેલીમાંથી કે કડછા વડે કાઢેલ હોય તો કો. [૨૮] “દવછૂઢ' ગાથામાં વિશેષતા :- આધાકર્મી કડછી તપેલીમાંથી બહાર કાઢી હોય તો તે તપેલીમાં રહેલા અશનાદિ કો, કડછી શુદ્ધ હોય પણ આધાકર્મી ભોજન હલાવેલ હોય, તેના કણીયા ચોટેલા હોય, તેવી કડછીથી આપે, તો પણ આહાર પૂતિ કહેવાય. તે કડછી કાઢ્યા પછી પણ તે તપેલીનું ન કહો. [૨૯] તકાદિપાકનો આરંભ પોતા માટે કરે પણ પછી આધાકર્મી મીઠું, હીંગ, રાય આદિ નાંખે તો તે ભક્તપાત પૂતિ કહેવાય. 1 [૨૮] આધાકર્મ જેમાં રાંધ્યું હોય, તે બીજા વાસણમાં સંક્રમાવ્યું. પછી મૂળ તપેલીને ત્રણ વખત સાફ ન કરી, તેમાં પોતાને માટે રાંધે કે બીજું કંઈ તેમાં નાંખે તો તે ભક્તપાનાદિ પૂતિ કહેવાય. ધૂમાડા વિનાના અંગારામાં વેસન, હીંગ, જીરુ આદિ નાંખતા ધૂમાડો નીકળે તે વેસનાંગારધૂમ કહેવાય. ધૂમાડા વડે વ્યાપ્ત તપેલી કે તકાદિ પણ પૂતિ કહેવાય. બાદરપૂતિ કહી હવે સૂક્ષ્મપૂતિ કહે છે – • મૂલ-૨૮૧ થી ૨૮૯ : રિ૮૧] ઈંધણ, ધૂમ, ગંધ આદિ અવયવો વડે સૂપૂતિ થાય છે. આ પૂતિ વર્ષની યોગ્ય છે? એમ પૂછતા ગુરુ કહે છે - [૨૮] ઇંધણ, ધૂમ, ગંધાદિ અવયવોથી પૂતિ થતી નથી, જેઓ તેને પૂતિ માને છે તેમના મતે શુદ્ધિ થતી નથી. [૨૮૩] ઇંધણ, અગ્નિ અવયવ, ધૂમ, બાણ, ગંધ, સમસ્ત લોકને સ્પર્શે છે, તેથી તે સર્વને પૂતિ કહેવું પડશે. _રિ૮] શંકા-આમ કહેતા પૂર્વે કહેલ સૂક્ષ્મપૂતિનો અસંભવ થશે. તેથી [35/7] ૯૮ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ ઇંધણ અને ધૂમથી આ પૂતિ છે એમ સિદ્ધ થાય છે. [૮૫] હે પાકિ ! ધણાદિ ચારે વડે સૂક્ષ્મપૂતિ થાય છે” એ માત્ર પ્રરૂપણા છે, પરંતુ તે પૂતિનો ત્યાગ નથી. [૨૬] સાધ્ય અને અસાધ્ય એમ બે ભેદે કાર્ય હોય તેમાં સાધ્ય કાર્ય સાધી શકાય, અસાધ્ય નહીં. જે મનુષ્ય અસાધ્યને સાધ્યા કરે તે માત્ર કલેશ પામે, કંઈ સાધી ન શકે. [૨૮] આધકના ભાજનનું પ્રસ્ફોટન કરીને ત્રણ કલ્પ ન કરે, તેવા ભાજનમાં ગ્રહણ કરેલ હોય તે સૂક્ષ્મપૂતિ છે. ધોવા આદિથી તેનો પરિહાર થઈ શકે છે. [૨૮૮] આધાકર્મ ગ્રહણ કર્યા પછી બ ધોવા છતાં પણ અવયવ રહિત ન થાય. કેમકે દ્રવ્ય વિના ગુણ ન હોય. એ પ્રમાણે શુદ્ધિ પણ ક્યાંથી હોય ? ન હોય. [૨૮] લોકમાં પણ દૂરથી આવેલા અપવિત્ર ગંધો પરિણામ પામતા ઘોષ ન પામે, દર રહેલા વિપકણીયા પણ મારતા નથી. • વિવેચન-૨૮૧ થી ૨૮૯ :ગાથાર્થ કહ્યો. હવે વૃતિની વિશેષતા માત્ર જ નિર્દેશેલ છે – [૨૮૧] આધાકર્મ સંબંધી ઇંધણ, અંગારા, ધૂમ, ગંધ, બાપ વડે મિશ્ર થયેલા શુદ્ધ અશનાદિ તે સૂક્ષ્મપૂતિ, તેનો આગમમાં નિષેધ નથી. નિષેધ કેમ નથી કર્યો ? [૨૮] ગાથાર્થ સ્પષ્ટ છે. [૨૮૩] હવે પ્રાગ્નિક પોતાના પક્ષનું સમર્થન કરે છે - [૨૮૪] ઇંધણાદિથી પૂતિ ન થાય તો પૂર્વે ગાયા-૨૬૩માં કહેલ સૂમપૂતિનો અસંભવ થશે. કેમકે બીજી સૂમપતિ જ નથી. ગુરુ કહે છે – | [૨૮૫] હે પ્રેક ! તમે કહો છો તેમ ઇંધણાદિથી સૂક્ષ્મપૂતિ થાય જ છે, પણ અશક્ય પરિહાર હોવાથી તેનો ત્યાગ કર્યો નથી. [૨૮૬) સાધી શકાય તેવું કાર્ય સાધવું, તમારા જેવા અસાધ્યને સાધતા અવશ્ય કલેશ પામે. કેમકે તેનો ઉપાય જ વિધમાન નથી. શંકા કરનાર બીજી સૂમપૂતિ બતાવી તેનો પરિહાર શક્ય છે તેવું સિદ્ધ કરે છે . [૨૮] કેટલાંક ઉદ્ધરેલા સૂમ આધાકર્મના અવયવોના મિશ્રણના સંભવથી ભાજનમાં સૂક્ષ્મપૂતિ થાય અને તેના પરિવાર ધોવા વડે થાય તે તમારો જ મત છે. ગુરુ કહે છે - તારું કહેવું અયુક્ત છે. એ બાદરપૂતિ જ છે. આધાકર્મી સ્થૂળ કણીયાદિ સંબદ્ધ છે, માટે સૂમપૂતિ ન કહેવાય. [૨૮૮] વળી તે પાક ધોવા પછી પણ આધાકર્મી દ્રવ્યની ગંધની પ્રાપ્તિ થાય છે. દ્રવ્ય રહિત ગુણો સંભવે નહીં, તેથી પગ ધોયા પછી પણ તેમાં અવશ્ય કેટલાંક સૂક્ષ્મ અવયવો જાણવા. તેથી તારા મતે તેને સૂમપૂતિ કહીએ તો પણ તેનો પરિહાર ક્યાંથી થાય ? માટે પૂર્વે કહી તે જ સૂમપૂતિ છે, માત્ર પ્રરૂપણા પૂરતી છે, તેનો ત્યાગ ન થાય. [શંકા] જો તે પરમાર્થથી સૂફમપૂતિ છે, તો તેના અત્યારથી અવશ્ય અશુદ્ધિ પ્રાપ્ત થાય, વળી તે સૂમપૂતિ પણ સમગ્ર લોકવ્યાપી છે તેથી કોઈપણ સ્થાને અશુદ્ધિ પ્રાપ્ત થશે. સિમાઘાન] ગંધાદિ પુદ્ગલો માત્રથી ચારિત્ર નાશ ન થાય, વળી લોકમાં પણ તે પ્રમાણે જોવાય છે. [૨૮૯] દૂરથી આવેલા અશુચિ ગંધ પુદ્ગલો અશુચિના Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ મૂલ-૨૮૧ થી ૨૮૯ સ્પર્શરૂપ દોષને ઉત્પન્ન કરતા નથી. અથવા વિષ, મારણ થતું નથી. આધાકર્મ દોષ પણ થતો નથી. હવે બાકીની ત્યાગ કરવા લાયક દ્રવ્યપૂતિને કહે છે – • મૂલ-ર©,૨૯૧ : રિ૯o] શેષ દ્રવ્યો વડે જેટલું સ્પર્શ કરાયું હોય તેટલું પૂતિ કહેવાય છે, તેથી ત્રણ લેપ વડે પૂતિ થાય અને ત્રિગુણ કલ્પ કર્યો તે કહ્યું છે. રિ૯૧) ઉધનાદિ ચારને છોડીને શેષ દ્રવ્યો પૂતિ હોય છે, તેનું પરિણામ વફ પ્રમાણફોતરાથી આરંભીને જાણવું. • વિવેચન-ર૯૦,૨૯૧ - (૨૯૦] ઇંધનાદિ સિવાયના શાક, મીઠું આદિ જેટલાં પ્રમાણમાં સ્પર્શિત હોય તેટલા પ્રમાણમાં પૂતિ કહેવાય. ત્રણ લેપ - આધાકર્મી રાંધ્યાને દૂર કર્યા પછી તપેલીમાં ચોટેલું રહે, તે પછી બીજી બે વાર રાંધે ત્યાં સુધી પૂતિ એ ત્રણ લેપ ચોથી વખતે રાંધે તે પૂતિ નથી. જો ધોયેલ હોય તો ત્રણ કશે શુદ્ધ થાય. [૨૯૧) ઇંધણાદિ સિવાયના શનાદિ દ્રવ્યો પૂતિ કરવામાં તત્પર જાણવા માત્ર ફોતરારૂપ અવયવથી સ્પર્શિત શુદ્ધ અશનાદિ પણ પૂતિ થાય છે. હવે દાતાનું ઘર અને સાધુના પાત્રને આશ્રીને પૂતિમાં કપાકા - • મૂલ-૨૯૨ - પહેલે દિવસે આધાકર્મ જ છે, બીજા ત્રણ દિવસ સુધી પૂતિ હોય છે, તે ત્રણ પૂતિમાં ન કહ્યું. પાત્રને ત્રીજો કલ્પ આપે ત્યારે કહ્યું. • વિવેચન-૨૨ : જે દિવસે આધાકર્મ કર્યું, તે ઘેર બીજા ત્રણ દિવસ સુધી પૂતિ છે. કુલ ચાર દિવસ તે ઘેર ન કહો. સાધુનું પત્ર પતિ થયા પછી ત્રીજો કલ્પ આપ્યા. પછી કહ્યું. - x • હવે આધાકર્મ અને પૂતિ જુદા જુદા કહી સમાપ્તિ કરે છે – • મૂલ-૨૯૩નું વિવેચન : શ્રમણને માટે કરેલ જે આહાર, ઉપધિ, વસતિ આદિ સર્વે આધાકર્મ કહેવાય. શ્રમણ માટે કરેલ આઘાકર્મ વડે મિશ્ર આહારાદિ, તે બધાં પૂતિ કહેવાય. હવે તેને જાણવાનો ઉપાય કહે છે – • મૂલ-૨૯૪નું વિવેચન : શ્રાવકને ઘેર આવેલ સાધુને સંખડી આદિના ચિહ્નથી પૂતિની શંકા થાય તો શ્રાવક કે શ્રાવિકાને પૂછવું કે થોડા દિવસો પૂર્વે સંખડી કે સંઘ ભોજન આપેલું કે તેમાં સાધુ નિમિતે કંઈ કરેલું જો તેવું જણાય તો ત્રણ દિવસની પૂતિ હોય, એમ જાણીને ત્યાગ કરવો. પછી ગ્રહણ થઈ શકે. અથવા પૂછ્યા વિના સ્ત્રીઓના સંલાપથી જાણવું પૂતિ જણાય તો ન કહો. ૦ પૂતિદ્વાર કહ્યું, હવે મિશ્રજાત દ્વાર કહે છે – • મૂલ-૨૯૫ થી ૩૦૧ - [૨૫] મિશ્રાવ ત્રણ પ્રકારે છે – યાવદર્શિક, પાખંડીમિશ્ર, સાધુમિw. આ હજારના આંતરાવાળુ હોય તો પણ ન કહ્યું, ત્રણ કલ્પ કર્યા પછી કો. (ર૯૬) દુકાળમાં, દુકાળના ઉલ્લંઘન પછી, માગના મથાળે કે ચામાં કોઈ શ્રદ્ધાવાન ગૃહસ્થ ઘણાં ભિક્ષાચર જાણીને મિશ્રાપ્ત કરે. રિ૯ યાવાર્ષિકને માટે આ રાંધેલ નથી, તેથી યતિને જે ઈચ્છિત છે તે તું આપ અથવા ઘણાં ભિક્ષાચરો આવ્યા હોવાની અપૂરતું જાણીને કહે - બીજું પણ રાંધ” (ર૯૮] પોતાને માટે રંધાતું હોય અને પાખંડી માટે પણ રાંધ કહે તે પાખંડી મિશ, નિર્ણય માટે રાંધ કહે તે સાધુ મિશ્ર (ર૯૯] વિષ વડે મરેલાના માંસને ખાનાર મરે છે, તેના માંસને ખાઈને બીજો પણ કરે છે, એમ પરંપરાએ હજારો મરણ થાય છે. [3oo] તે પ્રમાણે મિશજાત પણ સાધુના સુવિશુદ્ધ ચાઆિત્માને હણે છે, તેથી હજારો પુરો પાસે ગયેલું પણ તે સાધુને ન કહ્યું. [૩૧] સાધુને આશ્રીને વિધિ - પાત્રને ગળી વડે કે સૂકા છાણથી સાફ કરીને ત્રણ કલ્પ દેવા, પછી તડકામાં સૂકવીને તેમાં શુદ્ધlm ગ્રહણ કરવું કોઈ કહે છે ચોથો કલ્પ દઈને સૂકવ્યા વિના ગ્રહણ કરવું. • વિવેચન-૨૯૫ થી ૩૦૧ ; ગાથાર્થ કહા છે. હવે વૃતિગત વિશેષ હોય તે જ કહીએ છીએ – [૨૫] થાયfધ - જે કોઈ ગૃહસ્થ કે ગૃહસ્થ ભિક્ષાચરો આવશે, તેમનું પણ થશે અને કુટુંબમાં પણ થઈ રહેશે એવી બુદ્ધિથી સામાન્ય કરીને એકઠું રંધાય છે. પાઈલf - કેવળ પાખંડીને યોગ્ય અને કુટુંબને યોગ્ય ભેગું રંધાય છે. સાથુમિક - માત્ર સાધુને અને પોતાને યોગ્ય ભેગું રંધાય છે. પાખંડીમાં શ્રમણ આવી જાય છે. હજાર આંતરા - એક બીજાને આપ્યું, બીજાએ ત્રીજાને આપ્યું, એ રીતે હજારના અપાય, મિશ્રજાતની ઉત્પત્તિ - [૨૯૬] દુર્ગાસ - જેમાં દુઃખે કરીને ગ્રાસ મળે તે દુર્ગાસ - દુકાળ. તેમાં ભિક્ષાચરની અનુકંપાણી, ભૂખનું દુ:ખ જાણીને, અરણ્યાદિથી નીકળવા કે પ્રવેશવારૂપમથાળ, ત્યાં કોઈ શ્રદ્ધાવાનું ઘણાં ભિક્ષાયરોને જાણીને પૂર્વોક્ત મિશ્રજાતને કરે. [૨૯] વાવધિ - કોઈ સ્ત્રી બીજી સ્ત્રીને નિષેધ કરે કે – આ જે કોઈ ભિક્ષાચર આવે તેને આપવા માટે સંઘેલ નથી અથવા બીજું પણ અધિક રાંધવા ગૃહનાયક સૂચવે તેને ચાવદર્શિક મિશ્ર જાણી ત્યાગ કરવો. [૨૯૮] કુટુંબ માટે સંધતી સ્ત્રીને કોઈ બીજો ગૃહનાયક પાખંડી માટે કે બીજો કોઈ નિન્થિને માટે અધિક નાંખ કહે તો તે પાખંડી કે સાધુમિશ્ર જાણવું. [૨૯૯] કાલકૂટ વિષ ખાઈ કોઈ મરણ પામે, તેના માંસને કોઈ ખાય તે મરે, તેવી પરંપરા સંખ્યા વડે હજારો થાય, આ સહસવેધ વિષનો પ્રભાવ છે તે. [30] સહવેધ વિષ માફક ચાવદર્ચિકાદિ ત્રણે એકે બીજાને આપ્ય, એ પ્રમાણે હજારો Page #60 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૨૯૫ થી ૩૦૧ ૧૦૧ પુરષોના અંતરે ગયા પછી પણ અતિ વિશુદ્ધ ચારિરૂપી આભાને હણે છે, માટે ન કલો. [૩૦૧] કોઈ પ્રકારે મિશ્ર ગ્રહણ કરાયું હોય, પછી તેનો ત્યાગ કર્યો હોય, તેને ગાથાર્થ મુજબ શુદ્ધ કરે. આ પાત્ર પ્રક્ષાલન વિધિ સર્વત્ર અશુદ્ધ કોટિને ગ્રહણ કરવામાં જાણવો. -0-0- Q સ્થાપના દ્વાર - • મૂલ-3૦૨ થી ૩૧૦ :- [ભાણ-૩૪] [3] સ્વ સ્થાન અને પર સ્થાન એમ બે પ્રકારે સ્થાપના હોય છે, તેમ ગણવું. તેમાં દુધ આદિ પરંપર સ્થાપિત છે. હાથમાં રહેલ ભિા એક પંકિતના ત્રણ ઘર સુધી જ સ્થાપના ઈષના અભાવવાળી છે. - [33] - ચૂલો કે વસુલ એ સ્થાનરૂપ સ્વસ્થાન છે, પરતપેલી એ ભાનરૂપ સ્થાન છે. આ બંને સ્વસ્થાનમાં ચાર ભંગો થાય છે - [30] - છબક અને વાસ્ક આદિ અનેક પ્રકારે પર સ્થાન જાણવું. તેમાં સ્વ સ્થાનમાં પિઠર અને છત્મક જાણવું. એ જ પ્રમાણે દૂર એટલે પર સ્થાનમાં જાણવું. - [૩૦] ક્ષીરાદિ પરંપરાથી પ્રત્યેક સ્થાન બે ભેદે છે . અનંતર અને પરંપર તેમાં કdઈએ જે અવિકારી દ્રવ્ય ક્યું હોય તે અનંતર છે. - [૩૬] - શેરડી, દુધ વગેરે વિકારી દ્રવ્ય છે, ઘી, ગોળ વગેરે અવિકારી દ્રવ્યો છે. તથા રસગંધાદિ પલટાઈ જવાના દોષથી ભાત અને દહીં પણ વિકારી છે. - [30] અને [૩૮] બે માથામાં પરંપરા સ્થાપિત ક્ષીરાદિની ભાવના કરે છે, જે વિવેચનના ટાંતથી જાણવી.. [36] સ્ટ, કાળ, પિંઢંગુલ, મત્સ્યડી, ખાંડ, સાકર આ બધાં પરંપરા સ્થાપન કહે છે, બીજે સ્થાને પણ યોગ્ય હોય તેમ જાણવું. [૩૧] ભિક્ષા ગ્રહણ કરનાર એક સ્થાને ઉપયોગ કરે અને બીજી બેમાં ઉપયોગ રે ત્યારપછીના ઘર ઉપાડેલી ભિક્ષા પ્રાભૃતિકા સ્થાપના કહેવાય. • વિવેચન-3૦૨ થી ૩૧૦ : સ્થાપના દ્વારની નવ ગાથાઓનો ગાથાર્થ કહ્યો. હવે વૃત્તિમાં રહેલ જે કંઈ વિશેષ છે, તેને જ માત્ર નોંધીએ છીએ – [3૦૨] સાધુ નિમિતે ઘી, ભોજનાદિ સ્થાપન કર્યા. તે સ્થાપના બે ભેદે - સ્વ સ્થાનથી, પર સ્થાનથી. તેમાં સ્વ સ્થાન તે ચૂલો, અવમૂલ વગેરે પર સ્થાન-વાંસની છાબડી, સુંડલો વગેરે. તે દરેક બે ભેદે - અનંતર, પરંપર. સાધુ નિમિતે સ્થાપ્યા પછી જુદા વિકારને ન પામે તેવા ઘી આદિ તે અનંતર - સ્થાપિત. દુધ આદિ તે પરંપર સ્થાપિત. જેમકે દુધનું દહીં, ઘી, માખણ સુધી રૂપાંતર થાય. ત્યારે તે પરંપરા સ્થાપિત થાય છે. આ રીતે શેરડીનો રસ આદિ પણ જાણવા. એક પંક્તિમાં સાથે રહેલાં ત્રણ ઘરમાં - ત્રણે ઘરે ગૃહસ્થના હાથમાં રહેલી ત્રણે ભિક્ષાને વિશે ઉપયોગનો અવકાશ સંભવે છે, તેમાં ત્રણ ઘર સુધી સ્થાપના દોષ નથી, પણ ચોથે ઘેર તે સ્થાપના કહેવાય છે. કેમકે તેમાં ઉપયોગનો અસંભવ છે. આ જ ગાળામાં બાયકાર કહે છે કે - [33] સ્વ સ્થાન બે ભેદે - સ્થાનથી, ભાજનથી. ચાન સ્વસ્થાન તે ચૂલો ૧૦૨ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ અને અવમૂલો. ભાજનરૂપ સ્વસ્થાન તે ચાળી, તપેલી આદિ છે. અહીં ચાર બંગો છે. - (૧) ચૂલા ઉપર સ્થાપેલ પણ તપેલીમાં નહીં. (૨) ચૂલા ઉપર સ્થાપિત નહીં પણ તપેલીમાં અન્ય સ્થાને સ્થાપિત, (3) બંને ઉપર સ્થાપે, (૪) બંનેમાં પણ ન સ્થાપેલ [મુંડલાદિમાં સ્થાપિત] હવે પર સ્થાન કહે છે – [૩૦૪] છાબડી, સુંડલો, ઘડી આદિ પરસ્થાન છે. અહીં માય શબ્દથી, રસોઈવાળા વાસણ સિવાયના અને ચૂલા, ઓલા સિવાયના બધાં ભાજનોનું ગ્રહણ કર્યું. અહીં પણ ચાર ભંગો છે -(૧) સ્વસ્થાન-સ્વસ્થાન, (૨) પરસ્થાન-પરસ્થાન. (3) પરસ્થાન-સ્વસ્થાન, (૪) પરસ્થાન-પરસ્થાન. તેમાં સ્વસ્થાન એટલે ચૂલાદિ અને પિઠરને વિશે, પરસ્થાન-છાબડી આદિમાં. દૂર-એટલે ચૂલા અને ઓલા સિવાયનો બીજો પ્રદેશ. અહીં પણ ચાર ભંગો પૂર્વવત્ કહેવા. આ રીતે ગાયા-3૦૨ના પૂર્વાદ્ધને કહ્યો. હવે ક્ષીરાદિ પરંપરાનું વ્યાખ્યાન - [૩૫] સાધુ નિમિતે સ્થાપન કરેલ સ્વસ્થાનગત અને પરસ્થાનગત દ્રવ્યભોજન બે પ્રકારે જાણવું - અનંતર અને પરંપર અનંતર એટલે આંતરાનો અભાવ, વિકારરૂપ વ્યવધાન રહિતમાં. પરંપર - વિકારની પરંપરામાં. તેમાં કતએ પોતાના માટે જે અવિકારી દ્રવ્ય એવા દહીં, ગોળ આદિનું સાધુ નિમિતે સ્થાપન કર્યું હોય તે અનંતર સ્થાપિત. ઉપલક્ષણથી દુધ વગેરે પણ જે દિવસે સાધુ નિમિતે સ્થાપ્યા જ દિને આપે તો દહીં આદિ વિકાર ન પામે માટે તે અનંતર સ્થાપિત છે. પણ જો તે વિકાર પામી દહીં આદિમાં પરિણમતા હોય તો પરંપરા સ્થાપિત કહેવાય. આ જ પ્રમાણે તે જ દિવસનો ઈક્ષરસ તે અનંતર અને ગોળ આદિની તૈયારી હોય તો પરંપર સ્થાપિત છે હવે વિકારી અને અવિકારી દ્રવ્યો કહે છે – [30] શેરડી, દૂધ આદિ વિકારી છે, તેનો ગોળ કે દહીં થાય છે. પણ ઘીગોળ અવિકારી છે. જેના રસાદિ પરિણમન પામે - કોહવાઈ જાય ઈત્યાદિ તે પણ વિકારી દ્રવ્ય છે. હવે પરંપરાસ્થાપિત દુધ આદિની ભાવના - [3o9,૩૦૮] કોઈ સાધુએ કોઈ ગૃહિણી પાસે દુધ માંગ્યું. તેણી બોલી - થોડીવાર પછી આપીશ. સાધુએ બીજા સ્થાને દૂધ પ્રાપ્ત કર્યું. પહેલા ઘેર સાધુએ દુધ ન લેતાં, તે સ્ત્રીએ ગણના ભયથી દુધનું સ્થાપન કરી દહીં બનાવ્યું, જેથી તેણી, તે સાધુને આપી શકે. સાધુએ દહીં ન લીધું. પછી માખણ બનાવ્યું. પછી ઘી બનાવ્યું. આ બધું સ્થાપના દોષથી દુષ્ટ હોવાથી સાધુને ન કયે. પણ જો દુધ-દહીં-માખણઘી આદિ પોતાને માટે કર્યા હોય તો સાધુને કરે છે. જો કે ઘી પોતાના દેશોના પૂર્વકોટિ સુધી રહે. કેમકે પૂર્વકોટિ પછી ચારિત્ર છે નહીં અને દેશોન એટલે કહ્યું કે આઠમે વર્ષે રાત્રિ ગ્રહણ કરે તે આઠ વર્ષ તેમાંથી ઘટે છે. એ જ પ્રમાણે ગોળ આદિ અવિનાશી દ્રવ્યનું પણ જેમ ઘટે તેમ સ્થાપનાકાળનું પરિમાણ જાણવું. આ પ્રમાણે પરંપરા સ્થાપિત દુધ આદિ કહ્યા. હવે પરંપરા સ્થાપિત ઈક્ષ સાદિ કહે છે [ ૩૯] કોઈ સાધુએ પ્રયોજનવશ કોઈની પાસે ઈક્ષરસ માંગ્યો, ત્યારે તેણે Page #61 -------------------------------------------------------------------------- ________________ મૂલ-3૦૨ થી ૩૧૦ ૧૦૩ થોડીવાર પછી આપવા સ્વીકાર્યું સાધુને તે બીજા સ્થાને પ્રાપ્ત થયો પહેલો ગૃહસ્થ ત્રણથી ભય પામ્યો હોય તેમ તે રસની ચાવત્ સાકર કરી. અહીં ઉત્તરોતર જે સ્વરૂપ પયિો પ્રાપ્ત કરાવવા પૂર્વક રાખી મૂકાતા પદાર્થોની સ્થાપના તે પરંપરા સ્થાપના જાણવી. આ પ્રમાણે બીજા દ્રવ્યોમાં પણ આવી પરંપરા સ્થાપના ઘટતી હોય તે કહેવી. જ્યાં સુધી આ સ્થાપના દ્રવ્યો ગૃહસ્થ પોતાના માટે કર્યા હોય ત્યાં સુધી સાધુને કલો પણ આરંભ કર્યો હોય તો ન કો. હવે ગાવા-3૦૨ના સ્થાય પરંતરની વ્યાખ્યા - (૩૧૦] ભિક્ષા ગ્રહણ કરનાર સાધુ એક ઘરને વિશે ઉપયોગ કરે છે, બીજો સાધુ બે ઘરને વિશે ઉપયોગ કરે છે, તે ત્રણ ઘરમાં ઉપયોગનો સંભવ હોવાથી સ્થાપના દોષ નથી. ત્રણ ઘર પછી સાધુને માટે ઉપાડેલી જે ભિક્ષા તે પ્રાભૃતિકા સ્થાપના કહેવાય છે. સ્થાપના દ્વાર કહ્યું, હવે પ્રાભૃતિકા દ્વાર કહે છે – • મૂલ-૩૧૧ થી ૩૧૯ - [ભાણ-૩૫,૩૬]. [૩૧૧ પ્રાભૂતિકા પણ બાદર અને સૂક્ષ્મ બે ભેદ છે, એમ ગણવું. તે દરેકના પણ અવqકણ અને ઉત્તકણ એમ બન્ને ભેદ છે. તે વિશે સિદ્ધાંતમાં "ી વિવાહનું ષ્ટાંત છે. - [૩૧૨,૩૧૩] હું રૂની પૂણી કાતું છું તેથી પછી આપીશ, તો માટે તું રડ નહીં વા વચન સાધુ સાંભળે તો ત્યાં આરંભ ાણી ન જાય. અથવા “અન્ય કાર્ય માટે ઉઠેલી હું તને કંઈક આપીશ” એમ સાંભળી સાધુ ત્યાગ કરે અથવા પુત્ર બોલે કે – કેમ હવે તું નહીં ઉઠે ? સાધુના પ્રભાવથી અમે પણ પામશું. [૩૧૪,૩૧૫ પુત્ર! તું વારંવાર ન બોલ. અહીં પરિપાટીક્રમે સાધુ આવશે, તેને માટે ઉઠીશ ત્યારે તને આપીશ. આવું વચન સાંભળી સાધુ તેનો ત્યાગ કરે. અથવા બાળક સાધુને ખેંચીને પોતાને ઘેર લઈ જય, યથાર્થ હકીકત જાણી સાધુ ત્યાં ન જાય. આ બધી સૂક્ષ્મ પ્રાભૂતિકા રણવી. હવે આવશ્વકરમ બાદર પ્રાભૂતિકા કહે છે - ૩૧] સ્થાપન કરેલ વિવાહનો દિવસ સાધુ સમુદાય આધ્યા પહેલા થઈ જશે, એમ વિચારીને ઉપણ કરે. પ્રાભૂતિકા કરનારને કહે છે – તેને સરળ માણસ પ્રગટ કરે છે અને સરલ ન હોય તેવો માણસ બીજે કરે છે. [૧] વિવાહાદિ પ્રકૃત, મંગળને માટે પુન્યને અર્થે એમ બે પ્રકારે અવMષ્ઠિત છે. એ જ પ્રમાણે ઉMકિત પણ છે. તેમાં આ શું છે ? પૂછીને, ગૃહસ્થ કહે પછી તેનો સાધુ ત્યાગ કરે. [૩૧] જેઓ પ્રાભૃતિકા ભકતને ખાય છે, અને તે સ્થાનથી પાછો ફરતો નથી તે મુંડ લુચિત વિલુંચિત કપોતની જેમ નિરર્થક જ ભટકે છે. - વિવેચન-૩૧૧ થી ૩૧૯ : ગાથાર્થ કહ્યો છે. હવે વૃતિગત વિશેષ કથન માત્ર જ નોંધીએ છીએ- [૩૧૧] પ્રાભૃતિકા બે ભેદે – બાદર અને સૂક્ષ્મ. તે પ્રત્યેકના બે ભેદ – (૧) અવqાકણ ૧૦૪ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ એટલે અપસર્પણ - પોતાના કાર્યમાં પ્રાપ્ત થતા અમુક કાળની અવધિ પહેલા કાર્ય કરવું. (૨) ઉઘકણ એટલે ઉત્સર્પણ - કાર્યની નિયત વેળા પછી કાર્ય કરવું તે. તેમાં પહેલાં બાદર પ્રાકૃતિકાને કહે છે – પુત્રી કે પુત્ર સંબંધી વિવાહને પહેલાં કે પછી રાખવા. જેથી સાધુ વિહાર કરીને આવેલા સાધુ ચાલ્યા ન જાય અથવા વિહાર કરીને તે સ્થાને પહોંચી શકે. જેથી શ્રાવકને ભોજનાદિના દાનમાં સાધુ ઉપકારક થઈ શકે. આ રીતે વિવાહને પહેલાં કે પછી સખતા જે ભોજનાદિ રંધાય તે બાદર પ્રાભૃતિકા કહેવાય. હવે અપસણિરૂપ સૂક્ષ્મ પ્રાકૃતિકાને ભાષ્યકાર બે ગાથા વડે કહે છે - કાંતતી એવી સ્ત્રી ભોજન માંગતા પોતાના પુત્રને કહે – હાલ હું રૂની પૂણીને કાંત છે, પછી તને ખાવા આપીશ, તું રડ નહીં. એવામાં આવી ચઢેલ સાધુ ત્યાં ભિક્ષા ન લે, જેથી સાધુ નિમિતે હાથ ધોવા આદિપ આરંભ ન થાય. અહીં સાધુ નિમિતે પહેલાં ઉઠીને બાળકને ભોજન આપવું તે અવસર્પણ કહેવાય. શેષ કથન ગાથાર્થ મુજબ જાણવું. તે દરેકમાં “મને અવસર્ષણરૂપ સૂમ પ્રાકૃતિકા દોષ ન લાગે" એમ સમજી સાધુ ભોજન ત્યાગ કરે. હવે ઉત્સર્ષણરૂપ પ્રાકૃતિકાને કહે છે - [3૧૪,૩૧૫] કોઈ ગૃહિણી ભોજન માંગતા પુત્રને કહે કે – હે પુત્ર ! તું વારંવાર ન બોલ. સાધુ આવશે ત્યારે હું ઉઠીશ, તને ભોજન આપીશ. આ અવસરે આવેલા સાધુ આવું વચન સાંભળી તે ઘરનો ત્યાગ કરે. જેથી તેને ઉત્સર્પણરૂપ પ્રાકૃતિકા દોષ ન લાગે. સાધુ માટે તે બાળકને મોડું કરે છે તેને ઉસ પણ કહે છે અથવા બાળક સાધુને પોતાના ઘર તરફ ખેંચે ત્યારે બાળકને પૂછતાં તે સાચું કહી દે, તો સાધુ ત્યાં ન જાય. આ સૂક્ષ્મ પ્રાકૃતિકા કહી. હવે અપસણિરૂપ બાદર પ્રાકૃતિકાને ફરી કહે છે - [૩૧૬] સાધુ સમુદાય આવી ગયા પછી કે આવતો નાણીને શ્રાવક પ્રાદિનો વિવાહ પહેલા કરે શા માટે ? સાધુ સમુદાયને સંખડીને વિશે મોદકાદિ, ચોખાનું ધોવાણાદિ આપવા માટે. હવે ઉત્સર્પિણ બાદર પ્રાકૃતિકા કહે છે – [૩૧] સાધુ સમુદાયના આવ્યા પહેલાં વિવાહનો દિવસ આવી જશે તેમ જાણીને વિવાહનું ઉત્સર્પણ કરે અચંત્િ વિવાહ પાછા ઠેલે. સાધુના આવવાના અવસરે કરે, જેથી વિવાહ સંબંધી દ્રવ્ય વહોરાવી શકે. હવે આ બંને પ્રાકૃતિકા કરનારાને કહે છે - તે અવસર્પણ, ઉત્સર્પણરૂપ બંને પ્રકારની પ્રાકૃતિકાને હજુ માણસ પ્રગટ કરી દે છે, બીજા તે કાર્ય કોઈ ન જાણે તેમ કરે છે. પ્રગટ હોય તો તે લોકપરંપરા જાણીને તેનો ત્યાગ જ કરે. અપ્રગટ હોય તો નિપુણ રીતે શોધીને ત્યાગ કરે છતાં ન જાણી શકે તો પરિણામ શુદ્ધિને લીધે દોષ ન લાગે. [૩૧૮] વિવાહાદિને પહેલાં કે પછી શા માટે કરે ? સાધુના ઘેર પગલા થાય અને દાન અપાય તે મંગલને માટે છે, એમ ધારીને અથવા પુન્ય થાય તે માટે. Page #62 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૩૧૧ થી ૩૧૯ ૧૦૫ સાધએ તે જાણીને બાદર પ્રાકૃતિકા દોષના પ્રસંગનો ત્યાગ કરવો. જેઓ નથી કરતા, તેમને દોષ લાગે છે, તે કહે છે – [ગાથા-૩૧હ્નો અર્થ જુઓ, વ્યાખ્યા પૂર્વે કહેલ છે.) હવે પાદુકરણ દ્વાર કહે છે – મૂલ-૩૨૦ થી ૩૨૫ : [૨૦] જેના મસ્તકના કેશ લોચ વડે વિરલ છે, તપ વડે કૂશ થયેલા, મતિનશરીટી, યુગમર્દષ્ટિવાળા, અવરિત, અચપળ, પોતાને ઘેર આવતા ૩િર૧] કોઈ સાધુને જોઈને સંવેગ પામેલી કોઈ શ્રાવિકા ઘમાં ભોજનપાન ગ્રહણ કરીને નીકળી, તે જોઈ તે સાધુ પણ નીકળી ગયા. [૩રર નીચા દ્વારવાળા આ ઘરમાં એષા શુદ્ધ નહીં થાય એમ ધારીને નીકળી જતાં સાધુને શેઇ, તે ગૃહિણી ઘણી ખેદ પામી. [] ત્યારે ચરણ-કરણના પ્રમાદી એવા બીજ સાધુ ત્યાં આવ્યા, તેણે તે ભિક્ષા ગ્રહણ કરી, ત્યારે ગૃહિણીઓ પ્રશ્ન પૂછતા, તે સાધુઓ આલોક-પરલોક સંબંધી કહ્યું. તેમાં આલોકનો ત્યાગ કરીને કહ્યું કે – (૩૨૪] એષણાસમિતિવાળા સાધુ નીચે હારવાળા ઘેર ભિક્ષાને ઈચ્છતા નથી. જે તું મને પૂછે કે – તમે કેમ ગ્રહણ કરી ? તો કહું છું કે – હું લિંગોપજીવી છું. [૩૫] સાધુના ગુણ અને એષણા સાંભળી હર્ષિત થયેલી તેણીએ તેમને ભોજન-પાન આપ્યું. તેના ગયા પછી ત્રીજા સાધુ આવ્યા. તેને પૂછવાથી તે સાધુ બોલ્યા કે - તેઓ બંને માયા વડે ચાલે છે, અમે તો વ્રતનું આચરણ કરીએ છીએ. • વિવેચન-૩૨૦ થી ૩૨૫ : આ એક દષ્ટાંત જ છે મૂળમાં લખ્યું તેનો થોડો વિસ્તાર વૃત્તિમાં કરેલો છે, વિશેષ એટલું જ કે - બીજે સાધુ જે આવેલો તો દીર્ધ સંસારના પરિભ્રમણના ભયને ન ગણકારતો અને ધર્મરહિત એવો સાધુ આવ્યો. તેણે જવાબ એવો આપ્યો કે પૂર્વે આવેલ જે સાધુએ ભિક્ષા ન લીધી તે માયા વડે વિચરે છે તારા ચિતના વશીકરણ માટે તેણે ભિક્ષા લીધી નથી. આવા ઘણાં માયા-કપટવાળા વ્રતો અમે પણ પહેલાં આચરેલા હતા. પણ હવે અમે એવી માયા છોડી દીધી છે. પ્રાદુકરણ વિશે વિશેષ : મૂલ-૩૨૬ થી 333 : [૨૬] પાદુકરણ બે ભેદે છે - પ્રગટકરણ અને પ્રકાશકરણ. તેમાં પ્રગટ એટલે સંકામણ વડે પ્રગટ કરવું છે અને પ્રકાશકરણ - ભીંતમાં દ્વાર પાડવું કે ભીંતને મૂળથી છેદીને [3] અથવા રત્ન, પ્રદીપ કે જ્યોતિ વડે પ્રકાશ કરવો છે. સાધુને આવું પ્રકાશન ન કહ્યું, પણ ગૃહસ્થ પોતા માટે કર્યું હોય તો કહ્યું. વળી દોષિત આહાર વાપર્યા પહેલાં પરઠવવો પછી તેમાં ત્રણ કલ્પ કર્યા વિના લેવો ન કહ્યું. [૨૮] તેમાં ગુલ્લી સંક્રમણ-સંચામિા ચુલ્લી તથા સાધુને ઉદ્દેશીને પહેલેથી જ બહાર કરેલી સુલ્લી, તથા તે વખતે કરેલી એમ ત્રણ પ્રકારે ચુલ્લી છે. તેમાં કદાચ ગૃહસ્થો રાંધે તો ઉપધિપતિ અને પાદુકરણ બે દોષ લાગે. [૨૯] હે સાધુ: “તમે અંધકારમાં ગૌચરી નથી લેતા, તેથી બહાર ૧૦૬ પિંડનિયુક્તિમૂલસૂત્ર સટીક અનુવાદ ચુલ્લી ઉપર રાંધ્યું.” આવું વચન સાંભળી તે આહારને સાધુ ન લે. અથવા પૂછીને, તેમ જાણીને ત્યાગ કરે. [૩૦] પાદુક્કરણ ગૃહસ્થને પોતા માટે કઈ રીતે સંભવે ? ઘરમાં માખી કે ઉકળાટ હોય, બહાર ઘણો પવન, પ્રકાશ અને સમીપપણું હોય એમ વિચારી આહારનું પ્રાદુકરણ ગૃહસ્થ પોતા માટે કરે તો તે આહાર ગ્રહણ કરવો આ કલયાલયનો વિકલ્પ છે. [૩૧] હવે પ્રકાશકરણને સ્પષ્ટ કરે છે – ભીંતમાં છિદ્ર કરે, દ્વારને વધારે કે બીજું કરે, છાદનને દૂર રે, દેદીપ્યમાન રતનને સ્થાપન કરે. [33] અથવા જ્યોતિ કે પ્રદીપને કરે તે પ્રમાણે પાદુક્કરણ કહે અથવા પૂછવાથી સાધુ જણે તો આહાર ન કહ્યું. પણ ગૃહસ્થ બધું પોતાને માટે કરે તો જ્યોતિ અને પ્રદીપના પ્રકાશથી કરેલા પ્રગટપણાને વજીને કહ્યું. [333] પ્રગટકરણ કે પ્રકાશકરણ કર્યા છતાં સહસા કે અનાભોગથી ગ્રહણ કરેલું હોય તે પરઠવીને તે પાત્રમાં કહ્યુ કર્યા વિના પણ બીજું શુદ્ધ ગ્રહણ કરે. • વિવેચન-૩૨૬ થી ૩૩૩ : ગાથાર્થ કહેલ છે. હવે વૃત્તિમાં રહેલ જે કંઈ વિશેષ કથન છે તે જ નોંધીએ છીએ - [૩૨૬] પ્રવર - અંધકારમાંથી દૂર કરીને બહાર પ્રકાશમાં સ્થાપન કરવું. પ્રવીણ - અંધકારવાળા સ્થાનમાં રહેલા ઓદનાદિને ભીંતમાં છિદ્ર કરવા વડે પ્રગટ કરવું. પ્રગટકરણ - અંધકારમાંથી બીજે સ્થાને સંકમાવવા વડે પ્રગટ કરવું તે. પ્રકાશકરણ - ભીંતમાં છિદ્ર પાડવા વડે કે મૂળથી જ ભીંતને છેદવા વડે કે નવું દ્વાર મૂકવું આદિ. [૩૨૭] પારાગાદિ ન વડે કે દીવા વડે, સળગતા અગ્નિ વડે પ્રકાશ કરે તો સાધુને ન કો. તેમાં અપવાદ છે કે – ગૃહસ્થ પોતા માટે કર્યું હોય તો કશે. પણ જ્યોતિ કે પ્રદીપ તો તેના માટે કરે તો પણ સાધુને આહાર લેવો ન ભે. કેમકે તેમાં તેઉકાયનો સ્પર્શ છે. હવે સાધુના પાત્રને આશ્રીને વિધિ - સહસાકારે પ્રાદુકરણ દોષથી વ્યાપ્ત એવું ભોજન-પાન કોઈ પ્રકારે ગ્રહણ થઈ જવા પામે તો પણ પરઠવ્યા પછી લેપાદિથી ખરડાયેલ પગને જળથી ધોવારૂપ કલ્પ કર્યા વિના બીજું શુદ્ધ દ્રવ્ય લેવું કશે. [૩૨૮] ચુલ્લી ત્રણ પ્રકારે - સંવારિકા - ઘરમાં હોય તો પણ બહાર લાવી શકાય, સાધુ માટે પહેલેથી બહાર કરી રાખેલ તે બીજી ચુલ્લી, સાધુના નિમિતે જે બહાર કરે તે ત્રીજી ચુલી. ત્રણમાં કોઈપણ ઉપર ગૃહસ્થો સંધે તો બે દોષ લાગે - ઉપકરણપૂતિ અને પ્રાદાકરણ. જો દેવ વસ્તુ ચુલ્લી ઉપરથી ઉતારી લીધી હોય તો માત્ર પ્રાદુકરણ દોષ લાગે. [૩૨૯] પ્રાદુકરણ કરનાર સ્ત્રી સરળ હોય તો આમ બોલે - હે સાધુ! તમે અંધારામાં ભિક્ષા નથી લેવા માટે અમે બહાર ચુલ્લી બનાવી સંધ્યું છે. તે સાંભળી સાધુ તે દ્રવ્યને તજે. પ્રાકરણની શંકા હોય તો સાધુ સામેથી પણ પૂછે કે આહાર બહાર કેમ સંધ્યો ? તો તે આહાર ન કો. ગૃહસ્થ પોતાના માટે તે ચુલો બહાર Page #63 -------------------------------------------------------------------------- ________________ મૂલ-ર૬ થી ૩૩૩ ૧૦૩ કરે કે બહાર રાંધે તેવું કહ્યું, તે કઈ રીતે બને ? ૩૩૦] ઘરમાં માખીઓ હોય, ઘણી ગરમી હોય, અંધકાર હોય અને રસોઈ સ્થાનથી ભોજન સ્થાન દૂર હોય, બહાર પવન હોય, પ્રકાશ હોય, ભોજન સ્થાન નીકટ હોય, માટે બહાર સંઘે તો સાધુને તે આહાર કહો. એ રીતે પ્રકટીકરણમાં કલય-અકલય વિધિ કહ્યો. હવે પ્રકાશકરણને સ્પષ્ટ કરે છે – | [૩૩૧,૩૩૨] પ્રકાશ કરવા માટે ભીંતમાં છિદ્ર કરે, નાના દ્વારને મોટું કરે કે બીજું દ્વાર બનાવે, ઘરની ઉપરનું છાપરું દૂર કરે. દેદીપ્યમાન રનને સ્થાપે. અથવા જ્યોતિ કે દીપકને કરે. એ પ્રમાણે ઘરધણી પોતે જ પ્રાદુરકરણને કહે કે સાધુ પૂછતાં જણાવે તો આવું પ્રાદુષ્કરણદોષ દુષ્ટ સાધુને લેવું ન કલ્પે. શેષ કથન પૂર્વવત્ છે. હવે ગાવા-૩૨૩ના શેષ પદો - [33] પ્રગટકરણ કે પ્રકાશકરમ કરતાં જે અga સહસાકારથી કે અનાભોગથી ગ્રહણ થઈ જવા પામેલ હોય તે પાઠવીને ત્યાગ કરે. પછી તે પાત્ર થોડું પણ ખરડાયેલ હોય તો જળથી પ્રક્ષાલન રૂપ કા કર્યા વિના પણ તે પાત્રમાં બીજું શુદ્ધ અન્ન ગ્રહણ કરે, કેમકે વિશોધિકોટિ હોવાથી દોષ નથી. પ્રાદુકરણ દ્વાર કહ્યું. હવે દીત દ્વાર કહે છે – • મૂલ-૩૩૪ થી ૩૩૬ : [33] કીતકૃત પણ દ્રવ્ય અને ભાવથી બે પ્રકારે છે : તે પ્રત્યેકના બબ્બે ભેદ છે - આત્મિકીત પક્કીત તેમાં પરદ્રવ્ય સચિત્તાદિ ત્રણ ભેદ છે. [33] આત્મકીત દ્રવ્યથી અને ભાવથી બે ભેદે છે. દ્રવ્ય – ચૂણદિ, ભાવથી બીજાને માટે કે પોતાને માટે જ. [૩૩૬] આત્મદ્રવ્યકીતનું વિસ્તારથી વિવરણ - નિમલ્સિ, ગંધ, ગુટિકા, ચંદન અને પોત વગેરે આત્મદ્રવ્ય ફીત છે, તેમાં જે પ્લાનતા થાય તો શાસનનો ઉહ થાય. નીરોગી થાય તો ચાકરી થાય અને તેમ થવાથી અધિકરણ લાગે. • વિવેચન-૩૩૪ થી ૩૩૬ - ગાથાર્થ કહો. હવે વૃત્તિગત વિશેષતા-મામની જ નોંધ કરીએ છીએ - [૩૪] ખરીદવું તે ક્રીત. તે ક્રીત વડે કૃત - નીપજાવેલ તે કીતકૃત - ખરીદ કરેલું. કીત બે ભેદે છે – દ્રવ્યથી, ભાવથી. દ્રવ્યકીત, ભાવકીત આ બંને પણ બે ભેદે છે - આભકીત, પસ્કીત. તેથી આત્મદ્રવ્યકત આત્મભાવકીત, પદ્ધથકીત, પરભાવકીત ચાર ભેદો થયા. (૧) આત્મદ્રભકીત - દ્રવ્યના પુસ્કળ દાનથી ગૃહસ્થને વશ કરીને તેની પાસેથી જે ભક્તાદિ ગ્રહણ કરાય છે. (૨) આત્મભાવકીત - પોતે જ ભોજનાદિ માટે ધર્મકથાદિ વડે ગૃહસ્થને વશ કરી ભોજનાદિ પ્રાપ્ત કરે. (3) પરદ્રવ્યકીત - ગૃહસ્થ સાધ નિમિતે દ્રવ્ય જે ગ્રહણ કરે તે (૪) પરભાવકતી - બીજાઓ સાધુ નિમિત્તે પોતાનું વિજ્ઞાન દેખાડી. બીજાને વશ કરીને તેની પાસેથી ગ્રહણ કરેલ. –૦- પહેલાં ૧૦૮ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ પદ્રવ્યકીતનું સ્વરૂપ-ગૃહસ્થ સંબંધી દ્રવ્ય પ્રકારે - સચિવ, અચિત, મિશ્ર. પદ્રવ્યકત કહ્યું હવે ત્રણ ભેદને સામાન્યથી કહે છે - [૩૩૫] આત્મદ્રવ્યકીત - ચૂર્ણાદિ વડે, તે આગળ કહેશે. આત્મભાવકીત અને પરભાવકીતનો સામાન્ય અર્થ મૂલ-૩૩૪ની વૃત્તિમાં કહેલ જ છે. આ પ્રમાણે ત્રણ ભેદ સામાન્યથી કહ્યા. હવે આત્મદ્રવ્યકીતનો વિસ્તાર - ૩િ૩૬] નિર્માલ્ય - વીર્યાદિમાં રહેલ પ્રભાવશાળી પ્રતિભાની શેષા, ગંધપટવાસાદિ સુગંધી પદાર્ચ, ગુલિકા-રૂપ પરાવર્તનાદિકારી ગુટિકા. વર્ણક-ચંદન, પોતાના • બાળકને લાયક નાના ટુકડા આદિ. કંડક-નાવિજાદિ. આ બધું આત્મવ્યકત છે. આવા દ્રવ્યો દઈ ગૃહસ્થને વશ કરી, તેની-પાસેથી ભોજનાદિ ગ્રહણ કરવા. આમાં દોષ શો ? જો તે દેવાથી દેવયોગે ગ્લાનતા આવે તો “સાધુએ મને માંદો પાડયો' એવી શાસનમલિનતા થાય. જે નીરોગી થાય તો સર્વદા સર્વલોક સમક્ષ સાધુના ગુણગાન કરશે. તેનાથી સાધુ તે પાપકાર્યમાં વધારે પ્રવૃત્તિ કરશે, તેનાથી બીજા ગૃહસ્યો પણ આવી યાચના કરશે. હવે પરભાવકીતનું વિવરણ કરે છે – • મૂલ-૩૩૭ થી ૩૩૯ : [33] નાના ગાયના વાડા અાદિમાં મંગાદિ સાધુ માટે ઉત્પાદન કરી નિમંત્રણ કરે છે પરભાવકીત કહેવાય છે. તેમાં ક્રીતકૃત, અભિહત, સ્થાપિત એ ત્રણ દોષ લાગે. [૩૩૮,૩૩૯] ટાંત છે, વિવેચનમાં જોવું. o વિવેચન-૩૩૩ થી ૩૩૯ - નાનું ગોકુળ, નગર આદિમાં મંખ - જે લોકોને પટ્ટ દેખાડીને આવર્જે છે. મrfક શબ્દથી તેવા પ્રકારના બીજા પણ ગ્રહણ કરવા. તે પંખાદિ ભકિત વશ થઈ સાધુને માટે જે ઘી, દુધાદિનું ઉત્પાદન કરેતેનું નિમંત્રણ કરે, તેને પરભાવ ક્રીત કહે છે. આવા પરભાવકીતથી ત્રણ દોષ લાગે. (૧) ક્રીત દોષ, (૨) અન્યાન્ય ઘરથી આણે તે અભ્યાહત દોષ, (૩) લાવીને સાધુ નિમિત એક સ્થાને સ્થાને તે સ્થાપિત દોષ. તેવું ભોજન-પાન સાધુને ન કો. દષ્ટાંત - શાલિગ્રામ નામે ગામ હતું. ત્યાં દેવશર્મા નામે મંખ હતો. તેના ઘેર કોઈ વખતે સાધુ વર્ષાકાળ રહ્યા. સાધુની ક્રિયા અને રાગ-દ્વેષ રહિતતા જોઈને મંખ સાધની ભક્તિમાં તત્પર થયો. તેને થયું કે સાધુ મારે ઘેર ભiાદિ ગ્રહણ કરતા નથી, બીજેપી અપાવું તો પણ ગ્રહણ નહીં કરે. તેથી વર્ષાકાળ બાદ તેઓ જ્યાં જશે, ત્યાં તેમને ભોજનાદિ અપાવીશ. સાધુ જે દિશા તરફ જવાના હતા, ત્યાં સંખે જઈને લોકોને પટ દેખાડી વશ કર્યા. લોકો તેને ઘી, દુધ આપવા લાગ્યા. તેણે કહ્યું - હું માંગુ ત્યારે મને આપજો. સાધુ વર્ષાકાળ બાદ નીકળ્યા. મંખે પોતાને ગોપવીને પૂર્વોક્ત ઘી, દુધ માટે નિમંત્રણા કરી. સાધુઓને છાસ્થતાને લીધે દોષ ન જણાયો. આહારને શુદ્ધ જાણી ગ્રહણ કર્યો. તેમાં તેઓને દોષ ન લાગ્યો. કેમકે શક્તિ પ્રમાણે Page #64 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૩૩૭ થી ૩૩૯ ૧૦૯ પરિભાવનાથી આજ્ઞા આરાધના કરી. પરંતુ જો કદાચ આવું અશુદ્ધ કોઈ પ્રકારે જણાય તો કીત આદિ ત્રણ દોષનો સદ્ભાવ હોવાથી અવશ્ય ત્યાગ કરવો. હવે આત્મભાવકીત કહે છે – • મૂલ-3૪૦ થી ૩૪૩ - [૩૪o] ધર્મકથા, વાદ, પણ, નિમિત્ત, આતાપના, શ્રુતસ્થાન, જાતિ, કુલ, ગણ, કર્મ અને શિલા આ સર્વે ભાવકીત છે. [૩૪૧] તેમાં ધર્મકથા વડે વશ થયેલા અથવા ધર્મકથાથી ઉઠેલા ગૃહસ્થો પાસેથી માંગીને ગ્રહણ કરે અથવા તે ધર્મકથી તમે જ છો ? એમ ગૃહસ્થ પૂછે ત્યારે સાધુ કહે કે – બધાં સાધુઓ જ ધર્મને કહે કે મૌન રહે, ત્યારે આત્મ ભાવકીત થાય. [૩૪૨] અથવા તે ક્ષાર શરીરી શું ઘર્મકથા કહે ? અથવા જળના સૌકરિક કે ગૃહસ્થ કે બકરાના ગળાને મોટન કરનારા શું કહે ? અથવા મુંડિત કુટુંબી શું કહે ? [ધર્મકથા તો સાધુ જ કહેવાના ને ?]... [૩૪૩] એ જ પ્રમાણે વાદી, ક્ષપક, નિમિત્તજ્ઞ, આતાપકને વિશે ભાવના કરવી. કીતદ્વાર કહ્યું. હવે “પ્રામિત્યદ્વાર” કહે છે – • મૂલ-૩૪૪ થી ૩૪૭ : [3] પામિત્ય પણ સોપણી લૌકિક અને લોકોત્તર એમ બે ભેદે છે. તેમાં ભગિની આદિ લૌકિક અને વસ્ત્રાદિ વિષયકને લોકોત્તર છે [૩૪૫ થી ૩૪] ભગિનીના ઉદાહરણને ત્રણ ગાશ વડે કહે છે, વિવેચન જેવું. • વિવેચન-૩૪૪ થી ૩૪૭ : પામિન્ય બે ભેદે :- (૧) લૌકિક - લોકને વિશે જે થયેલું તે. (૨) લોકોત્તર - તે સાધુને જ પરસ્પર જાણવું. તે વિષયમાં ભગિનીનું દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે - કોશલા દેશમાં કોઈક ગામ છે. તેમાં દેવરાજ નામે કુટુંબી હતો. તેને સારિકા નામે ભાર્યા હતી. તેણીને સંમત વગેરે ઘણાં પુત્રો હતા અને સંમતિ વગેરે ઘણી પુત્રીઓ હતી. તે આખું કુટુંબ પરમશ્રાવક હતું. આ જ ગામમાં શિવદેવ શ્રેષ્ઠી હતો શિવા નામે તેની પત્ની હતી. કોઈ દિવસે સમુદ્રઘોષ નામે આચાર્ય ત્યાં પધાર્યા. તેમની પાસે જિનપ્રરૂપિત ધર્મ સાંભળી સંમત નામક પુત્રએ દીક્ષા લીધી. કાળક્રમે સંમત સાધુ મહાનું સમર્થ ગીતાર્થ થયા. કોઈ દિવસે સંમત સાધુને થયું કે મારો કોઈ કુટુંબી દીક્ષા ગ્રહણ કરે તો સારું. કેમકે તાત્વિક ઉપકાર તો એ જ છે કે – સંસાર સમુદ્રથી તારવા. ગુરુ આજ્ઞાથી પોતાના બંધુના ગામે આવ્યા. બહારના પ્રદેશમાં કોઈ પ્રૌઢને પૂછ્યું - અહીં દેવરાજ નામના કુટુંબના કોઈ સંબંધી છે ખરા ? તેણે કહ્યું સંમતિ નામે વિધવા પુત્રી જીવે છે, બાકી બધાં મરી ગયા છે. સાધુ તેણીને ઘેર ગયા. તેણીએ પણ ભાઈ મુનિને જોઈને બહુમાનપૂર્વક વંદના કરી. તેમના નિમિત્તે આહાર પકાવવો આરંભ્યો. સાધુએ તેણીને રોકી - કે અમને ન કશે. ભિક્ષા સમયે તે સંમતિ ગરીબ હોવાથી બીજે કંઈ પણ ન મળવાથી શિવદેવા ૧૧૦ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ વણિકને ત્યાંથી બે પળી તેલ લીધું તે પણ હંમેશાં બમણી વૃદ્ધિરૂપ કાલાંતર વડે લાવીને ભાઈને આપ્યું. વૃતાંત ન જાણતા ભાઈ એ તેને શુદ્ધ માનીને ગ્રહણ કર્યું. તેણીએ ધર્મ સાંભળ્યો. તેથી કામ ઉપર ન જઈ શકવાથી બે પળી તેલ પાછું આપી ન શકી. ભાઈમુનિએ વિહાર કર્યો. વિયોગના શોકથી બીજે દિવસે વ્યાજ સહિત ચાર પળી તેલ થયું, તે આપી ન શકી. દેવું વધતું જ ગયું. તે ઘણું કામ કરવા છતાં દેવું પુરી કરી શકતી નથી. છેવટે શેઠને ત્યાં દાસીપણું અંગીકાર કર્યું. કેટલાંક વર્ષે સંમતમુનિએ પાછા આવતા બહેનને ઘેર ન જોઈ. સર્વ વૃતાંત જામ્યો શિવદેવ શ્રેષ્ઠીને ત્યાં ગયા. ધર્મ કથન કર્યું. કાળક્રમે શિવદેવે સમ્યકત્વ અને અણુવ્રતો સ્વીકાર્યા. વસુદેવાદિના અભિગ્રહોનું વર્ણન સાંભળી શિવદેવે પણ અભિગ્રહ લીધો - “મારો પુત્ર પણ દીક્ષા લેવાને ઈચ્છે તો હું તેનો નિષેધ નહીં કરું” ત્યારે શિવદેવનો પુત્ર અને સાધુની બહેન સંમતિ દીક્ષા લેવા તૈયાર થયા. બંનેએ દીક્ષા લીધી. [શંકા] આવા પ્રામિત્ય દોષ તો અવશ્ય સેવવો, કેમકે પરંપરાએ તે પ્રdજ્યાનું કારણ બને છે. સિમાધાન આવા ગીતાર્યો, વિશિષ્ટ કૃતજ્ઞ અને દેશનાવિધિ નિપુણ તો કોઈક જ હોય, પ્રવજ્યાના પરિણામ પણ કોઈકને જ થાય છે. તેથી પ્રામિત્ય લેવું તે દોષ જ છે. - હવે વાદિના દોષ કહે છે. • મૂલ-૩૪૮ થી ૩૫૦ : [૪૮] આ જ દોષો વા uત્રના વિષયવાળા લૌકિક પામિત્યમાં અતિ વિશેષે કરીને જાણવા. હવે લોકોત્તર દોષો, આ બીજ છે - [૩૪૯] - વસ્ત્ર મલિન થતાં, ફાટતા, જીર્ણ થતા, હરણ થતા, નાશ પામતા કલહ આદિ દોષો થાય છે. બીજું વસ્ત્રાદિ માંગનારને સુંદર વસ્ત્ર આપે તો પણ તે લેનાર દુર રુચિવાળો થાય. તેથી કલહાદિ દોષો થાય છે. - [૩૫o] - અપવાદમાં દુર્લભ હોતા ઉચ્ચપણાએ આપવું. કુટિલ અને આળસુને પામિન્ય વડે આપવું. દેવાતું વદિ ગુરુ પાસે મૂકવું. પછી ગુરુ આપે તો કલહ ન થાય. - વિવેચન-૩૪૮ થી ૩૫૦ - ગાથાર્થ કહ્યો. વૃત્તિગત વિશેષતાનો જ નિર્દેશ કરીએ તો - [૩૪૮] આ જ દાસત્વાદિ દોષો વસ-પાસના વિષયવાળા લૌકિક પ્રામિત્યમાં બેડીમાં નાંખવા આદિ જાણવા. લોકોત્તર પ્રામિત્ય વિષયક બીજા દોષો આ છે - [૩૪૯] કોઈ પાછુ આપવાની શરતે વર લે. કોઈ શરત કરે કે - ઠરાવેલ કરતાં વધુ દિવસ થશે તો હું તમારા વસ્ત્ર જેવું બીજું વસ્ત્રાદિ આપીશ. તેમાં પહેલાં પ્રકારમાં મલિનતાદિ ગાથાર્થોકત દોષ જાણવા. બીજા પ્રકારમાં કદાચ માંગનારને પહેલાં કરતાં પણ સુંદર વા આપે, તો પણ કદાચ જ લેનારો રચિવાળો થાય. પરિણામે કલહાદિ દોષો ઉત્પન્ન થાય. તેથી લોકોતર પ્રામિત્ય ન કરવું. હવે તેનો અપવાદ કહે છે – [૫૦] વસ્ત્રાદિ દુર્લભ હોય, સીદાતા સાધુને કોઈ બીજો સાધુ વાદિ આપવા ઈચ્છતો હોય તો મફત દાન કરવું, પામિત્ય વડે ન આપવું જે સાધુ કૂટિલ Page #65 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૩૪૮ થી ૩૫૦ ૧૧૧ ૧૧૨ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ હોય, વૈયાવચ્ચાદિમાં સમ્યફ ન પ્રવર્તતો હોય, આળસુ હોય તેમની પાસે વસ્ત્રાદિ દાનના પ્રલોભનથી વૈયાવાદિ કરાવવા. તેમાં પણ આપનાર સાધુ પહેલાં ગુરુને આપે પછી કલહ ન થાય તે રીતે ગુરુ તેને આપે. પ્રાનિત્ય દ્વાર કહ્યું. હવે પરાવર્તિત દ્વાર કહે છે – • મૂલ-૩૫૧ થી ૩૫૪ : [૫૧] પરિવર્તિત પણ સંક્ષેપથી લૌકિક, લોકોત્તર બે ભેદે છે, તે બંને પણ તદ્રવ્ય અને અન્યદ્રવ્યને વિશે એમ બન્ને પ્રકારે છે. [૩૫ર થી ૩૫૪] લૌક્કિ પરિવર્તિતનું દૃષ્ટાંત છે, વિવેચનમાં જેવું. • વિવેચન-૩૫૧ થી ૩૫૪ - (૧) તદ્રવ્ય વિષયક પરિસ્વર્તિત - કોહેલું ઘી આપીને સાધુના નિમિતે સુગંધી ઘી ગ્રહણ કરવું ઈત્યાદિ. (૨) અન્ય દ્રવ્ય વિષયક પરિવર્તિત - કોદરાના કુરિયા આપીને સાધુ નિમિતે શાસિ ઓદન ગ્રહણ કરવા. આ લૌકિક પરિવર્તિત કહ્યું તેનું દૃષ્ટાંત હવેની ત્રણ ગાવાની વૃત્તિમાં કહ્યું છે. તે આ – વસંતપુર નગરમાં નિલય નામે શેઠ હતો. સુદર્શના તેની પત્ની હતી. તેને હોમકર અને દેવદત્ત બે પુત્રો, લક્ષ્મી નામે પુત્રી હતા. ત્યાં જ તિલકશેઠ, સુંદરી તેની પત્ની, ધનદત્તપુર, બંધુમતી નામે પુત્રી રહેતા હતા. ક્ષેમકર સમિતસૂરિ પાસે દીક્ષા લીધી, દેવદત્ત બંધમતીને અને ધનદત્ત લક્ષ્મીને પરાયો. કવિશાતુ ધનદd ગરીબ થઈ ગયો. તે પ્રાયઃ કોદરાના કુરિયા ખાતો હતો. દેવદત્ત ધનવાનું હોવાથી શાલિદન ખાતો હતો. ક્ષેમંકર મુનિ વિચરતા ત્યાં આવ્યા. તેને થયું કે મારા ભાઈ દેવદત્તને ત્યાં જઈશ, તો બહેનને દુઃખ થશે કે હું ગરીબ છું માટે મારે ત્યાં ન ઉતર્યા. અનુકંપાથી તેણીના ઘેર પ્રવેશ્યા. ભિક્ષાવેળાએ લક્ષ્મીને થયું કે- એક તો આ મારો ભાઈ છે, વળી તે સાધુ છે અને પરોણો પણ છે. તેથી બંધુમતી પાસે જઈ કોદા આપી શાલિ લાવી. એટલામાં દેવદત્ત જમવા આવ્યો. બંધમતીને પૂછ્યું - કેમ આપે કોદરા ખાવાના છે ? તેને થયું કે મારી પત્ની કૃપણતાને લીધે આમ કરે છે. તે બંધુમતીને મારવા દોડ્યો ત્યારે બંધુમતી બોલી કે- તમારી જ બહેન આ પરાવર્તન કરી ગઈ છે. ધનદ ઘેર આવ્યો જે શાલિ સાધુને વહોરાવતા વધ્યો તે લક્ષ્મીએ તેને આપ્યો. ત્યારે તેણે પણ લમીને ધમકાવી કે- શા માટે બીજાના ઘેરથી લાવી, તેણે પણ મારી. લોકપરંપરાએ સાધુએ આ વાત જાણી. આમ કલહ દોષ થયો. તેથી સાધુને તે ન કો. બધાં ધર્મ સાંભળી, સંવેગ પામ્યા અને બધાંએ દીક્ષા લીધી. અહીં પણ કોઈ પરિવર્તન દોષને દીક્ષાનું કારણ માને, તો તેને પૂર્વના પામિય દોષ મુજબ કહેવું. પણ આ દોષ આયરણીય નથી. લોકોત્તર પરાવર્તનમાં એક સાધુ, બીજા સાધુ સાથે જે વસ્ત્રાદિનું પરાવર્તન કરે છે, તેમાં થતાં દોષોને કહે છે – • મૂલ-૩૫૫,૩૫૬ : આ વસ્ત્ર જૂન છે, અધિક છે, દુબળ છે, ખર છે, ગુર છે, છેદાયેલું છે, મલિન છે, શીતને સહન ન કરે તેવું છે, દુવર્ણ છે. એમ જણીને કે બીજના કહેવાથી વિપરિણામને પામે છે. -૦- લોકોત્તરને વિશે આપવાદ કહે છે - એકનું વસ્ત્ર માનયુક્ત હોય, બીજાનું ન હોય. આવા કાર્યો ઉત્પન્ન થતાં વરુ. ગરની પાસે સ્થાપવું. તેઓ આપે. અન્યથા કલહ થાય છે. • વિવેચન-૩૫૫,૩૫૬ : વસ્ત્રના પરિવર્તનમાં - આ વસ્ત્ર જૂન છે, મારું વસ્યા તો પ્રમાણયુક્ત હતું. ઈત્યાદિ કલહ થાય. દુર્બળ-જીર્ણપ્રાયઃ, ખરકઠણ સ્પર્શવાળું. ગુરુ-જાડા સુતરનું બનેલું, છિન્ન-છેડા વિનાનું દુર્વર્ણ-ખરાબ રંગવાળું. આ જાણીને પોતે વિપરિણામ પામે કે હું ઠગાયો. અથવા બીજા કોઈ કુટિલ સાધુ તેને વિપરિણામિત કરે. લોકોતરમાં જ અપવાદ કહે છે - પરાવર્તનમાં આવો કલહ સંભવે છે, તેથી વસ્ત્રાદિને ગુરુ પાસે સ્થાપવા, ગુરુને બધો વૃતાંત કહેવો અને ગુરુ જ તે વા જેને આપવું હોય તેને આપે જેથી કલહ ન થાય. પસ્વિર્તિત દ્વાર કહ્યું. હવે અભ્યાહત દ્વાર કહે છે - • મૂલ-૩૫૩ થી ૩૬૦ : [39] ભોજન-પાનાદિ સામેથી લાવીને આપવું તે અભ્યતા તે બે ભેદે - આચીણ અને અનાચીણ. અનાચીર્ણ અભ્યાહત પણ બે ભેદ છે - નિશીથ અભ્યાહત, નોનિશીથ ગ્રાહત. તેમાં હાલ નોનિશીથ અભ્યાહત કહે છે - [૩૫૮) તે સ્વગ્રામ અને પરગ્રામના વિષયથી બે ભેદ છે. તેમાં પક્ઝામ વિષયક પણ સ્વદેશ અને પરદેશ સંબંધી એમ બે પ્રકારે છે. તે પ્રત્યેકના કાળે ભેદો છે - જળમાર્ગ અને સ્થળમાર્ગ. જળમાર્ગમાં નૌકા અને હોડકું બે ભેદ છે. સ્થળમાણમાં જંધા વડે, ગાડાં વડે એમ બે ભેદ છે. ૩િ૫૯] જળમાણમાં જંઘા, બાહુ, તરિકા વડે અભ્યાહત સંભવે છે, તથા સ્થળમાર્ગમાં કંધ, આરનિબદ્ધ-ગાડા, ખુરનિબદ્ધ-બળદ વડે સંભવે છે. તેમ થવાથી સંયમ અને આત્મ વિરાધના થાય છે. સંયમમાં અકાયાદિની વિરાધના થાય છે. જળમાં અતિ ઉંડુ હોવાથી ગ્રાહ, પંક, મગર, કચ્છપ થકી અપાયવિનાશ થાય છે, સ્થળમાં કાંટા, સર્ષ, ચોર, શિકારી પશુ થકી અપાયરૂપ આ દોષો થાય છે. • વિવેચન-૩૫૩ થી ૩૬૦ :ગાથાર્થ કહ્યો. વૃત્તિગત વિશેષ કથન સાર આ પ્રમાણે છે - [૩૫] નિર્ણય - મધ્યરાત્રિ, તે સમયે આણેલું તે ગુપ્ત હોય છે. એ પ્રમાણે સાધુને પણ અજાણ્યું અભ્યાહત તે નિશીય અભ્યાહત કહેવાય. તેનાથી વિપરીત હોય તે નોતિશીય અભ્યાહત કહેવાય. જેમાં સાધુ આ અભ્યાહત છે, તેમ જાણે છે. [૫૮] નોનિશીથ અભ્યાહતના બે ભેદોમાં - (૧) સ્વગ્રામ - જે ગામમાં સાધુ રહેલા Page #66 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૩૫ થી ૩૬૦ ૧૧૩ ૧૧૪ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ છે, (૨) પરગ્રામ - તે સિવાયના ગામો. પરગ્રામમાં બે ભેદ – (૧) સ્વદેશ - જે દેશમાં સાધુ રહેતા હોય. (૨) પરદેશ- સ્વદેશ સિવાયનો દેશ. આ બંને અભ્યાહતમાં જળમાર્ગ અને સ્થળમાર્ગ બે ભેદ. તેમાં - જેમાં થોડાં જળનો સંભવ હોય તો જંઘાપણ વડે પણ આણેલ હોય. સ્થળમાણમાં - બે પગ વડે અથતિ ગાડાં-ગાડી આદિ વડે સમજવું. [૩૫૯,૩૬૦] જળ અને સ્થળ સંબંધી અભ્યાહત અને તેના દોષો કહે છે :થોડાં જળના સંભવમાં પગે ચાલીને કે ગાડાં વડે લાવે. ઘણાં જળમાં બે બાહુ વડે કે તરિકા વડે અભ્યાહત થાય. સ્થળ માર્ગમાં સ્કંધ વડે અથવા આરાની બનેલી ગાડી વડે કે ગધેડા, બળદ વડે અભ્યાહત થાય. અહીં સંયમ વિરાધના રૂપ દોષમાં અપકાયાદિનો વિનાશ જાણવો. જળમાર્ગમાં આત્મવિરાધના કહે છે - જેનો ભૂમિભાગ પણ આદિ વડે ન પામી શકાય એવા ઉંડા જળમાં નીચે ડુબી જવારૂપ અપાય થાય છે. તથા ગાહ-જળચર વિશેષ વિશેષ કે કાદવ આદિ થકી વિનાશાદિ દોષો સંભવે છે. સ્થળ માર્ગમાં આત્મ વિરાધના - કાંટા, સર્પ આદિ થકી, જવાદિનો પરિશ્રમાદિ થકી અપાયો જાણવા. હવે અનાજીર્ણ સ્વગ્રામાભ્યાહતનો નિશિવ કહે છે - • મૂલ-૩૬૧ થી ૩૬૪ : [૬૧] આ ગામવિષયક અભ્યાહત બે ભેદે છે - ગૃહાંતર અને નોગૃહાંતર તેમાં ત્રણ ગૃહાંતથી પણ આગળથી જે આયુ હોય તે ગૃહાંતર જાણવું. [૩૬] નોગૃહાંતર અનેક પ્રકારે છે – વાડગ, સાહી, નિવેશન ગૃહાળું, કાવડ, સ્કંધ અથવા માટીમય કે કાંસાના પગ વડે આણે. [૩૬] સ્વગામના વિષયમાં નોનિશીથ અભ્યાહતનો સંભવ કહે છે - શૂન્યગૃહ, કાળ ન થવો, પ્રકૃત, પહેણક, શ્રાવિકા સુતી હતી, આવા કારણોથી કોઈ સ્ત્રી ભોજનાદિ લઈને આવે અને લાવવાનું કારણ કહે. [૩૬] વગામપરણ્યમ ભેદથી નિશીથ અભ્યાહત - એ જ ક્રમે નિશ્ચયથી નિશીથ અભ્યાહતમાં પણ હોય છે, એમ જાણવું. જેમાં દાતાનો ભાવ ન જાણી શકાય તે નિશીથ અભ્યાહત જાણવું. વિવેચન-૩૬૧ થી ૩૬૪ : ગાથાર્થ કહો, વૃતિગત-વિશેષ કંઈક આ પ્રમાણે - જે ત્રણ ઘેરથી લવાય અને જેમાં ઉપયોગ હોય તે આસીર્ણ. નોગૃહાંતર અનેક ભેદે હોય છે. ચાર • ચારે બાજુથી વાડ કે વંડી કરેલ, વાડો. સાણી - માર્ગ, નિવેશન - જેમાં પ્રવેશવા અને નીકળવાનું એક જ દ્વાર હોય તેવા બે, ત્રણ આદિ ઘરો. ગુહ - એક જ ઘર. આ વાટિકાદિ સર્વેને ગૃહાંતર અનાચીણ જાણવું. નોગૃહાંતર નોશિથીથ સ્વગ્રામ સંબંધી અભ્યાહત કાવડ વડે કે સ્કંધ વડે ઉપાડીને લાવે, હાથ આદિ વડે લાવે અથવા માટીના વાસણ કે કાંસાદિ પાત્ર વડે લાવે. હવે સ્વગ્રામનો નિશીય અભ્યાહત. _ભિક્ષાટન કરતા સાધુ કોઈ ઘેર પ્રવેશે ત્યારે તે ગૃહ શૂન્ય-ખાલી હોય, [35/8] ભિક્ષાકાળ ન થયો હોય, ઘેર સ્વજનાદિ જમાડાતા હોય, ત્યારે ભિક્ષા આપવી શક્ય ન હોય, સાધુ વહોરી ગયા પછી આવેલ લાહણી સાધુને વહોરાવવા લાયક હોય ઈત્યાદિ કારણે ભોજનાદિ ઉપાશ્રયે લાવે, તો આવા કારણે નોનિશીથ સ્વગ્રામાભ્યાહત સંભવે છે. o હવે નિશીથ અભ્યાહત નિશીથ અભ્યાહતમાં દાતાના અભ્યાહત દાનના પરિણામ જાણી શકાતા નથી. • પરગ્રામ અભ્યાહત નિશીથ કહે છે - • મૂલ-૩૬૫ થી ૩૬૮ :આ ચાર ગાથામાં એક ષ્ટાંત છે, જેનો અર્થ વિવેચનથી જાણીશું • વિવેચન-૩૬૫ થી ૩૬૮ : કોઈ ગામમાં ધનાવહ આદિ ઘણાં શ્રાવકો અને ધનવતી આદિ શ્રાવિકાઓ હતા. તે બધાં એક કુટુંબના હતા. તેમને ત્યાં એકદા વિવાહોત્સવ થયો પછી ઘણાં મોદકાદિ વધ્યા. તેમણે તે સાધુને આપવા વિચાર્યું, જેથી ઘણું પુચ થાય. કેટલાંક સાધુ તો ઘણાં દૂર છે, કેટલાંક નજીકમાં છે. પણ વચ્ચે નદી હોવાથી અકાયની વિરાધનાના ભયે તેઓ આવશે નહીં. વળી ઘમાં મોદકાદિ જોઈને તેને આધાકર્મી માનશે. તેથી જ્યાં સાધુ છે, ત્યાં ગુપ્ત રીતે જવું. સાધુને શંકા ન જાય તે માટે કંઈક બ્રાહ્મણાદિને આપીએ. વળી તે સાધુ તે જોઈ શકે તેવા સ્થાને આપીએ. તેઓએ તેમજ કર્યું. સાધુઓ ત્યાંથી નીકળ્યા. તેમને નિમંત્રણા કરી કે અમારે મોદકાદિ ઘણાં વધેલા છે, આપને ખપ હોય તો ગ્રહણ કરો. સાધુએ શુદ્ધ જાણી ગ્રહણ કર્યા. તેમણે બીજા સાધુઓને કહ્યું. તેઓ પણ આવ્યા. કેટલાંક શ્રાવકો ઘણાં મોદકાદિ આપે છે, કેટલાંક કપટથી તેમને રોકે છે. બસ આટલું જ આપો. બાકી આપણે ભોજન માટે થશે વળી બીજા બોલે છે - પ્રાયઃ બધાંએ જમી લીધું છે, હવે થોડાંનું જ પ્રયોજન છે. સાધુને ઈચ્છા મુજબ આપો. જે નવકારશીના પ્રત્યાખ્યાનવાળા હતા, તેમણે તો વાપરી લીધા. પોરસિ પ્રત્યાખ્યાનવાળા ભોજન કરવા લાગ્યા. પુરિમટ્ટવાળાને બાકી હતું. શ્રાવકોને થયું કે હવે સાધુને વાંદીને પાછા ફરીએ. પ્રહરચી અધિક સમય વીતી ગયા પછી નૈષધિડી આદિ શ્રાવકની ક્રિયા સહિત વસતિમાં આવ્યા. ત્યારે સાધુઓને થયું - આ શ્રાવકો અતિ વિવેકી છે. પરંપરાથી બીજા ગામના વસનારા જાણ્યા. પછી બરાબર વિચારી નિશ્ચય કર્યો કે - અમારા નિમિતે જ ભોજનાદિ પોતાના ગામથી આણેલ છે. તે જાણી પરિમવાળા એ તે મોદક આદિનો ત્યાગ કર્યો. જેઓ જમતા હતા. તેમણે પણ હાથમાં લીધેલો કવળ પાછો ભોજનમાં જ મૂક્યો. મુખમાં હતો તે પણ બહાર કાઢીને સખની કુંડીમાં નાંખ્યો. બાકી બધું પરઠવી દીધું. જેમણે પૂર્ણ કે અર્ધ ભોજન કર્યું તે બધાં અશઠભાવવાળા હોવાથી શુદ્ધ જ છે. હવે સ્વગ્રામ અભ્યાહત નિશીય કહે છે – Page #67 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૩૬૯ થી ૩૦ ૧૫ • મૂલ-૩૬૬,390 - કોઈ સ્ત્રી બોલી – મેં લાહણી પ્રાપ્ત કરી છે, સંખડીમાં મને ઘણું મળેલ છે. હમણાં વંદનાર્થે આવી છું એમ કહીને તે સાધુને આશનાદિ આપે અથવા વજનને માટે હું મારે ઘેરથી નીકળીને આ લાહણી લઈ ગયેલી, પણ તેમણે લીધું નહીં. તેથી ત્યાંથી અહીં આવી છું. એમ કહીને આશનાદિ આપે. અથવા સાગારિકાને પહેલાં સંકેત કરી રાખેલ સ્ત્રીને આક્રોશ કર્યો, પછી તે ક્રોધ પામી. • વિવેચન-૩૬૯,૩૭o : કોઈ શ્રાવિકા સાધુની અભ્યાહતની શંકા દૂર કરવા કોઈ ઘર પ્રત્યે ચાલી. ત્યાંથી પાછી વળીને સાધુને વહોરાવવા ઉપાશ્રયે પ્રવેશીને ગાથાર્થમાં કહ્યા મુજબ બોલે. અથવા માયાથી પાડોસણ સ્ત્રી સાથે ખોટો કલહ કરે. એવી કોઈપણ રીતે સાધુને તે આહાર વહોરાવે. હવે અનાચીને સમાપ્ત કરી આપીણના ભેદો કહે છે - • મૂલ-39૧,૩૩ર : ઉકત બે પ્રકારનું અભ્યાહત અનાચીણે કહ્યું, હવે ચીર્ણ પણ દેશ અને દેશદેશ એમ બે ભેદે છે. તેમાં સો હાથ સુધી દેશ કહેવાય અને તેની પહેલાં દેશદેશ કહેવાય છે. તેમાં આચીમાં જે ઉપયોગપૂર્વક ગ્રહણ કરે તો ત્રણ ઘર સુધી કહ્યું છે. • વિવેચન-૩૭૧,૩૭૨ : આ પૂવોંકત અભ્યાહત નિશીથ અને નોનિશીથ ભેદથી અથવા સ્વગ્રામ અને પરગ્રામના ભેદથી અકીય કહ્યું. હવે આચીર્ણ બે ભેદે છે - 1 - ૧૦૦ હાથ પ્રમાણવાળ ક્ષેત્ર. શશ • ૧૦૦ હાથની મધ્યે રહેલ ફોમ. તેમાં આયીમાં ત્રણ ઘર હોય તો કલો, અધિકમાં ન જે. હવે ત્રણ ઘર વિના ૧૦૦ હાથના સંભવવાળા ક્ષેત્રને તથા વિષયવાળા કલય-અકીય વિધિને કહે છે - • મૂલ-393,39૪ - [પ્રોપ-૨). પીસવાની પંક્તિમાં દર પ્રદેશમાં, ઘંઘસાલના ઘરમાં ૧૦૦ હાથથી આવેલું આચીણ છે, તેને ગ્રહણ કરવું, તે ઉપરાંતનું નિષિદ્ધ છે. [સો હાથથી અંદર દેશદેશ થાય છે. તે પણ ઉપયોગપૂર્વક આપે તો લેવું.. વિવેચન-393, [૩૪]. જમનારા મનુષ્યોની પંક્તિ-શ્રેણીમાં, એક છેડે સાધુનો સંઘાટક રહેલ હોય, બીજે છેડે દેવાની વસ્તુ હોય, ત્યાં સૃષ્ટ-અપૃષ્ટનો ભય આદિને લીધે જઈ શકાય તેમ ન હોય ઈત્યાદિ. લાંબા ગમન માર્ગમાં છીંડી વગેરે હોય ત્યાંથી વહોરવાને વિશે કે ધર્મશાળામાં ૧૦૦ હાથથી આણેલા ભોજનાદિનું ગ્રહણ આશીર્ણ - કરે છે. આ આચર્ણના ભેદોને કહે છે – ૧૧૬ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ • મૂલ-૩૭૫નું વિવેચન : ત્રણ પ્રકારનું આચીર્ણ અભ્યાહત છે, તે આ પ્રમાણે - (૧) જઘન્ય અભ્યાહત • કોઈ સ્ત્રી પોતાના કાર્યથી મુઠ્ઠીમાં ગ્રહણ કરેલા મંડકાદિકથી અથવા પોતાના પુગાદિને પીરસવા ઓદનની ભરેલ કરોટિકા ઉપાડીને ઉભી હોય, તે અવસરે કોઈ પ્રકારે સાધુ ભિક્ષાર્થે આવે, સ્ત્રી તેને પોતાના હાથમાં રહેલ ભોજન માગ કર પરિવર્તનથી આપે, તે. (૨) સો હાથથી આણેલું તે ઉત્કૃષ્ટ અભ્યાહત, (3) સો હાયમાં વર્તતુ હોય તે મધ્યમ અભ્યાહત. અભ્યાહત દ્વાર કહ્યું હવે ઉદ્ભિજ્ઞ દ્વાર કહે છે – • મૂલ-૩૩૬,૩૭૭ : ઉભિન્ન બે પ્રકારે - પિહિત અને કપાટ, પિહિત બે ભેદે - પાસુક, અપાયુક. પૃથ્વી આદિ પાસુક, છાણ દર્દક આદિ પાસુક જાણવા. આ પિહિતોભિન્ન અને કપાટોભિન્નમાં દોષો કહે છે - ઉદ્િભજ્ઞમાં છ કાચની વિરાધના થાય, પાદિને દેવામાં અને ક્રય-વિજ્યમાં અધિકરણ દોષ લાગે છે, કપાટમાં પણ તે જ દોષો લાગે. ચંગાદિમાં વિશેષથી દોષો જાણવા. • વિવેચન-૩૩૬,૩૭૭ : ઉદ્ભિજ્ઞ એટલે ઉઘાડવું. ઉઘાડતા છકાયની વિરાધના સંભવે છે. (૧) પિહિતોર્ભિન્ન - તેલ, ઘી આદિ આપવા ઢાંકેલ મુખ ખોલીને અપાય છે. અર્થાત્ ઢાંકેલને ઉઘાડવું તે. (૨) બંધ બારણાં ઉઘાડીને અપાયd કપાટ-ઉદ્િભજ્ઞ પિહિતમાં ઢાંકણ હોય તે બે પ્રકારે હોય - પ્રાસુક, અપાતુક અર્થાત્ અચેતન, સચેતન. શેષ અર્થ ગાથાર્થ મુજબ જાણવું. વળી ક્રય-વિજય થાય તો અધિકરણ-પાપની પ્રવૃત્તિ થાય છે. યંગરૂપ કપાટ-બારણામાં વિશેષથી દોષો થાય છે. હવે આ ગાથાના વિરાધના આદિ શબ્દને સ્પષ્ટ કરે છે – • મૂલ-૩૩૮ થી ૩૮૪ : [39] ટેકું કે પત્થર નાંખીને લીધેલ હોય તે સચિત્ત પૃષીલિપ્ત કહેવાય. સચિવ પૃedીનો લેપ ચિરકાળ રહે છે. સુરતના લિંપેલમાં અપકાય સંભવે છે. [36] લિપલમાં કહ્યું કે દોષ લિંપણને ફરી કરવામાં પણ છે. તે આ • જળ વડે આદ્ધ કરીને લીધે, લાખને તપાવીને મુદ્રા કરે. [૩૮] પહેલા લીલામાં જે કાય વિરાધના કહી, તે પ્રમાણે દાન દઈને ફરી લીધા પણ થાય છે. વિશેષ એ કે - છઠ્ઠી કાયમાં મુકંગાદિની વિરાધના જાણવી. [૩૮૧] તે ઉઘાડતા બીજાના કે પોતાના જ ઘરમાં તેલ, મીઠું, ઘી કે ગોળ આપે છે અથવા તે વિક્રય કરે છે. તેના વડે બીજું ખરીદ કરે છે. [૩૮] દાનમાં કે કવિકરમાં અસંયમ ભાવવાળા સાધુને અધિકરણ લાગે છે. ત્યાં ભૂકંગ, મૂષકાદિ જવો પડે છે, તે પણ અધિકરણ લાગે છે. [aka] જે રીતે લીધેલા કુંભાદિક ઉઘાડતા તથા પછીથી લીપાતા પણ પૃવીકાયાદિની વિરાધના Page #68 -------------------------------------------------------------------------- ________________ મૂલ-39૮ થી ૩૮૪ ૧૧૩ થાય છે, તે રીતે જ કપટમાં પણ કાય વિરાધના કહેવી. [૩૮] કપાટના સંચારથી ગરોળીની વિરાધના થાય છે. પીઠિકાની નીચે કે ઉપર આવર્તન કરવાથી વિરાધના થાય છે. લઈ જતાં તેમાં રહેલા ડિંભાદિને પ્રેરતા દોષ લાગે છે. • વિવેચન-39૮ થી ૩૮૪ - ગાચાર્ય કહ્યો. હવે વૃત્તિમાં યત્કિંચિત વિશેષ છે, તે કહે છે – (39૮દર્દક-દાદરા ઉપર રહેલ કુડલા આદિનું મુખ. જો ચિરકાળ સચિવ પૃથ્વીકાયથી લીપલનો ઉભેદ કરાય તો સચિત પૃથ્વીકાયનો વિનાશ થાય. તાજા લિંપેલામાં કાયનો વિનાશ થાય. જો કે અંતર્મુહૂર્ત પછી પૃથ્વીથી કાયનો વિનાશ થતાં તેની વિરાધના ન લાગે. તેના આશરે રહેલા ત્રસકાયનો પણ વિનાશ થાય છે. [૧૯] કરી લીપાતા પણ આવા જ દોષો જાણવા. પૃથ્વીકાયમ મગ વગેરે અને કીડી વગેરે પણ સંભવે છે, તેની પણ વિરાધના થાય. વળી સળ આદિથી મુદ્રા કરે તો અગ્નિકાયની પણ વિરાધના થાય. ઈત્યાદિ [૩૮] આ ટીકાર્ય ગાથા39માં કહેવાઈ ગયેલ છે. મુકુંજ - કીડી, કુંથવા. (3૮૧] તે કુડવ આદિનું મુખ સાધુને માટે ઉઘાડતા બીજા યાચક કે ગ્રાહક આદિને કે ઘરમાં પુછાદિને તેલ, ઘી, ગોળ આપે કે અવશ્ય વિક્રય કરે. તેના મૂલ્યથી બીજું ખરીદે છે. આ બધી પરંપરા સાધુને દેવા માટે ઉઘાડવાથી થાય છે. તેમાં અધિકરણ લાગે, તે આ રીતે- [૩૮૨] દાન કે ક્રય-વિકયમાં પ્રવર્તતા અશુદ્ધાહારનો ત્યાગ ન કરવાથી જીવરક્ષા રહિત છે ભાવ જેનો એવા સાધુને અધિકરણરૂપ પાપપ્રવૃત્તિ ઉત્પન્ન થાય છે. કુડવાદિનું મુખ ઉઘાડુ રહેવાથી કીડી, કુંથુઆ આદિ પડીને વિનાશ પામે છે, તે પાપ સાધુને લાગે. | B૮૩] જે પ્રકારે પૂર્વે લીધેલા ઘટાદિ ઉઘાડતા પૃથ્વીકાયાદિની વિરાધના થાય છે, તેથી દાન તથા ક્રય-વિજયરૂપ અધિકરણની પ્રવૃત્તિ પણ થાય છે. તે પ્રમાણે પહેલાં બંધ કરેલા કમાળમાં પણ સાધુ માટે ઉઘાડતા થાય તેમ જાણવું. અર્થાત્ છકાયની વિરાધના તેમાં સંભવે જ છે. દાન, ક્રય-વિજયરૂપ અધિકરણની પ્રવૃત્તિની ભાવના પૂર્વવત્ કરવી. [૩૮૪] કબાટ-બારણાંનો સંચાર કરવાથી ગરોળી, કીડી, ઉંદર આદિની વિરાધના થાય છે. પ્રાસાદની નીચેની ભૂમિરૂપ પીઠિકા જેવી પીઠિકાની નીચેના કે ઉપરના બારણાંના એક ભાગનું આવર્તન કરવાથી તેને આશ્રીને રહેલા કુંથુઆ કે કીડી આદિ વિનાશ પામે છે. ઉઘાડવા લાયક કમાડની પાછળ રહેલા બાળક આદિને કોઈ ખોલવા કહે ત્યારે બારણું અથડાતાં માથું કૂટવું આદિ દોષો થાય છે. હવે તેના અપવાદને કહે છે - • મૂલ-૩૮૫ :કુચી વિનાના અને હંમેશાં ઉઘાડા કે બંધ કરાતા કમાંડ હોય તો ૧૧૮ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ ગ્રહણ કરાય છે, જતુથી મુદ્રિત ન કરેલ જે દર્દ-વહુ હંમેશાં ભોગવાતો હોય અને તેની માત્ર ગાંઠ વાળી હોય તો પણ આહાર લેવો કો. • વિવેચન-૩૮૫ - કંચીના છિદ્ર રહિત હોય, પાછળના ભાગે આગળીયો ન હોય, તો ઘસાવા દ્વારા જંતુની વિરાધના ન થાય અથવા ઉઘાડાતા કમાડ કીચૂડ-કીચૂડ ન કરતા હોય તો, કેમકે ઘસડાતા કમાડોથી ઘણાં જંતુનો નાશ કરે છે, માટે તેવું કમાડ વર્જવું. તે કમાડ કેવું હોય ? નિરંતર ઉઘાડાતું-વસાતું હોય. કેમકે પ્રાયઃ તેમાં ગરોળી આદિને સંભવે. આવા કમાડ ઉઘાડીને ગૃહસ્થ વસ્તુ આપે તો લેવાય. આ સ્થવીર કલ્પીને આજીર્ણ છે. જે કુડવાદિને માત્ર વસ્ત્રનો કકડો બાંધેલ હોય, રોજ ઘોડાતો હોય તો લેપ ન હોવાથી દેવાતા કીય છે. ઉદ્ભિજ્ઞ દ્વાર કહ્યું. હવે માલોપહdદ્વાર કહે છે – • મૂલ-3૮૬ થી ૩૮૯ - માલાપત પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ બે ભેદ જાણવું. તેમાં પગના અગ્રભાગ અને તળીયા વડે જાન્ય, તેથી વિપરીત તે ઉત્કૃષ્ટ છે. જઘન્યમાં ભિક્ષુ અને ઉત્કૃષ્ટમાં ગેરૂક દૌટાંત છે. તેમાં સપનો દંશ અને માળ ઉપરથી પડવું વગેરે દોષો છે. આ વિષયમાં બે ગાથા છે - 3૮૮,૩૮૯ જેમાં ષ્ટાંતનું વિવરણ છે. • વિવેચન-૩૮૬ થી ૩૮૯ : માલાપહતના બે ભેદ (૧) જઘન્ય - પૃથ્વી ઉપર સ્થાપેલા બે પગના અગ્ર ભાગથી તથા ઉંચી કરેલી બે પાની વડે ઉપર લટકાવેલા ઉંચા સીંકા વગેરેમાં રહેલા જે ભોજનાદિ, તે સ્ત્રીની દષ્ટિમાં આવતું નથી, તે લઈને જે અપાય તે જઘન્ય માલાપહત કહેવાય. તેને બદલે (૨) ઉત્કૃષ્ટ મોટી નીસરણી આદિ ઉપર ચડીને પ્રાસાદના ઉપલા ભાગેથી લાવીને અપાય તે ઉત્કૃષ્ટ માલાપહત કહેવાય છે. તેમાં જઘન્ય માલાપહતમાં ભિક્ષુ - વંદકનું દૃષ્ટાંત છે, ઉત્કૃષ્ટમાં ગેરૂક - કપિલમતવાળાનું દૃષ્ટાંત છે. તેમાં પહેલા ભિક્ષનું દૃષ્ટાંત કહે છે – જયંતપુર નામે નગર હતું. તેમાં ચક્ષદિજ્ઞ નામે ગૃહપતિ હતો. તેને વસુમતી નામે પત્ની હતી. કોઈ દિવસે ધર્મરુચિ નામના સાધુએ ભિક્ષાર્થે પ્રવેશ કર્યો. આવા ગુણવાન સાધુને જોઈને વિશિષ્ટદાન આપવાના પરિણામ ઉત્પન્ન થયા છે જેને તેવા ચક્ષદિલે વસુમતીને આદર સહિત કહ્યું. “આ સાધુને મોદકો આપ.” મોદકો ઉપર ટાંગેલાં ઉંચા શીકામાં રહેલા ઘડામાં હતા. તેથી તેણી લેવા ઉભી થઈ. સાધુ માલાપહત ભિક્ષા જાણીને નીકળી ગયા, ત્યારપછી તુરંત ત્યાં ભિક્ષુક આવ્યો. ચક્ષદિશે તેને પૂછયું - હે ભિક્ષ ! હમણાં અહીં આવેલા સંયતે શીકાથી લાવીને અપાતી ભિક્ષા કેમ ન લીધી ? ભિક્ષુ પ્રવયન હેપથી તે સાધુની નિંદા કરે છે. ત્યારે તેને જ મોદક આપવા કહ્યું.. તે વખતે તે ઉત્તમ મોદકની સુગંધથી કોઈ પ્રકારે સર્પ ત્યાં આવેલો હતો. Page #69 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૩૮૬ થી ૩૮૯ ૧૧૯ વસમતી પગની પાનીથી ઉંચી થઈને જેવી ઘડામાં હાથ નાંખવા જતી હતી. ત્યાં સર્ષ ડચો, વસુમતી જમીન ઉપર પડી, ચક્ષદિલ્લે ફૂંફાડા મારતા સપને જોયો. મંત્ર અને ઔષધિના પ્રભાવે તે સાજી થઈ. બીજે દિવસે ફરી તે જ ધર્મચિ સાધુ આવ્યા. ચક્ષદિશ ઠપકો આપ્યો કે- કાર્લ સર્પન જોયો છતાં કેમ ન બોલ્યા. ત્યારે ધર્મરચિએ કહ્યું - મેં તો ફક્ત કેવલીની આજ્ઞા પાળેલી કે માલાપહત ભિક્ષા ગ્રહણ ન કરવી. યાદિષને જોયું કે અહો ! ભગવંતનો ધર્મ ખરેખર નિરપાય છે. ઈત્યાદિ • x - એમ વિચારી ચક્ષદિલે સાદર ધર્મરુચિ અણગારને વંદના કરી. જિનકથિત ધર્મ પૂયો. ધર્મચિ સાધુએ તે સંક્ષેપથી કહ્યો. તે યથાસ્થિત હેય - ઉપાદેય વસ્તુને જોવા લાગ્યો. મધ્યાહે ગુની પાસે આવીને વિશેષથી ધર્મ સાંભળી બંને દંપતિએ સંવેગ પામી દીક્ષા ગ્રહણ કરી. હવે આ જ જઘન્યમાલાપહતમાં બીજા દોષ કહે છે – • મૂલ-30 - આસંદી, પીઠ, માંચો, સ્ત્ર અને ઉદ્દખલ થકી પડતાં બંનેનો વધ થાય. સાધુને ભોજનાદિનો વિચ્છેદ થાય, તેના ઉપર દ્વેષ આદિ થાય તથા ઉદ્દાહ અને અનિવાદ થાય. • વિવેચન-૩૦ : સામેલ - માંચી, પીઠ - ગોમયાદિમય અસન, પંરંવ - માંચો યંત્ર - ઘંટી, ઘંટડો. કદૂત - ખાંડણીયો. આમાંથી કોઈના ઉપર પણ ચડીને કે પગેથી ઉંચા થઈને ટાંગેલા શીંકાદિમાંથી કોઇ આહાર ગ્રહણ કરે. જો કોઈ પ્રકારે તે સ્ત્રી પડી જાય તો દેનારીનો અને પૃથ્વીકાયાદિનો વિનાશ થાય. તથા સાધુને ભિક્ષા આપતા હું નર્થમાં પડી, માટે કોઈએ તેને ભિક્ષા આપવી નહીં, તેથી તેના ઘેર આહારદિનો વિચછેદ થાય. વળી વહોરાવવાના બહાને આને પાડી દીધી એમ માનીને તેના ઉપર હેપ પણ થાય. મારે પણ ખરા. તેમ થવાથી પ્રવચનની નિંદા થાય. લોકોમાં પણ મોટા પ્રવાદો થાય. તેથી જઘન્ય માલાપહત દોષ અવશ્ય તજવો. હવે ઉત્કૃષ્ટ માલાપહત - • મૂલ-૩૯૧નું વિવેચન : જયંતી નામે નગરી હતી. સુરદત્ત નામે ગૃહપતિ, તેની વસુંધરા નામે પત્ની હતી. તેને ઘેર ગુણચંદ્ર મુનિ ભિક્ષાર્થે પ્રવેશ્યા. આવા ગુણવાને જોઈને સુરદો વસુંધરાને કહ્યું – “માળ ઉપરથી મોદક લાવીને આપ.” તે વખતે તેણી ગર્ભવતી હતી. હજી નીસરણી ચઢવા જાય ત્યાં માલાપહત ભિક્ષા સંયતોને ન કલ્પે એમ જાણી, સાધુ ત્યાંથી નીકળી ગયા. તુરંત જ પછી કપિલ મતનો ભિક્ષા ભિક્ષાર્થે આવ્યો. ઈષ્યથિી તે પણ સાધુ વિશે જેમ તેમ બોલ્યો. સુરદતે વસુંધરાને કહ્યું – તેને મોદક આપ. વસુંધરા નીસરણીથી ચડવા જતાં પડી ગઈ. નીચે ઘંટલો હતો. તેના ખીલાથી તેણીની કુક્ષિ ફાટી ગઈ. તરફડતો ગર્ભ બહાર પડ્યો. ગર્ભ અને વસુંધરા બંને મરણ પામ્યા. કાપિલભિક્ષુનો અવર્ણવાદ થવા ૧૨૦ પિંડનિયુક્તિમૂલસૂત્ર સટીક અનુવાદ લાગ્યો. સુરદત્તે સાધુને વૃત્તાંત પૂછયો. સાધુએ સર્વજ્ઞનો ઉપદેશ જણાવ્યો. ધર્મ કથન સાંભળી સુરદત્તે દીક્ષા ગ્રહણ કરી. દોષો પૂર્વવત્ જાણવા. હવે બીજા પ્રકારે માલાપહત કહે છે - મૂલ-3,363 - [39 ઉદd, આધો, તિર્યફ એમ ત્રણ પ્રકારે માલાપહત હોય છે. ઉM • ઉંચે ચડવું, અધઃ- નીચે ઉતરવું, ઉભય - કુંભાદિને વિશે કહેલ છે. [38] અપવાદ કહે છે - દાદરા, શિલા કે પગથિયા ઉપર ચડીને આપે. પહેલાં ચડેલ દાતાર ઉંચા ન ઉપાડેલા સાધુના પત્રમાં આવે, તો તે માલાપહત દોષ નથી. તે સિવાયનું માલાપહત છે. • વિવેચન-૩૨,૩૯૩ - ૩Á - લટકાવેલા શૈકા આદિમાં રહેલ, અધ: - ભોંયરામાં ઉતરવું, નીચે ઉતરીને વસ્તુ અપાય છે. મુંબrfધુ - કુંભ અને ઉષ્ટ્રિકા વગેરેને વિશે દેવાલાયક વસ્તુ હોય છે. ૩મય - ઉર્વ અને અધો માલાપહત કહે છે. હવે તેનો અપવાદ કહે છે - દાદરો, શિલા, ઇંટોના બનેલ સોપાન, આટલા ઉપર ચડીને જે દાતા આપે તે માલાપહત ન કહેવાય. સાધુ પણ એષણા શુદ્ધિને માટે દાદરા આદિ દ્વારા પ્રાસાદની ઉપર ચડે છે અને અપવાદે પૃથ્વી ઉપર રહેલ સાધુ પણ લાવેલી વસ્તુ ગ્રહણ કરે છે. પૂર્વદૂત - સાધુના આવ્યા પહેલાં પોતાના તમે નીસરણી આદિથી પ્રાસાદ ઉપર ચડેલા દાતા સાધુના પાત્રમાં જે વસ્તુ આપે. તેમાં સાધુની દૃષ્ટિ નીચી હોય અને પગમાં દાતા હાથ અડાડીને આપે તેટલી ઉંચાઈએ હોય. બાકી બધું માલાપહત છે. • મૂલ-૩૯૪નું વિવેચન : દૃષ્ટિની ઉપર હાથને ફેલાવીને દેયવસ્તુ ગ્રહણ કરવા માટે જે પગને ધારણ કરાય છે, તે પ્રકારે ધારણ કરેલ પાત્ર ઉચ્ચ-ઉક્ષિપ્ત કહેવાય. તીછ, લાંબા, સરળ હાથ વડે પાત્રને જોતો સાધુ જે ગ્રહણ કરે તે અનુચ્ચ-ઉક્ષિપ્ત કહેવાય છે. આ પ્રમાણે ઉદd, અધો, તીર્થો માલાપહત કહ્યો. તેમાં કલય અને અકલયની વિધિ આ પ્રમાણે છે – નીચે માંગી આદિ મૂકીને ગવાક્ષાદિમાં રહેલી વસ્તુ આપવા હાથને લાંબો કરી મોટા કટે જે વસ્તુનું આકર્ષણ કરે તે વસ્તુ ન કશે. ભૂમિ ઉપર સ્વભાવથી જ રહેલી દાઝી ગવાક્ષાદિમાં રહેલ વસ્તુને વિના કંઈક બાહુ પ્રસારીને સાધુને આપવા માટે જે ગ્રહણ કરે તે માલાપહત ન કહેવાય. તે કલો છે. આ પ્રમાણે માલાપહત કહ્યો. હવે આચ્છધ નામે દ્વાર કહે છે - • મૂલ-૩૯૫ થી ૩૮ - [] છંધ પણ પ્રભુ સ્વામી અને ચોર એમ ત્રણ પ્રકારે છે. આ આછેધ નિષિદ્ધ કરેલ છે, તેથી સાધુને ગ્રહણ કરવું ન કો. [36] પ્રભુ વિષયક આડેધ - ગોવાળ, ભૂતક, અક્ષરક, પુત્ર, પુwવધૂ વિષયક આશ્કેલ અપતિ અને કલહ કરાવનાર છે. કોઈ દ્વેષ પામે છે. જેમ ગોવાળ, [૩૯૭,૩૯૮] Page #70 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૩૯૫ થી ૩૯૮ આ જ ટાંતને આ બે ગાથા વડે કહે છે, વિવેચનમાં જેવું. • વિવેચન-૩૫ થી ૩૯૮ - આડેધ ન ઈચ્છતા નોકર કે પુગાદિની પાસે સાધુને આપવા માટે જે ગ્રહણ કરાય છે. (૧) પ્રભૂ - માલિકરૂપી કતને આધીન રહેલું. (૨) થાળી - વિષયક, (3) સૈન • ચોર વિષયક. આ ત્રણે પ્રકારનું આચ્છધ તીર્થકરો અને ગણધરોએ નિષેધ કરેલ છે, સાધુને ગ્રહણ કરવું ન કહો. પ્રભુવિષયક આવ્હેધ - ગોવાળ આદિ વિષયક છે. અહીં જે દોષોને કહે છે - પ્રીતિ, કલહ, આત્મઘાત આદિ ગ્રહણ કરવા. વળી કેટલાંક લોકો ‘ગોવાળ'ની જેમ સાધુ ઉપર દ્વેષ પણ પામે છે. આ દૃષ્ટાંત હવે કહે છે – વસંતપુર નામે નગર હતું ત્યાં જિનદાસ શ્રાવક હતો. રુકિમણી નામે તેની પત્ની હતી. તેમને ઘેર વત્સરાજ નામે ગોવાળ હતો. તે દર આઠમે દિવસે બધી ગાયો અને ભેંસોના દુધ લઈ લે. તે જ રીતે તેને પહેલાથી રાખેલ હતો. એક વખત સાધુ સંઘાટક ભિક્ષાર્થે આવ્યા. તે જ દિવસે બધું દુધ લઈ જવાનો ગોવાળનો વારો હતો. દૂધથી મોટી ગોળી ભરાઈ ગઈ. જિનદાસ શ્રાવકે તે સાધુઓને ઉત્તમ પાત્ર જાણી ભકિતથી ઈચ્છા પ્રમાણે ભોજનપાનાદિ આપ્યા. છેવટે તે ગોવાળનું દુધ પણ બળાકારે લઈને કેટલુંક આપ્યું. ત્યારે ગોવાળના મનમાં સાધુ ઉપર કંઈક હેપ થયો. માલિકના ભયે ન બોલ્યો. કંઈક ઉણું એવું દુધનું પાત્ર લઈને ઘેર ગયો. તે જોઈ તેની પત્ની રોષથી બોલી – આ જ આ દુધ ઓછું કેમ છે ? ગોવાળે હકીકત કહેતા તેણી પણ સાધુને આક્રોશ કરવા લાગી. બાળકો પણ રડવા લાગ્યા. ગોવાળને સાધુ ઉપર ક્રોધ ચડ્યો, તે મારવા ચાલ્યો. સાધુ તેને જોઈને સમજી ગયા • જિનદાસે આનું દુધ બળાત્કારે મને આપેલ છે. તેથી મને મારવા આવેલ છે. સાધુએ પ્રસન્ન મુખે કહ્યું કે - હે દુધધર નિયોગી ! તારા પ્રભુના આગ્રહથી મેં તે દુધ લીધેલું. લે,, તું તારું દુધ પાછું લઈ લે. તે ગોવાળ શાંત થયો. હે સાધુ! આ જ તો હવે તમે દુધ લઈ જાઓ, ફરી આવું આચ્છેદ્ય ગ્રહણ કરશો નહીં. • મૂલ-૩૯૯ : અહીં ન ઉપાર્જન કરેલ કંઈપણ ખમાતું નથી, દાસી પણ ભોજન વિના ભોગવી શકાતી નથી. આમ બોલતા બંનેનો કે એકનો પહેપ થાય છે. તથા જે અંતરાય કર્યો, તે પણ દોષ જ છે. • વિવેચન-૩૯ : પ્રભુ - માલિકે બળાકારે દુધ લઈ લેતા ગોવાળ ક્રોધિત થઈને આવું પણ બોલતો સંભવે - મારું દુધ કેમ લઈ લો છો ? મેં મારા શરીરના પ્રયાસ વડે આ દુધ મેળવેલ છે, ફોગટ નથી આપ્યું, પછી તમે આના માલિક કઈ રીતે થયા? ઉત્તમ વેશ્યા તો ઠીક, દાસી પણ ભરણપોષણ વિના ભોગવી શકાતી નથી. આ ભોજન મારું છે. તમારું નથી. આ રીતે માલિક અને ગોવાળ વચ્ચે પણ દ્વેષ વધે. તે બધામાં આઍધ ગ્રહણથી સાધુ જ દોષી છે. ગોપાળના કુટુંબને જે અંતરાય થાય, તે પણ ૧૨૨ પિંડનિયુક્તિમૂલસૂત્ર સટીક અનુવાદ દોષ છે, એ પ્રમાણે ભૂતક આદિમાં પણ યથાયોગ્ય અપીત્યાદિ સંભવે છે. હવે સ્વામી વિષયક આચ્છધની ભાવના કરે છે - • મૂલ-૪૦૦ થી ૪૦૨ - [૪૦] સ્વામી કે ચારભટો સાધુને જોઈને તેમને માટે દરિદ્ધોના ભોજનનું આછેદન કરે, તે સાધુને તેવું ન કહ્યું. [૪૧] સાધુને માટે આહાર, ઉપાધિ આદિ કોઈ કલહ વડે કે કલહવિના આચ્છેદન કરે તો તેને ગ્રહણ કરનાર સાધુને આ દોષો લાગે. [૪૨] આપતિ, અંતરાય, તેનાહત દોષ લાગે છે. એક કે અનેક સાધુના ભોજનાદિનો વિચ્છેદ થાય, ઉપાશ્રયમાંથી કાઢી પણ મૂકે, ઉપાશ્રય ન હોવાથી કષ્ટ પામે ઈત્યાદિ દોષો લાગે છે. • વિવેચન-૪૦૦ થી ૪૦૨ : ગાથાર્થ કહ્યો. હવે વૃતિગત વિશેષતા માત્ર જ કહીશું. પ્રભુ - પોતાના ઘરનો નાયક, સ્વાપી -ગામાદિનો નાયક. વાદ - સુભટ. તેઓ દરિદ્ર કૌટુંબિકોના ભોજનનું આચ્છેદન કરીને આપે, તે લેવું ન કશે. સાધુને માટે તેઓ કલહ કરે કે લહ ન કરે, કેમકે કોઈની પાસે બળાકારે લેતાં કલહ થાય, સ્વામીના ભયાદિથી ન બોલે તો કલહ ન થાય. આ રીતે સાધુને તેવું ન કશે. નહીં તો આવા દોષો લાગે - ભોજનાદિ જેના છે તેમને પતિ થવી. તેમને દેવાની વસ્તુના પલ્મિોગની હાનિ થવી સાધુને અદત્તાદાન લાગે. જેમની વસ્તુનું આચ્છેદન કરાયું તેમને દ્વેષ થવાથી સાધુના ભોજન-પાનનો વિચ્છેદ થાય, ઉપાશ્રયમાં સુખે રહેવા ન દે, કાઢી મૂકે ઈત્યાદિ. હવે તેનાથ્થધની ભાવના ભાવે છે – • મૂલ-૪૦૩ થી ૪૦૬ : પ્રિક્ષેપ-3 [io]] કોઈ ચોર સાધુને માટે કે પોતાના માટે દરિદ્ધી લોકો પાસેથી ઉઠાવીને જે આપે છે તેન આચ્છધ કહેવાય. તેમાં વિચ્છેદકે પહેષ થાય છે, માટે ન કહ્યું. પણ તેની અનુમતિ હોય તો કહ્યું. [૪૪] સાધુને વિશે ભદ્રિક એવા ચો, જે સાધનો નિવહ ન થવાથી આપે તો પણ નિકાસન અને વિચ્છેદન ન થાય, તે માટે ગ્રહણ ન કરે [૪૫,૪૦૬) અથવા ઘી અને સાથવાના દેeતે તેઓ અનુL આપે ત્યારે ગ્રહણ કરવું પછી પાછું આપવું, તેમની પણ અનુજ્ઞા થાય તો ભોજન કરવું. • વિવેચન-૪૦૩ થી ૪૦૬ : કેટલાંક ચોરો સાધુ પ્રત્યે ભદ્ધિક હોય છે. કોઈ સ્થાને સાદુઓ પણ દરિદ્ધ સાર્થની સાથે વિહાર કરે છે. ભિક્ષા ન પામતા સાધુ માટે તે ચોરો દરિદ્ધોનું ઝૂંટવીને સાધુને આપે તે તેનાએંધ કહેવાય. તે સાધુને ન કશે. તેનાથી ભોજનાદિ વિયછેદ, પ્રસ્વેષ, સાર્થમાંથી કાઢી મૂક્યા કે કાલાંતરે ઉપાશ્રયની પ્રાપ્તિ આદિ દોષ લાગે. પણ સાર્થિકો અનુમતિ આપે તો કહ્યું. - x • x • જો સાચિકો એમ કહે કે - અહો ! અમને આ સાથવામાં ઘી સમાન થયું, ચોરો તો લઈ જ જવાના હતા, પણ તમને આપ્યું તેથી અમને સમાધિ થાય છે. આ પ્રમાણે સાર્થિકોની અનુજ્ઞાથી લઈ લે, ચોરો Page #71 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૪૦૩ થી ૪૦૬ ૧૨૩ ચાલ્યા જાય ત્યારે સાર્થિકોને પાછું આપી દે. ફરી સાર્થિકો અનુજ્ઞા આપે, તો કહે છે. આચ્છધ દ્વાર કહ્યું હવે અનિકૃષ્ટ દ્વાર કહે છે – • મૂલ-૪૦૩ થી ૪૧૧ : [૪૦] અનિકૃષ્ટનો નિષેધ કર્યો છે, પણ સાધુઓને અનુજ્ઞાત કહ્યું છે. તે લાડુ, ચોલક, મંત્ર, સંખડી, દુધ અને આપણ વિષયક છે. [૪૦૮ થી ૪૧૧] લાડુના વિષયવાનું સાધારણ અનિકૃષ્ટનું દટાંત ચાર ગાથા વડે કહે છે. જેનો ગાથાર્થ વિવેચનમાં સમાવિષ્ટ છે. • વિવેચન-૪૦૩ થી ૪૧૧ :| નિકૃષ્ટ એટલે અનુજ્ઞાત, અનિસૃષ્ટ-અનુજ્ઞા ન આપેલું. તેને તીર્થકર અને ગણધરોએ નિષેધેલ છે. અનુજ્ઞાત હોય તો સાધુને કહ્યું છે. તે અનિકૃષ્ટ અનેક પ્રકારે છે, જેમકે - લાડુ વિષયક, ભોજન વિષયક ઈત્યાદિ - x • x • સામાન્યથી અનિકૃષ્ટ બે પ્રકારે – સાધારણ અનિકૃષ્ટ, ભોજન અનિકૃષ્ટ. તેમાં લાડુ વિષયક સાધારણ અનિકૃષ્ટનું દષ્ટાંત કહે છે - - રતનપુર નગરે માણિભદ્ર આદિ ૩૨-મિત્રો હતા. તેઓએ ઉજાણી માટે કોઈ દિવસે લાડવા કરાવ્યા. એકને લાડવાનું રક્ષણ કરવા રાખ્યો. બાકીના ૩૧-સ્નાનાર્થે ગયા. ત્યારે કોઈ લાલચુ સાધુ ભિક્ષાર્થે આવ્યો. લાડુ જોયા. લંપટપણાથી તે પુરુષ પાસે લાડવા માંગ્યા. ત્યારે પેલા લાડુ રક્ષકે કહ્યું કે - આના માલિક-૩-જણા છે, મારેથી ન અપાય. ફરી સાધુ બોલ્યા - બીજાના લાડુ વડે શું તું પુન્ય કરવા સમર્થ નથી ? કે માંગવા છતાં આપતો નથી. તું મને ૩૨-લાડુ આપે તો તારા ભાગમાંથી માત્ર એક જ ઓછો થશે. તને અ૫ વયમાં ઘણો લાભ થશે, માટે આપી દે. તેણે સાધુનું પાત્ર ભરી દીધું. હર્ષિત થયેલ તે સાધુ ત્યાંથી નીકળ્યો. ત્યાં મણિભદ્ર આદિ 3૧-સામે મળ્યા. હે પૂજ્ય ! પાત્રમાં શું લીધુ છે ? સાધુને થયું, સાચું કહીશ તો મારા લાડવા પાછા માંગશે, ભારથી નમેલા સાધુને જોઈને માણિભદ્રાદિએ ધરાર પાત્ર જોવા માંગ્યું. સાધુએ ન દેખાડતા, બળાકારે તેમણે જોઈને - લાડુ જોયા. તિરસ્કારપૂર્વક પે'લા રક્ષકપુરને પૂછ્યું - શું તેં આ બધાં લાડુ આપી દીધા ? પે'લો કહે મેં નથી આપ્યા. સાધુને ચોર ગણી, આક્રોશ કરતા, તેનું પત્ર, જોહરણ, ઉપકરણાદિ છિનવી લઈ, તેને ગૃહસ્થ કરી દીધો. રાજકુળે લઈ ગયા. તેઓએ સાધુવેશઘારી જાણીને જીવતો છોડ્યો પણ દેશનિકાલની આજ્ઞા કરી. આ રીતે માલિકની આજ્ઞા વિના સાધુએ ભોજનાદિ ન લેવા કહ્યું. • મૂલ-૪૧૨નું વિવેચન : મોદક દ્વારની માફક યંત્ર, સંખડી, દુધ, આપણ આદિમાં સામાન્યનો નિષેધ છે. પણ અનુજ્ઞા આપેલું ગ્રહણ કરવું કશે. અર્થાત્ તેના બધાં સ્વામી ન આપે તો તીર્થકર ભગવંતે તેને નિષેધેલ છે. બધાં સ્વામીની અનુજ્ઞા હોય તો કહે છે. હવે ચુલ્લક દ્વારની પ્રસ્તાવના તથા યુલકના ભેદ કહે છે – ૧૨૪ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ • મૂલ-૪૧૩ થી ૪૧૭ : [૪૧] • હવે ચુલ્લક-ભોજન દ્વાર કહે છે, બહુ વકતવ્યતાથી તેને પાછળ રાખ્યું છે. ગુરુએ ચુલ્લકને બે ભેદે કહેલ છે – સ્વામી સંબંધી, હાથી સંબંધી. - [૪૧૪] - સ્વામીએ ન આપેલ યુલક છિન્ન અને અછિન્ન બે ભેદે છે. તેમાં આછિન્ન પણ નિકૃષ્ટ, અનિકૃષ્ટ બે ભેદે છે. છિmયુલ્લક ગ્રહણ કરવું કહ્યું, અછિન્ન પણ નિકૃષ્ટ હોય તો કો. - [૪૧૫] - છિન્ન હોય તે ટ કે અદષ્ટ પણ કહ્યું છે, અછિન્ન જે નિકૃષ્ટ હોય તો કહ્યું. અનુજ્ઞાત દષ્ટ કે આદષ્ટ ન કહે - [૪૧૬] - અનિકૃષ્ટને પછીથી અનુજ્ઞા આપી હોય તો તે ગ્રહણ કરવું કહ્યું. તે જ પ્રમાણે આદષ્ટ પણ કહ્યો છે. તીનું ભોજન અનિકૃષ્ટ ન કરે, હાથીએ ન દીઠેલું કહ્યું. - [૪૧] - હાથીનું ભોજન રાજપિંs છે. તેના ગ્રહણથી ગ્રહણાદિ દોષો, અંતરાય, અદત્તાદાન દોષ લાગે છે. મહાવત પોતાનું ભોજન આપે તો પણ તેના વારંવાર ગ્રહણથી વસતિનું ફોટન થાય છે. • વિવેચન-૪૧૩ થી ૪૧૭ : ગાથાર્થ કહ્યો છે. વૃત્તિમાં રહેલ વિશેષ કથન જ માત્ર નોંધીએ છીએ :ચુલ્લક અર્થાત્ ભોજન બે ભેદે – સ્વામી સંબંધી, હાથી સંબંધી. ભોજન બે ભેદે - fછત્ર:- જેમકે કોઈ કણબી ખેતરમાં રહેલા હાલિકોને કોઈના દ્વારા ભોજન મોકલે, તે જુદા જુદા ભાજનમાં નાંખીને મોકલે તો તે છિન્ન ભોજન કહેવાય. પરંતુ - fછત્ર • બધાં હાલિકોને યોગ્ય ભોજન એક જ પાત્રમાં મોકલે - તો અછિન્ન કહેવાય. એ જ પ્રમાણે ઉજાણી આદિમાં પણ ભોજનનું છિન્નાછિન્ન જાણવું. અછિન્ન બે ભેદે છે - નિકૃષ્ટ અને અનિકૃષ્ટ. જે ભોજન હાલિકોએ સાધુને આપવા છૂટું મૂકેલ છે, તે નિકૃષ્ટ. મોકળું ન મૂકેલ હોય તે અતિસૃષ્ટ. પણ હાલિકનું ભોજન તેનો માલિક સાધુને આપે તો પણ કલો. જ્યારે અછિન્ન ભોજન સર્વ માલિકની અનુજ્ઞા વિના ગ્રહણ કરે તો ન કયે. જે ભોજન જેના નિમિતે છિન્ન હોય, તેના વડે દેવાય તો તેના મૂળસ્વામીએ જોયેલ કે ન જોયેલ હોય તો પણ કશે. વળી અછિન્ન પણ સ્વામી અનુજ્ઞાત હોય તો કો, પછી તે તેના સ્વામીથી દષ્ટ હોય કે અર્દષ્ટ હોય. જો સ્વસ્વામી અનુજ્ઞાત ન હોય તો દૌટ કે અદેટ એકે ન કશે. કેમકે તેનાતી પૂર્વોક્ત ગ્રહણાદિ દોષો સંભવે છે. સાધારણ અનિકૃષ્ટને પૂર્વે સ્વ-સ્વ સર્વ સ્વામીએ અનુજ્ઞા ન આપી હોય તો પણ પછીથી અનુજ્ઞા આપે ત્યારે ગ્રહણ કરવું કલો. પછી તે સ્વામીને અદષ્ટ હોય તો પણ કલો. હાથીનું ભોજન મહાવતે અનુજ્ઞા આપ્યા છતાં રાજા અને હાથીની અનુજ્ઞા ન હોવાથી ન કો. મહાવત પોતાના ભાગનું આપે તો પણ હાથીએ ન જોયું હોય તો કશે. હાથીના જતા લેવાથી ઉપાશ્રયભંગાદિ દોષો લાગે. વળી હાથીનું ભોજન રાજપિંડ છે. તેથી રાજાની અનુજ્ઞા ન હોવાથી ગ્રહણ, વેષ લઈ લેવો ઈત્યાદિ દોષો સંભવે. અંતરાય નિમિતક પ્રાપ્ત પણ સાધુને પ્રાપ્ત થાય છે. મહાવતને પણ વૃત્તિ Page #72 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૪૧૩ થી ૪૧૭ ૧૫ છેદનો પ્રસંગ આવે, તેનો અંતરાયક સાધુ બને ચે. વળી રાજાની અનુજ્ઞા નથી માટે અદત્તાદાન દોષ પણ લાગે. મહાવતને આધીન ભોજન પણ હાથીની દેખતા લેવાથી. હાથી સમજશે કે આ મુંડીયો મારું પિંડ લઈ જાય છે. રોષે ભરાયેલો હાથી ગમે તેવું નુકસાન કરી શકે છે. અનિવૃષ્ટ દ્વાર કહ્યું, હવે અધ્યવપુક દ્વાર કહે છે – • મૂલ-૪૧૮ થી ૪૨૧ - [૪૧] • આધ્યવણૂક ત્રણ પ્રકારે છે - ચાવંતિક, સ્વગૃહમિશ્ર અને પાખંડ. આરંભમાં પહેલા પોતાના માટે કરીને પચી તે ત્રણેને માટે ઉતારે. • [૧૯] - તંદુલ, જળ, પુષ્પ, ફળ, શાક, બેસન અને લવણ દિને લાવતી . વખતે વિવિધ પરિણામ વડે અધ્યવપૂક અને મિશ્રાતનું વિવિધપણું ગણવું. - [૪૨] • યાવાર્ષિકને વિશે વિશોધિ છે, સ્વગૃહ અને પાખંડી એ બેના મિશ્રમાં પ્રતિદોષ છે. તથા વિશોધિવાળું છિa કાઢીને દેવામાં આવે તો કહ્યું, શેષ ન લો. - [૪૧] - છિaxને સ્થાનેથી ઉપાડેલ હોય, ભાજનમાંથી જુદુ કરેલ હોય તો શેષ રહેવું કહ્યું છે અથવા અભાવનાથી તેટલું આપેલ હોય તો શેષ રહેલું કહ્યું છે. વિવેચન-૪૧૮ થી ૪ર૧ :ગાથાર્થ કહ્યો. વૃત્તિમાં રહેલ વિશેષ કથન માત્ર ધ્વરીએ છીએ - [૪૧૮] અધ્યવપૂરક ત્રણ ભેદે છે – (૧) સ્વગૃહ અને ચાવદર્શિક વડે મિશ્ર (૨) સ્વગૃહ અને સાધુ વડે મિશ્ર. (3) સ્વગૃહ અને પાખંડી વડે મિશ્ર. આ ત્રણે અધ્યવપૂરકનું સામાન્ય લક્ષણ કહે છે :- પૂત - અગ્નિ સળગાવવો, તપેલીમાં જળ નાંખવું વગેરેરૂપ આરંભમાં યાવદર્થિક આદિના આવવા પહેલાં જ પોતાના ઘરને માટે નીપજાવે. પછી યથાસંભવ અધિકાધિક તંદુલાદિ તેમાં નાંખે તે અધ્યવપૂરક કહેવાય. આ કારણે મિશ્રજાતથી તેનું જુદાપણું છે. [૪૧૯] અધ્યવપૂક અને મિશ્રજાતનું પરસ્પર ભેદપણું તંદુલ, જળ, પુખ, ફળ, શાક, વેસન અને લવણના ગ્રહણના કારણે જે વિચિત્ર પરિમાણ, તેના વડે જાણવું. જેમકે મિશ્રજાતમાં પહેલાંથી ઘણાં તંદુલાદિક નંખાય છે, અધ્યવપૂરકમાં પછીથી યાવદર્ચિકાદિ નિમિતે ઉમેરાય છે. [૨૦] શુદ્ધ ભોજનમાં યાવદર્શિક વડે મિશ્ર એવું અધ્યવપૂરક દૂર કરાય તો તે વધારાનું ભોજન વિશોધિ થાય છે. સ્વગૃહ અને પાખંડી કે સાધુ વડે મિશ્ર શુદ્ધ ભોજનમાં પડતો પૂતિ થાય છે. વિશોધિ કોટિરૂપ યાવદર્શિક અથવપૂણ્યને ૬. પાડેલ હોય, તો બાકી રહેલ ભોજન સાધુને કહ્યું છે. પરંતુ સ્વગૃહ અને પાખંડી કે સાધુ વડે મિશ્ર એવું અધ્યવપૂરક ભોજન ન લે. હવે નાવરણ વિસt - [૪ર૧] વિશોધિકોટિરૂપ યાવદર્શિક અધ્યવપૂરકને વિશે જેટલું પાછળથી વધુ નાંખ્યું હોય તેટલું તમામ જુદુ કર્યું હોય - તપેલીમાંથી કાઢી લીધેલ હોય, બાકી રહેલા ભોજન સાધુને કહ્યું. ઈત્યાદિ - X - X - પિંડનિયુક્તિમૂલસૂત્ર સટીક અનુવાદ આ પ્રમાણે અથવપૂરક દ્વાર કહ્યું. ૧૬-ઉદ્ગમદોષો પણ કહ્યા. • મૂલ-૪૨૨ થી ૪ર૪ : [૪રર) ઉક્ત ૧૬-પકારનો ઉદ્ગમ બે પ્રકારે છે - વિશોધિકોટિ રૂપ અને અવિશોધિકોટિફા - [૪૩] - આધાકર્મ, ઔશિકના છેલ્લા ત્રણ ભેદ, પૂતિ, મિશ્રપાત, બાદરપાશ્રુતિકા અથવપૂકના છેલ્લા બે ભેદ અવિશોધિકોટિ છે. - રિ૪] - ઉગમકોટિ અવયવ, લેપ, અલેપથી સ્વર્ણિત ભોજન ત્રણ કલ્પ કર્યો વિના જે ગ્રહણ કરાય તે પૂતિ, કાંજી, ઓસામણ, ચોખા ધોયેલા પાણી વડે સ્પર્શ કરાયલ પણ પતિ જાણતું.. • વિવેચન-૪૨ થી ૪૨૪ : આ સોળ ભેજવાળો ઉદ્ગમ બે ભેદે – (૧) વિશોધિ કોટિપ – જે દોષથી સ્પર્શ કરાયેલ ભોજન તેટલાં પ્રમાણવાળું કાઢી નાંખતા બાકી રહેલું કહ્યું છે, તે. (૨) અવિશોધિકોટિરૂ૫ - વિશોધિકોટિ સિવાયનો. પહેલાં અવિશોધિકોટિ કહે છે - તેમાં (૧) સર્વ ભેદ સહિત આધાકર્મ, (૨) વિભાગોદ્દેશિકના છેલ્લા ત્રણ ભેદ, (3) ભોજન-પાનરૂપ તિ, (૪) પાખંડી અને ગૃહ વડે મિશ્ર તથા સાધુ અને ઘર વડે મિશ્ર, (૫) બાદર પ્રાભૃતિકા, (૬) અથવપૂરક. આ અવિશોધિકોટિરૂપ અવયવથી સ્પર્શિત શુદ્ધ ભોજન વડે થતાં દોષને કહે છે - ઉદગમ દોષરૂપ અવિશોધિકોટિના સુકા કણિયાદિ, તકાદિના લેપ વડે અને વાલ ચણાદિ અલેપ વડે પશિત જે ભોજન, તે ભોજન પરઠવ્યા પછી પણ પણ ત્રણ વાર ન ધોવે, તેમાં પછીથી ગ્રહણ કરાય તે પૂતિ, કાંજી ઓસામણ આદિથી સ્પર્શિત પણ પતિ જ કેQાય છે. ઉક્ત કથનને ભાષ્યકાર ત્રણ ગાયા વડે કહે છે – • મૂલ-૪રપ થી ૪૨૩ - [ભાષ્ય-૩૦ થી ૩૬] જેમ લોકમાં સુકા પણ આશુચિ પદાર્થ વડે પર્શિત વસ્ત્રાદિ ધોવામાં આવે છે. તેમ અહીં પણ સુકા એવા આધાકર્મથી પતિ પત્ર ધોવા જોઈએ. અલેપવાળું દ્રવ્ય પણ પાત્રમાં ગ્રહણ કર્યા બાદ તે પાક ધોયા વિના કાતું નથી, તે લેપવાળા કાદિ તો ક્યાંથી કશે ? તેથી લેપાલે કહ્યું છે. આધાકમમાં મx ઓદન જ વર્જશે, તેમ માનીને સૌવીર, આયામ, ચોખાનું ધોવાણ પણ આધાકમ ગણાય તેમ જણાવ્યું છે. • વિવેચન-૪૫ થી ૪૨૩ - ગાથાર્થ કહ્યો જ છે, કિંચિત્ વિશેષ આ - વાલ, ચણા આદિ અલેપકૃત છે, તે પણ અનાભોગાદિ કારણે પાત્રમાં ગ્રહણ કરીને પછી દોષદુષ્ટ જાણીને તજે તો તે પાત્રને ત્રણ વખત અવશ્ય ધોવું તેમ જણાવવા લેપ-અલેપ કહ્યું છે. મુલ-૪૨૮ થી ૪૩} : [૪ર૮) - બાકીની વિશોધિકોટિ છે. તેમાં યથાશક્તિ ભોજન-પાન ભાગ કર અથવા ન જાણવાથી મિશ્રદ્ધવ્ય થયું હોય તો સર્વેનો વિવેક કરવો. કંઈક Page #73 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૪૨૮ થી ૪૩૩ - અવયવ તેમાં રહી જાય તો તે શુદ્ધ છે. - [૪૨૯] - વિવેક ચાર પ્રકારે છે . (૧) દ્રવ્ય વિવેક - જે દ્રવ્ય ત્યાગ કરાય તે. (૨) ક્ષેત્ર વિવેક - જે સ્થાને જે દ્રવ્ય ત્યાગ કરાય તે. (૩) કાળ વિવેક કાળના વિલંબ વિના ત્યાગ કરાય તે. (૪) ભાવ વિવેક શઠ એવો સાધુ જેને દોષવાળું જુએ તે. - ૧૨૩ - [૪૩૦] - અહીં શુષ્ક અને આર્દ્રનો સશપાત કે સર્દેશ પાત થતાં ચાર ભંગ થાય છે. તુમાં બે ભંગ અને અતુલ્યમાં બે ભંગ – [૪૩૧] - (૧) શુષ્કમાં શુષ્ક પડેલ હોય તો સુખે તજી શકાય, (૨) દ્રવને નાંખીને તથા આડ હાથ રાખીને તે દ્રવને કાઢી નાંખવું. - [૪૩૨] - (3) હાથને આડો રાખી જેટલું બની શકે તેટલું ઓદનાદિ બહાર ખેંચી કાઢે. (૪) જો તે વસ્તુ દુર્લભ હોય તો માત્ર તેટલી જ દૂર કરવી. એમ બે ગાથામાં સૌભંગી કહી. [૪૩૩] નિર્વાહ થતો હોય ત્યારે બધાંનો ત્યાગ કરે, અનિર્વાહમાં ચતુર્થાંગકાને આદરે, જેમાં શટ હોય તો શુદ્ધ થાય અને માયાવી બંધાય છે. • વિવેચન-૪૨૮ થી ૪૩૩૩ ગાથાર્થ કહ્યો. વૃત્તિગત કિંચિત્ વિશેષ આ પ્રમાણે છે – [૪૨૮] બાકીના નવ પ્રકારે એટલે ઓઘ ઔદ્દેશિક અને વિભાગોદ્દેશિક એટલે ઉપકરણ પૂતિ, મિશ્રનો પહેલો ભેદ, સ્થાપના, સૂક્ષ્મપ્રાકૃતિકા, પ્રાદુષ્કરણ, ક્રીત, પ્રામિત્યક, પરિવર્તિત, અભ્યાહત, ઉદ્ભિન્ન, માલાપહત, આચ્છેદ, અનિસૃષ્ટ અને અધ્યવપૂક્તો પહેલો ભેદ એ વિશોધિકોટિ - એટલે જે ભોજનનો ત્યાગ કરતાં બાકીનું શુદ્ધ ભોજન વિશુદ્ધ થાય. ભિક્ષાર્થે અટન કરતા સાધુએ પહેલાં પાત્રમાં શુદ્ધ ભોજન ગ્રહણ કર્યુ હોય તેમાં જ અનાભોગ - આદિ કારણે વિશોધિ કોટિના દોષથી દૂષિત થયેલું ગ્રહણ કર્યુ હોય, પછી કોઈ પ્રકારે તે જાણે ત્યારે તેના વિના નિર્વાહ ન થાય, તો વિશુદ્ધિ કોટિથી જે દૂષિત હોય તેટલો જ ત્યાગ કરે. લક્ષમાં ન આવે તો સર્વનો ત્યાગ કરે. સર્વથા ત્યાગ પછી કેટલાંક સૂક્ષ્મ દ્રવ્ય હોય તો પાત્ર ત્રણ વાર ધ્રુવે. [૪૨૯] ચાર ભેદે વિવેક કહે છે – દ્રવ્યાદિ ચાર ભેદે છે, તે ગાથાર્થમાં કહ્યું. અશન - રાગદ્વેષરહિત. નિર્વાહ ન થાય હોય તેમ દોષવાળા આહારને જ તજે, તેને વિશેની વિધિ માટે ચતુર્ભૂગી કહે છે – [૪૩૦] (૧) શુષ્કમાં શુષ્ક પડે, (૨) શુષ્કમાં આર્દ્ર પડે, (૩) આર્દ્રમાં શુષ્ય પડે, (૪) આર્દ્રમાં આર્દ્ર પડે. તેમાં જે પદ વડે જ જે બબ્બે ભંગ પ્રાપ્ત થાય તે-તે દેખાડે છે. તુત્ય - સમાન હોવાથી અન્ય વસ્તુની મધ્યે તુલ્યનો નિપાત અર્થાત્ સદેશ વસ્તુનું નાખવું. તે પહેલો અને ચોથો ભંગ. બીજો અને ત્રીજો ભંગ તે અસદૅશ વસ્તુનો પ્રક્ષેપ કરવાથી પ્રાપ્ત થાય છે. હવે તેનો ઉદ્ધાર વિધિ :- [૪૩૧] શુ - વાલ, ચણા આદિ. તેમાં જે શુ - વાલ, ચણાં પડી જાય. સુઉં - સુખે કરીને, જળ નાંખવું આદિ કષ્ટ વિના જ ત્યાગ કરવાને માટે થાય છે. શુષ્કમાં દ્રવ - કાંજી વગેરે પડે, પાત્રને વાંકુ વાળી, આડો હાથ રાખી સર્વ દ્રવને ગાળી નાંખે. [૪૩૨] શુદ્ધ આર્દ્રની મધ્યે વાલ, ચણાદિ પડેલ હોય તો તેમાં હાથ નાંખી શટતા રહિતપણે તે શુષ્કને કાઢી નાંખે. પછીનું દ્રવ કલ્પે. જો પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ આર્દ્રમાં કંઈ બીજું આર્દ્ર પડે તો તેટલાં જ માત્રનો ત્યાગ કરે, બાકીનું કલ્પે છે. જો નિર્વાહ થતો હોય તો આ ચતુર્થંગીન સેવે. [૪૩૩] ગાથાર્થમાં કહેલ જ છે. કંઈ વિશેષ નથી. હવે ઉપસંહાર – ૧૨૮ • મૂલ-૪૩૪,૪૩૫ ન [૪૩૪] કોટિકરણ ભે ભેટે છે – ઉદ્ગમ કોટિ અને વિશોધિ કોટિ. તેમાં ઉદ્ગમ કોટિ છ પ્રકારે અને વિશોધિ કોટિ અનેક પ્રકારે છે. [૪૩૫] હવે તે કોટિ બીજા પ્રકારે કહે છે – નવ, અઢાર, સત્તાવીશ, ચોપન, નેવું, ૨૭૦ એ ભેદ છે. • વિવેચન-૪૩૪,૪૩૫ ૭ – [૪૩૪] ઉદ્ગમ કોટિ - આધાકર્મિક અને ઔદ્દેશિકના છેલ્લા ત્રણ ભેદ વગેરે છ ભેદવાળી છે. [૪૩૫] નવ કોટિ - હણવું, હણાવવું, હવાતાને અનુમોદવા. રાંધવું, રંધાવવું, રંધાતાને અનુમોદવું. ખરીદવું, ખરીદાવવું, ખરીદાતાને અનુમોદવું. આમાં પહેલી છ અવિશોધિકોટિ છે. છેલ્લી ત્રણ વિશોધિ કોટિ છે. આ નવે કોટિને કોઈ રાગથી સેવે, કોઈ દ્વેષથી સેવે તેથી અઢાર [૧૮] કોટિ થાય. ॰ સત્તાવિશ કોટિ :- મિથ્યાર્દષ્ટિ સેવે, સમ્યગ્દષ્ટિ વિરતિતંત સેવે અને સમ્યગ્દષ્ટિ અવિરતિવંત સેવે. એ ત્રણ ભેદ વડે નવ કોટિને ગુણતાં-૨૭ ભેદો થશે. ૦ ચોપન કોટિ :- આ-૨૭ને રાગ અને દ્વેષ વડે ગુણતાં-૫૪-ચાય. ૦ નેવું [૯૦] કોટિ :- નવ કોટિને કદાચ પુષ્ટ આલંબનને આશ્રીને ક્ષાંત્યાદિ દશ પ્રકારના ધર્મને પાલન કરવા માટે સેવે. આ કોટિ સામાન્યથી ચાસ્ત્રિના નિમિત્તવાળી છે. [૨૩૦] નેવુંને જ્ઞાન, દર્શન, ચારિત્રથી ગુણતાં ૨૭૦ થાય. • મૂલ-૪૩૬ ઃ ૧૬-ઉદ્ગમના દોષો ગૃહસ્થોથી ઉત્પન્ન થયેલા જાણ. ઉત્પાદનના દોષો સાધુથી ઉત્પન્ન થયેલા જાણ. • વિવેચન-૪૩૬ ઃ ઉક્ત સોળ ઉદ્ગમ દોષો, આધાકર્માદિ દોષ વડે દૂષિત થયેલા ભોજનાદિને ગૃહસ્થો જ કરે છે. ધાત્રીપણું આદિ દોષો સાધુ વડે જ સંભવે છે. તેને સાધુથી ઉત્પન્ન થયેલા તું જાણ. આ ઉત્પાદન દોષોને હવે કહે છે - • મૂલ-૪૩૭ થી ૪૩૯ : [૪૩૭] નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવને વિશે ઉત્પાદના જાણવી. તેમાં દ્રવ્યમાં ત્રણ પ્રકારે અને ભાવમાં સોળ પદવાળી જાણવી. [૪૩૮] ઔપચાચિતક આદિ વડે અને પુરુષ, અશ્વ તથા બીજ વગેરે વડે પુત્ર, અશ્વ, વૃક્ષાદિની જે ઉત્પાદના તે સચિત્ત છે. [૪૩] સોના, રૂપ આદિ મધ્યે ઈચ્છિત ધાતુથી કરેલી ઉત્પત્તિ ચિત્ત હોય છે, તથા ભાંડ - અલંકારાદિ સહિત દ્વિપદ આદિની ઉત્પત્તિ મિશ્ર હોય છે. • વિવેચન-૪૩૭ થી ૪૩૯ - [૪૩૭] ઉત્પાદના ચાર ભેદે છે – નામ ઉત્પાદના આદિ નામથી દ્રવ્ય ઉત્પાદનાને Page #74 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૪૩ થી ૪૩૯ ૧૨૯ ગવેષણાદિ જેમ જાણવી. પણ તધ્યતિરિક્ત દ્રવ્યોત્પાદના ત્રણ પ્રકારે છે - સચિત, અચિત, મિશ્ર. ભાવોત્પાદના બે ભેદે - આગમથી અને નોઆગમથી. આ નોઆગમચી ભાવોત્પાદના બે ભેદે – પ્રશસ્ત, અપશસ્ત. જ્ઞાનાદિની ઉત્પાદના તે પ્રશસ્ત છે, અપ્રશસ્ત ઉત્પાદના ૧૬ ભેદે છે. [૪3૮] સચિત દ્રવ્યોત્પાદના:- દ્વિપદ તે પુત્રાદિ, ચતુષપદ - અશ્વાદિ, અપદવૃક્ષાદિ. ઔપયાયિતક, ભાડું, જળ આદિ. કેશ રોમાદિ ભેટવાળા વડે જે વ્યાપ્ત છે વાલચિત એટલે પુરુષ. પુરષ, તુરંગ અને બીજ આદિ વડે જે ઉત્પાદના તે સચિવ છે. જેમકે – કોઈ પુરુષે પોતાની પત્નીને પુણોત્પતિ માટે દેવતાની માનતા વડે પુણોત્પત્તિ કરી, ઘોડી માટે ઘોડાનું ભાડુ આપી વછેરો ઉત્પન્ન કરાવ્યો. જળ વડે બીજને સીંચીને છોડ ઉત્પન્ન કરાવ્યો. [૪૩૯] અચિત અને મિશ્ર દ્રવ્યની ઉત્પાદના - આ અર્થ ગાથાર્થમાં કહેલ જ છે. બાકી સુગમ છે. હવે ભાવ ઉત્પાદના કહે છે. • મૂલ-૪૪૦નું વિવેચન : ભાવના વિષયવાળી ઉત્પાદના બે પ્રકારે – પ્રશસ્ત, પ્રશd. તેમાં ક્રોધાદિ સહિત એવી ધાબીપણાની જે ઉત્પાદMા તે પ્રશસ્ત છે. તથા જ્ઞાનાદિ ત્રયની ઉત્પાદના તે પ્રશસ્ત છે. અહીં અપ્રશસ્ત ભાવોત્પાદનાનો અધિકાર છે. ઉત્પાદનોના સોળ ભેદ છે, તેને કહે છે – • મૂલ-૪૪૧,૪૪ર : (૧) ધામી, (૨) દૂતી, (3) નિમિત, (૪) આજીવ, (૫) વનીપક, (૬) ચિકિત્સા, (0) કોલ, (૮) માન, (૯) માયા, (૧૦) લોભ, (૧૧) સંતવ, (૧૨) વિઘા, (૧૩) મંત્ર, (૧૪) ચૂર્ણ, (૧૫) યોગ, (૧૬) મૂળ કર્મ. આ ઉત્પાદનના દોષો છે. • વિવેચન-૪૪૧,૪૪ર :-(૧)- ધાત્રી - બાળકને પાળનારી, ધાત્રીપણું કરવું કે કરાવવું. -(૨)- દૂતિ - બીજાને સંદેશો કહેનારી. દૂતીપણું કરવું કે કરાવવું. -(૩)- નિમિત્ત - અતીતાદિના અર્થને જાણવાના હેતુરૂપ શુભાશુભ ચેષ્ટાદિ. -(૪)- આજીવ - આજીવિકા -(૫)- વનીપક - ભિક્ષાચર, તેની જેમ જે આચરણ કરવું તે. -(૬)- ચિકિત્સા - રોગનો પ્રતિકાર, -(૭ થી ૧૦) ક્રોધ, માન, માયા, લોભ એ ચારે પ્રસિદ્ધ છે. -(૧૧)- સંતવ - પૂર્વ કે પછીના પરિચિત વડે સંસ્તવ કરવો. -(૧૨)- વિધા • સ્ત્રીરૂપ દેવતાથી અધિઠિત કે સાધના સહ અક્ષરવિશેષ. -(૧૩)- મંત્ર • પુરણરૂપ દેવથી અધિઠિત વિધા કે સાધનારહિત હોય તે. -(૧૪)- ચૂર્ણ - સૌભાગ્યાદિને ઉત્પન્ન કરનાર વસ્તુનો ભુકો. -(૧૫) યોગ - આકાશગતિ આદિ ફળવાળો દ્રવ્ય સમૂહ. [35/9]. ૧૩૦ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ (૧૬)- મૂળકર્મ- વશીકરણ. ૦ ધામી આદિ દોષથી પિંડ-આહાર મેળવવો તે. • મૂલ-૪૪૩ થી ૪૪૭ : [૪૪] - ક્ષીર, મ નમંડન ક્રીડન, અંક ધMી. આ પ્રત્યેક કરવું અને કરાવવું બે પ્રકારે છે. - [૪૪] - બાળકને ધારણ કરે, પોષણ કરે અથવા બાળક તેને ધાવે માટે ધાત્રી કહેવાય. પૂર્વકાળમાં વૈભવનુસાર પાંચ ધાની રહેતી. - [૪૪] . દુધના આહારવાળો આ રૂવે છે, તેથી ભિક્ષાની આશા રાખનાર મને ભિક્ષા આપ. પછી તેને સ્તન્ય પાજે. અથવા મને પછી આપજે અથવા માટે ભિક્ષા નથી જોઈતી, હું ફરીથી અહીં આવીશ. - [૪૬] • અપમાન ન કરાયેલો બાળક બુદ્ધિમાન, અરોગી, દીધયુ થાય છે. યુઝનું મુખ દુર્લભ છે, માટે તેને પા, અથવા હું તને આપું. - [૪૪] - જે તે ભદ્રિક હોય તો અધિકરણ કરે, અધમ હોય તો હેક કરે. જે બાળક કમોંદર્ય પ્લાન થાય તો ઉકાહ થાય અથવા ચાટુકારી છે એમ આવવાદ થાય. પોતાનો પર અન્ય શંકા કરે. • વિવેચન-૪૪૩ થી ૪૪૭ : [૪૪]] ક્ષરધામી - જે સ્તત્યપાય છે. મજન-સ્નાન વિષયક, મંડન-શણગાર કરનારી, કીડન - રમાડનારી, અંકધામી-ખોળામાં લે. સ્તનધણી-પોતે સ્તનપાન કરાવે તે સ્વયં કરણ, બીજા પાસે કાવે તે કારાવણ ક્ષીરધાર્તા. એ પ્રમાણે મર્જનાદિ બધીમાં જાણવું. હવે ધાત્રી શબ્દની વ્યુત્પત્તિ - [૪૪૪] - બાળકને ધારણ કરે છે, ભાડું દેવા વડે ધારણ કરાય, બાળક ધાવે માટે ધાત્રી. હવે સાધુ સ્તનપાન કરાવવા રૂપ ઘણીપણું કરે છે તે દેખાડે છે - [૪૪૫ - પૂર્વ પરિચિત ઘેર પ્રવેશી સાધુ, બાળકને રડતું જોઈ, માતાને કહે – આ બાળક હજી ક્ષીર આહારી છે, ક્ષીર વિના હે છે, મને જલ્દી આહાર આપી. આ બાળકને સ્તનપાન કરાવ, અથવા પહેલા કરાવી પછી મને ભિક્ષા આપજે. [૪૪૬] અપમાન ન કરેલો બાળક મતિમાનાદિ થાય ઈત્યાદિ તેથી બધાં કામ મૂકીને દુધ પા. જો તું ન પાય તો હું તેને દુધ આપું અથવા બીજી પાસે સ્તનપાન કરાવું. એ રીતે સાધુએ ધણીપણું કરેલ દેખાડ્યું છે. તેના દોષો કહે છે - [૪૪૭]. • જે માતા ભદ્રિક હોય તો રામવાળી થઈ આધાકમદિ કરે. જો ધર્મ સન્મુખ ન હોય તો પ્રસ્વેષ કરે ઈત્યાદિ ગાથાર્થ મુજબ કહેવું ચાવત્ તેનો પતિ મૈયુનાદિ વિષયમાં શંકિત થાય છે. • મૂલ-૪૪૮ થી ૪૫૩ - [૪૪૮] - ધામીકરણમાં આ બીજો વિકલ્પ છે, ભિક્ષાચયમાં કોઈ સાધુએ કોઈ અધૃતિવાળી શ્રાવિકાને પૂછ્યું - તેણી બોલી દુ:ખના સહાયકને દુ:ખ કહેવાય. તો આજે મણે ધાર્તાપણું હરણ કરાયું છે. - [૪૪૯] - તેણીની વયને, ગંડને, શૂલપણાને, કૃશપણાને ન જાણતો સાધુ તે બધું પૂછીને ત્યાં ગયો, તે બાળકને જોઈ ગૃહસ્વામીની સમક્ષ કહેવાલાગ્યો. શું? - (૪૫o] - આ તમારું. Page #75 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૪૪૮ થી ૪૫૩ ૧૩૧ કુળ હમણાં ઉત્પન્ન થયેલ છે કે જાણે છે એમ હું માનું છું. પુજ્ય વડે કે ચદેચ્છાથી આ બાળક વડે ક્ષેમ વર્તે છે એમ અમે જાણીએ છીએ. - [૫૧] - સ્થવિરઘાણી દુર્બળ ક્ષીરવાળી હોય તો બાળક દુર્બળ થાય, અતિ સ્તનવાળી હોય તો પ્રેરિત મુખવાળો તે ચિપટા મુખવાળો થાય. કૃશ શરીરી હોય તો ક્ષીરવાળી હોય, કુસ્તિનીમાં સુચિ મુખવાળો થાય છે. - ૪િ૫]. • જે ધાત્રી જે વર્સે કરી ઉત્કટ હોય, તેણીને તે વર્ષે કરીને ગહ કરે, જેની ગહ કરે છે, તેવા જ વણવાળી આગળની હોય તો તેણીને વળી અત્યંત પ્રશસ્ત વર્ણવાળી કહેવા લાગે અને બીજીને દુવાળી કહે : [૪૫] - ભષ્ટ કરેલી ધમી રહેવા પામી “ જાર છે” એમ અપવાદ આપે. તેને જે વધાદિ કરી શકાય, તે પણ કરે એ જ પ્રમાણે બીજી ધાઝી પણ મને વિન થશે એમ ધારીને વિષાદિ આપે છે. • વિવેચન-૪૪૮ થી ૪૫૩ - [૪૪૮] - ધાત્રીકરણમાં આ બીજો વિકલ્પ છે. જે ગાથાર્થમાં કહ્યો છે. - [૪૪૯]. - તે દુ:ખી અને ધાત્રીરૂપે સ્થાપવાને નવી ધાબીના વય, ચૌવનાદિ પૂછીને ધનિકને ઘેર જઈને, ગૃહસ્વામી સમક્ષ જઈ બાળકને જોઈને કહેવા લાગ્યો. - [૪૫] - શું કહે છે ? મને લાગે છે કે આ તમારું કુળ હમણાં જ ધનાઢ્ય થયેલ છે. જો પરંપરાથી લમી આવી હોય તો પરંપરાથી ધાત્રી લક્ષણજ્ઞ કેમ ન હોય ? જેવી તેવી ઘામી કેમ સખી છે ? અયોગ્ય ઘાણીના સ્તનપાન વડે કાંતિરહિત બનેલા આ બાળકને અમે જાણીએ છીએ ઈત્યાદિ કહીને માતા-પિતાને ભ્રાંતિવાળા કરે. ત્યારે તેઓ પૂછશે કે ધાબીના કયા દોષો છે ? [૪૫૧] - વૃદ્ધા ધાત્રી નિર્બળ ક્ષીરવાળી હોય, તેથી બાળક બળવાનું ન થાય. બહુ મોટા સ્તનવાળી હોય તો સ્તનપાન કરતા બાળકના હોઠ અને નાસિકા દબાયેલા રહેતા ચીબો થાય છે. શરીરથી કૃશ ધાગી હોય તો બાળકને પરિપૂર્ણ દુધ મળતું નથી. બહુ લાંબા સ્તનવાળી હોય તો બાળકને મુખ પસારવું પડે છે, તેથી મુખ સોયના આકારવાળું થાય છે. ઈત્યાદિ. આ નવી ઘણી ઉક્ત દોષવાળી છે, માટે પહેલાંની ધણી જ યોગ્ય હતી. - [૪૫] - નવી સ્થાપેલી ધાત્રી કૃષ્ણાદિ વણ હોય તો, તેણીના વર્ષથી નિંદે છે. જેમકે - કાળી સ્ત્રી રૂપનો નાશ કરે, ગૌરવર્ણી બળરહિત હોય છે, તેથી ઘઉંવર્ણી સ્ત્રી સારી, તેમ કહે વળી જૂની ધખી નવીના સમાન વર્ણવાળી હોય તો જનીને અત્યંત પ્રશસ્ત વર્ણવાળી તરીકે પ્રશંસે છે. આમ સાધુ વડે કહેવાતા તે ગૃહનો સ્વામી નવી ધાત્રીનો ત્યાગ કરી, સાધુએ પ્રશંસેલી ધાત્રી સખે, તેથી : - [૪૫૩] - ધણીપણાથી ભ્રષ્ટ થયેલી ધાગી સાધુ ઉપર હેપ કરે છે. તેથી તેણી કહેશે કે - આ સાધુ તો જાર છે. આ ધાત્રી સાથે સંબંધવાળો છે. વળી ભ્રષ્ટ થયેલ ધાગી સાધુને વધ આદિમાં પણ પ્રવર્તે છે. જેને સ્થાપી છે, તે ધાત્રી પણ વિચારશે કે પે'લી ઘાણીની જેમ આ મને પણ ભ્રષ્ટ કરશે. એમ વિચારી તેણી પણ ૧૩૨ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ વિષાદિ પ્રયોગ કરે. હવે બીજી ધાત્રી માટે અતિદેશ કરીને દેખાડે છે - • મૂલ-૪૫૪ થી ૪૫૯ - [૪૫] - એ જ પ્રમાણે બાકીની ધામીનું પણ કરવું, કરાવવું, પોતાના ઘર વિશે કહેવું. નવી ધમીને ધબીપણાથી ભ્રષ્ટ કરતી આદિ બધું પૂર્વવત. - [૪૫] - મજ્જન શાસ્ત્રીના દોષ પ્રગટ કરવા સાધુ કહે છે – આ બાળક પૃથ્વી ઉપર લોટ છે, ધૂળથી ખરડાયેલો છે, તેને હૃdડાવ અથવા હું ન્હવડાવું અથવા જળથી બીકણ થશે કે વધુ નવડાવા દુર્બળ કે કત મી થશે. - [૫૬] • મજ્જનધની બાળકને માલિશ કરી, સંભાહના કરી, ઉદ્ધતન કરી, નાનથી પવિત્ર દેહવાળો કરીને મંડનધબીને સોંપે છે. • [૪૫] - મંડનધીત્વ વિશે સાધુ શું કરે? પહેલાં ઈર્ષાકાદિ આ આભરણ વડે બાળકને મંડન ર અથવા હું વિભૂષિત છું. આ ધpઝીએ હાથને યોગ્ય ઘરેણાં પગમાં કે કંઠને યોગ્ય ઘરેણાં પગમાં પહેરાવ્યા છે, તેથી યોગ્ય નથી. • [૪૫] હવે ક્રીડનધlીના દોષ સાધુ કઈ રીતે કહે - ધwી ઢર વરવાળી છે, તેથી બાળક ફૂલીબ મુખવાળો થાય, અથવા કોમળ કે અવ્યકત વાણીવાળો થશે, માટે તે સારી નથી. તથા બાળકને ઉલ્લાપનાદિ ક્રિયા પોતે કરે કે બીજા પાસે કરાવે. - [૪૫૯] - કાઝીને ધplીપણાથી ભ્રષ્ટ કરવા સાધુ આમ બોલે છે - શૂળધાણી વડે પહોળા પગવાળો થાય, ભગ્ન કે શુક કટીવાળી ધામીથી દુ:ખ પામે છે. નિમસિ કે કર્કશ હાથ વડે ભીરૂ થાય. • વિવેચન-૪૫૪ થી ૪૫૯ - [૪૫૪] ક્ષીરપાત્રીમાં કહ્યા પ્રમાણે બાકીની - મજ્જનધની આદિના વિષયમાં પણ સમજી લેવું. - x-x: [૪૫૫] - ક્ષીરધાત્રીમાં કહ્યા મુજબ જ ધનાઢ્યોના ઘરને વિશે નવી સ્થાપિત મજ્જનધાગી આદિ, કે જેને ધાબીપણાથી ભ્રષ્ટ કરેલ હોય તેને ધામીઓનો આલાવો ક્ષીરપાત્રીવત્ કહેવો. આ બાબત સંક્ષેપથી કહી, વિશેષે કરીને કહેવા માટે આગળની ગાથામાં કહે છે – [૪૫૬] આ બાળક ધૂળવાળો છે, તેને નવડાવ. આ મજ્જનધામીનું કરાવવું થયું. જો તું સમર્થ ન હોય તો હું નવડાવું, આ મજ્જનધાની કરણ થયું અથવા ક્ષીરઘાટીની જેમ પદભ્રષ્ટ થયેલ મજ્જનધાસ્ત્રીને સાધુ કહે કે હું તને ફરી તે પદે સ્થપાવીશ. પછી ધનિકને ત્યાં મજ્જનધામીના દોષો કહે, જેમકે - બહુ પાણી વડે ઢંકાતો બાળક ભાવિમાં નદીના જળ પ્રવેશકાળે બીકણ થાય છે. નિરંતર નવડાવતા દુર્બળ દષ્ટિવાળો થાય. સયા ન નવડાવે તો શરીરબળ ધારણ ન કરે. કાંતિવાળો ન થાય. માટે આ ધણી મજ્જન માટે યોગ્ય નથી. ઈત્યાદિ વર્ણન ક્ષીરસ્વામીવતું જાણવું. હવે મંડનઘાણીને કેવો સોપે તે કહે છે - | ૪િ૫] ગાથાર્થમાં કહેલ છે, વિશેષ કંઈ નથી. હવે સાધુ મંડનધાત્રીના વિષયમાં શું કરે, કરાવે, દોષો પ્રગટ કરે તે દેખાડે છે - બાણ, છરી વગેરેના આકારવાળું આભરણ લેવું. શ્રાવિકાના ચિત્તને વશ કરવા સાધુ બોલે – આ બાળકને વિભૂષિત Page #76 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૪૫૪ થી ૪૫૯ ૧૩૩ કર, જો તું ન સમર્થ હો તો હું વિભૂષિત કરું. આ કારણ-કારાવણ થયું. જો નવી સ્થાપેલી મંડળધાણીના દોષ કહે તો કઈ રીતે કહે ? ગાથાથમાં બતાવેલ છે. તેણીને પદભ્રષ્ટ કરે આદિ ક્ષીરધાઝીવતુ જાણવું. ધે કીડન-ધાબીના વિષયમાં સાધુ શું કહે તે બતાવે છે - [૪૫૮] - ગાથાર્થમાં કહ્યા મુજબ ક્રીડનધાનીના દોષો બતાવીને સાધુ તેણીને ધાબીપણાથી ભ્રષ્ટ કરાવે. તથા શ્રાવિકાના યિતને વશ કરવા બાળકને ઉલ્લાપનાદિ કરે : બોલાવે, કીડા પોતે કરે કે કરાવે ઈત્યાદિ. હવે નવી સ્થાપેલ અંકધાબીને પદભ્રષ્ટ કરવા સાધુ શું કરે તે કહે છે - [૪પ૯] - સ્થૂળ શરીરવાળી ધાગી જો કેડે બાળકને ધારણ કરે તો તે બાળક પહોળા પગવાળો થશે ઈત્યાદિ બધું ગાથાર્થ મુજબ કહેવું. બાળકને રડતો જોઈ, ખોળામાં લેવા કહેવું અથવા પોતે ખોળામાં લે ઈત્યાદિ. • મૂલ-૪૬૦ થી ૪૬૨ - [ભાગ-૪૦,૪૧. [૪૬] - કીડનધાત્રીપણું કરવાના વિષયમાં દત્ત નામે શિષ્યનું ષ્ટાંત છે, જેને વિવેચનથી જાણવું [૪૬૧,૪૬૨] ભાષ્યકારશ્રીએ આ જ દષ્ટાંતનો સાર બે ગાથામાં રજૂ કર્યો છે. તેનો અર્થ પણ આ કથામાં આવી જ જાય છે. • વિવેચન-૪૬૦ થી ૪૬૨ - કોલકિર નગરે વૃદ્ધાવસ્થા પામેલા, ક્ષીર જંઘાબળવાળા સંગમ-સ્થવિર નામે આચાર્ય હતા. દુકાળ પડ્યો. સિંહ નામના શિષ્યને આચાર્યપદે સ્થાપી, ગચ્છ સોંપીને સુકાળવાળા દેશમાં વિહાર કરાવ્યો. પોતે એકલા રહ્યા. તે વસતિ - ઉપાશ્રયના નવ ભાગો પાડી, ત્યાં જ યતના વડે માસક૫ અને વષરાન કરે છે. સિંહચાર્યે ગુરજીની પ્રવૃત્તિ નિમિતે દત્ત નામક શિષ્યને મોકલ્યો. તેણે સંગમાચાર્યને પૂર્વે જોયા હતા તે જ ક્ષેત્રમાં જોયા, તેને થયું કે ગુરુજી ભાવથી પણ માસક૫ કરતા નથી, શિથિલ સાથે એક સ્થાને રહેવું યોગ્ય નથી, તે વસતિની બહાર રહયો. ભિક્ષા સમયે આચાર્ય સાથે ભિક્ષાર્થે ગયો. ત્યાં અંતપ્રાંત ઘરોમાંથી ભિક્ષા લેવડાવી, તેથી તે કાંતિરહિત મુખવાળો થયો તેનો ભાવ જાણી કોઈ ધનાઢયને ત્યાં ગયા. વ્યંતરી અધિઠિત બાળકને રડતો જોઈ સંગમાયાર્યએ ચપટી વગાડી કહ્યું – “રડ નહીં તેમના પ્રભાવે વ્યંતરી નાશી ગઈ, બાળક રડતો બંધ થયો. ગૃહસ્વામીએ હર્ષિત થઈ ઘણાં લાડુ આપ્યા. દત્ત મુનિ તેથી હર્ષિત થઈ વસતિમાં આવ્યા. સંગમાચાર્ય શરીર્મ્સ વિશે નિસ્પૃહ હોવાથી આગમોક્ત રીતે અટક કરી વસતિમાં આવ્યા. પ્રતિક્રમણ વખતે દત્તને કહ્યું - તું ધબીપિંડ અને ચિકિત્સાપિંડની આલોચના કર. દવે પૂછ્યું કે - હું તો આપની સાથે જ હતો. પછી મને કઈ રીતે દોષ લાગ્યો ? બાળકની કીડાથી કીડન ધાબીપિંડ અને વ્યંતરીને ભગાડી તેથી ચિકિત્સા પિંડ થયો. તેનાથી દત્ત મુનિ દ્વેષ પામીને વિચારે છે કે- આ ભાવથી પણ માસ કથનથી કરતા અને મને આલોચના કરવા કહે છે, તે વસતિની બહાર ચાલ્યા ગયો. દેવીએ તેને શિક્ષા કરવા વસતિમાં અંધકાર અને વાયુ સહિતની વૃષ્ટિ વિકર્વી. ૧૩૪ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ દત મુનિ ગભરાયો. સંગમાચાર્યએ કરણાથી આંગળી ઉંચી કરી, તે દીપશિખાની જેમ પ્રદીપ્ત થઈ દત્તને થયું - અરે ! આ તો અગ્નિને પણ પરિગ્રહ કરે છે. દેવીએ દત્તને ધિક્કારી સમગ્ર વૃતાંત કહ્યો. ત્યારે તેણે આચાર્ય મહારાજને ખમાવ્યા. આ રીતે ધણીદોષ કહ્યો. હવે દૂતિદોષ કહે છે – • મૂલ-૪૬૩ થી ૪૬૯ : [63] દૂતિ બે ભેદ - ગામતિ, પરગ્રામદૂતિ. તે તારી માતા કે તારો પિતા એમ કહે તે પ્રગટ છે. ગુપ્ત વચન વડે કહે તે છa છે. - [૪૬] - બંને ભેદો બન્ને પ્રકારે છે : પ્રગટ અને છa. છm પણ બે પ્રકારે • લોકોત્તર અને ઉભયપક્ષને વિશે. - ૪િ૬] • પ્રગટદર્તિવ આ પ્રમાણે • ભિાદિ માટે જતા સાધુ માતાદિનો સંદેશો કહે કે - તારી માતા કે તારો પિતા એમ કહે છે. • [૬૬] લોકોમાં છmતિત્વ - દૂતિપણે નિંદિત છે એમ ગણતો કોઈ સંદિષ્ટ સાધુ, બીજા સાધુના પ્રત્યયથી બોલે કે - તારી પુત્રી જિનશાસનમાં અકુશળ છે, જેણીએ મને કહ્યું કે - મારી માતાને આમ કહેજે. • [૬] • ઉભયપક્ષમાં છmતિત્વ - તમે મારા પિતા કે માતાને કહેજો કે તે કાર્ય તે પ્રમાણે થયું અથવા તે કાર્ય તે પ્રમાણે કરો. ૬૮,૪૬] પ્રગટ એવા પરગ્રામ દૂતિપણાને આપીને દેeld દ્વારા દોષો બતાવે છે. તેમાં એક દષ્ટાંત છે. જે વિવેચનમાં સ્પષ્ટ કરેલ છે. • વિવેચન-૪૬૩ થી ૪૬૯ : [૪૬] - જે ગામમાં સાધુ વસતા હોય, તે જ ગામમાં સંદેશને કહેનારી હોય તો તે સ્વગ્રામદૂતિ. પગામમાં જઈને કહે તે પરગ્રામતિ. તે બંનેના પણ બબ્બે ભેદ • પ્રગટ અને છન્ન. - [૪૬૪] - દૂતિપણાનું જે આચરણ કરવું તે પણ દૂતિ કહેવાય છે. તેમાં છન્ન દૂતિપણાના પણ બે ભેદ છે – (૧) લોકોત્તર-બીજા સંઘાટક સાધુથી પણ ગુપ્ત (૨) લોક અને લોકોતરને વિશે - સંઘાટક સાધુ અને પાસે રહેલા લોકો, તે બંનેથી ગુપ્ત હોય. - [૪૬૫] - સ્વગ્રામ અને પરગ્રામ સંબંધી પ્રગટ દૂતિને કહે છે – ભિક્ષાદિ નિમિત્તે જતા સાધુ તે જ ગામમાં કે પરગામમાં માતા-પિતાદિનો સંદેશો કહે. - [૪૬૬] - હવે લોકોત્તર છડાદૂતિને કહે છે – કોઈ સાધુ કોઈક સ્ત્રીની પુત્રીએ સંદેશો આપવાનું કહેતા વિચારે કે- “દૂતિપણું ખરેખર નિંદિત છે.” કેમકે તે સાવધ છે. વળી સંઘાટક સાધુ પણ મને દૂતિદોષથી દૂષિત ન જાણે, તેથી શબ્દ સ્ત્રના બદલીને બોલે કે - તમારી પુત્રી જિનશાસનમાં અંકુશળ છે, આ પ્રમાણે સંદેશો કહેવડાવેલ છે. માતા પણ સમજી જાય અને સામો જવાબ આપે કે – સાર, મારી પણીને કહી દઈશ કે ફરી આ રીતે સંદેશો ન કહેવડાવે. - [૪૬] - હવે ઉભયપક્ષે છન્ન એવી દૂતિને કહે છે - ગાથાર્થ સ્પષ્ટ છે. પ્રગટ એવા પરગ્રામદતિપણાને આશ્રીને દેટાંતથી દોષ કહે છે – [૪૬૮,૪૬૯] વિસ્તીર્ણ નામે ગામ હતું, તેની નીકટ ગોકુળ નામે બીજું ગામ હતું. વિસ્તીર્ણ ગામમાં ધનદત રહે, તેની પત્ની પ્રિયમતી નામે હતી. દેવકી નામે પુત્રી Page #77 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૪૬૩ થી ૪૬૯ ૧૩૫ હતી. તે જ ગામમાં સુંદર નામે માણસ પરણ્યો. તેમને બલિષ્ઠ નામે પુત્ર થયો. રેવતી નામે પુગી થઈ. રેવતીને ગોકુળ ગામમાં સંગમ નામે માણસ પરણ્યો. પ્રિયમતિ મૃત્યુ પામી. ધનદd દીક્ષા લીધી. ગુરુ સાથે વિચરતા ફરી કેટલાંક કાળે વિસ્તીર્ણ ગામમાં પાછા આવ્યા. તે પોતાની પુત્રી દેવકીની વસતિમાં રહ્યા. બંને ગામને ત્યારે પરસ્પર વૈર ચાલતું હતું. વિસ્તીર્ણ ગામવાળાએ ગોકુળ ગામ ઉપર ધાડ તૈયાર કરી. ત્યારે ધનદત્તમુનિ ગોકુળ ગામે ભિક્ષા લેવા ગયા. દેવકીએ પુત્રી રેવતીને સંદેશો મોકલ્યો, આ ગામ તારે ગામ ધાડ પાડવા આવે છે. બધી મિલ્કત એકાંતમાં સ્થાપજે. સાધુએ રેવતીને કહ્યું તે તેના પતિ સંગમે આખા ગામને કહ્યું. બધાં લડવા તૈયાર થઈ ગયા. પરસ્પર મોટું યુદ્ધ થયું. સુંદર, બલિષ્ઠ અને સંગમ ત્રણે યુદ્ધમાં મરણ પામ્યા. દેવકી પતિ, પુત્ર અને જમાઈનું મરણ સાંભળી વિલાપ કરવા લાગી. બધાંને ખબર પડી કે આ સંદેશો ધનદત્ત મુનિએ (દેવકીના બાપે જ આપેલો હતો. તે સાધુ બધે જ સ્થાને ધિક્કાર પામ્યો, પ્રવચનની મલિનતા થઈ. o દૂતિ દ્વાર કહ્યું. હવે નિમિત્ત દ્વાર કહે છે - • મૂલ-૪૦ થી ૪૩૪ - પ્રિક્ષેપ ગાથા-પ, ભાષ્ય-૪૩,૪૪] [19] ત્રણ કાળના વિષયવાળા પણ છ પ્રકારના નિમિત્તને વિશે નિશે દોષો લાગે છે. તેમાં વર્તમાનકાળે આયુનો ભય તcકાળ થાય છે. • ૪િ૧) - લાભાલાભ, સુખ-દુ:ખ, જીવિત-મરણ આ છ નિમિત્તો છે - [૪૭] - નિમિત્ત વડે ભોગિનીને વશ કરી ઈત્યાદિ દષ્ટાંત વિવેચનમાં જેવું. - [૪૭૩,૪૭૪] ભાષ્યકારશ્રી આ બે ગાથા ઉક્ત દટાંતનો જ સંક્ષેપ નોંધે છે. • વિવેચન-૪૩૦ થી ૪૦૪ - ભૂત-વર્તમાન-ભાવિકાળના વિષયમાં પ્રત્યેકને વિશે - લાભ, અલાભ, સુખ, દુ:ખ, જીવિત, મરણરૂપ છ પ્રકારના નિમિત્તને વિશે અવશ્ય દોષો લાગે છે. તેમાં કેટલાંક દોષો સાધુને માવા વગેરેના હેતુરૂપ હોય છે. કેટલાંક બંનેનો ઘાત કરનાર હોવાથી સાધુ અને શેષ જીવોના ઘાતના હેતુરૂપ હોય છે. વર્તમાનકાળમાં તત્કાળ પરનો વિઘાત કરાવનાર આ દટાંત છે. કોઈ ગામનાયક પોતાની પત્નીને ઘેર મૂકીને દિગ્યામાએ ગયો. તેની પત્નીને કોઈ સાધએ નિમિત્ત વડે વશ કરી. ગામનાયકે વિચાર્યું કે મારી પત્ની સુશીલ છે કે દુઃશીલ તે હું જોઉં. પત્નીએ સાધુ પાસેથી પતિનું આગમન જાણી પરિવારને સામે મોકલ્યો. ઘેર આવીને જોયું તો નિમિત્ત કહેનાર સાધુ ઘેર હતો. ભોગિનીને ખાત્રી કરાવવાપૂર્વક નાયક સાથે વાત, સ્વપ્ન, તેણીના શરીર ઉપરના મસા આદિ બધું કહતો હતો. ગામનાયકને પત્નીની વાતથી ઈર્ષ્યા થઈ, કોપથી સાધુને પૂછ્યું - હે સાધુ આ ઘોડીના ગર્ભમાં શું છે ? સાધુ બોલ્યા - પાંચ તિલકવાળો વછેરો છે. ગામનાયકને થયું કે જો સાઘની વાત સાચી હશે તો મારી પત્નીની વાત પણ માનીશ. અન્યથા આ બંને અવશ્ય વિરુદ્ધકર્મ આચરનાર છે. ઘોડીનો ગર્ભ વિદાર્યો. સાધુઓ કહેલું તેવો જ વછેરો તરફાતો નીકળ્યો. તેનો કોપ શાંત થઈ ગયો. પિંડનિયુક્તિમૂલસૂત્ર સટીક અનુવાદ આ કારણે સર્વથા નિમિત્તનો પ્રયોગ કરવો નહીં. નિમિત્ત દ્વાર કહ્યું. હવે આજીવક દ્વાર કહે છે – • મૂલ-૪પ થી ૪૮૦ : [૪૫] - જાતિ, કુલ, ગણ, કર્મ અને શિલ્ય એ પાંચ પ્રકારે આજીવના છે, તે દરેકના બળે ભેદ છે - આત્માને સૂચા વડે અથવા અસૂચા વડે કહે. - 9િ5] - જાતિ અને કુળને વિશે વિવિધ પ્રકારે બોલવું, ગણ એટલે મલ્લાદિ, કર્મ - ખેતી વગેરે, શિલાનૂણવું વગેરે અથવા અનાવર્જક તે કર્મ, આવર્જક તે શિલ્પ કહેવાય છે. • [૪૭] - સૂચા :- હોમાદિ ભરાભર કરવાથી જણાય છે - આ શ્રોત્રિય પુત્ર છે કે ગુસ્કૂળમાં રહ્યો છે, કે આચાર્યના ગુણ સૂચવે છે. - [૪૮] - આણે ન્યૂન, અધિક કે વિપરીત ક્રિયા કરી તેથી અસમ્યફ ક્રિયા કરી છે અને સમિધ, મંત્ર, આહતિ, સ્થાન, ત્યાગ, કાળ તથા ઘોષાદિકને આગ્રીને સમ્યફ ક્રિયા કરી એમ કહે. - [૪૯] - ઉગાદિકુળને વિશે પણ એ જ પ્રમાણે જાણવું. ગણને વિશે મંગલ પ્રવેશાદિ, દેવકુળનું દર્શન, ભાષાનું બોલવું તથા દંડાદિ બધાંની પ્રશંસા કરવી. - [૪૮] - એ જ પ્રમાણે કર્મ, શિલ્પ, તેના કતનિ ઘણાં અને વિવિધ પ્રકારના પ્રયોજનની અપેક્ષાવાળી વસ્તુઓને સૂયા અને અસૂયા વડે સારી કે નરસી કહેવી. • વિવેચન-૪૫ થી ૪૮૦ : [૪૫] આજીવના જાતિ આદિ પાંચ ભેદે બતાવી. સૂવા - વચનની સ્ત્રના વિશેષ. મહૂવા - કુટ વચન વડે કહે છે. તેમાં જાતિ આદિનું લક્ષણ કહે છે - [૪૬] - નાતિ - બ્રાહ્મણ આદિ, જન - ઉગ્રકુલાદિ, અથવા નાત - માતાજી ઉત્પલ, વન • પિતાથી ઉત્પન્ન. ના - મલ્લ આદિનો સમૂહ, વર્ષ - ખેતી વગેરે. શાશ્વ - તૂણવું, સીવવું આદિ. અથવા નાવ નં - અપતિ ઉત્પન્ન કરનાર તે કર્મ, સર્વ નં • પ્રીતિ ઉત્પન્ન કરનાર શિલ્પ. બીજા કહે છે – આચાર્ય વિના ઉપદેશાય તે કર્મ, આચાર્ય ઉપદેશિત તે શિલ. - [૪૩૭] - ભિક્ષાર્થે કોઈ સાધુ બ્રાહ્મણને ત્યાં પ્રવેશે, હોમ આદિ ક્રિયા જોઈને પોતાની જાતિ પ્રગટ કરતાં કહે કે - વિધિપૂર્વક હોમાદિ કરતો આ તમારો જ પુત્ર લાગે છે, ઈત્યાદિ - x - તે સાંભળી બ્રાહ્મણ કહેશે કે - તમે અવશ્ય બ્રાહ્મણ લાગો છો, જેથી તમે આ વિધિ જાણો છો. આ રીતે તેણે સૂત્ર વડે પોતાની જાતિ પ્રગટ કરી કહેવાય. જો કે તેમાં ઘણાં દોષો છે. બ્રાહ્મણ ભદ્રિક હશે તો ઘણો આહારાદિ આપશે, તે જાતિ વડે ઉપજીવનનું નિમિત્ત થશે, કે જેનો નિષેધ છે. જો અધર્મી હશે તો આ સાધુએ જાતિ ભ્રષ્ટ કરી, માની કાઢી મૂકશે. મૂવી - આહારને માટે સાધુ પોતાની જાતિ પ્રગટ કરે છે. આ પ્રમાણે જ કુળ આદિ વિશે ભાવના કરવી. [૪૮] - ભિક્ષાર્થે ગયેલ સાધુ બ્રાહ્મણને ત્યાં પ્રવેશી તેના પુત્રની ક્રિયા જોઈ, જાતિ પ્રગટ કરવા બોલે કે- તમાસ પુગે ક્રિયા સમ્યક્ કરી કે અસભ્ય, સમ્યફ ક્રિયા ત્રણ ભેદ – જૂન, અધિક કે વિપરીત. યથાવસ્થિત સમિધાદિ અને ઘોષાદિને Page #78 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૪૩૫ થી ૪૮૦ ૧૩૩ આશ્રીને કરે તે સમ્યક્ ક્રિયા. સમય - પીપળો આદિ, મંગ-ઓમકારાદિ, માત - અગ્નિમાં ધૃતાદિ નાંખવા, સ્થાન - આસન, થા1 - યજ્ઞ. વન - પ્રાત:કાળ, પોપ - ઉદાતાદિ. શેષ કથન સૂઝ-૪૩૭ મુજબ જાણવું. [૪૯] કુલાદિથી ઉપજીવન - જાતિની જેમ જ કુલાદિમાં જાણવું. જેમકે - ઉગ્રાદિ કુળમાં જઈને, તેના પુત્રના આરક્ષક કર્મને પ્રશંસવું ઈત્યાદિ. • x • એ રીતે અન્યોક્તિ દ્વારા પોતાના કુળને પ્રકાશવું. એ મૂવી વડે કુળને પ્રગટ કર્યું કહેવાય. ઉમૂવી - પ્રગટપણે જ “હું અમુક કુળનો છું” એમ જણાવે. તેમાં ભદ્ર કે પ્રાંતપણાના દોષો પૂર્વવત્ જાણવા. | ગણ - અહીં સમુદાયના વાડામાં ગયેલ કોઈ એક મલને જે પૃથ્વીનો ખંડ મળેલ હોય તે મંડલ કહેવાય. ત્યાં પ્રતિહંદી મલ્લનો વિઘાત કરવા માટે પ્રવેશવું ઈત્યાદિ. યુદ્ધમાં પ્રવેશતા ચામુંડાદેવીની પ્રતિમાને નમવું, પ્રતિમલને બોલાવવા તેવું વચન બોલવું. પૃથ્વી ઉપર પાડવો આ બધી બાબતને આશ્રીને ગણને ઘેર ગયેલા સાધુ તેના પુત્રની પ્રશંસા કરીને જણાવે કે આ સાધુ મલ્લ છે. - [૪૮૦] - કર્મ અને શિલાનું આજીવન - કુળ આદિની જેમ ઉપજીવન કહેવું. અહીં સાધુ કોઈપણ રીતે પોતાનું કર્મ કે શિલા વિષયક કુશળપણું બતાવે, તે દ્વારા આજીવિકા ઉભી કરે. આ સૂવા કહેવાય. ફૂટ વચન વડે કુશળપણું કહેવું તે કૂવા. o “આજીવ’ દ્વાર કહ્યું. હવે વનપક દ્વાર કહે છે – • મૂલ-૪૮૧ થી ૪૯૩ - ૪િ૮૧) : શ્રમણ, બ્રાહ્મણ, કૃપણ, અતિથિ, પાંચમો #ન છે. પ્રાયઃ આત્માને ભકિતવાળો દેખાડીને માંગે છે, તેથી તનિપક કહેવાય. • [૪૮] - મૃતમાતાવાળા વાછરડા માફક આહારાદિના લોભથી શ્રમણાદિ પાંચને વિશે પોતાની ભક્તિ દેખાડે તે વનપક કહેવાય છે. - [૮] - નિન્જ, શાક્ય, તાપસ, શૈક, આજીવક એ પાંચ પ્રકારના શ્રમણ કહેવાય છે. તેમને ભોજન આપતી વખતે કોઈ સાધુ લોભથી પોતાને ભકતરૂપે દેખાડે. - [૪૮૪] - તે માટે ચિમકમ તિવતું ભોજન કરે. વળી દયાળુ અને દાનરુચિવાળ છે, કામમાં ગર્દભ જેવા બ્રાહ્મણોને વિશે પણ આપેલું નાશ પામતું નથી, તો પછી યતિઓમાં આપેલું નાશ ન પામે, તેમાં શું કહેવું? - [૪૮૫ - હવે તેના ઈષો કહે છે મિથ્યાત્વનું સ્થિરીકરણ. ઉદ્ગમ દોષ, સાધુ શાક્યાદિમાં ચાલી જાય, “ખુશામતીયા છે' તેવો વિવાદ થાય. વિપક્ષી થાય તો આવા કરે [૪૮૬] • બાહાણ પ્રશંસારૂપ વનીપકપણું – લોકને અનુગ્રહ કરનારા ભૂમિદેવ તેમજ બહાબંધુને વિશે પણ આપેલું દાન ઘણાં ફળવાળું થાય છે, તો ઘટકમાં તત્પર એવા તેમને વિશે તો કહેવું જ શું? - [૪૮] • કૃપણ viારૂપ વનીપકવ પૂજા વડે વશ કરાય એવા આ લોકમાં કૂપણ, દુમનવાળા, બાંધવરહિત, રોગ, કૂલા, પાંગળાને દર્શન દેનાર દાનપતા ગ્રહણ કરે છે. - [૪૮૮) અતિથિ પસંસારૂપ વનીકd - પ્રાય: લોકો ઉપકારીને, પરિચિતને ૧૩૮ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ અને આશ્રિતને દર્શન આપે છે, પણ જે માર્ગથી ખેદ પામેલા અતિથિને પૂજે છે, તે જ દાન કહેવાય. - [૪૮૯] શ્વાન પ્રશંસારૂપ વનીકપણું ગાય વગેરેને તૃણાદિ આહાર સુલભ છે, પણ છી-છી રવાપૂર્વક હણાયેલા શ્વાનોને તે સુલભ નથી. - [૪૯] - વળી આ શalનો કૈલાસ ભવનથી આવેલા ગુહ્યક દેવો યક્ષરૂપે પૃવી પર ચાલે છે, તેમની પૂજ હિતકારી છે અને અપૂજ અહિતકારી છે. [૪૧] - બ્રાહ્મણાદિ વિષયક વનીપકપણાના દોd - પ્રામાદિ વડે આવર્જન કરવા લાયક આ લોકમાં આ સાધુએ મારો ભાવ જામ્યો છે. તેથી તે પ્રત્યેકને વિશે પૂર્વોક્ત ભદ્રક અને પ્રાંતાદિ દોષો જાણવા. [૪૯] - શ્વાનના ગ્રહણથી કાકાદિની પણ સૂચના થઈ છે અથવા જે પુરુષ કાકાદિમાં આસક્ત હોય, તેની વનપકતા કરે છે. [૪૩] - પત્ર કે અગમાં અપાતું દાન નિફલ નથી, એમ બોલવામાં પણ દોષ છે, તો પછી અપગની પ્રશંસા કરનારને તો નિશ્ચે મહાદોષ લાગે. • વિવેચન-૪૮૧ થી ૪૯૩ : [૪૮૧] વનીપક પાંચ ભેદે – શ્રમણાદિ વિષયક છે. વનીક - પ્રાયઃ દાતારના માનીતા શ્રમણાદિમાં પોતાનો ભક્તિભાવ દેખાડીને પિંડની યાચના કરે છે. - [૪૮૨] - ભોજન, પત્ર, વસ્ત આદિના લોભ વડે શ્રમણાદિમાં પોતાનો ભક્તિભાવ દેખાડે તે વનપક કહેવાય છે. - [૪૮૩] - નિર્ગુન્ય - સાધુ, સાવથ - બૌદ્ધો, તાપસ-વનમાં રહેનાર, ગૈરક - પરિવ્રાજક, આજીવક - ગોશાળાના શિષ્યો. તેઓ ગૃહસ્થને ઘેર આવેલ હોય ત્યારે ભોજનદાન વખતે કોઈ આહારલંપટ સાધુ આહારાદિમાં લુબ્ધ થઈ, પોતાને શાક્યાદિની ભક્તિવાળો દેખાડે. - [૪૮૪] - કઈ રીતે વનીપકપણું દાખવે ? તે કહે છે - અહો! આ શાક્યાદિ પુજયો નિશ્ચલ રહી ભોજન કરે છે - ચિત્રમાં હોય તેવા જોવામાં આવે છે, આ પરમ કરુણાલુ અને દાનચિક છે માટે તેમને અવશ્ય ભોજન આપવું. ગર્દભની જેમ મૈથુનાસક્ત બ્રાહ્મણમાં પણ દાન નાશ પામતું નથી, તો શાક્યાદિમાં કેમ પામે ? [૪૮૫] - ઉક્ત કથનથી થતાં દોષો કહે છે – આવી શાકયાદિ પ્રશંસા વડે લોકમાં મિથ્યાત્વ સ્થિર થાય, સાધુ પણ પ્રશંસે છે તો તેમનો ધર્મ સારો જ હશે ને ? તેમના ભક્તો ભદ્રિક હોય તો સાધુ માટે પણ આધાકમદિ કરશે, લુબ્ધ બની સાધુ કદાચ વેશ પણ તજીને ત્યાં જાય, સાધુઓ ખુશામતીયા છે, તેવો પણ અવર્ણવાદ થાય. કદાચ શાક્યાદિ પ્રત્યેનીક બને તો, કાઢી પણ મૂકે. [૪૮૬] - હવે બ્રાહ્મણાદિની પ્રશંસારૂપ વનીપકપણું કહે છે – પિંડદાનાદિ ક્રિયા વડે લોકોપકારી, ભૂદેવ સમાન કે જાતિમાત્રથી પણ બ્રાહ્મણને અપાતું દાન બહું ફળવાળું થાય છે તો પછી યજ્ઞન્યાગાદિમાં તત્પર બ્રાહ્મણને અપાતું દાન તો ફળદાયી થાય જ. • [૪૮] - લોક પૂજા વડે આવય-વશ કરાય તે પૂજાહાર્ય - પૂજિતને પૂજનાર છે. પણ કોઈ કૃષણાદિને દાન આપતો નથી. કૃપણ, ઈષ્ટજનના વિયોગાદિથી દુ:ખી મનવાળા, બાંઘવરહિત ઈત્યાદિમાં - x • દાન દેતો પુરુષ આ લોકમાં Page #79 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૪૮૧ થી ૪૯૩ ૧૩૯ દાનપતાકાદિને ગ્રહણ કરે છે. • [૪૮૮] - અહીં પ્રાયઃ કરીને લોકો ઉપકારી કે પરિચિતો કે આશ્રિતોને વિશે જ ભોજનાદિનું દાન આપે છે. પરંતુ જે માર્ગથી ખેદ પામેલા અતિથિને પૂજે છે, તે જ દાન જગતમાં પ્રધાન છે. [૪૮૯,૪©] શ્વાન ભક્તો પાસે શુનકની પ્રશંસારૂપ વનીપકપણું કરતો સાધુ કહે છે – શ્વાનોને જે અપાય છે તે ઘણાં ફળવાળું છે ઈત્યાદિ ગાથાર્થ મુજબ જાણવું. [૪૯૧] બ્રાહ્મણાદિ વિષયક વનીપકપણાને વિશે દોષો - નમવા અને દાનાદિ વડે આવર્જન કરવા લાયક એવા બ્રાહ્મણાદિ પ્રત્યેકનું વનીપકવ કરવામાં પૂર્વે કહેલા ભદ્રક-પ્રાંતાદિ દોષો વિચારવા. જો ભદ્રક હશે તો પ્રશંસા વચનથી આધાકમદિ આહાર આપશે. જો પ્રાંત-અધર્મી હશે તો ઘેરથી કાઢી મૂકવા વગેરે દોષો આવશે. - [૪૯૨) : શાનનું પ્રહણ એ કાગડા આદિનું ઉપલક્ષણ છે, તેથી તેની પણ વનીપકતા કહે છે - સાધુ તે કાક આદિના પૂજારીપણે આસક્ત પાસે પોતાને તેના ભક્તરૂપે દેખાડે છે. [૪૯]] વનીપકપણું કરનાર સાધુની દોષ બહુલતા - અપાઝદાનની પગદાનના જેવી પ્રશંસા કરવાથી સમકિતમાં અતિચાર સંભવે છે, તો પછી અપાત્રોની સાક્ષાત્ પ્રશંસા કરનારનું શું કહેવું? તેમાં નિશે મહાદોષ લાગે છે. આ પ્રમાણે વનીપક દ્વાર કહ્યું, હવે ચિકિત્સાહાર કહે છે – • મૂલ-૪૯૪ થી ૪૯૮ : [૪૯] સાધુ બોલે કે - હું તૈધ નથી, અથવા પોતાના રોગની ક્રિયા કહે અથવા તો વૈધપણાએ કરીને ચિાિ કરે, એમ ત્રણ પ્રકારે ચિકિત્સા જાણવી. - [૪૯૫ - ભિક્ષાદિ માટે ગયેલ સાધુ રોગી પૂછે ત્યારે બોલે કે – “શું હું વૈધ છું ?” આમ કહીને અથfપતિથી અબુધને બોધ કર્યો. - [૪૯૬] - આવું જ મારું દુઃખ અમુક ઔષધ વડે નાશ પામેલું હતું. અથવા અકસ્માત ઉત્પન્ન થયેલ રોગને અમે અમાદિથી નિવારીએ છીએ. - [૪૯] - આગતુક અને ધાતુના ભવાળા વ્યાધિમાં જે કિયાને કરે છે. તે આ પ્રમાણે સંશોધન, સંશમન અને નિદાનનું વજેવું છે. - [૪૯૮] આ રીતે ચિકિત્સાથી અસંયમયોગનું નિરંતર પ્રવર્તન, ગૃહસ્થ અયોગોલક સમાન હોવાથી કાયવધ થાય. તેમાં દુર્બળ વાઘનું ઉદાહરણ છે. અતિરોગનો ઉદય થાય તો ગ્રહણ અને ઉદાહ થાય. • વિવેચન-૪૯૪ થી ૪૮ : [૪૯૪] - વિ - રોગનો પ્રતિકાર કે રોગના પ્રતિકારનો ઉપદેશ. સાધુને આશ્રીને ચિકિત્સા ત્રણ ભેદે છે – (૧) શું હું વૈધ છું ? આમ કહીને વૈધ પાસે જવાનું પરોક્ષ સૂચન કરી દીધું તે એક ચિકિત્સા. (૨) મને આમ થયું, ત્યારે મેં અમુક ઔષધ લીધેલું. (૩) વૈધપણે સાક્ષાત્ ચિકિત્સા કરે. પહેલી બે સૂક્ષ્મ છે, બીજી બાદર છે. - [૪૯૫ - પૂર્વે કહ્યા મુજબ - શું હું વૈધ છું ? કહીને વૈધ પાસે જવું જોઈએ તેવો બોધ કરે. [૪૯૬] - અમુક ઔષધથી મારું દુઃખ નાશ પામેલ અથવા અમે અક્રમાદિ તપથી રોગ નિવારીએ તેમ કહેવુ. - [૪૯૭] આગંતુક અને ધાતુના ક્ષોભથી ૧૪૦ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ રોગ ઉત્પન્ન થતાં તેમાં જે ક્રિયાને કરે છે, તે આ પ્રમાણે - (૧) હરડે આદિ આપવા વડે સંશોધન. (૨) પિત્ત આદિનું ઉપશમન, (૩) રોગના કારણનું વર્જન કરવું. [૪૯૮] ચિકિત્સા કરવામાં થતા દોષ બતાવે છે - તેનાથી સાવધ વ્યાપારોનું નિરંતર પ્રવર્તન થાય છે કેમકે ગૃહસ્થો તપેલા લોઢાના ગોળા જેવા છે, નીરોગી થયેલો તે ચાવજીવ છકાયનો વધ કરે છે. તેથી ચિકિત્સાકરણ નિરંતરપણે અસંયમ યોગોનું કારણ છે. દુર્બળ વાઘ - અટવીમાં અંધપણાને લીધે ભક્ષ્યને ન પામતો વાઘ હતો. કોઈએ ચિકિત્સા દ્વારા તેને દેખતો કર્યો. તેણે પહેલા તો વૈધને જ મારી નાંખ્યો, પછી ઘણાં જીવોનો નાશ કર્યો. એ રીતે ચિકિત્સા પામેલ ગૃહસ્થ સાધના સંયમ પ્રાણોને હણે છે. પછી પૃવીકાયાદિને હણે છે. જો રોગ વધી જાય તો, સાધુને રાજકુળે પકડાવી દે છે, તેનાથી પ્રવચન માલિન્ય થાય છે. ચિકિત્સા દ્વાર કહ્યું. હવે ક્રોધાદિ ચાર દ્વારોને કહે છે – • મૂલ-૪૯૯ થી પ૦૨ - [૪૯૯] - હસ્તકલ્પ, ગિરિપુષેિત, રાજગૃહ, ચંપા • • • કરેલા ઘેવર, સેવ, મોદક, સિંહકેસર આ ચારે ક્રોધાદિ ઉત્પત્તિના કારણો છે. [ષool - સાધુના વિધા અને તપના પ્રભાવને અથવા રાજકુળમાં વલ્લભપણાને અથવા છાતીના બળને જાણી, તે સાધુને જે પિંડ પ્રાપ્ત થાય તે ક્રોધ પિંડ જાણવો. - [૫૧] • અથવા બીજાને દેવાતા પિંડની યાચના કરતો સાધુ ઓ ન પામવાથી લધિરહિત હોવાથી કોપ કરે, ત્યારે ગૃહસ્થ ક્રોધાનું ફળ દીઠેલું હોવાથી તેની પાસેથી જે પિંડ, સાધુ પામે તે કોપિંડ કહેવાય. - [પ૦૨] • મૃતકના ભોજનને આશ્રીને દષ્ટાંત છે, વિવેચનથી અર્થ જાણવા. • વિવેચન-૪૯ થી ૫૦૨ - [૪૯૯] ક્રોધપિંડના દેટાંતનું નગર હસ્તક, માનપિંડનું બિસ્પિણિત, માયાપિંડનું રાજગૃહ, લોભપિંડનું ચંપા જાણવું તથા કરેલા ઘેબર ન પામનાર સાધુને ક્રોધ ઉત્પન્ન થયો, એ રીતે સેવથી માન, લાડુથી માયા અને સિંહકેસરા લાડુથી લોભોત્પત્તિ થઈ. હવે ક્રોધપિંડ - [૫૦૦] સાધુના પોતાના ઉચ્ચાટન, મારણાદિ વિધાના પ્રભાવને, શાપ દેવો આદિ તપના પ્રભાવને, રાજકુળમાં વલ્લભપણાને કે સહસ્ર યોધિત્વ બળને જાણીને જે આહાર ગૃહસ્થ આપે તે ક્રોધપિંડ છે - અથવા -- [૫૧] - બ્રાહ્મણાદિને આહાર અપાતા સાધુ યાચના કરવા છતાં પિંડને પામે નહીં, ત્યારે લબ્ધિરહિત થઈ કોપ કરે, “સાધ કોપે તે સારું નહીં" માની ગૃહસ્થ આહાર આપે તે કોધપિંડ અથવા ક્રોધિત મુનિએ આપેલા શ્રાપને સફળ થતાં જોઈને ગૃહસ્થ આહાર આપે તે ક્રોઘપિંડ. [૫૦૨] દષ્ટાંત - હસ્તકલા નગરમાં કોઈ બ્રાહ્મણને ઘેર કોઈ મરેલાનું માસિકભોજન અપાતું હતું. માસક્ષમણના પારણે કોઈ સાધુ ભિક્ષાર્થે આવ્યા. ઘેબર બ્રાહ્મણોને અપાતા જોયા, દ્વારપાળે સાધુને ન જવા દીધા. તે કોપ પામીને બોલ્યા Page #80 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૪૯૯ થી ૫૨ ૧૪૧ ૧૪૨ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ કોઈ બીજાની માસિક તિથિમાં આપજો દૈવયોગે ત્યાં કોઈ મરી ગયું. પૂર્વવત માસક્ષમણના પારણે સાધુ ગયા, દ્વારપાળે નિષેધ કર્યો. ફરી કોપ પામી સાધુ બોલ્યા - ફરી કોઈ બીજાના માસિકમાં આપજો. ફરી ત્યાં કોઈ મરણ પામ્યું. ત્રીજી વખત પણ સાધુએ શ્રાપ આપ્યો. દ્વારપાળે ગૃહનાયકને નિવેદન કર્યું. તેણે આદર સહિત વહોરાવ્યું. આ પ્રમાણે ક્રોધ પિંડ કહ્યો, હવે માનપિંડ વિશે કહે છે – • મૂલ-૫૦૩ થી ૫૧૧ - [ષos] બીજાએ ઉત્સાહ પમાડેલો કે લબ્ધિ અને પ્રશંસા વડે ગર્વિત થયેલો અથવા બીજાએ અપમાન કરેલો સાધુ જે પિંડની એષણા કરે તે માનપિs કહેવાય. [૫૦૪ થી ૫૧૧-પૂવદ્ધિ] આટલી ગાથાઓમાં માનપિંડનું ષ્ટાંત છે, તેને વિવેચનથી ગણવું. [૫૧૧-ઉત્તરદ્ધ] આવો માનપિંડ લેવાથી બેમાંથી એકને . પહેલ થાય, આત્માની વિપત્તિ થાય, શાસનનો ઉદ્દાહ થાય છે. વિવેચન-૫૦૩ થી ૫૧૧ - [૫૩] બીજા સાધુઓ વડે - “તું જ આ કાર્ય કરવા સમર્થ છે” એમ ઉત્કર્ષ પમાડેલો અથવા લબ્ધિ અને પ્રશંસા વડે ગર્વિત થયેલો - “હું જ્યાં પણ જઉં, ત્યાં સર્વ સ્થાને મને લાભ મળે.” ઈત્યાદિ અથવા “તારા વડે કશું નહીં થાય" એ પ્રમાણે બીજા દ્વારા અપમાન કરાયેલો સાધુ અહંકાર વશ થઈ, પિંડની જે એષણા કરે છે, તે માનપિંડ કહેવાય છે. [૫૦૪ થી ૫૧૧-પૂર્વાદ્ધ] માનપિંડમાં ક્ષુલ્લકનું દૃષ્ટાંત : ગિરિપુષિત નામે નગરમાં સિંહ નામે આચાર્ય પરિવાર સહ આવ્યા. કોઈ દિને તે નગરમાં સેવાક્કિ (સેવ]નો ઉત્સવ થયો. સૂત્રપોરિસિ બાદ એક સ્થાને યુવાના સાધુનો સમુદાય મળ્યો. પરસ્પર ઉલ્લાપ થયો. કોઈ સાધુ બોલ્યા - બધાં માટે સવારમાં કયો સાધુ સેવ લાવશે ? ગુણચંદ્ર નામે ક્ષુલ્લકે કહ્યું કે હું લાવીશ. તેઓ બોલ્યા – જો સેવ બધાં સાધુને પૂર્ણ ન થાય કે ઘી-ગોળ રહિત હોય તો તેનું કંઈ પ્રયોજન નથી. ક્ષુલ્લક સાધુએ કહ્યું - તમે ઈચ્છો છો તેવી લાવીશ. નંદીપાત્ર લઈ ભિક્ષાર્થે નીકળ્યા. તેઓ કોઈ કૌટુંબિકને ઘેર ગયા. ત્યાં સેવ, ઘી, ગોળ તૈયાર જોયા. અનેક ચાટુ વચનથી સુલોચના નામે કૌટુંબિકની ભર્યા પાસે યાચના કરી. પણ તેણીએ સર્વથા નિષેધ કરી દીધો. ત્યારે અમર્ષ પામેલા ક્ષુલ્લક સાધુએ કહ્યું હું તે અવશ્ય ગ્રહણ કરીશ, તારું નાક કાપીશ. બહાર નીકળી પૃચ્છા કરી કે આ ઘર કોનું છે ? વિભુમિરનું છે. સાધુએ સભા મળે જઈને પૂછ્યું કે તમારામાં વિષ્ણમિત્ર કોણ છે ? મારે તેની પાસે કંઈક યાચના કરવાની છે. ત્યારે સભાજનો બોલ્યા, કૃપણ છે, કંઈ નહીં આપે, અમારી પાસે માંગો. વિષ્ણુમિને અપમાનથી બચવા કહ્યું કે - બોલો, બોલો આપને શું જોઈએ છે? સાધુએ કહ્યું કે સ્ત્રીને આધીને એવા છ પુરુષોમાંનો તું ન હો તો યાચના કરું. બધાં બોલ્યા - કહો કહો - એવા સ્ત્રીમુખા છ પુરુષો કોણ છે ? (૧) શ્વેતાંગુલિ - કોઈ ગામમાં કોઈ પુરુષ પોતાની પત્નીની ઈચ્છા મુજબ વર્તનારો હતો. ભુખ્યો થવાથી સવારે પત્ની પાસે ભોજન માંગે છે. તેણી બોલી - તમે જાતે જ ચૂલામાંથી રાખ કાઢો, અગ્નિ નાંખો, ઇંધણથી સળગાવો, ચૂલા ઉપર તપેલી મૂકો યાવત્ રસોઈ કરીને મને કહો, એટલે હું તમને પીરસુ. રોજ તેમ કરવાથી તેની આંગળી શેત થઈ જવાથી લોકો તેને શેતાંગુલિ કહે છે. (૨) બકોવૃયક - કોઈ ગામમાં કોઈ પુરુષ પોતાની પત્નીના મુખનાં દર્શનરૂપ સુખમાં લંપટ હતો. તેથી તેણીની આજ્ઞામાં વર્તતો હતો. કોઈ વખતે તેણીએ તળાવમાંથી પાણી ભરી લાવવા કહ્યું, પત્નીની આજ્ઞાને દેવાજ્ઞા માની શિરોધાર્ય કરી, લોકો ન જુએ તે માટે રાત્રિના છેલ્લા પ્રહરે હંમેશાં તળાવમાંથી પાણી ભરે છે. તેના પગના સંચાર અને ઘડો ભરવાના અવાજથી બગલા ઉડી જવા લાગ્યા. તેથી લોકો તેને બકોણયક કહેવા લાગ્યા. (3) કિંકર - કોઈ ગામમાં કોઈ પુરષ, પત્નીના સ્તન, જઘનાદિના સ્પર્શમાં લંપટ હોવાથી પત્નીની ઈચ્છા પ્રમાણે વર્તતો હતો. તે સવારમાં ઉઠીને હાથ જોડીને પત્નીને પૂછે કે – “હે પ્રિયે ! હું શું કરું ?" તેની પત્ની તેને જે-જે આદેશ આપે તેમ કર્યા કરતો. ત્યાં સુધી કે તેની પત્ની તેણીના પગ ધોવાનું કહે, તો તે પણ ધોઈ દેતો. તેથી લોકો તેને ‘કિંકર' કહેતા હતા. (૪) નાયક • કોઈ ગામમાં કોઈ પુરુષ પનીની આજ્ઞામાં રહેતો હતો. કોઈ દિવસે પત્નીને કહ્યું – હું સ્નાન કરવાને ઈચ્છું છું” તેણી બોલી- આમળાને શિલા ઉપર વાટો, ખાનની પોતડી પહેરો, તેલ વડે શરીરને માલીશ કરો, ઘડો હાથમાં લ્યો, તળાવે સ્નાન કરીને જળથી ભરીને અહીં લાવો. હંમેશાં તેમ કરવા લાગ્યો. લોકોએ તેનું નામ નાયક કર્યું. (૫) વૃધ ઈવ રિખી - કોઈ ગામમાં કોઈ પરપ પનીના આદેશ મુજબ કાર્ય કરતો હતો. તે સ્ત્રી સોઈ કરવા બેઠી, તેણે પત્ની પાસે ભોજન માંગ્યું, તેણી બોલી - મારી પાસે થાળી લઈને આવો. ભોજન આપ્યું, તેણી બોલી ભોજન સ્થાને જઈને જમો. આ રીતે તે રોજ ગીધની જેમ ઉભડક પગે ઠેકતો - ઠેકતો હાથમાં થાળ લઈને આવે-જાય છે. તેથી લોકોએ આવું નામ રાખ્યું. (૬) હદજ્ઞ - કોઈ ગામમાં પત્નીનું મુખ જોવામાં લંપટ પુરષ તેણીની આજ્ઞામાં વર્તતો હતો. તેને એક પુત્ર થયો. તે બાળક વિટાદિ કરે ત્યારે, તે પત્નીની આજ્ઞાથી તેને પખાળે છે. હદનને પખાળતો હોવાથી હદજ્ઞ કહેવાયો. ક્ષુલ્લકે આ કથા કહેતા બધાં અટ્ટહાસ્ય કરતાં બોલ્યા કે – હે સાધુ ! આ વિષ્ણુ મિત્ર તો છ એ પુરુષોના ગુણ ધરાવે છે. તેથી સ્ત્રીમુખા એવા આની પાસે કંઈ માંગશો નહીં. વિષ્ણમિત્ર કહે ના-ના હું તેવો નથી. માંગો તે આપું. લકે સેવઘી-ગોળ માંગ્યા. ઘેર લઈ ગયો. પત્નીને કોઈ બહાને માળીયે ચડાવી દીધી, પછી Page #81 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૫૦૩ થી ૫૧૧ ૧૪3 સીડી ખેંચી લીધી. ક્ષલ્લકને પણ ભરીને સેવ-ઘી-ગોળ આપ્યા. તેણે સુલોચના સામે જોઈને નાક ઉપર આંગળી ફેરવી નિશાની કરી. પછી પાત્ર ભરીને પોતાની વસતિમાં ગયો. [૫૧૧-ઉત્તરાદ્ધ) આવો માનપિંડ ગ્રહણ ન કરવો. કેમકે તેનાથી બંને દંપતિને હેપ થાય, તદ્રવ્ય અને અન્ય દ્રવ્યનો વિચ્છેદ થાય. અપમાનિત થયેલી તે સ્ત્રી પોતાનું મરણ કરે, પ્રવચનનું માલિન્ય થાય. માનપિંડનું દષ્ટાંત કહ્યું, હવે માયાપિંડને કહે છે – • મૂલ-૫૧૨ થી ૫૧૮ :અષાઢાભૂતિનું દેetત છે. ગાથાર્થ વિવેચનમાં સમાવિષ્ટ છે. • વિવેચન-૫૧૨ થી ૫૧૮ : રાજગૃહી નામે નગર હતું. ત્યાં સિંહરી નામે રાજા હતો. તે નગરે વિશ્વકર્મા નામે નટ હતો. તેને બે પુત્રી હતી. બંને અતિ સુંદર અને રૂપશ્રેષ્ઠ હતી. અભુત મુખ કાંતિ, કમલયુગલ જેવા નેત્રો, પુષ્ટ-ઉંચા અને આંતરરહિત એવા સ્તનયુગલ વાળી ઈત્યાદિ - X - X - થી સર્વાગ સુંદર હતી. ત્યાં વિહાર કરતા ધર્મરુચિ આચાર્ય પધાર્યા. તેમને અષાઢાભૂતિ નામે બુદ્ધિનિધાન શિષ્ય હતા. ભિક્ષાર્થે અટન કરતાં વિશ્વકમ નટના ઘરમાં પ્રવેશ્યા. તેને શ્રેષ્ઠ મોદક મળ્યો. બહાર નીકળી વિચાર્યું કે - મોદક તો આચાર્ય મહારાજનો થશે. રૂપ પરાવર્તન કરી બીજો મોદક માંગુ. કાણાનું રૂપ કરી ફરી તે ઘેર જઈ બીજો મોદક પ્રાપ્ત કર્યો. આ તો ઉપાધ્યાયનો થશે. કુન્જના રૂપે જઈ બીજો મોદક પ્રાપ્ત કર્યો. આ મોદક બીજા સંઘાટક સાધનો થશે. કુટીનું રૂપ કરી ચોથો મોદક પ્રાપ્ત કર્યો. વિશ્વકમ નટ ઉપર બેઠા બેઠા બધું જોતો હતો. તેણે વિચાર્યું કે- આ અમારા મધ્ય ઉત્તમ નટ થઈ શકે છે. માળેથી ઉતર્યો, આદરપૂર્વક અષાઢા ભૂતિને બોલાવી, તેનું પણ મોદકથી ભરી દીધું. વિનંતી કરી કે - આપ હંમેશાં અહીં આહારાર્થે પધાજો. અષાઢાભૂતિ ગયા. વિશ્વકમાં નટે સાધુના રૂપ પરાવર્તનની વાત કરી, પુત્રીઓને કહ્યું કે - દાન આપી, પ્રીતિ દેખાડી તમે આ સાધુને વશ કરી લો. અષાઢાભૂતિ રોજ તેમને ત્યાં આવે છે, બંને નટ કન્યા તે પ્રમાણે ઉપચાર કરે છે. સાધુને અત્યંત રાગવાળા જાણીને, એકાંતમાં લઈ જોઈ નટ કન્યા બોલી - તમે અમને પરણીને ભોગવો, અમે તમારા વિના રહી શકતી નથી. અષાઢા ભૂતિનું ચારિત્રાવરણ કર્મ ઉદયમાં આવ્યું. વિવેક જતો રહ્યો. કુળજાતિનો મદ જતો રહ્યો. નાટકન્યાની વાત સ્વીકારી. ગુરુ પાસે સાધુવેશ મૂકવા ચાલ્યા. ગુરુને નમીને સ્વ-અભિપાય કહ્યો. ગુરુએ ઘણાં વાર્તા, શાસ્ત્રવચનો કહ્યા. આષાઢાભૂતિ બોલ્યા - આપ સર્વથા સત્ય છો, પણ તેવા કર્મોના ઉદયથી હું રહી શકતો નથી. ગુરુને વાંદીને રજોહરણ પાછું સોંપ્યું. પણ ગુરુને પીઠ દેખાડવી તે અવિવેક સમજી ૧૪૪ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ પાછા પગે ચાલતો વસતિની બહાર નીકળ્યો. વિશ્વકર્માતટને ઘેર આવ્યો. નટપુનીઓએ સાદર તેને અનિમેષનયને જોયો, અષાઢાભૂતિનું આશ્ચર્યકારી રૂપ જોયું. સવાંગ સંપૂર્ણ એવા તેના પૌરષત્વને જોઈને આધીન થઈ. વિશ્ચકમએિ બંને કન્યા તેમને પરણાવી. વિશ્વકર્માએ બંને પુત્રીને કહ્યું કે – જે આવી અવસ્થા પામ્યા પછી પણ ગુરુપાદનું સ્મરણ કરે છે, તેથી તે અવશ્ય ઉત્તમ પ્રકૃતિવાળો છે. તેથી આના ચિત્તને વશ કરવા તમારે નિરંતર મદિરાપાન કર્યા વિના જ રહેવું. અન્યથા તે વિકત થઈને ચાલ્યો જશે. અષાઢાભૂતિ કુશળ હોવાથી તે નટોનો અગ્રણી થયો. સર્વ રથાને ઘણું દ્રવ્ય, વસ્ત્ર, આભરણો મેળવે છે. કોઈ દિવસે નટી શૂન્ય નાટક ભજવવાનું હતું. બઘાં પોત-પોતાની સ્ત્રીને ઘેર મૂકીને રાજકુળે આવ્યા. અષાઢાભૂતિની બંને ભાય તે દિવસે ખૂબ દારૂ પીને ચેતના રહિત અને વઅરહિત થઈ ભૂમિ ઉપર પડેલી હતી. રાજાએ નિષેધ કરતાં બધાં નટો ઘેર ગયા. અષાઢાભૂતિએ આવીને બંને પની, બીભત્સરૂપે નગ્ન પડેલી જોઈ. અષાઢાભૂતિને તુરંત મોહ ઉતરી ગયો અને ચારિત્રની રુચિ થઈ, ઘરમાંથી બહાર નીકળી ગયો. વિશ્વકમએિ અષાઢાભૂતિના ઇંગિતાકારાદિથી જાણ્યું કે આ નક્કી વિરક્ત થઈને જાય છે. તેની પુત્રીઓને ઉઠાડી ધમકાવી, તેને પાછો વાળો, ન વાળી શકતી હો તો આજીવિકા માંગો. બંને પનીઓ દોડી, અષાઢા ભૂતિએ માત્ર દાક્ષિણ્યતાથી આજીવિકા માટે અનુમતિ આપી. પછી તેણે ભરતચક્રવર્તીના ચઅિને પ્રગટ કરતું રાષ્ટ્રપાળ નામે નાટક બનાવ્યું. રાજા પાસેથી ૫૦૦ રજનો અને આભુષણાદિ માંગ્યા. અષાઢાભૂતિ પોતે ભરત ચક્રવર્તી થયો. રાજપુત્રોને યથાયોગ્ય સામંતાદિરૂપે તૈયાર કર્યા. ચક્રવર્તીની બધી જ ઋદ્ધિ સમૃદ્ધિ વિકુર્તી, છેક અરિસાભવનમાં ભરત ચકીને કેવળજ્ઞાન થયું ત્યાં સુધી ભજવ્યું. રાજાએ અને લોકોએ પુષ્કળ આભરણાદિ આપ્યા. પણ ૫૦૦ રાજપુર સહિત અષાઢાભૂતિ ધર્મલાભ દઈને ચાલ્યા. રાજાને થયું આ શું? તેણે કહ્યું ભરતકી પાછા ફરેલા કે હું કરું? ફરી ગુરુ પાસે જઈ દીક્ષા લીધી. આ રીતે માયાપિંડ ન સેવવો, છતાં ગ્લાન, ક્ષપક, પ્રાથૂર્ણક અને સ્થવિરદિનો નિભાવ ન થતો હોય તો માયાપિંડ ગ્રહણ કરવો. માયાપિંડ કહ્યો. હવે લોભપિંડ કહે છે – • મૂલ-પ૧૯ થી પર૧ - [૫૧] - આજે હું અમુક વસ્તુ ગ્રહણ કરીશ એમ ધારી પ્રાપ્ત થતી એવી પણ બીજી વજી ગ્રહણ ન કરે, તે લોભપિંડ. અથવા આ સારા સવાળું છે એમ જાણીને નિષ્ણાદિ ગ્રહણ કરે તે લોભપિંડ. [પર૦,૫૧] આ વિષયમાં સિંહ કેસરા મોદક વિષયક ષ્ટાંત છે, તેનો ગાથાર્થ વિવેચનમાં સમાયેલ છે. • વિવેચન-૫૧૯ થી પર૧ - - આજે હં સિંકેસરીયા મોદકાદિને ગ્રહણ કરીશ, એવી બુદ્ધિથી વાલ, ચણાદિ મળે તો પણ ન લે પણ ઈણિતને જ ગ્રહણ કરવા તે લોભપિંડ છે. અથવા લાપસી Page #82 -------------------------------------------------------------------------- ________________ મૂલ-પ૧૯ થી પર૧ ૧૪૫ આદિને ઘણાં ગ્રહણ કરે તે લોભપિંડ. ચંપાનગરીમાં સુવ્રત સાધુ હતા. કોઈ દિવસે નગરમાં મોદકનો ઉત્સવ થયો. તે દિવસે સવત સાધુને થયું કે – આજે મારે સિંહકેસરામોદક જ ગ્રહણ કરવા. ભિક્ષા લેવા ચાલ્યો. અઢી પ્રહર સુધી મોદક માટે ભટકયો મોદક ન મળવાથી તે નટયિત થયો. ‘ધર્મલાભને બદલે જેના ઘેર જાય ત્યાં તે ‘સિંહકેસરા' બોલે છે. તે પ્રમાણે ભમતા રાત્રે બે પ્રહર ગયા. કોઈ શ્રાવકના ઘેર ‘સિંહકેસરા' બોલતા પ્રવેશ કર્યો. શ્રાવક ગીતાર્થ અને ડાહ્યો હતો. તે સમજી ગયો કે સિંહકેસસલાડુ ન મળવાથી આ નષ્ટયિત થયા છે, તેથી તેણે સિંહ કેસરાનું ભરેલ પાત્ર મૂકી દીધું. લો ! ગ્રહણ કરો. તે ગ્રહણ કર્યા પછી સુવત સાધુનું ચિત્ત સ્વસ્થ થયું. પછી શ્રાવકે કહ્યું - ભગવદ્ ! આજે મેં પુરિમäનું પ્રત્યાખ્યાન કરેલ છે, તેનો સમય થયો કે નહીં ? ત્યારે સુવ્રત સાધુએ ઉપયોગપૂર્વક આકાશમાં જોયું, તારા સમૂહ જોઈ મધ્યરાત્રિ થયાનો ખ્યાલ આવ્યો. પોતાના જીવિત ઉપર ધિક્કાર છુટ્યો. શ્રાવકના ગુણને પ્રશંસતો અને પોતાને નિંદતો વિધિપૂર્વક મોદક પરઠવે છે. ધ્યાનાગ્નિ પ્રજવલિત થયો. ક્ષણવારમાં બધાં ઘાતિકર્મો બાળીને કેવળજ્ઞાન પામ્યા. આ લોભપિંડ કહ્યો. હવે સંતવદ્વાર કહે છે – • મૂલ-પ૨૨ થી પ૩૧ - [પર સંતવ બે ભેદે છે - સંબંધી સંસ્તવ, વચન સંતવ. તે દરેકના બે ભેદ છે - પૂર્વ અને પશ્ચાતું. [૫૩] - માતાપિતાદિ પૂર્વ સંસ્તવ છે અને સાસુ-સસરાદિ પશ્ચાત્ સંતવ છે. તેમાં સાધુ ગૃહસ્થ સાથે પૂર્વ કે પશ્ચાત્ સંસ્તવના સંબંધને કરે. - [પર૪] - કેવી રીતે પરિચય કરે? પોતાની વય અને પરની વય જાણીને તેને યોગ્ય સંબંધ દેખાડે, કે – મારી માતા આવી હતી કે બહેન કે પુત્રી કે પૌત્રી આવી હતી. [૫૫] - પૂર્વરૂપ સંબંધી સંતવ :- કોઈ સાધુ સાધીરજ વડે નેત્રમાં અક્ષ લાવે, પૂછતા કહે કે - મારી માતા આવી જ હતી, ત્યારે તે રતનક્ષેપ કરે, પરસ્પર સંબંધ થાય, વિધવા નુષાદિનું દાન કરે. - [૨૬] - પશ્ચાત્ સંતાવના આ દોષો - “આ મારી સાસુ જેવી છે' કહેતા વિધવાદિ પુત્રીનું દાન કરે ‘આવી મારી ભાય હતી’ કહેવાથી તત્કાળ ઘાત કે વ્રતભંગ થાય. અસાધારણ દોષ કહી હવે સાધારણ દોષ કહે છે - [] - આ માયાવી અને ચાટુકારી સાધુ અમને વશ કરે છે, એમ નિંદા કરે છે તે અધમ હોય તો કાઢી મૂકે, ભદ્રિક હોય તો પ્રતિબંધ થાય. * [ષર • પૂરૂષ વચન સંતવ :- પહેલાં છતા કે અછતા ગુણસંસ્તવ વડે જે સાધુ દાના કયાં પહેલાં દાતાની સ્તુતિ કરે તે પૂર્વ સંસાવ કહેવાય. - [૨૯] - તે જ આ છે કે - જેના ગુણો દશે દિશામાં ન નિવાર્યા છતાં પ્રસરે છે, અન્યથા કથામાં અમે સાંભળ્યા છે, તે અત્યારે અમે પ્રત્યક્ષ તમને જોયા છે . [૫૩] ભોજનાદિ [35/10]. ૧૪૬ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ આપ્યા પછી છતા કે અછતાં ગુણોની સ્તુતિ વડે દાતાની સ્તુતિ કરાય, તે પશ્ચાત સંજીવ કહેવાય છે. - [૩૧] - આજે તમે મારા ચક્ષુ નિર્મળ કર્યા. તમારા યથાર્થગુણો સબ વિસ્તાર પામેલા છે, પહેલાં મને શંકા હતી. હવે મારું મન નિઃશંક થયું છે. • વિવેચન-પ૨૨ થી ૫૩૧ : [૫૨૨] સંતવ બે ભેદે - પરિચય રૂ૫, ગ્લાધારૂપ. પરિચયરૂપ તે સંબંધી સંતવ અને પ્લાધારૂપ તે વચન સંતવ. તે પ્રત્યેક પણ બબ્બે ભેદે છે. પૂર્વસંતવ, પશ્ચાસંસ્વ. બંને પ્રકારના સંબંધી સંતવ કહે છે – પિ૨૩] માતાપિતાદિ રૂપ પરિચય તે પૂર્વ સંતવ. સાસુ-સસરાદિ તે પશ્ચાત્ સંસ્તવસાધુ પરિચય ઘટનાને પૂર્વ કે પશ્ચાતુ કાળમાં સાંકળે. [૫૨૪] પરિચય કેવી રીતે કરે ? સાધુ આહાર લંપટાવથી પોતાની અને બીજાની વય અનુસાર સંબંધ બતાવે. જેમકે તે વયોવૃદ્ધા હોય તો ત્યાં “મારી માતા આવી હતી” તેમ કહે. ઈત્યાદિ • x - પૂર્વરૂપ સંબંધી સંસ્તવ : (પર૫] ગૃહસ્થને ઘેર ભિક્ષાર્થે પ્રવેશી પોતાની માતા જેવી કોઈક સ્ત્રીને જોઈને આહારના લંપટપણાથી કપટ કરી આંખમાં અશ્રુ લાવી દે. તે સ્ત્રી પૂછે, ત્યારે કહે - મારી માતા તમારા જેવી જ હતી. તેના દોષો કહે છે - તે સ્ત્રી માતૃત્વ દેખાડવા સાધુના મુખમાં સ્તનને મૂકે. પરસ્પર સ્નેહ સંબંધ થાય. વિધવા પુત્રવધૂ આદિનું દાન કરે દાસી વગેરેનું પણ દાન કરે. આ પૂર્વસંસ્તવનું દૃષ્ટાંત કહ્યું. એ પ્રમાણે પશ્ચાત્ સંસ્તવ સંબંધી દષ્ટાંત જાણવું, તેના દોષો કહે છે - [૨૬] મારી સાસુ આવી હતી કહેતા તે સ્ત્રી પોતાની પુત્રીનું દાન કરે. “મારી પત્ની આવી હતી’ એમ કહે તેથી કોઈ ઈર્ષ્યાળુ પતિ સાધુનો ઘાત કરે. જો તેણીનો પતિ સમીપ ન હોય તો “આણે મને પત્ની કરી” એમ વિચારી ઉન્મત્ત થઈ તે સ્ત્રી પત્નીપણે વર્તે તો સાધુનો વ્રત ભંગ થાય. | [૫૨] આ માયાવી સાધુ અમને વશ કરવા માટે ખુશામત કરે છે, એવી નિંદા થાય. ભિખારી જેવી માતા-પિતાની કલાનાથી અમારી અપભાજના કરે છે, એમ વિચારી ઘરમાંથી કાઢી મૂકે. જો શ્રાવકો ભદ્રિક હોય તો સાધુ ઉપર પ્રતિબંધ - આસક્તિ થાય, આધાકર્માદિ આહાર આપે છે.. [૫૨૮] ઔદાર્ય આદિ ગુણો, તેમનો જે પ્રશંસારૂપ વચનસમૂહ સત્ય કે અસત્ય હોય તેનાથી ભોજનાદિ પૂર્વે જ દાતાની સ્તુતિ કરે. [૫૨૯] સુગમ છે. હવે પશ્ચાત્ વચન સંતવ કહે છે – [૫૩] ભોજનાદિ આપ્યા પછી દાતાને સત્ય કે અસત્ય રૂપે ગુણ પરિચય કહેવા વડે જે સાધુ સ્તુતિ કરે છે. [૩૧] જેમકે - વાહ ! તમારા દર્શન થયા, અમારા તેનો નિર્મળ થઈ ગયા. ઈત્યાદિ - ૪ - o સંસ્તવ દ્વાર કહ્યું, હવે વિધા અને મંત્રનું દ્વાર કહે છે – Page #83 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૫૩૨ થી ૫૩૦ ૧૪૩ ૧૪૮ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ • મૂલ-૫૩૨ થી ૫૩૭ : [] વિદ્યા અને મંત્રની પ્રરૂપણા કરવી. વિદ્યામાં બિપાસકનું દષ્ટાંત છે, મંગામાં શિરોવેદનામા મુરંડ રાજાનું દષ્ટાંત છે. • [૫૩૩,૫૩૪] આ બંને ગાથાનો અર્થ વિવેચનમાં દૌટાંત સહ સમાવાય જાય છે. તેમાં દોષો કહે છે - [3] • પ્રતિવિધ્ય દ્વારા છે કે બીજો તેનું સંભનાદિ કરે. તથા આ પાપ વડે જીવનારા માયાવી અને કામણગારા છે, એમ લોકમાં જુગુપ્તા અને ગ્રહણાદિ થાય. - [૩૬] મંત્રના વિષયનું દૃષ્ટાંત છે. જેનો અર્થ વિવેચનમાં જોવો. - [૫૩] તેના દોષો - પ્રતિમંગ વડે તે અથવા બીજી તેનું સ્તંભનાદિ કરે ઈત્યાદિ ગાથા- પ૩૫ - મુજબ જાણવું. • વિવેચન-૫૩૨ થી ૫૩૭ : [૫૩૨] વિધા સાધના સહિતની અથવા સ્ત્રીરૂપ દેવતાધિષ્ઠિત જે અક્ષર રચના. મંત્ર • સાધનારહિત કે પુરુષ દેવતાધિષ્ઠિત અક્ષર સ્થના. [૫૩૩,૫૩૪] ભિક્ષ-ઉપાસકનું દૃષ્ટાંત - સાધુમાં આલાપ થયો કે બિપાસક અતિ પ્રાંત છે, તેને કોઈ અપાવે એવો છે ? સાધુએ કહ્યું - મને અનુજ્ઞા આપો. ગંધ સમૃદ્ધ નગરનો આ ધનદેવ ભિક્ષપાસક સાધુને કંઈ આપતો ન હતો. અનુજ્ઞા પામેલ સાધુ કેટલાંક સાધુને લઈને તેને ઘેર ગયો. વિધા વડે મંત્રિત કર્યો. તેણે સાધુને કહ્યું - તમને શું આપું ? તેઓ બોલ્યા - ઘી, ગોળ, વસ્ત્રાદિ આપો. તેણે સ્વજનો મારફતે ઘણાં ઘી, ગોળ આદિ અપાવ્યા. પછી સાધુએ વિદ્યા સંહરી લીધી. બિપાસક મૂળ સ્વભાવમાં આવી ગયો. વિલાપ કરવા લાગ્યો કે મારા પી આદિ કોણ હરણ કરી ગયું ? ત્યારે તેના પરિજનો બોલ્યા- તમે જ સાધુઓને અમારા હાથે અપાવેલ છે. [૫૩૫] અહીં તેના દોષો કહે છે - વિધામુક્ત થયેલો તે ગૃહસ્થ કદાચ હેપી થાય, તેનો પક્ષનો કોઈ પ્રતિવિધાથી સ્તંભન, ઉચ્ચાટન, મારણાદિ કરે. આ સાધુ વિધાદિથી જીવનારા, માયાવી, શઠ છે એવી લોકમાં નિંદા થાય છે. રાજકુળે પકડાવો, વેશ છોડાવવો, કદર્શનાદિ પણ થાય છે. [૩૬] મંત્રના વિષયમાં મુરુડ રાજા, પાદલિપ્તસૂરિનું દષ્ટાંત :- પ્રતિષ્ઠાનપુર મુરુંડ રાજા હતો. ત્યાં પાદલિપ્તાચાર્ય રહેતા હતા. કોઈ દિવસે મુરુંડ રાજાને અતિ શિરોવેદના થઈ, કોઈ તેનું શમન ન કરી શક્યા, ત્યારે કોઈ ન જાણે તેમ પાદલિપ્તાચાર્યએ મંત્રના ધ્યાનપૂર્વક ઓઢેલ વસ્ત્રની અંદર પોતાના જમણા જાનુની ઉપર, પડખે, ચોતરફ પોતાના જમણા હાથની અંગુલી જેમ જેમ ભમાવવા લાગ્યા, તેમ તેમ રાજાની શિરોવેદના દૂર થવા લાગી. સજા આચાર્ય ભગવંતનો ઉપાસક થયો ઘણાં આહારાદિ આપવા લાગ્યો. [૫૩] અહીં પાદલિપ્તાચા કોઈ દોષ સેવન કરેલ નથી. પણ પૂર્વે કહેલા વિધા કથાનકની જેમ મંત્ર પ્રયોગ કરતાં દોષો સંભવે છે તેથી તેને કહેવાયેલ છે. દોષો ‘વિધા-પ્રયોગ’વત જાણવા. છતાં સંઘાદિના પ્રયોજનમાં મંત્રનો પ્રયોગ એ અપવાદ માર્ગ છે. વિધા અને મંત્ર કહ્યા. હવે ચૂર્ણાદિ દ્વારોને કહે છે :• મૂલ-પ૩૮ થી પ૪ર : [૫૩૮] અદેય કરનાર ચૂર્ણમાં ચાણકયનું, પાદપરૂપ યોગમાં સમિતસૂરિનું, મૂલકમ-વિવાહ, ગર્ભ પરિશાટનમાં બે યુવતીનું દષ્ટાંત છે. [પ૩૯ થી ૨૪૧] આ ત્રણ ગાથામાં દષ્ટાંત છે, અર્થ વિવેચનમાં જોયો. [૫૪] વિધા અને મને વિશે જે દોષો કહ્યા, તે જ વશીકરણાદિ ચૂર્ણોને વિશે પણ જાણવા. એક કે અનેક ઉપર પહેલ કરે કે નાશ પણ થાય. • વિવેચન-પ૩૮ થી ૫૪ર - કુસુમપુર નગરમાં ચંદ્રગુપ્ત નામે રાજા હતો. ચાણકય તેનો મંત્રી હતો. ત્યાં જંઘાબળરહિત સુસ્થિતાચાર્ય હતા. ત્યાં દુકાળ પડ્યો. આચાર્યએ વિચાર્યું કે - સમૃદ્ધ નામના શિષ્યને આચાર્યપદે સ્થાપી, ગચ્છ સહિત કોઈ સુભિક્ષ દેશમાં મોકલું. એમ વિચારી તેને યોનિપ્રાભૃત એકાંતમાં ભણાવે છે. બે નાના સાધુ અદૃશ્ય થવાના કારણરૂપ અંજનની વ્યાખ્યા સાંભળી. સમૃદ્ધ નામક મુનિને આચાર્યપદે સ્થાપ્યા. ગચ્છ સહિત દેશાંતર મોકલ્યા આચાર્યશ્રી એકલા રહ્યા. બે નાના સાધુ તેમની પાસે રહ્યા. આહાર પરિપૂર્ણ ન હોવાથી આચાર્યશ્રી દુર્બળ થવા લાગ્યા. અંજનવિધિથી અદૃશ્ય થઈ તેઓ ચંદ્રગુપ્ત સાથે ભોજન કરે છે. ચંદ્રગુપ્ત રાજા દુબળો થવા લાગ્યો. આહાર પૂરો થતો નથી. ચાણક્યએ વિચાર્યુ કે આટલો આહાર પીરસાવા છતાં આમ કેમ ? માટે જનસિદ્ધ પુરુષ રાજા સાથે જમતો હોવો જોઈએ. ચાણક્યએ બુદ્ધિથી જાણ્યું કે બે અંજનસિદ્ધ પુરષો આવે છે. પકડવા માટે ધુમાડો કર્યો. આંખમાંથી આંસુ સાથે અંજન પણ રેલાઈ ગયું. બંને સાધુ પ્રત્યા થયા. ચાણક્યએ પ્રવચનની મલિનતા ન થાય તે માટે ચંદ્રગુપ્તને ધન્યવાદ આપી, વેદના કરીને બંને સાધુને વિદાય આપી. પછી આચાર્યશ્રીને કહ્યું કે આપના મુલકો ઉગ્રહ કરે છે. આચાર્યશ્રીએ તેમને કહ્યું – શ્રાવક થઈને પણ તમે મુનિના નિવહિનો વિચાર કરતા નથી ? ચાણકયએ ક્ષમાયાચના કરી. ચૂર્ણદ્વાર કહ્યું. હવે ‘યોગ' પદને જણાવે છે - • મૂલ-પ૪૩ થી ૫૪૩ - પ્રિક્ષેપ-૬] [૫૪] સૌભાગ્ય અને દૌભગ્ય કરનારા યોગો આહાર્ય, અનાહાર્ય એમ બે ભેદે છે. તેમાં આર્ષ અને ધૂપવાસ આહાર્ય છે અને પાદલપાદિ યોગ અનાહાર્ય છે . [૫૪૪ થી ૫૪૬] પાદલેપન યોગનું ષ્ટાંત છે, જેનો ગાથાર્થ વિવેચનમાં સમાવિષ્ટ છે. [૫૪] આ એક પ્રક્ષેપ ગાથા છે. જે મૂલકર્મ સંબંધી છે. જે હવે પછીના દ્વારમાં કહેવાશે. • વિવેચન-૫૪૩ થી ૫૪૭ :યોગો બે ભેદે - લોકોને પ્રીતિકારી અને પોતિકારી. પાણી વગેરેની સાથે Page #84 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૫૪૩ થી ૫૪૩ ૧૪૯ જે આહાર કરાય તે આહાર્ય, તેનાથી વિપરીત તે અનાહાર્ય. જે જલાદિ સાથે પીવાય તે આઘર્ષ કહેય. [શંકા) ચૂર્ણ અને વાસમાં શો તફાવત છે ? (સમાઘાન સામાન્ય વસ્તુથી બનેલ શુક કે આદ્ધ ભૂકો તે ચૂર્ણ, સુગંધી વસ્તુથી બનેલ, અતિ પીસાયેલ તે વાસ કહેવાય. પાદલેપનયોગનું દૃષ્ટાંત – અચલપુરનગર પાસે કૃષ્ણા અને છેલ્લા બે નદી, વચ્ચે બ્રહ્મ નામે દ્વીપ છે. ત્યાં ૪૯ તાપસો સાથે દેવશર્મ કલપતિ વસંતો હતો. પોતાના તીર્થની પ્રભાવના કરવા સંક્રાંતિ આદિ દિવસે પારલેપ કરી કૃષ્ણા નદી ઉપર ચાલીને ચલપુર આવતો. લોકો વિસ્મિત થઈને તેનો ભોજનાદિ સત્કાર કરતા. તેઓ શ્રાવકોની નિંદા કરતા કે તમારા ગુરમાં આવી શક્તિ નથી. સમિત સૂરિને વાત કરી. સમિત સૂરિ જાણતા હતા કે આ પાદલેપ કરી લોકોને છેતરે છે. તેમાં કોઈ તપશક્તિ નથી. આચાર્યશ્રીએ કહ્યું- તમે તેને ભોજન માટે નિમંત્રી, પગ ધોઈ નાંખજો. પછી શ્રાવકોએ તેમ કરી બધાં લોકોને બોલાવી નદીએ વળાવવા ગયા પાદલપ ન હોવાથી તે તાપસ કુલપતિ ડૂબવા લાગ્યો. લોકમાં તેની અપભાજના થઈ. તેને બોધ કરવા સમિતસૂરિ ત્યાં પધાર્યા. બધાં લોકો સમક્ષ તેમણે નદીને કહ્યું - હે કૃણા! અમે સામે કાંઠે જવા ઈચ્છીએ છીએ, તે વખતે તેનદીના બંને કાંઠા એક સાથે મળી ગયા. બધાં વિસ્મય પામ્યા. તાપસે દીક્ષા લીધી. યોગ દ્વાર કહ્યું, હવે ‘મૂલ' નામક દ્વાર કહે છે – • મૂલ-૫૪૮ થી ૫૫૪ : [૫૪૮] ભિન્ન યોનિક કન્યા સંબંધે દષ્ટાંત છે, વિવેચન થકી ગાથાર્થ જાણવો. [૫૪] તેમાં પહેલ અને ઉદ્દાહ નામે દોષ લાગે છે. [ષષo] વિવાહ સંબંધે પુત્રીનું દષ્ટાંત છે. [૫૧] વિવાહ સંબંધે પુત્રનું દૃષ્ટાંત છે. ગાથા, વિવેચનથી જાણતો. [૫૫૨,૫૫૩] આદાન અને પશ્તિાડ બે અવયવની વ્યાખ્યા એક દષ્ટાંત દ્વારા કહી છે. ગાથાર્થ વિવેચનમાં છે. પિપ૪] મુલકમમાં દોષ :- સંખડી કરવામાં છકાયની વિરાધના થાય, એકમાં કામની પ્રવૃત્તિ કરે, એકમાં ઉહાદિ થાય. એકમાં માવજીવ ભોળાંતરાય થાય છે. • વિવેચન-૫૪૮ થી ૫૫૪ ; [૫૪૮] કોઈ નગરમાં ધન નામે શ્રેષ્ઠી હતો, તેની પત્ની ધનપિયા, બી સુંદરી હતી. તેણી ભિન્નયોનિવાળી હતી. આ વાત માતા જાણતી હતી પિતા નહીં. કોઈ શ્રેષ્ઠીપુત્ર સાથે વિવાહ થયો. માતાને થયું કે આનો પતિ જો તેણીને ભિન્નયોનિકા જાણશે તો આ દુ:ખી થશે. કોઈ સાદુને બધી વાત જણાવી. સાધુએ તેણીને આગમન અને પાનઔષધ આપ્યા. તેનાથી તે અભિન્ન યોનિવાળી થઈ. [૫૪૯] ચંદ્રાનના નગરીમાં ધનદત્ત સાર્થવાહ, ચંદ્રમુખી તેની પત્ની હતી. બંનેને કોઈ દિને પરસ્પર કલહ થયો. ધનદd બીજી શ્રેષ્ઠીપુમી પરણવા વિચાર્યું. તે વાત ચંદ્રમુખીએ જાણી. તેણીને ઈર્ષ્યા થઈ. અંધાપરિજિત નામે સાધુ ભિક્ષાર્થે આવ્યા. ૧૫o પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ ચંદ્રમુખી પાસે સપત્નીની વાત સાંભળી, સાધુએ તેણીને ઔષધ આયુ, કહ્યું કે આ કોઈ રીતે તેણીને ખવડાવી દેજે. જેથી તે ભિન્નયોતિકા થશે અને તે વાત તારા પતિને કહેજે, જેથી પરણશે નહીં. ઉક્ત બંનેમાં આ દોષ છે - ચાવજીવ મૈથુન પ્રવૃત્તિ થાય. જો સ્ત્રી આ વાત જાણે તો તેને સાધુ ઉપર દ્વેષ થાય, પ્રવચન ઉEાહણા થાય. [૫૫] કોઈ ગૃહપતિની પુત્રી યુવાન થઈ, કોઈ સાધુ ભિક્ષાર્થે આવ્યા. સાધુએ તેણીની માતાને કહ્યું કે- આને નહીં પરણાવો તો કોઈ યુવાન સાથે કાર્ય આચરી કુળને મલિન કરશે. લોકશ્રુતિ પણ છે - x • પરણાવી દેવી. [૫૫૧] કોઈ ગામમાં કોઈ કુટુંબીનો પુત્ર ચૌવનને પામેલ હતો. તેને જોઈ સાધુ, તેની માતાને કહે કે – આ તમારો પુત્ર યૌવનને પામ્યો છે, તો તેને કેમ પરણાવતાં નથી ? પરણીને પત્નીના સ્નેહથી સ્થિર થશે, ન પરણ્યો તો કોઈ સ્વચ્છંદાચારી સ્ત્રી સાથે ચાલ્યો જશે. તેના કરતા પરણાવી દો. [૫૫૨,૫૫૩] સંયુગ નામે નગર હતું. સિંધુરાજ રાજા હતો, તેને બે પત્ની હતી • શૃંગારમતી, જયસુંદરી, શૃંગારમતીને ગભધાન થયું. જયસુંદરીને માત્સર્યથી ધૃતિ થઈ. કોઈ સાધુ આવ્યા, તેણીને પૂછ્યું કે કેમ દુઃખી છે? સપનીનો વૃતાંત સાંભળ્યો. તેણીને ગર્ભાધાનનું વચન આપ્યું. તેણી બોલી કે- મને પુત્ર થશે તો પણ યુવરાજપણું નહીં પામે. સાધુએ બે ઔષધ આયા - (૧) તેણીના ગર્ભાધાનનું (૨) સપનીના ગર્ભના પાતનનું [૫૫૪] વિવાહ કાર્યમાં છકાયની વિરાધના થાય છે. એક સ્થાને અક્ષત યોનિપણું અને ગર્ભાધાન કરવામાં મૈથુન પ્રવૃત્તિ થાય - પરંપરા ચાલે છે. ગર્ભપાતાદિ કરાવતા પ્રવચનની મલિનતા, આત્માનો વિનાશાદિ થાય છે. ક્ષતયોતિકરણથી ચાવજજીવ ભોગાંતરાય અને ઉડાતાદિ થાય છે. આ પ્રમાણે ઉત્પાદનોના ૧૬-દોષો કહ્યા. હવે ગ્રહણૌષણા કહે છે – • મૂલ-પપપ થી પ૫૮ - [પપs] એ પ્રમાણે ઉદ્ગમ અને ઉત્પાદનાથી વિશુદ્ધ, ગવેષણા કરેલ તથા ગ્રહણની વિશોધિએ કરીને વિશુદ્ધ એવા પિંડનું ગ્રહણ થાય છે. • પિપ૬] • સાધુથી ઉત્પન્ન થયેલા દોષો ઉત્પાદનોના છે, એમ તું જાણ. પોતાથી અને પરથી ઉત્પન્ન થયેલા દોષો ગ્રહëષણાના છે, તેને હું કહીશ. - [૫૫] - શકિત તથા ભાવથી અપરિણત બે દોષો સાધુથી ઉત્પન્ન થયેલા છે, બાકીના આઠે દોષો નિશ્ચયથી ગૃહસ્થ વડે ઉત્પન્ન થયેલા તું જાણ. • પિપ૮] • ગ્રહણ એષણાના નિક્ષેપ - નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ ચાર ભેદે છે. તેમાં દ્રવ્યમાં વાનરયૂથટાંત અને ભાવમાં દશ પદો છે. • વિવેચન-પપપ થી પ૫૮ :પિપપ ઉદગમ અને ઉત્પાદનારૂપ દોષથી રહિત ગવેષણા કરેલા પિંડનું ગ્રહણ Page #85 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૫૫૫ થી ૫૫૮ થાય છે. પણ ક્યારે ? ગ્રહણમાં શંકાદિ દોષના અભાવે વિશુદ્ધ હોય તો, અન્યથા વિશુદ્ધ થતું નથી. તેથી હું ગ્રહણૈષણાના દોષો કહીશ. [૫૫૬] ગાચાર્ય કહ્યો. પોતાથી અને પરથી ઉત્પન્ન થયેલા દોષોને વિભાગ પાડીને કહે છે – [૫૫] સુગમ છે. હવે ગ્રહણૈષણાનો નિક્ષેપ કહે છે – [૫૫૮] ગ્રહણૈષણા ચાર ભેદે - નામ ગ્રહણૈષણા, સ્થાપના ગ્રહણૈષણા, દ્રવ્ય ગ્રહણૈષણા, ભાવગ્રહણૈષણા. ગવેષણાવત્ આ ભેદો કહેવા. વિશેષ એ કે – તદ્રવ્ય ગ્રહણૈષણામાં વાનરયૂથનું દૃષ્ટાંત છે. ભાવ ગ્રહણૈષણા બે ભેદે છે – આગમથી અને નોઆગમથી. તેમાં નોઆગમથી બે ભેદે – પ્રસસ્તગ્રહણૈષણા અને અપશસ્ત ગ્રહણૈષણા. પ્રશસ્ત એટલે સમ્યજ્ઞાનાદિ વિષયવાળી. અપ્રશસ્ત એટલે શંકિતાદિ દોષથી દુષ્ટ ભક્ત-પાનાદિ વિષયવાળી. • મૂલ-૫૫૯ થી ૫૬૧ : દ્રવ્ય ગ્રહણૈષણા સંબંધે વાનરજુથનું ઉદાહરણ આ ત્રણ ગાથામાં છે. ♦ વિવેચન-૫૫૯ થી ૫૬૧ : ૧૫૧ વિશાલશૃંગ નામે પર્વત હતો. ત્યાં એક વનખંડમાં વાનરયૂથ રમતું હતું. તે જ પર્વતે બીજું પણ વનખંડ સર્વ પુષ્પ અને ફળની સમૃદ્ધિવાળું હતું. પણ ત્યાં દ્રહમાં મોટો મત્સ્ય હતો, તે પાણી પીવા આવનાર બધાં મૃગાદિ પ્રાણીને ખેંચીને ખાઈ જતો. પોતાનું વનખંડ પુષ્પાદિ રહિત જાણીને યૂથસ્વામીએ નિર્વાહ સમર્થ એવા બીજા વનખંડને શોધવા બે વાનર મોકલ્યા. તેમણે શોધેલ વનખંડમાં સૂયપતિ પોતાના યૂથસહિત ગયો. તેણે વનખંડ મધ્યે દ્રહ જોયો, ત્યાં પ્રવેશતા શ્વાપદોના પગલાં જોયા પણ બહાર નીકળતાં ન જોયા. તેણે વાનરોને સૂચના આપી કે કાંઠે રહીને કમળની નાળ વડે પાણી પીજો, અંદર પ્રવેશશો નહીં. જેમણે ટૂથપતિનું વચન માન્યું. તેઓ સ્વેચ્છાથી સુખ ભોગવનાર થયા, ન માન્યું તે વિનાશ પામ્યા. હવે પ્રશસ્ત ભાવગ્રહણૈષણામાં શંકિતાદિ દશ ભેદો કહે છે – • મૂલ-૫૬૨નું વિવેચન : (૧) શંકિત - આધાકર્માદિ દોષની સંભાવના, (૨) પ્રક્ષિત - સચિત પૃથ્વીકાયાદિથી ખરડિત, (૩) નિક્ષિપ્ત - સચિત્ત ઉપર સ્થાપેલ, (૪) પિહિત-સચિત્તથી ઢાંકેલ, (૫) સંહત-બીજે સ્થાને મૂકેલ, (૬) દાયક-દાયક દોષથી દૂષિત, (૭) ઉન્મિશ્રિત - પુષ્પાદિથી મિશ્ર, (૮) અપરિણત - પ્રાસુક ન થયેલ, (૯) લિપ્ત - લેપવાળું, (૧૦) છર્દિત - ભૂમિ ઉપર વેરાયેલ. આ દશ એષણા દોષો છે. • મૂલ-૫૬૩ થી ૫૭૨ : [૫૬૩] - શંકિતમાં ચતુર્ભાગી છે. તેમાં બેમાં, ગ્રહણમાં, ભોજનમાં દોષ લાગે છે. પચીશમાંથી જે દોષની શંકાને પામે તે દોષ લાગે છે માત્ર છેલ્લો ભંગ શુદ્ધ છે - [૫૪] - આધાકદિ ૧૬-ઉદ્ગમ દોષો, મક્ષિતાદિ નવ એષણા દોષો એ કુલ ૨૫-દોષો છે, છેલ્લો ભંગ શુદ્ધ છે - [૫૬૫] - ઉપયોગવંત અને ઋજુ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ એવો શ્રુતજ્ઞાની છદ્મસ્થ સાધુ પ્રયત્નથી વૈષણા કરતો પચીશમાંથી કોઈ દોષને પામે તો પણ શ્રુતજ્ઞાનના પ્રમાણપણાથી શુદ્ધ છે. - [૫૬૬] સામાન્યથી શ્રુતમાં ઉપયોગવંત શ્રુતજ્ઞાની જો કે - અશુદ્ધને ગ્રહણ કરે તો તેનો કેવળી પણ આહાર કરે છે. અન્યથા શ્રુત પ્રમાણરૂપ થાય. - [૫૬૭] - શ્રુતના અપમાણમાં ચાસ્ત્રિનો અભાવ થાય, તેથી મોક્ષનો અભાવ થાય, મોક્ષનો અભાવ થતાં દીક્ષાની પ્રવૃત્તિ નિરર્થક બને ચે. - [૫૬૮] - પહેલાં ભંગનો સંભવ ઃ- કોઈ લજ્જાળુ સાધુ કેમ તમે ઘણી ભિક્ષા આપો છો ?' એમ પૂછવા સમર્થ નથી, તેથી શંકા વડે ગ્રહણ કરીને શંકાવાળો જ તેનો આહાર કરે છે. - [૫૬૯] - બીજો ભંગ - શંકિત હૃદયથી ગ્રહણ કરી, તે બીજા સાધુએ શોધી, કંઈક પ્રકરણ અથવા પહેણક છે તે સાંભળીને શંકા રહિત વાપરે. - [૫૭] - ત્રીજો ભંગ :- આલોચના કરતા બીજા સાધુને સાંભળી પોતે વિચાર કરે છે કે – “અમુક ઘેર મેં જેવી ઘણી ભિક્ષા પ્રાપ્ત કરી છે, તેવી જ બીજાએ પણ પ્રાપ્ત કરી છે” એમ શંકા સહિત ખાનાર સાધુ. - [૫૭૧] - જો શંકા જ દોષ કરનારી હોય, તો એ પ્રમાણે શંકાવાળું શુદ્ધ છતાં પણ અશુદ્ધ થશે તથા અનેષણીય પણ શંકારહિતપણે અન્વેષિત કરેલું શુદ્ધ થસે. - [૫૭૨] - આચાર્ય કહે છે કે તારી શંકા ઠીક છે, તો પણ - બેમાંથી એકે પક્ષમાં ન પડેલો અશુદ્ધ પરિણામ એપણીયને અનેષણીય કરે છે અને વિશુદ્ધ પરિણામ અનેષણીયને એષણીય કરે છે. • વિવેચન-૫૬૩ થી ૫૭૨ ૩ ૧૫૨ શંકિતને વિશે ચતુર્ભૂગી – (૧) ગ્રહણ કરવા અને ભોજન બંનેમાં શંકિત. (૨) ગ્રહણમાં શંકિત પણ ભોજનમાં અશંકિત, (૩) ભોજનમાં શંકિત પણ ગ્રહણમાં અશંકિત, (૪) ગ્રહણ અને ભોજન બંનેમાં અશંકિત. આમાં પહેલાં ત્રણે ભંગો દોષયુક્ત છે. કયા દોષ - ઉદ્ગમના-૧૬, એષણાના-૯, જે આધાકર્મપણાથી શંક્તિ હોય તે ગ્રહણ કે ભોજન કરતો આધાકર્મના દોષ વડે બંધાય છે. એ પ્રમાણે જ ઔદ્દેશિક દોષમાં પણ સમજવું. ચોથો ભંગ શુદ્ધ છે. પચીશ દોષથી શુદ્ધ - ગ્રહણ કરવામાં કે ભોજન કરવામાં શંક્તિ નહીં એવા ચોથા ભંગમાં વર્તતો સાધુ શુદ્ધ છે. કેમકે છાસ્યની પરીક્ષાથી શંકારહિત ગ્રહણ કરેલું હોય તે શુદ્ધ કહેવાય. ગાથા-૫૬૫ નો અર્થ સ્પષટ્ છે. સામાન્યથી પિંડનિયુક્તિ આદિ આગમને વિશે ઉપયોગી, આગમાનુસારે કલ્પ્સ - અકલ્યની ભાવના કરતો શ્રુતજ્ઞાની જો કોઈ પ્રકારે અશુદ્ધ ગ્રહણ કરે તો પણ કેવળજ્ઞાની તેને ખાય છે. અન્યથા શ્રુતજ્ઞાન અપ્રમાણ થાય, શ્રુતજ્ઞાનના પ્રમાણપણાથી સર્વ ક્રિયાના લોપનો પ્રસંગ આવે, કેમકે શ્રુત વિના છાસ્યોને ક્રિયા કાંડના જ્ઞાનનો અસંભવ છે. ક્રિયા કાંડનો અસંભવ થવાથી - શ્રુત વિના યથા યોગ્ય સાવધ અને નિરવધ વિધિ અને પ્રતિષેધના જ્ઞાનના અસંભવથી સૂત્રનું અપ્રમાણપણું થતાં ચાસ્ત્રિનો અભાવ Page #86 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૫૬૩ થી ૫૭૨ થાય. ચાવત્ દીક્ષા નિર્થક થાય કેમકે દીક્ષાનું બીજું કંઈ પ્રયોજન નથી. હવે પહેલાં ઈત્યાદિ ભંગનો સંભવ કહે છે. ૧૫૩ [૧] કોઈ સાધુ સ્વભાવથી લજ્જાવાન હોય, કોઈ ઘરમાં ભિક્ષાર્થે પ્રવેશે, ઘણી ભિક્ષા પામી શંકિત થાય કે આટલી ભિક્ષા કેમ અપાય છે ? પણ લજ્જાથી પૂછી ન શકે અને વપારે તો તે પહેલા ભંગમાં વર્તે છે. [૨] કોઈ સાધુ પહેલાં ભંગવાળો હોય, પણ સંઘાટક તેની શંકાનું નિવારણ કરી દે, પછી જે આહાર વાપરે, તે બીજા ભંગમાં વર્તે ચે. [3] કોઈ સાધુ ઘણી ભિક્ષા પામે, સમ્યક્ આલોચના કરતા બીજા સાધુની આલોચના સાંભળી શંકા કરે કે – મારી જેમ બીજા સંઘાટકે પણ ઘણી ભિક્ષા પ્રાપ્ત કરી છે, તો તે આધાકર્મ દોષથી દૂષિત હશે, એમ વિચારતો જે સાધુ આહાર કરે, તે ત્રીજા ભંગમાં વર્તે છે. શંકા-સમાધાન ગાથાર્થ-૫૭૧ અને ૫૭૨ મુજબ જાણવા. વિશેષ એ કે – અવિશુદ્ધ એવો મનનો પરિણામ, કેવા પ્રકારનો અવિશુદ્ધ? આ ભોજનાદિ શુદ્ધ જ છે કે અશુદ્ધ જ છે, એમ એકે પક્ષમાં ન પડેલો હોય તો તે શુદ્ધને પણ અશુદ્ધ કરે છે. વિશુદ્ધ પરિણામ એટલે આગમોક્ત વિધિ પ્રમાણે ગવેષણા કરનારનો ‘આ શુદ્ધ જ છે' એવો અધ્યવસાય, સ્વભાવથી અશુદ્ધ એવા પણ ભોજનાદિને શુદ્ધ કરે છે. ૦ શંકિતદ્વાર કહ્યું, હવે મુક્ષિત દ્વાર કહે છે – • મૂલ-૫૭૩ થી ૫૮૧ઃ [૫૭૩] મક્ષિત બે ભેટે છે – સચિત અને અચિત. સચિત્ત ત્રણ ભેદે અને અચિત્ત બે ભેટે છે. - [૫૪] - સચિત્ત સક્ષિત ત્રણ ભેદે પૃથ્વી, પ્, વનસ્પતિ. અચિત પ્રક્ષિત બે ભેદે . ગર્હિત અને અગર્ભિત. કયાકલ્પની વિધિમાં ભજના. - [૫૫] - જે રજ સહિત શુષ્ક વડે અને આર્દ્ર પૃથ્વીકાય વડે મક્ષિત હોય તે સર્વ સચિત્ત સક્ષિત છે. હવે કાયમક્ષિતને કહીશ. [૫૬] - પુરષ્કર્મ, પશ્ચાત્કર્મ, સરિનગ્ધ, ઉદકાઈ એ ચાર કાયના ભેદો છે. પ્રત્યેક અને અનંત વનસ્પતિકાયના ઉત્કૃષ્ટ રસ વડે આર્લિપ્ત જે હસ્તાદિક તે વનસ્પતિકાય મક્ષિત છે. - [૫૭૭] - બાકીના તેઉ, વાયુ, ત્રસ એ ત્રણ કાય વડે સચિત્ત, મિશ્ર કે આર્દ્રતારૂપ મક્ષિત હોતુ નથી. [૫૭] - સચિત્તમક્ષિત એવા હસ્ત, પાત્રને વિશે ચાર ભંગ થાય છે તેમાં પહેલાં ત્રણ ભંગનો નિષેધ છે, છેલ્લા ભંગને વિશે અનુજ્ઞા છે. • [૫૭૯] - અચિત્ત સક્ષિતને આશ્રીને ચાર ભંગોમાં ભજના છે, એટલે કે અગહિતનું ગ્રહણ અને ગર્વિતનો નિષેધ છે. - [૫૮૦] • સંસક્ત જીવવાળા અને અગર્ભિત એવા પણ ગોરસ અને દ્રવ વડે સક્ષિતને વવું તથા મધુ-ઘી-તેલ-ગોળ વડે મક્ષિત વવું. કેમકે માખી અને કીડીનો ઘાત ન થાઓ. - [૫૮૧] - લોકમાં ગહિત એવા પણ માંસ, ચરબી, શોણિત, મદિરા વડે પ્રક્ષિત હોય તે વવું. બંનેને વિશે ગહિત એવા મૂત્ર, વિષ્ટાથી પર્શિત પણ વવું. - પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ • વિવેચન-૫૭૩ થી ૫૮૧ - [૫૭૩] - પ્રક્ષિત બે ભેદે છે – (૧) સચિત્ત પ્રક્ષિત - સચિત્ત પૃથ્વી આદિ વડે ખરડાયેલ, (૨) અચિત્ત ક્ષિત - અચિત્ત પૃથ્વીની રજાદિ વડે જે ખરડાયેલ હોય તે. [૫૭૪] ગાથાર્થ કહ્યો જ છે. વિશેષ આ - તિ - ચરબી આદિથી લીંપાયેલ, અતિ - ધૃતાદિ વડે લીંપાયેલ. સચિત્તપૃથ્વીકાયમક્ષિત કહે છે – [૫૫] સચિત્ત પૃથ્વીકાય બે ભેદે – (૧) શુષ્ક :- રજસહિત શુષ્ક પૃથ્વીકાય વડે - અતિ બારીક ભસ્મ જેવા પૃથ્વીકાય વડે જે દેય વસ્તુ, પાત્ર કે હાથ પ્રક્ષિત હોય. (૨) આર્દ્ર - સચિત્ત આર્દ્ર પૃવીકાય વડે પ્રક્ષિત. ૧૫૪ [૫૭૬] અકાયમક્ષિત ચાર ભેદે – (૧) ભોજનાદિ આપ્યા પૂર્વે સાધુ માટે હાથ, પાત્ર આદિને જળ વડે ધોવું આદિ કર્મ તે પુરઃ કર્મ. (૨) પછી જે ધોવાય આદિ તે પશ્ચાત્કર્મ. (૩) સસ્નિગ્ધ - કંઈક દેખાતા જળ વડે ખડાયેલ હાથ આદિ. (૪) ઉદકાર્ડ - સ્પષ્ટ દેખાતા જળાદિ સંસર્ગવાળા હાય આદિ. ઘણાં રસયુક્ત પ્રત્યેક વનસ્પતિના – આમ્રફળાદિના, અનંતકાયિક એટલે ફણસ આદિના તાજા લક્ષણ કકડા વડે ખરડાયેલ હસ્તાદિ, [૫૭] સચિત્તાદિ તેઉકાયાદિના સંસર્ગ છતાં લોકમાં પ્રક્ષિત શબ્દની પ્રવૃત્તિ દેખાતી નથી. અચિત એવા ભસ્માદિરૂપ તે ત્રણ વડે પૃથ્વીકાયવત્ પ્રક્ષિતપણું સંભવે છે, તેથી તેનો નિષેધ નથી. અચિત્ત વાયુકાય વડે પણ પ્રક્ષિતપણાંનો સંભવ નથી, કેમકે લોકમાં તેવી પ્રવૃત્તિ નથી. [૫૭૮] પૃવીકાયાદિ સચિત વડે પ્રક્ષિત એવા હસ્ત અને પાત્રને વિશે ચાર ભંગ આ પ્રમાણે – (૧) હસ્ત પ્રક્ષિત, પત્ર પણ પ્રક્ષિત (૨) હસ્ત પ્રક્ષિત પણ પાત્ર નહીં, (૩) પાત્ર પ્રક્ષિત પણ હસ્ત મ્રક્ષિત નહીં. (૪) એકે મક્ષિત નહીં. પહેલાં ત્રણ ભાંગામાં ગ્રહણ કરવું ન કો. ચોથા ભંગમાં કલ્પે છે. [૫૭૯] અચિત્ત પ્રક્ષિતમાં પણ હાથ અને પાત્રને આશ્રીને પૂર્વવત્ ચાર ભાંગા કરવા. ચારે ભાંગામાં ભજના છે. લોકમાં અનિંધ ધૃતાદિ વડે પ્રક્ષિત હોય તો ગ્રહણ કરાય, લોકમાં નિંધ એવા ચરબી આદિ વડે ક્ષિત હોય તો નિષેધ છે. તેમાં પણ ચોથો ભંગ શુદ્ધ જ છે, તેનું ગ્રહણ થાય. [૫૮૦] તેની મધ્યે પડેલા જીવ વડે યુક્ત અગર્હિત એવા દહીં આદિ અને પાનક વડે પ્રક્ષિત અથવા પ્રક્ષિત એવા હાથ અને પાત્ર વડે અપાતું હોય તો વર્જ્ય છે. અગહિત એવા મધુ, ઘી, તેલ વડે પ્રક્ષિત હોય કે પ્રક્ષિત એવા હસ્ત, પાત્ર વડે દેવાતું હોય તે વર્જ્ય છે. ઈત્યાદિ - ૪ - ૪ - - [૫૮૧] - લોકમાં ગર્ભિત અને એવા માંસાદિ વડે ક્ષિત, તેને વર્જવું - ૪ - ૦ મુક્ષિત દ્વાર કહ્યું, હવે નિક્ષિપ્ત દ્વાર કહે છે - • મૂલ-૫૮૨ થી ૫૮૬ ઃ [૫૮] કાયમાં નિક્ષિપ્ત બે ભેદે - સચિત્તમાં, મિશ્રમાં. તે પ્રત્યેક બે Page #87 -------------------------------------------------------------------------- ________________ મૂલ-પ૮૨ થી ૫૮૬ ૧૫૫ પ્રકારે – અનંતર, પરંપટ, * [૫૮] - પૃની, અપ, તેઉ, વાયુ, વનસ્પતિ, બસ, તે પ્રત્યેકના બે ભેદ – અનંતર, પરંપર. અગ્નિકાયના સાત ભેદો છે. [૫૮] સચિવ પૃથ્વીકાયમાં સચિત્ત પૃથ્વીકાય નાંખ્યો, એ પ્રમાણે અy, તેઉં, વનસ્પતિ, વાયુ અને ત્રસકાયમાં જાણવું - [૫૮] - એ પ્રમાણે બાકીનાનો પણ અવનિકાયમાં નિક્ષેપ હોય છે. તેમાં એક એક ભંગ પોતાના સ્થાનમાં અને પાંચ-પાંચ ભંગ પરસ્થાનમાં હોય છે. - [૫૮] - એ જ પ્રમાણે મિશ્નમાં પણ ૩૬ભેદો કહેવા. એ પ્રમાણે સચેતનમાં મિશ્રના ૩૬-ભેદો કહેવા. એમ જ મિના મિત્રને કહેવા એ જ પ્રમાણે સચિત અને મિશ્રના અચિત્તમાં કહેવા. • વિવેચન-૫૮૨ થી ૫૮૬ : [૫૮] મનંતર - આંતર વિના, પરંપર - આંતરા સહિત. જેમકે - સચિત પૃથ્વીકાય ઉપર થાળી અને તેના ઉપર દેવા લાયક વસ્તુ મૂકી હોય તે અહીં પરિહાર્ય અને અપરિહાર્યના વિભાગ વિના સામાન્યથી સચિત્ત, અચિત અને મિશ્રરૂપ ભેદ વડે કરીને નિક્ષિપ્ત પ્રણ પ્રકારે છે. તેમાં ત્રણ ચતુર્ભગી છે તે આ પ્રમાણે - (૧) સચિતમાં અચિત, (૨) મિશ્રમાં સચિવ, (૩) સચિતમાં મિશ્ર, (૪) મિશ્રમાં મિશ્ર. આ એક ચતુર્ભાગી થઈ. સચિત અને અચિત્તને આશ્રીને બીજી ચતુર્ભગી છે. અચિત અને મિશ્રને આશ્રીને ત્રીજી ચતુર્ભગી છે. હવે અનંત-પરંપર વિભાગને કહે છે - [૫૮૩] પૃથ્વીકાયનો નિક્ષેપ છ પ્રકારે છે – (૧) પૃથ્વીકાયનો પૃથ્વીકાયને વિશે નિફોપ, (૨) પૃથ્વીકાયનો અપકાયને વિશે નિક્ષેપ, એ રીતે (૩) તેઉકાયને વિશે, (૪) વાયુકાયને વિશે, (૫) વનસ્પતિકાયને વિશે અને (૬) ત્રસકાયને વિશે પૃથ્વીકાયનો નિક્ષેપ. આ પ્રમાણે અપકાયાદિ દરેકનો પણ નિક્ષેપ છ પ્રકારે જાણવો. બધાં મળીને ૩૬-ભેદો થાય છે તે દરેક ભેદ બે પ્રકારે - અનંતર નિદ્રોપ, પરંપર નિક્ષેપ. [૫૮૪] પૃથ્વીકાયને વિશે છ પ્રકારે નિક્ષેપ - ગાયાઈ મુજબ જાણવો. એ રીતે પૃથ્વીકાય નિક્ષેપ છ ભેદે કહીને, બાકીના કાયોનો નિર્દેશ કરે છે. પિ૮ પૃથ્વીકાયની માકક અપકાયાદિનો નિક્ષેપ પૃથ્વી આદિને વિશે હોય છે. તેમાં એક એક ભંગ પોતાના સ્થાનમાં અને બાકીના પાંચ-પાંચ ભંગ પરસ્થાનમાં હોય છે. જેમ પૃથ્વીકાયનો પૃથ્વીકાયમાં વિક્ષેપ તે સ્વ સ્થાન છે, કાયાદિ પાંચ તે પરસ્થાન છે. આ રીતે સચિતમાં સચિત એવા પ્રકારના પહેલાં ભંગમાં ૩૬ ભેદો થયા. બાકીનાનો અતિદેશ કરે છે. પિ૮૬] સચિતમાં સચિત્તની જેમ મિશ્ર પૃરવ્યાદિકને વિશે પણ સચિત yવ્યાદિકનો નિફોપ ૩૬-ભેટવાળો જાણવો. આ રીતે પહેલી ચૌભંગીનો બીજો ભંગ કહ્યો. એ પ્રમાણે સચિત પૃથ્વી આદિને વિશે મિશ્ર પૃથ્વી આદિનો નિક્ષેપ ૩૬-ભેટવાળો કહેવો. આમ કહીને ચૌભંગીનો ત્રીજો ભંગ કહ્યો. એ જ પ્રમાણે મિશ્રપૃથ્વી આદિનો મિશ્ર પૃથ્વી આદિને વિશે ૩૬-ભેદ કહેવા. એ પહેલી ચતુર્ભગીનો ચોથો ભંગ કહ્યો. ૧૫૬ પિંડનિયુક્તિમૂલસૂત્ર સટીક અનુવાદ એ પ્રમાણે ૧૪૪-મૂંગો થયા. એ રીતે ત્રણે ચતુર્ભગી મળીને ૪૩૨-ભેદો જાણવા. હવે કલયાકતય વિધિ - • મૂલ-પ૮૭,૫૮૮ : [૫૮] જે નિરૂપમાં સચિન અને મિશ્રને આપીને ચઉભંગી કહી છે, તેમાં ચાર ભંગમાં અનંતર અને પરંપર તથા પરિત્ત અને અનંત વનસ્પતિ અગ્રાહ્ય છે. - [૫૮] - અથવા અહીં ચૌભંગી જુદી રીતે થાય છે. તેમાં એક પક્ષમાં સચિત-મિશ્ર અને એક પક્ષમાં અચિત. પહેલા ત્રણ ભંગની વાત જ નથી. • વિવેચન-પ૮૩,૫૮૮ - ગાથાર્થ કહ્યો. વિશેષ એ કે બીજી અને ત્રીજી ચતુર્ભગીના પહેલાં ત્રણ ભંગમાં વતતુ અનંતર આદિ પણ અગ્રાહ્ય છે. તથા બીજી, ત્રીજી ચૌભંગીના ચોથા ભંગમાં વર્તત ગ્રાહ્ય છે. કેમકે તે લેવામાં દોષ નથી. હવે મતાંતર કહે છે – - પૂર્વના ક્રમ વડે ચતુગી આ પ્રમાણે - સચિતમાં સયિમિશ્ર, અચિત્તમાં સચિવમિશ્ર, સચિતમિશ્રમાં અચિત અને અયિતમાં અચિત. અહીં પહેલાંની જેમ પ્રત્યેક ભંગમાં પૃથ્વી આદિ છ ભેદથી ૩૬-૩૬ ભેદો થાય, એ રીતે કુલ-૧૪૪ ભેદો થાય. તેમાં પહેલાં ત્રણ ભંગમાં ગ્રહણ કરવાની વાત જ નથી. સામર્થ્યથી ચોથા ભંગમાં કલ્પ છે. બીજી અને ત્રીજી યોભંગી સંબંધીનો ત્રીજો ત્રીજો ભંગ જે સામાન્યથી અશુદ્ધ છે, તે વિષયમાં વિશેષ કહે છે – • મૂલ-૫૮૯,૫૯૦ : [૫૮] વળી જે કોઈ અચિત દ્રવ્ય સચિત્ત કે મિકામાં નિક્ષેપ કરાય છે, ત્યાં આ અનંતર અને પરંપર વડે માગણા હોય છે. • [] - પૃથ્વી ઉપર સ્થાપિત અવગાહિમાદિ અનંતર છે, પૃથ્વી ઉપર રહેલા તપેલી આદિમાં સ્થાપન કરેલ તે પરંપરા છે. માખણ આદિ જલમાં નાંખેલ હોય તે અનંતર, નાવ આદિમાં મૂકેલ હોય તે પરંપર કહેવાય છે. • વિવેચન-પ૮૯,૫૦ : ગાથાર્થ કહ્યો. વિશેષ આ પ્રમાણે :- વત્ત દ્રવ્ય - ઓદનાદિ, અથrfeife • પડ્વાન્ન, માંડા વગેરે. આ ગાથામાં પૃથ્વીકાયને આશ્રીને અનંતર અને પરંપર નિફો કહ્યો. પછી અકાયને આશ્રીને કહેલ છે. હવે તેઉકાયને આશ્રીને અનંતર અને પરંપરની વ્યાખ્યા કરે છે – • મૂલ-૫૯૧ થી ૫૯૪ : [૫૧] વિધ્યાત, મુર, કંગાલ, અપાત, પ્રાપ્ત, સમજવાલ અને ભુતકાંત એમ સાત પ્રકારનો અગ્નિ છે. તે બે પ્રકારે છે, તેમાં લિંપેલા મને વિશે યતનાથી ગ્રહણ કરાય છે . [૫૯૨ - અગ્નિ સ્પષ્ટ દેખાતો ન હોય, પણ ઇંધણ નાંખવાથી દેખાય તેવો હોય તો વિધ્યાત કહેવા. કંઈક પીળા અનિના કણીયા Page #88 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૫૯૧ થી ૫૯૪ ૧૫૩ મર કહેવાય, વાલારહિત તે અંગાર કહેવાય. [૫૩] વાલા થાળી આદિ સુધી ન પહોંચે તો ચોથા અપ્રાપ્ત ભેદમાં અને પ્રાપ્ત થઈ હોય તો પાંચમાં ભેદમાં જાણવું. છઠ્ઠા ભેદમાં કર્ણ સુધી જ્વાલા જાય છે અને છેલ્લા ભેદમાં કણથી ઉપર અદિક જવાલા જાય છે. પિ૯૪] તે કટાહ ચારે પડખે લીધેલ હોય, રસનું પરિશાટન થતું ન હોય, તે કટાહ પણ વિશાળ હોય, તે ઈરસ પણ તુરંત નાંખેલ હોય અને અતિ ઉણ ન હોય તો કહ્યું. • વિવેચન-૫૯૧ થી ૫૯૪ : અગ્નિ સાત પ્રકારે - (૧) વિધ્યાત - સ્પષ્ટ દેખાતો હોય, પછી ઇંધણ નાખવાથી વૃદ્ધિ પામતો દેખાય છે. (૨) મુર્ખર - કંઈક પીળા અને અઘ બુઝાઈ ગયેલા અગ્નિના કણિયા. (૩) અંગાર - જ્વાલા હિત અગ્નિ, (૪) અપાત - ચૂલે સ્થાપેલ પણ જવાળા વાસણને ન સ્પર્શતી હોય. (૫) પ્રાપ્ત-જવાળા વાસણમાં તળીયાને સ્પર્શતી હોય. (૬) સમજવાલ - જ્વાળા વાસણના કાંઠા સુધી સ્પર્શે. (૩) વ્યુત્ક્રાંત • વાળા વાસણના કાંઠાથી ઉંચે જાય. સાતે તેઉકાયના ભેદો છે. દરેકના બળે ભેદ • અનંતર નિક્ષિપ્ત, પરંપરનિક્ષિપ્ત. અર્થ પૂર્વવત્. * * • x - હવે આ જ ગાથાનું વિવરણ વિધ્યાતાદિના સ્વરૂપથી કહે છે. [૫૯૨,૫૯૩] ટીકાર્ય ગાથાર્થમાં અને પૂર્વ સૂત્રની ટીકામાં કહેલો છે. [૫૯૪] જો કડાઈની ચોતફ માટી લીધેલ હોય, દેવાતા ઈચ્છુસ્સના બિંદુઓ ન પડતાં હોય, જો તે કડાઈ પણ વિશાળ મુખવાળી હોય, જો તે ઈફ્યુમ્સ પણ તુરંતનો નાંખેલો હોય, તો તે દેવાતો ઈક્ષરસ છે. અહીં તે ઈક્ષરસનું બિંદુ પડે તો પણ માટીના લેપમાં પડે પણ ચૂલાના તેઉકાયમાં નહીં, તેથી લીપલ કડાઈ કહી. વિશાળ મુખવાળા પાત્રમાંથી ખેંચાતુ કમંડલ આદિ-થી કડાઈ ન ભાંગે, તેઉકાયની વિરાધના ન થાય માટે ‘વિશાળ' શબ્દ લખ્યો. ‘અતિ ઉણ’ ન હોય તે ગ્રહણ કરવાનું કારણ પોતે કહેશે. ધે ઉદકને આશ્રીને વિશેષથી કહે છે – • મૂલ-૫૫ થી ૫૯૯ : [૫૯૫] ઉણોદક પણ ગુડસથી પરિણામ પામેલું અતિ ઉણ ન હોય તો પણ કહ્યું છે, વળી જે પિઠરના કર્ણ ઘસાયા વિના અપાય તે કહ્યું છે, કેમકે ઘસાવાથી લેપ કે જળના પડવાથી અગ્નિની વિરાધના ન થાય. • [૫૬] - પાર્વે લીઉલ કટાહ, અનતિઉણ ઈશુરસ, અપરિશાટ અને અઘર્શત આ ચાર પદ વડે સોળ ભંગ થાય છે. તેમાં પહેલાં ભંગમાં અનુજ્ઞા છે, શેષ ભંગોમાં અનુજ્ઞા નથી. - [૫૯] - પદની જેટલા દ્વિક સ્થાપવા, તેને ગુણવાથી ભંગોનું માન થાય છે. તેની સ્યના એક આંતરાવાળા લઘુ, ગુરુ મૂકવા ઈત્યાદિથી થાય છે. ૫૮] અતિ ઉષ્ણ દેતાં બે પ્રકારની વિરાધના, છન થવાથી હાનિ તથા પાત્રનો ભેદ થાય. ૧૫૮ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ વાયુએ ઉપાડેલી પટિકા અનંતર છે અને બસ્તિમાં રહેલ પરંપરા છે. [૫૯] વનસ્પતિમાં હરિતાદિક ઉપર અપૂાદિક અનંતર નિખિ છે. પિરાદિમાં નાંખેલ પરંપર છે. તથા પીઠ ઉપર મૂકેલ અપૂણદિ અનંતર છે અને મસ્ક કે કુતુપાદિમાં મૂકેલ છે પરંપર છે. • વિવેચન-૫૫ થી : [૧૯૫] જે કડાઈમાં પહેલાં ગોળ ઉકાળ્યો હોય, તેમાં નાંખેલ જળ કાંઈક તપેલ હોય તો પણ સંસક્ત ગુડરસ વડે મિશ્ર થવાથી તત્કાળ અચિત્ત થાય છે. તેથી અતિ ઉષ્ણ ન હોય તો પણ ક્યો. જે જળ દેવાતુ હોય ત્યારે પિઠરના બંને કર્ણ પ્રવેશ કરતા કે બહાર નીકળતા કમંડળાદિ વડે અથડાતા ન હોય તો તે દેવાતું જળ કલો છે. આમ કહીને હવે કહેવાનાર સોળ ભંગોની મધ્યે પહેલો ભંગ દેખાડ્યો. હવે તે ૧૬-ભંગ કહે છે - [૫૯૬ ગાથાર્થમાં અર્થ કહેવાયેલ જ છે. હવે ભંગ ગાથા કહે છે – [૫૯] જેટલાં પદોના ભંગો લાવવાની ઈચ્છા હોય તેટલા લિંક ઉપર અને નીચે એવા ક્રમ વડે સ્થાપવા. પછી તેમનો યથાક્રમ ગુણાકાર કરતાં છેલ્લા દ્વિકમાં જે અંક આવે, તે ભંગોનું પ્રમાણ જામ્યું. ગાથા-પ૯૬માં કહેલા ચાર પદોના ભંગ લાવવાને ઈષ્ટ છે. તેથી ચાર લિંક ઉપર નીચેના ક્રમ વડે સ્થાપન કરવા. પછી પહેલા દ્વિકને બીજા કિ વડે ગુણવો, ત્યારે ચાર થાય. તે ચાર વડે બીજો દ્વિક ગુણવો એટલે આઠ થયા. તે આઠ વડે ચોથો દ્વિક ગુણવો ત્યારે સોળ થયા. વૃિત્તિમાં પંક્તિરચના કેમ કરવી ? તેની પદ્ધતિ કહી છે અને સ્થાપના પણ દેખાડી છે, જેનો અનુવાદ અમે કરેલ નથી.] માત્ર એટલું કે તેમાં પાશ્વવિલિત, અનન્યુણ, અપરિશાટિ, અઘતિ કર્મનો ભાંગો શુદ્ધ છે, બાકીના પંદરે ભંગો અશુદ્ધ છે. તેમના વિશે અનુજ્ઞા આપેલ નથી. | [૫૯૮] અતિ ઉષ્ણ ગ્રહણ કરવામાં દોષ કહે છે – (૧) આત્મ (૨) પવિરાધના. અતિ ઉષ્ણ ગ્રહણ કરવાથી તે ભાજન તેનાથી તપતા હાથ વડે ગ્રહણ કરનાર સાધુ દઝે, તે આત્મવિરાધના. સ્થાપન કરેલા સ્થાન વડે આપનારી આપે, તે અતિ ઉષ્ણ હોવાથી તેણી પણ શકે છે, તે પરવિરાધના. અતિ ઉષ્ણ હોવાથી દાન આપતા કોઈ પ્રકારે સાધુના પાત્રથી બહાર પડે તો ઈશ્રુસાદિની હાનિ થાય. વળી તે ભાજન-પાન પડી જવાથી ભંગ થવાનો કે છ જવનિકાયની વિરાધનાથી સંયમ વિરાધના થાય. વાયુકાય સુગમ છે. [૫૯૯] વનસ્પતિના વિષયમાં અને બસના વિષયમાં અનંતર અને પરંપર નિક્ષિપ્ત કહેલ છે તે ગાયામાં સ્પષ્ટ જ છે. તેમાં સર્વત્ર જે અનંતર નિક્ષિપ્ત હોય તે ગ્રહણ કરવા લાયક નથી. કેમકે સચિતનો સંઘટ્ટ વગેરે દોષનો સંભવ છે અને પરંપર નિપ્તિ હોય તો સચિતના સંઘાદિનો ત્યાગ કરવા વડે યતનાપૂર્વક ગ્રહણ કરવા લાયક છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૫૯૫ થી ૫૯૯ ૧૫૯ નિક્ષિપ્ત દ્વાર કહ્યું. હવે પિહિતદ્વાર કહે છે – • મૂલ-૬૦૦ થી ૬૦૪ : [૬૦] સચિવ, ચિત્ત અને મિશ્ર વડે પિહિતને આalીને ચૌભંગી થાય છે. તેમાં પહેલાં કણાને વિશે પ્રતિષેધ છે અને છેલ્લા ભંગને વિશે ભજના છે. ૬િ૦૧] જે પ્રમાણે નિક્ષિપ્તદ્વારમાં સંયોગો અને ભંગો કહી છે, તે જ પ્રમાણે આ પિહિdદ્વારમાં જાણતું. ત્રીજા ભંગમાં આટલું વિશેષ છે. ૬િ૦૨] અંગારદૂપિતાદિ અનંતર પિહિત છે અને સરાવાદિ સાંતર પિહિત છે તથા તેને વિશે જે વાયુ ઋષ્ટ છે, તે અનંતર છે અને બસ્તિ વડે પિહિત હોય તે પરંપરા છે. ૬િos] વનસ્પતિકાયમાં ફલાદિ વડે સ્પષ્ટ રીતે પિહિત હોય તે અનંતર છે. છકાદિમાં રહેલ તે પરંપરા છે. ત્રસકાય વિષયમાં કચ્છપ અને સંચારાદિ વડે પિહિત હોય તે અનંતર અને બીજું પરંપર જાણવું. [૬os] અચિત્ત વહુ પિહિત હોતા ગુરુ ગુર વડે, ગુરુ લઘુ વડે, લઘુ ગુર વડે, બંને લઇ એમ ચતુર્ભાગી થાય છે. તેમાં બે ભંગ અગ્રાહ્ય છે. • વિવેચન-૬૦૦ થી ૬૦૪ : ૬િ૦૦] અહીં ત્રણ ચતુર્ભગી થાય - (૧) સચિત અને મિશ્રપદ વડે, (૨) સચિત અને અચિત પદ વડે, (૩) મિશ્ર અને અચિત પદ વડે. જેમકે – (૧) સચિત વડે સચિત પિહિત, (૨) મિશ્ર વડે સચિત્ત પિહિત, (3) સચિત વડે મિશ્ર પિહિત, (૪) મિશ્ર વડે મિશ્ર પિહિત. આ જ પ્રમાણે બાકીની બંને સમજી લેવી. તેમાં પહેલી ચતુર્ભગીમાં ચારે ભંગોમાં આહાર ન કહ્યું. બીજી અને ત્રીજી ચતુર્ભગીમાં દરેકના પહેલા-પહેલાં ત્રણ ભંગમાં ન કહ્યું. છેલ્લા ભંગ વિશેની ભજન ગાથા-૬૦૪ માં કહેશે. ૬િ૦૧] ત્રણ ચતુર્ભગીના વિષયવાળા અવાંતર ભંગ કથનમાં ભલામણ જે પ્રકારે નિશ્ચિતતારમાં સચિવ, અચિત, મિશ્રના સંયોગો પૂર્વે કહ્યા છે, એ પ્રમાણે સ્વસ્થાન અને પરસ્થાનની અપેક્ષાથી એક એક ભંગમાં ૩૬-૩૬ ભેદો કહ્યો. એમ કરતાં ત્રણ ચતુર્ભગીમાં ૪૩૨ ભંગો થાય છે, તે જ પ્રમાણે અહીં પિહિત દ્વારમાં જાણવા. * * * * * વિશેષ એ - બીજી અને બીજી ચતુર્ભગીના દરેકના ત્રીજા ભંગમાં અનંતર અને પરંપર માર્ગણાની વિધિમાં નિક્ષિપ્તદ્વાર થકી આ આગળ કહેવાશે. તે તફાવત જાણવો. તેમાં સચિત પૃથ્વીકાય વડે સ્પર્શ કરાયેલ જે ખંડકાદિ તે સચિવ પૃથ્વીકાય અનંતર પિહિત હોય છે, જેને ગર્ભમાં સચિત પૃથ્વીકાય છે એવા પિઠાદિ વડે જે પિહિત તે સચિત પૃથ્વીકાય પરંપર પિહિત છે. એ જ પ્રમાણે હિમ આદિના દેટાંત સચિત અકાયને પણ જાણવા. ૬૨] અહીં જ્યારે તપેલી આદિમાં દાળ-કઢી વગેરેમાં કડછી આદિને વિશે ગારાને સ્થાપીને હીંગ આદિ વઘાર દેવાય છે. ત્યારે તે અંગારા વડે કેટલાંક દાળકઢીનો સ્પર્શ થાય છે. તે અનંતરપિહિત કહેવાય છે. અહીં મારા શબ્દથી મુમુસદિમાં ૧૬૦ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ નાંખેલા ચણા આદિ અનંતરપિહિત જાણવા. અંગારાથી ભરેલા શરાવાદિ વડે ઢાંકેલ પિઠરાદિ પરંપરપિહિત કહેવાય છે. તે અંગારદૂષિતાદિકમાં વાયુથી પૃષ્ટ છે, માટે તે અનંતરપિહિત જાણવું. કેમકે જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ હોય છે, તથા વાયુથી ભરેલ બસ્તિ વડે અને ઉપલક્ષણથી બસ્તિ વગેરે વડે જે પિહિત તે પરંપર પિતિ જાણવું. ૬િ૦૩] વનસ્પતિકાયના વિષયમાં ફળાદિ વડે અતિરોહિત જે પિહિત હોય તે અનંતરપિહિત કહેવાય છે અને છીબું, થાળી, વાસણ વગેરેને વિશે રહેલા ફળાદિ વડે જે પિહિત તે પરંપરપિહિત કહેવાય છે. ત્રસકાયમાં કાચબા વડે અને કીટિકાની પંક્તિ વગેરે વડે જે પિહિત તે અનંતર પિહિત કહેવાય અને જેને કચ્છપાદિ ગર્ભમાં છે એવા પિઠરાદિ વડે જે પિહિત તે પરંપર પિહિત કહેવાય. અહીં જે અનંતરપિહિત હોય તે કશે નહીં અને પરંપરપિહિત હોય તે યતનાવી લેવું. ૬િ૦૪] દેવાલાયક અચિત વસ્તુ પિહિત હોવાથી ચાર ભંગો થાય છે. ગુરુ ગુરુ વડે પિહિત એ પહેલો ભંગ, ગુરુ લઘુ વડે પિહિત એ બીજો ભંગ, લઘુ ગુર વડે પિહિત એ ત્રીજો ભંગ, લઘુ લઘુ વડે પિહિત એ ચોથો ભંગ છે. આ ચારે ભંગમાં પહેલો અને ત્રીજો ભંગ અગ્રાહ્ય છે. બીજો, ચોથો ભંગ ગ્રાહ્ય છે. પિહિત દ્વાર કહ્યું, હે સંત દ્વાર કહે છે. • મૂલ-૬૦૫ થી ૬૧૩ - ૬િ૦૫ સચિવ, અચિત્ત અને મિશ્ર સંહતને વિશે ચાર ભંગ છે. તેમાં પહેલાં ત્રણમાં પ્રતિષેધ છે, છેલ્લાં ભંગમાં ભજના છે. • [૬૬] • જે પ્રકારે નિતિ દ્વારમાં સંયોગો અને ભંગો કહ્યા છે, તે જ અહીં સંત દ્વારમાં કહેવા. તેમાં બીજ ભંગમાં વિશેષતા છે. • ૬િos - જે પગમાં દેનારી આપવાની છે, તે પગમાં કંઈક ન દેવા લાયક જે અશનાદિ હોય તેને બીજા સ્થાને નાંખીને તે પગ વડે આપે તે સંહરણ કહેવાય. - [૬૮] તે સંકરણ પૃથ્વી આદિ છે એ કાયને વિશે હોય છે તથા જે સંહરણ બંને પ્રકારે અચિત્તને આચિત્તમાં સંહરે તેમાં ચાર ભાંગા હોય. - [૬૯] તે ભંગો – (૧) શુકમાં શુષ્ક, (૨) શુકમાં આk, (3) આદ્ધમાં શુક, (૪) આદ્ધમાં અદ્ધ. - [૧૦] - શુષ્કાદિ ચાર ભંગમાં પ્રત્યેક ભંગને વિશે ચતુર્ભાગી થાય છે. તે રોક અને વહુના ભેદથી જણવું. - ૬િ૧૧] જે ભંગમાં રોકમાં સ્તોક, શુકમાં શુક કે આદ્ર આપવામાં આવે છે ગ્રાહ્ય છે. કેમકે જે તે આદેયવસ્તુ બહુ ભાર રહિત હોય તો તેને ઠેકાણે નાંખી અન્ય વસ્તુ આપે છે તો તે કહ્યું છે. - [૬૧] • અકય ભંગમાં આ દોષો છે - મોટું ભાજન લેતા મૂકતા દેનારીને પીડા થાય, સાધુ લોભી દેખાય, પpx નાશ થાય તો દછે, અપિતિ, વિચ્છેદ, છકાય વધ થાય. ૬િ૧૩] સોકમાં સ્ટોક નાંખેલ હોય, તે પણ શુકમાં આદ્ધ હોય તો તે આચીણ છે, પણ બહુક હોય Page #90 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૬૦૫ થી ૬૧૩ તો કૃત દોષ છે, માટે અનાસીર્ણ છે. • વિવેચન-૬૦૫ થી ૬૧૩ - [૬૦૫) જે પાત્રથી દેનારી ભોજનાદિ દેવાને ઈચ્છે, તે પાત્રમાં બીજી ન દેવા લાયક કંઈપણ સચિવ, અચિત કે મિશ્ર હોય, તેને તેમાંથી લઈ બીજે સ્થાને ભૂમિ આદિ ઉપર નાંખીને, તે પણ વડે બીજી વસ્તુ આપે છે. પ્રથમની વસ્તુ જે સરિતાદિમાં નાંખે, તેને સંહરણ કહેવાય. સંહરણને વિશે ત્રણ ચઉભંગી થાય છે. તે આ પ્રમાણે - (૧) સયિત અને મિશ્ર, (૨) સચિત અને અચિત્ત, (3) મિશ્ર અને અચિત. જેમકે - (૧) સયિતમાં સચિત સંદર્યું, (૨) મિશ્રમાં સચિત સંદર્યું. (3) સચિતમાં મિશ્ર સંદર્ય, (૪) મિશ્રમાં મિશ્ર સંહર્યું. એ રીતે બાકીની બે ચઉભંગી પણ સમજી લેવી. પહેલીમાં બધાં ભંગોમાં પ્રતિષેધ, (૨) બીજી અને ત્રીજીમાં પહેલાં ત્રણ-ત્રણ ભંગોને વિશે પ્રતિષેધ છે. ચોથા ભંગમાં ભજના છે. - [૬૬] નિક્ષિપ્ત દ્વારમાં સચિત, અયિત, મિશ્રપદના સંયોગો કર્યા છે, તથા સ્વસ્થાન-પરસ્થાનની અપેક્ષાએ એક એકમાં ૩૬-ભંગો કહ્યા, કુલ-૪૩૨ ભંગો થયા છે, તેમ અહીં પણ જાણવા. વિશેષ એ કે સંહત દ્વારમાં અનંતર અને પરંપર માર્ગણા અન્યથા રીતે થશે. [] ગાથાર્થ કહ્યો. વિશેષ આ પ્રમાણે છે – સચિત પૃથ્વીકાયમાં જ્યારે સંહરણ કરે ત્યારે અનંતર સચિત પૃથ્વીકાય સંહરણ કહેવાય. સચિત પૃથ્વીકાય ઉપર રહેલા ભાજનાદિમાં સંકરણ કરે ત્યારે પરંપર સચિત પૃથ્વીકાયમાં સંહરણ કર્યું કહેવાય. આ પ્રમાણે અકાયાદિમાં કહેવું. અનંતરમાં ગ્રહણ ન કરવું. પરંપર સંહતમાં સચિતનો સ્પર્શ ન હોય તો ગ્રહણ કરવું. ૬િ૦૮] પાત્રમાં રહેલ અદેય વસ્તુનું સંહરણ સચિત પૃથ્વીકાયાદિ છે જીવનિકાસમાં થાય છે. તેમાં અનંતરોક્ત અનંતર પરંપર માર્ગણા વધારવી કલયાલયનો વિધિ જાણવો. આધારણ અને સંવરણીય વસ્તુને આશ્રીને ચાર ભંગ - [૬૯] - શુક અને આદ્રને આશ્રીને આ ચાર ભંગ કહ્યા છે. • ૬િ૧૦] - શુકાદિમાં પણ પ્રત્યેકને આશ્રીને સ્ટોક અને બહુના ભેદથી ચાર ભંગ જાણવા. આ રીતે સર્વ સંખ્યા-૧૬-થશે. હવે કલય-અકલયની વિધિ કહે છે - ૬િ૧૧] બહુમાં સ્ટોક અને તે પણ શુકમાં શુક સંહરેલ હોય તો કલો છે. આદ્રમાં શુક કે આદ્રમાં સંહર્યું હોય તો તે ગ્રાહ્ય છે. ઘણાં ભાર વાળી અદેય વસ્તુને બીજા સ્થાને નાંખી બીજી વસ્તુ આપે તો તે કયે અન્યથા ન કહ્યું. પહેલા અને ત્રીજા ભંગમાં કશે, બાકીમાં નહીં. ૬૧૨] ભારે વાસણ ઉપાડતા દાગીને પીડા થાય. “આ સાધુ લોભીયો છે, બીજાની પીડાને ગણતો નથી” એવી ટીકા થાય. ઉષ્ણ વસ્તુ હોય અને વાસણ માંગે તો દેનારી અને સાધુ બંને દછે. આ મુંડીયાને ભિક્ષા દેતા વાસણ માંગ્યું એમ ખેદ થતાં અપ્રીતિ થાય. બંનેના દ્રવ્યનો વિચ્છેદ થાય. ભોજનાદિ ચોતરફ વેરાતા છકાય વિરાધના થાય. એવા દોષો બીજા અને ચોથા ભંગમાં જાણવા. • • આદ્રમાં શુક કે 35/11] ૧૬૨ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ આદ્ધ તે આસીર્ણ છે માટે કહ્યું છે. બહુકનું સંહરણ અનંતર ગાથા મુજબ દોષવાળું છે. • મૂલ-૬૧૪ થી ૬૧૯ : સંહલ દ્વાર કહ્યું. દાયક નામે છટકું દ્વાર છ ગાથાણી કહે છે. તે આ પ્રમાણે - (૧ થી ૫) બાલ, વૃદ્ધ, માં, ઉન્મત્ત, કંપતો, (૬ થી ૧૦) જવરવાળો, આંધ, પ્રગલિત, પાદુકાઢ, હાથના બંધનવાળો, (૧૧ થી ૧૫) નિગડ બંધનવાળો, હાથ પગ રહિત, નપુંસક, ગર્ભિણી, બાલવત્સા, (૧૬ થી ૨૦) ભોજન કરતી, દહીં વલોવતી, ભુંજતી, દળતી, ખાંડતી, (૨૧ થી ૫) પીસતી, પીંજતી, લોઢતી, કાંતતી, પfખતી, (૨૬ થી ) છ કાય સહિત હાથવાળી, છ કાયને સાધુને માટે ની ઉપર નાંખતી, છ કાયને પણ વડે ચલાવતી, તેનો જ સંઘ કરતી, તેનો જ આરંભ કરતી, (૩૧ થી ૩૫) સંસકત દ્રવ્ય વડે લીધેલા હાથવાળી, તેના વડે ખરહેલા પાત્રવાળી, ઉદ્ધના કરતી, સાધારણ ભોજનાદિને આપતી, ચોરેલ વસ્તુ આપતી, (૩૬ થી ૪૦) પ્રાભૃતિકાને સ્થાપન કરતી, અપાયવાળી, અન્યનું ઉદિષ્ટ આપતી, આભોગથી આપતી અને અનાભોગથી આપતી. આ દોષો વર્જવાના છે. • વિવેચન-૬૧૪ થી ૬૧૯ : (૧) ચીન - જન્મચી આઠ વર્ષનો, (૨) વૃદ્ધ - ૩૦ કે બીજા મતે ૬૦ વર્ષ, તેથી ઉપરનો. (3) મત્ત મદિરાદિ પીવાથી, (૪) ૩૧ - ગર્વિષ્ઠ કે ગૃહિત, (૫) કંપતો, (૬) જ્વરિત-તાવનો રોગી, (૭) અંધ-ચક્ષુરહિત, (૮) પ્રગલિત-ઝરતા કોઢવાળાં, (૯) આરૂઢ-પાદુકા ઉપર ચઢેલો. (૧૦) હાથના બંધનવાળો. (૧૧) પગે બેડી બાંધેલ, (૧૨ થી ૧૩) સુગમ છે. (૧૮) ચૂલા ઉપર કડાઈ આદિમાં ચણા શેકતી, (૧૯) ઘંટી વડે ઘઉં હતી, (૨૦) ખાણીયામાં તંદુલાદિને ખાંડતી. (૨૧) શીલા તળે આમળા વાટતી, (૨૨) રૂને પીંજતી, (૨૩) કપાસને લોઢતી, (૨૪) કાંતતી, (૨૫) રૂર્ત છૂટું પાડતી. (૨૬ થી ૩૦) સુગમ છે. (૩૧) દહીં આદિ વસ્તુથી ખરડાયેલા હાથ વાળી (૩) તેનાથી જ ખરડેલા પાનવાળી. (33) મોટા વાસણાદિનું ઉદ્વર્તન કરીને તેમાંથી આપતી. (3૪ અને ૩૫) સુગમ છે. (૩૬) અગ્રકૂટાદિ નિમિતે મૂળ તપેલીમાંથી કાઢીને થાળી આદિમાં મૂકતી. (39) અપાયના સંભવવાળી દાગી. (૩૮) વિવક્ષિત સાધુ સિવાય બીજા સાધુને ઉદ્દેશીને સ્થાપેલ હોય તેને આપતી. (૩૯) સાધુને આ પ્રકારે ન કહો એમ જાણવા છતાં પણ પાસે આવીને અશુદ્ધ આપતી, (૪૦) અનાભોગથી અશુદ્ધ આપતી. દાયકના આ ૪૦-દોષો છે. અપવાદથી આ દાયકનો ત્યાગ-અત્યાણ. • મૂલ-૬૨૦,૬૧ - દિર) આ દાયકો મળે કેટલાંક પાસેથી ગ્રહણ કરવાની ભજના છે, કેટલાંક પાસેથી ગ્રહણ ન કરાય. તેથી વિપરીત વિશે ગ્રહણ હોય છે. [૧] Page #91 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૬૨૦,૬૨૧ ૧૬૩ ૧૬૪ બાલને આશ્રીને દોષ વિશે ષ્ટાંત છે, અર્થ વિવેચનથી જાણતો. • વિવેચન-૬૨૦,૬૨૧ - બાલાદિ દાયકો વિશે કેટલાંક પાસેથી - ૧ થી ૫ સુધીના દાતારો પાસેથી ગ્રહણ કરવાની ભજના અર્થાત્ મોટા પ્રયોજનમાં કહ્યું, બાકી સમયે ન કશે. છ કાય યુક્ત હાથવાળી, ૨૬ થી ૪૦ સુધીનીના હાથે ભિક્ષાનું ગ્રહણ છે. પણ બાલાદિ સિવાયના દાયક હોય તો ગ્રહણ થઈ શકે. બાલાદિમાં દોષો - કોઈ નવી શ્રાવિકા પોતાની પુત્રીને ‘સાધુને ભિક્ષા આપજે' તેમ કહીં ખેતરમાં ગઈ. કોઈ સાધુ ભિક્ષાર્થે આવ્યા. તે બાલિકાએ તંદુલ-ભાત આપ્યા. બાલિકાને મુગ્ધ જાણીને બધો ભાત વહોરી લીધો. એ પ્રમાણે મણ, ઘી, દહીં આદિ સર્વે આપ્યું. સાંજે માતા ઘેર આવી, તેણીએ જે-જે માંગ્યુ, તે-તે બાલિકા બોલી સાધુને આપી દીધું. તે શ્રાવિકા રોષ પામી. બધું સાધુને આપી દીધું? સાધુએ માંગ્યું અને મેં આપ્યું. સાધુ ઉપર કોપાયમાન થઈ, શ્રાવિકા આચાર્ય પાસે આવી. ઉંચે સ્વરે ફરિયાદ કરવા લાગી. પરંપરાએ ઘણાં લોકો એકઠા થઈને સાધુનો અવર્ણવાદ કરવા લાગ્યા, - “આ સાધુ લંયરા છે" આચાર્યએ તે સાઘના બધાં ઉપકરણાદિ ખેંચી લઈ વસતિથી બહાર કાઢી મૂક્યો. શ્રાવિકા અનુકંપાથી તેને માફી આપી બોલાવી લેવા કહ્યું, તેને શિક્ષા આપી વસતિમાં દાખલ કર્યો. આ રીતે બાળક પાસે ભિક્ષા ન લેવી. સ્થવિરના દોષો કહે છે – • મૂલ-૬૨ થી ૬૨૫ : દિર સ્થવિર હોય તે ગળતી લાળવાળો હોય, હાથ કંપતા હોય અથવા દેતો એળે તે પડી જાય, આ તો અસ્વામી છે, એમ ધારીને એકને કે બંનેને વિશે દ્વેષ થાય - ૬િર૩] - આલિંગન, ઘાત, પાત્રભેદ, વમન, શુચિ છે એમ લોકની ગહ એ દોષો માંને વિશે છે. વમનને તજીને બધાં જ દોષો ઉન્મત્તને વિશે છે. • ૬િર૪] . કંપતા પાસેથી ગ્રહણ કરતાં તે વસ્તુનું પરિશાટન થાય અથવા પાત્રની પડખે તે વસ્તુ પડી જાય કે પગનો ભંગ થાય. એ જ દોષો વરિતમાં છે, વળી વરનો સંક્રમ અને ઉદાહ થાય. • [૬૫] • ધ પાસે ભિક્ત ગ્રહણમાં ઉEાહ, કાયવધ, પોતે પડે અને વસ્તુ પાનની બહાર પડે. અતિ કરતાં લોહીવાળો કે ચામડીના દોષવાળામાં વ્યાધિ સંકમે. • વિવેચન-૬૨૨ થી ૬૨૫ : ૬િ૨૨] અતિ સ્થવિર પ્રાયઃ લાળ ઝરતો હોવાથી દેવ વસ્તુ પણ લાળ વડે ખરડાય, તે ગ્રહણ કરે તો લોકમાં ગહ થાય, તેના હાથના કંપચી દેય વસ્તુ પડી જતાં છ કાયની વિરાધના થાય. સ્થવિર પોતે પડે તો તેને પીડા થાય અને છકાય વિરાધના થાય. પ્રાયઃ સ્થવિર ગૃહસ્વામી રહેતો નથી. તેથી નવા સ્વામીને તેને દાન દેતો જોઈને દ્વેષ થાય. - [૬૩] - મત પુરુષ કદાચ મતપણાથી સાધુને આલિંગના કરે, કોઈ મદના વ્યાકુળપણાથી સાધુને કેમ આવ્યો છો ? પૂછે, ઘાત કરે, પામ ભાંગી પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ નાંખે, પીધેલા દારૂનું વમન કરે, તેથી સાધુ કે સાધુના પાક ખરડાય, લોકમાં ગુણા થાય. તેથી મત પાસે ગ્રહણ ન કરૂં વમન સિવાયના દોષો ઉન્માદીને વિશે પણ જાણવા. માટે તેની પાસે પણ ન લેવું. [૬૨૪] કંપતા દાતા પાસે પણ ભિક્ષા લેતાં વસ્તુ પડી જળ, પાત્ર ખરડાવું, વાસણ કૂટવું આદિ દોષો થાય. વરવાળા પાસે પણ આ દોષો સંભવે છે. સાધુને જ્વરનો સંક્રમ થાય, લોકમાં ઉgeણાદિ થાય. - [૬૫] - અંધ પાસે ભિક્ષા લેતા પણ ઉદાહણાદિ થાય – “જો આ સાધુ, આંધળા પાસે ભિક્ષા લે છે.” તે દેખતો ન હોવાથી છકાય વિરાધના થાય. ખલના પામે, ભોજન પડી જાય, પાત્ર ભાંગે, આહાર પાનની બહાર પડે. ચામડીના દહીં પાસે પણ ન લેવું. ઈત્યાદિ બધું ગાથાર્થવ જાણવું. હવે પાદુકારૂઢ આદિ દોષ કહે છે – • મૂલ-૬૨૬ થી ૬૩૦ : [૬૬] પાદુકારૂઢને પડવાનું થાય, બદ્ધ પાસે લેતા તેને પરિતાપ થાય, અશુચિથી જુગુપ્સા થાય. હાથ છેટાયેલા પાસેથી લેતા જુગુપ્સા થાય. પણ છેદાયેલા પાસે લેવા જુગુપ્સા તથા પડવાનું બને. - ૬િ૨૭] - નપુંસક ભિક્ષા આપતો એવો પોતાને, પરને, ઉભયને દોષ લાગે. વારંવાર ભિક્ષા લેવાથી ક્ષોભ અને લોક મુસા થાય છે. • ૬િ૨૮] - ઉઠતાં, બેસતાં ગર્ભિણીના ગર્ભનો સંચાર થાય છે, તથા બાળકને માંસખંડ કે સસલાનું બચ્ચું ધારીને મારાદિનો નાશ કરે છે. - ૬િર૯] - ભોજન કરતી દxી આચમન કરે તો જળની વિરાધના થાય, ન કરે તો ગોબરી છે એમ લોકગહ થાય, મથન કરતી આપે તો સંસકત વિશે લપાયેલ હાથને વિશે રસમાં રહેલા જીવોનો વિનાશ થાય. • ૬િBo] - પીસવું. ખાંડવું, દળવું કરતી દબી ભિક્ષા આપે તો જળ અને બીજનું સંઘન થાય, ભજતી હોય તો બળી જાય, પિંજન અને સૂચનાદિ જતી દી આપે તો લીંપાયેલા હાથને ધોતાં જળની વિરાધના થાય છે. • વિવેચન-૬૨૬ થી ૬૩૦ : [૬૨૬] પાદુકારૂઢ માણસને ચાલતી વેળા પતન થવું સંભવે છે, બાંધેલ દાતાને દુ:ખ થાય. મૂત્રાદિના ત્યાગ કરનાર પાસેથી લેતાં “આ સાધુઓ અશુચિ છે.” એવી જુગુપ્સા થાય છે. હુંઠા પાસેથી લેતા એવી ગુપ્સા થાય કે- તથા પ્રકારના હાથના અભાવે શૌચ કરવાનો અસંભવ છે, ભિક્ષાપાત્ર કે દેય વસ્તુનું પડવું થાય છે, છ કાય જીવનો વધ થાય છે. આ જ દોષો લંગડા દાતામાં પણ થાય છે. તેઓને તો પોતાને પડવાનો પણ સંભવ થાય. | [૬૨] નપુંસક પાસે વારંવાર ભિક્ષા લેવાતા પરિચય વધે. તેનાથી નપુંસકને, સાધુને કે બંનેને વેદોદયરૂપ ક્ષોભ થાય છે. બંનેને મૈથુન સેવારૂપ કર્મબંધ થાય. વળી ક્યારેક ગ્રહણ કરવામાં પણ લોક જુગુપ્તા સંભવે છે - આ સાધુ અધમ એવા નપુંસક પાસેથી પણ ભિક્ષા લે છે. સાધુને પણ તેવા સમજે. Page #92 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૬૨૬ થી ૩૦ ૧૬૫ [૨૮] ભિક્ષા આપવા ઉઠતી કે બેસતી ગર્ભિણીના ગર્ભનો સંચાર થાય છે. તેથી તેની પાસેથી ન લેવાય. બાળકને ભૂમિ ઉપર કે માંસાદિ ઉપર મૂકીને જો ભિક્ષા આપે તો પણ બિલાડી, કુતરાદિથી વિનાશ સંભવે છે, ખરડાયેલા હાથે બાળકને ગ્રહણ કરે તો તેને પીડા થાય છે. તેથી બાલવીસાથી ન લેવું. ૬િર૯] ભોજન કરતી દાબી ભિક્ષા આપવા હાથ ધોવે તો જળ વિરાધના. ના ધોવે તો તેણી ગોબરી લાગે. દહીંને વલોવતા જો તે દહીં આદિ સંસક્ત હોય તો ભિક્ષા દેતાં તદ્વર્ણ જીવોનો વધ થાય છે તેથી લેવું ન કશે.. ૬િ૩૦] પીસવું, ખાંડવું, દળવું આદિ કરતી દpણીના હાથે લેતાં જળ અને બીજનું સંઘન સંભવે છે. કેમકે તલ આદિ સયિત તેના હસ્તાદિમાં લાગેલા સંભવે છે. હાથ ખંખેરવાથી કે ભિક્ષાના સંબંધી કે ભિક્ષા આપીને જળ વડે હાથ ધોવાથી જળ અને બીજનો વિનાશ સંભવે છે. આ જ પ્રમાણે ખાંડવા અને દળવામાં યથાયોગ્ય. ભાવના કરવી. મુંજતી વખતે તે ભિક્ષા આપતી હોય તો લાગવાથી કડાઈમાં નાંખેલા ચણા આદિ બળી જાય છે. એ રીતે પીંજવું, લોઢવું આદિમાં જળ વડે હાથ ધોતા જળનો વિનાશ થાય છે. માટે તેની પાસેથી ભિક્ષા લેવી ન કો. હવે છકાય વ્યગ્રહસ્તાદિ દોષોનું સ્વરૂપ – • મૂલ-૬૩૧ થી ૬૩૫ - [૬૩૧,૬૩] હાથમાં સજીવ લવણ, જળ, અગ્નિ, બસ્તિ, ફલાદિ અને મસ્યાદિ હોય, તેને ભૂમિ પર નાંખીને આપે, તેને પગ વડે હલાવે, તેને શેષ અવયવ વડે સંદૃન કરે, તેનો જ આરંભ કરે, ભૂમિને ખોદે, સ્નાન કરે, ધોવે, કંઈક છાંટે, છંદ અને વિશારણને કરે, ક્રતા ત્રસકાયને છેદે. ૬િ૩૩] કેટલાંક આચાર્યો છકાય વગ્રહસ્તા એટલે કોલાદિ કર્મ ઉપર રાખેલા હોય અને સિદ્ધાર્થ પુષ્પોને મસ્તક ઉપર રાખેલા હોય, તો તેના હાથથી આપેલું ન કો એમ કહે - ૬િ૩૪] - બીજી કહે છે કે – દશે એષણા મળે તેનું ગ્રહણ કર્યું નથી, તેતી તે વર્જા લાયક નથી, તેને જવાબ આપે છે કે દાયકના ગ્રહણથી તેનું ગ્રહણ આવી જ જગયું. ૬િ૩૫] સંસક્તિવાળા દેશમાં સંસતિવાળા દ્રવ્ય વડે જેના હાથ કે પગ લેંપાયેલ છે એવી દMી વર્જી તથા મોટા વાસણને ઉતારતાં સંશશ્મિ પાણીનો વિનાશ થાય, વાસણ ઉંચુ ઉપાડતા પણ તે જ દોષ થાય છે. • વિવેચન-૬૩૧ થી ૬૫ - છ કાય વ્યગ્રહતા સ્ત્રી જો આ સજીવ લવણાદિમાંથી કોઈપણને સાધુને ભિક્ષા આપવાને ભૂમિ ઉપર નાંખે તો તેના હાથેથી ભિક્ષા ન કો. છ કાયને પણ વડે સ્પર્શે, હાથ આદિ વડે તેનું સંઘન કરે. કોશ આદિ વડે પૃથ્વી આદિને ખોદે. આમ કહી પૃથ્વીકાયનો આરંભ કહ્યો. તેણી શુદ્ધ જળ વડે સ્નાન કરે, વસ્ત્રો ધુએ, વૃક્ષાદિને સીંચે આ ક્રિયા થકી અકાયનો આરંભ કહ્યો. કુંક મારી અગ્નિ સળગાવતી ૧૬૬ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ કે સચિત વાયુથી ભરેલ બસ્તિ વગેરેને આમ તેમ નાંખતી, એમ કહીને અગ્નિ અને વાયુનો આરંભ કહ્યો. શાક વગેરેને છેદન-વિશારતી, તંદુલ કે મગ આદિને સાફ કરતી, ત્રસકાયરૂપ મત્સાદિ પીડા વડે ઉછળતાને છેદતી, એમ કહી ત્રસકાયનો આરંભ કહ્યો. આ પ્રમાણે છે જીવનિકાયનો આરંભ કરતી દાબીના હાથે લેવું ન કહે. કેટલાંક આચાર્યો બોર વગેરેનું ગ્રહણ કરે છે, કાનમાં ધારણ કરેલા કે મસ્તકે રાખેલા સરસવ અને પુષ્પોને પણ વર્જે છે, તેમના મતે છકાયવ્યગ્રહરતા પદથી છકાયનો સ્પર્શ કરતી એ પદનો વિશેષ દુરપપાદ છે. તો કોઈ કહે છે કે છેકાય વ્યગ્રહસ્તા શબ્દનું ગ્રહણ દશે એષણા દોષોમાં નથી. તેથી કોલાદિ વડે યુક્ત દાત્રીથી ભિક્ષાનું ગ્રહણ વર્ય નથી. તેમને ઉત્તર આપે છે કે “દાયક' દોષમાં છકાય વ્યગ્રહસ્તાનું ગ્રહણ થઈ જ જાય છે. ગાથા-૬૩૫નો અર્થ સ્પષ્ટ જ છે. વિશેષ આ – સંવાર એટલે સંસારિમ કીટિકા, મકોટ આદિ પ્રાણીનો વ્યાઘાત. મોટા પિઠાદિ વાસણ વારંવાર ઉપાડાતા નથી, જેમ-તેમ તેનો સંચાર થતો નથી, વિશેષ પ્રયોજનથી જ તેને ક્યારેક ઉપાડાય છે. તેથી પ્રાયઃ તેને આશ્રીને કીટિકાદિ પ્રાણી સંભવે છે. તેથી તેને ઉદવર્ત કરીને અપાય ત્યારે તેને આશ્રીને રહેલા જંતુનો વિનાશ થાય છે. દામીને પણ પીડા થાય, માટે તેમાં ભિક્ષા ન કયે. • મૂલ-૬૩૬ થી ૬૩૮ - [૩૬] ઘણાંને સાધારણ એવી વસ્તુ આપતાં અનિકૃષ્ટમાં કહેલા દોષો લાગે છે, તથા ચોરી વડે કર્મકર કે પુત્રવધૂ આપે તો ગ્રહણાદિ દોષ લાગે. • ૬િ૩૭) પ્રાભૃતિકાને સ્થાપન કરીને આપે તો પ્રવનાદિ દોષો લાગે, અપાય ત્રણ ભેદ – તિર્ય, ઉદd, આધ, ધાર્મિકાદિ માટે સ્થાપન કરેલું કે અન્ય સંબંધી દ્રવ્ય પરનું છે માટે ન લેવું. - [૬૩૮] - જાણવા છતાં પણ અનુકંપાએ કરીને કે પ્રત્યનીકાપણાથી તે એષણાના દોધોને કરે છે. બીજે માણતા જ અાઠમણે કરે છે. • વિવેચન-૬૩૬ થી ૬૩૮ : [૬૩૬] ગાથાર્થ કહ્યો. વિશેષ આ – ચોરીથી આપે તો બંધન, તાડન આદિ દોષો લાગે, માટે તેની પાસેથી લેવું ન લો. - [૬૩] - આ ગાળામાં પ્રાભૃતિકા સ્થાપન આદિ ત્રણ દોષ કહેલ છે. તે આ - બલિ આદિ નિમિતે ઉપહાને સ્થાપીને જે દાબી ભિક્ષા આપે તેમાં પ્રવર્તનાદિ દોષો લાગે. અપાય ત્રણ ભેદે છે :- તીર્થો અપાય - ગાય આદિથી, ઉર્વ અપાય - બારસાખ ઉપરના કાષ્ઠ વકી, અધો અપાય • સર્પ, કાંટા આદિથી. આ અપાય જાણીને તેની પાસેથી ભિક્ષા ન લે. અન્ય સાધુ, કાટિકાદિ નિમિતે સ્થાપન કરેલ હોય. તે પરમાર્ચથી બીજા સંબંધી છે, માટે ન લેવું, તેનાથી અદત્તાદાન દોષ લાગે અથવા પર એટલે ગ્લાનાદિ, તેનું પણ લેવું ન કલ્પે. માત્ર તેમાં જે “જ્ઞાનાદિ ન લે તો તમે વાપરજો એમ કહેલ હોય તો લેવું કશે. - Page #93 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૬૩૬ થી ૬૩૮ ૧૬ [૬૩૮] - મુનિ સદા અંત પ્રાંત જે ખાય છે તો અનુકંપાથી ઘેબર આદિ કરે અથવા સાધને અનેષણીય ન લેવાનો જે નિયમ છે, તેનો ભંગ કરાવવાની બુદ્ધિથી આધાકમદિ દોષો કરે અથવા અશઠ ભાવથી જ કોઈ અજાણતા જ વહોરવે. હવે ‘ભજના' સમજાવે છે. • મૂલ-૬૩૯ થી ૬૪૨ - ૩િ૯] બાળક પોતે ભિHIમત્ર જ આપે કે કોઈના કહેવાથી આપે તો તે ગ્રહણ કરાય, પરંતુ ઘણું આપે તો વિચારવું, અનુજ્ઞા હોય તો કહ્યું - ૬િ૪o] • સ્થવિર છતાં પ્રભુ હોય, થરથરતો છતાં બીજાએ ધારણ કરેલ હોય કે દેa શરીરી હોય તો કહ્યું છે. કંઈક મત હોય તો પણ શ્રાવક, અપરાધીન અને અસામારિક હોય તો કહ્યું છે. - [૬૪૧] - દૈતાદિ છે શુચિ અને ભદ્રક હોય, કંપતો પણ ઢ હાથવાળો હોય, ર પણ શિવ હોય અને અંધ પણ એ શ્રાવક હોય અને દેય વસ્તુ બીજાએ ધારણ કરી હોય અથવા આંધને બીજાએ ધારણ કરેલ હોય તો તેની પાસેથી કહ્યું છે. - [૬૪] મંડલ અને પ્રસૂતિરૂષ કોઢવાળા સેથી સાગરિકના અભાવે કહ્યું, પાદુકારૂઢ અચળ હોય તો કહ્યું, પણ બંધાયેલો ચાલી શકતો હોય તો કહ્યું, ન ચાલી શકતો હોય તો સાગરિકના અભાવે બેઠો બેઠો આપે તો કલો. • વિવેચન-૬૩૯ થી ૬૪ર : ૬િ૩૯] માતાની ગેરહાજરીમાં બાળક અપ ભિક્ષા આપે કે પાસે રહેલ માતાદિના કહેવાથી બાળક વડે અપાય તો ભિક્ષા કહ્યું છે. બાળક જો ઘણું આપતું હોય તો તેના માતાપિતાદિની અનુજ્ઞા હોય તો કો. અન્યથા ન કશે. - [૬૪] - સ્થવિર અને મતના વિષયવાળી ભજનાને આ ગાયામાં કહે છે, ગાથાર્થ સ્પષ્ટ જ છે. - ૬િ૪૧] - ઉન્મત એટલે તાદિ અતિ મદોન્મત કે ગ્રહગૃહિતાદિ, તે જો શુચિ અને ભદ્રક હોય તો તેના હાથેથી દીધેલું કલે, અન્યથા ન કલ્પે. શેષ વૃત્તિ ગાથાર્ય મુજબ જાણવી. • ૬િ૪૨] - હવે વદોષાદિ પાંચની ભજના કહે છે - ગોળાકાર વિશેષ પ્રકારના ખરજવા, નખાદિથી વિદારતા છતાં ચેતનાનું જ્ઞાન ન થાય એવા પ્રકારનો જે શુક કોઢ રોગ હોય તેવો તે સાગારિક અભાવે આપે તો લેવું કહો. બીજા કુઠી કે સાગાકિના દેખતા લેવું ન કો. - x • પગે બંધાયેલા જો પીડારહિતપણે આમતેમ જઈ શકતો હોય તો તેની પાસેથી કશે અન્યથા લેવું ન કરે. હાથ બાંધેલ હોય તે તો ભિક્ષા દેવા સમર્થ જ નથી, તેથી પ્રતિષેધ જ છે. પણ ઉપલક્ષણથી મૂકેલ છે. શેષ કથન ગાથાર્થ મુજબ છે. • મૂલ-૬૪૩ થી ૬૪૬ : [૬૪] નપુંસક છે આપતિસેવી હોય, પ્રસૂતિ વેળા થઈ હોય, બાળક સ્તન વડે જીવતો હોય, એ જ પ્રમાણે બીજા બધાં જાણવા, મુસળ ઉંચુ કરેલ હોય, તેમાં કોઈ બીજ લાગેલા ન હોય, તેને અનાપાત સ્થાનમાં સ્થાપે તો કહ્યું. ૧૬૮ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ - [૬૪] . પીસતી આ પીસી રહી હોય, પાસુકને પીસતી હોય, અસંસક્તનું મથન કરતી હોય, શંખ ચૂર્ણ વડે હાથ ખરડ્યા વિના કાંતતી હોય કે ખરડેલા હાથને જળ વડે ધોતી ન હોય - ૬િ૪૫ - ઉદ્ધનિને વિશે અસંસક્ત હાથ વડે અસ્થિકને સ્પર્શતી ન હોય તથા પીંજણ અને પમનને વિશે પણ પullcકર્મ ન કરતી હોય તો તેણીના હાથથી આપેલું કહ્યું છે. - [૬૪૬] • કાયગ્રહણ આદિ શેષ દ્વારોને વિશે પ્રતિપક્ષ સંભવતો નથી તેથી પ્રતિપક્ષના અભાવે નિશ્ચયે તેનું ગ્રહણ જ છે. • વિવેચન-૬૪૩ થી ૬૪૬ : [૬૪] નપુંસક પણ જો લિંગાદિ સેવનાર ન હોય તો તેની પાસેથી કો. ગર્ભવતી પણ નવમા માસના ગર્ભવાળી હોય તો સ્થવિર કભી તેનો ત્યાગ કરે, પણ આઠ માસ સુધીની હોય તો સ્થવિરકલીને તેણીના હાથથી લેવું કલે છે. સ્તનપાનથી જ જીવતા બાળકની માતા પાસેથી લેવું ન કહો. પણ આહાર કરતા થયેલ બાળકની માતા પાસેથી લેવું કલો. જિનકલિકો તો બંનેને સર્વથા વર્જે છે. ભોજન કરતી એ કોળીયો હજી મુખમાં મૂકેલ ન હોય તો તેણીના હાથે કહે છે. મુંજતી એવી એ પણ સચિવ ગોધૂમાદિ શેકીને ઉતાર્યા હોય અને બીજા હજુ હાથમાં ન લીધા હોય ત્યારે સાધુને આપે તો લેવું કહ્યું છે. દળેલા સચિવ મગ આદિ સાથે છંટી મૂકી દે તેવા સમયે આવેલા સાધુને આપે કે સચિત મગ આદિ દળતી હોય તો તેની પાસેથી લેવું કલો છે. મુશળના વિષયમાં ગાથાર્ચ મુજબ જાણવું. હવે ભજની કહે છે ૬િ૪૪,૬૪૫] ગાથાર્થ સ્પષ્ટ જ કહેલ છે વૃતિમાં વિશેષ આ પ્રમાણે છે – પશ્ચાત્કર્મ ન થાય તે પ્રકારે ગ્રહણ કરવું સાધુને કરે છે. ૬૪૬] ગાથાર્થ સ્પષ્ટ છે –૦- હવે ઉત્મિશ્ર દ્વાર કહે છે :• મૂલ-૬૪૭ થી ૬૫૦ : [૬૪] અહીં સચિત, આચિત અને મિશ્ર એ ત્રણ ભેદ છે. તેમાં મિશ્રમાં ચતુર્ભગી છે. પહેલાં ત્રણ ભંગમાં નિષેધ અને છેલ્લામાં ભજના છે. • ૬િ૪૮) - જેમ પહેલાં સંકરણ દ્વારમાં કાયના ભંગો દેખા , તેમજ ઉર્મિશ્ર દ્વારમાં પણ કહેવા, તેમાં આટલું વિશેષ છે - [૬૪૯] - દેય ઓદન અને અદેય દહીં આદિ, બને તે મિશ્ર કરીને આપે તે ઉભિ સદેય વસ્તુને બીજે સ્થાને મૂકીને જે આપે તે સંહરણ કહેવાય છે . [૬૫] - તેમાં પણ શુકને વિશે શુદ્ધ ઈત્યાદિ ચાર બંગો, સંહતની જેમ કહેવા. અભ અને વહુને આશ્રીને પણ ચાર કહેવા, તે જ પ્રમાણે આચીર્ણ અને અનાચીણ જાણવા. • વિવેચન-૬૪૭ થી ૬૫૦ : [૬૪૭] અહીં જે જેને વિશે મિશ્ર કરાય છે, તે બંને વસ્તુ ત્રણ પ્રકારે છે – સચિવ, અચિત, મિશ્ર. તેથી મિશ્રને વિશે ચતુર્ભગી થાય છે. તેમાં (૧) સયિત અને મિશ્રપદથી (૨) સચિવ અને અચિત પદથી, (૩) મિશ્ર અને અમિત પદથી, એમ Page #94 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૬૪૭થી ૬૫૦ ૧૬૯ ૧૦ ત્રણ ચતુર્ભાગી થાય છે જે પૂર્વવત સમજી લેવી. ગાથાર્થ કહેલ જ છે, હવે અતિદેશને કહે છે - [૬૪૮] પહેલાં સંહરણ દ્વાર માફક ૪૩૨ ભંગો અહીં પણ કહેવા. જેમકે - સચિત પૃથ્વીકાય સચિત પૃથ્વીકાયને વિશે ઉત્મિશ્ર, સચિત પૃથ્વીકાય સચિવ કાયને વિશે ઉત્મિશ્ર. એવા ૩૬-ભંગો થાય. પ્રત્યેક સંયોગોમાં વળી ચતુર્ભાગી થાય. એ પ્રમાણે ૩૬ને ૧૨ વડે ગુણવાથી ૪૩૨-ભંગો થાય. ૬૪૯] સંહત અને ઉમિશ્રના તફાવતને જણાવવા આ ગાથા કહેલ છે - સાધુને આપવા લાયક અને ન આપવા લાયક વસ્તુને મિશ્ર કરીને આપવી તે ઉત્મિશ્રા કહેવાય, સંતરણમાં સ્થાનનું પરિવર્તન હોય છે. [૬૫] અયિતમાં અચિતને મિશ્ર કરે ત્યાં પણ શુકમાં શુક મિશ્ર એમ ચાર ભંગ સંહરાણમાં કહ્યા મુજબ જાણવા. જેમકે શુકમાં શુક, શુકમાં આદ્ર, આદ્રમાં શુક, આદ્રમાં આદું. તે પ્રત્યેક પણ સંહરમની જેમ અતા અને બહુ વડે ચાર-ચાર ભંગ પામે સર્વ સંખ્યાથી ૧૬-ભંગ થાય. કnય અને એકલવ્ય ઉમિશ્ર પણ સંહરણની જેમ જાણવું. તેમાં સ્ટોકમાં સ્ટોક કે બહુમાં સ્ટોક ઉત્મિશ્ર કર્યા છે. બાકીના બે અકલય છે ઈત્યાદિ - ૪ - ઉત્મિશ્રદ્વાર કહ્યું હવે અપરિણત દ્વાર કહે છે – • મૂલ-૬૫૧ થી ૬૫૪ : [૬૫૧] • અપરિણત પણ દ્રવ્ય અને ભાવ બે પ્રકારે છે તે દરેકના બબ્બે પ્રકાર છે, દ્રવ્યને વિશે છ પ્રકાર અને ભાવને વિશે ભાઈઓ છે. • [૬૫] - જીવપણું ન ગયું હોય તો પરિણત અને જીવ જતાં પરિણત કહેવાય છે. તેમાં દુધ અને દહીં ટાંત છે, તે પણ અપરિણત અને પરિણત જાણવું. * [૬૫]. • બે વગેરે સામાન્ય વસ્તુમાં જે હું ‘દઉં' એમ એકની પરિણતિ થાય અને બીજાની ન થાય તો ભાવથી અપરિણત જાણવું. - [૫૪] - તેઓમાં કોઈ એકે મનમાં પરિણમાવ્યું અને બીજાએ ન પરિણમાવ્યું તો તે પણ ગ્રાહ્ય છે. ભાઈ અને સ્વામી દાતા છે, સાધુ ગ્રહીતા છે. • વિવેચન-૬૫૧ થી ૬૫૪ : ૬િ૫૧] અપરિણત બે પ્રકારે - દ્રવ્યથી અપરિણત, ભાવથી અપરિણત. વળી તે પ્રત્યેક દાતા અને ગ્રહીતાના સંબંધથી બે પ્રકારે છે. તે આ પ્રમાણે - દાતા સંબંધી, દ્રવ્ય અપરિણત, ગ્રહીતા સંબંધી દ્રવ્ય અપરિણત. - [૬૫૨] - સચેતનપણું નાશ ના થતાં પૃથ્વીકાયિકાદિ દ્રવ્ય અપરિણત કહેવાય, પણ ચાલી જતાં પરિણત કહેવાય. જેમ દુધ દુધપણાથી ભ્રષ્ટ થઈ દહીંપણાને પામતા પરિણત કહેવાય. દુધપણું અવસ્થિત હોય તો અપરિણત કહેવાય. તેમ પૃથ્વીકાયિકાદિ પણ સ્વરૂપથી સજીવ છે, ત્યારે તે પરિણત કહેવાય અને જીવપણાથી મુક્ત થતાં પરિણત કહેવાય. જ્યારે તે દાતાની સત્તામાં હોય ત્યારે દાતા સંબંધી, ગ્રહીતાની સત્તામાં હોય ત્યારે પૃહીતા સંબંધી છે. [૫૩] દાતા વિષયક ભાવ અપરિણત - ભાઈ વગેરે બે, ત્રણ આદિને પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ સાધારણ એવી દેય વસ્તુ વિશે જો કોઈ એકનો ‘હું આપુ' એવો ભાવ થાય, બીજાનો ન થાય તો તે ભાવ અપરિણત. વિશેષ એ કે જયારે દાતા પ્રત્યક્ષ ન હોય ત્યારે સાધારણ અનિકૃષ્ટ કહેવાય. દાતા પ્રત્યક્ષ હોય ત્યારે દાતૃ ભાવ અપરિણત કહેવાય. - ૬િ૫૪] - ગૃહિતા સંબંધી ભાવ અપરિણત - કોઈ એક આગળ કે પાછળ રહેલા સાધુએ આ એષણીય છે એમ મનમાં પરિણમાવ્યું, બીજાએ ન પરિણમાવ્યું તે ભાવ અપરિણત છે, માટે સાઘને અગ્રાહ્ય છે. ગ્રહણ કરવાથી શકિતત્વ અને લહાદિ દોષ સંભવે છે. -૦- અપરિણત દ્વાર કહ્યું. હવે લિdદ્વાર કહે છે : • મૂલ-૬૫૫ થી ૬૬૪ - [૬૫] અલેપકૃતને જ ગ્રહણ કરવું, લેપકૃતને ગ્રહણ કરવામાં પmicકર્મ આદિ દોષ ન થાઓ અને રસની વૃદ્ધિનો પ્રસંગ થતો નથી. આમ કહેતા શિષ્ય પૂછે છે કે - [૬૫] - જે પશાકર્મ હોય તો કદાપિ ખાતું જ નહીં? હે શિષ્ય ! અનશન કરતા સાધુને ત૫, નિયમ અને સંયમની હાનિ થાય. ૬િ૫ લિપ્ત દોષ જણાવી અલેપ લેવું એમ ગુએ કહ્યું, ત્યારે શિષ્ય કહે છે કે- છ માસ ઉપવાસ કરવા, તેવી શકિત ન હોય તો હાનિ કરતા કરતા ઉપવાસ કરી આયંબિલ કરવું, તેમાં પણ આશક્ત હોય તો આભ લેપ ગ્રહણ કરવું. - [૬૫] - નિરંતર છ માસના ઉપવાસ કરીને શરણે આયંબિલ કરો, જે છ માસી કરવાની શકિત ન હોય તો એક દિવસ ઓછો કરો. [૬૫૯] એ રીતે એક એક દિવસ ઉપવાસ કરીને આયંબિલનું પારણું કરો, એવી પણ શક્તિ ન હોય તો દિવસે દિવસે નિર્લેપ આયંબિલ કો. [૬૬] શિષ્યએ આવું કહેતા આચાર્ય ઉત્તર આપે છે - હાલમાં કે આગામી કાળે યોગની હાનિ ન થતી હોય તો ઉપવાસી થાઓ, તેવી શકિત ન હોય તો ક્ષપણાંતર કરો, પણ આયંબિલ અવશ્ય કરો. ૬િ૬૧] ફરી શિષ્ય કહે છે - નીચેની પૃથ્વીમાં અને કોશલ દેશમાં રહેનારા મનુષ્યો સૌવીર અને કૂરિયા ખાનારા છે, તેઓ પણ જે નિવહિ કરે છે, તો સાધુ કેમ નિવહ ન કરે? - [૬૬] - આચાર્ય કહે છે - સાધુઓને ત્રણ શીત છે, તે જ ત્રણ ગૃહસ્થોને ઉણ છે. તેથી સાધુઓને તકાદિ ગ્રહણ કરવાની અનુજ્ઞા આપી છે તથા કફ઼રાદિકમાં ભજના છે - [૬૬] - તે ત્રણ કન્યા છે ? આહાર, ઉપધિ, થયા એ ત્રણે પૃસ્યોને શતકાળમાં પણ ઉણ હોય છે. તેથી તેઓનો આહાર બંને પ્રકારે ઉષ્ણ વડે જીર્ણ થાય છે. - ૬િ૬૪] - આ ત્રણે સાધુઓને શીખટકતુમાં પણ શીતળ થાય છે, તેથી જઠરાગ્નિ મંદ થાય છે. તેથી અજીણદિ દોષ થાય છે. • વિવેચન-૬૫૫ થી ૬૬૪ - ૬િ૫૫] સાધુએ હંમેશા અલેપકૃત - વાલ, ચણા આદિ જ ગ્રહણ કરવા. કેમકે લેપકૃતુના ગ્રહણમાં પશાકમિિદ એટલે દહીં આદિ વડે વેપાયેલ હાથ આદિને ધોવા Page #95 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૬૫૫ થી ૬૬૪ ૧૧ ઈત્યાદિ દોષ ન લાગે છે. માત્ર શબ્દથી કીટિકાદિ વડે સંસકત એવા વસ્ત્રાદિને લુંછવા વગેરેનું ગ્રહણ કર્યું. વળી અલેપકૃત લેવાથી રસના આહારમાં લંપટપણાની વૃદ્ધિ થતી નથી. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે - ૬૫૬] ઉકત દોષો થતા હોય તો કદાપિ સાધુએ ભોજન ન કરવું, કેમકે તેથી સર્વ દોષોની ઉત્પત્તિનો મૂળથી જ નાશ થાય છે. આચાર્ય કહે છે - હે શિષ્ય! સર્વકાળ અનશનતપને કરવો શક્ય નથી. તેથી તપાદિની હાનિ થાય. ફરી શિષ્ય કહે છે - તો પછી છ માસી તપ કરે, કરીને અલેપકૃતુ પારણું કરે, ગુરુ ઉત્તર આપે છે કે - જો તેમ કરતા તપ, નિયમ, સંયમના યોગો કરવાને શકિતમાન થતો હોય તો ભલે કરે. ફરી શિષ્ય કહે છે - જો એમ હોય તો છ માસ ઉપવાસ કરીને આયંબિલ કરે, જો તેવી શક્તિ ન હોય તો એકાદિ દિવસની હાનિ કરીને આયંબિલ કરે, જો તેવી શકિત ન હોય તો એકાદિ દિવસની હાનિ કરીને પારણે આયંબિલ કરે, તેમ પણ ન થાય તો એકએક દિવસની હાનિ કરતાં-કરતાં છેલ્લે એક ઉપવાસ અને પારણે આયંબિલ કરે, તેમ પણ ન કરી શકે તો સર્વદા અલેપકૃત જ ગ્રહણ કરે. [૬૫] ગુરુ કહે છે કે “જે લિપ્ત છે તે સદોષ છે.” એમ કહી અલેપકૃત્વ ભોજન કરે, તેવી તીર્થંકરની અનુજ્ઞા છે. ત્યારે શિષ્ય કહ્યું કે - જાવજીવ ભોજન ન કરે સાવ ઘટતાં ઘટતાં છેલ્લે રોજ અલેપકૃત્ ગ્રહણ કરે. | [૬૫૮,૬૫૯] ગાથાર્થ કહ્યો છે. વૃત્તિમાં કોઈ જ વિશેષતા નથી. જ્યારે શિષ્યએ છમાસી તપ કે તે ન થઈ શકે તો યાવત્ અલેપકૃત આયંબિલને જ ગ્રહણ કરવાનું કહ્યું, ત્યારે ગુરુ જણાવે છે કે – (૬૬૦] - જો તે સાધુને વર્તમાન કાળે કે ભાવિકાળે પ્રત્યુપેક્ષણાદિરૂપ સંયમ યોગનો નાશ ન થતો હોય તો છ માસ આદિનો ઉપવાસ કરે યાવતુ સર્વદા આયંબિલરૂપ તપ કરે. પરંતુ હાલમાં સેવાd સંહનતવાળાને તેવી શક્તિ નથી, તેથી આવો ઉપદેશ કરાતો નથી. ફરી શિષ્ય કહે છે – (૬૬૧] - નીચેની પૃવીમાં રહેનારા મહારાષ્ટ્રીઓ અને કોશલ દેશોત્પન્ન મનુષ્યો સર્વદા સૌવીર અને ક્રીયાનું જ ભોજન કરનારા છે, તેમને પણ સેવાd સંહનન છે, તેઓ જો આ રીતે ચાવજીવ નિર્વાહ કરે છે, તો મોકલક્ષી સાધુઓ નિર્વાહ કેમ ન કરે ? આચાર્ય જણાવે છે - ૬િ૬૨] આગળ કહેવાનાર ત્રણ વસ્તુ સાધુને શીતળ છે, હંમેશાં આયંબિલ કરવામાં તક આદિના અભાવે આહાર પાચન અસંભવથી અજીર્ણાદિ દોષો પ્રગટ થાય છે અને તે જ ત્રણ વસ્તુ ગૃહસ્થોને ઉખ છે, તેથી સૌવીર અને કૂરિયા મણના ભોજન છતાં તેમને આહારનું પચવું થતું હોવાથી અજીર્ણાદિ દોષ થતા નથી. તેથી તેઓ તેવા પ્રકારે નિર્વાહ કરી શકે છે. પણ સાધુઓને તો ઉપર કહ્યા મુજબ દોષો થાય છે, તેથી સાધઓને તકાદિક ગ્રહણ કરવાની અનુજ્ઞા છે. અહીં પ્રાયઃ સાધુને વિકૃતિના પરિભોગનો ત્યાગ કરીને સર્વદા પોતાના શરીરની ચાપના કરવી જોઈએ અને શરીરની ૧૩૨ પિંડનિયુક્તિમૂલસૂત્ર સટીક અનુવાદ અપટતા હોય ત્યારે સંયમ યોગની વૃદ્ધિ માટે બળ પ્રાપ્ત કરવા કદાચિત વિકૃતિનો ઉપયોગ કરવો. સૂત્રમાં કહ્યું છે કે – વિગઈના પરિભોગમાં તકાદિ જ ઉપયોગી છે, તેથી તકાદિનું ગ્રહણ કરવું ધૃતિવટિકા સહિતનું ગ્રહણ વિકલ્પો કરાય છે તેથી ગ્લાતત્યાદિ પ્રયોજનમાં જ ગ્રહણ કરવું, શેષકાળે નહીં. [૬૬] હવે તે ત્રિક કયા છે ? તે કેહ છે - ગૃહસ્થોને આહાર, ઉપધિ, શસ્યા ત્રણે શીતકાળે પણ ઉષ્ણ થાય છે. તેથી તેમને તકાદિ વિના પણ બાહ્ય અને અત્યંતર તાપ વડે આહાર જીર્ણ થાય છે. તેમાં ભોજનના વશથી અત્યંતર અને શચ્યા તથા ઉપધિના વશથી બાહ્ય તાપ વડે જીર્ણ થાય છે. - ૬િ૬૪] - આ જ ત્રણે સાધુઓને ગ્રીણ કાળમાં પણ શીતળ હોય છે. સાધુને ઘણાં ઘરોમાંથી થોડો-થોડો આહાર લાભ થવા વડે ઘણો કાળ જતાં આહાર શીતળ થાય છે. ઉપધિ વર્ષમાં એક જ વાર ધોવાથી મલિનતાને લીધે અને વસતિ સમીપે અગ્નિ કરવાનો અભાવ હોવાથી શીતળતા થાય છે. વળી જઠરાગ્નિના ઉપઘાતથી અજીર્ણ, ક્ષુધાની મંદતા આદિ દોષો થાય છે. તેથી સાધુને તકાદિની અનુજ્ઞા આપી છે. જેથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. હવે અલેપ દ્રવ્યોને દેખાડે છે - • મૂલ-૬૬૫ થી ૬૬૮ : ૬િ૬૫] ઓદન, માંડા, સાથનો, કુલ્મોષ, રાજમા, કલા, વાલ, તુવેર, મસૂર, મગ અને અડદ વગેરે બધાં સૂકાયેલા હોય તે અપકૃત્ છે. • ૬િ૬૬) - અાલેપવાળા દ્રવ્યો દશવિ છે - ઉભેધ, પેય, કંગૂ, તક, ઉલ્લણ, સૂપ, કાંજી, વથિત આદિ. તેને વિશે પશ્ચાતકર્મની ભજના છે. - [૬૬] - ક્ષીર, દધિ, જાઉં, કર, તેલ, ઘી, ફાણિત, સપિંડરસ આદિ દ્રવ્યો બહુ લેપવાળા છે, તેમાં પIકર્મ અવશ્ય કરવાનું છે. - ૬િ૬૮] • હાથ અને પગ પણ સંસ્કૃષ્ટ અથવા અસંયુષ્ટ હોય છે, દ્રવ્ય પણ સાવશેષ કે નિરવશેષ હોય છે. તેને વિશે આઠ ભંગ થાય છે. તેમાં વિષમ ભંગમાં અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય છે. • વિવેચન-૬૬૫ થી ૬૬૮ : | ૬િ૬૫] મોન - ભાત, મંડુ - માંડા, સવ7 - સાથવો, શુરવાર - અડદ, THISા • ઓળા, કરન • ગોળ ચણા કે વટાણા, વલ્લા-વાલ, તુવરી-તુવેર, મસૂર - દ્વિદળ વિશેષ, મગ. આવા ધાન્યો સૂકા હોય તે અલેપકૃત જાણવા. * [૬૬૬] - અલાલેપવાળા દ્રવ્યો - ૩ - વત્થલાની ભાજી, પથ - રાબડી, કોદરાના ચોખા, તત્ર - છાશ, ઉલણ - ઓસામણ, મૂપ - રાંધેલી દાળ કાંજિક - સૌવીર, ક્વચિત - હીમનાદિક. આવી બળ વસ્તુ અભલેપવાળી છે, તેમાં પશ્ચાત્કર્મની ભજના છે. હવે બહુ લેપવાળા દ્રવ્યોને બતાવે છે – - [૬૬] • ક્ષીર - દુધ, fધ - દહીં, ના૩ - ક્ષીપેયા, wifra - ગોળનું પાણી. સપિંડ રસ* અતિ અધિક રસવાળા ખજુર આદિ. આ બઘાં દ્રવ્યો બહલેપ હોવાથી તેમાં પશ્ચાકર્મ અવશ્ય થાય છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૬૬૫ થી ૬૬૮ ૧૩ - [૬૬] દાતા સંબંધી હાથ સંસ્કૃષ્ટ કે અસંસ્કૃષ્ટ હોય છે, જેનાથી ભિક્ષાને આપે છે તે પાત્ર પણ સંસ્કૃષ્ટ કે અસંસૃષ્ટ હોય છે. દ્રવ્ય પણ સાવશેષ કે નિરવશેષ હોય છે. આ સંસ્કૃષ્ટ હાથ, સંસ્કૃષ્ટ પાત્ર, સાવશેષ દ્રવ્ય રૂપ ત્રણ પદ તે પણ પ્રતિપક્ષ સહિતના પરસ્પર સંયોગથી આઠ ભંગ થાય છે. તે આ પ્રમાણે - (૧) સંસૃટ હાથ સંસૃષ્ટપાત્ર સાવશેષ દ્રવ્ય, (૨) સંસ્કૃષ્ટ હાથ, સંસૃષ્ટપાત્ર અને નિરવશેષ દ્રવ્ય. (3) સંસૃષ્ટ હાચ અસંસ્કૃષ્ટ પાત્ર અને સાવશેષદ્રવ્ય ઈત્યાદિ •X-X - આ ભંગમાં અવશ્ય વિષમ એટલે પહેલા, બીજા, પાંચમાં, સાતમાં ભંગમાં ગ્રાહ્ય છે. પણ સમ એટલે બેઠી ભંગો અગ્રાહ્ય છે. સારાંશ એ કે - હાથ કે પાત્ર અથવા બંને પોતાના માટે સંસ્કૃષ્ટ કે અસંસૃષ્ટ હોય તો તેના વશથી પશ્ચાત્કર્મ સંભવતુ નથી, પણ દ્રવ્યના વશથી, પશ્ચાકર્મ સંભવે છે. • x - દ્રવ્ય સાવશેષ હોય તેમાં હાથ અને પગ સાધુને માટે ખરડ્યા હોય તો પણ દાઝી ધોતી નથી. કેમકે ફરીથી પીરસવાનો સંભવ છે, જેમાં નિરવશેષ દ્રવ્ય હોય - પાત્ર ખાલી હોય, તેમાં સાધુને આપ્યા પછી તે પાત્ર, હાથ આદિ અવશ્ય ધોવે છે, તેથી દ્વિતીયાદિ સમ ભંગોમાં નિરવશેષ દ્રવ્ય હોવાથી પશ્ચાકર્મ સંભવે છે. માટે ન કશે. પ્રથમાદિ વિષમ ભંગમાં પશ્ચાત્કમનો અસંભવ હોવાથી ગ્રહણ કરવું કહે છે. લિપ્તદ્વાર કહ્યું છે, હવે છર્દિdદ્વાર કહે છે – • મૂલ-૬૬૯,૬૩૦ : [૬૬] સચિવ, અચિત્ત અને મિશ્ર એમ છર્દિત તે વિશે ચૌભંગી થાય છે. આ ચૌભંગીને વિશે નિષેધ છે. તેના ગ્રહણથી આજ્ઞાદિ દોષ લાગે છે. - ૬િeo] ઉણના કદનમાં દેનાર છે અથવા પૃથ્વી આદિ કાયનો દાહ થાય છે તથા શતદ્રવ્યના પડવામાં પૃથ્વીકાયાદિની વિરાધના થાય છે, મધુબિંદુ Ezid - • વિવેચન-૬૬૯,૬૩૦ : છર્દિત, ઉઝિત અને વ્યક્ત એ બધાં પાયિો છે, છર્દિત ત્રણ ભેદે - સચિત, અયિત, મિશ્ર દ્રવ્યના સંયોગથી ચતુર્ભાગી થાય છે. જેમકે સચિત્ત અને મિશ્રપદથી એક ચતુર્ભાગી ઈત્યાદિ - x • તેમાં સયિતમાં સચિત્તછર્દિત, મિશ્રમાં સચિત, સચિતમાં મિશ્ર અને મિશ્રમાં મિશ્ર આ પહેલી ચઉભંગી. એ પ્રમાણે સચિત અને અચિતની, અચિત અને મિશ્રની બે ચઉભંગી થાય છે. આ બધાં ભંગમાં સચિત પૃથ્વીકાય, સયિત પૃથ્વીકાયમાં છર્દિત ઈત્યાદિ વડે સ્વસ્થાન અને પરસ્થાનથી ૩૬-૩૬ વિકલ્પો થાય, તેથી ૩૬ x ૧૨ = ૪૩૨ ભંગો થાય. એ બધામાં ભોજનાદિ ગ્રહણનો નિષેધ છે. જો કદાચ લે તો આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ, વિરાધનાદિ દોષો લાગે છે. છર્દિતના ગ્રહણમાં દોષમાં મધુબિંદુનું દૃષ્ટાંત આ પ્રમાણે – વારતપુર નગર, અભયસેન રાજા, વારતક અમાત્ય છે. ધર્મઘોષ નામે મુનિ ૧૪ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ ભિક્ષાર્થે અટન કરતા વારતક મંત્રીના ઘેર પધાર્યા. તેની પત્નીએ ઘી, ખાંડ સહિતની ખીરની થાળી ઉપાડી, ખાંડવી મિશ્ર એવું ઘીનું બિંદુ જમીન ઉપર પડ્યું. અરિહંતોક્ત ભિક્ષા ગ્રહણ વિધિમાં ઉધમી મુનિ ધર્મઘોષ આ ભિક્ષા છર્દિત દોષ દુષણવાળી જાણી, મારે ન ક” એમ વિચારી નીકળી ગયા. તે વારતક અમાત્યએ જોયું. તેને વિચાર થયો કે સાધુએ મારે ત્યાં કેમ ભિક્ષા ન લીધી ? ત્યાં માખીઓ આવીને તે ખાંડયુક્તબિંદુમાં ચોંટી. - માખીને ખાવા ગરોળી આવી, ગરોળીને માસ્વા કાકીડો દોડ્યો, તેને મારવા બિલાડી દોડી, તેના વધાર્થે મહેમાનનો કુતરો દોડ્યો. તેને જોઈ ત્યાંનો સ્થાયી કુતરો દોડ્યો. બંને કુતરા પરસ્પર બાઝયા. પોતપોતાના કુતરાનો પરાભવ જોઈ તેના સ્વામીઓ દોડ્યા, તેમની વચ્ચે તલવારથી યુદ્ધ થયું. આ બધું વારતકે પ્રત્યક્ષ જોયું. તેને થયું કે એક બિંદુમાં થનાર અધિકરણના ભયથી સાધુએ ભિક્ષા ન લીધી. અહો ! અરિહંત દેવે સારી રીતે ધર્મને જોયો છે સર્વજ્ઞ ભગવંત વિના આવો એકાંત હિતકર ધર્મોપદેશ આપવા કોણ સમર્થ છે? ઈત્યાદિ વિચારણાથી, સંસારના ભયથી વિમુખ બનેલા વારતકે ધર્મઘોષમુનિ પાસે દીક્ષા લીધી. ચાવતુ મોક્ષે ગયા. o એષણા દ્વાર કહ્યું. હવે સંયોજનાદિ દ્વારા કહે છે, તેમાં ગ્રામૈષણા - • મૂલ-૬૭૧ થી ૬૭૫ - [૬] નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર ભેદે ગ્રામૈષણા જાણવી. તેમાં દ્રવ્યમાં મર્ચનું ટld, ભાવમાં પાંચ પ્રકારો છે. • [૬] - જેમ ઓદનને સાધવા માટે ઇંધણ છે, તેમ અને સાધવા માટે ચરિત અને કલ્પિત બે ટાંત જાણવા. * [૬૩ થી ૬૫] ત્રણ ગાથા વડે દ્રવ્ય ગામૈષણામાં મત્સ્યનું ષ્ટાંત છે, જેનો અર્થ વિવરણથી જાણવો. • વિવેચન-૬૭૧ થી ૬૭૫ - ગ્રામૈષણા ચાર ભેદે - નામગ્રામૈષણા, સ્થાપના પ્રારૌપણા, દ્રવ્ય વિષયક ગ્રામૈષણા, ભાવવિષયક ગ્રામૈષણા. તેમાં ગ્રહણૌષણાવતું બધું જ જાણવું. વિશેષ આ - તથ્યતિક્તિ ગ્રામૈષણામાં મત્સ્યનું દૃષ્ટાંત છે. ભાવ વિષયક ગ્રામૈષણા બે ભેદે - આગમચી, નોઆગમચી. નોઆગમમાં પણ બે ભેદો - પ્રશસ્ત અને અપશd. તેમાં સંયોજનાદિ દોષ રહિત હોય તે પ્રશસ્ત અને સંયોજનાદિ દોષયુક્ત હોય તે પ્રશસ્ત છે. અહીં વિવક્ષિત અર્થના પ્રતિપાદન માટે બે પ્રકારનું ઉદાહરણ જાણવું. તે આ પ્રમાણે – ચરિત અને કલ્પિત. પ્રસ્તુત અર્થના સાધવા માટે એક કલ્પિત ઉદાહરણ • કોઈ મચ્છીમાર મત્સ્યને પકડવા સરોવરે ગયો. કાંઠે માંસપેશીસહિતની એક ગલ સરોવરમાં નાંખી. ત્યાં પરિણત બુદ્ધિવાળો એક મહાદક્ષ નામે જુનો મચ્છ હતો. તે માંસની ગંધ સુધીને આવ્યો. યતનાપૂર્વક છેડે છેડે રહેલ બધું માંસ ખાઈને પુચ્છ વડે ગલને મારીને દૂર ચાલ્યો ગયો. મચ્છીમારે જોયું. પછી ફરી માંસપેશી સહિત ગલને Page #97 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૬૩૧ થી ૬૫ ૧૩૫ તેમાં નાંખ્યો. તે જ પ્રમાણે પહેલો મત્સ્ય તે ગલનું માંસ ખાઈ, પુચ્છ વડે ગલન મારી નાસી ગયો. ત્રણ વાર એમ થયું. પણ તે ન પકડાયો. માંસ ક્ષીણ થતાં તે મત્સ્ય માછીમારને કહ્યું કે - તું આ શું વિચારી રહ્યો છે ? તું જે રીતે નિર્લજ્જ થાય છે. તે પહેલાં સાંભળ. હું એકદા ત્રણ વખત બગલીના મુખથી મૂકાયો. ત્રણ વખત મારી ચતુરાઈ અને દક્ષતાથી જ બચી ગયેલો. ૨૧-વાર મચ્છીમારની જાળમાંથી નીકળી ગયો. એક વખતે કોઈ મચ્છીમારે પાણીરહિત પ્રહ કરીને મને પકડ્યો. તેણે બધાં મત્સ્યો ભેગ કરી, તીક્ષ્ણ લોઢાની સળીમાં પરોવ્યા. ત્યારે મચ્છીમાર ન જાણે તેમ હું સ્વયં જ મુખ વડે લોઢાની શલાકામાં વળગી રહો. પછી મચ્છીમાર તે મત્સ્યોને ધોવા સરોવરમાં ગયો, ત્યારે હું જળમાં પેસી ગયો. આવા સ્વરૂપનું મારું સત્વ, કુટિલત્વ અને મચ્છીમારાદિના ઉપાયને ચલાવનારું છે, તું મને ગલ વડે ગ્રહણ કરવા ઈચ્છે છે ? આ તારે નીલપણું છે. આ દ્રવ્યગ્રામૈષણા.. o હવે ભાવ ગ્રામૈષણામાં ઉપનય કરાય છે. મત્સ્યને સ્થાને સાધુ જાણવા. માંસને સ્થાને ભોજન પાન જાણવા. મચ્છીમારના સ્થાને ગાદિ દોષોનો સમૂહ જાણવો. સાધુએ મત્સ્યની જેમ છળાવું ન જોઈએ. પણ ભોજનાદિ આહારથી આત્માને બચાવવો. તે જ બતાવે છે – • મૂલ-૬૭૬,૬૭૭ : [૬૬] બેંતાલીસ એષા દોષ વડે સંકટવાળા ભોજનાદિ ગ્રહણ કરવામાં હે જીવ! તું છmયો નથી તો હવે આહાર કરતાં રાગ-દ્વેષ વડે જેમ ન 9ળાય તેમ કર, * [૬૭] - ભાવગ્રામૈષણા પ્રશસ્ત અને અપશસ્ત બે પ્રકારે છે. આપશસ્ત પાંચ પ્રકારે છે, તેથી વિપરીત તે પ્રશસ્ત છે. • વિવેચન-૬૭૬,૬૭૭ : [૬૬] અહીં એષણા શબ્દના ગ્રહણથી એષણામાં રહેલાં દોષો કહેવાય છે. તેથી ૪ર-સંખ્યાવાળા જે એષણાના દોષો તે વડે સંકટવાળા ભોજનપાનાદિને ગ્રહણ કરવામાં ન છળાયો, તો તું એ રીતે આહાર કર, જેથી રાગ-દ્વેષ વડે ન કળાતો. - [૬૭] - ભાવના વિષયમાં રાષણા બે ભેદ :- (૧) અપ્રશસ્ત-સંયોજના, અતિબહક, ગાર, ધૂમ, નિકારણ. (૨) પ્રશસ્ત - આ પાંચ દોષોથી રહિત. હવે સંયોજનાની, જ વ્યાખ્યા કરવા કહે છે - • મૂલ-૬૭૮ થી ૬૮૧ : [૬૮] દ્રવ્ય અને ભાવ એ બે ભેદે સંયોજના છે. તેમાં દ્રવ્યમાં બહાર અને અંદર એમ બે ભેદ છે. ભિક્ષાર્થે અટન કરતો જે સંયોજના કરે તે બાહ્ય છે. [૬૬] દુધ, દહીં, દાળ અને કટ્ટરનો લાભ થતાં તથા ગોળ, ઘી, વટક, લુંક પ્રાપ્ત થતા બહાર જ જે સંયોજના કરે તે બાહ્ય-સંયોજના કહેવાય. તથા અત્યંતર ત્રણ પ્રકારે – પત્ર, લંબન વદનથી. [૬૮] સંયોજનામાં દોષ કહે છે - જે સાધુ દ્રવ્યના રસાદિને માટે ૧૭૬ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ ભોજન-પાનની સંયોજના કરે. તેનો આ વ્યાઘાત થાય છે. - [૬૮] તે દ્રવ્યોની સંયોજના કરીને આત્માને કર્મની સાથે જોડે છે. આ ભાવ સંયોજના જાણવી. તા કર્મ વડે ભવને અને ભવ થકી દુ:ખને સંયોજે છે. • વિવેચન-૬૭૮ થી ૬૮૧ - સંયોજના બે ભેદે ઈત્યાદિ ગાયાર્થમાં કહ્યું. વિશેષ એ કે – ભિક્ષાર્થે અટના કરતો દુધ વગેરેને ખાંડ આદિની સાથે રસની વૃદ્ધિથી વિશેષ સ ઉત્પન્ન કરવા માટે મિશ્ર કરે તે બાહ્ય સંયોજના. તેમાં દુધ, દહીં, દાળ ઈત્યાદિ જે કંઈ પ્રાપ્ત થયા હોય, તેમાં વિશેષ રસ ઉત્પન્ન કરવા અનુકૂળ દ્રવ્યને માટે ભિક્ષાર્થે અટન કરતો બહાર જ જે સંયોજના કરે તે બાહ્ય દ્રવ્ય સંયોજના છે. અત્યંતર સંયોજના વસતિમાં આવીને ભોજનની વેળાએ કરે છે – (૧) પાત્ર સંયોજના :- જે દ્રવ્ય, જે દ્રવ્યના સ વિશેષને ધારણ કરે, જેમકે લાપસીમાં ખાંડ, ઘી. તે પાત્ર અવ્યંતર સંયોજના કહેવાય. (૨) કવલ સંયોજના - હાથમાં રહેલું જ કોળીયારૂપે ઉપાડેલ ચૂર્ણ, તેમાં ખાંડ આદિની સંયોજના કરે તે. (૩) મુખ સંયોજના - મોઢામાં કોળીયો મૂકીને, તેમાં કઢી જેવા કોઈ પેય પદાર્થ નાંખે કે મંડકાદિ ખાતો મુખમાં ગોળ આદિ નાંખે તે વદનને વિશે અત્યંતર સંયોજના છે. આ સંયોજનાથી આત્માને સગ-દ્વેષ યુક્ત કરે છે માટે અપશખા સંયોજના છે. સંયોજનામાં અનુકૂળ દ્રવ્યની સાથે ખંડાદિની સંયોજના કરનાર સાધુને આગળ કહેવાનાર વ્યાઘાત - દુઃખની પ્રાપ્તિ થાય છે. તે વ્યાઘાતને જ ભાવતા ભાવ સંયોજના કહે છે - ખાંડ આદિ દ્રવ્યોની સ ગૃદ્ધિ વડે સંયોજના કરતો સાધુ પોતાના ગૃદ્ધિરૂપ અપશસ્ત ભાવો વડે સંયોજના કરે છે તથા પ્રકારે દ્રવ્યોને સંયોજતો આત્મામાં જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધે છે. કમથી અતિ દીર્ધ સંસારનો સંયોગ કરે છે. •x - દ્રવ્ય સંયોજનાનો અપવાદ – મૂલ-૬૮૨,૬૮૩ - ૬િ] પ્રત્યેકને ઘણો લાભ થતાં ભોજન પછી પણ બાકી વધેલ હોય તો તે શેષના નિગમનને માટે સંયોગ દેખેલો છે. હવે બીજે પણ તેનો આ ક્રમ છે - ૬િ૮૩ - રસને માટે સંયોગનો નિષેધ છે, પણ શ્વાનને માટે કહ્યું છે. અથવા જેને ભોજન ઉપર અરચિ હોય, કે જે સુખોચિત હોય અને જે અભાવિતા હોય તેને કહ્યું છે. • વિવેચન-૬૮૨,૬૮૩ - પ્રત્યેક સાધુ સંઘાટકને ઘણાં ધૃતાદિ પ્રાપ્ત થતાં, કોઈપણ પ્રકારે વાપર્યા છતાં પણ વધેલ હોય તો શેષના નિર્ગમન માટે તીર્થકરે સંયોગ કરવાની અનુજ્ઞા આપી છે. કેમકે વધેલા ઘી વગેરે ખાંડ આદિ સિવાય એકલા મંડકાદિ સાથે પણ ખાઈ શકાતું નથી, પ્રાય: સાધુ ઘરાઈ ગયા હોય છે અને ઘી વગેરે પરઠવવા પણ યોગ્ય નથી. કેમકે તેથી ઘણાં કીટકાદિનો વ્યાઘાત સંભવે છે. આ સંયોજનાનો પહેલો Page #98 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૬૮૨,૬૮૩ ૧૩૩ અપવાદ કહ્યો, બીજો આગળ કહેવાશે. હવે તેમાં ક્રમ-પરિપાટી કહે છે – ગૃદ્ધિ વડે વિશેષ સને ઉત્પન્ન કરવા માટે તીર્થકરાદિએ સંયોગનો પ્રતિષેધ કર્યો છે. પરંતુ માંદાને સાજો કરવામાં કો છે. એ રીતે ભોજન ઉપર અરૂચિ હોય, રાજપુગાદિ હોય, બાલસાધુ હોય તો તેને કહ્યું છે. સંયોજના દ્વાર કહ્યું. હવે આહાર પ્રમાણ દ્વાર કહે છે – • મૂલ-૬૮૪ થી ૬૮૬ : [૬૮] પુરુષને બxીશ કવળરૂપ આહાર કુકિપૂરક કહો છે અને મને અઠ્ઠાવીસ કવળ. * ૬િ૮૫] - સાધુને આ પ્રમાણથી કંઈક હીન, આઈ, અધિ, યાત્રા મા આહાર પ્રમાણ ધીરપુરુષો કહે છે, તે જ અવમ આહાર છે. ૬િ૮૬) હવે પ્રમાણના દોષો કહે છે - જે સાધુ પ્રકામ, નિકામ, પ્રણીત, અતિભહુ ને અતિ બહુશઃ ભોજનાદિ આહાર કરે, તેને પ્રમાણ દોષ જાણવો. • વિવેચન-૬૮૪ થી ૬૮૬ : પુરષની કુક્ષિને પૂર્ણ કરનાર આહાર મધ્યમ પ્રમાણવાળો ૩૨-કવલપ કહો છે. સ્ત્રીને-૨૮ અને નપુંસકને-૨૪ ક્વલ કહ્યો છે. પણ નપુસંકને દીક્ષા પ્રાયઃ અયોગ્ય હોવાથી અહીં તેનું ગ્રહણ કરેલ નથી. આ કવલ પ્રમાણ કુકડીના અંડ જેટલું છે. કુકકુટી બે ભેદે - દ્રવ્યથી, ભાવથી. દ્રવ્યકુકકુટી બે ભેદે - ઉદરકુકકુટી અને ગલ કુકકુટી. ઉદરકુકકુટી એટલે - ઉદર પ્રમાણ આહાર, પણ ન્યૂનાધિક નહીં. તેનો જે ૩૨-મો ભાગ તે અંડક કહેવાય. ગલકુકકુટી-વિકાર રહિત મુખવાળા પુરપના ગળાની વચ્ચે કવલ લાગ્યા વિના પ્રવેશ કરે. તે પ્રમાણવાળો કવલ. શરીરરૂપી કુકકુટી, તેનું મુખ મંડક. તેમાં નેત્રાદિનો વિકાર પામ્યા વિના જે કવલ મુખમાં પ્રવેશ કરે તે પ્રમાણવાળો કવલ. ભાવ કુકકુટી એટલે જે આહાર ખાવા વડે ઉદર ન્યૂન કે અધિક ન થાય અને ધૃતિને વહન કરે તથા જ્ઞાનાદિગયની વૃદ્ધિ થાય તેટલા પ્રમાણવાળો આહાર, તેના બગીશમો જે ભાગ તે અંડક છે. આ બત્રીશ કવલથી એક, બે, ત્રણ વડે હીન આદિ આહાર લેવો તે. આને જ ઉણોદરી કહે છે. પ્રમાણના દોષની ગાથા સ્પષ્ટ જ છે. • મૂલ-૬૮૭ થી ૬૮૯ : [૬૮] Bર આદિ કવલથી વધુ ખાય તે પ્રકામ. તેને જ હંમેશા ખાય તે નિકામ, ટપકતાં ઘીવાળા પદાર્થ ખાય તે પ્રણીત એમ જિનો કહે છે. • [૬૮૮] • અતિભહુ, અતિમહુવાર વૃતિ ન પામતા જે ભોજન ખાધું હોય તે અતિસાર કરે, વમન કરાવે કે અજીર્ણ થવાથી મરણ પમાડે. • [૬૮] - બહુને ઉલ્લંઘે તે અતિ બહુ, ત્રણ કે ત્રણથી વધુ વાર ખાય તે અતિબહુશ:, તથા તે જ પ્રણથી વધારે વાર કે વૃદ્ધિ પામ્યા વિના ભોજન કરે તે અતિ પ્રમાણ. વિવેચન-૬૮૩ થી ૬૮૯ :[35/12] ૧૩૮ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ ગાથાર્થ સ્પષ્ટ જ છે. વિશેષ આ પ્રમાણે - gધ - તીર્થંકરાદિ કહે છે. તથા તથ૬ આ આગળ કહેશે. મતવ દુ: અનેકવાર તૃપ્તિ ન પામતાં ભોજન કર્યું હોય છે. તેનાથી અતિસાર, વમનાદિ થાય. માટે પ્રમાણાતિક્રમ ન કરવો. યદુ - પ્રમાણથી અતિ ભોજન. - x - પ્રમાણયુક્ત હીનાદિ ભોજન - • મૂલ-૬૦ થી ૬૬ : ૬િ૯૦] હિતાહારી, મિતાહારી, અલ્પાહારી જે મનુષ્યો, તેની વેધો ચિકિત્સા કરતા નથી, પણ તેઓ જ પોતાના ચિકિત્સક છે - [૬૧] - તેલ અને દહીંનો યોગ તથા દુધ, દહીં, કાંજીનો યોગ અહિત છે, પણ પથ્ય દ્રવ્ય રોગહર છે, તેને રોગનું કારણ થતું નથી. - [૬૯] મિત એટલે વ્યંજન સહિત અશનના ત્રણ ભાગ કરવા, પાણીના બે ભાગ અને વાયુના સંચાર માટે છઠ્ઠો ભાગ ધૂન રાખવો.. • વિવેચન-૬૦ થી ૬૨ - હિત બે ભેદે - દ્રવ્યથી અને ભાવથી. અવિરુદ્ધ દ્રવ્ય તે દ્રવ્યથી હિત છે અને એષણીય દ્રવ્ય તે ભાવથી હિત છે. તેનો આહાર કરે તે હિતાહારી. પ્રમાણોપેત આહાર કરે તે મિતાહારિ. બબીશ કવલથી પણ અન્ય આહાર કરે તે અપાહારી. આવા મનુષ્યોને રોગનો સંભવ નથી, મૂળથી જ રોગ ન થાય. દહીં અને તેલ આદિનો યોગ અહિત-વિરુદ્ધ છે. - x • અવિરુદ્ધ દ્રવ્યનો યોગ તે પથ્ય છે. તે ઉત્પન્ન રોગના વિનાશક છે, થનારા રોગનું કારણ નથી. • x * હવે મિતની વ્યાખ્યા :- ઉદરના છ વિભાગો કાવા. ત્રણ ભાગ અશનના આધારરૂપ કરવા, બે ભાગ પાણીના આધારરૂપ કરવા એક ભાગ વાયુ માટે છોડવો. કાળની અપેક્ષા હોવાથી ત્રણ કાળ કહે છે – • મૂલ-૬૯૩ થી ૬૯૬ - ૬િ૯8] કાળ ત્રણ ભેદે – શીત, ઉષ્ણ, સાધારણ. આ આહાર માત્ર સાધારણ કાળને વિશે કહી છે. - [૬૯૪] - શીતકાળે પાણીનો એક ભાગ અને આહારના ચાર ભાગ અથવા પાણીના બે ભાગ. ઉષ્ણ કાળે પાણીના બે કે ત્રણ ભાગ, બાકીના ભાગ ભોજનના જણવા. ૬િ૯૫] પાણીનો એક ભાગ અને ભોજનનો બે ભાગ અવસ્થિત છે. પ્રત્યેકમાં ભoળે ભાગ વૃદ્ધિ અને હાનિ પામે છે. - ૬િ૯૬] - અહીં ત્રીજી અને ચોથો એ બે ભાગ અસ્થિર છે તથા પાંચમો, છઠ્ઠો, પહેલો અને બીજો ભાગ અવસ્થિત છે. • વિવેચન-૬૯૩ થી ૬૯૬ : ગાથાર્થ કહ્યો જ છે. વૃતિગત વૈશિડ્ય આ પ્રમાણે :- આ ઉપર કહી તે માત્રા છે એટલે પ્રમાણ છે. મધ્યમ શીતકાળમાં પાણીના બે ભાગ કલો ત્રણ ભાગ ભોજનના કલો. મધ્યમ ઉણકાળમાં બે ભાગ, ભોજનના ત્રણ ભાગ કલાવા. ઈત્યાદિ - ૪ - બધાં કાળમાં છઠ્ઠો ભાગ વાયુસંચાર માટે છે. o ભાગોના સ્થિર અને ચરપણાને કહે Page #99 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૬૯૩ થી ૬૯૬ છે – પાણીનો એક ભાગ અને ભોજનના બે ભાગ અવસ્થિત છે. બાકીના બબ્બે ભાગ વધે છે અથવા ઘટે છે. જેમકે શીતકાળમાં ભોજનના અને ઉષ્ણકાળમાં પાણીના બે ભાગ વધે. ” ગાચાર્થ કહેલ છે. વિશેષ આ - આહાર વિષયક પહેલો અને બીજો ભાગ, પાણી વિષયક પાંચમો ભાગ, વાયુના સંચાર માટેનો છઠ્ઠો ભાગ તે ચારે અવસ્થિત છે. એટલે કદાપિ ન હોય તેમ નથી. ૧૭૯ • હવે સાંગાર અને સાધૂમ દ્વાર કહે છે – • મૂલ-૬૯૭ થી ૭૦૨ : ન [૬૯] મૂછ[વાળો થઈને જે આહાર કરે તે સાંગાર હોય છે અને નિંદતો એવો તે આહાર કરે તે સધૂમ હોય છે. - [૬૮] - અંગારપણાને ન પામેલ અને સળગતું એવું જે કંધન તે સધૂમ છે અને તે જ બળી ગયેલ ઇંધણ ધૂમ થતાં તે અંગાર કહેવાય છે. [૬૯] • પ્રાસુકાહારનું ભોજન કરતો એવો પણ રામરૂપી અગ્નિ વડે અતિ પ્રદીપ્ત થયેલ મનુષ્ય ચરણરૂપી ઇંધનને તત્કાળ બળેલા અંગારની જેવું કરે છે. • [૭૦] - દીપતો એવા દ્વેષરૂપી અગ્નિ પણ જ્યાં સુધી આપીતિરૂપ ધૂમ વડે ઘૂમિત એવું ચાસ્ત્રિ અંગાર માત્ર જેવું ન થાય ત્યાં સુધી બાળે છે. - [૭૧] - રાગ વડે સાંગાર અને દ્વેષ વડે સધૂમ ભોજન જાણવું. આ રીતે ભોજનવિધિમાં ૪૬- દોષો થયા. - [૭૨] તપરવી - [સાધુ] સાંગાર અને સધૂમ આહારને કરે છે, તે પણ ધ્યાન અને અધ્યયન નિમિત્તે કરે આ પ્રતાનનો ઉપદેશ છે. - • વિવેચન-૬૯૭ થી ૭૦૨ - ગાથાર્થ કહ્યો છે. વૃત્તિમાં કહેલ અન્ય વિશેષતા માત્ર નોંધીએ છીએ – સાંગાર દોષયુક્ત ભોજન - તે ભોજનમાં રહેલ વિશેષ ગંધ અને સના આસ્વાદન વશ મૂર્છા ઉત્પન્ન થઈ હોય તેવો તે ભોજનની પ્રશંસા કરતો આહાર કરે તે અને સધૂમ દોષવાળો આહાર - તેમાં રહેલા વિરૂપ રસ અને ગંધના આસ્વાદથી વ્યલિક ચિત્તવાળો તે ભોજનની નિંદા કરતો વાપરે. અંગાર દોષ બે ભેદે દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્ય - અગ્નિથી બોલા લાકડા. ભાવ - રાગરૂપ અગ્નિથી બલેલ ચાસ્ત્રિરૂપી ઇંધન. ધૂમ પણ બે ભેદે - દ્રવ્યથી તે અર્ધ બળેલા કાષ્ઠનો ધૂમ, ભાવથી - દ્વેષરૂપી અગ્નિથી બળતા ચરણરૂપી ઇંધણનો જે નિંદારૂપ લુભાવ. અંગાર અને ધૂમનું લક્ષણ ગાથામાં કહ્યું. વિશેષ એટલું જ કે – ચાસ્ત્રિરૂપી ઇંધણ રાગરૂપ અગ્નિ વડે બળી જતાં અંગારરૂપ કહેવાય અને દ્વેષરૂપી અગ્નિ વડે બળતું ચાસ્ત્રિરૂપી ઇંધણ સધૂમ કહેવાય. તે જ વાત ગાથા-૬૯૬ અને ૭૦૦માં પણ કહેલ છે. તે ગાયાર્થ સ્પષ્ટ જ છે. તેના વડે સિદ્ધ થયું કે રાગ વડે ધમધમતાનું જે ભોજન તે સાંગાર જાણવું. કેમકે તેથી ચાસ્ત્રિરૂપી ઇંધણ સાંગાર થઈ જાય છે. દ્વેષ વડે ધમધમત્તાનું જે ભોજન તે સધૂમ જાણવું. કેમકે નિંદાત્મક કલુષપણારૂપ ધૂમ વડે - પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ મિશ્ર છે. આ રીતે કુલ ૪૬ દોષો કહ્યા. હવે સાધુના ઉદ્દેશીને કહે છે કે – તપસ્વી સાધુ આવા રાગદ્વેષને છોડીને આહાર કરે. તે પણ કારણ વિના ન કરે, પણ શુભધ્યાન અને અધ્યયન નિમિત્તે કરે. ॰ હવે કારણ દ્વાર – ૧૮૦ મૂલ-૭૦૩ થી ૭૦૬ : [૭૩] છ કારણે સાધુ આહાર કરવા છતાં ધર્મ આચરે છે અને છ કારણે આહાર વિના નિર્વાહને પામતો પણ ધર્મને આચરે છે. - [૭૪] - છ કારણો :- વેદના શાંતિ માટે તૈયાવાર્થે, ઈપિથને માટે, સંયમા, પાણ ધારણાર્થે, ધર્મચિંતાર્થે આહાર કરે. - [૭૫] - સુધા સમાન વેદના નથી, તેને શમાવવા ભોજન કરે, ભુખ્યો તૈયાવચ્ચ ન કરી શકે માટે આહાર કરે. [૬] • ઈર્યા ન શોધી શકે, પેશ્નાદિ સંયમ ન કરી શકે, બળ હાનિ પામે, ગુણન અને અનુપેક્ષામાં અસમર્થ થાય છે. • વિવેચન-૩૦૩ થી ૭૦૬: ગાથાર્થ કહેલ જ છે, વૃત્તિમાં કિંચિત્ વિશેષ જે છે, તેનું જ કથન કરીએ છીએ – આહાર કરવાના છ કારણોનું કથન કરે છે – (૧) ક્ષુધા વેદનાનું ઉપશમન કરવા માટે, (૨) આચાર્યાદિનું વૈયાવચ્ચ કરવા માટે, (૩) ઈર્યાપથના સંશોધનને માટે, (૪) પ્રેક્ષા આદિ સંયમ નિમિત્તે, (૫) પ્રાણને ધારણ કરવા માટે, (૩) ધર્મ ચિંતાની વૃદ્ધિને માટે. આ જ વાતને આગળ ગાથા ૭૦૫ અને ૭૦૬માં વિસ્તારે છે ઃક્ષુધા - ભુખ જેવી કોઈ વેદના નથી. કેમકે કહ્યું છે કે - ૪ - ૪ - ૪ - આહાર રહિત છે પ્રાણીને સર્વ દુઃખો સમીપપણાને આપે છે. તેથી ક્ષુધાવેદનાને શાંત કરવા માટે ભોજન કરવું જોઈએ. વળી ભુખ્યો વૈયાવચ્ચ ન કરી શકે કેમકે કહ્યું છે કે – આહાર રહિત પ્રાણીનું બળ ગળી જાય છે, ઉત્સાહ નાશ પામે છે, બધાં વ્યાપારો શિથીલ થાય છે, સત્ય નાશ પામે છે અને અરતિ વૃદ્ધિ પામે છે. તેથી વૈયાવચાર્યે ભોજન કરવું જોઈએ. ક્ષુધાઈ એવો પ્રેક્ષાદિ સંયમ પાળવા સમર્થ ન થાય. તેથી સંયમની વૃદ્ધિ માટે ભોજન કરવું તથા બળ-પ્રાણ, તે ભુખ્યાના હાનિ પામે છે અને ગ્રંથનું પરાવર્તન તથા ચિંતવન પણ ભૂખ્યાથી થતું નથી, તેથી આ છ કારણે તે લીધે ભોજન કરવું જોઈએ. આમાંના કોઈ એક કારણે પણ આહાર કરતો સાધુ ધર્મનું ઉલ્લંઘન કરતો નથી. • મૂલ-૭૦૨ થી ૭૧૦ : [૩૩] અથવા સાધુ છ સ્થાન વડે આહાર ન કરે. પછી પાછલી વયમાં આત્માને અપાવીને આહારનો ત્યાગ કરે. - [s૦૮] અભોજનના આ છ કારણો છે – (૧) આતંકમાં, (૨) ઉપસર્ગ થાય તેને સહન કરવા તે, (૩) બ્રહ્મચર્યની ગુપ્તિમાં, (૪) પ્રાણીદયાને માટે, (૫) તપ માટે, (૬) શરીરત્યાગ માટે. [૭૦૯,૭૧૦] - આતંક એટલે જ્વર આદિ, રાજા અને સ્વજનાદિના ઉપસર્ગ. બ્રહ્મવતને પાળવા માટે, વર્ષા આદિ થાય ત્યારે પાણીદયા માટે, ઉપવાસથી છ માસી સુધીના તપને માટે, શરીરના વિચ્છેદન માટે આહાર ત્યાગ કરે, Page #100 -------------------------------------------------------------------------- ________________ મૂલ-૩૦૧ થી 10 181 182 પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ તે પ્રમાણે મેં વ્યાખ્યા કરી છે, જે વડે ધમવિશ્વક યોગો હાનિ ન પામે તે કર્યું. [13] યતના કરતા, સૂમવિધિ વડે પૂર્ણ અને આધ્યાત્મની વિશુદ્ધિ વડે યુક્ત સાધુને થતી વિરાધના નિર્જરાના ફળવાળી છે. * વિવેચન-૭૧૨,૩૧૩ : આ આહાર વિધિની કાળને યોગ્ય પોતાની મતિના વૈભવ વડે મેં વ્યાખ્યા કરી છે. અપવાદમાં કહે છે કે - શ્રુતધર્મ, ચાઅિધર્મ અને પ્રતિકમણાદિ વ્યાપારે જે વડે હાતિને ન પામે તે કરવું. કેમકે સાધુએ જેમ યોગ્ય હોય તેમ ઉત્સર્ગ અને અપવાદમાં રહેવું. અપવાદ સેવી પણ શઠ - ઋજુ સાધુને જે વિરાધના થાય તે પણ નિર્જરાના ફળવાળી છે તે માટે ગાયા-૭૧૩માં કહેલ છે, તે ગાથાર્થ સ્પષ્ટ જ છે. ભાવાર્થમાં વૃત્તિકારશ્રી લખે છે કે- કૃતયોગી, ગીતાર્થ, કારણના વશથી યતના વડે અપવાદને સેવનારા સાધુને જે વિરાધના થાય તે સિદ્ધિના ફળવાળી છે. આ રીતે આગમ (સૂગક્રમ 41/1 એવા પિંડનિયુક્તિ [મૂલ સૂત્ર ક્રમ૨]નો ટીકા સહિતનો અનુવાદ કિંચિત્ સંક્ષેપથી નોંધ્યો. - અહીં પિંડનિયુક્તિ અને વિકો ઓઘનિર્યુક્તિ એમ બંને અલગ આગમ પરંપરામાં સ્વીકાર્ય હોવાથી 41/1 અને 41/2 એવો ભાગ કરેલ છે. * વિવેચન-૭૦૭ થી 310 : [999] આગળ કહેવાનાર છ સ્થાનો વડે સાધુ આહાર ન કરે, શિષ્યનું સ્થાપન વગેરે સર્વ કર્તવ્ય કર્યા પછી પાછલી વયમાં સંલેખના કરવા દ્વારા આત્માને ખપાવીને જાવજીવ અનશન પ્રત્યાખ્યાન કરવાને યોગ્ય એવો કરીને ભોજનનો ત્યાગ કરે. અન્યથા ન કરે. આમ કહીને પહેલી-બીજી વયમાં સંલેખના કર્યા વિના શરીરના ત્યાગને માટે અનશન કરતા એવા સાધુને તેનું પ્રત્યાખ્યાન કરવામાં જિનાજ્ઞા ભંગ છે એમ દેખાડે છે. [મલયગિરિજી મહારાજનું આ કથd કોઈ ગીતાથ પાસે સમજવું, શ્રીહરિભદ્રસૂરિ આદિમાં આવી વ્યાખ્યા થઈ નથી. (Bo૮અભોજનના કારણો - આર્તવ - જવર આદિ વ્યાધિ. ૩૫ણf - રાજા કે સ્વજનાદિએ કરેલા અથવા દેવ, મનુષ્ય, તિર્યએ કરેલા ઉપસર્ગમાં, તેને સહન કરવાને માટે, 26/વર્યતિ ના પાલનને માટે. જીવદયાને માટે. તપના કારણે, છેલ્લી અવસ્થામાં શરીરના ત્યાગને માટે. આ જ કારણે ભોજનનો ત્યાગ કરે. હવે આ ગાયાનો જ વિસ્તાર બે ગાવામાં કરે છે - [09,710] ગાથાર્થ કહ્યો છે, કેટલુંક વિવરણ ગાથા-Bo૮ના વિવેચનમાં આવી ગયેલ છે. તેથી મમ વિશેષ નોંધનીય વૃત્તિ જ અહીં લીધેલ છે, તે આ પ્રમાણે (1) આર્તવજ - જવરાદિ વ્યાધિની ઉત્પતિમાં આહાર ન કરે. કેમકે જવરારંભે લંઘન હિતકારી છે. (2) ઉપસર્ગ ઉત્પન્ન થતાં તેના ઉપશમનને માટે આહાર ન કરે. (3) મોહોદય થતાં બ્રહ્મવતના પાલનાર્થે આહાર ન કરે. કેમકે આહાર હિત પ્રાણીના વિષયો નાશ પામે છે. (4) વરસાદ વરસતો હોય અથવા મહિકા-ધુમ્મસ પડતું હોય, સૂક્ષ્મ દેડકી આદિથી ભૂમિ વ્યાપ્ત હોય તેવા સંયોગોમાં જીવદયાને માટે અટનનો ત્યાગ કરતો એવો તે આહાર ન કરે. (5) છ માસી પર્યત્તના ઉપવાસનો તપ કરવી માટે આહાર ન કરે. વર્ધમાન સ્વામીના તીર્થમાં છ માસથી વધુ તપનો નિષેધ છે. તથા પૂર્વોક્ત છઠું કારણ * ચરમકાળે શરીરના ભાગને માટે અનશન કરે. આ રીતે ગ્રામૈષણા કહી. તેમ કરતાં ત્રણે એષણા પૂરી થઈ. * મૂલ-૭૧૧ + વિવેચન : ઉદ્ગમના ૧૬-દોષો, ઉત્પાદનના ૧૬-દોષો, એષણાના ૧૦-દોષો, સંયોજનાદિપ-દોષો મળીને કુલ-૪૭દોષો થાય છે. આ દોષોની શુદ્ધિ કરનાર સાધુ પિંડની શુદ્ધિ કરે છે. પિંડશુદ્ધિથી ચાસ્ત્રિ શુદ્ધિ, ચાસ્ત્રિ શુદ્ધિથી મોક્ષપ્રાપ્તિ થાય છે. દોષોની શુદ્ધિ ન કરે તો ચાસ્ત્રિનો નાશ જાણવો. ભિક્ષાચયમાં પરિતાપ પામતાને મંદ સંવેગવાળો જાણવો. ભિક્ષા એ જ્ઞાન અને સાત્રિનું મૂળ છે, તેમાં ઉધમી તે તીવ્ર સંવેગવાળો જાણવો. પિંડની શુદ્ધિ ન કરતો સાધુ અચાસ્ત્રિી જ છે. ચાસ્મિાભાવે દીક્ષા નિરર્થક છે. * મૂલ-૭૧૨,૩૧૩ - [1] આ આહારવિધિ જે પ્રમાણે સવભાવદર્શી તીકરો એ કહેલ છે, મુનિ દીપરત્નસાગરે કરેલ-આગમ-૪૧/૧ પિંડનિર્યુક્તિ મૂિળસૂત્ર-રનો સટીક અનુવાદ પૂર્ણ 0 - X - X - X - X - 0.