SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૧૬૪ થી ૧૮૧ કરવાને કહે છે – 99 • મૂલ-૧૮૨ : તે આધાકર્મ શું છે ? એમ પૂછતા ગુરુ મહારાજ તેનું સ્વરૂપ કહેવા માટે તથા તેનો સંભવ દેખાડવાને અશનાદિકને કહે છે. • વિવેચન-૧૮૨ : તે આધાકર્મના સ્વરૂપને કહેવા તથા તે આધાકર્મના સંભવને દેખાડવા માટે અશન, પાન, ખાદિમ, સ્વાદિમને કહે છે. x - આધાકર્મને જણાવવા – જે આ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ સાધુને મરાટે કરેલા છે, એમ જાણવા કે સાંભળવામાં આવેલ હોય તો તે ભક્ત, પાન, સાધુને અકલ્પ્ય છે, તેથી દેનારને પોતે પ્રતિષેધ કરે કે – મારે તેવું કો નહીં. હવે અશનાદિકનું જ વ્યાખ્યાન કરે છે – • મૂલ-૧૮૩/૧નું વિવેચન : શાલી વગેરે ‘અશન' છે. 'વટ' ખાડો, ઉપલક્ષણથી વાવ, કુવો, તળાવ આદિ છે. કેમકે તેમાં રહેલ જળ તે ‘પાન' છે. ફળ-નાળિયેર આદિ, ચિંચિણિકા, પુષ્પ તે ‘ખાદિમ' છે. સુંઠ વગેરે ‘સ્વાદિમ' છે. અશનાદિ કહ્યા. હવે આધાકર્મરૂપ આ બધાંના ચાર ભંગો કહે છે. • મૂલ-૧૮૩/૨ : સાધુને માટે કરવાનો પ્રારંભ કર્યો અને નિષ્ઠિત કર્યું આદિ ચાર ભંગો થવા. તેમાં બે શુદ્ધ છે અને બે અશુદ્ધ છે. • વિવેચન-૧૮૩/૨ - સાધુને માટે કરવાનો આરંભ કર્યો તથા સાધુને માટે સર્વથા અચિત કર્યુ. એ વિષયમાં ચાર ભંગો છે. (૧) સાધુ માટે આરંભ્યુ, તેમને માટે જ નિષ્ઠિત કર્યુ. (૨) સાધુ માટે આરંભી બીજાને માટે નિષ્ઠા પહોંચાડી. (૩) બીજા માટે કરવાનું આરંભ્યુ અને સાધુ માટે નિષ્ઠા પમાડ્યું. (૪) અન્યને માટે આરંભ્યુ અને અન્યને માટે નિષ્ઠા પમાડ્યું. પહેલો ભંગ કહ્યો. હવે બીજો કહે છે – સાધુને માટે આરંભ્યુ, પછી દાતારને સાધુવિષયક દાનના પરિણામનો અભાવ થવાની બીજા માટે નિષ્ઠા પમાડે૰ ઈત્યાદિ. આ પ્રમાણે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ દરેકને વિષે ચાર ચાર ભંગ થાય છે. તેમાં બીજો અને ચોથો ભંગ સાધુને આસેવના યોગ્ય છે કેમકે સાધુ માટે નિષ્ઠિત કરેલ નથી. પહેલો અને ત્રીજો ભંગ અકલ્પ્ય છે. કેમકે નિષ્ઠા પ્રધાન છે, તે ન કો. હવે અશનાદિરૂપ આધાકર્મ સંભવ : • મૂલ-૧૮૪ થી ૧૮૯ : છ ગાથામાં એક કથાનક જ છે. જે વિવેચનમાં કહેલ છે. • વિવેચન-૧૮૪ થી ૧૮૯ : સંકુલ નામે ગામ, જિનદત્ત શ્રાવક, જિનમતિ નામે તેની પત્ની છે. તે ગામમાં કોદરા અને રાલક ઘણાં ઉત્પન્ન થાય છે. તેથી સાધુને પણ તે જ બધે મળે છે. વસતિ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ પણ કલ્પ્ય છે. તે વસતિમાં સ્વાધ્યાય પણ વિઘ્નરહિત વૃદ્ધિ પામે છે. કેવળ શાલિનો ઓદન પ્રાપ્ત થતો નથી. તેથી કોઈપણ આચાર્ય ભગવંત સમુદાય સહિત ત્યાં રહેતા નથી. st કોઈ વખતે સંકુલ ગામની પાસે ભદ્રિલ ગામમાં કોઈ આચાર્ય પધાર્યા. તેમણે સંકુલ ગામની પ્રત્યુપેક્ષણા કરવા સાધુને મોકલ્યા. સાધુ પણ ત્યાં જઈ આગમાનુસાર જિનદત્ત શ્રાવક પાસે વસતિ માંગી. ત્યાં રહ્યા. ભિક્ષાટન અને બહિર્ભૂમિ ઈત્યાદિ વડે ગામની પ્રત્યુપેક્ષણા કરી. જિનદત્તે પણ યથાવિધિ બધાને વાંદીને મહત્તને પૂછ્યું – ક્ષેત્ર પસંદ પડ્યું ? સાધુ બોલ્યા – “વર્તમાન યોગ''. જિનદત્તને થયું, બીજા પણ આવે છે, પરંતુ કોઈ સાધુ અહીં રહેતા નથી, કારણ શું ? કોઈ સરળ સાધુને પૂછતાં જાણું કે બધાં ગુણ છે, પણ આચાર્યને યોગ્ય શાલિ ઓદન નથી મળતો. તે જાણી જિનદત્તે શાલી વાવ્યા. ઘણાં શાલી નીપજ્યા. કોઈ આચાર્ય પધાર્યા. આચાર્ય ભગવંત પધારે એવી આશાએ સાધુને શાલિ ઓદન વહોરાવવા વિચાર્યુ, સર્વે સ્વજનને ત્યાં શાલિ મોકલ્યા. જેથી સાધુને આધાકર્મની શંકા ન આવે. એષણા સમિતિ સહિત ભિક્ષાટન કરતા સાધુઓએ બાળકોના વચનો સાંભળ્યા, કે આ તે સાધુઓ છે જેના કારણે અમારા ઘેર શાલિઓદન રંધાયા - છે. ઈત્યાદિ વચનો સ્થાને-સ્થાને અલગ પ્રકારે સાંભળ્યા. કોઈ દરિદ્ર બોલ્યો કે અમારે તો “થક્કે ચક્કાવડિય'' પ્રાપ્ત થયું. અર્થાત્ અવસરમાં અવસરને અનુસરતી વસ્તુ પ્રાપ્ત થઈ. - ૪ - ૪ - ત્યારે સાધુઓએ શંકા જતાં પૂછ્યું કે X“બધે આ પ્રમાણે શાલિ-ઓદનની વાત કેમ સંભળાય છે? સરળ લોકોએ કહી દીધું. આ પ્રમાણે નિશ્ચે આ શાલિ આધાકર્મ છે, એમ જાણીને તે સર્વે ઘરોનો ત્યાગ કરી, બીજા ઘરોમાં ભિક્ષા અટન કરવા લાગ્યા. આ રીતે નિશ્ચે નિષ્કલંક સંયમ ઈચ્છનારે આધાકર્મ તજવું. આધાકર્મી અશનનો સંભવ કહ્યો, હવે પાનનો કહે છે – • મૂલ-૧૯૦ : એ પ્રમાણે જ ખારા પાણીને વિશે જાણવું. તેમાં ભૂમિ ખોદી મીઠું પાણી કાઢી તે કૂવાને ત્યાં સુધી ઢાંકી રાખે, જ્યાં સુધી સાધુ આવે. • વિવેચન-૧૯૦ : કોઈ ગામમાં બધાં કૂવા ખારા પાણીના હતા અર્થાત્ આમળા જેવા પાણીવાળા હતા. ત્યાં પ્રત્યુપેક્ષણા માટે સાધુ આવ્યા. પૂર્વવત્ શ્રાવકે આદરસહિત ત્યાં રહેવાનું કહ્યું. તો ૫ણ સાધુ ત્યાં ન રહ્યા. કોઈ સરળ સાધુએ કહી દીધું કે – આ ગામમાં સર્વે ગુણો છે પણ પાણી ખારુ છે માટે અમે રહેતા નથી. પછી શ્રાવકે મીઠા પાણીનો કૂવો ખોદાવ્યો. પછી તેને પાટિયા આદિથી ઢાંકી દીધો. જ્યારે સાધુ આવ્યા ત્યારે તેણે બધાંને ઘેર મીઠું પાણી મોકલી દીધું, જેથી આધાકર્મની શંકા ન રહે. પૂર્વવત્ બાળકોના વચનથી તે વાત જાણી, આધાકર્મી પાણીને કારણે તે ગામનો ત્યાગ કર્યો.
SR No.009078
Book TitleAgam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy