SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૪૦૩ થી ૪૦૬ ૧૨૩ ચાલ્યા જાય ત્યારે સાર્થિકોને પાછું આપી દે. ફરી સાર્થિકો અનુજ્ઞા આપે, તો કહે છે. આચ્છધ દ્વાર કહ્યું હવે અનિકૃષ્ટ દ્વાર કહે છે – • મૂલ-૪૦૩ થી ૪૧૧ : [૪૦] અનિકૃષ્ટનો નિષેધ કર્યો છે, પણ સાધુઓને અનુજ્ઞાત કહ્યું છે. તે લાડુ, ચોલક, મંત્ર, સંખડી, દુધ અને આપણ વિષયક છે. [૪૦૮ થી ૪૧૧] લાડુના વિષયવાનું સાધારણ અનિકૃષ્ટનું દટાંત ચાર ગાથા વડે કહે છે. જેનો ગાથાર્થ વિવેચનમાં સમાવિષ્ટ છે. • વિવેચન-૪૦૩ થી ૪૧૧ :| નિકૃષ્ટ એટલે અનુજ્ઞાત, અનિસૃષ્ટ-અનુજ્ઞા ન આપેલું. તેને તીર્થકર અને ગણધરોએ નિષેધેલ છે. અનુજ્ઞાત હોય તો સાધુને કહ્યું છે. તે અનિકૃષ્ટ અનેક પ્રકારે છે, જેમકે - લાડુ વિષયક, ભોજન વિષયક ઈત્યાદિ - x • x • સામાન્યથી અનિકૃષ્ટ બે પ્રકારે – સાધારણ અનિકૃષ્ટ, ભોજન અનિકૃષ્ટ. તેમાં લાડુ વિષયક સાધારણ અનિકૃષ્ટનું દષ્ટાંત કહે છે - - રતનપુર નગરે માણિભદ્ર આદિ ૩૨-મિત્રો હતા. તેઓએ ઉજાણી માટે કોઈ દિવસે લાડવા કરાવ્યા. એકને લાડવાનું રક્ષણ કરવા રાખ્યો. બાકીના ૩૧-સ્નાનાર્થે ગયા. ત્યારે કોઈ લાલચુ સાધુ ભિક્ષાર્થે આવ્યો. લાડુ જોયા. લંપટપણાથી તે પુરુષ પાસે લાડવા માંગ્યા. ત્યારે પેલા લાડુ રક્ષકે કહ્યું કે - આના માલિક-૩-જણા છે, મારેથી ન અપાય. ફરી સાધુ બોલ્યા - બીજાના લાડુ વડે શું તું પુન્ય કરવા સમર્થ નથી ? કે માંગવા છતાં આપતો નથી. તું મને ૩૨-લાડુ આપે તો તારા ભાગમાંથી માત્ર એક જ ઓછો થશે. તને અ૫ વયમાં ઘણો લાભ થશે, માટે આપી દે. તેણે સાધુનું પાત્ર ભરી દીધું. હર્ષિત થયેલ તે સાધુ ત્યાંથી નીકળ્યો. ત્યાં મણિભદ્ર આદિ 3૧-સામે મળ્યા. હે પૂજ્ય ! પાત્રમાં શું લીધુ છે ? સાધુને થયું, સાચું કહીશ તો મારા લાડવા પાછા માંગશે, ભારથી નમેલા સાધુને જોઈને માણિભદ્રાદિએ ધરાર પાત્ર જોવા માંગ્યું. સાધુએ ન દેખાડતા, બળાકારે તેમણે જોઈને - લાડુ જોયા. તિરસ્કારપૂર્વક પે'લા રક્ષકપુરને પૂછ્યું - શું તેં આ બધાં લાડુ આપી દીધા ? પે'લો કહે મેં નથી આપ્યા. સાધુને ચોર ગણી, આક્રોશ કરતા, તેનું પત્ર, જોહરણ, ઉપકરણાદિ છિનવી લઈ, તેને ગૃહસ્થ કરી દીધો. રાજકુળે લઈ ગયા. તેઓએ સાધુવેશઘારી જાણીને જીવતો છોડ્યો પણ દેશનિકાલની આજ્ઞા કરી. આ રીતે માલિકની આજ્ઞા વિના સાધુએ ભોજનાદિ ન લેવા કહ્યું. • મૂલ-૪૧૨નું વિવેચન : મોદક દ્વારની માફક યંત્ર, સંખડી, દુધ, આપણ આદિમાં સામાન્યનો નિષેધ છે. પણ અનુજ્ઞા આપેલું ગ્રહણ કરવું કશે. અર્થાત્ તેના બધાં સ્વામી ન આપે તો તીર્થકર ભગવંતે તેને નિષેધેલ છે. બધાં સ્વામીની અનુજ્ઞા હોય તો કહે છે. હવે ચુલ્લક દ્વારની પ્રસ્તાવના તથા યુલકના ભેદ કહે છે – ૧૨૪ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ • મૂલ-૪૧૩ થી ૪૧૭ : [૪૧] • હવે ચુલ્લક-ભોજન દ્વાર કહે છે, બહુ વકતવ્યતાથી તેને પાછળ રાખ્યું છે. ગુરુએ ચુલ્લકને બે ભેદે કહેલ છે – સ્વામી સંબંધી, હાથી સંબંધી. - [૪૧૪] - સ્વામીએ ન આપેલ યુલક છિન્ન અને અછિન્ન બે ભેદે છે. તેમાં આછિન્ન પણ નિકૃષ્ટ, અનિકૃષ્ટ બે ભેદે છે. છિmયુલ્લક ગ્રહણ કરવું કહ્યું, અછિન્ન પણ નિકૃષ્ટ હોય તો કો. - [૪૧૫] - છિન્ન હોય તે ટ કે અદષ્ટ પણ કહ્યું છે, અછિન્ન જે નિકૃષ્ટ હોય તો કહ્યું. અનુજ્ઞાત દષ્ટ કે આદષ્ટ ન કહે - [૪૧૬] - અનિકૃષ્ટને પછીથી અનુજ્ઞા આપી હોય તો તે ગ્રહણ કરવું કહ્યું. તે જ પ્રમાણે આદષ્ટ પણ કહ્યો છે. તીનું ભોજન અનિકૃષ્ટ ન કરે, હાથીએ ન દીઠેલું કહ્યું. - [૪૧] - હાથીનું ભોજન રાજપિંs છે. તેના ગ્રહણથી ગ્રહણાદિ દોષો, અંતરાય, અદત્તાદાન દોષ લાગે છે. મહાવત પોતાનું ભોજન આપે તો પણ તેના વારંવાર ગ્રહણથી વસતિનું ફોટન થાય છે. • વિવેચન-૪૧૩ થી ૪૧૭ : ગાથાર્થ કહ્યો છે. વૃત્તિમાં રહેલ વિશેષ કથન જ માત્ર નોંધીએ છીએ :ચુલ્લક અર્થાત્ ભોજન બે ભેદે – સ્વામી સંબંધી, હાથી સંબંધી. ભોજન બે ભેદે - fછત્ર:- જેમકે કોઈ કણબી ખેતરમાં રહેલા હાલિકોને કોઈના દ્વારા ભોજન મોકલે, તે જુદા જુદા ભાજનમાં નાંખીને મોકલે તો તે છિન્ન ભોજન કહેવાય. પરંતુ - fછત્ર • બધાં હાલિકોને યોગ્ય ભોજન એક જ પાત્રમાં મોકલે - તો અછિન્ન કહેવાય. એ જ પ્રમાણે ઉજાણી આદિમાં પણ ભોજનનું છિન્નાછિન્ન જાણવું. અછિન્ન બે ભેદે છે - નિકૃષ્ટ અને અનિકૃષ્ટ. જે ભોજન હાલિકોએ સાધુને આપવા છૂટું મૂકેલ છે, તે નિકૃષ્ટ. મોકળું ન મૂકેલ હોય તે અતિસૃષ્ટ. પણ હાલિકનું ભોજન તેનો માલિક સાધુને આપે તો પણ કલો. જ્યારે અછિન્ન ભોજન સર્વ માલિકની અનુજ્ઞા વિના ગ્રહણ કરે તો ન કયે. જે ભોજન જેના નિમિતે છિન્ન હોય, તેના વડે દેવાય તો તેના મૂળસ્વામીએ જોયેલ કે ન જોયેલ હોય તો પણ કશે. વળી અછિન્ન પણ સ્વામી અનુજ્ઞાત હોય તો કો, પછી તે તેના સ્વામીથી દષ્ટ હોય કે અર્દષ્ટ હોય. જો સ્વસ્વામી અનુજ્ઞાત ન હોય તો દૌટ કે અદેટ એકે ન કશે. કેમકે તેનાતી પૂર્વોક્ત ગ્રહણાદિ દોષો સંભવે છે. સાધારણ અનિકૃષ્ટને પૂર્વે સ્વ-સ્વ સર્વ સ્વામીએ અનુજ્ઞા ન આપી હોય તો પણ પછીથી અનુજ્ઞા આપે ત્યારે ગ્રહણ કરવું કલો. પછી તે સ્વામીને અદષ્ટ હોય તો પણ કલો. હાથીનું ભોજન મહાવતે અનુજ્ઞા આપ્યા છતાં રાજા અને હાથીની અનુજ્ઞા ન હોવાથી ન કો. મહાવત પોતાના ભાગનું આપે તો પણ હાથીએ ન જોયું હોય તો કશે. હાથીના જતા લેવાથી ઉપાશ્રયભંગાદિ દોષો લાગે. વળી હાથીનું ભોજન રાજપિંડ છે. તેથી રાજાની અનુજ્ઞા ન હોવાથી ગ્રહણ, વેષ લઈ લેવો ઈત્યાદિ દોષો સંભવે. અંતરાય નિમિતક પ્રાપ્ત પણ સાધુને પ્રાપ્ત થાય છે. મહાવતને પણ વૃત્તિ
SR No.009078
Book TitleAgam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy