SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૨૬૪ થી ૨૬૬ સામાન્યથી સંકલ્પવાળું દ્રવ્ય હોય તો તે સર્વથા ન કશે. જે કર્મ ઓશિક કૃતપાક સાવદર્શિક હોય અને તેને પોતાને માટે કલોલું હોય તો તે કહે છે. [શંકા આધાકર્મિક અને કર્મ ઓશિકમાં શો ભેદ છે ? જે પહેલાંથી જ સાધુ માટે બનાવેલ હોય તે આધાકર્મિક, જે પહેલાં રાંધેલું છતાં ફરીથી પાક કરવા વડે સંસ્કાર કરાય તે કર્મ દેશિક છે. o હવે પતિદ્વાર કહે છે. પ્રતિ ચાર પ્રકારે - નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવપૂતિ. નામ, સ્થાપના સુગમ છે. હવે દ્રવ્ય અને ભાવપૂતિ કહે છે - • મૂલ-૨૬૭ થી ૨૭૦ - [૨૬] પૂતિકર્મ દ્રવ્ય અને ભાવ બે પ્રકારે છે. દ્રવ્યમાં છાણ વડે કહેવાતું. ધાર્મિક ષ્ટાંત છે. ભાવમાં ભાદર અને સૂક્ષ્મ બે ભેદ છે. [૨૬૮] દ્રવ્યપૂતિ - જે દ્રવ્ય ગંધાદિગુણે યુકત પણ પછી શુચિ ગંધદ્રવ્યથી સહિત થવાથી પૂતિ છે, તેથી તેનો ત્યાગ કરાય છે. [૨૬૯,૨૭] હવે બે ગાથા વડે દૃષ્ટાંત કહે છે, જે વિવેચનમાં છે. • વિવેચન-૬૭ થી 90 - પૂતિ - અશુચિ કરવું તે બે ભેદે છે – દ્રવ્યથી - જેનું દૃષ્ટાંત અહીં અપાશે. ભાવથી - બાદર અને સૂક્ષ્મ. અહીં દ્રવ્યનું જે પૂતિકરણ તે દ્રવ્યપૂતિ કહેવાય. જે દ્રવ્યથી ભાવનું પ્રતિકરણ થાય છે તે દ્રવ્ય છતાં ઉપચારથી ભાવપૂતિ કહેવાય છે. દ્રવ્યપૂતિનું લક્ષણ - જે દ્રવ્ય પ્રયમથી સુગંધીરૂપે છે, પણ અશુચિ ગંધ દ્રવ્યથી યુક્ત થતાં અશુચિ થાય છે. માટે તે ત્યજાય છે. સમિલ્લ નામે નગર હતું. નગર બહાર ઉધાન સભામાં દેવકુલિકામાં માણિભદ્ર યક્ષ હતો. તે નગરમાં શીતળાનો રોગ થયો. કેટલાંકે યક્ષની માનતા માની કે - જો અમે ઉપદ્રવથી મુક્ત થઈશું તો એક વર્ષ સુધી આઠમ વગેરે તિથિને વિશે તમારી ઉધપનિકા કરીશું તેઓ કોઈપણ રીતે ઉપદ્રવ મુક્ત થયા. દેવશર્મા પૂજારીને આઠમ આદિ તિથિએ ચક્ષના સભામંડપને છાણથી લીંપજે. અમે પવિત્ર સભામાં ઉજવણી કરીશું. પૂજારી કણબીને ત્યાં સવારમાં છાણ લેવા ગયો. નોકરે અજીર્ણ થવાથી દુર્ગધી વિઠા કરેલી, ઉપર ભેંસે આવીને છાણના પોદળા કર્યા. દેવશમરિએ તે ન જાણ્યું. તે છાણને તેમજ લઈને ચાલ્યો. સભાને લીંપી. ઉજવણી કરનારા આવ્યા. સભામાં દુર્ગધ આવતી જાણીને પૂજારીને પૂછ્યું. લીંપણમાં વિઠા છે તેમ જાણયું. સર્વે ભોજન અશુચિ થયું એમ જાણીને તેનો ત્યાગ કર્યો. લીંપણ ઉખેડી, બીજા છાણથી, લીંપણ કર્યું. બીજા ભોજનાદિ પકાવ્યા. સાર એ કે – વિષ્ઠા ઉપરનું ભોજન તે દ્રવ્યપૂતિ છે. • મૂલ-૨૭૧ થી ૨૬ : ]િ ઉદ્દગમ કોટિના અવયવ માથી પણ મિત્ર આશનાદિક શુદ્ધ છતાં પણ શુદ્ધ ચાઅિને મલિન કરે છે, આ ભાવપૂતિ કહેવાય. [૨૭] આધાકર્મ, પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ ૌશિક, મિશ્ર, બાદર પ્રાકૃતિકા, ભાવપૂતિ અને આધ્યવયુક એ ઉગમકોટિ કહેવાય. [૨૭] ભાવપૂતિ બે ભેદે – બાદર, સૂક્ષ્મ. તેમાં ભાદરપૂતિ બે ભેદ – ઉપકરણમાં અને ભોજન પાનમાં. રિ૩૪] ચૂલો, તપેલી, કડછો, કડછી વડે મિશ્ર તે પૂતિ તથા શાક, મીઠું, હિંગ વડે જે મિશ્ર પણ પૂતિ, સંકામણ, ફોટન, ધૂમ પણ ભોજનપાન પૂતિ છે. [૨૭૫ ચૂલો અને તપેલી રાંધવાની વસ્તુને ઉપકાક છે, કડછી-કડછો આપવામાં આવતી વસ્તુને ઉપકાર કરે છે માટે તે દ્રવ્ય ઉપકરણ કહેવાય. [૩૬] ચૂલો અને તપેલી બંને આધાકર્મી હોય તો પહેલા ત્રણે ભાંગામાં અકય છે ત્યાં રહેવાનો નિષેધ છે બીજા સ્થાને રહેલની અનુજ્ઞા છે. • વિવેચન-૨૭૧ થી ૨૭૬ : છ એ ગાયાનો ગાથાર્થ કહ્યો. હવે વૃત્તિમાંના ફક્ત વિશેષ કથન કહીએ છીએ – [૨૩૧] - આધાકર્મીના ભેદો બે પ્રકારે - વિશોધિકોટિ અને અવિશોધિ કોટિ. અહીં વિશોધિ કોટિ લેવી. તેના એક જ અવયવ વડે પણ મિશ્રિત શનાદિ, ઉદ્ગમાદિ દોષ રહિત હોવા છતાં અતિચાર રહિતને મલિન કરે છે. આવું અશનાદિ તે ભાવપૂતિ - [૨૨] fશ્ર - સાધુ અને પાખંડીનું મિશ્ર હોય છે. હવે ભાવપૂતિના ભેદે - [૨૩] - બાદર ભાવપૂતિમાં બે ભેદ - ઉપકરણ વિષયક અને ભોજન-પાન વિષયક. તેમાં ભોજન-પાન પૂતિ કહે છે -- [૩૪] - ચૂલો, તપેલી, કડછો, કડછી સર્વે આધાકર્મરૂપ જાણવા. તેના વડે મિશ્ર થયેલ શુદ્ધ અશનાદિ પણ પૂતિ કહેવાય. ચૂલો અને તપેલીના યોગ પૂર્વક રાંધીને કે તેની ઉપર સ્થાપીને પૂતિ થાય છે. આધાકર્મવાળા શાક વગેરે દ્રવ્યો વડે મિશ્ર પણ પતિ કહેવાય. આધાકર્મી ભોજનાદિથી ખરડાયેલ તપેલી આદિમાં શુદ્ધ અશનાદિ રાંધવા કે તેમાં મૂકવા આદિ પણ પૂતિ છે. - [૨૫] - જેના વડે ઉપકાર કરાય છે ઉપકરણ. ચૂલો અને તપેલીમાં રહેલા અશનાદિને આશ્રીને કલયાકલય. વિધિ કહે છે - અહીં ચલો અને તપેલી બંને આધાકર્મી છે અથવા આધાકર્મના પંકથી મિશ્રિત છે અથવા બેમાંથી કોઈ એક તેવું હોય તેના ચાર ભંગો છે - (૧) ચૂલો આધાકર્મી તપેલી નહીં. (૨) ચૂલો આધાકર્મી ન હોય, તપેલી હોય. (3) બંને આધાકર્મી હોય, (૪) બંને આધાકર્મી ન હોય. આમાં પહેલાં ત્રણ અંગો વિશે સંધવા વડે કે તેની ઉપર રાખવા માત્રથી તે શન પૂતિદોષ હોવાથી અકય છે. તેનું વિષયના વિભાગ વડે કલયાકીયપણું - ત્યાં રંધાય કે અન્યત્રથી લાવીને ત્યાં સ્થાપન કરાય તો તેવાનો નિષેધ છે. જો તે જ ભોજન અબ રહેલ હોય તો તેની તીર્થકરાદિએ અનુમતિ આપેલ છે. પણ જો સાધુ માટે અન્યત્ર લઈ જવાયું હોય તો ન કશે. હવે ચૂલા વગેરે ઉપકરણનો પૂતિભાવ દેખાડવા માટે કહે છે – • મૂલ-૨૭૩ થી ૨૮૦ :[૨૭] આધાકમરૂપ પંક વડે મિશ્ર ચૂલો અને તપેલી ઉપકરણપૂતિ
SR No.009078
Book TitleAgam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy