SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૨૪૨ થી ૨૪૫ દર [૨૪૪] શંકા-સમાધાન કહે છે :- છાસ્ય કઈ રીતે જાણે કે આ ઓઘ દેશિક છે ? આગળ કહેવાશે તેવી ગૃહસ્થની શબ્દાદિ ચેષ્ટામાં ઉપયોગવાળો સાધુ તે જાણી શકે. જેમકે [૨૪૫] પ્રાયઃ ગૃહસ્થોની ચેષ્ટા આવી હોય - તે ગૃહસ્વામીની સાધુ સાંભળે તેમ પતિને કહે કે – પાંચે ભિક્ષા બીજાને અપાઈ ગઈ છે. ભિક્ષાની ગણતરી માટે ભીંત ઉપર રેખા કરે કે તે ગણતી-ગણતી આપે. અથવા કોઈક બીજાને સૂચના કરે કે સંકલિત કરેલ ભિક્ષાપેટીમાંથી આપ કે આમાંથી ન આપ થવા સાધુ પ્રવેશે ત્યારે બોલે કે અમુક સ્થાનેથી આટલી ભિક્ષા ભિક્ષકોને આપવા જુદી કર, ઈત્યાદિ રીતે જાણી છવાસ્થ તેવી ભિક્ષાનો ત્યાગ કરે વૃદ્ધ સંપ્રદાય એવો છે કે સંકલિત ભિક્ષા અપાઈ ગઈ પછી જુદી કરેલમાંથી બાકી રહેલ ભિક્ષા કહ્યું છે. • મૂલ-૨૪૬ થી ૨૪૯ - [૨૪૬) ગૌરી માટે નીકળેલા સાધુએ શબ્દાદિ વિષયમાં મૂછ ન કરવી, પણ ગૌભકતને વિશે ગોવત્સની જેમ એષણાવાળા થવું. (ર૪૭,૨૪૮] અહીં ગોવત્સનું ષ્ટાંત છે, તે વિવેચનથી જાણવું [૪૯] ગમનાગમનમાં, ઉોપમાં, બોલવામાં, શ્રોમાદિ ઈન્દ્રિયો વડે ઉપયોગી તથા તેમાં જ મનવાળો સાધુ શોષણા કે અનેયણાને જાણી શકે છે. • વિવેચન-૨૪૬ થી ૨૪૯ - ભિક્ષાને માટે પ્રવેશે ત્યારે શબ્દ, રૂપ, રસાદિમાં મૂછ ન કરવી. પણ ઉદ્ગમાદિ દોષની ગવેષણામાં તત્પર રહેવું. જેમ ગોવસ-વાછરડો, ગોભકત-ગાયના ખોરાકમાં ઉપયોગી હોય, તેમ ઉપયોગી રહેવું. તેનું દૃષ્ટાંત - ગુણાલયનગર, સાગરદત્ત શ્રેષ્ઠી, શ્રીમતી ભાર્યા, તેમને ગુણચંદ્ર આદિ ચાર "ગો, પ્રિયંગુલતિકા આદિ ચાર પુત્રવધૂઓ હતી. શ્રેષ્ઠી પની મરણ પામતા, પ્રિયંગુલતિકાને ઘરની સંભાળ માટે સ્થાપી. શ્રેષ્ઠીને ઘેર વાછરડાવાળી ગાય હતી. તેના ચારો પાણી ચારે વહુઓ યથાયોગ આપતી. કોઈ વખતે પ્રિયંગુલતિકાના પુત્ર ગુણ સાગરના લગ્ન પ્રસંગે બધી વહુઓ શણગારમાં વ્યસ્ત હતી, વાછરડો ભૂલાઈ ગયો. તેને કોઈ વહુએ પાણી પણ ન આપ્યું. મધ્યાહૈ શ્રેષ્ઠીને જોઈને વાછરડો આરડવા લાગ્યો. શ્રેષ્ઠીએ તેને ભુખ્યો જાણી પુત્રવધૂઓને તાડના-નર્જના કરી. તેથી, ચારે વહુઓ દોડતી આવીને યથાયોગ ચારો-પાણી લઈને ચાલી. વાછરડો દેવી જેવી શોભતી વહુ કે શોભતા ઘરને પણ જોતો નથી, માત્ર ચાર-પાણીને જુએ છે. આ પ્રમાણે સાધુઓએ ભિક્ષાર્થે અટન કરવું જોઈએ. પણ સ્ત્રી, ગીત આદિમાં આસક્ત ન થવું મમ ભિક્ષામાં ઉપયોગવાળા થઈને વર્તવાથી શુદ્ધ કે અશુદ્ધ જાણી શકાશે. તે આ રીતે - સાધુને માટે ભિક્ષા આપવા ભિક્ષા દેનારી સ્ત્રી લાવવા માટે જાય કે લઈને પાછી આવે, વાસણ આદિ ઉંચુ ઉપાડે કે આહાર નાંખે એ બધા પદોમાં તથા તેને બોલતી સાંભળીને ઉપયોગવાળો થાય. તે બધામાં વાછરડા માફક પોતાને કલ્પનીય આહાર-પાણી છે કે નહીં ? એ જ ભાવનામાં એકાગ્રચિત્ત રહે, તે સાધુ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ એષણીય કે અનેષણીયને જાણે. હવે વિભાગ ઔશિકનો સંભવ કહેવા માટે સૂત્રકાર જણાવે છે - • મૂલ-૨૫૦,૨૫૧ :- [ભાષ્ય-૩૨]. મોટી સંખડીમાં વધેલ ભાત, દહીં આદિ જોઈને ગૃહસ્થ બોલે કે - આ વસ્તુ પુન્યને માટે આપ... તેમાં પ્રમાણે પૂર્વે કહેલ વિભાગ ઔશિક પહેલાં ઉદ્દિષ્ટ સંભવે છે, તેને જ શિષ્યગણના હિત માટે વિભાગથી કહે છે – • વિવેચન-૨૫૦૨૫૧ - ગાથાર્થ કહ્યો. વિશેષ આ - સંરવી એટલે વિવાહ આદિ પ્રસંગ કેમકે જેને વિશે પ્રાણીઓ હણાય તે સંખડી. તેમાં જે વધેલું, તે વધેલ ભોજન જેવું છે તેવું ભિક્ષાચરોને પુન્યાર્ચે આપે તો તે ઉદ્દિષ્ટ, જો તેનો કરંબો કરે તો કૃત, મોદકાદિ બનાવે તો ક્રમ કહેવાય. એ પ્રમાણે વિભાગ ઓશિક સંભવે છે. • મૂલ-૨૫૨,૨૫૩ : ૌશિક, સમુદેશિક, આદેશ અને સમાદેશ એ ચાર ભેદ, આ જ પ્રમાણે કૃત અને કર્મના પણ ચાર-ચાર ભેદો જાણવા. તેમાં સર્વને આશ્રીને કર્યું તે ૌશિક, પાખંડી આશ્રીને કર્યું તે સમુદેશ, શ્રમણને આશ્રીને કર્યું તે આદેશ અને નિગ્રન્થને આશ્રીને કર્યું તે સમાદેશ કહેવાય છે. • વિશેષ-૨૫૨,૨૫૩ : ઉદ્દિષ્ટ વિભાગ ચાર ભેદ – ઔશિક આદિ. તે પ્રમાણે કૃત અને કર્મના ચતુકને જાણવા. એમ સર્વ સંખ્યા બાર થશે. આ વિભાગ ઉદ્દેશિક કહ્યું. હવે આ બાર ભેદોના અવાંતર ભેદો કહે છે - • મૂલ-૨૫૪ થી ૨૫૬ : [૫૪] તે ઉદ્દિષ્ટ ઔશિકાદિ બે પ્રકાર છે – છિન્ન, અછિન્ન. તે દરેક દ્રવ્ય, બ, કાળ અને ભાવ એમ ચાર ભેદે છે. એ પ્રમાણે નિદિત નિષix પણ જ્યાં ઘટે તેમ જાણવું... તેમાં સંખડીમાંથી વધેલ ભોજનને છે કે બીજા દિવસે “અંદર અને બહાર રહેલું બધું આખો દિવસ આપ” એમ જે કહેવું તે અચ્છિન્ન કહેવાય.. દ્રવ્યાદિક છિન્ન - આ આપ બાકીનું આપીશ નહીં, તે પણ ઘરની અંદરનું કે બહારનું એ બેમાંથી એક, તે પણ અમુક સમયથી આરંભીને અમુક સમય સુધી આપ. • વિવેચન-૫૪ થી ૫૬ : છિન્ન-નિયમિત, અછિન્ન-અનિયમિત. એ જ પ્રમાણે જેમ ઉદ્દિષ્ટ ઔશિકાદિ દરેકના આઠ પ્રકાર છે, તેમ નિષ્પાદિત - ગૃહસ્થ પોતાના માટે કરેલું, તે વડે નિષ્પન્ન - બનેલું. જે કરંબાદિ કે મોદકાદિ તે નિષ્પાદિત નિપજ્ઞ કહેવાય. આ નિષ્પાદિત નિપજ્ઞ કૃત કે કર્મને વિશે ઘટે છે. હવે પહેલાં દ્રવ્યાદિ અચ્છિન્નની વ્યાખ્યા કરે છે - જે દિવસે સંખડી હોય છે કે બીજે દિવસે ઘરઘણી પોતાની ભાયદિ પાસે અપાવે
SR No.009078
Book TitleAgam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy