SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૬o પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ મૂલ-૧૧૮ થી ૧૨૦ આધાકર્મ ગ્રહણ કરનાર સાધુ પોતાના આત્માને આ વિશુદ્ધ એવા સંયમ સ્થાનાદિથી નીચે-નીચે પડે છે. જો આધાકમદિ ગ્રહણ કરે તો તે સાધુને શું દૂષણ પ્રાપ્ત થાય ? • મૂલ-૧૧ થી ૧૨૩ : [૧૧] કંઈક ન્યૂન એવા ચાગ્નિ વડે શ્રેષ્ઠ એવો સાધુ પોતાના ભાવના ઉતારવાથી આધાકમને ગ્રહણ કરતો પોતાના આત્માને નીચે નીચે લઈ જાય છે. [૧ર આધાકર્મગ્રાહી સાધુ નીચા ભવનું આયુ બાંધે, શેષ કમને અધોગતિ સન્મુખ કરે, તથા તીવ ભાવ વડે કર્મને ગાઢ કરે અને ચય તથા ઉપચય રે છે [૧૩] તે ગુણકર્મના ઉદયથી દુર્ગતિમાં પડતા આત્માને રોકવા તેવો સાધુ સમર્થ થતો નથી, તેથી જ તેને અધોગતિમાં લઈ જાય છે. • વિવેચન-૧૨૧ થી ૧૨૩ : સંયમ સ્થાનાદિ વિશદ્ધ ભાવોનું હીનાતિહીન અધ્યવસાયોમાં. ઉતારવા વડે, અહીં ચરણ વડે જે પ્રઘાન, નિશ્ચયનયના મતે ક્ષીણકપાયાદિ અકષાય ચાાિવાળો ગ્રહણ કરાય છે, તેને આ પ્રમાદનો સંભવ હોતો નથી, તેને લોલુપતા પણ હોતી નથી કેમકે તે મોહનીય કર્મનો એકાંતે નાશ થયો છે, તેથી તેને આધાકર્મ ગ્રહણ સંભવતું નથી, માટે કિંચિત્ ન્યૂન કહ્યું. કિંચિત્ જૂન ચરણાગ્ર પરમાર્થથી ઉપશાંતમોહ કહેવાય છે. અર્થાત્ પ્રમત્ત સંયતાદિ તો દૂર રહો, આઘાકર્મણાહી આવો ઉકટ સાધ પણ પોતાના આત્માને રતનપમાદિ નકાદિ લઈ જાય છે. આ દૂષણ આધાકર્મ ગ્રહણ કરનારને લાગે છે. • x • x - તે રત્નપ્રભાદિ નરકરૂપ ભવાયુને બાંધવા સાથે બાકીનાં ગતિ આદિ નામાદિ કર્મોને પણ અધોગતિ સન્મુખ કરે છે એટલે કે પ્રકપણે દુઃસહ, કટક અને તીવ્ર અનુભવ સહિતપણે બાંધે છે. તેનાથી આધાકર્મ સંબંધી પરિભોગનું લંપટપણું વૃદ્ધિ પામતાં નિરંતર ઉત્પન્ન અતિ તીવ્ર પરિણામ વડે યથાયોગ્યપણે નિધતિરૂપપણામો કરીને નિકાચનારૂપપણે કર્મોને સ્થાપે છે. ક્ષણે ક્ષણે અચાન્ય પુદ્ગલના ગ્રહણ વડે ચય-થોડી વૃદ્ધિ અને ઉપચય-ઘણીવૃદ્ધિ કરે છે. તેથી કરીને – અધોગતિમાં લઈ જવાના સ્વભાવથી તે અધોભવાયુ વગેરે કર્મના વિપાક વેદનાના અનુભવરૂપ ઉદય વડે દુર્ગતિમાં પડતા આત્માને નિવારવા માટે આઘાકર્મગ્રાહી સાધુ સમર્થ થતો નથી. તેથી અઘોભવાય વગેરે ઉદયને પામેલા કર્મો બલાકારે તેને નરકાદિ અધોગતિમાં લઈ જાય છે. કર્મોથી કોઈ બળવાનું નથી. આ રીતે આધાકર્મ અધોગતિનું કારણ હોવાથી અધ:કર્મ કહેવાય છે. – – હવે માત્માન પર્યાયનો અર્થ ચાર ભેદે છે - નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી. તેમાં વધ્યતિષ્ઠિત આત્મણે કહે છે. બાકીના ભેદો પૂર્વવત્ જાણવા. • મૂલ-૧૨૪ થી ૧૨૭ :[૧૨] જે ગૃહસ્થ પ્રયોજન સહિત કે રહિત તથા અનિદાથી કે નિદાણી છ કાચની હિંસ કરે તે આત્મન છે. [૧૫] જાણતા કે અજાણતા તથા ઉદ્દેશીને કે ઓધથી અથવા વધ કરવા તૈયાર કરેલા જાણક કે અજાણકને જે મારવા તે આ અનિદા અને નિદા કહેવાય. [૧૬] કાયા નિશ્ચયે દ્રવ્યાત્મા છે, જ્ઞાનાદિ ત્રણ તે ભાવાત્મા છે, તેથી બીજાના પ્રાણનો નાશ કરવામાં તે સાધુ પોતાના ચા»િરૂપી આત્માને હણે છે. [૧૨] નિશ્ચયનયથી રાત્રિરૂપી આત્માનો નાશ થતા જ્ઞાન અને દર્શનનો પણ નાશ થયો જાણતો. પણ વ્યવહારથી તો ચાસ્ત્રિ હણાયા છતાં પૂર્વના બેની ભજના જાણતી. • વિવેચન-૧૨૪ થી ૧૨૭ : [૧૨૪] જે ગૃહસ્થ સ્વ કે પર નિમિતે અથવા પ્રયોજન વિના પાપી સ્વભાવને લીધે જ, તથા જે નિદાન તે નિદા - જીવહિંસા નકાદિ દુઃખનું કારણ છે એમ જાણવા છતાં અથવા સાધુને આધાકર્મ ન કહ્યું એમ જાણવા છતાં પણ જીવોના પ્રાણનો જે નાશ કરવો તે નિદા કહેવાય. તેના નિષેધથી અનિદા કહેવાય છે કે જેમાં પોતાને માટે કે પગાદિ અન્યને માટે એમ વિભાણ કર્યા વિના સામાન્યપણે જે કરાય. [૧૫-ભાણ-૩૧ ‘આ મનુષ્ય મને હમણાં જ મારશે' એમ જાણતા એવા મારવાને તૈયાર કરેલા જીવના પ્રાણનો જે નાશ કરવો તે નિદા કહેવાય, તેનાથી જે વિપરીત તે અનિદા કહેવાય - અજાણકાર એવા મારવા તૈયાર કરેલા જીવને જે મારવો તે અનિદા. આ રીતે નિદા કે અનિદાથી ગૃહસ્થ છકાયનું મર્દન કરે છે. તે પૃથ્વીકાયાદિ છ કાયનું મર્દન નોઆગમથી દ્રવ્ય આત્મપ્ત છે. પૃથ્વી આદિ છ કાચ નિશે દ્રવ્યરૂપ આત્મા છે. કેમકે જીવો ગુણ પર્યાયવાળા છે, તેથી દ્રવ્ય કહેવાય. તેથી તેમનું મર્દન દ્રવ્ય આત્મM કહેવાય. | [૧૨૬] હવે ભાવ આત્મત કહે છે - તેમાં આગમચી આત્મન છે અને જાણે અને તેમાં ઉપયોગવંત હોય. નોઆગમથી ભાવ આત્મન છે - જ્ઞાનાદિ ત્રણ ભાવાત્માનું હનન. આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર પરમાર્થથી આત્મા છે, બાકીનું દ્રવ્ય આત્મા નથી કેમકે તેમાં પોતાના તે સ્વરૂપનો અભાવ છે. તેથી ચાસ્ટિવંત જો પૃથ્વી આદિના ઈન્દ્રિયાદિ પ્રાણોના વિનાશ વિશે આસક્ત હોય તે ચારિત્રરૂપ ભાવાત્માને હણે છે. ચામિરૂપ ભાવ આત્મા હણાતા જ્ઞાન દર્શનરૂ૫ આત્મા નિશ્ચયથી જ હણાયેલા જાણવા. [૧૨] નિશ્ચય નયના મતે ચાસ્ત્રિરૂપી આત્માનો વિઘાત થતાં જ્ઞાન, દર્શનનો પણ વિઘાત જાણવો. કેમકે ચાસ્ત્રિની પ્રાપ્તિરૂપ સન્માર્ગમાં જે પ્રવૃત્તિ તે જ્ઞાન-દર્શનનું જ કુળ છે, જો તે પ્રવૃત્તિ ન હોય તો તે જ્ઞાન, દર્શન પરમાર્થથી અવિધમાન જ છે. વળી જે સાધુ ચાસ્ત્રિગ્રહણ કરીને આહારના લંપટાદિપણાથી આધાકર્મ ભોજનથી નિવૃત્તિ પામતો નથી, તે ભગવંતની આજ્ઞાના લોપાદિમાં વર્તતો સમ્યગજ્ઞાની હોતો નથી અને સમ્યગદર્શની પણ હોતો નથી. કેમકે આજ્ઞાથી જ ચાસ્ત્રિ છે, આજ્ઞા ભંગ
SR No.009078
Book TitleAgam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy