SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૧૬૪ થી ૧૮૧ વેશ હોવાથી લિંગ સાધર્મિક છે. વળી નિહ બે ભેદે લોકમાં પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ. તેમાં અહીં પ્રસિદ્ધ લેવા. અહીં બધે જ પહેલાં બે ભંગ કહેવાથી બાકીના બે ભંગ શ્રોતા સ્વયં સમજશે, એમ માની નિયુક્તિકારે બતાવેલા નથી. -૩- બંનેથી સાધર્મિક, તે સાધુ અને ૧૧-મી પ્રતિમાધારી શ્રાવક. -૪- બંનેથી નહીં તે તીર્થંકર, પ્રત્યેક બુદ્ધ. બીજી ચૌભંગી - પ્રવચન અને દર્શનથી. જેમકે -૧- પ્રવચનથી સાધર્મિક પણ દર્શનથી નહીં. ઈત્યાદિ ચાર. તેમાં પહેલાં બે કહે છે. 1 93 [૧૬૯] કેટલાંક સાધુ કે શ્રાવકોને ક્ષાયોપશમિક દર્શન હોય. બીજા કેટલાંકને ઔપશમિક કે ક્ષાયિક દર્શન હોય. તેઓ પરસ્પર પ્રવચનથી સાધર્મિક છે, દર્શનથી નથી. -૨- દર્શનથી સાધર્મિક, પ્રવચનથી નહીં, તે તીર્થંકર કે પ્રત્યેકબુદ્ધ. +3બંનેથી સાધર્મિક, સાધુ કે શ્રાવકો -૪- બંનેથી સાધર્મિક નહીં, જેમકે - તીર્થંકર, પ્રત્યેકબુદ્ધ અને નિવ. તેમાં તીર્થંકર અને પ્રત્યેકબુદ્ધ ભિન્ન દર્શનવાળા છે. નિર્ણવો તો મિથ્યાર્દષ્ટિ જ છે. હવે ત્રીજી સૌભંગી - પ્રવચન અને જ્ઞાનની છે. ચોથી - પ્રવચન અને ચારિત્રની છે. તેનો અતિદેશ કરતાં કહે છે - [૧૭૦] પ્રવચનની સાથે દર્શનની ચૌભંગી કહી. તેમ જ્ઞાન અને ચાસ્ત્રિ પણ સાથે જાણવું. જેમકે - પ્રવચનથી સાધર્મિક પણ જ્ઞાનથી નહીં, ઈત્યાદિ. ભંગ – (૧)માં સાધુ અને શ્રાવકો, જે ભિન્ન જ્ઞાનવાળા હોય તે લેવા. શેષ બધું કથન દર્શનની ચૌભંગી મુજબ જાણવું. તથા (૧) પ્રવચનથી સાધર્મિક પણ ચાસ્ત્રિથી સાધર્મિક ન હોય. તેમાં અસમાન ચાસ્ત્રિવાળા સાધુ લેવા અને શ્રાવકો તો અવિરતિ કે દેશ વિરતિ હોવાથી ચાત્રિથી સાધર્મિકપણાનો અભાવ સ્પષ્ટ છે. શેષ સર્વ કથન ન દર્શનની સૌભંગી મુજબ જ જાણવું. હવે પાંચમી ચૌભંગી – પ્રવચનથી સાધર્મિક, અભિગ્રહથી નહીં. ઈત્યાદિ ચાર. છઠ્ઠી ચૌભંગી ભાવનાની સાથે જાણવી. તે આ રીતે – [૧૭૦,૧૭૧] પ્રવચનથી સાધર્મિક હોય, અભિગ્રહથી ન હોય. તેમાં પોતાનાથી ભિન્ન અભિગ્રહવાળા શ્રાવકો અને સાધુઓ જાણવા. શેષ સર્વ કથન પ્રવચન અને દર્શનની ચૌભંગી અનુસાર જ વૃત્તિકારે નોંધેલ છે, તે જાણવું. પ્રવચન અને ભાવના. (૧) પ્રવચનથી સાધર્મિક પણ ભાવનાથી ન હોય, તે સાધુ અને શ્રાવક જુદી જુદી ભાવનાવાળા જાણવા. શેષ કયન પ્રવચન અને દર્શન મુજબ જ ગોઠવી લેવું. છ ચૌભંગી કહી. હવે બાકીની ચૌભંગી હું કહીશ. [૧૭૨] લિંગ અને દર્શનાદિ પદોને વિશે દર્શન, જ્ઞાનાદિ પદોની સાથે જે ચૌભંગી છે, તેને પૂર્વે કહ્યા. પ્રમાણે કહેવી. ભાવાર્થ આ છે – લિંગ અને દર્શનના ચાર ભાંગા ઉદાહરણ સહિત કહેવાશે તેવા જ પ્રાયઃ ઉદાહરણ અપેક્ષાએ લિંગ અને પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ જ્ઞાનના, લિંગ અને ચરણના પણ ભાંગાઓ પણ હોય છે તેથી તેને છોડીને લિંગ અને દર્શન, લિંગ અને અભિગ્રહના ભેદોને કહીશ. (૧) લિંગથી સાધર્મિક, દર્શનથી નહીં ઈત્યાદિ ચતુર્ભગી. તે આ – [૧૭૩] લિંગથી સાધર્મિક પણ દર્શનથી નહીં. તે ભિન્ન દર્શનવાળા અને નિહવો જાણવા. નિહવો મિચ્છાદૃષ્ટિ હોવાથી સાધર્મિક નથી. (૨) દર્શનથી સાધર્મિક પણ લિંગથી નહીં. તેમાં પ્રત્યેકબુદ્ધો અને તીર્થંકર તથા ૧૧-મી પ્રતિમાના ધારક સિવાયના સમાન દર્શનવાળા શ્રાવકો જાણવા. ૭૪ લિંગ અને જ્ઞાનની ચૌભંગી-પ્રાયઃ લિંગ અને દર્શનની ચૌભંગી સમાન છે. વૃત્તિકારે નોંધી છે, પણ અમે પુનરુક્તિ કરેલ નથી. લિંગ અને ચાસ્ત્રિની સૌભંગી - આ પણ પૂર્વવત્ હોવાથી નિયુક્તિકારે નોંધેલ નથી. વૃત્તિકારશ્રીએ નોંધેલ છે, પણ અમે પુનરુક્તિ છોડી દીધી છે. હવે લિંગ અને અભિગ્રહની ચૌભંગી. (૧) લિંગથી સાધર્મિક પણ અભિગ્રહથી નહીં ઈત્યાદિ ચાર ભંગો. [૧૭૪] -૧- લિંગ વડે સાધર્મિક, અભિગ્રહ વડે નહીં. તે અભિગ્રહ રહિત કે ભિન્ન ભિન્ન અભિગ્રહવાળા યતિઓ, ૧૧-મી પ્રતિમાધારી શ્રાવકો જાણવા. ઉપલક્ષણથી નિહવો પણ જાણવા. અહીં નિહવ અને શ્રાવક માટે કરેલું યતિને કલ્પે. પણ યતિ માટે કરેલ ન કલ્પે. શેષ પૂર્વવત્ હવે લિંગ અને ભાવનાની ચૌભંગી -૧- લિંગથી સાધર્મિક પણ ભાવનાથી નહીં. ઈત્યાદિ. તેના ઉદાહરણો અતિદેશથી કહે છે – [૧૭૫] લિંગને વિશે અભિગ્રહ વડે કરેલા ભંગોના ઉદાહરણ માફક જ ભાવનાની સાથે ઉદાહરણો કહેવા. તે આ પ્રમાણે - લિંગથી સાધર્મિક હોય ભાવનાથી ન હોય. તે ભાવના રહિત કે જુદી જુદી ભાવનાવાળા સાધુ, ૧૧-મી પ્રતિમાવાળા શ્રાવકો અને નિર્હાવો જાણવા. અહીં શ્રાવક અને નિવ માટે કરેલું કહ્યું, પણ સાધુને માટે કરેલું ન કો. બાકીના ત્રણે ભંગો પૂર્વવત્ સમજી લેવા. આ રીતે લિંગવિષયક પાંચ ચૌભંગી કહી. હવે દર્શનની જ્ઞાન સાથે સૌભંગી. દર્શનથી સાધર્મિક પણ જ્ઞાનથી નહીં ઈત્યાદિ ચાર. તેમાં પહેલા બે ભંગને કહે છે. દર્શનથી સાધર્મિક પણ જ્ઞાનથી નહીં, તેમાં ભિન્ન જ્ઞાનવાળા પણ સમાન દર્શનવાળા સાધુ અને શ્રાવકો જાણવા. (૨) જ્ઞાનથી સાધર્મિક પણ દર્શનથી નહીં, અહીં ભિન્ન દર્શન પણ સમાન જ્ઞાનવાળા લેવા. (૩) તે બંનેથી સાધર્મિક, (૪) તે બંનેથી સાધર્મિક નહીં. દર્શન અને ચાસ્ત્રિની ચઉભંગીમાં પહેલાં બે ભંગ કહે છે. [૧૭૬] દર્શનથી સાધર્મિક હોય પણ ચાસ્ત્રિથી ન હોય. તે સમાન દર્શનવાળા શ્રાવકો અને અસમાન ચાસ્ત્રિવાળા સાધુઓ જાણવા. અહીં શ્રાવક માટે કલ્પે, સાધુ
SR No.009078
Book TitleAgam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy