________________
મૂલ-૫૫૫ થી ૫૫૮
થાય છે. પણ ક્યારે ? ગ્રહણમાં શંકાદિ દોષના અભાવે વિશુદ્ધ હોય તો, અન્યથા વિશુદ્ધ થતું નથી. તેથી હું ગ્રહણૈષણાના દોષો કહીશ.
[૫૫૬] ગાચાર્ય કહ્યો. પોતાથી અને પરથી ઉત્પન્ન થયેલા દોષોને વિભાગ પાડીને કહે છે – [૫૫] સુગમ છે. હવે ગ્રહણૈષણાનો નિક્ષેપ કહે છે –
[૫૫૮] ગ્રહણૈષણા ચાર ભેદે - નામ ગ્રહણૈષણા, સ્થાપના ગ્રહણૈષણા, દ્રવ્ય ગ્રહણૈષણા, ભાવગ્રહણૈષણા. ગવેષણાવત્ આ ભેદો કહેવા. વિશેષ એ કે – તદ્રવ્ય ગ્રહણૈષણામાં વાનરયૂથનું દૃષ્ટાંત છે. ભાવ ગ્રહણૈષણા બે ભેદે છે – આગમથી અને નોઆગમથી. તેમાં નોઆગમથી બે ભેદે – પ્રસસ્તગ્રહણૈષણા અને અપશસ્ત ગ્રહણૈષણા. પ્રશસ્ત એટલે સમ્યજ્ઞાનાદિ વિષયવાળી. અપ્રશસ્ત એટલે શંકિતાદિ દોષથી દુષ્ટ ભક્ત-પાનાદિ વિષયવાળી.
• મૂલ-૫૫૯ થી ૫૬૧ :
દ્રવ્ય ગ્રહણૈષણા સંબંધે વાનરજુથનું ઉદાહરણ આ ત્રણ ગાથામાં છે. ♦ વિવેચન-૫૫૯ થી ૫૬૧ :
૧૫૧
વિશાલશૃંગ નામે પર્વત હતો. ત્યાં એક વનખંડમાં વાનરયૂથ રમતું હતું. તે જ પર્વતે બીજું પણ વનખંડ સર્વ પુષ્પ અને ફળની સમૃદ્ધિવાળું હતું. પણ ત્યાં દ્રહમાં મોટો મત્સ્ય હતો, તે પાણી પીવા આવનાર બધાં મૃગાદિ પ્રાણીને ખેંચીને ખાઈ જતો. પોતાનું વનખંડ પુષ્પાદિ રહિત જાણીને યૂથસ્વામીએ નિર્વાહ સમર્થ એવા બીજા વનખંડને શોધવા બે વાનર મોકલ્યા. તેમણે શોધેલ વનખંડમાં સૂયપતિ પોતાના યૂથસહિત ગયો. તેણે વનખંડ મધ્યે દ્રહ જોયો, ત્યાં પ્રવેશતા શ્વાપદોના પગલાં જોયા પણ બહાર નીકળતાં ન જોયા. તેણે વાનરોને સૂચના આપી કે કાંઠે રહીને કમળની નાળ વડે પાણી પીજો, અંદર પ્રવેશશો નહીં. જેમણે ટૂથપતિનું વચન માન્યું. તેઓ સ્વેચ્છાથી સુખ ભોગવનાર થયા, ન માન્યું તે વિનાશ પામ્યા.
હવે પ્રશસ્ત ભાવગ્રહણૈષણામાં શંકિતાદિ દશ ભેદો કહે છે –
• મૂલ-૫૬૨નું વિવેચન :
(૧) શંકિત - આધાકર્માદિ દોષની સંભાવના, (૨) પ્રક્ષિત - સચિત પૃથ્વીકાયાદિથી ખરડિત, (૩) નિક્ષિપ્ત - સચિત્ત ઉપર સ્થાપેલ, (૪) પિહિત-સચિત્તથી ઢાંકેલ, (૫) સંહત-બીજે સ્થાને મૂકેલ, (૬) દાયક-દાયક દોષથી દૂષિત, (૭) ઉન્મિશ્રિત - પુષ્પાદિથી મિશ્ર, (૮) અપરિણત - પ્રાસુક ન થયેલ, (૯) લિપ્ત - લેપવાળું, (૧૦) છર્દિત - ભૂમિ ઉપર વેરાયેલ. આ દશ એષણા દોષો છે.
• મૂલ-૫૬૩ થી ૫૭૨ :
[૫૬૩] - શંકિતમાં ચતુર્ભાગી છે. તેમાં બેમાં, ગ્રહણમાં, ભોજનમાં દોષ
લાગે છે. પચીશમાંથી જે દોષની શંકાને પામે તે દોષ લાગે છે માત્ર છેલ્લો ભંગ
શુદ્ધ છે - [૫૪] - આધાકદિ ૧૬-ઉદ્ગમ દોષો, મક્ષિતાદિ નવ એષણા દોષો એ કુલ ૨૫-દોષો છે, છેલ્લો ભંગ શુદ્ધ છે - [૫૬૫] - ઉપયોગવંત અને ઋજુ
પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ
એવો શ્રુતજ્ઞાની છદ્મસ્થ સાધુ પ્રયત્નથી વૈષણા કરતો પચીશમાંથી કોઈ દોષને પામે તો પણ શ્રુતજ્ઞાનના પ્રમાણપણાથી શુદ્ધ છે. - [૫૬૬] સામાન્યથી શ્રુતમાં ઉપયોગવંત શ્રુતજ્ઞાની જો કે - અશુદ્ધને ગ્રહણ કરે તો તેનો કેવળી પણ આહાર કરે છે. અન્યથા શ્રુત પ્રમાણરૂપ થાય. - [૫૬૭] - શ્રુતના અપમાણમાં ચાસ્ત્રિનો અભાવ થાય, તેથી મોક્ષનો અભાવ થાય, મોક્ષનો અભાવ થતાં દીક્ષાની પ્રવૃત્તિ નિરર્થક બને ચે.
- [૫૬૮] - પહેલાં ભંગનો સંભવ ઃ- કોઈ લજ્જાળુ સાધુ કેમ તમે ઘણી ભિક્ષા આપો છો ?' એમ પૂછવા સમર્થ નથી, તેથી શંકા વડે ગ્રહણ કરીને શંકાવાળો જ તેનો આહાર કરે છે. - [૫૬૯] - બીજો ભંગ - શંકિત હૃદયથી ગ્રહણ કરી, તે બીજા સાધુએ શોધી, કંઈક પ્રકરણ અથવા પહેણક છે તે સાંભળીને શંકા રહિત વાપરે. - [૫૭] - ત્રીજો ભંગ :- આલોચના કરતા બીજા સાધુને સાંભળી પોતે વિચાર કરે છે કે – “અમુક ઘેર મેં જેવી ઘણી ભિક્ષા પ્રાપ્ત કરી છે, તેવી જ બીજાએ પણ પ્રાપ્ત કરી છે” એમ શંકા સહિત ખાનાર સાધુ. - [૫૭૧] - જો શંકા જ દોષ કરનારી હોય, તો એ પ્રમાણે શંકાવાળું શુદ્ધ છતાં પણ અશુદ્ધ થશે તથા અનેષણીય પણ શંકારહિતપણે અન્વેષિત કરેલું શુદ્ધ થસે. - [૫૭૨] - આચાર્ય કહે છે કે તારી શંકા ઠીક છે, તો પણ - બેમાંથી એકે પક્ષમાં ન પડેલો અશુદ્ધ પરિણામ એપણીયને અનેષણીય કરે છે અને વિશુદ્ધ પરિણામ અનેષણીયને એષણીય કરે છે.
• વિવેચન-૫૬૩ થી ૫૭૨ ૩
૧૫૨
શંકિતને વિશે ચતુર્ભૂગી – (૧) ગ્રહણ કરવા અને ભોજન બંનેમાં શંકિત. (૨) ગ્રહણમાં શંકિત પણ ભોજનમાં અશંકિત, (૩) ભોજનમાં શંકિત પણ ગ્રહણમાં અશંકિત, (૪) ગ્રહણ અને ભોજન બંનેમાં અશંકિત. આમાં પહેલાં ત્રણે ભંગો દોષયુક્ત છે. કયા દોષ - ઉદ્ગમના-૧૬, એષણાના-૯, જે આધાકર્મપણાથી શંક્તિ
હોય તે ગ્રહણ કે ભોજન કરતો આધાકર્મના દોષ વડે બંધાય છે. એ પ્રમાણે જ ઔદ્દેશિક દોષમાં પણ સમજવું. ચોથો ભંગ શુદ્ધ છે.
પચીશ દોષથી શુદ્ધ - ગ્રહણ કરવામાં કે ભોજન કરવામાં શંક્તિ નહીં એવા ચોથા ભંગમાં વર્તતો સાધુ શુદ્ધ છે. કેમકે છાસ્યની પરીક્ષાથી શંકારહિત ગ્રહણ કરેલું હોય તે શુદ્ધ કહેવાય. ગાથા-૫૬૫ નો અર્થ સ્પષટ્ છે. સામાન્યથી પિંડનિયુક્તિ આદિ આગમને વિશે ઉપયોગી, આગમાનુસારે કલ્પ્સ - અકલ્યની ભાવના કરતો શ્રુતજ્ઞાની જો કોઈ પ્રકારે અશુદ્ધ ગ્રહણ કરે તો પણ કેવળજ્ઞાની તેને ખાય છે. અન્યથા શ્રુતજ્ઞાન અપ્રમાણ થાય, શ્રુતજ્ઞાનના પ્રમાણપણાથી સર્વ ક્રિયાના લોપનો પ્રસંગ આવે, કેમકે શ્રુત વિના છાસ્યોને ક્રિયા કાંડના જ્ઞાનનો અસંભવ છે.
ક્રિયા કાંડનો અસંભવ થવાથી - શ્રુત વિના યથા યોગ્ય સાવધ અને નિરવધ વિધિ અને પ્રતિષેધના જ્ઞાનના અસંભવથી સૂત્રનું અપ્રમાણપણું થતાં ચાસ્ત્રિનો અભાવ