SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૧૯ ભાગ સચિત હોય છે અને શીતાદિ શમના સંબંધના સંભવથી કેટલોક ભાગ અચિત હોય છે. તેથી મિશ્ર કહ્યો. માર્ગમાં - ગામ કે નગરની બહારનો સ્વીકાય મિશ્ર હોય કેમકે ત્યાં ગાડાંના પૈડાથી ખોદાયેલો તે સચિત્ત અને કેટલોક ભાગ શીત અને વાયુ વડે અયિત થયેલો હોવાથી તેને મિશ્ર જાણવો. કૃષ્ટ - હળ વડે ખેડેલ, પહેલાં સચિત પછી ઉપર મુજબ મિશ્ર. આદ્ર - જળ વડે મિશ્રિત થયેલ. મેઘનું પાણી સચિત પૃથ્વી ઉપર પડે ત્યારે કેટલાંક પૃથ્વીકાયને વિરાધે છે, તેથી જલાદ્ધ પૃથ્વીકાય મિશ્ર થાય છે. તે પણ તમુહૂર્ત પછી અચિત્ત થાય. કેમકે પરસ્પર શસ્ત્રપણું છે, પણ ઘણું જળ પડે અને તે સ્થિર ન થાય ત્યાં સુધી મિશ્ર છે. સ્થિરતાને પામે ત્યારે તે સચિત્ત પણ સંભવે છે. ઇંધણ - છાણ વગેરેને વિશે પૃથ્વીકાય મિશ્ર હોય. તેનું કાળ પ્રમાણ આ રીતે - ઘણાં ઇંધણ મધ્ય એક પોરિસિ સુધી મિશ્ર, મધ્યમ ઇંધન મળે બે પરિસિ સુધી, અ૫ ઇંધણ મળે ત્રણ પોરિસિ સુધી મિશ્ર હોય, પછી તે અયિત થાય - હવે અચિત પૃથ્વીકાયને કહે છે – મૂલ-૨૦ થી ૨૨ : શીત, ઉષ્ણ, ક્ષાર, ક્ષણ વડે તથા અનિ, લવણ, ઉષ, આલ્પ અને સ્નેહ વડે પૃedીકાય અચિત્ત થાય છે. યોનિરહિત થયેલા તે પૃવીકાય વડે સાધુઓને આ પ્રયોજન હોય છે... અપરાદ્ધિક અને વિશ્વના શમન માટે બંધ • લેપ કરવામાં પૃથ્વીકાયનું ગ્રહણ, અચિત્ત લવણ, સુરભિલવણ વડે પ્રયોજન છે... અથવા.. સ્થાન, બેસવું, સૂવે, ઉચ્ચારાદિનો ત્યાગ, ગુઢક, ડગલક અને તેપ એ ઘણાં પ્રકારનું પ્રયોજન છે. • વિવેચન-૨૦ થી ૨૨ - શીત-ઠંડી, ઉણ-તાપ, ક્ષાર-જવખાર આદિ, ક્ષત્ર-ખાતર. આટલા વડે તથા અગ્નિ-વૈશ્વાનર, લવણ-મીઠું, ઉપ-ઉખાદિ ક્ષેત્રમાં ઉત્પન્ન લવણ વડે યુક્ત જ, આમ્લ-કાંજી અને સ્નેહ. આ બધાં વડે પૃથ્વીકાય અયિત થાય. આ બધામાં શીત, અનિ, અપ્સ, ક્ષાર, ફણ અને સ્નેહ એટલા પકાયશા છે. ઉષ સ્વકાય શસ્ત્ર છે. અહીં સૂર્યના પરિતાપરૂપ ઉષ્ણ શબ્દથી સ્વભાવથી જ ઉષ્ણ કે તળાવિધ પૃથ્વીકાય પરિતાપરૂપ ઉણ લેવું, અગ્નિના પરિતાપ રૂપ ન લેવું, કેમકે અગ્નિ લગ ગ્રહણ કરેલ છે. અહીં સ્વકાય અને પરકાય શસ્ત્રના ગ્રહણથી બીજા પણ વકાય અને પકાય જાણી લેવા. જેમકે - કર્ક રસ મધુર રસનું સ્વકાય શા છે. આટલું કહીને પૃથવીકાયનું અચિતપણે જે થવું તે ચાર પ્રકારે કહ્યું. તે આ પ્રમાણે - દ્રવ્યથી, ફોનથી, કાળથી, ભાવથી. તેમાં સ્વ કે પરકાય વડે જે અચિત્ત કરવું તે દ્રવ્યથી, ક્ષારાદિ કે મધુરાદિ ફોગથી ઉત્પન્ન સમાન વર્ણવાળા ભૂમિ આદિ પૃથ્વીકાયનો પરસ્પર સંબંધ ૨૮ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ થવાથી અચિતપણે થાય તે હોટ અચિત કહેવાય. બીજા ફોત્રમાં ઉત્પન્ન પૃથ્વીકાયને ૧૦૦ યોજનથી વધારે દૂર બીજા ક્ષેત્રમાં લઈ જવાય ત્યારે તે સર્વે પૃથ્વીકાય ભિન્નાહાર અને શીતાદિ સંબંધથી અવશ્ય અચિત થાય છે. આ પ્રમાણે ફોગાદિ ક્રમથી અકાય ચાવત્ વનસ્પતિકાયનું અચિતપણું જાણવું. હરડે આદિ ૧૦૦ યોજન દૂરથી લાવેલ હોવાથી અચિત થયેલ હોવાથી ઔષઘાદિને માટે સાધુ ગ્રહણ કરી શકે છે. કાળથી અચિતપણું સ્વભાવથી જ પોતાના આયુના ક્ષય વડે થાય છે. પણ તે અતિશય જ્ઞાન વિના જાણી ન શકાવાથી વ્યવહાર માર્ગમાં ન આવે. આ જ કારણે તૃષાથી અતિ પીડિત સાધુને ભગવંતે અયિuપાણી જાણવા છતાં તળાવના પાણીને પીવાની અનુજ્ઞા ન આપી. કેમકે છાસ્યો તે જાણી ન શકે અને છૂટ આપે તો તેવું પાણી પીવાની પ્રવૃત્તિ થાય. પૂર્વ વણદિ તજીને અન્ય વર્ણાદિ થવા તે ભાવથી અચિતપણું છે. યોનિ-ઉત્પત્તિ સ્થાન નાશ પામેલ છે તે વિધ્વસ્ત યોનિ અથ પ્રાસુક પૃથ્વી વડે આ કહેવાનાર સ્વરૂપનું પ્રયોજન સાધુને હોય. જેને પીડા ઉત્પન્ન કરવાપણું છે તે અપરાદ્ધિક-કોળિયાનો વ્યાધિ કે સર્પદંશ, વિષ વગેરે દાદર આદિ રોગમાં ચોપડવા સંભવે. તે માટે લેપ કરવો છે. આવા કાર્યમાં ઘોળી માટી આદિ અચિત પૃથ્વીકાયનું પ્રયોજન છે. અલૂણા ભોજનાદિમાં લવણ વડે પ્રયોજન છે, ગંધપાષાણથી ખરજરૂપ વાયુનો નાશ થાય માટે પ્રયોજન છે તદુપરાંત : અયિત ભૂતલ પ્રદેશમાં જે ‘સ્થાન” એટલે કાયોત્સર્ગ કરાય, બેસવું, સુવું, ઉચારાદિની પારિષ્ઠાપના કરવી, લેપકૃત પાત્રની કોમળતા માટે કોઈ પત્થર રાખવો, ડગલક-ગુદા લુંછવા માટેના પત્થસદિ ઢેખાળા, લેપ-પાષાણ વિશેષથી બને, જે તુંબડાના પાકની અંદર દેવાય ઈત્યાદિ બહુ પ્રકારે અચિત પૃથ્વીથી પ્રયોજન હોય છે. હવે અકાય પિંડને કહે છે – • મૂલ-૨૩,ર૪ ; અકાય ત્રણ પ્રકારે છે – સચિત, મિશ્ર, અસિત. તેમાં સચિત્ત બે પ્રકારે છે. નિશ્ચયથી અને વ્યવહારથી... ઘનોદધિ, ધનવલય, કરા તથા સમુદ્ર અને દ્રહના મધ્ય ભાગે રહેલ આકાય એ બધાં નિશ્ચયથી સચિત્ત છે. કૂવા વગેરેમાં રહેલ અકાય વ્યવહાર નયથી સચિત્ત છે. • વિવેચન-૨૩,૨૪ - ગાથાર્થ કહ્યો. વિશેષ આ પ્રમાણે : “ઘનોદધિ’ નકપૃથ્વીના આધારભૂત કઠિન જળવાળા સમુદ્રો. ‘ધનવલય’ તકમૃથ્વીની પડખે વલયાકારે રહેલા કઠિન જળવાળા સમઢો. ‘કક'-મેધના કરો, સમ-લવણ આદિ, બ્રહ-પદ્મદ્રહ આદિ. આ બંનેના બહુ મધ્ય ભાગે રહેલ અકાય. તે નિશ્ચય સચિત. બાકીના ‘અવટાદિ’ કૂવા, વાવ, તળાવ આદિમાં રહેલ • x - જે અષ્કાય તે
SR No.009078
Book TitleAgam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy