SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૫૮ થી ૬૧ • વિવેચન-૫૮ થી ૬૧ - ગાથાર્થ કહ્યો. વિશેષ આ પ્રમાણે – સર્વે અનંતકાય એટલે સાધારણ વનસ્પતિકાય. પ્રત્યેક વનસ્પતિકાય- લીંમડો, આંબો આદિ. પ્રસ્તાન - અર્ધ સુકાયેલા સર્વ વનસ્પતિ. તેને મિશ્ર કહી, કેમકે - જેટલે અંશે સુકાયેલ હોય તે અચિત અને શેષ અચિત હોય છે. લોટ-ઘંટી આદિથી થયેલ ચૂર્ણ, તેમાં કેટલીક નખિકા સંભવે છે તે સચિત હોય, બાકી અયિત હોય. અયિત વનસ્પતિકાય - ગાથાર્થ મુજબ જાણવું. તેનું પ્રયોજન આ પ્રમાણે - જે આ સંતારક - શય્યા, પાટ વગેરે સાધુ ગ્રહણ કરે છે, જે પામો, દંડ, વિદંડ ઈત્યાદિ ગાથાર્થ મુજબ જાણવા. - હરડે આદિ એકલી વસ્તુ, બેપન - બે કે વધુ ઔષધનું ચૂર્ણાદિ અથવા અંદર ઉપયોગ કરવો. તે ઔષધ અને બહાર ઉપયોગ કરવો તે લેપ વગેરે ભેષજ કહેવાય. હવે બેઈન્દ્રિયાદિ ચાર પિંડ અને તેનું પ્રયોજન કહે છે – • મૂલ-૬૨ થી ૬૭ : ૬િ બે-ત્રણચાર-પાંચ ઈન્દ્રિયવાળા જીવો સ્વ સ્વ જાતિવાળા ત્રણ ત્રણ વગેરે સ્વ-સ્વ સ્થાનમાં ભેળા થાય તેને પિંડ કહેવાય છે. [૬૩] , છીપ, શંખાદિ બેઈન્દ્રિયનો પરિભોગ છે, તેઈન્દ્રિયમાં ઉધેઈ આદિનો અથવા વૈધ કહેd, માખીની વિષ્ટા કે આશ્ચમક્ષિકાનો ચઉરિન્દ્રિયમાં ઉપયોગ છે. [૬૪] . ચેન્દ્રિય પિંડને વિશે બધું ઉપયોગી છે, પણ નાકીઓ અનુપયોગી છે. [૬૫]. ચર્મ, અસ્થિ, દાંત, નખ, રોમ, શૃંગ, બકરી આદિનું છાણ, ગોમૂત્ર, દુધ, દહીં વગેરે વડે પંચેન્દ્રિય તિર્યંચનો પરિભોગ છે. [૬] સચિત્ત મનુષ્યનું પ્રયોજના માર્ગ પૂછવામાં, ભિક્ષા દર્શનાર્થે છે. અચિત્ત મનુષ્યના મિશ્ર કહેવાય છે, તેને માર્ગ પૂછવો તે ઉપયોગ છે. [૬] દેવતાનો ઉપયોગ • ક્ષાકાદિ મુનિ મરણના કાર્ય વિશે કોઈક દેવતાને પૂછે કે માર્ગ વિશે શુભાશુભ પૂછે છે. • વિવેચન-૬૨ થી ૬૭ : જે મેળાપમાં પોતાની જાતવાળાનું જ્યાં સ્થાન હોય ત્યાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો ત્રણ વગેરે એકત્ર થયા હોય, જેમકે ત્રણ-ત્રણ, ચાર-ચાર આદિ, તેને પિંડ કહેવાય છે. પોતપોતાના સ્થાને પિંડ કહેવાય. આવો પિંડ પણ ત્રણ ત્રણ પ્રકારે છે. તે આ - સચિત, મિશ્ર, અચિત. જીવતા ત્રણ વગેરે અક્ષાદિનું એક સ્થાને જે મળવું તે સચિત્ત છે, કેટલાંક જીવંત અને કેટલાંક મૃત અાદિનો મેળાપ તે મિશ્ર છે. જીવરહિત તે જ અક્ષાદિનો મેળાપ તે અયિત છે. તે બેઈન્દ્રિયાદિ વડે આ કાર્ય - પ્રયોજન છે :- સાધુને બે પ્રકારે પ્રયોજન સંભવે છે - શબ્દ વડે, શરીર વડે. શકુનાદિ જોવામાં શબ્દ વડે પ્રયોજન છે, તે આ રીતે – શખના શબ્દને પ્રશસ્ત અને મહાશકુન માને છે. શરીર વેડ ત્રણ પ્રકારે પ્રયોજન છે - સંપૂર્ણ શરીર વડે, શરીના કોઈ ભાગ વડે અને શરીરના સંબંધથી પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ ઉત્પન્ન કોઈ બીજી વસ્તુ વડે. બેઈન્દ્રિયના સંપૂર્ણ શરીર વડે પ્રયોજન - છીપ, શંખ વગેરે સહિત અક્ષાનો પરિભોગ હોય છે. આ શબ્દથી કોડા પણ ગ્રહણ કરવા. અક્ષ અને કદ વગેરેનો ઉપયોગ સમવસરણની સ્થાપના વગેરેમાં, શંખ અને છીપનો ઉપયોગ આંખના કુલા વગેરે કાઢવામાં થાય છે. તેઈન્દ્રિયનો ઉપયોગ • અહીં ઉધઈ શબ્દથી ઉધઈએ કરેલા રાફડાની માટી સમજવી, એવા પ્રકારના બીજા તેઈન્દ્રિયની માટીનું પણ ગ્રહણ કરવું. પરિભોગ એટલે ઉપભોગ કરવાપણું. ઉધઈની માટી વગેરેનો પરિભોગ સર્પદંશાદિમાં દાહની શાંતિ માટે જાણવો અથવા વૈધ અમુક તેઈન્દ્રિયના શરીરાદિને બાહ્ય વિલેપનાદિને માટે બતાવે ત્યારે તેનો ઉપભોગ થાય છે. ચઉરિન્દ્રિય મધ્ય માખીનો વિઠા એ પરિભોગ છે. કેમકે તે વિઠા વમનના નિષેધાદિમાં સમર્થ છે. અથવા નેત્રમાંથી જળ વગેરે કાઢવા અશમક્ષિકાનો ઉપયોગ કરાય છે. તથા આવી જાતિના ચઉરિન્દ્રિય પણ લેવા. પંચેન્દ્રિયના પિંડના વિષયમાં ઉપયોગ - તિર્યંચાદિનો પિંડ યથાયોગપણે ઉપયોગમાં આવે છે. તે આ રીતે - ચામડું, અસ્થિ, દાંત ઈત્યાદિ ગાથાર્થ પ્રમાણે કહેવા. ૩fથ - ગીધ પક્ષીની નખિકાદિનો પરિભોગ છે, તે શરીરના ફોલ્લાને દૂર કરવા માટે બાહ આદિ ઉપર બંધાય છે. સંત - સુવરના દાંતને ઘસીને નાંખતા નેત્રને વિશ ફૂલા દૂર કરાય છે. નર - અમુક જીવોના નખ ધૂપમાં નાંખી તેની ગંધ હોય તે કોઈપણ રોગનો નાશ કરે છે. તેમ - તેનો કામળો બને છે. શૃંગ - ભેંસ આદિનું શીંગડું, માર્ગમાં ગચ્છથી ભૂલા પડેલા સાધુને ભેગા કરવાને વગાડાય છે. છાણ અને ગોમૂત્રનો ઉપયોગ ખસ વગેરેના મર્દનમાં થાય છે. દુધનો ઉપયોગ ભોજનમાં થાય છે. સચિત મનુષ્યનું પ્રયોજન સાધુને માર્ગ જણાવવા કે ભિક્ષાદિ દાન માટે છે. અસિત મનુષ્યના મસ્તકના અસ્થિ ઉપયોગી છે, તે અસ્થિ ઘસીને પુરુષ ચિહનો અમુક વ્યાધિ દૂર થાય છે. કોઈ રાજા સાધુના વિનાશાદિ માટે ઉધમવંત થાય ત્યારે સાધુ મસ્તકના અસ્થિ લઈને કાપાલિકનો વેશ લઈ દેશાંતર જઈ શકે છે. મિશ્રનો ઉપયોગ અસ્થિ લઈને કાપાલિકનો વેશ લઈ દેશાંતર જઈ શકે છે. મિશ્રનો ઉપયોગ અસ્થિ વડે ભૂષિત અને સરસ શરીર કાપાલિક પાસે માગને જાણવા ઉપયોગી છે. દેવતાના વિષયનો ઉપયોગ - તપસ્વી કે આચાયદિને દેવીઓ પ્રાયઃ સમીપે જે રહેવાવાળા હોય છે. મરણ વગેરે પ્રયોજન ઉપસ્થિત થાય ત્યારે કોઈ દેવતાને પૂછે કે માર્ગના વિષયમાં શુભાશુભ પૂછે. આ પ્રમાણે સરિતાદિ ભેદથી ત્રણ પ્રકારનો દ્રવ્યપિંડ પ્રત્યેક પૃથ્વીકાયાદિ નવની મધ્યે બે આદિના મિશ્રપણાથી મિશ્રદ્રવ્યપિંડ : • મૂલ-૬૮,૬૯ :હવે મિશ્ર પિંડ, આ નવેના દ્વિક સંયોગાદિથી આરંભીને ચાવતુ છેલ્લા
SR No.009078
Book TitleAgam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy