SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ મુલ-૨ ૪૮ વડે પ્રયોજન છે. બાકીના નામાદિ પિંડો સાર્થક એવા પિંડ શબ્દ વડે કહેલ જે અર્થ તેને તુલ્ય છે, કેમકે તેમનું પણ પિંડ એ રીતે કથન કરવાપણું છે માટે. તેથી કરીને શિયોની મતિનું જે પ્રકોપન - તે તે અર્ચના વ્યાપકપણાએ કરીને જે પ્રસરવું, તેને માટે કહેલ છે. ભાવાર્થ એ કે – અયિત દ્રવ્યપિંડ અને પ્રશસ્ત ભાવપિંડનો અહીં અધિકાર છે, બાકીના પિંડનો અધિકાર નથી. અને છૂટા-છૂટા પણા કરીને કહેવા બાકીના પિંડ કહ્યા છે. શિકા] મુમુક્ષુ જીવોને પ્રશસ્ત ભાવપિંડનું પ્રયોજન નભલે હોય, પણ અયિd. દ્રવ્યપિંડનું અહીં શું પ્રયોજન છે ? (સમાધાન ભાવ પિંડની વૃદ્ધિમાં દ્રવ્યપિંડ એ ટેકો છે, આ જ વાત કહે છે – • મૂલ-૮૩ - આહાર, ઉપધિ, શા પ્રશસ્ત ભાવપિંડનો ઉપગ્રહ કરે છે. તેમાં આહારપિંડનો અધિકાર છે, તે આઠ સ્થાનો વડે શુદ્ધ હોય છે. • વિવેચન-૮૩ : અચિત્ત દ્રવ્ય પિંડ ત્રણ ભેદે – આહારરૂ૫, ઉપધિરૂપ, શય્યારૂપ. આ ત્રણે પિંડ જ્ઞાન, સંયમાદિ પ્રશસ્ત ભાવપિંડને ટેકો કરે છે. તેથી આ ત્રણેનું સાધુને પ્રયોજન છે, તો પણ અહીં કેવળ આહારપિંડનો અધિકાર છે. તે પિંડ ઉદ્ગમાદિક આઠ સ્થાને શુદ્ધ એવો જેમ સાધુને ગવેણ છે, તે કહેશે – • મૂલ-૮૪,૮૫ - મુમુક્ષુને નિવસિ જ કાર્ય છે, કારણ જ્ઞાનાદિ કણ છે. તે નિવણિના કારણનું પણ કારણ શુદ્ધ આહાર છે. જેમ વાનું કારણ તંતુ છે, તંતુનું કારણ પક્ષમ છે, તેમ મોક્ષના કારણ જ્ઞાનાદિ ત્રિકનું કારણ આહાર છે. • વિવેચન-૮૪,૮૫ - મુમુક્ષને નિવણિ જ માત્ર કર્તવ્ય છે. બાકી સર્વે તુચ્છ છે. નિવણનું કારણ જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. • x • નિવણિના કારણરૂપ જ્ઞાનાદિનું કારણ આઠ સ્થાને શદ્ધ જોવો આહાર છે. આહાર વિના ધર્મ માટે શરીરની સ્થિતિ અસંભવ છે. ઉગમાદિ દોષ વડે દૂષિત આહાર ચામ્બિનાશક છે. હવે દષ્ટાંતથી આ જ વાત કરે છે - જેમાં વસ્ત્ર, તંતુ, રૂના દટાંત વડે સિદ્ધ કરે છે કે નિર્વાણનું કારણ જ્ઞાનાદિ અને તેનું કારણ આહાર છે. હવે જ્ઞાનાદિકનું મોક્ષકારણત્વ સદષ્ટાંત જણાવે છે – • મૂલ-૮૬ : જેમ ન હણાયેલ અને પરિપૂર્ણ સામગ્રીવાળું કારણ અવશ્ય કાર્યને સાથે, તેમ પરિપૂર્ણ જ્ઞાનાદિ મોક્ષ સાધવામાં સમર્થ છે. વિવેચન-૮૬ :જેમ બીજ આદિપ કારણ અગ્નિ આદિથી વિનાશ પામ્યું ન હોય અને પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ અવિકલ હોય તો અવશ્ય અંકુરાદિપ કાર્યને ઉત્પન્ન કરે, એમ જ જ્ઞાનાદિ પણ અવિકલ અને વિનાશ પામેલા ન હોય તો તે અવશ્ય મોક્ષરૂપ કાર્યને સાધનાર થાય છે. તે આ રીતે – સંસારનો નાશ તે મોક્ષ. સંસારનું કારણ મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, જ્ઞાનાદિ દેના પ્રતિપક્ષારૂપ છે. જ્ઞાનાદિના સેવનથી મિથ્યાત્વાદિથી ઉત્પન્ન કર્મ અવશ્ય નાશ પામે છે. માત્ર આ જ્ઞાનાદિ પરિપૂર્ણ અને અનુપહત હોવા જોઈએ. ચાસ્ત્રિનું અનુપહતપણું ઉદ્ગમાદિ દોષ રહિત શુદ્ધ આહારથી થાય છે. આઠ સ્થાનોથી શુદ્ધ આહાર સાધુ ગ્રહણ કરે. તેથી અહીં આહાર પિંડનો અધિકાર છે. આ પ્રમાણે પિંડ કહ્યો. હવે “એષણા' કહેવી જોઈએ - • મૂલ-૮૭,૮૮ - એ રીતે સંક્ષેપથી એકઠા મળેલા અર્થવાળો પિંકે કહ્યો. હવે પછી ફૂટ વિકટ અને પ્રગટ અથાળી એષણાને હું કહીશ.. આ એષણાના એકાર્ષિક પયયિો આ પ્રમાણે છે – એષણા, ગવેષણા, માગણા, ઉદ્ગોપના. • વિવેચન-૮૭,૮૮ : આ રીતે સંક્ષેપથી - સામાન્યપણાથી એક સ્થાને સ્થાપન કર્યો છે અર્થ - અભિધેય જેનો તે તથારૂપનો પિંડ મેં કહ્યો. હવે એષણાને કહેનારા ગાથા શ્રેણિને ફૂટ - નિર્મળ, પણ તાત્પર્ય ન સમજવાથી મલિન નહીં એવો સૂક્ષ્મ મતિવાળા જાણી શકે તેથી દુર્ભેદ તથા વિશેષ રચનાના વિશેષ થકી જે સુખે કરીને જાણી શકાય તેવો •X - X • પ્રગટ કહેવાય છે, એવા પ્રકારનો અર્થ જેવો છે તેવી એષણાને હું કહીશ. તેમાં સુખબોધાર્થે એકાર્જિક પર્યાયો કહે છે - જેમાં પUT - ઈચ્છા, ઘT - અન્વેષણા ઈત્યાદિ એકાર્શિક નામો કહીને હવે ભેદોને કહે છે – • મૂલ-૮૯ - ઔષા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવને વિશે જાણવી. તેમાં દ્રવ્ય અને ભાવના વિષયવાળી પ્રત્યેક એષા ગણ-~ણ પ્રકારે જાણવી. • વિવેચન-૮૯ : એષણા ચાર ભેદે - નામૈષણા, સ્થાપનૈષણા, દ્રૌષણા, ભાવૈષણા. નામૈષણા - એષણા એવું નામ કોઈ જીવ કે અજીવનું કરાય તે નામ અને નામવાળાના અભેદોપચારથી “નામૈષણા” કહેવાય. સ્થાપનૈષણા - એષણાવાળા સાધુ આદિની સ્થાપના, અહીં એષણા સાધુ આદિથી ભિન્ન નથી, તેથી ઉપચારથી સાધુ વગેરે જ ‘એષણા' કહેવાય છે. દ્રૌપણા બે ભેદે - આગમથી, નોઆગમથી. એષણા શબ્દના અર્થને જાણે પણ તેમાં ઉપયોગવંત ન હોય તે આગમથી દ્રૌષણા. નોઆગમથી દ્રૌપણા ત્રણ ભેદે - જ્ઞશરીર ભથશરીર તવ્યતિરિક્ત. ‘એષણા’ શબ્દના અર્થને જાણનારનું જે શરીર જીવરહિત થઈને રહેલ હોય તે ભૂતકાલીન ભાવપણાથી જ્ઞશરીરદ્રૌષણા. જે બાળક હાલ તેના અર્થને જાણતો
SR No.009078
Book TitleAgam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy