SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૭૪ થી ૮ BE જાણવી અવગ્રહ પ્રતિમા એટલે વસતિ સંબંધી વિશેષ પ્રકારના નિયમો જિ યાર ગમ, પ્રાયલ-૩ થી જાણવું (૮) આઠ ભેદે પિંડ, તે આઠ પ્રવચન માતા - પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. (૯) નવ ભેદે પિંડ, તે નવ બ્રહ્મચર્ય ગુપ્તિ જેનું વર્ણન સ્થાનાંગ સૂપના સ્થાન-૯, સૂમ૮૦માં, તથા સમવાય-૯ના સુમ-૧૧માં છે.) (૧૦) દશ ભેદે પિંડ તે દશવિધ શ્રમણધર્મ • શાંતિ, માદેવ, આર્જવ, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચનતા અને બ્રહ્મચર્ય. આ દશે પ્રકારનો ભાવપિંડ આઠ કર્મનું મથનકત તીર્થકરે કહેલ છે. આમ કહીને ગ્રંથકારે – “કંઈ કહેતો નથી’ એમ જણાવેલ છે. ધે અનુક્રમે દશ ભેદે અપશસ્ત ભાવપિંડને કહે છે, તે આ છે - (૧) અસંયમ - વિરતિનો અભાવ, અહીં અજ્ઞાન મિથ્યાત્વ આદિ સર્વે પણ તભૂત છે. (૨) અજ્ઞાન અને અવિરતિ. અહીં મિથ્યાત્વ, કષાય વગેરે સર્વે પણ આ બેમાં જ અંતર્ભત છે. (૩) મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ એ ત્રણ ભેદે અપશસ્ત ભાવપિંડ છે. (૪) કષાય - ક્રોધ, માન, માયા, લોભ. (૫) આશ્રવ - પ્રાણાતિપાત આદિ પાંચ. (૬) છ ભેદે તે- પૃથ્વીકાયિક આદિ છ કાયનો વિનાશ, (૭) સાત ભેદે ભાવ પિંડ - કર્મબંધના કારણભૂત અધ્યવસાયો જાણવા. આયુ સિવાયના સાતે કર્મના કારણભૂત પરિણામ વિશેષ, જ્ઞાનાવરણાદિ જાતિ ભેદથી સાત પ્રકારે છે. (૮) આઠ ભેદે ભાવપિંડ • આઠે કર્મબંધના કારણભૂત પરિણામ. (૯) નવ બ્રહ્મચર્ય ગુપ્તિ. (૧૦) દશ ભેદે અધર્મ - ક્ષમા આદિથી વિપરીત કહેવો. આ અપશરત ભાવપિંડ. હવે પ્રશસ્ત અપ્રશસ્ત ભાવપિંડનું લક્ષણ કહે છે – • મૂલ-૬ થી ૮૧ : [26] જે ભાવપિંડ વડે કર્મ બંધાય તે સર્વે અપશસ્ત અને જેના વડે કમથી મૂકાય તે પ્રશસ્ત ભાવપિંડ જાણવો. [co] દર્શન, જ્ઞાન, ચાઢિાના છે અને જેટલા પચયિો હોય છે, તે તે-તે વખતે તેને નામનો પર્યાયનું પ્રમાણ કરવાથી પિંડ કહેવાય. [૧] જીવ જે પરિણામથી આત્માને વિશે કર્મના પિંડને ચીકણાં બાંધે છે, તે ભાવપિંડ કહેવાય, કેમકે જ્ઞાનાવરણાદિ કર્મને પિંડરૂપે કરે છે. • વિવેચન-૭૯ થી ૮૧ - અહીં એકવિધાદિ ભેદે પ્રવર્તતા જે ભાવપિંડ વડે જ્ઞાનાવરણ આદિ કર્મ બંધાય છે. ૪ શબ્દથી દીધ સ્થિતિક, દીર્ધ અનુબંધવાળું અને વિપાકમાં કટ કર્મો જેના વડે બંધાય તે પ્રશસ્ત ભાવપિંડ જાણવો અને એકવિઘાદિથી પ્રવર્તતા સંયમાદિ વડે જે કર્મ થકી ધીમે-ધીમે કે સર્વથા મુક્ત થવાય તે પ્રશસ્ત ભાવપિંડ જાણવો. [શંકા] ઘણાનું એક સ્થાને મળવું તે પિંડ કહેવાય. પરંતુ સંયમ વગેરે ભાવો જ્યારે પ્રવર્તે ત્યારે તે એક સંખ્યાવાળા જ હોય છે, કેમકે એક સમયે એક જ અધ્યવસાયનું હોવાપણું છે, તો તે ભાવોનું પિંડપણું કેમ કહેવાય ? પિંડનિયુક્તિમૂલસૂત્ર સટીક અનુવાદ ગાથા-૮૦માં તેનો ઉત્તર આપતા કહે છે - ચારિત્રના ગ્રહણથી તપ વગેરે પણ ગ્રહણ કરાય છે. કેમકે – તપ પણ વિરતિના પરિણામરૂપ હોવાથી ચાગ્નિનો જ ભેદ છે, તેથી દર્શનાદિ ગણેના જે જે અવિભાગ પરિચ્છેદરૂપ પર્યાયિો. જ્યારે જ્યારે જેટલા હોય ત્યારે ત્યારે તે-તે દર્શનાદિ નામવાળો પયયનું પ્રમાણ કરવા વડે કરીને પથાયના સમૂહની વિવક્ષાથી પિંડ કહેવાય છે. ભાવાર્થ એ કે – સંયમની વિવક્ષામાં દર્શન, જ્ઞાન અંતર્ભાવ છે. ત્યારે તે સંયમના અવિભાગ પરિચ્છેદ નામના જે પયયો છે તે સમુદાયપણે એક સ્થાને પિંડરૂપ થઈને રહે છે. - x • તેથી એકવિધ ભાવ પિંડપણે કહેવાતો સંયમ વિરોધ પામતો નથી. પણ તે જ સંયમરૂપ અધ્યવસાયમાં જ્ઞાન કે ક્રિયાની વિવક્ષા જુદી કરવામાં આવે ત્યારે જ્ઞાન કે ક્રિયાના અવિભાગ પરિચ્છેદરૂપ જે પર્યાયો તે જ્ઞાન કે ક્રિયાપિંડ કહેવાય. તેથી જ્ઞાન અને ક્રિયા નામે ભાવપિંડ બે ભેદે કહેવામાં વિરોધ ન પામે. જ્યારે તે જ સંયમરૂપ અધ્યવસાયને વિશે જ્ઞાનની, દર્શનની અને ચામિની વિવક્ષા જદી કરાય છે ત્યારે જ્ઞાનનો કે દર્શનનો કે ચાસ્ત્રિનો અવિભાગ પરિચ્છેદરૂપ પર્યાય તે-તે સમુદાયને પામીને જ્ઞાનપિંડ કે દર્શનપિંડ કે ચા»િ પિંડ કહેવાય છે. એમ ત્રણ પ્રકારનો જ્ઞાન, દર્શન અને સાત્રિ નામે ભાવપિંડ ઘટે છે. • x - X - X - એ પ્રમાણે બાકીના પિંડોને વિશે પિંડપણાની ભાવના ભાવવી. એ જ પ્રમાણે અપશસ્ત ભાવપિંડની ભાવના ભાવવી. આ રીતે “જે એકઠું કરવું તે પિંડ” એવી ભાવવિષયવાળી વ્યુત્પત્તિને આશ્રીને સંયમાદિનું પિંડપણું કહેવું. - x - પછી ભાવ એવા પિંડ તે ભાવપિંડ કહેવાય એવું ગાયા-૮૧માં જણાવે છે. જે ખાવું - આત્માના પરિણામ વિશેષ વડે કર્મના પિંડને પરસ્પર સંબંધ વડે ગાઢ સંશ્લેષથી આભાને વિશે એકઠાં કરે તે ભાવપિંડ. તેમાં હેતુ - જે કારણ માટે જેના વડે આત્મા પોતાની સાથે પિંડરૂપ કરાય તે પિંડન - જ્ઞાનાવરણાદિક કર્મને આત્માની સાથે સંબદ્ધ કરે તે ભાવ, તેથી કરીને ભાવપિંડ કહેવાય. તેમાં જે ભાવ વડે આત્મામાં શુભ કર્મો બંધાય તે પ્રશસ્ત ભાવપિંડ, અશુભ બંધાય તે અપશસ્ત ભાવપિંડ. એ રીતે નામાદિ છ પિંડ કહ્યા. હવે આ છે માં જે પિંડ વડે અહીં અધિકાર છે, તે પિંડને કહેવાની ઈચ્છાથી જણાવે છે – • મૂલ-૮૨ : અહીં દ્રવ્યમાં અચિત્ત પિંડ અને ભાવમાં પ્રશસ્ત ભાવપિંડ વડે પ્રયોજન છે, બાકીના નામાદિ પિંડો શિની મતિના વિરતારાર્થે કહેલા છે. • વિવેચન-૮૨ :આ પિંડનિયુકિતમાં દ્રવ્યમાં અયિત દ્રવ્યપિંડ વડે અને ભાવમાં પ્રશસ્ત ભાવપિંડ
SR No.009078
Book TitleAgam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy