SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૮૯ પ0 નથી પણ ભાવિમાં જાણશે તે ભવ્ય શરીર દ્રવ્યેષણા. તધ્યતિરિક્ત તે સચિવાદિ દ્રવ્યના વિષયવાળી છે. ભાવૈષણા પણ બે ભેદે - આગમચી અને નોઆગમથી. એષણાના અને જાણે અને તેમાં ઉપયોગવંત તે આગમચી ભાવૈષણા. નોઆગમથી ગવેષણા આદિ ભેદથી ત્રણ પ્રકારે છે. આમાં નામાદિ એપણા સુજ્ઞાત છે, તેથી નોઆગમથી દ્રૌષણા અને નોઆગમથી ભાવૈષણાની વ્યાખ્યા કરવાને કહે છે - દ્રવ્યના વિષયવાળી અને ભાવના વિષવયાળી તે પ્રત્યેકને ત્રણ પ્રકારે જાણવી. દ્રવ્યમાં સરિતાદિ ત્રણ ભેદ, ભાવમાં ગવેષણાદિ ત્રણ ભેદ છે સચિત દ્રÂષણાના ત્રણ ભેદ – દ્વિપદ, ચતુષ્પદ અને અપદવિષયક. તે આ - • મૂલ-0,૯૧ - કોઈ પુના જન્મને ઈચ્છે છે, કોઈક નાસી ગયેલ અને શોધે છે, કોઈ પગલાથી બને શોધે છે, કોઈ તે શણના મૃત્યુને કહેવા ઈચ્છે છે. એ પ્રમાણે બાકીના ચતુuદ, અપદ, અચિત્ત અને મિશ્રને વિશે જે ઓષા જે સ્થાને યોગ્ય હોય, ત્યાં તેને જોડવી. વિવેચન-૦,૧ : જો કે પૂર્વે એષણાદિ ચારે નામો કાર્થક કહ્યા છે, તો પણ કોઈક પ્રકારે તેનો અર્થ ભેદ છે. પn • માત્ર ઈચ્છા. નવેT - પરસ્પર પણ અર્થનો ભેદ નિયત છે, તે આ રીતે - અપ્રાપ્ત પદાર્થની ચોતરફ પરિભાવના. મrform - નિપુણ બુદ્ધિ વડે શોધવું. કોપન - કહેવા ઈચ્છેલા પદાર્થને લોકમાં પ્રકાશ કરવાની ઈચ્છા. તેના અનુક્રમે ઉદાહરણો આ છે - એક પુત્રના જન્મને ઈચ્છે છે, આ એષણાનું ઉદાહરણ કહ્યું. બીજો કોઈ નાસી ગયેલા પુત્રની ગવેષણા - શોધ કરે છે, આ ગવેષણાનું ઉદાહરણ કહ્યું. ત્રીજો કોઈ ઘણી ધૂળવાળી પૃથ્વી ઉપર પડેલાં પગલાં મુજબ શત્રુને શોધે છે, આ માગણાનું ઉદાહરણ છે. ચોથો કોઈ શગુના મૃત્યુ-મરણને સર્વજન સમક્ષ કહેવાને ઈચ્છે છે, આ ઉદ્ગોપનનું ઉદાહરણ કહ્યું. - આ દ્વિપદની જેમ જ બાકીના ચતુષ્પદ - ગાય વગેરે, પદ-બીજોરુ આદિ, અચિત - રૂપિયા આદિ, મિશ્ર - કડા, બાજુ બંધાદિ અલંકાર વડે વિભૂષિત પુગાદિને વિશે જ્યાં જ એષણા, ગવેષણા, માર્ગણાદિ ઘટી શકે તેને પૂર્વોક્ત ગાથાનુસાર જોડવા. જેમકે – કોઈ દુધ માટે ગાયને ઈચ્છે છે, કોઈ નાસી ગયેલી ગાયને શોધે છે ઈત્યાદિ - * * * * દ્રવ્ય એષણા કહી, હવે ત્રણ પ્રકારની ભાવ એષણા કહે છે – • મૂલ-૨,૯૩ : વીતરાગે ત્રણ પ્રકારે ભાવૈષણા કહી છે – ગળેષણu, ગ્રહઔષણા અને ગ્રાઔષણા. જ અનુક્રમ કેમ કહ્યો ? - ગવેષણા ન રેલ પિંડાદિનું ગ્રહણ [35/4] પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ ન હોઈ શકે, ગ્રહણ ન કરેલાનો પરિભોગ ન હોઈ શકે, તેથી ત્રણ એષણાની આ આનુપૂર્વી જાણવી. • વિવેચન-સ્જ,૯૩ : HTય - જ્ઞાનાદિરૂપ પરિણામ વિશેષ, તવિષયક એષણા તે ભાવૈષણા. જે રીતે જ્ઞાનાદિ ત્રણેનો એક દેશ થકી કે સમૂલઘાત ન થાય તેમ પિંડાદિની એષણા કરવી. તે પણ અનુક્રમે ત્રણ પ્રકારે કહી – ગવેષશૈષણા, ગ્રહષણા, પ્રારૈષણા. શેષ વૃત્તિ કથન ગાથાર્થ મુજબ જાણવું. • મૂલ-૯૪ થી ૯ : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવને વિશે ગવેષણા જાણવી. તેમાં દ્રવ્યને વિશે મૃગ અને હી જણવા. ભાવમાં ઉગમ અને ઉત્પાાદના જાણdu. દ્રવ્યમાં કુરંગ મિગીનું ટાંત મણ ગાથા વડે કહે છે, જે વૃત્તિમાં કથાનક થકી આપેલ છે અને હાથીનું દષ્ટાંત બીજી બે ગાથા વડે કહે છે, જે વૃત્તિથી જણાવું. • વિવેચન-૯૪ થી ૯ : નામ ગવેષણા અને સ્થાપના ગવેષણા એ બે એષણાની જેમ સવિસ્તર પોતાની મેળે જ જાણી લેવી. દ્રવ્ય વિષયક ગવેષણા આગમથી અને નોઆગમથી એમ બે ભેદે છે. ગવેષણા શબ્દના અર્થને જાણે પણ તેમાં ઉપયોગવાળો ન હોય તે આગમથી દ્રવ્ય ગવેષણા. નોઆગમથી દ્રવ્ય ગવેષણા ત્રણ પ્રકારે - જ્ઞશરીર, ભથશરીર અને તવ્યતિરિક્ત. આ તબંતિતિ ગવેષણા સચિવાદિ દ્રવ્યના વિષયવાળી છે. તેમાં કુરંગ [મૃગ અને ગજ-હાથીનું ઉદાહરણ છે. તે દૃષ્ટાંતને કહે છે – ક્ષિતિપ્રતિષ્ઠિત નગર હતું. જિતશત્રુ રાજા અને સુદર્શના રાણી હતા. તેણી ગર્ભિણી હતી. તેણીને મૃગનું માંસ ખાવાનો દોહદ થયો. તે જાણીને રાજાએ કનકપૃષ્ઠ મૃગોને લાવવા પોતાના પુરુષોને મોકલ્યા. તે પુરુષોએ વિચાર્યું કે- કનકપૃષ્ઠ મૃગોને શ્રીપર્ણીના ફળો અતિ પ્રિય છે, તે ફળો આ સમયે હોતા નથી. તેથી તે ફળ જેવા લાડવા બનાવી શ્રીપર્ણીવૃક્ષ નીચે ઢગલા કરીએ, નીકટમાં પાશ-ફાંસા સ્થાપી. એ પ્રમાણે કર્યું. કનકપૃહ મૃગો પોતાના ચૂથપતિ સાથે સ્વેચ્છાએ ત્યાં આવ્યા. તે જોઈને ચૂંથાધિપતિએ મૃગોને કહ્યું - તમને બાંધવા માટે કોઈ ધૂતારાએ આ કપટ કરેલ છે. કેમકે - હાલમાં શ્રીપર્ણી ફળો સંભવતા નથી, કદાચ સંભવે તો આવા ઢગલાના આકારે તો ન જ હોય. કદાચ તેવા વાયુના સંબંધથી આ ઢગલાં થયા હોય તો તે પણ ખોટું છે કેમકે વાય તો પહેલાં પણ વાતા જ હતા. પણ કદાપિ આ પ્રમાણે ઢગલા થયા નથી. તેથી આપણને બાંધવા કોઈએ આ કપટ કરેલ છે, તો તેની પાસે તમે જશો નહીં. યુથાધિપતિના વચનને જેમણે સ્વીકાર્યુ તેઓ દીર્ધાયુક થઈ વનમાં સ્વૈરવિહારી થઈ સુખને પામ્યા. જેઓએ આહારના લંપટવથી તેમનું વચન ન સ્વીકાર્યુ તેઓ પાશ બંધનાદિથી દુઃખ ભોગવનાર થયા.
SR No.009078
Book TitleAgam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy