SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૪૯૯ થી ૫૨ ૧૪૧ ૧૪૨ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ કોઈ બીજાની માસિક તિથિમાં આપજો દૈવયોગે ત્યાં કોઈ મરી ગયું. પૂર્વવત માસક્ષમણના પારણે સાધુ ગયા, દ્વારપાળે નિષેધ કર્યો. ફરી કોપ પામી સાધુ બોલ્યા - ફરી કોઈ બીજાના માસિકમાં આપજો. ફરી ત્યાં કોઈ મરણ પામ્યું. ત્રીજી વખત પણ સાધુએ શ્રાપ આપ્યો. દ્વારપાળે ગૃહનાયકને નિવેદન કર્યું. તેણે આદર સહિત વહોરાવ્યું. આ પ્રમાણે ક્રોધ પિંડ કહ્યો, હવે માનપિંડ વિશે કહે છે – • મૂલ-૫૦૩ થી ૫૧૧ - [ષos] બીજાએ ઉત્સાહ પમાડેલો કે લબ્ધિ અને પ્રશંસા વડે ગર્વિત થયેલો અથવા બીજાએ અપમાન કરેલો સાધુ જે પિંડની એષણા કરે તે માનપિs કહેવાય. [૫૦૪ થી ૫૧૧-પૂવદ્ધિ] આટલી ગાથાઓમાં માનપિંડનું ષ્ટાંત છે, તેને વિવેચનથી ગણવું. [૫૧૧-ઉત્તરદ્ધ] આવો માનપિંડ લેવાથી બેમાંથી એકને . પહેલ થાય, આત્માની વિપત્તિ થાય, શાસનનો ઉદ્દાહ થાય છે. વિવેચન-૫૦૩ થી ૫૧૧ - [૫૩] બીજા સાધુઓ વડે - “તું જ આ કાર્ય કરવા સમર્થ છે” એમ ઉત્કર્ષ પમાડેલો અથવા લબ્ધિ અને પ્રશંસા વડે ગર્વિત થયેલો - “હું જ્યાં પણ જઉં, ત્યાં સર્વ સ્થાને મને લાભ મળે.” ઈત્યાદિ અથવા “તારા વડે કશું નહીં થાય" એ પ્રમાણે બીજા દ્વારા અપમાન કરાયેલો સાધુ અહંકાર વશ થઈ, પિંડની જે એષણા કરે છે, તે માનપિંડ કહેવાય છે. [૫૦૪ થી ૫૧૧-પૂર્વાદ્ધ] માનપિંડમાં ક્ષુલ્લકનું દૃષ્ટાંત : ગિરિપુષિત નામે નગરમાં સિંહ નામે આચાર્ય પરિવાર સહ આવ્યા. કોઈ દિને તે નગરમાં સેવાક્કિ (સેવ]નો ઉત્સવ થયો. સૂત્રપોરિસિ બાદ એક સ્થાને યુવાના સાધુનો સમુદાય મળ્યો. પરસ્પર ઉલ્લાપ થયો. કોઈ સાધુ બોલ્યા - બધાં માટે સવારમાં કયો સાધુ સેવ લાવશે ? ગુણચંદ્ર નામે ક્ષુલ્લકે કહ્યું કે હું લાવીશ. તેઓ બોલ્યા – જો સેવ બધાં સાધુને પૂર્ણ ન થાય કે ઘી-ગોળ રહિત હોય તો તેનું કંઈ પ્રયોજન નથી. ક્ષુલ્લક સાધુએ કહ્યું - તમે ઈચ્છો છો તેવી લાવીશ. નંદીપાત્ર લઈ ભિક્ષાર્થે નીકળ્યા. તેઓ કોઈ કૌટુંબિકને ઘેર ગયા. ત્યાં સેવ, ઘી, ગોળ તૈયાર જોયા. અનેક ચાટુ વચનથી સુલોચના નામે કૌટુંબિકની ભર્યા પાસે યાચના કરી. પણ તેણીએ સર્વથા નિષેધ કરી દીધો. ત્યારે અમર્ષ પામેલા ક્ષુલ્લક સાધુએ કહ્યું હું તે અવશ્ય ગ્રહણ કરીશ, તારું નાક કાપીશ. બહાર નીકળી પૃચ્છા કરી કે આ ઘર કોનું છે ? વિભુમિરનું છે. સાધુએ સભા મળે જઈને પૂછ્યું કે તમારામાં વિષ્ણમિત્ર કોણ છે ? મારે તેની પાસે કંઈક યાચના કરવાની છે. ત્યારે સભાજનો બોલ્યા, કૃપણ છે, કંઈ નહીં આપે, અમારી પાસે માંગો. વિષ્ણુમિને અપમાનથી બચવા કહ્યું કે - બોલો, બોલો આપને શું જોઈએ છે? સાધુએ કહ્યું કે સ્ત્રીને આધીને એવા છ પુરુષોમાંનો તું ન હો તો યાચના કરું. બધાં બોલ્યા - કહો કહો - એવા સ્ત્રીમુખા છ પુરુષો કોણ છે ? (૧) શ્વેતાંગુલિ - કોઈ ગામમાં કોઈ પુરુષ પોતાની પત્નીની ઈચ્છા મુજબ વર્તનારો હતો. ભુખ્યો થવાથી સવારે પત્ની પાસે ભોજન માંગે છે. તેણી બોલી - તમે જાતે જ ચૂલામાંથી રાખ કાઢો, અગ્નિ નાંખો, ઇંધણથી સળગાવો, ચૂલા ઉપર તપેલી મૂકો યાવત્ રસોઈ કરીને મને કહો, એટલે હું તમને પીરસુ. રોજ તેમ કરવાથી તેની આંગળી શેત થઈ જવાથી લોકો તેને શેતાંગુલિ કહે છે. (૨) બકોવૃયક - કોઈ ગામમાં કોઈ પુરુષ પોતાની પત્નીના મુખનાં દર્શનરૂપ સુખમાં લંપટ હતો. તેથી તેણીની આજ્ઞામાં વર્તતો હતો. કોઈ વખતે તેણીએ તળાવમાંથી પાણી ભરી લાવવા કહ્યું, પત્નીની આજ્ઞાને દેવાજ્ઞા માની શિરોધાર્ય કરી, લોકો ન જુએ તે માટે રાત્રિના છેલ્લા પ્રહરે હંમેશાં તળાવમાંથી પાણી ભરે છે. તેના પગના સંચાર અને ઘડો ભરવાના અવાજથી બગલા ઉડી જવા લાગ્યા. તેથી લોકો તેને બકોણયક કહેવા લાગ્યા. (3) કિંકર - કોઈ ગામમાં કોઈ પુરષ, પત્નીના સ્તન, જઘનાદિના સ્પર્શમાં લંપટ હોવાથી પત્નીની ઈચ્છા પ્રમાણે વર્તતો હતો. તે સવારમાં ઉઠીને હાથ જોડીને પત્નીને પૂછે કે – “હે પ્રિયે ! હું શું કરું ?" તેની પત્ની તેને જે-જે આદેશ આપે તેમ કર્યા કરતો. ત્યાં સુધી કે તેની પત્ની તેણીના પગ ધોવાનું કહે, તો તે પણ ધોઈ દેતો. તેથી લોકો તેને ‘કિંકર' કહેતા હતા. (૪) નાયક • કોઈ ગામમાં કોઈ પુરુષ પનીની આજ્ઞામાં રહેતો હતો. કોઈ દિવસે પત્નીને કહ્યું – હું સ્નાન કરવાને ઈચ્છું છું” તેણી બોલી- આમળાને શિલા ઉપર વાટો, ખાનની પોતડી પહેરો, તેલ વડે શરીરને માલીશ કરો, ઘડો હાથમાં લ્યો, તળાવે સ્નાન કરીને જળથી ભરીને અહીં લાવો. હંમેશાં તેમ કરવા લાગ્યો. લોકોએ તેનું નામ નાયક કર્યું. (૫) વૃધ ઈવ રિખી - કોઈ ગામમાં કોઈ પરપ પનીના આદેશ મુજબ કાર્ય કરતો હતો. તે સ્ત્રી સોઈ કરવા બેઠી, તેણે પત્ની પાસે ભોજન માંગ્યું, તેણી બોલી - મારી પાસે થાળી લઈને આવો. ભોજન આપ્યું, તેણી બોલી ભોજન સ્થાને જઈને જમો. આ રીતે તે રોજ ગીધની જેમ ઉભડક પગે ઠેકતો - ઠેકતો હાથમાં થાળ લઈને આવે-જાય છે. તેથી લોકોએ આવું નામ રાખ્યું. (૬) હદજ્ઞ - કોઈ ગામમાં પત્નીનું મુખ જોવામાં લંપટ પુરષ તેણીની આજ્ઞામાં વર્તતો હતો. તેને એક પુત્ર થયો. તે બાળક વિટાદિ કરે ત્યારે, તે પત્નીની આજ્ઞાથી તેને પખાળે છે. હદનને પખાળતો હોવાથી હદજ્ઞ કહેવાયો. ક્ષુલ્લકે આ કથા કહેતા બધાં અટ્ટહાસ્ય કરતાં બોલ્યા કે – હે સાધુ ! આ વિષ્ણુ મિત્ર તો છ એ પુરુષોના ગુણ ધરાવે છે. તેથી સ્ત્રીમુખા એવા આની પાસે કંઈ માંગશો નહીં. વિષ્ણમિત્ર કહે ના-ના હું તેવો નથી. માંગો તે આપું. લકે સેવઘી-ગોળ માંગ્યા. ઘેર લઈ ગયો. પત્નીને કોઈ બહાને માળીયે ચડાવી દીધી, પછી
SR No.009078
Book TitleAgam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy