SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-3૦૨ થી ૩૧૦ ૧૦૩ થોડીવાર પછી આપવા સ્વીકાર્યું સાધુને તે બીજા સ્થાને પ્રાપ્ત થયો પહેલો ગૃહસ્થ ત્રણથી ભય પામ્યો હોય તેમ તે રસની ચાવત્ સાકર કરી. અહીં ઉત્તરોતર જે સ્વરૂપ પયિો પ્રાપ્ત કરાવવા પૂર્વક રાખી મૂકાતા પદાર્થોની સ્થાપના તે પરંપરા સ્થાપના જાણવી. આ પ્રમાણે બીજા દ્રવ્યોમાં પણ આવી પરંપરા સ્થાપના ઘટતી હોય તે કહેવી. જ્યાં સુધી આ સ્થાપના દ્રવ્યો ગૃહસ્થ પોતાના માટે કર્યા હોય ત્યાં સુધી સાધુને કલો પણ આરંભ કર્યો હોય તો ન કો. હવે ગાવા-3૦૨ના સ્થાય પરંતરની વ્યાખ્યા - (૩૧૦] ભિક્ષા ગ્રહણ કરનાર સાધુ એક ઘરને વિશે ઉપયોગ કરે છે, બીજો સાધુ બે ઘરને વિશે ઉપયોગ કરે છે, તે ત્રણ ઘરમાં ઉપયોગનો સંભવ હોવાથી સ્થાપના દોષ નથી. ત્રણ ઘર પછી સાધુને માટે ઉપાડેલી જે ભિક્ષા તે પ્રાભૃતિકા સ્થાપના કહેવાય છે. સ્થાપના દ્વાર કહ્યું, હવે પ્રાભૃતિકા દ્વાર કહે છે – • મૂલ-૩૧૧ થી ૩૧૯ - [ભાણ-૩૫,૩૬]. [૩૧૧ પ્રાભૂતિકા પણ બાદર અને સૂક્ષ્મ બે ભેદ છે, એમ ગણવું. તે દરેકના પણ અવqકણ અને ઉત્તકણ એમ બન્ને ભેદ છે. તે વિશે સિદ્ધાંતમાં "ી વિવાહનું ષ્ટાંત છે. - [૩૧૨,૩૧૩] હું રૂની પૂણી કાતું છું તેથી પછી આપીશ, તો માટે તું રડ નહીં વા વચન સાધુ સાંભળે તો ત્યાં આરંભ ાણી ન જાય. અથવા “અન્ય કાર્ય માટે ઉઠેલી હું તને કંઈક આપીશ” એમ સાંભળી સાધુ ત્યાગ કરે અથવા પુત્ર બોલે કે – કેમ હવે તું નહીં ઉઠે ? સાધુના પ્રભાવથી અમે પણ પામશું. [૩૧૪,૩૧૫ પુત્ર! તું વારંવાર ન બોલ. અહીં પરિપાટીક્રમે સાધુ આવશે, તેને માટે ઉઠીશ ત્યારે તને આપીશ. આવું વચન સાંભળી સાધુ તેનો ત્યાગ કરે. અથવા બાળક સાધુને ખેંચીને પોતાને ઘેર લઈ જય, યથાર્થ હકીકત જાણી સાધુ ત્યાં ન જાય. આ બધી સૂક્ષ્મ પ્રાભૂતિકા રણવી. હવે આવશ્વકરમ બાદર પ્રાભૂતિકા કહે છે - ૩૧] સ્થાપન કરેલ વિવાહનો દિવસ સાધુ સમુદાય આધ્યા પહેલા થઈ જશે, એમ વિચારીને ઉપણ કરે. પ્રાભૂતિકા કરનારને કહે છે – તેને સરળ માણસ પ્રગટ કરે છે અને સરલ ન હોય તેવો માણસ બીજે કરે છે. [૧] વિવાહાદિ પ્રકૃત, મંગળને માટે પુન્યને અર્થે એમ બે પ્રકારે અવMષ્ઠિત છે. એ જ પ્રમાણે ઉMકિત પણ છે. તેમાં આ શું છે ? પૂછીને, ગૃહસ્થ કહે પછી તેનો સાધુ ત્યાગ કરે. [૩૧] જેઓ પ્રાભૃતિકા ભકતને ખાય છે, અને તે સ્થાનથી પાછો ફરતો નથી તે મુંડ લુચિત વિલુંચિત કપોતની જેમ નિરર્થક જ ભટકે છે. - વિવેચન-૩૧૧ થી ૩૧૯ : ગાથાર્થ કહ્યો છે. હવે વૃતિગત વિશેષ કથન માત્ર જ નોંધીએ છીએ- [૩૧૧] પ્રાભૃતિકા બે ભેદે – બાદર અને સૂક્ષ્મ. તે પ્રત્યેકના બે ભેદ – (૧) અવqાકણ ૧૦૪ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ એટલે અપસર્પણ - પોતાના કાર્યમાં પ્રાપ્ત થતા અમુક કાળની અવધિ પહેલા કાર્ય કરવું. (૨) ઉઘકણ એટલે ઉત્સર્પણ - કાર્યની નિયત વેળા પછી કાર્ય કરવું તે. તેમાં પહેલાં બાદર પ્રાકૃતિકાને કહે છે – પુત્રી કે પુત્ર સંબંધી વિવાહને પહેલાં કે પછી રાખવા. જેથી સાધુ વિહાર કરીને આવેલા સાધુ ચાલ્યા ન જાય અથવા વિહાર કરીને તે સ્થાને પહોંચી શકે. જેથી શ્રાવકને ભોજનાદિના દાનમાં સાધુ ઉપકારક થઈ શકે. આ રીતે વિવાહને પહેલાં કે પછી સખતા જે ભોજનાદિ રંધાય તે બાદર પ્રાભૃતિકા કહેવાય. હવે અપસણિરૂપ સૂક્ષ્મ પ્રાકૃતિકાને ભાષ્યકાર બે ગાથા વડે કહે છે - કાંતતી એવી સ્ત્રી ભોજન માંગતા પોતાના પુત્રને કહે – હાલ હું રૂની પૂણીને કાંત છે, પછી તને ખાવા આપીશ, તું રડ નહીં. એવામાં આવી ચઢેલ સાધુ ત્યાં ભિક્ષા ન લે, જેથી સાધુ નિમિતે હાથ ધોવા આદિપ આરંભ ન થાય. અહીં સાધુ નિમિતે પહેલાં ઉઠીને બાળકને ભોજન આપવું તે અવસર્પણ કહેવાય. શેષ કથન ગાથાર્થ મુજબ જાણવું. તે દરેકમાં “મને અવસર્ષણરૂપ સૂમ પ્રાકૃતિકા દોષ ન લાગે" એમ સમજી સાધુ ભોજન ત્યાગ કરે. હવે ઉત્સર્ષણરૂપ પ્રાકૃતિકાને કહે છે - [3૧૪,૩૧૫] કોઈ ગૃહિણી ભોજન માંગતા પુત્રને કહે કે – હે પુત્ર ! તું વારંવાર ન બોલ. સાધુ આવશે ત્યારે હું ઉઠીશ, તને ભોજન આપીશ. આ અવસરે આવેલા સાધુ આવું વચન સાંભળી તે ઘરનો ત્યાગ કરે. જેથી તેને ઉત્સર્પણરૂપ પ્રાકૃતિકા દોષ ન લાગે. સાધુ માટે તે બાળકને મોડું કરે છે તેને ઉસ પણ કહે છે અથવા બાળક સાધુને પોતાના ઘર તરફ ખેંચે ત્યારે બાળકને પૂછતાં તે સાચું કહી દે, તો સાધુ ત્યાં ન જાય. આ સૂક્ષ્મ પ્રાકૃતિકા કહી. હવે અપસણિરૂપ બાદર પ્રાકૃતિકાને ફરી કહે છે - [૩૧૬] સાધુ સમુદાય આવી ગયા પછી કે આવતો નાણીને શ્રાવક પ્રાદિનો વિવાહ પહેલા કરે શા માટે ? સાધુ સમુદાયને સંખડીને વિશે મોદકાદિ, ચોખાનું ધોવાણાદિ આપવા માટે. હવે ઉત્સર્પિણ બાદર પ્રાકૃતિકા કહે છે – [૩૧] સાધુ સમુદાયના આવ્યા પહેલાં વિવાહનો દિવસ આવી જશે તેમ જાણીને વિવાહનું ઉત્સર્પણ કરે અચંત્િ વિવાહ પાછા ઠેલે. સાધુના આવવાના અવસરે કરે, જેથી વિવાહ સંબંધી દ્રવ્ય વહોરાવી શકે. હવે આ બંને પ્રાકૃતિકા કરનારાને કહે છે - તે અવસર્પણ, ઉત્સર્પણરૂપ બંને પ્રકારની પ્રાકૃતિકાને હજુ માણસ પ્રગટ કરી દે છે, બીજા તે કાર્ય કોઈ ન જાણે તેમ કરે છે. પ્રગટ હોય તો તે લોકપરંપરા જાણીને તેનો ત્યાગ જ કરે. અપ્રગટ હોય તો નિપુણ રીતે શોધીને ત્યાગ કરે છતાં ન જાણી શકે તો પરિણામ શુદ્ધિને લીધે દોષ ન લાગે. [૩૧૮] વિવાહાદિને પહેલાં કે પછી શા માટે કરે ? સાધુના ઘેર પગલા થાય અને દાન અપાય તે મંગલને માટે છે, એમ ધારીને અથવા પુન્ય થાય તે માટે.
SR No.009078
Book TitleAgam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy