SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૬૨૦,૬૨૧ ૧૬૩ ૧૬૪ બાલને આશ્રીને દોષ વિશે ષ્ટાંત છે, અર્થ વિવેચનથી જાણતો. • વિવેચન-૬૨૦,૬૨૧ - બાલાદિ દાયકો વિશે કેટલાંક પાસેથી - ૧ થી ૫ સુધીના દાતારો પાસેથી ગ્રહણ કરવાની ભજના અર્થાત્ મોટા પ્રયોજનમાં કહ્યું, બાકી સમયે ન કશે. છ કાય યુક્ત હાથવાળી, ૨૬ થી ૪૦ સુધીનીના હાથે ભિક્ષાનું ગ્રહણ છે. પણ બાલાદિ સિવાયના દાયક હોય તો ગ્રહણ થઈ શકે. બાલાદિમાં દોષો - કોઈ નવી શ્રાવિકા પોતાની પુત્રીને ‘સાધુને ભિક્ષા આપજે' તેમ કહીં ખેતરમાં ગઈ. કોઈ સાધુ ભિક્ષાર્થે આવ્યા. તે બાલિકાએ તંદુલ-ભાત આપ્યા. બાલિકાને મુગ્ધ જાણીને બધો ભાત વહોરી લીધો. એ પ્રમાણે મણ, ઘી, દહીં આદિ સર્વે આપ્યું. સાંજે માતા ઘેર આવી, તેણીએ જે-જે માંગ્યુ, તે-તે બાલિકા બોલી સાધુને આપી દીધું. તે શ્રાવિકા રોષ પામી. બધું સાધુને આપી દીધું? સાધુએ માંગ્યું અને મેં આપ્યું. સાધુ ઉપર કોપાયમાન થઈ, શ્રાવિકા આચાર્ય પાસે આવી. ઉંચે સ્વરે ફરિયાદ કરવા લાગી. પરંપરાએ ઘણાં લોકો એકઠા થઈને સાધુનો અવર્ણવાદ કરવા લાગ્યા, - “આ સાધુ લંયરા છે" આચાર્યએ તે સાઘના બધાં ઉપકરણાદિ ખેંચી લઈ વસતિથી બહાર કાઢી મૂક્યો. શ્રાવિકા અનુકંપાથી તેને માફી આપી બોલાવી લેવા કહ્યું, તેને શિક્ષા આપી વસતિમાં દાખલ કર્યો. આ રીતે બાળક પાસે ભિક્ષા ન લેવી. સ્થવિરના દોષો કહે છે – • મૂલ-૬૨ થી ૬૨૫ : દિર સ્થવિર હોય તે ગળતી લાળવાળો હોય, હાથ કંપતા હોય અથવા દેતો એળે તે પડી જાય, આ તો અસ્વામી છે, એમ ધારીને એકને કે બંનેને વિશે દ્વેષ થાય - ૬િર૩] - આલિંગન, ઘાત, પાત્રભેદ, વમન, શુચિ છે એમ લોકની ગહ એ દોષો માંને વિશે છે. વમનને તજીને બધાં જ દોષો ઉન્મત્તને વિશે છે. • ૬િર૪] . કંપતા પાસેથી ગ્રહણ કરતાં તે વસ્તુનું પરિશાટન થાય અથવા પાત્રની પડખે તે વસ્તુ પડી જાય કે પગનો ભંગ થાય. એ જ દોષો વરિતમાં છે, વળી વરનો સંક્રમ અને ઉદાહ થાય. • [૬૫] • ધ પાસે ભિક્ત ગ્રહણમાં ઉEાહ, કાયવધ, પોતે પડે અને વસ્તુ પાનની બહાર પડે. અતિ કરતાં લોહીવાળો કે ચામડીના દોષવાળામાં વ્યાધિ સંકમે. • વિવેચન-૬૨૨ થી ૬૨૫ : ૬િ૨૨] અતિ સ્થવિર પ્રાયઃ લાળ ઝરતો હોવાથી દેવ વસ્તુ પણ લાળ વડે ખરડાય, તે ગ્રહણ કરે તો લોકમાં ગહ થાય, તેના હાથના કંપચી દેય વસ્તુ પડી જતાં છ કાયની વિરાધના થાય. સ્થવિર પોતે પડે તો તેને પીડા થાય અને છકાય વિરાધના થાય. પ્રાયઃ સ્થવિર ગૃહસ્વામી રહેતો નથી. તેથી નવા સ્વામીને તેને દાન દેતો જોઈને દ્વેષ થાય. - [૬૩] - મત પુરુષ કદાચ મતપણાથી સાધુને આલિંગના કરે, કોઈ મદના વ્યાકુળપણાથી સાધુને કેમ આવ્યો છો ? પૂછે, ઘાત કરે, પામ ભાંગી પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ નાંખે, પીધેલા દારૂનું વમન કરે, તેથી સાધુ કે સાધુના પાક ખરડાય, લોકમાં ગુણા થાય. તેથી મત પાસે ગ્રહણ ન કરૂં વમન સિવાયના દોષો ઉન્માદીને વિશે પણ જાણવા. માટે તેની પાસે પણ ન લેવું. [૬૨૪] કંપતા દાતા પાસે પણ ભિક્ષા લેતાં વસ્તુ પડી જળ, પાત્ર ખરડાવું, વાસણ કૂટવું આદિ દોષો થાય. વરવાળા પાસે પણ આ દોષો સંભવે છે. સાધુને જ્વરનો સંક્રમ થાય, લોકમાં ઉgeણાદિ થાય. - [૬૫] - અંધ પાસે ભિક્ષા લેતા પણ ઉદાહણાદિ થાય – “જો આ સાધુ, આંધળા પાસે ભિક્ષા લે છે.” તે દેખતો ન હોવાથી છકાય વિરાધના થાય. ખલના પામે, ભોજન પડી જાય, પાત્ર ભાંગે, આહાર પાનની બહાર પડે. ચામડીના દહીં પાસે પણ ન લેવું. ઈત્યાદિ બધું ગાથાર્થવ જાણવું. હવે પાદુકારૂઢ આદિ દોષ કહે છે – • મૂલ-૬૨૬ થી ૬૩૦ : [૬૬] પાદુકારૂઢને પડવાનું થાય, બદ્ધ પાસે લેતા તેને પરિતાપ થાય, અશુચિથી જુગુપ્સા થાય. હાથ છેટાયેલા પાસેથી લેતા જુગુપ્સા થાય. પણ છેદાયેલા પાસે લેવા જુગુપ્સા તથા પડવાનું બને. - ૬િ૨૭] - નપુંસક ભિક્ષા આપતો એવો પોતાને, પરને, ઉભયને દોષ લાગે. વારંવાર ભિક્ષા લેવાથી ક્ષોભ અને લોક મુસા થાય છે. • ૬િ૨૮] - ઉઠતાં, બેસતાં ગર્ભિણીના ગર્ભનો સંચાર થાય છે, તથા બાળકને માંસખંડ કે સસલાનું બચ્ચું ધારીને મારાદિનો નાશ કરે છે. - ૬િર૯] - ભોજન કરતી દxી આચમન કરે તો જળની વિરાધના થાય, ન કરે તો ગોબરી છે એમ લોકગહ થાય, મથન કરતી આપે તો સંસકત વિશે લપાયેલ હાથને વિશે રસમાં રહેલા જીવોનો વિનાશ થાય. • ૬િBo] - પીસવું. ખાંડવું, દળવું કરતી દબી ભિક્ષા આપે તો જળ અને બીજનું સંઘન થાય, ભજતી હોય તો બળી જાય, પિંજન અને સૂચનાદિ જતી દી આપે તો લીંપાયેલા હાથને ધોતાં જળની વિરાધના થાય છે. • વિવેચન-૬૨૬ થી ૬૩૦ : [૬૨૬] પાદુકારૂઢ માણસને ચાલતી વેળા પતન થવું સંભવે છે, બાંધેલ દાતાને દુ:ખ થાય. મૂત્રાદિના ત્યાગ કરનાર પાસેથી લેતાં “આ સાધુઓ અશુચિ છે.” એવી જુગુપ્સા થાય છે. હુંઠા પાસેથી લેતા એવી ગુપ્સા થાય કે- તથા પ્રકારના હાથના અભાવે શૌચ કરવાનો અસંભવ છે, ભિક્ષાપાત્ર કે દેય વસ્તુનું પડવું થાય છે, છ કાય જીવનો વધ થાય છે. આ જ દોષો લંગડા દાતામાં પણ થાય છે. તેઓને તો પોતાને પડવાનો પણ સંભવ થાય. | [૬૨] નપુંસક પાસે વારંવાર ભિક્ષા લેવાતા પરિચય વધે. તેનાથી નપુંસકને, સાધુને કે બંનેને વેદોદયરૂપ ક્ષોભ થાય છે. બંનેને મૈથુન સેવારૂપ કર્મબંધ થાય. વળી ક્યારેક ગ્રહણ કરવામાં પણ લોક જુગુપ્તા સંભવે છે - આ સાધુ અધમ એવા નપુંસક પાસેથી પણ ભિક્ષા લે છે. સાધુને પણ તેવા સમજે.
SR No.009078
Book TitleAgam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy