SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-39૮ થી ૩૮૪ ૧૧૩ થાય છે, તે રીતે જ કપટમાં પણ કાય વિરાધના કહેવી. [૩૮] કપાટના સંચારથી ગરોળીની વિરાધના થાય છે. પીઠિકાની નીચે કે ઉપર આવર્તન કરવાથી વિરાધના થાય છે. લઈ જતાં તેમાં રહેલા ડિંભાદિને પ્રેરતા દોષ લાગે છે. • વિવેચન-39૮ થી ૩૮૪ - ગાચાર્ય કહ્યો. હવે વૃત્તિમાં યત્કિંચિત વિશેષ છે, તે કહે છે – (39૮દર્દક-દાદરા ઉપર રહેલ કુડલા આદિનું મુખ. જો ચિરકાળ સચિવ પૃથ્વીકાયથી લીપલનો ઉભેદ કરાય તો સચિત પૃથ્વીકાયનો વિનાશ થાય. તાજા લિંપેલામાં કાયનો વિનાશ થાય. જો કે અંતર્મુહૂર્ત પછી પૃથ્વીથી કાયનો વિનાશ થતાં તેની વિરાધના ન લાગે. તેના આશરે રહેલા ત્રસકાયનો પણ વિનાશ થાય છે. [૧૯] કરી લીપાતા પણ આવા જ દોષો જાણવા. પૃથ્વીકાયમ મગ વગેરે અને કીડી વગેરે પણ સંભવે છે, તેની પણ વિરાધના થાય. વળી સળ આદિથી મુદ્રા કરે તો અગ્નિકાયની પણ વિરાધના થાય. ઈત્યાદિ [૩૮] આ ટીકાર્ય ગાથા39માં કહેવાઈ ગયેલ છે. મુકુંજ - કીડી, કુંથવા. (3૮૧] તે કુડવ આદિનું મુખ સાધુને માટે ઉઘાડતા બીજા યાચક કે ગ્રાહક આદિને કે ઘરમાં પુછાદિને તેલ, ઘી, ગોળ આપે કે અવશ્ય વિક્રય કરે. તેના મૂલ્યથી બીજું ખરીદે છે. આ બધી પરંપરા સાધુને દેવા માટે ઉઘાડવાથી થાય છે. તેમાં અધિકરણ લાગે, તે આ રીતે- [૩૮૨] દાન કે ક્રય-વિકયમાં પ્રવર્તતા અશુદ્ધાહારનો ત્યાગ ન કરવાથી જીવરક્ષા રહિત છે ભાવ જેનો એવા સાધુને અધિકરણરૂપ પાપપ્રવૃત્તિ ઉત્પન્ન થાય છે. કુડવાદિનું મુખ ઉઘાડુ રહેવાથી કીડી, કુંથુઆ આદિ પડીને વિનાશ પામે છે, તે પાપ સાધુને લાગે. | B૮૩] જે પ્રકારે પૂર્વે લીધેલા ઘટાદિ ઉઘાડતા પૃથ્વીકાયાદિની વિરાધના થાય છે, તેથી દાન તથા ક્રય-વિજયરૂપ અધિકરણની પ્રવૃત્તિ પણ થાય છે. તે પ્રમાણે પહેલાં બંધ કરેલા કમાળમાં પણ સાધુ માટે ઉઘાડતા થાય તેમ જાણવું. અર્થાત્ છકાયની વિરાધના તેમાં સંભવે જ છે. દાન, ક્રય-વિજયરૂપ અધિકરણની પ્રવૃત્તિની ભાવના પૂર્વવત્ કરવી. [૩૮૪] કબાટ-બારણાંનો સંચાર કરવાથી ગરોળી, કીડી, ઉંદર આદિની વિરાધના થાય છે. પ્રાસાદની નીચેની ભૂમિરૂપ પીઠિકા જેવી પીઠિકાની નીચેના કે ઉપરના બારણાંના એક ભાગનું આવર્તન કરવાથી તેને આશ્રીને રહેલા કુંથુઆ કે કીડી આદિ વિનાશ પામે છે. ઉઘાડવા લાયક કમાડની પાછળ રહેલા બાળક આદિને કોઈ ખોલવા કહે ત્યારે બારણું અથડાતાં માથું કૂટવું આદિ દોષો થાય છે. હવે તેના અપવાદને કહે છે - • મૂલ-૩૮૫ :કુચી વિનાના અને હંમેશાં ઉઘાડા કે બંધ કરાતા કમાંડ હોય તો ૧૧૮ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ ગ્રહણ કરાય છે, જતુથી મુદ્રિત ન કરેલ જે દર્દ-વહુ હંમેશાં ભોગવાતો હોય અને તેની માત્ર ગાંઠ વાળી હોય તો પણ આહાર લેવો કો. • વિવેચન-૩૮૫ - કંચીના છિદ્ર રહિત હોય, પાછળના ભાગે આગળીયો ન હોય, તો ઘસાવા દ્વારા જંતુની વિરાધના ન થાય અથવા ઉઘાડાતા કમાડ કીચૂડ-કીચૂડ ન કરતા હોય તો, કેમકે ઘસડાતા કમાડોથી ઘણાં જંતુનો નાશ કરે છે, માટે તેવું કમાડ વર્જવું. તે કમાડ કેવું હોય ? નિરંતર ઉઘાડાતું-વસાતું હોય. કેમકે પ્રાયઃ તેમાં ગરોળી આદિને સંભવે. આવા કમાડ ઉઘાડીને ગૃહસ્થ વસ્તુ આપે તો લેવાય. આ સ્થવીર કલ્પીને આજીર્ણ છે. જે કુડવાદિને માત્ર વસ્ત્રનો કકડો બાંધેલ હોય, રોજ ઘોડાતો હોય તો લેપ ન હોવાથી દેવાતા કીય છે. ઉદ્ભિજ્ઞ દ્વાર કહ્યું. હવે માલોપહdદ્વાર કહે છે – • મૂલ-3૮૬ થી ૩૮૯ - માલાપત પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ બે ભેદ જાણવું. તેમાં પગના અગ્રભાગ અને તળીયા વડે જાન્ય, તેથી વિપરીત તે ઉત્કૃષ્ટ છે. જઘન્યમાં ભિક્ષુ અને ઉત્કૃષ્ટમાં ગેરૂક દૌટાંત છે. તેમાં સપનો દંશ અને માળ ઉપરથી પડવું વગેરે દોષો છે. આ વિષયમાં બે ગાથા છે - 3૮૮,૩૮૯ જેમાં ષ્ટાંતનું વિવરણ છે. • વિવેચન-૩૮૬ થી ૩૮૯ : માલાપહતના બે ભેદ (૧) જઘન્ય - પૃથ્વી ઉપર સ્થાપેલા બે પગના અગ્ર ભાગથી તથા ઉંચી કરેલી બે પાની વડે ઉપર લટકાવેલા ઉંચા સીંકા વગેરેમાં રહેલા જે ભોજનાદિ, તે સ્ત્રીની દષ્ટિમાં આવતું નથી, તે લઈને જે અપાય તે જઘન્ય માલાપહત કહેવાય. તેને બદલે (૨) ઉત્કૃષ્ટ મોટી નીસરણી આદિ ઉપર ચડીને પ્રાસાદના ઉપલા ભાગેથી લાવીને અપાય તે ઉત્કૃષ્ટ માલાપહત કહેવાય છે. તેમાં જઘન્ય માલાપહતમાં ભિક્ષુ - વંદકનું દૃષ્ટાંત છે, ઉત્કૃષ્ટમાં ગેરૂક - કપિલમતવાળાનું દૃષ્ટાંત છે. તેમાં પહેલા ભિક્ષનું દૃષ્ટાંત કહે છે – જયંતપુર નામે નગર હતું. તેમાં ચક્ષદિજ્ઞ નામે ગૃહપતિ હતો. તેને વસુમતી નામે પત્ની હતી. કોઈ દિવસે ધર્મરુચિ નામના સાધુએ ભિક્ષાર્થે પ્રવેશ કર્યો. આવા ગુણવાન સાધુને જોઈને વિશિષ્ટદાન આપવાના પરિણામ ઉત્પન્ન થયા છે જેને તેવા ચક્ષદિલે વસુમતીને આદર સહિત કહ્યું. “આ સાધુને મોદકો આપ.” મોદકો ઉપર ટાંગેલાં ઉંચા શીકામાં રહેલા ઘડામાં હતા. તેથી તેણી લેવા ઉભી થઈ. સાધુ માલાપહત ભિક્ષા જાણીને નીકળી ગયા, ત્યારપછી તુરંત ત્યાં ભિક્ષુક આવ્યો. ચક્ષદિશે તેને પૂછયું - હે ભિક્ષ ! હમણાં અહીં આવેલા સંયતે શીકાથી લાવીને અપાતી ભિક્ષા કેમ ન લીધી ? ભિક્ષુ પ્રવયન હેપથી તે સાધુની નિંદા કરે છે. ત્યારે તેને જ મોદક આપવા કહ્યું.. તે વખતે તે ઉત્તમ મોદકની સુગંધથી કોઈ પ્રકારે સર્પ ત્યાં આવેલો હતો.
SR No.009078
Book TitleAgam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy