SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૪૩ ૩૬ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ પ્રકારે સામગ્રી અભાવે ન ધોયેલ હોય તો વર્ષાઋતુ પ્રાપ્ત થતાં સાધુઓએ નીવોદક વસ્ત્ર ધોવા માટે ગ્રહણ કરવું. કેમકે તે જળ રજથી ખરડાયેલ, ધૂમાડાથી ઘમિત, સૂર્યતાપથી ઉણ થયેલા નેવાના સ્પર્શથી પરિણત થયેલ હોવાથી અચિત હોય છે, માટે કોઈ વિરાધના નથી. કોઈ આચાર્ય પગમાં ગ્રહણ કરવા કહે છે, બીજા આચાર્ય તેનો નિષેધ કરે છે. અશુચિ અને મલિનતાને લીધે ભોજનના પાત્રમાં તે જળ ગ્રહણ ન કરે. જેથી લોકમાં નિંદા ન થાય. ગૃહસ્થની ભાંગેલ કુંડી આદિમાં ગ્રહણ કરી લે. વરસાદ રહ્યા પછી અંતર્મુહૂર્ત બાદ તેના સર્વથા અચિત થવાનો સંભવ છે. માટે તે રીતે લેવું પણ વરસાદ રહ્યા વિના ગ્રહણ ન કરવું કેમકે ત્યારે મિશ્ર હોય છે. વળી ગ્રહણ કરીને તેમાં ક્ષાર નાંખવો, જેથી ફરી સચિત ન થાય. કેમકે અયિત થયેલ જળ ત્રણ પ્રહર પછી સચિત થઈ જાય છે. ક્ષાર નાખતાં તે સચિત્ત નહીં થાય, તથા નિર્મળતા પામશે. વો વધુ ઉજળા થશે. હવે ધોવાનો ક્રમ – • મૂલ-૪૪ : ગક તપસ્વી, પ્લાન, ક્ષાદિના વસ્ત્રો પહેલાં ધોવા. પછી પોતાના ધોવા, તેમાં યથાકૃત વસ્ત્ર પહેલા ધોવા, બીજ બે અનુક્રમે ધોવા. • વિવેચન-૪૪ : ઉક્ત ક્રમે વસ્ત્રો ધોઈને પછી પોતાના ધોવા. આ વિનય છે. વિનયથી જ સમ્યગુદર્શનાદિની વૃદ્ધિ સંભવે છે. અન્યથા અવિનિત સાધુને ગચ્છમાં રહેવાનો જ અસંભવ હોવાથી સમગ્ર મૂળની હાનિ થાય. પહેલાં આચાર્યના વસ્ત્રો ધોવા ઈત્યાદિ ગાચાર્ય મુજબ ક્રમ જાણવો. અહીં ઉક્ત વસ્ત્રો ત્રણ પ્રકારે સંભવે છે - યથાકૃત, અલ્પપરિકર્મ, બહાપરિકર્મવાળા. જે પરિકમ રહિત તથાવિધ વસ્ત્રો તે યથાતુ કહેવાય છે. એક વાર ખંડીને સાંધ્યા હોય તે અલ પરિકર્મ, ઘણાં પ્રકારે ખેડીને સાંધેલ હોય તે બહુ પરિકર્મ કહેવાય તેમાં ધોવાનો અનુક્રમ આ છે – પહેલાં બધાંના યથાકૃત વસ્ત્ર ધોવા, પછી અનુક્રમે બીજા બે ધોવા. આ ક્રમ વિશુદ્ધ અધ્યવસાય વૃદ્ધિ માટે છે. અા પસ્કિમ વસ્ત્રો બહુ પસ્કિમની અપેક્ષાએ સંયમનો થોડો વ્યાઘાત કરે માટે અપેક્ષાથી શુદ્ધ છે. તેનાથી યથાકૃત્ અતિ શુદ્ધ છે. તે પલિમંચ (સ્વાધ્યાય વ્યાઘાત કરનાર નથી. તેથી જેમ-જેમ પહેલાં શુદ્ધ વરા ધોય તેમ તેમ સંયમ બહુમાનની વૃદ્ધિ હોવાથી વિશુદ્ધ અધ્યવસાય વૃદ્ધિ થાય છે. હવે પ્રક્ષાલન વિધિ - • મૂલ-૪પ : આચ્છોટન અને પિટ્ટન વડે વઓ ધોવા નહીં ધોઈને સૂકવવા માટે અનિનો તાપ ન આપે. પરિભોગ વાને છાયામાં, પરિભોગને તડકામાં સૂકવે, તેની સામે જોયા કરે, ધોવામાં ‘કલ્યાણ’ પ્રાયશ્ચિત્ત આવે. • વિવેચન-૪૫ : આચ્છોટન - ધોબીની જેમ શિલા ઉપર પછાડવું. પિન-નિર્ધત એવી વિધવા સ્ત્રી માફક વારંવાર પાણી નાંખવા પૂર્વક વસ્ત્રને ઉથલાવીને ધોકા વડે પીટવું. * * - હાથ-પગ વડે મસળી મસળીને યતના વડે ધોવા. ધોયા પછી પોતાને લાગેલ ઠંડી દૂર કરવા કે વા સૂકવવા અગ્નિનો તાપ ન આપે. કેમકે - આદ્ધ હસ્તાદિ કે વસ્ત્ર થકી કોઈ પ્રકારે જળબિંદુ પડવાથી અગ્નિકાયની વિરાધના થાઓ. તો તે ભીના વઓ કેમ સૂકવવા? પરિભોગ્ય વસ્તુને છાયામાં અને અપલ્મિોગ્યને તડકામાં સૂકવવા, કેમકે પરિભોગ્યમાં તથા પ્રકારે શોધ્યા પછી પણ “જુનો સંભવ રહે છે, ધોતી વખતે અમર્દન કરાયા છતાં કદાચ જીવિત રહી હોય, તો તે સૂર્યના તાપના સંબંધથી મૃત્યુ પામે તેથી તેના રક્ષણ માટે ઉક્ત વિધિ કહી. વળી છાયા કે તડકામાં સૂકવેલા વોને નિરંતર જુએ. જેની ચોર લોકો તેને હરી ન જાય. અહીં વાદિ ધોતાં વાયુકાય વિરાધના રૂપ કે “જૂના મર્થન આદિ રૂપ અસંયમ પણ સંભવી શકે, તેવી શુદ્ધિને માટે ગુરુ ‘કલ્યાણ' પ્રાયશ્ચિત આપે. અકાય પિંડ કહ્યો. હવે તેઉકાય પિંડ કહે છે – • મૂલ-૪૬ થી ૪૮ : ૪િ] તેઉકાય ત્રણ પ્રકારે છે - સચિત, મિત્ર, અતિ. સચિત્ત બે પ્રકારે - નિશ્ચયથી અને વ્યવહારથી. [૪] ઈંટના નિભાડાનો ઠીક મધ્યભાગ તથા જળી આદિ નિશ્ચયથી સચિત્ત છેબાકીના અંગારા વગેરે વ્યવહારી સચિત છે... મુમુર આદિ મિશ્ર છે. [૪૮] અચિત્ત તેઉકાય-ભાત, શાક, કાંજી, ઓસામણ, ઉણજળ, રાંધેલા અડદ, ડગલક, રાખ, સોય ઈત્યાદિ. તેથી તે સાધુના ઉપયોગમાં આવે છે.. • વિવેચન-૪૬ થી ૪૮ : ગાથાર્થ હયો. વિશેષ આ છે - ઇંટનો નીભાડો, કુંભારનો નીભાડો, શેરડીનો રસ ઉકાળવાની ચૂલ આદિનો મધ્યભાગ, વિજળી ઉલ્કા આદિ તેઉકાય નિશ્ચયથી સચિત છે. અંગારાદિ - જ્વાળારહિત અગ્નિ, જવાળા આદિ વ્યવહાર સચિત છે. છાણાનો અગ્નિ, અર્ધ બુઝાઈ ગયેલો અગ્નિ આદિ મિશ્ર તેઉકાય છે. હવે અચિત્ત તેઉકાય કહે છે - મોન • ભાત વગેરે ભોજન. ચંનન - શાક, ભાજી, કઢી આદિ. પના - કાંજી. 3થાન - ઓસામણ. ઉણોદક - ત્રણ ઉકાળાવાળું પાણી. વક્ર - રોટલા, વતનનાર - રાંધેલા અડદ. આ બધું અગ્નિનું કાર્ય હોવાથી અનિરૂપ કહેવાય છે અને ઓદનાદિ અચિત હોવાથી અચિત અગ્નિકાય કહેવામાં દોષ નથી. ડગલક - પાકી ઇંટોના ટુકડા. સરજસ્ક-રાખ. સૂચિ-સોય. પિપ્પલક-સજીયો. નખવિદારણિકા આદિને કહેવા. આ બધાં પૂર્વે અનિરૂપણાએ પરિણમેલા હતા, ભૂતપૂર્વ ગતિથી હાલ પણ અગ્નિકાયપણે અને અચિત્ત કહેવાય છે. આ અચિત અગ્નિકાયનું પ્રયોજન -
SR No.009078
Book TitleAgam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy