SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૧૨૮ થી ૧૩૩ તેમ સાધુને પણ અશુભ અધ્યવસાય કારણરૂપ છે. તેથી સાધુએ આધાકર્મના ગ્રહણરૂપ અશુભ ભાવને વર્જવો. • x• x • આધાકર્મનું ગ્રહણ કે ભોજનથી પક્કમ આત્મકર્મકરણ થાય છે. અન્યથા થતું નથી, તેથી ઉપચારથી આધાકર્મ તે આત્મકર્મ કહેવાય છે. [૧૩]] હવે આધાકર્મને ન કરવા - કરવા છતાં દોષ કેમ લાગે ? તે શંકાનો ઉત્તર આપે છે. જે ‘આ મારે માટે બનાવેલ છે' તેમ જાણવા. છતાં જો આધાકમને ગ્રહણ કરે તો અન્ય સાધુ અને દાતાને એવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે કે- “આઘાકર્મના ભોજનમાં કંઈ દોષ નથી.” અન્યથા આ સાધુ જાણવા છતાં કેમ ગ્રહણ કરે ? પરિણામે પરંપરાએ સાધુઓને આધાકર્મના ભોજનથી ચિરકાળ સુધી છકાયનો જે વિઘાત થાય તે સર્વ પરમાર્થથી તેના વડે પ્રત્યો કહેવાય. પણ જે સાધ તેમ વર્તતો નથી તે તેવા પ્રકારના પ્રસંગની વૃદ્ધિને નિવારે છે. કેમકે પ્રવૃત્તિનો જ અભાવ છે. તેથી અતિપ્રસંગ નામક દોષના ભયથી સાધુએ આવું આધાકર્મ ન ભોગવવું. બીજું સાધુ તે લેવાથી અવશ્ય અનુમોદના કરે છે. “જેનો પ્રતિષેધ નથી કર્યો તે અનુમત છે.” એવો વૃદ્ધવાદ છે. વળી બીજું આધાકર્મ ભોજનમાં મનોજ્ઞ આહારથી દાઢાના રસને કારણે પોતે પણ આવું રાંધે કે રંધાવે. તેથી સર્વથા આધાકર્મ ભોજન ન કરવું. હવે “પ્રતિસેવના' આદિ કહેવા જોઈએ. તે નામો આત્મકર્મના અંગપણે પ્રવર્તેલા છે, તેથી તે અંગપણ અને પરસ્પર ગુરુ-લઘુને વિચારે છે • મૂલ-૧૩૪ થી ૧૩૭ : [૧૩૪] વળી તે કમી પ્રતિસેવનાદિ વડે આત્માને આધીન કરે છે. તેમાં પહેલું પદ ગુર છે, બીજા ત્રણ પદો અનુક્રમે લઘુ, લઘુ, લઘુ છે. [૧૩] પ્રતિસેવનાદિના સ્વરૂપના સ્વરૂપને પ્રતિપાદન કરવાની પ્રતિજ્ઞાથી કહે છે - હું પ્રતિસેવનાથી અનુમોદના પર્યાના દ્વારોના યથાસંભવ સ્વરૂપને દષ્ટાંત સહિત કહીશ. [૧૩૬] બીજ દ્વારા આણેલા આધાકર્મ વાપરવામાં પ્રતિસેવના દોષ • તેવું કોઈ વાપરે, તેને કોઈ પ્રેરણા કરે ત્યારે કહે કે – બીજાને હાથે અંગારા કઢાવતાં પોતે બળતો નથી” હું શુદ્ધ જ છું, દોષ દેનારાને લાગે છે. આવી ખોટી ઉપમા વડે સિદ્ધાંતના અર્થનો અજાણ મૂઢ પ્રતિરોધના કરે છે. • વિવેચન-૧૩૪ થી ૧૩૭ : [૧૩૪] જ્ઞાનાવરણાદિ પર કર્મને પોતાના કરે છે. તે પ્રતિસેવનાદિ દ્વારા પરકમને પોતાનું કરે છે, તેથી પ્રતિસેવનાદિ વિષયક આધાકર્મ પણ પ્રતિસેવનાદિક કહેવાય. ‘પ્રતિસેવના' પદ ગુર-મહાદોષવાળું છે, બાકીના ત્રણે પ્રતિશ્રવણાદિ અનુક્રમે થોડાં-થોડાં ઓછા દોષવાળા જાણવા. [૧૩૫] પહેલાં પ્રતિસેવનાનું સ્વરૂપ કહે છે. જે સાધુ આધાકર્મને પોતે જ લાવીને વાપરે, તે આધાકર્મનો પ્રતિસવી પ્રસિદ્ધ જ છે. અહીં તો “બીજાએ લાવેલા આધાકર્મને વાપરવામાં કોઈ દોષ નથી.” એમ માનનારને પ્રતિસેવનાના દોષો કહે છે : પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ [૧૩૬,૧૩૩] બીજા સાઘ આધાકર્મ ભોજનાદિ લાવીને આપે, તેને જે સાધુ વાપરે તે પ્રતિસેવના છે. જો કોઈ તેમને પ્રેરણા કરે કે- “ધિક્કાર છે કે તમે આવું આધાકર્મી વાપરો છો” ત્યારે તે સાધુ કહેશે કે – મેં સ્વયં લીધું નથી માટે મને કોઈ દોષ નથી. પછી તે દૃષ્ટાંત આપે છે - બીજાના હાથ વડે અંગારા કઢાવે તે મનુષ્ય પોતે બળતો નથી. તેમ હું આધાકર્મભોજી શુદ્ધ જ છું, કેમકે દોષ તો તે લાવનારને લાગે છે. આ પ્રમાણે ખોટા દેટાંતથી ભગવંતના પ્રવચનને ન જાણતો તે મૂઢ પ્રતિસેવી જ છે. હવે પ્રતિશ્રવણાનું સ્વરૂપ કહે છે – • મૂલ-૧૩૮ : જે ગર ઉપયોગકાળે આધાકમગ્રાહીના ચિત્તની રક્ષાર્થે “લાભ” શબ્દ કહે, આલોચના કાળે “સુલબ્ધ” કહે, તો તે ગુરુને પ્રતિશ્રવણા દોષ લાગે. • વિવેચન-૧૩૮ : ગાથાર્થ કહ્યો. વિશેષ આ - ચિત્ત રક્ષાયેં એટલે મનના અન્યથા ભાવ નિવારી દાક્ષિણ્યતાદિથી. આલોચના-ગૃહસ્થના ઘેરથી લાવીને ગૌચરી આલોવે ત્યારે. પ્રતિશ્રવણ-સ્વીકાર. હવે બીજો, ચોથો દોષ કહે છે – • મૂલ-૧૩૯ : સંવાસનો અર્થ પ્રસિદ્ધ છે. અનુમોદન એટલે આધકર્મ વાપરનારને પ્રશંસા છે. તેમના ઉદાહરણો અનુક્રમે આ પ્રમાણે જાણવા. • વિવેચન-૧૩૯ : રંવાર - આધાકર્મભોજી સાથે એકસ્થાને વસવું. અનુમોદના - આ સાધુ પુન્યશાળી છે, સારી લબ્ધિવાળા છે ઈત્યાદિ પ્રશંસા કરવી તે. પ્રતિસેવનાદિનું સ્વરૂપ કહ્યું, હવે દટાંતો કહે છે – • મૂલ-૧૪૦ થી ૧૪ર : [૧૪] પ્રતિસેવનમાં ચોરનું ટાંત છે, પ્રતિશ્રવણમાં રાજપુત્રનું છે, સંવાસમાં પલ્લીનું અને અનુમોદનામાં રાજદુષ્ટનું ઉદાહરણ છે. [૧૪૧] પ્રતિસેવના સંબંધે ચોરનું દૃષ્ટાંત વિવેચનથી જણવું. [૧] જે સાધુ આધાકને પીરસે કે પગમાં ધારણ કરે તેઓ પણ તીવ કર્મ વડે બંધાય છે, તો ખાનારા બધાય તેમાં શી નવાઈ ? • વિવેચન-૧૪૦ થી ૧૪૨ - ગાથાર્થ કહ્યો. તે સુગમ છે. પ્રતિસેવનામાં ચોરનું આ દૃષ્ટાંત-કોઈ ગામમાં ઘણાં ચોરો હતા. તેઓ કોઈ દિને ગાયોનું હરણ કરી નગરથી પોતાના ગામ પ્રતિ ચાલ્યા. માર્ગમાં તેમને કેટલાંક વટેમાર્ગુ ચોરો મળ્યા. તેથી તેઓ તેમની સાથે ચાલ્યા. સ્વદેશે આવી નિર્ભય થઈ, કેટલાંક પયિકો પણ આવ્યા. તેમને પણ તે ચોરોએ નિમંત્રણ આપ્યું, માંસ પકવ થતાં કેટલાંક ચોર અને પયિકો ભોજન કરવા લાગ્યા. કેટલાંક ગોમાંસને પાપ સમજીને તેના ભોજનમાં ન પ્રવર્યા, માત્ર બીજાને પીરસવા
SR No.009078
Book TitleAgam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy