SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૬૩૧ થી ૬૫ ૧૩૫ તેમાં નાંખ્યો. તે જ પ્રમાણે પહેલો મત્સ્ય તે ગલનું માંસ ખાઈ, પુચ્છ વડે ગલન મારી નાસી ગયો. ત્રણ વાર એમ થયું. પણ તે ન પકડાયો. માંસ ક્ષીણ થતાં તે મત્સ્ય માછીમારને કહ્યું કે - તું આ શું વિચારી રહ્યો છે ? તું જે રીતે નિર્લજ્જ થાય છે. તે પહેલાં સાંભળ. હું એકદા ત્રણ વખત બગલીના મુખથી મૂકાયો. ત્રણ વખત મારી ચતુરાઈ અને દક્ષતાથી જ બચી ગયેલો. ૨૧-વાર મચ્છીમારની જાળમાંથી નીકળી ગયો. એક વખતે કોઈ મચ્છીમારે પાણીરહિત પ્રહ કરીને મને પકડ્યો. તેણે બધાં મત્સ્યો ભેગ કરી, તીક્ષ્ણ લોઢાની સળીમાં પરોવ્યા. ત્યારે મચ્છીમાર ન જાણે તેમ હું સ્વયં જ મુખ વડે લોઢાની શલાકામાં વળગી રહો. પછી મચ્છીમાર તે મત્સ્યોને ધોવા સરોવરમાં ગયો, ત્યારે હું જળમાં પેસી ગયો. આવા સ્વરૂપનું મારું સત્વ, કુટિલત્વ અને મચ્છીમારાદિના ઉપાયને ચલાવનારું છે, તું મને ગલ વડે ગ્રહણ કરવા ઈચ્છે છે ? આ તારે નીલપણું છે. આ દ્રવ્યગ્રામૈષણા.. o હવે ભાવ ગ્રામૈષણામાં ઉપનય કરાય છે. મત્સ્યને સ્થાને સાધુ જાણવા. માંસને સ્થાને ભોજન પાન જાણવા. મચ્છીમારના સ્થાને ગાદિ દોષોનો સમૂહ જાણવો. સાધુએ મત્સ્યની જેમ છળાવું ન જોઈએ. પણ ભોજનાદિ આહારથી આત્માને બચાવવો. તે જ બતાવે છે – • મૂલ-૬૭૬,૬૭૭ : [૬૬] બેંતાલીસ એષા દોષ વડે સંકટવાળા ભોજનાદિ ગ્રહણ કરવામાં હે જીવ! તું છmયો નથી તો હવે આહાર કરતાં રાગ-દ્વેષ વડે જેમ ન 9ળાય તેમ કર, * [૬૭] - ભાવગ્રામૈષણા પ્રશસ્ત અને અપશસ્ત બે પ્રકારે છે. આપશસ્ત પાંચ પ્રકારે છે, તેથી વિપરીત તે પ્રશસ્ત છે. • વિવેચન-૬૭૬,૬૭૭ : [૬૬] અહીં એષણા શબ્દના ગ્રહણથી એષણામાં રહેલાં દોષો કહેવાય છે. તેથી ૪ર-સંખ્યાવાળા જે એષણાના દોષો તે વડે સંકટવાળા ભોજનપાનાદિને ગ્રહણ કરવામાં ન છળાયો, તો તું એ રીતે આહાર કર, જેથી રાગ-દ્વેષ વડે ન કળાતો. - [૬૭] - ભાવના વિષયમાં રાષણા બે ભેદ :- (૧) અપ્રશસ્ત-સંયોજના, અતિબહક, ગાર, ધૂમ, નિકારણ. (૨) પ્રશસ્ત - આ પાંચ દોષોથી રહિત. હવે સંયોજનાની, જ વ્યાખ્યા કરવા કહે છે - • મૂલ-૬૭૮ થી ૬૮૧ : [૬૮] દ્રવ્ય અને ભાવ એ બે ભેદે સંયોજના છે. તેમાં દ્રવ્યમાં બહાર અને અંદર એમ બે ભેદ છે. ભિક્ષાર્થે અટન કરતો જે સંયોજના કરે તે બાહ્ય છે. [૬૬] દુધ, દહીં, દાળ અને કટ્ટરનો લાભ થતાં તથા ગોળ, ઘી, વટક, લુંક પ્રાપ્ત થતા બહાર જ જે સંયોજના કરે તે બાહ્ય-સંયોજના કહેવાય. તથા અત્યંતર ત્રણ પ્રકારે – પત્ર, લંબન વદનથી. [૬૮] સંયોજનામાં દોષ કહે છે - જે સાધુ દ્રવ્યના રસાદિને માટે ૧૭૬ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ ભોજન-પાનની સંયોજના કરે. તેનો આ વ્યાઘાત થાય છે. - [૬૮] તે દ્રવ્યોની સંયોજના કરીને આત્માને કર્મની સાથે જોડે છે. આ ભાવ સંયોજના જાણવી. તા કર્મ વડે ભવને અને ભવ થકી દુ:ખને સંયોજે છે. • વિવેચન-૬૭૮ થી ૬૮૧ - સંયોજના બે ભેદે ઈત્યાદિ ગાયાર્થમાં કહ્યું. વિશેષ એ કે – ભિક્ષાર્થે અટના કરતો દુધ વગેરેને ખાંડ આદિની સાથે રસની વૃદ્ધિથી વિશેષ સ ઉત્પન્ન કરવા માટે મિશ્ર કરે તે બાહ્ય સંયોજના. તેમાં દુધ, દહીં, દાળ ઈત્યાદિ જે કંઈ પ્રાપ્ત થયા હોય, તેમાં વિશેષ રસ ઉત્પન્ન કરવા અનુકૂળ દ્રવ્યને માટે ભિક્ષાર્થે અટન કરતો બહાર જ જે સંયોજના કરે તે બાહ્ય દ્રવ્ય સંયોજના છે. અત્યંતર સંયોજના વસતિમાં આવીને ભોજનની વેળાએ કરે છે – (૧) પાત્ર સંયોજના :- જે દ્રવ્ય, જે દ્રવ્યના સ વિશેષને ધારણ કરે, જેમકે લાપસીમાં ખાંડ, ઘી. તે પાત્ર અવ્યંતર સંયોજના કહેવાય. (૨) કવલ સંયોજના - હાથમાં રહેલું જ કોળીયારૂપે ઉપાડેલ ચૂર્ણ, તેમાં ખાંડ આદિની સંયોજના કરે તે. (૩) મુખ સંયોજના - મોઢામાં કોળીયો મૂકીને, તેમાં કઢી જેવા કોઈ પેય પદાર્થ નાંખે કે મંડકાદિ ખાતો મુખમાં ગોળ આદિ નાંખે તે વદનને વિશે અત્યંતર સંયોજના છે. આ સંયોજનાથી આત્માને સગ-દ્વેષ યુક્ત કરે છે માટે અપશખા સંયોજના છે. સંયોજનામાં અનુકૂળ દ્રવ્યની સાથે ખંડાદિની સંયોજના કરનાર સાધુને આગળ કહેવાનાર વ્યાઘાત - દુઃખની પ્રાપ્તિ થાય છે. તે વ્યાઘાતને જ ભાવતા ભાવ સંયોજના કહે છે - ખાંડ આદિ દ્રવ્યોની સ ગૃદ્ધિ વડે સંયોજના કરતો સાધુ પોતાના ગૃદ્ધિરૂપ અપશસ્ત ભાવો વડે સંયોજના કરે છે તથા પ્રકારે દ્રવ્યોને સંયોજતો આત્મામાં જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધે છે. કમથી અતિ દીર્ધ સંસારનો સંયોગ કરે છે. •x - દ્રવ્ય સંયોજનાનો અપવાદ – મૂલ-૬૮૨,૬૮૩ - ૬િ] પ્રત્યેકને ઘણો લાભ થતાં ભોજન પછી પણ બાકી વધેલ હોય તો તે શેષના નિગમનને માટે સંયોગ દેખેલો છે. હવે બીજે પણ તેનો આ ક્રમ છે - ૬િ૮૩ - રસને માટે સંયોગનો નિષેધ છે, પણ શ્વાનને માટે કહ્યું છે. અથવા જેને ભોજન ઉપર અરચિ હોય, કે જે સુખોચિત હોય અને જે અભાવિતા હોય તેને કહ્યું છે. • વિવેચન-૬૮૨,૬૮૩ - પ્રત્યેક સાધુ સંઘાટકને ઘણાં ધૃતાદિ પ્રાપ્ત થતાં, કોઈપણ પ્રકારે વાપર્યા છતાં પણ વધેલ હોય તો શેષના નિર્ગમન માટે તીર્થકરે સંયોગ કરવાની અનુજ્ઞા આપી છે. કેમકે વધેલા ઘી વગેરે ખાંડ આદિ સિવાય એકલા મંડકાદિ સાથે પણ ખાઈ શકાતું નથી, પ્રાય: સાધુ ઘરાઈ ગયા હોય છે અને ઘી વગેરે પરઠવવા પણ યોગ્ય નથી. કેમકે તેથી ઘણાં કીટકાદિનો વ્યાઘાત સંભવે છે. આ સંયોજનાનો પહેલો
SR No.009078
Book TitleAgam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy