Book Title: Yogasara
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 9
________________ આભ્યન્તર શત્રુઓથી ચેતવણી, કહેરીનો ત્યાગ અને મૈત્રી આદિ ભાવનાઓથી ભાવિત થવાને ઉપદેશ આપવામાં આવ્યો છે. “ વ ફા ” નામના ચેથા પ્રસ્તાવમાં સત્ત્વનું ધારણ, હીનસત્વ પ્રાણીઓની દશા, કામની દુરન્તતા, મુનિઓની સિંહસમી વૃત્તિની પ્રશંસા અને સાતાલિમ્સ મુનિઓની વસ્ત્રપાત્રાદિ મૂચ્છ, મન્ચ તન્નાદિ કરણ તથા ગૃહસ્થની ચિન્તા આદિની કઠોર શબ્દોમાં ઝાટકણી કાઢી સ્થિર, ધીર, ગંભીર તથા સત્ત્વશાળી બની કેવળ મેન્ખ બનવાનું ઉપદેશવામાં આવેલ છે. માવશુદિનનો ફા' નામના પાંચમા પ્રસ્તાવમાં સુખને પરિણતિ કાલ, મૌનનું માહામ્ય, મિષ્ટ વચન બેલવાને ઉપદેશ, ઔચિત્ય, વિવેક અને સદાચારનું વર્ણન, ધર્મ અધર્મની વ્યાખ્યા, વ્રતપાલનમાં ધૈર્ય અને ચોગિઓનું સુખ સમજાવી, ધર્મ કાર્યમાં ઉદ્યત થવાનું અને આ ઘેર સંસાર સાગરમાં આવતા આવ તરફ અંગુલિ–નિર્દેશ કરી તેનાથી બચવા આમત્મિક વિકાસની પૂર્ણતા સાધવાનું સટ રીતે સમજાવવામાં આવ્યું છે આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા અથવા સ્વરૂપ પ્રતિષ્ઠા અથવા પરમકેવલ્ય અથવા નિર્વાણપદ તે માનવ જીવનનું અન્તિમ સાધ્ય છે. તે પ્રાપ્ત કરવાને ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ ઉપાય વેગ છે. તેને કેઈ અધ્યાત્મમાર્ગ અથવા અધ્યાત્મવિદ્યા પણ કહે છે. તેથી જ યુગ શ્રેષ્ઠ કલ્પવૃક્ષ, ઉત્તમ ચિન્તામણિ રત્ન, સર્વ ધર્મોમાં મુખ્ય ધર્મ અને સિદ્ધિને સ્વયંવર છે. જન શાસ્ત્રોમાં યોગ શબ્દને વિશિષ્ટ રીતે પણ પ્રયોગ થાય છે. યોગ એટલે મન આદિની પ્રવૃત્તિ. તેને ખરે અર્થ વીર્યનું કુરણ, વીર્યનું સ્પન્દન કે વીર્યને વ્યાપાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76