Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
પ્રગટ થઈ શહેરને પવિત્ર બનાવેલ છે અને પિતાનું અમૃત સીંચી પ્રજાને પ્રભાવિક બનાવેલ છે.
આ પુણ્યવતી અને પાવન ભૂમિએ અનેક નરરત્નને પિતાની ગેદમાં ખેલાવ્યા છે. આવા અનેકાનેક રને પૈકી આ ત્રણ રત્નનું મૂલ્ય દુનિયા આંકી શકે તેમ નથી. આમાંનાં એક આપણુ ચરિત્રનાયક, બીજા પૂજ્ય પ્રવર્તકજી મહારાજ સાહેબ શ્રી કાંતિવિજયજી અને ત્રીજા સ્વર્ગસ્થ શાંતમૂતિ શ્રી હંસવિજયજી મહારાજ સાહેબ જેઓને એક બીજા વચ્ચે સગાભાઈ જેવો પ્રેમ હતું અને આજે પણ તે જ પ્રેમ છે.
વડોદરા શહેરની પ્રજા કેટલી ધનસંપન્ન હશે તે આ લેખનીથી લખવું અશક્ય છે. અહીં જેનોની પાંચસે ઘરની વસ્તી છે. તેમાંના ઉચ્ચ પદ ધરાવતા એવા શ્રીમાળી કુળની અંદર આપણું ચરિત્રનાયકને જન્મ થયે હતે.
પૃથ્વી ઉપર શરદ ઋતુને સુખમય પવન વાઈ રહ્યો હતે, જગ્યાએ જગ્યાએ લીલાંછમ ખેતરે નજરે આવતાં હતાં, ઠેકાણે ઠેકાણે આનંદ લહેર ઊડતી હતી, લકે પરપરમાં નવી સાલની મુબારકબાદી આપી રહ્યા હતા તેવા આનંદમય સમયમાં સં. ૧૯૨૭ ના કાતિક સુદિ બીજ(ભાઇબીજ)ના પવિત્ર દિવસે આપને જન્મ થયે. માતપિતા, સ્વજન અને સજજન વર્ગને બહુ જ આનંદ થયે. આપશ્રીજીની માતાજીનું નામ શ્રીમતી ઈચ્છાબાઈ અને પિતાશ્રીનું નામ શેઠ દીપચંદભાઈ હતું. આપને ત્રણ
૧ જ્યાં જ્યાં આપ શબ્દ હોય ત્યાં ચરિત્રનાયક સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org