Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana

View full book text
Previous | Next

Page 89
________________ ખંતીલા હતા. શતાબ્દિ મહોત્સવના કાર્યમાં એમણે સારે ભાગ લીધે હતે. ખંભાતના ચૌમાસામાં જ્ઞાનભંડારનું કાર્ય પૂરું કર્યું. માંડવીની પિળના આપના ઉપદેશથી જીર્ણોદ્ધાર થયેલ દહેરાસરની પ્રતિષ્ઠા કરાવી, તેમજ બીજા પણ ઘણા ધાર્મિક કાર્યો કરાવ્યાં. આપની છત્રછાયામાં આચાર્ય શ્રીમદ્ વિજયલલિતસૂરિજી મહારાજે મુંબઈના સુપ્રસિદ્ધ ડેકટર શ્રોફ પાસે આંખને મતિયે ઉતરાવ્યો. રાધનપુર નિવાસી શેઠ કાંતિલાલ ઈશ્વરદાસ આપશ્રીજીને રાધનપુર પધારી બેડીંગની ઓપનીંગ સેરીમની કરવા વિનંતિ કરવા આવ્યા. આપશ્રીજીના સદુપદેશથી શ્રી આત્માનંદ જૈન કેલેજના ફંડમાં સૌથી પહેલાં કાંતિલાલ શેઠે જ રૂા. ૧૧૦૦૦૦ ની રકમ ભરી શ્રીગણેશ કર્યા. અત્રે એક વાત ખાસ ઉલલેખનીય એ બની કે વૈશાખ મહિનામાં શેઠ મુળચંદ બુલાખીદાસના ઉજમણું ઉપર પધારેલા આચાર્ય વર્ય શ્રીમદ્વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અને આપને પરસ્પરને મેળાપ ખંભાતના ઇતિહાસમાં અંકિત રહેશે. ચોમાસામાં એઓશ્રીજીના શિષ્ય આચાર્ય શ્રીમદ્ વિજયલાવણ્યસૂરિજી મહારાજ આદિએ પણ પ્રશંસનીય સંબંધ રાખી પોતાના શ્રી ગુરૂદેવનું અનુકરણ કર્યું હતું. કારતક વદિ પાંચમના દિવસે શુભ મુહૂર્તમાં શેઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108