Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
આચાર્ય શ્રીમદ્વિજયલલિતસૂરિજી મહારાજ પંન્યાસજી મહારાજ શ્રી સમુદ્રવિજયજી, મુનિશ્રી પ્રભાવિજયજી આદિ ૬ સાધુઓ અમદાવાદ સાનંદ ચોમાસુ કરી વિચરતાં વિચરતાં અત્રે આપશ્રીજીની સેવામાં આવ્યા. મુનિ શ્રી ચરણવિજયજી મહારાજની તબીઅત વધારે લથડતી જોઈ વડેદરાના ડેકટર પ્રાણસુખલાલભાઈ તથા વૈદ્ય જમનાદાસ ભાઈ આદિની સંમતિથી એઓને લઈને આપ વડે દરે પધાર્યા અને ઉપચાર શરૂ કરાવ્યા. ચૌમાસું નજીક આવતું હોવાથી ખંભાત શ્રી સંઘની અત્યાગ્રહરી વિનંતિથી ચોમાસું ખંભાત કરવાનું હોવાથી આપે મુનિ શ્રી ચરણવિજયજી મહારાજની સાથે આચાર્ય શ્રી વિજયકસ્તુરસૂરિજી મહારાજ તથા સેવાભાવી મુનિવર્ય શ્રી મિત્રવિજયજી, વિશુદ્ધવિજયજી મહારાજને રાખી આપ ચોમાસું કરવા ખંભાત પધાર્યા. અને પંન્યાસજી શ્રી સમુદ્રવિજયજી તથા મુનિશ્રી સત્યવિજયજીને બેરસદના સંઘની અત્યાગ્રહભરી પ્રાર્થનાને માન આપી બેરસદ ચૌમાસુ કરવા મોકલ્યા.
વડેદરામાં મુનિશ્રી ચરણવિજયજી મહારાજનો સાથેના મુનિરાજોએ તથા શ્રી સંઘે ઘણી ભક્તિ કરી પણ તુટીની બુટી નથી એ નિયમાનુસાર ૧૯૨ ના ભાદરવા સુદિ ૧ ના દિવસે એ મુનિશ્રી સ્વર્ગસ્થ થયા.
વિદ્વાન મુનિશ્રી ચરણવિજ્યજી મહારાજ ની જુવાન સુધારક વિચારના સાધુ હતા. કાર્ય કરવામાં બાહોશ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org