Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
લાલા તિલકરામજીએ પોતાના પ્રેમ અને સદ્ભાવ પ્રગટ કરી યથાશક્તિ મદદ કરવા ભાવના દર્શાવી. આથી આચાર્ય મહારાજે પ્રસન્નતા પ્રગટ કરી જેને પ્રભાવ પડતાં ગુજરાંવાળા નિવાસી લાલા પ્યારેલાલ બરડે પિતાના તરફથી ૫૧) રૂપીયાની સેક્રેટરી સાહેબના નામથી જાહેર કરી ખુશી બતાવી. તેને માન આપી ઉપસ્થિત જનતાએ જયનાદ કર્યો.
જેઠ સુદિ આઠમના દિવસે સ્વર્ગવાસી શ્રી ગુરૂદેવની જયંતિ આચાર્ય મહારાજની અધ્યક્ષતામાં સમારોહપૂર્વક ઉજવવામાં આવી. બપોરે પૂજા ભણાવવામાં આવી અને મેદાની પ્રભાવના થઈ. આને લાજ લુધીયાના નિવાસી લાલા બખ્તાવરસિંગજી કેદારનાથે લીધું હતું. સ્વર્ગવાસી શ્રી ગુરૂદેવ ન્યાયાનિધિ જૈનાચાર્ય શ્રી મદ્વિવિજ્યાનંદસૂરિજી (આત્મારામજી) મહારાજને સ્વર્ગવાસ થયે આજે ૪૩ વર્ષ પૂરાં થઈ ૪૪ ની શરૂઆત થાય છે.
અત્રેના શ્રી સંઘે અને નાગરવાસીઓએ ચાતુર્માસ અત્રે કરવા આચાર્ય મહારાજને સાદર ભારપૂર્વક વિનંતિ કરી. લાશનું કારણ જાણી નવા બનેલા બંધુએ ધર્મમાં દઢ રહે અને જિનશાસનની શોભા વધે એટલા માટે ઘણું શહેરાની વિનંતિ હોવા છતાં પણ આપને એમની વિનંતિને સ્વીકાર કરે પડ.
આ અપૂર્વ પ્રસંગ રાયકેટના ઈતિહાસમાં સોનેરી અક્ષરોથી લખાઈ રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org