Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
પર
અઢીસો વિઘાથીં જ્ઞાનાભ્યાસ કરી રહ્યા છે. આજે એ મારવાડની આદર્શ સંસ્થા બની છે.
ચોમાસા બાદ આપ દિલ્હી પધાર્યા. અહીં આપશ્રીજીની સમક્ષ ગુજરાંવાલા ગુરૂકુળ માટે એક મીટીંગ બેલાવવામાં આવી. વળી મુંબઈના શેઠ વીઠલદાસ ઠાકુરદાસ આપશ્રીજીના દર્શન માટે આવ્યા અને આ સમયે ગુરૂદર્શનની ખુશાલીમાં દશ હજાર રૂપીઆ ગુરૂકુળને ભેટ કર્યા.
ગ્રામાનુગ્રામ પાવન કરતાં અલવર પધાર્યા. અહીંના લેકેની વિનંતિથી શ્રી દેરાસરજીની પ્રતિષ્ઠા આદિ ધીમેન્નતિનાં કાર્યો કરાવી, અલવરથી વિહાર કરી જયપુર, અજમેર, નયા શહેર આદિ ગ્રામ-નગરને પાવન કરતાં અને ઉપદેશામૃતનું પાન કરાવતાં બિજેવા પધાર્યા બિજેવા વરકાણુ તીર્થથી એક માઇલ થાય છે. પંન્યાસજી (આચાર્ય મહારાજ શ્રી લલિતવિજયજી મહારાજ, શ્રી પ્રભાવિજયજી, શિવવિજયજી-શિલવિજયજી-વિકમવિજયજી આદિ વરકાણાથી વિહાર કરી લગભગ ૨૦-૨૫ માઈલ દૂર સુધી જઈ બાંતા ગામમાં આપશ્રીજીને મળ્યા હતા. અને આપશ્રીજીની સાથે જ બિજેવા તરફ વિહાર કર્યો, આપશ્રી બિજોવાનગરમાં પ્રવેશ કરી શ્રી સંઘને માંગલિક સંભળાવી. વરકાનું દર્શનાર્થે પધાર્યા. ત્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની યાત્રા કરી વિદ્યાલયમાં સીંગીજી શ્રીયુત્ જશરાજજી કે જેઓ ત્યાં બિમાર હતા તેમને દર્શન આપી માંગલિક સંભળાવી પુનઃ બિજેવા પધાર્યા. અત્રે આપશ્રીજીની અધ્યક્ષતામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org