Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana

View full book text
Previous | Next

Page 61
________________ ૫૧ જેની શોભાને પાર ન હતે. ગેડવાડના આગેવાનેનું એક વિનંતિ–પત્ર ઘારાવ નિવાસી સ્વર્ગસ્થ શેઠ જસરાજજી સીંગીજીની પ્રેરણાથી આવ્યું, જેમાં શ્રી વાકાણુ તીર્થમાં એક મહાવિદ્યાલયની સ્થાપના કરવા આપશ્રીજીને નિમંત્રણ કરવામાં આવ્યું હતું. આપ બહુ દૂર હોવાના કારણે આપશ્રીજીએ આપના સુવિનીત શિષ્ય પંન્યાસ શ્રી લલિતવિજયજી મહારાજ સાહેબ કે જેઓ પાલણપુરમાં હતા તેઓને આજ્ઞા કરી. તેઓ પણ ગુરૂ-આજ્ઞાને માન આપી માગસર વદ દસમ (હિન્દી પિસ વદ દસમ)ના મેળા ઉપર વરકા પધાર્યા અને અહીં એકત્ર થએલ ગેડવાડના પંચને વિદ્યાપ્રચાર માટે ખુબ ઉપદેશ કર્યો. હજુ સ્થાપનાને એક મહિનાનો સમય હતો જેથી તેઓએ આજુબાજુના ગામમાં ફરી કેટલીક રકમ એકઠી કરાવી અને સં. ૧૯૮૩ ના મહા સુદિ પાંચમ (વસંતપંચમી)ના દિવસે શ્રી તપસ્વીજી મહારાજ શ્રી વિકમવિજયજીના પાસે બાળકને જ્ઞાનાભ્યાસ માટે પ્રથમ નવકાર મંત્રને પાઠ અષા તેમજ દેસુરીનિવાસી તપસ્વી શ્રીયુત પૃથ્વીરાજજીના હાથે વિદ્યાલયના મકાનને પાયે નંખા. સં. ૧૯૭૫ ની સાલમાં સાદડીમાં બિરાજમાન થઈ જ્ઞાનપ્રચાર માટે જે સદુપદેશ આપેલ તેનું ફળસ્વરૂપ આ વિદ્યાલય સ્થાપન થયું. આજે જેના ફળસ્વરૂપ ધાર્મિક, ડાકટરી, ઈજીનીઅરીંગ આદિ લાઈમાં કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમજ હાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108