Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana

View full book text
Previous | Next

Page 25
________________ ૧૫ હાથે જ કરાવતા, કારણ કે આપને હરેક વાતે નિપુણ બનાવવા હતા. અમૃતસરમાં એક મુમુક્ષુને સ. ૧૯૪૮ માં દીક્ષા આપી શ્રી ગુરૂદેવે આપના પ્રથમ શિષ્ય બનાવ્યા ને શ્રી વિવેકવિજયજી નામ રાખ્યું. આપને જ્ઞાનાભ્યાસને ઘણો જ શોખ લાગેલે જોઈ ઉત્તમચંદ પંડિત પાસે કેટલેક અભ્યાસ કર્યો અને આપ અંબાલા પધાર્યા. આ અરસામાં પાલીતાણામાં એક સંસ્કૃત પાઠશાળા ખુલ્લી હતી, આપે અભ્યાસ માટે ત્યાં જવા શ્રી ગુરૂદેવની આજ્ઞા માંગી. શ્રી ગુરૂદેવે પણ આજ્ઞા આપી. સાથે એ પણ લખી દીધું કે પાંચ વરસથી વધારે ત્યાં રહેવું નહીં, કારણ કે ત્યાં વધારે રહેવાય તે બીજાઓની દેખાદેખી શિથિલતા આવી જાય. વળી એમ પણ લખી દીધું કે બન્ને બાજુથી ન ચૂકે તેને પણ ખ્યાલ કરશે. આ તરફ ગુજરાતમાં સમાચાર મળતાં ત્યાંથી પણું કેટલાક હિતશિક્ષાના પત્રો આવ્યા કે શ્રી ગુરૂમહારાજના ચરણની સેવા ન છેડશે. આવી પરિસ્થિતિ જોઈ આપે પાલીતાણા જવાનો વિચાર બંધ રાખે. ચોમાસું પૂર્ણ થતાં શ્રી ગુરૂદેવના ચરણમાં હાજર થયા. શ્રી ગુરૂમહારાજે હસીને પૂછ્યું : “ક્યા ભાઈ પંડિત બન આયા” આપે નમ્રતાથી જવાબ આપે “ગુરૂદેવ ! કલ્પવૃક્ષ અને ચિંતામણિરાનને છોડીને જવાની જે મારી અજ્ઞાનતા હતી તેને છેડી આવે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108