Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
અસારતા અને વૈરાગ્ય ભાવનાએ ભારે જોર જમાવ્યું. આપની માતુશ્રીને પણ જન્મથી જ એ જ ઉપદેશ હતે કે “બેટા જેમ બને તેમ સંસારથી વિરક્ત બની મોક્ષને માર્ગ લે એ જ મારી સલાહ છે. ” આપે પણ માતાના સુવર્ણાક્ષરોને સાચા કરીને બતાવ્યા.
દીક્ષા ભાગ્યવાને જે વસ્તુ માટે વિચાર કરે છે તે વસ્તુ તેમને અવશ્ય મળી આવે છે. અહીં પણ એમ જ બન્યું. આ સમયે આખાયે - ભારતવર્ષમાં તે શું યુરોપ તેમજ અમેરિકામાં પણ સ્વર્ગસ્થ આચાર્ય મહારાજ સાહેબશ્રી આત્મારામજી ( વિજયાનંદસૂરિજી ) મહારાજ સાહેબનું નામ જગજાહેર હતું. ભાગ્યયોગે તેઓશ્રીનું વડોદરામાં પધારવું થયું. આપ હંમેશાં તેઓશ્રીના વ્યાખ્યાનમાં જતા, એકાંતમાં બેસી ઉપદેશ સાંભળતા, તેના ઉપર વિચાર કરતા. આ પ્રમાણે હમેશાં કરતા જે એક દિવસ આચાર્ય મહારાજ સાહેબે પૂછયું “ ભાઈ કેમ બેઠા છો?” આપ આ વખતે વિચારમાં મસ્ત હતા. એકદમ ચમકી ઉઠયા અને રડી (ઈ) પયા. શ્રી ગુરૂમહારાજે શાંત કરી પૂછયું કે “ શું તમારે ધન જોઈએ છે?” આપે હા કહી. ગુરૂમહારાજે કહ્યું “ અમારી પાસે ધન હોય નહીં, ઠીક, તમારે ધન જોઈતું હશે તે કઈ શેઠીઆ આવશે તે તમને અપાવીશું.” આપે ઉત્તર આપ્યો: ગુરૂમહારાજ, મારે તે એવું ધન આપની પાસેથી લેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org