________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
—
——
—
—
—
——
——
—
—
—
—
—
—
—
—
છે, પણ કલ્પના નથી. આ ધર્મની વાત છે. “જે કાળે જે અવસ્થા થવાની સર્વજ્ઞ ભગવાને જોઈ તે કાળે તે જ અવસ્થા થાય, બીજી ન થાય. આમાં એકાંતવાદ કે નિયતવાદ નથી પરંતુ આમાં જ સાચો અનેકાંતવાદ અને સર્વજ્ઞતાની ભાવના તે જ જ્ઞાનનો અનંતો પુરુષાર્થ આવે છે.
આત્મા સામાન્ય-વિશેષસ્વરૂપ વસ્તુ છે. અનાદિ-અનંત જ્ઞાનસ્વરૂપ તે સામાન્ય અને તે જ્ઞાનમાંથી સમયે સમયે જે પર્યાય થાય છે તે વિશેષ છે. સામાન્ય પોતે કાયમ રહીને વિશેષપણે પરિણમે છે; તે વિશેષ પર્યાયમાં જો સ્વરૂપની રુચિ કરે તો સમયે સમયે વિશેષમાં શુદ્ધતા થાય છે, અને જો તે વિશેષ પર્યાયમાં “રાગાદિ દેહાદિ તે હું” એવી ઊંધી રુચિ કરે તો વિશેષમાં અશુદ્ધતા થાય છે. આ રીતે સ્વરૂપની રુચિ કરે તો શુદ્ધ પર્યાય ક્રમબદ્ધ પ્રગટે છે; અને જો વિકારની–પરની રુચિ હોય તો અશુદ્ધ પર્યાય પ્રગટે છે. ચૈતન્યના ક્રમબદ્ધ પર્યાયમાં ફેર પડતો નથી, પણ ક્રમબદ્ધનો નિયમ એવો છે કે જે તરફની રુચિ કરે તે તરફની ક્રમબદ્ધ દશા થાય છે. જેને ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થાય તેને દ્રવ્યની રુચિ થાય અને જેને દ્રવ્યની રુચિ થાય તેનો ક્રમબદ્ધ પર્યાય શુદ્ધ જ થાય, એટલે સર્વજ્ઞ ભગવાને જાણ્યા પ્રમાણે ક્રમબદ્ધ પર્યાય જ થાય છે, તેમાં ફેર પડતો જ નથી, એટલું નક્કી કરવામાં તો દ્રવ્ય તરફનો અનંત પુરુષાર્થ આવી જાય છે. પર્યાયનો ક્રમ ફેરવવો નથી, પણ રૂચિ સ્વ તરફ કરવાની છે.
પ્રશ્ન- જગતના પદાર્થોની અવસ્થા ક્રમબદ્ધ થાય છે. જડ કે ચેતન બધામાં એક પછી એક ક્રમબદ્ધ અવસ્થા શ્રી સર્વજ્ઞદેવે જોઈ તે પ્રમાણે જ અનાદિ અનંત સમયબદ્ધ જ થાય છે - તો પછી આમાં પુરુષાર્થ કરવાનો ક્યાં કહ્યો?
ઉત્તરઃ- એકલા આત્મા તરફનો પુરુષાર્થ કરે ત્યારે જ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થાય છે. જેણે પોતાના આત્મામાં ક્રમબદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com