________________
પર્વ ૨
કારણ કે શક્તિવંત પુરુષા કવિઓની જેમ અન્ય અન્ય પ્રકારની રચનાથી પાતાના આત્માને જણાવે છે. અચ્યુતે ની જેમ તેણે માઈન, વિલેપન, પૂજા, અષ્ટમંગળિકન' આલેખન અને આરાત્રિક એ સર્વ કાર્ય વિધિયુક્ત કર્યાં. પછી શક્રસ્તવથી જગત્પતિને વંદના-નમસ્કાર કરી હથી ગદ્ગદ્ સ્વરે આ પ્રમાણે સ્તુતિ કરી—
२३७
હે ત્રણ ભુવનના અધિપતિ ! વિશ્ર્વકવત્સલ ! પુણ્યલતાને ઉત્પન્ન કરવામાં નવીન મેઘ સમાન એવા હે જગત્પ્રભુ ! તમે જય પામેા. હું સ્વામિન્ ! પતમાંથી જેમ સરિતાને આઘ ઉતરે તેમ આ જગતને પ્રસન્ન કરવાને તમે વિજય નામના વિમાનથી ઉતરેલા છે. હે ભગવાન્ ! મેાક્ષરૂપી વૃક્ષનાં જાણે બીજ હોય તેવાં ઉજજવળ ત્રણ જ્ઞાન, જળમાં શીતળતાની જેમ તમારે જન્મથી જ સિદ્ધ છે. હે ત્રિભુવનાધીશ ! દણુની સામે પ્રતિબિંબની જેમ જે તમને હૃદયમાં ધારણ કરે છે તેની સન્મુખ હમેશાં સ પ્રકારની લક્ષ્મી રહે છે. ઉત્કટ એવા કર્મારૂપી રાગથી પીડાતા પ્રાણીઆના રાગના પ્રતિકાર કરનારા એક વૈદ્યરૂપ તમે તેમના ભાગ્યાયે ઉત્પન્ન થયેલા છે. હે સ્વામિન્ ! મારવાડના પાંથની જેમ તમારા દર્શનરૂપી અમૃતના શ્રેષ્ઠ સ્વાદથી અમે જરા પણ તૃપ્તિ પામતા નથી. હે પ્રભુ ! સારથિવડે રથની જેમ અને કર્ણ ધારવડે નાવની જેમ નાયકરૂપ તમે ઉત્પન્ન થવાથી આ જગતના લાકે સન્માગે પ્રવો. હે ભગવાન ! તમારા ચરણકમળની સેવાની પ્રાપ્તિથી અમારું અશ્વ હમણાં કૃતાર્થ થયેલું છે.”
એવી રીતે એક સા આઠ ગ્લેાકવડે સ્તુતિ કરી ઇદ્ર પ્રથમની જેમ પેાતાના પાંચ રૂપ વિકૃત કર્યા. એક રૂપે પ્રભુને હાથમાં ગ્રહણ કર્યા, એક રૂપે પ્રભુના મસ્તક ઉપર છત્ર ધર્યું, એ રૂપે ચામર ધર્યાં અને એક રૂપે હાથમાં વા લઈ પ્રભુની આગળ પૂર્વવત્ ઊભા રહ્યા. પછી પાતાની ઇચ્છા પ્રમાણે યથાયેાગ્ય પરિવાર સહિત નમ્રાત્મા તે વિનીતાનગરીમાં જિતશત્રુ રાજાને ઘેર આવ્યા. ત્યાં પ્રથમ મૂકેલા તીર્થંકરના પ્રતિબિંબને સંવૃત કરી વિજયાદેવીની પડખે તીર્થંકરને આરેાપણ કર્યા. પ્રભુને ઓશીકે સૂર્યચંદ્રના જેવુ' કુંડળનુ' યુગલ તથા કોમળ અને શીતળ એવું દેવદૃષ્ય વસ્ત્ર મૂકયું. આકાશમાંથી ઉતરતા સૂચના જેવું સુવર્ણના પ્રાકારે શણગારેલુ. શ્રીદામગ ́ડક પ્રભુની ઉપર ઉલ્લેચમાં ખાંધ્યું, પ્રભુની દૃષ્ટિના વિનાદને માટે મણિરત્ન સહિત હાર અને મનેાહર અદ્ધહાર ઈંદ્ર ત્યાં લટકાવ્યા. પછી ચક્ જેમ કુમુદિનીની અને સૂર્ય જેમ પદ્મિનીની નિદ્રા હરે તેમ ઇન્દ્રે વિજયાદેવીને આપેલી અવસ્વામિની નિદ્રા હરણ કરી, ઈંદ્રે આદેશ કરેલા કુબેરની આજ્ઞાની તૃભક જાતિના દેવતાઓએ જિતશત્રુ રાજાના ગૃહમાં તે વખતે સુવર્ણ, હિરણ્ય અને રત્નાની જુદી જુદી ખત્રીશ કોટી સખ્યાપ્રમાણુ વૃષ્ટિ કરી અને બંત્રીશ ન ભદ્રાસનની વૃષ્ટિ કરી. મણ્યંગ કલ્પવૃક્ષાની જેમ તેમણે આભૂષણની વૃષ્ટિ કરી, અનગ્ન કલ્પવૃક્ષાની જેમ વસ્ત્રની વૃષ્ટિ કરી અને ભદ્રાશાલાદિક વનમાંથી ચુટી લાવેલાની જેમ ચાતરમ્ પત્રવૃષ્ટિ, પુષ્પવૃષ્ટિ અને વૃષ્ટિ કરી. ચિત્રાંગ નામના કલ્પવૃક્ષની જેમ તેએએ વિચિત્ર વર્ણનાં પુષ્પોની માળાની વૃષ્ટિ કરી, ઐલાદિક ચૂર્ણને ઉડાડનારા દક્ષિણુ પવનની જેમ ગધષ્ટિ અને પવિત્ર એવી ચૂવૃષ્ટિ કરી અને પુષ્કરાવ મેઘ જેમ જળધારાની વૃષ્ટિ કરે તેમ અતિ ઉદ્ગાર વસુધારાની વૃષ્ટિ કરી. પછી શક્રની આજ્ઞાથી તેના અભિયાગિક દેવતાઓ એ આ પ્રમાણે ઉદ્ઘાષણા કરી–“હે વૈમાનિક, જીવનપતિ, જ્યાતિષ્ક અને વ્યતર દેવતાએ !
૧. કુલની માળાઓને દડા (ગુચ્છો). ૨. એક જાતના ભદ્રાસન (સિંહાસન)