Book Title: Trishashti Shalaka Purush Charitra Part 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 269
________________ સર્ગ ૩ જે. ૪૨૮ હાથમાં ઉત્તમ ભેટ લઈ નવા ચંદ્રની જેમ ભક્તિથી નવા રાજાની પાસે આવી પ્રણામ કર્યો “પિતાની બીજી મૂર્તિરૂપ સગરને રાજ્યપદે સ્થાપન કરવાથી સ્વામીએ આપણને છોડી દીધા નથી ” એમ જાણી પ્રજાવ. હર્ષ પામે. ત્યારપછી દયાના સમુદ્રરૂપ ભગવાન્ અજિતસ્વામીએ વર્ષાકાળને વરસાદ જેમ વરસવાનો આરંભ કરે તેમ વાર્ષિક–દાન આપવાનો આરંભ કર્યો. તે અવસરે ઈ. આજ્ઞા કરેલા અને કુબેરે પ્રેરેલા તિર્યકજભક દેવતાઓ ભ્રષ્ટ થયેલા, નષ્ટ થયેલા, સ્વામી વિનાના, ચિહ્ન વિનાના, અધિપતિ વગરના, પર્વતની ગુફામાં રહેલા, સ્મશાનમાં રહેલા અને ભવનાંતરમાં દટાઈ ગયેલા ધનને ત્યાં ઉપાડી લાવ્યા. તે ધનને ગંગાટકમાં, ચેકમાં, ત્રિકમાં અને પ્રવેશ નિગમની પૃથ્વીમાં એકઠું કર્યું. પછી દરેક ત્રિકમાં, દરેક રસ્તે અને કે ચે કે “ આવે અને આ ધન ગ્રહણ કરો” એવી અજિતસ્વામીએ ઘેષણ કરાવી. પછી જે કઈ જે પ્રકારનું જેટલું ધન માગે તેને તેટલું ધન સૂર્યોદયથી માંડીને ભજનના વખત સુધી દાન દેવા માટે બેઠેલા પ્રભુ આપવા લાગ્યા. એમ દરરોજ એક કોડ ને આઠ લાખ સોનૈયા આપતાં એક વર્ષે ત્રણસેં અઠયાશી ક્રોડ ને એંસી લાખ સોનૈયા પ્રભુએ દાનમાં આપ્યા. કાળના અનુભાવથી અને સ્વામીના પ્રભાવથી યાચકોને ઇચ્છિત દાન આપતાં છતાં પણ તેઓ પોતપોતાના ભાગ્યથી અધિક દ્રવ્યને ગ્રહણ કરી શકતા નહોતા. અચિંત્ય મહિમાવાળા અને દયારૂપી ધનવાળા પ્રભુએ એક વર્ષ સુધી પૃથ્વીને ચિંતામણિની જેમ ધનથી તૃપ્ત કરી દીધી. વાર્ષિક-દાનને અંતે ઈદ્રનું આસન કંપાયમાન થયું, એટલે અવધિજ્ઞાનવડે પ્રભુનો દીક્ષા અવસર જાણી ભગવાનને નિષ્ક્રમણત્સવ કરવા સારુ સામાનિક વિગેરે દેવતાઓની સાથે ઈદ્ર પ્રભુ પાસે આવવા નીકળ્યા. તે વખતે ઈદ્ર વિમાનોથી દિશાઓમાં જાણે ચાલતા મંડપ રચતા હતા, ઊંચા હાથીઓથી જાણે તેમાં પર્વતે ઊડતા હોય તેમ કરતા હતા, તરંગોથી સમુદ્રની જેમ અોથી આકાશને આક્રમણ કરતા હતા, અખલિત ગતિવાળા રથી સૂર્યના રથની સાથે સંધદ્ર કરતા હતા અને ઘુઘરીઓની માળાના ભારવાળા દિગજોના કર્ણ તાલને અનુસરતા વાંકુશથી આકાશતલને તિલકિત કરતા હતા. કેટલાએક દેવતાઓ ગાંધાર સ્વરથી ઊંચે પ્રકારે તેમની પાસે ગાયન કરતા હતા, કેટલાએક દેવતાઓ નવા બનાવેલાં કાવ્યોથી તેમની સ્તવના કરતા હતા, કેટલાક દેવતાઓ મુખ ઉપર વસ્ત્રાંચળ રાખી વિજ્ઞપ્તિ કરતા હતા અને કેટલાક દેવતાઓ પૂર્વ તીર્થકરોનાં ચરિત્રે સંભારી આપતા હતા. એવી રીતે સ્વામીના ચરણકમળથી પવિત્ર થયેલી વિનીતાનગરીને દેવલોક કરતાં પણ અધિક માનતા ઇદ્ર ક્ષણવારમાં ત્યાં આવી પહોંચ્યા. તે વખતે બીજા પણ સુરેદ્રો અને અસુરેંદ્રો આસનકંપથી પ્રભુનો દીક્ષા અવસર જાણી વિનીતાનગરીમાં આવ્યા. ત્યાં અશ્રુત વિગેરે દેવેંદ્રાએ અને સગરાદિક નરેંદ્રાએ અનુક્રમે પ્રભુને દીક્ષાભિષેક કર્યો. પછી મણિકાર જેમ માણિકયનું માર્જન કરે તેમ ઈ દેવદુષ્ય વસ્ત્રવડે પ્રભુના જ્ઞાનોદકથી ભીના થયેલા શરીરને માર્જન કર્યું અને ગંધકારની જેમ પોતાના હાથથી જગદગુરુને સુંદર અંગરાગથી ચર્ચિત કર્યા. ધર્મવાસનારૂપી ધનવાળા ઈ પ્રભુના અંગ પર અષિત દેવદૂષ્ય વસ્ત્રો પહેરાવ્યાં અને મુગટ, કુંડળ, હાર, બાજુબંધ, કંકણુ તથા બીજા પણ અલંકારો જગત્પતિને ધારણ કરાવ્યાં. પુષ્પની દિવ્ય માળાઓથી જેમના કેશ અને જાણે ત્રીજું નેત્ર હોય તેવા તિલકથી જેમનું લલાટ શોભી રહ્યું છે, દેવી, દાનવી અને માનવી સ્ત્રીઓ વિચિત્ર ભાષાથી મધુરસ્વરે જેમનું મંગળગાન ગાઈ રહી છે, ચારણુભાટની જેમ

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346