________________
૪૨
एकमपि तु जिनवचनाद् - यस्मान्निर्वाहकं पदं भवति । શ્રયન્તે રાનન્તા:, સામાયિમાત્ર૫સિદ્ધા: ॥ ૨૭ ॥ तस्मात् तत्प्रामाण्यात्, समासतो व्यासतश्च जिनवचनम् । श्रेय इति निर्विचारं ग्राह्यं धार्यं च वाच्यं च ॥ २८ ॥ न भवति धर्मः श्रोतुः, सर्वस्यैकान्ततो हितश्रवणात् । ब्रुवतोऽनुग्रहबुद्ध्या वक्तुस्त्वेकान्ततो भवति ॥ २९ ॥ श्रममविचिन्त्यात्मगतं तस्माच्छ्रेयः सदोपदेष्टव्यम् । આત્માનં = પરં ચ (હિ), હિતોપવેટાનુવૃતિ ॥ ૩૦ ॥ नर्ते च मोक्षमार्गाद्, हितोपदेशोऽस्ति जगति कृत्स्नेऽस्मिन् । तस्मात् परमिदमेवे - ति मोक्षमार्गं प्रवक्ष्यामि ॥ ३१ ॥
(૨૭-૨૮) જિનપ્રવચનનું એક પણ પદ ઉત્તરોત્તર જ્ઞાન પ્રાપ્તિ દ્વારા સંસારથી તારનારું બને છે. કેવળ ‘સામાયિક' પદથી અનંતકાળમાં અનંતા જીવો સિદ્ધ થયા છે એમ શાસ્ત્રમાં સંભળાય છે. આથી આગમ ઉપર વિશ્વાસ રાખીને સંક્ષેપથી કે વિસ્તારથી ગ્રહણ કરેલું જિનવચન જ કલ્યાણકારી છે એવી શ્રદ્ધાપૂર્વક જિનવચન ગ્રહણ કરવું (=જિનવચનનું ચિંતનાદિ કરવું) અને અન્યને કહેવું.
(૨૯) હિતકર વચનના શ્રવણથી સાંભળનાર બધાને લાભ થાય જ એવો નિયમ નથી. પણ અનુગ્રહ બુદ્ધિથી કહેનારને=ઉપદેશકને તો અવશ્ય લાભ થાય છે.
(૩૦) આથી પોતાના શ્રમનો વિચાર કર્યા વિના સદા કલ્યાણકારી (મોક્ષમાર્ગનો) ઉપદેશ આપવો જોઇએ. કલ્યાણકારી ઉપદેશ આપનાર સ્વ૫૨-ઉભય ઉ૫૨ અનુગ્રહ કરે છે.
(૩૧) આ સમસ્ત વિશ્વમાં મોક્ષમાર્ગ સિવાય બીજો કોઇ કલ્યાણકારી ઉપદેશ નથી. આથી મોક્ષમાર્ગ એ જ શ્રેષ્ઠ ઉપદેશ છે એવો નિર્ણય કરીને હું (ઉમાસ્વાતિવાચક) મોક્ષમાર્ગને કહીશ.
१. एकमपि पदं, किं पुनरियान् सप्तपदार्थसंग्रह इति तुशब्दो विशेषयति, जिनवचनादित्यवच्छेदे पञ्चमी यथा समूहाच्छुक्लं प्रकाशते । यस्मादिति कारणे पञ्चमी ।