________________
पूर्वधरश्रीमदुमास्वातिवाचकविरचितम्श्रीतत्त्वार्थाधिगमशास्त्रम्
|| સંવન્યરિહા | सम्यग्दर्शनशुद्धं, यो ज्ञानं विरतिमेव चाप्नोति । दुःखनिमित्तमपीदं, तेन सुलब्धं भवति जन्म ॥१॥ जन्मनि कर्मक्लेशै-रनुबद्धेऽस्मिंस्तथा प्रयतितव्यम् । વર્ણવત્નશામાવો, યથા મવષિ પરમાર્થઃ | ૨ | परमार्थालाभे वा, दोषेष्वारम्भकस्वभावेषु ।। कुशलानुबन्धमेव, स्यादनवद्यं यथा कर्म ॥ ३ ॥ कर्माहितमिह चामुत्र, चाधमतमो नरः समारभते । इह फलमेव त्वधमो विमध्यमस्तूभयफलार्थम् ॥ ४ ॥ परलोकहितायैव प्रवर्तते, मध्यमः क्रियासु सदा । मोक्षायैव तु घटते, विशिष्टमतिरुत्तमपुरुषः ॥ ५ ॥
(૧) જે સમ્યગ્દર્શનથી શુદ્ધ જ્ઞાન અને ચારિત્ર પ્રાપ્ત કરે છે, તેનો દુઃખનું કારણ પણ આ (મનુષ્ય) જન્મ સફળ બને છે.
(૨) કર્મ અને કષાયના અનુબંધવાળા આ જન્મમાં કર્મ અને કષાયનો સર્વથા અભાવ થાય તેવો પ્રયત્ન કરવો એ જ પરમાર્થ છે.
(૩) આરંભમાં પ્રવર્તાવવાના સ્વભાવવાળા કષાયાદિ દોષોની વિદ્યમાનતાના કારણે પરમાર્થ ( કર્મ અને કષાયોનો સર્વથા અભાવ) ન થઈ શકે તો કુશળકર્મનો=પુણ્યાનુબંધી પુણ્યનો અનુબંધ થાય તે પ્રમાણે નિરવદ્ય કાર્યો કરવાં જોઇએ.
છ પ્રકારના મનુષ્યો
(૪-૫-૬) અધમતમ મનુષ્ય આ લોક અને પરલોકમાં દુઃખ આપનારા કાર્યો કરે છે. અધમ મનુષ્ય કેવળ આ લોકમાં સુખ આપનારા કાર્યો કરે છે. વિમધ્યમ મનુષ્ય ઉભયલોકમાં સુખ આપનારા કાર્યો કરે છે.