________________
શેરબજારની સિસ્મોલોજી અનિવાર્ય છે. તેમ જીવનમાં સંતોષનો સીટબેલ્ટ બાંધવો અનિવાર્ય છે.” - ટૂંકા પણ ચોંટદાર સૂત્રો મુનિશ્રીનાં અન્ય પુસ્તકોની જેમ જ આ પુસ્તકનાં પણ ઘરેણાં છે.
શ્રમમુક્ત અને સ્ટ્રેસયુક્ત જીવનશૈલીમાં લોકો પોરવાયા છે.”
“રૂપિયા ખિસ્સામાં ગોઠવાય એ નાનું જોખમ છે. રૂપિયા મગજમાં ગોઠવાય તે મોટું જોખમ છે..”
લેખક સંપત્તિનું જીવનમાં મહત્ત્વ સ્વીકારે છે પણ તેની પાછળની ઉંદરદોડ તરફ લાલબત્તી ધરે છે.
“સંપત્તિ એ ગૃહસ્થ જીવનમાં અગત્યનું સાધન છે. છતાં એ સાધન કક્ષામાં રહે, સાધ્ય કક્ષામાં ન આવી જાય તે જરૂરી
લેખકનું પુસ્તક લખવાનું પ્રયોજન લેખકે વ્યક્ત કરેલી આ પ્રાર્થનામાં વ્યક્ત થાય છે.
* “સ્વસ્થતા એ સૌનો જન્મસિદ્ધ અધિકાર છે. એ અધિકારને જાળવી રાખવામાં સહુને સફળતા મળે. સહુની સબુદ્ધિ વિસ્તાર પામે. સહુ સંતોષવૃત્તિના વૈભવને પામે.. સહુની પ્રસન્નતા અખંડ સૌભાગ્યવતી રહે.
સહુ આ પુસ્તક વાંચે જ નહિ – જીવે તો લેખકની આ અભિલાષા ફળે એવું થાય. એ જ પ્રાર્થના..
હસમુખ પટેલ
* આ પ્રસ્તાવનામાં વ્યક્ત થયેલા વિચારો પ્રસ્તાવકના વ્યક્તિગત વિચારો છે.