________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭).
હે જગતછો ! તમારા પ્રતિ દ્રવ્યદયાનું તથા ભાવદયાનું ચિતવન જ મારા આત્માની ઉન્નતિમાં પરમ હેતુ છે. તમે અસંખ્ય જીવો તથા નિગાદની અપેક્ષાએ અનંત જ છે. તમારી પ્રત્યેકની અસંખ્યાતપ્રદેશમય વ્યક્તિ છે. તમે સ્વસ્વરૂપજ્ઞાનથીજ ન્નતિ પ્રાપ્ત કરી શકશો.
ઉત્તમ અવતારધારક હે મનુષ્યો ! તમે અનેક દેશ જન્મ વેગે સ્વસ્વ દેશાભિમાન ધારણ કરી, બાહ્યદેશમમતાવાગે એક બીજાની અવનતિ કરવા ઈચ્છે છે, તે શું તમારી ભૂલ નથી ? ભૂલ જ છે. સર્વ આત્માઓ એકસરખા આત્યંતર પ્રદેશોથી છે, છતાં અન્ડરસ્વરૂપ ભૂલી, બાઘાભિમાનથી એક બીજાથી દૂર પડી, પરસ્પર લડી મરે છે, તે શું તમને છાજે છે? ઘટે છે ? વિચારો, વિજાતીયદેશનાં જલ એક સરખાં છે. તેમ તમે વિજાતીય દેશમાં જમ્યા છે, પણ આત્મત્વથી એક સરખા છે. માટે એક બીજાપ્રતિ મૈત્રીભાવનાથી દે, અને એકબીજાના ભલાના શુદ્ધવિચાર ધારે.
તમે કોઈ મનુષ્યનું ભલું ચિંતવશે તે ભલા વિચારથી અશુભ કર્મોદયથી તેનું છે કે સારૂ થઈ શકતું નથી તે પણ
www.kobatirth.org
For Private And Personal Use Only